Alochana (Gujarati).

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

 

Page -2 of 24
PDF/HTML Page 1 of 27
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈન શાસ્ત્રમાળા, પુષ્પ-૨૦૦
શ્રી પદ્મનંદિઆચાર્યવિરચિતા
આલોચના
ઃ અનુવાદકઃ
સ્વ. શ્રી હરિલાલ જીવરાજભાઈ ભાયાણી
ભાવનગર (સૌરાષ્ટ્ર)
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
અગીયારમી આવૃત્તિ ઈ. સ. ૨૦૧૧ પ્રતઃ ૩૦૦૦
કિંમતઃ ૪-૦૦

Page -1 of 24
PDF/HTML Page 2 of 27
single page version

background image
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેમની સમ્યક્
અનેકાંતમય તત્ત્વજ્ઞાનથી સઘાન શીતળ છાયામાં અનેક
ભવ્ય જીવ સનાતન સત્ય જૈન માર્ગકલ્યાણ માર્ગને
પાત્ર થયા છે, થાય છે અને થશે. જેમના
પવિત્ર ગુણોનું વર્ણન કરવાને હું અસમર્થ
છું. જિજ્ઞાસુ જીવોને અપૂર્વ જિજ્ઞાસા
જાગ્રત થવામાં શુદ્ધાત્મબોધાની પ્રાપ્તિ
થવામાં મહાન ઉપકારી, અધયાત્મ-
યોગી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીના કર
કમળમાં વિનમ્રભાવે
સમર્પણ.
સેવક
હરિલાલ ભાયાણીભાદ્ર સુ. ૫વીર નિર્વાણ સં. ૨૪૮૭
શ્રી આલોચના (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
શ્રીમતી સુધાબેન રમણિકલાલ શાહ, લંડન


Page 1 of 24
PDF/HTML Page 4 of 27
single page version

background image
શ્રી પદ્મનંદિ આચાર્ય વિરચિતા
પદ્મનંદિપંચવિંશતિકામાંથી
આલોચના અધિાકારનો
હિન્દી પરથી ગુજરાતી અનુવાદ
શ્રી પદ્મનંદિ આચાર્યદેવ આદિમંગળથી
આલોચના અધિાકારની શરુઆત કરે છે :
૧. અર્થ :હે જિનેશ ! હે પ્રભો ! જો સજ્જનોનું
મન, આંતર તથા બાહ્ય મળરહિત થઈને તત્ત્વસ્વરૂપ તથા
વાસ્તવિક આનંદના નિધાન એવા આપનો આશ્રય કરે, જો
તેમના ચિત્તમાં આપના નામના સ્મરણરૂપ અનંત પ્રભાવશાળી
મહામંત્ર મોજૂદ હોય અને આપ દ્વારા પ્રગટ થયેલ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જો તેમનું
આચરણ હોય તો તે સજ્જનોને ઇચ્છિત વિષયની પ્રાપ્તિમાં
વિઘ્ન શેનું હોય ? અર્થાત્ ન હોય.
ભાવાર્થ :જો સજ્જનોના મનમાં આપનું ધ્યાન હોય
તથા આપના નામ-સ્મરણરૂપ મહામંત્ર મોજૂદ હોય અને તેઓ
મોક્ષમાર્ગમાં ગમન કરવાવાળા હોય તો તેમને અભીષ્ટની
પ્રાપ્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવી શકતું નથી.

Page 2 of 24
PDF/HTML Page 5 of 27
single page version

background image
હવે આચાર્યદેવ સ્તુતિ દ્વારા ‘દેવ કોણ હોઇ
શકે તથા કેવળજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ કેવો હોય’ તે
વર્ણવે છે :
૨. અર્થ :હે જિનેંદ્રદેવ ! સંસારના ત્યાગ અર્થે
પરિગ્રહરહિતપણું, રાગરહિતપણું, સમતા, સર્વથા કર્મોનો
નાશ અને અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય સહિત
સમસ્ત લોકાલોકને પ્રકાશનારું કેવળજ્ઞાન એવો ક્રમ આપને જ
પ્રાપ્ત થયો હતો, પરંતુ આપથી અન્ય કોઈ દેવને એ ક્રમ
પ્રાપ્ત થયો નથી, તેથી આપ જ શુદ્ધ છો અને આપના
ચરણોની સેવા સજ્જન પુરુષોએ કરવી યોગ્ય છે.
ભાવાર્થ :હે ભગવાન ! આપે જ સંસારથી મુક્ત
થવા અર્થે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો છે તથા રાગભાવને
છોડ્યો છે અને સમતાને ધારણ કરી છે તથા અનંત વિજ્ઞાન,
અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આપને જ પ્રગટ
થયાં છે, તેથી આપ જ શુદ્ધ અને સજ્જનોની સેવાને પાત્ર
છો.
સેવાનો દ્રઢ નિશ્ચય અને પ્રભુ-સેવાનું માહાત્મ્ય :
અર્થ :હે ત્રૈલોક્યપતે ! આપની સેવામાં જો મારો દ્રઢ
નિશ્ચય છે તો મને અત્યંત બળવાન સંસારરૂપ વૈરીને જીતવો
કાંઈ મુશ્કેલ નથી, કેમ કે જે મનુષ્યને જળવૃષ્ટિથી હર્ષજનક
૧. વીતરાગ ભાવ.

