Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૧૦–૦૧૧
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
એકવાર હા તો પાડ!
હે જીવ! હે પ્રભુ! તું કોણ છો તેનો કદી
વિચાર કર્યો છે? કયું તારું રહેઠાણ અને કયું
તારું કાર્ય તેની તને ખબર છે? પ્રભુ? વિચાર
તો ખરો કે તું ક્યાં છો અને આ બધું શું છે?
તને કેમ શાંતિ નથી?
પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ
છો, વીતરાગ છો, પણ તને તારા સ્વરૂપની
ખબર નથી તેથી જ તને શાંતિ નથી. ભાઈ!
ખરેખર તું ઘર ભુલ્યો છો–ભુલો પડ્યો છો,
પારકા ઘરને તું તારું રહેઠાણ માની બેઠો; પણ
બાપુ! એમ અશાંતિના અંત નહીં આવે!
ભગવાન! શાંતિ તો તારા સ્વઘરમાં જ
ભરી છે. ભાઈ! એકવાર બધાયનું લક્ષ
છોડીને તારા સ્વઘરમાં તો જો! તું પ્રભુ છો, તું
સિદ્ધ છો. પ્રભુ! તું તારા સ્વઘરને જો–પરમાં ન
જો. પરમાં લક્ષ કરી કરીને તો તું અનાદિથી
ભ્રમણ કરી રહ્યો છો, હવે તારા અંતરસ્વરૂપ
તરફ નજર તો કર! એકવાર તો અંદર જો!
અંદર પરમ આનંદના અનંતા ખજાના ભર્યા
છે, તેને સંભાળ તો ખરો! એકવાર અંદર
ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ
અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે.
અનંતા જ્ઞાનીઓ કહે છે કે ‘તું પ્રભુ
છો.’ પ્રભુ! તારા પ્રભુત્વની એકવાર હા તો
પાડ!

PDF/HTML Page 3 of 29
single page version

background image
દ્રષ્ટિનો વિષય
વસ્તુ ત્રિકાલિક છે તેના આશ્રયથી પર્યાય નિર્મળ થાય છે. પર્યાયના આશ્રયથી પર્યાય નિર્મળ થતી નથી.
ગુરુના કહેવા ઉપર લક્ષ જાય છે ત્યાં સુધી નિમિત્ત, શાસ્ત્ર, ગુરુ અને જ્ઞાન બધા વિનાશી, પણ ધ્રુવ પ્રત્યે નજર
જાય ત્યારે જ્ઞાન અવિનાશી થાય છે. અનુભવ ને સમ્યગ્દર્શન તે અવસ્થા છે. તેને ને આત્માને ત્રિકાળી સંબંધ
નથી, કેમકે તે ફરી જાય છે. દર્શન નિમિત્તનો સ્વીકાર કરતું નથી, પણ ત્યારપછી ઉપચારથી નિમિત્ત કહેવાય છે.
પાછળથી જ્ઞાન નિમિત્તને જાણે છે. દર્શન વખતે નિમિત્ત નથી. પાછળથી (પછીથી) નિમિત્ત કહેવાણું નિમિત્તને
રાગથી જાણે છે ત્યાં સુધી જ્ઞાન વિનાશી અનિત્ય છે. તે અવિનાશીને લાભ કરતું નથી. તે તો પૂર્વનો જ ઉઘાડ
છે. પોતે જ જ્યારે પોતા તરફ વળીને નિર્ણય કર્યો ત્યારે નિમિત્ત કહેવાય છે. જે સમયે અવિનાશી જ્ઞાન થાય છે
તે વખતે નિમિત્તનો સવાલ જ રહેતો નથી. નિર્ણય સામાન્ય ઉપર વળ્‌યો ત્યાં સંસાર છૂટયો. સંસાર છૂટવાનું
કારણ દ્રવ્ય પોતે છે. નિર્ણય થયા પછી નિમિત્ત કહેવાય છે. ધ્રુવ શક્તિ સાધ્ય છે, મોક્ષ સાધ્ય નથી. મોક્ષ પ્રગટ
થાય છે. પ્રગટ–અપ્રગટ પર્યાય દ્રષ્ટિમાં હોય. ધ્રુવ કાયમ પ્રગટ છે. પ્રગટ અપ્રગટ વસ્તુમાં સવાલ જ નથી. પ્રગટ
અપ્રગટ અવસ્થામાં જ વસ્તુ ધ્રુવ તો કાયમ પ્રગટ જ છે. સાધ્ય વસ્તુ, સાધન નિર્ણય (વ્યવહાર.) ધ્રુવ લક્ષમાં
આવતાં સહજ નિર્મળ અવસ્થા પ્રગટે છે. પુરુષાર્થ કરવો પડતો નથી. સહજ પુરુષાર્થ થઈ જાય છે. આશ્રય
પર્યાયનો કેવો! આશ્રય સ્વભાવનો! ધ્રુવ ને મોક્ષ એ બે સાધ્ય થાય તો બે ભંગ પડી જાય, દર્શનનો વિષય ભંગ
(બે) નથી. સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન ઉઘડે તે નિશ્ચયથી આદરણીય નથી. સાધ્ય સાધનનો ભેદ નિશ્ચયમાં છે જ
નહિ. ભેદનું જોર આવે તો અભેદ ઉપર જોર આવતું નથી.
શ્રી સનાતન જૈન પાઠશાળા – સોનગઢ
(૧) આ પાઠશાળામાં જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવે છે.
(૨) અભ્યાસીઓને ભોજન ખર્ચ તથા રહેવાનું સ્થળ પાઠશાળા તરફથી આપવામાં આવે છે.
(૩) અભ્યાસીની ઉમ્મર ૧૪ વર્ષ કે તેથી ઉપરની હોવી જોઈએ.
(૪) અભ્યાસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે.
(પ) અભ્યાસક્રમ ત્રણ વર્ષ સુધીનો રહે છે.
(૬) ભાદ્રપદ સુદ પ થી નવું વર્ષ શરૂ થાય છે.
(૭) દાખલ થવા ઈચ્છનારે પત્ર વ્યવહાર કરી છાપેલું ફોર્મ મંગાવી લેવું.
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (કાઠિયાવાડ)
વ્યવહારથી નિશ્ચય ન આવે
વ્યવહારનય એટલે પરને આશ્રયે પ્રવર્તેલું કથન. દર્શનનો વિષય અભેદ છે, એમ જ્ઞાન જાણે તો જ્ઞાને
યથાર્થ જાણ્યું કહેવાય. તે જ્ઞાન રાગદ્વેષને તો ગૌણ કરી નાંખે એટલું જ નહિ પણ નિર્મળ અવસ્થાને ય ગૌણ કરી
નાંખે. ગૌણ કરી નાખે એટલે અવસ્થા પ્રત્યે વજન નહીં. તે જ્ઞાન કેવળજ્ઞાનને પણ ગૌણ કરી નાંખે છે; એકલું
સામાન્ય તે દર્શનનો વિષય છે. શ્રદ્ધાનું લક્ષ તો વિકાર ઉપર નથી, પણ નિર્મળ અવસ્થા કેટલી પ્રગટી તે પર પણ
નથી. નિરપેક્ષ દ્રષ્ટિમાં પરની અપેક્ષા આવતી નથી, પરનું આલંબન આવતું નથી. વ્યવહારથી નિશ્ચય ન આવે,
વ્યવહારનો નિષેધ કરે નિશ્ચય આવે. ઉણી અવસ્થા કે પૂરી નિર્મળ અવસ્થા કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી.
નિમિત્ત સાથે હોય છે, પણ દ્રષ્ટિમાં નિમિત્તનો આદર હોતો નથી. ઉણી અવસ્થા છે તેથી જ્ઞાન નિમિત્તને જાણે ખરું,
પણ દર્શનનો વિષય નિરાલંબ છે; દ્રષ્ટિ તેનો જ આદર કરે છે. સમ્યગ્દર્શન પણ સાધન છે, અખંડ તો સાધ્ય છે.
સાધ્યના જોરે સાધન વચમાં થઈ જાય છે. રાગદ્વેષ અવગાહે, ક્ષેત્રે ભેગા પણ ભાવે. ભેગા નથી તેથી છૂટા પડે છે.
સમ્યગ્દર્શન થયું એટલે પરમાત્મા થઈ જવાનો. સમ્યગ્દર્શની તો લઘુનંદન થઈ ગયો; કૃતકૃત્ય થઈ ગયો. વિકાર વડે
નિર્મળ અવસ્થા પ્રગટે એ તો અત્રે વાત જ નથી, પણ નિર્મળ અવસ્થા વડે વિશેષ અવસ્થા ઉઘડે તેમ પણ નથી.
વ્યવહારનો અભાવ કરતાં નિશ્ચય આવે. વ્યવહાર કરતાં નિશ્ચય આવે એમ ત્રણ લોકમાં બને તેમ નથી.
વિનતિ
આત્મધર્મ અને સત્શાસ્ત્રોના પ્રચાર માટે ‘શિષ્ટ સાહિત્ય પત્રિકા’ પ્રગટ કરવામાં આવી છે. જિજ્ઞાસુઓ
પોતાનું તેમજ બીન સજ્જનોનું નામ અને પૂરું સરનામું લખી જણાવે. જમુ રવાણી.

PDF/HTML Page 4 of 29
single page version

background image
ક્રમબધ્ધ પયય
જગતમાં છ દ્રવ્યો છે. તે દરેકમાં અનંત ગુણો પોત પોતાના નિત્ય છે;
દરેક સમયે સમયે તે ગુણોની અવસ્થા બદલે છે, જે જે અવસ્થા થાય છે તે
દરેક ક્રમબદ્ધ જ આવે છે. પછી થવાની અવસ્થા પહેલાંં થઈ જતી નથી કે
પહેલાંં થવાની જે અવસ્થા તે પાછળ થાય એમ ક્રમબધ્ધ અવસ્થામાં ફેર
પડતો નથી.
દા. ત. માટીમાંથી ઘડો થાય તેમાં ક્રમબદ્ધ અવસ્થાઓ જ આવે છે.
પ્રથમ તે માટીને પિંડરૂપ કરવા (બરાબર ચીકાશરૂપ કરવા) તેને ધોકાવતી
છૂંદે છે, પછી તેને ચાક ઉપર ચડાવીને ઘડા આકારે બનાવે છે; તેમાં કુંભાર
પહેલાંં માટીને ચાક ઉપર ચડાવે અને પછી તેને ધોકાવતી છૂંદે એમ કદી
બનતું નથી. તેમ આત્મામાં પણ દરેક અવસ્થા ક્રમબદ્ધ જ થાય છે, તેના
ક્રમમાં ભંગ પાડવા કોઈ સમર્થ નથી. તેની કેવળ અને મોક્ષ પર્યાયો પણ
ક્રમબદ્ધ જ પ્રગટે છે, તેમાં સમયમાત્રનો ફેર પાડવા કોઈ સમર્થ નથી.
હવે સહેજે નીચેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે:– જો વસ્તુની બધી
પર્યાયો ક્રમબદ્ધ જ આવે છે અને આત્માને કેવળ તથા મોક્ષ પણ ક્રમબદ્ધ જ
આવે છે–તેમાં ફેર પડવાનો જ નથી તો પછી તેમાં પુરુષાર્થ ક્યાં રહ્યો?
તેનો ખુલાસો નીચે પ્રમાણે છે:–
વસ્તુની ક્રમબદ્ધ અવસ્થામાં તો ફેર પડવાનો જ નથી. પણ “વસ્તુની
પર્યાય ક્રમબદ્ધ જ થાય છે” એવી શ્રદ્ધા કરવામાં જ અનંતો પુરુષાર્થ આવી
જાય છે.
ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થતાં પોતાની પર્યાય ઊઘડવા માટે કોઈ પર
ઉપર લક્ષ રહેશે નહીં, તેથી કોઈ પર ઉપર રાગદ્વેષનું કારણ નહીં રહે.
“મારી શુદ્ધ પર્યાય ક્યારે ઉઘડશે” એવો આકુળતાનો વિકલ્પ પણ રહેશે
નહીં, તેથી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા તો જે નજીક મુક્તિગામી હોય તે જ જીવ
નક્કી કરી શકે, તેથી ક્રમબદ્ધ પર્યાય નક્કી કરવામાં અનંતો પુરુષાર્થ આવે
છે. ક્રમબદ્ધ પર્યાયમાં વીતરાગતા છે.
ક્રમબદ્ધ પર્યાયનો નિશ્ચય થયા પછી પર દ્રવ્યની ગમે તેવી અનુકૂળ
કે પ્રતિકૂળ અવસ્થા થાય તો પણ તેમાં રાગદ્વેષ થાય નહીં. (અનુકૂળ–
પ્રતિકૂળપણું જગતની દ્રષ્ટિએ છે, વસ્તુમાં અનુકૂળ–પ્રતિકૂળપણું નથી.)
ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય? કે પરદ્રવ્યમાં થતી
અવસ્થા ગમે તેવી થાય તેમાં “આ આમ કેમ થયું? આમ થયું હોત તો મને
ઠીક” એ વગેરે વિચારો–વિકલ્પ–રાગદ્વેષ થાય જ નહીં. એને (ક્રમબદ્ધ
પર્યાય નક્કી કરનારને) શ્રદ્ધા છે કે આ દ્રવ્યની આ વખતે આ પ્રમાણે
અવસ્થા ક્રમબદ્ધ થવાની હતી, તે જ મુજબ થાય છે, તો પછી તેમાં રાગ કે
દ્વેષ કેમ કરે? માત્ર જે વસ્તુની જે સમયે જે જાતની અવસ્થા થાય તેનું જ્ઞાન
જ કરે.
આ રીતે ક્રમબદ્ધ અવસ્થાનો નિર્ણય તે પોતે જ વીતરાગતા છે, અને
તે નિર્ણય કરવામાં જ અનંતો પુરુષાર્થ છે.

