Atmadharma magazine - Ank 126
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ અગિયારમું : સમ્પાદક : ચૈત્ર
અંક છઠ્ઠો રામજી માણેકચંદ દોશી સં. ૨૦૧૦
સમ્યગ્દશન અફર ઉપય
જાુઓ, આ સમકીતનો પુરુષાર્થ! આવો પુરુષાર્થ પૂર્વે
કદી જીવે કર્યો નથી. કોઈ કહે કે અમે પુરુષાર્થ તો ઘણો
કરીએ છીએ પણ સમકીત થતું નથી, તો જ્ઞાની કહે છે કે અરે
ભાઈ! તારી વાત જાૂઠી છે; યથાર્થ કારણ આપે અને કાર્ય ન
આવે એમ બને નહિ. જો કાર્ય નથી પ્રગટતું તો સમજ કે
તારા પ્રયત્નમાં ભૂલ છે. સમ્યગ્દર્શન થવાની જે રીત છે તે
રીતે અંતરમાં યથાર્થ પ્રયત્ન કરે અને સમ્યગ્દર્શન ન થાય
એમ બને જ નહિ. ખરેખર અપૂર્વ સમ્યગ્દર્શનો સાચો
ઉપાય શું છે તે જીવે જાણ્યું જ નથી, ને બીજા વિપરીત
ઉપાયને સાચો ઉપાય માની લીધો છે. જ્યાં ઉપાય જ ખોટો
હોય ત્યાં સાચું કાર્ય ક્યાંથી પ્રગટે? માટે અહીં આચાર્ય
ભગવાને સમ્યગ્દર્શનો સાચો અને અફર ઉપાય બતાવ્યો
છે. જો આ ઉપાય સમજે અને આ રીતે શુદ્ધનયનું અવલંબન
લઈને અંતરના જ્ઞાનાનંદસ્વભાવને પકડે તો સમ્યગ્દર્શનો
અપૂર્વ અનુભવ અને ભેદજ્ઞાન જરૂરી થઈ જાય.
વાર્ષિક લવાજમ [૧૨૬] છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૧૦૬ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
પૂજ્ય ગુરુદેવનો જામનગરમાં એક સપ્તાહ નિવાસ
અને
અપૂર્વ ધર્મપ્રભાવના
પોરબંદરથી વિહાર કરીને પરમ પૂજ્ય ગુરુદેવ જામનગરમાં તા. ૧૮
ના રોજ પધાર્યા હતા. જામનગરમાં ૧૯ વર્ષ પછી પૂ. ગુરુદેવ પધારતા
હોવાથી તેઓશ્રીના દર્શન તેમજ અલૌકિક આધ્યાત્મિક વાણી શ્રવણ
કરવાને ભાવિક જૈન તથા ઈતર સમાજ અત્યંત ઈન્તેજાર હતો. પૂ. ગુરુદેવ
જામનગરમાં પધાર્યા ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ જામનગરની
પ્રજાએ તેઓશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
પૂજ્ય ગુરુદેવ જામનગરમાં સાત દિવસ રહ્યા તે દરમ્યાન સવારે
તથા બપોરે બંને સમય તેઓશ્રી ગ્રંથાધિરાજ શ્રી સમયસારની ગાથા ૭૪
ઉપર પ્રવચન કરતા હતા. પૂજ્ય ગુરુદેવની અપૂર્વ અધ્યાત્મવાણી શ્રવણ
કરતાં સમસ્ત જૈન તથા જૈનેતર જનતા અત્યંત પ્રભાવિત થઈ હતી તથા
આ દેશના અભૂતપૂર્વ અને પરમ સત્ય છે એમ સૌ કોઈને લાગતું હતું.
પૂજ્ય ગુરુદેવના જામનગરમાં એક સપ્તાહના નિવાસ દરમ્યાન અધ્યાત્મનું
મોજું ફરી વળ્‌યું હતું અને સર્વત્ર હોંશભેર તત્ત્વની ચર્ચા ચાલી રહેતી હતી.
રાજપ્રમુખ નામદાર જામસાહેબને આંખે તકલીફ હોવાથી તેઓશ્રીએ
પૂ. ગુરુદેવના દર્શનની ભાવના વ્યક્ત કરી હતી તેથી પૂજ્ય ગુરુદેવ
તેઓશ્રીના બંગલે પધાર્યા હતા. પૂજ્ય ગુરુદેવે ૧૮ મિનિટ સુધી ઘણી જ
સરળ ભાષામાં સુંદર આધ્યાત્મિક ઉપદેશ કર્યો હતો જે શ્રવણ કરી નામદાર
જામસાહેબ તથા મહારાણી સાહેબા અત્યંત પ્રભાવિત થયાં હતાં અને
તેઓશ્રીએ સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને રૂા. ૧૦૦૧ જ્ઞાનદાનમાં
અર્પણ કર્યા હતા, તથા મહારાણી સાહેબાએ કહ્યું : સ્વામીજી! સાચું
સામ્રાજય શું છે તે તો આપે બતાવ્યું છે; સુયોગ પ્રાપ્ત થશે તો અમો જરૂર
આપશ્રીના દર્શનાર્થે સોનગઢ આવીશું.
આ રીતે જામનગરમાં અપૂર્વ ધર્મપ્રભાવના કરીને તા. ૨૫ ના રોજ
પૂજ્ય ગુરુદેવે મોરબી તરફ વિહાર કર્યો હતો.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૦૭ :
પોરબંદરમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ
જિનેન્દ્ર શાસનના પરમ પ્રભાવક પૂ. ગુરુદેવના પુનિત પ્રતાપે સૌરાષ્ટ્રના ભક્તજનોને
ઠેર–ઠેર જિનેન્દ્ર ભગવંતોનો ભેટો થઈ રહ્યો છે, અને ભગવાનના પંચકલ્યાણકના અદ્ભુત
મહોત્સવ ઠેરઠેર જોવા મળે છે. આ વર્ષમાં પોરબંદર, મોરબી, અને વાંકાનેરમાં પંચકલ્યાણક–
પ્રતિષ્ઠા–મહોત્સવો તેમજ બીજા અનેક સ્થળોએ વેદી–પ્રતિષ્ઠા–મહોત્સવ નિમિત્તે પૂ. ગુરુદેવ
સૌરાષ્ટ્રમાં મંગલ–વિહાર કરી રહ્યા છે, અને સાથે સાથે અનેક ગામોમાં નવા જિનમંદિરોના
બીજડાં રોપતા જાય છે.
પોરબંદરમાં પૂ. ગુરુદેવની મંગલકારી છાયામાં શેઠ શ્રી નેમિદાસભાઈએ ઉલ્લાસપૂર્વક
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ કરાવ્યો હતો. આ મહોત્સવની શરૂઆતના સમાચાર ગયા
અંકમાં આવી ગયા છે, બીજા વિશેષ સમાચાર અહીં આપવામાં આવ્યા છે–
મહા વદ ૧૧ ના રોજ સવારે “જલયાત્રા” વિધિ થઈ હતી, જલયાત્રામાં જુલૂસમાં પૂ.
બેનશ્રી–બેન સુવર્ણકલશ લઈને ચાલતા હતા તે દ્રશ્ય ઘણું શોભતું હતું. જલયાત્રા બાદ તે પવિત્ર
જલથી જિનમંદિરમાં પૂ. બેનશ્રી બેનના મંગલ હસ્તે વેદી શુદ્ધિ થઈ હતી.
સાંજે વીસ વિહરમાન તીર્થંકર ભગવંતોનું પૂજ્ય પૂર્ણ થયું હતું, અને શ્રી જિનેન્દ્ર દેવનો
અભિષેક થયો હતો.
મહા વદ ૧૨ ના રોજ સવારમાં “આચાર્ય–અનુજ્ઞા” વિધિ થઈ હતી, તેમાં પ્રતિષ્ઠા
કરાવનાર શેઠશ્રી નેમિદાસભાઈ વગેરે પૂ. ગુરુદેવની સ્તુતિ કરીને, પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ માટે આજ્ઞા માગી હતી, અને પૂ. ગુરુદેવે તે માટે આજ્ઞા આપીને માંગળિક સંભળાવ્યું
હતું. ત્યારબાદ “નાંદિ વિધાન” થયું હતું, પછી “ઈન્દ્રપ્રતિષ્ઠા” થઈ હતી, અને પૂ. ગુરુદેવના
પ્રવચન બાદ ઈન્દ્રપ્રતિષ્ઠાનું જુલૂસ નીકળ્‌યું હતું. ત્યારબાદ યાગમંડલવિધાન પૂજનનો પ્રારંભ
થયો હતો.
રાત્રે ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયાનું દ્રશ્ય થયું હતું. સૌથી પ્રથમ કુમારિકા બહેનોએ
મંગલાચરણ રૂપે વિધિનાયક શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રની સ્તુતિ કરી હતી. ત્યારબાદ ઈન્દ્રસભાનો
દેખાવ થયો હતો. સૌધર્મઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણે છે કે છ મહિના બાદ ભગવાન પાર્શ્વનાથ
વામાદેવી માતાના ગર્ભમાં આવવાના છે. તેથી કુબેરને રત્નવૃષ્ટિ કરવાની આજ્ઞા આપે છે
તેમજ આઠ દેવીઓને ભગવાનના માતાની સેવા માટે મોકલે છે, અને ઈન્દ્રો વસ્ત્રાભૂષણની
ભેટ લઈને માતા–પિતા પાસે આવે છે, દેવીઓ માતાની સેવા કરે છે, માતાજી સોળ મંગલ
સ્વપ્નો દેખે છે–ઈત્યાદિ સુંદર દ્રશ્યો થયા હતા. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ
ભવોનું દ્રશ્ય પણ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું હતું.
મહા વદ ૧૩ ના રોજ સવારમાં ગર્ભકલ્યાણકનું દ્રશ્ય થયું હતું. દેવીઓ વામાદેવી માતાની
સેવા કરે છે, માતાજી સવારમાં ઊઠીને મંગલસ્તુતિ કરે છે અને પછી રાજ્યસભામાં જઈને ૧૬
સ્વપ્નની વાત કરે છે, શ્રી અશ્વસેન મહારાજા
(અનુસંધાન પાના નં. ૧૦૮ ઉપર)

