Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૩૬
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ બારમું, અંક ત્રીજો, માહ ૨૪૮૧ (વાર્ષિક લવાજમ ૩ – ૦ – ૦)
૧૩૬
મહાસિદ્ધાંત
(૧) હે જીવ! અનાદિથી માંડીને આજ સુધી કોઈ પર જીવે કે જડે તને કિંચિત્
પણ લાભ કે નુકસાન કર્યું નથી.
(૨) અનાદિથી આજ સુધી કોઈ બીજા જીવને કે જડને તેં કિંચિત પણ લાભ કે
નુકસાન કર્યું નથી.
(૩) અનાદિથી અજ્ઞાનભાવને લીધે તેં તારા આત્માને નુકસાન કર્યું છે.
(૪) તે નુકસાન તારા ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં નથી થયું પણ વર્તમાન પૂરતી
ક્ષણિક અવસ્થામાં જ તે નુકસાન થયું છે.
(પ) તારો ત્રિકાળીસ્વભાવ શુદ્ધ છે. તે સ્વભાવને ઓળખીને તેનું અવલંબન
કર, તો પર્યાયમાંથી અનાદિનું નુકસાન ટળેને ધર્મનો અપૂર્વ લાભ પ્રગટે.

PDF/HTML Page 3 of 21
single page version

background image
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુન્દર સગવડ
આશરે છેલ્લાં ત્રણ વર્ષથી અહીં સોનગઢ ખાતે “શ્રી જૈન વિદ્યાર્થીગૃહ”
શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીગૃહમાં જૈન વિદ્યાર્થીઓ કે જેઓની ઉંમર ૧૧
વર્ષ અને તેથી વધુ હોય તથા જેઓ ગુજરાતી પાંચમું ધોરણ કે તેથી ઉપરના
ગુજરાતી કે અંગ્રેજી ધોરણોમાં અભ્યાસ કરતા હોય તેઓને દાખલ કરવામાં
આવે છે.
માસિક પૂરી ફીનું લવાજમ રૂા.–૨પ રાખેલ છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રિક) સુધી હાઈસ્કુલ છે. બોર્ડિંગમાં રહેતા
વિદ્યાર્થીઓને ફરજિયાત ધાર્મિક અભ્યાસ કરાવવાનો હોય છે. ઉપરાંત પૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીનાં તત્ત્વપૂર્ણ અપૂર્વ વ્યાખ્યાન શ્રવણનો લાભ મળે છે.
અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે. વાતાવરણ શાંત
તથા પવિત્ર છે.
વિદ્યાર્થીગૃહમાં નિશ્ચિત સંખ્યામાં વિદ્યાર્થીઓને દાખલ કરવાના છે. આથી
જેમને દાખલ થવા ઈચ્છા હોય તેઓએ નીચેને સરનામે તા. ૨૦–૪–પપ સુધીમાં
લખી, પ્રવેશપત્ર મંગાવી, ભરી તા.– ૧૦–પ–પપ સુધીમાં પરત મોકલી આપવાં.
બોર્ડિંગની નવી ટર્મ તા.–૧૬–૬–પપ થી શરૂ થશે.
લિ. મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ભેટ પુસ્તક સંબન્ધી અન્તિમ સૂચના
આત્મધર્મના ૨૦૧૦ ની સાલના ગ્રાહકોને ભેટના પુસ્તકો જેને ન મળ્‌યાં
હોય તેણે વૈશાખ સુદી ૨ સુધીમાં મેળવી લેવા વિનંતિ છે. ત્યાં સુધીમાં જો નહિ
મેળવવામાં આવે તો તેમને મળી ગયું છે એમ ગણવામાં આવશે.
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ

PDF/HTML Page 4 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૧૧:
પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર
[શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી :
વર સ. ૨૪૮૦ અષઢ વદ ૧૨ થ શ્રવણ સદ ૩]
અહીં મોક્ષમાર્ગ પ્રકાશકના મંગલાચરણમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને
નમસ્કાર કર્યા છે. અહીં જેમને નમસ્કાર કર્યા છે તેમનું સ્વરૂપ ઓળખવું જોઈએ;
કેમ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું? અને તે
સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્્યાંથી થાય? માટે અહીં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ
વિચારીએ છીએ.
[૧]
શ્રી અરિહંતપરમેષ્ઠીનું સ્વરૂપ
• જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ–સ્વભાવ સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી
અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા છે,
• ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણપર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત
વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે,
• અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે,
• અનંત વીર્ય વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે,
• તથા અનંતસુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે.
• વળી જે સર્વથા રાગદ્વેષાદિ વિકાર ભાવોથી રહિત થઈ શાંતરસરૂપ પરિણમ્યા છે,
• ક્ષુધા–તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે,
• આયુધ, અંબર (વસ્ત્ર) આદિ, તેમજ અંગવિકારાદિક જે કામ ક્રોધાદિ નિંદ્ય ભાવોનાં ચિહ્ન છે તેનાથી
રહિત જેમનું પરમઔદારિક શરીર થયું છે,
• જેમનાં વચન વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે––જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે,
• અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું
જેમને સંયુક્તપણું હોય છે,
• તથા જેમને પોતાના હિતને અર્થે શ્રી ગણધરઈન્દ્રાદિક ઉત્તમ જીવો સેવન કરે છે,
––આવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત દેવને અમારા નમસ્કાર હો.
[ગૃહસ્થપણું છોડી. મુનિધર્મ અંગીકાર કરી.]
પ્રથમ તો ગૃહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કર્યો; એટલે ગૃહસ્થપણામાં રહીને કોઈને મુનિદશા કે
કેવળજ્ઞાન થઈ જાય એમ બનતું નથી. ગૃહસ્થપણામાં આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન હોવા છતાં
અસ્થિરતાનો રાગ હતો, તે રાગ છૂટતાં રાગનું નિમિત્ત છૂટી ગયું એટલે ગૃહસ્થપણું છૂટી ગયું; અને ત્રણ
કષાયના અભાવથી સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીતરાગીચારિત્રરૂપ મુનિદશા આત્મામાં પ્રગટ કરી, ગૃહસ્થપણાના
રાગનો અશુદ્ધ ઉપયોગ છોડીને મુનિદશાને યોગ્ય શુદ્ધોપયોગ પ્રગટ કર્યો, ત્યાં બહારમાં પણ પરિગ્રહ રહિત
દિગંબરદશા થઈ ગઈ છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૧૨: આત્મધર્મ: ૧૩૬
[નજ સ્વભવ સધન વડ.]
મુનિદશામાં નિજસ્વભાવ સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી, અનંતચતુષ્ટય પ્રગટ કર્યોં છે.
મુનિદશામાં પંચમહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણનો શુભરાગ હોય છે, પણ તે રાગના સાધન વડે કે શરીરાદિકના
સાધન વડે કેવળજ્ઞાન પામ્યા નથી, અંતરમાં નિજસ્વભાવ સાધન વડે એટલે કે સ્વભાવના આશ્રમે
શુદ્ધોપયોગરૂપ સાધન વડે જ ભગવાને કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટ કર્યાં છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય
અને અનંત સુખ–એવા ચતુષ્ટય સહિત અરિહંત ભગવાન બિરાજમાન છે.
[કેવળજ્ઞાન.]
અરિહંત ભગવાન પોતાના અનંત જ્ઞાન વડે જીવાદિ સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અનંત ગુણપર્યાયો
સહિત એક સાથે પ્રત્યક્ષ જાણે છે. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણપર્યાયો સહિત છે; નિગોદનો જીવ પણ તેના
પોતાના ગુણ–પર્યાયો સહિત છે, બીજાને કારણે તેના ગુણ–પર્યાયો નથી, કર્મના પરમાણુઓ તેના પોતાના ગુણ–
પર્યાયો સહિત છે, તેના ગુણ–પર્યાયો આત્મામાં નથી; એ પ્રમાણે સમસ્ત દ્રવ્યોને પોતપોતાના ગુણપર્યાયો સહિત
એક સાથે ભગવાન જાણે છે; પોતાના આત્મદ્રવ્યને પણ પોતાના ગુણપર્યાયો સહિત પ્રત્યક્ષ જાણે છે. અરિહંત
ભગવાનને નમસ્કાર કરતાં તેમના આવા કેવળજ્ઞાન સામર્થ્યને ઓળખવું જોઈએ.
[કવળદશન.]
અનંતદર્શન વડે કેવળી ભગવાન સમસ્ત પદાર્થોને સામાન્યપણે અવલોકે છે. આવા કેવળજ્ઞાન અને
કેવળદર્શન ભગવાનને એક સાથે જ વર્તે છે; એક સમયે કેવળજ્ઞાન ને બીજા સમયે કેવળદર્શન– એવો ક્રમ
અરિહંત ભગવાનને હોતો નથી.
[અનંતવીર્ય.]
અરિહંત ભગવાન આત્માના અનંતવીર્ય વડે કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે.
જુઓ, આ આત્માનું બળ! પરમાં કાંઈ કરે એવું આત્માનું સામર્થ્ય નથી, પણ કેવળજ્ઞાન અને કેવળદર્શનને
ધારણ કરે એવું આત્માનું બળ છે. ભગવાનને તે અનંત આત્મબળ પ્રગટી ગયું છે.
[અનંત આનંદ.]
અરિહંત ભગવાન અનંતસુખ વડે આત્માના નિરાકુળ પરમાનંદને અનુભવે છે. આત્માના સ્વભાવનો
અતીન્દ્રિય આનંદ ભગવાનને પરિપૂર્ણ ખીલી ગયો છે.
[શતરસ.]
અરિહંત ભગવાન સર્વથા સર્વ રાગ–દ્વેષાદિ વિકારભાવોથી રહિત થઈને શાંતરસરૂપ પરિણમ્યા છે.
આત્માના અસંખ્ય ચૈતન્યપ્રદેશે શાંતરસ પ્રગટી ગયો છે, ભગવાન શાંતરસમાં મગ્ન છે.
[ક્ષુધાદિ દોષ રહિતપણું.]
વળી, ક્ષુધા–તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈને ભગવાન દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. ભગવાનને
ક્ષુધા, તૃષા, રોગ વગેરે હોતાં નથી, એટલે આહાર–પાણી કે ઔષધ પણ હોતાં નથી. સ્વર્ગના દેવોને હજારો વર્ષે
આહારની ઈચ્છા ઊપજે, અને અરિહંત ભગવાન રોજ આહાર કરે–એમ માનનારે અરિહંત ભગવાનને ઓળખ્યા
નથી, તેથી તેનું ‘
णमो अरिहंताणं’ પણ સાચું નથી. ભગવાનનો આત્મા પૂર્ણ અતીન્દ્રિયભાવે પરિણમી ગયો છે
ત્યાં દેહમાં ક્ષુધાદિ ઉત્પન્ન જ થતાં નથી, ને ભગવાનને આહારાદિ હોતાં નથી. ક્ષુધા તે દોષ છે, ભગવાનને ક્ષુધા
લાગે એમ માનનારે ભગવાનને દોષવાળા માન્યા છે.
[સ્ત્રિિ િ.]
ભગવાનને અંતરમાં તો રાગ–દ્વેષાદિ ભાવોનો અભાવ થઈને વીતરાગતા થઈ ગઈ છે, ને બહારમાં પણ
શસ્ત્ર–વસ્ત્ર વગેરે હોતાં નથી. વસ્ત્રાદિનું ધારણ કરવું તે રાગનું ચિહ્ન છે ને શાસ્ત્રાદિનું ધારણ કરવું તે દ્વેષનું
ચિહ્ન છે, ભગવાનને એવાં નિંદ્ય ભાવોનાં ચિહ્ન હોતાં નથી. ભગવાનનું શરીર પણ પરમ ઔદારિક શાંતરસરૂપ
થઈ ગયું છે, મુદ્રા પરમ શાંત થઈ ગઈ છે.
[ધર્મતીર્થના પ્રવર્તક.]
વળી ભગવાનના દિવ્યધ્વનિ વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે. ભગવાનની દેશના છૂટે ને ધર્મ પામનારા જીવો