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ૧૬૪ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
‘હું ચિદાનંદ અસંયોગી આત્મા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ નિર્મળ છું, મારે અને પરને કાંઈ
પણ સંબંધ નથી. એવું ભાન થયા પછી સ્વરૂપમાં ટકવારૂપ પુરુષાર્થની નબળાઈમાં
વિષયકષાયના પાપભાવથી બચવા માટે શુભાવ આવે તે પણ વિકાર છે. હું તે
રહિત જ્ઞાતા દ્રષ્ટા છું.’ એ દ્રષ્ટિ થયા વિના
પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું વસ્તુની સ્વતંત્રતા બતાવતું અદ્ભુત વ્યાખ્યાન
કદી કોઈને ધર્મ થયો નથી, થતો નથી અને થશે નહીં
સમયસાર નિર્જરા અધિકાર રાજકોટ તા. ૨૧ ૨ – ૪ સોમવાર મહા વદી ૧૨

નિર્જરા એટલે આત્મસ્વભાવનું ભાન થતાં પરાધીન ભાવનો નાશ અને સ્વાધીન ભાવનો વિકાસ થવો
તે નિર્જરા છે. સ્વાધીન ભાવનો વિકાસ અને પરાધીન ભાવનો નાશ કોના જોરે થાય છે તેને જાણ્યા વિના
નિર્જરા થાય નહીં.
વિકારભાવ–પરાધીનભાવ–ક્ષણિક છે; અવિનાશી નિર્મળ ધ્રુવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ થાય તો તે ક્ષણિકનું
માહાત્મ્ય જાય. શરીરાદિની વાસના તો ખસી જ જવી જોઈએ, પણ ક્ષણિક રાગ દ્વેષ જેટલો હું નહીં એમ ભાન
થતાં તે પ્રત્યે હોંશ ખસી જાય, પણ તે ક્યારે બને? કે ક્ષણિકનું લક્ષ ગૌણ કરીને અવિનાશી કાયમ રહેનારો હું છું
એવું ભાન કરે ત્યારે.
રાગદ્વેષ વિનાનો, જાણનાર સ્થિર આત્મા તે હું છું એ જાણ્યા વિના સ્વતંત્રતા ખીલે નહીં. “એક
આત્માને બીજાની જરૂર નથી” એવો નિર્ણય થવો તે જ સ્વતંત્રતાનું કારણ છે. એક આત્માને પરની જરૂર પડે
(પરની જરૂર છે એમ માને) તે પરતંત્રતા છે. શરીરાદિ સારું હોય તો ઠીક એમ એક તત્ત્વ બીજા તત્ત્વનું
આલંબન ઈચ્છે તે પરાધીનતા છે.
‘હું નિર્મળ જ્ઞાનજ્યોત રાગદ્વેષ વગરનો છું, મારું સુખ મારામાં છે.’ એવી શ્રદ્ધા જ સ્વભાવની સ્વતંત્રતા
પ્રગટ કરવાનો ઉપાય છે. આ સ્વરૂપની રુચિનો જે ભાવ છે, તેમાં અનંતો પુરુષાર્થ છે, વિષય કષાયની રુચિ
નહીં. ‘દીકરો સ્ત્રી ધન વગેરે બધા પર વસ્તુ તે મારું સ્વરૂપ નહીં. જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં જ આત્મધર્મ અને
સ્વતંત્રતા છે. આત્માને પરના આશ્રયની જરૂર નથી.’ એવા નિશ્ચય વગર ધર્મ અને સ્વતંત્રતા પ્રગટે નહીં.
જ્ઞાન વગર આ (સ્વતંત્રતાનો નિશ્ચય) થાય તેમ નથી; કારણ કે બધાનો પત્તો મેળવનાર જ્ઞાન જ છે.
અરૂપી ભાવનો પત્તો મેળવનાર જ્ઞાન છે; પરથી જુદાપણાનો વિવેક કરવાનો પત્તો પણ જ્ઞાનથી મેળવાય છે.
દરિયામાં આંખો બંધ હોવા છતાં મોતીને કોણ ઓળખે છે? તે જ્ઞાનથી જણાય છે. જ્ઞાન એટલે આત્મા; તે જાણે
છે કે આ મોતી છે અથવા આ શંખલું છે, એમ મોતી અને શંખલાં વચ્ચેનો ભેદ જાણનાર જ્ઞાન છે.
ચૈતન્ય આત્માથી લક્ષ્મીઆદિ પર છે. પરથી નીરાળા આત્માની સ્વતંત્રતાનો પત્તો સાચા જ્ઞાન વગર
મળે નહિ, અને સત્સમાગમ વગર સાચું જ્ઞાન મળે નહીં અને સમ્યગ્દર્શન થાય નહીં. સમ્યગ્દર્શન વગર
સ્વાધીનતા પ્રગટે નહીં. આ કહેવાય છે તે સમકીતિનો નિઃશંકતા નામનો પ્રથમ આચાર છે. આનો વિશ્વાસ તે
શ્રદ્ધા અને આ જાણવું તે જ્ઞાન છે. આત્માનું દર્શન–જ્ઞાન આત્મામાં છે. આત્માના ધર્મનો સંબંધ આત્મા સાથે છે,
બહાર સાથે નથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર પર છે. ધર્મનો સંબંધ પર સાથે નથી. ધર્મ પર સાથે સંબંધ રાખતો નથી. ધર્મ એટલે પરમાં
પોતાપણાની માન્યતા જ્ઞાનમાં ન થવા દેવી અને અખંડચૈતન્યના લક્ષે રાગદ્વેષ મોળા પડી જાય તેજ આત્માનો ધર્મ

PDF/HTML Page 6 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૬૫ :
છે. આત્માનો ધર્મ આત્મામાં છે. દેવ–ગુરુ–શાસ્ત્ર તરફના શુભ ભાવ, અશુભ ભાવ (સંસારના પાપના પરિણામ)
ઘટાડવા આવે ખરા, છતાં ધર્મની દ્રષ્ટિમાં એ આદરણીય નથી. ધર્મ તો મારો જ્ઞાતા સ્વભાવ છે–તેમાં આત્મા ટકી
શકતો નથી, ત્યારે શુભમાં જોડાવું પડે છે. શુભભાવ ધર્મનું કારણ નથી એમ જીવ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી
ધર્મની–આત્માની, સ્વતંત્રતાની તેને ખબર નથી. પરનું કાંઈ કરવાની વૃત્તિ તે વિકાર છે.
‘હું ચિદાનંદ અસંયોગી આત્મા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ નિર્મળ છું, મારે અને પરને કાંઈ પણ સંબંધ નથી.’ એવું
ભાન થયા પછી સ્વરૂપમાં ટકવારૂપ પુરુષાર્થની નબળાઈમાં વિષયકષાયના પાપભાવથી બચવા માટે શુભભાવ
આવે તે પણ વિકાર છે. હું તે રહિત જ્ઞાતા–દ્રષ્ટા છું એ દ્રષ્ટિ થયા વિના કદી કોઈને ધર્મ થયો નથી, થતો નથી
અને થશે નહિ.
હવે સમ્યગ્દર્શનના આઠ અંગ કહે છે. તેમાં પહેલું નિઃશંકતા અંગ કહે છે.
यश्चतुरोडपि पादान् छिनत्ति तान् कर्मबंधमोहकरान्।
स निश्शंकश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।। २२९।।
આ ગાથા અપૂર્વ છે. સ્વતંત્રતાનો ઉપાય અનંતકાળે નહીં કરેલો એવો અપૂર્વ છે.
આત્મા જાણનાર–દેખનાર જ છે. આત્મા નિશ્ચયથી (ખરેખર) કર્મ વડે બંધાય એમ માનવું તે ભ્રમ છે.
આવો ભ્રમ સમકીતિને હોતો નથી.
દરેક ચીજ જુદી છે. એક તત્ત્વ બીજા તત્ત્વનું કાંઈ કરવા સમર્થ નથી. જો એક પદાર્થ બીજાનું કાંઈ પણ કરે
તો બે પદાર્થો એક થઈ જાય. તેથી એક પદાર્થ બીજાનું કાંઈ પણ કરે એમ માનવું તે તદ્ન મિથ્યાત્વ છે.
સત્ ત્રણકાળમાં ફરે તેમ નથી. જો એક જુદું તત્ત્વ બીજા તત્ત્વના આધારે હોય તો તે તત્ત્વ જ ન હોઈ
શકે. હવે જો પર સાથે સંબંધ નથી તો એક ક્ષેત્રે રહેલા જડ કર્મ આત્માને રાગદ્વેષ કરાવતા નથી, કારણ કે તે
જુદી ચીજ છે. આત્મા સ્વતંત્ર જ્ઞાનમૂર્તિ જુદી ચીજ છે. પર વસ્તુ આત્માને કાંઈ રાગદ્વેષ કરાવતી નથી. હવે
સ્વતંત્ર આત્માનો જ્યાં નિર્ણય થયો–ત્યાં હું રાગદ્વેષરૂપે નથી કારણ કે એકલા તત્ત્વમાં વિકાર હોય નહિ–જો
એકલું તત્ત્વ વિકાર (રાગદ્વેષ) કરે તો તે તેનો સ્વભાવ થઈ જાય માટે એકલામાં વિકાર ન હોય.
આત્મામાં પર પદાર્થ નથી; જેને સાચો નિર્ણય થયો કે, ‘હું જુદો છું માટે મને બંધ નથી.” તેને બંધ નથી.
બંધ ત્યારે જ થાય કે જ્યારે જીવ પોતાને બીજાથી બંધાયેલો માને.
પહેલો સિદ્ધાંત:– ‘એક તત્ત્વ બીજા તત્ત્વને કાંઈ કરી શકે નહિ.’ આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
બીજું– ‘પર પદાર્થ મને રાગદ્વેષ કરાવે’ એવું માન્યું છે તે જ અનાદિનો ભ્રમ છે.
‘હું એક જુદું તત્ત્વ–કર્મો વડે બંધાએલો છું.’ એવો જે ભ્રમ તે જ અનંત અવગુણની જડ છે. ‘પરથી
બંધાયેલો છું’ એવો ભ્રમ તે જ મિથ્યાત્વ છે. હું છૂટો છું એમ ન માનતાં, ‘મારે પરના આશ્રય વગર ન ચાલે’
એવો જે નિશ્ચય તે જ અજ્ઞાન અને ઊંધી બુદ્ધિ છે. કોઈ કોઈને મદદ આપતું નથી છતાં અજ્ઞાનથી જીવ તેમ માત્ર
માને છે.
આત્મા જાણનાર છે તેમાં કર્મબંધ નથી. બંધાયો છું એવો ભ્રમ જ્ઞાનીને નથી.
પ્રશ્ન:– બંધાયેલો નથી તો શું મુક્ત થઈ ગયો છે?
ઉત્તર:– અનાદિથી આત્મા તો મુક્ત જ છે પણ ‘મારામાં સ્વતંત્રતા છે તેમાં ઠરૂં તો સ્વાધીન છું’ એમ
જેને ભાન નથી, તેણે પોતાને પરાધીન માન્યો છે. ‘હું સ્વાધીન છું’ એવું યથાર્થ ભાન થતાં હાલતમાં સ્વાધીનતા
ઉઘડે છે. વસ્તુ તો સ્વતંત્ર છે જ, પરાધીનતાની માન્યતા સિવાય બીજું કાંઈ અનાદિનું જીવે કર્યું જ નથી. આ
વાત કોઈ કબુલ ન કરે તો પણ ત્રણ કાળમાં ફરે તેમ નથી. આ સિવાય બીજું

