Page 580 of 660
PDF/HTML Page 601 of 681
single page version
માટે ઇન્દ્રાદિક દેવો, કલ્પવાસી, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી મનોહર વાહનોમાં બેસીને
આવ્યા. દેવોની અસવારીમાં તિર્યંચનું રૂપ દેવો જ લે છે. આકાશમાર્ગે મહાન વિભૂતિ
સહિત સર્વ દિશામાં ઉદ્યોત્ કરતા તે આવ્યા. મુકુટ, હાર, કુંડળ આદિ અનેક આભૂષણોથી
શોભિત સકળભૂષણ કેવળીના દર્શને આવ્યા. પવનથી જેમની ધજાઓ ફરફરે છે એવી
અપ્સરાઓ અયોધ્યામાં આવી. મહેન્દ્રોદય ઉદ્યાનમાં બિરાજતા સકળભૂષણ કેવળીના
ચરણારવિંદમાં જેમનું મન લાગ્યું છે એવા તે સૌ પૃથ્વીની શોભા દેખતા આકાશમાંથી
નીચે ઊતર્યા. ત્યાં સીતાના શપથ માટે તૈયાર થતો અગ્નિકુંડ જોઈ મેઘકેતુ નામના દેવે
ઇન્દ્રને પૂછયું-હે દેવેન્દ્ર! મહાસતી સીતાને ઉપસર્ગ આવ્યો છે. આ મહાશ્રાવિકા પતિવ્રતા
અતિનિર્મળ ચિત્તવાળી છે. એને આવો ઉપદ્રવ કેમ હોય? ત્યારે ઇન્દ્રે આજ્ઞા કરી કે હે
મેઘકેતુ! હું સકળભૂષણ કેવળીના દર્શન કરવા જાઉં છું અને તું મહાસતીનો ઉપસર્ગ દૂર
કરજે. આ પ્રમાણે આજ્ઞા કરી ઇન્દ્ર તો મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં કેવળીનાં દર્શન માટે
ગયા અને મેઘકેતુ સીતા માટે તૈયાર કરેલ અગ્નિકુંડ ઉપર આવી આકાશમાં વિમાનમાં
રહ્યો. તે દેવ આકાશમાંથી સૂર્ય સરખા દેદીપ્યમાન શ્રી રામ તરફ જુએ છે. રામ અતિસુંદર
સર્વ જીવોનાં મનને હરે છે.
આવતાં દેવોનું વર્ણન કરનાર એકસો ચારમું પર્વ પૂર્ણ થયું.
માલતીની માળા સમાન, સુગંધ સુકુમાર શરીરવાળી અગ્નિના સ્પર્શમાત્રથી જ ભસ્મ
થઈ જશે. જો એ રાજા જનકને ત્યાં જન્મી ન હોત તો સારું હતું. આ લોકાપવાદ અને
અગ્નિમાં મરણ તો ન થાત, એના વિના મને ક્ષણમાત્ર પણ સુખ નથી, એની સાથે
વનમાં વાસ સારો અને એના વિના સ્વર્ગનો વાસ પણ સારો નથી. એ શીલવતી પરમ
શ્રાવિકા છે, એને મરણનો ભય નથી. આ લોક, પરલોક, મરણ, વેદના, અકસ્માત,
અશરણ, ચોરી આ સાત ભયથી રહિત સમ્યગ્દર્શન તેને દ્રઢ છે, એ અગ્નિમાં પ્રવેશ કરશે,
અને હું રોકું તો લોકમાં લજ્જા ઉપજે. આ લોકો બધા મને કહી રહ્યા છે કે એ મહાસતી
છે, એને અગ્નિકુંડમાં પ્રવેશ ન કરાવો, પણ મેં માન્યું નહિ. સિદ્ધાર્થે હાથ ઊંચા કરી કરીને
પોકાર કર્યો હતો, પણ મેં માન્યું નહિ તેથી તે પણ ચૂપ થઈ
Page 581 of 660
PDF/HTML Page 602 of 681
single page version
ઉદય હોય છે તે જ પ્રકારે થાય છે, ટાળ્યો ટળતો નથી, તો પણ એનો વિયોગ મારાથી
સહેવાશે નહિ. આ પ્રમાણે રામ ચિંતા કરે છે. કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થયો, બધા લોકોની
આંખમાંથી આંસુનો પ્રવાહ ચાલ્યો, ધુમાડાથી અંધકાર થઈ ગયો, જાણે મેઘમાળા
આકાશમાં ફેલાઈ ગઈ. આકાશ કાળું બની ગયું, અગ્નિના ધુમાડાથી સૂર્ય ઢંકાઈ ગયો,
જાણે સીતાનો ઉપસર્ગ જોઈ ન શક્યો તેથી દયા લાવીને છુપાઈ ગયો. અગ્નિ એવી
સળગી કે એની જ્વાળા દૂર સુધી ફેલાણી જાણે અનેક સૂર્ય ઉગ્યા અથવા આકાશમાં
પ્રલયકાળની સંધ્યા ફૂલી. એમ લાગે છે કે દશે દિશા સ્વર્ણમય થઈ ગઈ છે. જાણે જગત
વીજળીમય થઈ ગયું અથવા સુમેરુ જીતવાને બીજો જંગમ સુમેરુ પ્રગટયો. પછી સીતા
ઊઠી. અત્યંત નિશ્ચળચિત્ત થઈ કાયોત્સર્ગ કરી પોતાના હૃદયમાં શ્રી ઋષભાદિ તીર્થંકર
બિરાજે છે તેમની સ્તુતિ કરી, સિદ્ધો અને સાધુઓને નમસ્કાર કરી, હરિવંશના તિલક શ્રી
મુનિસુવ્રતનાથ વીસમા તીર્થંકર જેમના તીર્થમાં એ ઉપજ્યા છે તેમનું ધ્યાન કરી, સર્વ
પ્રાણીઓનું હિત કરનાર આચાર્યને પ્રણામ કરી, સર્વ જીવોને ખમાવીને જાનકી બોલી-
મનથી, વચનથી, કાયથી સ્વપ્નમાં પણ શ્રી રામ વિના બીજા પુરુષને મેં જાણ્યો નથી. જો
હું જુઠ્ઠું બોલતી હોઉં તો આ અગ્નિની જ્વાળા ક્ષણમાત્રમાં મને ભસ્મ કરી નાખો. જો
મારા પતિવ્રતા ભાવમાં અશુદ્ધતા હોય, રામ સિવાય બીજા પુરુષની મેં મનથી પણ
અભિલાષા કરી હોય તો હે વૈશ્વાનર! મને ભસ્મ કરો. જો હું મિથ્યાદર્શી, પાપી,
વ્યભિચારિણી હોઉં તો આ અગ્નિથી મારો દેહ બળી જાવ. અને જો હું મહાસતી,
પતિવ્રતા, અણુવ્રતધારિણી શ્રાવિકા હોઉં તો મને ભસ્મ ન કરશો. આમ કહીને નમોકાર
મંત્ર જપીને સતી સીતાએ અગ્નિવાપિકામાં પ્રવેશ કર્યો અને એના શીલના પ્રભાવથી
અગ્નિ હતો તે સ્ફટિકમણિ જેવું નિર્મળ જળ થઈ ગયું, જાણે કે ધરતીને ભેદીને આ
વાપિકા પાતાળમાંથી નીકળી. જળમાં કમળ ખીલી રહ્યાં છે, ભમરા ગુંજારવ કરે છે,
અગ્નિની સામગ્રી બધી વિલય પામી, ન ઈંધન, ન અંગારા, જળનાં ફીણ ઊભરાવા
લાગ્યાં અને અતિ ગોળ ગંભીર વલય થવા લાગ્યાં, જેવો મૃદંગનો ધ્વનિ થાય તેવો
અવાજ જળમાં થવા લાગ્યો. જેવો ક્ષોભ પામેલો સમુદ્ર ગર્જન કરે તેવો અવાજ વાપિકામાં
થવા લાગ્યો. પછી પાણી ઊછળ્યું, પહેલાં ગોઠણ સુધી આવ્યું, પછી કમર સુધી આવ્યું,
નિમિષમાત્રમાં છાતી સુધી આવ્યું, ત્યારે ભૂમિગોચરી ડરી ગયા. આકાશમાં જે વિદ્યાધરો
હતા તેમને પણ વિકલ્પ ઉપજ્યો કે જોઈએ, શું થાય છે? પછી તે જળ લોકોના કંઠ સુધી
આવ્યું ત્યારે અત્યંત ભય ઉત્પન્ન થયો, શિર ઉપર પાણી ચાલ્યું ત્યારે ખૂબ જ ભયભૂત
બની ગયા. હાથ ઊંચા કરી વસ્ત્ર અને બાળકોને ઊંચકીને પોકાર પાડવા લાગ્યા-હે દેવી!
હે લક્ષ્મી! હે સરસ્વતી! હે કલ્યાણરૂપિણી! અમારી રક્ષા કરો. હે મહાસાધ્વી, મુનિ સમાન
નિર્મળ મનવાળી! દયા કરો. હે માતા! બચાવો, બચાવો, પ્રસન્ન થાવ. જ્યારે વિહ્વળ
જનોના મુખમાંથી આવા શબ્દ નીકળ્યા ત્યારે માતાની દયાથી જળ અટકયું, લોકો બચી
ગયા. જળમાં જુદી જુદી જાતનાં
Page 582 of 660
PDF/HTML Page 603 of 681
single page version
ભયંકર અવાજ બંધ થયો. જે જળ ઉછળ્યું હતું તે જાણે કે વાપીરૂપ વધૂ પોતાના તરંગરૂપ
હાથથી માતાના ચરણયુગલને સ્પર્શતી હતી. તે ચરણો કમળના ગર્ભથી પણ કોમળ છે
અને નખોની જ્યોતિથી દેદીપ્યમાન છે. જળમાં કમળ ખીલ્યાં તેની સુગંધથી ભ્રમર
ગુંજારવ કરે છે તે જાણે સંગીત કરે છે અને ક્રૌંચ, ચકવા, હંસ અવાજ કરે છે. અતિશય
શોભા બની ગઈ છે, મણિસુવર્ણનાં પગથિયાં બની ગયાં છે તેમને જળના તરંગો સ્પર્શે છે
અને તેના તટ મરકતમણિથી બનેલા શોભે છે. આવા સરોવરની મધ્યમાં એક
સહસ્ત્રદળકમળ કોમળ વિમળ પ્રફુલ્લિત છે. તેની મધ્યે દેવોએ રત્નોનાં કિરણોથી મંડિત
સિંહાસન રચ્યું છે. ચંદ્રમંડળ તુલ્ય નિર્મળ તેના પર દેવાંગનાઓએ સીતાને બિરાજમાન
કર્યા અને સેવા કરવા લાગી. સીતા સિંહાસન પર બેઠી. તેનો ઉદય અતિઅદ્ભુત અને
શચિ સમાન શોભતી હતી. અનેક દેવો ચરણો પાસે પુષ્પાંજલિ ચડાવી ધન્ય ધન્ય શબ્દ
કહેવા લાગ્યા. આકાશમાંથી કલ્પવૃક્ષનાં ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા. જાતજાતનાં દંદુભિ
વાજાંના, અવાજથી દિશાઓ શબ્દરૂપ થઈ ગઈ. ગુંજ જાતિનાં વાજિંત્રો મધુર ગુંજારવ
કરવા લાગ્યાં. મૃદંગ, ઢોલ વાગ્યાં, નાદિ, કાહલ, તુરહી, કરનાલ, શંખ, વીણા, બંસરી,
તાલ, ઝાંઝ, મંજીરાં, ઝાલર ઈત્યાદિ અનેક વાજિંત્રો વાગ્યાં. વિદ્યાધરો નાચવા લાગ્યા
અને દેવોના આ પ્રમાણે અવાજ આવ્યા કે શ્રીમત્ જનકરાજાની પુત્રી પરમ ઉદયની
ધરનારી શ્રીમત્ રામની રાણી અત્યંત જયવંત હો. અહો નિર્મળ શીલ જેનાં આશ્ચર્યકારી.
