Page -15 of 186
PDF/HTML Page 2 of 203
single page version
❀ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળાઃ પુષ્પ – ૧૩૪ ❀
Page -14 of 186
PDF/HTML Page 3 of 203
single page version
૧ થી ૭ આવૃત્તિઃ પ્રત ૪૭,૧૦૦ આઠમી આવૃત્તિઃ પ્રત ૨૦૦૦વીર સં. ૨૫૫૮વિ. સં. ૨૦૫૮ હિન્દી૧ થી ૫ આવૃત્તિઃ પ્રત ૪૧,૦૦૦ મરાઠીપહેલી આવૃત્તિઃ પ્રત ૧૦,૦૦૦ કન્નડપહેલી તથા બીજી આવૃત્તિઃ પ્રત ૨,૦૦૦
Page -12 of 186
PDF/HTML Page 5 of 203
single page version
भवारण्यभीमभ्रमीया सुकृ त्यैः ।
प्रदेयात् स मेऽनन्तक ल्याणबीजम् ।।
ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે;
આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા;
નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા,
સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા!
Page -11 of 186
PDF/HTML Page 6 of 203
single page version
Page -9 of 186
PDF/HTML Page 8 of 203
single page version
છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ
ભુલાય?
ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.
Page -8 of 186
PDF/HTML Page 9 of 203
single page version
મહા સુખસાગરનો સમ્યક્ માર્ગ પ્રાપ્ત કરાવનાર,
અતુલ મહિમાના ધારી, પરમોપકારી શ્રી ગુરુદેવનાં
ચરણકમળમાં પરમ ભક્તિથી નમસ્કાર, વારંવાર નમસ્કાર.
Page -7 of 186
PDF/HTML Page 10 of 203
single page version
‘બહેનશ્રીનાં વચનામૃત’ નામનું આ લઘુકાય પ્રકાશન પ્રશમમૂર્તિ નિજશુદ્ધાત્મદ્રષ્ટિસંપન્ન ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં અધ્યાત્મરસસભર પ્રવચનોમાંથી તેમનાં ચરણોપજીવી કેટલાંક કુમારિકા બ્રહ્મચારિણી બહેનોએ પોતાના લાભ માટે ઝીલેલાં — નોંધ કરેલાં વચનામૃતમાંથી ચૂંટેલા બોલનો સંગ્રહ છે.
પરમવીતરાગ સર્વજ્ઞદેવ ચરમતીર્થંકર પરમ પૂજ્ય શ્રી મહાવીરસ્વામીના દિવ્યધ્વનિ દ્વારા પુનઃ પ્રવાહિત થયેલા અનાદિનિધન અધ્યાત્મપ્રવાહને શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે ગુરુપરંપરાએ આત્મસાત્ કરી યુક્તિ, આગમ અને સ્વાનુભવમય નિજ વૈભવ વડે સૂત્રબદ્ધ કર્યો; અને એ રીતે સમયસાર વગેરે પરમાગમોની રચના દ્વારા તેમણે જિનેન્દ્રપ્રરૂપિત વિશુદ્ધ અધ્યાત્મતત્ત્વ પ્રકાશીને વીતરાગ માર્ગનો પરમ- ઉદ્યોત કર્યો છે. તેમનાં શાસનસ્તંભોપમ પરમાગમોની વિમલ વિભા દ્વારા નિજ શુદ્ધાત્માનુભૂતિમય જિનશાસનની મંગલ ઉપાસના કરી સાધક સંતો આજે પણ તે પુનિત માર્ગને પ્રકાશી રહ્યા છે.
પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીને વિ. સં. ૧૯૭૮માં ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર પરમાગમનો પાવન યોગ થયો. તેનાથી તેમના સુપ્ત આધ્યાત્મિક પૂર્વસંસ્કાર જાગૃત થયા, અંતઃચેતના વિશુદ્ધ આત્મતત્ત્વ સાધવા તરફ વળી — પરિણતિ શુદ્ધાત્માભિમુખી બની; અને તેમનાં પ્રવચનોની ઢબ અધ્યાત્મસુધાથી રસબસતી થઈ ગઈ.
