Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અગિયારમું, અંક અગિયારમો, ભાદ્રપદ, સં. ૨૦૧૦ (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
૧૩૧
સંસારથી છૂટવાનો ઉપાય
અનંતવાર પુણ્ય કરવા છતાં જીવનું સંસારભ્રમણ ન
અટક્યું, માટે નક્કી કરવું જોઈએ કે પુણ્ય તે સંસારભ્રમણથી
છૂટવાનો ઉપાય નથી. વીતરાગી ચૈતન્યસ્વભાવને ભૂલીને પરથી
કે પુણ્યથી આત્માને કિંચિત્ પણ ધર્મનો લાભ થાય એવી મિથ્યા
માન્યતા જ સંસારભ્રમણનું મૂળકારણ છે. ચૈતન્યસ્વભાવની
ઓળખાણ કરીને એ મૂળકારણને છેદયા વિના બીજા જે કાંઈ
ઉપાય જીવ કરે તે બધાય સંસારનું જ કારણ થાય છે.

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૨૦૬ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
(ટાઈટલ પાના નં. ૨૨૩ થી ચાલુ)
તે જીવને પોતાના સ્વભાવધર્મનો (–સમ્યગ્દર્શનાદિકનો) ત્યાગ છે. આત્મા પરને તો ગ્રહી કે છોડી શકતો નથી,
પણ હું પરને છોડું એમ જે માને છે તે પોતાના સ્વભાવધર્મને છોડે છે.
આત્માના સ્વભાવની આ વાત જીવ કદી સમજ્યો નથી, ને ખરેખર તેનું યથાર્થ શ્રવણ પણ કર્યું નથી. જો
કે પૂર્વે આ વાત શ્રવણમાં આવી પણ તે વખતે પોતે અંતરમાં તેનો ભાવ લક્ષગત કર્યો નહિ, તેથી તેણે ખરેખર
શ્રવણ પણ નથી કર્યું. ખરેખર શ્રવણ કર્યું તો ત્યારે કહેવાય કે જેવો તેનો ભાવ છે તેવો અંતરમાં લક્ષગત કરીને
સમજે. સમજણ વગરનું શ્રવણ તે ખરું શ્રવણ કહેવાય નહિ.
કોઈ કહે કે : આ વાત અમને સમજાય છે પણ તેનું કાર્ય બનતું નથી. તો તેને કહે છે કે ભાઈ! પહેલાંં નહોતું
સમજાતું ને હવે સત્ય સમજાયું, તો તેમાં જ્ઞાનનું યથાર્થ કાર્ય થયું કે ન થયું? સમજાય છે અને કાંઈ કાર્ય નથી થતું
એ વાત જ ખોટી છે. સાચી સમજણ કરવી એ જ ધર્મનું પહેલું કાર્ય છે. જે ખરેખર સમજે તેને કાર્યની શંકા રહે નહિ,
અને જેને શંકા રહે તેને ખરેખર સમજાયું જ નથી. સમજાય છે પણ કાર્ય નથી થતું એમ કહેનારને ખરેખર સમજણ
સાચી થઈ નથી. હું સમજું છું, એમ તે ભ્રમણાથી માને છે; જો ખરેખર સમજે તો કાર્ય થવાની શંકા રહે જ નહિ.
ઉપયોગસ્વભાવ અને રાગાદિ વિભાવ એ બંને એકબીજાથી વિરુદ્ધ છે; ઉપયોગમાં રાગ નથી અને રાગમાં
ઉપયોગ નથી એ રીતે બંનેને અત્યંત જુદાપણું છે. જેને ઉપયોગસ્વરૂપ આત્માની રુચિ છે તેને રાગની રુચિ હોતી નથી
અને જેને રાગની રુચિ છે તેને આત્માની રુચિ હોતી નથી. આ મંદરાગ કરતાં કરતાં તે રાગના અવલંબને
અંર્તસ્વભાવમાં જવાશે–એવી જેની બુદ્ધિ છે તેને રાગની રુચિ છે ને ચૈતન્યસ્વભાવની અરુચિ છે, તે અનંતાનુબંધી
ક્રોધ છે. રાગથી ચૈતન્યસ્વભાવ પમાય એમ માન્યું તેણે ચૈતન્યસ્વભાવના આધારે આત્મા નથી માન્યો પણ રાગના જ
આધારે આત્મા માન્યો છે, એટલે રાગનું સન્માન કરીને ચૈતન્ય સ્વભાવનું અપમાન કર્યું, રાગનો આદર કરીને
આત્મસ્વભાવનો તિરસ્કાર કર્યો, તે મોટું પાપ છે, ને તે જ મોટી હિંસા છે; તેણે હાથમાં તલવાર લીધી નથી, બહારમાં
કોઈ જીવને માર્યો નથી છતાં પણ તે અનંત હિંસા કરનાર છે, કેમકે રાગથી લાભ માનીને અંતરના ચિદાનંદસ્વભાવને
તેણે હણી નાખ્યો છે. અને જેને ચિદાનંદસ્વભાવનું ભાન છે, ચૈતન્ય અને વિકારનું ભેદજ્ઞાન વર્તે છે એવા સમકિતી
ધર્માત્મા ચોથા ગુણસ્થાને હોય ને હાથમાં તલવાર લઈને લડાઈ કરતા હોય તે જાતનો પાપભાવ પણ થતો હોય, છતાં તે
જ વખતે અંતરમાં ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિમાં તેને ક્રોધાદિનો અભાવ છે, ચૈતન્યના ઉપયોગમાં ક્રોધાદિને જરાપણ
કરતા નથી, એટલે અનંતાનુબંધી કષાય તો તેને થતો જ નથી; રાગ વખતે પણ ચૈતન્યસ્વભાવનો આદર છોડીને
રાગનો આદર તેને કદી થતો જ નથી. જુઓ, આ દ્રષ્ટિનો ખરો મહિમા છે. રાગથી ભિન્ન ચૈતન્યતત્ત્વ શું છે તેને
ઓળખીને આવી દ્રષ્ટિ પ્રગટ કરવી તે જ વીતરાગી અહિંસા ધર્મની પહેલી ક્રિયા છે.
સમસ્ત કર્મનો સંવર થવાનો ઉત્કૃષ્ટ ઉપાય ભેદજ્ઞાન છે, તેથી આચાર્યદેવે ભેદજ્ઞાનની પ્રશંસા કરીને તેનો ઉપાય
બતાવ્યો છે. ભાઈ! તારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે રાગથી ને પરથી ભિન્ન છે એવું યથાર્થ ભેદજ્ઞાન કર તે જ પ્રથમ
વૈરાગ્ય છે. ઉપયોગમાં મારો આત્મા છે ને રાગમાં મારો આત્મા નથી એમ જાણ્યું એટલે રાગથી વિરક્ત થઈને જ્ઞાન
પોતાના સ્વભાવમાં વળ્‌યું તે જ સાચો વૈરાગ્ય છે. આ સિવાય જે જીવ રાગથી આત્માને લાભ માને છે તે તો મહારાગી
છે–મિથ્યાદ્રષ્ટિ છે. જેને રાગની પ્રીતિ છે અને રાગથી ચૈતન્યની ભિન્નતાનું ભાન નથી તેનો સાચો વૈરાગ્ય ક્યાંથી હોય?
ભેદજ્ઞાન વગર સાચો વૈરાગ્ય હોય જ નહિ. અજ્ઞાની જીવ બહારમાં ત્યાગી થઈને ભલે રાગની મદંતા કરે તોપણ તેને
સાચો વૈરાગ્ય કહેવાતો નથી; રાગ ઉપર જ જેની દ્રષ્ટિ પડી છે તેને વૈરાગ્ય કેવો? રાગમાં મારો ઉપયોગ નથી ને મારા
ઉપયોગમાં રાગ નથી આવું ભેદજ્ઞાન કરીને ચિદાનંદસ્વભાવમાં અંતર્મુખ વલણથી જ્ઞાનીને જ સાચો વૈરાગ્ય હોય છે;
જુઓ, આ ધર્મની રીત કહેવાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ધર્મ છે. તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
વીતરાગી પર્યાય કોઈ પરમાંથી કે રાગમાંથી નથી આવતી, તેમજ વર્તમાન જ્ઞાનના ઉઘાડમાંથી પણ નથી
આવતી, પણ અંતરમાં ધ્રુવ ચિદાનંદસ્વરૂપ આત્માના અવલંબનથી જ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
વીતરાગીદશા પ્રગટે છે. આત્માને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં પોતાના આત્મા સિવાય બીજા કોઈનું અવલંબન
નથી, એટલે આત્માના સ્વભાવને ઓળખીને તેનું અવલંબન કરવું તે જ ધર્મનો ઉપાય છે, આ સિવાય બીજો
કોઈ ધર્મનો ઉપાય નથી. આ સિવાય બીજા કોઈ પણ વિપરીત ઉપાયથી ધર્મ માનીને જે જીવ રાગનો આદર કરે
છે તે જીવ પોતાના ચિદાનંદ સ્વભાવની સામે કુટિલતા કરે છે. લાભનું કારણ અંતરમાં પોતાના ચૈતન્યસ્વભાવનું
અવલંબન કરવું તે જ છે એમ ન માનતાં, બહારના નિમિત્તોથી મને લાભ થાય અથવા શુભરાગ હોય તો ધર્મ
કરવો સહેલો પડે છે એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને ઊંધી માન્યતામાં અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–
લોભ પડ્યા છે, તે મોટો અધર્મ છે. અને મારો ચિદાનંદસ્વભાવ રાગના અવલંબનથી પાર છે–એમ જાણીને
સ્વભાવનું અવલંબન કરતાં જે સમ્યગ્દર્શનાદિ વીતરાગીભાવ પ્રગટે તે અપૂર્વ ધર્મ છે, ને તે જ મોક્ષનો માર્ગ છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૦૭ :
સંસારભ્રમણનું મૂળ કારણ
અને તેના છેદનો ઉપાય
અરે, ચૈતન્ય આત્મા!! તેં બહારના બીજા પ્રયોગો કર્યા,
પણ સત્સમાગમે ચૈતન્યની સમજણનો યથાર્થ પ્રયોગ પૂર્વે કદી
કર્યો નથી. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે
આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી તારા અનાદિના
ભવભ્રમણનો અંત આવે.
જેતપુર શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન: વીર સં. ૨૪૮૦, મહા સુદ ૮
સર્વજ્ઞ ભગવાને દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા જેવો જાણ્યો અને કહ્યો તેની ઓળખાણ
વિના જીવ અનાદિથી સંસારમાં દુઃખી છે. તે ચૈતન્યસ્વરૂપ આત્મા મોહી–અજ્ઞાની જીવોને દુર્ગમ્ય
છે ને નિર્મોહી–ધર્માત્માને તેનો બોધ થાય છે. અજ્ઞાની તો દેહ અને રાગાદિને જ પોતાનું સ્વરૂપ
માને છે એટલે દેહથી ને રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ તેને દુર્ગમ્ય છે. આ શરીર વગેરે તો
અચેતન છે, તેનાથી આત્મા જુદો છે, અને રાગાદિક ભાવોથી પણ આત્માનો ચૈતન્યસ્વભાવ
જુદો છે. જેવો સિદ્ધ પરમાત્માનો સ્વભાવ છે તેવો જ સ્વભાવવાળો આત્મા આ દેહમાં રહેલો
છે; સિદ્ધ ભગવાનમાં અને આ આત્માના સ્વભાવમાં પરમાર્થે કાંઈ ફેર નથી, જેટલું સામર્થ્ય
સિદ્ધ ભગવાનના આત્મામાં છે તેટલું સામર્થ્ય દરેક આત્મામાં ભર્યું છે. સિદ્ધપરમાત્મા પોતાના
સ્વભાવસામર્થ્યની પ્રતીત કરીને તેમાં લીનતા વડે પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટ કરીને મુક્ત થઈ
ગયા; અને અજ્ઞાની જીવ પોતાના સ્વભાવસામર્થ્યને ભૂલીને. રાગાદિમાં જ પોતાપણું માનીને
સંસારમાં રખડે છે.
અજ્ઞાની જીવ જગતથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને ચૂકીને દેશનું પરનું–ઘરનું અને
શરીર વગેરેનું કામ કરવાના અભિમાનમાં અટકે છે, બહુ તો ધર્મના નામે આગળ ચાલે તો
દયા–વ્રત વગેરેના શુભરાગમાં ધર્મ માનીને ત્યાં અટકી જાય છે; પણ શરીરાદિની ક્રિયાથી ભિન્ન
ને શુભરાગથી પણ પાર એવા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું લક્ષ કરતો નથી, તેથી તેના
જન્મ–મરણના દુઃખનો અંત આવતો નથી. અનાદિકાળમાં પુણ્ય કર્યા તોપણ જીવ સંસારમાં જ
રખડ્યો છે, તો તે સંસારનું મૂળ કારણ શું છે તે જાણીને તેને ટાળવાનો ઉપાય કરવો જોઈએ.