PDF/HTML Page 6 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૧૩ :
ત્યાં ન હોય એમ બને નહિ. ભગવાનની દેશના ખાલી જાય નહિ. કોઈ એમ કહે કે ભગવાન મહાવીરની પહેલી
દેશના ખાલી ગઈ,–એવું અચ્છેરું થયું! તો તેમ બને નહિ. જેમ સિદ્ધશિલા ઉપરથી હેઠે પડે એવું અચ્છેરું કદી
બનતું નથી તેમ તીર્થંકર ભગવાનની દેશના ખાલી જાય એમ પણ કદી બનતું નથી. અરિહંત ભગવાન
ધર્મતીર્થના પ્રવર્તક છે. ભગવાનની વાણી ઝીલીને અનેક જીવો પોતાનું કલ્યાણ સાધે છે.
[લૌકિ જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ બાહ્યવૈભવ.]
જે લોકોત્તર ધર્માત્મા છે તેવા જીવો તો કેવળજ્ઞાનાદિ ગુણો વડે અરિહંત ભગવાનને ઓળખીને પૂજ્ય
માને છે. અને અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા સમવસરણ વગેરે
વૈભવથી સંયુક્તપણું ભગવાનને છે. ભગવાન સાધારણ મનુષ્યની માફક જમીન ઉપર વિચરતા નથી, પરંતુ
તેમનો દેહ પાંચ હજાર ધનુષ ઊંચે આકાશમાં વિચરે છે. અને આઠ ભૂમિકાવાળું દૈવી સમવસરણ હોય છે, તે
સમવસરણમાં આવે ત્યાં આંધળાની આંખો ખૂલી જાય ને લંગડા ચાલતા થાય; ભગવાનની ધર્મસભામાં વાઘ
અને હરણ, સિંહ અને સસલું વગેરે જીવો એક સાથે બેસે છે છતાં તેમને વેરભાવ થતો નથી. સમવસરણમાં ચાર
બાજુ ચાર માનસ્તંભ હોય છે, તેને જોતાં જ માનીનું માન છૂટી જાય છે. આ રીતે ભગવાનને સમવસરણાદિ
બાહ્યવૈભવ પણ અલૌકિક હોય છે. લૌકિક જીવો તે બાહ્યવૈભવ વડે ભગવાનની પ્રભુતા માને છે.
ધર્માત્મા તો આત્માશ્રિત કેવળજ્ઞાનાદિ ગુણો વડે ભગવાનની પ્રભુતાને જાણે છે. અને લૌકિકજનો
દેહાશ્રિત ગુણો વડે કે સંયોગના વૈભવ વડે ભગવાનનું મહાનપણું માને છે.
શ્રી સમન્તભદ્રસ્વામી ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે હે નાથ! આ બહારના ઠાઠ વડે અમે આપનું
પૂજ્યપણું નથી માનતા, પણ અંતરમાં આપની સર્વજ્ઞતાને ઓળખીને અમે આપને પૂજ્ય માનીએ છીએ.
ભગવાનના યથાર્થ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખે તો આત્માનું ભાન અને સમ્યગ્દર્શન. થાય અને એ રીતે
ભગવાનને ઓળખીને નમસ્કાર કરે તો જ સાચા નમસ્કાર છે.
[ગણધરાદિક ઉત્તમ જીવો દ્વારા પૂજ્યપણું.]
વળી શ્રી ગણધરદેવ, ઈન્દ્ર અને ચક્રવર્તી વગેરે ઉત્તમ જીવો પણ પોતાના હિતને અર્થે અરિહંત ભગવાનનું
સેવન કરે છે. તનથી–મનથી–વચનથી સર્વ પ્રકારે વિનયપૂર્વક ગણધરાદિક ઉત્તમ જીવો ભગવાનનું સેવન કરે છે.
ઈન્દ્ર વગેરે જીવો સમ્યગ્દ્રષ્ટિ છે, તેથી તેમને ઉત્તમ જીવો કહ્યા છે; એવા ઉત્તમ જીવો પણ અરિહંત ભગવાનને
પોતાના હિતને અર્થે આદરપૂર્વક સેવે છે.
[ઓળખાણપૂર્વક નમસ્કાર.]
આ રીતે અરિહંત ભગવાન સર્વ પ્રકારે પૂજવા યોગ્ય છે; આવા શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો!
આ રીતે ભગવાનના કેવળજ્ઞાનાદિ ગુણો વડે તેમનું સ્વરૂપ ઓળખીને અરિહંત ભગવાનને પ્રથમ નમસ્કાર કર્યા.
હવે સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ધ્યાવીએ છીએ.
[૨]
શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ
• જે ગૃહસ્થ અવસ્થા તજી, મુનિધર્મસાધન વડે ચાર ઘાતિકર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય સ્વભાવ
પ્રગટ કરી, કેટલોક કાળ વીત્યે ચાર અઘાતિકર્મોની પણ ભસ્મ થતાં પરમૌદારિક શરીરને પણ છોડી ઊર્ધ્વગમન
સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ બિરાજમાન થયા છે.
• ત્યાં જેમને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે.
• ચરમ (અંતિમ) શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષાકારવત્ જેમના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે.
• પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત જ્ઞાનદર્શનાદિ આત્મિક ગુણો જેમને સંપૂર્ણપણે સ્વભાવને પ્રાપ્ત
થયા છે.
• નોકર્મોનો સંબંધ દૂર થવાથી જેમને સમસ્ત અમૂર્તત્ત્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે,

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ: ૧૩૬
• ભાવકર્મોનો અભાવ થવાથી નિરાકુળ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે.
• આવા સિદ્ધભગવાનના ધ્યાન વડે ભવ્યજીવોને સ્વદ્રવ્ય–પરદ્રવ્યનું તેમ જ ઔપાધિક–સ્વાભાવિક
ભાવોનું વિજ્ઞાન થાય છે, અને તે વડે પોતાને સિદ્ધસમાન થવાનું સાધન થાય છે.
• તેથી સાધવાયોગ્ય પોતાનું શુદ્ધસ્વરૂપ તેને દર્શાવવા માટે સિદ્ધભગવાન પ્રતિબિંબ સમાન છે.
• સિદ્ધભગવાન કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળપર્યંત રહે છે.
[સિદ્ધપદની પ્રાપ્તિનો ક્રમ; અને અરિહંતદશાનો કાળ]
જેઓ સિદ્ધ થયા તેઓ પણ પહેલાંં તો સંસારમાં હતા. પ્રથમ તેમણે પોતાના જ્ઞાનાનંદસ્વભાવની
ઓળખાણ કરીને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન કર્યાં; ત્યાર પછી વૈરાગ્ય થતાં ગૃહસ્થપણું છોડી, ત્રણ કષાયચોકડીનો
અભાવ કરી શુદ્ધોપયોગરૂપ મુનિદશા પ્રગટ કરી; અને તે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મના સાધન વડે ચાર
ઘાતિકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ અરિહંતદશા પ્રગટી. તે અરિહંતદશા થયા પછી કોઈ જીવો તો
અંતર્મુહૂર્તમાં જ સિદ્ધ પદ પામે છે ને કોઈ જીવો કરોડો–અબજો વર્ષ અરિહંતદશામાં રહીને પછી સિદ્ધપદ પામે છે.
અરિહંતદશાનો કાળ બધા જીવોને સરખો હોતો નથી. જુઓ, સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં
અરિહંતદશામાં બિરાજી રહ્યા છે, તેઓ કરોડો વર્ષ પહેલાંં કેવળજ્ઞાન પ્રગટ કરીને અરિહંતદશા પામ્યા છે, ને હજી
કરોડો વર્ષ સુધી અરિહંતપદે રહીને પછી સિદ્ધ થશે; અને મહાવીર ભગવાન આ ભરતક્ષેત્રે થયા તેઓ
સીમંધરભગવાન પછી અરિહંતદશા પામ્યા હતા ને તેમની પહેલાંં સિદ્ધ પદ પામ્યા. તથા કોઈ જીવો કેવળજ્ઞાન
પામ્યા પછી અંતર્મુહૂર્તમાં જ સિદ્ધપદ પામી જાય છે.–આ અંતર્મુહૂર્તનો કાળ તીર્થંકરને લાગુ નથી પડતો,
તીર્થંકરભગવાનને તો અરિહંતદશાનો અમુક વિશેષ કાળ હોય જ છે.
[સિદ્ધભગવાન લોકના અગ્રે બિરાજે છે.]
એ પ્રમાણે અરિહંતદશામાં કેટલોક કાળ વીત્યે બાકી રહેલાં ચાર અઘાતીકર્મોનો પણ નાશ થતાં
પરમઔદારિકશરીરને પણ છોડીને, સિદ્ધભગવાન ઊર્ધ્વગમન–સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ બિરાજમાન
થયા છે. આ લોક નીચેથી ઉપર ચૌદ રાજુ ઊંચો છે, તેના મધ્યભાગમાં આ મનુષ્યલોક છે, ને અહીંથી ઉપર
સાત રાજુ સુધી ઊર્ધ્વલોક છે. તેના છેડે–લોકાગ્રે અનંતા સિદ્ધભગવંતો બિરાજે છે. ‘સિદ્ધભગવંતો સિદ્ધશિલા
ઉપર બિરાજે છે’ એમ કહેવાય, પણ ખરેખર કાંઈ સિદ્ધભગવાન સિદ્ધશિલાને અડીને બિરાજતા નથી,
સિદ્ધશિલાથી તો ભગવાન ઘણા ગાઉ ઊંચા છે. સિદ્ધાલયથી સિદ્ધશિલા ઘણી નીચી છે. ભાવથી પણ
સિદ્ધભગવાન જગતમાં સૌથી ઊંચા છે, ને ક્ષેત્રથી પણ લોકમાં સૌથી ઊંચા સ્થાને ભગવાન બિરાજે છે.
[પરદ્રવ્યના સંબંધથી રહિતપણું; અને તે પ્રતીતમાં લેનારની સાધકદશા.]
સિદ્ધભગવાનને સમસ્ત પરદ્રવ્યોનો સંબંધ છૂટી ગયો છે, આત્મા સાથે એક પરમાણુમાત્રનો પણ સંબંધ
રહ્યો નથી, ને તેમને મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે.–જેમને સમસ્ત પરદ્રવ્યો સાથેનો સંબંધ છૂટી ગયો છે એવા
સિદ્ધભગવાનને ઓળખનાર ધર્મી પોતાના આત્માને પણ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન જાણે છે, પણ હજી તેને
નિમિત્ત તરીકે પરદ્રવ્યનો સંબંધ છે. સિદ્ધભગવાનને છએ દ્રવ્યો એક ક્ષેત્રે હોવા છતાં તેમને કોઈ પ્રકારનો વિકાર
નથી તેથી સમસ્ત પરદ્રવ્યો સાથેનો સંબંધ સર્વથા છૂટી ગયો છે. જ્ઞેયજ્ઞાયકસંબંધ છે પણ તે કાંઈ વિકારનું કારણ
નથી. આવા સિદ્ધભગવાનને પ્રતીતમાં લેનાર ધર્મીને પોતાના શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં સમસ્ત પરદ્રવ્યના સંબંધનો
અભાવ વર્તે છે. આ રીતે એકલા સિદ્ધભગવાનની વાત નથી, પરંતુ સિદ્ધભગવાનને વાસ્તવિકપણે કબૂલનાર
જીવ પોતે પણ અંશે તે જાતમાં ભળીને સાધક થાય છે––એવી આ વાત છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૧૫ :
[સિદ્ધભગવાનો આકાર]
હવે તે સિદ્ધભગવાનનો આકાર કેવો છે તે કહે છે. છેલ્લા શરીરનો જે આકાર હતો તેનાથી જરાક ન્યૂન
એવા પુરુષાકારવત્ તેમના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે.
[છેલ્લા શરીરથી કિંચિત્ ન્યૂન]
સિદ્ધદશામાં આત્માના અસંખ્ય પ્રદેશોનો આકાર છેલ્લા શરીરથી ‘કિંચિત્ ન્યૂન’ એટલે કે જરાક ઓછો
હોય છે. શરીરના નખ–કેશ વગેરે ભાગોમાં આત્માના પ્રદેશ હોતા નથી તે અપેક્ષાએ સિદ્ધનો આકાર છેલ્લા
શરીરના આકારથી કિંચિત ન્યુન સમજવો; પરંતુ છેલ્લા શરીરથી ત્રીજા ભાગનો આકાર ઓછો થઈ જાય–એમ
કોઈ કહે છે તે સત્ય નથી; તેમજ કોઈ એમ માને છે કે મુક્ત અવસ્થા થતાં આત્મા આખા લોકમાં વ્યાપીને રહે
છે,–તે પણ સત્ય નથી.
[પુરુષાકારવત્]
વળી, સિદ્ધ ભગવાનનો આકાર ‘પુરુષાકારવત્’ હોય છે. અહીં ‘પુરુષાકારવત્’ કહ્યું તેમાં એ વાત પણ
આવી જાય છે કે પુરુષ જ સિદ્ધદશા પામે છે, સ્ત્રીપર્યાયમાં સિદ્ધદશા થતી નથી. સિદ્ધ થનાર જીવને છેલ્લું શરીર
પુરુષનું જ હોય––એવો નિયમ છે. સ્ત્રી–પર્યાયમાં રહેલા આત્માને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાંચમા ગુણસ્થાન સુધીની
પવિત્ર દશા હોય છે, પાંચમા ગુણસ્થાનથી ઊંચી દશા તેને હોતી નથી; તો કેવળજ્ઞાન કે સિદ્ધ પદ હોય જ ક્યાંથી?
[પ્રદેશત્વગુણને લીધે આકાર]
છેલ્લા શરીરથી જરાક ઓછો અને પુરુષાકારવત્ એવો આકાર સિદ્ધભગવાનને અવસ્થિત થયો છે.
સિદ્ધભગવાનને જડનો આકાર નથી તેમ જ ઈન્દ્રિયજ્ઞાનથી દેખાય તેવો આકાર નથી તેથી તેમને નિરાકાર
કહેવાય છે; પરંતુ તેમને પોતાના આત્માના અસંખ્ય પ્રદેશોનો આકાર તો છે. આકાર વગરની કોઈ વસ્તુ હોય
નહિ, કેમ કે દરેક વસ્તુમાં ‘પ્રદેશત્વ’ ગુણ છે તેથી દરેક વસ્તુને પોતપોતાનો કંઈ ને કંઈ આકાર જરૂર હોય છે.
અરૂપી વસ્તુનો આકાર અરૂપી હોય છે ને રૂપી વસ્તુનો આકાર રૂપી હોય છે. સિદ્ધભગવાનને પણ પોતાના
પ્રદેશત્વગુણને લીધે ઉપર પ્રમાણે અરૂપી આકાર હોય છે.
[સિદ્ધોના આકારમાં વિશેષતા]
સિદ્ધભગવાનને આત્માના અસંખ્ય પ્રદેશોનો જે આકાર છે તે આકાર સદા અવસ્થિત રહે છે; હવે
સાદિઅનંતકાળ સદા એવો ને એવો જ આકાર રહેશે, સંસારીની જેમ તેમને સંકોચ–વિસ્તાર થતો નથી, પણ
એકરૂપ આકાર રહે છે.
દરેક સિદ્ધભગવાનને પોતપોતાનો ભિન્ન ભિન્ન આકાર હોય છે. અનંત સિદ્ધભગવંતો એક ક્ષેત્રે રહે છે
પણ ‘જ્યોતમાં જ્યોત’ની જેમ કોઈ એકબીજામાં ભળી જતા નથી, સૌ પોતપોતાના ભિન્ન આકારમાં રહે છે.
બધાય સિદ્ધભગવંતોને આનંદનો અનુભવ સરખો, જ્ઞાનનું સામર્થ્ય સરખું, પણ આકાર બધાયને એક સરખો જ
હોય–એવો નિયમ નથી. કોઈને લગભગ સવાપાંચસો ધનુષ્યનો આકાર હોય, ને કોઈને એક ધનુષનો આકાર
હોય,–એમ આકારમાં નાનામોટાપણું હોય, પણ આત્માના અસંખ્યપ્રદેશ તો બધાને સરખા છે, જ્ઞાન–આનંદ
વગેરે પણ સરખાં છે.
[સર્વગુણસંપન્નપણું.]
સિદ્ધભગવાનને, ચાર ઘાતીકર્મોનો નાશ થઈને કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય તો અરિહંતદશામાં જ પ્રગટી ગયાં
હતાં, પણ ત્યાં હજી ચાર અઘાતીકર્મોના નિમિત્તે કેટલાક ગુણો ખીલ્યા ન હતા, હવે તે બાકીનાં ચાર અઘાતી
કર્મોનો પણ ક્ષય થતાં તેમ જ નોકર્મરૂપ શરીર વગેરેનો સંબંધ પણ છૂટી જતાં, સિદ્ધદશામાં અમૂર્તપણું–સૂક્ષ્મપણું,
અવ્યાબાધપણું વગેરે બધા ગુણો સ્વભાવરૂપ પ્રગટી ગયા છે; તેમ જ ભાવકર્મોનો પણ અભાવ હોવાથી સિદ્ધ
ભગવાનને અનાકુળ આનંદમય શુદ્ધસ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે. ભગવાન સાદિ–અનંતકાળ પોતાના
આત્મસ્વભાવમાંથી ઉત્પન્ન એવા અતીન્દ્રિય આનંદના અનુભવથી સદા અત્યંતપણે તૃપ્ત વર્તે છે.
[આત્માનું સ્વરૂપ ઓળખવા માટે પ્રતિબિંબસમાન]
આવા સિદ્ધભગવાનનું સ્વરૂપ ઓળખીને તેમના ધ્યાન વડે ભવ્યજીવોને સ્વ–પરનું તેમ જ સ્વભાવ અને
વિભાવનું ભેદવિજ્ઞાન થાય છે. આ આત્માનું પરમાર્થસ્વરૂપ પણ