Page 3 of 24
PDF/HTML Page 6 of 27
single page version

background image
ઉત્તમ ફુવારાસહિત ઘર પ્રાપ્ત થાય તો તે પુરુષને જેઠ માસનો
પ્રખર મધ્યાહ્ન
તાપ શું કરી શકે તેમ છે ? અર્થાત્ કાંઈ કરી
શકે નહિ.
ભાવાર્થ :હે ત્રણ લોકના ઈશ ! જેમ શીતળ જળ વડે
ઊડતા ફુવારાથી સુશોભિત ઉત્તમ ઘરમાં બેઠેલા પુરુષને જેઠ
માસની બપોરની અત્યંત ગરમી પણ કાંઈ કરી શકે નહિ તેમ
હું નિશ્ચયપૂર્વક આપની સેવામાં દ્રઢપણે સ્થિત છું, તો મને
બળવાન સંસારરૂપ વૈરી પણ જરાય ત્રાસ આપી શકે નહિ.
ભેદજ્ઞાન દ્વારા સાધાકદશા:
૪. અર્થ :આ પદાર્થ સારરૂપ છે અને આ પદાર્થ
અસારરૂપ છે. એ પ્રકારે સારાસારની પરીક્ષામાં એકચિત્ત થઈ,
જે કોઈ બુદ્ધિમાન મનુષ્ય ત્રણે લોકના સમસ્ત પદાર્થોનો,
અબાધિત ગંભીર દ્રષ્ટિથી વિચાર કરે છે, તો તે પુરુષની દ્રષ્ટિમાં
હે ભગવાન ! આપ જ એક સારભૂત પદાર્થ છો અને આપથી
ભિન્ન સમસ્ત પદાર્થો અસારભૂત જ છે. અતઃ આપના
આશ્રયથી જ મને પરમ સંતોષ થયો છે.
હવે આચાર્યદેવ ‘પૂર્ણ સાધય’ વર્ણવે છે:
૫. અર્થ :હે જિનેશ્વર ! સમસ્ત લોકાલોકને એક
સાથે જાણનારું આપનું જ્ઞાન છે, સમસ્ત લોકાલોકને એક
સાથે દેખનારું આપનું દર્શન છે, આપને અનંત સુખ અને
અનંત બળ છે તથા આપની પ્રભુતા પણ નિર્મલતર છે, વળી

Page 4 of 24
PDF/HTML Page 7 of 27
single page version

background image
આપનું શરીર દેદીપ્યમાન છે; તેથી જો યોગીશ્વરોએ સમ્યક્
યોગરૂપ નેત્ર દ્વારા આપને પ્રાપ્ત કરી લીધા તો તેઓએ શું
ન જાણી લીધું ? શું ન દેખી લીધું ? તથા તેઓએ શું ન
પ્રાપ્ત કરી લીધું ? અર્થાત્ સર્વ કરી લીધું.
ભાવાર્થ :જો યોગીશ્વરોએ પોતાની ઉત્કૃષ્ટ યોગ-
દ્રષ્ટિથી અનંત ગુણસંપન્ન આપને જોઈ લીધા તો તેઓએ
સર્વ દેખી લીધું, સર્વ જાણી લીધું અને સર્વ પ્રાપ્ત કરી લીધું.
પૂર્ણની પ્રાપ્તિનું પ્રયોજન :
૬. અર્થ :હે જિનેંદ્ર ! આપને જ હું ત્રણ લોકના
સ્વામી માનું છું, આપને જ જિન અર્થાત્ અષ્ટ કર્મોના
વિજેતા તથા મારા સ્વામી માનું છું, માત્ર આપને જ
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સદા આપનું જ ધ્યાન કરું છું,
આપની જ સેવા અને સ્તુતિ કરું છું અને કેવળ આપને જ
મારું શરણ માનું છું. અધિક શું કહેવું ? જો કંઈ સંસારમાં
પ્રાપ્ત થાઓ તો એ થાઓ કે આપના સિવાય અન્ય કોઈ પણ
સાથે મારે પ્રયોજન ન રહે.
ભાવાર્થ :હે ભગવાન ! આપ સાથે જ મારે
પ્રયોજન રહે અને આપથી ભિન્ન અન્યથી મારે કોઈ પ્રકારનું
પ્રયોજન ન રહે, એટલી વિનયપૂર્વક પ્રાર્થના છે.
૧. શ્રી તીર્થંકર પ્રભુનું શરીર પરમ ઔદારિક અને સ્ફટિક રત્ન
જેવું નિર્મળ હોઈને દેદીપ્યમાન હોય છે. ૨. શ્રદ્ધાજ્ઞાન.