અનંતવાર પુણ્ય કરવા છતાં જીવનું સંસારભ્રમણ ન અટક્યું માટે નક્કી કરવું જોઈએ કે પુણ્ય તે
સંસાર ભ્રમણથી છૂટવાનો ઉપાય નથી. વીતરાગી ચૈતન્ય સ્વભાવને ભૂલીને, પરથી કે પુણ્યથી
આત્માને કિંચિત્ પણ ધર્મનો લાભ થાય એવી મિથ્યા માન્યતા જ સંસારભ્રમણનું મૂળ કારણ
છે, ચૈતન્યસ્વભાવની ઓળખાણ કરીને એ મૂળ કારણને છેદયા વિના બીજા જે કાંઈ ઉપાય જીવ
કરે તે બધાય સંસારનું કારણ થાય છે.
અંતરના ચિદાનંદસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્રતાથી રાગ ટાળીને જેમણે સર્વજ્ઞતા
પ્રગટ કરી તે સર્વજ્ઞપરમાત્માના દિવ્યધ્વનિમાં એવો ઉપદેશ આવ્યો કે : અરે આત્મા! તેં તારા
અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી; તારો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૦૮ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
આનંદસ્વભાવથી ભરેલો છે તેને ઓળખીને તેની પ્રીતિ કર, અંર્તઆત્મામાં એકાગ્ર થતાં રાગ
ટળી જાય છે ને સર્વજ્ઞતા પ્રગટી જાય છે, માટે રાગ તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે
તારું સ્વરૂપ છે. આ પ્રમાણે રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે મુક્તિના
ઉપાયનું પહેલું સોપાન છે.
આત્મા ત્રણે કાળે પર વસ્તુઓથી જુદો છે એટલે બહારનાં કોઈપણ સાધનો આત્માને
સુખ–દુઃખનાં કારણ નથી; પણ અજ્ઞાની પર સંયોગમાં આ મને અનુકૂળ ને આ મને પ્રતિકૂળ–
એમ માનીને તેમાં મોહથી રાગ–દ્વેષ કરે છે તે જ સંસાર પરિભ્રમણના દુઃખનું કારણ છે.
અનાદિકાળથી સંસારમાં રખડતાં જીવ પુણ્ય કરીને સ્વર્ગમાં પણ ગયો ને પાપ કરીને નરકમાં
પણ ગયો, મોટો રાજા પણ અનંતવાર થયો ને રંક ભીખારી પણ અનંતવાર થયો, પણ ‘હું કોણ
છું–મારો જ્ઞાનાનંદ સ્વભાવ શું છે’ એ વાત તેણે કદી લક્ષમાં પણ લીધી નહિ. આત્મા અખંડ
જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં અનંત ગુણો હોવા છતાં તે અભેદ સ્વરૂપ એક છે, ગુણભેદના વિકલ્પથી
પણ પાર થઈને એક અભેદ સ્વરૂપ આત્માની પ્રતીતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન–ધર્મ છે. એક
સમયનું સમ્યગ્દર્શન અનંત જન્મ–મરણના મૂળને છેદી નાંખે છે. અંતરના ચિદાનંદસ્વભાવની
ઓળખાણ કરીને આવું અપૂર્વ સમ્યગ્દર્શન અનાદિથી એક સેકંડ પણ જીવે કર્યું નથી. બીજું બધું
કરી ચૂક્યો–શુભભાવથી વ્રત તપ–પૂજા ને ત્યાગ કર્યાં પણ ‘હું પોતે ચૈતન્યજ્યોત ભગવાન છું’
એવા આત્મભાન વગર એક પણ ભવ ઘટ્યો નહિ.
સત્સમાગમે ચૈતન્યની સમજણનો યથાર્થ પ્રયોગ પણ જીવે કદી કર્યો નથી. અરે ચૈતન્ય
આત્મા! તને અનંતકાળે આવો મનુષ્ય અવતાર મળ્‌યો. તેમાં તેં બહારના બીજા પ્રયોગો કર્યાં
પણ અંતરમાં પોતાનો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા શું ચીજ છે તે સમજવાનો પ્રયોગ તેં તારા
જ્ઞાનમાં કદી એક ક્ષણ પણ ન કર્યો, ને મનુષ્ય અવતાર વ્યર્થમાં ગુમાવીને પાછો સંસારમાં જ
રખડ્યો. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી
તારા અનાદિના ભવભ્રમણનો અંત આવે.
આત્મા પોતાની જ ભૂલથી સંસારમાં રખડ્યો છે ને પોતાની જ સમજણથી તે તરે છે,
કોઈ બીજાએ તેને રખડાવ્યો નથી; તેમજ કોઈ બીજું તેને તારતું નથી; ભૂલ કરવામાં પોતે
સ્વતંત્ર છે ને તે ભૂલ ભાંગીને સાચી સમજણ કરવામાં પણ પોતે સ્વતંત્ર છે, ભૂલ તે ક્ષણિક
વિકૃતિ છે તે ટળી શકે છે, ને ભૂલ વગરનો સ્વભાવ કાયમ છે; તે સ્વભાવમાં અંતર્લક્ષ કરતાં
અનાદિની ભૂલ ટળીને અપૂર્વ જ્ઞાનદશા પ્રગટે છે. અજ્ઞાનભાવ તેમજ હિંસા કે દયાનો ભાવ તે
ક્ષણિક વિકૃતિ છે, આત્મામાં તે કાયમ રહેનાર નથી; આત્માનો કાયમી ચિદાનંદ સ્વભાવ તેમાં
તેનો અભાવ છે. જીવે અનાદિથી ક્ષણિક વિકાર સામે જ જોયું છે, પણ વિકારનો જેમાં અભાવ
છે એવા પોતાના કાયમી ચિદાનંદસ્વભાવની સામે કદી જોયું નથી. અંતર્મુખ થઈને સ્વભાવની
સમજણ કરવી તે અપૂર્વ છે. આ સિવાય પૂર્વે અનંત ભવમાં જે કર્યું તે કાંઈ અપૂર્વ નથી.
મારો આનંદ મારામાં જ છે–એમ પોતાના સ્વભાવની પ્રતીત જીવને આવતી નથી એટલે
બહારના અનુકૂળ સંયોગમાંથી તે આનંદ લેવા માંગે છે; તેથી તે પોતાના ઉપયોગને બહારમાં ને
બહારમાં જ ભમાવે છે પણ અંર્તસ્વભાવમાં
(અનુસંધાન માટે જુઓ પાન ૨૨૦)

PDF/HTML Page 6 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૦૯ :
‘અવસર
વાર વાર નહિ આવે...
[ભવભ્રમણથી છૂટીને આનંદસ્વરૂપ નગરીમાં પ્રવેશવાનો દરવાજો.]
આ અપૂર્વ આત્મજ્ઞાનની વાત છે. આવું આત્મજ્ઞાન પૂર્વે કદી એક સેકંડ પણ જીવે કર્યું નથી,
અને તે આત્મજ્ઞાન કર્યા વિના કદી કોઈનું કલ્યાણ થતું નથી. આત્મજ્ઞાન વિના ભલે શુભ–રાગ કરે,
ને પુણ્ય બાંધીને સ્વર્ગે જાય, પણ તેનાથી ભવભ્રમણના દુઃખનો અંત ન આવે. આ તો
અનાદિકાળના ભવભ્રમણના દુઃખનો અંત કેમ આવે ને અપૂર્વ આત્મસુખની પ્રાપ્તિ કેમ થાય તેની
વાત છે. અરે જીવ! અનંતકાળમાં દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામ્યો ને આવો સત્સમાગમ
મળ્‌યો ત્યારે જો આત્માની દરકાર કરીને સત્ ન સમજ્યો ને આત્મજ્ઞાન ન કર્યું, તો આયુષ્ય પૂરું
થતાં મનુષ્યઅવતાર હારી જઈશ. આવો અવસર પામીને જે જીવ સત્સમાગમે ચૈતન્યસ્વરૂપની
સમજણનો ઉદ્યમ કરતો નથી અને એમ કહે છે કે ‘હમણાં સંસારનાં કામ કરી લઈએ પછી આત્માની
સમજણ કરશું.’ તો તે જીવ ‘લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય’ એના જેવો મૂર્ખ છે.
જ્યાં લક્ષ્મી ચાંદલો કરવા આવી, ત્યાં મૂરખો કહે કે હું મોઢું ધોઈ આવું. જ્યાં તે મોઢું ધોવા ગયો, ત્યાં
લક્ષ્મી તો ચાલી ગઈ. તેમ આ મનુષ્ય–અવતાર અને સત્સમાગમે જ્યાં સત્ સમજીને ભવનો અંત
કરવાનું ટાણું આવ્યું–ચૈતન્યલક્ષ્મી પ્રાપ્ત કરવાનો અવસર આવ્યો, ત્યાં મૂર્ખ અજ્ઞાની જીવ કહે છે કે
પહેલાંં હું દેશની ને કુટુંબની વ્યવસ્થા કરી દઉં, પહેલાંં બીજો વ્યવહાર કરી લઉં ને પછી આત્મા
સમજાશે. આમ માનીને જ્યાં તે વ્યવહારમાં ને બહારમાં રોકાય ત્યાં તો જીવન પૂરું થતાં આ અપૂર્વ
સમજણનું ટાણું તે ગુમાવી બેસે છે. માટે ભાઈ! આ અવસર પ્રમાદમાં ગુમાવવા જેવો નથી.
ચોરાસીના ભવચક્રમાંથી બહાર નીકળવાનું આ ટાણું આવ્યું તેમાં જે જીવ ‘આંધળાની જેમ’
આત્માની બેદરકારી કરે છે તે પાછો ચોરાસીના ચકરાવામાં રખડે છે. આંધળાનો દાખલો આ પ્રમાણે
છે: એક આંધળો હતો, તેને નગરમાં જવું હતું. તે નગરને ફરતો ગઢ હતો ને તેમાં પ્રવેશવાનો એક
જ દરવાજો હતો. કોઈએ કરુણા કરીને આંધળાને કહ્યું કે ‘જો ભાઈ! આ નગરીને ફરતો જે ગઢ છે
તે ગઢને હાથ અડાડી અડાડીને તું ચાલ્યો જા, ચાલતાં ચાલતાં જ્યારે બારણું આવે ત્યારે તેમાં થઈને
નગરમાં પ્રવેશ કરજે. પણ બારણું એક જ છે માટે બરાબર ધ્યાન રાખજે.” તે પ્રમાણે ગઢને હાથ
અડાડીને આંધળાએ ચાલવા માંડ્યું, ઘણું ફરતાં ફરતાં માંડ દરવાજો નજીક આવ્યો; પણ જ્યાં
દરવાજો આવ્યો, ત્યાં જ બરાબર આંધળાને પગમાં ખંજવાળ આવી, ને ગઢને અડાડેલો હાથ ઊંચો
કરીને ખંજવાળતો ખંજવાળતો તે ચાલ્યો (–ઊભો ન રહ્યો પણ ચાલ્યો.) ત્યાં તો દરવાજો ચાલ્યો
ગયો ને પાછો તે ચક્કરમાં પડ્યો તેમ–અહીં ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તે

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૧૦ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
આનંદનું નગર છે, તેમાં પેસવા માટે સમ્યગ્દર્શન અને સાચી સમજણરૂપી દરવાજો છે.