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૧૬૬ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
માની શકે પણ પરનું કરી તો શકતો જ નથી. આ સમજે ત્યારે પરનું કરતો અટકે એમ પણ નથી, પહેલાંં પણ
પરનું પરને કારણે થતું હતું–ત્રણે કાળે પરનું પરને કારણે થાય છે–એમ જ છે.
‘મને બંધન છે, હું પરાધી ન છું.’ એવા સંદેહને લઈને જીવને ક્યાંય સુખ થતું નથી. તે ઓશિયાળા
જીવનની ચિંતામાં (ભ્રાંતિના ભ્રમના મુળિયાના ફાલમાં) વિકાર થયા કરતો તેનો સમ્યગ્દર્શન વડે પ્રથમ છેદ
કર્યો કે કર્મ વડે ત્રણ કાળમાં જીવ બંધાતો નથી. એમ તે જાણે છે.
આત્મા વસ્તુ છે. તેનો ગુણ તેનાથી જુદો હોય નહીં. ફક્ત માન્યું છે કે મારા ગુણ પરમાં છે, એટલે માને
છે કે કર્મનું બંધન છે અને કહે છે કે કર્મનું બંધન ન હોય તો મોક્ષ કેમ ન હોય? તેને એમ પૂછવામાં આવે છે કે–
તું બંધાયો એમ તેં માન્યું છે? કે કર્મે તને બાંધ્યો છે? જે બંધાયો છે તે પોતાને કારણે બંધાયો છે. કોઈ તત્ત્વ
બીજા તત્ત્વને બાંધી શકે નહીં.
પ્રશ્ન:– એકલા આત્માની વાત કરે તો જીવ પાગલ ન થઈ જાય?
ઉત્તર:– આત્મા એટલે સત્ય અસત્યનો વિવેક જાણનાર. જેને તે વિવેક નથી આવડતો તે પાગલ છે–
વિવેક જેણે જાણ્યો તે પાગલ થાય નહીં. એક સ્વતંત્ર તત્ત્વ આત્મા તેને પરથી બંધાયેલો માનવો તેમાં
સ્વતંત્રતાનું ખૂન છે. એક તત્ત્વ ‘છે’ એમ કહેવું અને વળી કહેવું કે ‘પરથી બંધાયેલો’ છું તો તે બન્ને વિરોધ છે
‘તું છો’ તો તારા ગુણ તારામાં છે, પરમાં ગયા નથી. પરમાણુમાં કે શરીરમાં તારા ગુણ નથી. તારા ગુણ
તારામાં ન હોય તો તું લાવીશ ક્યાંથી? ભગવાન! તારી મહીમા તે સાંભળી નથી, સંસારની વાતો કરી છે, મોટા
મોટા ભાર ઉપાડ્યો પણ બધું જળોજથા છે.
પરાધીનતા એ જ દુ:ખ
આત્મા જ્ઞાન, શાંતિ આદિ અનંત ગુણનો પિંડ છે. આત્મામાં જે રાગદ્વેષ આદિ ભાવ થાય છે તે
આત્માનો ત્રિકાળી ટકાઉ સ્વભાવ નથી, પણ ક્ષણિક વિકારી ભાવ છે. આત્માના સ્વભાવને ભૂલીને પરને
પોતાપણે માનવું એટલે ગુણને ભૂલી જવા; ગુણને ભૂલી જવા એટલે સ્વતંત્રતાને ખોવી. સ્વતંત્રતાને ખોવી
એટલે દુઃખ ભોગવવાનું રહ્યું. પોતાના ગુણ જાણવામાં ન આવે એટલે ક્યાંય પોતાને માનશે તો ખરો ને! એટલે
શરીર, રાગદ્વેષ વિકારરૂપ તે હું છું એમ પરમાં પોતાની હૈયાતિ સ્વીકારી, એટલે તેણે એમ માન્યું કે હું પરનો
ઓશિયાળો છું, મારામાં માલ નથી; શરીરાદિ, રાગાદિને છોડીશ તો હું નહિ રહું, જો મારામાંથી વિકાર નીકળી
જાય તો મારામાં કાંઈ રહે નહિ એમ પોતાને માલ વગરનો માનનાર પોતાના આત્માનો અનાદર કરે છે ને
પોતાના ગુણનું ખૂન કરે છે. પોતાના ગુણનું ખૂન કરનાર તે પરનો ઓશિયાળો કોઈ દી મટે નહિ અને
પરાધીનતાનું દુઃખ તેને કોઈ દી ટળે નહિ. આત્મા જ્ઞાન, દર્શન, સ્વતંત્ર સુખ, આનંદ, વીર્યની મૂર્તિ છે, તેને જેમ
છે તેમ માને નહિ અને પરને પોતાપણે માનનારો રહે ત્યાં સુધી સ્વતંત્ર ધર્મ ન થાય, સ્વતંત્ર ધર્મ ન થાય એટલે
પરતંત્ર વિકાર થાય એટલે દુઃખ થાય.
આત્મા તદ્ન છૂટો પરથી નિરાળો છે. તેને પરનો આશ્રય જોઈએ એમ બને નહીં.
(સમયસાર પ્રવચન ગા. ૩૩)
હું––એક તત્ત્વ પરથી બંધાયેલો છું એમ માન્યું ત્યાં હું સ્વતંત્ર તત્ત્વ નથી એમ માન્યું તેજ સર્વ પાપનું
મૂળ છે. કહેવાય છે કે “पापमूल अभिमान” તેનો અર્થ:– હું––એક આત્મા પરનું કરી શકું અને પર મને મદદ કરે
છે એમ માન્યું તેને સ્વતંત્ર વસ્તુની ખબર નથી એટલે તે બધાનો ખીચડો કરે છે તેનું જ નામ અહંકાર અને તેજ
પાપનું મૂળ છે. ‘પરથી બંધાયો છું’ એવી માન્યતા તે સ્વતંત્ર તત્ત્વનું ખૂન કરે છે. તેજ સર્વ પાપની જડ છે અને
તેમાંથી જ દુઃખનુ ઝાડ ફાલે છે પરથી કાંઈ લાભ નુકસાન નથી. પરમાં મોહ, ભાસપણાની માન્યતા તે જ
નુકસાનનું મૂળીયું છે.
પૈસા મળવા તે લાભનુકસાનનું કારણ નથી પણ આ પર વસ્તુ હોય તો મને ઠીક એવી માન્યતા એટલે હું
નમાલો છું એવી માન્યતા જ દુઃખ અને મોહ છે.
પ્રશ્ન:– આ સમજે કે તરત જ બધું છોડી દેતા હશે?
ઉત્તર:– અંતરથી ઊંધાઈ છૂટી જાય બાકી સમજ્યા વગર તો (આત્માના ભાન વગર) અનંત વાર સાધુ
થાય–ત્યાગી થાય કે પાટે બેસે તેથી કાંઈ ધર્મ થાય

PDF/HTML Page 8 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૬૭ :
નહિ–ઊંચો બેસે તેમાં ધર્મ નથી. ઊંચો તો ક્યારે? કે મારો આત્મા ઉર્ધ્વ સ્વભાવી છે તેમાં પરથી લાભ નુકસાન
થાય એવી હીણી માન્યતાનો નાશ તે ઉર્ધ્વ તત્ત્વનું ભાન છે. તે સાચા જ્ઞાન વગર થાય નહિ. માન્યતા ફરી ગઈ
તેજ ક્ષણે વિષય કષાય બધા ટળી જાય એમ બનતું નથી. ફક્ત પૂર્ણ સ્વતંત્રતા થવાનું કારણ પ્રગટ્યું.
પહેલી મોંકાણ એજ હતી કે “પરથી બંધાયો છું એટલે છૂટવા માટે પણ પરથી ઉપાય માંડયા હતા; પણ
જ્યાં માન્યતા ફરી કે:– હું મારી ઉંધી માન્યતાથી બંધાયો છું ત્યાં પોતે માન્યતા ફેરવ્યા વિના રહે નહીં, એટલે કે
ઊંધી માન્યતા ફેરવવી એજ ધર્મ છે. બાપુ! આ વાત બધે નહિ મળે–વારંવાર નહિ મળે.
આત્મા પરથી બંધાયો એમ જેણે માન્યું તે છૂટવાનો ઉપાય પરમાં કર્યા કરે છે. જો હું–––એક વસ્તુ છું તો
વસ્તુના ગુણો પણ વસ્તુમાં ભર્યા જ છે. ફક્ત “પરથી ગુણ થાય” એમ માન્યું તે ભ્રમણા જ પોતાના ગુણ જોવા
દેતી નથી. ગુણ અને ગુણી તો ત્રિકાળ છે. માત્ર અવસ્થામાં ભૂલ એટલે મલિનતા તે સંસાર છે–અને અવસ્થામાં
ભૂલ ટળવી તે મુક્તિ છે. પોતે ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ છે. ક્રોડો રૂપિયા આપ્યાથી પણ આ એક શબ્દ મળે તેમ નથી.
મુક્ત થવાનો ઉપાય ‘મુક્ત છું’ એવી પ્રતીતિ વગર મુક્ત થવાનું વીર્ય સ્ફૂરે નહિ અને મુક્તિ થાય નહિ.
“હું પરથી બંધાયો છું” એવા મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ અને કષાય ભાવને સમકીતિ છેદી નાંખે છે.
પોતાને ‘બંધાયેલો’ માન્યો છે તેજ માન્યતા સ્વતંત્ર થવાની રૂચી થવા દેતી નથી.
સાદા અને સહેલાં સૂત્રો આવે છે. સમજવા માંગે તો આઠ વર્ષનું બાળક પણ સમજી જાય નહિતર ૮૦
વર્ષનો પંડિત (થોથાં ભણેલો) પણ ન સમજે.
સારું કરવું છે કોનું? જે હોય તેનું કે ન હોય તેનું? જે હોય તે પરથી બંધાયેલો ન હોય સમકીતિ ભ્રમને
છેદી નાખે છે. હું પરથી બંધાયો નથી. એક તત્ત્વ પરથી પરાધીન થયું નથી. “નિશ્ચયથી કર્મથી બંધાયો છું” એવી
ઊંધી માન્યતાના ચાર પાયારૂપ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કષાયને સમ્યગ્દ્રષ્ટિ છેદી નાખે છે.
– : આત્મધર્મની પ્રભાવના કરો. : –
મિથ્યાત્વ=પરથી બંધાયેલો છું એવો ભ્રમ. એ ભ્રમ ટળ્‌યા પછી જે અવ્રત, કષાય, પ્રમાદ સમ્યગ્દ્રષ્ટિને
હોય તેમાં તેની બુદ્ધિ નીચે પ્રમાણે હોય છે; અવ્રત એટલે આસકિત છે પણ તે મારું સ્વરૂપ નથી. નબળાઈની
ભૂમિકા પ્રમાણે રાગ–દ્વેષ થાય છતાં તે મારાં છે એવી બુદ્ધિ તેને નથી.
કષાય–એટલે ક્રોધઆદિ થાય છતાં તે મારું સ્વરૂપ નથી અને તેથી તેની રુચિ નથી.
પ્રમાદ–એટલે પુરુષાર્થની નબળાઈ તે પણ મારું સ્વરૂપ નથી. આ રાગ મારા પુરુષાર્થની નબળાઈને કારણે
વીર્યની હીનતામાં અવસ્થામાં થાય છે. વસ્તુના સ્વભાવમાં નથી–એવા નિર્ણયથી તે રાગાદિને દ્રષ્ટિમાંથી કાઢી
નાખે છે. આ ધર્મીનું પહેલું ચિહ્ન–પહેલું લક્ષણ. આ ન હોય તો મોટા ચકરડા (મીંડા).
આત્માએ અનંતકાળથી કર્યું છે શું?
‘પર મારાં, હું પરનો’ એ માન્યતા જ અને તે માન્યતાને કારણે રાગદ્વેષ ભાવ જ અનાદિથી કર્યાં છે. તે
સિવાય પરનું કોઈ આત્માએ કાંઈ કર્યું નથી, ‘કરી શકતો જ નથી.’
એકલી ઊંધાઈ કરી છે, જ્યાં ગુણ હોય ત્યાં અવગુણ થાય. આત્મામાં પર નથી તેથી પર આત્માનું કરતો
નથી કે પરનું આત્મા કરતો નથી. એક તત્ત્વ બીજા તત્ત્વમાં સંક્રમે (તેરૂપ પરિણમે) એમ ત્રણ કાળમાં બનતું
નથી. અત્યાર સુધી ઉંધી રુચિ–અને રાગદ્વેષ કર્યા છે એટલે ‘ધર્મ માટે પહેલાંં ઉંધી રુચિને ફેરવવી પડશે.’
આત્મા અનાદિ અનંત શાશ્વત તત્ત્વ છે–તેની રુચિ થઈ ત્યાં મને બંધ થશે એવી શંકા નથી. વસ્તુ જુદી
છે બંધન મેં માન્યું હતું–પણ વસ્તુમાં બંધન નથી–માત્ર માન્યતા હતી. પરનું કરવાને–એક પરમાણુ પણ ફેરવવાને
આત્મા સમર્થ નથી. ‘મેં પરને આપ્યું’ તેમ અભિમાન જીવ કરે પણ એક તત્ત્વ બીજા તત્ત્વનું કાંઈ કરી શકે એમ
ત્રણ કાળમાં બને નહિ.
આ પોતાના ઘરની ચીજ છે, ઘરની ચીજ મોંઘી નથી; મોંઘું માન્યું છે તે માન્યતા જ સમજવા

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૧૬૮ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
દેતી નથી. સમકીતિની પ્રથમમાં પ્રથમ બુદ્ધિ એવી થાય છે કે– ‘હું છૂટો છું–સ્વતંત્ર છું.’ તારા સ્વતંત્રપણાની એક
વાર ‘હા’ તો લાવ! હા પાડતાં તને પરસેવો ઉતરી જશે–અનાદિની માન્યતા ફેરવતાં અનંતો પુરુષાર્થ જોઈશે.
સ્વતંત્ર આત્મતત્ત્વના ભાન વગર કોઈ સાચો ત્યાગ કે સાધુ હોઈ શકે નહીં. સાચા સાધુ કોઈ ન હોય
તેથી કાંઈ ખોટાને સાધુ ન કહેવાય! માન–સરોવરમાં મોતીનો ચારો ચરનાર હંસ જ હોય, પણ હંસ ન હોય તેથી
હંસને બદલે કાગડાને હંસ ન કહેવાય. સમ્યગ્દ્રષ્ટિએ પરવસ્તુનો પહેલો જ નકાર કર્યો છે કે ‘આત્મતત્ત્વ પોતાના
સ્વતંત્ર સ્વભાવમાં પરની સત્તાને–લૂગડાનાં કટકાને પણ પેસવા દેતું નથી.’
જગતના કામોમાં એક ધંધાની વાતમાં બીજો ન પડે! કંદોઈના કામમાં ઝવેરી ડાહ્યા ન થાય કે કુંભારના
કામમાં વકીલ ડાહ્યા ન થાય; જેના જે કામ હોય તેમાં બીજો હાથ ઘાલે નહીં, પણ ધર્મની વાતમાં તો બધા
નીકળી પડ્યા, કે ‘આ આમ હોય, અને ફલાણું આમ હોય’ એમ ધર્મમાં તો બધા મંડી પડે! અહીં તેને કહે છે કે–
એલા! તને જગતની કળાની કિંમત! તેમાં એકની કળામાં બીજો ડહાપણ ન કરે! અને અહીં ધર્મમાં તે બધા
પોતાનું ‘ડહાપણ’ ઘાલે! ધર્મને ભાજી–મૂળા જેવી ચીજ કરી મૂકી છે; શું ધર્મ તે મફતની ચીજ છે? અનંત કાળે
સાંભળવો પણ દુર્લભ છે.
અહાહા! સંસારના કાર્યોમાં બધું ક્રમબદ્ધ! તેમાં શીરો કરવો હોય તો પણ આડું અવળું ન કરે; અને
ધર્મમાં તો કહે–પહેલાંં ક્રિયા કરો–પછી સમજણ કરીશું!
પણ સમજ્યા વગર ક્રિયા કોની?
પહેલાંં સાચી સમજણ કરવી પડશે, તે પહેલી સમજણથી ક્રિયા છે.
‘ગોળ અંધારે ખાય તોય ગળ્‌યો લાગે’ એ સાચું–પણ પહેલાંં ગોળ પદાર્થનું જ્ઞાન તો કરવું પડશેને!
ખરાગોળને જાણે નહીં, અને કાંકરો અથવા છાણાનો ગોળ મોઢામાં મૂકે તો ગળ્‌યો લાગે નહીં. તેમ આત્માનો
સ્વભાવ તો શાંત છે, પણ તેના સ્વાદ માટે પહેલાંં તેનું જ્ઞાન કરવું પડશે. સમ્યગ્દર્શન વગર કદાચ કોઈ કષાય
પાતળો પડે તો તેથી આત્માને કાંઈ લાભ થાય નહીં.
એકવાર સ્વતંત્રતાની વાત તો લાવ! તું સ્વતંત્ર છો. સ્વતંત્ર થવા માટે ‘હું સ્વતંત્ર છું, કોઈ પરથી હું
દબાયો નથી’ એવી પ્રતીતિ ઘૂંટયા વગર સાચું ભાન હોય નહીં. આ વાતની ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈથી ના
પાડી શકાય તેમ નથી. મુક્તિનો માર્ગ ત્રણે કાળ એક જ હોય, બીજું માને તો તે તેના ઘરનું છે.
પહેલામાં પહેલાંં તો સમ્યગ્દ્રષ્ટિ સંદેહનો ભાંગીને ભૂકકો ઉડાડી દયે છે–પછી બીજી વાત! સ્વતંત્ર
સ્વભાવમાં નિઃશંકતા થયા વગર સ્વતંત્રતાનો પુરુષાર્થ ઉપડે નહીં.
વસ્તુ તો વસ્તુસ્વભાવે જેમ છે તેમ જ ત્રિકાળ પડી છે–વસ્તુમાં પરાધીનતા કે બંધન નથી. વસ્તુ
સ્વાધીન છે, પણ પોતાની સ્વાધીનતાની ખબર ન હતી તેથી પરાધીનતા માની છે, પણ વસ્તુ પરાધીન નથી.
સમ્યક્ આંખોના ઊઘાડ વિના જગત અનાદિથી ભીંસાઈ રહ્યું છે. પહેલાંં તો સત્ય વાત કાને પડવી
અનંતકાળે દુર્લભ છે. અને સત્ય કાને પડ્યું ત્યાં વચ્ચે ઊંધી માન્યતાના લાકડાં નાંખી સાંભળે, તેમાં સમજાય
ક્યાંથી?
‘મારા ગુણમાં પરનો પ્રવેશ નથી, હું મારી ભૂલે અટક્યો છું, મારું સ્વરૂપ તો સિદ્ધ સમાન જ છે’ એવી
શ્રદ્ધાના અભાવે સ્વભાવમાં નિઃસંદેહતા આવતી નથી, નિઃશંકતા વગર સ્વાધીનતા પ્રગટે નહીં.
અનંતકાળના અંધારાને ટાળવા માટે કોદાળી કે પાવડા ન જોઈએ, પણ દીવાસળીને ઘસે ત્યાં અંધારું ટળી
જાય; તેમ અનાદિનું અજ્ઞાન ટાળવા માટે બહારનું કર્યા કરે તો અજ્ઞાન ટળે નહીં––પણ–ચૈતન્યમૂર્તિ દરિયો જ્ઞાન
પ્રકાશથી ભરપૂર છે તેની શ્રદ્ધા કરી પછી ‘એકાગ્રતાનો ઘસારો’ થતાં કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે.
દિવાસળીના નાના ટોપકામાં પ્રકાશ પ્રત્યક્ષ દેખાય નહીં છતાં માને છે; તે કોઈના કહેવાથી કે જગત માને
છે માટે માન્યું નથી, પણ પોતાને બેઠું છે ત્યારે માને છે, તેમ આત્મા ચૈતન્ય જ્યોતજ્ઞાન દરિયો તેની પ્રથમ શ્રદ્ધા
પોતાથી કરે અને પછી તેની એકાગ્રતાના જોરમાં પોતે જ પરમાત્મા થાય છે.
ટંકોત્કિર્ણ એવા જ્ઞાયક સ્વભાવની શ્રદ્ધા થતાં ‘હું પરથી

