Gurustutiaadisangrah (Gujarati). SHREE GURUSTUTIAADISANGRAH; AAVRUTTI; PRAKASHAKIY NIVEDAN; ANUKRAMANIKA; PUJYA BAHENSHREE DWARA RACHEL PADO; GURUSTUTIAADISANGRAH; PUJYA GURUDEV SHREE KANAJISWAMI SAMBADHI UPKRUTBHAVABHINI STUTI ITYADI SANGRAH; 1. SHREE SADGURUDEV-STUTI (SANSAR SAGAR TARVA...); 2. GURU JANMAVADHAMANA (VAISHAKHA SUD BEEJANE VAR); 3. GURUJINI VANI (SAGAR UCHHALYO NE); 4. GURUDEVNO UPAKAR (JYA JOVU TYA NAJAR PADATA); 5. GURU-JANMA VADHAI (AAJ MANGAL VADHAI VAGATI RE); 6. GURURAJ-MAHIMA (SHREE SADGURUJEE MAHIMA APAR); 7. SHASHANATANA SHIROMANI; 8. YOGINDRO! TAV PUNIT CHARAN; 9. MATANE SWAPNA LADHYA NE; 10. GURU JANMAJAYANTI AAJE CHHE; 11. SUVARNAPURE VASYA EK SANT.

Next Page >


Combined PDF/HTML Page 1 of 6

 


Page -6 of 95
PDF/HTML Page 2 of 103
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૫૯
ग्ज॓जः ∫जठ्ठॠरूजॄØक्वअजथ्
શ્રી
ગુરુસ્તુતિઆદિસંગ્રહ
[ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સંબંધી
ઉપકૃતભાવભીની સ્તુતિ ઇત્યાદિ સગં્રહ ]
-ઃ પ્રકાશકઃ-
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ - -

Page -5 of 95
PDF/HTML Page 3 of 103
single page version

background image
પ્રથમાવૃત્તિવિ. સં. ૨૦૪૨સન 1986પ્રતઃ ૧૦૦૦
દ્વિતીયાવૃત્તિવિ. સં. ૨૦૪૩સન 1987પ્રતઃ ૨૦૦૦
તૃતીયાવૃત્તિવિ. સં. ૨૦૪૯સન 1993પ્રતઃ ૩૦૦૦
ચતુર્થ આવૃત્તિવિ. સં. ૨૦૬૪સન 2008પ્રતઃ ૨૦૦૦
મુદ્રક
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
PH (02846) 244081
કિંમત રુા. ૮=૦૦
શ્રી ગુરુસ્તુતિઆદિસંગ્રહ (ગુજરાતી)ના


સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા

શ્રીમતી મંજુલાબેન શાંતિલાલ મોદીના સ્મરણાર્થે હ. વિમળાબેન
ગીરધરલાલ મોદી, પ્રજ્ઞાબેન રસિકલાલ ડગલી, હંસાબેન પ્રમોદભાઈ
મહેતા, ચેતનાબેન મહેન્દ્રભાઈ મહેતા, છાયાબેન દીપકભાઈ પારેખ
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા ૧૬=૫૦ થાય છે.
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા ૧૬=૦૦
થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ.
શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૮=૦૦ રાખવામાં આવી છે.
[ ૨ ]