અનાદિકાળથી સંસારચક્રમાં પરિભ્રમણ કરતા આંધળા જીવને એટલે કે અજ્ઞાની જીવને આ
મનુષ્યઅવતારમાં સત્સમાગમે સાચી સમજણ કરીને સ્વરૂપ નગરમાં પ્રવેશવાનું ટાણું આવ્યું
અને જ્ઞાનીઓએ આત્મસ્વરૂપની સાચી સમજણનો ઉપદેશ આપીને સ્વરૂપનગરમાં પેસવાનું
બારણું બતાવ્યું. હવે જ્યાં સાચી સમજણ કરીને સ્વરૂપનગરમાં પેસવાનુ ટાણું આવ્યું ત્યાં
અજ્ઞાનથી આંધળો પ્રાણી સાચી સમજણ કરવાને બદલે, શરીરની ખંજવાળમાં એટલે કે
ઈન્દ્રિયવિષયોમાં ને રાગમાં જ લુબ્ધ થઈને આ અવસર ગુમાવી બેસે છે, ને મનુષ્યપણું હારી
જઈને પાછો ચોરાસીના ચક્કરમાં જ રખડે છે. હું તો જ્ઞાન છું, મારો આનંદ મારા સ્વરૂપમાં જ
છે –એમ સાચી સમજણ કરીને ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કરે તો આનંદનો અનુભવ થાય ને આ
ભવભ્રમણથી છૂટકારો થાય. પણ અજ્ઞાની જીવ, આનંદનું ધામ એવા સ્વરૂપ નગરમાં પ્રવેશ
કરતો નથી–તેનાં શ્રદ્ધા–જ્ઞાન કરતો નથી, ને પુણ્યથી મારું કલ્યાણ થશે અથવા હમણાં પરનાં
કાંઈક કામ કરી દઉં, શરીરનાં કામ કરી દઉં એમ માનીને, મિથ્યાત્વથી આંધળો થઈને આ
અવસર ગુમાવી દે છે અને ચોરાસીના ચક્કરમાં જ રખડે છે. ચોરાસીના ચક્કરમાં ફરી અનંત
કાળે પણ આવો અવસર મળવો મુશ્કેલ છે. માટે જ્ઞાની કહે છે કે હે ભાઈ! આ અવસર પામીને
હવે તું સત્સમાગામે ચૈતન્યસ્વરૂપની સમજણનો રસ્તો લે. ચૈતન્ય–સ્વરૂપ આત્માની સાચી
સમજણ કરવી તે જ અંતરની આનંદસ્વરૂપ નગરીમાં પ્રવેશવાનો દરવાજો છે ને તે જ આ
ભવભ્રમણથી છૂટકારાનો માર્ગ છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
વડાલ ગામમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
સં. ૨૦૧૦, મહા સુદ ૯
પુણ્યની મીઠાશ
આત્માનો ચિદાનંદ સ્વભાવ અબંધ છે, તેની હાલતમાં પુણ્ય
કે પાપ થાય તે બંને બંધન છે; પુણ્ય–પાપ બંનેથી રહિત આત્માના
ચિદાનંદ સ્વભાવની સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે.
જેને પુણ્યની કે પુણ્યના ફળની રુચિ છે તેને આત્માના અબંધ
સ્વભાવની રુચિ નથી એટલે કે ધર્મની રુચિ નથી. અજ્ઞાનીને
પુણ્યનો અને બહારના ઠાઠનો મહિમા આવી જાય છે. પૈસા
વગેરેનો ઠાઠ તે પૂર્વના પુણ્યનું ફળ છે, પણ તેમાં ક્યાંય ચૈતન્યનો
આનંદ નથી. માટે તે પુણ્યની અને પુણ્યના ફળની મીઠાશ છોડ.
સંયોગનો કે પુણ્યનો મહિમા નથી પણ ચૈતન્યસ્વરૂપનો જ મહિમા
છે; હે ભાઈ! તારા ચૈતન્યસ્વરૂપના મહિમાને જાણીને તેની
સન્મુખ થા તો આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય.
કોઈ સંયોગોમાં કે સંયોગ તરફના ભાવમાં આત્માનો આનંદ છે જ
નહિ. અજ્ઞાનીને અનાદિથી પુણ્યનો ને પુણ્યના ફળનો મહિમા
ભાસે છે પરંતુ ચૈતન્ય સ્વભાવનો મહિમા તેને ભાસતો નથી.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૧ :
અપૂર્વ
આત્મહિતનો માર્ગ

હે જીવ! પૂર્વે કદી તેં તારા આત્માને જાણવાની દરકાર કરી
નથી; હવે જ્ઞાનસ્વરૂપ આત્માને સત્સમાગમે ઓળખવાનું ટાણું
આવ્યું છે; તો હવે અંતરના પ્રયત્ન વડે આત્માની એવી અપૂર્વ
સમજણ પ્રગટ કર કે જેથી તારા ભવભ્રમણનો અંત આવી જાય.

અનંતકાળથી સંસારમાં રખડી રહેલા જીવનું હિત કેમ થાય તેની આ વાત છે. આત્માનો સ્વભાવ
પરિપૂર્ણ જ્ઞાન–આનંદથી ભરેલો છે, તે પોતે જ પોતાના અપૂર્વ હિતનું સાધન છે; પણ તેની સામે ન જોતાં,
અજ્ઞાની જીવ અનાદિથી બહારમાં પોતાના હિતનું સાધન માનીને સંસારમાં રખડે છે. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
આત્મા છું, જગતથી હું જુદો છું, મારામાં જગત નથી ને જગતના પદાર્થોમાં હું નથી, મારા માથે જગતના કામનો
કાંઈ પણ બોજો નથી, હું તો અનંતગુણથી ભરપૂર મારી ચૈતન્યનગરીનો સ્વામી છું એમ અંતરમાં નિજસ્વરૂપને
ઓળખીને તેનું શરણ લેવું તે અપૂર્વ હિતનો માર્ગ છે.
હું અનાદિઅનંત ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, રાગ મારું મૂળ સ્વરૂપ નથી ને દેહાદિ તો મારાથી તદ્દન જુદાં
છે, આ રીતે અંતરમાં શુદ્ધ ચિદ્રૂપ તત્ત્વની ઓળખાણ કરીને સમ્યગ્જ્ઞાન કરે તો આત્માનું અપૂર્વ હિત પ્રગટે ને
ભવનો અંત આવે. આત્માના યથાર્થ જ્ઞાન વિના જ જીવને અત્યાર સુધી સંસાર પરિભ્રમણ થયું છે. જીવે બીજું
બધું અનંતવાર કર્યું છે પણ આત્માનું વાસ્તવિક જ્ઞાન કદી પણ કર્યું નથી; વ્રત–તપ અને પૂજા–ભક્તિના
શુભભાવ અનંતવાર કરી ચૂક્યો છે ને તેના ફળથી સ્વર્ગમાં અનંતવાર જઈ આવ્યો છે, પણ મારું સ્વરૂપ આ
રાગથી ને સંયોગથી પાર છે એમ પોતાના ચૈતન્યસ્વરૂપ તત્ત્વને અંતરમાં કદી લક્ષગત કર્યું નથી. ચૈતન્યસ્વરૂપ
જેટલો જ હું છું, સંયોગનો હું જાણનાર છું પણ સંયોગ તે હું નથી, રાગનો જાણનાર હું છું પણ રાગ તે હું નથી,
આ પ્રમાણે ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લેવું તે અનંતકાળમાં કદી નહિ કરેલ એવી અપૂર્વ ધર્મક્રિયા છે, ને તે
ક્રિયા મુક્તિનું કારણ છે.
હે જીવ! પૂર્વે કદી તેં તારા આત્માને જાણવાની દરકાર કરી નથી; હવે જ્ઞાનસ્વરૂપ આત્માને સત્સમાગમે
ઓળખવાનું ટાણું આવ્યું છે; તો હવે અંતરના પ્રયત્ન વડે આત્માની એવી અપૂર્વ સમજણ પ્રગટ કર કે જેથી
તારા ભવભ્રમણનો અંત આવી જાય.
હું ચૈતન્યસ્વરૂપ જાણનાર–દેખનાર છું, એ સિવાય બીજું મારું સ્વરૂપ નથી; પુણ્ય–પાપ અને સંયોગનો હું
જાણનાર છું પરંતુ તે કોઈ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો જ્ઞાન જ છે. વિકારને જાણતાં હું તે વિકાર–સ્વરૂપ
થઈ જતો નથી, પરંતુ હું તો જ્ઞાનરૂપ જ રહું છું. શુભ–અશુભ લાગણીઓ તો પહેલી ક્ષણે નવી ઉત્પન્ન થઈને
બીજી ક્ષણે પલટી જાય છે અને સંયોગો પણ પલટી જાય છે, તે કોઈ મારા આત્મા સાથે કાયમ રહેતાં નથી માટે
તે કોઈ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, હું તો અનાદિ અનંત એકરૂપ ચિદાનંદ સ્વરૂપ છું, મારું સ્વરૂપ મારાથી કદી
જુદું પડતું નથી. આ પ્રમાણે અંતરમાં શુદ્ધ ચિદાનંદ આત્માના સમ્યગ્જ્ઞાનથી જ ધર્મની શરૂઆત થાય છે, આ
સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી. માટે પોતાના ચૈતન્યતત્ત્વની રુચિ કરવી અને તેનું
યથાર્થ જ્ઞાન કરવું તે અપૂર્વ હિતનો ઉપાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વનો અનાદર કરીને

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૧૨ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
પુણ્ય–પાપની રુચિ કરવી તે તો ચોરાસીના અવતારનો ઊંડો પાયો છે, પોતાના સ્વભાવ સન્મુખ થઈને તેની
રુચિ કરવી તે મુક્તિનો પાયો છે, અને તેનાથી વિપરીત એવા વિકારની રુચિ કરવી તે સંસારનો પાયો છે. પુણ્ય
જુદી ચીજ છે ને ધર્મ જુદી ચીજ છે, પુણ્ય તો પરના અવલંબને થાય છે ને ધર્મ તો ચૈતન્યસ્વરૂપના અવલંબને
થાય છે; પુણ્ય તો આસ્રવ–બંધનું કારણ છે એટલે સંસારનું કારણ છે, અને ધર્મ તો સંવર–નિર્જરા–મોક્ષનું કારણ
છે; તેને બદલે અજ્ઞાની લોકો પુણ્ય અને ધર્મ બંનેને એક જ ચીજ માનીને, રાગને ધર્મ માને છે, તે ઊંધી
માન્યતામાં રાગનો આદર છે ને આત્માના ચિદાનંદસ્વભાવનો અનાદર છે, તે જ સંસારનું મૂળ કારણ છે. હું શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ છું ને રાગાદિ ભાવો મારા સ્વરૂપથી વિપરીત છે–જુદા છે, એ પ્રમાણે રાગરહિત ચિદાનંદસ્વરૂપને
ઓળખીને તેનો આદર કરવો તે મોક્ષનું કારણ છે.
[–વડાલ ગામમાં પૂ.ગુરુદેવના પ્રવચનમાંથી,
વીર સં. ૨૪૮૦, મહા સુદ ૯]
*
આત્માનું ધ્યેય
* આત્માનું ધ્યેય શું? કર્તવ્ય શું? અથવા ધર્મની ક્રિયા શું? તેની આ વાત છે.
* પ્રથમ શરીર વગેરેની ક્રિયા તે આત્માનું ધ્યેય નથી કેમકે તે તો
જડ છે–આત્માથી ભિન્ન વસ્તુ છે.
* અંદરમાં પુણ્ય–પાપના પરિણામ થાય તે પણ આત્માનું ધ્યેય
નથી, તે તો વિકાર છે–દુઃખનું કારણ છે.
* ભગવાન આત્મા આ મનુષ્યદેહથી પાર ચૈતન્યતત્ત્વ છે, તે
જાણનાર–દેખનાર છે, જો તે પોતે પોતાને જાણે દેખે તો આનંદનો અનુભવ
થાય ને પરમાનંદમય મુક્તદશા પામે. માટે પોતાનો શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ
આત્મા જ આ આત્માને ધ્યેયરૂપ છે; તેની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતારૂપ
ક્રિયા તે મોક્ષનું કારણ છે.
*
મનુષ્યપણામાં કરવા જેવું
જુઓ ભાઈ, આ મનુષ્ય દેહ મળવો અનંતકાળે મોંઘો છે, તો
મનુષ્યપણું પામીને વિચાર કરવો જોઈએ કે અરે, મારા આત્માનું હિત
કેમ થાય? મારો આત્મા અનાદિથી આ સંસારમાં રખડે છે તો હવે એવો
શું ઉપાય કરું કે જેથી સંસારભ્રમણનો અંત આવે ને આત્માની મુક્તિ
થાય? હું શરીરથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છું એમ પોતાના સ્વરૂપની
ઓળખાણ કરવી તે જ આ મનુષ્યપણામાં કરવા જેવું ધ્યેય છે, અને તે
જ ધર્મ છે.
આત્માની સંભાળ કરીને તેને જ્ઞાનનું ધ્યેય બનાવે તો આત્મામાં
તત્ત્વજ્ઞાનના અપૂર્વ તરંગ ઊછળે, તે મોક્ષનું કારણ છે. જ્ઞાન સ્વભાવ તો
એવો ને એવો અનાદિ અનંત છે પણ જીવે કદી પોતાના સ્વરૂપની
સંભાળ કરી નથી તેથી જ તે સંસારમાં રખડે છે. એક ક્ષણ પણ પોતાના
વાસ્તવિક સ્વરૂપની સંભાળ કરે તો મુક્તિ થયા વિના રહે નહિ.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૩ :
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
[૧૬]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
[અંક ૧૧૩થી ચાલુ]
* જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે : ‘પ્રભો! આત્મા કોણ છે ને કઈ રીતે
પ્રાપ્ત કરાય છે? ’
* શ્રી આચાર્યદેવ ઉત્તર આપે છે કે : ‘આત્મા અનંતધર્મોવાળું
એક દ્રવ્ય છે અને અનંત નયાત્મક શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે
તે જણાય છે.’
* તે આત્મદ્રવ્યનું ૪૭ નયોથી વર્ણન કર્યું છે; તેમાંથી નીચે મુજબ
૨૭ નયો ઉપરનાં પ્રવચનો આત્મધર્મ અંક ૧૧૩ સુધીમાં આવી ગયા છે.
