Page 221 of 256
PDF/HTML Page 261 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
चरति, स खलु स्वकं चरितं चरति । एवं हि शुद्धद्रव्याश्रितमभिन्नसाध्यसाधनभावं निश्चय- नयमाश्रित्य मोक्षमार्गप्ररूपणम् । यत्तु पूर्वमुद्दिष्टं तत्स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्य- साधनभावं व्यवहारनयमाश्रित्य प्ररूपितम् । न चैतद्विप्रतिषिद्धं निश्चयव्यवहारयोः साध्यसाधन- भावत्वात्सुवर्णसुवर्णपाषाणवत् । अत एवोभयनयायत्ता पारमेश्वरी तीर्थप्रवर्तनेति ।।१५९।। નયના આશ્રયે મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરવામાં આવ્યું. અને જે પૂર્વે (૧૦૭ મી ગાથામાં) દર્શાવવામાં આવ્યું હતું તે ૧સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ૨ભિન્નસાધ્યસાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે ( – વ્યવહારનયની અપેક્ષાએ) પ્રરૂપવામાં આવ્યું હતું. આમાં પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી, કારણ કે સુવર્ણ અને ૩સુવર્ણપાષાણની માફક નિશ્ચય-વ્યવહારને સાધ્ય-સાધનપણું છે; તેથી જ પારમેશ્વરી ( – જિનભગવાનની) ૪તીર્થ- પ્રવર્તના ૫બંને નયોને આધીન છે. ૧૫૯.
૧. જે પર્યાયોમાં સ્વ તેમ જ પર કારણ હોય છે અર્થાત્ ઉપાદાનકારણ તેમ જ નિમિત્તકારણ હોય
૨. જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન હોય ( – જુદાં પ્રરૂપવામાં આવે) તે અહીં વ્યવહારનય છે;
૩. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણપાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહારનયથી સુવર્ણપાષાણ
સુવર્ણનું સાધન છે, તેમ વ્યવહારનયથી વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગનું સાધન છે; એટલે કે વ્યવહારનયથી ભાવલિંગી મુનિને સવિકલ્પ દશામાં વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન, તત્ત્વાર્થજ્ઞાન અને મહાવ્રતાદિરૂપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતાં શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનાનુષ્ઠાનનાં સાધન છે. ૪. તીર્થ = માર્ગ (અર્થાત્ મોક્ષમાર્ગ); ઉપાય (અર્થાત્ મોક્ષનો ઉપાય); ઉપદેશ; શાસન. ૫. જિનભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં, નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ
Page 222 of 256
PDF/HTML Page 262 of 296
single page version
૨૨
અન્વયાર્થઃ — [ धर्मादिश्रद्धानं सम्यक्त्वम् ] ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ, [ अङ्गपूर्वगतम् ज्ञानम् ] અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને [ तपसि चेष्टा चर्या ] તપમાં ચેષ્ટા ( – પ્રવૃત્તિ) તે ચારિત્ર; — [ इति ] એ પ્રમાણે [ व्यवहारः मोक्षमार्गः ] વ્યવહારમોક્ષમાર્ગ છે.
ઉત્તરઃ — જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવાયોગ્ય છે કે — જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ સત્યાર્થ નિરૂપણ માની વસ્તુસ્વરૂપને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’. હવે, ‘છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે’ — એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે ‘જે શુદ્ધિના સદ્ભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભ વિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’. આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’, તો એ ઉપચરિત નિરૂપણ છે. આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘મહાવ્રતાદિના શુભ વિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’.
Page 223 of 256
PDF/HTML Page 263 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तत्त्वार्थश्रद्धानभावस्वभावं भावान्तरं श्रद्धानाख्यं सम्यक्त्वं, तत्त्वार्थश्रद्धाननिर्वृत्तौ सत्यामङ्ग- पूर्वगतार्थपरिच्छित्तिर्ज्ञानम्, आचारादिसूत्रप्रपञ्चितविचित्रयतिवृत्तसमस्तसमुदयरूपे तपसि चेष्टा चर्या — इत्येषः स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्यसाधनभावं व्यवहारनयमाश्रित्यानुगम्यमानो मोक्षमार्गः कार्तस्वरपाषाणार्पितदीप्तजातवेदोवत्समाहितान्तरङ्गस्य प्रतिपदमुपरितनशुद्धभूमिकासु परमरम्यासु विश्रान्तिमभिन्नां निष्पादयन्, जात्यकार्तस्वरस्येव शुद्धजीवस्य कथञ्चिद्भिन्न- साध्यसाधनभावाभावात्स्वयं शुद्धस्वभावेन विपरिणममानस्यापि, निश्चयमोक्षमार्गस्य साधन- भावमापद्यत इति ।।१६०।।
ટીકાઃ — નિશ્ચયમોક્ષમાર્ગના સાધન તરીકે, પૂર્વોદ્દિષ્ટ (૧૦૭મી ગાથામાં ઉલ્લેખવામાં આવેલા) વ્યવહારમોક્ષમાર્ગનો આ નિર્દેશ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ત્યાં, (છ) દ્રવ્યરૂપ અને (નવ) પદાર્થરૂપ જેમના ભેદો છે એવાં ધર્માદિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ ભાવ ( – ધર્માસ્તિકાયાદિની તત્ત્વાર્થપ્રતીતિરૂપ ભાવ) જેનો સ્વભાવ છે એવો, ‘શ્રદ્ધાન’ નામનો ભાવવિશેષ તે સમ્યક્ત્વ; તત્ત્વાર્થશ્રદ્ધાનના સદ્ભાવમાં અંગપૂર્વગત પદાર્થોનું અવબોધન ( – જાણવું) તે જ્ઞાન; આચારાદિ સૂત્રો વડે કહેવામાં આવેલા અનેકવિધ મુનિ-આચારોના સમસ્ત સમુદાયરૂપ તપમાં ચેષ્ટા ( – પ્રવર્તન) તે ચારિત્ર; — આવો આ, સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ભિન્ન- સાધ્યસાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે ( – વ્યવહારનયની અપેક્ષાએ) અનુસરવામાં આવતો મોક્ષમાર્ગ, સુવર્ણપાષાણને લગાડવામાં આવતા પ્રદીપ્ત અગ્નિની માફક, *સમાહિત અંતરંગવાળા જીવને (અર્થાત્ જેનું અંતરંગ એકાગ્ર — સમાધિપ્રાપ્ત છે એવા જીવને) પદે પદે પરમ રમ્ય એવી ઉપરની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ ( – અભેદરૂપ સ્થિરતા) નિપજાવતો થકો — જોકે ઉત્તમ સુવર્ણની માફક શુદ્ધ જીવ કથંચિત્ ભિન્નસાધ્યસાધનભાવના અભાવને લીધે સ્વયં (પોતાની મેળે) શુદ્ધ સ્વભાવે પરિણમે છે તોપણ — નિશ્ચયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે.