Page 5 of 24
PDF/HTML Page 8 of 27
single page version

background image
હવે આચાર્યદેવ ‘આલોચના’નો આરંભ કરે
છે :
૭. અર્થ :હે જિનેશ્વર ! મેં ભ્રાંતિથી મન, વચન અને
કાયા દ્વારા ભૂતકાલમાં અન્ય પાસે પાપ કરાવ્યાં છે, સ્વયં કર્યાં
છે અને પાપ કરનારા અન્યોને અનુમોદ્યાં છે તથા તેમાં મારી
સંમતિ આપી છે. વળી વર્તમાનમાં હું મન, વચન અને કાયા
દ્વારા અન્ય પાસે પાપ કરાવું છું, સ્વયં પાપ કરું છું અને પાપ
કરનારા અન્યોને અનુમોદું છું, તેમ જ ભવિષ્યકાલમાં હું મન,
વચન અને કાયા દ્વારા અન્ય પાસે પાપ કરાવીશ, સ્વયં પાપ
કરીશ અને પાપ કરનારા અન્યોને અનુમોદીશ
તે સમસ્ત
પાપની આપની પાસે બેસી જાતે નિંદાગર્હા કરનાર એવો હું
તેના સર્વ પાપ સર્વથા મિથ્યા થાઓ.
ભાવાર્થ :હે જિનેશ્વર ! ભૂત, વર્તમાન, ભવિષ્ય
ત્રણે કાળમાં જે પાપો મેં મન-વચન-કાયા દ્વારા કારિત, કૃત
અને અનુમોદનથી ઉપાર્જન કર્યાં છે, હું કરું છું અને કરીશ
એ સમસ્ત પાપોનો અનુભવ કરી હું આપની સમક્ષ સ્વનિંદા
કરું છું; માટે મારા તે સમસ્ત પાપો સર્વથા મિથ્યા થાઓ.
આચાર્યદેવ ‘પ્રભુની અનંત જ્ઞાન-દર્શન શકિત
વર્ણવતાં આત્મ-શુદ્ધિ અર્થે આત્મનિંદા કરે છે :
૮. અર્થ :હે જિનેંદ્ર! જો આપ ભૂત, ભવિષ્ય,
વર્તમાન ત્રિકાળગોચર અનંત પર્યાયોયુક્ત લોકાલોકને સર્વત્ર

Page 6 of 24
PDF/HTML Page 9 of 27
single page version

background image
એક સાથે જાણો છો તથા દેખો છો, તો હે સ્વામિન્ ! મારા
એક જન્મના પાપોને શું આપ નથી જાણતા ? અર્થાત્
અવશ્યમેવ આપ જાણો છો; તેથી હું આત્મનિંદા કરતો કરતો
આપની પાસે સ્વદોષોનું કથન (આલોચન) કરું છું; અને તે
કેવળ શુદ્ધિ અર્થે જ કરું છું.
ભાવાર્થ :હે ભગવાન ! જો આપ અનંત ભેદસહિત
લોક તથા અલોકને એકસાથે જાણો છો અને દેખો છો તો
આપ મારા સમસ્ત દોષોને પણ સારી રીતે જાણતા જ હો.
વળી હું આપની સામે નિજ દોષોનું કથન (આલોચન) કરું
છું. તે કેવળ આપને સંભળાવવા માટે નહિ, કિંતુ શુદ્ધિ અર્થે
જ કરું છું.
હવે આચાર્યદેવ ભવ્ય જીવોને તેમના
આત્માને ત્રણ શલ્ય રહિત રાખવાનો બોધા આપે
છે :
૯. અર્થ :હે પ્રભો ! વ્યવહાર નયનો આશ્રય
કરનાર અથવા મૂલગુણ તથા ઉત્તરગુણોને ધારણ કરનાર
મારા જેવા મુનિને જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે, તે
દૂષણની શુદ્ધિઅર્થે આલોચના કરવાને આપની સામે
સાવધાનીપૂર્વક બેઠો છું, કેમ કે જ્ઞાનવાન ભવ્ય જીવોએ સદા
પોતાના હૃદય માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય
ત્રણ શલ્ય રહિત જ રાખવા જોઈએ.