PDF/HTML Page 10 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૬૯ :
બંધાયેલો છું’ એવા ભ્રમને કાપી નાંખે છે. સ્વતંત્રતાની શ્રદ્ધાના જોર વિના કદી સ્વતંત્રતા પ્રગટે નહીં,
પરાધીનતા ટળે નહીં અને મુક્તિ થાય નહીં.
‘હું બંધાયેલો નથી, મારા સ્વરૂપમાં બંધન છે જ નહીં’ એમ જેને તત્ત્વની નિર્બંધદ્રષ્ટિ છે તે અવસ્થામાં
ક્રમેક્રમે નિર્જરા કરી મુક્ત થઈ જશે. પ્રથમ શ્રદ્ધા જોઈએ, ધ્રુવસ્વરૂપના જોર વડે આઠે કર્મોનો નાશ કરી સહજાનંદ
પરમાત્મા (જેવો અંદર પડ્યો છે તેવો) પ્રગટ થઈ જાય છે.
શુભાશુભ વૃત્તિ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તે શુભાશુભ ભાવ જેટલો નથી. દયાદિની વૃત્તિ તે
ક્ષણેક્ષણે નવી થાય છે. તે વૃત્તિ વખતે અજ્ઞાનીને ‘આ મારા સ્વરૂપમાં છે’ એવી માન્યતાના કારણે બંધન થાય
છે; અને જ્ઞાની ‘મારા સ્વભાવમાં બંધન–ભાવ નથી, વિકાર નથી, અવસ્થામાં નબળાઈના કારણે આ વૃત્તિ
આવી જાય છે’ એવા ભાનમાં પરનો (શુભાશુભ લાગણીઓનો) ધણી થતો નથી તેથી તેને નિર્જરા થાય છે.
દ્રષ્ટિમાં પરિપૂર્ણ સ્વભાવનું જોર પુરુષાર્થની નબળાઈનું ધણી પણું થવા દેતું નથી.
મારા સ્વભાવમાં ઊણપ કે વિકાર નથી, પુરુષાર્થની નબળાઈ પણ મારા સ્વભાવમાં નથી, ફક્ત
અવસ્થામાં જે નબળાઈ દેખાય છે તે વર્તમાન પુરુષાર્થની નબળાઈ છે એમ જ્ઞાની જાણે છે.
જ્ઞાનીને ટંકોત્કિર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે–કર્મબંધ સંબંધી શંકા કરનાર અર્થાત્ કર્મવડે
બંધાયેલો છું એવો ભય (સંદેહ) ઉત્પન્ન કરનાર મિથ્યાત્વ આદિ ભ્રાંતિ ભાવોનો અભાવ હોવાથી–તે નિઃશંક
છે; એટલે ‘હું પરથી બંધાઉં’ એવો શંકાકૃત બંધ તેને (જ્ઞાનીને) નથી, પણ નિર્જરા જ છે.
પ્રશ્નોત્તરી
રજાુ કરનાર: – રામજીભાઈ માણેકચંદ દોશી.
પ્રશ્ન–જીવાદિ તત્તવો સમજવા માટે આ કાળે કોણ લાયક છે?
ઉત્તર–પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ (જ્ઞાનનો
ઉઘાડ) તો સર્વ સંજ્ઞી પંચેંદ્રિય જીવોને થયો હોય છે, માટે તે લાયક છે.
પ્રશ્ન–તો પછી સર્વ સંજ્ઞી પંચેંદ્રિય જીવોને જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કેમ થતું નથી.
ઉત્તર–જે જે સંજ્ઞી જીવો પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવા માટે પોતાના જ્ઞાનમાં
પુરુષાર્થ કરે છે તેને સાચી શ્રદ્ધા થાય છે, અને જે જે સંજ્ઞી જીવો પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ
નિર્ણય કરવા માટે પોતાના જ્ઞાનમાં પુરુષાર્થ કરતા નથી, પણ પર જ્ઞેયોને જાણવામાં તે જ્ઞાનને રોકવામાં
અસત્યાર્થ પુરુષાર્થ કરે છે તેને પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રધ્ધાન થતું નથી.
ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં એક જ્ઞેયમાં લાગે. જો પોતાના સ્વરૂપને જાણવા તરફ તે જ્ઞાનને
લગાડે તો તેનું જ્ઞાન થાય, અને જો પર જ્ઞેયને જાણવા તરફ પોતે પોતાના જ્ઞાનને લગાડે તો પર જ્ઞેય
જ્ઞાનમાં લાગે. પરદ્રવ્યો અનંતાનંત છે, એક જ્ઞેયમાં રોકે તો કદીપણ તેને બરાબર જાણે નહીં. સ્વને
યથાર્થપણે જાણ્યા વગર પરનું યથાર્થ જ્ઞાન થતું નથી, તેથી જે સંજ્ઞી જીવો પોતાનો પુરુષાર્થ પોતા તરફ
વાળતા નથી તેને યથાર્થ શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાન થતાં નથી.
પ્રશ્ન–ધર્મના ઉપદેશમાં મુખ્યતા શેની જોઈએ?
ઉત્તર–મિથ્યાત્વ જે પાપ છે તેની પ્રવૃત્તિ છોડાવવાની મુખ્યતા જોઈએ. કેટલીક બાબતોમાં હિંસા
બતાવી તે છોડાવવાની મુખ્યતા કરવી એ ક્રમભંગ ઉપદેશ છે. જેઓ દયાના કેટલાક અંગ યોગ્ય પાળે છે,
હરિત કાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું વાપરે છે તેનો નિષેધ ન સમજવો. અંહી તો મિથ્યાત્વનું મહાપાપ
છોડાવવાની પ્રવૃત્તિની મુખ્યતા જોઈએ એ બતાવવાનું છે. જો તેની મુખ્યતા નહીં કરવામાં આવે તો તે જીવો
દયાના કેટલાક અંગો પાળવામાં આખી જિદગી વ્યતીત કરશે, અને ધર્મની શરૂઆતરૂપ સમ્યગ્દર્શન પામશે
નહીં. એ રીતે તેમનું અમુલ્ય મનુષ્ય જીવન અફળ જશે, અને તેમનું સંસારચક્ર ચાલુ રહેશે.

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૧૭૦ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
‘અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ તે સવિ મિચ્છામિ દુક્કડં’
[‘મિચ્છામિ દુક્કડં’ શું છે એ જાણ્યા સિવાય ઘણી વાર ઉપર પ્રમાણેના પાઠો આ જીવ ભણી ગયો.
હવે માત્ર એકજવાર સાચું ‘દુક્કડં’ શું છે એ જાણી સમ્યગદર્શન પ્રાપ્ત કરી પરમ પદ પામવું બાકી છે.
પ. ણ સાચું ‘દુક્કડં’ સમજાશે ક્યારે?]
લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી.
૧. ‘મિચ્છામિ દુકકડં’ એ માગધી ભાષાનું પદ છે. તેને સંસ્કૃતમાં ‘મિચ્છામિ દુષ્કૃતં’ કહે છે.
મા+ઈચ્છામિ+ દુષ્કૃતં––એમ ત્રણ શબ્દોનું તે પદ બનેલું છે–તેનો અર્થ ‘માઠાં કૃતને હું ઈચ્છતો નથી’ એવો
થાય છે.
૨. ત્યારે “દુષ્કૃતં” શું છે એ પ્રથમ સમજવું જોઈએ. મિથ્યાત્વ તે મહાપાપ છે અને તેથી તે મોટામાં મોટું
“દુષ્કૃતં” છે. જીવ જે કુળે જન્મે છે તે કુળમાં ઘણે ભાગે કોઈને કોઈ ધર્મની માન્યતા હોય છે. કુળધર્મની તે
માન્યતાને ઘરમાં પોષણ મળે છે. મોટો થતાં ધર્મ સ્થાનકે જતાં તે માન્યતાને વિશેષ પોષણ મળે છે. વળી
ધંધાદારી કામમાં પડી જતાં કુળધર્મની માન્યતાનું યથાર્થ સ્વરૂપ શું છે તેની વિચારણા કરવાને તેને વખત મળતો
નથી. એટલે ઓઘસંજ્ઞાએ ક્રિયાઓ પોતે કે પોતાના સગા સંબંધીઓ જે કરે તે ધર્મ હોવો જોઈએ એમ માની લઈ
પોતાનું જીવન ચલાવે છે. ‘આત્માનો સ્વભાવ’ તે ધર્મ છે, એમ તો તેને સાંભળવાનું ઘણે ભાગે મળતું નથી. આ
પ્રમાણે પોતાના સ્વભાવનું ઘોર અજ્ઞાન તે સેવ્યા કરે છે. આ ઘોર અજ્ઞાન તે પહેલાંં નંબરનું ‘દુષ્કૃત’ છે. માટે તે
અજ્ઞાન ટાળી પોતાનું સ્વરૂપ યથાર્થ જાણવાની જરૂર છે. તે જાણ્યા સિવાય સાચું સુખ પ્રગટે નહીં અને ખરૂં
“મિચ્છામિ દુક્કડં” થાય નહિ.
૩. સાચું “મિચ્છામિ દુક્કડં” શું છે તે સમજવા માટે એક પાઠ નીચે આપવામાં આવ્યો છે.
“અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ, તે સવિ મિચ્છામિ દુક્કડં”
આવા પાઠ ઘણા જીવો બોલે છે, વાંચે છે. પણ તેનો અર્થ સમજી ખરૂં “મિચ્છામિ દુક્કડં” કરતા નથી.
તેથી એ સંબંધે થોડું લખવાની જરૂર છે.
૪. ઉપરની કડીમાં ‘અજ્ઞાન’ થી બંધ બન્યો એમ કહ્યું, પણ અજ્ઞાન ટાળવા મહેનત જીવ કરે નહીં અને
એ કડી બોલ્યા કરે તેથી ‘અજ્ઞાન’ જાય નહીં અને સાચું ‘મિચ્છામી દુક્કડં’ થાય નહીં, પરિણામે અજ્ઞાનથી અંધ
જીવ બની રહે. પોતે આધુનિક કેળવણી લીધી હોય, વળી સામાજિક પ્રતિષ્ઠા કાંઈક સારી હોય તો પોતે
‘અજ્ઞાની’ છે એમ માને નહીં પોતાને ડાહ્યો માને એટલે તેને તો અજ્ઞાન ટાળવાનું બને જ ક્યાંથી? પણ જીવનું
યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર (લૌકિક કેળવણી ગમે તેટલી લીધી હોય તો પણ) જીવ અંશમાત્ર સુખી થાય નહીં,
અને સમયે સમયે અનંત દુઃખ ભોગવે. બહારની સગવડથી પોતે પોતાને સુખી માને પણ તેથી કાંઈ ખરું સુખ
આવી જાય નહીં, કેમકે પોતાના સ્વરૂપની અણસમજણ ‘અજ્ઞાન’ તો ઊભું જ છે તેજ દુષ્કૃત છે.
પ. ‘કર્યો અતિશય ક્રોધ’ એ પદમાં ગંભીર મર્મ છે. પોતાના સ્વરૂપની અરુચિ તે જીવનો ‘અતિશય
ક્રોધ’ છે. જીવ તે ટાળે નહીં ત્યાંસુધી પોતે સુખી થાય નહીં અને સાચું મિચ્છામિ દુક્કડં પોતાને થાય નહીં.
૬. પરંતુ હું કરી શકું, પર મારું કરી શકે, પુણ્યથી ધર્મ થાય, પુણ્યધર્મમાં સહાયક થાય એ માન્યતા તે
સંસારનું બીજ છે તે ‘દુષ્કૃત’ પ્રત્યે જ્યાં સુધી હેય બુદ્ધિ આવે નહીં ત્યાંસુધી પર પ્રત્યેનું મમત્વ અભિપ્રાયમાંથી
પણ છૂટે જ નહીં માટે દુષ્કૃતને મિથ્યા કરવા માટે આત્માનું સાચું સ્વરૂપ પોતે યથાર્થ જાણવું જોઈએ.
૭. જ્યારે જીવ પોતાનું યથાર્થ સ્વરૂપ સમજે ત્યારે જ તેને સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનનું પ્રગટ
કરવું તે મિથ્યાત્વના પ્રતિક્રમણની સાચી ક્રિયા છે. [આત્મા અને જીવ એ શબ્દોનો એક જ અર્થ થાય છે એમ
સમજવું.]
૮. સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે જ ભૂતકાળમાં કરેલા ભાવકર્મના નિમિત્તે આવેલા દ્રવ્ય કર્મોને મિથ્યા
કરનારૂં સાચું પ્રતિક્રમણ