ભાવાર્થઃ — જેને અંતરંગમાં શુદ્ધિનો અંશ પરિણમ્યો છે તે જીવને તત્ત્વાર્થશ્રદ્ધાન, *સમાહિત = એકાગ્ર; એકતાને પામેલ; અભેદતાને પ્રાપ્ત; છિન્નભિન્નતા રહિત; સમાધિપ્રાપ્ત; શુદ્ધ; પ્રશાંત.
Page 224 of 256
PDF/HTML Page 264 of 296
single page version
૨૨
णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा । ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति ।।१६१।।
સુવર્ણની જેમ અભિન્નસાધ્યસાધનભાવને લીધે સ્વયમેવ શુદ્ધભાવરૂપ પરિણમન હોય છે
તોપણ, વ્યવહારનયથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે.
[અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિનું અંતરંગ લેશ પણ સમાહિત નહિ હોવાથી અર્થાત્ તેને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે) શુદ્ધિનો અંશ પણ પરિણમ્યો નહિ હોવાથી તેને વ્યવહારમોક્ષમાર્ગ પણ નથી.] ૧૬૦.
અન્વયાર્થઃ — [ यः आत्मा ] જે આત્મા [ तैः त्रिभिः खलु समाहितः ] એ ત્રણ વડે ખરેખર સમાહિત થયો થકો (અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર વડે ખરેખર એકાગ્ર — અભેદ થયો થકો) [ अन्यत् किञ्चित् अपि ] અન્ય કાંઈ પણ [ न करोति न मुञ्चति ] કરતો નથી કે છોડતો નથી, [ सः ] તે [ निश्चयनयेन ] નિશ્ચયનયથી [ मोक्षमार्गः इति भणितः ] ‘મોક્ષમાર્ગ’ કહેવામાં આવ્યો છે. ૧. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં પંચમગુણસ્થાનવર્તી ગૃહસ્થને પણ વ્યવહારમોક્ષમાર્ગ
છે; ચારિત્ર, તપોધનોને આચારાદિ ચરણગ્રંથોમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પ્રમત્ત-અપ્રમત્ત
ગુણસ્થાનયોગ્ય પંચમહાવ્રત-પંચસમિતિ-ત્રિગુપ્તિ-ષડાવશ્યકાદિરૂપ હોય છે અને ગૃહસ્થોને
ઉપાસકાધ્યયનગ્રંથમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પંચમગુણસ્થાનયોગ્ય દાન-શીલ-પૂજા-ઉપવાસાદિરૂપ
અથવા દાર્શનિક-વ્રતિકાદિ અગિયાર સ્થાનરૂપ (
Page 225 of 256
PDF/HTML Page 265 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मोक्षमार्गः । अथ खलु कथञ्चनानाद्यविद्याव्यपगमाद्वयवहारमोक्षमार्गमनुप्रपन्नो धर्मादि- तत्त्वार्थाश्रद्धानाङ्गपूर्वगतार्थाज्ञानातपश्चेष्टानां धर्मादितत्त्वार्थश्रद्धानाङ्गपूर्वगतार्थज्ञानतपश्चेष्टानाञ्च त्यागोपादानाय प्रारब्धविविक्तभावव्यापारः, कुतश्चिदुपादेयत्यागे त्याज्योपादाने च पुनः प्रवर्तितप्रतिविधानाभिप्रायो, यस्मिन्यावति काले विशिष्टभावनासौष्ठववशात्सम्यग्दर्शन-
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે સમાહિત થયેલો આત્મા જ જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે.