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૦૮ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
ધર્મનું પહેલું સોપાન
[જામનગર શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન]
(વીર સં. ૨૪૮૦, ફાગણ વદ ૨)
હે ભાઈ! આત્માના ઊર્ધ્વસ્વભાવની શ્રેણીએ ચડવાનું એટલે કે મુક્તિનું
પહેલું સોપાન તો સમ્યગ્દર્શન જ છે. પુણ્ય તે ધર્મનું સોપાન નથી.
જુઓ, આ મનુષ્ય અવતાર પામીને આત્માનું હિત કેમ થાય તેની આ વાત છે.
‘કહો મહાત્મા, સુનો આત્મા, કહું વાતમાં વીતક ખરી,
સંસાર સાગર દુઃખ ભર્યામાં અવતર્યો કર્મે કરી;
જ્યાં કષ્ટ કોટી અસત્ય ભરપુર પાપ પમાર પ્રાણીનાં,
પામેલ માનવ જીંદગીની કદર અંતર આણી ના.’
સંસારમાં ભવભ્રમણ કરતાં અનંતકાળે આ મનુષ્યદેહ મળ્‌યો છે, તેમાં આત્માની સમજણ કરીને ભવનો
અંત લાવવાનો આ અપૂર્વ સમય છે. આવો મનુષ્યભવ પામીને પણ જો ચૈતન્યનું ભાન ન કરે અને દેહાદિના
લાલન–પાલનમાં તથા પુણ્ય–પાપની રુચિમાં જીવન પૂરું કરે તો મનુષ્યદેહ એળે ગુમાવવા જેવું છે.
અનાદિકાળથી જીવ સુખને માટે ઝાંવા નાખી રહ્યો છે પણ હજી સુધી તેને સુખની પ્રાપ્તિ થઈ નથી કેમકે
સુખનો સાચો ઉપાય તેણે જાણ્યો નથી. ચાર ગતિમાં દેહ–લક્ષ્મી વગેરેના સંયોગ અનંતવાર મળ્‌યા, અરે!
સ્વર્ગના વૈભવ પણ અનંતવાર મળ્‌યા, પણ તેનાથી સુખની ભૂખ ભાંગી
(અનુસંધાન પાના નં. ૧૦૯
ઉપર)
(પાના નં. ૧૦૭ થી ચાલુ)
તે સ્વપ્નોના ઉત્તમફળનું વર્ણન કરે છે. આઠ કુમારિકા દેવીઓ માતાને તત્ત્વચર્ચાના પ્રશ્રો પૂછે
છે અને માતાજી વિદ્વત્તાપૂર્વક તેના ઉત્તર આપે છે, ઈત્યાદિ દ્રશ્યો થયા હતાં.
બપોરે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ જિનમંદિર શુદ્ધિ, વેદીશુદ્ધિ, ધ્વજશુદ્ધિ અને
કલશશુદ્ધિની વિધિ થઈ હતી. ઈન્દ્ર–ઈન્દ્રાણી તથા દેવીઓએ શુદ્ધિ કર્યા બાદ અંતિમ શુદ્ધિની
ક્રિયા તેમજ સ્વસ્તિક સ્થાપન વગેરે મંગલ ક્રિયાઓ પૂ. બેનશ્રીબેનજીના પવિત્ર હસ્તે થઈ હતી.
એ મંગલ વિધિ જોઈને ભક્તજનોને ઘણો હર્ષ થયો હતો. રાત્રે “સીતાજીનો ત્યાગ અને
અગ્નિપરીક્ષા” નો સંવાદ થયો હતો.
માહ વદ ૧૪ ના રોજ ભગવાનના જન્મ–કલ્યાણકનો મહોત્સવ ઘણા ઉત્સાહથી સુંદર
રીતે થયો હતો. સવારમાં, વામાદેવી માતાની કુંખે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થવાની
મંગલવધાઈ દેવીઓએ આપી હતી. ઈન્દ્રસભામાં ભગવાનના જન્મની ખબર પડતાં જ ઈન્દ્રોએ
પ્રભુજીને વંદના કરી હતી, અને તરત જ સર્વે દેવો સાથે ઐરાવત હાથી ઉપર બેસીને જન્મોત્સવ
ઉજવવા આવ્યા હતા, આવીને ભગવાનના જન્મધામ–બનારસી નગરીની ત્રણ પ્રદક્ષિણા કરી
હતી અને પછી ઈન્દ્રાણીએ બાલપ્રભુને તેડીને હર્ષપૂર્વક ઈન્દ્રના હાથમાં આપ્યા હતાં, પછી હાથી
ઉપર બિરાજમાન કરીને પ્રભુજીને મેરુ પર્વત ઉપર લઈ જવાનું ભવ્ય જુલૂસ નીકળ્‌યું હતું.
અજમેરની ભજનમંડળી પણ આવી હોવાથી પ્રસંગ ઘણો ઉલ્લાસભર્યો હતો. જન્માભિષેકના
આખા જુલૂસમાં પૂ. ગુરુદેવ પણ સાથે પધાર્યા હતા. મેરુ પર્વત પાસે પહોંચતા ત્યાં હાથીએ
ત્રણ પ્રદક્ષિણા કરી ને પછી પાંડુક શિલા ઉપર પ્રભુજીને બિરાજમાન કર્યા, અને ઘણી ભક્તિ
પૂર્વક શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રનો અભિષેક થયો. અભિષેક વખતે ભગવાનને નીરખતાં ભક્તોને
એમ થતું હતું કે “અહો! નાથ ધન્ય આપનો અવતાર! ધન્ય આપનો જન્મ, કે જે જન્મમાં
આપ આત્માના પૂર્ણહિતને સાધશો ને જગતના અનેક જીવોને (અનુસંધાન માટે જુઓ પાનું ૧૧૦)

PDF/HTML Page 6 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૦૯ :
(પાના નં. ૧૦૮ થી ચાલુ)
નહિ, માટે સંયોગમાં ક્યાંય સુખ નથી–આ વાતનો નિર્ણય કરીને સ્વીકાર થવો જોઈએ. આત્માના સ્વભાવમાં જ
સુખ છે. જેમ ચણાના પ્રત્યેક દાણામાં મીઠાશ ભરેલી છે, તે ક્યાંય બહારથી નથી આવતી પણ તેના સ્વભાવમાં
ભરી છે તે જ પ્રગટે છે તેમ દરેક આત્મા આનંદસ્વભાવથી ભરેલો છે, તેમાં અંર્તદ્રષ્ટિ કરે અને પરમાંથી સુખની
બુદ્ધિ છોડે તો આત્માનું સાચું સુખ પ્રગટે. તે સુખ ક્યાંય બહારના સંયોગમાંથી નથી પ્રગટતું પણ
અંર્તસ્વભાવમાં છે તે જ પ્રગટે છે.
આત્માનું સુખ આત્માના જ અવલંબને પ્રગટે પણ બહારના અવલંબને પ્રગટે નહિ. જેમ કેરીના રસનો
સ્વાદ લેવો હોય તો કેરીના ઝાડનું મૂળ પકડીને ઉપર જવું જોઈએ. આકોલિયાના ઝાડને પકડે તો કેરીનો સ્વાદ
ન આવે. પોપટ વગેરે પક્ષીઓ આકાશમાં ઉડતા આવીને સીધા ઝાડ ઉપર જઈને કેરીનો સ્વાદ લ્યે અને કીડી
વગેરે પ્રાણીઓ કેરીનું થડ પકડીને ઉપર જઈને સ્વાદ લ્યે. પંખી ઉપરથી ઉડતા આવે ને કીડી નીચેથી ધીમે ધીમે
ઉપર જાય પણ બંનેને કેરીનો સ્વાદ તો સરખો જ છે. ભલે વાર લાગે પણ થડ તો આંબાનું જ પકડવું જોઈએ.
આંબાના થડને બદલે આકોલિયાનું થડ પકડે તો કેરીનો સ્વાદ આવે નહિ. કીડીને કેરી ખાવી હોય તો શું કરવું?
કે કેરીનું થડ પકડીને કેરીનો સ્વાદ લેવો. એ સિવાય બીજો રસ્તો નથી. તેમ જેને આત્માના અતીન્દ્રિય આનંદનો
સ્વાદ લેવો હોય તેણે શું કરવું? કે આત્માના ધ્રુવ સ્વભાવરૂપ થડને પકડીને તેનું અવલંબન કરવું. તીર્થંકરો–
મુનિવરો તો ઉગ્ર પુરુષાર્થ વડે ચૈતન્યનું અવલંબન કરીને આનંદનો ભોગવટો કરે છે, અને સમકીતિ જીવો પણ
ચૈતન્ય સ્વભાવનું અવલંબન કરીને આનંદનો ભોગવટો કરે છે. જેને આત્માનું સાચું–અવિનાશી–પરિપૂર્ણ સુખ
જોઈતું હોય તેણે દેહાદિથી તેમજ પુણ્ય–પાપની વૃત્તિઓથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ આત્માને પકડવો જોઈએ, તેની
રુચિ અને જ્ઞાન કરવું જોઈએ. તીર્થંકરો અને મુનિવરો વિશેષ પુરુષાર્થ વડે ચૈતન્યસ્વરૂપને શીઘ્ર પામીને
નિર્વિકારી આનંદનો અનુભવ કરે છે ને અલ્પકાળમાં કેવળજ્ઞાન તથા પૂર્ણાનંદ પ્રગટ કરે છે. તથા જે જીવોથી
એટલો ઉગ્ર પુરુષાર્થ ન થઈ શકે તેઓને પણ આ ચૈતન્ય સ્વભાવની વાત પ્રીતિથી શ્રવણ કરી, તેના સંસ્કાર દ્રઢ
કરી, સ્વ–સ્વભાવનાં નિશ્ચય વડે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવા તે જ સુખનો ઉપાય છે. તીર્થંકરોને માટે ધર્મનો રસ્તો
જુદો ને બીજા તુચ્છ જીવોને માટે ધર્મનો રસ્તો બીજો–એમ નથી; બધાય જીવોને માટે ધર્મનો એક જ રસ્તો છે.
આ મૂળમુદની વાત છે. આ વાત સમજ્યા વગર ધર્મ થાય નહિ. આ મુદની વાત સ્વીકારે નહિ અને
દયા–દાન–પૂજા વગેરેની પુણ્ય લાગણીથી ધર્મ માને તો તે તુચ્છ વાત છે, પુણ્યની તુચ્છ લાગણીથી ધર્મ માને તો
તેને આ સંસારમાંથી છૂટકારો થાય નહિ. રાગરહિત નિર્મળ ચૈતન્ય સ્વભાવ છે તે મુખ્ય છે, તેને તો સ્વીકારે
નહિ અને રાગને જ ધર્મ માને તો ઊંધી માન્યતાથી કદી જન્મ–મરણ મટે નહિ. જેમ વેપારી સાથે નામું મેળવતાં
કોઈ માણસ ચાર–છ આનાની પરચુરણ રકમો તો સ્વીકારે પણ હજારો રૂપિયા રોકડા લીધા હોય તે ન સ્વીકારે
તો તે વેપારીના દેણામાંથી છૂટી શકે નહિ. તેમ “હિંસા ન કરવી, દયા પાળવી” એવી શુભરાગની વાત તો
સ્વીકારે, પણ આત્માનો ચિદાનંદ સ્વભાવ રાગથી પાર છે, રાગથી તેને ધર્મ થતો નથી એવી મૂળભૂત વાત
સમજે નહિ ને પુણ્યને જ ધર્મ માને તો તે જીવ સંસાર પરિભ્રમણમાંથી છૂટી શકે નહિ. પુણ્ય–પાપની લાગણીઓ
થાય છે તો તે આસ્રવ–મલિનતા–સંસારનું કારણ છે. આત્મા શુદ્ધ આનંદમૂર્તિ ચૈતન્યકંદ છે તેની ઓળખાણ અને
બહુમાન કરીને તેમાં લીનતા કરવી તે મુક્તિનું કારણ છે. આવા મુક્તિના કારણને તો જાણે નહિ અને સંસારના
જ કારણને મુક્તિનું કારણ માનીને સેવે તો તે જીવને ચારગતિનું પરિભ્રમણ કદી મટે નહિ.
અહીં આચાર્યદેવ જિજ્ઞાસુ શિષ્યને સમજાવે છે કે હે ભાઈ! આ પુણ્ય અને પાપરૂપી જે આસ્રવ ભાવો છે
તે ટાઢિયા અને ઊના તાવની માફક અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે અને દુઃખકારક છે. સંસારમાં
પરિભ્રમણ કરતા જીવોને એકલા પુણ્યભાવ જ રહે એમ પણ બનતું નથી. તેમજ એકલા પાપભાવ જ કાયમ રહે
એમ પણ બનતું નથી. પણ પુણ્ય–પાપના ભાવો પલટાયા કરે છે. જુઓ, પહેલાંં સંસારના વેપાર–ધંધાનો
પાપભાવ હતો, તે પલટીને ધર્મશ્રવણનો શુભભાવ થયો, વળી થોડીવારે તે પલટીને બીજો ભાવ આવશે. એ રીતે
પુણ્ય–પાપના ભાવો ક્ષણે ક્ષણે પલટી જાય છે, તે આત્માને શરણભૂત નથી. જે જીવ ચૈતન્યતત્ત્વની રુચિ કરતો
નથી અને પુણ્યની મીઠાશ સેવે છે તેને પુણ્યના ફળનાં સંયોગમાં એકાકારબુદ્ધિથી તીવ્ર
[અનુસંધાન માટે જુઓ પાનું ૧૨૦]