Page -3 of 95
PDF/HTML Page 5 of 103
single page version

background image
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
પ્રકાશકીય નિવેદન
પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો મુમુક્ષુ સમાજ ઉપર
અમાપ ઉપકાર સદાય પ્રવર્તે છે. આ ભાવનાને મુમુક્ષુઓના અંતરમાં જીવંત
રાખવાનો સાચો યશ તો પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનને જ છે. ભગવતી માતાની પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેની અત્યંત
ભક્તિભીની પ્રેરણાથી સુવર્ણપુરીમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મજયંતી
મહોત્સવ અવિરતપણે ઉજવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં પૂજ્ય
ગુરુદેવશ્રીનાં ટેપ પ્રવચન પછી નિયમિત પૂજ્ય ગુરુદેવશ્રીની ભક્તિ
કરવામાં આવે તેવી પૂજ્ય બહેનશ્રીની ભાવના હતી. આ માટે તેઓએ
ગુરુદેવશ્રીની ભક્તિનાં વિવિધ સ્તવનો સ્વયં રચી અને ગવડાવવાનું ચાલું
કર્યું. આ ભાવભીના સ્તવનોની એક પુસ્તિકા છપાય તો તે કાયમ ઉપયોગી
થાય તે હેતુને ધ્યાનમાં રાખી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ દ્વારા આ ‘શ્રી ગુરુસ્તુતિઆદિસંગ્રહ’નું પ્રકાશન શ્રી સં. ૨૦૪૨માં
કરવામાં આવ્યું. આ પુસ્તકમાં પૂજ્ય બહેનશ્રીએ રચેલી પૂજ્ય ગુરુદેવશ્રીની
ભક્તિઓ, પૂજ્ય ગુરુદેવશ્રી સાથે કરેલ તીર્થયાત્રાઓ સમયે તેઓએ રચેલ
તીર્થની ભક્તિઓ, સોનગઢમાં ઉજવવામાં આવતા દિપાવલી, મહાવીર
શાસન જયંતી આદિ પર્વોનાં સ્તવનો તથા કેટલાંક અન્ય કવિઓએ રચેલાં
સ્તવનો ઉમેરી આ પુસ્તકને સમૃદ્ધ બનાવામાં આવ્યું. આ પુસ્તકની
લોકપ્રિયતાને લીધે અત્યાર સુધીમાં તેની ત્રણ આવૃત્તિઓ બહાર પાડવામાં
આવી છે. તે તમામ પુસ્તકો ખપી જવાથી તેની આ ચોથી આવૃત્તિ પ્રકાશિત
કરવામાં આવી રહી છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આનાથી અત્યંત
લાભાન્વિત થશે.
શ્રાવણ વદ-૨
પૂજ્ય બહેનશ્રીનો
૯૫મો જન્મોત્સવ
તા. ૧૮-૮-૨૦૦૮
[ ૩ ]



Page 0 of 95
PDF/HTML Page 8 of 103
single page version

background image
દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાંહી ગજાવનહારા,
વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા;
ગુરુજી! જન્મ તમારો રે,
જગતને આનંદ કરનારો.
પાવન-મધુર અદ્ભુત અહો! ગુરુવદનથી અમૃત ઝર્યાં,
શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો! ચિદ્રસભર્યા;
ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા,
ગુણમૂર્તિના ગુણગણ તણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.
સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં;
સ્થળ-સ્થળમાં ‘ભગવાન આત્મ’ના ભણકારા સંભળાતા;
કણ કણ પુરુષારથ પ્રેરે,
ગુરુજી આતમ અજવાળે.
[પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન]
[ ૬ ]

Page 1 of 95
PDF/HTML Page 9 of 103
single page version

background image
[ ૧ ]
શ્રી
ગુરુસ્તુતિઆદિસંગ્રહ
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સંબંધી
ઉપકૃતભાવભીની સ્તુતિ ઇત્યાદિ સંગ્રહ
૧. શ્રી સદ્ગુરુદેવસ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપે ન વળે ભાવેંદ્રિમાં - અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
][

Page 2 of 95
PDF/HTML Page 10 of 103
single page version

background image
[ ૨ ]
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર
- અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
૨. ગુરુ-જન્મવધાામણાં
વૈશાખ સુદ બીજને વાર,
ઉજમબા ઘેર કહાન પધાર્યા;
(આજ ગુરુજન્મવધામણાં);
ગર્જયા દુંદુભિના નાદ,
ઉમરાળા ગામે કહાન પધાર્યા. ૧.
ન માય આનંદ કુટુંબીજન હૈયે,
ભાગ્યવાન મોતીચંદભાઈ....ઉજમબા૦;
કહાનકુંવરનો જન્મ જ થાતાં,
ગંધોદક વૃષ્ટિ થાય....ઉજમબા૦ ૨.
કહાનકુંવરનો જન્મ જ થાતાં,
મનવાંછિત કુદરત થાય....ઉજમબા૦;