(૧–૨) દ્રવ્યનય, પર્યાયનય (૩થી૯) અસ્તિત્વનય, નાસ્તિત્વનય ઈત્યાદિ સપ્તભંગ
(૧૦–૧૧) વિકલ્પનય, અવિકલ્પનય (૧૨થી૧૫) નામનય, સ્થાપનાનય, દ્રવ્યનય,
ભાવનય(૧૬–૧૭) સામાન્યનય, વિશેષનય (૧૮–૧૯) નિત્યનય, અનિત્યનય (૨૦–૧૧)
સર્વગતનય, અસર્વગતનય (૨૨–૨૩) શૂન્યનય, અશૂન્યનય (૨૪–૨૫) જ્ઞાનજ્ઞેયઅદ્વૈતનય,
જ્ઞાનજ્ઞેયદ્વૈતનય (૨૬–૨૭) નિયતિનય, અનિયતિનય;
હવે નીચે મુજબ ૨૦ નયો ઉપરનાં પ્રવચનો બાકી છે–
(૨૮–૨૯) સ્વભાવનય, અસ્વભાવનય (૩૦–૩૧) કાળનય, અકાળનય (૩૨–૩૩)
પુરુષકારનય, દૈવનય (૩૪–૩૫) ઈશ્વરનય, અનીશ્વરનય (૩૬–૩૭) ગુણીનય, અગુણીનય
(૩૮–૩૯) કર્તૃનય અકર્તૃનય (૪૦–૪૧) ભોકતૃનય, અભોકતૃનય (૪૨–૪૩) ક્રિયાનય,
જ્ઞાનનય (૪૪–૪૫) વ્યવહારનય, નિશ્ચયનય, (૪૬–૪૭) અશુદ્ધનય અને શુદ્ધનય.
આ પ્રમાણે ૪૭ નયોથી આત્માનું વર્ણન કરીને છેવટે આચાર્ય ભગવાન તેનું તાત્પર્ય
જણાવતાં કહેશે કે– ‘આ રીતે સ્યાત્કારશ્રીના વસવાટને વશ વર્તતા નય સમૂહો વડે જુએ
તોપણ અને પ્રમાણ વડે જુએ તોપણ સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ
ચૈતન્યમાત્ર દેખે છે જ.’ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય તે જ આ બધા નયોનું પરમાર્થ
તાત્પર્ય છે, કેમકે આત્માના જેટલા ધર્મો છે તે બધાય શુદ્ધ ચૈતન્યદ્રવ્યના આશ્રયે જ અભેદપણે
રહેલા છે. માટે બધા નયોના વર્ણનમાં આ વાત લક્ષમાં રાખવી.
[૨૮] સ્વભાવનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય સ્વભાવનયે સંસ્કારને નિરર્થક કરનારું છે; જેમ તીક્ષ્ણ કાંટો સ્વભાવથી જ
અણીવાળો છે, તેને કોઈથી અણી કાઢવામાં

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૧૪ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
આવતી નથી, તેમ આત્માનો જે એકરૂપ સ્વભાવ છે તેમાં સંસ્કાર નિરુપયોગી છે. સ્વભાવ–
નયથી જોતાં, આત્માનો જે સ્વભાવ છે તેમાં કોઈના સંસ્કાર પડતા નથી. સંસ્કાર તો ક્ષણિક
પર્યાયમાં કામ કરી શકે, ધ્રુવસ્વભાવ તો એકરૂપ છે તેમાં સંસ્કાર શું કરે? જેમ કે ભવ્યજીવનો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામવાની લાયકાતરૂપ ભવ્ય સ્વભાવ છે, તે ભવ્યજીવે અનાદિથી
પર્યાયમાં ગમે તેટલો અધર્મ કર્યો, મહાકષાય અને પાપભાવો કર્યાં છતાં તેનો ભવ્ય સ્વભાવ
પલટી જતો નથી એટલે પર્યાયના જે સંસ્કાર છે તે સ્વભાવમાં પડતા નથી, એ રીતે સ્વભાવમાં
સંસ્કારો નિરર્થક છે. પર્યાયમાં મહાકષાય હિંસા વગેરેના સંસ્કાર છે પણ તે સંસ્કાર
ધ્રુવસ્વભાવમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી; ધ્રુવસ્વભાવમાં પાપના સંસ્કાર પડીને, ભવ્યનો
સ્વભાવ પલટીને તે અભવ્ય થઈ જાય એમ કદી બનતું નથી. તીવ્ર પાપ કરે માટે ભવ્યમાંથી
અભવ્ય થઈ જાય–એમ પણ બનતું નથી; તેમજ વ્રત–તપ વગેરેના ઘણા શુભભાવ કરવાથી
અભવ્યનો સ્વભાવ પલટીને તે ભવ્ય થઈ જાય એમ પણ બનતું નથી. આ રીતે જેનો જે
સ્વભાવ છે. તે ફરતો નથી, એટલે સ્વભાવમાં સંસ્કાર કામ કરી શકતા નથી. ‘અનાદિથી
નિગોદમાં રખડયો અને પર્યાયમાં ઘણી અશુદ્ધતા કરી, તેના સંસ્કાર આત્મામાં પડી ગયા માટે
હવે કદી અશુદ્ધતા ટાળીને તેની શુદ્ધતા થઈ શકશે જ નહિ’ એમ નથી, કેમકે પર્યાયના સંસ્કાર
દ્રવ્યસ્વભાવમાં પડી ગયા નથી; પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા કરી હોવા છતાં દ્રવ્યસ્વભાવ
એવો ને એવો શુદ્ધ છે; તેનું અવલંબન કરતાં જ પર્યાયમાંથી અશુદ્ધતાના સંસ્કાર ટળીને
શુદ્ધતાના સંસ્કાર પ્રગટે છે.
આત્માનો સ્વભાવ એવો છે કે ક્ષણિક પર્યાયના સંસ્કારને તે નિરર્થક કરી નાંખે છે,
પર્યાયના વિકારને સ્વભાવમાં પ્રવેશવા દેતો નથી. અનાદિથી પર્યાયમાં ગમે તેટલા વિકાર
ભાવો કર્યાં પણ તે ભાવો ધ્રુવ ચૈતન્યસ્વભાવને ફેરવી નાંખવા સમર્થ નથી, ધ્રુવસ્વભાવને
અશુદ્ધ કરી નાંખે એવી તેની તાકાત નથી. કોઈ જીવ ઘણાં પાપ કરે માટે તેનો ચૈતન્યસ્વભાવ
મટીને તે જડ થઈ જાય એમ કદી બને નહિ, કેમકે આત્માનો સ્વભાવ સંસ્કારને નિરર્થક કરી
નાંખે છે.
જ્યાં આવા સ્વભાવનું ભાન થયું ત્યાં પર્યાયમાં પણ પૂર્વના અધર્મના સંસ્કાર ટળીને
અપૂર્વ ધર્મના સંસ્કાર પ્રગટ્યા. અહો! મારો આત્મા પર્યાયના વિકારના સંસ્કારને નિરર્થક કરી
નાંખે એવા સ્વભાવવાળો છે, પર્યાયના સંસ્કારો મારા સ્વભાવનાં બગાડી શકતા નથી, મારા
સ્વભાવમાં વિકાર પેઠો જ નથી એમ જ્યાં સ્વભાવની ખબર પડી, ત્યાં પૂર્વે જેટલા અધર્મભાવો
કર્યા હતા તેના સંસ્કાર નિરર્થક થઈ ગયા.
જેમ તીક્ષ્ણ કાંટો સ્વભાવથી અણીવાળો જ છે, કોઈએ તેને સંસ્કાર કરીને અણી કાઢી
નથી, તેમ ભગવાન આત્મા સ્વભાવથી જ અનાદિ અનંત ટંકોત્કીર્ણ જ્ઞાનમૂર્તિ છે, તેમાં કોઈથી
સંસ્કાર પડતા નથી. માટે હે ભાઈ! ક્ષણિક વિકારથી તું મૂંઝા નહિ, પણ આત્માના સ્વભાવને
જો, તારો સ્વભાવ ત્રિકાળ એવો ને એવો સિદ્ધસ્વરૂપી ભગવાન છે. જ્યાં પર્યાયે અંદર
સ્વભાવમાં જોયું ત્યાં પૂર્વના સંસ્કારને નિરર્થક જાણ્યા, ને વિકાર સાથેની એકતાબુદ્ધિ છૂટી ગઈ.
પર્યાયમાં વિકાર થાય તેથી આત્માનો સ્વભાવ કાંઈ હણાઈ જતો નથી, પરંતુ આથી કોઈ
એમ કહે કે ‘પર્યાયનો વિકાર સ્વભાવમાં નુકસાન કરતો નથી માટે ગમે તેવો વિકાર કરવો
તેમાં વાંધો નથી’ તો એમ કહેનારની દ્રષ્ટિ એકદમ ઊંધી છે, તે આ વાતને સમજ્યો જ નથી;

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૫ :
જે આ વાત સમજે તેને તો સ્વભાવદ્રષ્ટિ થઈ જાય એટલે પર્યાયમાં પણ તીવ્ર વિકાર તો તેને
હોય જ નહિ. ‘પર્યાયનો વિકાર સ્વભાવમાં નુકસાન કરતો નથી’ એમ કહેનાર કોની સામે
જોઈને તે કહે છે? સ્વભાવ સામે જોઈને કહે છે, જેની દ્રષ્ટિ સ્વભાવ સામે હોય તેને વિકારની
ભાવના હોય જ નહિ.
અહીં તો કહે છે કે હે ભાઈ! પૂર્વ વિકાર થઈ ગયો તેથી તું મૂંઝા નહિ, તે વિકારે તારા
આખા આત્મસ્વભાવને વિકારી કરી નાંખ્યો નથી. અરેરે! મેં ઘણાં પાપ કર્યાં, હવે મારું શું
થશે?’ એમ મૂંઝવણ ન કર; પાપ ક્યાં કર્યાં? માત્ર એક સમયની પર્યાયમાં તે પાપ થયાં છે.
પણ તારા ધ્રુવ ચૈતન્ય સ્વભાવમાં તે પાપ થયાં જ નથી; તે એક સમયની પર્યાયના સંસ્કારને
તારો સ્વભાવ નિરર્થક કરી નાંખે છે, માટે તે સ્વભાવની સામે જો. જેનો સ્વભાવ અલ્પકાળમાં
મોક્ષ જવાનો છે તેને પૂર્વના અધર્મભાવો રોકી શકે નહિ. જેમાંથી પરમાત્મદશા પ્રગટે એવો
સ્વભાવ આત્મામાં ત્રિકાળ છે. ચિદાનંદ ભગવાન એવો ને એવો ચૈતન્યમૂર્તિ છે, તેના
સ્વભાવને નવો બનાવવો પડતો નથી. જેમ મોરલો સ્વભાવથી જ રંગબેરંગી ચિત્રામણવાળો
હોય છે, તેને ચીતરવો પડતો નથી, તેમ આત્મામાં પરમાત્મદશા પ્રગટવાનો સ્વભાવ સ્વયંસિદ્ધ
છે, તે કોઈથી નવો બનતો નથી, તેમજ બીજા કોઈ સંસ્કારથી તે સ્વભાવને અન્યથા કરી શકાતો
નથી. તે સ્વભાવના આશ્રયે સમ્યક્ પુરુષાર્થ કરતાં પર્યાયમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે
સિદ્ધપદ પ્રગટે, પણ તે સ્વભાવમાંથી કાંઈ ઓછું થઈ જતું નથી; સ્વભાવનયથી તે એવો ને એવો
ત્રિકાળ એકરૂપ છે.
જુઓ, એક જીવને પર્યાયમાં ઓછું સામર્થ્ય વ્યક્ત થયું છે ત્યારે શક્તિમાં તેને ઘણું
સામર્થ્ય બાકી રહ્યું, ને પછી જ્યારે પર્યાયમાં ઘણું વધારે સામર્થ્ય વ્યક્ત થયું ત્યારે શક્તિમાં તેને
ઓછું સામર્થ્ય બાકી રહ્યું એમ બનતું હશે? ના; પર્યાયમાં અલ્પ નિર્મળતા હો કે ઘણી હો, પણ
શક્તિરૂપ સ્વભાવ તો એવો ને એવો જ પરિપૂર્ણ રહે છે, તેમાં કાંઈ હીનાધિકપણું થતું નથી. આ
રીતે સંસ્કારને નિરર્થક કરી નાંખે એવો આત્માનો સ્વભાવ છે. નિગોદ પર્યાય કે સિદ્ધપર્યાય,
અજ્ઞાનપર્યાય કે કેવળજ્ઞાન પર્યાય, તે દરેક વખતે પણ ધ્રુવ સ્વભાવ એવો ને એવો જ વિદ્યમાન
છે, તે સ્વભાવનો નાશ થઈ ગયો નથી તેમજ તેમાં જરાપણ હાનિ થઈ નથી. તેથી, ‘અરેરે!