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૧૦ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
[અનુસંધાન પાન ૧૦૮ થી ચાલુ]
જે કલ્યાણનું કારણ થશે!! ” અભિષેક બાદ ભગવાનને વસ્ત્રાભૂષણ પહેરાવીને પાછા આવીને
માતાને સોંપ્યા હતાં; અને ઈન્દ્ર–ઈન્દ્રાણીએ ભક્તિપૂર્વક તાંડવ નૃત્ય કર્યું હતું. સર્વે નગરજનો
ભગવાનના જન્મ ખુશાલી મનાવતા હતા.
બપોરે ભગવાનનું પારણું ઝુલાવવાની ક્રિયા થઈ હતી. અનેક ભક્તજનો ભક્તિપૂર્વક
ભગવાનનું પારણું ઝુલાવતા હતાં. પૂ. બેનશ્રી બેન ભગવાનને નીરખી નીરખીને હરખાતા હતા.
અને ફરી ફરીને પારણું ઝુલાવતા હતા. ભગવાન પ્રત્યેના તેમના ભાવો જોઈ જોઈને ભક્તોને
ઘણો આનંદ થતો હતો. અજમેરની ભજનમંડળીના ભાઈઓ પોતાની વિશેષ શૈલીથી
ભગવાનનું પારણું ઝુલાવતા હતા.
રાત્રે, ભગવાન વન–વિહાર કરવા નીકળ્‌યા છે અને કમઠ તાપસ તપ કરે છે, તે વખતે
અગ્નિમાં જે લાકડા બળે છે તેમાં નાગ–નાગણી હોવાનું ભગવાન જણાવે છે, અને લાકડું ફાડતાં
તેમાંથી નાગ–નાગણી નીકળે છે, તેની અંતિમ અવસ્થામાં ભગવાન તેને નમોકાર મંત્ર
સંભળાવે છે, અને પછી કમઠ તાપસને ખૂબ જ વૈરાગ્યભર્યું સંબોધન કરે છે–એ દ્રશ્ય થયું હતું.
ત્યારબાદ વિશ્વસેન મહારાજાના રાજદરબારમાં યુવરાજપદે પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે અને
દેશોદેશના રાજાઓ આવીને ભગવાનને ભેટ ધરે છે તે દ્રશ્ય થયા હતા.
(મહા વદ અમાસનો ક્ષય હતો)
ફાગણ સુદ ૧ ના રોજ સવારમાં વિશ્વસેન મહારાજાના દરબારમાં અયોધ્યા નગરીના દૂત
આવીને ભેટ ધરે છે; શ્રી પાર્શ્વકુમાર તેમને અયોધ્યાપુરીના સમાચાર પૂછે છે કે અરે દૂત!
અત્યાર પહેલાંં મારા જેવા અનંત તીર્થંકરોએ જે નગરીમાં જન્મ લીધો તે નગરી કેવી છે?
દૂતના મુખેથી અયોધ્યા નગરીનું વર્ણન સાંભળતાં ભગવાનને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને
વૈરાગ્ય થાય છે. ભગવાનને વૈરાગ્ય થતાં લૌકાંતિક દેવો આવીને ભગવાનની સ્તુતિ કરે છે ને
તેમના વૈરાગ્યની અનુમોદના કરે છે. ત્યારબાદ ઈન્દ્રો પાલખી લઈને દીક્ષા–કલ્યાણક ઉત્સવ
મનાવવા આવે છે. પ્રથમ રાજવીઓ, પછી વિદ્યાધરો ને પછી દેવો ભગવાનની પાલખી લઈને
વનમાં જાય છે, ને વનમાં ભગવાન સ્વયં દીક્ષિત થાય છે. દીક્ષાપ્રસંગે ભગવાનના કેશલોચની
વિધિ પૂ. ગુરુદેવે પોતાના હસ્તે બહુ જ વૈરાગ્યભાવના પૂર્વક કરી હતી. ત્યારબાદ ભગવાન
નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થયા ને સાતમું ગુણસ્થાન તથા મનઃપર્યયજ્ઞાન થયું. અને પછી
ભગવાન તો વનવિહાર કરી ગયા. ત્યારબાદ પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચન દ્વારા
ભગવાનના મહા આનંદનું સ્વરૂપ બતાવ્યું હતું અને તેની ઉગ્ર ભાવના વ્યક્ત કરી હતી.
પછી ભગવાનના કેશનું ક્ષીરસમુદ્રમાં ક્ષેપણ કરવામાં આવ્યું હતું, અને મુનિરાજ પાર્શ્વપ્રભુની
પૂજા કરવામાં આવી હતી; બપોરે અજમેર ભજનમંડળીએ ભક્તિ કરી હતી. રાત્રે, પાર્શ્વપ્રભુ
મુનિરાજ ધ્યાનદશામાં સ્થિત છે ત્યાં ઉપરથી સંવરદેવ (કમઠના જીવ) નું વિમાન પસાર થતાં અટકી
જાય છે, તેથી ગુસ્સે થઈ પૂર્વનું વેર યાદ કરીને સંવરદેવ પાર્શ્વપ્રભુ ઉપર ઘોર ઉપસર્ગ કરે છે–
પત્થરોનો વરસાદ વરસાવે છે, ભયંકર અગ્નિ વરસાવે છે, અને પાણીનો વરસાદ વરસાવે છે. છતાં
ધીરવીર ભગવાન તો આત્માના આનંદમાં એવા લીન છે કે ઘોર ઉપસર્ગમાં પણ રંચમાત્ર
ચલાયમાન થતા નથી. આ દ્રશ્ય જોતાં ભક્તજનો સ્તબ્ધ બની ગયા હતા, અને એ પરમ વીતરાગી
દિગંબર મુનિરાજ પ્રત્યે ભક્તિથી શિર નમી પડતું હતું. છેવટે પૂર્વભવમાં મૃત્યુ વખતે પાર્શ્વનાથ

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૧ :
પ્રભુના શ્રીમુખેથી નમસ્કાર મંત્ર સાંભળીને જે નાગ–નાગણી ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી થયા
હતા તેમનું સિંહાસન ચલાયમાન થતાં તે આવીને ભગવાનના ઉપર ફેણ ધરીને ઉપસર્ગનું
નિવારણ કરે છે એ દ્રશ્ય પણ બહુ ભાવભર્યું હતું. ઉપસર્ગ નિવારણ બાદ એ પરમ વીતરાગી
મુનિરાજની બહુ જ ભાવપૂર્વક ભક્તિ થઈ હતી.
ફાગણ સુદ બીજના રોજ સવારના પ્રવચન બાદ ભગવાન શ્રી પાર્શ્વનાથ મુનિરાજના
આહાર–દાનની વિધિ થઈ હતી. ભગવાનને પડગાહન કરીને નવધાભક્તિ પૂર્વક ભક્તજનો
આહારદાન દેતા હતા તે દ્રશ્ય દર્શનીય હતું. આહારદાન શેઠ શ્રી નેમિદાસભાઈને ત્યાં જ થયો
હતો. આહારદાન બાદ ઘણી ઉલ્લાસમય ભક્તિ થઈ હતી.
બપોરે પરમપૂજ્ય સદ્ગુરુદેવના પરમ પાવન હસ્તે સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ
થઈ હતી. પૂ. ગુરુદેવે ઘણા ભાવપૂર્વક સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ કરી હતી, તે
જોઈને ભક્તો ઘણા આનંદથી ભક્તિ અને જયનાદ કરતા હતા. બપોરે ભગવાનનો કેવળજ્ઞાન
કલ્યાણક થયો હતો, અને સમવસરણની રચના થઈ હતી. બાદમાં ભગવાનના દિવ્યધ્વનિરૂપે
પૂ. ગુરુદેવે અદ્ભુત પ્રવચન કર્યું હતું. રાત્રે માનસ્તંભના પ્રતિષ્ઠા–મહોત્સવની ફિલ્મ
બતાવવામાં આવી હતી. આજે સોનગઢના જિનમંદિરમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલ
દિવસ હતો અને બરાબર આ જ દિવસે ઉમરાળાના સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા પૂ. ગુરુદેવના
મંગલ હસ્તે થઈ.
[ફાગણ સુદ: ૩]
સવારમાં ભગવાનના નિર્વાણકલ્યાણકનું દ્રશ્ય થયું હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન શાશ્વત
તીર્થધામ સમ્મેદશિખરજીની સૌથી ઊંચી ટૂંક ઉપરથી નિર્વાણપદ પામ્યા, તે સમ્મેદશિખરજીની
રચના થઈ હતી. ત્યારબાદ નિર્વાણકલ્યાણકનું પૂજન અને ભક્તિ થઈ હતી. પછી પ્રતિષ્ઠિત
થયેલા જિનેન્દ્રભગવંતો જિનમંદિરે પધાર્યા હતા, ને ત્યાં પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પાવન હસ્તે
વેદી ઉપર જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ હતી. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમની
આજુબાજુમાં શાંતિનાથ પ્રભુ તથા નેમિનાથ પ્રભુ બિરાજમાન છે. તથા ઉપરના ભાગમાં શ્રી
પાર્શ્વનાથપ્રભુ બિરાજમાન છે. આ ઉપરાંત જિનમંદિરમાં એક કબાટમાં નિયમસારજી શાસ્ત્રની
સ્થાપના પણ પરમ પૂજ્ય ગુરુદેવના પવિત્ર હસ્તે કરવામાં આવી હતી. બપોરે જિનમંદિરમાં
ભક્તિ થઈ હતી, તેમાં પૂ. ગુરુદેવે એક સ્તવન ગવડાવ્યું હતું. ત્યારબાદ બપોરે પૂ. ગુરુદેવના
પ્રવચન પછી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભગવાનની ગંધકુટી, હાથી,
ભજનમંડળી, રથ, ઈન્દ્રધ્વજ, ચમર–મંડપ નીચે પૂ. ગુરુદેવ ઈત્યાદિ દ્રશ્યોથી રથયાત્રા ઘણી જ
પ્રભાવક હતી. ચૈત્ર સુદ ચોથના રોજ સવારમાં શાંતિયજ્ઞ થયો હતો, અને ચૈત્ર સુદ છઠ્ઠના રોજ
પૂ. ગુરુદેવ પોરબંદરથી વિહાર કરીને જામનગર તરફ પધાર્યા હતા.
પોરબંદરમાં શેઠ શ્રી નેમીદાસભાઈએ ઘણા ઉલ્લાસથી દિ. જિનમંદિર બંધાવ્યું એ તેમાં
જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ કરાવ્યો તે બદલ તેમને અનેક
ધન્યવાદ ઘટે છે. પરમ પ્રતાપી ગુરુદેવનો મહાન પ્રભાવના ઉદય જયવંત વર્તો કે જેના પ્રતાપે
સૌરાષ્ટ્રના ભક્તજનોને ઠેર ઠેર જિનેન્દ્ર ભગવાનનો ભેટો થાય છે ને આખું સૌરાષ્ટ્ર
તીર્થધામ બની ગયું છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૧૨ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
ગિરનારજી તીર્થની યાત્રાનો મહોત્સવ
* ઠેકાણે ઠેકાણે જામેલી ઉમંગભરી ભક્તિ...
* મહાન સંઘ સહિત કહાનગુરુદેવે કરેલી
અદ્ભુત યાત્રા...
* ફરી ફરીને આવી અદ્ભુત જાત્રા કરાવવાની
ભક્તોએ કરેલી માંગણી.....

ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની કલ્યાણકભૂમિ શ્રી ગિરનારજી તીર્થની અપૂર્વ ઉલ્લાસ
ભરી યાત્રા પરમ કૃપાળુ શ્રી કહાનગુરુદેવે સમસ્ત સંઘને કરાવી. પરમ પૂજ્ય ગુરુદેવની
સાથે ગિરનારજીની જાત્રામાં સર્વે ભક્તજનો બહુ જ આનંદ આવ્યો હતો. પૂ. ગુરુદેવ વિહાર
કરતા કરતા જેમ જેમ ગિરનારજીની નજીક પહોંચતા હતા તેમ તેમ જાણે ગિરનારજીની
પ્રદક્ષિણા કરતા હોઈએ તેવું લાગતું હતું. ગિરનાર પર્વત ખરેખર બહુ જ ભવ્ય રળિયામણો
છે, તેને જોતાં જ નેમિનાથ ભગવાનનું આખું જીવન દ્રષ્ટિ સમક્ષ તરવરે છે ને ભાવનાની
ઊર્મિઓ જાગે છે; તેના ઊંચા ઊંચા શિખરો જાણે કે નેમિનાથ ભગવાનનું જીવનગાન ગાતાં
હોય એવા દેખાય છે. વિવાહ સમયે પશુઓનો કરુણ પોકાર સાંભળતાં રાજીમતીનો ત્યાગ
કરીને ગિરનાર ઉપર ભગવાને દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યા ત્યારે ઈન્દ્રોએ આવીને
ત્યાં સોનાના ગઢવાળાં સમવસરણ રચ્યાં, તેની સાક્ષી પૂરવા માટે આજેય ગિરનારનાં
પત્થરો સુવર્ણનાં રજકણોથી ચમકી રહ્યાં છે. આવા પવિત્ર ધામ ગિરનારજી ઉપર ચડતાં
પગલે પગલે પૂ. ગુરુદેવ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના જીવનની અને કરોડો મુનિવરોની
પાવન સ્મૃતિઓ સંભળાવતા હતાં, જે સાંભળતાં મુમુક્ષુઓને ભગવાનના પવિત્ર ઉન્નતિ
પંથે વિચરવાની પ્રેરણા જાગતી હતી. રસ્તામાં ચડતાં ચડતાં કોઈ થાકી જાય તો પૂ. ગુરુદેવ
કહેતા “હિંમત રાખીને હાલવા માંડો...” એ રીતે ગુરુદેવની વાણી દ્વારા ભગવાનના પગલે
પગલે ચાલવાનું પ્રોત્સાહન મળતું હતું.
પરમ પૂજ્ય ગુરુદેવે મહા સુદ ૧૦ ના રોજ જુનાગઢમાં પ્રવેશ કર્યો, તે વખતે
ભક્તજનોએ ઉમંગથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સૌથી પ્રથમ પ્રવચન માટેના મંડપમાં
પધારીને ગુરુદેવે ખાસ માંગળિક સંભળાવતાં કહ્યું હતું કે : “આજે મહા માંગળિક દિવસ
છે; અને ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળ ને મોક્ષ એ ત્રણ કલ્યાણક આ
ગિરનાર ભૂમિમાં થયા છે તેથી આ ભૂમિ પણ મંગળ છે. ઈન્દ્રોએ અહીં આવીને ભગવાનના
ત્રણ કલ્યાણક ઊજવ્યા હતા; શ્રી કૃષ્ણ–વાસુદેવ અને બળદેવ જેવા અહીં ભગવાનનાં ચરણે
નમતા હતા. ભગવાન નેમિનાથ પ્રભુ આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન લઈને અવતર્યા
હતાં;

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૩ :
પછી લગ્ન માટે અહીં આવેલા ત્યારે વૈરાગ્ય થતાં ભગવાન દીક્ષિત થયા. અહીંના સહેસાવનમાં
જ ભગવાને દીક્ષા લીધી હતી, ને પછી આનંદનિધાન આત્માની રમણતાથી કેળવજ્ઞાન પણ
અહીં જ પામ્યા હતા તથા મોક્ષ પણ આ ગિરનારજીની પાંચમી ટૂંકેથી પધાર્યા હતા. ભગવાનને
જે દશા પ્રગટી તે તો ભાવમંગળ છે, તે ભાવના નિમિત્તરૂપ આ ક્ષેત્ર છે તે પણ સ્થાપના નિક્ષેપે
મંગળરૂપ છે; અને તીર્થંકર ભગવાનનો આત્મા પોતે દ્રવ્યમંગળ છે; તીર્થંકર થનાર આત્મા
અનાદિ–અનંત મંગળરૂપ છે. ભગવાને પોતાના આત્મામાં જેવો ભાવ પ્રગટ કર્યો તેવા ભાવને
જે ઓળખે, તેને આ ક્ષેત્ર જોતાં તેવા ભાવનું સ્મરણ થાય છે. જેવા ભાવથી ભગવાને મુનિપણું,
કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટ કરી તેવા ભાવને ઓળખીને ભગવાનની જેમ પોતાના
આત્મામાં પણ તેવો ભાવ પ્રગટ કરવો તે અપૂર્વ મંગળ છે ને તે પરમાર્થ યાત્રા છે...”
–ઈત્યાદિ અપૂર્વ માંગળિક સંભળાવ્યા બાદ પૂ. ગુરુદેવ જુનાગઢ શહેરના જિનમંદિરે
નેમપ્રભુના દર્શન કરવા પધાર્યા હતાં.
બપોરે પૂ. ગુરુદેવના પ્રવચનમાં દોઢથી બે હજાર માણસોની સભા થઈ હતી અને પૂ.
ગુરુદેવે સુંદર શૈલીથી અદ્ભુત પ્રવચન કર્યું હતું, તે પ્રવચનમાં નેમિનાથ ભગવાનના અંતરંગ
આત્મિક જીવનની પણ સંકલના કરી દીધી હતી. પ્રવચન પછી જિનમંદિરેથી ભગવાનને મંડપમાં
બિરાજમાન કરીને ત્યાં ભક્તિ કરવામાં આવી હતી. તેમાં–
“મૈં તેરે ઢિગ આયારે... નેમ! તેરે ઢિગ
આયા... ગઢ ગિરનારે આયા...”
–ઈત્યાદિ સ્તવનો ગવડાવીને પૂ. બેનશ્રી બેનજીએ ઉમંગભરી ભક્તિ કરાવી હતી.
સાંજે પૂ. ગુરુદેવ જુનાગઢ શહેરમાંથી ગિરનારજીની તળેટીમાં પધાર્યા હતાં. તળેટી
લગભગ ત્રણ માઈલ દૂર છે. ગિરનારજીને ભેટવા માટે તળેટીમાં પૂ. ગુરુદેવની સાથે સાથે
અનેક ભક્તજનો પણ ઉલટભેર ગાતાંગાતાં જતા હતા... તે વખતે ઝટઝટ દોડીને ભગવાનના
પવિત્ર ધામને ભેટીએ એવી ઉત્કટ ભાવનાથી ભક્તોના પગ ખૂબ જ ઝડપથી ઉપડતા હતા, –
જાણે કે પૂ. ગુરુદેવ બધાયને દોડાવીને ભગવાનનો ભેટો કરાવતા હોય!
તળેટીમાં દિગંબર જૈન ધર્મશાળામાં પૂ. ગુરુદેવ રહ્યા હતા, અને રાત્રિચર્ચા પણ ત્યાં જ
રાખવામાં આવી હતી. આજે આખી ધર્મશાળા યાત્રાળુ સંઘથી ઉભરાઈ ગઈ હતી... ને સવારમાં
ભગવાનને ભેટવાની તાલાવેલીને લીધે જાણે બધાની ઊંઘ પણ ઊડી ગઈ હતી.
પહેલી ટૂંકની તથા સહેસાવનની જાત્રા
(મહા સુદ ૧૧)
મહા સુદ ૧૧ ની સવારમાં, તળેટીના જિનમંદિરમાં દર્શન કરીને, નેમિનાથ પ્રભુના જય
જયકાર ગજાવતા, સંઘના મોટા સમુદાય સહિત પરમ પૂજ્ય બાલ બ્રહ્મચારી કહાન ગુરુદેવે
ગિરનારજી તીર્થની યાત્રા શરૂ કરી. રસ્તામાં પગલે–પગલે નેમિનાથ પ્રભુના વૈરાગ્ય ભર્યાં
સ્મરણો જાગતા હતા. સંઘમાં લગભગ હજારેક માણસો થયા હતા, જેમાં સો ઉપરાંત ડોળીઓ
હતી. પૂ. ગુરુદેવની સાથે ગિરનારની જાત્રા કરવામાં ભક્તજનોને એવો ઉલ્લાસ હતો કે થાક
ભૂલાઈ જતો હતો ને હોંશે હોંશે ગિરનારજી ઉપર ચડી જવાતું હતું.
પહેલી ટૂંકે પહોંચ્યા બાદ ત્યાંના દિગંબર જિનમંદિરમાં ભક્તજનોએ નેમિનાથ પ્રભુનું
પૂજન કર્યું; ત્યારબાદ ભક્તિ થઈ હતી. યાત્રાળુઓની સંખ્યા એટલી મોટી હતી કે આખું મંદિર
અંદર તેમજ બહાર ખીચોખીચ ભરાઈ ગયું હતું. પૂજ્ય

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
ગુરુદેવે બહુ જ ભક્તિપૂર્વક નીચેનું સ્તવન ગવડાવ્યું હતું–
ગીરી નગરના વાસી નેમ જિણંદજી...
થયા પ્રભુના કલ્યાણક ત્રણ (અહીં) ગિરનાર જો
તુજ દરશનથી મારું મન પ્રસન્ન થયું...
પુરો પ્રભુજી શિવપુરની મુજ આશ જો...
ઈત્યાદિ, સ્તવન પૂરું થતાં ગુરુદેવે પોતે નેમિનાથ ભગવાનની જય બોલાવી હતી.
પૂ. બેનશ્રીબેને અહીં “પ્રભુનાં પુનિત પગલાં આજ...” એ નવું કાવ્ય ગવડાવ્યું હતું.
આજે ગિરનારજીની યાત્રા થઈ તેની ખુશાલીમાં પૂજ્ય ગુરુદેવે બધા જ ભક્તજનોને
આહારદાનનો લાભ આપ્યો હતો.
બપોરે સકલ સંઘ સહિત પૂ. ગુરુદેવ નેમિનાથ પ્રભુની દીક્ષા કલ્યાણક ભૂમિ સહેસાવનની
યાત્રાએ પધાર્યા હતાં. ત્યાં ભગવાનની વૈરાગ્યભૂમિ દેખતાં જ વૈરાગ્યભીના ચિત્તે ગુરુદેવે ભક્તિ
કરાવી હતી. પહેલાં “ગિરનાર ગીરીના વાસી જિનને ક્રોડો પ્રણામ...” ઈત્યાદિ સ્તવન ગવડાવ્યું
હતું, અને પછી બીજું સ્તવન નીચેનું ગવડાવ્યું હતું–
મારા નેમ પિયા ગિરનારી ચાલ્યા, મત કોઈ
રોક લગાજો... હાં મત કોઈ રોક લગાજો.
લાર લાર સંયમ મેં લેશું મત્ત કોઈ પ્રીત બઢાજો... હાં
પૂ. ગુરુદેવે અદ્ભૂત વૈરાગ્ય રસભરેલી ભક્તિ કરાવી તેથી ભક્તોને ઘણો ઉલ્લાસ થયો હતો.
ત્યારબાદ “બાલ બ્રહ્મચારી જિણંદપદ ધારી, સેવે સુરનર ચંદારે, ગિરનાર ગીરી પર નેમ જિણંદા ભેંટત
ટળે ભવ ફંદારે...” એ કાવ્ય દ્વારા ભક્તિ થઈ હતી, તેમજ ભાઈશ્રી હિંમતલાલભાઈએ “તે ગુરુ મેરે
મન બસો” એ સ્તુતિ કરી હતી; તેની છેલ્લી કડી પૂ. ગુરુદેવે પોતે હોંશથી ગવડાવી હતી.
ભક્તિ બાદ ગુરુદેવે નેમિનાથ ભગવાનના પવિત્ર ચરણકમળનું સ્પર્શન કર્યું હતું, અને અંતરની
ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અહો! વૈરાગ્ય પામીને નેમિનાથ ભગવાને દીક્ષા લીધી તે આ ભૂમિ
છે. અહીં ભગવાને ચારિત્રભાવના ભાવી હતી. ત્રણ કષાયોના નાશથી બાહ્યઅભ્યંતર નિર્ગ્રંથ
દિગંબરદશા પ્રગટ કરીને ભાવલિંગી મુનિદશામાં ભગવાન આત્માના નિર્વિકલ્પ આનંદનો અપૂર્વ
અનુભવ આ ભૂમિમાં કરતા હતાં. ઈન્દ્રોએ અહીં આવીને ભગવાનનો દીક્ષા કલ્યાણક ઊજવ્યો હતો અને
બળદેવ–વાસુદેવ ભગવાનનો ચરણસ્પર્શ કરતા હતા. મુનિદશા પ્રગટ કર્યા પછી આત્માના આનંદમાં
ઝુલતાં ઝુલતાં કેળવજ્ઞાન પણ ભગવાન આ સહેસાવનમાં જ પામ્યા હતા. અહો! આ ભૂમિમાં ભગવાન
કેવળજ્ઞાન પામ્યા અને ઈન્દ્રોએ આવીને સમવસરણની રચના કરી! અત્યારે આપણે બેઠા છીએ તે ભૂમિ
દીક્ષા અને કેવળજ્ઞાનની છે; કાલે આપણે પાંચમી ટૂંકે જવાનું છે, ત્યાં ભગવાનની નિર્વાણભૂમિ છે, ત્યાંથી
ભગવાન સિદ્ધદશા પામ્યા છે. અત્યારે ભગવાન તે પાંચમી ટૂંકની ઉપર સમશ્રણીએ સિદ્ધાલયમાં બિરાજે
છે. આપણે કાલે ત્યાં જવાનું છે તેથી તે મહાન માંગળિક દિવસ છે.”
છેવટે પૂ. ગુરુદેવે નેમિનાથ ભગવાનનો જયકાર બોલાવ્યો હતો. હજી પણ ભક્તિનો
ઉલ્લાસ સમાતો ન હતો તેથી ભક્તોએ ભગવાનના ચરણ–પાદુકાને પ્રદક્ષિણા કરતાં કરતાં ઘણી
ભક્તિ કરી હતી. ગિરનારની પહેલી ટૂંકે જ રાત્રિચર્ચા રાખી હતી. ગિરનાર ઉપર ભરાયેલી હજારેક
માણસોની એ ધર્મસભા ઘણી ભવ્ય લાગતી હતી. ચર્ચામાં પૂ. ગુરુદેવે નેમિનાથ ભગવાનનું પવિત્ર
જીવન