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૧૬ : આત્મધર્મ: ૧૩૬
સિદ્ધભગવાન જેવું, પરથી ને વિભાવથી ભિન્ન છે–એવી ઓળખાણ વડે પોતાને સિદ્ધસમાન થવાનું સાધન થાય
છે. આ રીતે, સાધવા યોગ્ય એવું જે પોતાનું શુદ્ધસ્વરૂપ તેને દર્શાવવા માટે સિદ્ધભગવાન પ્રતિબિંબ સમાન છે.
જેમ સ્વચ્છ દર્પણમાં જોતાં પોતાનું મુખ દેખાય છે, તેમ સિદ્ધભગવાનને જોતાં પોતાના આત્માનું વાસ્તવિક
સ્વરૂપ જણાય છે. સ્વચ્છ દર્પણમાં પ્રતિબિંબ જોતાં ખ્યાલ આવે છે કે મારું રૂપ આવું છે, તેમ સિદ્ધભગવાન આ
આત્માનું શુદ્ધસ્વરૂપ જોવા માટે સિદ્ધભગવાન સ્વચ્છ દર્પણ સમાન છે, તેમને ઓળખતાં પોતાનું સ્વરૂપ
ઓળખાય છે.
સિદ્ધભગવાનને જેવાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદ વગેરે પ્રગટી ગયાં છે તેવાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદ વગેરે
પ્રગટવાનું સામર્થ્ય મારા સ્વભાવમાં પણ છે,
સિદ્ધભગવાનને સર્વે વિભાવોનો નાશ થઈ ગયો છે, તો મારા આત્મામાંથી પણ સર્વે વિભાવ નાશ થવા
યોગ્ય છે, વિભાવ મારો સ્વભાવ નથી,
સિદ્ધભગવાનને સર્વે પરદ્રવ્યોનો સંબંધ છૂટી ગયો છે, તેમ મારો આત્મા પણ સર્વે પરદ્રવ્યોથી અત્યંત
જુદો છે,
––એ પ્રમાણે સિદ્ધભગવાનને ઓળખતાં પોતાના પરિપૂર્ણ સ્વભાવસામર્થ્યનું ભાન થાય છે અને
વિભાવથી તેમ જ પરદ્રવ્યોથી ભિન્નતા જણાય છે.
[સિદ્ધસમાન સદા પદ મેરો]
सिद्धसमान सदा पद मेरो’–એટલે સિદ્ધભગવાનના આત્મામાં જે જ્ઞાનાદિ પ્રગટ્યાં છે તે બધું મારા
સ્વભાવમાં છે, ને સિદ્ધભગવાનના આત્મામાંથી જે કંઈ (રાગાદિ) નીકળી ગયું તે બધું ય મારા સ્વભાવથી
ભિન્ન છે.–આ પ્રમાણે સિદ્ધભગવાનને ધ્યેય બનાવીને, પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે લક્ષમાં લઈને
ધ્યાવતાં ભવ્ય જીવો સમ્યગ્દર્શનાદિ પામી જાય છે.
સિદ્ધભગવાનને પોતાના આત્માની શક્તિમાંથી કેવળજ્ઞાનાદિ પરિપૂર્ણ સામર્થ્ય પ્રગટી ગયું છે, છતાં
શક્તિમાં પણ પરિપૂર્ણ જ છે; આ આત્માને તેવું પરિપૂર્ણ સામર્થ્ય પ્રગટ્યું નથી પણ શક્તિમાં તો તેને પણ
પરિપૂર્ણ સામર્થ્ય છે, એટલે શક્તિપણે સિદ્ધભગવાન અને આ આત્મા સરખા છે. સિદ્ધભગવાનને તે પરિપૂર્ણ
શક્તિ વ્યક્ત થઈ ગઈ છે, ધર્મીને તે પરિપૂર્ણ શક્તિની પ્રતીત પ્રગટી છે ને તે પ્રતીતના જોરે તેને પણ
અલ્પકાળમાં પોતાની પરિપૂર્ણ શક્તિ ખીલી જશે.
એ પ્રમાણે સિદ્ધભગવાન જેવા પોતાના આત્માના લક્ષપૂર્વક જે નમસ્કાર કરે તેણે જ સિદ્ધભગવાનને
સાચા નમસ્કાર કર્યા છે.
[કૃતકૃત્યપણું]
વળી સિદ્ધભગવાન કેવા છે?–કે કૃતકૃત્ય થઈ ગયા છે, તેથી હવે અનંતકાળ એ જ પ્રમાણે રહે છે. જે
કરવા યોગ્ય કાર્ય હતું તે કરીને ભગવાન પૂર્ણ જ્ઞાનાનંદમય કૃતકૃત્યદશા પામી ગયા છે, હવે કંઈ નવું કાર્ય
કરવાની આકુળતા ભગવાનને નથી રહી. ભક્તજનોના અનુગ્રહ માટે કે દુષ્ટજનોના નિગ્રહ માટે ભગવાન કાંઈ
ફરીને અવતાર ધારણ કરતા નથી, તે તો સદા મુક્ત જ રહે છે. ભગવાનની ભક્તિ કરનારને શુભફળ ને નિંદા
કરનારને અશુભફળ કાંઈ ભગવાન નથી આપતા, પણ તે તે જીવ પોતપોતાના પરિણામથી જ સ્વયં તેવું ફળ
પામે છે; ભગવાનને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી, ભગવાન તો વીતરાગી કૃતકૃત્ય થઈ ગયા છે; હવે તેમને કાંઈ
નવું સાધવાનું બાકી રહ્યું નથી, તેથી પૂર્ણ જ્ઞાનઆનંદના અનુભવમય કૃતકૃત્યદશામાં ભગવાન સાદિઅનંતકાળ
બિરાજમાન રહે છે, ત્યાં પરિણમન છે પણ એવી ને એવી પર્યાયો પલટાયા કરે છે. પર્યાય ભલે ‘એવી ને એવી’
હોય, પણ ‘તે ને તે જ’ ન હોય. સમયે સમયે નવી નવી પર્યાય થયા કરે છે.
[સિદ્ધભગવાને દેખવાની રીત]
પ્રશ્ન:– આવા સિદ્ધભગવાન અમને દેખાતા નથી, તો કઈ રીતે માનીએ?
ઉત્તર:– ભાઈ! આત્માના શુદ્ધસ્વરૂપનો મતિ–શ્રુત–જ્ઞાન વડે જેણે નિર્ણય કર્યો તેને સિદ્ધભગવાન પણ
પ્રતીતમાં આવી જ ગયા; આંખ વગેરે ઈન્દ્રિયોથી સિદ્ધભગવાન ન દેખાય, પણ જ્ઞાનમાં તેનો નિર્ણય થઈ શકે છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૧૭ :
અજ્ઞાની કહે છે કે મને સિદ્ધ દેખાતા નથી, ધર્મી કહે કે મારા હૃદયમાં જ સિદ્ધભગવાન બિરાજે છે સિદ્ધ ભગવાનનો
આત્મા ભલે પ્રત્યક્ષ ન દેખાય પણ જેણે મતિશ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધભગવાન
જેવા પોતાના શુદ્ધસ્વભાવને દેખ્યો તેણે સિદ્ધભગવાનને પણ દેખ્યા છે ને પોતાના હૃદયમાં તેમને સ્થાપ્યા છે.
આ પ્રમાણે સિદ્ધભગવંતોને હૃદયમાં સ્થાપીને તેમને અમારા નમસ્કાર હો!
એ રીતે અરિહંત અને સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ઓળખીને તેમને નમસ્કાર કર્યા; હવે આચાર્ય–ઉપાધ્યાય
ને સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ અવલોકીએ છીએ.
[૩ – ૪ – પ]
શ્રી આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ
• આચાર્ય ઉપાધ્યાય કે સાધુ એ સર્વે મુનિઓની દશા કેવી હોય તેનું પહેલાંં સામાન્ય રૂપ વર્ણન કરે છે.
ત્યાર પછી આચાર્ય વગેરેની વિશેષતાનું વર્ણન કરશે. જે જૈન મુનિ છે તે સર્વેની દશા નીચે પ્રમાણે હોય છે :
• જે વિરાગી બની, સમસ્ત પરિગ્રહ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી, અંતરંગમાં તો એ
શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે;
• પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી;
• પોતાના જ્ઞાનાદિક સવભાવોને જ પોતાના માને છે;
• પરભાવોમાં મમત્વ કરતા નથી;
• પરદ્રવ્ય તથા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા; પરંતુ ઈષ્ટ–અનિષ્ટ માનીને
તેમાં રાગ–દ્વેષ કરતા નથી.
• શરીરની અનેક અવસ્થા થાય છે, બાહ્ય અનેક પ્રકારનાં નિમિત્ત બને છે પરંતુ તે મુનિ ત્યાં કંઈ પણ
સુખદુઃખ માનતા નથી.
• પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેને ખેંચીતાણીને કરતા નથી.
• તેઓ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલવૃત્તિને ધારણ કરે છે.
• કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે, જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનોમાં
અનુરાગ કરે છે,
• –પરંતુ એ રાગભાવને પણ હેય જાણી દૂર કરવા ઈચ્છે છે.
• તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસાદિ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ તેમને રહ્યું નથી.
• સર્વે મુનિઓને એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે.
• શરીર સંસ્કારાદિ વિક્રિયાથી રહિત થયા છે,
• વન ખંડાદિ વિષે વસે છે,
• અઠ્ઠાવીસ મૂળગુણોને જેઓ અખંડિત પાલન કરે છે.
• બાવીસ પરિષહને જેઓ સહન કરે છે.
• બાર પ્રકારના તપને જેઓ આદરે છે,
• કદાચિત્ ધ્યાનમુદ્રા ધારી પ્રતિમાવત્ નિશ્ચલ થાય છે.
• કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયામાં પ્રવર્તે છે.
• કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે–
––એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે.
[મુનિધર્મનું મૂળ – સમ્યગ્દર્શન]
આત્માના જ્ઞાનપૂર્વક વૈરાગ્ય થતાં, સમસ્ત પરિગ્રહ છોડીને, અંતરમાં શુદ્ધોપયોગ વડે ત્રણ કષાયોનો
અભાવ થતાં મુનિદશા પ્રગટે છે. મુનિધર્મ કેવો છે?–કે શુદ્ધોપયોગરૂપ છે. તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, એટલે
મુનિ થનારને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો પહેલાંં થયું છે. માટે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જ આ મુનિદશાની
વાત છે એમ સમજવું. સમ્યગ્દર્શન વગર તો ચોથું કે પાંચમું ગુણસ્થાન પણ હોતું નથી, તો પછી મુનિદશાનું છઠું–
સાતમું ગુણસ્થાન તો કેમ હોય?