Page 7 of 24
PDF/HTML Page 10 of 27
single page version

background image
સ્વભાવની સાવધાાની :
૧૦. અર્થ :હે ભગવાન ! આ સંસારમાં સર્વ જીવ
વારંવાર અસંખ્યાત લોકપ્રમાણ પ્રગટ તથા અપ્રગટ નાના
પ્રકારના
વિકલ્પો સહિત હોય છે. વળી એ જીવ જેટલા
પ્રકારના વિકલ્પો સહિત છે. તેટલા જ વિવિધ પ્રકારના દુઃખો
સહિત પણ છે, પરંતુ જેટલા વિકલ્પો છે તેટલા પ્રાયશ્ચિત્તો
શાસ્ત્રમાં નથી; તેથી તે સમસ્ત અસંખ્યાત લોકપ્રમાણ વિકલ્પોની
શુદ્ધિ આપની સમીપે જ થાય છે.
ભાવાર્થ :યદ્યપિ દૂષણોની શુદ્ધિ પ્રાયશ્ચિત્ત કરવાથી
થાય છે, કિંતુ હે જિનપતે ! જેટલાં દૂષણો છે તેટલાં પ્રાયશ્ચિત્તો
શાસ્ત્રમાં કહ્યાં નથી; તેથી સમસ્ત દૂષણોની શુદ્ધિ આપની સમીપે
જ થાય છે.
પરથી પરાઙ્ગમુખ થઇ સ્વની પ્રાપ્તિ :
૧૧. અર્થ :હે દેવ ! સર્વ પ્રકારના પરિગ્રહરહિત,
સમસ્ત શાસ્ત્રોનો જ્ઞાતા, ક્રોધાદિ કષાયરહિત, શાંત, એકાંતવાસી
ભવ્ય જીવ, બધા બાહ્ય પદાર્થોથી મન તથા ઇન્દ્રિયોને પાછા
હઠાવી અને અખંડ નિર્મળ સમ્યગ્જ્ઞાનની મૂર્તિરૂપ આપમાં સ્થિર
થઈ, આપને જ દેખે છે તે મનુષ્ય આપના સાંનિધ્ય (સમીપતા)
ને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ :જ્યાં સુધી મન તથા ઇન્દ્રિયના વ્યાપાર
૧. વિકલ્પો=શુભ, અશુભ ભાવો.

Page 8 of 24
PDF/HTML Page 11 of 27
single page version

background image
બાહ્ય પદાર્થોમાં જોડાયેલા રહે છે ત્યાં સુધી કોઈપણ મનુષ્ય
આપના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી; પરંતુ જે મનુષ્ય
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લે છે તે
વાસ્તવિકપણે આપના સ્વરૂપને દેખી અને જાણી શકે છે,
માટે જે મનુષ્ય સમસ્ત પ્રકારના પરિગ્રહોથી રહિત થઈ,
શાસ્ત્રોના સારી રીતે જ્ઞાતા થઈ, શાંત અને એકાંતવાસી થઈ,
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લઈ અને
તેમને આપના સ્વરૂપમાં જોડી દઈ આપને જોઈ લીધા છે,
તે મનુષ્યે આપના સમીપપણાને પ્રાપ્ત કર્યું છે, એમ સારી
રીતે નિશ્ચિત છે.
સ્વભાવની એકાગ્રતાથી ઉત્તમપદમોક્ષની
પ્રાપ્તિ :
૧૨. અર્થ :હે અર્હંત્ પ્રભુ ! પૂર્વ ભવમાં કષ્ટથી
સંચય કરેલ મહા પુણ્યથી જે મનુષ્ય, ત્રણ લોકના પૂજાર્હ
(પૂજાને યોગ્ય) આપને પામ્યો છે તે મનુષ્યને, બ્રહ્મા, વિષ્ણુ
આદિને પણ નિશ્ચયપૂર્વક અલભ્ય એવું ઉત્તમ પદ પ્રાપ્ત થાય
છે. હે નાથ ! હું શું કરું ? આપનામાં એક ચિત્ત કર્યા છતાં
મારું મન પ્રબળપણે બાહ્ય પદાર્થો પ્રત્યે દોડે છે, એ મોટો
ખેદ છે.
ભાવાર્થ :હે ભગવાન ! જે મનુષ્યે આપને પ્રાપ્ત
કર્યા છે તે મનુષ્યને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે. સ્વયં
બ્રહ્મા, વિષ્ણુ પણ તે પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ હે