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૫ :
અને ગિરનારજી તીર્થનો મહિમા સંભળાવ્યો હતો, તે સાંભળતાં ભગવાનના પવિત્ર જીવનમાંથી
ઘણી પ્રેરણાઓ મળતી હતી. તે ઉપરાંત પૂ. ગુરુદેવે કહ્યું હતું કે : ભગવાનના ત્રણ કલ્યાણકની તો
આ ભૂમિ છે, અને વળી દિવ્યધ્વનિમાં આવેલા શ્રુતજ્ઞાનની પરંપરા જળવાઈ રહેવાનું સ્થાન પણ
આ ગિરનારજી જ છે. શ્રી ધરસેનાચાર્યદેવ આ ગિરનારની ગુફામાં રહેતા હતા ને અહીં જ તેમણે
પુષ્પદંત તથા ભુતબલિ મુનિવરોને દિવ્ય ધ્વનિની પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન આપ્યું હતું, તેમાંથી
જ ષટ્ખંડાગમની રચના થઈ છે. આ રીતે દેવ ગુરુ અને શાસ્ત્ર ત્રણેના યોગથી આ ભૂમિ પવિત્ર છે.
આજે મહા સુદ ૧૧ની રાતે પૂ. ગુરુદેવ તેમજ સંઘના બધા માણસો ગિનારજીની પહેલી ટૂંક
ઉપર જ રહ્યા હતાં.
* પાંચમી ટૂંકની જાત્રા *
(મહા સુદ ૧૨)
મહા સુદ ૧૨ ના રોજ સવારે પૂ. ગુરુદેવ સંઘસહિત પાંચમી ટૂંકે પધાર્યા. ગુરુદેવના પગલે
પગલે પાંચમી ટૂંકે જતાં ભક્તોને ઘણો જ ઉમંગ થતો હતો. દૂર રસ્તામાંથી પાંચમી ટૂંકનું દ્રશ્ય
બહુ આકર્ષક અને ભવ્ય દેખાતું હતું. પાંચમી ટૂંકથી ભગવાન મોક્ષ પધાર્યા તેથી જાણે કે તે
શિખર ગૌરવ લેતું હોય અને ભવ્યોને પોકારતું હોય કે હે ભવ્યો! અહીં આવો... આવો...
ભગવાનની સિદ્ધિનું ધામ જોવા માટે અહીં આવો... ! અને ખરેખર આજે તો પાંચમી ટૂંકે
ભક્તોનો મેળો જામ્યો હતો, પાંચમી ટૂંકના શિખર ઉપર જ્યાં લગભગ ૧૦૦ માણસોના
સમાવેશની જગ્યા છે, ત્યાં ૨૫૦–૩૦૦ માણસો બેઠા હતા, પાંચમી ટૂંકે નેમનાથ પ્રભુના ચરણો
છે તેમજ એક શિલામાં ભગવાનના પ્રતિમાની આકૃત્તિ કોતરેલી છે. ભગવાનનું પૂજન કર્યા બાદ
પ્રથમ પૂ. બેનશ્રીબેને નિર્વાણોત્સવના કાવ્ય દ્વારા ભક્તિ કરાવી હતી–
આવો આવો જી... હાં... હાં... આવો આવો જી
જૈન જન સારે, પ્રભુ નિર્વાણ ગયે...
ગુણ ગાવોજી સકલ નરનારી પ્રભુ શિવથાન ગયે...
ગિરનાર કી પંચમ ટૂંક પર ચરણ પ્રભુકા સોહે...
દૂરદૂરસે હમ સબ (યાત્રી) આકર દેખ પ્રભુ મન
મોહે... આવો આવો જી...
ત્યાર પછી પરમ પૂજ્ય ગુરુદેવે સમયસારની ૩૮મી ગાથાની અધ્યાત્મ ભરી ધુન ગવડાવી હતી–
“હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.”
ગુરુદેવ એકાકાર લીનતાથી જ્યારે એ ધુન બોલતા હતા ત્યારે, ‘ભગવાન કેવી
અધ્યાત્મભાવનાથી મોક્ષ પામ્યા’ તેનો તાદશ ચિતાર દ્રષ્ટિ સમક્ષ તરવરતો હતો.
એ અધ્યાત્મની ધુન પછી પૂ. ગુરુદેવે કહ્યું કે, ભગવાન નેમિનાથ પ્રભુ અહીંથી મોક્ષ પામ્યા
છે... આ ઠેકાણેથી ભગવાનને અનાદિ સંસારનો અંત અને અપૂર્વ સિદ્ધદશાની શરૂઆત થઈ છે.
ભગવાનના આત્માએ અહીંથી સમશ્રેણીએ ઊર્ધ્વગમન કર્યું અને એક સમયમાં લોકાગ્રે
બિરાજમાન થયા. હાથ ઊંચો કરીને પૂ. ગુરુદેવે બતાવ્યું કે : જુઓ, અહીંથી બરાબર ઉપર–
સમશ્રેણીએ–સિદ્ધાલયમાં ભગવાનનો આત્મા અત્યારે પુર્ણાનંદમાં બિરાજી રહ્યો છે. (આ વખતે
પૂ. ગુરુદેવ અને બધા ભક્તજનો બહુ જ ભાવથી ઊંચે સિદ્ધાલય તરફ જોતા હતા.) અહો, ધન્ય
આ નિર્વાણ ભૂમિ! અહીં ભગવાનના અસંખ્ય પ્રદેશો શુદ્ધ થયા... અહીં ભગવાન મુક્તિ પામ્યા!
ધન્ય છે તે આત્મદ્રવ્યને, ધન્ય છે આ ક્ષેત્રને, ધન્ય છે તે

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૧૬ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
કાળને અને ધન્ય છે એ પવિત્ર ભાવને! અહો, અહીં તેનું સ્મરણ થાય છે. ભગવાન તો ઉપર
બિરાજે છે. તે કાંઈ નીચે ન આવે, પણ ભગવાનનું જેને ભાન હોય તેને પોતાના જ્ઞાનમાં તેના
સ્મરણ માટે આ ભૂમિ નિમિત્ત થાય છે.
ઈત્યાદિ પ્રકારે, પાંચમી ટૂંકે પૂ. ગુરુદેવ જ્યારે ભગવાનનું સ્મરણ કરીને ભાવભર્યું વર્ણન
કરતા હતા ત્યારે સૌ ભક્તજનો આનંદથી ગદગદ થઈ જતા હતાં; અહો, એ વખતનું વાતાવરણ
ભક્તોના હૃદયપટમાં કોતરાઈ ગયું છે. ગુરુદેવની સાથે પાંચમી ટૂંકે બેઠા ત્યારે જાણે કે
સિદ્ધભગવંતોની પાડોશમાં જ બેઠા હોઈએ એમ ભક્તોને કૃતકૃત્યતા લાગતી હતી.
એ પ્રમાણે પવિત્ર નિર્વાણ–ભૂમિમાં સિદ્ધ ભગવાનનું સ્મરણ કરીને તથા તેનો મહિમા
કરીને; પછી ભગવાન જે સિદ્ધપદને પામ્યા તે સિદ્ધપદ પ્રાપ્તિની ભાવના માટે પૂ. ગુરુદેવે “અપૂર્વ
અવસર” ની નીચેની કડીઓ ગવડાવી હતી–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે...
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો...
મન વચન કાયાને કર્મની વર્ગણા...
છૂટે જહાં સકલ પુદ્ગલ સંબંધ જો,
છૂટયા આંહી સકલ પુદ્ગલ સંબંધ જો...
એવું અયોગી ગુણસ્થાનક અહીં વર્તતું
મહા ભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો...
અપૂર્વઅવસર એવો ક્યારે આવશે...
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો...
શુદ્ધ નિરંજન ચૈતન્મૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે...
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો.
(ભગવાનનો આત્મા અત્યારે ઉપર સિદ્ધાલયમાં બિરાજે છે.)
સાદિ અનંત, અનંત સમાધિ સુખમાં
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો...
(અહો! ભગવાન જે અપૂર્વ આનંદદશા પામ્યા તે કાળથી
પણ અનંત છે, ને ભાવથી પણ અનંત છે.)
–અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં...
ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો...
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...
અપૂર્વ અવસર એવો અમને આવશે.
અહો, ધન્ય એ ભાવના... ધન્ય એ પવિત્ર ધામમાં ગુરુજી સાથે થયેલી યાત્રા...
એ ભાવના પછી થોડીવાર બધા શાંત બેઠા હતા... આ અપૂર્વ ઉલ્લાસ ભરી યાત્રાના
આનંદની પ્રસન્નતા સર્વત્ર દેખાઈ આવતી હતી. છેવટે ભગવાનશ્રી નેમિનાથ પ્રભુના ચરણે
નમસ્કાર કરીને અને ચરણસ્પર્શ કરીને ગુરુદેવ પહેલી ટૂંકે પધાર્યા હતા. ઉતરતાં ઉતરતાં ગુરુ
વારંવાર યાત્રાના ઉલ્લાસની વાત કરતાં કહેતા કે “આ વખતની યાત્રા તો એવી થઈ કે લોકોને
એનો રસ રહી જશે.” ત્યારે ભક્તો પણ સામે ઉલ્લાસથી કહેતા કે : “સાહેબ! હવે
સમ્મેદશિખરજીની આવી જાત્રા કરાવો...”
પાછળ રહેલા ઘણા ભક્તજનો “ગુરુજીએ ગિરનારની અપૂર્વ યાત્રા કરાવી તેની વાહ...

