PDF/HTML Page 1 of 21
single page version

PDF/HTML Page 2 of 21
single page version

પોતામાં જે હિતકાર્ય કરવાનું છે તે તો પોતાની સામે જોવાથી જ થાય,
પરની સામે જોવાથી ન થાય. પરની સામે જોવાથી તો પોતાનું
હિતકાર્ય ચૂકી જવાય.
PDF/HTML Page 3 of 21
single page version

PDF/HTML Page 4 of 21
single page version

હે જીવ! તારો આત્મા જગતથી જુદો છે, જગતના પદાર્થોનો બોજો તારા ઉપર નથી.
સંભાળ.
તે તારું સ્વરૂપ નથી; માટે નિશ્ચિંત થઈ નિજસ્વરૂપના ચિંતન વડે તારા સ્વ–કાર્યને સાધ.
તત્પર થા.
PDF/HTML Page 5 of 21
single page version

सूक्ष्मेऽन्तःसंधिबंधे निपतति रभसात् आत्मकर्मोभयस्य ।
आत्मानं मग्नमंतःस्थिरविशदलसत् धाग्नि चैतन्यपूरे
बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ।। १८१।।
PDF/HTML Page 6 of 21
single page version

આખા જગત તરફથી પાછો વળીને ચૈતન્ય તરફ વળવાના ઉદ્યમવડે, અત્યંત જાગૃતીપૂર્વક, આત્મા અને
બંધની સંધિની વચ્ચે પ્રજ્ઞાછીણી પટકીને મુમુક્ષુ જીવ તેમને જુદા પાડી નાંખે છે.–બંનેને જુદા પાડવા માટે
બેનો આશ્રય નથી, આશ્રય તો એક આત્માનો જ છે; ‘પ્રજ્ઞા’ જ્યાં આત્મા તરફ વળીને એકાગ્ર થઈ ત્યાં
બંધથી તે જુદી પડી જ ગઈ; જ્ઞાન–પરિણતિ અને આત્માની એકતા થઈ તેમાં રાગ ન આવ્યો,–તેમાં બંધભાવ
ન આવ્યો, એ રીતે બંધ જુદો જ રહી ગયો, ને આત્મા બંધનથી છૂટી ગયો. આ રીતે ભગવતી પ્રજ્ઞા બંધને
છેદીને આત્માને મુક્તિ પમાડે છે.
પડીને અંતરમાં વળ. રાગથી જુદો પડીને જે અંતરમાં વળ્યો તેણે આત્મા અને બંધ વચ્ચે પ્રજ્ઞાછીણીને પટકી.
પ્રવીણ પુરુષો વડે સાવધાનીથી પટકવામાં આવેલી આ પ્રજ્ઞાછીણી કેવી રીતે પડે છે?–શીઘ્ર પડે છે,–તત્ક્ષણ જ
આત્મા અને બંધનું ભેદજ્ઞાન કરતી પડે છે; જેવું જ્ઞાન અંતરમાં વળ્યું કે તરત જ બંધને છેદીને આત્માથી જુદો
પાડી નાંખે છે. જુઓ, આ બંધને છેદવાની છીણી! આ પ્રજ્ઞાછીણી જ મોક્ષનું સાધન છે.
અંશને પણ આત્મામાં ભેળવતી નથી. આ રીતે બંધને સર્વ પ્રકારે છેદીને આત્માને મોક્ષ પમાડનારી આ
‘પ્રજ્ઞા’ ને આચાર્યદેવે ‘ભગવતી’ કહીને તેનો મહિમા કર્યો છે.
છોડી દઈને પણ, આ ભગવતી પ્રજ્ઞાને અંતરમાં પટકીને બંધને છેદી નાંખ! ‘કોઈપણ રીતે’–એમ કહીને કર્મ
વગેરે નડશે–એ વાત ઉડાડી દીધી. કોઈ કહે–કર્મ નડે તો?–તો આચાર્યદેવ કહે છે કે અરે જીવ! તું એકવાર
પ્રજ્ઞાછીણીને હાથમાં તો લે...પ્રજ્ઞાછીણી હાથમાં લેતાં જ (–એટલે કે જ્ઞાનને અંતર્મુખ કરતાં જ) કર્મ તો ક્્યાંય
બહાર રહી જશે ને છેદાઈ જશે. અહીં તો કહે છે કે ‘કર્મ નડશે...’ એમ યાદ કરે તે ખરો મોક્ષાર્થી નહિ, ખરો
મોક્ષાર્થી તો ઉદ્યમપૂર્વક પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કરીને આત્મા અને બંધને અત્યંત જુદા કરી નાંખે છે.
PDF/HTML Page 7 of 21
single page version