હવે (વિસ્તાર એમ છે કે), આ આત્મા ખરેખર કથંચિત્ ( – કોઈ પ્રકારે, નિજ ઉદ્યમથી) અનાદિ અવિદ્યાના નાશ દ્વારા વ્યવહારમોક્ષમાર્ગને પામ્યો થકો, ધર્માદિસંબંધી તત્ત્વાર્થ-અશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી અજ્ઞાનના અને અતપમાં ચેષ્ટાના ત્યાગ અર્થે તથા ધર્માદિસંબંધી તત્ત્વાર્થશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી જ્ઞાનના અને તપમાં ચેષ્ટાના ગ્રહણ અર્થે ( – ત્રણના ત્યાગ અર્થે તથા ત્રણના ગ્રહણ અર્થે) ૧વિવિક્ત ભાવરૂપ વ્યાપાર કરતો થકો, વળી કોઈ કારણે ગ્રાહ્યનો ત્યાગ થઈ જતાં અને ત્યાજ્યનું ગ્રહણ થઈ જતાં તેના ૨પ્રતિવિધાનનો અભિપ્રાય કરતો થકો, જે કાળે અને જેટલા કાળ સુધી ૩વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવને લીધે સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે ૪અંગ-અંગીભાવે પરિણતિ ૧. વિવિક્ત = વિવેકથી જુદા તારવેલા (અર્થાત્ હેય અને ઉપાદેયનો વિવેક કરીને વ્યવહારે ઉપાદેય
કારણે ઉપાદેય ભાવોનો ( – વ્યવહારે ગ્રાહ્ય ભાવોનો) ત્યાગ થઈ જતાં અને ત્યાજ્ય ભાવોનું ઉપાદાન
અર્થાત્ ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્ચિત્તાદિ વિધાન પણ હોય છે.] ૨. પ્રતિવિધાન = પ્રતિકાર કરવાની વિધિ; પ્રતિકારનો ઉપાય; ઇલાજ. ૩. વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવ = ખાસ સારી ભાવના (
ભાવના. ૪. આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે અંગ. પં. ૨૯
Page 226 of 256
PDF/HTML Page 266 of 296
single page version
૨૨
ज्ञानचारित्रैः स्वभावभूतैः सममङ्गाङ्गिभावपरिणत्या तत्समाहितो भूत्वा त्यागोपादान- विकल्पशून्यत्वाद्विश्रान्तभावव्यापारः सुनिष्प्रकम्पः अयमात्मावतिष्ठते, तस्मिन् तावति काले अयमेवात्मा जीवस्वभावनियतचरितत्वान्निश्चयेन मोक्षमार्ग इत्युच्यते । अतो निश्चय- व्यवहारमोक्षमार्गयोः साध्यसाधनभावो नितरामुपपन्न इति ।।१६१।। વડે ૧તેમનાથી સમાહિત થઈને, ત્યાગગ્રહણના વિકલ્પથી શૂન્યપણાને લીધે (ભેદાત્મક) ભાવરૂપ વ્યાપાર વિરામ પામવાથી (અર્થાત્ ભેદભાવરૂપ – ખંડભાવરૂપ વ્યાપાર અટકી જવાથી) સુનિષ્કંપપણે રહે છે, તે કાળે અને તેટલા કાળ સુધી આ જ આત્મા જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી ‘મોક્ષમાર્ગ’ કહેવાય છે. આથી, નિશ્ચયમોક્ષમાર્ગ અને ૨વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે.
ભાવાર્થઃ — નિશ્ચયમોક્ષમાર્ગ નિજ શુદ્ધાત્માની રુચિ, જ્ઞપ્તિ અને નિશ્ચળ અનુભૂતિરૂપ છે. તેનો સાધક (અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગનું વ્યવહારસાધન) એવો જે ભેદરત્નત્રયાત્મક વ્યવહારમોક્ષમાર્ગ તેને જીવ કથંચિત્ ( – કોઈ પ્રકારે, નિજ ઉદ્યમથી) પોતાના સંવેદનમાં આવતી અવિદ્યાની વાસનાના વિલય દ્વારા પામ્યો થકો, જ્યારે ગુણસ્થાનરૂપ સોપાનના ક્રમ પ્રમાણે નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવનાથી ઉત્પન્ન નિત્યાનંદ- લક્ષણવાળા સુખામૃતના રસાસ્વાદની તૃપ્તિરૂપ પરમ કળાના અનુભવને લીધે નિજ- શુદ્ધાત્માશ્રિત નિશ્ચયદર્શનજ્ઞાનચારિત્રરૂપે અભેદપણે પરિણમે છે, ત્યારે નિશ્ચયનયથી ભિન્ન સાધ્ય-સાધનના અભાવને લીધે આ આત્મા જ મોક્ષમાર્ગ છે. માટે એમ ઠર્યું કે સુવર્ણ અને સુવર્ણપાષાણની માફક નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધકપણું (
૧. તેમનાથી = સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ૨. અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે જીવ વ્યવહારમોક્ષમાર્ગને પણ અનાદિ અવિદ્યાનો નાશ કરીને
જોઈએ કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુભ વિકલ્પોને નહિ પણ છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુદ્ધિના અંશને
અને સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગને ખરેખર સાધન-સાધ્યપણું છે’. છઠ્ઠા ગુણસ્થાને વર્તતો
શુદ્ધિનો અંશ વધીને જ્યારે અને જેટલા કાળ સુધી ઉગ્ર શુદ્ધિને લીધે શુભ વિકલ્પોનો અભાવ
વર્તે છે ત્યારે અને તેટલા કાળ સુધી સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગ હોય છે.
Page 227 of 256
PDF/HTML Page 267 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
आत्मना जानाति — स्वपरप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यति — याथातथ्येनावलोकयते, स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानामभेदान्निश्चितो भवति ।
અન્વયાર્થઃ — [ यः ] જે (આત્મા) [ अनन्यमयम् आत्मानम् ] અનન્યમય આત્માને [ आत्मना ] આત્માથી [ चरति ] આચરે છે, [ जानाति ] જાણે છે, [ पश्यति ] દેખે છે, [ सः ] તે (આત્મા જ) [ चारित्रं ] ચારિત્ર છે, [ ज्ञानं ] જ્ઞાન છે, [ दर्शनम् ] દર્શન છે — [ इति ] એમ [ निश्चितः भवति ] નિશ્ચિત છે.
ટીકાઃ — આ, આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું પ્રકાશન છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાવ્યું છે).
જે (આત્મા) ખરેખર આત્માને — કે જે આત્મમય હોવાથી અનન્યમય છે તેને — આત્માથી આચરે છે અર્થાત્ ૧સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે ( – સ્વભાવનિયત અસ્તિત્વરૂપે પરિણમીને અનુસરે છે), (અનન્યમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત્ સ્વપરપ્રકાશકપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે અર્થાત્ યથાતથપણે અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે — એમ ૨કર્તા-કર્મ-કરણના ૧. સ્વભાવનિયત = સ્વભાવમાં અવસ્થિત; (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવમાં દ્રઢપણે રહેલ. [‘સ્વભાવનિયત
અસ્તિત્વ’ની વિશેષ સ્પષ્ટતા માટે ૧૫૪મી ગાથાની ટીકા જુઓ.] ૨. જ્યારે આત્મા આત્માને આત્માથી આચરે-જાણે-દેખે છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા
Page 228 of 256
PDF/HTML Page 268 of 296
single page version
૨૨
अतश्चारित्रज्ञानदर्शनरूपत्वाज्जीवस्वभावनियतचरितत्वलक्षणं निश्चयमोक्षमार्गत्वमात्मनो नितरामुपपन्नमिति ।।१६२।।
અભેદને લીધે નિશ્ચિત છે. આથી (એમ નક્કી થયું કે) ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપ હોવાને લીધે આત્માને જીવસ્વભાવનિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચયમોક્ષમાર્ગપણું અત્યંત ઘટે છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાનદર્શનરૂપ જીવસ્વભાવમાં દ્રઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચયમોક્ષમાર્ગ છે). ૧૬૨.
— આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.
અન્વયાર્થઃ — [ येन ] જેથી (આત્મા મુક્ત થતાં) [ सर्वं विजानाति ] સર્વને જાણે છે અને [ पश्यति ] દેખે છે, [ तेन ] તેથી [ सः ] તે [ सौख्यम् अनुभवति ] સૌખ્યને અનુભવે છે; — [ इति तद् ] આમ [ भव्यः जानाति ] ભવ્ય જીવ જાણે છે, [ अभव्यसत्त्वः न श्रद्धत्ते ] અભવ્ય જીવ શ્રદ્ધતો નથી.
ટીકાઃ — આ, સર્વ સંસારી આત્માઓ મોક્ષમાર્ગને યોગ્ય હોવાનું નિરાકરણ (નિષેધ) છે.
ખરેખર સૌખ્યનું કારણ સ્વભાવની ૧પ્રતિકૂળતાનો અભાવ છે. આત્માનો ‘સ્વભાવ’ ખરેખર દ્રશિ – જ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે. તે બન્નેને ૨વિષયપ્રતિબંધ હોવો તે ‘પ્રતિકૂળતા’ ૧.પ્રતિકૂળતા = વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપણું. ૨. વિષયપ્રતિબંધ = વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું. (દર્શન અને જ્ઞાનના વિષયમાં મર્યાદિતપણું
Page 229 of 256
PDF/HTML Page 269 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वभावः । तयोर्विषयप्रतिबन्धः प्रातिकूल्यम् । मोक्षे खल्वात्मनः सर्वं विजानतः पश्यतश्च तदभावः । ततस्तद्धेतुकस्यानाकुलत्वलक्षणस्य परमार्थसुखस्य मोक्षेऽनुभूति- रचलिताऽस्ति । इत्येतद्भव्य एव भावतो विजानाति, ततः स एव मोक्षमार्गार्हः । नैतदभव्यः श्रद्धत्ते, ततः स मोक्षमार्गानर्ह एवेति । अतः कतिपये एव संसारिणो मोक्षमार्गार्हा, न सर्व एवेति ।।१६३।।
છે. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે (અર્થાત્ મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે). તેથી ૧તેનો અભાવ જેનું કારણ છે એવા ૨અનાકુળતાલક્ષણવાળા પરમાર્થસુખની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે. — આ પ્રમાણે ભવ્ય જીવ જ ૩ભાવથી જાણે છે, તેથી તે જ મોક્ષમાર્ગને યોગ્ય છે; અભવ્ય જીવ એ પ્રમાણે શ્રદ્ધતો નથી, તેથી તે મોક્ષમાર્ગને અયોગ્ય જ છે.
આથી (એમ કહ્યું કે) કેટલાક જ સંસારીઓ મોક્ષમાર્ગને યોગ્ય છે, બધાય નહિ. ૧૬૩.
— સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.
અન્વયાર્થઃ — [ दर्शनज्ञानचारित्राणि ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ मोक्षमार्गः ] મોક્ષમાર્ગ છે [ इति ] તેથી [ सेवितव्यानि ] તેઓ સેવવાયોગ્ય છે — [ इदम् साधुभिः भणितम् ] એમ સાધુઓએ ૧. પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ૨. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનાકુળતા છે. ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં કહ્યું છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે
Page 230 of 256
PDF/HTML Page 270 of 296
single page version
૨૩૦
दर्शनज्ञानचारित्राणां कथञ्चिद्बन्धहेतुत्वोपदर्शनेन जीवस्वभावे नियतचरितस्य साक्षान्मोक्षहेतुत्वद्योतनमेतत् ।
अमूनि हि दर्शनज्ञानचारित्राणि कियन्मात्रयापि परसमयप्रवृत्त्या संवलितानि कृशानुसंवलितानीव घृतानि कथञ्चिद्विरुद्धकारणत्वरूढेर्बन्धकारणान्यपि भवन्ति । यदा तु समस्तपरसमयप्रवृत्तिनिवृत्तिरूपया स्वसमयप्रवृत्त्या सङ्गच्छन्ते, तदा निवृत्तकृशानुसंवलनानीव घृतानि विरुद्धकार्यकारणभावाभावात्साक्षान्मोक्षकारणान्येव કહ્યું છે; [ तैः तु ] પરંતુ તેમનાથી [ बन्धः वा ] બંધ પણ થાય છે અને [ मोक्षः वा ] મોક્ષ પણ થાય છે.
ટીકાઃ — અહીં, દર્શન-જ્ઞાન-ચારિત્રનું કથંચિત્ બંધહેતુપણું દર્શાવ્યું છે અને એ રીતે જીવસ્વભાવમાં નિયત ચારિત્રનું સાક્ષાત્ મોક્ષહેતુપણું પ્રકાશિત કર્યું છે.