જેમનાં તત્ત્વરસપૂર્ણ વચનામૃતોનો આ સંગ્રહ છે તે પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની આધ્યાત્મિક પ્રતિભાનો સંક્ષિપ્ત ઉલ્લેખ અત્રે આપવો ઉચિત
Page -6 of 186
PDF/HTML Page 11 of 203
single page version
લેખાશે. તેમને લઘુ વયમાં જ પૂજ્ય ગુરુદેવશ્રીની શુદ્ધાત્મસ્પર્શી વજ્રવાણીના શ્રવણનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેનાથી તેમને સમ્યક્ત્વ-આરાધનાના પૂર્વસંસ્કાર પુનઃ સાકાર થયા. તેમણે તત્ત્વમંથનના અંતર્મુખ ઉગ્ર પુરુષાર્થથી ૧૮ વર્ષની બાળાવયે નિજ શુદ્ધાત્મદેવના સાક્ષાત્કારને પામી નિર્મળ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. દિનોદિન વૃદ્ધિંગત ધારાએ વર્તતી તે વિમળ અનુભૂતિથી સદા પવિત્ર વર્તતું તેમનું જીવન, પૂજ્ય ગુરુદેવશ્રીની માંગલિક પ્રબળ પ્રભાવના-છાયામાં, મુમુક્ષુઓને પવિત્ર જીવનની પ્રેરણા આપી રહ્યું છે.
પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિજન્ય પવિત્રતાની છાપ પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં સર્વપ્રથમ ત્યારે ઊઠી કે જ્યારે સં. ૧૯૮૯માં રાજકોટ મધ્યે તેમને જાણ થઇ કે બહેનશ્રીને સમ્યગ્દર્શન તથા તજ્જન્ય નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રાપ્ત થઇ છે; જાણ થતાં તેમણે અધ્યાત્મવિષયક ઊંડા કસોટીપ્રશ્ન પૂછી બરાબર પરીક્ષા કરી; અને પરિણામે પૂજ્ય ગુરુદેવે સહર્ષ સ્વીકાર કરી પ્રમોદ વ્યક્ત કરતાં કહ્યુંઃ ‘બેન! તમારી દ્રષ્ટિ અને નિર્મળ અનુભૂતિ યથાર્થ છે.’
અસંગ આત્મદશાના પ્રેમી પૂજ્ય બહેનશ્રીને કદી પણ લૌકિક વ્યવહારના પ્રસંગોમાં રસ પડ્યો જ નથી. તેમનું અંતર્ધ્યેયલક્ષી જીવન સત્શ્રવણ, સ્વાધ્યાય, મંથન અને આત્મધ્યાનથી સમૃદ્ધ છે. આત્મ- ધ્યાનમયી વિમળ અનુભૂતિમાંથી ઉપયોગ બહાર આવતાં એક વાર (સં. ૧૯૯૩ના ચૈત્ર વદ આઠમના દિને) તેમને ઉપયોગની સ્વચ્છતામાં ભવાંતરો સંબંધી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન થયું. ધર્મ વિષેના ઘણા પ્રકારોની સ્પષ્ટતાનો
સાતિશય સ્મરણજ્ઞાન આત્મશુદ્ધિની સાથોસાથ ક્રમશઃ વધતું ગયું, જેની પુનિત પ્રભાથી પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ પ્રભાવના-ઉદયને ચમત્કારિક વેગ મળ્યો છે.
