Atmadharma magazine - Ank 121
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૧
સળંગ અંક ૧૨૧
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
આત્મધર્મ
વર્ષ અગિયારમુંઃઃ સ મ્પા દ કઃઃકારતક
અંક પહેલોરામજી માણેકચંદ દોશી૨૪૮૦
* મંગલ સુપ્રભાત *
બેસતા વર્ષનું માંગલિક
– – – – – – – – – – – –
કેવળજ્ઞાનરૂપી દિવ્ય સુપ્રભાત જયવંત વર્તો....તે કેવળજ્ઞાનના કારણભૂત એવું
સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત જયવંત વર્તો. જે આત્માઓમાં આવા મંગલ સુપ્રભાતનો ઉદય થયો છે
તેમના પવિત્ર ચરણકમળમાં નમસ્કાર હો.
સુપ્રભાતમંગલમાં પૂ. ગુરુદેવ એવું અપૂર્વ માંગળિક સંભળાવે છે કે જેનાથી આત્માની
મુક્તિ થાયઃ ‘અહો જીવો! તમારા આત્મામાં પરિપૂર્ણ પ્રભુતા ભરી છે. તે જ મંગળરૂપ છે. તે
ચૈતન્યપ્રભુતાની શ્રદ્ધા કરવી તે મંગળ છે, તેનું જ્ઞાન કરવું તે મંગળ છે, અને તેમાં એકાગ્રતા
કરવી તે મંગળ છે. ચૈતન્ય–ચમત્કાર આત્માની પ્રભુતાનો વિશ્વાસ કરતા સમ્યગ્દર્શનરૂપી
સુપ્રભાતનો ઉદય થાય છે ને પછી અલ્પકાળમાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણ સુપ્રભાતનો ઉદય થાય છે. –
આવા મંગળરૂપ સુપ્રભાત જયવંત વર્તો. આત્મામાં આવું મંગલસુપ્રભાત પ્રગટ કરવા માટે, હે
જીવો! તમે તમારી પ્રભુતાને ઓળખો.’
–આત્માનું પ્રભુત્વ ઓળખાવનારા અને મંગલ–સુપ્રભાતનો ઉદય કરનારા એવા હે કૃપાળુ
ગુરુદેવ! આ નૂતનવર્ષના પ્રારંભમાં આપશ્રીને સર્વે ભક્તજનોના અંતરની અભિવંદના...
છૂટક નકલ ચાર આના (૧ર૧) વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 25
single page version

background image
આ ત્મ ધ ર્મ
અગિયારમા વર્ષના પ્રારંભે.....
* ભગવાન શ્રી સીમંધરાદિ પંચ પરમેષ્ઠી ભગવંતોને, પરમ પૂજ્ય શ્રી કહાન ગુરુદેવને, અને ભગવતી
જિનવાણી–માતાને અત્યંત ભક્તિપૂર્વક આ નૂતનવર્ષના પ્રારંભમાં નમસ્કાર હો......
* આજે આપણું “આત્મધર્મ” માસિક પહેલો દસકો પૂરો કરીને, નવીન ઉત્સાહ અને નવીન
ભાવનાઓ સાથે બીજા દસકામાં પ્રવેશ કરે છે.
* આત્મધર્મની સંપાદન–શૈલી બાબતમાં કે આત્મધર્મના વિકાસ બાબતમાં કાંઈ નવીન સૂચના હોય
તો જિજ્ઞાસુ પાઠકો પોતાની સૂચના મોકલે.
* દરેક ગામના મુમુક્ષુ–મંડળને ખાસ સૂચના છે કે પોતપોતાના ગામમાં ચાલતી ધાર્મિક પ્રવૃત્તિ
વગેરેના જાણવાયોગ્ય સમાચારો આત્મધર્મમાં છાપવા માટે દર મહિનાની પૂનમ સુધીમાં સોનગઢ મોકલી
આપે.
*આ “આત્મધર્મ” માસિક દર મહિને સુદ બીજે પ્રસિદ્ધ થાય છે. તેનું વાર્ષિક લવાજમ રૂા. ૩–૦૦ છે.
આત્મધર્મ હિંદી ભાષામાં પણ બહાર પડે છે. ગુજરાતી આત્મધર્મમાં છપાયેલા લેખોનું જ હિંદી ભાષાંતર કરીને
તે હિંદી આત્મધર્મમાં છપાય છે. હિંદી આત્મધર્મનું વાર્ષિક લવાજમ પણ રૂા. ૩–૦૦ છે.
* આત્મધર્મનું પ્રિન્ટિીંગ અને પ્રકાશન વલ્લભવિદ્યાનગર (ગુજરાત) થી થાય છે. પરંતુ તેનું સંપાદન
અને વ્યવસ્થા સોનગઢથી થાય છે. પત્ર વ્યવહાર નીચે પ્રમાણે સોનગઢના સરનામે કરવો–
“સંપાદક–આત્મધર્મ”
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)
* પહેલા દસકા દરમિયાન આત્મધર્મની ગ્રાહક સંખ્યા તદ્ન શરૂઆતમાં ૪૦૦ હતી અને વધીને ત્રીજા
વર્ષે લગભગ ૨૨૦૦ થઈ હતી. હવેના વર્ષમાં ગ્રાહકોની સંખ્યા એથી પણ વધે એવી ભાવના છે. એ
ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે, આત્મધર્મના જે જૂના ગ્રાહકો બંધ થઈ ગયા હોય તેઓ ફરી ચાલુ થાય
અને જે ગ્રાહકો ચાલુ જ છે તેઓ વિશેષ ગ્રાહકો બનાવવા પ્રયત્ન કરે, તો અઢી હજાર જેટલી ગ્રાહકસંખ્યા
તો સહેલાઈથી થઈ જાય.
* જિજ્ઞાસુઓએ એ વાત લક્ષમાં રાખવી જરૂરી છે કે “આત્મધર્મ” ની શોભા અને વિકાસ માટે તેમ
જ જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી સાહિત્ય વિશેષ પ્રમાણમાં મળે તે માટે શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી
દર વર્ષ મોટી રકમ ‘આત્મધર્મ’ પાછળ ખર્ચવામાં આવે છે. આત્મધર્મનું લવાજમ ત્રણ રૂપિયા હોવા છતાં
ગ્રાહક દીઠ ખર્ચ લગભગ ચાર રૂપિયા ઉપરાંત થાય છે.
*આ ‘આત્મધર્મ’ માસિક જૈનધર્મનું શુદ્ધ આધ્યાત્મિક પત્ર છે; આમાં મુખ્યપણે પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રીના પરમકલ્યાણકારી શુદ્ધ આધ્યાત્મિક ઉપદેશનો સાર આપવામાં આવે છે......અને એ– દ્વારા
જિજ્ઞાસુ પાઠકોને જગતના કિલષ્ટ વાતાવરણથી દૂર લઈ જઈને આત્મિક શાંતિના માર્ગ તરફ આંગળી ચીંધે
છે. જિજ્ઞાસુ જીવોનું મહાન સૌભાગ્ય છે, કે સંસારમાં ચારે તરફ જ્યારે અત્યંત કિલષ્ટ અને હળહળતું
વાતાવરણ ગાજી રહ્યું છે ત્યારે પણ, આત્માને જગતથી જુદો પાડીને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ
કલ્યાણકારી રાહ પરમપૂજ્ય ગુરુદેવશ્રી બતાવી રહ્યા છે. હે ભવ્ય સાધર્મી બંધુઓ! પૂજ્ય ગુરુદેવશ્રીએ
બતાવેલા આ પાવન પંથને ઓળખો અને સંસારના હળહળતા વાતાવરણથી છૂટીને આત્મિકશાંતિ પ્રાપ્ત
કરવા માટે તે પંથને અનુસરો........

PDF/HTML Page 4 of 25
single page version

background image
સં...પા...દ...કી...ય...
ધર્મના જિજ્ઞાસુઓનું કર્તવ્ય
“અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે દરેક જિજ્ઞાસુઓનું પરમ કર્તવ્ય છે.”
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો દ્વારા, “જીવને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કેમ
થાય” તેનો ઉપાય બતાવીને, જિજ્ઞાસુઓને તેમના પરમ કર્તવ્યની વારંવાર
જાગૃતિ....પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરવો તે આ ‘આત્મધર્મ’ નું ધ્યેય છે.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
આ અનંત સંસારમાં મનુષ્યપણું પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે; અને મનુષ્યપણું પામીને આત્માના હિતની બુદ્ધિ
જાગવી–સાચી જિજ્ઞાસા જાગવી તે બહુ દુર્લભ છે. આ દુર્લભ મનુષ્યપણું પામીને હવે મારા આત્માનું હિત કેમ
થાય?....એવું શું કર્તવ્ય કરું કે જેથીં મારો આત્મા આ ભવદુઃખમાંથી છૂટે? એ પ્રમાણે અંતરમાં આત્મહિતની વિચારણા
કરીને તે માટેની સાચી જિજ્ઞાસા પ્રગટ કરવી જોઈએ. જો આત્મહિતની સાચી જિજ્ઞાસા જાગે તો તે આત્મહિતનો માર્ગ
લીધા વિના રહે નહિ. જેને આત્મહિત માટે જિજ્ઞાસા જાગી હોય એવા જિજ્ઞાસુઓનું શું કર્તવ્ય છે તે અહીં રજૂ કરવામાં
આવ્યું છે.
‘અમે ધર્મ કરીએ છીએ અથવા તો અમારે ધર્મ કરવો છે’ એમ તો ઘણા લોકો વારંવાર કહ્યા કરે છે; પરંતુ
ધર્મનું સાચું સ્વરૂપ શું છે અને ધર્મ કઈ રીતે થાય છે–તે તેઓ જાણતા નથી. માત્ર કુળ પરંપરાથી રૂઢિગત ચાલી
આવતી ક્રિયાઓને તેઓ ધર્મ માને છે અને તેવી બાહ્ય ક્રિયાઓ વડે તેઓ પોતાને ધર્મી માની લે છે. વાસ્તવિક ધર્મનું
સ્વરૂપ તેઓ સમજતા નથી અને સમજવા માટેની દરકાર પણ કરતા નથી;–એવા જીવોને ધર્મના જિજ્ઞાસુ કહી શકાય
નહિ.
જેના અંતરમાં એમ ભાવના જાગે કે અરેરે! અનંતકાળમાં મારા આત્માના હિતને માટે અત્યાર સુધી મેં કાંઈ
ન કર્યું, આત્માના હિતનો ઉપાય શું છે એટલે કે ધર્મ શું છે–તેનું સ્વરૂપ મેં ઓળખ્યું નહિ; હવે આ દુર્લભ મનુષ્યભવ
પામીને હું એવો ઉપાય કરું કે જેથી મારા આત્માનું હિત થાય.–આવી જિજ્ઞાસાપૂર્વક જે જીવ પોતાના હિતને માટે ધર્મનું
સ્વરૂપ સમજવા માગે છે અને તે સમજીને તેની પ્રાપ્તિનો અંર્તપ્રયત્ન કરવા માંગે છે–તે જીવ ધર્મનો જિજ્ઞાસુ છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આત્માનો ધર્મ શું છે, અધર્મ શું છે, અને તે ધર્મ–અધર્મ શેનાથી થાય છે, તથા દેવ–
ગુરુ–શાસ્ત્રનું વાસ્તવિક સ્વરૂપ શું છે–તેનો યથાર્થ નિર્ણય જિજ્ઞાસુઓએ સત્સમાગમે જરૂર કરવો જોઈએ; તત્ત્વનો
યથાર્થ નિર્ણય કર્યા વગર ધર્મની શરૂઆત થઈ શકતી નથી.
તત્ત્વનો બધા પડખેથી બરાબર નિર્ણય કર્યા પછી અંર્તસ્વભાવસન્મુખ થવાના સતત પ્રયત્ન વડે અપૂર્વ
સમ્યગ્દર્શન પ્રગટ કરવું–તે દરેક જિજ્ઞાસુનું પરમ કર્તવ્ય છે. તેથી, આ આત્મધર્મમાં ગુરુદેવશ્રીનાં જે પ્રવચનો આપવામાં
આવે છે તેમાં મુખ્યપણે ‘જીવને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કેમ થાય’–તેનો ઉપાય બતાવવામાં આવે છે. પૂ.
ગુરુદેવશ્રીના સર્વે પ્રવચનોનું મધ્યબિંદુ......એટલે કે આખા જૈનશાસનનું મૂળભૂત બીજ....... ‘સમ્યગ્દર્શન’ જ છે. માટે
જિજ્ઞાસુઓએ તેનું સ્વરૂપ બરાબર સ્પષ્ટપણે ઓળખીને, તદ્રૂપ પરિણમવાનો અહર્નિશ ઉદ્યમ કરવો તે કર્તવ્ય છે. અને
જિજ્ઞાસુઓને તેમના આ પરમ કર્તવ્યની વારંવાર જાગૃતિ....પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરવો તે ‘આત્મધર્મ’ નું ધ્યેય
છે. સમ્યગ્દર્શન કહો કે શાશ્વત સુખનો ઉપાય કહો–તેને આ માસિક બતાવતું હોવાથી,
કારતકઃ ૨૪૮૦
ઃ ૩ઃ