Page 9 of 24
PDF/HTML Page 12 of 27
single page version

background image
જિનેંદ્ર ! આ સર્વ વાત જાણતાં છતાં અને મારું ચિત્ત
આપનામાં લગાડતાં છતાં પણ બાહ્ય પદાર્થોમાં દોડી-દોડી
જાય છે, એ જ મોટો ખેદ છે.
મોક્ષાર્થે વીર્યનો વેગ :
૧૩. અર્થ :હે જિનેશ ! આ સંસાર નાના પ્રકારના
દુઃખો દેનાર છે. જ્યારે વાસ્તવિક સુખનો આપનાર તો મોક્ષ
છે, તેથી તે મોક્ષની પ્રાપ્તિ અર્થે અમે સમસ્ત ધન, ધાન્ય આદિ
પરિગ્રહોનો ત્યાગ કર્યો, તપોવન (તપથી પવિત્ર થયેલી ભૂમિ)માં
વાસ કર્યો, સર્વ પ્રકારના સંશય પણ છોડ્યા અને અત્યંત કઠિન
વ્રત પણ ધારણ કર્યા, હજી સુધી તેવાં દુષ્કર વ્રતો ધારણ કર્યા
છતાં પણ સિદ્ધિ (મોક્ષ)ની પ્રાપ્તિ ન થઈ, કેમ કે પ્રબળ પવનથી
કંપાયેલા પાંદડાની માફક અમારું મન રાત્રિ-દિવસ બાહ્ય
પદાર્થોમાં ભ્રમણ કરતું રહે છે.
મનને સંસારનું કારણ જાણી પશ્ચાત્તાપ :
૧૪. અર્થ :હે ભગવાન ! જે મન, બાહ્ય પદાર્થોને
મનોહર માની તેમની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ભટક્યા કરે છે,
જે જ્ઞાનસ્વરૂપી આત્માને વિના પ્રયોજને સદા અત્યંત વ્યાકુલ
કર્યા કરે છે, જે ઇન્દ્રિયરૂપ ગામને વસાવે છે (અર્થાત્ આ
મનની કૃપાથી જ ઇન્દ્રિયોની વિષયોમાં સ્થિતિ થાય છે) અને
જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર છે, (અર્થાત્ મન
૧. મોક્ષ=આત્માની સંપૂર્ણ નિર્મળ દશા.

Page 10 of 24
PDF/HTML Page 13 of 27
single page version

background image
આત્મારૂપ ગૃહમાં કર્મોને સદા લાવે છે), તે મન, જ્યાં સુધી
જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ
હોઈ શકે ! અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે નહિ.
ભાવાર્થ :જ્યાં સુધી આત્મામાં કર્મોનું આવાગમન
રહ્યાં જ કરે છે ત્યાં સુધી આત્મા સદા વ્યાકુળ જ થતો રહે
છે. તે કર્મ આત્મામાં મન દ્વારા આવે છે; કેમ કે મનના
આશ્રયથી ઇન્દ્રિયો, રૂપ આદિ દેખવામાં પ્રવૃત્ત થાય છે અને
રૂપ આદિને દેખી જીવ રાગ-દ્વેષ આદિ ઉત્પન્ન કરે છે, ત્યારે
તેને જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મોની ઉત્પત્તિ થાય છે; તેથી તે
કર્મોના સંબંધથી આત્મા સદા વ્યાકુળ જ રહે છે અને જ્યારે
આત્મા જ વ્યાકુળ રહે ત્યારે મુનિઓને કલ્યાણની પ્રાપ્તિ પણ
ક્યાંથી હોઈ શકે ? માટે મન જ કલ્યાણને રોકનારું છે.
મોહના નાશ માટે પ્રાર્થના :
૧૫. અર્થ :મારું મન, નિર્મળ તથા શુદ્ધ અખંડ
જ્ઞાનસ્વરૂપ આપમાં લગાવ્યાં છતાં પણ, મૃત્યુ તો આવવાનું જ
છે એવા વિકલ્પ વડે, આપથી અન્ય બાહ્ય સમસ્ત પદાર્થો
તરફ નિરંતર ઘૂમ્યા કરે છે. હે સ્વામિન્ ! તો શું કરવું ? કેમ
કે આ જગતમાં, મોહવશાત્ કોને મૃત્યુનો ભય નથી ? સર્વને
છે, માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો
કરનાર તથા અહિત કરનાર મારા મોહને નષ્ટ કરો.
ભાવાર્થ :જ્યાં સુધી મોહનો સંબંધ આત્માની સાથે

Page 11 of 24
PDF/HTML Page 14 of 27
single page version

background image
રહેશે ત્યાં સુધી મારું ચિત્ત, બાહ્ય પદાર્થોમાં ઘૂમ્યા કરશે અને
જ્યાં સુધી ચિત્ત ઘૂમતું રહેશે ત્યાં સુધી આત્મામાં સદા કર્મોનું
આવાગમન પણ રહ્યા કરશે. આ પ્રકારે તો આત્મા સદા વ્યાકુળ
જ રહ્યા કરશે, માટે હે ભગવાન ! આ નાના પ્રકારના અનર્થો
કરનાર મારા મોહને સર્વથા નષ્ટ કરો કે જેથી મારા આત્માને
શાંતિ થાય.
સર્વ કર્મોમાં મોહ જ બળવાન છે, એમ
આચાર્ય દર્શાવે છે :
૧૬. અર્થ :જ્ઞાનાવરણ આદિ સમસ્ત કર્મોમાં મોહ-
કર્મ જ અત્યંત બળવાન કર્મ છે. એ મોહના પ્રભાવથી આ મન
જ્યાં ત્યાં ચંચળ બની ભ્રમણ કરે છે અને મરણથી ડરે છે. જો
આ મોહ ન હોય તો નિશ્ચયનય પ્રમાણે ન તો કોઈ જીવે યા
ન તો કોઈ મરે, કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું
છે, તે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જ દેખ્યું છે. દ્રવ્યાર્થિક
નયની અપેક્ષાએ નહિ, તેથી હે જિનેંદ્ર ! આ મારા મોહને જ
સર્વથા નષ્ટ કરો.
પર સંયોગ અધા્રુવ જાણી તેનાથી ખસી, એક
ધા્રુવ આત્મસ્વભાવમાં સ્થિત થવાની ભાવના :
૧૭. અર્થ :વાયુથી વ્યાપ્ત સમુદ્રની ક્ષણિક જળ-
લહરીઓના સમૂહ સમાન, સર્વ કાળે તથા સર્વ ક્ષેત્રે આ જગત
૧. મોહ=મોહ પ્રત્યેનું વલણ.