Page 3 of 95
PDF/HTML Page 11 of 103
single page version

background image
[ ૩ ]
કહાન જનમતાં ભરતખંડ ડોલ્યું,
જનમ્યા અનુપમ કહાન....ઉજમબા૦ ૩.
મોતીચંદભાઈને ઘેર નૃત્ય આજ થાય છે,
ઘેર ઘેર મંગળ થાય....ઉજમબા૦;
દેવદેવેન્દ્રો મંગળ આજ ગાય છે,
ભરતખંડમાં ડંકા થાય....ઉજમબા૦ ૪.
બાળક કુંવર કહાન એ જુદા હતાં કોઈ,
ખેલતા’તા જ્ઞાનકુંજ માંહી....ઉજમબા૦;
વીત્યા વીત્યા તે કાંઈ બાળકાળ વીત્યા,
લાગી ધૂન આતમાની માંહી..ઉજમબા૦ ૫.
વૈરાગી કહાને ત્યાગ જ લીધો,
કાઢ્યું અલૌકિક કાંઈ.....ઉજમબા૦;
કહાનગુરુએ બંસરી બજાવી,
મીઠા એ બંસરીના સૂર....ઉજમબા૦ ૬.
મીઠા આ સૂર અહીં આવ્યા છે ક્યાંથી,
જાગ્યો છે એક કોઈ સંત....ઉજમબા૦;
ચાલો સહુ એ સુણવા જઈએ,
મીઠા આ બંસરીના સૂર....ઉજમબા૦ ૭.
અબધૂત અલખ જગાડનાર સંત આ,
દેવોને આશ્ચર્ય થાય....ઉજમબા૦;
અધ્યાત્મરસનો રસીલો સંત આ,
શ્રુતસાગર ઊછળ્યા મહાન....ઉજમબા૦ ૮.
પાક્યા છે યુગપ્રધાની સંત આ,
સેવકને હરખ ન માય....ઉજમબા૦;
એવા સંતની ચરણસેવાથી,
ભવના આવે છે અંત..... ઉજમબા૦;

Page 4 of 95
PDF/HTML Page 12 of 103
single page version

background image
[ ૪ ]
પંચમકાળે અહોભાગ્ય ખીલ્યાં છે,
વંદન હોજો અનંત.....ઉજમબા૦ ૯.
૩. ગુરુજીની વાણી
સાગર ઊછળ્યો ને જાણે લ્હેરીઓ ચડી;
ગુરુજીની વાણી એવી ગગને અડી.
પંખી ઉડતા’તાં હતી એક આશડી;
તરસ્યું છીપે જો મળી મીઠી વીરડી....સા૦
ઝાંઝવાનાં જળથી છીપી નહિ તરસડી;
એવાં મિથ્યા નીરની જ્યારે ખબરું પડી....સા૦
તરસ્યા જીવોને સત્ય વાટ સાંપડી;
કે ખારા સમુદ્રે છે એક મીઠી વીરડી....સા૦
આત્મધર્મ બોધ્યો છિપાવી તરસડી;
અજ્ઞાન સુમદ્રે છો કહાન જ્ઞાન-વીરડી....સા૦
વિનવું પ્રભુ આપને હું પાયલે પડી;
અવિચળ વ્હેજો એ મારી મીઠી વીરડી....સા૦
૪. ગુરુદેવ ઉપકાર
(મંદાક્રાન્તા)
જ્યાં જોઉં ત્યાં નજર પડતાં રાગ ને દ્વેષ હા! હા!
જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપ ગાથા;
જિજ્ઞાસુને શરણ સ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે.

Page 5 of 95
PDF/HTML Page 13 of 103
single page version

background image
[ ૫ ]
(શાર્દૂલવિક્રીડિત)
એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં,
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા;
એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ કહાન! તું ઊતરે,
અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે.
જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે,
જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે;
જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે,
ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે.
(અનુષ્ટુપ)
ડૂબેલું સત્ય અંધારે, આવતું તરી આખરે;
ફરી એ વીરવાક્યોમાં પ્રાણ ને ચેતના વહે.
૫. ગુરુ-જન્મવધાાઇ
આજ મંગળ વધાઈ વાગતી રે,
કહાન કુંવર જન્મ્યા અહો આજ,
આજ ગુરુજી પધાર્યા ભરતમાં રે....આજ૦ ૧.
ધન્ય ધન્ય ઉમરાળા ગામને રે,
ધન્ય ધન્ય ઉજમબા માત;....આજ૦ ૨.
ધન્ય માતા પિતા કુળ જાતને રે,
જેને આંગણ જન્મ્યા બાળ કહાન;....આજ૦ ૩.
આજ તેજ થયાં જન્મધામમાં રે,
એના ભરતખંડમાં પ્રકાશ;....આજ૦ ૪.
આજ આનંદ મંગળ ઘેર ઘેર થયાં રે,
ઠેર ઠેર અહો! લીલા લહેર;....આજ૦ ૫.