PDF/HTML Page 5 of 25
single page version

background image
આ ‘આત્મધર્મ’ ને ‘શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક’ કહેવામાં આવે છે.
*
‘ધર્મ’ એ સામાન્ય લૌકિક વસ્તુ નથી પરંતુ તે તો અલૌકિક અપૂર્વ ભાવ છે. લોકવ્યવહારમાં તો દયા–દાન–
સેવા વગેરે સાધારણ ભાવોને ધર્મ કહી દેવામાં આવે છે, પરંતુ તે લોકોત્તર ધર્મ નથી એટલે કે વાસ્તવિક ધર્મનું
સ્વરૂપ તેવું નથી. આર્યભૂમિમાં અને સુકુળમાં જન્મેલા જીવોને–દયા, કોમળતા, બીજાને દુઃખ ન દેવું, ચોરી ન કરવી,
સ્વસ્ત્રીમાં જ સંતોષ રાખવો, સત્ય બોલવું, તીવ્ર હિંસા કે ક્રૂરતા ન કરવી,–ઇત્યાદિ લૌકિક સજ્જનતાના ભાવો તો
સામાન્યપણે હોય જ,–હવે જો એવા લૌકિક ભાવોને (શુભભાવોને) જ ધર્મનું સ્વરૂપ માની લેવામાં આવે તો બધા
લૌકિક સજ્જન માણસો પણ ધર્માત્મા ઠરે, અને ધર્મનું લોકોત્તરપણું કે અપૂર્વપણું રહે નહિ. પરંતુ ધર્મ તો સર્વે લૌકિક
ભાવોથી તદ્ન જુદો જ અપૂર્વ ભાવ છે. લૌકિક આચરણ સુધારીને પુણ્યભાવથી સ્વર્ગમાં તો જીવ પૂર્વે અનંતવાર
ગયો છે પરંતુ ધર્મનો અપૂર્વ લોકોત્તર ભાવ તેણે પૂર્વે કદી પ્રગટ કર્યો નથી.
ધર્મની અપૂર્વતા બાબતમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે–
‘મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ–આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.’
(–નિયમસાર ગા. ૯૦)
મિથ્યાત્વાદિ ભાવો જીવે પૂર્વે બહુ દીર્ઘ કાળ ભાવ્યા છે; પરંતુ સમ્યક્ત્વાદિ ભાવો જીવે પૂર્વે કદી ભાવ્યા નથી.
માટે હવે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયની ભાવના કર્તવ્ય છે.
વળી આચાર્યદેવ કહે છે કે હે આત્મન્! તું આ દીર્ઘ સંસારમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની પ્રાપ્તિ વિના ભમ્યો
માટે હવે તું રત્નત્રયને અંગીકાર કર–
‘रयणत्तये अलद्धे भमिओसि दीहसंसारे।
इव जिणवरेहिं भणियं तं रयणत्तं समायरह।।
(–ભાવપ્રાભૃત ગા. ૩૦)
હે જીવ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયને નહિ પામવાથી આ દીર્ઘ સંસારને વિષે તું ભમ્યો, આ
જાણીને હવે તું તે રત્નત્રયનું આચરણ કર,–એમ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે.
સર્વગુણોમાં સારભૂત એવા સમ્યગ્દર્શનને ધારણ કરવાનો ઉપદેશ આપતાં આચાર્યદેવ કહે છે કે–
एवं जिणपण्णत्तं दंसणरयणं धरेह भावेण ।
सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स ।।
(દર્શનપ્રાભૃત ગા. ૨)
પૂર્વોક્ત પ્રકારે જિનેશ્વરદેવે કહેલું જે સમ્યક્ દર્શન છે તે સર્વ ગુણોને વિષે અને દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
રત્નત્રયને વિષે સાર છે, ઉત્તમ છે, અને મોક્ષરૂપી મહેલમાં ચઢવાનું તે પ્રથમ પગથિયું છે. માટે હે ભવ્ય જીવો! તમે તે
સમ્યગ્દર્શનને અંતરંગ ભાવથી ધારણ કરો.
આચાર્યદેવ કહે છે કે અહો! જો તારામાં સામર્થ્ય હોય તો તું સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેય કરજે, અને જો
તારામાં તેટલું સામર્થ્ય ન હોય તો સાચી શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ તો જરૂર કરજે. સમ્યક્ત્વથી પણ તારું આરાધકપણું ટકી
રહેશે. માટે શ્રદ્ધા જરૂર કર્તવ્ય છે.
આત્મામાં આવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે દરેક જિજ્ઞાસુઓનું કર્તવ્ય છે; અને જ્યાંસુધી આત્મામાં એવા શુદ્ધ
સમ્યક્ત્વનું પરિણમન ન થાય ત્યાં સુધી જંપ્યા વિના દિન–રાત તેને માટે અંતર્વિચાર–મંથન–અભ્યાસનો પ્રયત્ન
કરવો તે કર્તવ્ય છે. *
‘સદ્ગુરુ પ્રવચન પ્રસાદ’ ના ગ્રાહકોને–
‘સદ્ગુરુ પ્રવચન પ્રસાદ’ ના લવાજમના રૂપિયા ઘણા ભાઈઓ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ’ ના સરનામે મોકલે
છે જેથી વ્યવસ્થા અને હિસાબમાં મુશ્કેલી પડે છે. તો હવેથી નીચેના સરનામે મોકલવા વિનંતી છે.
‘શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ’ કાર્યાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઃ ૪ઃઆત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 6 of 25
single page version

background image
મહાવીર ભગવાની.મુક્તિનો.મંગલ.મહોત્સવ
(શ્રી મહાવીર નિર્વાણ–કલ્યાણક–મહોત્સવ પ્રસંગના
પૂ. ગુરુદેવશ્રીના જુદા જુદા પ્રવચનો ઉપરથી.)
મહાવીર ભગવાન પોતે સિદ્ધ થયા એ તો સર્વોત્કૃષ્ટ મંગળ છે...અને...જે
ભવ્યાત્માઓએ પોતાના આત્મામાં શુદ્ધ સમ્યગ્દર્શનાદિ પ્રકાશ પ્રગટાવીને સિદ્ધદશા સન્મુખ
પુનીત પગલાં માંડયા છે તેઓ પણ ધન્ય છે...તે પણ અપૂર્વ મંગળ છે.
* * *
આજે મુક્તિના મહોત્સવનો માંગલિક દિવસ છે. આ ભરતક્ષેત્રના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાન
આજે મુક્ત થયા. આજથી ૨૪૭૯ વર્ષ પહેલાં તેઓશ્રી આ ભરતભૂમિમાં તીર્થંકરપણે વિચરતા હતા; તે વખતે તો
ઇન્દ્રો અને દેવોના ટોળાં ભગવાનની પૂજા–ભક્તિ કરવા અહીં ઊતરતા હતા. આજે આસો વદ અમાસના પરોઢિયે
ભગવાન અભૂતપૂર્વ સિદ્ધદશા પામ્યા; તેનો આજે મહોત્સવ છે. ભગવાન પાવાપુરીમાંથી મોક્ષ પામ્યા; ત્યારે દેવ–
દેવેન્દ્ર અને અનેક રાજાઓ વગેરેએ રત્નદીપકો વડે ભગવાનના નિર્વાણ–કલ્યાણકનો મહોત્સવ કર્યો, તેથી તે દિવસ
દિપાવલી પર્વ તરીકે પ્રસિદ્ધ છે. આ રીતે દીપાવલી પર્વ લૌકિક તહેવારનો દિવસ નથી પણ ભગવાનની મુક્તદશાનો
માંગલિક મહોત્સવ છે.
*
મોક્ષાર્થી જીવોએ એ વિચારવું જોઈએ કે ભગવાન કોણ હતા અને તેઓ કઈ રીતે મોક્ષ પામ્યા? મહાવીર
ભગવાન પણ જેવા આ બધા આત્માઓ છે તેવા આત્મા છે; તેઓ પણ પહેલાં અજ્ઞાનદશામાં ચાર ગતિમાં ભ્રમણ
કરતા હતા; પછી કોઈ ધન્ય પળે અપૂર્વ પુરુષાર્થથી આત્મતત્ત્વની ઓળખાણ કરીને ઉન્નતિ–ક્રમમાં ચડતાં ચડતાં તેઓ
ત્રણલોકનાનાથ તીર્થંકર થયા. આત્મામાં જે કેવળજ્ઞાન અને પરમાનંદ સામર્થ્યરૂપે હતા તે તેમને પર્યાયમાં પરિપૂર્ણ
વ્યક્ત થઈ ગયા. ભગવાન જેવું જ સ્વભાવસામર્થ્ય દરેક આત્મામાં ભર્યું છે; તેની ઓળખાણ કરીને તેમાં લીન થતાં
પર્યાયમાં તે વ્યક્ત થાય છે. આ રીતે કોઈ પણ આત્મા ભગવાન જેવી દશા પ્રગટ કરી શકે છે.
મહાવીર ભગવાનનો આત્મા અત્યારે સિદ્ધદશામાં બરાબર પાવાપુરી ઉપરના સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે, પૂર્ણ
અતીન્દ્રિય આનંદ તેમને પ્રગટી ગયો છે, દેહરહિત દશા પ્રગટી ગઈ છે, કોઈપણ અન્ય દ્રવ્યોની અપેક્ષા વગર એકલા
આત્મસ્વભાવથી જ તેઓ પરિપૂર્ણ જ્ઞાન અને સુખમય થઈ ગયા છે, અને હવે પછીના અનંત–અનંત કાળ સુધી એવી
જ કૃતકૃત્યદશામાં બિરાજમાન રહેશે. અહો! એ સિદ્ધદશાના મહિમાની શી વાત? ધન્ય એ દશા...
‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં;
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.
–અપૂર્વ અવસર એવો કયારે આવશે?
જુઓ, આ આત્માના સિદ્ધપદના ગાણાં! આ સિદ્ધપદનો મહિમા કરવા જેવો છે. કોઈને પુત્ર જન્મે કે લગ્ન
થાય તેને જગતમાં મંગળ કહે છે, પણ ખરેખર તો આત્માની મોક્ષદશા પ્રગટે તે જ અપૂર્વ મંગળ છે. મોટા રાજવૈભવ
કે બંગલા અને સ્ત્રી કે પુત્ર વગેરે સંયોગો તો પૂર્વે અનંતવાર જીવને મળી ગયા છે, પણ પૂર્વે કદી નહિ પામેલ એવી
તો એક મોક્ષદશા જ છે, તેથી તે જ અભૂતપૂર્વ છે. ભગવાન એવી અભૂતપૂર્વ સિદ્ધદશાને આજે પામ્યા. ભગવાનની
જેમ આ આત્મા પણ કઈ રીતે મોક્ષ પામે, મોક્ષનો ઉપાય શું છે–તે સમજવું જોઈએ. ભગવાન મોક્ષ પામ્યા તેનો
મહોત્સવ ઊજવે અને પૂજા કરે, પણ મોક્ષનો ઉપાય શું છે તે પોતે ન સમજે તો પોતાને અપૂર્વ કલ્યાણનો લાભ થાય
નહિ.
*
દીપાવલી પર્વ તે તો ખરેખર મહાવીર ભગવાનની મુક્તિનો મહાન માંગલિક મહોત્સવ છે; તેને બદલે
અત્યારે તો લોકો લક્ષ્મીપૂજન–ચોપડાપૂજન વગેરે અશુભભાવ કરીને
કારતકઃ ૨૪૮૦
ઃ પઃ