આવા શબ્દ સર્વ દિશાઓમાંથી દેવો દ્વારા આવવા લાગ્યા. પછી બન્ને પુત્ર લવણ અને
અંકુશ, જેમનું માતા પ્રત્યેનું હેત અકૃત્રિમ છે તે જળમાં તરીને અતિહર્ષભર્યા માતાની
સમીપે આવ્યા. બન્ને પુત્ર બન્ને તરફ જઈને ઊભા રહ્યા, માતાને નમસ્કાર કર્યા એટલે
માતાએ બન્નેના શિર પર હાથ મૂકયા. રામચંદ્ર મિથિલાપુરીના રાજાની પુત્રી મૈથિલી
એટલે કે સીતાને કમલવાસિની લક્ષ્મી સમાન જોઈને અતિ અનુરાગથી પૂર્ણ તેની સમીપ
ગયા. સીતા તો જાણે સ્વર્ણની મૂર્તિ છે, અગ્નિમાં શુદ્ધ થઈ છે, જેનું શરીર અતિ ઉત્તમ
જ્યોતિથી મંડિત છે. રામ કહે છે કે હે દેવી, કલ્યાણરૂપિણી! ઉત્તમ જીવોથી પૂજ્ય અદ્ભુત
ચેષ્ટા ધરનારી શરદની પૂર્ણિમાના ચંદ્રમા સમાન છે મુખ જેનું, એવી તું મારા પર પ્રસન્ન
થા. હવે હું કદી એવો દોષ નહિ કરું, જેમાં તને દુઃખ થાય. હે શીલરૂપિણી! મારો અપરાધ
ક્ષમા કર. મારે આઠ હજાર સ્ત્રી છે તેમાં તું શિરોમણિ છે. મને જે આજ્ઞા કરીશ તે પ્રમાણે
કરીશ. હે મહામતિ! મેં લોકાપવાદના ભયથી અજ્ઞાની થઈને તને કષ્ટ ઉપજાવ્યું છે તેની
ક્ષમા આપ અને હે પ્રિયે, પૃથ્વી પર મારી સાથે યથેષ્ટ વિહાર કર. આ પૃથ્વી પર અનેક
વન, ઉપવન, ગિરિથી મંડિત છે, દેવ-વિદ્યાધરોથી સંયુક્ત છે. સમસ્ત જગત દ્વારા
આદરપૂર્વક પૂજા પામી થકી મારી સાથે લોકમાં સ્વર્ગ સમાન સુખ ભોગવ. ઊગતા સૂર્ય
સમાન આ પુષ્પક વિમાનમાં મારી સાથે બેસી સુમેરુ પર્વતના વનમાં જિનમંદિરો છે તેનાં
દર્શન કર. જે જે સ્થાનોમાં તારી ઈચ્છા હોય ત્યાં ક્રિડા કર. હે કાંતે! તું જે કહીશ તે
પ્રમાણે જ હું કરીશ. તારું વચન
Page 583 of 660
PDF/HTML Page 604 of 681
single page version
ઉપભોગ કર, તારી જે અભિલાષા હશે તે તત્કાળ સિદ્ધ થશે. હું અવિવેકી દોષના
સાગરમાં મગ્ન તારી સમીપે આવ્યો છું તો સાધ્વી બનીને પ્રસન્ન થા.
માટે વિષાદ પામો છો? હે બળદેવ! તમારા પ્રસાદથી સ્વર્ગ સમાન ભોગ ભોગવ્યા. હવે
એવી ઈચ્છા છે કે એવો ઉપાય કરું, જેનાથી સ્ત્રીલિંગનો અભાવ થાય. આ અતિ તુચ્છ
વિનશ્વર ભયંકર મૂઢજનો દ્વારા સેવ્ય ઈન્દ્રિયના ભોગોનું શું પ્રયોજન છે? મેં ચોરાસી
લાખ યોનિમાં અનંત જન્મમાં ખેદ પ્રાપ્ત કર્યો છે. હવે સમસ્ત દુઃખોની નિવૃત્તિ માટે હું
જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ. આમ કહીને નવીન અશોક વૃક્ષનાં પલ્લવ સમાન પોતાના
કરથી શિરના કેશ ખેંચીને રામની સમીપે મૂકયા. તે ઇન્દ્રનીલમણિ જેવા શ્યામ, ચીકણા,
પાતળા, સુગંધી, વક્ર, મૃદુ કેશને જોઈ રામ મોહિત થઈ મૂર્ચ્છા પામ્યા અને જમીન પર
પડયા. જ્યાં સુધીમાં તેમને સચેત કરવામાં આવ્યા ત્યાં સુધીમાં સીતાએ પૃથ્વીમતી
આર્યિકા પાસે જઈ દીક્ષા લઈ લીધી. હવે જેને એક વસ્ત્રમાત્રનો જ પરિગ્રહ છે, બધા
પરિગ્રહ તજીને તેણે આર્યિકાનાં વ્રત લીધાં. મહાપવિત્રતા યુક્ત પરમ વૈરાગ્યથી દીક્ષા
લીધી, વ્રતથી શોભતી જગતવંદ્ય બની. રામ અચેત થયા હતા તે મુક્તાફળ અને
મલયાગિરિ ચંદનના છંટકાવથી તથા તાડપત્રોના પંખાથી હવા નાખવાથી સચેત થયા
ત્યારે દશે દિશામાં જૂએ છે અને સીતાને ન જોતાં તેમનું ચિત્ત શૂન્ય થઈ ગયું. શોક અને
વિષાદથી યુક્ત તે ગજરાજ પર ચડી સીતા પાસે ચાલ્યા. શિર પર છત્ર ફરે છે, ચામર
ઢોળાય છે, દેવોથી મંડિત ઇન્દ્રની પેઠે રાજાઓથી વીંટળાઈને રામ ચાલ્યા. કમળ સરખા
નેત્રવાળા તેમણે કષાયયુક્ત વચન કહ્યાં, પોતાના પ્રિયજનનું મૃત્યુ સારું, પરંતુ વિયોગ
સારો નહિ. દેવોએ સીતાની રક્ષા કરી તે સારું કર્યું, પણ તેણે અમને છોડવાનો વિચાર
કર્યો તે સારું ન કર્યું. હવે જો આ દેવ મારી રાણી મને પાછી નહિ દે તો મારે અને દેવોને
યુધ્ધ થશે. આ દેવ ન્યાયી હોવા છતાં મારી સ્ત્રીને હરે? આવાં અવિચારી વચન તેમણે
કહ્યાં. લક્ષ્મણ સમજાવે છે તો પણ તેમને સમાધાન ન થયું. ક્રોધ સહિત શ્રી રામચંદ્ર
સકળભૂષણ કેવળીની ગંધકૂટીમાં ગયા. તેમણે દૂરથી સકળભૂષણ કેવળીની ગંધકૂટી જોઈ.
કેવળી સિંહાસન પર બિરાજે છે, કેવળઋદ્ધિથીયુક્ત અનેક સૂર્યની દીપ્તીને ધારણ કરનાર,
પાપને ભસ્મ કરવા માટે સાક્ષાત્ અગ્નિરૂપ, કેવળજ્ઞાનના તેજથી પરમ જ્યોતિરૂપ ભાસે
છે, ઇન્દ્રાદિ સમસ્ત દેવ સેવા કરે છે, દિવ્ય ધ્વનિ ખરે છે, ધર્મનો ઉપદેશ અપાય છે, શ્રી
રામ ગંધકૂટીને જોઈ શાંતચિત્ત થઈ હાથી પરથી ઉતરી પ્રભુની સમીપમાં આવ્યા, ત્રણ
પ્રદક્ષિણા દઈ હાથ જોડી નમસ્કાર કર્યા. કેવળીની શરીરની જ્યોતિની છટા રામ પર પડી
તેથી તે અતિ પ્રકાશરૂપ થઈ ગયા. તે ભાવસહિત નમસ્કાર કરી મનુષ્યોની સભામાં બેઠા અને
ચતુર્નિકાયના દેવોની સભા નાના પ્રકારનાં આભૂષણો પહેર્યાં હોવાથી એવી લાગતી હતી કે
Page 584 of 660
PDF/HTML Page 605 of 681
single page version
કેવળીરૂપ રવિનાં કિરણો જ છે અને રાજાઓના રાજા શ્રી રામચંદ્ર કેવળીની નિકટ
સુમેરુના શિખરની પાસે કલ્પવૃક્ષ જેવા શોભે છે. લક્ષ્મણ નરેન્દ્ર, મુકુટ, હાર, કુંડળાદિથી
વીજળી સહિત શ્યામ ઘટા જેવા શોભે છે. શત્રુને જીતનારા શત્રુધ્ન બીજા કુબેર જેવા
શોભે છે. લવણ-અંકુશ બન્ને વીર મહાધીર, ગુણ સૌભાગ્યના સ્થાનરૂપ ચંદ્ર-સૂર્ય જેવા
શોભે છે. સીતા આર્યિકા આભૂષણાદિ રહિત એક વસ્ત્રમાત્રના પરિગ્રહથી એવી શોભે છે
જાણે કે સૂર્યની મૂર્તિ શાંતિ પામી છે. મનુષ્ય અને દેવ બધા જ વિનયસહિત ભૂમિ પર
બેસી ધર્મશ્રવણની અભિલાષા રાખે છે. ત્યાં બધા મુનિઓમાં શ્રેષ્ઠ અભયઘોષ નામના
મુનિએ સંદેહરૂપ આતાપની શાંતિ અર્થે કેવળીને વિનંતી કરી કે હે સર્વોત્કૃષ્ટ સર્વજ્ઞદેવ!
જ્ઞાનરૂપ શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ સારી રીતે જાણવાથી મુનિઓને કેવળબોધ થાય તેનું
વર્ણન કરો. ત્યારે સકળભૂષણ કેવળી યોગીશ્વરોના ઈશ્વર કર્મોના ક્ષયનું કારણ એવા
તત્ત્વનો ઉપદેશ દિવ્ય ધ્વનિમાં કહેવા લાગ્યા. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! કેવળીએ
જે ઉપદેશ આપ્યો તેનું રહસ્ય હું તને કહું છું. જેમ સમુદ્રમાંથી કોઈ એક ટીપું લે તેમ
કેવળીની વાણી તો અથાહ હોય છે તેના અનુસારે હું સંક્ષેપમાં વ્યાખ્યાન કરું છું. હે ભવ્ય
જીવો! આત્મતત્ત્વ જે પોતાનું સ્વરૂપ છે તે સમ્યગ્દર્શન જ્ઞાન આનંદરૂપ અને અમૂર્તિક,
ચિદ્રૂપ, લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી, અતિન્દ્રિય, અખંડ, અવ્યાબાધ, નિરાકાર, નિર્મળ,
નિરંજન, પરવસ્તુથી રહિત, નિજગુણપર્યાય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ સ્વભાવથી
અસ્તિત્વરૂપ છે. તેનું જ્ઞાન નિકટ ભવ્યને થાય છે. શરીરાદિક પરવસ્તુ અસાર છે,
આત્મતત્ત્વ સાર છે તે અધ્યાત્મવિદ્યાથી પ્રાપ્ત થાય છે. તે બધાને જોનાર, જાણનાર
અનુભવદ્રષ્ટિથી જોઈએ, આત્મજ્ઞાનથી જાણીએ. અને જડ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ,
આકાશ જ્ઞેયરૂપ છે, જ્ઞાતા નથી. આ લોક અનંત અલોકાકાશની મધ્યમાં, અનંતમાં ભાગે
રહે છે. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોક આ ત્રણ લોક છે. તેમાં સુમેરુ પર્વતની જડ એક
હજાર યોજન છે. તેની નીચે પાતાળ લોક છે. તેમાં સૂક્ષ્મ સ્થાવર તો સર્વત્ર છે અને
બાદર સ્થાવર આધાર હોય ત્યાં છે. વિકળત્રય અને પંચેન્દ્રિય તિર્યંચ નથી, મનુષ્ય નથી.
ખરભાગ, પંકભાગમાં ભવનવાસી દેવ તથા વ્યંતરોના નિવાસ છે, તેની નીચે સાત નરક
છે તેમનાં નામ-રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને
મહાતમઃપ્રભા. આ સાતેય નરકની ભૂમિ અત્યંત દુઃખ આપનારી સદા અંધકારરૂપ છે.
ચાર નરકમાં તે ઉષ્ણની બાધા છે, પાંચમા નરકના ઉપલા ત્રણ ભાગમાં ઉષ્ણ અને
નીચલા ચોથા ભાગમાં શીત છે, છઠ્ઠા નરકમાં શીત અને સાતમા નરકમાં મહાશીત છે.
ઉપલા નરકમાં ઉષ્ણતા છે તે મહાવિષમ અને નીચલા નરકમાં શીત છે તે અતિવિષમ છે.