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૧૮ : આત્મધર્મ: ૧૩૬
પહેલાંં મુનિ થઈને વ્યવહારચારિત્ર પાળો, ને પછી ભગવાન પાસે જઈને સમ્યગ્દર્શન પામશું––એમ જે
માને છે તેને તો મુનિદશાની પણ ખબર નથી ને સમ્યગ્દર્શનની પણ ખબર નથી.
[શુદ્ધોપયોગરૂપ મુનિદશા]
સમ્યગ્દર્શનપૂર્વક વૈરાગ્ય થતાં વસ્ત્રાદિ સમસ્ત પરિગ્રહ છોડીને, અંર્તસ્વભાવના અવલંબને શુદ્ધોપયોગી
ચારિત્ર પ્રગટ્યું તેનું નામ મુનિદશા છે. જૈનમુનિઓ આવા હોય છે. તે મુનિ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને
અનુભવે છે. શુદ્ધોપયોગરૂપ વીતરાગી ચારિત્ર તે જ ખરી મુનિદશા છે, એ સિવાય શુભરાગમાં કે શરીરની
દિગંબર દશામાં ખરેખર મુનિપણું નથી. મુનિઓને પંચમહાવ્રત, ૨૮ મૂળગુણ વગેરે હોય છે, તે શુભોપયોગ હોય
ભલે, પણ તે શુભોપયોગ વડે કંઈ મુનિદશા નથી. મુનિ ખરેખર તે શુભને આદરતા નથી પણ અંતરમાં
શુદ્ધોપયોગને જ આદરે છે. કેવળજ્ઞાન શુદ્ધોપયોગ વડે જ સધાય છે. છઠ્ઠા ગુણસ્થાને પણ ત્રણ કષાયના
અભાવરૂપ જે નિર્વિકારી ચારિત્ર છે તે જ મુનિપણું છે, ત્યાં રાગ છે તે કાંઈ મુનિપણું નથી, મુનિ તે રાગમાં કે
શરીરની ક્રિયામાં મમત્વ કરતા નથી.
[પરદ્રવ્ય ક પરભવમ મત્વન અભવ]
પોતાના જે જ્ઞાનાદિ સ્વભાવ છે તેને જ પોતાના માને છે, એ સિવાય કોઈપણ પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા
નથી તેમ જ રાગાદિ પરભાવોમાં મમત્વ કરતા નથી. જો કે ચોથા ગુણસ્થાનવાળો સમકિતી પણ પોતાના
જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનું સ્વરૂપ માને છે ને પરદ્રવ્યમાં કે પરભાવમાં મમત્વ કરતો નથી, પણ અહીં
મુનિદશાને યોગ્ય વીતરાગી શુદ્ધોપયોગ સહિતની વાત છે.
[પરને ઈષ્ટ – અનિષ્ટ માનતા નથી ને રાગ – દ્વેષ કરતા નથી.]
પર દ્રવ્યમાં અહંબુદ્ધિ ન હોવા છતાં, પરદ્રવ્ય તથા તેના સ્વભાવો જ્ઞાનમાં સ્વયં પ્રતિભાસે છે તેને મુનિ જાણે
છે ખરા, પણ તેને ઈષ્ટ–અનિષ્ટ માનીને રાગ–દ્વેષ કરતા નથી. સમકિતીને પણ પરમાં ઈષ્ટ–અનિષ્ટપણાની બુદ્ધિ તો
નથી, પણ હજી રાગ–દ્વેષ થાય છે, ને મુનિદશામાં તો ઘણી જ વીતરાગતા પ્રગટી છે. મુનિ પરચીજને જાણતા જ
નથી––એમ નથી. આકુળતાથી પરને જાણવા નથી જતા, પણ પરદ્રવ્ય સહેજે જ્ઞાનમાં જણાય છે તેને જાણે છે ખરા,
પરંતુ તેમાં ક્યાંય મમત્વ કરતા નથી, તેમ જ ક્યાંય ઈષ્ટ–અનિષ્ટપણું માનતા નથી ને રાગ–દ્વેષ કરતા નથી.
[પરથી સુખદુ:ખ માનતા નથી ને હર્ષશોક કરતા નથી.]
વળી શરીરની અનેક અવસ્થા થાય છે, રોગાદિ થાય, તેમ જ બહારમાં અનેક પ્રકારનાં નિમિત્તો બને છે
પરંતુ તેમાં જરાપણ સુખ–દુઃખ માનતા નથી. પરમાં ઈષ્ટ–અનિષ્ટપણું માનીને રાગ–દ્વેષ કરતા નથી ને સુખ–દુઃખ
માનતા નથી––આવી મુનિની દશા હોય છે. ઈન્દ્ર આવીને પૂજા કરે, કે સિંહ–વાઘ આવીને શરીરને ફાડી ખાય,
તેમાં મુનિ સુખદુઃખ માનતા નથી, સમકિતી પણ પરથી સુખદુઃખ માનતા નથી, પરંતુ મુનિને તો તે ઉપરાંત
સ્વરૂપની સ્થિરતાથી ઘણી વીતરાગતા થઈ ગઈ છે તેથી હર્ષ. શોક થતા નથી.
[બાહ્યક્રિયા ખેંચીને – તાણીને કરતા નથી]
પોતાની મુનિદશાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે, પરંતુ તેને ખેંચી–તાણીને કરતા નથી.
ઉદાસીનપણે સહેજે બહારની ક્રિયા બને છે. મારે આટલા વખતમાં અમુક વિહાર કરવો જ પડશે, અમુક પ્રસંગે
મારે બોલવું જ પડશે–એવો બાહ્યક્રિયાનો હઠાગ્રહ મુનિને હોતો નથી. અહીં ‘મુનિદશાને યોગ્ય’ હોય એવી
બાહ્યક્રિયાની વાત છે. મુનિદશામાં યોગ્ય ન હોય એવી ક્રિયા મુનિને હોય નહિ–એવો જ મેળ છે.
[ઉપયોગને બહુ ભમાવતા નથી.]
મુનિ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલવૃત્તિને ધારણ કરે છે. ત્રણ
કષાયોનો નાશ થઈને ઘણી વીતરાગી સ્થિરતા પ્રગટી છે તેથી ઉપયોગને બહુ ભમાવતા નથી. બહારનું આ જાણી
લઉં, ને તે જાણી લઉં, આટલાં પુસ્તક વાંચી લઉં–એમ જ્યાં ત્યાં ઉપયોગને ભમાવતા નથી. જો કે હજી સ્વરૂપમાં
પૂરેપૂરો ઉપયોગ થંભ્યો નથી એટલે બહારમાં પણ ઉપયોગ જાય છે પણ ઉપયોગને બહુ ભમાવતા નથી,
મુખ્યપણે તો શુદ્ધોપયોગને જ સાધે છે. મુનિઓને શુદ્ધોપયોગની પ્રધાનતા છે ને શુભોપયોગ ગૌણ છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૧૯ :
[કદાચિત્ શુભોપયોગ થાય છે, તેને ઉપાદેય માનતા નથી.]
કદાચિત્ મંદરાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે; સંજ્વલન કષાયની કર્મપ્રકૃતિના તીવ્ર ઉદયથી
શુભોપયોગ થાય છે––એમ ન કહ્યું. સંજ્વલનના તીવ્ર ઉદયથી છઠું ગુણસ્થાન થાય છે એમ ગોમ્મટસારજીમાં કહ્યું
છે તે નિમિત્તથી કહ્યું છે, ખરેખર જીવને પોતાને તેવા રાગનો ઉદય થતાં છઠું ગુણસ્થાન થાય છે. મુનિઓને
વારંવાર નિર્વિકલ્પદશા આવ્યા જ કરે છે એટલે શુદ્ધોપયોગનો પ્રયત્ન વર્ત્યા જ કરે છે. પંચમહાવ્રત વગેરેનો
વિકલ્પ સદા ય રહ્યા જ કરે–એમ નથી હોતું. માટે કહ્યું કે કદાચિત્ મંદરાગના ઉદયથી શુભોપયોગ ‘પણ’ થાય
છે; ‘પણ’ કહીને શુભોપયોગની ગૌણતા બતાવી છે, મુખ્ય ઉદ્યમ તો શુદ્ધોપયોગનો જ છે. શુભોપયોગ વખતે
મુની શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનોમાં,–સ્વાધ્યાય, મહાવ્રત વગેરેમાં અનુરાગ કરે છે. પરંતુ તે રાગભાવને પણ
હેય જાણીને દૂર કરવા ઈચ્છે છે. જુઓ અહીં શુભોપયોગને શુદ્ધોપયોગનું બાહ્ય સાધન તો કહ્યું પણ તેને હેય
કહ્યો છે, એટલે કે શુભને હેય કરીને અંતર સ્વભાવના અવલંબને શુદ્ધોપયોગ પ્રગટ કરે તો તે શુભને બાહ્ય
સાધન કહેવાય. શુદ્ધોપયોગનું ખરું સાધન તો અંર્તસ્વભાવનું અવલંબન જ છે. અહીં એમ જાણવું કે મુનિને
છઠ્ઠા ગુણસ્થાને શુભોપયોગ હોય છે, પણ તેના આધારે મુનિપણું ટક્યું નથી, મુનીપણું તો તે વખતે પણ
અંર્તસ્વભાવના અવલંબને થયેલી વીતરાગી સ્થિરતાથી જ ટક્યું છે. મુનિપણું તે સંવર–નિર્જરારૂપ છે, ને
શુભોપયોગ તો આસ્રવ છે. મુનિ તે શુભ રાગને હેય જાણે છે. જે શુભરાગને ઉપાદેય માને તેને સાચું મુનિપણું
હોતું નથી.
[અશુભપરિણતિ તો થતી જ નથી.]
જીવની પરિણતિના ત્રણ પ્રકાર છે: શુદ્ધપરિણતિ. શુભપરિણતિ, ને અશુભપરિણતિ. તેમાં મુનિને
મુખ્યપણે શુદ્ધપરિણતિ તથા ગૌણપણે શુભપરિણતિ હોય છે તેની વાત ઉપર કરી. હવે અશુભપરિણતિ તો
મુનિને હોતી જ નથી–એમ કહે છે. મુનિઓને તીવ્ર કષાયના ઉદયનો તો અભાવ છે તેથી હિંસા વગેરે
અશુભોપયોગની પરિણતિનું તો તેમને અસ્તિત્વ જ રહ્યું નથી. જો કે સૂક્ષ્મ કરણાનુયોગની અપેક્ષાએ તો
શાસ્ત્રમાં છઠ્ઠા ગુણસ્થાને પણ આર્ત્તધ્યાનના અશુભપરિણામ હોવાનું કહ્યું છે, કોઈ મુનિને ક્યારેક તેવા
અશુભપરિણામ થઈ જાય છે, પણ અહીં સામાન્યપણે વાત કરી છે, સામાન્યપણે તો મુનિઓને અશુભ પરિણતિ
હોતી જ નથી. મુખ્યપણે મિથ્યાદ્રષ્ટિને જ અશુભપરિણતિ ગણવામાં આવી છે. સમકિતી ગૃહસ્થને
શુભપરિણતિની પ્રધાનતા હોય છે ને શુદ્ધપરિણતિ ગૌણપણે હોય છે. મુનિઓને શુદ્ધપરિણતિ મુખ્ય હોય છે ને
શુભપરિણતિ ગૌણપણે હોય છે, અશુદ્ધપરિણતિ તો તેમને ગણી જ નથી.
[અંતરંગદશાપૂર્વકની બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રા]
એ પ્રમાણે મુનિની અંતરંગદશાનું સ્વરૂપ કહ્યું, તેવી અંતરંગદશાપૂર્વક બહારમાં કેવી દશા હોય છે તે હવે
ઓળખાવે છે. ઉપર કહી તેવી અંતરંગદશા થતાં મુનિ બાહ્યમાં દિગંબર સૌમ્ય મુદ્રાધારી થાય છે. મુનિની
બાહ્યમુદ્રા પણ ઉપશાંત...ઠરી ગયેલી...સૌમ્ય હોય છે. શરીરનાં બધાં અંગો વિકાર રહિત ઉપશાંત થઈ ગયાં છે.
મુનિને શરીર ઉપર વસ્ત્રાદિ હોતાં નથી તેમ જ શરીર સંસ્કાર વગેરે વિક્રિયા તેમને હોતી નથી. જુઓ,
અંતરંગદશા સહિતની આ વાત છે.
અંતરમાં ત્રણ કષાયનો નાશ થઈને શુદ્ધોપયોગરૂપ વીતરાગી મુનિદશા પ્રગટે ત્યાં બહારમાં શરીરની
દિગંબર સૌમ્યદશા ન થાય એમ બને નહિ.
પણ અંતરંગમાં શુદ્ધોપયોગરૂપ મુનિદશા પ્રગટ્યા વગર, એકલું બહારનું દિગંબરપણું હોય તેને કાંઈ
મુનિદશા કહેવાય નહિ. માટે અંતરંગ અને બાહ્યદશાનો મેળ જેમ છે તેમ ઓળખવો જોઈએ.
[િથ્દ્રિષ્ટ દ્રવ્િ ત્ત્ .]
જૈનમુનિઓને તો અંતરની શુદ્ધોપયોગદશાપૂર્વક બહારમાં દિગંબર દ્રવ્યલિંગ હોય છે. અંતરંગદશાને
જાણ્યા વગર એકલા બહારના દ્રવ્યલિંગથી જ જે પોતાને મુનિપણું માને તે તો સંસારતત્ત્વ જ છે. સંસાર શું છે?
કે જીવનો ઉદયભાવ તે જ સંસારતત્ત્વ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગી થાય તો પણ તેણે સંસાર જરા પણ છોડ્યો
નથી, કેમકે તે ઉદયભાવમાં જ ઊભો છે તેથી તે સંસારમાં