PDF/HTML Page 12 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૧ :
થાય છે. જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તે મિથ્યાદર્શનનું પ્રતિક્રમણ છે. સમ્યગ્દર્શન પ્રગટ કરી પોતાના સ્વરૂપમાં
લીન થઈ ચૈતન્ય સ્વરૂપ આત્માના અનુભવમાં સ્થિર થાય તે મિથ્યાચારિત્રનું પ્રતિક્રમણ છે. આ યથાર્થ
પ્રતિક્રમણ ખરૂં ‘મિચ્છામિ દુક્કડં’ છે. તે ધર્મનું સાચું અંગ છે, એમ સમજવું.
૯. પ્રશ્ન:– સમ્યગ્દર્શન થતાં, પૂર્વ કરેલાં દુષ્કૃતોનું મિથ્યાપણું શી રીતે થાય છે?
ઉત્તર:– ‘મિથ્યા’ કહેવાનું પ્રયોજન એ છે કે–જેમ કોઈએ પહેલાંં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું પછી તેના
પ્રત્યેનું મમત્વ છોડ્યું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે ભૂતકાળમાં જે ધન કમાયો હતો તે
નહિ કમાયા સમાન જ છે; તેમ જીવે પહેલાંં કર્મ બાંધ્યું હતું પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યેનું
મમત્વ છોડ્યું અને તેના ફળમાં લીન ન થયો ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહીં બાંધ્યા સમાન મિથ્યા
જ છે. આ ભાવે પૂર્વનું ‘દુષ્કૃત’ મિથ્યા થઈ શકે છે. તે ભાવને સાચું ‘મિચ્છામિ દુક્કડં’ કહેવામાં આવે છે.
૧૦ પ્રશ્ન:– સમ્યગ્દર્શન પ્રથમ શા માટે પ્રાપ્ત કરવું? સમ્યગ્દર્શન પામવું અમને કઠણ લાગે છે. અમે વ્રત
પાળીએ, જપ કરીએ, તપ કરીએ, ઘરબાર છોડી ચારિત્ર ગ્રહણ કરીએ તો ધર્મ ન થાય?
ઉત્તર:– રત્નત્રયમાં સમ્યગ્દર્શન જ મુખ્ય છે. સમ્યગ્દર્શન થવાથી સમ્યગ્જ્ઞાન અને સમ્યકચારિત્ર થઈ શકે
છે, સમ્યગ્દર્શન વિના નહીં જ. સમ્યગ્દર્શન વિના બધું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે અને ચારિત્ર બધું મિથ્યાચારિત્ર છે.
સમ્યગ્દર્શન વિના વ્રત, જપ, તપ આદિ પણ બધું વ્યર્થ છે. માટે મનુષ્ય જન્મ પામીને સર્વથી પહેલું સમ્યગ્દર્શન
ધારણ કરવું જોઈએ (જુઓ પ્રબોધસાર શ્રાવકાચાર પા. ૯)
૧૧ પ્રશ્ન:– તત્ત્વનિર્ણયરૂપ ધર્મ માટે કોણ યોગ્ય છે?
ઉત્તર:– તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી, તથા કુક્ષેત્રી
ઈત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જે પુરુષ પોતાના હિતનો વાંછક છે તેણે તો સર્વેથી પહેલાંં આ
તત્ત્વ નિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે.
તેથી જેને સાચા ધર્મી થવું હોય તેણે તો જ્ઞાનીના તથા શાસ્ત્રના આશ્રયે તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
પણ જે તત્ત્વનિર્ણય તો નથી કરતો અને પૂજા સ્તોત્ર દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ સંતોષ આદિ બધાય
કાર્યો કરે છે તેનાં એ બધાયે કાર્યો અસત્ય છે. માટે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો
ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
દ્રષ્ટિભેદ
સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાત્વી બન્ને બહારમાં સમાન ક્રિયા કરે છે. દાન–ભક્તિ આદિ સમાન કરે છે, બન્નેને
શુભભાવ છે––છતાં અંદરની દ્રષ્ટિમાં ફેર હોવાથી બન્નેને જુદી જુદી જ જાતના પુણ્ય બંધાય છે. મિથ્યાત્વીને અંદર
પુણ્યની રુચિ અને કર્તાપણું છે તેથી તેને પાપાનુબંધી પુણ્ય બંધાય છે, અને સમ્યગ્દ્રષ્ટિને અંદરમાં પુણ્યનો નકાર
વર્તે છે. શુદ્ધભાવનું જ લક્ષ છે તેથી તેને એવા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જેના ફળમાં સત્સ્વરૂપ સમજવાના
ઉત્કૃષ્ટ નિમિત્ત મળશે. આ રીતે ક્રિયા સમાન હોવા છતાં દ્રષ્ટિ ભેદે ફળમાં પણ ભેદ પડે છે. (રાત્રિ ચર્ચામાંથી)
નિ:શંકતા

જેનું વીર્ય ભવના અંતની નિઃસંદેહ શ્રદ્ધામાં નથી વર્તતું, અને હજી ભવની શંકામાં વર્તે છે તેના વીર્યમાં
અનંતા ભવ કરવાનું સામર્થ્ય પડ્યું છે.
ભગવાને કહ્યું છે કે– ‘તારા સ્વભાવમાં ભવ નથી’ અને જો તને ભવની શંકા પડી તો તેં ભગવાનની
વાણીને કે તારા ભવરહિત સ્વભાવને માન્યો નથી. જેનું વીર્ય હજી ભવરહિત સ્વભાવની નિઃસંદેહ શ્રદ્ધામાં પણ
નથી વર્તી શકતું, ભવી છું કે અભવી તેની પણ જેને શંકા વર્તે છે; તેનું વીર્ય વીતરાગની વાણીનો નિર્ણય કેમ કરી
શકશે? અને વીતરાગની વાણીના નિર્ણય વિના તેને પોતાના સ્વભાવની ઓળખાણ કેમ થશે? માટે પહેલાંં તો
ભવરહિત સ્વભાવની નિઃશંકતા લાવો.

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૭૨ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
નિશ્ચયથી શુભ ભાવ પણ ઝેર છે, આત્માના ગુણને રોકનાર છે તેથી
આત્માના ગુણને રોકે તે ભાવને
ભલો માનવો એ મહા પાપ છે.

ઉત્કૃષ્ટ સમાધિ મરણની વિધિની વાત છે. નવે પદાર્થોમાં ઉત્તમ વસ્તુ એવો જે આત્મા તેના નિરાવલંબી
સ્વરૂપમાં ઠરી જતાં દેહ છૂટી જવો તે સમાધિમરણ છે.
અધ્યાત્મિક ભાષાની અપેક્ષાથી એટલે અંતરના કથનથી ‘હું ધ્યાન કરૂં છું, ધ્યાતા છું કે ધ્યેયનું લક્ષ
રાખું.’ એવા કોઈ વિકલ્પથી રહિત થઈને નિર્મળ સ્વભાવનો આશ્રય કરીને, સર્વથા આત્મસન્મુખ થઈને, ઈન્દ્રિય
અને મનથી સંપૂર્ણ અગોચર એવો જે આત્મા તેનું ધ્યાન કરીને, વિભાવ અને વિકલ્પથી ખસીને અંદર ઠર્યો એને
જ ઉત્તમાર્થ પ્રતિક્રમણ જાણવું જોઈએ.
જેટલું ઈન્દ્રિય અને મનનું અવલંબન હોય તેટલો આત્મધર્મ નથી, ઈન્દ્રિય કે મનના અવલંબનથી જે
જણાય તે બધું પર જણાય, તથા જે કાર્ય થાય તે બધો વિકાર છે. ઈન્દ્રિય અને મનના અવલંબનથી જેટલો
છૂટયો તેટલો ધર્મ છે. ઈન્દ્રિય અને મન હોય તે તેના કારણે, પણ આત્માને સમજવા માટે તેનું અવલંબન ત્રણ
કાળ ત્રણ લોકમાં નથી–આ ત્રિકાળી સિદ્ધાંત છે.
દેવ, ગુરુ અને શાસ્ત્ર તે બધાં પર છે. તેના બોધ પર લક્ષ જાય તે બધો રાગ છે. તેમાં ઈન્દ્રિય અને મનનું
અવલંબન આવે છે. આત્માનો બોધ પરના અવલંબન રહિત સ્વાશ્રયે થાય છે. જેટલો સ્વાશ્રય તેટલો જ ધર્મ છે.
નિશ્ચય–ઉત્તમાર્થ પ્રતિક્રમણ. તો પોતાના આત્માને જ આશ્રયે છે. ઈન્દ્રિય અને મન હોય તેની સાથે
સંબંધ નથી. કેવળીને પણ ઈન્દ્રિય અને મન હોય છે–પણ તેનું અવલંબન નથી. ઈન્દ્રિય અને મન તરફના લક્ષે જે
ભાવ થાય તે બધાં ઝેર છે, શુભભાવ પણ ઝેર છે. પરથી જુદા આત્માના સ્વભાવનો જેટલો નિશ્ચય કર્યો તેટલો
ધર્મ છે. જુદાપણાના ભાનથી જ જુદાની શરૂઆત થાય છે, ભેગું માને તો જુદાની શરૂઆત થાય નહીં.
લોકો કહે– ‘મુંઝવણ થાય તેવી વાત છે.’ તો એ વાત જ ખોટી છે, જો સાચી મુંઝવણ થાય તો
સમજણનો માર્ગ લીધા વિના રહે જ નહીં, તેથી ખરેખર તો સાચી મુંઝવણ જ થતી નથી. મુંઝવણ થાય તો સાચા
ઉપાય દ્વારા માર્ગ કાઢ્યા વિના રહે નહીં.
નિમિત્ત તરફનું વલણ તે બધો રાગ છે, સમ્યક્મતિ કે સમ્યક્શ્રુતજ્ઞાન પણ ઈન્દ્રિય કે મનના અવલંબને
નથી. આત્માના જ આશ્રયે છે.
નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણ આત્માને જ આધારે છે, તે નિશ્ચય ધર્મધ્યાન તથા શુક્લધ્યાનમય છે; તેથી
આત્મા અમૃત કુંભ છે, અમૃતથી ભરેલો સુંદર કળશ છે, ઈન્દ્રિયો તથા મનથી પાર છે, જેટલું ઈન્દ્રિય અને મનના
અવલંબને પર તરફ લક્ષ જાય તે બધું ઝેર છે. આત્માના ભાન પછી પણ પરદ્રવ્યના આશ્રયે જેટલો ભાવ થાય
તે બધો ઝેર છે– આત્માના અમૃતકુંભને રોકનાર છે.
જ્ઞાનીને રાગ વિકલ્પ થાય છતાં ‘રાગ મારું સ્વરૂપ નહીં, મનનું અવલંબન નહીં, વિકલ્પ નહીં, હું તો
સ્વરૂપ–શુદ્ધ પવિત્ર છું.’ એવું જે નિશ્ચયનું ભાન તે અમૃત છે, તથા જે જ્ઞાનીના વ્યવહારૂ પ્રતિક્રમણ તે પણ ઝેર
છે. અંતર સ્વરૂપમાં દ્રષ્ટિ હોવા છતાં જેટલું અવલંબન પરાશ્રયે જાય તે બધો રાગ છે, ઝેર છે.
આત્મા પરથી નિરાળો ‘સહજાનંદ સહજ સ્વરૂપ’ છે, એવા ભાન પછી સ્થિર ન રહી શકે ત્યારે વચ્ચે
વ્યવહારૂ પ્રતિક્રમણ આવે તે બધો ઝેરથી ભરેલો વિષકુંભ છે, અમૃત સ્વરૂપમાંથી ખસીને તે થાય છે. જ્યાં
જ્ઞાનીના વ્યવહાર પ્રતિક્રમણને પણ ઝેર કહ્યું છે, ત્યાં અજ્ઞાનીનાં વ્યવહારાભાસ પ્રતિક્રમણ તો ઝેર હોય જ, એમાં
કહેવાનું શું?