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૭ :
વાહજી... વાહની ધૂન લેતાં લેતાં ઉતરતાં હતા એ ઉલ્લાસભર્યું દ્રશ્ય દેખીને આનંદ થતો હતો.
ઉતરતાં ઉતરતાં રસ્તામાં ગિરનારની મોટી–મોટી શિલાઓ ઉપર ઠેકાણે ઠેકાણે દેવ–ગુરુ–ધર્મના
જયકાર લખેલા નજરે પડતા હતાં... તે દ્વારા જાણે કે આખો ગિરનાર પર્વત દેવ–ગુરુ–ધર્મના
જયકાર–ધ્વનિ કરતો હોય, ગિરનારના પત્થર પણ ભગવાનને યાદ કરીને તેમના જય ધ્વનિના
રણકાર કરતા હોય! ગિરનારવાસી શ્રી નેમિનાથ ભગવાનનો જય હો... નેમપ્રભુની
કલ્યાણકભૂમિ ગિરનારજીની અપૂર્વ–યાત્રા કરાવનારશ્રી કહાનગુરુદેવનો જય હો...
ભગવાન શ્રી ધરસેનાચાર્યદેવ ગિરનાર ઉપર જે ચંદ્રગુફામાં રહીને જ્ઞાન–ધ્યાન કરતા હતા,
અને જ્યાં પુષ્પદંત–ભૂતબલિ મુનિવરોને દિવ્યધ્વનિની પરંપરાનું શ્રુતજ્ઞાન (ષટ્ખંડાગમનું
જ્ઞાન) આપ્યું હતું, તે પવિત્ર સ્થાનનું ખાસ અવલોકન કરવા માટે બપોરે પૂ. ગુરુદેવ પધાર્યા
હતા. આ સ્થાન પહેલી ટૂંકે જિનમંદિર તેમજ રાજીમતીની ગુફાના પાછળના ભાગમાં છે.
(ઈતિહાસ–સંશોધકોએ નિર્ણય કરીને તેનું નિશ્ચિત સ્થાન શોધવાની જરૂર છે.)
એ પ્રમાણે મહાપવિત્ર ગિરનારજી તીર્થની અપૂર્વ યાત્રા કરીને બપોરે લગભગ બે વાગે પૂ.
ગુરુદેવ નીચે તળેટી તરફ પધાર્યા... અને ભક્તજનો પણ ઝડપભેર ઊતરવા લાગ્યા. ઉતરતાં
ઉતરતાં આખા રસ્તામાં ભક્તજનો આનંદથી દેવ–ગુરુના જયકાર કરતા હતાં. યાત્રાનો ઉલ્લાસ
હૈયે સમાતો ન હતો... પૂ. બેનશ્રીબેન પણ ઉમંગમાં આવીને વારંવાર “વાહ વાહ જી વાહ” ની
નવી નવી ધૂન બોલતા હતાં.
નીચે ઉતરીને તળેટીમાં આવ્યા પછી ત્યાંની ધર્મશાળાના જિનમંદિરમાં લગભગ એક
કલાક સુધી ભક્તિ થઈ હતી. અને રાત્રે જાહેર ધર્મશાળામાં પૂ. ગુરુદેવ પાસે તત્ત્વચર્ચા થઈ હતી.
ચર્ચા વખતે આ યાત્રાના ઉલ્લાસભર્યા સ્મરણોની સાથે સાથે, ચૌદ વર્ષ પહેલાંં (સં. ૧૯૯૬માં)
કરેલી ગિરનારયાત્રાના સ્મરણો પણ તાજાં કર્યા હતાં. પહેલી વખતની યાત્રાનું અદ્ભુત વર્ણન
સાંભળીને તેમજ તેનાં દ્રશ્યો જોઈને ઘણા ભક્તજનોને ગુરુદેવ સાથે ગિરનારજીની યાત્રા કરવા
માટે તીવ્ર ભાવના હતી. ભક્તોની એ ભાવના આજે પૂરી થઈ તેથી સૌને પ્રસન્નતા હતી અને
પરમ કૃપાળુ ગુરુદેવ પ્રત્યે લાગણી ઉભરાતી હતી.
પાંચમી ટૂંકે પૂજ્ય ગુરુદેવે સં. ૧૯૯૬ની યાત્રાને યાદ કરતાં કહ્યું હતું કે તે વખતે બરાબર
ફાગણ સુદ બીજે અહીં ભક્તિ કરી હતી, અને ત્યારબાદ બીજે જ વર્ષે બરાબર તે જ દિવસે (સં.
૧૯૯૭ના ફાગણ સુદ બીજે) સોનગઢમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ–એમ કુદરતી મેળ થઈ ગયો.
આ વખતની યાત્રા પણ પૂ. ગુરુદેવના પ્રતાપે મહાન પ્રભાવનાનું કારણ થશે.
રાત્રે પૂ. ગુરુદેવ તેમજ સંઘના માણસો તળેટીમાં જ રહ્યા હતા.
ગિરનારની પહેલી ટૂંકે આવેલા દિગંબર જિનમંદિરના ચોકમાં માનસ્તંભ કરાવવા માટેનો
સામાન તળેટીની ધર્મશાળામાં પડ્યો છે, તે જોવા માટે પૂ. ગુરુદેવ પધાર્યા હતાં. તે વખતે એમ થતું
હતું કે ગિરનાર તો નેમિનાથ પ્રભુની ખાસ ભૂમિ છે એટલે ત્યાં માનસ્તંભ જરૂર થવો જોઈએ.
[મહા સુદ તેરસ]
મહા સુદ તેરસે સવામાં તળેટીના જિનમંદિરમાં ખાસ ભક્તિ રાખવામાં આવી હતી. તેમાં
“હે જિનરાજ! તુમારા ચરણકમળની પૂજના, હૃદય ઉલ્લસિત થાય કે ભાગ્ય માનું ઘણું રે,” એ
જયમાલાનું કાવ્ય પૂ. ગુરુદેવ બહુ ભાવથી–ફેરવી–ફેરવીને ગવડાવ્યું હતું. તેમજ–

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૧૮ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
“જબ ચલે ગયે ભરતાર મેરે ગિરનાર
હે મેરી સહેલી, મેં કિસ વિધ રહું અકેલી.”
–એ વૈરાગ્યભર્યું કાવ્ય ગવડાવ્યું હતું. અને પછી–
“બોલો, ભગવાન નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થયા તે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનો...
જય હો...” એ પ્રમાણે ગુરુદેવે પોતે ઉલ્લાસથી જયકાર બોલાવ્યો હતો. ત્યારપછી, પૂ. બેનશ્રી
બેને “હો નેમિ જિનેશ્વરજી! કાહે કસૂર પૈ ચલ દિયે રથકો મોર” –ઈત્યાદિ કાવ્યો ગવડાવીને
ભક્તિ કરાવી હતી. અને નેમિનાથ પ્રભુના, તથા નેમપ્રભુનો ભેટો કરાવનાર ગુરુદેવના મહાન
જયકાર પૂર્વક પૂ. ગુરુદેવ તેમજ સર્વે ભક્તજનો જુનાગઢ શહેરની ધર્મશાળામાં આવ્યા હતા.
રસ્તામાં ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન હતા, અને ભક્તો પણ ગુરુદેવની સાથે હોંશે હોંશે ભક્તિ કરતા
ચાલતા હતા.
ધર્મશાળામાં આવ્યા બાદ ઘણા વખત સુધી પૂ. બેનશ્રીબેને અત્યંત ઉલ્લાસભરી ભક્તિ
કરાવી હતી.
જુનાગઢ શહેરમાં અદ્ભુત ભક્તિ અને અપૂર્વ રથયાત્રા
મહા સુદ ૧૩ના રોજ બપોરે જુનાગઢ શહેરના જિનમંદિરમાં અદ્ભૂત ભક્તિ થઈ હતી.
પ્રથમ પૂ. ગુરુદેવે એક સ્તવન ગવડાવ્યું હતું. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને ભક્તિ કરાવી હતી.
ભક્તિના અંતિમ ભાગમાં “વાહ વાહ જી વાહ”ની મોટી ધુન દ્વારા પરમ કૃપાળુ ગુરુદેવે જાત્રા
કરાવી તેનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો તેમજ ફરી ફરીને આવી જાત્રા કરાવવા અને
સમ્મેદશિખરજી ધામ દેખાડવાની માગણી કરી હતી.
ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન થયું હતું. જુનાગઢ શહેરનાં અનેક અગ્રગણ્ય માણસોએ
ગુરુદેવના પ્રવચનનો લાભ લીધો હતો. પ્રવચન બાદ, પરમ પૂ. ગુરુદેવે સકલ સંઘને જે અપૂર્વ
યાત્રા કરાવી તે બદલ સકલ સંઘ તરફથી પરમ ઉપકાર માનવમાં આવ્યો હતો, તેમ જ પૂ.
બેનશ્રી બેને ઠેરઠેર ઉલ્લાસભરી ભક્તિ કરાવી તેથી તેમનો પણ ઉપકાર માનવામાં આવ્યો હતો.
છેવટે, આ અપૂર્વ યાત્રા થઈ તેની હોંશમાં શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા કાઢવામાં આવી
હતી. આ રથયાત્રા ઘણી જ શોભતી અને પ્રભાવક હતી. રથયાત્રાની વચ્ચે ઊંચે ઊંચે
બિરાજમાન જિનેન્દ્ર ભગવાનનો દેખાવ અદ્ભુત લાગતો હતો, જાણે ભગવાનની ગંધકૂટી જ
વિહાર કરી રહી હોય એવું લાગતું હતું. સાથે ચામરનો મંડપ હતો, તે મંડપ નીચે પૂ. ગુરુદેવ
ચાલતા હતા. એ દ્રશ્ય પણ ઘણું દર્શનીય હતું. રથયાત્રામાં ભક્તોને ઘણો જ ઉલ્લાસ હતો. આવી
ઉલ્લાસભરી જાત્રા, આવી ઉલ્લાસભરી રથયાત્રા, અને આવી ઉલ્લાસભરી ભક્તિ–જુનાગઢમાં
છેલ્લા સેંકડો વર્ષમાં ભાગ્યે જ થઈ હશે. જ્યાં જ્યાં ભક્તિ થાય ત્યાં ત્યાં ભક્તિનો ઉલ્લાસ
જોઈને લોકો આશ્ચર્યમાં પડી જતા, અને મુનિમજી વગેરે કહેતા હતાં કે ‘અહો! આવી અદ્ભૂત
ભક્તિ અમે કદી જોઈ નથી... આવી ભક્તિ અમે પહેલી જ વાર જોઈ. ’
ભગવાનની રથયાત્રા જુનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને જિનમંદિરે પાછી આવ્યા
બાદ ત્યાં ખાસ ભક્તિ કરવામાં આવી હતી. કોઈક વિરલ પળે જ જોવા મળે એવી એ ભક્તિ હતી.
ગુરુદેવે અદ્ભુત જાત્રા કરાવી તેના પ્રતાપે, ભક્તિનો સહજ ઉમંગ આવી જતાં, પૂ. બેન–શ્રીબેને
હાથમાં ચામર લઈને ભગવાનની અલૌકિક ભક્તિ કરી હતી. અહો, જાણે કે નેમનાથપ્રભુ સાક્ષાત્
પધારીને સામે જ બિરાજતા હોય અને તેમની સન્મુખ હૃદયની વીણા વગાડતા હોય એ