ભેદજ્ઞાનનો પુરુષાર્થ કર્યા વગર કેમ રહે?–ને આવો મોક્ષાર્થીજીવ બંધના એક કણિયાને પણ પોતાના
સ્વરૂપમાં કેમ રાખે?–ન જ રાખે. ને ભેદજ્ઞાનના કાર્યમાં તે પ્રમાદ પણ કેમ કરે?–ન જ કરે. જેમ વીજળીના
ઝબકારે સોય પરોવવી હોય ત્યાં પ્રમાદ કેમ પાલવે? તેમ અનંતકાળના સંસારભ્રમણમાં વીજળીના ઝબકારા
જેવો આ સંસારભ્રમણમાં વીજળીના ઝબકારા જેવો આ મનુષ્યઅવતાર, તેમાં ચૈતન્યમાં ભેદજ્ઞાનરૂપી દોરો
પરોવવા માટે આત્માની ઘણી જાગૃતી જોઈએ. ભાઈ! અનંતકાળે આ ચૈતન્ય ભગવાનને ઓળખવાના ને
મોક્ષને સાધવાના ટાણાં આવ્યા છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, આત્મભાન વગર ઉગરવાનો કોઈ આરો
નથી; માટે સર્વ ઉદ્યમથી તારા આત્માને ભેદજ્ઞાનમાં જોડ...શૂરવીરતાથી પ્રજ્ઞાછીણીવડે તારા આત્માના
બંધભાવને છેદી નાંખ. પ્રજ્ઞાછીણી તે બંધને છેદવાનું અમોઘશસ્ત્ર છે. પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકતાં,
એટલે કે જગતની અનુકૂળતામાં અટક્યા વગર ને જગતની પ્રતિકૂળતાથી ડર્યા વગર જ્ઞાનને અંતરમાં સ્વ
તરફ વાળતાં બંધન બહાર રહી જાય છે એટલે આત્મા બંધનથી છૂટી જાય છે. આ રીતે બંધનને છેદીને મોક્ષ
પામવાનું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે.
આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.” (‘જ્ઞાનીના
માર્ગના આશયને ઉપદેશનારાં વાક્્યો’ માંથી)
PDF/HTML Page 8 of 21
single page version

– પરમ શાંતિ દાતારી –
તેમને હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું રહ્યું નથી, તેમને તો પૂર્ણ સમાધિ જ છે.
છે ને પરભાવોને હેય જાણ્યા છે, તેથી ચૈતન્યસ્વભાવનું જ ગ્રહણ કરીને (–તેમાં લીનતા કરીને) પરભાવોને
તે છોડતા જાય છે; અને તેમને સમાધિ થતી જાય છે.
ઉપર દ્વેષ કરીને તેને છોડવા માંગે છે. આ રીતે મિથ્યાદ્રષ્ટિજીવ રાગ–દ્વેષથી પરને ગ્રહવા–છોડવાનું માને છે.
આ રીતે મિથ્યાઅભિપ્રાયને લીધે તેનો ત્યાગ પણ દ્વેષગર્ભિત છે; તેને સમાધિ થતી નથી પણ અસમાધિજ
રહે છે.
મકાન તને અનીષ્ટ છે, કે તારો મોહ અનીષ્ટ છે? મોહને તો છોડતો નથી ને મકાનને અનીષ્ટ માનીને
PDF/HTML Page 9 of 21
single page version