PDF/HTML Page 14 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૩ :
આત્માના ભાન પછી સ્થિરતા પહેલાંં વચ્ચે શુભભાવ આવે તે પણ ઝેર! તે બધાથી રહતિ આત્માના
સ્વરૂપમાં સ્થિરતા તે જ અમૃત છે. શુભભાવને ઝેર કહ્યાં તેથી અજ્ઞાનીને શુભ છોડીને અશુભમાં જવાનું કહેતાં
નથી, પણ શુભભાવમાં ધર્મ માનવાની ના પાડે છે. જ્ઞાનીને પણ શુભભાવ આવે, પણ તેનાથી ધર્મ નથી; તે ઝેર
છે. આત્મા ત્રિકાળ
સહજ અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે તેના ભાનમાં સમકીતિ જ્ઞાનીને ચોથે–પાંચમે–છઠ્ઠે ગુણસ્થાને જે શુભ
વિચારણા આવે તે બધાં ઝેર છે. ‘ખોટી શ્રદ્ધા છોડું–કુદેવાદિ તરફનું લક્ષ છોડું અને સાચા દેવગુરુની શ્રદ્ધા કરૂં’
એવો વિકલ્પ પણ ઝેર છે.
શ્રી સમયસારમાં કહ્યું છે કે:–
पडिकमणं पडिसरणं पडिहरो धारणा णियत्ती य।।
णिंदा गरहा सोही अट्ठविहोहोदि विसकुंभो” ।। ३०६।।
પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને શુદ્ધિ એ આઠે પ્રકાર ઝેર છે.
૧–પ્રતિક્રમણ:– અશુભથી પાછા ફરીને શુભમાં આવવું તે.
૨–પ્રતિસરણ:– સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા થવી, મિથ્યાશ્રદ્ધા છોડું અને સમ્યક્શ્રદ્ધા કરૂં એવી ભાવના થવી તે.
૩–પરિહાર:– મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ કરવાનો વિકલ્પ.
૪–ધારણા:– નમસ્કાર મંત્રોનો જાપ, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યના અવલંબનવડે ચિત્તની સ્થિરતા કરવાનો વિકલ્પ.
પ–નિવૃત્તિ:– વિષય–કષાયાદિની ઈચ્છામાં વર્તતા મનને પાછું વાળું એવો વિકલ્પ.
૬–નિંદા:– આત્મ સાક્ષીએ દોષને પ્રગટ કરૂં, દોષની નિંદા કરૂં એવો ભાવ.
૭–ગર્હા:– ગુરુસાક્ષીએ દોષને પ્રગટ કરૂં એવો–ભાવ.
૮–શુદ્ધિ:– દોષ થયા હોય તેનું પ્રાયશ્ચિત લઈને વિશુદ્ધિ કરૂં એવો ભાવ.
ઉપરના આઠે બોલ તે ઝેર છે. જ્ઞાનીની અંતરદ્રષ્ટિમાં બધા રાગનો નકાર કરીને વચ્ચે (અસ્થિરતામાં)
જે શુભ વિકલ્પ આવી જાય તે ઝેર છે.
પ્રશ્ન:– શરૂઆતમાં તો શુભભાવથી લાભ થાય ને?
ઉત્તર:– શુભભાવથી આત્માને લાભ થાય જ નહીં. પહેલેથી જ શુભભાવ બધો ઝેર છે. મહાવ્રત
પાળવાના વિકલ્પ સુધીના બધા શુભભાવ ત્રણલોકના તીર્થંકરદેવથી માંડીને બધા જ્ઞાનીને પણ ઝેર છે,
અજ્ઞાનીની તો અહીં વાત જ નથી. શરૂઆતમાં પણ શુભરાગ મદદગાર છે એમ માને તો તે મહાપાપી છે.
શ્રી યોગસારમાં કહ્યું છે કે:–
પુણ્ય પુણ્યને સૌ કહે, પાપ કહે સૌ પાપ;
પંડિત અનુભવી જન, કહે પુણ્ય પણ પાપ.
પુણ્યને પુણ્ય તો બધા કહે છે, તથા પાપને બધા પાપ કહે છે; પણ જ્ઞાનીઓ નિશ્ચયથી તો શુભભાવને
પણ પાપ કહે છે. શુભભાવથી આત્માને પરંપરાએ લાભ થાય એમ માન્યું તે નિશ્ચયથી નિગોદ ગતિ જ છે.
પ્રશ્ન:– શાસ્ત્રોમાં તો સમ્યગ્દ્રષ્ટિના શુભભાવને ધર્મનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તર:– ત્યાં એવી અપેક્ષાએ વાત છે કે–આત્માના અંતર સ્વરૂપના ભાનમાં જ્ઞાનીને સર્વ શુભાશુભનો
નકાર વર્તે છે, ત્યાં વર્તમાન અસ્થિરતાના કારણે, અશુભને છેદવા માટે શુભરાગ છે, પણ દ્રષ્ટિમાં તેનો નકાર
વર્તે છે, તેથી અલ્પકાળમાં સ્થિરતાદ્વારા તે શુભને છેદીને વીતરાગ થઈ જવાનો છે, તે અપેક્ષાએ શુભને
પરંપરાએ ધર્મનું કારણ કહ્યું છે. ‘પરંપરા’ નો અર્થ ‘ક્રમેક્રમે તેનો છેદ કરીને’ એવો છે; સમકિતીને શુભભાવની
કર્તાપણાની બુદ્ધિ નથી, છતાં વચ્ચે આવે છે તે અસ્થિરતા છે માટે ઝેર છે, તે શુભને સ્થિરતા દ્વારા છેદશે ત્યારે
‘શુભનો અભાવ સ્થિરતામાં કારણરૂપ થશે’ ‘શુભને પરંપરાએ કારણ કહ્યું હોય ત્યાં ઉપર પ્રમાણે સમજવું.
નિશ્ચયથી શુભભાવ પણ ઝેર છે, આત્માના ગુણને રોકનાર છે. આત્માના ગુણને રોકે તે ભાવને ભલો
માનવો એ મહાપાપ છે. વચ્ચે શુભ કે અશુભ ભાવ આવે તે બન્નેનો જ્ઞાનીને નકાર વર્તે છે. જે શુભભાવને
પોતાનું કર્તૃત્વ માને–મદદગાર માને તેને મહાપાપી કહ્યો છે, ત્યાં પછી અશુભભાવ

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૭૪ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
કરવા જેવો માને તેની તો વાત ક્યાં રહી?
શુભાશુભ બધા ભાવો બંધના જ કારણ છે, સમયસારજીમાં કહ્યું છે કે:–
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्।
तत् किं प्रमाद्यति जनः प्रपतन्न धोऽधं किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।। १८९।।
અહીં નિશ્ચયનયથી શુભભાવને ઝેર કહ્યાં, તેથી કોઈ અજ્ઞાની ઊંધું સમજીને શુભને છોડીને અશુભમાં
જાય, તો તેવા અજ્ઞાનીને સમજાવવા માટે આચાર્યદેવ કહે છે કે:– જ્ઞાનીને અંતરમાં સ્વરૂપનું ભાન છે, પણ હજી
સ્થિર રહી શકતો નથી, ત્યારે શુભભાવમાં આવે છે, તે શુભભાવને ઝેર કહ્યાં છે, અને તે શુભભાવ છોડીને
સ્વરૂપમાં સ્થિર થવાનું કહ્યું છે, પણ શુભભાવ છોડીને અશુભમાં જવાનું તો વ્યવહારે પણ કહ્યું નથી. જ્યાં
આત્માના ભાનસહિત શુભભાવરૂપ વ્યવહારૂ પ્રતિક્રમણને પણ ઝેર કહ્યું છે તો જેને વ્યવહાર કે નિશ્ચય બેમાંથી
એકે પ્રતિક્રમણ નથી અને એકલા અશુભમાં જ ઊભો છે તેને અમૃત કોણ કહેશે?
આ આત્માના ઘરની વાત છે. તે અનાદિના અપરિચયને લીધે અઘરી લાગે, પણ અઘરી છે નહીં, જેમ
નટને દોરી ઉપર થાળીમાં ઊંધે માથે અને ઊંચે પગે ચાલવું તે સરળ છે, તેના અનુભવને કારણે તે કામ તેને
જરાય મુશ્કેલી વાળું લાગતું નથી, પણ બીજાને તે કામ અઘરૂં લાગે છે, તેમ આત્માનો ધર્મ પણ સહજ છે; પણ
અનાદિથી તેનો પરિચય નથી તેથી અઘરૂં લાગે છે, પણ પરિચય કરે તો સહજ છે. મુશ્કેલ નથી.
આત્માનો સ્વભાવ ઓળખ્યા પછી તેમાં ઠરી શકતો નથી ત્યારના શુભભાવને ઝેર કહ્યું છે –અહીં
શુભભાવને ઝેર કહ્યું છે. તેથી કાંઈ શુભ છોડીને અશુભ કરવાનું કહ્યું નથી; પણ શુભ અને અશુભ બન્ને ઝેર છે,
આત્માનું સ્વરૂપ જ અમૃત છે તેથી શુભને છોડીને સ્વરૂપમાં ઠરી જવાનું કહ્યું છે.
• તમારી નકલ પાંચને વંચાવો. •
શ્રી સમયસાર કલશ–૧૮૯માં અમૃતચંદ્રાચાર્ય દેવ આશ્ચર્યથી કહે છે કે:–
‘અરે! સ્વરૂપની સ્થિરતા કરાવવા માટે અમે શુભ છોડવાનું કહીએ છીએ, અને એ રીતે અમે આ
પ્રાણીને આગળ આગળ લઈ જવા માંગીએ છીએ; તેને બદલે આ પ્રાણી (અજ્ઞાની જીવ) પ્રમાદી થઈને
નીચે નીચે કેમ પડતા જાય છે?’
‘શુભભાવથી ધર્મ નથી’ એમ કહીને ધર્મના સ્વરૂપની ઓળખાણ આપી છે કે શુભભાવમાં ધર્મની
માન્યતા છોડી દે. ‘શુભભાવમાં છોડી દઈને અશુભ કર’ એમ કહ્યું નથી. નિર્મળ પર્યાય અંતરમાંથી પ્રગટે છે,
બહારના આશ્રયે આવતી નથી. શુભભાવ બધો પરના આશ્રયે થાય છે, તેમાં ધર્મ નથી.
‘શુભથી ધર્મ નહીં થાય માટે અશુભ કરજે’ એમ કહેતાં નથી, છતાં કોઈ ઊંધુંં માનીને અશુભમાં જાય તો
સ્વતંત્ર છે. અનંતકાળે દુર્લભ આ મનુષ્ય દેહમાં નહીં સમજે તો ક્યારે સમજશે? આ સમજ્યાં વગર જન્મ–
મરણનો અંત નહિ આવે! ધર્મ નહીં પામે! શુભભાવ કરે, તો એવા શુભભાવ તો અનંતવાર કરી ચૂક્યો. એવા
ઊંચા શુભભાવ કર્યા કે તેના ફળમાં નવમી ગ્રૈવેયકે અનંતવાર જઈ આવ્યો, એવા ઊંચા શુભભાવ વર્તમાનમાં
ભરતક્ષેત્રે તો કોઈ કરી શકે નહીં, એ બધા શુભભાવ કર્યા છતાં આત્માના ભાન વગર જન્મ મરણ ટળ્‌યા નહીં;
કેમકે ધર્મનો અને પુણ્યનો બન્નેનો માર્ગ જુદો છે.
આચાર્ય કહે છે કે:– અમે શુભ છોડવાનો ઉપદેશ સ્વરૂપમાં સ્થિરતા કરાવવા આપ્યો છે, તો વ્યવહાર
પ્રતિક્રમણ છોડીને સ્વરૂપમાં સ્થિરતા કેમ કરતા નથી? શુભ કરતાં કરતાં શુદ્ધ થાય એમ ત્રણ કાળ ત્રણ લોકમાં
થતું નથી, પણ શુભનો અભાવ કરતાં શુદ્ધ થાય છે. અશુભની તો અહીં વાત જ નથી.
અહીં તો જન્મ મરણનો અંત લાવવાની અપેક્ષાએ વાત છે, અહીં તો ધર્મ બતાવવો છે. તેમાં શુભ
કે અશુભ બન્ને ઝેર છે.
‘વીતરાગે કહેલો વ્યવહારનો માર્ગ × નવપ્રકારે મેં કદી કર્યો જ નથી.’ આવી ભાવના કરે છે ત્યારે પણ
વિકલ્પ તો વર્તે છે, છતાં દ્રષ્ટિમાં નકાર વર્તે છે.