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨૦ : આત્મધર્મ: ૧૩૬
જ પડેલો છે. ને સમકિતી ધર્મી ગૃહસ્થપણામાં હોય તો પણ તેને સમ્યગ્દર્શનાદિરૂપ જે ઉપશમ ક્ષયોપશમ કે
ક્ષાયિકભાવ પ્રગટ્યો છે તેટલો સંસાર છૂટી ગયો છે, મિથ્યાત્વાદિ છૂટતાં અનંતો સંસાર તો તેને છૂટી ગયો છે.
માટે મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યો છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ તો સંસારમાર્ગી છે, ને
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ તો મોક્ષમાર્ગી છે. અહીં તો સાચા ભાવલિંગી મુનિઓની વાત છે. જ્યાં અંતરંગદશાપૂર્વક
બાહ્ય દિગંબરદશા ન હોય ત્યાં મુનિપણું હોતું નથી. અંતરંગમાં મુનિદશાની શુદ્ધતા પ્રગટી હોય ને ગૃહવાસમાં
રહેતા હોય–એમ કદી ન બને. મુનિઓ વનજંગલમાં વસે છે.
[૨૮ મૂળગુણોનું પાલન]
વળી મુનિઓ ૨૮ મૂળગુણોનું અખંડ પાલન કરે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિયનિરોધ, છ
આવશ્યક, કેશલોચ, સ્નાનરહિતપણું, નગ્નતા, અદંતધોવન, ભૂમિશયન, સ્થિતિભોજન અને એક વાર આહાર
ગ્રહણ––એ પ્રમાણે ૨૮ મૂળગુણ છે, તેમાં મુનિ વિપરીતતા આવવા દેતા નથી. જ્યાં નગ્નતાને બદલે
વસ્ત્રસહિતપણું હોય, સ્થિતિભોજન એટલે ઊભા ઊભા હાથમાં આહાર–તેને બદલે બેઠા બેઠા કે વાસણ વગેરેમાં
ભોજન હોય, તથા દિવસમાં એક જ વાર આહાર ને બદલે અનેક વાર આહાર હોય,–ઈત્યાદિ પ્રકારે મૂળ ગુણમાં
ભંગ હોય ત્યાં મુનિદશા હોતી નથી; છતાં તેમાં જે મુનિદશા માને તેને મુનિની ઓળખાણ નથી એટલે ગુરુપદની
તેને ખબર નથી. અહીં તો અંતરની શુદ્ધોપયોગદશા સહિતના ૨૮ મૂળગુણોની વાત છે. અંતરની દશા વગર
એકલા શુભરાગથી ૨૮ મૂળગુણ પાળે તો તે દ્રવ્યલિંગ છે પણ તેને ખરેખર મુનિદશા નથી, અને ૨૮ મૂળગુણમાં
પણ જેને વિપરીતતા હોય તેને તો (ભલે શરીરની દિગંબરદશા હોય તો પણ) દ્રવ્યલિંગ પણ સાચું નથી.
[બાવીસ પરીષહ]
વળી મુનિનો બાવીસ પરીષહને સહન કરે છે. માર્ગથી અચ્યુતપણા માટે તથા નિર્જરા અર્થે પરીષહ સહન
કરવાનું કહ્યું છે, એટલે જેને અંતરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ માર્ગ પ્રગટ્યો હોય તેને તે માર્ગથી
અચ્યુતિરૂપ પરીષહ હોય. પણ જેને હજી માર્ગ જ પ્રગટ્યો નથી એવા મિથ્યાદ્રષ્ટિને પરીષહ હોતો નથી. પરીષહ
તે કાંઈ દુઃખ નથી. ભૂખ–તરસ, ટાઢ–તડકા વગેરેનાં દુઃખ વેઠવાં તેને અજ્ઞાની પરીષહ કહે છે, પણ તે વાત સાચી
નથી. જેમાં દુઃખ લાગે કે અંતરંગમાં રાગ–દ્વેષ થાય તે પરીષહ નથી. દુઃખ લાગે તે તો અશુભ–પાપભાવ છે.
અથવા, રાગ–દ્વેષની ઉત્પત્તિ થાય પછી તેને જીતવા તેનું નામ પરીષહજય–એમ કોઈ કહે તો તે પણ સત્ય નથી.
‘માર્ગથી અચ્યુતપણું’ એટલે કે વીતરાગભાવરૂપ માર્ગથી ખસીને રાગ–દ્વેષની ઉત્પત્તિ જ ન થવી તે પરીષહ છે.
પણ રાગ–દ્વેષ થાય તેટલું તો માર્ગથી ચ્યુતપણું છે, તે પરીષહ નથી. મુનિને અંતરમાં સ્વરૂપસ્થિરતા વડે માર્ગ
પ્રગટ્યો છે, ને ગમે તેવા અનુકૂળ–પ્રતિકૂળ ઉપસર્ગ આવે તો પણ તેઓ રાગ–દ્વેષ કરતા નથી ને માર્ગથી ચ્યુત
થતા નથી, તેમને પરીષહ છે ને તે નિર્જરાનું કારણ છે.
[વારંવાર સાતમા ગુણસ્થાની નિર્વિકલ્પદશા]
વળી, મુનિ બાર પ્રકારનાં તપને પણ આદરે છે. ક્યારેક ધ્યાનમુદ્રા ધારણ કરીને પ્રતિમાવ્રત્ નિશ્ચલ થાય
છે. મુનિઓને છઠ્ઠા ગુણસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કરતાં વધારે હોય જ નહિ, વારંવાર સાતમા ગુણસ્થાનની
નિર્વિકલ્પદશા તો થયા જ કરે, ને તે ઉપરાંત નિર્વિકલ્પધ્યાનમાં વિશેષ એકાગ્રતાનો પ્રયત્ન કરે છે. કલાકોના
કલાકો સુધી લાંબો કાળ ઊંઘમાં પડ્યા રહે ત્યાં તો વિશેષ પ્રમાદ છે, એવો પ્રમાદ હોય ત્યાં મુનિદશા ન હોય.
મુનિને સ્વરૂપની જાગૃતિ ઘણી વર્તે છે એટલે વારંવાર નિર્વિકલ્પ અપ્રમત્ત દશા આવ્યા જ કરે છે, એક સાથે
અંતર્મુહૂર્ત કરતાં વધારે વખતની નિદ્રા મુનિને હોય નહિ. મુનિઓ ધ્યાનમાં એકાગ્રતા વડે અંતરમાં લીન
રહેવાનો વારંવાર પ્રયત્ન કર્યા કરે છે. કોઈ વાર અધ્યયન વગેરે બાહ્યક્રિયામાં પ્રવર્તે છે; તથા કોઈ વાર
મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયાઓમાં સાવધાન થાય છે.
[સર્વે જૈન મુનિઓની દશા]
આ રીતે શુદ્ધોપયોગથી માંડીને આહારાદિનું વર્ણન કરીને, મુમિની અંતર તેમજ બાહ્યદશા કેવી હોય તે
ઓળખાવ્યું.

PDF/HTML Page 14 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૨૧ :
તેમાં ખરું તો અંતરમાં જે શુદ્ધોપયોગી વીતરાગ ચારિત્ર છે તે જ મુનિપણું છે, તેની સાથે શુભરાગ કેવો હોય ને
બાહ્ય નિમિત્તો કેવાં હોય–તે બતાવ્યું છે. જેઓ જૈન મુનિ છે તે સર્વેની ઉપર કહ્યું તેવી જ અંતર–તથા બાહ્ય દશા
હોય છે; એનાથી વિપરીત હોય તો તે જૈન મુનિ નથી; અને જૈન સિવાય બીજામાં તો કદી સાચી મુનિદશા હોતી
જ નથી. ઉપર મુનિદશાનું જેવું અંતરંગ અને બાહ્ય સ્વરૂપ કહ્યું તેવી જ અવસ્થા સર્વે જૈનમુનિઓની હોય છે,–
તેમાં કોઈ અપવાદ નથી. જે કોઈ જૈનમુનિ હોય––આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે સાધુ હોય, ચોથા કાળના હોય
કે પંચમકાળના હોય, મહાવિદેહના હોય કે ભરતક્ષેત્રના હોય, જિનકલ્પી હોય કે સ્થવિરકલ્પી હોય, તે બધા ય
જૈનમુનિઓની દશા ઉપર કહ્યું તેવી જ હોય છે, તેમાં જો વિપરીતપણું હોય તો તે જૈનમુનિ નથી એમ સમજવું.
णमो लोए सव्व साहूणं––એમ કહ્યું તેમાં આવી દશાવાળા સર્વે સાધુઓનો સમાવેશ થાય છે, આનાથી જે
વિપરીત હોય તે કોઈનો તેમાં સમાવેશ થતો નથી.
[ધન્ય તે મુનિદશા!]
અહો! મુનિદશા તો અલૌકિક પદ છે, મુનિ તો પરમેષ્ઠી પદમાં ભળી ગયા છે.
આચાર્ય પરમેષ્ઠીને તથા ઉપાધ્યાય પરમેષ્ઠીને, ઉપર કહી તેવી મુનિદશા ઉપરાંત બીજી શું
વિશેષતા હોય છે તે હવે કહે છે.
[આચાર્ય પરમેષ્ઠી]
ઉપર બધા ય જૈનમુનિઓનું સ્વરૂપ બતાવ્યું, તેમનામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની અધિકતા વડે
પ્રધાનપદને પામીને જેઓ સંઘના નાયક થયા છે તે આચાર્ય છે. તે આચાર્ય પણ મુખ્યપણે તો
નિર્વિકલ્પસ્વરૂપાચરણમાં જ નિમગ્ન છે. અંતરમાં શુદ્ધોપયોગી વીતરાગચારિત્રની મુખ્યતા રાખીને જ વાત છે,
આચાર્યને પણ નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરવો તે જ મુખ્ય આચરણ છે. પરંતુ કદાચિત્ અન્ય ધર્મલોભી
જિજ્ઞાસુ જીવોને દેખીને, કરુણાબુદ્ધિ થતાં તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષાગ્રાહક જીવોને દીક્ષા આપે છે. કોઈને
પરાણે સામેથી દીક્ષા નથી આપતા, પણ જે જીવ વૈરાગી થઈ દીક્ષા લેવા આવે છે તેની પાત્રતા જોઈને દીક્ષા આપે
છે. તથા જે જીવ પોતાના દોષ પ્રગટ કરીને પ્રાયશ્ચિત લેવા આવે છે તેને પ્રાયશ્ચિત આપે છે. આ રીતે, અંતરના
નિર્વિકલ્પ આનંદના આચરણપૂર્વક આવા દીક્ષા–શિક્ષા વગેરેનું આચરણ કરવા–કરાવવાવાળાં શ્રી આચાર્ય
પરમેષ્ઠી છે, તેમને અમારા નમસ્કાર હો!
• • •
[ઉપાધ્યાય પરમેષ્ઠી]
વળી, ઉપર કહી તેવી શુદ્ધોપયોગરૂપ મુનિદશામાં જે મુનિ ઘણા જૈનશાસ્ત્રના જ્ઞાતા હોઈ સંઘમાં પઠન–
પાઠનના અધિકારી બન્યા હોય––તે ઉપાધ્યાય છે. તે ઉપાધ્યાય સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી,
એકાગ્ર થઈને પોતાના સ્વરૂપને ધ્યાવે છે, એટલે ઉપાધ્યાયને પણ સ્વરૂપના અધ્યયનની જ મુખ્યતા છે; પણ
જ્યારે સ્વરૂપમાં ઉપયોગ ન થંભે ત્યારે પોતે આગમને ભણે છે. તેમ જ ધર્મબુદ્ધિવાન અન્ય જીવોને ભણાવે છે.
એ પ્રમાણે પોતાના અંર્તસ્વરૂપમાં એકાગ્રતાના અભ્યાસની મુખ્યતાપૂર્વક, સમીપ વર્તી ભવ્ય જીવોને અધ્યયન
કરાવવાવાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠી છે, તેમને અમારા નમસ્કાર હો!
• • •
[સાધુ પરમેષ્ઠી]
શુદ્ધોપયોગરૂપ ચારિત્રના ધારક જૈનમુનિઓમાં, ઉપર કહેલ આચાર્ય કે ઉપાધ્યાય પદવીના ધારક
સિવાયના જે મુનિઓ છે તે બધા ય સાધુ છે; તે સાધુઓ શુદ્ધોપયોગ સાધન વડે પોતાના આત્મસ્વભાવને સાધે
છે; પરદ્રવ્યમાં ઈષ્ટ–અનિષ્ટપણું માનીને, પોતાનો ઉપયોગ ત્યાં ફસાય નહિ, તેમજ શુદ્ધોપયોગરૂપ જે દશા પ્રગટી
છે તેમાં ભંગ ન પડે––એ રીતે અંતરમાં એકાગ્રતા વડે ઉપયોગને સાધે છે, તથા તેના બાહ્યસાધનભૂત તપશ્ચરણ
વગેરે ક્રિયામાં પ્રવર્તે છે, કદાચિત્ ભક્તિ–વંદન–જાત્રા વગેરે કાર્યોમાં પણ પ્રવર્તે છે,–આવી જાતનો ભાવ તે
ભૂમિકામાં છઠ્ઠા ગુણસ્થાને હોય છે, પણ ત્યાં મુખ્યતા તો શુદ્ધોપયોગ વડે સ્વરૂપને જ સાધવાની છે.–આવા
સ્વરૂપના સાધક શ્રી