અત્યાર સુધી અમે પાપ કર્યાં, હવે અમારું શું થશે?’ એમ મૂંઝવણ કરવાનું ન રહ્યું, કેમકે
સ્વભાવમાં તે સંસ્કાર પેસી ગયા નથી. જ્યાં દ્રષ્ટિ ફેરવીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં પાપના
સંસ્કાર રહેતા નથી. એક સમયમાં પર્યાય ફેરવીને સ્વભાવદ્રષ્ટિથી સમ્યગ્દર્શન થઈ શકે છે.
ધ્રુવસ્વભાવની મોટી ઓથ છે, તે સ્વભાવ બધા વિકારના સંસ્કારને નિરર્થક કરી નાંખે છે. માટે
હે ભાઈ! તું તારા આવા ધ્રુવસ્વભાવની રુચિ કર ને તેનું અવલંબન કર. હું ભગવાન
સિદ્ધપરમાત્મા જેવા નિત્યાનંદ અશરીરી શુદ્ધ ચૈતન્યમૂર્તિ સદાય એવો ને એવો છું, મારો
સ્વભાવ જરાય ઓછો થયો નથી આમ સહજ એકરૂપ સ્વભાવને જાણીને તેનું અવલંબન કરે
તેને જ વાસ્તવિકપણે સ્વભાવનય હોય છે.
–અહીં ૨૮ મા આત્માનું વર્ણન પૂરું થયું.
[૨૯] અસ્વભાવનયે આત્માનું વર્ણન
હવે અસ્વભાવનયથી આત્મા કેવો છે? તે કહે છે : ‘આત્મદ્રવ્ય અસ્વભાવનયે સંસ્કારને
સાર્થક કરનારું છું.’ જેમ તીરને સ્વભાવથી અણી હોતી નથી પણ સંસ્કાર કરીને લુહાર વડે
અણી કાઢવામાં આવી હોય છે, તેમ અસ્વભાવનયે આત્માને સંસ્કાર ઉપયોગી છે એટલે કે તેની

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૧૬ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. જુઓ, પર્યાયમાં અનાદિનું મિથ્યાત્વ છે માટે તે ફેરવીને હવે
સમ્યગ્જ્ઞાન ન થઈ કે એમ નથી, પણ સવળી રુચિના સંસ્કાર વડે અનાદિનું અજ્ઞાન ટળીને એક
ક્ષણમાં સમ્યગ્જ્ઞાન થઈ શકે છે. અનાદિકાળના ઊંધા ભાવોના સંસ્કાર ટાળીને વર્તમાન
પર્યાયમાં સવળા ભાવ થઈ શકે છે, એ રીતે આત્મા સંસ્કારને સાર્થક કરનાર છે.
આત્મામાં પૂર્ણાનંદ પરમાત્મસ્વભાવ ભર્યો છે, પણ અવસ્થામાં તે સ્વભાવને કદી માન્યો
નથી ને પોતાને તુચ્છ–પામર માન્યો છે, તે ઊંધી માન્યતા છોડીને, પૂર્ણાનંદ સ્વભાવની શ્રદ્ધા–
જ્ઞાન વડે તારી પર્યાયમાં એક ક્ષણમાં પરમાત્મપણાના સંસ્કાર થઈ શકે છે; માટે હે ભાઈ! ‘હું
પામર, હું પાપી’ –એવી તુચ્છ માન્યતાના સંસ્કાર કાઢી નાંખ, અને મારો આત્મા જ પરમાત્મા
છે’ એમ તારા સ્વભાવ સામર્થ્યની શ્રદ્ધા કરીને સ્વભાવના અપૂર્વ સંસ્કાર પ્રગટ કર. જુઓ,
આ આત્માના સંસ્કાર! લોકો કહે છે કે સારા સંસ્કાર પાડવા. તો આત્મામાં સારા સંસ્કાર કેમ
પડે તેની આ વાત છે. ભાઈ! પરના સંસ્કાર તારામાં નથી, ‘હું રાગી, હું જડનો કર્તા’ એવા જે
કુસંસ્કાર છે તે કાઢી નાંખ, અને ‘હું તો રાગરહિત ચિદાનંદ સ્વભાવ છું’ એમ અંતર–સન્મુખ
થઈને તારી પર્યાયમાં સ્વભાવના સંસ્કાર પાડ, તે જ ખરા સુસંસ્કાર છે. જેમ તીરમાં નવી અણી
કઢાય છે તેમ આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. માટે હે જીવ! તું મૂંઝા નહિ, ઘણા
કાળના ઊંધા સંસ્કાર તે હવે મારાથી કેમ ટળશે? એમ હતાશ ન થા, પણ હું મારા સ્વભાવની
જાગૃતિ વડે અનાદિના ઊંધા સંસ્કારને એક ક્ષણમાં દૂર કરીને અપૂર્વ સંસ્કાર પ્રગટ કરી શકું છું
એવું મારામાં સામર્થ્ય છે, એમ સ્વસામર્થ્યની પ્રતીત કરીને તું પ્રસન્ન થા.
અહીં તીરનું દ્રષ્ટાંત છે તે સિદ્ધાંત સમજાવવા માટે છે. તે તીર તો જડ છે, તેથી દ્રષ્ટાંતમાં
નિમિત્તથી એમ કહ્યું કે લુહાર વડે તેને અણી કઢાય છે, પરંતુ સિદ્ધાંતમાં તો ચૈતન્ય મૂર્તિ આત્મા
પોતે જ પોતાનો લુહાર છે એટલે કે પોતાની પર્યાયનું ઘડતર કરીને પોતે જ તેમાં સંસ્કાર
પાડનાર છે, કોઈ બીજો આત્માની પર્યાયને ઘડનાર નથી, એમ સમજવું. ‘હું પામર છું, મારે
પરચીજ વગર એક ક્ષણ પણ ન ચાલે?’ એવા ઊંધા સંસ્કાર છે, તેને બદલે ‘હું પોતે ચિદાનંદ
ભગવાન છું, મારે ત્રણેકાળ પરચીજ વિના જ ચાલે છે, પણ મારી પરમાત્મ–શક્તિ વગર મારે
એક ક્ષણ પણ ન ચાલે’ એમ સ્વસન્મુખ થઈને આત્મા પોતે પોતાની પર્યાયમાં સવળા સંસ્કાર
પાડી શકે છે. આત્મા સવળો થાય તો અનંતકાળના પાપ એક ક્ષણમાં પલટી જાય છે ને ધર્મના
અપૂર્વ સંસ્કાર પ્રગટે છે, માટે અવસ્થામાં આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે.
આત્મા કેવો છે તેનું આ વર્ણન ચાલે છે; આત્મામાં એક સાથે અનંત ધર્મો રહેલા છે.
તેમાં સ્વભાવનયથી જોતાં આત્મા સદા એકરૂપ છે. તેના સ્વભાવમાં કોઈ નવા સંસ્કાર પડતા
નથી; પણ અસ્વભાવનયથી જોતાં આત્માની અવસ્થામાં ક્ષણે ક્ષણે નવા સંસ્કાર થાય છે.
પર્યાયમાં અનાદિના ઊંધા સંસ્કાર છે તેને ફેરવીને સ્વભાવની રુચિ કરતાં સમ્યગ્દર્શન વગેરેના
નવા સંસ્કાર પડે છે, એટલે પર્યાયમાં પુરુષાર્થ સાર્થક થઈ શકે છે. દ્રવ્ય–સ્વભાવમાં તો કાંઈ
ફેરફાર થતો નથી, પણ પર્યાયમાં પુરુષાર્થ વડે ઊંડા સંસ્કાર પલટીને સવળા સંસ્કાર થઈ શકે
છે. ‘ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો’ એવા સ્વીકાર વડે પર્યાયમાં શુદ્ધ
સંસ્કાર પડે છે. એક સમયની પર્યાયનું પાપ ત્રિકાળી સ્વભાવમાં તો નથી, તેમજ

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૭ :
તે એક સમયની પર્યાયનું પાપ બીજા સમયની પર્યાયમાં પણ આવતું નથી, એટલે પહેલા સમયે
પાપ કર્યું માટે બીજા સમયે તે સુધરી ન શકે એમ નથી, બીજી પર્યાયમાં પોતે જેવા સંસ્કાર પાડે
તેવા પડી શકે છે; પોતાની સમય–સમયની પર્યાયનું ઘડતર કરવામાં આત્મા સ્વતંત્ર છે. સંસાર
તો એક સમય માત્રનો છે પણ ઊંધા સંસ્કારથી તેને મોટું રૂપ આપી દીધું છે, પણ જો
અંર્તસ્વભાવ તરફ વળે તો સ્વભાવના સંસ્કાર પડે ને સંસારના સંસ્કાર ટળે. ત્રિકાળી દ્રવ્યમાં
સંસ્કારની અસર નથી પણ પર્યાયમાં પોતે જેવા સંસ્કાર પાડે તેવા પડે છે. ભવ્ય સ્વભાવ
પલટીને અભવ્ય ન થાય, જીવ સ્વભાવ પલટીને અજીવ ન થાય, પણ અજ્ઞાન પલટીને
સમ્યગ્જ્ઞાન થાય, સંસાર પલટીને મોક્ષ થાય. આ રીતે પર્યાયમાં સંસ્કાર પડે છે.
પર્યાયમાં ઊંધા સંસ્કારને ફેરવીને સવળા સંસ્કાર થઈ શકે છે, જૂના સંસ્કાર ટળીને નવા
સંસ્કાર પ્રગટી શકે છે; અહીં પર્યાયના સંસ્કારને ફેરવી શકાય છે એમ કહ્યું તેથી એમ ન
સમજવું કે પર્યાયના ક્રમને ફેરવીને અન્યથા થઈ શકે છે. જે ક્રમબદ્ધપર્યાય છે તેનો ક્રમ તો કદી
તૂટતો જ નથી. પરંતુ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય કરનારને જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ થતાં
પર્યાયમાં નવા વીતરાગી સંસ્કાર શરૂ થાય છે, ત્યાં પણ પર્યાયનો તે પ્રકારનો જ ક્રમ છે. પરંતુ
પર્યાયમાં પહેલાંં તેવી નિર્મળતા ન હતી ને હવે જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી નિર્મળતા પ્રગટી તે
અપેક્ષાએ પર્યાયના સંસ્કાર ફર્યા કહેવાય, પણ કાંઈ પર્યાયનો ક્રમ ફર્યો નથી.
એક જીવ અનાદિથી નિગોદદશામાં હતો, અને નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષે
તે કેવળજ્ઞાન પામ્યો; ત્યાં તે જીવનો દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો એકરૂપ છે, પણ તે
સ્વભાવના આશ્રયે પર્યાયમાં નવા સંસ્કાર પડ્યા છે; દ્રવ્યસ્વભાવ તો તેનો તે જ છે પણ
પર્યાયમાં સંસ્કાર પલટી ગયા છે. નિગોદદશામાં તેવા સંસ્કાર ન હતા ને કેવળજ્ઞાન દશામાં તેવા
અપૂર્વ સંસ્કાર પડ્યા, છતાં દ્રવ્યસ્વભાવ એવો ને એવો છે.
જેને જેવા સંસ્કાર હોય તેને તેવા જ ભણકાર આવે. જેને સ્વભાવના સવળા સંસ્કાર
હોય તેને ભણકાર પણ સ્વભાવના આવે; સ્વપ્નમાં પણ તેને એવા ભણકાર જાગે કે ‘હું
વિમાનમાં બેસીને સિદ્ધલોકમાં જાઉં છું, મારા અસંખ્ય પ્રદેશ આ દેહથી જુદા પડી ગયા છે, હું
અલ્પકાળમાં ભગવાન થઈશ.’ અને સ્વભાવની તીવ્ર વિરોધના કરીને જેણે ઘણા ઊંધા સંસ્કાર
પાડ્યા હોય તેને આભાસ પણ એવો થાય કે ‘હું મરીને તિર્યંચમાં જઈશ, હું વાંદરી થઈશ, મને
કોઈક ખેંચી જાય છે.’ આ રીતે જેવા સંસ્કાર પાડે તેવા ભણકાર જાગે. માટે હે ભાઈ! તારી
પર્યાયને અંર્તસ્વભાવમાં વાળીને એવા સંસ્કાર પાડ કે ‘હું પરમાત્મા છું. આ સંસારને ટાળીને
હું હવે અલ્પકાળમાં પરમાત્મા થવાનો છું; મારી પર્યાયમાં મેં સ્વભાવના સંસ્કાર પાડ્યા તેથી
હવે ઊંધા સંસ્કાર મારામાં રહી જ ન શકે; મારી પર્યાયમાં મોક્ષના સંસ્કાર પાડતા હવે સંસાર
ક્યાંય રહે જ નહિ.’ આ રીતે પર્યાયને અંર્તસ્વભાવસન્મુખ કરીને આત્મામાં સ્વભાવના
સંસ્કાર પ્રગટ કરે તેને વિચાર અને સ્વપ્નાં પણ એવાં સારાં આવે કે હું સંતમુનિઓના ટોળામાં
બેઠો છું, હું ભગવાન થયો, મારું અસંખ્યપ્રદેશી ચૈતન્યબિંબ આ શરીરમાંથી છૂટું પડી ગયું.....આ
રીતે સ્વભાવના ભાનથી પર્યાયમાં અપૂર્વ સંસ્કાર પ્રગટ કરી શકાય છે. શુદ્ધસ્વભાવને પ્રતીતમાં
લઈને પર્યાયમાં તેના સંસ્કાર પાડતાં જેવો શુદ્ધસ્વભાવ છે તેવી જ શુદ્ધ પર્યાય થઈ જાય છે.