PDF/HTML Page 10 of 21
single page version

PDF/HTML Page 11 of 21
single page version

અજ્ઞાની બાહ્ય સંયોગનો વિશ્વાસ કરે છે.
PDF/HTML Page 12 of 21
single page version

છેતરાતા નથી.
રાણીઓ વગેરે હોય છતાં તેમાં ક્યાંય મારું સુખ છે એમ સ્વપ્નેય વિશ્વાસ કરતા નથી; તે બધા સંયોગો તો
મારાથી તદ્ન જુદા જ છે અને તે સંયોગો તરફની લાગણીથી પણ મને દુઃખ છે, તેમાં ક્યાંય મારું સુખ નથી
સુખ તો મારા ચિદાનંદસ્વભાવમાં જ છે; આમ સ્વભાવનો વિશ્વાસ કરીને ધર્મી વારંવાર તેને જ સ્પર્શે છે,–
તેમાં વારંવાર ડુબકી મારીને શાંતરસને વેદે છે. ચૈતન્યના વિશ્વાસે જ્ઞાનીના વહાણ ભવસાગરથી તરી જાય
છે–ને મોક્ષમાં પહોંચી જાય છે.
વૃદ્ધાવસ્થા અને આંખોની પૂરી તકલીફ હોવા છતાં તેઓ અવારનવાર સોનગઢ આવીને
ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા; અને તેમના મનન માટે પૂ. ગુરુદેવે પોતાના પાવન
હસ્તે મંત્ર લખી આપેલ હતો કે “સહજ ચિદાનંદ સ્વરૂપ આત્માનું સ્મરણ કરવું.” તેઓ
પ્રસન્નતાપૂર્વક તેનું રટણ કરતા. આધ્યાત્મિક શાસ્ત્રોના સ્વાધ્યાય–શ્રવણનો તેમને ઘણો
પ્રેમ હતો. તેઓ મોરબી મુમુક્ષુ મંડળના એક વડીલ તેમજ કાર્યવાહક કમિટિના સભ્ય
હતા. આ આત્મધર્મના લેખક બ્ર. હરિભાઈને પરમકૃપાળુ ગુરુદેવનું ચરણસાન્નિધ્ય પ્રાપ્ત
થવામાં પ્રાપ્ત થવામાં તેમની પ્રેરણા હતી. સ્વર્ગવાસના આગલા દિવસે મોડી રાત સુધી
ઉત્સાહપૂર્વક તેમણે તત્ત્વશ્રવણ કર્યું હતું. તત્ત્વ સમજવાની જિજ્ઞાસામાં આગળ વધીને
તેઓ પોતાનું કલ્યાણ સાધે, અને તેમના કુટુંબીજનો પણ તેમના તત્ત્વપ્રેમનું અનુકરણ
કરીને આત્મહિતના પંથે વળે... એ જ ભાવના.
PDF/HTML Page 13 of 21
single page version