PDF/HTML Page 7 of 25
single page version

background image
સંસાર અર્થે દિવાળી ઊજવે છે. પરંતુ ખરેખર તો આજનો દિવસ આત્માના પૂર્ણાનંદસ્વભાવને પ્રગટ કરવાની
ભાવનાનો છે. આ દિવસે તો ભગવાનને યાદ કરીને વિશેષપણે ભાવના કરવી જોઈએ. અહો! જે મુક્તિપંથે ભગવાન
વિચર્યા તે પંથે હું કયારે વિચરું!! ભગવાન જેવી પૂર્ણાનંદદશાને પામ્યા તેવી દશા હું કયારે પામું? જેવો ભગવાનનો
આત્મા છે તેવો જ મારો આત્મા છે–એમ ઓળખાણ કરી સ્વભાવની ઉગ્ર ભાવના વડે વિભાવને તોડીને હું
કેવળજ્ઞાન પામું,–એમ વીર્યના ઉલ્લાસનો આજનો દિવસ છે.
ભગવાન નિર્વાણ પામ્યા તેને ‘મૃત્યુ’ ન કહેવાય પણ એ તો મુક્તિ છે. ભગવાન તો મૃત્યુને જીતીને અમર
પદને પામ્યા; તેથી ભગવાનની મુક્તિનો મહોત્સવ ઉજવાય છે.
*
અત્યારે આ ભરત ક્ષેત્રમાં મહાવીર ભગવાનનું શાસન ચાલી રહ્યું છે. મહાવીરભગવાન મોક્ષ પધાર્યા પછી
ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ પેઢી સુધી કેવળજ્ઞાન રહ્યું, અને ત્યારપછી એકાવતારી થયા.
અને હજી પાંચમા આરાના છેડા સુધી એકાવતારી જીવો થવાના છે. જેવું એકાવતારીપણું પંચમ આરાની શરૂઆતના
ચૌદપૂર્વધારી મુનિઓને હતું તેવું જ એકાવતારીપણું પંચમ–આરાના છેડાના જીવોને પણ થશે.
અરિહંત દશામાં શ્રી મહાવીર પરમાત્માએ દિવ્યધ્વનિ દ્વારા જે વસ્તુસ્વરૂપ કહ્યું ને ગણધર ભગવંતોએ
ઝીલ્યું, તે જ આચાર્ય પરંપરાથી અત્યાર સુધી ચાલ્યું આવે છે. વીતરાગી સંતોએ સર્વજ્ઞ ભગવાનની વાણીની પરંપરા
ટકાવી રાખી છે ને મોક્ષમાર્ગને વહેતો રાખ્યો છે. અહો! પંચમઆરાના છેડે પણ આત્મભાન કરીને એકાવતારીપણું
પ્રગટ કરનારા જીવો થશે, તો અત્યારે તો જરૂર આત્મભાન કરી શકાય છે. આત્માનું ભાન થતાં અંદરથી ભવના
અંતની ખાતરી આવી જાય છે.
*
જુઓ, આજે ભગવાનની મુક્તિનો મહોત્સવ છે. કોઈ કહે કે ભગવાન મોક્ષ પામ્યા તેમાં અમારે શું?– પણ
ભાઈ! જેને પોતાને મોક્ષની ભાવના હોય તેને ભગવાનનો મોક્ષ જોઈને અંતરથી તેના બહુમાનનો ઉલ્લાસ ઊછળ્‌યા
વિના રહે નહીં. મહાવીર ભગવાન જેવું પોતાનું સ્વરૂપ જે સમજશે તે જરૂર મુક્તિને પામશે. પરમાર્થે જેવું મહાવીર
ભગવાનના આત્માનું સ્વરૂપ છે તેવું જ બધા આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સમજીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પ્રગટ કરવાં તે જ મુક્તિનો સાચો મહોત્સવ છે.
*
‘અહો! આજે પવિત્રાત્મા શ્રી મહાવીરપ્રભુજી સદાને માટે સંસારથી મુક્ત થઈને અભૂતપૂર્વ સિદ્ધદશા
પામ્યા.....અને શ્રી ગૌતમગણધરપ્રભુ કેવળજ્ઞાન પામ્યા’–એ સાંભળીને કયા મુમુક્ષુનું હૈયું આનંદથી ન નાચી ઊઠે!
હજારો વર્ષ પહેલાં તીર્થધામ શ્રી પાવાપુરીમાં આસો વદી અમાસના પ્રાતઃકાળમાં શ્રી મહાવીર પ્રભુજીએ
યોગનિરોધ કર્યો અને કર્મો તથા શરીરના સંયોગ રહિત થઈને અશરીરી સિદ્ધ થયા...ચતુર્ગતિનો અંત લાવીને અપૂર્વ
એવી પંચમગતિને પામ્યા....અને, જે દિવસે ભગવાન સિદ્ધ થયા તે જ દિવસે ગૌતમપ્રભુજીએ કેવળજ્ઞાન પ્રગટ કરીને
ભગવાનના અરિહંત પદનો વારસો સંભાળ્‌યો. એ રીતે સિદ્ધદશા અને અરિહંતદશા–એવા બે સર્વોત્કૃષ્ટ પદનો
કલ્યાણક મહોત્સવ છે.
*
૨૪૭૯ વર્ષ પહેલાં બનેલા એ પવિત્ર પ્રસંગને વર્તમાનપણે યાદ કરીને...એટલે કે જાણે આજે જ એ પ્રસંગ
બન્યા હોય–એમ ભાવીને ભવ્યજીવો ઉત્સાહથી તેનો ઉત્સવ ઊજવે છે,–તેમાં ખરેખર તો પોતાને તેવી પૂર્ણદશા
પામવાની ભાવના છે તેથી પોતાની પૂર્ણ દશાને ભાવથી નજીક લાવીને તેનો ઉત્સાહ કરે છે. અહો! મહાવીર ભગવાન
આજે મુક્ત થયા...સાદિ અનંતકાળ સહજાનંદ સ્વરૂપમાં બિરાજી રહેવાનું શુદ્ધ આત્મજીવન ભગવાને પ્રાપ્ત કર્યું....મારો
આત્મા પણ હવે આ ભવભ્રમણથી છૂટીને એવી મુક્તદશા કયારે પામે!!–આ પ્રમાણે સિદ્ધસ્વભાવની અત્યંત ઉત્કંઠા
અને માહાત્મ્ય વડે ભવ્યજીવો ભગવાનની મોક્ષદશાનો મહોત્સવ ઊજવે છે.
ખરેખર તો–જેવો સિદ્ધ ભગવાનનો આત્મા છે તેવો જ આત્મા હું છું એમ પોતાના આત્મામાં સિદ્ધપણું
સ્થાપીને...સિદ્ધપણાનો અંશ પોતામાં પ્રગટ કરવો તે જ મંગળમહોત્સવ છે. શ્રી વીરપ્રભુ પોતે સિદ્ધ થયા એ તો
સર્વોત્કૃષ્ટ મંગળ છે....અને....જે ભવ્યાત્માઓએ પોતાના આત્મામાં શુદ્ધ સમ્યગ્દર્શનાદિ પ્રકાશ પ્રગટાવીને સિદ્ધદશા
સન્મુખ પુનીત પગલાં માંડયા છે તેઓ પણ ધન્ય છે...તે પણ અપૂર્વ મંગળ છે.
“નમસ્કાર હો......શ્રી મહાવીર પ્રભુને.......અને તેમના મુક્તિ પંથે વિચરનારા સંતોને.......”
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 8 of 25
single page version