નરકની ભૂમિ અત્યંત દુસ્સહ અને પરમદુર્ગમ છે, જ્યાં પરુ અને રુધિરનો કાદવ હોય છે,
અત્યંત દુર્ગંધ છે. શ્વાન, સર્પ, માર્જાર, મનુષ્ય, ખર, તુરંગ, ઊંટના મૃત શરીર સડી જાય
તેની દુર્ગંધ કરતા અસંખ્યાત ગુણી દુર્ગંધ છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં દુઃખોના બધાં કારણો
છે. અતિપ્રચંડ વિકરાળ પવન વાય છે જેનો ભયંકર અવાજ થાય છે. જે જીવ વિષયકષાય
સંયુક્ત છે, કામી છે, ક્રોધી છે,
Page 585 of 660
PDF/HTML Page 606 of 681
single page version
જીવોની હિંસા કરે, જૂઠું બોલે, પરધન હરે, પરસ્ત્રી સેવે, મહાઆરંભી પરિગ્રહી હોય તે
પાપના ભારથી નરકમાં પડે છે. મનુષ્યદેહ પામીને જે નિરંતર ભોગાસક્ત થયા છે,
જેમની જીભ વશમાં નથી, મન ચંચળ છે તે પ્રચંડ કર્મ કરનારા નરકમાં જાય છે. જે પાપ
કરે, કરાવે, પાપની અનુમોદના કરે તે સર્વ આર્તરૌદ્રધ્યાની નરકનાં પાત્ર છે. તેમને
વજ્રાગ્નિના કુંડમાં નાખે છે, વજ્રાગ્નિના દાહથી બળતા થકા પોકારો કરે છે. જ્યાં
અગ્નિકુંડમાંથી છૂટે છે ત્યાં વૈતરણી નદી તરફ શીતળ જળની ઈચ્છાથી જાય છે ત્યાં જળ
અત્યંત ખારું, દુર્ગંધવાળું હોય છે. તેના સ્પર્શથી જ શરીર ગળી જાય છે. દુઃખના ભાજન
વૈક્રિયક શરીરથી આયુષ્યપર્યંત નાના પ્રકારનાં દુઃખ ભોગવે છે. પહેલાં નરકનું ઉત્કૃષ્ટ
આયુષ્ય ૧ સાગર, બીજાનું ૩ સાગર, ત્રીજાનું ૭ સાગર, ચોથાનું ૧૦ સાગર, પાંચમાનું
૧૭ સાગર, છઠ્ઠાનું રર સાગર અને સાતમાનું ૩૩ સાગર હોય છે તે પૂર્ણ થાય ત્યારે જ
મરે છે, મારવાથી મરતા નથી. વૈતરણીનાં દુઃખથી ડરી છાંયો મેળવવા અસિપત્ર વનમાં
જાય છે, ત્યાં ખડ્ગ, બાણ, બરછી, કટારી જેવાં પાંદડાં જોરદાર પવનથી પડે છે, તેમનાંથી
તેમનાં શરીર છિન્નભિન્ન થઈ જાય છે, પછાડ ખાઈને જમીન પર પડે છે. કોઈવાર
તેમને કુંભિપાકમાં પકાવે છે, કોઈ વાર માથું નીચે અને પગ ઊંચા રાખીને લટકાવે છે,
મોગરીથી મારે છે, કુહાડાથી કાપે છે, કરવતથી વહેરે છે, ઘાણીમાં પીલે છે, જાતજાતનાં
છેદનભેદન કરે છે. આ નારકી જીવ અતિદીન તરસથી પીવાનું પાણી માગે છે ત્યારે
તાંબાનો ઉકાળેલ રસ પીવડાવે છે. તે કહે છે, અમને તરસ નથી, અમારો પીછો છોડો
ત્યારે પરાણે તેમને પછાડીને સાણસીથી મોઢું ફાડીને મારી મારીને પીવડાવે છે. કંઠ, હૃદય,
વિદીર્ણ થઈ જાય છે, પેટ ફાટી જાય છે. ત્રીજા નરક સુધી તો પરસ્પર જ દુઃખ છે અને
અસુરકુમારોની પ્રેરણાથી પણ દુઃખ છે. ચોથાથી લઈ સાતમા સુધી અસુરકુમારોનું ગમન
નથી, પરસ્પર જ પીડા ઉપજાવે છે. નરકમાં નીચેથી નીચે દુઃખ વધતું જાય છે. સાતમા
નરકમાં બધે મહાદુઃખ છે. નારકીઓને આગલો ભવ યાદ આવે છે અને બીજા નારકી
તથા ત્રીજા સુધી અસુરકુમાર પૂર્વનાં કાર્યો યાદ કરાવે છે કે તમે ભલા ગુરુનાં
(સત્ગુરુનાં) વચનોનું ઉલ્લંઘન કરીને કુગુરુ કુશાસ્ત્રના બળથી માંસને નિર્દોષ કહેતા
હતા, નાના પ્રકારનાં માંસથી અને મદ્ય, મદિરાથી કુદેવોનું આરાધન કરતા હતા તે માંસના
દોષથી નરકમાં પડયા છો. આમ કહી એમનું જ શરીર કાપી કાપી તેમના મુખમાં મૂકે છે
અને લોઢાના તથા તાંબાના ગોળા તપાવીને જોરથી તેમને પછાડી, સાણસીથી મુખ ફાડી,
તેમના મુખમાં ઘાલે છે અને મોગરીથી મારે છે. દારૂ પીનારાને મારી મારીને ગરમ
તાંબાનો રસ પાય છે. પરદારારત પાપીઓને વજ્રાગ્નિથી તપાવેલી લોઢાની પૂતળી સાથે
ભેટાવે છે. જે પરદારારત ફૂલોની સેજ પર સૂતા તેમને શૂળોની સેજ પર સુવડાવે છે.
સ્વપ્નની માયા સમાન અસાર રાજ્ય પામીને જે ગર્વ કરે, અનીતિ કરે છે તેમને લોઢાના
ખીલા ઉપર બેસાડી હથોડાથી મારે છે તે અતિકરુણ વિલાપ કરે છે ઈત્યાદિ પાપી જીવોને
નરકનાં દુઃખ મળે છે તે ક્યાં
Page 586 of 660
PDF/HTML Page 607 of 681
single page version
તલમાત્ર આહાર કે પીવા માટે એક ટીપું પાણી મળતું નથી, કેવળ મારનો જ આહાર છે.
પરદારાગમન, સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, કૃતધ્નતા, લંપટતા, ગ્રામદાહ, વનદાહ,
પરધનહરણ, અમાર્ગ સેવન, પરનિંદા, પરદ્રોહ, પ્રાણઘાત, બહુ આરંભ, બહુ પરિગ્રહ,
નિર્દયતા, ખોટી લેશ્યા, રૌદ્રધ્યાન, મૃષાવાદ, કૃપણતા, કઠોરતા, દુર્જનતા, માયાચાર,
નિર્માલ્યનું ગ્રહણ, માતાપિતાગુરુઓની અવજ્ઞા, બાળ, વૃદ્ધ, સ્ત્રી, દીન, અનાથોનું પીડન
આદિ દુષ્ટ કર્મો નરકનાં કારણ છે. તેનો ત્યાગ કરી શાંતભાવ ધારણ કરી જિનશાસનનું
સેવન કરો જેથી કલ્યાણ થાય. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય,
ત્રસકાય આ છ કાયનાં જીવોની દયા પાળો. જીવ પુદ્ગળ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ છ
દ્રવ્ય છે. સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાયની શ્રદ્ધા કરો. ચૌદ ગુણસ્થાન સ્વરૂપ અને
સપ્તભંગરૂપ વાણીનું સ્વરૂપ સારી રીતે જાણી કેવળીની આજ્ઞા પ્રમાણે હૃદયમાં ધારણ કરો.
સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ-નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ
અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય આ સાત ભંગ
કહ્યા. પ્રમાણ એટલે વસ્તુનું સર્વાંગ કથન અને નય એટલે વસ્તુનું એક અંગનું કથન,
નિક્ષેપ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર અને જીવોમાં એકેન્દ્રીના બે ભેદ સૂક્ષ્મ
તથા બાદર, પંચેન્દ્રિયના બે ભેદ સંજ્ઞી તથા અસંજ્ઞી અને બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચતુરેન્દ્રિય
આ કુલ સાત ભેદ જીવોના છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત કરતાં ચૌદ જીવસમાસ થાય
છે. જીવના બે ભેદ-એક સંસારી, બીજા સિદ્ધ. જેમાં સંસારીમાં બે ભેદ-એક ભવ્ય, બીજો
અભવ્ય જે મુક્તિ પામવા યોગ્ય તે ભવ્ય અને મુક્તિ પામવા યોગ્ય નહિ તે અભવ્ય.
જીવનું પોતાનું લક્ષણ ઉપયોગ છે તેના બે ભેદ-એક જ્ઞાનોપયોગ, બીજો દર્શનોપયોગ.
જ્ઞાન સમસ્ત પદાર્થને જાણે, સમસ્ત પદાર્થને દેખે. જ્ઞાનના આઠ ભેદ-મતિ, શ્રુત, અવધિ,
મનઃપર્યય, કેવળ, કુમતિ, કુશ્રુત, કુઅવધિ. દર્શનના ચાર ભેદ-ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળ.
જેને એક સ્પર્શન ઈન્દ્રિય હોય તેને સ્થાવર કહીએ. તેના પાંચ ભેદ છે. પૃથ્વી, અપ, તેજ,
વાયુ, વનસ્પતિ. ત્રસના ચાર ભેદ-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય. જેમને
સ્પર્શન અને રસના છે તે બેઇન્દ્રિય. જેમને સ્પર્શન, રસના, નાસિકા છે તે તેઇન્દ્રિય.
જેમને સ્પર્શન, રસના, નાસિકા, ચક્ષુ છે તે ચતુરેન્દ્રિય. જેમને સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ
અને શ્રોત છે તે પંચેન્દ્રિય, ચતુરેન્દ્રિય સુધી તો સંમૂર્ચ્છન અને અસંજ્ઞી છે અને
પંચેન્દ્રિયમાં કોઈ સમૂર્ચ્છન, કોઈ ગર્ભજ, તો કોઈ સંજ્ઞી, કોઈ અસંજ્ઞી છે જેમને મન છે
તે સંજ્ઞી અને જેમને મન નથી તે અસંજ્ઞી. જે ર્ગભથી ઊપજે તે ગર્ભજ અને જે ગર્ભ
વિના ઊપજે, સ્વતઃ સ્વભાવથી ઊપજે તે સંમૂર્ચ્છન છે. ગર્ભજના ત્રણ ભેદ છે-જરાયુજ,
અંડજ, પોતજ. જે જરાથી મંડિત ગર્ભથી નીકળે મનુષ્ય, અશ્વાદિ તે જરાયુજ અને જે
જરા વિના નીકળે
Page 587 of 660
PDF/HTML Page 608 of 681
single page version
ઉપપાદ જન્મ હોય છે. માતાપિતાના સંયોગ વિના જ પુણ્ય-પાપના ઉદયથી ઊપજે છે. દેવ
તો ઉત્પાદ શય્યામાં ઉપજે છે અને નારકી બિલોમાં ઊપજે છે. દેવયોનિ પુણ્યના ઉદયથી છે
અને નરક યોનિ પાપના ઉદયથી છે. મનુષ્યજન્મ પુણ્ય-પાપના મિશ્રણથી છે અને
તિર્યંચગતિ માયાચારના યોગથી છે. દેવ-નરક-મનુષ્ય સિવાયના બધા તિર્યંચ છે. જીવોની
ચોરાસી લાખ યોનિ છે. તેમના ભેદ સાંભળો-પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય,
નિત્યનિગોદ, ઈતરનિગોદ આની સાત સાત લાખ યોનિ છે, તે બેતાલીસ લાખ યોનિ
થઈ. પ્રત્યેક વનસ્પતિ દસ લાખ, એ બાવન લાખ ભેદ સ્થાવરના થયા. બેઇન્દ્રિ, તેઈન્દ્રિ,
ચતુરેન્દ્રિયની બબ્બે લાખ યોનિ એટલે છ લાખ યોનિભેદ વિકલત્રયના થયા. પંચેન્દ્રિય
તિર્યંચના ભેદ ચાર લાખ યોનિ-એ પ્રમાણે બધા થઈને તિર્યંચ યોનિના બાસઠ લાખ ભેદ
થયા. દેવયોનિના ભેદ ચાર લાખ, નરક યોનિના ભેદ ચાર લાખ અને મનુષ્યયોનિના
ચૌદ લાખ. એ સર્વ ચોર્યાસી લાખ યોનિ અતિ દુઃખરૂપ છે. એનાથી રહિત સિદ્ધપદ જ
અવિનાશી સુખરૂપ છે. સંસારી જીવ બધાજ દેહધારી છે અને સિદ્ધ પરમેષ્ઠી દેહરહિત
નિરાકાર છે. શરીરના ભેદ પાંચ-ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ, કાર્માણ. તેમાં
તૈજસ, કાર્માણ તો અનાદિકાળથી બધાં જીવોને લાગેલા છે. તેમનો અંત કરી મહામુનિ
સિદ્ધપદ પામે છે. ઔદારિક કરતાં અસંખ્યાત ગુણી અધિક વર્ગણા વૈક્રિયકની છે. અને
વૈક્રિયકથી અસંખ્યાત ગુણી આહારકની છે અને આહારકથી અનંતગુણી તૈજસની છે અને
તૈજસથી અનંતગુણી કાર્માણની છે. જે સમયે સંસારી જીવ શરીર છોડીને બીજી ગતિમાં
જાય છે તે સમયે તે અનાહારક છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં જીવને જેટલી
વાર લાગે તે અવસ્થામાં જીવને અનાહારી કહે છે. જેટલો સમય એક ગતિમાંથી બીજી
ગતિમાં જવામાં લાગે તે એક સમય, બે સમય અથવા વધારેમાં વધારે ત્રણ સમય લાગે
છે. તેટલા સમય માટે જીવને તૈજસ અને કાર્માણ એ બે જ શરીર હોય છે. શરીર સિવાય
આ જીવ સિદ્ધ અવસ્થા વિના બીજી કોઈ અવસ્થામાં કોઈ સમયે હોતો નથી. આ જીવને
શરીર હર સમય અને દરેક ગતિમાં જન્મતાં-મરતાં સાથે જ રહે છે. જે સમયે આ જીવ
ઘાતી-અઘાતી બન્ને પ્રકારનાં કર્મનો ક્ષય કરીને સિદ્ધ અવસ્થા પામે છે તે સમયે તૈજસ
અને કાર્માણનો ક્ષય થાય છે. જીવોને શરીરના પરમાણુઓની સૂક્ષ્મતા આ પ્રકારે છે-
ઔદારિકથી વૈક્રિયક સૂક્ષ્મ, વૈક્રિયકથી આહારક સૂક્ષ્મ, આહારકથી તૈજસ સૂક્ષ્મ અને
તૈજસથી કાર્માણ સૂક્ષ્મ છે. મનુષ્ય અને તિર્યંચોને તો ઔદારિક શરીર છે. દેવ નારકીઓને
વૈક્રિયક છે. આહારક શરીર ઋદ્ધિધારક મુનિઓને સંદેહ નિવારવા માટે દસમા દ્વારમાંથી
નીકળે અને કેવળીની પાસે જઈ સંદેહનું નિવારણ કરી પાછું આવી દસમાં દ્વારમાં પ્રવેશ
કરે છે. આ પાંચ પ્રકારના શરીર કહ્યાં. તેમાં એક સમયે એક જીવને કોઈ વાર ચાર
શરીર પણ હોય છે તેનો ભેદ સાંભળો-ત્રણ તો બધા જીવને હોય છે. મનુષ્ય અને
તીર્યંચને ઔદારિક અને દેવ નારકીઓને વૈક્રિયક અને તૈજસ કાર્માણ બધાને છે. તેમાં
કાર્માણ તો દ્રષ્ટિગોચર થતું નથી અને
Page 588 of 660
PDF/HTML Page 609 of 681
single page version
શુભ તૈજસ લોકોને દુઃખી જોઈ જમણી ભુજામાંથી નીકળી લોકોનું દુઃખ દૂર કરે છે અને
અશુભ તૈજસ ક્રોધના યોગથી ડાબી ભુજામાંથી નીકળી પ્રજાને ભસ્મ કરે છે અને મુનિને
પણ ભસ્મ કરે છે. કોઈ મુનિને વિક્રિયાઋદ્ધિ પ્રગટ થાય છે ત્યારે તે શરીરને સૂક્ષ્મ તથા
સ્થૂળ કરે છે તે મુનિને ચાર શરીર કોઈ સમયે હોય છે, એકસાથે પાંચે શરીર કોઈ જીવને
હોતાં નથી.