Page 12 of 24
PDF/HTML Page 15 of 27
single page version

background image
ક્ષણ માત્રમાં વિનાશી છે. એવો સમ્યક્ પ્રકારે વિચાર કરી, આ
મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર વ્યાપાર (પ્રવૃત્તિ)થી
રહિત થઈ, હે જિનેંદ્ર ! આપના નિર્વિકાર પરમાનંદમય
પરબ્રહ્મસ્વરૂપમાં સ્થિત થવાને ઇચ્છા કરે છે.
શુભ, અશુભ ઉપયોગથી ખસી શુદ્ધ
ઉપયોગમાં નિવાસની ભાવના :
૧૮. અર્થ :જે સમયે અશુભ ઉપયોગ વર્તે છે તે
સમયે તો પાપની ઉત્પત્તિ થાય છે અને તે પાપથી જીવ નાના
પ્રકારના દુઃખોને અનુભવે છે, જે સમયે શુભ ઉપયોગ વર્તે છે
તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે; અને તે પુણ્યથી જીવને
સુખ
પ્રાપ્ત થાય છે. એ બંને પાપ-પુણ્યરૂપ દ્વન્દ્વ સંસારનું જ કારણ
છે. અર્થાત્ એ બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે, કિંતુ
શુદ્ધોપયોગથી અવિનાશી અને આનંદસ્વરૂપ પદની પ્રાપ્તિ થાય
છે. હે અર્હંત પ્રભો ! આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા
છો, પણ હું એ શુદ્ધોપયોગરૂપ પદમાં નિવાસ કરવાને ઇચ્છું છું.
ભાવાર્થ :ઉપયોગના ત્રણ ભેદ છે, પહેલો અશુભોપ-
યોગ, બીજો શુભોપયોગ અને ત્રીજો શુદ્ધોપયોગ. તેમાં પહેલાં
બે ઉપયોગથી તો સંસારમાં જ ભટકવું પડે છે; કેમ કે જે સમયે
જીવનો ઉપયોગ અશુભ હશે તે સમયે તેને પાપનો બંધ થશે
અને પાપનો બંધ થવાથી તેને નાના પ્રકારની માઠી ગતિઓમાં
૧. અનુકૂળ સંયોગ.

Page 13 of 24
PDF/HTML Page 16 of 27
single page version

background image
ભ્રમણ કરવું પડશે અને જે સમયે ઉપયોગ શુભ હશે તે સમયે
તે શુભ યોગની કૃપાથી તેને રાજા, મહારાજા આદિ પદોની
પ્રાપ્તિ થશે; તેથી તે પણ સંસારને વધારનાર છે. કિંતુ, જે સમયે
તેને શુદ્ધોપયોગની પ્રાપ્તિ થશે તે સમયે સંસારની પ્રાપ્તિ જ થશે
નહિ, પણ નિર્વાણની પ્રાપ્તિ જ થશે; માટે હે ભગવાન! હું
શુદ્ધોપયોગમાં જ સ્થિત રહેવાને ઇચ્છું છું.
આત્મસ્વરુપનું નાસ્તિથી અને અસ્તિથી
વર્ણન :
૧૯. અર્થ :જે આત્મસ્વરૂપ-જ્યોતિ, નથી તો સ્થિત
અંદર કે નથી સ્થિત બાહ્ય, તથા નથી તો સ્થિત દિશામાં કે નથી
સ્થિત વિદિશામાં; તેમ જ નથી સ્થૂલ કે નથી સૂક્ષ્મ; તે
આત્મજ્યોતિ નથી તો પુલ્લિંગ, નથી સ્ત્રીલિંગ કે નથી નપુંસક-લિંગ
પણ; વળી તે નથી ભારે કે નથી હલકો; તે જ્યોતિ કર્મ, સ્પર્શ,
શરીર, ગંધ, સંખ્યા, વચન, વર્ણથી રહિત છે, નિર્મળ છે અને
સમ્યગ્જ્ઞાનદર્શનસ્વરૂપ મૂર્તિ છે; તે ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ હું છું,
કિંતુ તે ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપ-જ્યોતિથી હું ભિન્ન નથી.
ત્રિકાળી આત્માની શકિત :
૨૦. અર્થ :હે ભગવાન ! ચૈતન્યની ઉન્નતિનો નાશ
કરનાર અને વિના કારણે સદા વૈરી એવા દુષ્ટ કર્મે આપમાં અને
મારામાં ભેદ પાડ્યો છે, પરંતુ કર્મશૂન્ય અવસ્થામાં જેવો
આપનો આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ સમયે તે કર્મ