background image
‘હે સખા!
ચાલને મારી સાથે મોક્ષમાં’
અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા મુનિરાજ પોતે તો અંર્તસ્વરૂપના અવલંબને મોક્ષને
સાધી રહ્યા છે ને શ્રોતાને પણ કહે છે કે હે સખા! તું પણ ચાલને મારી સાથે!! અમારો શ્રોતા
અમારાથી જુદો રહી જાય–એ કેમ બને? હે મિત્ર! અમારો ઉપદેશ સાંભળીને, અમારી જેમ તું
પણ તરત જ ચૈતન્યસ્વરૂપમાં ઉગ્રપણે તારું વલણ કર. ચૈતન્યનું ઉગ્ર અવલંબન કરતાં તને
પણ અમારા જેવી દશા પ્રગટી જશે, ને અલ્પકાળમાં મોક્ષ થઈ જશે.
ભવ્ય જીવને સંબોધન કરીને પદ્મપ્રભ–મુનિરાજ કહે છે કે હે સખા! હે બંધુ! તું મારા ઉપદેશનો સાર
સાંભળીને ચૈતન્યસ્વરૂપમાં તારું વલણ કર; ડાહ્યા પુરુષોએ ઉત્તમચૈતન્યસ્વરૂપનું જ અવલંબન કરવા જેવું છે.
નિરુપમ સહજ પરમાનંદરૂપ ચૈતન્યતત્ત્વનો અમે તને ઉપદેશ આપ્યો, તે સમજીને હે મિત્ર! તું તરત જ ઉગ્રપણે તેમાં
વલણ કર.
– મંદાક્રાન્તા –
प्रेक्षावद्भिः सहजपरमानंदचिद्रूपमेकं
संग्राह्यं तैर्निरूपममिदं मुक्तिीसाम्राज्यमूलम् ।
तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन्
श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कार मात्रे ।। १३३।।
જે મુક્તિ–સામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરુપમ, સહજ પરમાનંદવાળા ચિદ્રૂપને એકને ડાહ્યા પુરુષોએ
સમ્યક્ પ્રકારે ગ્રહવું યોગ્ય છે; તેથી હે મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે આ ચૈતન્ય–
ચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર.
જુઓ, અહીં કેવું સરસ સંબોધન કર્યું છે! મુનિરાજ પ્રેમથી સંબોધન કરીને કહે છે કે હે સખા! તું પણ આમ
કર...અમે તો અમારા ચૈતન્યનું ઉગ્રપણે અવલંબન લીધું છે અને અમારો ઉપદેશ સાંભળીને હવે તું પણ તુરત જ
ચૈતન્યસ્વરૂપમાં તારું વલણ કર. અધ્યાત્મઉપદેશનો અમારો આવો ગુંજારવ સાંભળીને અંતરમાં કોણ વલણ ન કરે?
ઉપદેશ સાંભળીને આ જ કરવા જેવું છે. ડાહ્યા પુરુષો એટલે કે આત્માર્થી જીવોનું આ એક જ કર્તવ્ય છે કે અંતર્મુખ
થઈને ચૈતન્યસ્વરૂપનું એકનું જ અવલંબન કરવું. હે મિત્ર! તું શીઘ્ર એમ કર, એમ મુનિરાજે પ્રેરણા કરી છે.
ઉપદેશનો સાર શું? ચૈતન્યસ્વરૂપમાં વલણ કરવું તે; જે જીવ પોતાના ચૈતન્યસ્વરૂપને સર્વ પરભાવોથી ભિન્ન
જાણીને તેમાં જ વલણ કરે છે એટલે કે તેની પ્રતીત, જ્ઞાન અને એકાગ્રતા કરે છે તે જ ખરેખર ઉપદેશના સારને
સમજ્યો છે. મુનિરાજ કહે છે કે હે સખા! હે બંધુ! તું મારા ઉપદેશનો સાર સાંભળીને ચૈતન્યસ્વરૂપમાં તારું વલણ
કર, તુરત જ કર. ડાહ્યા પુરુષોએ એટલે કે આત્માર્થી–જ્ઞાની–મુમુક્ષુ જીવોએ એક સહજ પરમાનંદમય આત્માનું જ
સમ્યક્ પ્રકારે ગ્રહણ કરવા જેવું છે. આત્માનું સહજ સ્વરૂપ અનુપમ છે, તે જ મુક્તિ–સામ્રાજ્યનું મૂળ છે. નિરુપમ
અને સહજ પરમાનંદમય ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે, અંતર્મુખ થઈને તેની ભાવના કરતાં મોક્ષદશા થઈ જાય
તેથી તે જ મોક્ષનું મૂળ છે, અને તે એક જ મોક્ષાર્થી જીવનું આલંબન છે. અધ્યાત્મ–ઉપદેશ સાંભળીને જે જીવ આવા
ચૈતન્યસ્વરૂપ આત્માને એકને જ સમ્યક્પ્રકારે ગ્રહણ કરે છે, ને રાગાદિ પરભાવો કે નિમિત્ત વગેરે પરદ્રવ્યોના
ગ્રહણની બુદ્ધિ છોડે છે તે જ ખરેખર ડાહ્યા એટલે મોક્ષાર્થી છે. મારા ચૈતન્યનું શુદ્ધસ્વરૂપ પુણ્ય–પાપરહિત છે, પુણ્ય–
પાપ તે મારું સ્વરૂપ નથી–એમ ઓળખીને
કારતકઃ ૨૪૮૦ ઃ ૭ઃ

PDF/HTML Page 9 of 25
single page version

background image
શુદ્ધચૈતન્યમાં અંતર્મુખ થઈને તેનું એકનું જ ગ્રહણ કરવા જેવું છે. એ સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા જેવું નથી.
મુમુક્ષુને શુદ્ધચૈતન્યસ્વરૂપના જ ગ્રહણથી પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે તેથી શ્રી પ્રદ્મપ્રભમુનિરાજ કહે છે કે હે
મિત્ર! મારો આવો ઉપદેશ સાંભળીને તુરત જ ઉગ્ર પ્રયત્નપૂર્વક તું આ ચૈતન્યચમત્કાર સ્વભાવમાં તારું વલણ કર.
અહીં ટીકાકારે “હે સખા!” એવું પ્રેમાળ સંબોધન કર્યું છે, એટલે કે અમને તો અમારા ચૈતન્યના ઉગ્ર
અવલંબનથી પ્રત્યાખ્યાન વર્તે છે અને તું પણ અમારો ઉપદેશ સાંભળીને તારા ચૈતન્યનું ઉગ્ર અવલંબન કર,–જેથી
તને પણ મારા જેવું પ્રત્યાખ્યાન થશે અને આપણે બંને સરખા થઈશું. આ પ્રમાણે, ‘હે સખા! હે મિત્ર!’ –એમ
સંબોધન કરીને શ્રોતાને પણ પોતાના જેવો બનાવવા માંગે છે.
અમારો ઉપદેશ સાંભળીને શું કરવું?–કે તરત જ અને ઉગ્રપણે ચૈતન્યસ્વરૂપમાં વલણ કરવું. બહિર્મુખ
વલણનો અમારો ઉપદેશ છે જ નહિ. ચૈતન્યસ્વરૂપમાં વળીને તેમાં એકાગ્ર થવું તે જ અમારા સર્વ ઉપદેશનું રહસ્ય છે.
જેટલા જ્ઞાનીઓ છે તે બધાય જ્ઞાનીઓના ઉપદેશનો સાર એ છે કે પોતાના સહજ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને
તેમાં જ વલણ કરવું. આ જ મોક્ષનું કારણ છે. હે ભવ્ય! જો તને આત્માનો રંગ લાગ્યો હોય તો હવે અમારો ઉપદેશ
સાંભળીને તારી બુદ્ધિને ચૈતન્યસ્વરૂપમાં વાળ, તારી બુદ્ધિને અંતરમાં વાળીને ચૈતન્યનું જ ગ્રહણ કર, અને એ
સિવાય પરભાવના ગ્રહણની બુદ્ધિ છોડ. ઉગ્રપણે એટલે કે અપ્રમાદભાવે ચૈતન્યસ્વરૂપમાં વલણ કરીને તેની શ્રદ્ધા,
તેનું જ્ઞાન અને તેમાં લીનતા કરવી તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે.
આ નિયમસારના ટીકાકાર પદ્મપ્રભમુનિરાજ મહાન સંત છે, આત્માના અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે,
ચૈતન્યસ્વરૂપનું ઘણું અવલંબન વર્તે છે;–આ રીતે પોતે તો અંર્તસ્વરૂપના અવલંબને મોક્ષને સાધી રહ્યા છે ને શ્રોતાને
પણ કહે છે કે હે સખા! તું પણ ચાલને મારી સાથે!! અમારો શ્રોતા અમારાથી જુદો રહી જાય–એ કેમ બને? હે મિત્ર!
અમારો ઉપદેશ સાંભળીને, અમારી જેમ તું પણ તરત જ ચૈતન્યસ્વરૂપમાં ઉગ્રપણે તારું વલણ કર. ચૈતન્યનું ઉગ્ર
અવલંબન કરતાં તને પણ અમારા જેવી દશા પ્રગટી જશે, ને અલ્પકાળમાં મોક્ષ થઈ જશે.
तस्मादुच्चैस्त्वमपि च सखे! मदुचःसारमस्मिन्
श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कारमत्रि।।
(–પ્રવચનમાંથી)
****************************************************
આત્માર્થીનો વિચાર અને ઉદ્યમ
આત્માર્થી જીવ અંતરમાં એમ વિચારે છે કે અરે! થોડા કાળનું જીવન, તેમાં
મારે મારા આત્માનું જ કરવા જેવું છે. સમ્યગ્દર્શન વિના જીવને કોઈ શરણ નથી,
માટે મારે તત્ત્વનિર્ણય કરીને મારું આત્મહિતનું પ્રયોજન સાધી લેવું–આમ વિચારી
સંસારના કામમાંથી રસ ઘટાડીને ચૈતન્યનો નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. તેમાં જ
પોતાનું હિત ભાસ્યું છે તેથી તે કાર્ય કરવામાં પ્રીતિ અને હર્ષપૂર્વક ઉદ્યમ કરે છે. આ
રીતે પોતાનું આત્મકાર્ય કરવાનો ઘણો ઉલ્લાસ હોવાથી નિરંતર તેનો ઉદ્યમ કર્યા જ
કરે છે. હું બીજાને સુધારી દઉં–એવા વિચારમાં રોકાતો નથી પણ હું તત્ત્વ સમજીને
મારા આત્માનો આ ભવભ્રમણમાંથી ઉદ્ધાર કરું–એમ વિચારી તેનો જ ઉદ્યમ કરે છે.
– ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.’
******************************************************
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 10 of 25
single page version

background image
આચાર્યદેવ અપ્રતિબુધ્ધ જીવને
આત્માનું સ્વરૂપ ઓળખાવે છે
–][–][–][–][–][–][–][–][–][–][–][–][–][–][–
હે ભાઈ! જડથી ભિન્ન તારું ચૈતન્ય–
તત્ત્વ અમે તને બતાવ્યું, તે જાણીને હવે તું
પ્રસન્ન થા...સાવધાન થા....અને ચૈતન્યસ્વરૂપ
આત્માને જ તારા સ્વદ્રવ્ય તરીકે અનુભવ.
[૧]
દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખબર નથી, અને અજ્ઞાનભાવથી ‘શરીર તે જ હું, શરીરનાં કામ
મારાથી થાય છે–’ એમ જે માની રહ્યો છે, એવા મૂઢ જીવને આચાર્યદેવ કરુણાપૂર્વક સમજાવે છે કે–અરે મૂઢ! તારો
આત્મા તો સદાય ચૈતન્યસ્વરૂપ છે, તે ચૈતન્યસ્વરૂપ આત્મા જડ કયાંથી થઈ ગયો કે તું જડને પોતાનું માને છે?
તારો આત્મા તો સદાય ચૈતન્યસ્વરૂપ જ છે, તે કદી જડરૂપ થયો નથી; ચૈતન્યસ્વરૂપ આત્માને જડ સાથે એકમેકપણું
કદી થયું નથી, સદાય ભિન્નપણું જ છે; માટે હે ભાઈ! હવે તું જડ સાથે એકમેકપણાની માન્યતાને છોડ અને તારા
ચૈતન્યસ્વરૂપ આત્માને દેખ. તારા આત્માનો વિલાસ જડથી જુદો, ચૈતન્યસ્વરૂપ છે. આવા ચૈતન્યવિલાસી આત્માને
એકને જ સ્વતત્ત્વપણે તું દેખ.
*
[૨]
આ વાત કોને સમજાવે છે?–જે અનાદિથી ધર્મનો તદ્ન અજાણ છે, જેને શરીરથી જુદી આત્મતત્ત્વના
સ્વરૂપની ખબર નથી–એવા અજ્ઞાનીને આ વાત સમજાવે છે. તે જીવ અજ્ઞાની હોવા છતાં આત્માનું સ્વરૂપ
સમજવાનો કામી છે–જિજ્ઞાસુ છે, ને વિનયપૂર્વક તે વાત સાંભળવા ઊભો છે એટલે તે આત્માને સમજવાની
પાત્રતાવાળો છે, તેથી આચાર્યદેવ જે રીતે સમજાવશે તે રીતે તે સમજી જશે.
*
[૩]
ભાઈ રે! હવે તું સાવધાન થા, અને તારા ચૈતન્યસ્વરૂપને સંભાળ. અત્યારસુધી તો અજ્ઞાનને લીધે જડ–
ચેતનનું એકમેકપણું માનીને તું ભવમાં રખડયો, પણ હવે અમે તને જડથી ભિન્ન તારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ બતાવીએ
છીએ, તે જાણીને
કારતકઃ ૨૪૮૦
ઃ ૯ઃ

