Moksha Marg Prakashak (Gujarati). Shree Mokshamargprakashak; Aavrutti; Prakashkiy Nivedan; Shree Sadgurudev Stuti; Upodghat; Vishayanukramanika; Shastrona Arth Karavani Paddhati; Mokshamargprakashak; Gujarati Anuvadakanu Mangalacharan; Adhikar Pahelo Pithabandh Praroopak; Granthakartanu Mangalacharan; Arihantnu Swaroop.

Next Page >


Combined PDF/HTML Page 1 of 20

 


Page -26 of 370
PDF/HTML Page 2 of 398
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ૪૦
G
આચાર્યકલ્પ
શ્રીમાન્ પંડિતપ્રવર ટોડરમલજી કૃત
શ્રી
મોક્ષમાર્ગપ્રકાશક
[ ગુજરાતી ભાષાનુવાદ ]
ઃ અનુવાદકઃ
શ્રી સોમચંદ અમથાલાલ શાહ
કલોલ
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

























Page -25 of 370
PDF/HTML Page 3 of 398
single page version

background image
કુલ ચૌદ આવૃત્તિઃ કુલ પ્રત ૨૦૩૫૦
પંદરમી આવૃત્તિઃ પ્રત ૨૦૦૦
વીર નિ. સં. ૨૫૩૨ વિ. સં. ૨૦૬૨ ઇ. સ. ૨૦૦૬
મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)
: (02846) 244081
મૂલ્યઃ રૂા. ૨૦=૦૦
શ્રી મોક્ષમાર્ગપ્રકાશક (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
શ્રી લલીતાબેન હંસરાજ શાહના સ્મરણાર્થે,
હસ્તેઃ હંસરાજભાઇ દેવરાજભાઇ શાહ (પતિ),
ભરતભાઇ, મનીષભાઇ, કમલભાઇ (પુત્રો), જ્યોતિ, કલ્પના, દિવ્યા (પુત્રવધૂ),
હેતુલ, રાજીવ, ભાવીન, સચીન, પારસ, નીશાલ (પૌત્રો)
આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૬૯=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રુા.૪૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત
ઘટાડવામાં આવતાં આ ગ્રંથની વેચાણ કિંમત રુા. ૨૦=૦૦ રાખવામાં આવી છે.


Page -23 of 370
PDF/HTML Page 5 of 398
single page version

background image
પ્રકાશકીય
આ ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથની ચૌદમી આવૃત્તિ ખપી જવાથી, પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પાવન પ્રતાપથી, પૂજ્ય ગુરુદેવશ્રીની સાધનાભૂમિ સુવર્ણપુરી
(સોનગઢ)માં સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણાથી જે અનેક
ધાર્મિક ગતિવિધિઓ ચાલી રહી છે તે પૈકી પુસ્તક-પ્રકાશનરૂપ પ્રવૃત્તિમાં ઉક્ત ગ્રંથની માંગને લીધે
તેનું પાછળની આવૃત્તિમાં રહી ગએલ ક્ષતિઓ સુધારીને પંદરમી આવૃત્તિરૂપે ફરી પ્રકાશન કરવામાં
આવી રહ્યું છે.
આ ગ્રંથના સુંદર છાપકામ માટે ટ્રસ્ટ ‘કહાન મુદ્રણાલય, સોનગઢ’નું ઘણું જ આભારી
છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુજીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ
પુષ્ટ કરે એ જ ભાવના.
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
શ્રાવણ વદ ૨
વિ. સં. ૨૦૬૨

Page -22 of 370
PDF/HTML Page 6 of 398
single page version

background image
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ
! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -21 of 370
PDF/HTML Page 7 of 398
single page version

background image
ઉપોદ્ઘાત
આ નિકૃષ્ટ કાળમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાજ્ઞાનની અતિશય ન્યૂનતા તથા શ્રી નિર્ગ્રંથ વીતરાગ
માર્ગના ગ્રંથોનાં પઠનપાઠનનો કોઈ પ્રકારે અભાવ થઈ રહ્યો હતો, તેવા સમયમાં (વિક્રમની ૧૮મી
શતાબ્દિના અંતમાં અને ૧૯મી શતાબ્દિના પ્રારંભમાં ઢુંઢાહડદેશ (રાજસ્થાન)ના સવાઈ જયપુર
નગરમાં આ ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથના રચયિતા, નિર્ગ્રંથવીતરાગમાર્ગના પરમ શ્રદ્ધાવાન, સાતિશય
બુદ્ધિના ધારક અને વિદ્વજ્જ્નમનવલ્લભ આચાર્યકલ્પ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીનો ઉદય થયો હતો.
પિતાનું નામ જોગીદાસ અને માતાનું નામ રંભાદેવી હતું. તેઓ જાતિએ ‘ખંડેલવાલ’ અને ગોત્રે
‘ગોદીકા’ હતા. ‘ગોદીકા’ તે સંભવતઃ ‘ભોંસા’ અને ‘બડજાત્યા’ નામના ગોત્રનું જ નામાન્તર છે.
તેમનું ગૃહસ્થજીવન સાધનસંપન્ન હતું.
પં. ટોડરમલજીના શિક્ષાગુરુનું નામ બંશીધરજી હતું. તીવ્ર બુદ્ધિશક્તિના કારણે
ટોડરમલજીના શાસ્ત્રપાઠ અને તેના અર્થનું શીઘ્ર અવધારણ કરી લેતા હતા, કુશાગ્ર મેધાને લીધે નાની
ઉંમરમાં ને ટૂંકા સમયમાં જૈનસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, કોષ આદિ વિવિધ
વિષયોમાં દક્ષતા પ્રાપ્ત કરી લીધી હતી. હિન્દી સાહિત્યના દિગંબર જૈન વિદ્વાનોમાં તેમનું નામ ખાસ
ઉલ્લેખનીય છે. હિન્દીના ગદ્યલેખક વિદ્વાનોમાં તેઓ પ્રથમ કોટિના વિદ્વાન ગણાય છે. વિદ્વતાને
અનુરૂપ તેમનો સ્વભાવ પણ વિનમ્ર તેમ જ દયાળુ હતો; અને સ્વાભાવિક કોમળતા, સદાચારિતા
વગેરે સદ્ગુણો તેમના જીવનસહચર હતા. અહંકાર તો તેમને સ્પર્શી શક્યો જ નહોતો. સૌમ્ય મુદ્રા
ઉપરથી તેમની આંતરિક ભદ્રતા તેમ જ વાત્સલ્યનો પરિચય સહજપણે પ્રાપ્ત થઈ જતો હતો. તેમની
રહેણીકરણી ઘણી જ સાદી હતી. આધ્યાત્મિકતા તો તેમના જીવનમાં ઓતપ્રોત થઈ ગઈ હતી.
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યાદિ મહર્ષિઓના આધ્યાત્મિક ગ્રંથોનો
તેમનાં અધ્યયન, મનન તેમજ
પરિશીલનથીપંડિતજીના જીવન પર ઘણો સારો પ્રભાવ પડ્યો હતો. અધ્યાત્મતત્ત્વની ચર્ચા કરતાં
તેઓ આનંદથી ઊછળી જતા હતા અને શ્રોતાગણ પણ તેમની વાણી સાંભળીને ગદગદ થઈ જતો
હતો. સંસ્કૃત અને પ્રાકૃત
બંને ભાષાઓના તેઓ તે સમયના અદ્વિતીય તેમ જ સુયોગ્ય વિદ્વાન હતા.
તેમનો ક્ષયોપશમ આશ્ચર્યકારી હતો અને તેઓ વસ્તુસ્વરૂપના વિશ્લેષણમાં અતિ દક્ષ હતા. તેમનો
આચાર તેમ જ વ્યવહાર વિવેકયુક્ત અને મૃદુ હતો. તેમના દ્વારા રચિત ગોમ્મટસાર, લબ્ધિસાર,
ક્ષપણાસાર, ત્રિલોકસાર, આત્માનુશાસન અને પુરુષાર્થસિદ્ધ્યુપાય વગેરેની ભાષાટીકાઓ તથા આ
‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામની તેમની સ્વતંત્ર ગ્રંથરચનાનું અવલોકન કરતાં જણાય છે કે તે સમયમાં
તેમના જેવા સ્વમત-પરમતના જ્ઞાતા જ્વલ્લે જ કોઈ હશે.
ગોમ્મટસાર વગેરે કરણાનુયોગના ગ્રંથો એવા ગહન છે કે જેમનું પઠન-પાઠન વિશેષ બુદ્ધિ
અને ધારણાશક્તિવાળા વિદ્વાનોને પણ કષ્ટસાધ્ય છે. આ સંબંધમાં વિદ્વાન પુરુષોનું અનુભવ સહિત
એમ કહેવું છે કે
ગોમ્મટસારના પઠનનું કંઈક રહસ્ય તો ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આ જન્મ