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૨૨ : આત્મધર્મ: ૧૩૬
સાધુપરમેષ્ઠીને અમારા નમસ્કાર હો!
એ રીતે પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખીને તેમને નમસ્કાર કર્યા. હવે તે પંચપરમેષ્ઠીનું મહાનપણું શેના
વડે છે–તે ઓળખાવે છે.
વીતરાગવિજ્ઞાન વડે જ પંચપરમેષ્ઠી પૂજ્ય છે.
• પૂર્વે કહ્યા પ્રમાણે એ અરિહંતાદિક પંચપરમેષ્ઠીનું સ્વરૂપ વીતરાગવિજ્ઞાનમય છે, અને તેના વડે જ
અરિહંતાદિક સ્તુતિયોગ્ય મહાન થયા છે.
જીવતત્ત્વથી તો સર્વે જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે જીવ નિંદા
યોગ્ય થાય છે, તથા રાગાદિકની હીનતા વડે ને જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિયોગ્ય થાય છે.
• હવે, પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધભગવાનને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની
વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાનભાવ થયો છે; તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ
રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી એકદેશ વીતરાગ વિજ્ઞાનભાવ થયો છે. તેથી એ
વીતરાગવિજ્ઞાનભાવ વડે જ અરિહંતાદિક પંચપરમેષ્ઠીને સ્તુતિ યોગ્ય મહાન જાણવા.
• • •
[પંચપરમેષ્ઠીને ઓળખતાં ભેદવિજ્ઞાન થાય છે.]
શરૂઆતના મંગલાચરણમાં કહ્યું હતું કે––
મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમું તેહ જેથી થયા અરહંતાદિ મહાન.
અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ઠીનું સ્વરૂપ વીતરાગવિજ્ઞાનમય છે અને તે
વીતરાગવિજ્ઞાન વડે જ તેમની મહાનતા છે. જે જીવ આવા વીતરાગવિજ્ઞાનસ્વરૂપે ઓળખીને પંચપરમેષ્ઠીને
પૂજ્્ય માને તે જીવ રાગાદિને પોતાનું સ્વરૂપ ન માને,–રાગથી લાભ ન માને, પણ પોતાનું સ્વરૂપ રાગથી ભિન્ન
જાણીને ભેદજ્ઞાન કરે. જે જીવ રાગથી લાભ માને છે તેણે રાગને મહાનતા આપી છે એટલે વીતરાગીવિજ્ઞાન વડે
મહાન એવા પંચપરમેષ્ઠીને ખરેખર તેણે ઓળખ્યા નથી.
[મુનિઓ પણ વીતરાગવિજ્ઞાનસ્વરૂપ જ છે.]
પંચપરમેષ્ઠી કેવા છે?–રાગમય નથી પણ વીતરાગવિજ્ઞાનમય છે, અને તેનાથી જ તેમની પૂજ્યતા છે.
મુનિ વગેરેને કિંચિત્ રાગ હોય છે પણ તે રાગ વડે તેમની પૂજ્યતા નથી, પૂજ્યતા તો વીતરાગીવિજ્ઞાનથી જ છે.
જે પંચ મહાવ્રતાદિનો રાગ છે તે કાંઈ મુનિનું સ્વરૂપ નથી, મુનિનું સ્વરૂપ તો વીતરાગ વિજ્ઞાનમય છે. રાગ તો
આસ્રવ છે ને મુનિદશા તો સંવર–નિર્જરારૂપ છે.
[જીવનું નિદ્યપણું કે પૂજ્યપણું શાથી?]
જીવતત્ત્વ તરીકે તો બધા જીવો સરખા જ છે, સિદ્ધ અને અજ્ઞાની પણ જીવતત્ત્વ તરીકે તો સરખા જ છે;
પણ પર્યાયમાં અજ્ઞાન અને રાગ–દ્વેષ વડે જીવનું નિંદ્યપણું થાય છે. વીતરાગીવિજ્ઞાન વડે પૂજ્યપણું છે, ને
તેનાથી વિરુદ્ધ એવા અજ્ઞાન અને રાગ–દ્વેષ વડે નિંદ્યપણું છે. આત્માના શુદ્ધજ્ઞાનાનંદ સ્વરૂપની દ્રષ્ટિ વડે
અનાદિના અજ્ઞાનનો નાશ કરીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગીવિજ્ઞાન પ્રગટ કર્યું છે તેના વડે જ
પંચપરમેષ્ઠી ભગવંતો પૂજ્ય અને મહાન છે. આ રીતે આત્માના ગુણો વડે જ તેનું પૂજ્યપણું છે, એ સિવાય
બહારના સંયોગ વડે કે પુણ્ય વડે ખરેખર આત્માનું પૂજ્યપણું નથી.
[જ્ઞાની હીનતા અને વિશેષતા એટલે શું?]
જ્ઞાનની હીનતા વડે જીવ નિંદા યોગ્ય થાય છે એમ કહ્યું, તેમાં જ્ઞાનની ‘હીનતા’ કહેતાં વિપરીતતા
સમજવી. કોઈ મુનિરાજને બહારના જાણપણાનો ઉઘાડ ઓછો હોય તો પણ તેથી તે કાંઈ નિંદ્ય નથી. ‘રાગ અને
વિકાર તે જ હું, તેનાથી મને લાભ થશે’ એવી મિથ્યાબુદ્ધિને લીધે જીવ નિંદ્ય થાય છે.
વળી, જ્ઞાનની વિશેષતા વડે જીવ સ્તુતિ યોગ્ય થાય છે એમ કહ્યું, તેમાં પણ જ્ઞાનની ‘વિશેષતા’ કહેતાં
સમ્યગ્જ્ઞાન સમજવું. કોઈ મિથ્યાદ્રષ્ટિને અગિયાર અંગનું જ્ઞાન હોય તો પણ તેમાં તેને વિપરીતતા હોવાથી તેને
જ્ઞાનની હીનતા જ છે; ને મુનિદશામાં કોઈને શાસ્ત્રજ્ઞાનનો ઉઘાડ ઓછો હોય તો પણ ત્યાં સમ્યગ્જ્ઞાન હોવાથી
જ્ઞાનની હીનતા નથી પણ જ્ઞાનની વિશેષતા જ છે, અંતરમાં જ્ઞાનનું સ્વસંવેદનબળ તેમને ઘણું વધી ગયું છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૨૩ :
[રાગાદિકની હીનતા કોને હોય?]
જ્ઞાનની હીનતા વડે નિંદ્યપણું તથા જ્ઞાનની વિશેષતા વડે પૂજ્યપણું કહ્યું, તેમાં હીનતા અને વિશેષતાનો
અર્થ ઉપર સમજાવ્યો; હવે રાગાદિકની અધિકતા વડે નિંદ્યપણું અને રાગાદિકની હીનતા વડે પૂજ્યપણું કહ્યું તેમાં
હીનતા એટલે શું? તે કહેવાય છે. રાગાદિકની હીનતા એટલે કે નાશ, સમ્યગ્દર્શનપૂર્વક જ થઈ શકે છે;
મિથ્યાદ્રષ્ટિને રાગાદિની મંદતા ભલે હોય પણ તેને રાગાદિની હીનતા થતી નથી. રાગાદિ રહિત આત્માના
શુદ્ધસ્વરૂપની જેને ઓળખાણ ન હોય તેને રાગાદિની યથાર્થ હીનતા થઈ શકે જ નહિ. કેમકે તે કોના અવલંબને
રાગની હીનતા કરશે? રાગથી ભિન્ન સ્વરૂપની જેને ખબર નથી ને રાગ સાથે જ એકતા માને છે તેને રાગના
અવલંબને બહુ તો રાગની વર્તમાન પૂરતી મંદતા થાય પણ રાગની હીનતા ન થાય એટલે કે નાશ ન થાય. રાગ
રહિત એવા જ્ઞાનસ્વભાવના અવલંબને જ રાગની હીનતા ને જ્ઞાનાદિની વિશેષતા થાય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ રાગ–દ્વેષની મંદતા કરીને ભલે નવમી ગ્રૈવેયક સુધી જાય, તો પણ તે નિંદ્ય છે, રાગાદિની
હીનતા તેને જરાપણ નથી, કેમ કે રાગ સાથે જ એકત્વબુદ્ધિ પડી છે એટલે અનંતાનુબંધી આદિ બધા કષાયો
તેને વર્તે જ છે. જે રાગને પોતાનું સ્વરૂપ માને અથવા તો તેનાથી લાભ માને તે તેની હીનતા કેમ કરે? માટે
અજ્ઞાનીને રાગની હીનતા યથાર્થપણે હોતી જ નથી.
[પંચપરમેષ્ઠીનું વીતરાગવિજ્ઞાનપણું]
આત્મા રાગરહિત જ્ઞાનસ્વરૂપ છે, તેના ભાનપૂર્વક રાગાદિકની હીનતા તથા જ્ઞાનની અધિકતા એવા
વીતરાગવિજ્ઞાન વડે જીવનું મહાનપણું ને પૂજ્યપણું છે. પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધભગવાનને તો
રાગાદિકનો સંપૂર્ણ અભાવ થયો છે ને પરિપૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે, એ રીતે તેમને સંપૂર્ણ વીતરાગવિજ્ઞાન છે.
આચાર્ય–ઉપાધ્યાય ને સાધુને સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક શુદ્ધોપયોગી ચારિત્રથી રાગાદિકની ઘણી હીનતા થઈ
ગઈ છે તથા જ્ઞાનની ઘણી વિશેષતા થઈ ગઈ છે, પરંતુ ત્યાં હજી રાગનો અલ્પ અંશ રહ્યો છે ને કેવળજ્ઞાન થયું
નથી, માટે ત્યાં એકદેશ વીતરાગવિજ્ઞાન છે. પૂરું નથી તે અપેક્ષાએ એકદેશ કહ્યું છે.–આ રીતે વીતરાગવિજ્ઞાનથી
પંચપરમેષ્ઠી ભગવંતો પૂજ્ય છે.
[ચોથા ગુણસ્થાને પણ વીતરાગવિજ્ઞાન]
જો કે ચોથા ગુણસ્થાને પણ સમ્યગ્દ્રષ્ટિને અંશે વીતરાગવિજ્ઞાન તો છે, જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના ભાનથી
ત્યાં સમ્યગ્જ્ઞાન થયું છે ને અનંતાનુબંધી રાગ–દ્વેષ ટળી ગયા છે,–એ રીતે ચોથા ગુણસ્થાને પણ
વીતરાગવિજ્ઞાનનો અંશ છે, પરંતુ ત્યાં પરમેષ્ઠીપદ નથી, તેથી અહીં પંચપરમેષ્ઠીમાં તેની વાત નથી લીધી.
[પરમેષ્ઠી પદ]
પરમપદમાં જે સ્થિત છે તે પરમેષ્ઠી છે. આત્માનો શુદ્ધચૈતન્યસ્વભાવ તે પરમપદ છે, તે પરમપદમાં જે
સ્થિત છે તે પરમેષ્ઠી છે. અરિહંત–સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ એ પાંચે ય પરમ ચૈતન્યપદમાં સ્થિત
હોવાથી પરમેષ્ઠી છે. અંતરમાં શુદ્ધોપયોગના સાધન વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂપ રત્નત્રય પ્રગટ કરીને,
જેમણે ત્રણ કષાયનો નાશ કર્યો છે ને સ્વરૂપમાં ઘણી સ્થિરતા પ્રગટ કરી છે–એવા મોક્ષમાર્ગી મુનિવરો
પરમેષ્ઠીપદમાં ભળી ગયા છે. સર્વે મુનિઓની ત્રણે કાળ બાહ્ય–અભ્યંતર નિર્ગ્રંથ હોય છે. આ સિવાય શરીર
ઉપર વસ્ત્રની એક લંગોટી પણ ધારણ કરવાની જેની ઈચ્છા છે તેને ત્રણ કષાયનો અભાવ થયો નથી ને
સ્વરૂપસ્થિરતા થઈ નથી; ત્યાં સમ્યગ્દર્શન સહિત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંચગુણસ્થાનનું શ્રાવકપણું હોઈ શકે, પરંતુ
તેને મુનિદશા ન હોઈ શકે ને પંચપરમેષ્ઠીમાં તે ન આવે.
[પંચપરમેષ્ઠીનું સ્વરૂપ ઓળખે તો પ્રયોજની સિદ્ધિ થાય.]
અહો! પંચપરમેષ્ઠીપદ શું ચીજ છે તેના મહિમાની લોકોને ખબર નથી. ઘણા લોકો રોજ ‘णमोक्कार
मंत्र’ બોલી જાય છે, પણ તે णमोक्कार मंत्र માં જે પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે તેમનું
સ્વરૂપ તો ઓળખતા નથી. જેમને પોતે નમસ્કાર કરે છે તેમનું સ્વરૂપ જાણ્યા વગર પ્રયોજનની સિદ્ધિ ક્યાંથી
થાય? હું કોને નમસ્કાર કરું છું ને શા માટે નમસ્કાર કરું છું–તે ઓળખે તો પ્રયોજનની સિદ્ધિ થાય.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૨૪ : આત્મધર્મ: ૧૩૬
પ્રથમ તો જીવને સુખ થાય તે પ્રયોજન છે; તે સુખ વીતરાગવિજ્ઞાનથી જ થાય છે, એટલે
વીતરાગવિજ્ઞાન તે પ્રયોજન થયું. અરિહંતાદિ પંચપરમેષ્ઠી ભગવંતો વીતરાગવિજ્ઞાનસ્વરૂપ છે, વીતરાગવિજ્ઞાન
વડે તેમનામાં મહાનપણું હોવાથી તેઓ પૂજ્ય અને વંદનીક છે. આ પ્રમાણે વીતરાગવિજ્ઞાન સ્વરૂપે જો
પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખે તો પોતામાં પણ સ્વભાવ અને પરભાવનું ભેદજ્ઞાન થઈને વીતરાગવિજ્ઞાનરૂપ
પ્રયોજનની સિદ્ધિ થાય.
અપૂર્વ
જડથી અને જડના કાર્યોથી જુદો, હું જ્ઞાનાનંદસ્વરૂપ છું–એમ પોતાના
સ્વભાવનો નિર્ણય જીવે પૂર્વે એક સેકંડ પણ નથી કર્યો તેથી તે અપૂર્વ છે. એ
સિવાય બીજું બધું પૂર્વે કરી ચૂક્યો છે, પણ તેનાથી ચાર ગતિનું પરિભ્રમણ મટ્યું
નહિ, તે કાંઈ અપૂર્વ નથી. ભગવાન! એક વાર તારા ચૈતન્યતત્ત્વને સાંભળીને
તેનો અપૂર્વ નિર્ણય કર. તારી અંર્તશક્તિમાં સર્વજ્ઞપણું પડેલું છે, તેને ભૂલીને
પોતાને વિકાર જેટલો તુચ્છ માને છે અને હું જડનાં કાર્ય કરું–એવું મિથ્યા
અભિમાન કરે છે તે પાપ છે ને દુઃખનું કારણ છે. અંતર્મુખ થઈને પોતાના પરિપૂર્ણ
ચિદાનંદ સ્વભાવનો અપૂર્વ નિર્ણય કરવો; તે ધર્મ છે ને તે સુખનું કારણ છે.
આનંદનો ઉપાય
આત્મા દુઃખ ટાળીને સુખી થવા માંગે છે એટલે આનંદ લેવા માંગે છે. આનંદ તો આત્માના સ્વભાવમાં
જ છે, પણ અજ્ઞાનને લીધે બહારથી આનંદ લેવા માંગે છે. આત્માનો આનંદ બહારમાં છે જ નહિ. આનંદનો
સાગર અંતરમાં ભર્યો છે પણ તેની સામે કદી જીવે જોયું નથી; ચૈતન્યના આનંદને ચૂકીને, બહારમાં જ આનંદ
માની–માનીને અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે. નાની વયમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?’
અરે જીવો! બહારના ઈન્દ્રિયવિષયોમાં સુખ માનતાં અંતરના સ્વભાવનું અતીન્દ્રિય સુખ ચૂકી જવાય છે.
‘બહારમાં મારું સુખ નથી, મારું સુખ તો મારા અંર્તસ્વભાવમાં જ છે’ એમ વિશ્વાસ કરીને અંતરના
ચિદાનંદતત્ત્વનું મનન કરો. એકવાર આવી ઓળખાણ કરીને આત્મામાં પરમ સત્યનો ભણકાર તો લાવો.
ચૈતન્યતત્ત્વના ભણકાર વિના બહારમાં આનંદ માની–માનીને અનાદિકાળથી જીવ ક્ષણે ક્ષણે ભાવમરણ કરી
રહ્યો છે. જો એક ક્ષણ પણ આત્માનું સત્ય સ્વરૂપ સમજે તો એ ભાવમરણનું ભયંકર દુઃખ મટે ને પરમઆનંદરૂપ
મુક્તદશા પ્રગટે.
‘અહો! મારી ચીજ તો અંતરના જ્ઞાનસ્વભાવથી ભરેલી છે, આનંદનાં નિધાન મારામાં જ ભર્યાં છે, પણ
તેને ચૂકીને અત્યાર સુધી હું બહાર રખડ્યો, છતાં મારાં ચૈતન્યનિધાન એવાં ને એવાં પરિપૂર્ણ છે’–આમ
અંર્તવસ્તુનો સ્વીકાર કરવો ને તેનો મહિમા કરીને સ્વસન્મુખ થવું તે અપૂર્વ આત્મકલ્યાણનું મૂળ છે, તે જ
આનંદની પ્રાપ્તિનો ઉપાય છે અને તે જ ધર્મ છે.
(–પ્રવચનમાંથી)