PDF/HTML Page 11 of 25
single page version

background image
તું સાવધાન થા. સાવધાન થઈને એમ જાણ કે અહો! હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું, પૂર્વે પણ હું ચૈતન્યસ્વરૂપ જ
હતો. જડ શરીર મારાથી સદાય અત્યંત ભિન્ન છે; મારું ચૈતન્યસ્વરૂપ જડથી ભિન્ન જ રહ્યું છે–આમ પોતાના
ચૈતન્યસ્વરૂપને જાણીને તું પ્રસન્ન થા....આનંદમાં આવ. તારા ચૈતન્યસ્વરૂપને ઓળખતાં જ તને અંતરમાં અપૂર્વ
પ્રસન્નતા અને આનંદ થશે. ‘હું ચૈતન્યપરમેશ્વર છું, જેવા પરમાત્મા છે તેવું જ મારું સ્વરૂપ છે, મારું કાંઈ બગડયું
નથી–’ આમ સમજી તારું ચિત્ત ઉજ્જવળ કર...હૃદયને ઊજળું કર....પ્રસન્ન થા અને આહ્લાદ કર કે– અહો! આવો
મારો આનંદઘન ચૈતન્યસ્વભાવ! ભાઈ! આમ કરવાથી તારું અનાદિનું મિથ્યાત્વ ટળી જશે ને તારા ભવભ્રમણનો
અંત આવી જશે.
*
[૪]
આત્મા ચૈતન્યસ્વરૂપ છે ને રાગાદિ ભાવો તો બંધસ્વરૂપ છે. હે ભાઈ! તારા આત્માને બંધનની ઉપાધિનું
અતિ નિકટપણું હોવા છતાં, બંધ સાથે એકમેકપણું નથી; રાગાદિ ભાવો તારા ચૈતન્યસ્વભાવરૂપ થઈ ગયા નથી.
જ્ઞાનને અને રાગને જ્ઞેયજ્ઞાયકપણું છે તેમ જ એકક્ષેત્રાવગાહપણું છે, પરંતુ તેમને એકપણું નથી; જ્ઞાનનો અને રાગનો
સ્વભાવ ભિન્ન ભિન્ન છે. આમ હોવા છતાં જે જીવ જ્ઞાન અને રાગને એકમેકપણે જ માની રહ્યો છે તેને આચાર્યદેવ
કહે છે કે અરે દુરાત્મા! હાથી વગેરે પશુ જેવા સ્વભાવને તું છોડ છોડ! જેમ હાથી લાડવા અને ઘાસના સ્વાદનો
વિવેક કર્યા વગર તે બંનેને ભેગાં કરીને ખાય છે, તેમ તું પણ જડ–ચેતનનો વિવેક કર્યા વગર બંનેને એકપણે
અનુભવે છે,–તેને તું છોડ, અને પરમ વિવેકથી ભેદજ્ઞાન કરીને તારા ચૈતન્યસ્વરૂપ આત્માને જડથી ને વિકારથી
અત્યંત જુદો તું જાણ. અહીં ‘હે દુરાત્મા!’ એમ કહ્યું તેનો અર્થ એમ છે કેઃ અરે ભાઈ! ચૈતન્ય સ્વરૂપને ચૂકીને જડ
શરીરને પોતાનું માનવારૂપ જે મિથ્યાત્વભાવ છે તે દુરાત્મપણું છે તેને તું છોડ, અને “હું ચૈતન્યસ્વરૂપ સદા
ઉપયોગમય આત્મા છું”–એમ સમજીને તું પવિત્રાત્મા થા.–આ રીતે દુરાત્માપણું છોડીને પવિત્ર–આત્મપણું પ્રગટ
કરવાની પ્રેરણા કરી છે.
*
[પ]
શ્રી સર્વજ્ઞ ભગવાનની સાક્ષી આપીને આચાર્યદેવ કહે છે કે અરે જીવ! સર્વજ્ઞ ભગવાને તો જીવને નિત્ય
ઉપયોગસ્વભાવરૂપ જોયો છે. સાંભળનાર શિષ્ય વ્યવહારે તો સર્વજ્ઞ ભગવાનને માનનારો છે તેથી આચાર્યદેવ
સર્વજ્ઞની સાક્ષી આપીને તેને સમજાવે છેઃ હે ભાઈ! આપણા સર્વજ્ઞ ભગવાન આખા વિશ્વને પ્રત્યક્ષ જાણનારા છે, તે
સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનથી તો એમ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જીવદ્રવ્ય સદા ઉપયોગમય છે, અને શરીરાદિક તો
અચેતન છે જો તું એમ કહે છે કે ‘શરીરાદિક પુદ્ગલદ્રવ્ય મારાં છે’–તો હે ભાઈ! સર્વજ્ઞભગવાને સદા ચેતનરૂપ
જોયેલું એવું જીવદ્રવ્ય તે અચેતન ક્યાંથી થઈ ગયું કે જેથી તું પુદ્ગલદ્રવ્ય પોતાનું માને છે! જેમ પ્રકાશને અને
અંધકારને એકતા નથી પણ અત્યંત જુદાપણું છે, તેમ ચૈતન્યસ્વરૂપ આત્માને અને જડને એકતા નથી પણ અત્યંત
જુદાપણું છે. જેમ જડ સાથે એકતા નથી તેમ રાગાદિક સાથે પણ ચૈતન્યસ્વરૂપની એકતા નથી, ચૈતન્યસ્વરૂપ રાગથી
પણ જુદું છે, ચૈતન્યને અને રાગને એકમેકપણું થયું નથી. માટે હે શિષ્ય! તું તારા આત્માને શરીરથી અને રાગથી
ભિન્ન ચૈતન્યસ્વરૂપ
ઃ ૧૦ઃ
આત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 12 of 25
single page version

background image
જાણ, ચૈતન્યસ્વરૂપ આત્મા એક જ તારું સ્વદ્રવ્ય છે–એમ તું અનુભવ કર.
જેમનું જ્ઞાન સર્વ પ્રકારે ચોખ્ખું છે એવા સર્વજ્ઞભગવાને પોતાના દિવ્ય જ્ઞાનમાં એમ જોયું છે કે આત્મા સદા
ઉપયોગસ્વરૂપ છે. જે જીવ આનાથી વિપરીત માનતો હોય તેણે ખરેખર સર્વજ્ઞભગવાનને ઓળખ્યા નથી. જો સર્વજ્ઞ
ભગવાનના જ્ઞાનનો નિર્ણય કરે તો, આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે–એવો નિર્ણય પણ થઈ જ જાય.
સર્વજ્ઞભગવાનના આત્મામાં જ્ઞાન પરિપૂર્ણ છે ને રાગ જરાય નથી–એટલે તેનો નિર્ણય કરતાં જ્ઞાન અને રાગની
ભિન્નતાનો નિર્ણય થઈ જ જાય છે. આ રીતે, હે ભાઈ! તારા ચૈતન્યસ્વરૂપ આત્માને રાગથી પણ ભિન્નતા છે તો
પછી શરીરાદિ મૂર્ત દ્રવ્યો સાથે તો એકપણું કયાંથી હોય? માટે તે એકપણાની ભ્રમણા છોડીને, ‘હું ચૈતન્ય જ છું’
એમ તું અનુભવ કર.
*
[૬]
જેમ પિતા બે ભાગલા પાડીને પુત્રને સમજાવે કે જો ભાઈ! આ તારો ભાગ; તારો ભાગ તું લઈ લે ને રાજી
થા. તેમ અહીં જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય એવા બે ભાગ પાડીને આચાર્યપ્રભુ સમજાવે છે કે જો ભાઈ! ચૈતન્યદ્રવ્ય
નિત્ય ઉપયોગસ્વભાવરૂપ છે તે તારો ભાગ છે, અને ‘નિત્ય ઉપયોગસ્વભાવ’ સિવાયનું બીજું બધુંય પુદ્ગલદ્રવ્યનો
ભાગ છે. હે જીવ! હવે તું તારો ભાગ લઈ લે અને રાજી થા. ઉપયોગસ્વભાવ–જ્ઞાયકભાવ સિવાય બીજા બધાયમાંથી
આત્મબુદ્ધિ છોડીને, આ એક જ્ઞાયકભાવને જ તારા સ્વરૂપપણે અનુભવ.....તેમાં જ એકાગ્ર થા.
*
[૭]
જેમ મીઠામાંથી પાણી થાય છે ને પાણીમાંથી મીઠું થાય છે, તેમ જીવ કદી પુદ્ગલરૂપ થતો નથી ને પુદ્ગલ
કદી જીવરૂપ થતું નથી. માટે મીઠાના પાણીની જેમ જીવ–અજીવનું એકપણું નથી, પણ પ્રકાશ અને અંધકારની જેમ
જીવ–અજીવનું ભિન્નપણું છે. જીવ તો ચૈતન્યપ્રકાશમય છે ને પુદ્ગલ તો જડ–આંધળું છે, તેમને અત્યંત ભિન્નતા છે.
અહીં ‘મીઠાનું પાણી’ એવું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ કહે છે કે હે જીવ! જેમ મીઠું ઓગળીને પાણી રૂપે થઈ જાય
છે, તેમ તારી પરિણતિ અજીવને પોતાનું માનીને તે તરફ વળવા છતાં તે અજીવની સાથે તો એકાકાર એકમેક થઈ
શકતી નથી, માટે તે અજીવથી તારી પરિણતિને અંતરમાં ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્ય તરફ વાળ તો ત્યાં તે એકાકાર
થાય છે, માટે તે જ તારું સ્વરૂપ છે એમ તું જાણ. તારી પરિણતિ કયાંય પર સાથે તો એકરૂપ થઈ શકતી નથી, તારા
ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્યમાં જ તે એકાકાર થાય છે, માટે ‘આ ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્ય જ હું છું’–એમ ઉપયોગસ્વરૂપ
જીવદ્રવ્યને એકને જ સ્વદ્રવ્યપણે અનુભવીને તેમાં જ તારી પરિણતિને એકાકાર કર ને પરદ્રવ્યને પોતાનું માનવારૂપ
મોહને હવે તો તું છોડ રે છોડ!
*
[૮]
દેહ તે હું છું, દેહની ક્રિયા મારી છે–એમ જે અજ્ઞાની માને છે તેને આચાર્યદેવ કહે છે કે અરે મૂઢ! જીવ તો
ઉપયોગસ્વરૂપ છે અને શરીરાદિ પુદ્ગલ તો જડસ્વરૂપ છે; ઉપયોગસ્વરૂપ જીવને અને જડસ્વરૂપ પુદ્ગલને એકપણું કદી
બની શકતું નથી. તું કહે છે કે ચૈતન્યમય જીવ ‘હું’ છું ને શરીરાદિ અજીવ પણ ‘હું’ છું,–આમ ચૈતન્ય તેમ જ જડ
એવા બંને દ્રવ્યોપણે તું પોતાને માને છે. પણ ભાઈ રે! તું એક, તે જીવ અને અજીવ એવા બંને દ્રવ્યોમાં કઈ રીતે રહી
કારતકઃ ૨૪૮૦ઃ ૧૧ઃ

