Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 29

background image
ચૈત્ર : ૨૪૮૭ : ૨૩ :
અંતરમાં રાગનો સંગ નહિ બહારમાં વસ્ત્રનો સંગ નહિ. મુનિ દશા અંગીકાર કરી, તીર્થંકર ભગવાન ધ્યાનમાં
બેસે છે ને તુર્ત જ ચોથું જ્ઞાન–મનઃપર્યયજ્ઞાન પ્રગટે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન કરે ત્યાં સુધી વારંવાર
છઠા સાતમા ગુણસ્થાનમાં આવે છે અને અતીન્દ્રિય નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપમાં વારંવાર લિનતાનો સ્વાદ
લેતાં આનંદના ઝુલામાં ઝુલે છે.
પ. ધર્માત્મા જીવ તીર્થંકરોની ઉત્કૃષ્ટ વૈરાગ્યદશાનું સ્મરણ કરી પોતાની જાગ્રતી વધારે છે. મુનિ દશા
એવી હોય છે કે “માત્ર દેહ તે સંયમ હેતુ હેય જો” દેહ છોડ્યો જતો નથી, બાકી બધું તો છૂટવા લાયક છે તેથી
નગ્ન દેહ હોવા છતાં, દેહને સંયમનો હેતુ જાણી આહાર દેવાનો રાગ આવે છે. પણ કોઈ મુનિને વસ્ત્ર પાત્રાદિ
લેવા–રાખવાનો રાગ ન આવે કેમકે તે ગૃહસ્થ દશાના રાગના નિમિત્તો છે. જેથી મુનિ દશામાં (સાધુ પદમાં)
વસ્ત્ર પાત્ર સંયમનો હેતુ ત્રણ કાળમાં કદિ પણ હોય નહિ.
૬. મુનિને સ્નાન શા માટે નહિ? તેનું કારણ એ છે કે તે શૃંગારમાં જાય છે. ઈન્દ્રિય વિજયીને તે ન
હોય. અદંત ધોવન, નગ્નતા એ દશા દેહ પ્રત્યે જેને તીવ્ર આસક્તિ તૂટી તેને હોય જ, ત્રણ કષાય રહિત
અંતરમાં લિનતારૂપ આનંદ દશા જેને પ્રગટે તેની બાહ્ય તેવી જ દશા હોય, “નગ્નભાવ મુંડભાવ સહ
અસ્નાનતા” એ હોય જ છે. અંદરમાં નિર્મળાનંદ ચિદ્રૂપનો સ્પર્શ–અનુભવ નિરન્તર વેદે છે તેને બાહ્ય જળથી
સ્નાન કરી શરીરને ઉજળું કરવું એવો ભાવ હોતો નથી. તેમને તો એવી ભાવના હોય છે કે અંતરમાં
એકાગ્રતા દ્વારા આનંદની લહેરમાં એવા ઝુલીએ કે શક્તિરૂપે જે આનંદ ભર્યો છે તેનો સ્વાદ લેતાં તૃપ્ત તૃપ્ત
થઈ રહીયે–અતીન્દ્રિય આનંદમાં નિત્ય કેલી કરવી જેનો સહજ સ્વભાવ છે એવો અપૂર્વ અવસર ક્્યારે
આવશે, તેની જ્ઞાનીઓ ભાવના ભાવે છે. શ્રી બનારસીદાસજી કહે છે કે:–
“કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હો,
અપને રસસે ભર્યો અનાદિ ટેક હો.
મોહ કર્મ મમ નાંહિ, નાંહિ ભ્રમ કૂપ હૈ
શુદ્ધ ચેતના સિંધુ હમારા રૂપ હૈ”
વીતરાગ થવાની રુચિવાળો જીવ ચારિત્ર પ્રગટ થયા પહેલા, વીતરાગ ચારિત્રની ભાવના કરે છે.
૭. મોહ એટલે સ્વરૂપમાં અસાવધાની તે ક્ષણીક છે, મારૂં રૂપ એવું નથી. મારા ત્રિકાળી ધ્રુવ
સ્વભાવમાં તેનો કદિ પ્રવેશ થતો નથી. જ્ઞાનીને એવાં શ્રદ્ધા–જ્ઞાન છે જ. પરમાં સુખ બુદ્ધિ–પરથી સુખદુઃખ
માનવું પરનો કર્તા ભોક્તા અથવા સ્વામી છું એમ માનવું તે ભ્રમણા છે. તે મોહનો કૂવો છે. તેમાં અનાદિથી
જીવ પડતો આવે છે પણ જે જીવ સ્વ–પરનું ભાન કરી જાગ્યો અને અનાદિના ધ્રુવ નિર્મળ સ્વભાવને જાણ્યો
તે જીવ મલીનતાને પોતાનું સ્વરૂપ માને નહી. જ્ઞાનીઓને મુનિ દશામાં ઘોર તપશ્ચર્યા હોય છે પણ તેમના
મનને તાપ હોતો નથી “ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ” એવું તેમનું સ્વરૂપ હોય છે.
૮. જેમ સમુદ્રની મધ્યનાં પાણી ઉછળીને ભરતી લાવે તે વખતે બહારમાં સૂર્યનો ૧૧૮ ડીગ્રી તાપ હોય
તે ભરતીને ઓટ રૂપે થવાનું કારણ બને નહિ તેમ આત્મા અંદર ત્રિકાળી અનંત શક્તિનો ભંડાર છે તે
ભંડારની અંદરમાંથી ધ્રુવ સ્વભાવની રુચિ કરી જે જાગ્યો તેને અતીન્દ્રિય સ્વભાવ મારામાં ભર્યો જ છે એવી
પ્રતીતિ હોય છે. તેવી પ્રતીતિ થયા પછી ચારિત્રમાં નિર્ગ્રંથ દશા થતાં બાહ્યમાં પ્રતિકૂળતાના ગંજ આવે તો તે
કોઈ વિઘનકર્તા બની શકવા સમર્થ નથી. તપનું લક્ષણ ઈચ્છા નિરોધ છે તેનું અસ્તિથી લક્ષણચૈતન્યના
આનંદમાં પ્રતાપવંતપણે શોભવું એ છે.
૯. આત્માના બેહદ આનંદના સ્વાદને લેવાનો જે ઉત્સાહી થયો તેને કદિ ૧૨–માસ આહાર ન મળે તો
ય દિનતા થતી નથી કેમકે અતીન્દ્રિય પરમાનંદના