અનંતકાળના ઊંધા સંસ્કારની ગૂલાંટ

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૧૮ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
મારીને સવળા અપૂર્વ સંસ્કાર પ્રગટ કરવામાં માત્ર એક સમયનો સ્વાશ્રિત પુરુષાર્થ માંગે છે.
અરે! એક સેકંડનો ય અસંખ્યમો ભાગ! એકવાર એવો સમ્યક્ પુરુષાર્થ કરીને પર્યાયમાં
શુદ્ધસ્વભાવના સંસ્કાર પાડતાં અનાદિના ઊંધા સંસ્કાર ટળે છે ને અલ્પકાળમાં જ મુક્તિ થાય
છે.
જેમ દીકરીને સાસરે વળાવે ત્યારે તેનાં માબાપ તેને કરિયાવર આપે છે, તેમ અહીં
આચાર્ય ભગવાન આત્માને સંસારમાંથી મોક્ષમાં વળાવવા માટે તેને તેનો કરિયાવર બતાવે છે:
જો ભાઈ! તારા આત્મામાં અનંતા ધર્મો એક સાથે છે, તારા આત્માના અનંતા ધર્મની ઋદ્ધિ
તારામાં ભરી છે, તેને જાણીને તું ખુશી થા..... ખુશી થા! શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં ડૂબકી મારીને
પર્યાયમાં પ્રમોદ કર... આનંદિત થા...કે અહો! મારી સંપૂર્ણ ચૈતન્યરિદ્ધિનો દરિયો મારામાં ભર્યો
છે, શાંતરસનો સાગર મારા આત્મામાં ઊછળી રહ્યો છે.
જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે પ્રભો! આ આત્મા કોણ છે? તેને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ
પણે સમજાવવા માટે અહીં આચાર્ય ભગવાને ૪૭ નયોથી આત્માનું વર્ણન કર્યું છે. આ ૪૭
નયોમાં સપ્તભંગી (અસ્તિત્વ–નાસ્તિત્વ વગેરે) ના સાત નયો છે, નામ–સ્થાપના–દ્રવ્ય ને
ભાવ એ ચાર બોલના ચાર નયો છે, અને દ્રવ્ય–પર્યાય, નિત્ય–અનિત્ય ઈત્યાદિ અઢાર જોડકાંના
છત્રીસ નયો છે. આ પ્રમાણે ૪૭ નયોથી વર્ણન કરીને છેવટે આચાર્યદેવ કહેશે કે સ્યાદ્વાદ
અનુસાર કોઈપણ નયથી જુઓ, કે પ્રમાણથી જુઓ, તોપણ અંદરમાં અનંતધર્મવાળો પોતાનો
આત્મા શુદ્ધચૈતન્યમાત્ર દેખાય છે. માટે આવા શુદ્ધચૈતન્યમાત્ર આત્મસ્વભાવને અંર્તદ્રષ્ટિથી
દેખવો તે જ બધા નયોનું તાત્પર્ય છે. કેમકે નય જે ધર્મને વિષય કરે છે તે એક ધર્મ કાંઈ જુદો
રહેતો નથી, તે ધર્મ તો ધર્મી એવા અભેદ આત્માના આશ્રયે જ રહેલો છે એટલે અખંડ ધર્મી
એવો જે શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા, તેને દ્રષ્ટિમાં લીધા વિના તેના એકેક ધર્મનું જ્ઞાન પણ સાચું
ન થાય, એટલે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ વગર એકપણ નય સાચો હોય નહિ. માટે
બધાય નયોના વર્ણનમાં શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ તો સાથે ને સાથે રાખીને સમજવું.
–૨૯ મા અસ્વભાવનયથી આત્માનું વર્ણન અહીં પૂરું થયું.
કેવળજ્ઞાન થવાની તાકાત
કેવળજ્ઞાન અને મોક્ષદશા તે આત્માની શુધ્ધ સ્વભાવપર્યાય છે, તે પર્યાય
નવી પ્રગટે છે. ક્યાંથી પ્રગટે છે? કે દ્રવ્યમાં તેવી શક્તિ છે તેમાંથી તે પ્રગટે છે.
પર્યાયમાં જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટે છે તે દ્રવ્યસ્વભાવમાં તાકાત પડી
છે તેમાંથી જ પ્રગટે છે. જો દ્રવ્યના સ્વભાવમાં તાકાત ન હોય તો પર્યાયમાં
આવે નહિ. સિદ્ધ ભગવંતોને અને અરિહંત ભગવંતોને જે કેવળજ્ઞાન પ્રગટ્યું છે
તે દ્રવ્યની તાકાતમાંથી જ પ્રગટ્યું છે. માટે જેણે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટ
કરવી હોય તેણે દ્રવ્યના સ્વભાવની તાકાતનો નિર્ણય કરીને તેનું જ અવલંબન
લેવું જોઈએ. દ્રવ્યસ્વભાવનું અવલંબન કરતાં તેમાં જે તાકાત ભરી છે તે તાકાત
પર્યાયમાં પ્રગટી જાય છે. આ રીતે દ્રવ્યસ્વભાવના અવલંબન સિવાય બીજો કોઈ
મોક્ષનો ઉપાય નથી. કોઈ નિમિત્તોમાં, રાગમાં કે અલ્પજ્ઞતામાં કેવળજ્ઞાનની
તાકાત ભરી નથી, તેથી તે કોઈના અવલંબને કેવળજ્ઞાન થતું નથી.
(–ચર્ચામાંથી)

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૯ :
ચૈતન્યની
પ્રીતિ અને પ્રાપ્તિ
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તેની સાચી ઓળખાણ કે પ્રીતિ જીવે કદી કરી નથી. જો ચૈતન્ય સ્વરૂપને સમજે
તો તે સમજાવનાર સાચા દેવ–ગુરુ પ્રત્યે પણ પ્રીતિ અને ઉલ્લાસ આવે. ખરેખર સમજણના લક્ષે સત્ નિમિત્તો
પ્રત્યે પણ સાચી પ્રીતિ જીવે કદી કરી નથી. જે શરીરાદિકને પોતાનાં માને છે, રાગથી ધર્મ માને છે, કુદેવ–કુગુરુનો
આદર કરે છે એવા મોહી જીવને ચિદાનંદસ્વરૂપ આત્માનો પ્રેમ અનાદિથી આવ્યો નથી તેથી તેને તે
ચિદાનંદસ્વભાવ અગમ્ય છે. અજ્ઞાનીને બહારનો અને રાગનો પ્રેમ છે તેથી બહારથી ને રાગથી ધર્મ મનાવનારા
પ્રત્યે પણ તેને પ્રીતિ છે, પણ રાગ રહિત ભગવાન આત્માના ચિદાનંદસ્વભાવનો પ્રેમ તે કદી કરતો નથી, તેમજ
તે સ્વભાવ સમજાવનારા જ્ઞાનીને ઓળખીને તેના પ્રત્યે યથાર્થ પ્રેમ કદી કર્યો નથી, તેથી અજ્ઞાની મોહી જીવને
ચૈતન્યસ્વરૂપ આત્મા અગમ્ય છે; ચૈતન્યસ્વરૂપ આત્માને જાણ્યા વિના તે અનાદિકાળથી સંસારમાં રખડી રહ્યો
છે. જેને શુદ્ધચિદ્રૂપ આત્માનો પ્રેમ અને ઓળખાણ નથી, ને તે સિવાય પુણ્યની કે પુણ્યના ફળની પ્રીતિ છે તથા
તે પુણ્યથી ધર્મ મનાવનારા પ્રત્યે આદર છે–એવા જીવને સંસાર પરિભ્રમણ કદી મટતું નથી. જેને પોતાનો આત્મા
ખરેખર વહાલો લાગ્યો હોય તે જીવ રાગથી હિત માને નહિ–રાગની પ્રીતિ કરે નહિ, તેમજ રાગથી ધર્મ
મનાવનારા કુદેવ–કુગુરુ પ્રત્યે તેને પ્રીતિ આવે નહિ. અહો! આત્મા ચિદાનંદસ્વરૂપ ભગવાન છે એમ બતાવનારા
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનો આદર અને પ્રીતિ કર્યા વિના, તથા તેનાથી વિરુદ્ધ–રાગથી ધર્મ કહેનારા એવા
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને સાક્ષાત્ આત્મઘાતના નિમિત્ત જાણીને છોડ્યા વિના, જીવનું કદી કલ્યાણ થાય નહિ.
અહીં કહે છે કે નિર્મોહી જીવને શુદ્ધચિદ્રૂપ આત્માની પ્રાપ્તિ સુગમ છે; અહીં પ્રથમ દર્શનમોહના નાશરૂપ
નિર્મોહીપણાની વાત છે. નિર્મોહી દશા પ્રગટ કરનારને નિમિત્ત તરીકે પણ નિર્મોહી દેવ–ગુરુ જ હોય; જેને
ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન નથી અને રાગને જ સ્વભાવ માને છે એવા જીવો તો મોહી છે, નિર્મોહદશા પ્રગટ
કરનારને એવા મોહી જીવોનું સેવન હોય નહિ. સત્સમાગમે સત્–અસત્નો નિર્ણય કરીને, અંતરમાં
શુદ્ધઆત્મસ્વરૂપની પ્રીતિ વડે જેણે મોહનો નાશ કર્યો એવા જીવને ચૈતન્યતત્ત્વની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. ચૈતન્યના
ભાન વિના સંસાર પરિભ્રમણમાં જેટલો કાળ વીત્યો તેટલો કાળ સંસારનો નાશ કરીને મોક્ષદશા પ્રગટ કરવામાં
ન લાગે, માટે કહે છે કે અંતરમાં ચૈતન્યની પ્રીતિ કરતાં શીઘ્ર તેની પ્રાપ્તિ થાય છે. ચોથા ગુણસ્થાને ગૃહવાસમાં
રહેલા સમકિતી જીવ પણ નિર્મોહી છે, તેણે અંર્તશ્રદ્ધામાં શુદ્ધચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કરી લીધું છે. અને દ્રવ્યલિંગી
દિગંબર જૈન સાધુ થઈને પંચમહાવ્રત પાળે પણ તે મહાવ્રતના શુભવિકલ્પને આશ્રિત મોક્ષમાર્ગ માને તો તે જીવ
મોહી છે, તેણે ચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કર્યું નથી પણ તે વિકલ્પમાં જ અટક્યો છે.
દુઃખ ટાળીને સુખ મેળવવા માટે જીવ અનંતકાળથી ઝાંવા નાંખે છે, પણ અંતરના ચૈતન્યતત્ત્વમાં સુખ છે
તેને ચૂકીને બહારમાં તે સુખ શોધે છે, તેથી તેને સુખ મળતું નથી તે સંસારમાં જ રખડે છે. ચૈતન્યનું સુખ
બહારમાં માનવું તે મોહ છે ને તે મોહથી જીવ દુઃખી છે. મારું સુખ મારા અંર્તસ્વભાવમાં જ છે, બહારમાં મારું
સુખ નથી એમ ઓળખીને આત્મસ્વભાવની પ્રીતિ કરે તો એવા નિર્મોહી સમકિતી જીવને પોતાના આનંદ સ્વરૂપ
આત્માની શીઘ્ર પ્રાપ્તિ થાય છે એટલે કે આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
અજ્ઞાની જીવ પર વસ્તુને પોતાની માને છે અને અનાદિથી તેને પોતાની કરવા મથે છે, પરંતુ પરનો એક
રજકણ પણ કદી તેનો થયો નથી; પર વસ્તુ આત્માથી જુદી છે તેને પોતાની કરવી અશક્ય છે. અંતરમાં ચૈતન્ય
સ્વરૂપ આત્મા છે તે પોતાની વસ્તુ છે, જો તેની પ્રીતિ કરીને અંતરમાં તેની પ્રાપ્તિનો ઉદ્યમ કરે તો તે શીઘ્ર પ્રાપ્ત
થાય છે–તેનો અનુભવ પ્રગટ થાય છે. શરીર વગેરે પર ચીજો આત્માથી જુદી છે, તે આત્માને આધીન નથી પણ
શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા તે પોતાની ચીજ છે, અંતર્મુખ થઈને જ્યારે તેનો અનુભવ કરવા માંગે ત્યારે થઈ શકે
છે.