PDF/HTML Page 13 of 25
single page version

background image
શકે? તું તો તારા ઉપયોગસ્વરૂપમાંજ સદાય રહેલો છે, પુદ્ગલ તે જડ છે, તેમાં તું રહેલો નથી. માટે એકલા
ચૈતન્યમય સ્વદ્રવ્યને જ તું તારાપણે અનુભવ, તેમાં જ ‘હું’ પણાની પ્રતીતિ કર, અને એનાથી ભિન્ન અન્ય સમસ્ત
પદાર્થોમાંથી હું–પણું છોડી દે.
*
[૯]
અહો! હું તો એક ચૈતન્યમય જીવતત્ત્વ, તે અજીવમાં કઈ રીતે વ્યાપું? હું તો મારા ઉપયોગસ્વરૂપમાં જ છું ને
પર તો પરમાં જ છે, હું કદી મારા ઉપયોગસ્વરૂપને છોડીને પરરૂપે થયો જ નથી,’–આમ શ્રી ગુરુએ તને સમજાવ્યું,
માટે હે ભવ્ય! ‘હું પોતે મારા ઉપયોગસ્વભાવમાં જ છું’–એમ જાણી, પ્રસન્ન થઈ, સાવધાન થા, અને અંતર્મુખ
થઈને આવા તારા ચૈતન્યસ્વરૂપનો અનુભવ કર, તેના અતીન્દ્રિય આનંદને ભોગવ. અમે તને તારું ચૈતન્યસ્વરૂપ
દેહાદિ બધાથી જુદું અને તારા પોતાથી જ પરિપૂર્ણ, સદા ઉપયોગમય બતાવ્યું, તે જાણીને તું પ્રસન્ન થા, સાવધાન થા
અને તેનો અનુભવ કર, તેમાં તને આત્માના અપૂર્વ આનંદનું સ્વસંવેદન થશે.
*
એ પ્રમાણે આચાર્યદેવે ચૈતન્યસ્વરૂપમાં પ્રસન્નતા, સાવધાની અને અનુભવ કરવાનું કહ્યું.
શ્રી ગુરુના આવા કલ્યાણકારી ઉપદેશને ઝીલનાર શિષ્ય વિનય અને બહુમાનપૂર્વક કહે છે કેઃ હે પ્રભો!
અનાદિથી મારા ભિન્ન ચૈતન્યતત્ત્વને ભૂલીને, વિકારમાં ને પરમાં જ મારાપણું માનીને હું આકુળ–વ્યાકુળ થઈ રહ્યો
હતો, આપશ્રીએ પરમ કરુણા કરીને વારંવાર મને પ્રતિબોધ્યો અને પરથી અત્યંત ભિન્ન, ચૈતન્યસ્વરૂપથી પરિપૂર્ણ
મારું સ્વદ્રવ્ય સમજાવીને આપે મને ન્યાલ કર્યો. અહો, આવું પરમ મહિમાવંત મારું સ્વદ્રવ્ય સમજતાં મને પ્રસન્નતા
થાય છે, પરમાં ઘૂંટાયેલી એકત્વબુદ્ધિ ટળીને હવે ચૈતન્યસ્વરૂપમાં સાવધાની થાય છે, મારો ઉત્સાહ નિજસ્વરૂપ તરફ
વળે છે અને હું મને નિત્ય ઉપયોગસ્વરૂપે જ અનુભવું છું. હવે રાગાદિ ભાવો કે પરદ્રવ્ય મારા સ્વરૂપમાં એકમેકપણે
જરાપણ ભાસતા નથી. અહો નાથ! આપે દિવ્યમંત્રો વડે અમારી મોહમૂર્છા દૂર કરીને અમને સજીવન કર્યાં....
–આમ, સમજનાર શિષ્ય અત્યંત વિનય અને બહુમાનપૂર્વક શ્રી ગુરુના ઉપકારની જાહેરાત કરે છે.
*
આચાર્યદેવે ઘણા ઘણા પ્રકારથી જીવ–અજીવનું જુદાપણું બતાવ્યું, અને અજીવથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
આત્માની સમજણ આપીને, પ્રસન્નતાપૂર્વક સાવધાનીથી તેનો અનુભવ કરવાનું કહ્યું; કોઈ જીવ એટલાથી પણ ન જાગે
તો તેને અતિ ઉગ્ર પ્રેરણા કરીને આચાર્યદેવ ૨૩ મા કલશમાં કહે છે કે અરે ભાઈ! તું મરીને પણ ચૈતન્યમૂર્તિ આત્માનો
અનુભવ કર. આચાર્યદેવ કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! શરીરાદિક મૂર્તદ્રવ્યોથી ભિન્ન એવા તારા
ચૈતન્યસ્વરૂપ આત્માને તું કોઈ પણ પ્રકારે–મહા પ્રયત્ન કરીને અનુભવ,–જેથી પર સાથે એકપણાનો તારો મોહ છૂટે.
(–આત્માનો અનુભવ કરવાની પ્રેરણાવાળું આ ૨૩ મા કલશ ઉપરનું પ્રવચન આવતા અંકમાં વાંચો. એ
લેખનું મથાળું હશે–‘આત્મકલ્યાણની અદ્ભુત પ્રેરણા.’ આત્મકલ્યાણને માટે ઝંખતા જિજ્ઞાસુઓને એ લેખ વાંચતાં
એમ થશે કેઃ અહો! મહા ઉપકારી સંતો સિવાય આત્મકલ્યાણની આવી વાત્સલ્યભરી અદ્ભુત પ્રેરણા કોણ આપે?)
*
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 14 of 25
single page version

background image
––
પરિણામ અને તેનો કર્તા
(૧) પ્રશ્નઃ– જડને પરિણામ હોય?
ઉત્તરઃ– હા; જડને પણ પરિણામ હોય છે.
(૨) પ્રશ્નઃ– જડમાં જ્ઞાન તો નથી, તો તેને પરિણામ કઈ રીતે હોય?
ઉત્તરઃ– જડ વસ્તુમાં જ્ઞાન–દર્શનરૂપ કે રાગ–દ્વેષરૂપ પરિણામ ન હોય, પણ તેની અવસ્થારૂપ જડ પરિણામ
હોય છે. જેમકે, શરીર ચાલે, ઊભું રહે, બોલાય વગેરે અવસ્થાઓ થાય છે તે બધાય જડના
પરિણામ છે.
(૩) પ્રશ્નઃ– તે જડનાં પરિણામનો કર્તા કોણ છે?
ઉત્તરઃ– તે જડનાં પરિણામનો કર્તા જડ પોતે છે. દરેક વસ્તુ પોતે પોતાના પરિણામની કર્તા છે. શરીર હાલે–
ચાલે–બોલાય તે બધા જડના પરિણામ છે ને તેનો કર્તા જડ છે, આત્મા તેનો કર્તા નથી.
(૪) પ્રશ્નઃ– પરિણામ એટલે શું?
ઉત્તરઃ– જીવ કે અજીવ દરેક દ્રવ્ય પરિણામી છે એટલે સમયે સમયે તેમાં નવી પર્યાય થયા કરે છે, તે
પર્યાયને ‘પરિણામ’ કહેવાય છે. અથવા પરિણામ એટલે કાર્ય.
(પ) પ્રશ્નઃ– પરિણામ કયાં રહે છે?
ઉત્તરઃ– પરિણામ અને પરિણામી અભેદ છે એટલે જે દ્રવ્યના પરિણામ હોય તે દ્રવ્યમાં જ તે પરિણામ રહે
છે; દ્રવ્યના પરિણામ દ્રવ્યથી જુદા હોય નહીં.
(૬) પ્રશ્નઃ– કર્મ કોનાં પરિણામ છે?
ઉત્તરઃ– કર્મ તે જડ પુદ્ગલના પરિણામ છે, તેનો કર્તા જડ છે, જીવ તેનો કર્તા નથી.
(૭) પ્રશ્નઃ– રાગ કોનાં પરિણામ છે?
ઉત્તરઃ– રાગ તે જીવનાં પરિણામ છે, તેનો કર્તા જીવ છે, જડકર્મ તેના કર્તા નથી.
(૮) પ્રશ્નઃ– એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરે?
ઉત્તરઃ– ના; જડ કે ચેતન સર્વે દ્રવ્યો પોતપોતાના પરિણામના કર્તા છે; કોઈ દ્રવ્યના પરિણામનું કર્તા બીજું
દ્રવ્ય નથી. દરેક દ્રવ્ય પોતે કર્તા છે અને તેના પરિણામ તે તેનું કર્મ છે.
(૯) પ્રશ્નઃ– બે દ્રવ્યો ભેગાં થઈને એક અવસ્થા કરે કે નહિ?
ઉત્તરઃ– ના, બે દ્રવ્યો ભેગાં થઈને એક અવસ્થા કરતા નથી, કેમકે એક પરિણામના કર્તા બે ન હોય; એટલે
છે.
(૧૦) પ્રશ્નઃ– આ સમજવાથી શું લાભ?
ઉત્તરઃ– દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને તે દરેક દ્રવ્ય પોતે જ પોતાના કાર્યને કરે છે,–આમ સમજતાં સમસ્ત પર
દ્રવ્યોથી આત્માનું ભેદજ્ઞાન થાય છે અને પરની ક્રિયાના કર્તાપણાની મિથ્યાબુદ્ધિ છૂટી જાય છે, તેમ જ
મારું કામ બીજો કરે–એવી પરાશ્રયપણાની મિથ્યાબુદ્ધિ છૂટી જાય છે;–આમ થતાં સ્વદ્રવ્યનો આશ્રય
થાય છે ને સ્વદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મનો લાભ થાય છે.
(–શ્રી સમયસાર કળશ પ૧ થી પ૪ ના પ્રવચન ઉપરથી.)
*
કારતકઃ ૨૪૮૦ ઃ ૧૩ઃ

PDF/HTML Page 15 of 25
single page version

background image
સિદ્ધ ભગવાનના આઠ ગુણો
******************************
૧. પરમ ક્ષાયિક સમ્યક્ત્વ
કેવળજ્ઞાનાદિ ગુણોના સ્થાનરૂપ જે નિજ શુદ્ધ આત્મા છે તે જ ઉપાદેય છે–આવા પ્રકારની રુચિરૂપ
નિશ્ચયસમ્યક્ત્વ પહેલાં તપશ્ચરણ કરવાની અવસ્થામાં * ઉત્પન્ન કર્યું હતું; તેના ફળભૂત, સમસ્ત જીવાદિ તત્ત્વોના
વિષયમાં વિપરીત અભિનિવેશરહિત પરિણામરૂપ પરમ ક્ષાયિક સમ્યક્ત્વ નામનો પ્રથમ ગુણ સિદ્ધ ભગવંતોમાં
કહેવામાં આવે છે. (* અહીં, તપશ્ચરણ કરવાની અવસ્થામાં નિશ્ચય–સમ્યક્ત્વ થવાનું કહ્યું છે તે નિશ્ચયરત્નત્રયની
એકતા અપેક્ષાએ સમજવું; એકલું નિશ્ચયસમ્યક્ત્વ ચોથા ગુણસ્થાને પણ હોય છે.)
૨. કેવળજ્ઞાન
પૂર્વ કાળે છદ્મસ્થ અવસ્થામાં ભાવેલા નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનના ફળભૂત, એક જ સમયમાં લોક–
અલોકના સમસ્ત પદાર્થોના વિશેષોને જાણનાર કેવળજ્ઞાન નામનો બીજો ગુણ છે.
૩. કેવળદર્શન
સંપૂર્ણ વિકલ્પોથી શૂન્ય નિજ શુદ્ધાત્માની સત્તાના અવલોકનરૂપ જે દર્શન પહેલાં ભાવિત કર્યું હતું, તે દર્શનના
ફળભૂત. એક સાથે લોક–અલોકના સમસ્ત પદાર્થોના સામાન્યને ગ્રહણ કરનાર કેવળદર્શન નામનો ત્રીજો ગુણ છે.
૪. અનંતવીર્ય
ચૈતન્યસ્વરૂપથી ચલિત થવાના કારણરૂપ કોઈ ઘોર પરીષહ અને ઉપસર્ગ વગેરે થવાના કાળે પહેલાં પોતાના
નિરંજન પરમાત્માનું ધ્યાનમાં ધૈર્યપૂર્વક અવલંબન કર્યું હતું, તેના ફળભૂત, અનંત પદાર્થોના જ્ઞાનમાં ખેદના
અભાવરૂપ લક્ષણનો ધારક અનંતવીર્ય નામનો ચોથો ગુણ છે.
પ. સૂક્ષ્મત્વ
સૂક્ષ્મ અતીન્દ્રિય કેવળજ્ઞાનનો વિષય હોવાથી સિદ્ધોના સ્વરૂપનું સૂક્ષ્મત્વ કહેવામાં આવે છે; આ સૂક્ષ્મત્વ
પાંચમો ગુણ છે.
૬. અવગાહન
જેમ એક દીપકના પ્રકાશમાં અનેક દીપકોના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે તેમ એક સિદ્ધના ક્ષેત્રમાં
સંકરવ્યતિકર દોષના પરિહારપૂર્વક અનંત સિદ્ધોને અવકાશ દેવાનું જે સામર્થ્ય છે તે છઠ્ઠો અવગાહન ગુણ છે.
૭. અગુરુલઘુત્વ
જો સિદ્ધસ્વરૂપ સર્વથા ગુરુ (ભારે) હોય તો લોઢાના ગોળાની માફક તેનું અધઃપતન જ થયા કરે, અને જો
સર્વથા લઘુ (હળવું) હોય તો પવનથી ઊડતા આકોલિયાના રૂ ની માફક તેનું નિરંતર ભ્રમણ જ થયા કરે, –પરંતુ
સિદ્ધનું સ્વરૂપ એવું નથી તેથી અગુરુલઘુત્વ નામનો સાતમો ગુણ કહેવામાં આવે છે.
૮. અવ્યાબાધ અનંત સુખ
સહજ શુદ્ધ સ્વરૂપના અનુભવથી ઉત્પન્ન તથા રાગાદિ વિભાવોથી રહિત એવા સુખરૂપી અમૃતનો જે એકદેશઅનુભવ
પૂર્વે કર્યો હતો, તેના ફળભૂત અવ્યાબાધ અનંત સુખ નામનો આઠમો ગુણ સિદ્ધોમાં કહેવામાં આવે છે.
–આવા અષ્ટ મહાગુણોના ધારક શ્રી સિદ્ધભગવંતોને નમસ્કાર હો!
(જુઓ, બૃહત્દ્રવ્યસંગ્રહ ગા. ૧૪ ટીકા)
*
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 16 of 25
single page version