સહજ વૈરાગ્ય, શુદ્ધાત્મરસીલી ભગવતી ચેતના, વિશુદ્ધ આત્મધ્યાનના પ્રભાવથી પુનઃપ્રાપ્ત નિજ આરાધનાનો મંગલ દોર તથા
Page -5 of 186
PDF/HTML Page 12 of 203
single page version
જ્ઞાયકબાગમાં ક્રીડાશીલ વિમળ દશામાં સહજસ્ફુટિત અનેક ભવનું જાતિસ્મરણજ્ઞાન વગેરે વિવિધ આધ્યાત્મિક પવિત્ર વિશેષતાઓથી વિભૂષિત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અસાધારણ ગુણગંભીર વ્યક્તિત્વનો પરિચય આપતાં પૂજ્ય ગુરુદેવ સ્વયં પ્રસન્નહૃદયે ઘણી વાર પ્રકાશે છે કેઃ —
‘‘બહેનોનાં મહાન ભાગ્ય છે કે ચંપાબેન જેવાં ‘ધર્મરત્ન’ આ કાળે પાક્યાં છે. બેન તો હિંદુસ્તાનનું અણમોલ રતન છે. અતીન્દ્રિય આનંદનો નાથ એને અંદરથી જાગ્યો છે. એમની અંદરની સ્થિતિ કોઇ જુદી જ છે. તેમની સુદ્રઢ નિર્મળ આત્મદ્રષ્ટિ તથા નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો જોટો આ કાળે મળવો મુશ્કેલ છે.....અસંખ્ય અબજો વર્ષનું તેમને જાતિસ્મરણજ્ઞાન છે. બેન ધ્યાનમાં બેસે છે ત્યારે કેટલીક વાર તે અંદરમાં ભૂલી જાય છે કે ‘હું મહાવિદેહમાં છું કે ભરતમાં’!!.....બેન તો પોતાની અંદરમાં
બહારની બીજી કાંઇ પડી નથી. પ્રવૃત્તિનો તેમને જરાય રસ નથી. એમની બહારમાં પ્રસિદ્ધિ થાય તે એમને પોતાને બિલકુલ ગમતું નથી. પણ અમને એવો ભાવ આવે છે કે, બેન ઘણાં વર્ષ ગુપ્ત રહ્યાં, હવે લોકો બેનને ઓળખે.....’’ — આવા વાત્સલ્યોર્મિભર્યા ભાવોદ્ગાર ભરેલી પૂજ્ય ગુરુદેવની મંગળ વાણીમાં જેમનો આધ્યાત્મિક પવિત્ર મહિમા સભા વિષે અનેક વાર પ્રસિદ્ધ થયો છે તે પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં, તેમણે મહિલા- શાસ્ત્રસભામાં ઉચ્ચારેલાં — તેમની અનુભવધારામાંથી વહેલાં — આત્માર્થપોષક વચનો લિપિબદ્ધ થાય તો ઘણા મુમુક્ષુ જીવોને મહાન આત્મલાભનું કારણ થાય, એવી ઉત્કટ ભાવના ઘણા સમયથી સમાજનાં ઘણાં ભાઈ-બહેનોને વર્તતી હતી. એ શુભ ભાવનાને સાકાર કરવામાં, કેટલાંક બ્રહ્મચારિણી બહેનોએ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પ્રવચનધારામાંથી પોતાને ખાસ લાભ થાય એવાં વચનામૃતની જે નોંધ કરેલી તે ઉપયોગી થઈ છે. તે નોંધમાંથી આ અમૂલ્ય વચનામૃતસંગ્રહ
Page -4 of 186
PDF/HTML Page 13 of 203
single page version
તૈયાર થયો છે. જેમની નોંધ અત્રે ઉપયોગી થઈ છે તે બહેનો અભિનંદનીય છે.
પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી વહેલી પ્રવચનધારામાંથી ઝિલાયેલાં અમૃતબિંદુઓના આ લઘુ સંગ્રહની તાત્ત્વિક વસ્તુ અતિ ઉચ્ચ કોટિની છે. તેમાં આત્માર્થપ્રેરક અનેક વિષયો આવી ગયા છે. ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ; આત્માની લગની લાગે તો જરૂર માર્ગ હાથ આવે; જ્ઞાનીની સહજ પરિણતિ; અશરણ સંસારમાં વીતરાગ દેવ-ગુરુ-ધર્મનું જ શરણ; સ્વભાવપ્રાપ્તિ માટે યથાર્થ ભૂમિકાનું સ્વરૂપ; મોક્ષમાર્ગમાં પ્રારંભથી માંડી પૂર્ણતા સુધી પુરુષાર્થની જ મહત્તા; દ્રવ્યદ્રષ્ટિ અને સ્વાનુભૂતિનું સ્વરૂપ તથા તેનો ચમત્કારિક મહિમા; ગુરુભક્તિનો તથા ગુરુદેવની ભવાન્તકારિણી વાણીનો અદ્ભુત મહિમા; મુનિદશાનું અંતરંગ સ્વરૂપ તથા તેનો મહિમા; નિર્વિકલ્પદશા
મહિમા; શુદ્ધાશુદ્ધ સમસ્ત પર્યાયો વિરહિત સામાન્ય દ્રવ્યસ્વભાવ તે દ્રષ્ટિનો વિષય; જ્ઞાનીને ભક્તિ-શાસ્ત્રસ્વાધ્યાય આદિ પ્રસંગોમાં જ્ઞાતૃત્વધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે; અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે; શુદ્ધ શાશ્વત ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે; — વગેરે વિવિધ અનેક વિષયોનું સાદી છતાં અસરકારક સચોટ ભાષામાં સુંદર નિરૂપણ થયું છે.
અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલજી જૈને આ પુસ્તકનું સુંદર મુદ્રણ બહુ અલ્પ સમયમાં કરી આપ્યું છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
આ પુસ્તકની પડતર કિંમત લગભગ સાત રૂપિયા થાય છે, પરંતુ અનેક મુમુક્ષુઓએ ઉત્સાહપૂર્વક દાનનો પ્રવાહ વહેવડાવ્યો હોવાથી તેની કિંમત ઘટાડીને ત્રણ રૂપિયા રાખવામાં આવી છે.
આ પુસ્તકના પ્રકાશન ખાતે આવેલી રકમોમાંથી બચેલી રકમ તેની બીજી આવૃત્તિની કિંમત ઘટાડવાના ઉપયોગમાં લેવામાં આવશે.
Page -3 of 186
PDF/HTML Page 14 of 203
single page version
અંતમાં, અમને આશા છે કે અધ્યાત્મરસિક જીવો પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિરસધારામાંથી વહેલાં આ આત્મસ્પર્શી વચનામૃત દ્વારા આત્માર્થની પ્રબળ પ્રેરણા પામી પોતાના સાધનાપથને સુધાસ્યંદી બનાવશે. દ્વિ. શ્રાવણ વદ ૨, સં. ૨૦૩૩ (પૂ. બહેનશ્રીની ૬૪મી જન્મજયંતી)
આ ગુજરાતી ‘બહેનશ્રીનાં વચનામૃત’ ગ્રંથની સાતમી આવૃત્તિ ખપી જવાથી તેની ફરી આઠમી આવૃત્તિ છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના. વિ. સં. ૨૦૫૮, કારતક સુદી-૧૫, તા. ૩૦-૧૧-૨૦૦૧
Page -2 of 186
PDF/HTML Page 15 of 203
single page version
સત્ય છે એમ ગુરુદેવે યુક્તિ-ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, આત્માનું શુદ્ધ સ્વરૂપ, સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ, મોક્ષમાર્ગ ઇત્યાદિ બધું તેઓશ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્યરૂપે બહાર આવ્યું છે. ગુરુદેવની શ્રુતની ધારા કોઇ જુદી જ છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે. પ્રવચનમાં કેટલું ઘોળી ઘોળીને કાઢે છે! તેઓશ્રીના પ્રતાપે આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદ્ભાગ્ય છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે. તેમનાં ચરણકમળની સેવા હૃદયમાં વસી રહો.’’ — બહેનશ્રી ચંપાબેન
Page -1 of 186
PDF/HTML Page 16 of 203
single page version
સાંધી આરાધનદોર, સમ્યક્ તત્ત્વ લહ્યું.
અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી.
હો શિવપદ તક તુજ સંગ, માતા! હાથ ગ્રહો.
Page 1 of 186
PDF/HTML Page 18 of 203
single page version
હે જીવ! તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું છે. આત્મામાં આનંદ ભર્યો છે; ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ. ૧.
અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. આત્માની લગની લાગવી જોઈએ; તેની પાછળ લાગવું જોઈએ. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન-રાત સતત
Page 2 of 186
PDF/HTML Page 19 of 203
single page version
૨
પ્રયત્ન કરવો જોઈએ. ‘મારું હિત કેમ થાય?’, ‘હું આત્માને કઈ રીતે જાણું?’ — એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે. ૨.
જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે — આત્મામાં એકધારું પરિણમન વર્ત્યા જ કરે છે. ૩.
જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રુંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. ૪.
અહો! આ અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું જ છે. આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું. આવા અશરણ
Page 3 of 186
PDF/HTML Page 20 of 203
single page version
સંસારમાં દેવ-ગુરુ-ધર્મનું જ શરણ છે. પૂજ્ય ગુરુદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય — એ જ જીવનમાં કરવા જેવું છે. ૫.
સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય. ‘સ્વભાવ’ શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઊતરી જાય, રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો. યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. ૬.
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે રુચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. ૭.
અત્યારે પૂજ્ય ગુરુદેવની વાતને ગ્રહણ કરવા ઘણા જીવો તૈયાર થઈ ગયા છે. ગુરુદેવને વાણીનો યોગ પ્રબળ છે, શ્રુતની ધારા એવી છે કે લોકોને અસર કરે ને