આ દર્શન-જ્ઞાન-ચારિત્ર, જો થોડી પણ પરસમયપ્રવૃત્તિ સાથે મિલિત હોય તો, અગ્નિ સાથે મિલિત ઘીની માફક (અર્થાત્ ૧ઉષ્ણતાયુક્ત ઘીની જેમ), કથંચિત્ ૨વિરુદ્ધ કાર્યના કારણપણાની વ્યાપ્તિને લીધે બંધકારણો પણ છે. અને જ્યારે તેઓ (દર્શન-જ્ઞાન- ચારિત્ર), સમસ્ત પરસમયપ્રવૃત્તિથી નિવૃત્તિરૂપ એવી સ્વસમયપ્રવૃત્તિ સાથે સંયુક્ત હોય છે ત્યારે, જેને અગ્નિ સાથેનું મિલિતપણું નિવૃત્ત થયું છે એવા ઘીની માફક, વિરુદ્ધ કાર્યનો ૧. ઘી સ્વભાવે શીતળતાના કારણભૂત હોવા છતાં, જો તે થોડી પણ ઉષ્ણતાથી યુક્ત હોય તો,
૨. પરસમયપ્રવૃત્તિયુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રમાં કથંચિત્ મોક્ષરૂપ કાર્યથી વિરુદ્ધ કાર્યનું કારણપણું
ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે — જ્ઞાનીને જ્યારે શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રપર્યાય
આસ્રવ-બંધના કારણભૂત હોતો નથી, પરંતુ તે મિશ્રપર્યાયનો શુદ્ધ અંશ સંવર-નિર્જરા-મોક્ષના
કારણભૂત હોય છે અને અશુદ્ધ અંશ આસ્રવ-બંધના કારણભૂત હોય છે.]
Page 231 of 256
PDF/HTML Page 271 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भवन्ति । ततः स्वसमयप्रवृत्तिनाम्नो जीवस्वभावनियतचरितस्य साक्षान्मोक्षमार्गत्वमुपपन्न- मिति ।।१६४।।
કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત્ મોક્ષકારણો જ છે. માટે ‘સ્વસમયપ્રવૃત્તિ’ નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત્ મોક્ષમાર્ગપણું ઘટે છે.૧ ૧૬૪.
અન્વયાર્થઃ — [ शुद्धसम्प्रयोगात् ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [ दुःखमोक्षः भवति ] દુઃખમોક્ષ થાય છે [ इति ] એમ [ यदि ] જો [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ ज्ञानी ] જ્ઞાની [ मन्यते ] ૨માને, તો તે [ परसमयरतः जीवः ] પરસમયરત જીવ [ भवति ] છે. [‘અર્હંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ ક્રમે મોક્ષ થાય છે’ એવું જો અજ્ઞાનને લીધે ( – શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.]
સિદ્ધિના સાધનભૂત એવા અર્હંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી ૩અનુરંજિત ૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧મી ગાથા અને તેની તત્ત્વપ્રદીપિકા ટીકા
જુઓ. ૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો; આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો. ૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ.
Page 232 of 256
PDF/HTML Page 272 of 296
single page version
૨૩
शुद्धसम्प्रयोगः । अथ खल्वज्ञानलवावेशाद्यदि यावत् ज्ञानवानपि ततः शुद्धसम्प्रयो- गान्मोक्षो भवतीत्यभिप्रायेण खिद्यमानस्तत्र प्रवर्तते तदा तावत्सोऽपि रागलवसद्भावात्पर- समयरत इत्युपगीयते । अथ न किं पुनर्निरङ्कुशरागकलिकलङ्कितान्तरङ्गवृत्तिरितरो जन इति ।।१६५।।
ચિત્તવૃત્તિ તે અહીં ‘શુદ્ધસંપ્રયોગ’ છે. હવે, ૧અજ્ઞાનલવના આવેશથી જો જ્ઞાનવાન પણ ‘તે શુદ્ધસંપ્રયોગથી મોક્ષ થાય છે’ એવા અભિપ્રાય વડે ખેદ પામતો થકો તેમાં (શુદ્ધસંપ્રયોગમાં) પ્રવર્તે, તો ત્યાંસુધી તે પણ ૨રાગલવના સદ્ભાવને લીધે ૩‘પરસમયરત’ કહેવાય છે. તો પછી નિરંકુશ રાગરૂપ ક્લેશથી કલંકિત એવી અંતરંગ વૃત્તિવાળો ઇતર જન શું પરસમયરત ન કહેવાય? (અવશ્ય કહેવાય જ.)૪ ૧૬૫.
અન્વયાર્થઃ — [ अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય ૧. અજ્ઞાનલવ = જરાક અજ્ઞાન; અલ્પ અજ્ઞાન. ૨. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ. ૩. પરસમયરત = પરસમયમાં રત; પરસમયસ્થિત; પરસમય પ્રત્યે વલણવાળો; પરસમયમાં આસક્ત. ૪. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃ —
છેદનાર્થે જ્યારે પંચપરમેષ્ઠી પ્રત્યે ગુણસ્તવનાદિ ભક્તિ કરે છે, ત્યારે તે સૂક્ષ્મ પરસમયરૂપે પરિણત
વર્તતો થકો સરાગ સમ્યગ્દ્રષ્ટિ છે; અને જો તે પુરુષ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ,
તેને (શુદ્ધાત્મભાવનાને) છોડીને ‘શુભોપયોગથી જ મોક્ષ થાય છે’ એમ એકાંતે માને, તો તે સ્થૂલ
પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ થાય છે.
Page 233 of 256
PDF/HTML Page 273 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भोपयोगतामजहत् बहुशः पुण्यं बध्नाति, न खलु सकलकर्मक्षयमारभते । ततः सर्वत्र रागकणिकाऽपि परिहरणीया परसमयप्रवृत्तिनिबन्धनत्वादिति ।।१६६।।
( – અર્હંતાદિની પ્રતિમા), પ્રવચન ( – શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ [ बहुशः पुण्यं बध्नाति ] ઘણું પુણ્ય બાંધે છે, [ न खलु सः कर्मक्षयं करोति ] પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી.
ટીકાઃ — અહીં, પૂર્વોક્ત શુદ્ધસંપ્રયોગને ૧કથંચિત્ બંધહેતુપણું હોવાથી તેનું મોક્ષમાર્ગપણું ૨નિરસ્ત કર્યું છે (અર્થાત્ જ્ઞાનીને વર્તતો શુદ્ધસંપ્રયોગ નિશ્ચયથી બંધહેતુભૂત હોવાને લીધે તે મોક્ષમાર્ગ નથી એમ અહીં દર્શાવ્યું છે).