જંબૂદ્વીપ છે. તેની વચમાં સુમેરુ પર્વત રહેલો છે તે લાખ યોજન ઊંચો છે અને તેનો
પરિઘ ત્રણ ગુણાથી કાંઈક અધિક છે. જંબૂદ્વીપમાં દેવારણ્ય અને ભૂતારણ્ય બે વન છે.
તેમાં દેવોનો નિવાસ છે. છ કુલાચલ છે, તે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી લાંબા પડયા
છે. તેમનાં નામ-હીમવાન, મહાહિમવાન, નિષેધ, નીલ, રુક્મિ, શિખરી. સમુદ્રના જળને તે
સ્પર્શે છે. તેમાં સરોવરો છે અને સરોવરોમાં કમળ છે, તેમાં છ કુમારિકા દેવીઓ રહે છે.
શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી. આ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે-ભરત, હૈમવત,
હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત. છ કુલાચલોમાંથી ગંગાદિક ચૌદ નદી નીકળી છે.
પહેલામાંથી ત્રણ, છેલ્લામાંથી ત્રણ અને વચ્ચેના ચારેમાંથી બબ્બે એમ ચૌદ છે. બીજો
દ્વીપ ધાતકીખંડ તે લવણસમુદ્રથી બમણો છે તેમાં મેરુ પર્વત છે અને બાર કુલાચલ અને
ચૌદ ક્ષેત્ર. અહીં એક ભરત ત્યાં બે, અહીં એક હિમવાન ત્યાં બે. એ જ પ્રમાણે બધું
બમણું જાણવું. ત્રીજો પુષ્કરદ્વીપ છે તેના અર્ધ ભાગમાં માનુષોત્તર પર્વત છે તે અઢીદ્વીપમાં
જ મનુષ્યો હોય છે, આગળ નહિ. અર્ધા પુષ્કરમાં બબ્બે મેરુ, બાર કુલાચલ, ચૌદ ક્ષેત્ર,
ધાતકીખંડ દ્વીપ સમાન ત્યાં જાણવા. અઢીદ્વીપમાં પાંચ સુમેરુ, ત્રીસ કુલાચલ, પાંચ ભરત,
પાંચ ઐરાવત, પાંચ વિદેહ, તેમાં એકસો સાઠ વિજય, સમસ્ત કર્મભૂમિના ક્ષેત્ર એકસો
સિત્તેર, એક એક ક્ષેત્રમાં છ છ ખંડ, તેમાં પાંચ પાંચ મ્લેચ્છખંડ, એક એક આર્યખંડ,
આર્યખંડમાં ધર્મની પ્રવૃત્તિ, વિદેહક્ષેત્ર અને ભરત ઐરાવતમાં કર્મભૂમિ. તેમાં વિદેહમાં તો
શાશ્વતી કર્મભૂમિ અને ભરત, ઐરાવતમાં અઢાર ક્રોડાક્રોડી સાગર ભોગભૂમિ અને બે
ક્રોડાક્રોડી સાગર કર્મભૂમિ અને દેવકુરુ, ઉત્તરકુરુ એ શાશ્વતી ઉત્કૃષ્ટ ભોગભૂમિ. તેમાં ત્રણ
ત્રણ પલ્યનું આયુષ્ય, ત્રણ ત્રણ કોશની કાયા, ત્રણ ત્રણ દિવસ પછી અલ્પ આહાર, તે
પાંચ મેરુ સંબંધી પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ છે. હરિ અને રમ્યક એ મધ્યમ ભોગભૂમિ
તેમાં બબ્બે પલ્યનું આયુષ્ય બબ્બે કોશની કાયા, બબ્બે દિવસે આહાર અને તે પાંચ મેરૂ
સંબંધી પાંચ હરિ પાંચ રમ્યક એ દશ મધ્યમ ભોગભૂમિ અને હૈમવત હૈરણ્યવત એ
જઘન્ય ભોગભૂમિ, તેમાં એકપલ્યનું આયુષ્ય, એક કોશની કાયા. એક દિવસના આંતરે
આહાર તે પાંચ મેરુ સંબંધી પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, જઘન્ય ભોગભૂમિ દસ. આ
પ્રમાણે ત્રીસ ભોગભૂમિ અઢીદ્વીપમાં જાણવી. પાંચ મહાવિદેહ, પાંચ ભરત, પાંચ ઐરાવત
એ પંદર કર્મભૂમિ છે તેમાં મોક્ષમાર્ગ
Page 589 of 660
PDF/HTML Page 610 of 681
single page version
ત્રણ સિવાય બીજા સમુદ્રોમાં જળચર નથી. વિકળત્રય જીવ અઢીદ્વીપમાં છે અને
સ્વયંભૂરમણદ્વીપના અર્ધભાગમાં નાગેન્દ્ર પર્વત છે. તેનાથી આગળના અર્ધા
સ્વયંભૂરમણદ્વીપમાં અને આખાય સ્વયંભૂરમણ સમુદ્રમાં વિકળત્રય છે. માનુષોત્તરથી માંડી
નાગેન્દ્ર પર્યંત જઘન્ય ભોગભૂમિની રીત છે. ત્યાં તિર્યંચોનું એક પલ્યનું આયુષ્ય છે. સૂક્ષ્મ
સ્થાવર તો સર્વત્ર ત્રણ લોકમાં છે અને બાદર સ્થાવર આધાર હોય ત્યાં છે, બધે નથી.
એક રાજુમાં સમસ્ત મધ્યલોક છે. મધ્યલોકમાં આઠ પ્રકારના વ્યંતરો અને દશ પ્રકારના
ભવનપતિના નિવાસ છે, ઉપર જ્યોતિષી દેવોનાં વિમાન છે, તેમના પાંચ ભેદ છે-ચંદ્રમા,
સૂર્ય, ગ્રહ, તારા, નક્ષત્ર. અઢીદ્વીપમાં જ્યોતિષી ચાર જ છે અને સ્થિર જ છે. આગળ
અસઁખ્ય દ્વીપોમાં જ્યોતિષી દેવોનાં વિમાન સ્થિર જ છે. સુમેરુ ઉપર સ્વર્ગલોક છે. સોળ
સ્વર્ગ છે તેમાનાં નામ-સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ,
કાપિષ્ઠ, શુક્ર, મહાશુક્ર, શતાર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અચ્યુત. આ સોળ
સ્વર્ગમાં કલ્પવાસી દેવદેવી છે અને સોળ સ્વર્ગની ઉપર નવ ગ્રૈવેયક, તેની ઉપર નવ
અનુત્તર, તેની ઉપર પાંચ પંચોત્તર-વિજય, વૈજયન્ત, જયન્ત, અપારાજિત અને
સવાર્થસિદ્ધિ. આ અહમિન્દ્રોનાં સ્થાન છે, ત્યાં દેવાંગના નથી અને સ્વામી-સેવક નથી,
બીજે સ્થળે ગમન નથી. પાંચમું બ્રહ્મસ્વર્ગ છે તેના અંતે લોકાંતિક દેવ હોય છે. તેમને
દેવાંગના નથી, તે દેવર્ષિ છે. ભગવાનના તપકલ્યાણકમાં જ આવે છે. ઊર્ધ્વલોકમાં દેવ જ
છે અથવા પાંચ સ્થાવર જ છે. હે શ્રેણિક! આ ત્રણ લોકનું વ્યાખ્યાન જે કેવળીએ કહ્યું
તેનું સંક્ષેપરૂપ જાણવું. ત્રણ લોકના શિખરે સિદ્ધલોક છે તેના સમાન દૈદીપ્યમાન બીજું
ક્ષેત્ર નથી. જ્યાં કર્મબંધનથી રહિત અનંત સિદ્ધ બિરાજે છે જાણે તે મોક્ષસ્થાન ત્રણ
ભવનનું ઉજ્જવળ છત્ર જ છે. તે મોક્ષસ્થાન આઠમી પૃથ્વી છે. આ આઠ પૃથ્વીનાં નામ-
નારક, ભવનવાસી, મનુષ્ય, જ્યોતિષી, સ્વર્ગવાસી, ગ્રૈવેયક, અનુત્તર વિમાન અને મોક્ષ.
આ આઠ પૃથ્વી છે. તે શુદ્ધોપયોગના પ્રસાદથી જે સિદ્ધ થયા છે તેમનો મહિમા કહી
શકાતો નથી, તેમને મરણ નથી, જન્મ નથી. અત્યંત સુખરૂપ છે, અનેક શક્તિના ધારક
સમસ્ત દુઃખરહિત મહાનિશ્ચળ સર્વના જ્ઞાતાદ્રષ્ટા છે.
તો તેમને કોઈ પ્રકારનું નથી, અને સુખ કેવું છે? ત્યારે કેવળીએ દિવ્યધ્વનિથી કહ્યું - આ
ત્રણ લોકમાં સુખ નથી, દુઃખ જ છે, અજ્ઞાનથી નિરર્થક સુખ માની રહ્યા છીએ. સંસારનું
ઇન્દ્રિયજનિત સુખ બાધાસંયુક્ત ક્ષણભંગુર છે. આ જીવ જ્યાં સુધી આઠ કર્મથી બંધાઈને
પરાધીન રહે ત્યાં સુધી તેમને તુચ્છમાત્ર પણ સુખ નથી. જેમ સુવર્ણનો પિંડ લોઢાથી
સંયુક્ત હોય ત્યાં સુવર્ણની
Page 590 of 660
PDF/HTML Page 611 of 681
single page version
કાંતિ દબાઈ જાય છે તેમ જીવની શક્તિ કર્મોથી દબાઈ ગઈ છે તે સુખરૂપ છતાં દુઃખ
ભોગવે છે. આ પ્રાણી જન્મ, જરા, મરણ, રોગ, શોકાદિ અનંત ઉપાધિથી પીડિત છે.