Page 14 of 24
PDF/HTML Page 17 of 27
single page version

background image
અને હું આપની સામે ખડા છીએ, તેથી તે દુષ્ટ કર્મને હઠાવી
દૂર કરો; કેમ કે નીતિમાન પ્રભુઓનો તો એ ધર્મ છે કે તે
સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો નાશ કરે.
ભાવાર્થ :હે ભગવાન ! જેવો અનંતજ્ઞાનદર્શન
સુખવીર્ય આદિ ગુણસ્વરૂપ આપનો આત્મા છે તેવો જ
તે જ ગુણો સહિતમારો આત્મા પણ છે, પરંતુ ભેદ એટલો
જ છે કે આપને તે ગુણોનિર્મળ અંશો પ્રગટ થઈ ગયા છે,
જ્યારે મને તે ગુણો પ્રકટ્યા નથી. આ ભેદ પાડનાર તે જ
કર્મ છે, કેમ કે તે કર્મની કૃપાથી મારા આ સ્વભાવ પર
આવરણ પડ્યું છે. હવે આ સમયે અમે બંને આપની સમક્ષ
હાજર છીએ તો તે દુષ્ટ કર્મને દૂર કરો, કેમ કે આપ ત્રણ
લોકના સ્વામી છો; અને નીતિજ્ઞનો ધર્મ છે કે તે સજ્જનોની
રક્ષા કરે તથા દુષ્ટોનો નાશ કરે.
આત્માનું અવિકારી સ્વરુપ :
૨૧. અર્થ :હે ભગવાન ! વિવિધ પ્રકારના આકાર
અને વિકાર કરનાર વાદળાં આકાશમાં હોવા છતાં પણ, જેમ
આકાશના સ્વરૂપનો કાંઈપણ ફેરફાર કરી શકતાં નથી, તેમ
આધિ, વ્યાધિ, જરા, મરણ આદિ પણ મારા સ્વરૂપનો
કાંઈપણ ફેરફાર કરી શકે તેમ નથી, કેમ કે એ સર્વ શરીરના
વિકાર છે, જડ છે; જ્યારે મારો આત્મા જ્ઞાનવાન અને
શરીરથી ભિન્ન છે.
ભાવાર્થ :જેમ આકાશ અમૂર્ત છે, તેથી રંગબેરંગી

Page 15 of 24
PDF/HTML Page 18 of 27
single page version

background image
વાદળાં તેના પર પોતાનો કાંઈપણ પ્રભાવ પાડી શકતાં નથી
તથા તેના સ્વરૂપનું પરિવર્તન પણ કરી શકતાં નથી, તેમ
આત્મા જ્ઞાન-દર્શનમય અમૂર્ત પદાર્થ છે, તેથી તેના પર
આધિ, વ્યાધિ, જરા, મરણ આદિ પોતાનાં કાંઈપણ પ્રભાવ
પાડી શકતા નથી (તથા તેના સ્વરૂપનું પરિવર્તન પણ કરી
શકતાં નથી), કેમકે તે મૂર્ત શરીરનો ધર્મ છે, જ્યારે આત્મા
શરીરથી સર્વથા ભિન્ન છે.
સ્વમાં સુખને પરમાં દુઃખ :
૨૨. અર્થ :જેમ માછલી પાણી વિનાની ભૂમિ પર
પડતાં તરફડી દુઃખી થાય છે, તેમ હું પણ (આપની શીતલ
છાયા વિના), નાના પ્રકારના દુઃખોથી ભરપૂર સંસારમાં સદા
બળી ઝળી રહું છું. જેમ તે માછલી જ્યારે જળમાં રહે છે
ત્યારે સુખી રહે છે તેમ જ્યાં સુધી મારું મન આપના
કરુણારસપૂર્ણ અત્યંત શીતલ ચરણોમાં પ્રવિષ્ટ (પ્રવેશેલું) રહે
છે ત્યાં સુધી હું પણ સુખી રહું છું, તેથી હે નાથ ! મારું
મન આપના ચરણ કમળો છોડી અન્ય સ્થળે કે જ્યાં હું
દુઃખી થાઉં ત્યાં પ્રવેશ ન કરે એ પ્રાર્થના છે.
આત્મા અને કર્મની ભિન્નતા :
૨૩. અર્થ :હે ભગવાન ! મારું મન, ઇન્દ્રિયોના
સમૂહદ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ કરે છે, તેથી નાના
પ્રકારના કર્મો આવી મારા આત્મા સાથે બંધાય છે; પરંતુ
વાસ્તવિકપણે હું તે કર્મોથી સદાકાલ સર્વ ક્ષેત્રે જુદો જ છું