Page -20 of 370
PDF/HTML Page 8 of 398
single page version

background image
સર્વ વિષયોનો અભ્યાસ છોડી ઇંદ્રિયનિગ્રહપણે માત્ર એક તેનો જ અભ્યાસ જાળવી રાખે.
ગોમ્મટસારની જેમ તેના જેવા તેમના અન્ય ટીકાગ્રંથો પણ એવા જ ગહન છે. આ ઉપરથી એ
ગ્રંથોના ભાષાટીકાકાર પુરુષ કેટલી તીક્ષ્ણ બુદ્ધિના ધારક હતા તે સ્વયમેવ તરી આવે છે. તેમણે
પોતાના ટૂંકા જીવનમાં એ મહાન ગ્રંથોની ટીકા લખી છે એટલું જ નહિ પરંતુ એટલા ટૂકા જીવનમાં
સ્વમત-પરમતના સેંકડો ગ્રંથોના પઠન-પાઠન સાથે તેમનું મર્મસ્પર્શી ઊંડું મનન પણ કર્યું છે. અને
એ વાત તેમના રચેલા આ ‘મોક્ષમાર્ગ-પ્રકાશક’ ગ્રંથનું મનન કરવાથી અભ્યાસીને સ્વયં લક્ષમાં આવી
જાય તેમ છે.
ગોમ્મટસાર વગેરે પર તેમણે લખેલા ભાષાટીકાગ્રંથ એટલા ગહન છે કે તેમનો અભ્યાસ
માત્ર વિશેષ બુદ્ધમાન કરી શકે છે; પરંતુ અલ્પ પ્રજ્ઞાવંત જીવો માટે રચેલો તેમનો આ સરળ
દેશભાષામય ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથ એવો અદ્ભુત છે કે જેની રહસ્યપૂર્ણ ગંભીરતા અને
સંકલનાબદ્ધ વિષયરચનાને જોઈ ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ
ગ્રંથનું નિષ્પક્ષ-ન્યાય દ્રષ્ટિથી ગંભીરપણે અવગાહન કરતાં જણાય છે કે
આ કોઈ સાધારણ ગ્રંથ
નથી પરંતુ એક અતિ ઉચ્ચ કોટિનો મહત્ત્વપૂર્ણ અનોખો ગ્રંથરાજ છે અને તેના રચયિતા પણ અનેક
આગમોના મર્મજ્ઞ તથા અસાધારણ પ્રતિભાસંપન્ન વિદ્વાન છે. ગ્રંથના વિષયોનું પ્રતિદાન સર્વને
હિતકારક છે અને મહાન ગંભીર આશયપૂર્વક થયું છે.
આ ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથમાં નવ અધિકાર છે. તેમાં નવમો અધિકાર અપૂર્ણ છે, શેષ
આઠ અધિકાર પોતાના વિષયનિરૂપણમાં પરિપૂર્ણ છે. પહેલા અધિકારમાં મંગલાચરણ કરી તેનું
પ્રયોજન બતાવીને પછી ગ્રંથની પ્રમાણિકતાનું દિગ્દર્શન કરાવ્યું છે; ત્યાર પછી શ્રવણ-પઠન કરવાયોગ્ય
શાસ્ત્રના વક્તા તેમ જ શ્રોતાનું સ્વરૂપનું સપ્રમાણ વિવેચન કરીને ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથની સાર્થકતા
બતાવી છે.
બીજા અધિકારમાં સંસાર-અવસ્થાના સ્વરૂપનું સામાન્ય દિગ્દર્શન કરાવ્યું છે. તેમાં કર્મબંધન-
નિદાન, નૂતન બંધ વિચાર, કર્મ અને જીવનો અનાદિ સંબંધ, અમૂર્તિક આત્મા સાથે મૂર્તિક કર્મોનો
સંબંધ, તે કર્મોના ‘ઘાતિ-અઘાતિ’ એવા ભેદ, યોગ અને કષાયથી થનાર યથાયોગ્ય કર્મબંધનો નિર્દેશ,
જડ પુદ્ગલ પરમાણુઓનાં યથાયોગ્ય કર્મપ્રકૃતિરૂપ પરિણમનનો ઉલ્લેખ કરીને ભાવોથી પૂર્વબદ્ધ
કર્મોની અવસ્થામાં થનારા પરિવર્તનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથેસાથ કર્મોનાં ફલદાનમાં
નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અને ભાવકર્મ-દ્રવ્યકર્મનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
ત્રીજા અધિકારમાં સંસારદુઃખ અને મોક્ષસુખનું નિરૂપણ કરતાં સમસ્ત દુઃખોના મૂળ
કારણભૂત મિથ્યાત્વના પ્રભાવનું કથન કરવામાં આવ્યું છે, વિષયોની અભિલાષાજનક મોહથી ઉત્પન્ન
થતા દુઃખને તથા મોહી જીવના દુઃખનિવૃત્તિના ઉપાયને નિઃસાર બતાવીને દુઃખનિવૃત્તિનો સાચો
ઉપાય બતાવ્યો છે, દર્શનમોહ તથા ચારિત્રમોહના ઉદયથી થતા દુઃખનો અને તેની નિવૃત્તિનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે. એકેન્દ્રિયાદિક જીવોનાં દુઃખનું વર્ણન કરીને નરકાદિ ચારેય ગતિઓનાં ઘોર
કષ્ટ અને તેમને દૂર કરવાના સામાન્ય-વિશેષ ઉપાયોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે.