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૯ :
રીતે બંને બહેનોએ સામસામી ભક્તિભરી ચેષ્ટાઓ દ્વારા અદ્ભુત–અપૂર્વ ભક્તિ કરી હતી.
ખરેખર, જ્ઞાનીઓના હૃદયમાં જિનેન્દ્ર ભગવાનની કેવી અલૌકિક ભક્તિ ભરી છે તેનો ખ્યાલ તે
વખતે આવતો હતો.
સાંજે જિનમંદિરમાં આરતી તેમજ ભક્તિ થઈ હતી. તથા રાત્રે ચર્ચા થઈ હતી.
આ રીતે મહા સુદ ૧૦ થી ૧૩ સુધીના ચાર દિવસો નેમનાથ ભગવાનની પવિત્ર
કલ્યાણકભૂમિમાં પરમ પૂજ્ય ગુરુદેવની સાથે જાત્રાનો મહાન ઉત્સવ થયો. આ અદ્ભુત યાત્રા
જોતાં જ પૂર્વે કુંદકુંદાચાર્યભગવાને સંઘસહિત ગિરનારજીની જે મહાન યાત્રા કરી હતી તેનું સ્મરણ
થતું હતું. ભક્તોના હૃદયમાં આ જાત્રાનો રસ રહી ગયો છે, ને ફરી ફરીને ગુરુદેવ આવી યાત્રા
કરાવો, શાશ્વત તીર્થધામ સમ્મેદશિખરજીની યાત્રા કરાવો એવી વિનંતિ કરી છે. હે ગુરુદેવ! સર્વે
ભક્તજનોની એ ભાવના ઝટ ઝટ પૂરી કરો...
“સૌરાષ્ટ્રના નાથ” ને ભેટાવનાર “સૌરાષ્ટ્રના સંત”ના ચરણકમળમાં ભક્તિપૂર્વક વંદન હો!
[પૂ. ગુરુદેવ મહા સુદ ૧૪ ના રોજ જુનાગઢથી વિહાર કરીને પોરબંદર તરફ પધાર્યા હતાં]
* * * * *
જૂનાગઢમાં ગિરનારજી તીર્થની યાત્રા બાદ, મહા સુદ ૧૩ ના રોજ
જિનમંદિરમાં પૂ. બેનશ્રી બેને ગવડાવેલી ખાસ ધૂન.
કૃપાળુ દેવના પરમ પ્રતાપે... વાહ વાહ જી વાહ! નેમનાથની જાન દેખી... વાહ વાહ જી વાહ!
જાત્રા અદ્ભુત આજ કીધી... વાહ વાહ જી વાહ! નેમનાથનો વૈરાગ દીઠો... વાહ વાહ જી વાહ!
ગિરનાર કેરી જાત્રા કીધી... વાહ વાહ જી વાહ!
જાદવકુળનો જોગી દેખ્યો... વાહ વાહ જી વાહ!
સહસાવનના દર્શન કીધા... વાહ વાહ જી વાહ! નેમનાથની દીક્ષા દેખી... વાહ વાહ જી વાહ!
સહસાવનમાં સંયમ દેખ્યો... વાહ વાહ જી વાહ!
શુક્લધ્યાનની શ્રેણી દેખી... વાહ વાહ જી વાહ!
પ્રભુનું કેવળજ્ઞાન દેખ્યું... વાહ વાહ જી વાહ!
અયોગી ગુણસ્થાન દેખ્યું... વાહ વાહ જી વાહ!
પ્રભુજી કેરા ધામ દેખ્યા... વાહ વાહ જી વાહ! જાત્રા અદ્ભુત ફરી કરાવો... વાહ વાહ જી વાહ!
પાંચમી ટૂંકે ભક્તિ કરી... વાહ વાહ જી વાહ! સમ્મેદશિખર ધામ દેખાડો... વાહ વાહ જી વાહ!
ગુરુજી સાથે જાત્રા કરી... વાહ વાહ જી વાહ! ગુરુજી! શાશ્વતધામ બતાવો... વાહ વાહ જી વાહ!
સદ્ગુરુદેવના પરમ પ્રતાપે... વાહ વાહ જી વાહ! સેવકની વિનતિ સ્વીકારો... વાહ વાહ જી વાહ!
જાત્રા અદ્ભુત કીધી આજ... વાહ વાહ જી વાહ! શાશ્વત તીરથધામ દેખાડો... વાહ વાહ જી વાહ!
ગુરુજી અદ્ભુત કૃપા કરી... વાહ વાહ જી વાહ!
જાત્રા અદ્ભુત ફરી કરાવો... વાહ વાહ જી વાહ!
અમૃતરસના પાન કરાવો... વાહ વાહ જી વાહ!
સમ્મેદશિખર ધામ દેખાડો... વાહ વાહ જી વાહ!

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૨૦ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
(અનુસંધાન પાના નં. ૧૦૯ થી ચાલુ)
પાપભાવ થયા વગર રહેશે નહિ ને તેના ફળમાં તે નરક નિગોદાદિમાં રખડશે. ચૈતન્યતત્વ જ શરણભૂત છે.
પૂર્વના પુણ્યના ફળરૂપે આ મનુષ્યદેહ, પંચેન્દ્રિયની પૂર્ણતા, ઉત્તમ કુળ અને સાચા દેવ–ગુરુ–ધર્મનો યોગ પ્રાપ્ત
થયો છે, હવે અત્યારે પુણ્ય અને પુણ્યના ફળની રુચિ છોડીને, શુદ્ધ ચૈતન્યતત્ત્વની દ્રષ્ટિ કરે તો અપૂર્વ આત્મલાભ
પામે અને ભવનો અંત થઈને શાશ્વત મોક્ષની પ્રાપ્તિ થાય. જે જીવ ચૈતન્યતત્ત્વનો અનાદર કરીને પુણ્યની ને
સંયોગની મીઠાશ કરે છે તેને મિથ્યાત્વના જોરથી પાપવાસનાની પુષ્ટિ થઈને અનંતકાળ નિગોદાદિમાં પરિભ્રમણ
થાય છે.
પુણ્યક્રિયા કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એમ કેટલાક માને છે, પણ તેની દ્રષ્ટિ જ ઊંધી છે. શાસ્ત્રકાર કહે
છે કે ભાઈ, તારો શુભભાવ તો ટાઢીયા–ઊના તાવની જેમ ક્ષણિક છે, ને શુભભાવ કાયમ નહિ ટકે. પણ શુભ
પલટીને અશુભ થઈ જશે. પુણ્ય–પાપની લાગણી રહિત જ્ઞાનાનંદ સ્વરૂપ છે તે ધ્રુવ રહે છે, એવા ધ્રુવ ચિદાનંદ
સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે.
ભગવાન! તારો આત્મા ચિદાનંદ શક્તિનો પિંડ છે, તેને ચૂકીને તેં અનાદિથી સંયોગની ને પુણ્ય–પાપની
દ્રષ્ટિથી હિત માન્યું છે, પણ જ્ઞાનાનંદસ્વરૂપ અંતરમાં છે તે કદી જોયું નથી. બહારમાં સંયોગ તો સંયોગના કારણે
હોય પણ અંતરમાં ધર્મીની દ્રષ્ટિ પલટી ગઈ હોય છે. સ્વર્ગનાં ઈન્દ્રને ઈન્દ્રપદના વૈભવનો સંયોગ હોય છતાં
અંતરમાં ભાન છે કે હું સંયોગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છું. ભાઈ! આવો મનુષ્યદેહ મળ્‌યો તેમાં આત્માનું
વાસ્તવિક સ્વરૂપ શું છે તે વાત લક્ષમાં તો લે. જેમ દોરા વગરની સોય ખોવાઈ જાય તે હાથ ન આવે પણ જો
દોરો પરોવ્યો હોય તો ખોવાય નહિ; તેમ આ મનુષ્યદેહ પામીને સત્સમાગમે સૂત્ર એટલે કે સમ્યગ્જ્ઞાન રૂપી દોરો
જો આત્મામાં પરોવી લ્યે તો આત્મા ચોરાસીના અવતારમાં ખોવાય નહિ, અને આત્માના લક્ષ વગર જો જીવન
પૂરું કરે તો સંસારની ચાર ગતિમાં ક્યાંય રઝળશે. માટે હે ભાઈ! આત્માની આ વાત સાંભળીને તેની રુચિ તો
કર, અરે! હા તો પાડ. ‘હા’ પાડતાં પાડતાં તેવી હાલત થઈ જશે. ભગવાન! આ વાત તેં કદી લક્ષમાં લીધી નથી.
જેમ પારસમણિના સંસર્ગથી લોઢું સોનું થઈ જાય, પણ જે લોઢામાં તેવી લાયકાત હોય તે જ સોનું થાય, કાટવાળું
હોય તો તે સોનું ન થાય, તેમ સત્સમાગમે યથાર્થ શ્રવણ–મનન કરે તો પામરતા ટળીને યથાર્થ જ્ઞાન થાય, પણ
જો અંતરમાં પુણ્ય–પાપની રુચિ રૂપી કાટ લાગ્યો હોય તો તેને લાભ ન થાય.
અહો! આ વાત પૂર્વે જીવે એક ક્ષણ પણ લક્ષમાં લીધી નથી. એકવાર પણ આ વાત લક્ષમાં લઈને રુચિ કરે
તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ. આ વાત દ્રષ્ટિમાં લેવી તે અપૂર્વ છે. આવી દ્રષ્ટિ પ્રગટ્યા પછી
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ચક્રવર્તી રાજનો સંયોગ પણ હોય, પરંતુ અંતરની દ્રષ્ટિ ચિદાનંદ સ્વભાવમાં પડી છે,
અંતરદ્રષ્ટિમાં ચિદાનંદ સ્વભાવ સિવાય બીજા કોઈનો આદર નથી. સમ્યગ્દર્શન તે ધર્મનું પહેલું સોપાન છે.
અષ્ટપાહુડ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે
‘दंसणमूलो धम्मो’ સર્વજ્ઞ ભગવાને જે ધર્મ કહ્યો છે તેનું
મૂળ સમ્યગ્દર્શન છે. ચિદાનંદ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી ને પુણ્ય–પાપની રુચિ છોડવી તે ધર્મનું પહેલું સોપાન
છે; તેને બદલે પુણ્ય તે ધર્મનું સોપાન છે એમ અજ્ઞાની માને છે. ભાઈ! આત્માના ઊર્ધ્વસ્વભાવની શ્રેણીએ
ચડવાનું એટલે કે મુક્તિનું પહેલું સોપાન તો સમ્યગ્દર્શન જ છે. પુણ્યની રુચિ કરવી તે તો નીચે ઉતરવાનું પગથિયું
છે. હે ભાઈ! તારે અવિનાશી કલ્યાણ જોઈતું હોય ને ભવનો નાશ કરવો હોય તો પુણ્ય–પાપ રહિત ચિદાનંદ
તત્ત્વની ઓળખાણ કર; એ સિવાય ઈન્દ્રના ઈન્દ્રાસન પણ અધ્રુવ છે, તેના શરણે ચૈતન્યની શાંતિ નથી. માટે
આત્માના ધ્રુવ ચિદાનંદ સ્વરૂપને સત્સમાગમે સમજવું તે જ શાંતિનો ઉપાય છે.
* * * * *

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૨૧ :
માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ અને–
શુદ્ધનયના અવલંબનનો ઉપદેશ
[સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે ચૈત્ર સુદ પાંચમે પૂ. ગુરુદેવનું પ્રવચન]
આચાર્યદેવ કહે છે કે અહો! જીવોએ કદી નહિ
જોયેલું એવું આત્માનું પરથી ભિન્ન શુદ્ધ એકત્વ
જ્ઞાયકસ્વરૂપ હું મારા આત્મવૈભવથી દેખાડું છું. જીવોને
અનંતકાળથી જે સમજવાનું બાકી રહી ગયું છે તે હું
સમજાવું છું. સંસારમાં અજ્ઞાનીઓને બધું સુલભ છે.
એકમાત્ર આત્મસ્વભાવની સમજણ જ પરમ દુર્લભ છે.
માનસ્તંભના મહોત્સવમાં મુક્તિની છાપ
જુઓ, આ મહોત્સવના દિવસો છે; અહીં માનસ્તંભમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે
તેનો આ મહોત્સવ ચાલે છે. આપણો માનસ્તંભ ૬૩ ફૂટ ઊંચો છે ને શ્લાકા પુરુષોની સંખ્યા પણ બરાબર
૬૩ છે. એ રીતે માનસ્તંભની ઊંચાઈ અને શ્લાકા પુરુષોની સંખ્યા એ બંનેનો કુદરતી મેળ થઈ ગયો છે.
શ્લાકા પુરુષો મોક્ષની છાપવાળા હોય છે, તેઓ નિયમથી અલ્પકાળમાં મુક્તિ પામનારા હોય છે, તેઓને
લાંબો સંસાર હોતો નથી; તેમ અહીં માનસ્તંભના મહોત્સવમાં મોક્ષની છાપ લેવાની વાત આવી છે.
મોક્ષની છાપ કોઈ બીજા પાસેથી નથી મળતી, પણ આત્માનું જે પરમાર્થસ્વરૂપ કહેવાય છે તેને જે જીવ
સમજે તે જીવને મોક્ષની છાપ લાગી જાય છે. આ વાત સમજે તે અલ્પકાળમાં જરૂર મુક્તિ પામી જાય છે.
પાત્ર થઈને અંર્તસ્વભાવની સાચી સમજણ વડે પોતે જ પોતાના આત્મામાં મુક્તિની મહોર–છાપ પાડે છે;
આત્માનું અપૂર્વ ભાન થતાં જ ધર્મીને નિઃશંકતા થઈ જાય છે કે હવે અલ્પકાળમાં મારી મુક્તિ છે. લોકો
દ્વારકા વગેરેની જાત્રાએ જઈને ત્યાં છાપ પડાવે છે અને તેમાં જાત્રાની સફળતા માને છે, પરંતુ તેનાથી તો
આત્માનું કાંઈ હિત નથી. અહીં તો આત્મા પોતે પોતાના સ્વભાવનો નિઃશંક નિર્ણય કરીને સમ્યગ્દર્શન વડે
પોતામાં એવી છાપ પાડે છે કે, અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થાય જ.
શાંતિનું સ્થાન ક્યાં છે?
જુઓ ભાઈ! શાંતિ તો આત્માના સ્વભાવમાં છે; આત્માનો સ્વભાવ ત્રણેકાળ શાંતિથી ભરપૂર છે, તેની
પ્રતીત કરીને તેના અવલંબને જ શાંતિનો અનુભવ થાય છે, એ સિવાય બહારના બીજા લાખો ઉપાયથી પણ
જીવને સાચી શાંતિ મળતી નથી, કેમકે આત્માની શાંતિ આત્માથી દૂર નથી, શાંતિનું સ્થાન આત્મામાં જ છે.
હમણાં (વીર સં. ૨૪૭૯ ના ફાગણ વદ પાંચમે) દક્ષિણમાં શ્રી બાહુબલિ ભગવાનના ૫૭ ફૂટ ઊંચા પ્રતિમાજીનો
મહામસ્તકાભિષેક હતો, ત્યાંથી પાછા વળતાં હજારો માણસો સોનગઢ આવેલા, તેમાં ઘણા લોકો કહેતા હતા કે
“અહો! શું એ પ્રતિમાની સુંદરતા!! એ ભવ્ય પ્રતિમાની મુદ્રા જોતાં જ ચિત્ત શાંત થઈ જતું હતું!” જુઓ
ભગવાનની વીતરાગી મુદ્રાની પ્રશંસા–બહુમાન અને ભક્તિનો ભાવ તો સમકીતિ ધર્માત્માનેય આવે, પરંતુ
અંતરમાં નિજસ્વભાવનું બહુમાન રાખીને તેમને તેવો ભાવ આવે છે, તે શુભભાવને સર્વસ્વ નથી માની લેતા.
અને અજ્ઞાની તો ત્યાં જ સર્વસ્વ માની લ્યે છે. પ્રતિમાજીના વખાણ કરતી વખતે એવો