અર્હંતાદિ પ્રત્યે ભક્તિસંપન્ન જીવ, કથંચિત્ ૩‘શુદ્ધસંપ્રયોગવાળો’ હોવા છતાં પણ, ૪રાગલવ જીવતો (વિદ્યમાન) હોવાથી ‘શુભોપયોગીપણા’ને નહિ છોડતો થકો, ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ ખરેખર સકળ કર્મનો ક્ષય કરતો નથી. તેથી સર્વત્ર રાગની કણિકા પણ પરિહરવાયોગ્ય છે, કેમ કે તે પરસમયપ્રવૃત્તિનું કારણ છે. ૧૬૬.
૨.નિરસ્ત કરવું = ખંડિત કરવું; રદબાતલ કરવું; નિષિદ્ધ કરવું. ૩. સિદ્ધિના નિમિત્તભૂત એવા જે અર્હંતાદિ તેમના પ્રત્યેના ભક્તિભાવને પૂર્વે શુદ્ધસંપ્રયોગ કહેવામાં
આવ્યો છે. તેમાં ‘શુદ્ધ’ શબ્દ હોવા છતાં તે ‘શુભ’ ઉપયોગરૂપ રાગભાવ છે. [‘શુભ’ એવા અર્થમાં જેમ ‘વિશુદ્ધ’ શબ્દ કદાચિત્ વપરાય છે તેમ અહીં ‘શુદ્ધ’ શબ્દ વપરાયો છે.] ૪. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ. પં. ૩૦
Page 234 of 256
PDF/HTML Page 274 of 296
single page version
૨૩
निरुपरागशुद्धस्वरूपं स्वसमयं चेतयते । ततः स्वसमयप्रसिद्धयर्थं पिञ्जनलग्नतूलन्यासन्याय- मधिदधताऽर्हदादिविषयोऽपि क्रमेण रागरेणुरपसारणीय इति ।।१६७।।
અન્વયાર્થઃ — [ यस्य ] જેને [ परद्रव्ये ] પરદ્રવ્ય પ્રત્યે [ अणुमात्रः वा ] અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) [ रागः ] રાગ [ हृदये विद्यते ] હૃદયમાં વર્તે છે [ सः ] તે, [ सर्वागमधरः अपि ] ભલે સર્વઆગમધર હોય તોપણ, [ स्वकस्य समयं न विजानाति ] સ્વકીય સમયને જાણતો ( – અનુભવતો) નથી.
ટીકાઃ — અહીં, સ્વસમયની ઉપલબ્ધિના અભાવનો, રાગ એક હેતુ છે એમ પ્રકાશ્યું છે (અર્થાત્ સ્વસમયની પ્રાપ્તિના અભાવનું રાગ જ એક કારણ છે એમ અહીં દર્શાવ્યું છે).
જેને રાગરેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે તે, ભલે સમસ્ત સિદ્ધાંતસાગરનો પારંગત હોય તોપણ, ૧નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો ( – અનુભવતો) નથી. માટે, ‘૨પીંજણને ચોંટેલ રૂ’નો ન્યાય લાગુ પડતો હોવાથી, જીવે સ્વસમયની પ્રસિદ્ધિ અર્થે અર્હંતાદિવિષયક પણ રાગરેણુ ( – અર્હંતાદિ પ્રત્યેની પણ રાગરજ) ક્રમે દૂર કરવાયોગ્ય છે. ૧૬૭.
Page 235 of 256
PDF/HTML Page 275 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सत्यां बुद्धिप्रसरमन्तरेणात्मा न तं कथञ्चनापि धारयितुं शक्यते । बुद्धिप्रसरे च सति शुभस्याशुभस्य वा कर्मणो न निरोधोऽस्ति । ततो रागकलिविलासमूल एवायमनर्थसन्तान इति ।।१६८।।
અન્વયાર્થઃ — [ यस्य ] જે [ चित्तोद्भ्रामं विना तु ] (રાગના સદ્ભાવને લીધે) ચિત્તના ભ્રમણ વિનાનો [ आत्मानम् ] પોતાને [ धर्तुम् न शक्यम् ] રાખી શકતો નથી, [ तस्य ] તેને [ शुभाशुभकृतस्य कर्मणः ] શુભાશુભ કર્મનો [ रोधः न विद्यते ] નિરોધ નથી.
ટીકાઃ — આ, રાગલવમૂલક દોષપરંપરાનું નિરૂપણ છે (અર્થાત્ અલ્પ રાગ જેનું મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે).
અહીં (આ લોકમાં) ખરેખર અર્હંતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના હોતી નથી. રાગાદિપરિણતિ હોતાં, આત્મા ૧બુદ્ધિપ્રસાર વિનાનો ( – ચિત્તના ભ્રમણથી રહિત) પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં ( – ચિત્તનું ભ્રમણ હોતાં), શુભ વા અશુભ કર્મનો નિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું મૂળ રાગરૂપ ક્લેશનો વિલાસ જ છે.