Page -19 of 370
PDF/HTML Page 9 of 398
single page version

background image
ચોથા અધિકારમાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના સ્વરૂપનું વિશેષ નિરૂપણ કરતાં પ્રયોજન-
ભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો તથા તેમના આશ્રયે થનારી રાગદ્વેષની પ્રવૃત્તિનું સ્વરૂપ
બતાવ્યું છે.
પાંચમા અધિકારમાં આગમ અને યુક્તિના આધારે વિવિધ મતોની સમીક્ષા કરીને ગૃહીત
મિથ્યાત્વનું ઘણું જ માર્મિક વિવેચન કર્યું છે; સાથોસાથ અન્ય મતના પ્રાચીન ગ્રંથોનાં ઉદાહરણો દ્વારા
જૈનધર્મની પ્રાચીનતા તેમ જ મહત્તા પુષ્ટ કરી છે; શ્વેતામ્બર સંપ્રદાય સંમત અનેક કલ્પનાઓ તેમ
જ માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે; ‘અછેરા’નું નિરાકરણ કરતાં કેવળીભગવાનને આહાર-
નિહારનો પ્રતિષેધ તથા મુનિને વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો રાખવાનો નિષેધ કર્યો છે; સાથે સાથે ઢૂંઢકમત
(સ્થાનકવાસી)ની આલોચના કરતા મુહપત્તીનો નિષેધ અને પ્રતિમાધારી શ્રાવક નહિ હોવાની
માન્યતાનું તથા મૂર્તિપૂજાના પ્રતિષેધનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે.
છઠ્ઠા અધિકારમાં ગૃહીત મિથ્યાત્વનાં નિમિત્ત કુગુરુ, કુદેવ અને કુધર્મનું સ્વરૂપ બતાવીને
તેમની સેવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે; તદુપરાંત અનેક યુક્તિઓ દ્વારા ગ્રહ, સૂર્ય, ચંદ્ર, ગાય
અને સર્પાદિકની પૂજાનું પણ નિરાકરણ કર્યું છે.
સાતમા અધિકારમાં જૈન મિથ્યાદ્રષ્ટિનું સાંગોપાંગ વિવેચન કર્યું છે. તેમાં સર્વથા એકાંત
નિશ્ચયાવલંબી જૈનાભાસ તેમ જ સર્વથા એકાંત વ્યવહારાવલંબી જૈનાભાસનું યુક્તિપૂર્ણ કથન કરવામાં
આવ્યું છે, જે વાંચતાં જ જૈનદ્રષ્ટિનું જે સત્ય સ્વરૂપ તે સામે તરી આવે છે, અને વિપરીત કલ્પના
વસ્તુસ્થિતિને અથવા નિશ્ચય-વ્યવહાર નયોની દ્રષ્ટિને નહિ સમજવાથી થઈ હતી તેનિર્મૂળ થઈ
જાય છે. આ મહત્ત્વપૂર્ણ પ્રકરણમાં પંડિતજીએ જૈનોના અભ્યંતર મિથ્યાત્વના નિરસનનું ઘણું રોચક
અને સૈદ્ધાંતિક વિવેચન કર્યું છે તથા ઉભય નયોની સાપેક્ષ દ્રષ્ટિ સ્પષ્ટ કરીને દેવ-શાસ્ત્ર-ગુરુ સંબંધી
ભક્તિની અન્યથા પ્રવૃત્તિનું નિરાકરણ કર્યું છે. અંતમાં સમ્યક્ત્વસન્મુખમિથ્યાદ્રષ્ટિનું સ્વરૂપ તથા
ક્ષયોપશમ, વિશુદ્ધ, દેશના, પ્રાયોગ્ય અને કરણ
એ પાંચ લબ્ધિઓનો નિર્દેશ કરીને આ અધિકાર
પૂરો કરવામાં આવ્યો છે.
આઠમા અધિકારમાં પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગએ ચાર
અનુયોગોનું પ્રયોજન, સ્વરૂપ, વિવેચન શૈલી દર્શાવીને તેમના સંબંધમાં થનારી દોષકલ્પનાઓનો
પ્રતિષેધ કરી, અનુયોગોની સાપેક્ષ કથનશૈલીનો સમુલ્લેખ કર્યો છે; સાથોસાથ આગમાભ્યાસની પ્રેરણા
પણ આપી છે.
નવમા અધિકારમાં મોક્ષમાર્ગના સ્વરૂપ-નિરૂપણનો આરંભ કરતાં મોક્ષના કારણભૂત
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રએ ત્રણેમાંથી મોક્ષમાર્ગના મૂળકારણ-સ્વરૂપ
સમ્યગ્દર્શનનું પણ પૂરું વિવેચન લખાયું નથી. ખેદ છે કે ગ્રંથકર્તાનું અકાળે મૃત્યુ થઈ જવાથી, આ
અધિકાર તેમ જ ગ્રંથને પૂરો કરી શક્યા નથી; એ આપણું કમનસીબ છે. પરંતુ આ અધિકારમાં
જે કાંઈ કથન કર્યું છે તે ઘણું જ સરળ અને સુગમ છે તેને હૃદયંગમ કરતાં સમ્યગ્દર્શનનાં વિભિન્ન