(વીર સં. ૨૪૮૦, મહા સુદ ૯ વડાલ ગામમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૨૦ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
(પાના નં. ૨૦૮ થી ચાલુ)
ઉપયોગને વાળતો નથી. જેમ કસ્તૂરી મૃગની ડૂંટીમાંથી જ સુગંધ આવે છે પણ તેને પોતાની
સુગંધનો વિશ્વાસ આવતો નથી એટલે બહારમાંથી સુગંધ આવે છે–એમ માનીને તે બહાર ભટકે
છે; તેમ આનંદ તો આત્માના સ્વભાવમાં જ ભર્યો છે; સિદ્ધ ભગવંતોને જે આનંદનો અનુભવ
છે તે આનંદ આત્મામાંથી જ પ્રગટ્યો છે, અને આ આત્માના સ્વભાવમાં પણ તેવો આનંદ
ભર્યો છે, પણ અનાદિથી જીવને પોતાના સ્વભાવનો વિશ્વાસ આવતો નથી તેથી બહારમાં ને
રાગમાં આનંદ માનીને ભવવનમાં ભટકે છે. તેને જ્ઞાની સમજાવે છે કે અરે ભાઈ! તું શાંત થા!
શાંત થા! તું કોણ છો તેની ઓળખાણ કર. જેવા સિદ્ધભગવાન છે તેવી જ તારા આત્માની જાત
છે, તારો આત્મા પોતે જ આનંદથી ભરેલો છે. આ શરીર તો જડ–પુદ્ગલનું ઢીંગલું છે તેમાં
ક્યાંય તારો આનંદ નથી. ને રાગમાં આકુળતા છે, તેમાં પણ તારો આનંદ નથી.તારો અવિકારી
ચિદાનંદ આત્મા જ આનંદસ્વરૂપ છે, માટે તેમાં જ તારા આનંદને શોધ. પહેલાંં આવા આત્માની
સન્મુખ થઈને તેની સમ્યક્ પ્રતીતિ કરતાં નિર્વિકલ્પ આનંદનો અંશ અનુભવમાં આવે છે. આવી
પ્રતીતિ પૂર્ણાનંદરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનું પહેલું સોપાન છે.
આ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સાચી સમજણ કરવી તે જ જ્ઞાનની અપૂર્વ કળા છે, એ
સિવાય જગતના ડહાપણની કળામાં આત્માને કાંઈ લાભ નથી. બહારની કળા ભલે ન આવડે
પણ જેણે અંતરની ચૈતન્યકળા જાણી તે જીવ મોક્ષના પંથે છે; અને જેણે અંતરની ચૈતન્યકળા ન
જાણી, તે ભલે બીજી ગમે તેટલી કળા જાણતો હોય તોપણ તે મોક્ષના પંથે નથી. જુઓ, ઘણાં
શાસ્ત્રો વાંચે ને ઘણું ભણે પછી જ આ વાત સમજાય એમ નથી, અંતરમાં પાત્ર થઈને પ્રયત્ન
કરતા આઠ–આઠ વર્ષનાં બાળકો પણ આ વાત સમજી જાય છે ને અપૂર્વ આત્મકલ્યાણ પામી
જાય છે. મહાવિદેહમાં અત્યારે ભગવાન સીમંધર પરમાત્મા અરિહંતપણે બિરાજે છે, ત્યાં
ભગવાનની ધર્મસભામાં આઠ આઠ વર્ષની રાજકુંવરીઓ પણ આ વાત સમજે છે; ભગવાનની
વાણી સાંભળતાં જ અંદર ઊતરી જાય છે કે : અહો! અમે તો આત્મા છીએ, આ દેહ અમે નથી,
અમે દેહથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ છીએ. આમ અંતરમાં ઊતરીને આત્માનો અનુભવ કરતાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની અપૂર્વ કળા પ્રગટે છે. જ્યાં આવું અપૂર્વ આત્મભાન થયું ત્યાં
ધર્મી જીવ બહારના સંયોગના ઠાઠથી પોતાના ચૈતન્યની શોભા માનતા નથી; શરીરની શોભા તે
અમારી શોભા નથી, અમારી શોભા તો અમારા સ્વભાવથી છે; જેમ મૃતક કલેવરને ચંદનની
શૈયા ઉપર સૂવાડો ને સુગંધી ફૂલના હાર પહેરાવો પણ તેમાં ક્યાંય તે શોભા માનતું નથી, તેમ
જેના અંતરમાંથી મોહનો નાશ થઈ ગયો છે એવા ધર્માત્મા શરીરથી કે રાગથી પોતાની શોભા
માનતા નથી, પોતાના ચૈતન્યસ્વભાવની શોભા પાસે બીજે બધેયથી તેની દ્રષ્ટિ ઊડી ગઈ છે.
અજ્ઞાની તો પોતાના ચૈતન્યસ્વભાવની શોભાને ચૂકીને પરને સારાં માને છે, પરથી મારી શોભા
એટલે કે હું નમાલો એમ તે પોતાના આત્માને તુચ્છ માને છે. પણ ભાઈ! તું વિચાર તો કર કે
પરને તું મોટાઈ આપે છે તો તારા પોતામાં કાંઈ મોટાઈ ખરી કે નહિ? પરને જાણતાં ‘આ
સારું’ એમ તું માને છે, પણ તેને જાણનારું તારું જ્ઞાન છે તે જ્ઞાનમાં કાંઈ સારાપણું છે કે નહિ?
ભગવાન! તારી શોભા તો તારા જ્ઞાનસ્વભાવમાં જ છે. અરિહંત અને સિદ્ધ ભગવંતોને જે
પરમાત્મદશા પ્રગટી તે ક્યાંથી આવી?

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૨૧ :
આત્મામાંથી જ પ્રગટી કે બહારથી આવી? આત્મામાં જ પરમાત્મદશા પ્રગટવાની તાકાત
છે, તારા આત્મામાં પણ તેવી તાકાત ભરી છે. તેમાંજ તારી શોભા અને મોટપ છે. જ્યાં
અંતરમાં આવા આત્મસ્વભાવનું ભાન થયું ત્યાં ધર્મીની દ્રષ્ટિ ને રુચિ પલટી જાય છે. જેમ
કુંવારી કન્યા બાપના ઘરને અને તેની મૂડીને પોતાનાં કહેતી હોય, તેના બાપ પાસે કરોડની
મૂડી હોય તો તે પણ કહે કે અમે કરોડપતિ છીએ. પણ જ્યાં તેનું સગપણ કર્યું ત્યાં તેની
દ્રષ્ટિ પલટી જાય છે કે આ બાપના ઘરની મિલ્કત મારી નહિ પણ જ્યાં સગપણ કર્યું તે
ઘરની મૂડી મારી. હજી બાપના ઘરે રહે છે પણ તે ઘરની મૂડીને પોતાની માનતી નથી.
જુઓ, સગપણ કર્યું ત્યાં એક ક્ષણમાં દ્રષ્ટિ પલટી ગઈ. તેમ અજ્ઞાની જીવ અનાદિથી
પોતાના ચૈતન્ય–સ્વભાવની મૂડીને ચૂકીને રાગને અને સંયોગને પોતાની મૂડી માનતો હતો,
પણ જ્યાં સત્સમાગમે શ્રવણ કરતાં અંતરના ચિદાનંદસ્વભાવ સાથે સગાઈ કરી ત્યાં એક
ક્ષણમાં તેની દ્રષ્ટિ પલટી જાય છે કે હું તો ચૈતન્ય છું, મારા જ્ઞાન–આનંદની મિલ્કત મારામાં
જ છે; પરમાં મારું સુખ નહિ ને પરથી મારી શોભા નહિ, મારું સુખ ને મારી શોભા તો
મારા આત્મામાં જ છે. હજી બહારમાં સંયોગો તેમજ રાગ વર્તતા હોવા છતાં ધર્મીને તેમાંથી
સ્વામીપણું છૂટી ગયું છે, પોતાના ચિદાનંદ સ્વભાવ સિવાય રાગનો કે સંયોગનો સ્વામી
ધર્મી થતો નથી. કુળ–કુટુંબ વગેરે સંયોગથી કાંઈ શોભા મનાવે તો ધર્મી કહે છે કે શરીરનાં
કુળ કે કુટુંબ તે અમારાં નથી ને તેનાથી અમારી શોભા નથી. અમે તો કેવળી ભગવાનના
કુટુંબી છીએ ને સિદ્ધ ભગવાનના કુળના છીએ, જેવો ભગવાનનો આત્મા છે તેવો જ
અમારો આત્મા છે. ભગવાનની ને અમારી એક જ જાત છે. અમે પણ અમારા
સ્વભાવમાંથી અમારું સિદ્ધપણું પ્રગટ કરવાના છીએ. આત્માના સ્વભાવની આવી દ્રષ્ટિ
પ્રગટ કરવી તે ધર્મની શરૂઆત છે.
જુઓ, આ મુદ્દાની અને સમજવા જેવી વાત છે, આ મૂળ વાત સમજ્યા વિના બીજા
ઉપાયો કરે તેનાથી કલ્યાણ થાય તેમ નથી. જેમ કોઈ માણસ નામું મેળવવા બેસે તેમાં
પરચૂરણ રકમો તો કબૂલે ને મૂળ મોટી રકમ આવે તે ઊડાડે, તો તે દેણામાંથી છૂટે નહિ;
તેમ આ આત્મસ્વભાવની સમજણ કરવી તે મૂળ વાત છે, કોઈ જીવ દયા–દાન વગેરે
શુભરાગની વાત તો કરે પણ જો આત્મસ્વભાવની સાચી સમજણ ન કરે તો તે જન્મ–
મરણના ફેરામાંથી છૂટે નહિ. પુણ્યથી ને સંયોગથી લાભ થાય એવી વાત તો જીવને
અનાદિથી બેઠી છે, પણ ચૈતન્યતત્ત્વ પુણ્યથી ને સંયોગથી પાર છે એવી સાચી સમજણ તેણે
પૂર્વે કદી કરી નથી. તેથી તેનું ભવભ્રમણ અટક્યું નહિ. અરેરે આત્મા! અનાદિકાળથી
ચોરાસીના અવતારમાં પરિભ્રમણ કરતાં તારા જન્મ–મરણનો હજી આરો ન આવ્યો, તો
હવે આવા અવસર પામીને વિચાર તો કર કે આત્માનું પરિભ્રમણ કેમ મટે? ને આત્માની
મુક્તિ કેમ થાય? આ દેહ તો રાખમાં મળી જશે. જો સત્સમાગમે અંતરના ચૈતન્યરત્નને ન
જાણ્યું તો ચાર ગતિમાં રખડવાનો ક્યાંય આરો નથી. માટે આ વાત સમજીને આત્માનું
હિત કરી લેવા જેવું છે.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૨૨ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
ભેદવિજ્ઞાનની પ્રશંસા
અને તેનો ઉપાય
[વીર સંવત ૨૪૮૦, પોષ વદ ૧૩ ના રોજ રાજકોટ શહેરમાં પૂજ્ય ગુરુદેવનું પ્રવચન]
ભેદજ્ઞાનથી જ જીવને સંવર થાય છે, માટે તે ભેદજ્ઞાન અત્યંત
પ્રશંસનીય છે; ભેદજ્ઞાન સિવાય અજ્ઞાની જીવ ગમે તેટલાં વ્રતાદિક કરે
તોપણ તે પ્રશંસનીય નથી. હું અખંડ જ્ઞાન આનંદસ્વરૂપ છું એવી
અંતર્મુખદ્રષ્ટિ કરવી તે ભેદજ્ઞાનની ક્રિયા છે; જે જીવ એક સેકંડ પણ
આવું અપૂર્વ ભેદજ્ઞાન કરે તેને અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ.