મનુષ્ય-તિર્યંચ-નારકીઓને તનનું અને મનનું દુઃખ છે અને દેવોને દુઃખ મનનું જ છે. તે
મનનું મહાદુઃખ છે. તેનાથી પિડાય છે. આ સંસારમાં સુખ શેનું? આ ઇન્દ્રિયજનિત
વિષયનાં સુખ ઇન્દ્ર-ધરણેન્દ્ર-ચક્રવર્તીઓને મધ ચોપડેલી ખડ્ગની ધાર સમાન છે અને
વિષમિશ્રિત અન્ન સમાન છે. સિદ્ધોને મન ઈન્દ્રિય નથી, શરીર નથી, કેવળ સ્વાભાવિક
અવિનાશી ઉત્કૃષ્ટ નિરાબાધ નિરુપમ સુખ છે, તેની ઉપમા નથી. જેમ નિદ્રારહિત પુરુષને
સુવાથી શું કામ અને નિરોગીને ઔષધિથી શું પ્રયોજન? તેમ સર્વજ્ઞ વીતરાગ કૃતાર્થ સિદ્ધ
ભગવાનને ઈન્દ્રિયોના વિષયોનું શું કામ હોય? દીપકને સૂર્ય-ચંદ્રાદિથી શું? જે નિર્ભય છે,
જેને શત્રુ નથી તેમને આયુધોનું શું પ્રયોજન? જે સૌના અંતર્યામી સૌને દેખે-જાણે છે,
જેમના સકળ અર્થ સિદ્ધ થયા છે, કાંઈ કરવાનું નથી, કોઈ વસ્તુની ઈચ્છા નથી, તે
સુખના સાગર છે. ઈચ્છા મનથી થાય છે, તેમને મન નથી. પરમ આનંદસ્વરૂપ
ક્ષુધાતૃષાદિ બાધારહિત છે. તીર્થંકરદેવ જે સુખનો ઉદ્યમ કરે તેનો મહિમા ક્યાં સુધી
કહેવો? અહમિન્દ્ર, ઇન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્ત્યાદિક નિરંતર તે જ પદનું ધ્યાન કરે છે.
લૌકાંતિક દેવ તે જ સુખના અભિલાષી છે તેની ઉપમા ક્યાં સુધી આપીએ? જોકે
સિદ્ધપદનું સુખ ઉપમારહિત કેવળીગમ્ય છે તો પણ પ્રતિબોધ માટે તેમને સિદ્ધોનાં સુખનું
કાંઈક વર્ણન કહીએ છીએ.
સમસ્ત દેવોનું સુખ, ભૂત, ભવિષ્યત્, વર્તમાનકાળનું બધું એકઠું કરીએ અને તેને
અનંતગુણા કરીએ તો સિદ્ધોના એક સમયના સુખતુલ્ય નથી. કેમ? કારણ કે સિદ્ધોનું
સુખ છે તે નિરાકુળ, નિર્મળ, અવ્યાબાધ, અખંડ અતિન્દ્રિય, અવિનાશી છે અને દેવ-
મનુષ્યોનું સુખ ઉપાધિસંયુક્ત, બાધાસહિત, વિકલ્પરૂપ વ્યાકુળતાથી ભરેલું વિનાશક છે.
બીજું એક દ્રષ્ટાંત સાંભળો. મનુષ્યોમાં રાજા સુખી, રાજાઓથી ચક્રવર્તી સુખી અને
ચક્રવર્તીઓથી વ્યંતરદેવ સુખી, વ્યંતરોથી જ્યોતિષીદેવ સુખી, તેનાથી ભવનવાસી અધિક
સુખી અને ભવનવાસીઓથી કલ્પવાસી સુખી અને કલ્પવાસીઓથી નવગ્રૈવેયકના સુખી,
નવગ્રૈવેયકથી નવ અનુત્તરના સુખી અને તેમનાથી પંચોત્તરના સુખી, પંચોત્તરમાં
સર્વાર્થસિધ્ધિ સમાન બીજા સુખી નથી તે. સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રોથી અનંતાનંતગણું
સુખ સિદ્ધપદમાં છે. સુખની હદ સિદ્ધપદનું સુખ છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ,
અનંતવીર્ય આ આત્માનું નિજસ્વરૂપ સિદ્ધોમાં પ્રવર્તે છે. સંસારી જીવોનાં દર્શન-જ્ઞાન,
સુખ, વીર્ય, કર્મોના ક્ષયોપશમથી બાહ્ય વસ્તુના નિમિત્તથી, વિચિત્રતા સહિત-અલ્પરૂપ
પ્રવર્તે છે. એ રૂપાદિક વિષયસુખ વ્યાધિરૂપ, વિકલ્પરૂપ મોહનાં કારણ છે. એમાં સુખ
નથી. જેમ ફોડલો પરુ કે લોહીથી ભરાઈને ફૂલે તેમાં સુખ શું? તેમ વિકલ્પરૂપ ફોડલો
અત્યંત આકુળતારૂપ પરુથી ભરેલો જેને
Page 591 of 660
PDF/HTML Page 612 of 681
single page version
છે તેમના સુખ જેવું બીજું સુખ નથી. જેમનાં દર્શનજ્ઞાન લોકાલોકને દેખે-જાણે તેમના
જેવો સૂર્ય ક્યાં? સૂર્ય તો ઉદય-અસ્ત પામે છે, સકળ પ્રકાશક નથી. તે ભગવાન સિદ્ધ
પરમેષ્ઠી હથેળીમાં આંભલાની પેઠે સકળ વસ્તુને દેખે-જાણે છે. છદ્મસ્થ પુરુષનું જ્ઞાન
તેમના જેવું નથી. જોકે અવધિજ્ઞાની મનઃપર્યયજ્ઞાની મુનિ અવિભાગી પરમાણું પર્યંત દેખે
છે અને જીવોના અસંખ્યાત ભવ જાણે છે તો પણ અરૂપી પદાર્થોને જાણતા નથી અને
અનંતકાળનું જાણતા નથી, કેવળી જ તે જાણે છે, કેવળજ્ઞાન કેવળદર્શનયુક્ત જે છે તેમના
સમાન બીજા નથી. સિદ્ધોને જ્ઞાન અનંત, દર્શન અનંત અને સંસારી જીવોને અલ્પજ્ઞાન,
અલ્પદર્શન, સિદ્ધોને અનંતસુખ, અનંતવીર્ય અને સંસારીઓને અલ્પસુખ, અલ્પવીર્ય હોય
છે. એ નિશ્ચયથી જાણો કે સિદ્ધોનાં સુખનો મહિમા કેવળજ્ઞાની જ જાણે, ચાર જ્ઞાનના
ધારક પણ પૂર્ણ ન જાણે. આ સિદ્ધપદ અભવ્યોને મળતું નથી. નિકટભવ્ય જ આ પદ
પામે. અભવ્ય અનંતકાળ કાયકલેશ કરી અનેક યત્ન કરે તો પણ ન પામે. અનાદિકાળનું
જે અજ્ઞાન તે રૂપ સ્ત્રીનો વિરહ અભવ્યોને થતો નથી, તે સદા અવિદ્યા સાથે ભવવનમાં
શયન કરે છે, અને મુક્તિરૂપી સ્ત્રીના મિલનની વાંછામાં તત્પર ભવ્ય જીવો કેટલોક કાળ
સંસારમાં રહે છે તે સંસારમાં રાજી નથી, તપમાં રહેતા તેઓ મોક્ષના જ અભિલાષી છે.
જેમનામાં સિદ્ધ થવાની શક્તિ નથી તેમને અભવ્ય કહે છે. જે હોનહાર સિદ્ધ છે તેમને
ભવ્ય કહીએ. કેવળી કહે છે હે રઘુનંદન! જિનશાસન વિના બીજો કોઈ મોક્ષનો ઉપાય
નથી. સમ્યક્ત્વ વિના કર્મોનો ક્ષય થતો નથી. અજ્ઞાની જીવ કરોડો ભવોમાં જે કર્મ ન
ખપાવી શકે તે જ્ઞાની ત્રણ ગુપ્તિ ધારણ કરીને એક મુહૂર્તમાં ખપાવે છે. સિદ્ધ ભગવાન
પરમાત્મા પ્રસિદ્ધ છે, સર્વ જગતના લોકો તેમને જાણે છે કે તે ભગવાન છે. કેવળી
સિવાય તેમને કોઈ પ્રત્યક્ષ દેખી જાણી શકતું નથી, કેવળજ્ઞાનીઓ જ સિદ્ધોને દેખે જાણે
છે. આ જીવે સંસારનું કારણ એવો મિથ્યાત્વનો માર્ગ અનંતભવમાં ધારણ કર્યો છે. તમે
નિકટભવ્ય છો, પરમાર્થની પ્રાપ્તિ અર્થે જિનશાસનની અખંડ શ્રદ્ધા રાખો. હે શ્રેણિક!
સકળભૂષણ કેવળીનાં આ વચન સાંભળી શ્રી રામચંદ્રે પ્રણામ કરી કહ્યું હે નાથ! મને આ
સંસારસમુદ્રથી તારો, હે ભગવાન! આ પ્રાણી કયા ઉપાયથી સંસારના વાસથી છૂટે છે?
કેવળી ભગવાને કહ્યું હે રામ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર મોક્ષનો માર્ગ છે, જિનશાસનમાં
તત્ત્વના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. તત્ત્વ અનંત ગુણ પર્યાયરૂપ છે. તેના બે ભેદ છે.
એક ચેતન અને બીજો અચેતન જીવ ચેતન છે, બીજા બધા અચેતન. સમ્યગ્દર્શન બે
પ્રકારે ઉપજે છે-એક નિસર્ગ, બીજો અધિગમ, જે સ્વતઃ સ્વભાવથી ઉપજે તે નિસર્ગ અને
ગુરુના ઉપદેશથી ઉપજે તે અધિગમ. સમ્યગ્દ્રષ્ટિ જીવ જિનધર્મમાં રત છે. સમ્યક્ત્વના
અતિચાર પાંચ છે-શંકા એટલે જિનધર્મમાં સંદેહ, કાંક્ષા એટલે ભોગોની અભિલાષા,
વિચિકિત્સા એટલે મહામુનિને જોઈ ગ્લાનિ કરવી, અન્યદ્રષ્ટિ પ્રશંસા એટલે મિથ્યાદ્રષ્ટિને
મનમાં ભલા માનવા અને સંસ્તવ એટલે વચનથી મિથ્યાદ્રષ્ટિની સ્તુતિ કરવી.