Page -18 of 370
PDF/HTML Page 10 of 398
single page version

background image
લક્ષણોનો સમન્વય સહજ થઈ જાય છે અને તેના ભેદોના સ્વરૂપનો પણ સામાન્ય પરિચય પ્રાપ્ત
થાય છે.
આ રીતે આ ગ્રંથમાં ચર્ચિત બધાય વિષય અથવા પ્રમેય ગ્રંથકર્તાનું વિશાળ અધ્યયન,
અનુપમ પ્રતિભા અને સૈદ્ધાન્તિક અનુભવનું સફળ પરિણામ છે અને તે ગ્રંથકર્તાની જે આંતરિક
ભદ્રતા તેની મહત્તાનું દ્યોતક છે.
આ ગ્રંથની ખાસ વિશેષતા એ છે કે તેમાં ગંભીર તેમ જ દુરૂહ ચર્ચાને અતિ સરળ શબ્દોમાં
અનેક દ્રષ્ટાંત અને યુક્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને પોતે જ પ્રશ્ન
ઉઠાવીને તેનો માર્મિક ઉત્તર પણ દીધો છે, જેથી અધ્યેતાને પછી કોઈ સંદેહનો અવકાશ રહે નહિ.
આ ગ્રંથમાં જે કાંઈ વસ્તુવિવેચન છે તે અનેક વિષયો પર પ્રકાશ પાથરનાર, સુસંબદ્ધ, આશ્ચર્યકારક
અને જૈનદર્શનનું માર્મિક રહસ્ય સમજાવવા માટે એક અદ્વિતીય ચાવી સમાન છે, અર્થાત્ આમાં
નિર્ગ્રંથ પ્રવચનનાં ઊંડાં માર્મિક રહસ્યો ગ્રંથકારે ઠામઠામ પ્રગટ કર્યાં છે.
અન્યમતનિરાકરણ વિષે લખવામાં તેમનો હેતુ કાંઈ પરમત પ્રત્યે દ્વેષપરિણતિ કરાવવાનો
નથી, પરંતુ પોતાના અભિપ્રાયમાં તે તે મત સંબંધી જો કાંઈ ધર્મબુદ્ધિરૂપ અભિપ્રાય હોય તો તે
અભિપ્રાય છોડાવવાનો છે. તેઓ પોતે જ આ સંબંધમાં આ પ્રમાણે લખે છેઃ ‘‘અહીં નાના પ્રકારના
મિથ્યાદ્રષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે
એ પ્રકારોને ઓળખી પોતાનામાં
કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સમ્યક્શ્રદ્ધાનયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ કષાયી
ન થવું; કારણ કે પોતાનું ભલું-બૂરું તો પોતાના પરિણામોથી થાય છે; જો અન્યને રુચિવાન દેખે
તો કંઈક ઉપદેશ આપી તેનું પણ ભલું કરે.’’
શ્રીમાન્ પંડિતપ્રવર ટોડરમલજી દિગંબર જૈનધર્મના પ્રભાવક વિશિષ્ટ મહાપુરુષ હતા. તેમણે
માત્ર છ મહિનામાં સિદ્ધાન્તકૌમુદી જેવા કઠણ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. પોતાની કુશાગ્રબુદ્ધિના
પ્રભાવથી તેમણે ષટ્દર્શનના ગ્રંથો, બૌદ્ધ, મુસ્લિમ તેમજ અન્ય અનેક મતમતાન્તરોના ગ્રંથોનું
અધ્યયન કર્યું હતું, શ્વેતામ્બર-સ્થાનકવાસીનાં સૂત્રો તથા ગ્રંથોનું પણ અવલોકન કર્યું હતું, તથા દિગંબર
જૈન ગ્રંથોમાં શ્રી સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, તત્ત્વાર્થસૂત્ર,
અષ્ટપાહુડ, આત્માનુશાસન, પદ્મનંદિપંચવિંશતિકા, શ્રાવકમુનિધર્મનાં પ્રરૂપક અનેક શાસ્ત્રો તથા કથા-
પુરાણાદિ ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ સર્વ શાસ્ત્રોના અભ્યાસથી તેમની બુદ્ધિ ઘણી જ
પ્રખર બની હતી. શાસ્ત્રસભા, વ્યાખ્યાનસભા અને વિવાદસભામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ હતા. આ
અસાધારણ પ્રભાવકપણાને લીધે તેઓ તત્કાલીન રાજાને પણ અતિશય પ્રિય થઈ પડ્યા હતા, અને
એ રાજપ્રિયતા તથા પાંડિત્યપ્રખરતાને કારણે અન્યધર્મીઓ તેમની સાથે મત્સરભાવ કરવા લાગ્યા
હતા, કારણ કે તેમની સામે તે અન્યધર્મીઓના મોટા મોટા વિદ્વાનો પણ પરાભવ પામતા હતા.
જોકે તેઓ પોતે કોઈ પણ વિધર્મીઓનો અનુપકાર કરતા નહોતા; પરંતુ બને ત્યાં સુધી તેમનો ઉપકાર
જ કર્યા કરતા હતા, તોપણ માત્સર્યયુક્ત મનુષ્યોનો મત્સરતાજન્ય કૃત્ય કરવાનો જ સ્વભાવ છે;
તેમના મત્સર અને વૈરભાવના કારણે જ પંડિતજીનો અકાળે દેહાન્ત થઈ ગયો હતો.

Page -17 of 370
PDF/HTML Page 11 of 398
single page version

background image
પંડિત ટોડરમલજીના મૃત્યુ વિષે એક દુઃખદ ઘટનાનો ઉલ્લેખ પં. બખતરામ શાહના
‘બુદ્ધિવિલાસ’ ગ્રંથમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
‘‘तब ब्राह्मणनुं मतौ यह कियो, शिव उठानको टौना दियो
तामैं सबै श्रावगी कैद, करिके दन्ड किये नृप फै द ।।
गुरु तेरह-पंथिनुको भ्रमी, टोडरमल्ल नाम साहिमी
ताहि भूप मार्यो पल माहि, गाडयो मद्धि गन्दगी ताहि ।।’’
આમાં સ્પષ્ટ કહ્યું છે કે સં. ૧૮૧૮ પછી જયપુરમાં જ્યારે જૈનધર્મનો પુનઃ વિશેષ ઉદ્યોત
થવા લાગ્યો, ત્યારે જૈનધર્મ પ્રતિ વિદ્વેષ રાખનાર બ્રાહ્મણો તે સહી શક્યા નહિ અને તેથી તેમણે
એક ગુપ્ત ‘ષડયંત્ર’ રચ્યું. તેમણે શિવપિંડી ઉખાડીને જૈનો ઉપર ‘ઉખાડી નાખવાનો’ આરોપ લગાવ્યો
અને રાજા માધવસિંહને, જૈનો વિરુદ્ધ ભડકાવીને, ક્રોધિત કર્યા. રાજાએ સત્યાસત્યની કાંઈ તપાસ
કર્યા વિના ક્રોધવશ બધા જૈનોને રાત્રે કેદ કરી લીધા અને તેમના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ટોડરમલજીને
પકડી મારી નાખવાનો હુકમ દઈ દીધો. તદનુસાર હાથીના પગ તળે કચરાવીને મરાવી નાખ્યા અને
તેમના શબને શહેરની ગંદકીમાં દટાવી દીધું.
આ વાત પ્રચલિત છે કે જ્યારે પંડિતજીને હાથીના પગ તળે નાખવામાં આવ્યા અને
અંકુશનાપ્રહારપૂર્વક હાથીને, તેમના શરીરને કચરી નાખવા, પ્રેરિત કરવામાં આવ્યો ત્યારે હાથી
એકદમ ચિલ્લાઈને થંભી ગયો. એ રીતે બે વાર તે અંકુશના પ્રહાર ખાઈ ચૂક્યો. પરંતુ પંડિતજી
ઉપર પોતાના પગનો પ્રહાર કર્યો નહિ. તેના ઉપર અંકુશનો ત્રીજો પ્રહાર પડવાની તૈયારી હતી,
ત્યાં પંડિતજીએ હાથીની દશા જોઈને કહ્યું કે
હે ગજેન્દ્ર! તારો કાંઈ અપરાધ નથી; જ્યાં પ્રજાના
રક્ષકે જ અપરાધી-નિરપરાધીની તપાસ કર્યા વિના મારી નાખવાનો હુકમ દઈ દીધો, ત્યાં તું અંકુશના
પ્રહાર વ્યર્થ કેમ સહન કરી રહ્યો છે? સંકોચ છોડ અને તારું કામ કર. આ વાક્યો સાંભળીને
હાથીએ પોતાનું કામ કર્યું . રાજા માધવસિંહ(પ્રથમ)ને જ્યારે આ ‘ષડ્યન્ત્ર’ની ખબર પડી ત્યારે
તેમને ખૂબ દુઃખ થયું અને પોતાના અધમ કૃત્ય પર તે ઘણા પસ્તાયા.
પંડિતજીના જીવનનું મુખ્ય ધ્યેય એક સ્વ-પર કલ્યાણ જ હતું. અંતરંગમાં ક્ષયોપશમવિશેષથી
તથા બાહ્યમાં તર્કવિતર્કપૂર્વક અનેક શાસ્ત્રોના અધ્યયનથી તેમનો વીતરાગ-વિજ્ઞાનભાવ એટલો બધો
વધી ગયો હતો કે
સાંસારિક કાર્યોથી તેઓ પોતે પ્રાયઃ વિરક્ત જ રહ્યા કરતા હતા; અને ધાર્મિક
કાર્યોમાં એટલા બધા તલ્લીન રહ્યા કરતા હતા કેબાહ્ય જગતની તથા આસ્વાદ્ય પદાર્થોની તેમને
કાંઈ પણ સુધ રહેતી નહોતી. આ વિષયમાં એક જનશ્રુતિ એવી પણ છે કેજે કાળે તેઓ ગ્રંથ
રચના કરી રહ્યા હતા તે કાળમાં તેમનાં માતુશ્રીએ ખાદ્ય પદાર્થોમાં છ મહિના સુધી મીઠાલુણ નાખ્યું
નહોતું; છ મહિના પછી શાસ્ત્રરચના તરફથી તેમનો ઉપયોગ કંઈક ખસતાં એક દિવસ તેમણે
માતુશ્રીને પૂછ્યુંઃ માજી! આજે આપે દાળમાં મીઠાલુણ કેમ નાખ્યું નથી? એ સાંભળી માજી
બોલ્યાંઃ ભાઈ! હું તો આમ છ મહિનાથી મીઠાલુણ નાખતી નથી.’ આ બધું લખવાનું તાત્પર્ય એટલું