PDF/HTML Page 16 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૫ :
જ્યારે ધર્મની વાત ચાલતી હોય ત્યારે શુભ–અશુભ બન્ને છોડવાનું આવે, અને જ્યારે કોઈને અશુભથી
છોડાવવા પૂરતી વાત હોય ત્યારે કહેવાય કે–ભાઈ! આ પાપભાવ છોડીને શુભભાવ કર, તેથી તને લાભ થશે.
ત્યાં શુભથી ખરેખર તો લાભ નથી, પણ પ્રથમ અશુભથી છોડાવવા શુભ કરવા કહ્યું છે. અશુભના ત્યાગ પૂરતો
શુભભાવ વ્યવહારે ઉપાદેય છે, વ્યવહારે ઉપાદેય છે એટલે નિશ્ચયથી (ખરેખર) ઉપાદેય નથી. જે અશુભમાં
ઊભો છે તેને પહેલાંં અશુભથી છોડાવીને પછી શુભ–અશુભ બન્ને છોડાવે છે. અશુભથી છૂટીને શુભ કરવામાં
વધારે પુરુષાર્થ નથી, અશુભ છોડીને શુભના ફળમાં સ્વર્ગમાં અનંતીવાર જીવ જઈ આવ્યો છે. નરકના ભવ
કરતાં સ્વર્ગના ભવ અનંતવાર જીવ કરી આવ્યો છે; અહીં ધર્મની વાતમાં તો શુભ–અશુભ બન્ને છોડવાની વાત
છે, શુભ છોડવામાં અનંતો પુરુષાર્થ છે.
આ નિયમસારની જ પ૦ મી ગાથાની ટીકામાં આવ્યું કે:– જેટલી મોક્ષમાર્ગ–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
નિર્મળ પર્યાય તે પણ વ્યવહારે આદરણીય છે, નિશ્ચયથી તો શુદ્ધ સ્વરૂપ જ આદરણીય છે.
નવ પ્રકાર આ પ્રમાણે છે.
(૧) શુભભાવ મનથી કર્યાં નથી (૨) કરાવ્યા નથી (૩) અનુમોદ્યાં નથી. (૪) વચનથી કર્યાં નથી
(પ) કરાવ્યાં નથી (૬) અનુમોદ્યાં નથી (૭) કાયાથી કર્યાં નથી (૮) કરાવ્યાં નથી (૯) અનુમોદ્યાં નથી.
મોક્ષમાર્ગ વ્યવહારે આદરણીય છે એટલે નિશ્ચયથી આદરણીય નથી.
હવે તો બધું ખુલ્લું મૂકાઈ ગયું છે, અપ્રગટ કાંઈ રાખ્યું જ નથી. ત્રિકાળ સત્ય વાત ખુલ્લે ખુલ્લી બહાર
મૂકાઈ ગઈ છે. માર્ગ સહેલો અને સીધો સટ છે. સમકિતથી તે કેવળજ્ઞાન સુધી વચ્ચે ક્યાંય મૂંઝવણ જ નથી,
સરલ માર્ગ છે, સંસાર અને આત્મા બે કટકા થઈ જાય એવો નિશ્ચય માર્ગ છે.
ટીકાકાર કહે છે કે:–
आत्म ध्यानाद परमखिलं घोर संसारमूलं ध्यान ध्येय प्रमुख सुतपः कल्पना मात्र रम्यम्।
बुद्धा धीमान् सहज परमान्द पीयूष पूरे निर्मज्जन्तं सहज परमात्मानमेकं प्रपेदे।।
આત્માના ધ્યાન સિવાય બીજા બધા ધ્યાન ઘોર ભયાનક સંસારનું કારણ છે. ધ્યાન–ધ્યેય વગેરેના
વિકલ્પરૂપ તપ એટલે કે ‘હું ધ્યાન કરૂં છું, હું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છું’ એવા બધા વિકલ્પ તે કહેવા માત્ર સુંદર છે,
એટલે કે ખરેખર તો તેમાં કાંઈ માલ નથી. આત્માના આનંદ સ્વરૂપના સ્વાશ્રય, વ્યવહારનયનો બધો વિષય
વ્રત, તપ, નિયમના બધા વિકલ્પ કલ્પના માત્ર રમ્ય (સુંદર) છે–નિશ્ચયથી તેમાં કાંઈ લાભ નથી. વ્યવહારે લાભ
છે. એમ કહેવાય, પણ વ્યવહાર દ્રષ્ટિ જ મિથ્યા દ્રષ્ટિ છે, નિશ્ચય દ્રષ્ટિ જ સાચી દ્રષ્ટિ છે. ભંગભેદ બધો વ્યવહાર
છે તેમાં લાભ માનવો તે અજ્ઞાન છે. સાચી સમજણ એ જ ધર્મ છે, વચ્ચે કાંઈ પણ ગોટો ઘાલ્યો તો ક્યાંય
ઉદ્ધારનાં ટાણાં નથી.
ટીકાકારની ભાષા કડક છે, થડક ખાધા વિના ચોકખું કહી દીધું છે.
આ સમજીને બુદ્ધિમાન પુરુષો સ્વાભાવિક પરમ આનંદરૂપી અમૃતથી ભરેલા સમુદ્રમાં ડુબેલા પરમ
ઉત્કૃષ્ટ એકરૂપ સહજ સ્વાભાવિક આત્મા તેનો અનુભવ કરે છે.
સહજ! સહજ! આ સહજ શબ્દ તો હજારો વાર વાપર્યો છે. હઠથી થતું નથી પણ સ્વરૂપથી જ સહજ છે.
સહજ કહ્યું તેમાં પુરુષાર્થ નથી એવો અર્થ થતો નથી, પણ પુરુષાર્થમાં સહજ છે. હઠથી થતું નથી. એવા અર્થમાં
આચાર્યે ‘સહજ’ શબ્દ વારંવાર વાપર્યા છે.
સાચું જ્ઞાન મુંઝવણ થવા. દે નહીં, નીકાલ (સમાધાન) કરી નાંખે; રાગ વખતે રાગનાં નિમિત્ત હોય
ખરા, પણ રાગને કારણે નિમિત્ત આવ્યાં નથી કે નિમિત્તને કારણે રાગ થયો નથી. સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણ વીતરાગતા
થતાં વચ્ચે શુભરાગ આવે ખરો, પણ તેનાથી જે ધર્મ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રત–તપ બધો રાગ છે, તે
અસ્થિરતા છે, અસ્થિરતા સુંદર નથી.
સાચી શ્રદ્ધાથી આ વાત ન સમજે ત્યાંસુધી જન્મ–મરણનો અંત તો ન આવે, પણ વર્તમાનમાં ય
સમાધિમરણ તેને ન થાય. સાચું ભાન હોય તેને મરણ ટાણે સ્વરૂપની રમણતામાં પંડિતમરણ થાય જ. મરણનાં

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૭૬ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
ટાણાં આવે ત્યારે જ્ઞાની સ્વભાવની શાંતિના સડકા લેતા હોય અને દેહ છૂટી જાય; બહારમાં ભલે રોગ આવે,
પણ અંદર સ્વરૂપની સ્થિરતાથી ખસે નહીં. અને અજ્ઞાનીને મરણનાં ટાણાં આવશે ત્યારે દેહ ઉપરના લક્ષથી તે
રોતાં રોતાં મરશે. જ્ઞાની સ્વરૂપની ભાવનાને રગડતાં રગડતાં જ્યાં વિકલ્પ છુટી ગયો ત્યાં દેહ છુટી જાય છે,
અહીં નિર્વિકલ્પ દશા સહિત પંડિતમરણની વાત છે, તેથી છઠ્ઠે ગુણસ્થાને–વિકલ્પ સહિત દશામાં દેહ ન છૂટે પણ
સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પદશામાં ઠરતાં દેહ છૂટી જાય છે તે સમાધિ મરણ અહીં લીધું છે, અહીં ઉત્કૃષ્ટ પંડિત
મરણની વાત લીધી છે.
દેહના સંયોગ સાથે જ વિયોગ નિશ્ચયથી છે એવું વિયોગ પહેલાંં ભાન વર્તે છે. સ્વરૂપની સ્થિરતામાં
અંદર ચૈતન્ય ગોળો છૂટો પડ્યો ત્યાં દેહ છૂટી જાય છે એ સમાધિ મરણ છે. ધ્યાન–ધ્યેય ભેદ પડે તે પણ નહીં,
પંડિત મરણ વખતે શુભથી છૂટી જઈને–બધા વિકલ્પથી છૂટી જઈને અંદર ઠરી ગયો તે જ ઉત્કૃષ્ટ ઉત્તમાર્થી
પ્રતિક્રમણ છે. ઉત્કૃષ્ટની જ વાત લીધી છે, પુરુષાર્થની ખામીની વાત જ લીધી નથી. સ્વરૂપના આનંદમાં રમતા
રમતા જાય છે, દેહની ખબર પણ નથી, દેહ છોડતાં સ્વરૂપનો વધારે આનંદ છે, પર ઉપરનું લક્ષ છોડીને સ્વરૂપમાં
ઠરવાના બીજ વાવ્યાં છે, તેથી મરણ ટાણે તેના ફળરૂપે સ્વરૂપના આનંદમાં રમતાં રમતાં દેહ છૂટી જાય છે. આ
જ ઉત્કૃષ્ટ પંડિત મરણ છે.
• •
પરમપૂજ્ય સદ્ગુરુદેવની અમૃતવાણી • •

૧ કર્મ જડ છે–આત્મા ચેતન છે, બન્ને વસ્તુ ભિન્ન છે. કર્મ અને આત્મા એકક્ષેત્રે ભેગાં હોવા છતાં કર્મ
આત્માને કે આત્મા કર્મને–કોઈ એક બીજાને–ગતિ કરાવતાં નથી. પણ બન્ને પોતપોતાના સ્વતંત્ર ઉપાદાન કારણે
જાય છે.
૨ શુભભાવ તે સમય પૂરતા અશુભ ભાવને ટાળી શકે છે–પણ જન્મમરણને ટાળી શકતાં નથી.
૩ નિમિત્ત એટલે વ્યવહાર માત્ર અર્થાત્ ખોટું. (મીંદડીને વાઘ કહેવા જેવું ઉપચારમાત્ર)
૪ આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનમય જ છે, છતાં અનાદિથી અજ્ઞાનરૂપ–અશુદ્ધ માનતો આવે છે; તોપણ
સ્વરૂપ તો ત્રિકાળી શાંત અવિકારી શુદ્ધ જ છે, અવસ્થા પૂરતો જેટલો વિકાર કરે તેટલો (અવસ્થામાં) અશુદ્ધ
છે. આત્મામાં વિકાર કરવાની યોગ્યતા છે–પણ સ્વભાવ નથી. તે યોગ્યતા પોતે ફેરવી નાંખે તો અવિકારી સ્વરૂપ
જ છે. જે સ્વરૂપે છે તે સ્વરૂપે પોતાને જોયો નહીં અને પરરૂપે માન્યો તે જ વિકાર છે. માનનારો તે ઊંધી
માન્યતા ફેરવી નાંખે તો શુદ્ધ અવિકારી જ છે.
પ આત્મા એકવાર પર્યાયે શુદ્ધ થાય તો ફરી કદી અશુદ્ધતા થાય નહીં. તેથી બે વાત નક્કી થાય છે કે
આત્મા સ્વભાવે અનાદિ અનંત શુદ્ધ છે, પણ પર્યાયે અનાદિથી અશુદ્ધ છે, અને તે અશુદ્ધતા ટળી શકે છે.
૬ ચોથો કાળ હોય કે પંચમ કાળ હોય, મહાવિદેહમાં હો કે ભરતમાં હો, ગમે ત્યાં હો–પણ સત્ય
સમજવામાં તારા પુરુષાર્થની જરૂર તો પહેલી જ પડવાની!
૭ દ્રષ્ટિમાં જ સંસાર અને દ્રષ્ટિમાં જ મોક્ષ. દ્રષ્ટિની ભૂલમાં સંસાર–ભૂલ ટળ્‌યે મોક્ષ. અખંડ ચિદાનંદ
એકરૂપ ધ્રુવ સ્વભાવ ઉપરની દ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રની નિર્મળ દશાનું કારણ છે.
૮ વસ્તુની પર્યાય ક્રમબદ્ધ થાય છે એમ નક્કી થતાં “મારી પર્યાય મારામાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે.” એવી
શ્રદ્ધા થઈ અને તેથી પોતાની પર્યાય માટે કોઈ પર તરફ જોવાનું રહ્યું નહીં–એટલે–સ્વદ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જતાં
અલ્પકાળમાં પૂર્ણ નિર્મળ પર્યાય ઊઘડી જ જવાની.
૯ રે! મૂર્ખ! ક્ષણિક દેહની ખાતર અવિનાશી આત્માને ન ભૂલ. તારામાં ભિન્નતાનું એટલે સુધી ભાન
હોવું જોઈએ કે “દેહ તો કાલે પડતો હોય તો ભલે આજે પડો! દેહ મારું સ્વરૂપ છે જ નહીં હું તો અશરીરી સિદ્ધ
સ્વરૂપ છું.”

PDF/HTML Page 18 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૭ :
સંવત્સરી
પ્ર તિ ક્ર મ ણ સં બં ધે ગં ભી ર સં વા દ
જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ ભુલ્યો છે માટે તે ભુલથી પાછું ફરવું – પોતાનું યથાર્થ સ્વરૂપ સમજવું એ
પ્રતક્રમણ છ.
રા. મા. દોશી

નાનાભાઈ–મોટાભાઈ, સંવત્સરી નજીક આવે છે, પણ પ્રતિક્રમણ માટે મારો આવવાનો વિચાર થતો
નથી તો આપ મને માફ કરશોને?
મોટાભાઈ–કેમ? તમને શા માટે આ વિચાર આવ્યો તે કહો તો પછી શું કરવું તે આપણે નક્કી કરીશું.
નાનાભાઈ–જુઓ–હું ‘પ્રતિક્રમણ’ શબ્દનો અર્થ પણ જાણતો નથી. તો પછી તેનો ભાવ શું છે એતો
ક્યાંથી જાણું? માટે વિચાર થતો નથી.
મોટાભાઈ––તમે આટલા વરસોથી પ્રતિક્રમણ કરો છો અને તમે સમજતા નથી તો તમે અણસમજણ કેમ
નભાવી લીધી? અણસમજણમાં રહેવું તે તમારા જેવા માણસનું કામ નથી.
નાનાભાઈ–આપની વાત સાચી છે. અણસમજણ રાખવી ન જ જોઈએ, કેટલાક લોકો કહે છે કે– ‘ભલે
આપણે ન સમજીએ તેમાં શું વાંધો? જેટલો વખત આપણે ધર્મના સ્થાનકે રહ્યા તેટલો વખત છકાયજીવની
હિંસા તો અટકી અને વળી આપણે ચોવીશ કલાક આહારપાણી નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી એટલે તપ થયો
અને તેથી નિર્જરારૂપ ધર્મ થયો માટે આપણે સમજવાની જરૂર નથી. મારા જેવા વર્તમાન કાળના યુવકને આ
વાત કેમ ગળે ઉતરે? માટે ખરૂં શું છે તે સમજાવો.
મોટાભાઈ–તમે ખુલાસો માગ્યો તે બહુ સારું કર્યું. ‘અણસમજણ’ થી કદી આત્માને લાભ થાય જ નહીં;
પણ નુકસાન થાય માટે સ્પષ્ટતાથી આ વિષય સમજી શકો તે માટે થોડું કહીશ.
નાનાભાઈ– ‘પ્રતિક્રમણ’ નો અર્થ આપ પહેલાંં કહો.
મોટાભાઈ–પ્રતિક્રમણ=પ્રતિ+ક્રમણ=પ્રતિક્રમણનો અર્થ પાછું ફરવું એવો થાય છે. જીવ અનાદિથી પોતાનું
સ્વરૂપ ભૂલ્યો છે માટે તે ભૂલથી પાછું ફરવું–પોતાનું યથાર્થ સ્વરૂપ સમજવું એ પ્રતિક્રમણ છે.
નાનાભાઈ–ત્યારે તો એમ થયું કે:– (૧) જીવ શું છે, તેનું સ્વરૂપ શું છે તે પોતે પ્રથમ જાણવું જોઈએ
(૨) જીવ અનાદિથી શું ભુલ કરી રહ્યો છે તે જાણવું જોઈએ–કેમકે ભુલ જાણ્યા સિવાય ભુલથી પાછું કેમ ફરી
શકાય? (૩) જીવનું અને પોતામાં થતી ભુલનું સ્વરૂપ જાણી ભુલથી પાછું ફરવું જોઈએ. આમ આત્મામાં થતી
આ ક્રિયાને પ્રતિક્રમણ કહે છે.
મોટાભાઈ––તમે પ્રતિક્રમણનું જે સ્વરૂપ કહ્યું તે બરાબર છે. તેને જ જ્ઞાનીઓ સાચું પ્રતિક્રમણ કરે છે.
નાનાભાઈ–ત્યારે તો એમ થયું કે આજ સુધી સમજ્યા વિના પ્રતિક્રમણો કર્યાં તે તો માત્ર કાળક્ષેપ થયો,
આત્માને કાંઈ લાભ ન થયો–એ ખરૂં?
મોટાભાઈ––હા, છે તો તેમ જ. પ્રતિક્રમણ તો આત્માનો (જીવનો) શુદ્ધભાવ છે તેથી આત્માને જે સમજે
નહીં, તેને સાચી પ્રતિક્રમણની ક્રિયા હોય નહીં.
નાનાભાઈ–કેટલાકો કહે છે કે– ‘છકાય જીવની રક્ષા તો થઈ, એટલો લાભ તો ખરો’ તેનું કેમ?
મોટાભાઈ–તમે છકાય જીવમાં આવ્યા કે ન આવ્યા? જો આવ્યા તો તમારી રક્ષા થઈ ખરી? જો ન
આવ્યા તો છ કાય જીવની રક્ષા ક્યાં થઈ?
નાનાભાઈ–હું તો જીવ શું છે તે યથાર્થપણે સમજતો નથી તેથી ‘છ કાયજીવ’ શું કહેવાય તે હું કહી શકું
નહીં. પણ હું નાનપણમાં કેટલાક બોલો શીખ્યો હતો તેમાં એમ આવતું હતું કે–પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવો
અને એક ત્રસ. એમ છ પ્રકારના સંસારી જીવો છે તેને છ કાયના જીવો કહે છે. હું ત્રસ જીવ છું એટલે છકાય
જીવોમાં હું આવી ગયો.