Page 592 of 660
PDF/HTML Page 613 of 681
single page version
અથવા અનિત્યાદિ બાર ભાવના અથવા પ્રશમ, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને શંકાદિ
દોષરહિતપણું, જિનપ્રતિમા, જિનમંદિર, જિનશાસ્ત્ર, મુનિરાજોની ભક્તિથી સમ્યગ્દર્શન
નિર્મળ થાય છે અને સર્વજ્ઞના વચન પ્રમાણ વસ્તુને જાણવી તે જ્ઞાનની નિર્મળતાનું કારણ
છે. જે કોઈથી ન સધાય એવી દુર્ધર ક્રિયાને-આચરણને ચારિત્ર કહે છે. ત્રસ સ્થાવર સર્વ
જીવની દયા, સર્વને પોતાના સમાન જાણવા તેને ચારિત્ર કહે છે. પાંચ ઈન્દ્રિયોનો નિરોધ,
મનનો નિરોધ, વચનનો નિરોધ, સર્વ પાપક્રિયાના ત્યાગને ચારિત્ર કહે છે. સાંભળનારનાં
મન અને કાનને આનંદકારી, સ્નિગ્ધ, મધુર, અર્થસંયુક્ત, કલ્યાણકારી વચન બોલવાં તેને
ચારિત્ર કહીએ. મનવચનકાયથી પરધનનો ત્યાગ કરવો, કોઈની વસ્તુ દીધા વિના ન લેવી
અને આપેલ આહાર માત્ર લેવો તેને ચારિત્ર કહીએ, દેવોથી પૂજ્ય અતિ દુર્ધર
બ્રહ્મચર્યવ્રતનું પાલન તેને ચરિત્ર કહીએ, શિવમાર્ગ એટલે નિર્વાણના માર્ગને વિઘ્ન
કરનારી મૂર્ચ્છા-મનની અભિલાષાનો ત્યાગ એટલે પરિગ્રહના ત્યાગને ચારિત્ર કહે છે. આ
મુનિઓનો ધર્મ કહ્યો અને જે અણુવ્રતી શ્રાવક મુનિઓને શ્રદ્ધાદિ ગુણોથી યુક્ત નવધા
ભક્તિથી આહાર આપે તેને એકદેશ ચારિત્ર કહીએ. પરદારા-પરધનનો પરિહાર,
પરપીડાનું નિવારણ, દયાધર્મનું અંગીકાર કરવું, દાન, શીલ, પૂજા, પ્રભાવના,
પર્વોપવાસાદિકને દેશચારિત્ર કહીએ. યમ એટલે જીવનપર્યંત પાપનો પરિહાર, નિયમ
એટલે મર્યાદારૂપ વ્રત-તપ ધરવાં, વૈરાગ્ય, વિનય, વિવેકજ્ઞાન, મન-ઈન્દ્રિયોના-નિરોધ
ધ્યાન ઈત્યાદિ ધર્મના આચરણને એકદેશ ચારિત્ર કહીએ. આ અનેક ગુણોથી યુક્ત
જિનભાષિત ચારિત્ર પરમધામનું કારણ કલ્યાણની પ્રાપ્તિ અર્થે સેવવાયોગ્ય છે. સમ્યગ્દ્રષ્ટિ
જે જીવ જિનશાસનનો શ્રદ્ધાની, પરનિંદાનો ત્યાગી, પોતાની અશુભ ક્રિયાનો નિંદક,
જગતના જીવોથી ન સધાય એવા દુર્દ્ધર તપનો ધારક, સંયમનો સાધનાર જ દુર્લભ ચારિત્ર
ધરવાને સમર્થ થાય છે. જ્યાં દયા આદિ સમીચીન ગુણ નથી ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર
વિના સંસારથી નિવૃત્તિ નથી. જ્યાં દયા, ક્ષમા, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સંયમ નથી ત્યાં ધર્મ
નથી. વિષયકષાયનો ત્યાગ તે જ ધર્મ છે. શમ એટલે સમતાભાવ પરમશાંત, દમ એટલે
મન-ઈન્દ્રિયોનો નિરોધ, સંવર એટલે નવીન કર્મોનો નિરોધ જ્યાં ન હોય ત્યાં ચારિત્ર
નથી. જે પાપી જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રી સેવન કરે છે,
મહાઆરંભી છે, પરિગ્રહી છે તેમને ધર્મ નથી. જે ધર્મના નિમિત્તે હિંસા કરે છે તે અધર્મી
અધમગતિના પાત્ર છે. જે મૂઢ જિનદીક્ષા લઈને આરંભ કરે છે. તે યતિ નથી. યતિનો
ધર્મ આરંભ પરિગ્રહથી રહિત છે. પરિગ્રહધારીઓને મુક્તિ નથી. હિંસામાં ધર્મ જાણી છ
કાય જીવોની હિંસા કરે છે તે પાપી છે. હિંસામાં ધર્મ નથી, હિંસકોને આ ભવ કે
પરભવમાં સુખ નથી. જે સુખ અર્થે, ધર્મને અર્થે જીવઘાત કરે છે તે વૃથા છે. જે ગ્રામ
ક્ષેત્રાદિકમાં આસક્ત છે, ગાય-ભેંસ રાખે છે, મારે છે, બાંધે છે, તોડે છે, બાળે છે, તેમને
વૈરાગ્ય ક્યાં છે? જે ક્રયવિક્રય કરે છે, રસોઈ માટે હાંડી વગેરે રાખે છે, આરંભ કરે છે,
સુવર્ણાદિક રાખે છે તેમને મુક્તિ
Page 593 of 660
PDF/HTML Page 614 of 681
single page version
છે તે દીર્ઘસંસારી છે. જે સાધુ થઈ તેલાદિનું મર્દન કરે છે, શરીરના સંસ્કાર કરે છે,
પુષ્પાદિક સૂંઘે છે, સુગંધ લગાવે છે, દિપક સળગાવે છે, ધૂપક્ષેપણ કરે છે તે સાધુ નથી,
મોક્ષમાર્ગથી પરાઙમુખ છે. પોતાની બુદ્ધિથી જે કહે છે કે હિંસામાં દોષ નથી તે મૂર્ખ છે,
તેમને શાસ્ત્રનું જ્ઞાન નથી, ચારિત્ર નથી.
નિઃપરિગ્રહી છે તો પણ દયાળુ નથી. જેનું હૃદય દુષ્ટ છે, સમ્યક્ત્વ બીજ વિના ધર્મરૂપ
વૃક્ષ તે ઉગાડી શકે નહિ. અનેક કષ્ટ કરે તો પણ તે મુક્તિ પામે નહિ. જે ધર્મની બુદ્ધિથી
પર્વત ઉપરથી પડતું મૂકે. અગ્નિમાં બળે, જળમાં ડૂબે, ધરતીમાં દટાઈ જાય, તે કુમરણથી
કુગતિ પામે છે. જે પાપકર્મી કામનાપરાયણ આર્ત રૌદ્રધ્યાની વિપરીત ઉપાય કરે, તે નરક
નિગોદમાં જાય છે. મિથ્યાદ્રષ્ટિ કદાચ દાન કરે, તપ કરે, તે પુણ્યના ઉદયથી મનુષ્ય અને
દેવગતિનાં સુખ ભોગવે છે, પરંતુ શ્રેષ્ઠ મનુષ્ય થતા નથી. સમ્યગ્દ્રષ્ટિઓનાં ફળના
અસંખ્યાતમાં ભાગનું પણ ફળ નથી. સમ્યગ્દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનવાળા અવ્રતી હોય તો
પણ તેમને નિયમમાં પ્રેમ છે તે સમ્યગ્દર્શનના પ્રસાદથી દેવલોકમાં ઉત્તમ દેવ થાય છે.
અને મિથ્યાદ્રષ્ટિ કુલિંગી મહાતપ પણ કરે તોયે દેવોના કિંકરહીન દેવ થાય છે, પછી
સંસારભ્રમણ કરે છે. સમ્યગ્દ્રષ્ટિ ભવ ધરે તો ઉત્તમ મનુષ્ય થઈ. તેમાં દેવોના ભવ સાત
અને મનુષ્યોના ભવ આઠ, આ પ્રમાણે પંદર ભવમાં પંચમગતિ પામે છે. વીતરાગ સર્વજ્ઞે
મોક્ષનો માર્ગ પ્રગટ દેખાડયો છે. પરંતુ આ વિષયી જીવ તેને અંગીકાર કરતો નથી,
આશારૂપી ફાંસીથી બંધાયેલા, મોહને વશ થયેલા, તૃષ્ણાથી ભરેલા, પાપરૂપ જંજીરથી
જકડાયેલા કુગતિરૂપ બંદીગૃહમાં પડે છે. સ્પર્શ અને રસના આદિ ઈન્દ્રિયોનાં લોલુપી
દુઃખને જ સુખ માને છે. આ જગતના જીવ એક જિનધર્મના શરણ વિના કલેશ ભોગવે
છે. ઈન્દ્રિયોનાં સુખ ઈચ્છે તે મળે નહિ અને મૃત્યુથી ડરે તેથી મૃત્યુ છોડે નહિ, વિફળ
કામના અને વિફળ ભયને વશ થયેલા જીવ કેવળ તાપ જ પામે છે. તાપ દૂર કરવાનો
બીજો કોઈ ઉપાય નથી. તૃષ્ણા અને ભયને છોડવા એ જ સુખનો ઉપાય છે. આ જીવ
તૃષ્ણાથી ભરેલો ભોગોનો ભોગ કરવા ચાહે છે અને ધર્મમાં ધૈર્ય રાખતો નથી, કલેશરૂપ
અગ્નિથી ઉષ્ણ, મહાઆરંભમાં ઉદ્યમી કોઈ પણ વસ્તુ પામતો નથી, ઉલટું ગાંઠના ખોવે
છે. આ પ્રાણી પાપના ઉદયથી મનવાંછિત અર્થ પામતો નથી, ઉલટો અનર્થ થાય છે. તે
અનર્થ અતિ દુર્જય છે. આ મેં કર્યું, આ હું કરું છું, આ કરીશ એવો વિચાર કરતાં જ
મરીને કુગતિમાં જાય છે. આ ચારેય ગતિ કુગતિ છે, એક પંચમ નિર્વાણગતિ જ સુગતિ
છે, જ્યાંથી પાછા આવવાનું નથી. જગતમાં મૃત્યુ એ નથી જોતું કે આણે આ કર્યું, આ ન
કર્યું, બાળથી માંડી સર્વ અવસ્થામાં આવીને ઉપાડી જાય છે, જેમ સિંહ મૃગને કોઈપણ
અવસ્થામાં પકડી લે છે. અહો, આ અજ્ઞાની જીવ અહિતમાં
Page 594 of 660
PDF/HTML Page 615 of 681
single page version
ભયમાં શરણ માને છે, એમને વિપરીત બુદ્ધિ છે. આ બધો મિથ્યાત્વનો દોષ છે. આ
મનુષ્યરૂપ મત્ત હાથી માયારૂપી ખાડામાં પડેલો અનેક દુઃખરૂપ બંધનથી બંધાય છે.
વિષયરૂપ માંસનો લોભી માછલીની જેમ વિકલ્પરૂપી જાળમાં પડે છે, આ પ્રાણી દુર્બળ
બળદની જેમ કુટુંબરૂપ કીચડમાં ફસાયેલો ખેદખિન્ન થાય છે જેમ વેરીઓથી બંધાયેલો
અને અંધારિયા કૂવામાં પડેલો હોય તેનું બહાર નિકળવું ખૂબ મુશ્કેલ છે તેમ સ્નેહરૂપ
ફાંસીથી બંધાયેલ અને સંસારરૂપ અંધકૂપમાં પડેલા અજ્ઞાની જીવનું બહાર નીકળવું
અતિકઠિન છે. કોઈ નિકટભવ્ય જિનવાણીરૂપ રસ્તો પકડીને અને શ્રીગુરુ કાઢનારા હોય
તો નીકળે. અભવ્ય જીવ જૈનેન્દ્રી આજ્ઞારૂપ અતિદુર્લભ આનંદનું કારણ જે આત્મજ્ઞાન તેને
પામવા સમર્થ નથી, જિનરાજનો નિશ્ચયમાર્ગ નિકટભવ્ય જ પામે છે. અભવ્ય સદા કર્મોથી
કલંકિત થઈ અતિકલેશરૂપ સંસારચક્રમાં ભમે છે. હે શ્રેણિક! શ્રી ભગવાન સકળભૂષણ
કેવળીએ આમ કહ્યું ત્યારે શ્રી રામચંદ્રે હાથ જોડી, મસ્તક નમાવી કહ્યું, હે ભગવન્! હું
કયા ઉપાયથી ભવભ્રમણથી છુટું? હું બધી રાણીઓ અને પૃથ્વીનું રાજ્ય છોડવા સમર્થ છું,
પરંતુ ભાઈ લક્ષ્મણનો સ્નેહ તજવા સમર્થ નથી, હું સ્નેહ-સમુદ્રના તરંગમાં ડૂબું છું, આપ
ધર્મોપદેશરૂપ હસ્તાવલંબન આપીને મને કાઢો. હે કરુણાનિધાન! મારી રક્ષા કરો. ત્યારે
ભગવાને કહ્યું - હે રામ શોક ન કર, તું બળદેવ છે, કેટલાક દિવસ વાસુદેવ સહિત
ઇન્દ્રની જેમ આ પૃથ્વીનું રાજ્ય કરી જિનેશ્વરનાં વ્રત ધરી તું કેવળજ્ઞાન પામીશ. કેવળીનાં
આ વચન સાંભળી શ્રી રામચંદ્ર હર્ષથી રોમાંચિત થયા. તેમનાં નયનકમળ ખીલી ગયાં.
વદનકમળ વિકસિત થયું, પરમ ધૈર્ય પામ્યા. રામને કેવળીના મુખથી ચરમશરીરી જાણી
સુર-નર-અસુર બધા જ પ્રશંસાથી અત્યંત પ્રીતિ કરવા લાગ્યા.
વર્ણન કરનાર એકસો પાંચમું પર્વ પૂર્ણ થયું.
દેવાધિદેવ! શ્રી રામચંદ્રે પૂર્વભવમાં એવું કયું સુકૃત્ય કર્યું હતું કે જેથી તેમણે આવો મહિમા
પ્રાપ્ત કર્યો? તેમની સ્ત્રી સીતાનું દંડકવનમાંથી ક્યા પ્રસંગથી રાવણ હરણ કરી ગયો, જે
ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થનો જાણનાર હતો, અનેક શાસ્ત્રનો પાઠી, કૃત્ય-
અકૃત્યનો જાણનાર, ધર્મ-
Page 595 of 660
PDF/HTML Page 616 of 681
single page version
અભિલાષારૂપ અગ્નિમાં પતંગિયું બનીને પડયો. અને લક્ષ્મણે તેને સંગ્રામમાં હણ્યો,
રાવણ જેવો બળવાન વિદ્યાધરોનો મહેશ્વર અનેક અદ્ભુત કાર્યોનો કરનાર આવા મરણને
કેમ પામ્યો? ત્યારે કેવળીએ અનેક જન્મની કથા વિભીષણને કહી. હે લંકેશ્વર! રામ-
લક્ષ્મણ બન્ને અનેક ભવના ભાઈ છે અને રાવણના જીવને લક્ષ્મણના જીવ સાથે ઘણા
ભવથી વેર છે. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં એક નગર છે ત્યાં નયદત્ત નામનો ગરીબ
વણિક રહેતો. તેની સ્ત્રીનું નામ સુનંદા. તેના પુત્રનું નામ ધનદત્ત જે રામનો જીવ હતો.
બીજો પુત્ર વસુદત્ત તે લક્ષ્મણનો જીવ હતો. એક યજ્ઞબલ નામનો વિપ્ર વસુદત્તનો મિત્ર
હતો તે તારો જીવ અને તે જ નગરમાં બીજા એક વણિક સાગરદત્તની સ્ત્રી રત્નપ્રભાની
પુત્રી ગુણવતી તે સીતાનો જીવ. ગુણવતીનો નાનો ભાઈ ગુણવાન ભામંડળનો જીવ.