Page -16 of 370
PDF/HTML Page 12 of 398
single page version

background image
જ છે કે તેમના સમયમાં તેઓ એક મહાન ધર્માત્મા, શ્રેષ્ઠ પરોપકારી, નિરભિમાની તથા અદ્વિતીય
વિદ્વાન હતા. જૈનસમાજના દુર્ભાગ્યથી જ આવા મહાત્માનો અસમયમાં વિયોગ થયો, પણ તેમણે
તો પોતે જીવનપર્યંત જૈનસમાજ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે અને તેથી જ સમાજમાં તેમનું સ્થાન
અવિસ્મરણીય છે. મુમુક્ષુ આત્માઓ તો આજે પણ તેમનું અને તેમના ગુણોનું સ્મરણ કરી પરમ
સંતુષ્ટ થાય છે.
પંડિત શ્રી ટોડરમલજી દ્વારા રચિત આ ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથ ઢુંઢારી તેમ જ હિન્દી
ભાષામાં અનેકવાર પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં કરકમળમાં આ ગ્રંથ
સર્વપ્રથમ વિ. સં. ૧૯૮૨માં આવ્યો. તેમણે ખૂબ મનનપૂર્વક આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્યું હતું.
તેનું અવગાહન કરતી વખતે પૂજ્ય ગુરુદેવશ્રીની પરિણતિ એટલી બધી તલ્લીન હતી કે
ન ગમે
ખાવું, પીવું કે વહોરવા જવું, ન ગમે અન્ય વાતચીત. સ્થાનકવાસી સાધુપર્યાયમાં તેઓ પુસ્તક સાથે
રાખતા નહિ પરંતુ મોક્ષમાર્ગપ્રકાશકનો સાતમો અધિકાર વિશેષ સારો લાગવાથી (ઝીણા અક્ષરે
હાથથી લખાવી પુનઃ પુનઃ સ્વાધ્યાય કરવા માટે સાથે રાખ્યો હતો. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્થાનકવાસી
સાધુપર્યાયના ત્યાગરૂપ ‘પરિવર્તન’ વિ. સં. ૧૯૯૧માં કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૯૭માં
કલોલનિવાસી શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ (મોક્ષમાર્ગપ્રકાશકનો)
પ્રકાશિત થયો. તે ગુજરાતી અનુવાદની પૂજ્ય ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) તરફથી અગાઉ ચૌદ આવૃત્તિ છપાઈ ગઈ છે. પ્રસ્તુત સંસ્કરણ તેની
પંદરમી આવૃત્તિ છે.
પંડિત શ્રી ટોડરમલજીએ પ્રથમ અધિકારના અંતમાં આગમ-અભ્યાસની જે પ્રેરણા આપી
છે તેનો ઉલ્લેખ કરીને આ ઉપોદ્ઘાત પૂર્ણ કરવામાં આવે છે‘‘ આ જીવનું મુખ્ય કર્તવ્ય તો
આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોનું શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સંયમભાવ થાય છે અને તે
આગમજ્ઞાનથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહેજે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક
અંગો છે તેમાં પણ એક ધ્યાન સિવાય આનાથી (આગમ-અભ્યાસથી) ઊંચું ધર્મનું અન્ય કોઈ અંગ
નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું,
સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિ સાધનની જરૂર પડતી નથી, માટે તેના
અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એથી તમારું કલ્યાણ થશે.’’
વિ. સં. ૨૦૬૨, શ્રાવણ વદ ૨,
(બહેનશ્રી ચંપાબેનની૯૩મી જન્મજયંતી)
તા. ૧૧-૮-૦૬
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર
ટ્રસ્ટ
સોનગઢ

Page -15 of 370
PDF/HTML Page 13 of 398
single page version

background image
વિષયાનુક્રમણિકા
વિષયપૃષ્ઠવિષયપૃષ્ઠ
અધિકાર પ્રથમ ૧ થી ૨૪
મંગલાચરણ ........................................... ૧
અરિહંતનું સ્વરૂપ .................................... ૨
શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ....................... ૩
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ ........ ૩
આચાર્યનું સ્વરૂપ..................................... ૪
ઉપાધ્યાયનું સ્વરૂપ ................................... ૪
સાધુનું સ્વરૂપ ........................................ ૫
પૂજ્યત્વનું કારણ ..................................... ૫
શ્રેષ્ઠ સિદ્ધપદ પહેલાં અર્હંતને નમસ્કાર
કરવાનું કારણ ................................ ૭
અરિહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ ................... ૮
મંગલાચરણ કરવાનું કારણ ....................... ૯
ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા.... ૧૧
ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ .................... ૧૨
અસત્ય પદ રચનાનો નિષેધ .................... ૧૩
કેવાં શાસ્ત્ર વાંચવા
સાંભળવા યોગ્ય છે ...... ૧૫
વકતાનું સ્વરૂપ ..................................... ૧૫
શ્રોતાનું સ્વરૂપ ..................................... ૧૮
મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથની સાર્થકતા .............. ૨૧
અધિકાર બીજો ૨૫ થી ૪૬
સંસાર-અવસ્થા નિરૂપણ .......................... ૨૫
કર્મબંધન રોગનું નિદાન.......................... ૨૫
કર્મનો સંબંધ અનાદિકાળથી છે ................ ૨૫
કર્મોના અનાદિપણાની સિદ્ધિ .................... ૨૬
જીવ અને કર્મોની ભિન્નતા ..................... ૨૭
અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધ
કેવી રીતે થાય છે ......................... ૨૭
ઘાતિઅઘાતિ કર્મ અને તેનાં કાર્ય ............ ૨૮
નિર્બળ જડકર્મો દ્વારા જીવના સ્વભાવનો
ઘાત તથા બાહ્યસામગ્રીનું મળવું ........ ૨૮
નવીન બંધ કેવી રીતે થાય છે ................. ૨૯
યોગ અને તેનાથી થવાવાળા પ્રકૃતિબંધ,
પ્રદેશબંધ ..................................... ૩૦
જ્ઞાનહીન જડપરમાણુનું યથાયોગ્ય પ્રકૃતિરૂપ
પરિણમન .................................... ૩૨
કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થાનું
પરિવર્તન ..................................... ૩૩
કર્મોની ઉદયરૂપ અવસ્થા ........................ ૩૩
દ્રવ્યકર્મ અને ભાવકર્મ ........................... ૩૪
નોકર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ ............. ૩૪
નિત્યનિગોદ અને ઇતરનિગોદ .................. ૩૫
કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી થતી જીવની
અવસ્થાઓ................................... ૩૫
જ્ઞાનદર્શનાવરણકર્મોદયજન્ય અવસ્થા ......... ૩૫
મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ.. ૩૬
શ્રુતજ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ ..................... ૩૭
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રવૃત્તિ૩૮
ચક્ષુ
અચક્ષુદર્શનની પ્રવૃત્તિ....................... ૩૮
જ્ઞાનદર્શનોપયોગાદિની પ્રવૃત્તિ ................. ૩૯
મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા .................... ૪૦
ચારિત્રમોહરૂપ જીવની અવસ્થા................. ૪૧
અંતરાયકર્મોદયજન્ય અવસ્થા .................... ૪૩
વેદનીયકર્મોદયજન્ય અવસ્થા ..................... ૪૪
આયુકર્મોદયજન્ય અવસ્થા........................ ૪૪
નામકર્મોદયજન્ય અવસ્થા ........................ ૪૫
ગોત્રકર્મોદયજન્ય અવસ્થા ........................ ૪૬

