
પૂર્ણપર્યાય કેવી મહાન છે તેને નિર્ણયમાં લ્યે તો રાગાદિ પરભાવોથી પરિણતિ
છ્રૂટી પડી જાય, ને સ્વભાવસન્મુખ પરિણમન પ્રગટે.–તે જ અપૂર્વ મંગળ છે.
હવે મારું જ્ઞાન રાગમાં કેમ અટકે? તે રાગને કેમ ભજે? તે તો રાગથી છૂટું પડીને
પરમ વીતરાગ એવા મોક્ષમાર્ગમાં પરિણમે છે.
ભગવાન વીરજિનને નમસ્કાર કરીને, હું શ્રુતકેવળી અને કેવળીભગવંતોએ કહેલું
આ નિયમસાર કહીશ. નિયમસારમાં મોક્ષનો માર્ગ અને તેનું ફળ બતાવીશ.
સમયસારની ટીકામાં પણ કેવળી અને શ્રુતકેવળી બંનેની વાત લીધી છે, ને અહીં
નિયમસારમાં તો મૂળસૂત્રમાં જ
દેખીને અને તેમની વાણી સાંભળીને આચાર્યદેવે આ સમયસાર–નિયમસાર વગેરે
પરમાગમોની રચના કરી છે. તે આત્માનું શુદ્ધસ્વરૂપ બતાવીને, તેના આશ્રયે
શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટ કરાવે છે.
(પોષસુદ એકમે) આ નિયમસાર વાંચવું શરૂ કર્યું ને બહારમાં પણ અંધારા ટળીને
આજે પ્રકાશ શરૂ થયો. (ભારત–પાક. યુદ્ધને કારણે બ્લેકઆઉટ–અંધારપટ થયેલ,
તેમાં વિજયપૂર્વક આજે અંધારપટ ખુલીને પ્રકાશ ચાલુ થયો; નિયમસાર પણ
આજે જ શરૂ થયું.) ચૈતન્યના પરાક્રમમાં વિક્રાંત એવા વીરનાથ જિને ચૈતન્યની
વીરતાવડે કર્મો ઉપર વિજય મેળવ્યો ને મોહાંધકાર દૂર કરીને કેવળજ્ઞાન પ્રકાશ
પ્રગટ કર્યો. આવા વિજેતા વીરનાથ વર્દ્ધમાન જિનેન્દ્ર મહા દેવાધિદેવ તીર્થંકર–
તેમને નમસ્કાર કરીએ છીએ.
ફળનું કથન જિનશાસનમાં છે. જુઓ, લોકો કહે છે કે જિનશાસનમાં કર્મનું ને
કર્મફળનું