Page 6 of 95
PDF/HTML Page 14 of 103
single page version

background image
[ ૬ ]
બાળકુંવર કહાન એ લાડિલા રે,
માત પૂરે કુંવરના કોડ;....આજ૦ ૬.
પ્રભુ પારણેથી આત્મનાદ ગાજતા રે,
એની મુદ્રા અહો અદ્ભુત;....આજ૦ ૭.
કુંવર કહાને અપૂર્વ સત્ શોધિયું રે,
એના વૈરાગ્ય તણો નહિં પાર;....આજ૦ ૮.
એણે ત્યાગ કર્યો સંસારનો રે,
પ્રકાશ્યા મુક્તિ કેરા પંથ;....આજ૦ ૯.
કહાનગુરુએ હલાવ્યા હિંદને રે,
અહો! મલાવ્યો જ્ઞાયકદેવ;....આજ૦ ૧૦.
ધર્મચક્રી ભરતમાં ઊતર્યા રે,
અહો ધર્માવતારી પુરુષ;....આજ૦ ૧૧.
જ્ઞાન-અવતારી અહો આવિયા રે,
પધાર્યા સીમંધરસુત;....આજ૦ ૧૨.
કહાન ગુરુજીના જન્મ એ મીઠડા રે,
એના મીઠા વાણીના સૂર;....આજ૦ ૧૩.
ગુરુદેવના ગુણને શું કથું રે,
પ્રભુ સેવક તણા શણગાર;....આજ૦ ૧૪.
૬. ગુરુરાજ-મહિમા
શ્રી સદ્ગુરુજી મહિમા અપાર કે,
હું શું કથી શકું રે લોલ. ૧.
તેમના ગુણ છે અપરંપાર કે,
અચિંત્ય આત્મ ઝળકી રહ્યો રે લોલ. ૨.

Page 7 of 95
PDF/HTML Page 15 of 103
single page version

background image
[ ૭ ]
અદ્ભુત જ્ઞાન ખજાનો અપાર કે,
ચરણાદિક શોભી રહ્યાં રે લોલ. ૩.
ખીલેલ આતમશક્તિ અપાર કે,
ચૈતન્યતેજ દીપી રહ્યું રે લોલ. ૪.
સમયસાર આદિમાંથી કાઢેલ માવો કે,
ખવડાવ્યો ખંતથી રે લોલ. ૫.
પીંખી પીંખી અને સમજાવ્યું,
રહસ્ય હૃદયનું રે લોલ. ૬.
અસલી સ્વરૂપનું આપ્યું જ્ઞાન કે,
ન્યાલ સેવકને કર્યો રે લોલ. ૭.
આવો પુરુષ આ કાળે અજોડ કે,
દુર્લભતા સત્ તણી રે લોલ. ૮.
પ્રભુ નો’તા કેવળી સંતના જોગ કે,
એકાકી સત્ શોધિયું રે લોલ. ૯.
પ્રભુ મતમતાંતરના મોટા ભેદ કે,
વચ્ચેથી સાર કાઢિયો રે લોલ. ૧૦.
સુરલોકે ઇન્દ્રો ગાય છે ગીત કે,
ભરતના આ ભૂપના રે લોલ. ૧૧.
ભરતમાં વર્તી રહ્યો છે જયકાર કે,
મહિમા કહાનગુરુ તણો રે લોલ. ૧૨.
પ્રભુ પામરને કર્યો ઉપકાર અમાપ કે,
અમૃત રેડિયાં રે લોલ. ૧૩.
આ શરીરની શિવડાવું ખોળ કે,
બદલો નહીં વળે રે લોલ. ૧૪.