Page -14 of 370
PDF/HTML Page 14 of 398
single page version

background image
વિષયપૃષ્ઠ વિષયપૃષ્ઠ
અધિકાર ત્રીજો ૪૭ થી ૭૭
સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ........... ૪૭
દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન,
અસંયમ ...................................... ૪૭
મિથ્યાત્વનું સ્વરૂપ ................................. ૪૮
મોહજનિત વિષયઅભિલાષા ..................... ૪૮
ઉપર કહેલ દુઃખની નિવૃત્તિના ઉપાયોનું
જૂઠાપણું ...................................... ૪૯
દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય ..................... ૫૧
દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૫૨
ચારિત્રમોહથી દુઃખ અને તેના ઉપાયોનું
જૂઠાપણું ...................................... ૫૪
અંતરાયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૫૮
વેદનીયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૫૯
આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૬૨
નામકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૬૩
ગોત્રકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૬૩
એકેન્દ્રિય પર્યાયનાં દુઃખ ......................... ૬૪
વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય
પર્યાયનાં દુઃખ ...............................૬૬
નરક અવસ્થાનાં દુઃખોનું વર્ણન .................૬૬
તિર્યંચ અવસ્થાનાં દુઃખોનું વર્ણન .............. ૬૮
મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન .................... ૬૯
દેવગતિનાં દુઃખોનું વર્ણન ........................ ૭૦
સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ ................... ૭૧
મોક્ષસુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય .......... ૭૩
સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ .. ૭૩
અધિકાર ચોથો ૭૮ થી ૯૫
મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ
નિરૂપણ ...................................... ૭૮
મિથ્યાદર્શનનું સ્વરૂપ .............................. ૭૮
પ્રયોજનભૂત
અપ્રયોજનભૂત પદાર્થ ............. ૭૯
મિથ્યાદર્શનની પ્રવૃત્તિ.............................. ૮૧
જીવ
અજીવતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ... ૮૨
આસ્રવતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .......... ૮૪
બંધતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .............. ૮૪
સંવરતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ............ ૮૫
નિર્જરાતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .......... ૮૫
મોક્ષતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ............. ૮૫
પુણ્ય
પાપ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ........... ૮૬
મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ ............................... ૮૬
મિથ્યાચારિત્રનું સ્વરૂપ ............................ ૮૯
ઇષ્ટ
અનિષ્ટની મિથ્યા કલ્પના ................. ૯૦
રાગદ્વેષનું વિધાન તથા વિસ્તાર .............. ૯૨
મોહનો મહિમા .................................... ૯૪
અધિકાર પાંચમો ૯૬ થી ૧૬૭
(અન્યમત નિરાકરણ)
ગૃહીતમિથ્યાત્વનું નિરાકરણ ...................... ૯૬
સર્વવ્યાપી અદ્વૈતબ્રહ્મમત નિરાકરણ ............ ૯૭
સૃષ્ટિકર્તૃત્વવાદનું નિરાકરણ .................... ૧૦૦
જીવોની ચેતનાને બ્રહ્મની ચેતના માનવી ... ૧૦૨
શરીરાદિકનું માયારૂપ થવું ..................... ૧૦૨
બ્રહ્મા
વિષ્ણુ
મહેશને સૃષ્ટિનાં કર્તા, રક્ષક
અને સંહારકપણાનું નિરાકરણ ......... ૧૦૬

Page -13 of 370
PDF/HTML Page 15 of 398
single page version

background image
વિષયપૃષ્ઠ વિષયપૃષ્ઠ
‘‘લોકના અનાદિનિધનપણાની પુષ્ટિ’’...... ૧૧૧
અવતાર મીમાંસા ................................ ૧૧૨
યજ્ઞમાં પશુવધથી ધર્મકલ્પના
પશુહિંસાનો
નિષેધ....................................... ૧૧૫
નિર્ગુણ અને સગુણ ભકિતની મીમાંસા ..... ૧૧૬
ભકિતયોગ મીમાંસા ............................. ૧૧૬
જ્ઞાનયોગ મીમાંસા ............................... ૧૧૯
પવનાદિ સાધન વડે જ્ઞાની હોવાનો પ્રતિષેધ ... ૧૨૧
અન્યમતકલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા ....... ૧૨૩
ઇસ્લામમત સંબંધી વિચાર .................... ૧૨૪
અન્યમત નિરૂપિત તત્ત્વ વિચાર
સાંખ્યમત નિરાકરણ ............................ ૧૨૫
નૈયાયિકમત
નિરાકરણ.......................... ૧૨૭
વૈશેષિકમત નિરાકરણ .......................... ૧૨૯
મીમાંસકમત
નિરાકરણ ......................... ૧૩૨
જૈમિનીયમતનિરાકરણ......................... ૧૩૨
બૌદ્ધમતનિરાકરણ .............................. ૧૩૩
ચાર્વાકમતનિરાકરણ ........................... ૧૩૪
અન્યમત નિરાકરણ ઉપસંહાર ................ ૧૩૬
અન્યમતથી જૈનધર્મની તુલના ................. ૧૩૭
અન્યમતના ગ્રંથોથી જૈનમતની પ્રાચીનતા
અને સમીચીનતા ......................... ૧૩૯
શ્વેતાંબરમતનિરાકરણ.......................... ૧૪૪
અન્યલિંગથી મુક્તિનો નિષેધ.................. ૧૪૬
ગૃહસ્થમુકિત નિષેધ ............................. ૧૪૬
સ્ત્રીમુકિત નિષેધ ................................. ૧૪૬
શૂદ્રમુકિત નિષેધ ................................. ૧૪૭
અચ્છેરાનો નિષેધ................................ ૧૪૭
શ્વેતાંબરમત કથિત દેવ
ગુરુ
ધર્મનું
અન્યથા સ્વરૂપ ........................... ૧૪૯
મુનિને વસ્ત્રાદિક ઉપકરણનો નિષેધ.......... ૧૫૨
ગુરુનું અન્યથા સ્વરૂપ .......................... ૧૫૨
ધર્મનું અન્યથા સ્વરૂપ .......................... ૧૫૬
ઢૂંઢકમત
નિરાકરણ .............................. ૧૫૮
પ્રતિમાધારી શ્રાવક ન હોવાની માન્યતાનો
નિષેધ....................................... ૧૬૦
મુખપટ્ટી આદિનો નિષેધ ....................... ૧૬૧
મૂર્તિપૂજા નિષેધનું નિરાકરણ .................. ૧૬૧
અધિકાર છઠ્ઠો ૧૬૮ થી ૧૯૭
કુદેવ-કુગુરુ-કુધર્મનિરાકરણ ................... ૧૬૮
કુદેવનું નિરૂપણ અને તેની સેવાનો નિષેધ .... ૧૬૮
વ્યન્તરાદિનું સ્વરૂપ અને તેમને પૂજવાનો
નિષેધ....................................... ૧૬૯
ક્ષેત્રપાલ, પદ્માવતી આદિને પૂજવાનો
નિષેધ....................................... ૧૭૩
કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ ................. ૧૭૫
કુળઅપેક્ષા ગુરુપણાનો નિષેધ ................. ૧૭૫
શિથિલાચારની પોષક યુક્તિ અને તેમનું
નિરાકરણ .................................. ૧૮૯
કુધર્મનું નિરૂપણ અને તેની શ્રદ્ધા આદિનો
નિષેધ....................................... ૧૯૨
અધિકાર સાતમો ૧૯૮ થી ૨૭૩
(જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ)
કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું
નિરૂપણ .................................... ૧૯૮
કેવળજ્ઞાન માનવામાં ભૂલ ..................... ૧૯૯
નિશ્ચયાભાસીની સ્વચ્છંદતા અને તેમનો
નિષેધ....................................... ૨૦૫
શાસ્ત્રાભ્યાસની નિરર્થકતા માનનારનો
નિષેધ....................................... ૨૦૫