ગુણવતી રૂપ, યૌવન કળા, કાંતિ અને લાવણ્યથી મંડિત બનેલી હોઈ ગુણવાને પિતાનો
અભિપ્રાય જાણી ધનદત્ત સાથે બહેનની સગાઈ કરી અને તે જ નગરમાં એક અતિ
ધનવાન વણિક શ્રીકાંત રહેતો હતો તે રાવણનો જીવ હતો. તે નિરંતર ગુણવતીને
પરણવાની અભિલાષા રાખતો અને ગુણવતીના રૂપથી તેનું મન હરાઈ ગયું હતું.
ગુણવતીનો લોભી ભાઈ ધનદત્તને અલ્પધનવાળો જાણી અને શ્રીકાંતને મહાધનવંત જોઈ
પોતાની બહેનને શ્રીકાંત સાથે પરણાવવા તૈયાર થયો.
વસુદત્ત આ સમાચાર સાંભળી શ્રીકાંતને મારવા તૈયાર થયો. તેણે ખડ્ગ સજાવી અંધારી
રાત્રે શ્યામ વસ્ત્ર પહેરી અવાજ કર્યા વિના ધીરે પગલે શ્રીકાંતના ઘરમાં જઈ, તે
અસાવધાન બેઠો હતો, તેને ખડ્ગથી માર્યો. પડતાં પડતાં શ્રીકાંતે પણ વસુદતને ખડ્ગ
માર્યું તેથી બેય મૃત્યુ પામ્યા અને વિંધ્યાચળના વનમાં હરણ થયા. નગરના દુર્જન લોકો
હતા તેમણે ગુણવતી ધનદત્તને ન પરણાવવા દીધી કે એના ભાઈએ અપરાધ કર્યો છે.
દુર્જનો તો વિના અપરાધેય કોપ કરે તેમાં આ તો એક બહાનું મળ્યું. પછી ધનદત્ત
પોતાના ભાઈનું મરણ અને પોતાનું અપમાન તથા સગાઈ કરેલી કન્યાની અપ્રાપ્તિથી
અત્યંત દુઃખી થઈ ઘરમાંથી નીકળી વિદેશગમન કરવા લાગ્યો. પેલી કન્યા ધનદત્તની
અપ્રાપ્તિથી દુઃખી થઈ અને બીજા કોઈને ન પરણી. કન્યાએ મુનિઓની નિંદા,
જિનમાર્ગની અશ્રદ્ધા, મિથ્યાત્વના અનુરાગથી પાપ ઉપાર્જ્યાં. કાળ પામી આર્તધ્યાનથી
મરી અને જે વનમાં બન્ને મૃગ થયા હતા તે વનમાં એ મૃગલી થઈ. પૂર્વના વિરોધથી
એના જ માટે બન્ને મૃગ પરસ્પર લડીને મર્યા અને જંગલી સુવ્વર થયા. પછી હાથી,
પાડા, બળદ, વાનર, ગેંડા, શિયાળ, ઘેટાં, ઈત્યાદિ અનેક જન્મ લીધા. અને આ તે જ
જાતિની તિર્યંચણી થતી અને તેના નિમિત્તે પરસ્પર લડીને મરતા. જળના જીવ સ્થળના
જીવ થઈ થઈને પ્રાણ તજતા. ધનદત્ત માર્ગના ખેદથી અતિદુઃખી થઈ એક દિવસ સૂર્યાસ્ત
સમયે મુનિઓના આશ્રયે ગયો.
Page 596 of 660
PDF/HTML Page 617 of 681
single page version
તમે ધર્માત્મા છો. ત્યારે મુનિ તો ન બોલ્યા અને કોઈ જિનધર્મીએ મધુર વચનથી તેને
સંતુષ્ટ કરી કહ્યું, હે મિત્ર! રાત્રે અમૃત પણ ન પીવું, જળની તો શી વાત છે? જે વખતે
આંખથી કાંઈ દેખાતું ન હોય, સૂક્ષ્મ જીવ નજરે પડતા ન હોય તે વખતે હે વત્સ! જો તું
ખૂબ આતુર હો તો પણ ખાનપાન કરવું નહિ. રાત્રિભોજન કરવામાં માંસનો દોષ લાગે
છે. તેથી તું એવું ન કર કે જેથી ભવસાગરમાં ડુબાય. આ ઉપદેશ સાંભળી ધનદત્તનું ચિત્ત
શાંત થયું, તેની શક્તિ ઓછી હતી તેથી તે મુનિ ન થઈ શક્યો, પણ દયાયુક્ત ચિત્તવાળો
તે અણુવ્રતી શ્રાવક થયો. પછી કાળ પામીને સમાધિમરણ કરી સૌધર્મ સ્વર્ગમાં મોટો
ઋદ્ધિધારક દેવ થયો. મુગટ, હાર, બાજુબંધાદિથી શોભિત પૂર્વપુણ્યના ઉદયથી દેવાંગનાદિનાં
સુખ ભોગવ્યાં. પછી સ્વર્ગમાંથી ચ્યવીને મહાપુર નગરમાં મેરુ શ્રેષ્ઠીની પત્ની ધારિણીની
કૂખે પદ્મરૂચિ નામનો પુત્ર થયો. તે જ નગરમાં રાજા છત્રચ્છાયની રાણી શ્રી દત્તા ગુણોની
મંજૂષા હતી. એક દિવસ શેઠનો પુત્ર પદ્મરુચિ પોતાના ગાયોના ધણમાં અશ્વ પર બેસીને
આવ્યો ત્યાં તેણે એક વૃદ્ધ બળદને મરવાની અણી પર જોયો. સુગંધી વસ્ત્ર માળાના
ધારક પદ્મરુચિએ અશ્વ પરથી ઊતરી દયાથી બળદના કાનમાં ણમોકાર મંત્ર આપ્યો. પેલા
બળદે તે ચિત્ત દઈને સાંભળ્યો અને પ્રાણ તજી રાણી શ્રીદત્તાના ગર્ભમાં આવી ઉપજ્યો.
રાજા છત્રચ્છાયને પુત્ર નહોતો તે પુત્રના જન્મથી અતિ હર્ષ પામ્યો, નગરની શોભા કરી,
ઘણું દ્રવ્ય ખર્ચ્યું, મોટો ઉત્સવ કર્યો. વાજિંત્રોના અવાજથી દશે દિશાઓ ગુંજી ઊઠી. આ
બાળક પુણ્યકર્મના પ્રભાવથી પૂર્વજન્મ જાણતો હતો. તે બળદના ભવમાં શીત-આતાપ
આદિ મહાદુઃખ અને મરણસમયે ણમોકાર મંત્ર સાંભળ્યો તેના પ્રભાવથી રાજકુમાર થયો
તે પૂર્વ અવસ્થા યાદ કરી બાળક અવસ્થામાં જ વિવેકી થયો. જ્યારે તરૂણ અવસ્થા થઈ
ત્યારે ફરતો ફરતો બળદના મરણના સ્થાન પર ગયો, પોતાનું પૂર્વચરિત્ર યાદ કરી એ
વૃષભધ્વજકુમાર હાથી ઉપરથી ઊતરી પૂર્વજન્મની મરણભૂમિ જોઈને દુઃખી થયો. પોતાનું
મરણ સુધારનાર ણમોકાર મંત્ર આપનાર તેને જણાવવા અર્થે એક કૈલાસના શિખર
સમાન ઊંચું ચૈત્યાલય બનાવરાવ્યું અને ચૈત્યાલયના દ્વારમાં એક બળદની મૂર્તિ જેની
પાસે બેસી એક પુરુષ ણમોકાર મંત્ર સંભળાવે છે એવું એક ચિત્રપટ બનાવરાવી મૂક્યું
અને તેની પાસે સમજવા માટે માણસો મૂક્યા. મેરુ શ્રેષ્ઠીનો પુત્ર પદ્મરુચિ દર્શન કરવા
આવ્યો તે જોઈને ખૂબ હર્ષ પામ્યો અને દર્શન કરી પછી બળદના ચિત્રપટ તરફ જોઈને
મનમાં વિચારે છે કે એક બળદને મેં ણમોકાર મંત્ર સંભળાવ્યા હતા તેથી તે ઊભા ઊભા
જુએ છે. જે રક્ષકો અહીં મૂકયા હતા તેમણે જઈ રાજકુમારને વાત કરી તે સાંભળતાં જ
તે મહાન વૈભવપૂર્વક હાથી ઉપર બેસી શીઘ્ર પોતાના મિત્રને મળવા આવ્યો. હાથી ઉપરથી
ઉતરી તે જિનમંદિરમાં ગયો પછી બહાર આવ્યો, પદ્મરુચિને બળદ તરફ નિહાળતો જોયો.
રાજકુમારે શ્રેષ્ઠીપુત્રને પૂછયું કે તમે બળદનું ચિત્રપટ કેમ નિરખો છો? ત્યારે પદ્મરુચિએ
કહ્યું કે એક મરતા બળદને મેં ણમોકાર મંત્ર આપ્યો હતો.
Page 597 of 660
PDF/HTML Page 618 of 681
single page version
તેના પગમાં પડયો અને પદ્મરુચિની સ્તુતિ કરી, જેમ શિષ્ય ગુરુની કરે, તેણે કહ્યું-હું
મહાઅવિવેકી પશુ મૃત્યુના કષ્ટથી દુઃખી હતો અને તમે મારા સાચા મિત્ર ણમોકારમંત્રના
દાતા સમાધિમરણનું કારણ થયા. તમે દયાળુ પરભવના સુધારનાર મને મહામંત્ર આપ્યો
તેથી હું રાજકુમાર થયો. જેવો ઉપકાર રાજા, દેવ, માતા, સહોદર, મિત્ર કે કુટુંબ કોઈ ન
કરે તેવો તમે કર્યો. તમે મને ણમોકાર મંત્ર આપ્યો અને તેના જેવો પદાર્થ ત્રણ લોકમાં
નથી, તેનો બદલો હું શું આપું. તમારાથી ઋણમુક્ત તો નહિ થઈ શકું તો પણ તમારા
પ્રત્યે મને ખૂબ ભક્તિ ઉત્પન્ન થઈ છે. તમે જે આજ્ઞા આપો તે પ્રમાણે હું કરું. હેં
પુરુષોત્તમ! તમે આજ્ઞા આપી મને ભક્ત બનાવો, આ આખું રાજ્ય લ્યો, હું તમારો દાસ,
આ મારું શરીર તેની પાસે જે ઈચ્છા હોય તે સેવા કરાવો; આ પ્રમાણે વૃષભધ્વજે કહ્યું.
તેથી પદ્મરુચિ અને આની વચ્ચે ખૂબ પ્રીતિ વધી. બન્ને સમ્યગ્દ્રષ્ટિ રાજમાં શ્રાવકનાં વ્રત
પાળતાં, ઠેકાણે ઠેકાણે ભગવાનનાં મોટાં મોટાં ચૈત્યાલય બનાવરાવ્યાં, તેમાં જિનબિંબ
પધરાવ્યા. આ પૃથ્વી તેનાથી શોભાયમાન થઈ. પછી સમાધિમરણ કરી વૃષભધ્વજ
પુણ્યકર્મના પ્રસાદથી બીજા સ્વર્ગમાં દેવ થયો. દેવાંગનાઓના નયનકમળને પ્રફુલ્લિત
કરનાર સૂર્યસમાન થયો ત્યાં મનવાંછિત ક્રિડા કરી. પદ્મરુચિ શેઠ પણ સમાધિમરણ કરી
બીજા જ સ્વર્ગમાં દેવ થયાં, ત્યાં બન્ને પરમ મિત્ર થયા. ત્યાંથી ચ્યવીને પદ્મરુચિનો જીવ
પશ્ચિમ વિદેહમાં વિજ્યાર્ધગિરિ પર નંદ્યાવર્તનગરના રાજા નંદીશ્વરની રાણી કનકપ્રભાનો
નયનાનંદ નામનો પુત્ર થયો. તેણે વિદ્યાધરોના ચક્રીપદની સંપદા ભોગવી. પછી
મહામુનિની અવસ્થા ધારણ કરી વિષમ તપ કર્યું. સમાધિમરણ કરી ચોથા સ્વર્ગમાં દેવ
થયા. ત્યાં પુણ્યરૂપ વેલના સુખરૂપ મનોજ્ઞ ફળ ભોગવ્યાં. ત્યાંથી ચ્યવી સુમેરુ પર્વતની
પૂર્વ દિશાના વિદેહમાં ક્ષેમપુરી નગરીના રાજા વિપુલવાહનની રાણી પદ્માવતીના શ્રીચંદ્ર
નામના પુત્ર થયા. ત્યાં સ્વર્ગ સમાન સુખ ભોગવ્યાં. તેમના પુણ્યના પ્રભાવથી
દિનપ્રતિદિન રાજ્યની વૃદ્ધિ થઈ, અખૂટ ભંડાર થયો. સમુદ્રાંત પૃથ્વી એક ગામની પેઠે વશ
કરી તેમની સ્ત્રી ઇન્દ્રાણી સમાન હતી તેથી ઇન્દ્ર જેવા સુખ ભોગવ્યાં. હજારો વર્ષ
સુખપૂર્વક રાજ્ય કર્યું. એક દિવસ મહાસંઘ સહિત ત્રણ ગુપ્તિના ધારક સમાધિગુપ્તિ
યોગીશ્વર નગરની બહાર આવી બિરાજ્યા. તેમનું ઉદ્યાનમાં આગમન જાણી નગરના લોકો
વંદન માટે ચાલ્યા. તેઓ સ્તુતિ ગાતાં, વાજિંત્રો વગાડતાં હર્ષથી જાય છે ત્યારે શ્રીચંદ્રે
પાસેના લોકોને પૂછયું કે આ આનંદનો અવાજ સમુદ્રગર્જન જેવો સંભળાય છે તેનું કારણ
શું છે? મંત્રીઓએ સેવકોને મોકલીને નક્કી કર્યું કે મુનિ આવ્યા છે તેમના દર્શન કરવા
લોકો જાય છે. આ સમાચાર સાંભળી રાજા હર્ષથી ખીલી ઊઠયા. તેના શરીરમાં રોમાંચ
થઈ ગયો. રાજા સમસ્ત લોક અને પરિવાર સહિત મુનિનાં દર્શને ગયા. પ્રસન્નમુખ
મુનિરાજને જોઈ રાજા પ્રણામ કરી વિનયપૂર્વક જમીન પર બેઠો. ભવ્યજીવરૂપ કમળને
પ્રફુલ્લિત કરનાર સૂર્યસમાન ઋષિનાથના દર્શનથી રાજાને અતિ ધર્મસ્નેહ ઉપજ્યો. તે મહા
તપોધન ધર્મશાસ્ત્રના વેત્તા પરમગંભીર લોકોને તત્ત્વજ્ઞાનનો
Page 598 of 660
PDF/HTML Page 619 of 681
single page version
ભેદસહિત વર્ણવ્યો. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કહ્યું.