background image
અરિહંત ભગવાનને ઓળખો
[સાચા જૈન બનવા માટે અરિહંત ભગવાનનું સ્વરૂપ અવશ્ય ઓળખવું જોઈએ]
(પ્રવચનસાર ગા. ૮૦ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી તારવેલું)
– આ લેખનો બીજો ભાગ આવતા અંકમાં વાંચો –
*શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર હો.
*
*અરિહંત ભગવાન આપણા ઇષ્ટદેવ છે, તેથી તેમનું સ્વરૂપ બરાબર ઓળખવું જોઈએ.
*
*અરિહંત ભગવાનનું સ્વરૂપ બરાબર ઓળખતાં આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય છે, કેમ
કે આપણા આત્માનું સ્વરૂપ પણ ખરેખર અરિહંત ભગવાન જેવું જ છે.
*
*અનાદિ કાળથી આત્મામાં જે મિથ્યાત્વભાવ છે તે અધર્મ છે. આ આત્માનો સ્વભાવ
અરિહંત ભગવાન જેવો જ, પુણ્ય–પાપ રહિત છે, તેને ચૂકીને પુણ્ય–પાપને જ પોતાનું
સ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને સમ્યક્ત્વ કેમ પ્રગટે?
તેનો ઉપાય કહે છે.
–જે કોઈ જીવ અરિહંત ભગવાનના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને બરાબર જાણે
છે તે જીવ ખરેખર પોતાના આત્માને જાણે છે ને તેનો મિથ્યાત્વરૂપ ભ્રમ ચોક્કસ નાશ
પામે છે અને શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટે છે.–અનાદિના અધર્મનો નાશ કરીને અપૂર્વ ધર્મ પ્રગટ
કરવાનો આ ઉપાય છે.
*
*નિશ્ચયથી અરિહંત ભગવાનનો અને આ આત્માનો સ્વભાવ સરખો છે, તે સ્વભાવને
જાણવાથી સમ્યગ્દર્શન થાય છે, તે અપૂર્વ ધર્મ છે. સમ્યગ્દર્શન વગર ત્રણકાળમાં ધર્મ હોતો નથી.
*
*જે જીવ અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે છે તે જીવ સ્વભાવના આંગણે આવ્યો છે; જે
જીવ અરિહંત ભગવાનને ઓળખતો નથી અને શરીરની ક્રિયાથી કે રાગથી ધર્મ માને છે
તે તો સ્વભાવના આંગણે પણ આવ્યો નથી.
*
*અરિહંત ભગવાન જેવા પોતાના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને જે જીવ જાણતો નથી તે જ
કારતકઃ ૨૪૮૦ઃ ૧પઃ

PDF/HTML Page 17 of 25
single page version

background image
રાગાદિને અને શરીરાદિની ક્રિયાને પોતાનું સ્વરૂપ માને છે; પરંતુ જે જીવ અરિહંત
ભગવાન જેવા પોતાના આત્માને ઓળખે છે, તેને ભેદજ્ઞાન થઈ જાય છે એટલે તે
રાગાદિને પોતાનું ખરું સ્વરૂપ માનતો નથી તેમ જ શરીરાદિની ક્રિયાને પોતાની માનતો
નથી; રાગ રહિત ચૈતન્યભાવે તેનું અંર્તપરિણમન થઈ જાય છે.
*
*ત્રણલોકના નાથ તીર્થંકર ભગવાન કહે છે કેઃ મારો અને તારો આત્મા એક જ જાતનો છે,
બંનેની એક જ નાત છે. જેવો મારો સ્વભાવ છે તેવો તારો સ્વભાવ છે. અમને
કેવળજ્ઞાનદશા પ્રગટી તે બહારથી નથી પ્રગટી પણ આત્મામાં શક્તિ છે તેમાંથી જ પ્રગટી
છે; તારા આત્મામાં પણ મારા જેવી જ પરિપૂર્ણ શક્તિ છે. હે જીવ! તારા આત્માની
શક્તિને ઓળખ તો તારો મોહ નાશ થયા વગર રહેશે નહીં.
*
*જેમ મોરના ઇંડામાં સાડા ત્રણ હાથનો રંગબેરંગી મોર થવાનો સ્વભાવ પડયો છે તેથી
તેમાંથી મોર થાય છે, તેમ આત્મામાં આનંદમય કેવળજ્ઞાન પ્રગટવાની શક્તિ છે, તેમાંથી
કેવળજ્ઞાન ખીલે છે.–જે આવી અંતરશક્તિની પ્રતીત કરે તેને સમ્યગ્દર્શન થઈને
અલ્પકાળમાં કેવળજ્ઞાન–કળા ખીલી જાય છે.
– પરંતુ –
*‘આ નાના ઇંડામાં મોર કેમ હોય’–એમ શંકા કરીને જો ઈંડાને ખખડાવે તો તેનો રસ
સુકાઈ જાય છે ને મોર થતો નથી; તેમ જે જીવ આત્માના સ્વભાવસામર્થ્યનો વિશ્વાસ કરે
નહિ, અને ‘અત્યારે આત્મા ભગવાન જેવો કેમ હોય?–એમ સ્વભાવમાં શંકા કરે તો તેને
સમ્યગ્દર્શન થતું નથી અને મોહ ટળતો નથી.
*
*મોરના નાના ઈંડામાં મોર થવાનો સ્વભાવ છે તે સ્પર્શ–રસ વગેરે ઇન્દ્રિયોથી નથી
દેખાતો પણ જ્ઞાનદ્વારા જ ખ્યાલમાં આવે છે; તેમ આત્મામાં કેવળજ્ઞાન થવાનો જે
સ્વભાવ છે તે ઈન્દ્રિયોદ્વારા મનદ્વારા કે રાગદ્વારા પણ જણાતો નથી પરંતુ તે ઇન્દ્રિય
વગેરેનું અવલંબન છોડીને સ્વભાવ તરફ વળેલા અતીન્દ્રિયજ્ઞાનથી જ તે જણાય છે.
*
*જેમ દીવાસળીના ટોપકામાં ભડકો થવાનું સામર્થ્ય છે તેમ ચૈતન્યમૂર્તિ આત્મામાં
કેવળજ્ઞાન–જ્યોતિ પ્રગટવાનું સામર્થ્ય છે. જેમ દીવાસળીમાં ભડકો થવાનું સામર્થ્ય છે તે
આંખથી નથી દેખાતું પણ જ્ઞાનથી જ જણાય છે તેમ આત્મામાં કેવળજ્ઞાન થવાનું
સ્વભાવ–સામર્થ્ય છે તે પણ અતીન્દ્રિયજ્ઞાન દ્વારા જ જણાય છે.
*
*પોતાના આવા સ્વભાવસામર્થ્યની પ્રતીતિ અને અનુભવ કરે તો સમ્યગ્દર્શનરૂપ પહેલો
ધર્મ થાય. આવા સ્વભાવસામર્થ્યની પ્રતીત વગર ગમે તેટલા શાસ્ત્રો ભણી જાય, વ્રત–
ઉપવાસ કરે, પડિમા લ્યે, પૂજા–ભક્તિ કરે કે દ્રવ્યલિંગી મુનિ થાય–ગમે તેટલું કરે તોપણ
તે ધર્મ ન ગણાય અને તે કરતાં કરતાં ધર્મ થાય નહિ.
*
*સમ્યગ્દર્શન પ્રગટાવવા માટેનો આ અલૌકિક અધિકાર છે; આ અધિકાર સમજીને યાદ
ઃ ૧૬ઃઆત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 18 of 25
single page version

