
નથી, વસ્તુ નથી. પહેલેથી રાગની મંદતાની એટલી લાયકાત જોઈએ કે સાંભળેલું હોય તો પણ એને એમ
લાગે કે અહા!–એમ આહ્લાદ આવે; એને બદલે જેને એમ થાય કે આ તો અમને આવડે છે, આ તો અમે
સાંભળેલ છે.–એની લાયકાત નથી. ‘એ તો અમને આવડે છે...મહારાજ તો કીધા કરે, દરરોજ કહે છે એની
એ વાત!’–અરે....સાંભળ રે સાંભળ! એવા સાંભળ્યા ને જાણપણા થઈ ગયા માટે તને જ્ઞાન થઈ ગયું કે
આવડી ગયું!–એ મોટો સ્વચ્છંદ છે અંદર. જ્યાં એટલી તો લાયકાત એનામાં પહેલાં ન હોય–ત્યાં ધર્મ ક્્યાંથી
પામે? પાત્રતા હોય એને તો આમ ખ્યાલમાં અંદર આવે કે આહાહા! અમે તો જ્ઞાનીના દાસાનુદાસ છીએ...
દાસાનુદાસ છીએ, એના ચરણના સેવક છીએ. એવી ભક્તિ દેવ–ગુરુ–શાસ્ત્ર અને જ્ઞાની પ્રત્યે હોય. જેનો
ભાવ આવો વિનયનો ન હોય અને નવ પૂર્વ ભણી ગયો હોય તો ય મોટા મીંડા છે. ચક્કરડાં!
પણ એ પરલક્ષમાં વૃત્તિનું વહન તેની મર્યાદા રાગની મંદતા જેટલી છે. ગુરુ ઉપદેશાત્ પામી જાય–
ગુરુઉપદેશથી પામ્યો?
મિથ્યાત્વમાંથી પણ મુક્ત થવાનો નથી.–છતાં મિથ્યાત્વથી મુક્ત થવાના કાળ પહેલાં ઉપર કહ્યો તેવો
વિનયાદિનો ભાવ હોયા વગર હોય નહીં. અને પછી પણ, સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થયા પછી પણ, એને જ્ઞાની
સર્વજ્ઞ પરમાત્મા, એની સ્થાપના–પ્રતિબિંબ, એના દ્રવ્યની યોગ્યતા–તીર્થંકર થવાની કે સર્વજ્ઞ વગેરે થવાની.
એનો ભાવ,–એના પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ. જો કે એની મર્યાદા વિકલ્પ પૂરતી છે, પણ એને
ઉડાવીને અંતરમાં કોઈ ગરી જાય કે સમ્યગ્જ્ઞાન પામી જાય–એમ ત્રણકાળ ત્રણલોકમાં ન બને. અને એને
લઈને પામી જાય–એમ પણ નથી.
શાસ્ત્રમાં આવે છે કે–જ્ઞાનની આસાતના, જ્ઞાનનો વિરાધક, જ્ઞાનનું નિહ્નવવું–એ બધા
જ્ઞાનમાં કે બીજા માને–બીજા સમજે તેમાં વિઘ્ન નાખવું–તે બધા મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીય કર્મનાં
ચીકણાં કાટડાં બાંધનારા છે.–સમજાય છે? કોઈ પરાણે દઈ દે તેવું છે?–એ ભાવ (વિનયાદિનો) હોય
છે છતાં ચિદાનંદમૂર્તિ ભગવાન તેમાં તન્મય નથી. જ્ઞાનપ્રકાશી આત્મા ત્રણકાળ ત્રણલોકના પદાર્થોથી
તન્મય ત્રણકાળમાં થયો નથી, થશે નહીં, ને છે નહીં. એકલો જ્ઞાનગોળો ચૈતન્યપ્રકાશ છે,–એમાં
તન્મયપણું થઈને અનુભવ થવો તે એક જ મુક્તિનો માર્ગ અને પરમાર્થ છે, બીજો કોઈ માર્ગ છે નહીં.
જ્ઞાનીનો વિનય ને જ્ઞાનીનું બહુમાન જોઈએ. અને આચાર્યદેવ કહે છે કે...............