ભાવાર્થઃ — અર્હંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું ભ્રમણ થાય છે; ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે. માટે આ અનર્થોની પરંપરાનું મૂળ કારણ રાગ જ છે.૨ ૧૬૮. ૧. બુદ્ધિપ્રસાર = વિકલ્પોનો ફેલાવો; વિકલ્પવિસ્તાર; ચિત્તનું ભ્રમણ; મનનું ભટકવું તે; મનની ચંચળતા. ૨. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવવિરચિત ટીકામાં નીચે પ્રમાણે વિવરણ કરવામાં આવ્યું છેઃ —
રોકાવાથી (અર્થાત્ બુદ્ધિપ્રસારનો નિરોધ નહિ થવાથી) શુભાશુભ કર્મનો સંવર થતો નથી; તેથી
Page 236 of 256
PDF/HTML Page 276 of 296
single page version
૨૩
मोक्षार्थिना कर्मबन्धमूलचित्तोद्भ्रान्तिमूलभूता रागाद्यनुवृत्तिरेकान्तेन निःशेषीकरणीया । निःशेषितायां तस्यां प्रसिद्धनैस्सङ्गयनैर्मम्यः शुद्धात्मद्रव्यविश्रान्तिरूपां पारमार्थिकीं
અન્વયાર્થઃ — [ तस्मात् ] માટે [ निवृत्तिकामः ] મોક્ષાર્થી જીવ [ निस्सङ्गः ] નિઃસંગ [ च ] અને [ निर्ममः ] નિર્મમ [ भूत्वा पुनः ] થઈને [ सिद्धेषु भक्तिं ] સિદ્ધોની ભક્તિ ( – શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) [ करोति ] કરે છે, [ तेन ] જેથી તે [ निर्वाणं प्राप्नोति ] નિર્વાણને પામે છે.
રાગાદિપરિણતિ હોતાં ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તનું ભ્રમણ હોતાં કર્મબંધ થાય છે એમ (પૂર્વે) કહેવામાં આવ્યું, તેથી મોક્ષાર્થીએ કર્મબંધનું મૂળ એવું જે ચિત્તનું ભ્રમણ તેના મૂળભૂત રાગાદિપરિણતિનો એકાંતે નિઃશેષ નાશ કરવાયોગ્ય છે. તેનો નિઃશેષ નાશ કરવામાં આવતાં, જેને ૨નિઃસંગતા અને ૩નિર્મમતા પ્રસિદ્ધ થઈ છે એવો તે જીવ શુદ્ધાત્મ- ૧. નિઃશેષ = સંપૂર્ણ; જરાય બાકી ન રહે એવો. ૨. નિઃસંગ આત્મતત્ત્વથી વિપરીત એવો જે બાહ્ય-અભ્યંતર પરિગ્રહ તેનાથી રહિત પરિણતિ તે
નિઃસંગતા છે. ૩. રાગાદિ-ઉપાધિરહિત ચૈતન્યપ્રકાશ જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વથી વિપરીત મોહોદય જેની
તે નિર્મમતા છે.
Page 237 of 256
PDF/HTML Page 277 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सिद्धभक्तिमनुबिभ्राणः प्रसिद्धस्वसमयप्रवृत्तिर्भवति । तेन कारणेन स एव निःशेषितकर्मबन्धः सिद्धिमवाप्नोतीति ।।१६९।।
अर्हदादिभक्तिरूपपरसमयप्रवृत्तेः साक्षान्मोक्षहेतुत्वाभावेऽपि परम्परया मोक्षहेतुत्वसद्भाव- द्योतनमेतत् । દ્રવ્યમાં વિશ્રાંતિરૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ ધરતો થકો ૧સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો હોય છે. તે કારણથી તે જ જીવ કર્મબંધનો નિઃશેષ નાશ કરી સિદ્ધિને પામે છે. ૧૬૯.
અન્વયાર્થઃ — [ संयमतपःसम्प्रयुक्तस्य ] સંયમતપસંયુક્ત હોવા છતાં, [ सपदार्थं तीर्थकरम् ] નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે [ अभिगतबुद्धेः ] જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને [ सूत्ररोचिनः ] સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને [ निर्वाणं ] નિર્વાણ [ दूरतरम् ] દૂરતર (વિશેષ દૂર) છે.
ટીકાઃ — અહીં, અર્હંતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો ૨સદ્ભાવ દર્શાવ્યો છે. ૧. સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો = જેને સ્વસમયમાં પ્રવૃત્તિ પ્રસિદ્ધ થઇ છે એવો. [જે જીવ
રાગાદિપરિણતિનો સંપૂર્ણ નાશ કરી નિઃસંગ અને નિર્મમ થયો છે તે પરમાર્થ-સિદ્ધભક્તિવંત જીવે સ્વસમયમાં પ્રવૃત્તિ સિદ્ધ કરી છે તેથી સ્વસમયપ્રવૃત્તિને લીધે તે જ જીવ કર્મબંધનો ક્ષય કરી મોક્ષને પામે છે, અન્ય નહિ.] ૨. ખરેખર તો એમ છે કે — જ્ઞાનીને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર પર્યાયમાં જે ભક્તિ-આદિરૂપ શુભ અંશ વર્તે
(મંદશુદ્ધિરૂપ) શુદ્ધ અંશ પરિણમે છે તે સંવરનિર્જરાનો અને (તેટલા અંશે) મોક્ષનો હેતુ છે. ખરેખર
આમ હોવા છતાં, શુદ્ધ અંશમાં રહેલા સંવર-નિર્જરા-મોક્ષહેતુત્વનો આરોપ તેની સાથેના ભક્તિ-
આદિરૂપ શુભ અંશમાં કરીને તે શુભ ભાવોને દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા સહિત
Page 238 of 256
PDF/HTML Page 278 of 296
single page version
૨૩
यः खलु मोक्षार्थमुद्यतमनाः समुपार्जिताचिन्त्यसंयमतपोभारोऽप्यसम्भावितपरम- वैराग्यभूमिकाधिरोहणसमर्थप्रभुशक्तिः पिञ्जनलग्नतूलन्यासन्यायेन नवपदार्थैः सहार्हदादि- रुचिरूपां परसमयप्रवृत्तिं परित्यक्तुं नोत्सहते, स खलु न नाम साक्षान्मोक्षं लभते किन्तु सुरलोकादिक्लेशप्राप्तिरूपया परम्परया तमवाप्नोति ।।१७०।।
જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તતો થકો, અચિંત્ય સંયમ- તપભાર સંપ્રાપ્ત કર્યો હોવા છતાં પરમવૈરાગ્યભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી ૧પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નહિ હોવાથી, ‘પીંજણને ચોંટેલ રૂ’ના ન્યાયે, નવ પદાર્થો તથા અર્હંતાદિની રુચિરૂપ (પ્રીતિરૂપ) પરસમયપ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી, તે જીવ ખરેખર સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પ્રાપ્તિરૂપ પરંપરા વડે તેને પ્રાપ્ત કરે છે. ૧૭૦.