પ્રથમાનુયોગ એટલે ઉત્તમ પુરુષોનું ચરિત્રકથન, કરણાનુયોગ એટલે ત્રણ લોકનું કથન
અને ચરણાનુયોગ એટલે મુનિ શ્રાવકનો ધર્મ અને દ્રવ્યાનુયોગ એટલે છ દ્રવ્ય, સાત
તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાયનો નિર્ણય. વકતાઓમાં શ્રેષ્ઠ મુનિરાજે આક્ષેપિણી એટલે
જિનમાર્ગનો ઉદ્યોત કરનારી, ક્ષેપિણી એટલે મિથ્યાત્વનું ખંડન કરનારી, સંવેગિની એટલે
ધર્માનુરાગિણી, નિર્વેદિની એટલે વૈરાગ્ય ઉપજાવનાર આ ચાર પ્રકારની કથા કહી. આ
સંસારસાગરમાં કર્મના યોગથી ભટકતા આ પ્રાણી અતિકષ્ટથી મોક્ષમાર્ગ પામે છે.
સંસારના ઠાઠ વિનાશીક છે. જેમ સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટા, પાણીના
ફીણ, પાણીના તરંગ, વીજળીના ચમકારા તથા ઇન્દ્રધનુષ ક્ષણભંગુર છે, અસાર છે; એવું
જગતનું ચરિત્ર ક્ષણભંગુર, જાણવું, એમાં સાર નથી. નરક તિર્યંચ ગતિ તો દુઃખરૂપ જ છે
અને દેવ મનુષ્યગતિમાં આ પ્રાણી સુખ માને છે તે સુખ નથી, દુઃખ જ છે. જેનાથી તૃપ્તિ
નથી તે જ દુઃખ, જે મહેન્દ્ર સ્વર્ગના ભોગોથી તૃપ્ત ન થયો તે મનુષ્યભવના તુચ્છ
ભોગોથી કેવી રીતે તૃપ્ત થાય? આ મનુષ્યભવ ભોગયોગ્ય નથી, વૈરાગ્યયોગ્ય છે. કોઈ
એક પ્રકારે દુર્લભ મનુષ્યભવ મેળવ્યો જેમ દરિદ્રી નિધાન પામે તે વિષયરસનો લોભી થઈ
વૃથા ખોયો, મોહ પામ્યો. જેમ સૂકા બળતણથી અગ્નિની કેવી રીતે તૃપ્તિ થાય અને
નદીઓના જળથી સમુદ્રને કેવી રીતે તૃપ્તિ થાય? તેમ વિષયસુખથી જીવોને તૃપ્તિ થાય
નહિ. ચતુર હોય પણ વિષયરૂપ મદથી મોહિત થઈ મદ પામે છે. જેનું મન અજ્ઞાનરૂપ
તિમિરથી મંદ થયું છે તે જળમાં ડૂબતાં ખેદખિન્ન થાય તેમ ખેદખિન્ન છે. પરંતુ અવિવેકી
તો વિષયને જ ભલા જાણે છે. સૂર્ય તો દિવસે જ તાપ ઉપજાવે છે અને કામ રાતદિવસ
આતાપ ઉપજાવે છે. સૂર્યનો આતાપ નિવારવાના અનેક ઉપાય છે, કામને નિવારવાનો
ઉપાય એક વિવેક જ છે. જન્મજરામરણનું દુઃખ સંસારમાં ભયંકર છે. જેનું ચિંતવન
કરતાંય કષ્ટ ઉપજે છે. કર્મજનિત જગતનો ઠાઠ રહેંટના ઘડા સમાન છે. ખાલી ભરાય છે,
ભરેલો ખાલી થાય છે. નીચેનો ઉપર અને ઉપરનો નીચે આવે છે. આ શરીર દુર્ગંધ છે,
યંત્ર સમાન ચલાવવાથી ચાલે છે, વિનાશીક છે, મોહકર્મના યોગથી જીવનો સ્નેહ કાયા
સાથે છે, જળના પરપોટા સમાન મનુષ્ય ભવના ઉપજેલા સુખને અસાર જાણી ઊંચા
કુળમાં ઉપજેલા પુરુષ વિરક્ત થઈ જિનરાજનો કહેલ માર્ગ અંગીકાર કરે છે. ઉત્સાહરૂપ
બખ્તર પહેરી, નિશ્ચયરૂપ અશ્વ પર બેસી ધ્યાનરૂપ ખડ્ગના ધારક ધીર, કર્મરૂપ શત્રુનો
વિનાશ કરી નિર્વાણરૂપ નગર લે છે. આ શરીર ભિન્ન અને હું ભિન્ન એવું ચિંતવન કરી
શરીરનો સ્નેહ તજી હે મનુષ્યો! ધર્મ કરો, ધર્મ સમાન બીજું કાંઈ નથી. ધર્મોમાં મુનિનો
ધર્મ શ્રેષ્ઠ છે જે મહામુનિઓને સુખદુઃખ સમાન, પોતાનું અને પારકું સમાન, જે
રાગદ્વેષરહિત મહાપુરુષ છે તે પરમ ઉત્કૃષ્ટ શુક્લધ્યાનરૂપ અગ્નિથી દુઃખરૂપ દુષ્ટોથી ભરેલ
કર્મરૂપ વનને ભસ્મ કરે છે.
Page 599 of 660
PDF/HTML Page 620 of 681
single page version
સમીપે મુનિ થયા. જેનું મન વિરક્ત છે, સમ્યક્ત્વની ભાવનાથી ત્રણે યોગ મન, વચન,
કાયાની શુદ્ધતા ધરતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી મંડિત, રાગદ્વેષથી પરાઙમુખ
રત્નત્રયરૂપ આભૂષણોના ધારક, ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મથી મંડિત, જિનશાસનના
અનુરાગી, સમસ્ત અંગ પૂર્વાંગના પાઠક, સમાધાનરૂપ પાંચ મહાવ્રતના ધારક, જીવોની
દયા પાળનાર, સપ્તભય રહિત પરમ ધૈર્યના ધારક, બાવીસ પરીષહ સહનાર. બેલા, તેલા,
પક્ષ, માસાદિક અનેક ઉપવાસ કરનાર, શુદ્ધાહાર લેનાર, ધ્યાનાધ્યયનમાં તત્પર, નિર્મમત્વ,
ભોગોની વાંછના ત્યાગી, નિદાનબંધ રહિત, જિનશાસન પ્રતિ વાત્સલ્ય રાખનાર, યતિના
આચારમાં સંઘના અનુગ્રહમાં તત્પર, બાલાગ્રના કોટિભાગ જેટલો પણ પરિગ્રહ ન
રાખનાર, સ્નાનના ત્યાગી, દિગંબર, સંસારના પ્રબંધરહિત, ગ્રામના વનમાં એક રાત્રિ
અને નગરના વનમાં પાંચ રાત્રિ રહેનાર, ગિરિગુફા, ગિરિશિખર, નદીતટ, ઉદ્યાન ઈત્યાદિ
પ્રશસ્ત સ્થાનોમાં નિવાસ કરનાર, કાયોત્સર્ગના ધારક, દેહ પ્રત્યે મમતારહિત નિશ્ચળ
મૌની પંડિત મહાતપસ્વી ઈત્યાદિ ગુણોથી પૂર્ણ કર્મ પિંજરને જીર્ણ કરી કાળ પામીને
શ્રીચંદ્ર મુનિ રામચંદ્રનો જીવ પાંચમા સ્વર્ગમાં ઇન્દ્ર થયો. ત્યાં લક્ષ્મી, કીર્તિ, કાંતિ,
પ્રતાપનો ધારક દેવોનો ચૂડામણિ ત્રણ લોકમાં પ્રસિદ્ધ પરમઋદ્ધિયુક્ત મહાસુખ ભોગવતો
હતો. નંદનાદિક વનમાં સૌધર્માદિક ઇન્દ્ર એની સંપદા જોઈ રહ્યા છે, એને જોવાની વાંછા
રહે. મહાસુંદર વિમાન, મણિ, હેમમયી મોતીઓની ઝાલરોથી મંડિત તેમાં બેસીને વિહાર
કરે, દિવ્ય સ્ત્રીઓના નેત્રોને ઉત્સવરૂપ મહાસુખમાં સમય વ્યતીત કરવા લાગ્યો. શ્રીચંદ્રનો
જીવ બ્રહ્મેન્દ્ર થયો હતો તેનો મહિમા હે વિભીષણ! વચનોથી ન કહી શકાય, તે કેવળજ્ઞાન
ગમ્ય છે. આ જિનશાસન અમૂલ્ય પરમરત્ન ઉપમારહિત ત્રણ લોકમાં પ્રગટ છે, તો પણ
મૂઢ જાણતો નથી. શ્રી જિનેન્દ્ર, મુનીન્દ્ર અને જિનધર્મનો મહિમા જાણીને પણ મૂર્ખ
મિથ્યાભિમાનથી ગર્વિત બની ધર્મથી પરાઙમુખ રહે છે. જે અજ્ઞાની આ લોકના સુખમાં
અનુરાગી થયો છે તે બાળક સમાન અવિવેકી છે. જેમ બાળક સમજ્યા વિના અભક્ષ્યનું
ભક્ષણ કરે છે, વિષપાન કરે છે તેમ મૂઢ અયોગ્ય આચરણ કરે છે. જે વિષયના અનુરાગી
છે તે પોતાનું બુરું કરે છે. જીવોના કર્મબંધની વિચિત્રતા છે, તેથી બધા જ જ્ઞાનના
અધિકારી નથી. કેટલાક મહાભાગ્યે જ્ઞાન પામે છે અને કેટલાક જ્ઞાન પ્રાપ્ત કરીને બીજી
વસ્તુની વાંછાથી અજ્ઞાનદશા પામે છે. કેટલાક મહાનિંદ્ય સંસારી જીવોના માર્ગની રુચિ કરે
છે. તે માર્ગદોષથી ભરેલા છે, જેમા વિષયકષાયની બહુલતા છે. જિનશાસન સમાન બીજો
કોઈ દુઃખમુક્તિનો માર્ગ નથી, તેથી હે વિભીષણ! તું આનંદભર્યા ચિત્તે જિનેશ્વરદેવનું
અર્ચન કર. આ પ્રમાણે ધનદત્તનો જીવ મનુષ્યમાંથી દેવ, દેવમાંથી મનુષ્ય થઈ નવમા ભવે
રામચંદ્ર થયો. તેની વિગત પહેલા ભવમાં ધનદત્ત, બીજા ભવમાં પહેલા સ્વર્ગનો દેવ,
ત્રીજા ભવમાં પદ્મરુચિ શેઠ, ચોથા ભવમાં બીજા સ્વર્ગનો દેવ, પાંચમા ભવમાં નયનાનંદ
રાજા, છઠ્ઠા ભવમાં ચોથા સ્વર્ગનો દેવ, સાતમા ભવમાં