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૨૨ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
એકાકાર થઈ જાય કે જાણે ત્યાં જ આત્માની શાંતિ ભરી હોય ને આત્મામાં તો જાણે કાંઈ હોય જ નહિ! પણ અરે
ભાઈ! તારી શાંતિ તો અહીં છે કે ત્યાં છે? યથાર્થ સ્વરૂપનું ભાન રાખીને જ્ઞાની પણ આરોપથી એમ કહે કે અહો!
સર્વજ્ઞ પરમાત્માની પરમ ઉપશાંત વીતરાગ મુદ્રા દેખતાં અમારું ચિત્ત થંભી ગયું! અજ્ઞાની તો પોતાના સ્વભાવને
ભૂલીને પરમાં જ સર્વસ્વ માની લે છે એટલે તેનો આરોપ પણ સાચો નથી. જેવા સર્વજ્ઞ ભગવાન થયા તેવું જ
પરિપૂર્ણ સામર્થ્ય મારા આત્મસ્વભાવમાં છે. આમ નિશ્ચયથી પોતાનાં આત્માનું ભાન કરે, અને શુભરાગ થતાં
ભગવાનના વીતરાગી પ્રતિમાનું તેમજ ધર્માત્મા વગેરેનું બહુમાન આવે તે બરાબર છે; પણ પોતાને ભૂલીને
એકલા પરના જ બહુમાનમાં રોકાઈ જાય ને તેમાં જ સંતોષ માની લ્યે તો તેને આત્માની શાંતિનો જરાપણ લાભ
થાય નહિ, ને સંસાર–પરિભ્રમણ માટે નહિ. માટે અહીં તો આત્માની અપૂર્વ સમજણની વાતને મુખ્ય રાખીને જ
બીજી વાત છે.
આચાર્યદેવ આત્મ વૈભવથી શુદ્ધાત્મસ્વરૂપ દેખાડે છે
અનાદિકાળથી સંસારમાં રખડતાં રખડતાં જીવે બધું કર્યું છે; અનંતવાર મોટો દેવ અને રાજા થયો તેમજ
નારકી અને ઢોર પણ અનંતવાર થયો, પરંતુ પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ શું છે તે વાત કદી સમજ્યો નથી.
સંસારમાં અજ્ઞાનીઓને બધું સુલભ છે, એકમાત્ર આત્મસ્વભાવની સમજણ જ પરમ દુર્લભ છે. તેથી શ્રી
આચાર્યદેવ કરુણા કરીને તે શુદ્ધઆત્માનું એકત્વસ્વરૂપ દર્શાવતાં સમયસારમાં કહે છે કે–
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण।
जदि दाएज्ज पमाण चुकिकज्ज छलं ण धेतव्वं।।५।।
અહો! જીવોએ કદી નહિ જોયેલું એવું આત્માનું પરથી ભિન્ન શુદ્ધ એકત્વ જ્ઞાયકસ્વરૂપ હું મારા
આત્મવૈભવથી દેખાડું છું. જીવોને અનંતકાળથી જે સમજવાનું બાકી રહી ગયું છે તે હું સમજાવું છું, તો હે જીવો!
તમે તેને પ્રમાણ કરજો. આ દેહ–દેવળમાં રહેલો પરંતુ દેહથી જુદો ભગવાન આત્મા જ્ઞાયકમૂર્તિ છે. ક્ષણિક રાગ–દ્વેષ
જેટલો તે નથી; રાગ–દ્વેષ તો અભૂતાર્થ છે–નાશવંત છે, તે સ્વભાવની સાથે એકમેક થઈ ગયેલાં નથી, માટે તે
રાગ–દ્વેષથી રહિત એવા એકાકાર જ્ઞાયક સ્વભાવની પ્રતીત કરો. અત્યારે અગિયારમી ગાથા વંચાય છે, તેમાં પણ
આચાર્યદેવ કહે છે કે – અહો! શુદ્ધદ્રષ્ટિથી જોતાં એક જ્ઞાયકભાવરૂપ આત્મા છે, તે જ ભૂતાર્થસ્વભાવ છે, ને તે
ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી જ આત્માનું સમ્યક્દર્શન થાય છે. –
‘भूयत्थमस्सिदो खलु सम्माइदठी हवइ जीवो।’
સમ્યગ્દ્રષ્ટિના અનુભવની દશા
સમ્યગ્દ્રષ્ટિના અનુભવમાં ભૂતાર્થ એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે, ભેદની કે રાગની પ્રધાનતા તેની
દ્રષ્ટિમાં કદી થતી નથી. સાધક દશામાં રાગ અને ગુણસ્થાનભેદ આવે છે તેને જાણે છે ખરા પણ દ્રષ્ટિમાંથી અભેદ
આત્મસ્વભાવનું અવલંબન કદી છૂટતું નથી, તેના પરિણમનમાં સ્વભાવ અને પરભાવ વચ્ચેનું ભેદજ્ઞાન સદાય
વત્યાં જ કરે છે; રાગ થાય છે તેને જાણે ત્યાં ‘આ રાગ હું છું’ એવી આત્મબુદ્ધિ થતી નથી પણ ‘અખંડ
ચૈતન્યસ્વભાવ તે હું છું’ એવી અખંડ દ્રષ્ટિ રહે છે. આનું નામ ભૂતાર્થનો આશ્રય અથવા શુદ્ધનયનું અવલંબન છે.
લડાઈ કે વિષયભોગ વગેરેના પાપ–પરિણામ વખતે પણ અંતરની નિર્વિકલ્પદ્રષ્ટિમાંથી અભેદ ચૈતન્યસ્વરૂપનો
આશ્રય ધર્મીને કદી છૂટતો નથી, તેની પ્રતીત ખસતી નથી; ઉપયોગમાં ભલે સદા નિર્વિકલ્પતા ન રહે, ને રાગ
તરફ કે પર તરફ ઉપયોગ હોય, પરંતુ સાધક જીવને દ્રષ્ટિમાં તો કદી પણ અભેદસ્વભાવનું અવલંબન છૂટીને
ભેદની પ્રધાનતા થતી નથી. ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ તે જ સમ્યગ્દર્શન છે, જો તે દ્રષ્ટિ છૂટે તો સમ્યગ્દર્શન રહેતું
નથી; આ રીતે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દ્રષ્ટિપણું છે. (–અપૂર્ણ)
અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વનું અવલંબન કરતાં દેહાતીતપણું તો સહેજે થઈ જાય છે
–પૂ. ગુરુદેવ.
અહો! આત્મદ્રવ્યના સ્વભાવનું પરમ અચિંત્ય સામર્થ્ય જેની પ્રતીતમાં
આવ્યું તેને વર્તમાન પર્યાયમાં પણ અચિંત્ય સ્વભાવસામર્થ્ય પ્રગટી જાય છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૨૩ :
પોરબંદરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે
પૂ.ગુરુદેવના મંગલહસ્તે પ્રતિષ્ઠિતિ થયેલા
જિનબિંબો
(૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન (મૂળનાયક) પોરબંદર
(૨) શ્રી પાર્શ્વનાથ ભગવાન (વિધિનાયક) પોરબંદર
(૩) શ્રી નેમિનાથ ભગવાન પોરબંદર
(૪) શ્રી શાંતિનાથ ભગવાન પોરબંદર
(૫) શ્રી સીમંધર ભગવાન ઉમરાળા
(૬) શ્રી આદિનાથ ભગવાન ઉમરાળા
(૭) શ્રી મહાવીર ભગવાન (સ્ફટિકના)
(૮) શ્રી મહાવીર ભગવાન (ચાંદીના) અમદાવાદ
(૯) શ્રી મહાવીર ભગવાન જેતપુર
(૧૦) શ્રી નેમિનાથ ભગવાન વડીઆ
(૧૧) શ્રી શાંતિનાથ ભગવાન મુંબઈ
ફાગણ સુદ એકમના રોજ પોરબંદર શહેરમાં ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના દીક્ષાકલ્યાણકનો મહોત્સવ
થયો, તે પ્રસંગે દીક્ષાવનમાં પરમપૂજ્ય સદ્ગુરુદેવના વૈરાગ્ય પ્રવચન બાદ રાજકોટના ભાઈશ્રી ધીરજલાલ
ભગવાનજીએ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે, તેઓ લુવાણા જ્ઞાતિના છે, અને બાલબ્રહ્મચારી છે.
આ શુભ કાર્ય માટે તેમને અભિનંદન ઘટે છે.
વાંકાનેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું મુહૂર્ત ચૈત્ર સુદ ૧૩ છે. પૂ.ગુરુદેવ મોરબીથી વિહાર કરીને
ચૈત્ર સુદ આઠમના રોજ વાંકાનેર પધારશે.
પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ફાગણ સુદ ૧૨ ના રોજ મોરબી પધાર્યા છે, અને તેઓશ્રીની મંગલ છાયામાં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ફાગણ વદ ૧૦ ના મંગલ દિને મહાવીરનગર (પ્રતિષ્ઠા મંડપ)માં શ્રી
જિનેન્દ્રભગવાનની પધારમણી થઈ તથા ઝંડારોપણ થયું હતું. તેમજ વીસ વિહરમાન તીર્થંકરોનું પૂજનવિધાન શરુ થયું હતું.
ફાગણ વદ ૧૧ ના રોજ સવારમાં જલયાત્રાનું જુલૂસ નીકળ્યું હતું. અને સાંજે પૂજનની પૂર્ણતા બાદ જિનેન્દ્ર અભિષેક થયો
હતો.
ફાગણ વદ ૧૨ ના રોજ પરમપૂજ્ય સદ્ગુરુદેવ મોરબી પધાર્યા હતા, અને તેઓશ્રીની મંગલ છાયામાં આચાર્ય
અનુજ્ઞાવિધિ તથા ઇન્દ્રપ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ પૂ. ગુરુદેવના સ્વાગતનું ભવ્ય જુલૂસ તથા તેની સાથે ઈન્દ્રપ્રતિષ્ઠાનું
જુલૂસ નીકળ્યું હતું. મોરબીની જનતાએ ઘણા ઉલ્લાસપૂર્વક પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું હતું. પૂ. ગુરુદેવનું પ્રવચન સાંભળવા
હજારો લોકો ઉત્સાહપૂર્વક રસ લઈ રહ્યા છે. અત્યારે પૂ. ગુરુદેવની છાયામાં પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેના સમાચાર
હવે પછી આપવામાં આવશે.