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૭૮ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
. આત્મા.
ભગવાન આત્મા પોતે પોતાથી જ સિદ્ધ અને પરમાર્થરૂપ એવો જ્ઞાન સ્વભાવી
છે. હું સ્વયંસિદ્ધ છું, હું મારાથી જ સિદ્ધ છું. મને સિદ્ધ કરવામાં મારી સાબિતી કરવામાં
કોઈ શરીર, મન, વાણી આદિ પરની જરૂર પડે તેમ નથી. પરમાર્થરૂપ ભગવાન
આત્મા સ્વતઃસિદ્ધ છે, તેને સિદ્ધ કરવા માટે–નક્કી કરવા માટે પુણ્યનું–રાગનું કે પર
સંયોગનું અવલંબન લેવું પડે તેમ નથી.
(સમયસારજી ગાથા ૩૨ના પ્રવચનમાંથી)

મોટાભાઈ–ત્યારે કહો કે તમારા માનેલાં પ્રતિક્રમણ કરતાં તમારા જીવની રક્ષા થઈ કે નહીં, એટલે કે
તમારામાં વિકાર ટળ્‌યો કે નહીં?
નાનાભાઈ–જીવનું યથાર્થ સ્વરૂપ હું સમજતો નથી તો પછી મારા જીવની રક્ષા થઈ એમ કેમ કહી શકું?
મોટાભાઈ–જ્ઞાનીઓ કહે છે કે–જીવ પોતાનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી પોતાનું ભાવ મરણ સમયે સમયે
કરતો રહે છે અને તેથી તે દુઃખ જ ભોગવે છે. તમે તમારું સ્વરૂપ સમજ્યા નથી તેથી તમારું ભાવ મરણ તમે
દરેક સમયે કરો છો. સમજ્યા વગરની થતી પ્રતિક્રમણની ક્રિયા વખતે પણ ભાવ મરણ તો ચાલુ જ છે તો પછી
તમારા જીવની રક્ષા ક્યાં થઈ? બિલકુલ થઈ નહીં, પણ તમારી અરક્ષા–અર્થાત્ ભાવ મરણ થયું. એ રીતે છ કાય
જીવની રક્ષા થઈ નહીં.
નાનાભાઈ–પણ બીજા જીવોને તો મેં ન માર્યા એટલો લાભ તો તેમને થયોને?
મોટાભાઈ––આ વિષય બરાબર વિચારવા જેવો છે. તમે જીવને તો ઓળખતા નથી તો પછી તમે તેને
માર્યો કે ન માર્યો એ પ્રશ્ન ઉઠેજ શી રીતે? વળી જીવો જીવે છે તે તમારે કારણે કે પોતાને કારણે જીવે છે તે નક્કી
કરવાની જરૂર છે માટે તમે શું માનો છો તે કહો.
નાનાભાઈ–મેં આ બાબતમાં વિચાર કરી સાચું સ્વરૂપ નક્કી કર્યું નથી માટે તમો જ સમજાવો.
મોટાભાઈ–યુવકો જો ઉંડા ઉતરી સાચું સ્વરૂપ સમજવા મહેનત કરે તો ઘણું પ્રશંસનીય છે, માટે ધીરજથી
સાંભળી; તે બાબત વિચાર કરી સત્યાસત્યનો નિર્ણય કરશો. કોઈ કહે છે માટે માની લેવું એતો અંધશ્રદ્ધા છે અને
અંધશ્રદ્ધા તે તો અજ્ઞાન છે, અવિવેક છે માટે વિચારવાન જીવોએ તે છોડવું જ જોઈએ.
નાનાભાઈ–તમારીવાત સાચી છે. અંધશ્રદ્ધા એ તો ઊંધાઈ છે. ઊંધાઈથી લાભ થાય નહીં. સાચું
સમજવાની મને જિજ્ઞાસા થઈ છે માટે તમે કહેશો તે સાંભળી હું વિચારીશ અને સત્યાસત્યનો નિર્ણય કરીશ.
મોટાભાઈ––બહુ સારું. એમ જો કરશો તો અસત્યમાંથી તમે પાછા ફરશો, સત્યને યથાર્થ ઓળખશો અને
તેજ સાચું પ્રતિક્રમણ છે, અને તેમ થશે તો આ સંવત્સરી પ્રતિક્રમણ તમોને સાચરૂપે થશે.
નાનાભાઈ–મને વિચાર એવો થાય છે કે–મારે સાચું પ્રતિક્રમણ (વીતરાગની આજ્ઞાનુસાર) કરવું જ
જોઈએ. જો તેમ ન કરૂં તો મારો અમુલ્ય મનુષ્ય ભવ એળે જાય.
મોટાભાઈ–ઠીક ત્યારે વિચારો. કોઈ જીવ બીજા જીવને મારવા સમર્થ છે? એમ ઘણી વખત બને છે કે–
જ્યારે એક માણસ બીજાને મારી નાંખવા બંદુક મારે ત્યારે તે માણસ ન મરે અને ત્રાહેત–અજાણ્યો માણસ આડો
આવી જાય અને તે મરીજાય તેનો સિદ્ધાંત એવો છે કે:– દરેક જીવ અને તેનું શરીર એક સાથે રહેવા યોગ્ય હોય
ત્યાં સુધી ચોકસપણે રહે જ; લોકો તેને જીવન કહે છે. જીવ અને શરીર સાથે રહેવા લાયક ન હોય ત્યારે છુટા
પડે; છુટા પડે તેને લોકો મરણ કહે છે.
અહીં એટલું ખાસ લક્ષમાં રાખવાનું છે કે, એક માણસે બીજાને મારવા–ખૂન કરવા વિચાર કર્યો
અને તે વિચારની પૂર્ણતા માટે બીજા માણસને બંદુક મારી પણ બીજો માણસ બચી ગયો. ત્યાં જો કે કાંઈ
પણ શારીરિક ઈજા નથી થઈ તો પણ ખૂન કરવાનો જે જીવે ભાવ કર્યો તે જીવે પોતે પોતાની હિંસા કરી જ
છે, કેમકે તેણે તીવ્ર અશુભ ભાવ સેવી પોતાની શુદ્ધતાનું ખૂન કર્યું છે. અજ્ઞાની જીવો પોતાના વિકારી
ભાવોથી પોતાને લાભ થાય એવી ઊંધી પકડથી

PDF/HTML Page 20 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૯ :
પોતાના ગુણનું ખૂન કરી રહ્યા છે, અને તેનું નામ ભાવ મરણ છે. એ રીતે બીજો જીવ બચે કે મરે પણ જે
જીવે મારી નાંખવાનો ભાવ કર્યો તેણે પોતાની હિંસા તો કરી જ છે.
નાનાભાઈ–તમારી વાત સમજાણી. તમે જે દાખલો આપ્યો તે તો અશુભ ભાવનો આપ્યો. પણ સમજ્યા
વગરના પ્રતિક્રમણ કરનારે તો કોઈ જીવને મારવાનો ભાવ કર્યો નથી. તેનું શું?
મોટાભાઈ––કોઈ જીવ પોતે બીજાને લાભ–નુકસાન કરી શકતો નથી, પણ પોતાના ભાવમાં ઘાલમેલ કરી
શકે છે એમ બતાવવા ઉપરનો દાખલો આપ્યો હતો. જેમ એક જીવ બીજાનું ભૂંડું કરી શકતો નથી તેમ બીજાનું
ભલું પણ કરી શકતો નથી. તે બીજા જીવોને દુઃખ ન દેવાનો ભાવ કરે તો તે શુભ ભાવ છે, અને અગવડ
આપવાનો ભાવ કરે તો તે અશુભ ભાવ છે. શુભાશુભ ભાવ મારા છે, તે કરવા જેવા છે, એવી જે જીવની
મજબૂત પકડ છે તે સંસારનું મૂળિયું છે, અને તે છેદવામાં ન આવે ત્યાં સુધી સંસાર ઊભો રહે છે. પોતાનું યથાર્થ
સ્વરૂપ સમજ્યા વિના તે ટળે નહીં. તે મૂળિયાને શાસ્ત્રીય પરીભાષામાં મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વ તેજ સંસાર
છે–તેજ પરિગ્રહ છે. અને તેમાંથી પાછું ફરવું તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે.
નાનાભાઈ–તમારું કહેવું હું સમજ્યો–તમે એમ કહેવા માગો છો કે:– (૧) એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ
કરી શકે નહીં અને તેથી લાભ નુકસાન કરી શકે નહીં. જીવ અને અજીવ પણ વસ્તુઓ છે તેથી જીવ પુદ્ગલનું કે
બીજા જીવનું કાંઈ કરી શકે નહીં, પુદ્ગલ જીવને કાંઈ લાભ નુકસાન કરી શકે નહીં.
(૨) એ પ્રમાણે માન્યતા થતાં જગતના અનંતા પદાર્થો ઉપરનું પોતાનું સ્વામીત્વ જીવ ઊંધાઈથી માનતો
તે ટળી જાય છે.
(૩) દરેક જીવ પોતાને જ પોતાના ભાવથી લાભ નુકસાન કરી શકે.
(૪) જો પોતાનું સ્વરૂપ સમજે તો પોતાને લાભ થાય. અને સાચી સમજણ કરવી તેને તમે ‘મિથ્યાત્વનું
પ્રતિક્રમણ’ કહો છો. આ વાત બરાબર છે?
મોટાભાઈ–હા, તમે કહ્યું તે બરાબર છે, પણ પોતાનું સ્વરૂપ સમજવું એમ કહેવાથી સ્વરૂપ સમજાય નહીં;
માટે તેનો ઉપાય જાણવો જોઈએ.
નાનાભાઈ–એ વાત ખરી છે. તે માટે શું ઉપાય છે તે સમજાવો.
મોટાભાઈ––પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. આત્મા ત્રિકાળી
અખંડ શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર ધ્રુવ રૂપ છે. માત્ર તેની વર્તમાન વર્તતી અવસ્થામાં ક્ષણે ક્ષણે તે નવો વિકાર
કરે છે. તે તરફ લક્ષ ગૌણ કરી ત્રિકાળી–ધ્રુવ–ચૈતન્ય સ્વરૂપ તરફ લક્ષ આપે તો સમ્યગ્દર્શન પ્રગટે છે, અને
સમ્યગ્દર્શનનું પ્રગટ કરવું તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે; માટે આ સંબંધે વિચાર કરી–સત્યાસત્યનો નિર્ણય કરી
સમ્યગ્દર્શન પ્રગટ કરવું.
નાનાભાઈ–પ્રતિક્રમણનો પાઠ કેટલાક બોલે છે તેમાં નીચે પ્રમાણે બોલતાં સાંભળ્‌યું છે:– ‘મિથ્યાત્વનું
પડિકમણું–અવ્રતનું પડિકમણું–કષાયનું પડિકમણું–– ‘પ્રમાદનું પડિકમણું’ તો પહેલાંં મિથ્યાત્વનું પડિકમણું ન
કરીએ અને બીજાં કરીએ તો કેમ?
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવ શંકતા, અપાત્ર અંતર જ્યોત.
(શ્રીમદ્ રાજચંદ્ર)
જેની મતિમાં અલ્પતા છે, જ્ઞાનમાં વિવેક નથી, મોહ ઉદ્યોત એટલે પર ઉપર જેનું વજન છે, અનંત પૂર્ણ
તાકાતરૂપે હું છું તેનો વિશ્વાસ નથી, કાળ, ક્ષેત્ર ને કર્મ નડે છે એમ પર ઉપર નાખે છે, તેને ભવની શંકા થાય છે.
‘મારા પુરુષાર્થથી હું સ્વતંત્ર આત્મતત્ત્વનો મોક્ષ મેળવી શકું છું’ તેની શ્રદ્ધા ન આવે, રાગ તોડવો તે મારા
હાથની વાત છે એમ જેને બેસે નહિ તે અપાત્ર અંતર જ્યોત છે.
હું આત્મતત્ત્વ એક ક્ષણમાં અનંત પુરુષાર્થ કરી અનંતકાળની મૂંઝવણ તોડનાર છું, કારણ કે હું અનંત
વીર્યની મૂર્તિ છું, એમ જેને બેસે તેને અનંત સંસાર હોતો નથી. (સમયસારજી ગાથા ૩૩ના પ્રવચનમાંથી)