PDF/HTML Page 14 of 21
single page version

વ્યવહારનો નિષેધ કરીને શુદ્ધ સ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગને સાધે છે. અહા, આચાર્યદેવે મોક્ષને સાધવા
માટે મહા સિદ્ધાંત બતાવ્યો છે કે, મોક્ષાર્થીએ જેમ પરમાં એકત્વબુદ્ધિથી થતું મિથ્યાત્વ છોડવા યોગ્ય છે તેમ પરના
આશ્રયથી થતો રાગ પણ છોડવા યોગ્ય જ છે. મોક્ષને માટે શુદ્ધઆત્માનો એકનો જ આશ્રય કરવા યોગ્્ય છે.
આત્માને ભૂલીને, પરમાં એકત્વબુદ્ધિથી થતો જે મિથ્યા અધ્યવસાય તે બંધનું કારણ છે, એટલે મોક્ષાર્થીએ
તે છોડવા જેવો છે–એમ ભગવાનનો ઉપદેશ છે. આચાર્યદેવ કહે છે કે, પર સાથે એકતારૂપ અધ્યવસાય
ભગવાને છોડાવ્યો છે તે ઉપદેશમાંથી અમે એવું તાત્પર્ય કાઢીએ છીએ કે પરના આશ્રયે થતો સઘળોય
વ્યવહારજ ભગવાને છોડાવ્યો છે, કેમ કે તે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ તો અબંધ સ્વભાવનો
આશ્રય કરવો તે જ છે.
દ્રવ્યના આશ્રયે થતાં પરાશ્રિતભાવોમાં પણ સમકિત નથી. સમકિતી તો શુદ્ધ આત્માના આશ્રયે થતા
સમ્યક્ત્વાદિ નિર્મળભાવોમાં છે. પર દ્રવ્યને અને પરભાવો તો તેણે પોતાના સ્વભાવથી જુદા જાણ્યા છે તો
તેમાં સમકિતી કેમ હોય? રાગના કે પરના સ્વામીપણે સમકિતીને ઓળખે તો તેણે ખરેખર સમકિતીને
ઓળખ્યા જ નથી.
સ્વદ્રવ્યનો આશ્રય છે?–ના; જેમ પરને કારણે સ્વ નથી તેમ પરાશ્રયને કારણે સ્વાશ્રય નથી, એટલે
વ્યવહારને કારણે નિશ્ચય નથી. સમકિતી જાણે છે કે–જેમ પરદ્રવ્યથી મારો આત્મા જુદો છે તેમ પરાશ્રિત એવા
રાગાદિ ભાવોથી પણ મારો આત્મા જુદો જ છે.–આ રીતે સમકિતી–ધર્માત્મા વ્યવહારથી મુક્ત છે, છૂટો છે.
સ્વાશ્રયે જે સાધકભાવ થયો છે–નિર્મળભાવ થયો છે તે તો વ્યવહારના પરાશ્રયભાવથી (–બાધકભાવથી)
જુદો જ વર્તે છે. સ્વાશ્રયભાવની ધારા નિર્મળપણે મોક્ષમાર્ગે ચાલી જાય છે, ને જેટલો પરાશ્રિત ભાવ છે તે
બધોય સમ્યગ્દ્રષ્ટિના વિષયથી બહાર છે. પરાશ્રયે થતો ભાવ તો બંધનું કારણ હોવાથી બાધક છે. તે
બાધકભાવમાં જે એકપણે વર્તે તે જીવ મોક્ષનો સાધક કેમ હોય? અને જે મોક્ષનો સાધક હોય તે તેમાં (–
બાધકભાવમાં) એકપણે કેમ વર્તે?– માટે મોક્ષના સાધક જ્ઞાનીધર્માત્મા પરાશ્રિત વ્યવહારથી મુક્ત જ છે,
એટલે શુદ્ધ સ્વભાવના આશ્રય વડે તે વ્યવહારને છોડીને મુક્તિ પામે છે. આ જ મોક્ષને સાધવાની
સમકિતીની કળા છે. આવી કળા દ્વારા જ સમકિતીની ખરી ઓળખાણ થાય છે.
PDF/HTML Page 15 of 21
single page version

PDF/HTML Page 16 of 21
single page version

તે ચૈતન્યપ્રકાશી–આત્મા પદાર્થોને જાણે છે પણ કરતો નથી.
જેની દ્રષ્ટિમાં આવો ચૈતન્યપ્રકાશી આત્મા આવ્યો તે જીવ ચૈતન્યથી બાહ્ય એવા રાગાદિ પરભાવોનો
–જ્ઞાનભાવે તે પોતાની જ્ઞાન–આનંદ દશાનો જ કર્તાભોક્તા છે, અને
–અજ્ઞાનદશામાં તે પોતાના રાગ કે હર્ષાદિનો કર્તાભોક્તા પોતે જ છે.
કોઈ અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને નિર્મળજ્ઞાનભાવરૂપે તો પરિણમતો નથી,
રાગનો અકર્તા જ છે, ને કર્મ જ રાગ કરાવે છે.–તો એવા જીવને આચાર્યદેવ યુક્તિથી વસ્તુસ્થિતિ સમજાવે છે
કે :–
અનેકાન્તમયશ્રુતિનો (–જિનવાણીનો) તારા ઉપર કોપ થયો, અર્થાત્ તારી માન્યતા જિનવાણીથી વિરુદ્ધ
થઈ, –એટલે શ્રુતિની તારા ઉપર પ્રસન્નતા ન થઈ, તારું શ્રુતજ્ઞાન સમ્યક્ ન થયું પણ કુશ્રુત થયું.
આત્મા રાગનો અકર્તા, જ્ઞાન–
PDF/HTML Page 17 of 21
single page version

કે આત્મા કથંચિત્ કર્તા છે.
એ જ જીવહિંસાનું મોટું પાપ છે.
નિર્મળભાવો પ્રગટ થતાં તેમાં રાગનું પણ અકર્તાપણું થશે.
છે, પણ જડકર્મ રાગાદિ કરાવે છે એમ માનતા નથી.
વિકારનો અકર્તા;
ને પરનો તો અકર્તા
PDF/HTML Page 18 of 21
single page version

PDF/HTML Page 19 of 21
single page version

PDF/HTML Page 20 of 21
single page version