Page -12 of 370
PDF/HTML Page 16 of 398
single page version

background image
વિષયપૃષ્ઠ વિષયપૃષ્ઠ
શુભને છોડી અશુભમાં પ્રવર્તવું યોગ્ય
નથી ......................................... ૨૦૯
કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ.......... ૨૧૦
સ્વદ્રવ્ય
પરદ્રવ્યનાં ચિંતવનવડે નિર્જરા
બંધનો પ્રતિબંધ ........................... ૨૧૪
નિર્વિકલ્પ દશાનો વિચાર ...................... ૨૧૫
કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું
નિરૂપણ .................................... ૨૧૮
કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી ...... ૨૧૮
પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધર્મધારક
વ્યવહારાભાસી ............................ ૨૨૦
સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક
વ્યવહારાભાસી .......................... ૨૨૩
વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય
પ્રવૃત્તિ .................................... ૨૨૪
ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી ........ ૨૨૫
સમ્યગ્દર્શનનું અન્યથારૂપ ....................... ૨૨૫
જૈનાભાસાનીે સુદેવ-ગુરુ-શાસ્ત્ર ભકિતનું
મિથ્યાપણું .................................. ૨૨૬
દેવભકિતનું અન્યથારૂપ ......................... ૨૨૬
ગુરુભકિતનું અન્યથારૂપ ........................ ૨૨૭
શાસ્ત્રભકિતનું અન્યથાપણું ...................... ૨૨૮
તત્ત્વાર્થશ્રદ્ધાનનું અયથાર્થપણું ................... ૨૨૮
જીવ-અજીવતત્ત્વનું અન્યથારૂપ ................. ૨૨૯
જીવાજીવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા....... ૨૨૯
આસ્રવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ......... ૨૩૦
બંધતત્ત્વનું અન્યથારૂપ .......................... ૨૩૨
સંવરતત્ત્વનું અન્યથારૂપ ......................... ૨૩૨
નિર્જરાતત્ત્વનાં શ્રદ્ધાનની અયથાર્થતા ......... ૨૩૪
મોક્ષતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ............ ૨૩૭
સમ્યગ્જ્ઞાનનું અન્યથારૂપ ....................... ૨૩૯
સમ્યક્ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં
અયથાર્થતા ................................. ૨૪૩
દ્રવ્યલિંગીના ધર્મસાધનમાં અન્યથાપણું ...... ૨૪૯
દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું ....... ૨૫૧
ઉભયાભાસી મિથ્યાદ્રષ્ટિ ........................ ૨૫૪
સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદ્રષ્ટિનું નિરૂપણ ...... ૨૬૪
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ ........................ ૨૬૭
અધિકાર આઠમો ૨૭૪ થી ૩૦૯
(ઉપદેશનું સ્વરૂપ)
અનુયોગનું પ્રયોજન ............................. ૨૭૪
પ્રથમાનુયોગનું પ્રયોજન ......................... ૨૭૪
કરણાનુયોગનું પ્રયોજન ......................... ૨૭૫
ચરણાનુયોગનું પ્રયોજન ......................... ૨૭૬
દ્રવ્યાનુયોગનું પ્રયોજન .......................... ૨૭૭
પ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન........... ૨૭૭
કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ........... ૨૮૦
ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન .......... ૨૮૩
દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ............ ૨૮૮
ચારે અનુયોગોમાં વ્યાખ્યાનની પદ્ધતિ ....... ૨૯૧
વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈદ્યક, જ્યોતિષ
અને મંત્રાદિશાસ્ત્રનું પ્રયોજન ............ ૨૯૨
પ્રથમાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ ..... ૨૯૩
કરણાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ ..... ૨૯૪
ચરણાનુયોગમાં દોષ
કલ્પનાનું નિરાકરણ .. ૨૯૬
દ્રવ્યાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ .... ૨૯૭
વ્યાકરણન્યાયાદિક શાસ્ત્રોની ઉપયોગિતા... ૨૯૯
અપેક્ષાજ્ઞાનના અભાવે આગમમાં દેખાતા
પરસ્પર વિરોધનું નિરાકરણ ........... ૨૯૯