PDF/HTML Page 18 of 21
single page version

background image
માહ: ૨૪૮૧ : ૧૨૫ :
સમ્યગ્દશન કમ થય?
અને સમકીતિની દ્રષ્ટિ કેવી હોય?
સમયસાર ગા. ૧૮૧ – ૨ – ૩ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
[વર સ. ૨૪૮૦ પષ વદ અમસ: રજકટ]


અનંતકાળમાં પૂર્વે એક સેકંડ પણ જીવને સમ્યગ્દર્શન થયું નથી, તે સમ્યગ્દર્શન કેમ થાય? અને જેને
સમ્યગ્દર્શન થાય તે જીવની કેવી દશા હોય? તેની આ વાત છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જીવ કદી
સમજયો નથી અને તેનાથી વિપરીત માન્યું છે તેથી તેને આત્માનું સમ્યગ્દર્શન થયું નથી. આત્માનું જેવું સ્વરૂપ
છે તેવું જાણીને તેની પ્રતીત કરે તો અપૂર્વ સમ્યગ્દર્શન થાય. તે સમ્યગ્દર્શન થતાં જીવ એમ જાણે છે કે અહો!
મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે ઉપયોગમાં જ છે, પણ રાગાદિમાં મારો આત્મા નથી. અનાદિથી મેં રાગને
મારું સ્વરૂપ માન્યું તોપણ મારો આત્મા તો રાગથી ભિન્ન સદા ઉપયોગસ્વરૂપ જ રહ્યો છે, મારો ઉપયોગસ્વરૂપ
આત્મા કદી રાગસ્વરૂપ થઈ ગયો નથી. જુઓ આ ધર્મીનું ભેદજ્ઞાન! આત્મામાં આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે જ
ધર્મનો પાયો છે, આવા ભેદજ્ઞાન વગર કદી ધર્મ થાય નહિ.
અનંતકાળથી અજાણ્યું આત્મતત્વ શું ચીજ છે તેની આ વાત છે. આત્મા ક્યાં રહેતો હશે? શું શરીરમાં
આત્મા રહેતો હશે? ના શરીર તો જડ છે, તેમાં આત્મા નથી. શું રાગમાં આત્મા રહેતો હશે? ના; રાગમાં જ્ઞાન
નથી એટલે રાગમાં આત્મા નથી. આત્મા તો પોતાના ઉપયોગમાં જ રહે છે. આત્મા ઉપયોગસ્વરૂપ છે તે
ઉપયોગમાં જ છે, એટલે અંર્તસ્વભાવમાં એકતાથી જે નિર્મળ જ્ઞાન દર્શન ભાવ પ્રગટ્યો તેમાં આત્મા છે, પણ
વિકારમાં કે જડમાં આત્મા નથી. હું ચિદાનંદસ્વરૂપ આત્મા છું–એવી અંર્તદ્રષ્ટિ કરીને સ્વભાવમાં એકતા કરતાં
આત્મા અનુભવમાં આવે છે, પણ તે દ્રષ્ટિમાં ક્રોધાદિ કે કર્મ અનુભવમાં આવતા નથી; માટે આત્મામાં તે ક્રોધાદિ
નથી. અને ‘હું ક્રોધ છું, હું રાગ છું’ એવી ક્રોધાદિ સાથે એકપણાની દ્રષ્ટિમાં ક્રોધાદિનો અનુભવ થાય છે પણ
તેમાં જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી; માટે તે ક્રોધાદિમાં આત્મા નથી.–આવું અપૂર્વ ભેદજ્ઞાન કરીને
પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ ઉપયોગની એકતા કરવી તે મુક્તિમાર્ગ છે.
આત્મા કેવો છે?–કે આત્મા ત્રિકાળ ઉપયોગસ્વરૂપ છે. વર્તમાનદશામાં તેને જે ક્રોધાદિ વિકાર છે તે તેનું
વાસ્તવિક સ્વરૂપ નથી પણ તેના ગુણની ઊલટી દશા છે. આત્માના ચિદાનંદ સ્વભાવનો અનાદર કરીને
વિકારની રુચિ કરવી તે ક્રોધ છે, તે ક્રોધમાં આત્મા નથી એટલે કે રાગાદિથી લાભ માનીને વિકાર સાથે એકત્વ
બુદ્ધિ કરનારને ચિદાનંદ સ્વરૂપ આત્મા લક્ષમાં આવતો નથી. જેને વિકારની રુચિ છે તેને ભગવાન આત્માની
પ્રીતિ નથી પણ જડ કર્મની પ્રીતિ છે. ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ એવા વિકારની જેને પ્રીતિ છે તે જીવ
ચૈતન્યસ્વભાવના અનંતગુણનો તિરસ્કાર કરે છે, તે અનંતો ક્રોધ છે ને તે જ મોટું પાપ છે. અનાદિકાળના
પરિભ્રમણમાં એક સમય પણ પોતાના ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ જીવે કરી નથી, રાગ અને
આત્માના ભિન્નતા જ લક્ષમાં લીધી નથી. જયાં રાગ અને આત્માની ભિન્નતાનું ભાન થયું ત્યાં ધર્મી જીવને
જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યસ્વભાવમાં જ આત્મબુદ્ધિ થઈ ને રાગમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ, હવે કોઈ પણ રાગમાં
હિતબુદ્ધિ તે જ્ઞાનીને રહેતી નથી.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૨૬ : આત્મધર્મ: ૧૩૬
રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવનું આવું ભાન કરવું તે અપૂર્વ છે. પહેલાંં તો આ વાત જીવોને શ્રવણમાં આવવી
પણ દુર્લભ છે, પૂર્વે જ્યારે અનંતવાર શ્રવણમાં આવી ત્યારે જીવે યથાર્થપણે લક્ષગત કરી નથી. અંતરમાં પાત્ર
થઈને એક વાર પણ જો આ વાત લક્ષગત કરે તો અપૂર્વ કલ્યાણ થયા વિના રહે નહિ. એકલા શાસ્ત્રના
ભણતરથી આ વાત સમજાય તેવી નથી, સત્સમાગમે શ્રવણ–મનન કરીને અંતરમાં ઘણો પરિચય કરે તો આ
વાત લક્ષગત થાય તેવી છે. પૂર્વે ધર્મના નામે પણ જીવ રાગની–વિકલ્પની રુચિમાં જ અટકી ગયો છે, અંતરમાં
રાગથી પાર––વિકલ્પથી પાર ચૈતન્યસ્વભાવને કદી લક્ષમાં લીધો નથી. અરે! અનંતકાળે આ મનુષ્ય અવતાર
પામ્યો તેમાં આ વાત ખ્યાલમાં લઈને જો અપૂર્વ દ્રષ્ટિ પ્રગટ ન કરે તો ઢોરના અવતારમાં ને મનુષ્યના
અવતારમાં કાંઈ ફેર નથી.
આત્માની શક્તિમાં પરમેશ્વરપણું છે, સર્વજ્ઞતા આત્માની શક્તિમાં પડી છે, તેનો વિશ્વાસ કરવો જોઈએ.
સર્વજ્ઞપણું ન પ્રગટે ત્યાં સુધી વચ્ચે રાગ આવે, પણ તે રાગમાં ધર્મીને ઉપાદેય બુદ્ધિ નથી, રાગ વખતે ય ધર્મીને
ચૈતન્યસ્વભાવમાં જ ઉપાદેય બુદ્ધિ વર્તે છે. ‘હું એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા છું, રાગનો એક અંશ પણ મારા
સ્વરૂપમાં નથી’ એમ પોતાના જ્ઞાયકસ્વભાવનો જ્યાં વિશ્વાસ આવ્યો ત્યાં ધર્મીને પુણ્ય–પાપમાં હિતબુદ્ધિ રહેતી
નથી; ધર્મી જીવ રાગાદિને પોતાના ઉપયોગમાં એકપણે કરતો નથી, તેથી ધર્મીને ઉપયોગમાં ક્રોધાદિ નથી. રાગ
વર્તતો હોવા છતાં તે રાગમાં એકતાબુદ્ધિ નથી, જ્ઞાનસ્વભાવમાં જ એકતા છે, ઉપયોગસ્વભાવની પ્રીતિ આડે
ધર્મી રાગને પોતાપણે દેખતો જ નથી. જુઓ, આ ધર્મીનું ભેદજ્ઞાન! આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે ધર્મી થવાનો
ઉપાય છે.
અહીં આચાર્યદેવે અપૂર્વ રીતે ભેદજ્ઞાન સમજાવ્યું છે. ઉપયોગમાં ઉપયોગ છે ને ક્રોધાદિમાં ઉપયોગ નથી;
ક્રોધ ક્રોધમાં છે ને ઉપયોગમાં ક્રોધ નથી. તેવી જ રીતે કર્મ કે નોકર્મમાં ઉપયોગ નથી ને ઉપયોગમાં કર્મ કે નોકર્મ
નથી. કર્મ તે પૂર્વે બંધાયેલું પ્રારબ્ધ છે અને તેના નિમિત્તે બાહ્ય સંયોગ મળ્‌યો તે નોકર્મ છે; એ કર્મ તેમજ નોકર્મ