background image
રાખવા જેવો છે, ને અંદર વાગોળીને આત્મામાં પરિણમાવવા જેવો છે. પોતાના
અંર્તસ્વભાવમાં એકાગ્રતાથી જ સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર પ્રગટે છે.
*
*જેણે અરિહંત ભગવાન જેવા પોતાના આત્માને મન વડે જાણી લીધો તે જીવ સ્વભાવના
આંગણે આવ્યો છે; પરંતુ આંગણે આવ્યા પછી હવે અંદર ઊતરીને સ્વભાવનો અનુભવ
કરવામાં અનંતો અપૂર્વ પુરુષાર્થ છે.
*
*જેમ મોટા રાજા–મહારાજાના મહેલના આંગણે આવ્યા પછી સીધું રાજા પાસે જવા માટે
હિંમત જોઈએ, તેમ ચૈતન્ય ભગવાનના આંગણે આવ્યા પછી અંદર ઢળીને
ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવામાં અનંત પુરુષાર્થ છે. જે જીવ તેવો અપૂર્વ પુરુષાર્થ કરે
તેને જ ભગવાન આત્માનો ભેટો થાય છે–તેને જ સમ્યગ્દર્શન થાય છે.
જે જીવો શુભવિકલ્પમાં અટકી જાય છે તેને ચૈતન્ય ભગવાનનો ભેટો થતો નથી.–
પરંતુ અહીં આંગણે અટકવાની વાત જ નથી. જે જીવ આંગણે આવ્યો તે અંતરમાં જઈને
અનુભવ કરે જ એવી અપ્રતિહતપણાની જ અહીં વાત છે.
*
*સમ્યગ્દર્શન વગર ધર્મ હોતો નથી તેથી અહીં પહેલાં જ સમ્યગ્દર્શનની રીત બતાવી છે.
સમ્યગ્દર્શનની રીતમાં પુણ્ય કે પાપ નથી. ઉપયોગને અંતર્મુખ કરીને ત્રિકાળી
ચૈતન્યદ્રવ્યમાં એકાગ્ર કરવો તે જ સમ્યગ્દર્શનની રીત છે.
*
*જુઓ ભાઈ, આ જ આત્માના હિતની વાત છે. આ સમજણ પૂર્વે અનંતકાળમાં એક સેકંડ
પણ નથી કરી. એક સેકંડ પણ જે આવી સમજણ કરે તેને ભવનો નાશ થયા વગર રહે
નહિ.
*
*આત્માનું યથાર્થસ્વરૂપ સમજ્યા સિવાય, ભલે લાખો ને કરોડો રૂપિયા ભેગા થાય તોપણ
તેમાં આત્માને શું લાભ? આત્માનું લક્ષ કર્યા વગર આત્માના અનુભવની લાખેણી ઘડીનો
લાભ નહિ મળે.
*
*જેણે આત્માનો યથાર્થ નિર્ણય કર્યો, પછી તેને આહાર–વિહારાદિ હોય ને પુણ્ય–પાપના
અમુક પરિણામ પણ થતા હોય છતાં આત્માનું લક્ષ છૂટતું નથી–આત્માનો જે નિર્ણય કર્યો
છે તે કોઈ પ્રસંગે ખસતો નથી. પ્રથમ આવો નિર્ણય કરવો તે જ કરવા જેવું છે.
*
*પોતે સાચું સમજે ત્યાં ખોટી માન્યતા એની મેળે ટળી જાય છે. જેણે આત્મસ્વભાવને
જાણ્યો તેને ખોટી માન્યતા ટળી જ ગઈ. સાચું સમજે અને ઊંધી માન્યતા પણ રહે–એમ
બને નહિ.
*
*હે જીવ! અરિહંતભગવાન જેવા તારા આત્માને તું જાણ–એમ કહ્યું, તેમાં એટલું તો આવી
ગયું કે પાત્ર જીવને અરિહંતદેવ સિવાય સર્વે કુદેવાદિની માન્યતા તો છૂટી જ ગઈ છે.
–અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને ત્યાં જ અટકતો નથી પણ
પોતાના આત્મા તરફ વળે છે.
કારતકઃ ૨૪૮૦ ઃ ૧૭ઃ

PDF/HTML Page 19 of 25
single page version

background image
–દ્રવ્ય–ગુણ ને પર્યાયથી પરિપૂર્ણ મારું સ્વરૂપ છે, રાગ–દ્વેષ મારું ખરું સ્વરૂપ નથી એમ
નક્કી કરીને, પછી પર્યાયનું લક્ષ છોડીને અને ગુણભેદનું લક્ષ પણ છોડીને ચિન્માત્ર
આત્માને લક્ષમાં લ્યે છે.
–આ રીતે એકલા ચિન્માત્ર આત્માનો અનુભવ કરતાં જ સમ્યગ્દર્શન થાય છે ને મોહ ટળી
જાય છે.
*
*ભગવાનના દર્શન અને ભગવાનનો સાક્ષાત્કાર કેમ થાય તેની આ વાત છે. ભગવાન કેવા
છે તે ઓળખે અને હું પણ એવો જ ભગવાન છું–
‘जिन सो ही आतमा’એમ
ઓળખીને તેમાં જ લક્ષને એકાગ્ર કરતાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે, તે જ
ભગવાનનાં દર્શન છે, તે જ આત્મસાક્ષાત્કાર અથવા ભગવાનનો સાક્ષાત્કાર છે.
‘अप्पा
सो परमप्पा’ તેથી આત્માનું દર્શન તે જ પરમાત્માનું દર્શન છે, તે જ સ્વાનુભવ છે, તે જ
બોધિસમાધિ છે, તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આ સિવાય ભગવાનમાં અને
પોતાના આત્મામાં જે કિંચિત્ પણ ફેર પરમાર્થે માને તેને ભગવાનનો ભેટો–ભગવાનનો
સાક્ષાત્કાર કે ભગવાનના દર્શન થાય નહીં.
*
*આત્માને ઓળખીને તેનું સમ્યગ્દર્શન કરવું તે આ મનુષ્ય જીવનની સફળતા છે. આત્માની
ઓળખાણના સંસ્કાર સહિત જ્યાં જશે ત્યાં આત્માની સાધના ચાલુ રાખીને અલ્પકાળમાં
મુક્તિ પામશે. પણ જો જીવનમાં આત્માની ઓળખાણના સંસ્કાર ન નાંખ્યા તો દોરા
વગરની સોયની માફક આત્મા ભવભ્રમણમાં ક્યાંય ખોવાઈ જશે. જેમ દોરે પરોવેલી
સોય ખોવાતી નથી તેમ આત્મામાં જો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લ્યે
તો આત્મા ચોરાસીના અવતારમાં રખડે નહિ.
*
*સમ્યગ્દર્શન માટેની આ અપૂર્વ વાત છે. જેમ વેપાર–ધંધામાં કે રસોઈ વગેરેમાં ધ્યાન રાખે
છે તેમ અહીં આત્માની રુચિ કરીને બરાબર ધ્યાન રાખવું જોઈએ. અંતરમાં મેળવણી
કરીને સમજવું જોઇએ. માંગળિક તરીકે આ અપૂર્વ વાત છે. ‘આ કાંઈક અપૂર્વ છે,
સમજવા જેવું છે’–એમ ઉત્સાહ લાવીને ૬૦ મિનિટ બરાબર ધ્યાન રાખીને સાંભળે તો ય
બીજા કરતાં જુદી જાતના પુણ્ય થઈ જાય, અને આત્માના લક્ષે અંતરમાં સમજીને આ
ભાવરૂપે પરિણમી જાય તેને તો અનંતકાળમાં અપ્રાપ્ત એવો સમ્યગ્દર્શનનો અપૂર્વ લાભ
થાય. આ વાત સાંભળવી પણ મોંઘી છે અને સમજવી તે તો અભૂતપૂર્વ છે.
*
*સમ્યગ્દર્શનની અંર્તક્રિયા તે જ ધર્મની પહેલી ક્રિયા છે. સમ્યગ્દર્શન પોતે શ્રદ્ધાગુણની
પવિત્ર ક્રિયા છે ને તેમાં મિથ્યાત્વાદિક અધર્મની ક્રિયાનો અભાવ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રના નિર્મળ ભાવરૂપ જે પર્યાય પરિણમે છે તે જ ધર્મ ક્રિયા છે, તે ક્રિયા રાગરહિત
છે, રાગ હોય તે ધર્મની ક્રિયા નથી. ધર્મી જાણે છે કે મારા સ્વભાવના અનુભવમાં જ્ઞાન–
દર્શન–આનંદની નિર્મળ ક્રિયા થાય છે તેમાં હું છું, પણ રાગની ક્રિયામાં હું નથી.
*
*દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણ્યા પછી અંતરના અભેદ ચૈતન્યમાત્ર સ્વભાવનો અનુભવ કરવો
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ

PDF/HTML Page 20 of 25
single page version

background image
તેમાં જુદી જ જાતનો પુરુષાર્થ છે, તે અંતરક્રિયામાં સ્વભાવનો અપૂર્વ પુરુષાર્થ છે.
અનાદિના ભવસાગરનો અંત આવા અપૂર્વ પુરુષાર્થથી જ થાય છે. જો સ્વભાવના અપૂર્વ
પુરુષાર્થ વગર જ ભવસાગરથી તરી જવાતું હોત તો તો બધાય જીવો મોક્ષમાં ચાલ્યા
જાત!–પણ સ્વભાવના અપૂર્વ પ્રયત્ન વગર આ સમજાય એમ કદી બનતું નથી, અને આ
સમજ્યા વગર કદી કોઈ જીવના ભવભ્રમણનો અંત આવતો નથી. માટે અંતરની રુચિ
અને ધીરજપૂર્વક સ્વભાવ સમજવાનો ઉદ્યમ કરવો જોઈએ.
*
*ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સમ્યગ્દર્શનનો અપૂર્વ ઉપાય બતાવતાં ભવ્ય જીવને કહે છે કેઃ
હે ભવ્ય! તું અરિહંત ભગવાનના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખ....તે ઓળખતાં તને
તારા આત્માની ખબર પડશે કે ‘હું પણ અરિહંતની જ જાતનો છું, અરિહંત ભગવંતોની
પંક્તિમાં બેસું એવો મારો સ્વભાવ છે.’–આમ આત્મસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર
થતાં અપૂર્વ સમ્યગ્દર્શન થશે.
*
*પહેલામાં પહેલું શું કરવું તેની આ વાત છે. અનાદિના અજ્ઞાની જીવને નાનામાં નાનો
જૈનધર્મી બનાવવાની એટલે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિ થવાની આ વાત છે. મુનિ કે શ્રાવક
થયા પહેલાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ તેની આ વાત છે. આ સમ્યક્શ્રદ્ધારૂપી ભૂમિકા વગર
વ્રત–પડિમા કે મુનિપણું કાંઈ સાચું હોતું નથી. હજી વસ્તુસ્વરૂપ શું છે તે સમજ્યા વગર
ઉતાવળા થઈને બાહ્ય ત્યાગ કરવા માંડે ને પોતાને મુનિપણું વગેરે માની લ્યે તેને તો
ધર્મની રીતની કે ધર્મના ક્રમની ખબર નથી.
*
*જેણે અંતરમાં પોતાના આત્મસ્વભાવનું ભાન કર્યું છે તેને તે ભાન સદાય વર્ત્યા જ કરે છે.
આત્માના વિચારમાં હોય ત્યારે જ સમ્યગ્દર્શન રહે અને બીજા વિચારમાં હોય ત્યારે
સમ્યગ્દર્શન ચાલ્યું જાય–એમ નથી. સમકીતિને શુભ–અશુભ ઉપયોગ વખતે પણ
આત્મભાન ભૂલાતું નથી, સમ્યગ્દર્શન છૂટતું નથી તેમ જ દુષિત પણ થતું નથી; ક્ષણે ક્ષણે
તેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન વર્ત્યા જ કરે છે–આત્મા જ તે રૂપે પરિણમી ગયો છે. આત્માનું
ભાન થયા પછી તે ગોખવું ન પડે–યાદ રાખવું ન પડે, પણ આત્મામાં તેનું સહજ
પરિણમન થઈ જાય છે, ઊંઘમાં પણ આત્મભાન ભૂલાતું નથી. આ રીતે ધર્મીને ચોવીસે
કલાક સમ્યગ્દર્શનરૂપ ધર્મ થયા જ કરે છે. આવું આત્મભાન પ્રગટ કરવું તે જ જીવનમાં
સૌથી પ્રથમ કરવાનું છે.
*
*આ તો આત્માની મુક્તિ મળે તેવી વાત છે, તે સમજવા માટે અંતરમાં હોંસ અને ઉત્સાહ
જોઈએ. પૈસામાં સુખ નથી છતાં પૈસા મળવાની વાત કેવી હોંસથી સાંભળે છે! તો આત્મા
સમજવા માટે અપૂર્વ હોંસથી આત્માની દરકારપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. સત્સમાગમે
પરિચય કર્યા વગર ઉતાવળથી આ વાત સમજાઈ જાય એમ નથી. ‘આ જ મારે કરવા
જેવું છે’ એમ ધીરો થઈને આ વાત પકડવા જેવી છે.
*
*અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયનો નિર્ણય પુરુષાર્થવડે થાય છે; અને તેનો
કારતક ૨૪૮૦ઃઃ ૧૯ઃ