Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૬ : આત્મધર્મ: ૨૨૦
અહીં તો હજી જિજ્ઞાસા અને સાંભળવાની પણ લાયકાત ન હોય ત્યાં જ્ઞાની કોણ અને ધર્મી કોણ?–
એનાથી અમે અધિક ને એનાથી અમે આઘા ગયા–એમ માને, એ કાંઈક દિશા ફેર છે, કાંઈક અંદરમાં દશા
નથી, વસ્તુ નથી. પહેલેથી રાગની મંદતાની એટલી લાયકાત જોઈએ કે સાંભળેલું હોય તો પણ એને એમ
લાગે કે અહા!–એમ આહ્લાદ આવે; એને બદલે જેને એમ થાય કે આ તો અમને આવડે છે, આ તો અમે
સાંભળેલ છે.–એની લાયકાત નથી. ‘એ તો અમને આવડે છે...મહારાજ તો કીધા કરે, દરરોજ કહે છે એની
એ વાત!’–અરે....સાંભળ રે સાંભળ! એવા સાંભળ્‌યા ને જાણપણા થઈ ગયા માટે તને જ્ઞાન થઈ ગયું કે
આવડી ગયું!–એ મોટો સ્વચ્છંદ છે અંદર. જ્યાં એટલી તો લાયકાત એનામાં પહેલાં ન હોય–ત્યાં ધર્મ ક્્યાંથી
પામે? પાત્રતા હોય એને તો આમ ખ્યાલમાં અંદર આવે કે આહાહા! અમે તો જ્ઞાનીના દાસાનુદાસ છીએ...
દાસાનુદાસ છીએ, એના ચરણના સેવક છીએ. એવી ભક્તિ દેવ–ગુરુ–શાસ્ત્ર અને જ્ઞાની પ્રત્યે હોય. જેનો
ભાવ આવો વિનયનો ન હોય અને નવ પૂર્વ ભણી ગયો હોય તો ય મોટા મીંડા છે. ચક્કરડાં!
બધી વાત કહેવાય છે, ભાઈ!
પણ એ પરલક્ષમાં વૃત્તિનું વહન તેની મર્યાદા રાગની મંદતા જેટલી છે. ગુરુ ઉપદેશાત્ પામી જાય–
એમ પણ કહેવામાં આવે છે, ને દિવ્યધ્વનિથી ન પામ્યો–એમ પણ કહેવાય છે. દિવ્યધ્વનિથી ન પામ્યો ને
ગુરુઉપદેશથી પામ્યો?
गुरु क्या कहता होगा? गुरु गुरुकी जाने; मैं तो मेरी कहेता हूं। (એ વાત
ધર્મદાસજીએ કરી છે.)
અચળ જ્ઞાનસ્વરૂપ એની અંદરની સ્વસન્મુખની દ્રઢતા અને એનું વેદન–અનુભવન એ વિના ત્રણકાળ
ત્રણલોકમાં બહારના ભક્તિ–વ્રત કે દાન–પૂજાના ભાવથી કદી તારી મુક્તિ થવાની નથી. અરે, એના વડે
મિથ્યાત્વમાંથી પણ મુક્ત થવાનો નથી.–છતાં મિથ્યાત્વથી મુક્ત થવાના કાળ પહેલાં ઉપર કહ્યો તેવો
વિનયાદિનો ભાવ હોયા વગર હોય નહીં. અને પછી પણ, સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થયા પછી પણ, એને જ્ઞાની
સર્વજ્ઞ પરમાત્મા, એની સ્થાપના–પ્રતિબિંબ, એના દ્રવ્યની યોગ્યતા–તીર્થંકર થવાની કે સર્વજ્ઞ વગેરે થવાની.
એનો ભાવ,–એના પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ. જો કે એની મર્યાદા વિકલ્પ પૂરતી છે, પણ એને
ઉડાવીને અંતરમાં કોઈ ગરી જાય કે સમ્યગ્જ્ઞાન પામી જાય–એમ ત્રણકાળ ત્રણલોકમાં ન બને. અને એને
લઈને પામી જાય–એમ પણ નથી.
–સમજાણું કાંઈ આમાં?
શાસ્ત્રમાં આવે છે કે–જ્ઞાનની આસાતના, જ્ઞાનનો વિરાધક, જ્ઞાનનું નિહ્નવવું–એ બધા
જ્ઞાનાવરણીય બાંધવાનાં કારણો છે. જ્ઞાનીની આસાતના, જ્ઞાનીનો વિરોધ, જ્ઞાનીની અંતરાય, એના
જ્ઞાનમાં કે બીજા માને–બીજા સમજે તેમાં વિઘ્ન નાખવું–તે બધા મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીય કર્મનાં
ચીકણાં કાટડાં બાંધનારા છે.–સમજાય છે? કોઈ પરાણે દઈ દે તેવું છે?–એ ભાવ (વિનયાદિનો) હોય
છે છતાં ચિદાનંદમૂર્તિ ભગવાન તેમાં તન્મય નથી. જ્ઞાનપ્રકાશી આત્મા ત્રણકાળ ત્રણલોકના પદાર્થોથી
તન્મય ત્રણકાળમાં થયો નથી, થશે નહીં, ને છે નહીં. એકલો જ્ઞાનગોળો ચૈતન્યપ્રકાશ છે,–એમાં
તન્મયપણું થઈને અનુભવ થવો તે એક જ મુક્તિનો માર્ગ અને પરમાર્થ છે, બીજો કોઈ માર્ગ છે નહીં.
પણ,–એ માર્ગ સંભાળીને પાછો વ્યવહારના માર્ગને ભૂલી જાય,–તો એ માર્ગ નથી. તેથી તો બે વાત
લીધી હતી. પહેલાં ભક્તિની અને પછી દાનની વાત કરી હતી. ભક્તિ જોઈએ, દેવ–ગુરુ–શાસ્ત્રનો વિનય,
જ્ઞાનીનો વિનય ને જ્ઞાનીનું બહુમાન જોઈએ. અને આચાર્યદેવ કહે છે કે...............
(અનુસંધાન માટે જુઓ પાનું. ૧૧)