Page 16 of 24
PDF/HTML Page 19 of 27
single page version

background image
તથા તે કર્મો આપના ચૈતન્યથી જુદા જ છે અથવા તો
ચૈતન્યથી આ કર્મોને ભિન્ન પાડવામાં આપ જ કારણ છો;
તેથી હે શુદ્ધાત્મન્ ! હે જિનેંદ્ર ! મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક
આપમાં જ છે.
ભાવાર્થ :યદિ નિશ્ચયથી જોવામાં આવે તો હે
જિનેંદ્ર ! આપ તથા હું સમાન જ છીએ, કેમ કે નિશ્ચયનયથી
આપનો આત્મા કર્મબંધ રહિત છે તેમ મારા આત્મા સાથે પણ
કોઈ પ્રકારના કર્મોનું બંધન રહેતું નથી; તેથી હે ભગવાન!
મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક આપના સ્વરૂપમાં જ છે.
ધાર્મીની અંતર્ભાવના :
૨૪. અર્થ :હે આત્મન્ ! તારે નથી તો લોકથી કામ,
નથી તો અન્યના આશ્રયથી કામ; તારે નથી તો દ્રવ્યથી
(લક્ષ્મીથી) પ્રયોજન, નથી તો શરીરથી પ્રયોજન, તારે વચન
તથા ઇન્દ્રિયોથી પણ કાંઈ કામ નથી, તેમ જ
(દશ) પ્રાણોથી
પણ પ્રયોજન નથી; અને નાના પ્રકારના વિકલ્પોથી પણ કાંઈ
કામ નથી, કેમ કે તે સર્વ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાયો છે. વળી
તારાથી ભિન્ન છે તોપણ, બહુ ખેદની વાત એ છે કે તું તેમને
પોતાના માની તેમનો આશ્રય કરે છે, તેથી શું તું દ્રઢ બંધનથી
બંધાઈશ નહિ? અવશ્ય બંધાઈશ.
ભાવાર્થ :હે આત્મન્ ! તું તો નિર્વિકાર
૧. દસ પ્રાણ=પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ (મનબલ, વચનબલ,
કાયબલ) આયુ, શ્વાસોચ્છ્વાસ.

Page 17 of 24
PDF/HTML Page 20 of 27
single page version

background image
ચૈતન્યસ્વરૂપી છો, સમસ્ત લોક તથા શરીર, ઇન્દ્રિય દ્રવ્ય,
વચન આદિ સર્વ પદાર્થો પુદ્ગલ દ્રવ્યના પર્યાય છે અને
તારાથી ભિન્ન છે, એમ હોવા છતાં પણ, જો તું તેમને
પોતાના સમજી તેમનો આશ્રય કરીશ તો તું અવશ્યમેવ
બંધાઈશ; તેથી તે સર્વ પરપદાર્થો પરની મમતા છોડી
શુદ્ધાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાન કર કે જેથી તું કર્મોથી
ન બંધાય.
ભેદવિજ્ઞાન દ્વારા આત્મામાંથી વિકારનો નાશ :
૨૫. અર્થ :ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલ-
દ્રવ્યએ ચારે દ્રવ્યો કોઈ પણ પ્રકારે મારું અહિત કરતાં
નથી; કિંતુ એ ચારે દ્રવ્યો, ગતિ, સ્થિતિ આદિ કાર્યોમાં મને
સહકારી છે, તેથી મારા સહાયક થઈને જ રહે છે; પરંતુ
નોકર્મ (ત્રણ શરીર, છ પર્યાપ્તિ) અને કર્મ જેનું સ્વરૂપ છે,
એવું તથા સમીપે રહેનાર અને બંધને કરનાર એક પુદ્ગલ
દ્રવ્ય જ મારું વૈરી છે, તેથી આ સમયે મેં તેના
ભેદવિજ્ઞાનરૂપ તલવારથી ખંડખંડ ઊડાવી દીધા છે. (ખરો
વૈરી તો પોતાનો અશુદ્ધભાવ છે.)
ભાવાર્થ :ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલ
પાંચ દ્રવ્ય મારાથી ભિન્ન છે, તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ અને
કાલ
એ ચાર દ્રવ્ય તો મારું કોઈ પ્રકારે અહિત કરતાં નથી,
પરંતુ મને સહાય કરે છે. અર્થાત્ ધર્મદ્રવ્ય તો મારા ગમનમાં