Page 8 of 95
PDF/HTML Page 16 of 103
single page version

background image
[ ૮ ]
ઝાઝું શું કહીએ કૃપાનાથ કે,
દાસ હું આપનો રે લોલ. ૧૫.
પ્રભુ અતિ અતિ દીજિયે આત્મતણો લાભ કે,
કૃપા વરસાવીને રે લોલ. ૧૬.
સાક્ષાત્ સુરમણિ સુરતરુ નાથ કે,
ફળિયો સત્ગુરુ રે લોલ. ૧૭.
કઈ વિધ પૂજું કઈ વિધ વંદું નાથ કે,
ગુરુમહિમા અપાર છે રે લોલ. ૧૮.
૭. અધયાત્મરસના રાજવી કહાનગુરુ
શાસન તણા શિરોમણિ સ્તવના કરું ‘ગુરુ કહાન’ની;
તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી.
૧.
અધ્યાત્મ-કલ્પવૃક્ષનાં ફળનો રસીલો તું થયો;
તું શીઘ્ર રસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો.
૨.
તું લોકસંજ્ઞા જીતીને, અલમસ્ત થઈ જગમાં ફર્યો;
પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો.
૩.
પ્રતિબંધ ટાળી લોકનો, આનંદની મોજે રહ્યો;
તેં શુદ્ધ ચેતન ધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો.
૪.
અંતર તણા આનંદમાં સુરતા લગાવી પ્રેમથી;
શુભ દ્રવ્યભાવે તપ તપેથી શુદ્ધિ કરી શુભ નેમથી.
૫.
નિંદા કરી ના કોઈની, નિંદા કરી સહુ તેં સહી;
શુદ્ધ-આત્મરસ
- ભોગી ભ્રમર, શુભદ્રષ્ટિ તારામાં રહી.૬.

Page 9 of 95
PDF/HTML Page 17 of 103
single page version

background image
[ ૯ ]
ઔદાર્યને તેં આદરી જગમાં જણાવ્યું બોલથી;
આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ
તોલથી.૭.
તારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા;
જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા.
૮.
પહોંચ્યો અને પહોંચાડતો તું લોકને શુદ્ધ ભાવમાં;
અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં.
૯.
દુનિયા થકી ડરતો નથી, આશા નથી મમતા જરી;
જ્યાં હું વસું ત્યાં તું નહીં,
એ ભાવના વિલસે ખરી.૧૦.
સ્યાદ્વાદ પારાવાર છે, આનંદ અપરંપાર છે;
સાચા હૃદયનો સંત છે, પરવા નથી જયકાર છે.
૧૧.
આશા નથી કીર્તિ તણી, અપકીર્તિને ગણતો નથી;
લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી.
૧૨.
વ્યવહારના ભેદો ઘણા ત્યાં ક્લેશને કરતો નથી;
લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી.
૧૩.
તેં ભાવસંયમ બોટમાં બેસી પ્રયાણ જ આદર્યું;
ભવપથ-ઉદધિ તરવા વિશે તેં લક્ષ અંતરમાં ધર્યું.
૧૪.
જે જે ભર્યું તુજ ચિત્તમાં, તે બાહ્યમાં દેખાય છે;
અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય પરખાય છે.
૧૫.
એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલતો,
ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો.
૧૬.

Page 10 of 95
PDF/HTML Page 18 of 103
single page version

background image
[ ૧૦ ]
૮. યોગીન્દ્રોને વંદન
યોગીન્દ્રો! તવ પુનિત ચરણ વંદન કરું,
ઉન્નત ગિરિશૃંગોના વસનારા તમે,
આવ્યા રંકઘરે શો પુણ્ય પ્રભાવ જો;
અર્પણતા પૂરી ના અપને આવડે,
ક્યારે લઈશું ઉરકરુણાનો લ્હાવ જો.....યોગીન્દ્રો૦
સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે,
આશય અતિશય ઊંડા ને ગંભીર જો;
નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા,
જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો....યોગીન્દ્રો૦
અણમૂલા સુતનુ ઓ! શાસનદેવીના,
આત્માર્થીની એક અનુપમ આંખ જો;
સંત સલુણા! કલ્પવૃક્ષ! ચિંતામણિ!
પંચમ કાળે દુર્લભ તવ દિદાર જો....યોગીન્દ્રો૦
૯. માતાને સ્વપ્નાં લાધયાં ને.......
માતાને સ્વપ્નાં લાધ્યાં ને ઝબકીને જાગ્યાં ઉજમબા,
સ્વપ્નાં એ મીઠડાં લાગ્યાં ને દુંદુભિ વાગ્યા ઉજમબા. ૧.
જોયું હૃદયમાં જાગી ને નીંદડી ત્યાગી ઉજમબા,
કૂખે આવ્યા છે બડભાગી ને ભાવઠ ભાંગી ઉજમબા. ૨.
માતાને ઉછરંગ આવ્યો ને સંદેશો સુણાવ્યો ઉજમબા,
માતપિતાને હર્ષ ન માયો, જોષીને તેડાવ્યો ઉજમબા. ૩.
જોષીએ જોષ એમ જોયા ને મનડાં મોહ્યાં ઉજમબા;
કાં કોઈ નગરીનો રાયા કે જગ-તારણહારો ઉજમબા. ૪.