આ સંવર અધિકાર છે. સંવર તે ધર્મ છે અને તેનું મૂળ કારણ ભેદવિજ્ઞાન છે. હું પરથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ
છું, ક્રોધાદિક પણ મારા સ્વરૂપથી ભિન્ન છે–એવું યથાર્થ ભેદજ્ઞાન અનાદિકાળમાં એક સેકંડ પણ જીવે કર્યું નથી, અને
ક્રોધાદિકમાં જ પોતાપણું માનીને અનાદિથી સંસારમાં રખડે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ને ક્રોધાદિભાવો વિકાર સ્વરૂપ
છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં ક્રોધાદિક નથી અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી, આ રીતે તે બંનેનું જુદાપણું ઓળખીને,
જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ્ઞાનની એકતા થાય ને ક્રોધાદિક વિકારથી ભિન્નતા થાય તેનું નામ ભેદજ્ઞાન છે; આત્મામાં આવું
અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે સંવર થવાનો ઉપાય છે; અને તે જ ધર્મ છે. તથા તે જ મોક્ષનું કારણ છે. આ રીતે
ભેદજ્ઞાન તે જ સંવર થવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે તેથી અહીં આચાર્યદેવ માંગળિક તરીકે તે ભેદજ્ઞાનની પ્રશંસા કરે છે :–
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં,
છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧
ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨
–આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩
(સમયસાર–સંવરઅધિકાર)
ચૈતન્યતત્ત્વની આ વાત જીવોને અનાદિથી અજાણી છે તેથી ધ્યાન રાખીને આ સમજવા જેવું છે. પોતાના
જ્ઞાનાનંદ સ્વભાવમાં અંર્તમુખ દ્રષ્ટિથી આત્મા જે નિર્મળ દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ઉપયોગની ક્રિયા કરે તેમાં
આત્મા છે; પણ ક્રોધાદિકમાં આત્મા નથી. અહીં ‘ક્રોધ’ કહેતાં સામાન્ય ક્રોધની વાત નથી પણ ‘રાગ તે હું’ એવી
વિકારમાં એકત્વબુદ્ધિથી ચૈતન્યનો જે અરુચિ ભાવ તે ક્રોધ છે, તેમાં આત્મા નથી. આત્મા અનાદિ અનંત
ઉપયોગ–સ્વરૂપ છે, તે પોતાના નિર્મળ ઉપયોગમાં જ છે પણ ક્રોધદિમાં તે નથી; અને ક્રોધાદિકમાં તે ક્રોધાદિ છે
પણ ઉપયોગમાં ક્રોધાદિ નથી. આ રીતે ‘ઉપયોગ–સ્વરૂપ આત્મા’ અને ‘ક્રોધાદિસ્વરૂપ આસ્રવો’ એ બંનેનું
યથાર્થ ભેદજ્ઞાન થતાં જીવ પોતાના ઉપયોગ સ્વરૂપ આત્મામાં જ એકતા કરીને પોતાના શુદ્ધ ઉપયોગ ભાવને જ
કરે છે, પરંતુ શુદ્ધ ઉપયોગ સિવાય ક્રોધાદિ ભાવોને પોતામાં જરાપણ કરતો નથી, તેથી તેને તે ક્રોધાદિકનો સંવર
થાય છે. આ રીતે ભેદજ્ઞાનથી જ જીવને સંવર થાય છે માટે તે ભેદજ્ઞાન અત્યંત પ્રશંસનીય છે. આવા ભેદજ્ઞાન
સિવાય અજ્ઞાની જીવ ગમે તેટલાં વ્રતાદિક કરે તોપણ તે પ્રશંસનીય નથી.
પહેલાંં તો સત્સમાગમે આ વાત લક્ષમાં લેવી જોઈએ, પછી અંતરના અભ્યાસ વડે પ્રયત્ન કરતાં તેનું વેદન
થાય. હજી સત્સમાગમે સાચો નિર્ણય પણ જે ન કરે તેને અનુભવ તો ક્યાંથી થાય? સત્સમાગમે જ્ઞાન અને ક્રોધના
ભેદનો બરાબર નિર્ણય કરીને, ‘હું જ્ઞાતા–દ્રષ્ટા શુદ્ધ ઉપયોગમય છું’ એમ સ્વભાવ સન્મુખ વલણથી રાગનો અભાવ
કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે તેના આધારે આત્મા છે, પણ રાગના આધારે આત્મા નથી. નિર્મળ

PDF/HTML Page 20 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૨૩ :
પર્યાય પ્રગટી તેની સાથે આત્માનું અભેદપણું છે પણ ક્રોધાદિ સાથે આત્માને અભેદપણું નથી. સ્વભાવ સન્મુખ
થઈને જે વીતરાગી જ્ઞાનદશા પ્રગટી તેને આત્મા સાથે અભિન્નપણું છે ને ક્રોધાદિથી ભિન્નપણું છે; જ્ઞાનને
અંર્તસ્વભાવમાં વાળીને એકાગ્ર કરતાં જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી ક્રિયા થાય તેમાં આત્મા છે, અને
ક્રોધાદિકનો તે ક્રિયામાં અભાવ છે. આવું ભેદજ્ઞાન કરવું તે અવિપરીતજ્ઞાન છે એટલે કે સમ્યગ્જ્ઞાન છે. આ સિવાય
રાગાદિભાવોથી લાભ થવાનું માને કે રાગને કારણે જ્ઞાન માને તો તેને જ્ઞાન એ ક્રોધાદિનું ભેદજ્ઞાન નથી પણ
વિપરીતજ્ઞાન છે એટલે કે મિથ્યાજ્ઞાન છે. તે મિથ્યાજ્ઞાન સંસારનું કારણ છે અને ભેદજ્ઞાન તે મુક્તિનું કારણ છે.
જુઓ આ વાત અપૂર્વ છે, અજ્ઞાનપણે જીવે વ્રત–તપ બધું કર્યું પણ ભેદજ્ઞાનની આ વાત કદી સમજ્યો નથી;
આ વાત યથાર્થપણે સંભળાવનારા જ્ઞાની મળવા પણ દુર્લભ છે, અને સમ્યગ્જ્ઞાનીના નિમિત્ત વગર આ વાત સમજાય
તેવી નથી. ભેદજ્ઞાનની લાયકાતવાળા જીવને પોતાના ભાવમાં નિમિત્ત તરીકે સત્ નિમિત્તનો જ આદર હોય, અસત્
નિમિત્તોને તે આદરે નહિ. હજી નિમિત્તમાં પણ જેની ભૂલ છે, નિમિત્ત જ જેનાં ખોટાં છે, કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને
નિમિત્ત તરીકે જે આદરે છે તેને તો ઉપાદાનમાં પણ સત્ની પાત્રતા નથી, કોઈકના શબ્દો લઈને તે ભલે અધ્યાત્મની
વાતો કરે પણ તેને યથાર્થ ભેદજ્ઞાન હોય જ નહિ. જેને પોતાના ઉપાદાનમાં ભેદજ્ઞાનની લાયકાત થઈ છે તેને નિમિત્ત
તરીકે યથાર્થ ભેદજ્ઞાનનું સ્વરૂપ બતાવનારા સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો જ આદર હોય. આમ છતાં પણ નિમિત્તના
અવલંબને ભેદજ્ઞાન થતું નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પણ અનંતવાર મળ્‌યા, પરંતુ જીવે પોતામાં ઉપાદાનની પાત્રતા
પ્રગટ ન કરી તેથી ભેદજ્ઞાન ન થયું ને નિમિત્ત–નૈમિત્તિકનો યથાર્થ મેળ ન થયો. અહીં તો ભેદજ્ઞાનની સૂક્ષ્મ વાત છે.
નિમિત્તથી તો આત્મા જુદો છે, ને નિમિત્ત તરફનો જે ભાવ થાય તેનાથી પણ ચૈતન્યસ્વરૂપ આત્મા જુદો છે; નિમિત્ત
કે નિમિત્ત તરફનો વિકારી ભાવ, તેમાં આત્મા નથી, માટે નિમિત્તની રુચિ છોડી, નિમિત્ત તરફના રાગની પણ રુચિ
છોડી, તે વખતની જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને, ‘હું અખંડ જ્ઞાન–આનંદ સ્વરૂપ છું’ એવી અંતર્મુખ દ્રષ્ટિ કરવી તે
ભેદ જ્ઞાનની ક્રિયા છે, તેમાં આત્મા છે એટલે કે આવી અંતર્મુદ્રષ્ટિથી આત્મા અનુભવમાં આવે છે ને ભેદજ્ઞાન થાય છે.
આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે સંવર ને મુક્તિનો ઉપાય છે. જે જીવ એક સેકંડ પણ આવું અપૂર્વ ભેદજ્ઞાન કરે તેને
અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ.
ક્રોધ અને આત્માનું ભેદજ્ઞાન કરીને અંતરના જ્ઞાન–સ્વભાવ તરફ વળતાં જે સ્વ–પર પ્રકાશક જ્ઞાનપર્યાય
ખીલી, તે આત્મામાં અભેદ છે તેથી તેમાં આત્મા છે. ‘ઉપયોગમાં ઉપયોગ છે’ એટલે ચિદાનંદ સ્વભાવ તરફ જે
જ્ઞાનપર્યાય વળી તેમાં આત્માની પ્રસિદ્ધિ છે; રાગમાં આત્માની પ્રસિદ્ધિ નથી, ને આત્માની પ્રસિદ્ધિમાં રાગ નથી.
ચૈતન્ય–સ્વભાવ તે અત્યંત સૂક્ષ્મ છે ને રાગ તો અત્યંત સ્થૂળ પરિણામ છે એ રીતે તે બંનેની ભિન્નતા છે. રાગ તો
સ્થૂળ છે ને તે રાગમાં એકાગ્ર થયેલું જ્ઞાન પણ સ્થૂળ છે; સૂક્ષ્મ તો ચિદાનંદ સ્વભાવ છે. અને રાગથી છૂટીને ચિદાનંદ
સ્વભાવમાં વળેલું જ્ઞાન પણ સૂક્ષ્મ છે. જે જ્ઞાન અંતરમાં વળીને આત્મસ્વભાવ સાથે અભેદ થયું તેને સૂક્ષ્મજ્ઞાન કહો,
અતીન્દ્રિય જ્ઞાન કહો કે ભેદજ્ઞાન કહો કે સંવર કહો, તેમાં આત્મા છે. શરીરાદિ અજીવની ક્રિયામાં આત્મા નથી એટલે
તેના વડે આત્માની પ્રસિદ્ધિ થતી નથી, રાગની ક્રિયામાં પણ આત્મા નથી એટલે તેના વડે આત્માની પ્રસિદ્ધિ થતી નથી,
રાગ તરફ વળેલી જ્ઞાનપર્યાયમાં પણ ખરેખર આત્મા નથી એટલે તે પરલક્ષી જ્ઞાન વડે પણ આત્માની પ્રસિદ્ધિ થતી
નથી, અંતરના ચિદાનંદ સ્વભાવમાં વળીને અભેદ થયેલી જ્ઞાનપર્યાયમાં આત્મા છે ને તે જ્ઞાન વડે જ ભગવાન
આત્માની પ્રસિદ્ધિ થાય છે; આવા જ્ઞાન વડે આત્માને જાણવો તે જ ભેદજ્ઞાન છે, તે જ સંવર અને ધર્મ છે. આવા અપૂર્વ
ભેદજ્ઞાન વગર જ્ઞાનમાં પર તરફનો જાણપણાનો ઘણો વિકાસ હોય તોપણ ભગવાન તેને સ્થૂળ કહે છે. દેહથી–મનથી ને
રાગથી પાર, સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંતરમાં કોણ છે તેની જેને ઓળખાણ નથી તેનું બધું જાણપણું સ્થૂળ છે; જે જ્ઞાને
અંતર્મુખ થઈને પરમ સૂક્ષ્મ એવા ચૈતન્યસ્વભાવને લક્ષમાં લીધો તે જ જ્ઞાન સૂક્ષ્મ છે.
‘ઉપયોગ ઉપયોગમાં છે’ એ એક વાક્યમાં આચાર્યદેવે ઘણું રહસ્ય ભરી દીધું છે, ભગવાન આત્મા
ઉપયોગ સ્વરૂપ છે તેનામાં પરનો તો ત્રણ કાળ અભાવ છે, ને પર્યાયમાં એકક્ષણ પૂરતો જ રાગાદિભાવ છે તેનો
પણ ઉપયોગ સ્વભાવમાં અત્યંત અભાવ છે. ઉપયોગસ્વરૂપ આત્મા તો પોતાના સ્વ સન્મુખ ઉપયોગમાં જ છે.
રાગમાં કે સંયોગમાં તે નથી. આવા ચિદાનંદ સ્વભાવને ચૂકીને જે એમ માને છે કે મને બહારના સંયોગથી કે
સંયોગ તરફના વલણથી લાભ થાય. એને સંયોગની રુચિ છે ને ચૈતન્યસ્વભાવની અરુચિ છે; જેણે આત્માના
અનંત ગુણસ્વભાવનો અનાદર કરીને રાગનો આદર કર્યો તેને આત્માના સ્વભાવ ઉપર અનંતાનુંબંધી ક્રોધ છે,
ને તે જ અનંત સંસારનું મૂળીયું છે. આત્માનો ઉપયોગસ્વભાવ રાગના અને પરના ત્યાગસ્વરૂપ જ છે, તેને ન
માનતાં, રાગથી મને લાભ થાય ને હું પરને ત્યાગું એમ જે માને છે
(અનુસંધાન પાના નં. ૨૦૬ ઉપર)