બંને, ઉપયોગથી ભિન્ન છે. જુઓ, અહીં ‘ઉપયોગમાં કર્મ–નોકર્મ નથી’ એમ કહ્યું એટલે કર્મ–નોકર્મનું જુદું
અસ્તિત્વ તો છે–એમ સાબિત થઈ ગયું. કોઈ એમ કહે કે ‘અમને તો પ્રત્યક્ષ દેખાય છે કે પાપનો ભાવ કર્યો ને
પૈસા મળે છે, માટે અમે પૂર્વજન્મને કે પ્રારબ્ધને માનતા નથી,’–તો તે મિથ્યાદ્રષ્ટિ નાસ્તિક છે. અરે ભાઈ!
વર્તમાન પાપથી પૈસા નથી મળ્‌યા પણ તારા પૂર્વના પ્રારબ્ધથી જ મળ્‌યા છે. મોટો નાસ્તિક હોય તો પણ પુર્વનું
પ્રરબ્ધ કબૂલવું પડે એવું એક દ્રષ્ટાંત લઈએ: કોઈ એક શેઠ છે, તદ્ન નાસ્તિક છે, પૂર્વના પુણ્ય–પાપને માનતો
નથી; હવે તેને ૬૦ વર્ષની ઉંમરે એકનો એક દીકરો થયો; તે પુત્રનું શરીર ઘણું સુંદર અને કોમળ છે ને શેઠને તે
બહુ વહાલો છે. હવે શેઠને ત્યાં પુત્ર થવાની રાજાને ખબર પડી અને રાજાએ પણ ખુશી થઈને તે પુત્રનું મોઢું
જોવા માટે રાજદરબારમાં તેડાવ્યો. નાસ્તિક શેઠ પોતાના પુત્રને લઈને રાજાસભામાં આવ્યો ને રાજાએ પુત્રને
જોયો. પુત્રનું સુંદર અને કોમળ શરીર જોતાં જ તે રાજાની બુદ્ધિ ફરી અને તેને એવું મન થયું કે હું આનું શરીર
કાપીને તેનું ભક્ષણ કરું. રાજાએ પોતાનો વિચાર શેઠને જણાવ્યો. તે સાંભળતાં જ શેઠ કંપી ઊઠ્યો અને કહ્યું:
‘અરે મહારાજ! એમ ન કરાય, એ સારું કામ નથી!’ રાજાએ કહ્યું: ‘પણ શેઠ! આ પ્રત્યક્ષ દેખાય છે કે મને
ક્ષુધા લાગી છે ને આનું શરીર કાપીને ખાઈશ ત્યાં મારી ક્ષુધા મટી જશે, ને મારું ક્ષુધાનું દુઃખ ટળશે, –તો તેને
સારું કામ કેમ ન કહેવાય?’ નાસ્તિક શેઠ પણ એ વખતે કહેશે કે ના, ના, રાજન્! એમ ન હોય. પ્રત્યક્ષ દેખાય
છે–એમ તમે કહો છો પણ એ પ્રત્યક્ષ જોવામાં કાંઈક ભૂલ છે. ભૂખનુ દુઃખ મટવાનું કારણ આ હિંસા ન હોય, તેનું
કારણ કાંઈક બીજું જ છે.
શરીર કાપીને ખાય ને ક્ષુધા મટે, તેમાં ખરેખર હિંસાનો તીવ્રપાપભાવ વર્તમાનમાં છે; તે પાપભાવ
કારણ અને ક્ષુધાનું દુઃખ મટવું તે કાર્ય–એમ નથી. વર્તમાનમાં જે પાપભાવ છે તે તો મહાદુઃખનું કારણ છે; અને
ક્ષુધા મટી તે તો પૂર્વના તેવા પ્રારબ્ધના ઉદયને લીધે તેવી સાતા દેખાય છે. વર્તમાન હિંસાના પાપભાવથી તો
નવું અશુભ–પ્રારબ્ધ બાંધે છે ને તેના ફળમાં નરકના મહા ભયંકર દુઃખોને તે જીવ ભોગવશે. પાપથી દુઃખ મટે–
એમ બને જ નહિ. બહારના સંયોગો પૂર્વના પ્રારબ્ધ અનુસાર આવે છે. આ રીતે પૂર્વ પ્રારબ્ધ–કર્મ છે એમ તેનું

PDF/HTML Page 20 of 21
single page version

background image
અસ્તિત્વ બતાવ્યું. પણ અહીં તો હજી એમ બતાવવું છે કે કર્મરૂપી જે પ્રારબ્ધ છે તેમાં આત્મા નથી અને
આત્મામાં કર્મ નથી. કર્મ ઉપર જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિમાં આત્મા નથી. કર્મના ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો
પડે–એમ જે માને છે તે કર્મથી ભિન્ન આત્માને નથી માનતો પણ કર્મને જ આત્મા માને છે. અહીં કર્મના ઉદય
પ્રમાણે વિકાર થાય–એ વાત તો છે જ નહિ, પરંતુ જીવના અપરાધથી જે વિકાર થાય તે પણ ખરેખર જીવ નથી,
જીવનો ઉપયોગસ્વભાવ તે વિકારથી ભિન્ન છે, વિકારમાં ઉપયોગ નથી ને ઉપયોગમાં વિકાર નથી,–એમ અહીં
ભેદજ્ઞાન કરાવવું છે.
કોઈ એમ કહે કે ‘શરીર નીરોગી હોય, પેટમાં ખોરાક બરાબર હોય તો ધર્મ કરવો ઠીક પડે’ – તો આમ
માનનારને ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી પણ નોકર્મ ઉપર દ્રષ્ટિ છે. ભાઈ! તારા ધર્મનું કારણ તારો આત્મા છે
કે જડ શરીર અને રોટલા તારા ધર્મનું કારણ છે? શરીર તે નોકર્મ છે, તે નોકર્મ અનુકૂળ હોય તો મને ધર્મ થાય–
એવી જેની દ્રષ્ટિ છે તેણે નોકર્મ સાથે આત્માની એકતા માની છે, ઉપયોગસ્વરૂપ આત્મા અને નોકર્મનું ભેદજ્ઞાન
તેને નથી. ઉપયોગસ્વરૂપ આત્મા શરીરથી અત્યંત જુદો છે, શરીર સાથે ધર્મનો સંબંધ નથી. કોઈ વાર ધર્માત્માને
પણ શરીરમાં રોગ થાય, અને અધર્મી પાપી જીવનું શરીર પણ નીરોગ હોય. શરીરમાં રોગ થાય તેથી કાંઈ
સાધકને પોતાના ધર્મમાં શંકા નથી પડતી.
કોઈ માણસનો પુત્ર નાની વયમાં મૃત્યુ પામ્યો; જ્યારે તેણે તે સમાચાર સાંભળ્‌યા ત્યારે કહ્યું કે–‘અરે,
અમારો પુત્ર નાની વયમાં મરે જ નહિ કેમકે અમે ધર્મી છીએ.’ જુઓ, સાધારણ લોકોને તો આવો જવાબ
સાંભળીને એમ લાગે કે વાહ! કેવી ધર્મની નિઃશંકતા! પણ જ્ઞાની કહે છે ને તે મોટો મૂઢ છે. શું તારામાં ધર્મ
થાય તેથી દિકરાનું આયુષ્ય વધી જાય? અને દિકરાનું આયુષ્ય ઓછું હોય તો શું આ જીવનો ધર્મ ચાલ્યો જાય?
ધર્મી તો આ શરીરને પણ પોતાથી તદ્ન ભિન્ન જાણે છે, તો પછી બીજાનો સંયોગ લાંબો કાળ રહે કે ઓછો કાળ
રહે––એની સાથે તેના ધર્મનો શું સંબંધ છે? ધર્મી થાય તેના પુત્રનું આયુષ્ય લાંબું જ હોય––એવું નથી અરે! કોઈ
વાર ધર્મીને પોતાને પણ દેહનું આયુષ્ય થોડું હોય. લાંબુ આયુષ્ય હોય તો જ ધર્મી કહેવાય–એમ નથી. આયુષ્ય
ટૂંકું હોય કે લાંબું હોય––પણ જેને આયુષ્ય ઉપર દ્રષ્ટિ છે તેને ધર્મ થતો નથી. ધર્મી તો જાણે છે કે આયુષ્ય મારું
નથી પણ શરીરનું છે, શરીર જડ છે, હું તો ઉપયોગસ્વરૂપ અનાદિઅનંત છું, મારા ઉપયોગના આધારે જ મારે
ધર્મ છે.–આવી દ્રષ્ટિ પ્રગટ કરવી તે ધર્મી થવાનો ઉપાય છે.
આત્માની આરાધનાનો રાહ
ભવભ્રમણથી થાકેલો જિજ્ઞાસુ શિષ્ય આત્માની સાચી સમજણ કરવા માટે શ્રી ગુરુ પાસે આવી ને પૂછે
છે કે: આત્માના ભાન વિના હે પ્રભો! અનંત અવતારમાં રખડી રખડીને હવે તો હું થાક્યો, નાથ! હવે આ
આત્માને સમજીને ભવભ્રમણથી મારો છૂટકારો થાય એવી રીત બતાવો... આત્માનું વાસ્તવિક સ્વરૂપ મને
સમજાવો.
શ્રી ગુરુ કહે છે કે હે ભાઈ! તું આત્માનો ગરજવાન થઈને પૂછવા આવ્યો છે તો અમે તને આત્માનું
સ્વરૂપ બતાવીએ છીએ. આત્માના ધર્મો વડે તેની ઓળખાણ કરતાં આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે. અમે
જે કહીએ છીએ તે ધીરો થઈને સાંભળ. આ વાતની હા પાડીને રુચિ કરતાં તેમાં પરિણમન થયા વિના રહે નહીં.
આત્માને ઓળખીને તેની રુચિ અને એકાગ્રતા કરવી તે આત્માની આરાધનાનો રાહ છે. પણ તે માટે આત્માની
ખરી લગની લાગવી જોઈએ. સાચી લગની લાગે તેને આત્માનું સ્વરૂપ સમજાયા વગર રહે નહીં.