Page 11 of 95
PDF/HTML Page 19 of 103
single page version

background image
[ ૧૧ ]
મીઠડાં ફળ એમ સુણ્યાં ને ઉછરંગ આવ્યા ઉજમબા;
પરમ પુરુષ એ જન્મ્યા ને તેજ ઉભરાણાં ઉજમબા. ૫.
તેજ દેખીને માત મોહ્યાં ને ‘કહાન’ નામ રાખ્યા ઉજમબા;
માતને કાનુડા પ્યારા કે અજબ બાળલીલા ઉજમબા. ૬.
કહાને એવી બંસરી બજાવી રે આત્મનાદ ગજાવ્યા ઉજમબા;
થયો ધર્મ-ધુરંધર ધોરી કે જગતારણહારો ઉજમબા. ૭.
૧૦. ગુરુજન્મજયંતી
ગુરુ - જન્મજયંતી આજે છે,
ગુરુરાજની જયંતી આજે છે;
એના શબ્દ ગગનમાં ગાજે છે....ગુરુ-જન્મ૦ ૧.
વીરમાર્ગપ્રવર્તક ભરતે ગાજે છે,
ધર્મધ્વજનો ડંકો બજાવે છે;
શાસન ઉન્નતિ આજે છે....ગુરુ-જન્મ૦ ૨.
મુમુક્ષુ હૃદયો ઉલ્લસે છે,
આજે અમૃતવર્ષા વર્ષે છે;
જૈન શાસનનો જયકાર ગાજે છે....ગુરુ-જન્મ ૩.
આજે સ્વર્ગેથી ભક્ત દેવો આવે છે,
આવી ભક્તિની ધૂન મચાવે છે;
ગુરુરાજનો જયકાર ગજાવે છે....ગુરુ-જન્મ૦ ૪.
વૃક્ષો ને વેલડિયો નાચે છે,
ફળ ફૂલ આજે પાય લાગે છે;
ગુરુભક્તિમાં સહકાર આપે છે....ગુરુ-જન્મ૦ ૫.

Page 12 of 95
PDF/HTML Page 20 of 103
single page version

background image
[ ૧૨ ]
અજોડ સંતની વધાઈ વાગે છે,
કેસરી સિંહની વધાઈ વાગે છે;
એ તો ગુણમાં વધતો ગાજે છે....ગુરુ-જન્મ૦ ૬.
દિવ્યધ્વનિનાં રહસ્યો જેણે ખોલ્યાં છે,
શાસ્ત્રના ઊંડા મર્મ ઊકેલ્યા છે;
એ તો જગના તારણહાર જાગ્યા છે...ગુરુ-જન્મ૦ ૭.
પ્રભુ સેવક લળી પાય લાગે છે,
આત્મલાભની વધાઈ આજે વાગે છે;
કૃપાનાથ કૃપા વરસાવે છે....ગુરુ-જન્મ૦ ૮.
૧૧. સુવર્ણપુરે વસ્યા એક સંત
(રાગઃ ભેટે ઝૂલે છે તલવાર)
સુવર્ણપુરે વસ્યા એક સંત,
જન્મ્યા ભવ્યોને તારવા;
જેનાં પગલાંથી કણકણ પાવન,
બન્યું સુવર્ણ તીર્થધામ, જન્મ્યા૦
અપૂર્વ અલખ કોઈ એણે જગાડ્યો,
જગાડ્યા અનેક ભવ્ય જીવ, જન્મ્યા૦ ૧.
સોળ કળાએ જ્ઞાનસૂર્ય પ્રકાશ્યો,
પ્રકાશ્યો ચૈતન્યરાજ, જન્મ્યા૦
જેની મુદ્રામાં શાંતરસ છવાણા,
વાણીમાં અમીરસ ધાર, જન્મ્યા૦ ૨.
અંતરપટમાં ગૂઢતા ભરી છે,
કળવી મહા મુશ્કેલ, જન્મ્યા૦