મોક્ષહેતુ બિલકુલ પ્રગટ્યો જ નથી — વિદ્યમાન જ નથી ત્યાં પછી તેના ભક્તિ-આદિરૂપ શુભ
ભાવોમાં આરોપ કોનો કરવો?] ૧. પ્રભુશક્તિ = પ્રબળ શક્તિ; ઉગ્ર શક્તિ; પુષ્કળ શક્તિ. [જે જ્ઞાની જીવે પરમ ઉદાસીનતાને પ્રાપ્ત
છે અને તેમને દાન આપે છે તેમ) નિર્દોષ-પરમાત્મા તીર્થંકરપરમદેવોનાં અને ગણધરદેવ-ભરત-સગર-
રામ-પાંડવાદિ મહાપુરુષોનાં ચરિત્રપુરાણો શુભ ધર્માનુરાગથી સાંભળે છે તથા કદાચિત્ ગૃહસ્થ-
છે — ઇત્યાદિ શુભ ભાવો કરે છે. આ રીતે જે જ્ઞાની જીવ શુભ રાગને સર્વથા છોડી શકતો નથી, તે
Page 239 of 256
PDF/HTML Page 279 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तावन्मात्ररागकलिकलङ्कितस्वान्तः साक्षान्मोक्षस्यान्तरायीभूतं विषयविषद्रुमामोदमोहितान्तरङ्गं स्वर्गलोकं समासाद्य, सुचिरं रागाङ्गारैः पच्यमानोऽन्तस्ताम्यतीति ।।१७१।।
અન્વયાર્થઃ — [ यः ] જે (જીવ), [ अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય ( – અર્હંતાદિની પ્રતિમા) અને પ્રવચન ( – શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, [ परेण नियमेन ] પરમ સંયમ સહિત [ तपःकर्म ] તપકર્મ ( – તપરૂપ કાર્ય) [ करोति ] કરે છે, [ सः ] તે [ सुरलोकं ] દેવલોકને [ समादत्ते ] સંપ્રાપ્ત કરે છે.
ટીકાઃ — આ, માત્ર અર્હંતાદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત્ મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે.
જે (જીવ) ખરેખર અર્હંતાદિની ભક્તિને આધીન બુદ્ધિવાળો વર્તતો થકો ૧પરમસંયમપ્રધાન અતિતીવ્ર તપ તપે છે, તે (જીવ), માત્ર તેટલા રાગરૂપ ક્લેશથી જેનું નિજ અંતઃકરણ કલંકિત ( – મલિન) છે એવો વર્તતો થકો, વિષયવિષવૃક્ષના ૨આમોદથી જ્યાં અંતરંગ ( – અંતઃકરણ) મોહિત હોય છે એવા સ્વર્ગલોકને — કે જે સાક્ષાત્ મોક્ષને અંતરાયભૂત છે તેને — સંપ્રાપ્ત કરીને, સુચિરકાળ પર્યંત ( – ઘણા લાંબા કાળ સુધી) રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો અંદરમાં સંતપ્ત ( – દુઃખી, વ્યથિત) થાય છે. ૧૭૧.
૨. આમોદ = (૧) સુગંધ; (૨) મોજ.
Page 240 of 256
PDF/HTML Page 280 of 296
single page version
૨૪૦
सङ्गतमग्निमिव सुरलोकादिक्लेशप्राप्त्याऽत्यन्तमन्तर्दाहाय कल्पमानमाकलय्य साक्षान्मोक्षकामो महाजनः समस्तविषयमपि रागमुत्सृज्यात्यन्तवीतरागो भूत्वा समुच्छलज्ज्वलद्दुःखसौख्यकल्लोलं कर्माग्नितप्तकलकलोदभारप्राग्भारभयङ्करं भवसागरमुत्तीर्य, शुद्धस्वरूपपरमामृतसमुद्रमध्यास्य सद्यो निर्वाति ।।
અન્વયાર્થઃ — [ तस्मात् ] તેથી [ निर्वृत्तिकामः ] મોક્ષાભિલાષી જીવ [ सर्वत्र ] સર્વત્ર [ किञ्चित् रागं ] કિંચિત્ પણ રાગ [ मा करोतु ] ન કરો; [ तेन ] એમ કરવાથી [ सः भव्यः ] તે ભવ્ય જીવ [ वीतरागः ] વીતરાગ થઈ [ भवसागरं तरति ] ભવસાગરને તરે છે.
ટીકાઃ — આ, સાક્ષાત્મોક્ષમાર્ગના સાર-સૂચન દ્વારા શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર છે (અર્થાત્ અહીં સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર શો છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવારૂપ ઉપસંહાર કર્યો છે).
સાક્ષાત્મોક્ષમાર્ગમાં અગ્રેસર ખરેખર વીતરાગપણું છે. તેથી ખરેખર ૧અર્હંતાદિગત રાગને પણ, ચંદનવૃક્ષસંગત અગ્નિની માફક, દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે અત્યંત અંતર્દાહનું કારણ સમજીને, સાક્ષાત્ મોક્ષનો અભિલાષી મહાજન સઘળાય પ્રત્યેના રાગને છોડી, અત્યંત વીતરાગ થઈ, જેમાં બળબળતા દુઃખસુખના કલ્લોલો ઊછળે છે અને જે કર્માગ્નિ વડે તપ્ત, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને પાર ઊતરી, શુદ્ધસ્વરૂપ પરમામૃતસમુદ્રને અવગાહી, શીઘ્ર નિર્વાણને પામે છે.
— વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે. ૧. અર્હંતાદિગત રાગ = અર્હંતાદિ પ્રત્યેનો રાગ; અર્હંતાદિવિષયક રાગ; અર્હંતાદિનો રાગ. [જેમ
વડે અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે.]