Page -11 of 370
PDF/HTML Page 17 of 398
single page version

background image
વિષયપૃષ્ઠ વિષયપૃષ્ઠ
અધિકાર નવમો ૩૧૦ થી ૩૪૪
મોક્ષમાર્ગનું સ્વરૂપ............................... ૩૧૦
આત્માનું હિત એક મોક્ષ જ છે ............. ૩૧૦
સાંસારિક સુખ દુઃખ જ છે .................. ૩૧૨
પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ ...................... ૩૧૪
મોક્ષમાર્ગનું સ્વરૂપ............................... ૩૧૮
લક્ષણ અને તેના દોષ ......................... ૩૧૯
સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ................ ૩૨૦
તત્ત્વ સાત જ કેમ? ............................ ૩૨૧
તત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણમાં અવ્યાપ્તિ
અતિવ્યાપ્તિ
અસંભવદોષનો પરિહાર .............. ૩૨૪
વિષય કષાયાદિક વખતે પણ સમ્યકત્વીને
તત્ત્વશ્રદ્ધાન ................................. ૩૨૫
નિર્વિકલ્પદશામાં પણ તત્ત્વશ્રદ્ધાન............. ૩૨૬
સમ્યક્ત્વના વિભિન્ન લક્ષણોનો મેળ ........ ૩૨૮
સમ્યક્ત્વના ભેદ ................................. ૩૩૫
સમ્યગ્દર્શનનાં આઠ અંગ ...................... ૩૪૩
સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ ....................... ૩૪૪
(પરિશિષ્ટ ૧)
સમાધિમરણનું સ્વરૂપ................... ૩૪૫
[ પંડિતપ્રવર ટોડરમલજીના સુપુત્ર
પંડિત ગુમાનીરામજીએ રચેલું ]
સમ્યગ્દ્રષ્ટિ કેવો છે? ........................... ૩૪૫
સમ્યગ્દ્રષ્ટિ રાગી કેમ થતો નથી? .......... ૩૪૬
(પરિશિષ્ટ ૨)
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ......................... ૩૪૭
(આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી દ્વારા રચિત)
(પરિશિષ્ટ ૩)
પરમાર્થવચનિકા ...........................૩૫૬
[કવિવર પં૦ બનારસીદાસજી રચિત]
નિશ્ચય અને વ્યવહારનું વિવરણ.............. ૩૫૭
એ ત્રણે અવસ્થાનું વિવરણ ................... ૩૫૭
નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ અને વ્યવહાર
સંસારાવસ્થિત ભાવ, તેનું વિવરણ ... ૩૫૭
હવે ત્રણે વ્યવહારનું સ્વરૂપ ................... ૩૫૭
આગમ
અધ્યાત્મનું સ્વરૂપ ..................... ૩૫૮
અનંતતા કહી તેનો વિચાર .................... ૩૫૮
હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું
અન્ય પણ સાંભળો...................... ૩૫૯
સમ્યગ્દ્રષ્ટિનો વિચાર સાંભળો ................ ૩૫૯
હેય-જ્ઞેય-ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો
વિચાર ...................................... ૩૬૦
(પરિશિષ્ટ ૪)
ઉપાદાનનિમિત્તની ચિઠ્ઠી ...............૩૬૨
[કવિવર પં૦ બનારસીદાસજી લિખિત]
હવે ચૌભંગીનો વિચાર
જ્ઞાનગુણ નિમિત્ત
અને ચારિત્રગુણ ઉપાદાનરૂપ, તેનું
વિવેચનઃ .................................. ૩૬૩
નિમિત્તઉપાદાનનો શુદ્ધઅશુદ્ધરૂપ
વિચાર ...................................... ૩૬૬
ઇતિ નિમિત્તઉપાદાન શુદ્ધાશુદ્ધરૂપ
વિચાર વચનિકા. .......................... ૩૬૬

Page -10 of 370
PDF/HTML Page 18 of 398
single page version

background image
શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
વ્યવહારનય સ્વદ્રવ્યપરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણકાર્યાદિકને કોઈના કોઈમાં
મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી
નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ
શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નજો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું
કારણ?
ઉત્તરજિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેનો
તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’’ એમ જાણવું;
અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન
સત્યાર્થ જાણી, ‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી
તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્નજો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે
આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરએવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે
જેમ કોઈ અનાર્યમલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ
વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની
વ્યાખ્યામાં એમ કહ્યું છે કે
એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ
આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.

Page -9 of 370
PDF/HTML Page 19 of 398
single page version

background image
नमः सिद्धेभ्यः
આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીકૃત
શ્રી મોક્ષમાર્ગપ્રકાશક
ગુજરાતી અનુવાદ
અનુવાદકનું મંગલાચરણ
(શાર્દૂલવિક્રીડિત છંદ)
શ્રી સત્તત્ત્વરુચિ સુબોધ સ્થિરતા શુદ્ધાત્મ ભાવે વરૂં,
વંદું સત્શ્રુતિ સદ્ગુરુ ચરણને સત્કાર્ય સિદ્ધે ઠરૂં;
પ્રારંભે પરમેષ્ઠી પંચ પ્રણમું માંગલ્ય આપે સદા,
સૌને શ્રેય કરે ધરે સ્વપદમાં સ્વાનંદ દે સર્વદા.
(સવૈયા)
શાશ્વત નિજાત્મ તત્ત્વ યથાર્થ સમજવાને,
મોક્ષમાર્ગ પ્રકાશક શ્રેષ્ઠ સુખદાયી છે;
અનાદિનું દુઃખ જાય આત્મસિદ્ધિ સદ્ય થાય,
આસ્રવ રોકાય ભાવ સંવર વરાય છે.
નમો નમો શુદ્ધ ભાવ સચ્ચિતિ સ્વરૂપ ગુરુ,
જ્ઞાન-ધ્યાન આત્મ પુષ્ટિ સત્વર કરાય છે;
મંગળ કલ્યાણમાલા સુગંધ વિસ્તાર થાય,
મોહ ભાવ જાય શુદ્ધ સ્વભાવ પમાય છે.
(દોહરા)
પરમ પદારથ પામવા, મંગલમય જિનવાણ;
વંદું નિજગુણ વૃદ્ધિકર, લહું સદા સુખખાણ.
1

Page -8 of 370
PDF/HTML Page 20 of 398
single page version

background image
અધિકાર પહેલો
પીLબંધા પ્રરુપક
ગ્રંથકર્તાનું મંગલાચરણ
મંગલમય મંગલ કરણ, વીતરાગ વિજ્ઞાન,
નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન;
કરી મંગલ કરૂં છું મહા, ગ્રંથકરણ શુભ કાજ,
જેથી મળે સમાજ સર્વ, પામે નિજપદ રાજ.
હવે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક નામના ગ્રંથનો ઉદય થાય છે, ત્યાં પ્રથમ ગ્રંથકર્તા મંગલાચરણ
કરે છે.
णमो अरहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं;
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं।
આ પ્રાકૃતભાષામય નમસ્કાર મંત્ર છે તે મહામંગલસ્વરૂપ છે, તેનું સંસ્કૃત નીચે પ્રમાણે
થાય છેઃ
नमोऽर्हद्भ्यः। नमः सिद्धेभ्यः, नमः आचार्येभ्यः, नमः उपाध्यायेभ्यः, नमः लोके सर्वसाधुभ्यः।
શ્રી અરિહંતને નમસ્કાર હો, સિદ્ધને નમસ્કાર હો, આચાર્યને નમસ્કાર હો, ઉપાધ્યાયને
નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. એ પ્રમાણે તેમાં નમસ્કાર કર્યા
છે તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે.
હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિન્તવન કરીએ છીએ, કારણ કે સ્વરૂપ
જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું? અને તે સિવાય ઉત્તમ ફલની
પ્રાપ્તિ પણ ક્યાંથી થાય?
અરિહંતનું સ્વરુપ
ત્યાં પ્રથમ અરિહંતનું સ્વરૂપ વિચારીએ છીએ. જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર
કરી, નિજસ્વભાવ સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા
છે, ત્યાં અનંતજ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણપર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્
વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંતદર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્ય
વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે.