Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૪૩
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ બારમું સમ્પાદકઃ પ્રથમ ભાદરવો
અંક દસમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
આત્માની લગની
हंस! स्मरसि द्रव्याणि पराणि प्रत्यहं यथा ।
तथा चेत् शुद्धचिद्रूपं मुक्तिः किं ते न हस्तगा ।। ३।।
રે ચેતન હંસ! જેમ પ્રતિદિન તું પરદ્રવ્યોનું સ્મરણ–ચિંતન કરે છે, તેમ જો
તું શુદ્ધચિદ્રૂપ આત્માનું સ્મરણ–ચિંતન કરે તો શું મુક્તિ તને હસ્તગત ન થાય?–
જરૂર થાય જ.
તત્ત્વજ્ઞાન તરંગિણીઃ અધ્યાય ૧પ
જેમ મન તું રમ વિષયમાં તેમ જો આત્મે લીન,
શીઘ્ર લહે નિર્વાણપદ ધરે ન દેહ નવીન.
યોગસાર દોહા.
*
આ છે શ્રી ગુરુઓનો આદેશ
आदेशोयं सद्गुरुणां रहस्यं सिद्धांतानामेतदेवाखिलानाम् ।
कर्तव्यानां मुख्यकर्तव्यमेतत्कार्या यत्स्वे चित्स्वरूपे विशुद्धिः ।। २३।।
પોતાના ચૈતન્યસ્વરૂપમાં વિશુદ્ધતા પ્રાપ્ત કરવી તે જ સદ્ગુરુઓનો
આદેશ છે, તે જ સમસ્ત સિદ્ધાંતોનું રહસ્ય છે, અને તે જ સમસ્તકાર્યોમાં મુખ્ય
કર્તવ્ય છે.
*******************************************
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા (૧૪૩) ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
આ છે.સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય
(શ્રી પ્રવચનસાર ગા. ૪૦ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી; વીર સં. ર૪૮૧ વૈશાખ વદ પ)
(૧)આ આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, તેનો જ્ઞાનસ્વભાવ અતીન્દ્રિય છે, તે જ્ઞાનસ્વભાવનું અવલંબન કરીને
શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવાથી અતીન્દ્રિય સર્વજ્ઞપદ અને પરમઆનંદ પ્રગટે છે, તે આત્માનું હિત છે.
(ર)પણ, જ્ઞાનસ્વભાવનું અવલંબન ન કરતાં ઈન્દ્રિયે ને જ આધીન વર્તે તો તે જ્ઞાન પરાધીન છે. ઈન્દ્રિયોને
આધીન વર્તતું તે પરાધીનજ્ઞાન આકુળતાવાળું છે, તે જ્ઞાન ભૂત–ભવિષ્યના પદાર્થોને જાણી શકતું નથી. પોતે
પોતાના જ્ઞાનસ્વભાવનો આશ્રય ન લેતાં, બાહ્ય ઈંદ્રિયોનો આશ્રય કરીને વર્તે તે સંસારનું કારણ છે.
(૩)જેને અતીન્દ્રિય–સર્વજ્ઞપદ અને પરમાનંદ પ્રગટ કરવો છે તેણે ઇન્દ્રિયોની રુચિ છોડીને જ્ઞાનસ્વભાવની રુચિ
કરવા યોગ્ય છે, મિથ્યાદ્રષ્ટિ જીવ ઇન્દ્રિયાધીન જ્ઞાનને લીધે ઇન્દ્રિયોનો દાસ થઈને વર્તે છે.
(૪) અતીન્દ્રિયજ્ઞાન તો સ્વભાવનો આશ્રય લે છે, ઈન્દ્રિયજ્ઞાન પરસંયોગનો આશ્રય લે છે.
સ્વભાવના આશ્રયવાળું અતીન્દ્રિયજ્ઞાન તે સર્વજ્ઞપદનો ઉપાય છે. સંયોગના આશ્રયવાળું ઇંદ્રિયજ્ઞાન તે
આકુળતાનું કારણ છે.
(પ) સમ્યગ્દર્શન પણ અતીન્દ્રિય સ્વભાવના અવલંબનથી થાય છે. સમ્યગ્જ્ઞાન પણ અતીન્દ્રિયસ્વભાવના જ
અવલંબનથી થાય છે. ચોથા ગુણસ્થાને સમકીતિને પણ અંશે અતીન્દ્રિયજ્ઞાન થયું છે, ને તેટલું ઈંદ્રિયોનું
અવલંબન તૂટી ગયું છે, તે અતીન્દ્રિયજ્ઞાન પૂર્ણ અતીન્દ્રિય એવા સર્વજ્ઞપદનું કારણ છે;
(૬)સાધકને અંશે અતીન્દ્રિયજ્ઞાન થયું છે; ત્યાં જેટલું ઇંદ્રિયોનું અવલંબન વર્તે છે તે તો હેય છે. જેમ,
સાધકદશામાં રાગ હોય છે પણ તે હેય છે, તેમ ઇંદ્રિયજ્ઞાન પણ હેય છે. સર્વજ્ઞપદ પ્રગટાવવું હોય તેણે
ઇંદ્રિયનો આશ્રય છોડીને, સ્વભાવનો આશ્રય કરવો
(૭) ઇંદ્રિયજ્ઞાન પોતે જ સ્વભાવનો આશ્રય છોડીને ઇંદ્રિયોને આધીન વર્તે છે, કાંઈ જડ ઇંદ્રિયો તેને પરાધીન
નથી બનાવતી! “ઇંદ્રિયોનું નિમિત્ત હોય તો જ્ઞાન થાય”–એવી માન્યતાથી અજ્ઞાની પોતે પોતાના જ્ઞાનને
પરાધીન બનાવે છે. ઈંદ્રિયો જ્ઞાનને પરાધિન બનાવે છે એમ જે માને છે તે કદી પોતાના જ્ઞાનને સ્વાધીન
અતીન્દ્રિય બનાવી શકતો નથી.
(૮)અરિહંતદેવને જડ ઇંદ્રિયો એમ ને એમ વિદ્યમાન હોવા છતાં તેમનું જ્ઞાન કાંઈ ઇંદ્રિયોને આધીન વર્તતું નથી,
તેમનું જ્ઞાન તો સ્વભાવને અવલંબીને પુરું અતીન્દ્રિય વર્તે છે; ત્યાં ઇંદ્રિયો કાંઈ તેને પરાધીન નથી
બનાવતી.
(૯) તેમ નીચેની દશામાં પણ ઇંદ્રિયોને લીધે કંઈ જ્ઞાન નથી થતું. અજ્ઞાની કહે છે કે ‘ઇન્દ્રિયોથી જણાય; ઇંદ્રિયો
ન હોય તો ન જણાય’. અહીં તો ‘જૈનબાળપોથી’ ના પહેલા જ પાઠમાં કહે છે કે “હું જ્ઞાનથી જાણું છું”–
ઇંદ્રિયોથી નથી જાણતો. અજ્ઞાનીને મૂળમાંથી જ વાંધા ઊઠે તેવું છે. ઇંદ્રિયો નથી જાણતી પણ જ્ઞાન જાણે છે.
ઇંદ્રિયોને આધીન પણ જ્ઞાન પોતે થાય છે, ને સ્વભાવ તરફ વળીને અતીન્દ્રિયરૂપે પણ પોતે જ થાય છે.–
આમ બંનેમાં જીવ પોતે સ્વતંત્ર છે.
(૧૦) આમ પોતાના સ્વભાવ તરફ ન ઝૂકતાં, જે જ્ઞાન પર જ્ઞેયો તરફ જ ઝૂકે છે તે પરાધીન–ઇન્દ્રિયજ્ઞાન
આકુળતા ઉપજાવનારું છે, તે જ્ઞાન કયાંય ઠરતું નથી પણ પરજ્ઞેયોને જાણવાની આકુળતાથી પરજ્ઞેયોમાં
ભમ્યા જ કરે છે. સ્વભાવ તરફ ઝુકેલું જ્ઞાન અતીન્દ્રિય છે, અને તેની સાથે અતિન્દ્રિય આનંદ પણ ભેગો જ
છે. આવું અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. સ્વભાવનો આશ્રય કરીને વર્તતું અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે.
સ્વભાવનો આશ્રય કરીને વર્તતું અતીન્દ્રિય જ્ઞાન જ સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
[૪]
* કેવળજ્ઞાનરૂપી કાર્યના કારણભૂત કારણસ્વભાવજ્ઞાનઉપયોગ *
(નિયમસાર ગા. ૧૦ ઉપરનાં પ્રવચનો)
અહો! જંગલમાં વસનારા....ને આત્માના આનંદમાં મશગુલ રહેનારા
વીતરાગી મુનિરાજના શ્રીમુખેથી પરમાગમ રૂપી અમૃત ઝર્યા છે. તેમાં આત્માના
સ્વભાવનું વર્ણન કરતાં કહે છે કે હે ભાઈ! તારા ધર્મનું ધુ્રવકારણ તો તારામાં
સદાય વિદ્યમાન છે જ, પણ તું તેને કારણ બનાવતો નથી. આ કારણમાં અંતર્મુખ
થઈને કાર્ય પ્રગટ કરતાં ખબર પડે છે કે અહો! આ મારા કાર્યનું કારણ!–આવું
ભાન થતાં કારણનું કારણપણું સફળ થાય છે.
અતંર્મુખ થઈને અપૂર્વ કાર્ય પ્રગટ કર્યું ત્યારે કારણનું ભાન નવું પ્રગટયું,
અને ખબર પડી કે ઓહો! મારામાં આવું કારણ તો પહેલાં પણ હતું પણ મને તેનું
ભાન ન હતું, તેથી કાર્ય ન પ્રગટયું. હવે કારણના મહિમાની ખબર પડી, કારણનું
ભાન થતાં કાર્ય પ્રગટયું, ને કારણ સાથે કાર્યની અપૂર્વ સંધિ થઈ. અહો!
મુનિવરોએ કારણ અને કાર્યને સાથે ને સાથે રાખીને અદ્ભુત અમૃત રેડયાં છે.
આ સમજીને અંતર્મુખ થઈને જે જીવ નિજ સ્વભાવમાં ઊંડો....ઊંડો....
ઊતરી જાય છે તેને મોક્ષદશા ખીલી જાય છે...તે સાદિ અનંત મંગળરૂપ છે.
(વીર સં. ૨૪૮૧ પોષ સુદ નોમ)
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧ ઃ ૨પ૩ઃ

PDF/HTML Page 5 of 21
single page version

background image
હવે નિયમસારની આ દસમી ગાથા શરૂ થાય છે. આજથી બરાબર બાર વર્ષ પહેલાં પોષ સુદ નોમે આ
કારણશુદ્ધપર્યાયની વાત બહાર આવી હતી, ને આજે પણ બરાબર એ જ દિવસે આ દસમી ગાથા શરૂ થાય છે; આ
ગાથામાં જ્ઞાનની કારણશુદ્ધપર્યાયનું સ્પષ્ટ વર્ણન છે. આખા આત્માની કારણશુદ્ધપર્યાયનું વર્ણન તો હજી પંદરમી
ગાથામાં આવશે; આ ગાથામાં જીવનું લક્ષણ જે ઉપયોગ, તેના ભેદોનું વર્ણન કરતાં સ્વભાવજ્ઞાનઉપયોગને કારણ
અને કાર્યરૂપે બતાવીને ઘણી સરસ વાત કરી છે. જુઓ, મૂળ ગાથા–
जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ ।
णाणुवओगो दुविहो सहावणाणं विभावणाणं त्ति ।।
ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન–જ્ઞાન છે;
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે.
જીવ ઉપયોગમય છે. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે–સ્વભાવજ્ઞાન અને
વિભાવજ્ઞાન.
‘જીવ ઉપયોગમય છે.’ ‘ઉપયોગ’ કહેતાં અહીં ‘પરિણામ’ ની વાત છે. આ ગાથામાં ઉપયોગનું લક્ષણ કહ્યું
છે. જીવનું લક્ષણ જે ઉપયોગ, તે ઉપયોગના પ્રકારોનું અહીં વર્ણન કર્યું છે. ઉપયોગના જેટલા પ્રકારો અહીં કહેશે તે
બધા પ્રકારો પર્યાયરૂપ છે–એ વાત લક્ષમાં રાખવી.
પહેલાં ઉપયોગ એટલે શું તે કહે છે; પછી તેના પ્રકારો સમજાવશે.
“આત્માનો ચૈતન્ય–અનુવર્તી પરિણામ તે ઉપયોગ છે.” જુઓ, આ ઉપયોગની વ્યાખ્યા. આત્માનો જે
ત્રિકાળ ચૈતન્યસ્વભાવ તેને અનુસરીને વર્તનારો પરિણામ તે ઉપયોગ છે. આમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે આવી ગયા.
‘આત્માનો’ તે દ્રવ્ય;
‘ચૈતન્ય’ તે ગુણ;
‘અનુવર્તી પરિણામ’ તે પર્યાય.
આત્મા તે દ્રવ્ય, અને ચૈતન્ય તેનો ત્રિકાળી ગુણ, તે ચૈતન્યને અનુસરીને વર્તનારા પરિણામને ઉપયોગ કહે
છે. ઉપયોગ કોઈ પરને–ઇન્દ્રિયોને કે રાગને અનુસરીને થાય છે–એમ ન કહ્યું પણ ચૈતન્યને જ અનુસરીને થાય છે–
એમ કહીને ત્રિકાળી સ્વભાવ તરફનું વલણ કરાવ્યું છે.
ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે; દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. જુઓ, આત્મા ચૈતન્યદીપક છે
ને ઉપયોગ તેનો પ્રકાશ છે. રાગાદિ ભાવો તે તો અંધકાર જેવા છે. જેમ પ્રકાશમાં અંધારું નથી તેમ ઉપયોગમાં રાગ–
દ્વેષ નથી. રાગ–દ્વેષ તે આત્માનો સ્વભાવ નથી, સ્વાભાવિક જ્ઞાનઉપયોગ તે જ આત્માનો સ્વભાવ છે, આવું
ભેદજ્ઞાન કરવું તે મુક્તિનું કારણ છે. ‘ઉપયોગ’ તે જીવની પર્યાય છે માટે તે ધર્મ છે ને જીવ તે પર્યાયનો ધરનાર છે
તેથી તે ધર્મી છે. ઉપયોગના જેટલા પ્રકારો પડે તે કોઈ બીજાથી નથી પણ જીવનો જ ધર્મ છે. મતિજ્ઞાન ઉપયોગ હો કે
ત્રિકાળશુદ્ધઉપયોગ હો, તે બધાય ઉપયોગ જીવનો ધર્મ છે, ને જીવ ધર્મી છે. જેમ દીવો સ્વભાવથી જ પ્રકાશવાળો છે,
દીવાનો પ્રકાશ પરને લીધે નથી, તેમ આત્મા ચૈતન્યદીપક છે ને ઉપયોગ તેનો પ્રકાશ છે. આત્મા સ્વભાવથી જ
ઉપયોગસ્વરૂપ છે, કોઈ પરને લીધે તેનો ઉપયોગ નથી. મતિ–શ્રુતજ્ઞાનનો ઉપયોગ પણ ઇન્દ્રિયો કે મનને લીધે થતો
નથી, તે ઉપયોગ પણ જીવોનો ધર્મ છે.
ચૈતન્યનો ઉપયોગ કહેતાં તેમાં જ્ઞાન અને દર્શન બંનેનો વેપાર આવી જાય છે. ઉપયોગ જ્ઞાન ને દર્શન એવા
બે પ્રકારનો છે. જ્ઞાનને અનુસરીને વર્તનારા પરિણામ તે જ્ઞાનોપયોગ છે, ને દર્શનને અનુસરીને વર્તનારા પરિણામ તે
દર્શનોપયોગ છે. તેમાંથી જ્ઞાનોપયોગના એકંદર નવ પ્રકાર (એક કારણરૂપ, ને આઠ કાર્યરૂપ) વર્ણવશે, તથા
દર્શનોપયોગના પાંચ પ્રકાર (એક કારણરૂપ, ને ચાર કાર્યરૂપ) વર્ણવશે. આ રીતે ઉપયોગના બધા મળીને ચૌદ ભેદ
લીધા છે. આ બધા પ્રકારના ઉપયોગ–ધર્મોનો આધાર જીવ છે. પહેલાં જેમ શ્વેતાદિગુણોનો (–પર્યાયોનો) આધાર
પુદ્ગલ કહ્યો હતો, તેમ અહીં ઉપયોગ પરિણામનો આધાર જીવ છે.
આત્માનો ઉપયોગ જ્ઞાન અને દર્શન એવા ભેદથી બે પ્રકારનો છે. તેમાંથી જ્ઞાનઉપયોગ પણ સ્વભાવ અને
વિભાવ એવા બે પ્રકારનો છે. આ ગુણની વાત નથી પણ તેના પરિણામોની વાત છે. સ્વભાવજ્ઞાનઉપયોગ–પરિણામ
અને વિભાવજ્ઞાનઉપયોગ–પરિણામ એમ બે પ્રકારનો જ્ઞાનનો ઉપયોગ છે.
ઃ ૨પ૪ઃ
આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 6 of 21
single page version

background image
સ્વભાવ અને વિભાવ એવા બે પ્રકારના જ્ઞાનોપયોગમાંથી, સ્વભાવજ્ઞાનોપયોગને કારણ અને કાર્ય એમ બે
પ્રકારનો કહેશે, તેમાં ખાસ વાત આવશે. સ્વભાવજ્ઞાન–ઉપયોગમાં કારણસ્વભાવજ્ઞાનઉપયોગ ને કાર્યસ્વભાવજ્ઞાન–
ઉપયોગ એવા બે પ્રકાર છે; તે બે ભેદ બતાવવાનો એ હેતુ છે કે કારણના અવલંબને કાર્ય થાય છે.
અહીં પહેલાં સ્વભાવજ્ઞાનઉપયોગનું વર્ણન કરે છે, પછી તેના કારણ અને કાર્ય એવા બે ભેદ પાડીને તેનું
વર્ણન કરશે.
કેવો છે આત્માનો સ્વભાવજ્ઞાનોપયોગ? સ્વભાવજ્ઞાન–ઉપયોગ અમૂર્ત છે, અવ્યાબાધ છે, અતીન્દ્રિય છે,
અવિનાશી છે. સ્વભાવજ્ઞાનઉપયોગની આ વ્યાખ્યા કારણ અને કાર્ય બંનેને લાગુ પડે છે.
સ્વભાવજ્ઞાન–ઉપયોગ પણ કારણરૂપ અને કાર્યરૂપ એમ બે પ્રકારનો છે. ચૈતન્યસ્વભાવને અનુસરીને
વર્તનારા જે સ્વભાવજ્ઞાનઉપયોગરૂપ પરિણામ તે કારણ અને કાર્ય એવા બે ભેદવાળા છે.
(૧) કારણસ્વભાવજ્ઞાનઉપયોગ પરિણામ
(૨) કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ પરિણામ
(વિભાવજ્ઞાન ઉપયોગના ભેદ હવે પછી કહેશે.)
કાર્ય સ્વભાવજ્ઞાન ઉપયોગ તે તો પરિપૂર્ણ નિર્મળ એવું કેવળજ્ઞાન છે. અને તે કેવળજ્ઞાનના કારણરૂપ
પરમપારિણામિકભાવે રહેલું ત્રિકાળ નિરુપાધિરૂપ સહજજ્ઞાન છે તે કારણસ્વભાવજ્ઞાનઉપયોગ છે. આ બન્ને પ્રકારના
ઉપયોગ અમૂર્ત–અવ્યાબાધ–અતીન્દ્રિય અને અવિનાશી છે. તેમાંથી કારણસ્વભાવજ્ઞાનઉપયોગ તો સદાય–અનાદિ
અનંત અમૂર્ત–અવ્યાબાધ–અતીન્દ્રિય ને અવિનાશી સ્વભાવવાળો છે, ને કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ પણ પ્રગટયા પછી
તેવા જ સ્વભાવવાળો છે. કારણરૂપ સ્વભાવજ્ઞાનઉપયોગ તો સદાય પરમ પારિણામિકભાવમાં સ્થિત છે જ, તે કાંઈ
નવો થતો નથી. તેમાંથી કેવળજ્ઞાન નવું પ્રગટે છે, તેને કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ કહે છે. આ કારણરૂપ કે કાર્યરૂપ
જેટલા ઉપયોગ કહેવાય છે તે બધા પરિણામરૂપ છે, કેમકે ચૈતન્યને અનુસરીને વર્તતા પરિણામ તે ઉપયોગ છે, ને
તેના પ્રકારોનું આ વર્ણન ચાલે છે. કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ બધાય જીવોમાં અત્યારે પણ વર્તી રહ્યો છે, તેની વાત
ખાસ સમજવા જેવી છે.
આત્માના ચૈતન્યસ્વભાવને અનુસરીને વર્તતા જ્ઞાનઉપયોગના સ્વભાવપરિણામ એક ‘કારણસ્વભાવરૂપ’
છે ને બીજા ‘કાર્યસ્વભાવરૂપ’ છે. તેમાં કારણસ્વભાવરૂપજ્ઞાનઉપયોગ અનાદિ અનંત છે. ને કાર્યસ્વભાવજ્ઞાન
ઉપયોગ સાદિઅનંત છે. કારણસ્વભાવજ્ઞાનને ‘પરમપારિણામિકભાવમાં સ્થિત’ કહ્યું છે, એટલે શું?
પરમપારિણામિકભાવ તો ત્રિકાળી દ્રવ્ય છે ને આ કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ તે પરમપારિણામિકભાવમાં સ્થિત છે.
‘પરમપારિણામિકભાવ’ તે દ્રવ્ય છે, ‘તેમાં સ્થિત’ તે પર્યાય છે;–કઈ પર્યાય? ઉત્પાદ–વ્યયરૂપ પર્યાય નહિ,–સંસાર
મોક્ષરૂપ પર્યાય નહિ, પણ ત્રિકાળ સ્વભાવમાં સ્થિતપણે આ પર્યાય વર્તે છે. તે નિરપેક્ષ છે, કર્મની ઉપાધિરહિત છે,
સદશપરિણમનરૂપ છે, સામાન્ય પારિણામિકભાવની વિશેષપરિણતિરૂપ છે, વર્તમાન વર્તે છે, તે પૂજ્ય છે–મહિમાવંત
છે–આશ્રય કરવા યોગ્ય છે. આ વર્તમાન ધુ્રવકારણરૂપ છે, તે ધુ્રવકારણના આશ્રયે પૂરું કાર્ય પ્રગટી જાય છે, ને પછી
પણ ધુ્રવકારણના આધારે જ પૂરું કાર્ય ટકે છે. અહો! આવું સદ્રશરૂપ ધુ્રવકારણ પરિપૂર્ણસ્વરૂપે આત્મામાં વર્તમાન
એકરૂપ વર્તે છે. આ કારણને પકડતાં નિર્મળ કાર્ય થઈ જાય છે.
કેવળજ્ઞાનરૂપ સ્વભાવકાર્ય તો જ્યારે પ્રગટે ત્યારે વર્તમાન છે, પરંતુ તે કેવળજ્ઞાન પ્રગટયા પહેલાં તેના
સ્વભાવકારણરૂપ એવો આ સહજ સ્વભાવિકજ્ઞાનઉપયોગ, પરમપારિણામિકભાવમાં સ્થિતપણે સદા વર્તમાન–
વર્તમાન બિરાજી રહ્યો છે. કેવળજ્ઞાનરૂપ કાર્ય તો પુરુષાર્થથી નવું પ્રગટે છે, જ્યારે આ કારણસ્વભાવજ્ઞાનઉપયોગ તો
આત્મા સાથે અનાદિઅનંત વર્તે છે, તે કાંઈ નવો નથી પ્રગટતો તેનું ભાન નવું પ્રગટે છે.
સમયસારની બીજી ગાથામાં ‘જીવ ચરિત દર્શન જ્ઞાન–સ્થિત.....’ એમ કહ્યું છે તેમાં તો દર્શન–જ્ઞાન–
ચારિત્રની નવી પર્યાય પ્રગટી તેની (એટલે કે મોક્ષમાર્ગની) વાત છે, અહીં ‘પરમપારિણામિકભાવમાં સ્થિત’ કહ્યું
છે તે તો ત્રિકાળી ઉપયોગપરિણતિની વાત છે. છતાં આ પણ છે તો પરિણામ! ચૈતન્યઅનુવિધાયી પરિણામને
ઉપયોગ કહ્યો છે તે વ્યાખ્યા આમાં પણ લાગુ પડે છે, આ ઉપયોગ ત્રણે કાળે આત્માના ચૈતન્યસ્વભાવને અનુસરીને
વર્તે છે; આને ‘પરિણતિ’ કહી, છતાં વેદન તેનું નથી, વેદન તો તેના
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
ઃ ૨પપઃ

PDF/HTML Page 7 of 21
single page version

background image
આશ્રયે જે નવી પર્યાય પ્રગટે તેનું થાય છે.
અહીં ‘ઉપયોગ’ ની જ વાત લીધી છે, બીજા ગુણોની વાત નથી લીધી, પણ તેમાંય (સુખ, શ્રદ્ધા વગેરે
ગુણોમાંય) આ ઉપયોગ પ્રમાણે સમજી લેવું. કારણશુદ્ધપરિણતિની વાત ઉપયોગની માફક જીવના બધા ગુણોમાં પણ
લાગુ પડે છે.
જુઓ ભાઈ! આ વાત બહુ ઝીણી છે, પણ એકદમ અંતરના સ્વભાવની છે; જલદી ન સમજાય તોપણ અંદર
મહિમા લાવીને ધ્યાન પૂર્વક સાંભળવું. આ કાંઈક આત્માના મહિમાની વાત કહેવાય છે એમ અંતરથી બહુમાન કરવું
તે પણ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે.
મૂળસૂત્રમાં આચાર્ય ભગવાનને જ્ઞાનોપયોગને સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન એમ બે પ્રકારનો કહ્યો છે,
તેમાંથી ટીકાકારે અદ્ભુત ભાવો ખોલ્યાં છે. સ્વભાવજ્ઞાનઉપયોગ કહ્યો તેમાંથી કારણ અને કાર્ય એવા બે પ્રકાર
કાઢયા.
અહીં હજી સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાનના ભેદો બતાવે છે, તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષની વાત પછી કહેશે.
અહીં જેને કારણસ્વભાવજ્ઞાનઉપયોગ કહ્યો તેને જ આગળ ૧૧–૧૨ ગાથામાં ‘સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન’ તરીકે
વર્ણવશે. ત્યાં કેવળજ્ઞાનને સકલપ્રત્યક્ષ કહેશે ને સહજજ્ઞાનને સ્વરૂપપ્રત્યક્ષ કહેશે.
આત્માના ચૈતન્યસ્વભાવને અનુસરીને વર્તનાર જે સકળવિમળ કેવળજ્ઞાનપરિણામ તે
કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ છે. તે સ્વભાવકાર્યના કારણરૂપ જે ઉપયોગ છે તે કારણસ્વભાવજ્ઞાનઉપયોગ છે, તે પણ
આત્માના ચૈતન્યસ્વભાવને અનુસરીને વર્તનાર સહજ પરિણામ છે.
કારણસ્વભાવજ્ઞાનઉપયોગ ત્રિકાળ નિરુપાધિરૂપ છે, ને કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ પ્રગટયા પછી સાદિ–અનંત
નિરુપાધિ છે.
કારણસ્વભાવજ્ઞાન પરમપારિણામિકભાવે રહેલું છે, ને કાર્યસ્વભાવજ્ઞાન (એટલે કે કેવળજ્ઞાન) ક્ષાયિકભાવે
રહેલું છે.
તેરમા ગુણસ્થાને પરિપૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન પ્રગટે છે તે કાર્ય છે; તે કાર્યનું કારણ કોણ? કાર્ય પ્રગટયું ક્યાંથી?
કયા કારણના અવલંબનથી કાર્ય પ્રગટયું? તે અહીં ઓળખાવે છે.
* કોઈ પરદ્રવ્ય આત્માના કેવળજ્ઞાનરૂપી કાર્યનું કારણ નથી; ઉત્તમસંહનનવાળું શરીર વગેરે નિમિત્તોમાંથી
કેવળજ્ઞાન આવતું નથી.
* શુભ–અશુભ વિકારીભાવો તે પણ કેવળજ્ઞાનનું કારણ નથી. શુભ–અશુભ ભાવો તો કેવળજ્ઞાનના બાધક
છે, તેમાંથી કેવળજ્ઞાન કેમ આવે?
* સાધકદશામાં મતિ–શ્રુત વગેરે જ્ઞાન હોય છે, તેને વ્યવહારથી કેવળજ્ઞાનનું કારણ કહેવાય છે, પણ
ખરેખર તે અધૂરા જ્ઞાનમાંથી કેવળજ્ઞાન આવતું નથી, એટલે તે પણ ખરેખર કેવળજ્ઞાનનું કારણ નથી; તેના
આશ્રયથી કેવળજ્ઞાન થતું નથી. અધૂરી પર્યાયમાંથી પૂરી પર્યાય કેમ આવે? કેવળજ્ઞાન તે પૂરું કાર્ય છે તો તેનું કારણ
પણ પૂરું જ હોય–એ અહીં બતાવે છે.
ચૈતન્યના પરમ પારિણામિકભાવમાં જે સદાય રહેલું છે, જે ત્રિકાળ નિરુપાધિ છે, સદા પરિપૂર્ણ છે એવું
કારણસ્વભાવજ્ઞાન તે જ કેવળજ્ઞાનનું કારણ છે, તે કારણના અવલંબને જ પૂરું કાર્ય પ્રગટી જાય છે. આ કારણનો
સ્વીકાર (શ્રદ્ધા, આશ્રય) કરતાં જ સાધનદશા શરૂ થઈ જાય છે ને અલ્પકાળમાં તેના જ અવલંબને પૂરું કાર્ય પ્રગટી
જાય છે.
પૂરું કાર્ય એટલે કે કાર્યસ્વભાવજ્ઞાન પ્રગટતાં વિભાવજ્ઞાનનો અભાવ થઈ જાય છે પણ
કારણસ્વભાવજ્ઞાનનો અભાવ થતો નથી. વિભાવજ્ઞાનવાળા જીવને પણ કારણસ્વભાવજ્ઞાન તો ત્રિકાળ વિદ્યમાન છે,
પણ અજ્ઞાનીને તેનું ભાન નથી. જ્ઞાનીને સાધકદશામાં કારણસ્વભાવજ્ઞાનનું ભાન છે છતાં હજી અમુક વિભાવજ્ઞાન
પણ છે. વિભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન બંને એક સાથે હોય, પણ વિભાવજ્ઞાન અને કાર્યસ્વભાવજ્ઞાન એ
બન્ને એક સાથે ન હોય. કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ તો બધા જીવોને ત્રણેકાળે વર્તમાન વર્તી રહ્યો છે. એક
આત્માને ઉપયોગના બધાય પ્રકારો એક સાથે નથી હોતા.
ભાઈ! તું જીવ છો, ને ઉપયોગ તારું લક્ષણ છે. તારા ઉપયોગનો મહિમા તો જો! તારા ઉપયોગમાં કેવા કેવા
પ્રકારો રહેલા છે તેનું આ વર્ણન છે. એકેક જીવ તત્ત્વમાં આટલી ગંભીરતા ભરી છે.
ઃ ૨પ૬ઃ
આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 8 of 21
single page version

background image
જીવનું લક્ષણ ઉપયોગ;
ઉપયોગ એટલે ચૈતન્યને અનુસરીને થનારા પરિણામ. તેના કુલ ચૌદ પ્રકાર–
૧ કારણસ્વભાવજ્ઞાનઉપયોગ (ત્રિકાળ)
૨ કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ (કેવળજ્ઞાન)
૪ જ્ઞાનઉપયોગ (સમ્યક્મતિજ્ઞાન વગેરે)
૩ અજ્ઞાનઉપયોગ (કુમતિજ્ઞાન વગેરે)
–આ પ્રમાણે જ્ઞાન ઉપયોગના નવ પ્રકારો છે,
તેમાંથી પહેલા બે સ્વભાવજ્ઞાન છે, ને બાકીના સાત વિભાવજ્ઞાન છે. તથા
૧ કારણસ્વભાવદર્શનઉપયોગ
૧ કાર્યસ્વભાવદર્શનઉપયોગ
૩ વિભાવદર્શનઉપયોગ
–આ પ્રમાણે દર્શન–ઉપયોગના પાંચ પ્રકાર છે. આ રીતે ઉપયોગના કુલ ચૌદ પ્રકાર છે. આ બધાય
‘ચૈતન્યને અનુસરીને વર્તતા પરિણામ’ છે. કારણસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવદર્શન એ બંને પણ
ધુ્રવચૈતન્યસ્વભાવને અનુસરીને વર્તતા ઉપયોગ પરિણામ છે, તે બંને ત્રિકાળ એકરૂપ નિરુપાધિ છે, તેમનું પરિણમન
સદા સદ્રશરૂપ છે. આ સિવાયના બાર પ્રકારના ઉપયોગ છે તે બધાય ઉત્પાદ–વ્યયરૂપ છે. કર્મના ક્ષયોપશમ–ક્ષય
વગેરેની અપેક્ષાવાળા છે. ઉપયોગના ચૌદ પ્રકાર કહ્યા તે બધાય, આત્માના ચૈતન્યને અનુસરીને વર્તનારા છે.
કેવળજ્ઞાનઉપયોગ પણ આત્માના ચૈતન્ય સ્વભાવને જ અનુસરીને થાય છે, પૂર્વના ચારજ્ઞાનને અનુસરીને કેવળજ્ઞાન
નથી થતું. એ જ રીતે મતિજ્ઞાનનો ઉપયોગ પણ કોઈ પરને–ઈન્દ્રિયોને કે રાગને અવલંબીને નથી થતો પણ
આત્માના ચૈતન્યને અનુસરીને જ થાય છે.
જુઓ આ જીવના ઉપયોગનું વર્ણન!
જીવ ધર્મી છે ને આ ઉપયોગ તેનો ધર્મ છે. અહીં ‘ધર્મ’ એટલે સ્વભાવ; અત્યારે ‘ધર્મ’ એટલે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ ન સમજવો, પણ જીવે પોતાના ઉપયોગને પોતામાં ધારી રાખ્યો છે તેથી ઉપયોગ તે
જીવનો ધર્મ છે ને જીવ ધર્મી છે–એમ સમજવું. જેમ દીપક પોતાના પ્રકાશ–ધર્મને ધારી રાખે છે તેમ આત્મા પોતાના
ઉપયોગ–ધર્મને ધારી રાખે છે. આત્મા ઉપયોગ વિનાનો હોય નહિ. ઉપયોગના જે ચૌદ પ્રકારો કહ્યા તે બધા પ્રકારો
એક સાથે એક જીવને ન હોય. તેમાંથી જે કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ અને કારણસ્વભાવદર્શનઉપયોગ છે તે તો
બધા જીવોને સદાય છે. બાકીના બાર પ્રકારમાંથી કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ અને કાર્યસ્વભાવદર્શનઉપયોગ તો
કેવળજ્ઞાની ભગવંતોને જ હોય છે; અને બાકીના દસ પ્રકાર છદ્મસ્થોને જ હોય છે.
જીવ ઉપયોગસ્વભાવી છે તેનું આ વર્ણન છે. આવા જીવતત્ત્વને ઓળખ્યા વગર સમ્યક્શ્રદ્ધા થાય નહિ.
જેટલા ઉપયોગ કહ્યા તે બધાય જીવનું તત્ત્વ છે, જીવના ભાવ છે; જીવને બરાબર ઓળખવા માટે તેના ભાવોને પણ
ઓળખવા જોઈએ.
* જીવ ઉપયોગમય છે.
* ચૈતન્યને અનુસરીને થતા પરિણામ તે ઉપયોગ છે.
* તે ઉપયોગના બે પ્રકાર છે–જ્ઞાન અને દર્શન.
* તેમાંથી જ્ઞાનઉપયોગના બે પ્રકાર છે–સ્વભાવ અને વિભાવ.
* સ્વભાવજ્ઞાન બે પ્રકારનું છે– કારણ અને કાર્ય.
આ કારણસ્વભાવજ્ઞાનઉપયોગ તે જ્ઞાનના સહજપરિણામ છે. અહીં જ્ઞાનના ઉપયોગનું વર્ણન છે, અને
આગળ આખા જીવદ્રવ્યની સહજ પરિણતિને ‘કારણશુદ્ધપર્યાય’ તરીકે વર્ણવશે.
કેવળજ્ઞાન તે કાર્યસ્વભાવજ્ઞાન છે, અને કારણસ્વભાવજ્ઞાનને આશ્રયે તે પ્રગટે છે. કારણરૂપ ધુ્રવઉપયોગ છે,
તે ધુ્રવના અવલંબને કાર્ય પ્રગટી જાય છે. ‘વર્તમાન–ધુ્રવ’ તે વર્તમાન કાર્યનું કારણ છે. અરિહંત ભગવાન
કાર્યપરમાત્મા છે, તેમને કેવળજ્ઞાનરૂપી કાર્ય કયાંથી પ્રગટયું? કે કારણરૂપ ધુ્રવજ્ઞાનસ્વભાવમાંથી. આ રીતે અરિહંત
પરમાત્માના શુદ્ધ કારણ–કાર્યને ઓળખે તો, પોતામાં પણ શુદ્ધ કારણના અવલંબને શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શનાદિ) થયા
વિના રહે નહીં; કેમકે ભગવાન જેવું જ ‘કારણ’ પોતામાં છે. અહો! કારણ–કાર્યને સાથે ને સાથે જ રાખીને
મુનિવરોએ અદ્ભુત અમૃત રેડયાં છે. આવા વીતરાગી મુનિરાજ ઉપર કોઈ પ્રકારનું દોષારોપણ કરવું એ તો મહાન
અપાત્રતા છે.
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
ઃ ૨પ૭ઃ

PDF/HTML Page 9 of 21
single page version

background image
આ તો સાચી સમજણનાં મંત્રો કહેવાય છે...આ ધર્મના મંત્રો છે...આ સમજે–આમાં રસ લાગે–આની પ્રીતિ
થાય ને અંદર ઊતરી જાય ત્યાં સ્વરૂપનો પરમ આનંદ પ્રગટે ને અનાદિનું મિથ્યાત્વનું ઝેર ઊતરી જાય, એવાં આ
અલૌકિક મંત્રો છે. અહો, જંગલમાં વસનારા ને આત્માના આનંદમાં મશગુલ રહેનારા એવા પદ્મપ્રભુ મુનિરાજનું
મન આ પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થતાં આ ટીકા રચાઈ ગઈ છે....મુનિરાજના
શ્રીમુખેથી પરમાગમના અમૃત ઝર્યા છે.
‘કારણસ્વભાવજ્ઞાન’ તે આત્માના ઉપયોગ–લક્ષણનો એક પ્રકાર છે; તે ત્રિકાળ નિરુપાધિક પરિણામ છે.
નિગોદથી માંડીને સિદ્ધ સુધીના દરેક જીવમાં કર્મની અપેક્ષા વગરનો એકરૂપ એવો ને એવો આ ઉપયોગ વર્તે છે, એક
સમયમાં ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણનારું કાર્ય જે કેવળજ્ઞાન, તેનું આ કારણ છે; આ કારણસ્વભાવજ્ઞાન તે
સ્વરૂપ–પ્રત્યક્ષઉપયોગ છે, તેમાં કદી પરોક્ષપણું નથી, અધૂરાપણું નથી. દરેક સમયે પરિપૂર્ણ, ધુ્રવકારણરૂપ, સ્વરૂપ–
પ્રત્યક્ષઉપયોગ તે જીવનો સહજ સ્વભાવ છે, તે કેવળજ્ઞાનનું કારણ છે. આવા કારણની જે પ્રતીતિ કરે તેને
કેવળજ્ઞાનની શંકા ન રહે. આ અપૂર્વ વાત છે.
જુઓ, એક બીજી વાત! –વિશેષ હવે પછી....
“આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?”
* (૨૧) *
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂ. ગુરુદેવના વિશિષ્ટ–અપૂર્વ
પ્રવચનોનો સાર.
(અંક ૧૪૨ થી ચાલુ)
જિજ્ઞાસુ શિષ્ય પૂછે કે ‘હે પ્રભો! અનાદિથી નહિ જાણેલા એવા આત્માનું
સ્વરૂપ જાણીને હું તેની પ્રાપ્તિ કરું, અને હવે મારા સંસાર–પરિભ્રમણનો અંત
આવીને મારી મુક્તિ થાય એવું સ્વરૂપ મને સમજાવો.’
આ રીતે જે આત્માનો જ અર્થી થઈને સમજવા માંગે છે એવા શિષ્યને
આચાર્યભગવાન આત્માનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે, તેનું આ
વર્ણન ચાલે છે.
(૪૦) ભોક્તૃનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય ભોક્તૃનયે સુખ દુઃખાદિનું ભોગવનાર છે,–હિતકારી–અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક.
જેમને ભાવલિંગી મુનિદશા વર્તતી હતી અને અંતરમાં આત્માના અતીન્દ્રિય આનંદનો ભોગવટો કરતા
ઃ ૨પ૮ઃ આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 10 of 21
single page version

background image
હતા, ક્ષણે ને પળે નિર્વિકલ્પ થઈને આત્માના આનંદસ્વરૂપમાં ઝૂલતા હતા એવા દિગંબર સંતોનું આ કથન છે. જે
જિજ્ઞાસુ શિષ્ય પાત્ર થઈને સમજવા માંગે છે તેને માટે આ કથન છે. અહીં ૪૭ નયોથી આત્માના ધર્મોનું વર્ણન ચાલે
છે. જેને અંતર્મુખ આત્મસ્વભાવના અવલંબને સમ્યક ભાવશ્રુતજ્ઞાન થયું હોય તેને જ સાચા નયો હોય છે.
ભોક્તાનયથી આત્મા સુખ–દુઃખને ભોગવે છે; હર્ષ તે સુખ ને શોક તે દુઃખ, એમ અહીં સુખ અને દુઃખ બંને
વિકાર છે. જેમ રોગી હિતકારી–અહિતકારી અન્ન ખાય છે ને તેના ફળરૂપ સાતા–અસાતાને ભોગવે છે, તેમ આત્મા
હર્ષ–શોકના વિકારી પરિણામ કરે છે ને તેના ફળરૂપ સુખ–દુઃખને ભોગવે છે. કર્મના ઉદયને લીધે હર્ષ–શોકનો
ભોગવટો થાય છે–એમ નથી, પણ જીવની પર્યાયમાં તેવો ભોક્તાધર્મ છે. જડકર્મનો કોઈ ધર્મ આત્મામાં નથી, ને
આત્માનો કોઈ ધર્મ જડ કર્મને લીધે નથી. કર્મના ઉદયને લીધે હર્ષ–શોક થવાનું જે માને તેણે આત્માનો ધર્મ પરને
લીધે માન્યો એટલે ખરેખર તેણે આત્માને જાણ્યો નથી; તેમ જ આત્માની પર્યાયમાં હર્ષ–શોકનું ભોક્તાપણું સર્વથા છે
જ નહિ–એમ માને તો તેણે પણ આત્માના ભોક્તાધર્મને માન્યો નથી,–તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
આત્માનો ભોક્તાધર્મ પરને કારણે નથી, તેમ જ પરને આત્મા ભોગવતો નથી, પણ પોતાની અવસ્થામાં
થતા હર્ષ શોકને ભોગવે એવો તેનો એક ધર્મ છે.
કોઈ કહે છે કે આત્માની પર્યાયમાં હર્ષ–શોકનો ભોગવટો કેમ થાય છે?–શું કર્મના ઉદયને લીધે થાય છે? તો
અહીં તેનો ઉત્તર કહે છે કે આત્મામાં વર્તમાનમાં તેવો જ ભોક્તાધર્મ છે, તે કોઈ બીજાના કારણે નથી. વળી પૂછે કે–
એવો ધર્મ કેમ થયો? તો કહે છે કે જેમ આત્મા સત્ છે તેમ તેના ધર્મો પણ સત્ છે. પર્યાયમાં પણ એકેક સમયનું
સત્પણું છે. સતને વિષે ‘આમ કેમ’ એવો પ્રશ્ન ન હોઈ શકે.
અહીં પ્રમાણના વિષયરૂપ વસ્તુનું વર્ણન છે એટલે દ્રવ્ય તેમ જ પર્યાય બંનેના ધર્મોનું વર્ણન લીધું છે. આ
ધર્મોમાં કેટલાક ધર્મો તો ત્રિકાળ છે, ને કેટલાક ધર્મો ત્રિકાળ નથી પણ અમુક પર્યાય પૂરતા જ છે. પરંતુ, ત્રિકાળીધર્મ
હો કે પર્યાય પૂરતો ધર્મ હો તે દરેક ધર્મ આત્માનો જ છે, કોઈ પણ ધર્મ પરને લીધે નથી.
જ્યારે દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતાથી આત્માનું વર્ણન ચાલતું હોય ત્યારે એમ કહેવાય કે આત્મા પોતાના શાંત–
અનાકુળ અતીન્દ્રિય આનંદસ્વભાવનો જ ભોકતા છે, વિકારનો ભોક્તા તે નથી. સમ્યગ્દર્શનમાં તો શુદ્ધ આત્માની
નિર્વિકલ્પ પ્રતીતિ છે, તેના ધ્યેયમાં વિકાર નથી, ત્રિકાળ એકરૂપ શુદ્ધચૈતન્યસ્વભાવને જ તે કબૂલે છે. પણ તે
સમ્યગ્દર્શનની સાથે જે સમ્યગ્જ્ઞાન–પ્રમાણ છે તે સામાન્ય વિશેષરૂપ વસ્તુને જાણે છે, પર્યાયની અશુદ્ધતાને પણ તે
આત્માની જાણે છે; પર્યાયમાં જે હર્ષ–શોકરૂપ વિકાર થાય છે તેનો ભોક્તા પણ આત્મા છે એમ ભોક્તૃનયથી
સમ્યગ્જ્ઞાની જાણે છે. સામાન્ય ધુ્રવચૈતન્યસ્વભાવ શુદ્ધ છે તેના નિર્ણયપૂર્વકનું સમ્યગ્જ્ઞાન હર્ષાદિભાવોના વેદનને પણ
પોતાની પર્યાયના ધર્મ તરીકે જાણે છે. સ્વભાવદ્રષ્ટિની પ્રધાનતામાં તો વિકાર તે કર્મનું જ કાર્ય છે–આત્માનું કાર્ય
નથી એમ પણ કહેવાય, પણ પ્રમાણજ્ઞાન તે પર્યાયને જેમ છે તેમ જાણે છે, ભોક્તૃનયથી આત્મા જ વિકારનો ભોક્તા
છે–એમ સમ્યગ્જ્ઞાન જાણે છે. આ રીતે ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ.’ વિકાર જડનો છે એમ
કહેનારની દ્રષ્ટિ પોતાના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર હોવી જોઈએ. એકલા જડ ઉપર કે વિકાર ઉપર જ દ્રષ્ટિ રાખીને
વિકારને જડનો કહે અને પોતાની પર્યાયનો વિવેક પણ ન કરે તો તેનું જ્ઞાન જ ખોટું છે. શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાય
ગૌણ થઈ જાય છે પરંતુ જ્ઞાન તો દ્રવ્ય અને પર્યાય બંનેને વિષય કરીને જેમ છે તેમ ઓળખે છે; પર્યાયમાં વિકાર છે
તેને પણ જાણે છે ને અવિકારીસ્વભાવને પણ જાણે છે.–એ પ્રમાણે બંનેને જાણીને, શુદ્ધનયના અવલંબનના બળથી તે
સ્વભાવને સાધતો જાય છે ને વિકારને ટાળતો જાય છે.
ભોગાવળીકર્મ તે જડ છે, આત્માથી જુદું છે, તેને આત્મા ભોગવતો નથી, પણ પોતાની પર્યાયમાં હર્ષ–
શોકને ભોગવે એવો આત્માનો ભોક્તાધર્મ છે. આ ભોક્તાધર્મને જાણનાર જ્ઞાની એમ જાણે છે કે આ હર્ષ–શોકને
ભોગવવાનો મારો ત્રિકાળીધર્મ નથી, પણ ક્ષણિક પર્યાયનો ધર્મ છે, મારો ત્રિકાળી સ્વભાવ તો ચૈતન્યજ્ઞાતા છે આવા
ભાનમાં,
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
ઃ ૨પ૯ઃ

PDF/HTML Page 11 of 21
single page version

background image
અલ્પ ભોક્તાપણાની સાથે તેનું સાક્ષીપણું પણ ભેગું જ વર્તે છે. જ્ઞાનીને પણ હર્ષ–શોક થાય, પરંતુ તે હર્ષ–શોકના
ભોગવટાની ક્ષણે જ જ્ઞાતાસ્વભાવના અતીન્દ્રિયઆનંદના અંશનો અનુભવ વર્તે છે એટલે તે હર્ષ–શોકના
સાક્ષીપણારૂપ અભોક્તા ધર્મનું પણ પરિણમન વર્તી રહ્યું છે.
આત્મા જ આત્માના ધર્મોનો સ્વામી છે ને પર પરના ધર્મોનું સ્વામી છે. આત્માના ધર્મોનો સ્વામી કોઇ પર
નથી, ને પરનાં ધર્મોનો સ્વામી આત્મા નથી. આત્માને પોતાના ધર્મોની સાથે જ ‘સ્વ–સ્વામી સંબંધ’ છે, પરની
સાથે આત્માને ‘સ્વ–સ્વામી સંબંધ’ નથી. આત્માના ધર્મોનો સ્વામી આત્મા છે ને જડકર્મોના ધર્મોનું સ્વામી જડ છે,
કોઈ એકબીજાના સ્વામી નથી.
ભોગવળીકર્મના તીવ્ર ઉદયથી જીવને ચારિત્રથી ભ્રષ્ટ થઈને ભોગમાં રોકાઈ જવું પડે–એમ મૂઢ અજ્ઞાની
જીવો માને છે. ભાઈ! ભોગવળીકર્મ તો જડ છે, તે આત્માથી જુદું છે, તેનું સ્વામી જડ છે, આત્મા તેનો ભોક્તા નથી.
ભોક્તૃનયથી આત્મા હર્ષ–શોકરૂપ પોતાના પરિણામનો ભોક્તા છે–એમ આત્માના ભોક્તાધર્મને જે જાણે તેની
દ્રષ્ટિ કર્મ સામે ન હોય પણ પોતાના આત્માની સામે હોય. સ્વભાવને ચૂકીને તે પરની સામે જોતો નથી એટલે ભોગની
તીવ્ર આસક્તિના પરિણામ તો તેને હોય જ નહિ; દ્રવ્યસ્વભાવની સન્મુખતામાં તેને ભોગની રુચિ છૂટી ગઈ છે.
અસ્થિરતાથી જે હર્ષ–શોકના પરિણામ થાય છે તે અત્યંત અલ્પ છે ને ચૈતન્યસ્વભાવની જ અધિકતા છે. આત્માના
ધર્મોની સાચી ઓળખાણ થયા પછી પણ એવા ને એવા તીવ્ર વિષયભોગના પરિણામ રહ્યા કરે એમ કદી બને નહિ.
આત્માના અતીન્દ્રિયસુખનો સ્વાદ જાણ્યો ત્યાં ઇન્દ્રિયવિષયોનું અત્યંત તુચ્છપણું ભાસ્યા વિના રહે નહિ. આ રીતે
સાધકને પર્યાયમાંથી હર્ષ–શોકનું ભોક્તાપણું ક્રમે ક્રમે ટળતું જાય છે. અને અનાકુળ શાંતિનું વેદન વધતું જાય છે.–આવું
ભોક્તૃનયનું ફળ છે. સર્વજ્ઞની શ્રદ્ધા કહો, ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કહો, આત્માના ધર્મોની ઓળખાણ કહો, કે કોઈ પણ
ન્યાય લ્યો, તે બધાયમાં વસ્તુની એક જ સળંગ સાંકળ છે એટલે કે બધાયનો સાર તો ચૈતન્યદ્રવ્યની સન્મુખતામાં જ
આવીને ઊભો રહે છે. ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર સર્વજ્ઞની શ્રદ્ધા સાચી ન થાય, ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા પણ
સાચી ન થાય, આત્માના કોઈ ધર્મની ઓળખાણ પણ સાચી ન થાય, અને કોઈ પણ નય કે કોઈ ન્યાય સાચો હોય
નહિ. સમકીતિ ભલે પોતાની પર્યાયમાં હર્ષ–શોકના ભોક્તાધર્મને જુએ તોપણ તે પોતાના શુદ્ધચૈતન્યની સન્મુખ દ્રષ્ટિ
રાખીને તે ધર્મને જાણે છે એટલે તેને ભોક્તાપણાની પ્રધાનતા રહેતી નથી પણ શુદ્ધચૈતન્યસ્વભાવની જ પ્રધાનતા રહે
છે. પરના ભોકતાપણાની તો માન્યતા જ તેને નથી. જેને પરના ભોક્તાપણાની માન્યતા છે તેને તો આત્માના ધર્મની
સામે લક્ષ જ નથી, પરથી ભિન્ન આત્માના ધર્મોનું તેને ભાન જ નથી.
આત્મા શું વસ્તુ છે તેની અજ્ઞાનીને ખબર નથી એટલે તેને એકાંત મિથ્યાજ્ઞાન છે, તે ટળીને અનેકાંતરૂપ
પ્રમાણજ્ઞાન કેમ થાય તેની આ વાત છે. પ્રમાણજ્ઞાન એટલે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ્ઞાન કરવું તે; મિથ્યાજ્ઞાનનો
વિષય ખોટો છે એટલે કે તેનો વિષય જ જગતમાં નથી; અજ્ઞાની જેવું માને છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી; ને વસ્તુનું
સ્વરૂપ જાણ્યા વિના નય જ્ઞાન પણ સાચું હોય નહિ. જેવું પદાર્થનું સ્વરૂપ હોય તેવું જ જાણે તે સમ્યગ્જ્ઞાન છે, એટલે
સમ્યગ્જ્ઞાનનો વિષય સાચો છે. વસ્તુસ્વરૂપનું યથાર્થજ્ઞાન હોય ત્યાં જ નય સાચા હોય.
અહીં ભોક્તૃનયથી આત્માને હર્ષ–શોકનો ભોક્તા કહ્યો, ત્યાં એટલો જ આત્મા માની લ્યે, અને અનંતધર્મના
પિંડ સ્વરૂપ ચૈતન્યવસ્તુ છે તેને ન ઓળખે, તો તેણે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી ને આત્માના ધર્મને પણ જાણ્યો
નથી. સાધક સમ્યગ્જ્ઞાની તો આખી ચૈતન્યવસ્તુના જ્ઞાનપૂર્વક ભોક્તાધર્મને તેના એક ક્ષણિક અંશ તરીકે જાણે છે,
એટલે હર્ષ શોકના ભોક્તાપણા વખતે ય અભોક્તારૂપ સાક્ષીધર્મ પણ તેને ભેગો જ છે. જો ભોક્તા વખતે જ
અભોક્તાધર્મ પણ ન વર્તતો હોય, ને હર્ષ–શોકનું ભોક્તાપણું જ એકાંત વર્તતું હોય,–તો ત્યાં અનંતધર્મસ્વરૂપ
આત્મવસ્તુ દ્રષ્ટિમાં ન આવી એટલે એકાંત મિથ્યાત્વ થઈ ગયું, ત્યાં ભોક્તાનય પણ હોતો નથી. હર્ષ–શોકના ક્ષણિક
ભોગવટાને જાણતાં, જેને અભોક્તારૂપ સાક્ષીસ્વભાવનું પણ ભાન વર્તે છે એવા જ્ઞાનીને જ ભોક્તાનય હોય છે.
ભોક્તાપણું તેમ જ અભોક્તાપણું બંને ધર્મો આત્મામાં એકસાથે છે તેને જાણે તો અનેકાન્ત થાય, ને તે
અનેકાન્તપૂર્વક જ નય હોય.
ઃ ૨૬૦ઃ આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 12 of 21
single page version

background image
ભોકતૃનયે પણ આત્મા સંયોગનો ભોક્તા નથી પણ પોતામાં જે હર્ષ શોક થાય તેનો ભોક્તા છે. ધર્મી જાણે
છે કે મારી પર્યાયમાં આ ક્ષણિક હર્ષ–શોકનું જે વેદન થાય છે તે દુઃખદાયક છે, તેટલો હું ન હોઉં. હું તો અનંતગુણનો
ચૈતન્યપિંડ છું, સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો સાગર છું. બહારમાં સુંદર આહાર વગેરે અનુકૂળ સામગ્રી
હોય તેનું વેદન આત્માને નથી, તેમ જ શરીરમાં તીવ્ર રોગ વગેરે પ્રતિકૂળતા હોય તેનું વેદન પણ આત્માને નથી;
સંયોગોને કારણે આત્માને સુખ–દુઃખનું વેદન નથી. સ્વર્ગની ઇન્દ્રાણી આવે તેને કારણે આત્માને હર્ષ કે સુખ નથી,
અને વાઘણ આવીને શરીરને ફાડી ખાય તેને કારણે આત્માને શોક કે દુઃખ નથી. આત્મા કોઈ સંયોગોને લીધે સુખ–
દુઃખને ભોગવતો નથી પણ પોતાના ભોક્તૃધર્મથી સુખ–દુઃખને ભોગવે છે, પોતાની પર્યાયનો એવો ધર્મ છે કે હર્ષ–
શોકરૂપ સુખ–દુઃખને ભોગવે છે. સાધક ધર્મીને પણ આ ધર્મ લાગુ પડે છે, કેમ કે તેને પણ હજી પર્યાયમાં હર્ષ–શોકના
ભાવોનું થોડુંક વેદન થાય છે. પણ આવા ભોક્તાધર્મને યથાર્થપણે જાણે તેને અનંતધર્મોના આધારરૂપ શુદ્ધ
ચૈતન્યદ્રવ્યનું સમ્યગ્જ્ઞાન હોય છે, એટલે ક્ષણિક વિકારનું વેદન અને ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ એ બંનેનું ભેદજ્ઞાન
તેને વર્તે છે તેથી તેને તે હર્ષ–શોકરૂપ વિકારનું સાક્ષીપણું વર્તે છે. પર્યાયમાં હર્ષ–શોક થાય છે ત્યાં તે જાણે છે કે મારું
આખું ચૈતન્યતત્ત્વ આ હર્ષ–શોકના વેદન જેટલું નથી, તેમ જ કોઈ નિમિત્ત કે સંયોગના કારણે પણ મને હર્ષ–શોક
થયો નથી, પણ મારી પર્યાયના ભોક્તાધર્મને લીધે હર્ષ–શોકનું વેદન થાય છે; તે ભોક્તાધર્મ પણ મારો છે. ‘સુખ–
દુઃખ ભોગવવા તે શરીરનો ધર્મ છે’ એમ અજ્ઞાની લોકો માને છે, પરંતુ શરીર તો જડ છે તેને કાંઈ સુખ દુઃખનો
ભોગવટો હોતો નથી; સુખ–દુઃખને ભોગવે તેવો આત્માનો એક ધર્મ છે.
પ્રશ્નઃ– ભોક્તૃનયથી આત્મા સુખ–દુઃખને ભોગવે એવો તેનો ભોક્તાધર્મ છે, તો પછી આત્મા–સુખ–દુઃખના
(–હર્ષ–શોકના) ભોગવટા રહિત કેમ થઈ શકે?
ઉત્તરઃ– એ બાબત કર્તાધર્મના વર્ણનમાં વિસ્તારથી કહેવાઈ ગઈ છે તે પ્રમાણે આ ભોક્તાધર્મમાં પણ
સમજવી. (જુઓ, આત્મધર્મ અંક ૧૪૨ પાનું ૨૪૦) વિકારના કર્તા–ભોક્તારૂપ ધર્મ અનાદિઅનંત નથી પણ અમુક
અવસ્થા પૂરતો જ છે. વળી આત્માનો આવો ધર્મ છે–એમ જાણે તો આત્મદ્રવ્યને પણ જાણે ને સુખ–દુઃખનો સાક્ષી
થઈ જાય, અને હર્ષ–શોકનું ભોક્તાપણું અનુક્રમે તેને ટળતું જાય. ભોક્તૃનયથી હર્ષ–શોકનું ભોક્તાપણું કહ્યું તે તો
એક ધર્મ છે, તે ધર્મને જોનારની દ્રષ્ટિ એકલા ધર્મ ઉપર હોતી નથી પણ ધર્મી એવા ચૈતન્યદ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ જાય
છે, એટલે શુદ્ધદ્રવ્ય ઉપર દ્રષ્ટિના બળથી અલ્પકાળમાં તે હર્ષ–શોકના ભોક્તાપણાથી રહિત થઈ જાય છે; પછી તેને
આવો ભોક્તાધર્મ રહેતો નથી પણ અતીન્દ્રિય આત્મિક સુખનો જ ભોગવટો રહે છે.
પર વસ્તુને તો અજ્ઞાની પણ ભોગવતો નથી, પણ પરમાં સુખ–દુઃખની કલ્પના કરીને, એકલા હર્ષ–શોકને જ
અજ્ઞાની ભોગવે છે; ને જ્ઞાની તો અનંતધર્મવાળા આત્મદ્રવ્યને જોતો થકો, અતીન્દ્રિય આનંદના ભોગવટા સહિત.
‘પર્યાયમાં હર્ષ–શોકરૂપ સુખ–દુઃખનો હું ભોક્તા’–એમ ભોક્તાધર્મને જાણે છે; તેથી તેને હર્ષ–શોકના ભોગવટાનું
સાક્ષીપણું પણ ભેગું જ રહે છે. અજ્ઞાની પર્યાય દ્રષ્ટિથી એકલા હર્ષ–શોકના ભોગવટાને જ જુએ છે એટલે તેને
સાક્ષીપણું નથી રહેતું. જ્ઞાની પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને આ ધર્મને નથી જોતા, પણ શુદ્ધદ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને આ
ભોક્તાધર્મને જાણે છે, એટલે તેની દ્રષ્ટિમાં મુખ્યતા ભોક્તાધર્મની ન થઇ પણ શુદ્ધ આત્મદ્રવ્યની જ મુખ્યતા થઇ;
શુદ્ધઆત્માની મુખ્યતામાં તેને હર્ષ–શોકનું ભોક્તાપણું ટળતું જાય છે.
અહીં, ભોગાવળી કર્મના ઉદયથી આત્મા પાછો પડે એ વાત તો કયાંય રહી, પણ પોતામાં એકલા હર્ષ–
શોકના વેદનને જ દેખે તો તેની દ્રષ્ટિ પણ ઊંધી છે. આત્માનો ભોક્તાધર્મ પરને લીધે નથી, ભોક્તાધર્મને જોતાં
આત્માને જોવાય છે ને ત્યાં ભોક્તાપણું લાંબો કાળ રહ્યા કરે એમ બનતું નથી. આખા આત્માને જ જોતાં એકલા
ભોક્તાપણાને જ જે દેખે છે તે તો હર્ષ–શોકનો ભોક્તા જ થઈને સંસારની ચાર ગતિમાં રખડે છે, તેને ભોક્તાનય
હોતો નથી.
જેટલા પ્રમાણમાં કર્મનો ઉદય આવે તેટલા પ્રમાણમાં એકવાર તો તેમાં જોડાવું જ પડે–એમ જે માને છે તે
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧ ઃ ૨૬૧ઃ

PDF/HTML Page 13 of 21
single page version

background image
તો તીવ્ર મૂઢતા સેવે છે, કર્મથી જરાપણ ખસીને આત્માની સામે જોવાનો તેને અવકાશ નથી. અગીયારમા
ગુણસ્થાનેથી જીવ પાછો નીચેના ગુણસ્થાને આવે છે, તે પોતાની જ પર્યાયના તેવા ધર્મને લીધે આવે છે, જડ કર્મને
લીધે નહિ. કર્મ વગેરે પરની ઓથ લઈને જે ભોક્તાપણું માને છે તે તો અજ્ઞાની છે. હું શુદ્ધચિદાનંદમૂર્તિ અનંત ધર્મનો
પિંડ છું–એમ સ્વદ્રવ્યની સામે જોઈને તેની ઓથે જ્ઞાની પોતાના ભોક્તાધર્મને પણ જાણે છે, ને એવા જ્ઞાનીને
ભોક્તાપણું (–હર્ષ–શોકનું વેદન) બહુ ઓછું હોય છે. ધર્મી જાણે છે કે મારી પર્યાયમાં જ હર્ષ–શોકનું ભોક્તાપણું છે
તે પરને લીધે નથી પણ મારી પર્યાયમાં તેવો ભોક્તાધર્મ છે, હું તે ભોક્તાધર્મ જેટલો જ નથી પણ અનંતધર્મનો
ચૈતન્યપિંડ છું; આમ દ્રવ્યને જોનાર ધર્મી સાક્ષી રહીને અલ્પકાળમાં ભોક્તાપણું ટાળીને વીતરાગ થશે.
કોઈ પણ નયથી આત્માને જાણનાર સ્વસન્મુખ જુએ છે. અને તો જ તેનો નય સાચો છે. નય તે સમ્યક્
શ્રુતજ્ઞાનનું પડખું છે, તે સાધકને જ હોય છે. નયજ્ઞાનથી આત્માના ધર્મને જાણનાર કોની સામે જુએ છે?–કર્મની
સામે, કે આત્માની સામે? બધા નયો આત્માની જ સામે જોઈને તે તે ધર્મને કબૂલે છે; પરની સામે જોઈને આત્માના
ધર્મની યથાર્થ કબુલાત થઈ શકતી નથી. અહીં ભોક્તાનય આત્માના ભોક્તાધર્મને કબૂલે છે, તે કોની સામે જોઈને
કબૂલે છે? આત્માની સામે જોઈને આત્માના ભોક્તાધર્મને જાણનાર સાધક જીવ, સ્વભાવના અવલંબને તે
ભોક્તાપણું ટાળીને અલ્પકાળમાં પરમાનંદનો ભોગવટો પ્રગટ કરીને સિદ્ધ પરમાત્મા થઈ જશે. આવું આ
ભોક્તાનયનું પરમાર્થ ફળ છે.
–અહીં ૪૦ મા ભોક્તૃનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
[૪૧] અભોક્તૃનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અભોક્તૃનયે સુખ–દુઃખાદિને ભોગવનાર નથી પણ કેવળ સાક્ષી જ છે. હિતકારી–અહિતકારી
અન્ને ખાનાર રોગીને જોનાર વૈદ્યની માફક. જેમ રોગી સુખ–દુઃખને ભોગવે છે પણ વૈદ્ય તો તેનો સાક્ષી જ છે, તેમ
આત્માની પર્યાયમાં હર્ષ–શોકરૂપી જે રોગ છે તેનો જ્ઞાની ભોક્તા નથી પણ સાક્ષી જ છે. આવા સાક્ષીધર્મથી આત્માને
લક્ષમાં લેવો તેનું નામ અભોક્તૃનય છે.
ભોક્તાપણું તેમ જ અભોક્તાપણું બંને ધર્મો આત્મામાં એક સાથે જ છે. શુદ્ધચૈતન્યમૂર્તિ આત્મા અનંત
ધર્મોનો ધરનાર છે, તે ભોક્તાનયે હર્ષ–શોકનો ભોક્તા પણ છે, ને તે જ વખતે અભોક્તાનયે તેનો સાક્ષી પણ છે.
શરીરાદિક પરવસ્તુનો ભોક્તા તો ભોક્તાનયે પણ નથી; ભોક્તાનયે હર્ષ–શોકનું ભોક્તાપણું છે, અને અભોક્તાનયે
તો તે હર્ષ–શોકનું ભોક્તાપણું પણ આત્માને નથી, આત્મા સાક્ષીસ્વરૂપ છે. જ્ઞાતાભાવથી જુદાં જે રાગાદિ વિકારી
પરિણામો છે તેના ભોગવટાથી રહિત આત્મા છે–એવી અભોક્તૃત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, તેનું વર્ણન
સમયસારના પરિશિષ્ટમાં વર્ણવેલી ૪૭ શક્તિઓમાં કર્યું છે. આત્માના આવા અભોક્તાસ્વભાવની પ્રતીત કરતાં,
સાધકને પર્યાયમાં હવે શોકનો અલ્પ ભોગવટો હોવા છતાં તેના સાક્ષીપણાનું પરિણમન વધતું જાય છે. એક આત્મા
ભોક્તાધર્મવાળો ને બીજો આત્મા અભોક્તાધર્મવાળો–એમ નથી. તેમ જ એક આત્મામાં કોઇકવાર ભોક્તાધર્મ ને
કોઇક વાર અભોક્તાધર્મ એવું ભિન્નપણું પણ નથી, એક આત્મામાં બંને ધર્મો એક સાથે છે. (આ સાધકની વાત છે,
એટલે સાધકને ભોક્તાપણાની સાથે અભોક્તાપણું વર્તે છે એમ સમજવું) પર્યાયમાં હર્ષ–શોકનું ભોક્તાપણું, અને તે
જ વખતે તેનું અભોક્તાપણું, એમ બંને ધર્મોથી આત્મદ્રવ્યને ઓળખે તો એકલા હર્ષ–શોકના વેદનમાં ન અટકતાં
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને હર્ષશોકનો સાક્ષી થઈ જાય, ને હર્ષ–શોકથી પાર એવા ચૈતન્યસ્વભાવના આનંદનું
વેદન પ્રગટે આનું નામ ધર્મ છે.
ભોક્તૃનયથી આત્માને હર્ષ–શોકનો ભોક્તા કહ્યો તેનું પરિણામ (તાત્પર્ય) પણ દ્રવ્યસ્વભાવની સન્મુખ
થઈને જાણનાર–દેખનાર રહેવાનું છે, ભોક્તાનયનું પરિણામ કાંઈ હર્ષ–શોકના ભોગવટામાં જ અટકી જવું તે નથી.
કેમકે ભોક્તૃનય વખતે પણ આત્મામાં કાંઈ એકલો ભોક્તાધર્મ જ નથી, તે જ વખતે અભોક્તાધર્મ પણ આત્મામાં
છે. આત્માના અભોક્તાધર્મને જાણનાર અલ્પ હર્ષ–શોકાદિનો પણ જાણનાર રહીને અભોક્તા રહે છે, હર્ષ–શોકના
ઃ ૨૬૨ઃ
આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 14 of 21
single page version

background image
ભોગવટામાં તે એકાકાર થતો નથી. હે ભાઈ! આવા ધર્મોથી તું તારા આત્મદ્રવ્યને જો. આત્માની સામે લક્ષ કરતાં
તારો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા સાક્ષી સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર છે તે તને ભાસશે, ને તેના અવલંબને જ તને સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ થશે.
જેણે શરીરને ધર્મનું સાધન માન્યું છે તેને શરીર પુષ્ટ થતાં હર્ષ અને શરીરમાં રોગાદિ થતાં શોક થાય છે, ને
તે હર્ષ શોકના વેદનમાં જ લીન થઈને આત્માને ચૂકી જાય છે. શરીરથી ધર્મ માન્યો એટલે શરીરના અસ્તિત્વમાં જ
પોતાનું અસ્તિત્વ માની લીધું, તેથી શરીરના લક્ષે એકલા હર્ષ શોકના ભોગવટામાં જ તે લીન થઈ જાય છે, પણ
સાક્ષીપણે રહેતો નથી. હર્ષ–શોકના વેદન વખતેય આત્મામાં તેના સાક્ષીપણારૂપ અભોક્તાધર્મ છે, ભોક્તાપણાની
ક્ષણે જ અભોક્તાસ્વભાવ વિદ્યમાન છે,–એમ જે જાણે તેને સાધકપણું થયા વિના રહે નહિ; તેને પર્યાયમાં પણ અંશે
સાક્ષીપણું–અભોક્તાપણું વર્તે છે.
હર્ષ–શોકના વેદન વખતે જ મારામાં સાક્ષીપણું છે–એમ જાણે તો જ અનેકાંતરૂપ વસ્તુને ઓળખી છે; હર્ષ–
શોક વખતે તેટલો જ આત્માને માની લ્યે ને તે જ વખતે આત્મામાં બીજો અભોક્તાસ્વભાવ છે તેને ન ઓળખે તો
તેણે અનેકાન્તરૂપ વસ્તુને જાણી નથી, પણ એકાંતરૂપ વસ્તુ માની છે, તે મિથ્યાત્વ છે. અને જે પરને કારણે આત્મામાં
હર્ષ–શોક થવાનું માને છે અથવા તો આત્મા પરને ભોગવે એમ માને છે તે તો મહા મિથ્યાત્વ છે.
(૧) શરીરનાં રોગાદિને કારણે આત્મા હર્ષ–શોકને ભોગવે એમ હોય તો ભોક્તાધર્મ આત્માનો ન રહ્યો પણ
પરનો થઈ ગયો. અને (૨) હર્ષ–શોક વખતે જો આત્મા તેટલો જ હોય તો આત્મા અનેકાન્તરૂપ ન રહ્યો પણ
એકાંત હર્ષ–શોકરૂપ જ થઈ ગયો. માટે, (૧) પરને કારણે આત્માનો હર્ષ–શોકનો ભોગવટો નથી, અને (૨) હર્ષ–
શોકના ભોગવટા વખતે તેટલો જ આત્મા નથી. આત્મા એક સમયમાં અનંત ધર્મનો પિંડ છે, તેના આશ્રયે, સાધકને
હર્ષ–શોક વખતેય તે હર્ષ શોકરહિત સાક્ષીપણું વર્તે છે.
જુઓ, આ આત્માની પ્રાપ્તિનો પંથ! આત્મા શું ચીજ છે તેની ઓળખાણ વગર તેની પ્રાપ્તિ ન થાય; તેથી
આત્માની ઓળખાણ માટે તેનું આ વર્ણન ચાલે છે.
ભવભ્રમણથી થાકેલો જિજ્ઞાસુ શિષ્ય આત્માની સમજણ કરવા માટે શ્રીગુરુ પાસે આવીને પૂછે છે કેઃ
આત્માના ભાન વિના, હે પ્રભો! અનંત અવતારમાં રખડી રખડીને હવે તો હું થાક્યો, નાથ! હવે આ આત્માને
સમજીને ભવભ્રમણથી મારો છૂટકારો થાય એવી રીત બતાવો....આત્માનું વાસ્તવિક સ્વરૂપ મને સમજાવો.
શ્રી ગુરુ કહે છે કે ભાઈ! તું આત્માનો ગરજવાન થઈને પૂછવા આવ્યો છે તો અમે તને આત્માનું સ્વરૂપ
બતાવીએ છીએ; અમે જે કહીએ છીએ તે ધીરો થઈને તું સાંભળ. આ વાતની હા પાડીને રુચિ કરતાં તેમાં પરિણમન
થયા વિના રહે નહિ. આત્માના ધર્મો વડે આત્માને ઓળખવાની આ વાત છે. આત્માના ધર્મોથી આત્માને
ઓળખીને તેની રુચિ અને એકાગ્રતા કરવી તે આત્માની આરાધનાનો રાહ છે, અને તે જ અનાદિના વિરાધકપણાના
નાશનો ઉપાય છે.
જે જીવ હજી સાધક છે, પ્રમાણ–નય વડે આત્માને સાધે છે એવા સાધકને પર્યાયમાં ભોક્તાપણું તેમ જ
અભોક્તાપણું બંને ધર્મનું વેદન એક સાથે છે. ભોક્તાપણું, અભોક્તાપણું ઇત્યાદિ અનંતધર્મોના આધારરૂપ
ચૈતન્યવસ્તુને ઓળખીને જેને પ્રમાણજ્ઞાન થયું છે તેને જ ભોક્તાનય તથા અભોક્તાનય હોય છે. અજ્ઞાનીને નય
હોતા નથી; અને જેઓ આત્માને પૂર્ણપણે સાધીને કેવળજ્ઞાન–પરમાત્મદશા પામી ગયા છે તેમને પણ નય હોતા
નથી, તેમને હવે કાંઈ સાધવાનું બાકી રહ્યું નથી, તેઓ તો હર્ષ–શોકનું ભોક્તાપણું ટાળીને સર્વથા અભોક્તા
સાક્ષીસ્વરૂપ જ થઈ ગયા છે. અને અજ્ઞાની એકાંત ભોક્તાપણામાં જ અટકયો છે. સાધકને અંશે અભોક્તાપણું તેમ
જ ભોક્તાપણું ઉભું છે, તેથી તે પ્રમાણપૂર્વકના નયવડે તેનું જ્ઞાન કરે છે ને શુદ્ધ આત્માને સાધે છે. તે એકલા હર્ષ–
શોકના વેદનારી મુખ્યતા થવા દેતો નથી પણ આખી ચૈતન્યવસ્તુની સન્મુખ થઈને તેનો સાક્ષી રહે છે. ને તે હર્ષ–
શોકના વેદનને ટાળીને અભોક્તાપણું વધારતો જાય છે.
શ્રેણીકરાજા ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ છે, તેઓ અત્યારે નરકમાં છે, ત્યાં તેમને શોકનું વેદન પણ થાય છે, છતાં તે જ
વખતે અંતરમાં ભાન છે કે મારો જ્ઞાનાનંદસ્વભાવ છે તે હર્ષ–શોકનો ભોક્તા નથી; આવા ભાનને લીધે શોક
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧ ઃ ૨૬૩ઃ

PDF/HTML Page 15 of 21
single page version

background image
વખતે પણ આત્માની અતીન્દ્રિય શાંતિના અંશનું વેદન પણ ભેગું જ વર્તે છે.–આવી સાધકની દશા છે. ભોક્તાપણું
અને તે જ વખતે તેનું સાક્ષીપણું–એ બંને જો ભેગાં ન હોય તો કાં કેવળી હોય ને કાં અજ્ઞાની હોય. કેવળીભગવાનને
હર્ષ–શોકનું ભોક્તાપણું સર્વથા ટળીને એકલું સાક્ષીપણું જ રહ્યું છે, અજ્ઞાનીને એકલું હર્ષશોકનું ભોક્તાપણું વર્તે છે ને
સાક્ષીપણું નથી. અજ્ઞાનીના આત્મામાં પણ અભોક્તારૂપ સાક્ષીસ્વભાવ તો છે પણ અજ્ઞાનીને તેની ખબર નથી તેથી
તેને પર્યાયમાં સાક્ષીપણાનું પરિણમન થતું નથી. સાધકજીવ અભોક્તાસ્વભાવને જાણતો થકો હર્ષ–શોક વખતે ય
તેના સાક્ષીપણે પરિણમે છે.
–અહીં ૪૧ મા અભોક્તૃનયથી આત્માનું વર્ણન પૂરું થયું
આ લેખમાળાના હવે પછીના લેખમાં ‘ક્રિયાનય’ અને ‘જ્ઞાનનય’ ના પ્રવચનો પ્રસિદ્ધ થશે. ક્રિયાનય અને
જ્ઞાનમય બાબતના પૂ. ગુરુદેવના આ પ્રવચનો જિજ્ઞાસુઓને ખાસ ઉપયોગી છે; તેની સાથે સાથે પંચાસ્તિકાયની
૧૭૨ મી ગાથામાં કહેલા નિશ્ચય–વ્યવહારનું પણ ખાસ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
(રાત્રિચર્ચામાંથી)
(૧) પ્રશ્નઃ– સ્વર્ગમાં, નરકમાં, તિર્યંચમાં તેમ જ મનુષ્યમાં એ ચારે ઠેકાણે સમ્યગ્દ્રષ્ટિ હોય છે, તે ચારેમાંથી
વધારે સુખી કોણ?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિપણાનું સુખ તો ચારેયને સરખું જ છે. મનુષ્યપણામાં આત્મામાં વિશેષ એકાગ્રતા વડે
ચારિત્રદશા પ્રગટ કરે તો તેને તે ચારિત્રદશાનું વિશેષ સુખ હોય છે. પરંતુ સમ્યગ્દર્શનનું સુખ તો ચારે ગતિના
જીવોને સરખું છે.
(૨) પ્રશ્નઃ– સમકિતીના સુખ કરતાં કેવળી ભગવાનનું સુખ કેટલું વધારે?
ઉત્તરઃ– સમકિતીના સુખ કરતાં કેવળી ભગવાનનું સુખ અનંતગણું અધિક છે.
(૩) પ્રશ્નઃ– પુણ્યના ફળમાં પૈસાવાળાને જે સુખ છે તેના કરતાં સમકિતીનું સુખ કેટલા ગણું?
ઉત્તરઃ– સમકિતીનું જે સુખ છે તે તો આત્માના સ્વભાવનું અતીન્દ્રિય સુખ છે, ને પૈસાવાળાનું જે સુખ છે તે
તો ઈંદ્રિયજન્ય સુખ છે એટલે કે ખરેખર તે સુખ નથી પણ સુખની માત્ર કલ્પના છે; ખરેખર તો તે દુઃખ છે; તેથી તે
ઈંદ્રિયજન્ય સુખની સાથે સમકિતીના અતીન્દ્રિય સુખને કોઈ રીતે સરખાવી ન શકાય. પૈસાના સુખ કરતાં સમકિતીનું
સુખ અનંતગણું છે–એમ પણ કહી ન શકાય. કેમકે બંનેની જાત જ જુદી છે.
(૪) પ્રશ્નઃ– સાચા ભાવલિંગી મુનિ હોય, તે ભરતચક્રવર્તી કરતાં પણ વધારે સુખી છે?
ઉત્તરઃ– હા; કેમકે આત્માના સ્વરૂપમાં તેમને ઘણી વધારે એકાગ્રતા છે, તેથી તે ભરતચક્રવર્તી કરતાં પણ
ઘણા વધારે સુખી છે. ભરતચક્રવર્તીને છ ખંડની રાજવિભૂતિનો સંયોગ હોવા છતાં, અંર્તસ્વરૂપમાં સ્થિરતા ઓછી
(સમ્યગ્દર્શન પૂરતી) હોવાથી તે ઓછા સુખી છે. અરે, સમકિતી દેડકું અંતરમાં એકાગ્ર થઈને પાંચમું ગુણસ્થાન
પ્રગટ કરે તો તે પણ ચોથા ગુણસ્થાનવર્તી ચક્રવર્તી કરતાં વધારે સુખી છે. આ રીતે આત્મસ્વરૂપમાં સ્થિરતા અનુસાર
સુખ છે, બાહ્યસંયોગના પ્રમાણમાં સુખ નથી; કેમ કે સુખ તો આત્માનો સ્વભાવ છે, બહારમાં સુખ નથી.–‘હે જીવ!
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે.’
(પ) પ્રશ્નઃ– સાતમી નરકની પ્રતિકૂળતા સહન થાત, પણ મોહ સહન થતો નથી,–એનો શું અર્થ?
ઉત્તરઃ– એનો અર્થ એમ સમજવો કે બહારનો પ્રતિકૂળ સંયોગ તે ખરેખર દુઃખનું કારણ નથી, પણ અંદરનો
મોહભાવ તે જ દુઃખરૂપ છે. ‘જેટલો મોહ તેટલું દુઃખ’ પણ સંયોગનું દુઃખ નથી. સાતમી નરકનો જીવ પણ કાંઈ તે
જાતના બાહ્યસંયોગને લીધે દુઃખી નથી, પણ તે
ઃ ૨૬૪ઃ
આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 16 of 21
single page version

background image
જાતના મોહને લીધે જ તે દુઃખી છે. ‘મોહ ટળે તો દુઃખ મટે.’
(૬) પ્રશ્નઃ– એક મકાન ચણાતું હોય, ત્યાં કોઈ સમકિતી ઊભા હોય ને તેના હાથ ઉપર ઈંટ પડે તો તેને
દુઃખ થાય કે નહીં?
ઉત્તરઃ– પ્રથમ તો સમ્યગ્દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ કોઈને પણ ઈંટ પડવાને કારણે દુઃખ થતું નથી; દુઃખ થાય તો તે
પોતાના ભાવને કારણે થાય છે.
હવે સમકિતીને તે વખતે પોતાની સહન શક્તિની કચાસને કારણે (નહિ કે ઈંટને કારણે) ‘જરાક’
અણગમારૂપ દ્વેષભાવ આવી જાય તો તેને તે દ્વેષભાવ પૂરતું ‘અલ્પ’ દુઃખ છે. ‘જરાક’ અણગમો અને ‘અલ્પ’
દુઃખ કહેવાનું કારણ એ છે કે સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અભાવ હોવાથી તેને અનંતાનુબંધી દ્વેષ નથી તેમ જ
મિથ્યાત્વજનિત મહાદુઃખ પણ નથી. તેનો દ્વેષ, ઈંટને દુઃખનું કારણ માનીને નથી થયો.
મિથ્યાદ્રષ્ટિ જીવને અણગમો થાય ત્યાં તે ઈંટને દુઃખનું કારણ માનીને દ્વેષ કરતો હોવાથી, તેનો તે દ્વેષ
અનંતાનુબંધી છે અને મિથ્યાત્વસહિતના દ્વેષથી તે મહાદુઃખી છે. અરે! કદાચ તે મિથ્યાદ્રષ્ટિ જીવ તે વખતે દ્વેષ ન
કરે, અને “આ ઈંટ પડી તે દુઃખનું કારણ હતું છતાં મેં તે સહન કરી લીધું” એમ માનીને સહન કરી લ્યે, તો પણ
પરદ્રવ્યને દુઃખનું કારણ માન્યું તે અભિપ્રાય જ અનંત દુઃખથી ભરેલો છે, મિથ્યા અભિપ્રાયને લીધે તે મહાદુઃખી
જ છે.
એ વાત તો પહેલાં જ સ્પષ્ટ કરી લીધી છે કે –પરદ્રવ્ય તો જ્ઞાનીને કે અજ્ઞાનીને કોઈને દુઃખનું કારણ નથી.
તારા અતીન્દ્રિય – આનંદનું ધામ
(વીર સં. ૨૪૮૧ વૈશાખ સુદ એકમના રોજ પ્રવચનસાર ગા. ૨૬ ના પ્રવચનમાંથી)
આચાર્ય ભગવાન આત્માના અતીન્દ્રિયઆનંદમાં ઝૂલી રહ્યા છે......
અતીન્દ્રિયઆનંદમાં ઝૂલતાં એ સંતોની વાણીમાં પણ અતીન્દ્રિયઆનંદ નીતરી રહ્યો
છે... .... ....
રે ભાઈ! તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં શાંતિનું વેદન
થાય છે ને બહારમાં દ્રષ્ટિ કરતાં અશાંતિ વેદાય છે!! માટે નક્કી કર કે શાંતિનું –
સુખનું–આનંદનું ક્ષેત્ર તારામાં જ છે, તારાથી બહાર કયાંય સુખ શાંતિ કે આનંદ
નથી...નથી...ને નથી
– પૂ. ગુરુદેવ.
*
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, જિનવર ભગવાનને તે જ્ઞાન સ્વભાવ પૂરેપૂરો ખીલી ગયો છે, તેથી ભગવાન
સમસ્ત પદાર્થોને જાણે છે. સમસ્ત પદાર્થોને જાણવા છતાં ભગવાન પોતાના સ્વરૂપમાંજ સ્થિત રહે છે. આત્માના
આનંદસ્વભાવનો દાખલો આપીને અહીં આચાર્યદેવ તે વાત સમજાવે છે.
જેટલા ક્ષેત્રમાં સુખનું સંવેદન થાય છે તેવડો જ આત્મા છે, અને તે આત્મા જેવડું જ જ્ઞાન છે. હે જીવ!
જેટલા ક્ષેત્રમાં આનંદનું વેદન થાય છે તેટલા ક્ષેત્રમાં જ તું છો. તારા ક્ષેત્રથી બહાર તારો આનંદ નથી. આત્માને
પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ આનંદનું વેદન થાય છે, તે આનંદોનો વિસ્તાર થઈને કાંઈ બહારમાં ફેલાતો નથી,
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
ઃ ૨૬પઃ

PDF/HTML Page 17 of 21
single page version

background image
એટલે આત્માથી બહાર કોઈ પદાર્થોમાં આનંદ નથી, ને તે કોઈ પદાર્થોના આશ્રયે આત્માનો આનંદ નથી. જ્યાં
આનંદનું સ્વસંવેદન થાય છે ત્યાં જ આનંદસ્વભાવ ભર્યો છે; જ્યાં આનંદસ્વભાવ ભર્યો છે તેટલો જ આત્મા છે,
અને જેટલો આત્મા છે તેટલું જ જ્ઞાન છે. લોકાલોકને જાણવા છતાં જ્ઞાન આત્માના ક્ષેત્રથી બહાર નીકળતું નથી.
જેમ આત્માના અતીન્દ્રિયઆનંદને માટે બહારના પદાર્થોનો આશ્રય નથી તેમ આત્માના જ્ઞાનને માટે પણ બહારના
પદાર્થોનો આશ્રય નથી. અતીન્દ્રિયજ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા છે તેમાં અંતર્મુખ થઈને એકાગ્ર થતાં અંદર સુખનું
સંવેદન થાય છે, જ્યાં તે સુખનું સંવેદન થાય છે ત્યાં જ આત્મા છે; આત્મા પોતે તે આનંદસ્વભાવથી ભરેલો છે ને
તેના આધારે જ આનંદનું વેદન થાય છે. જેમ આનંદનું અને આત્માનું ક્ષેત્ર એક છે તેમ આત્માનું અને જ્ઞાનનું ક્ષેત્ર
પણ એક છે, એટલે આત્માથી ભિન્ન એવા અન્ય પદાર્થોમાં જ્ઞાન વ્યાપ્તું નથી.
કેવળજ્ઞાન લોકાલોકને જાણતું હોવા છતાં આત્માનો આશ્રય છોડીને બહારમાં તે વર્તતું નથી,
ચૈતન્યસ્વભાવમાં રહીને જ જાણે છે. જેમ આત્માનો આનંદ સ્વદ્રવ્યમાં રહીને જ વેદાય છે, આનંદમાં પરનો આશ્રય
નથી, ને આનંદ પરમાં વ્યાપતો નથી તેમ આત્માનું જ્ઞાન પણ ખરેખર પરમાં ફેલાતું નથી.
ખરેખર આમ હોવા છતાં જ્ઞાનનો સ્વ–પરપ્રકાશક–સ્વભાવ છે તેથી લોકાલોકને જાણતાં નિમિત્ત તરીકે
જ્ઞાનને લોકાલોકમાં વ્યાપક કહીને જ્ઞાનનું પરિપૂર્ણ સ્વ–પરપ્રકાશકસામર્થ્ય બતાવ્યું; તો પણ ખરેખર જ્ઞાન આત્માથી
બહાર જતું નથી ને પરમાં વ્યાપતું નથી. પરને જાણે છે તો ખરેખર, પરંતુ પરમાં વ્યાપતું નથી એ વાત સ્પષ્ટ કરવા
આચાર્ય ભગવાને જ્ઞાન સાથે અવિનાભાવી એવા આનંદનો દાખલો આપ્યો. જુઓ, આચાર્યદેવે દાખલો પણ કેવો
સુંદર આપ્યો!
જ્ઞાન સાથે જે આનંદ છે તે કયાં છે?–કે આત્માના જ આધારે છે, આત્મામાંજ વ્યાપક છે, જેટલામાં આત્મા
છે તેટલામાં જ તે આનંદ છે. આનંદ તો નિમિત્ત તરીકે પણ પરમાં વ્યાપક નથી. તેમ તે આનંદ સાથેનું જે જ્ઞાન છે તે
પણ જેટલામાં સુખ છે તેટલામાં જ વ્યાપક છે, એટલે આત્મામાં જ રહેલું છે, આત્માથી બહાર નથી. માત્ર તેનું સ્વ–
પરપ્રકાશક સામર્થ્ય બતાવવા માટે જ જ્ઞાનને લોકાલોક વ્યાપક કહેવાય છે.
જેટલામાં ‘સુખ’ નું સંવેદન થાય છે તેટલામાં જ આત્મા છે, ને જ્યાં આત્મા છે ત્યાં જ જ્ઞાન છે, આમ
આચાર્યદેવે કહ્યું. હવે અહીં પ્રશ્ન થઈ શકે કે સુખની જેમ દુઃખ પણ આત્માના જ ક્ષેત્ર પ્રમાણે છે, છતાં અહીં સુખનો જ
દાખલો કેમ લીધો? તેનું સમાધાન–કેમ કે અહીં જેને સર્વજ્ઞની ને જ્ઞાનસ્વભાવની પ્રતીત થઈ છે એવા સાધકની વાત
લેવી છે, ને સાધકને પોતાના સ્વસંવેદનમાં આનંદ છે,–સુખ છે, તેથી પોતાના સ્વસંવેદન જ્ઞાનથી તે નક્કી કરે છે કે
અહો! મારા જ્ઞાન અને સુખનું ક્ષેત્ર મારા આત્મામાં જ છે, મારો આત્મા જ જ્ઞાન અને સુખનું ધામ છે; મારા જ્ઞાન
અને સુખ માટે બીજા કોઈ પદાર્થની અપેક્ષા મને નથી, મારું સ્વક્ષેત્ર જ સ્વયં જ્ઞાન અને સુખસ્વભાવથી ભરેલું છે.
ભાઈ! તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં શાંતિનું વેદન થાય છે ને બહારમાં દ્રષ્ટિ કરતાં
અશાંતિ વેદાય છે! માટે નક્કી કર કે શાંતિનું –સુખનું–આનંદનું ક્ષેત્ર તારામાં જ છે, તારાથી બહાર કયાંય સુખ–શાંતિ
કે આનંદ નથી...નથી...ને નથી. બહારમાં પર લક્ષે તને જે આકુળતા વેદાય છે તે આકુળતાનું (અશાંતિનું–દુઃખનું)
ક્ષેત્ર પણ તારામાં જ છે, કાંઈ બહારથી તે આકુળતા નથી આવતી. તેમ અંર્તમુખ થઈને એકાગ્ર થતાં અનાકુળ
શાંતિનું–અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે તે પણ આત્માના સ્વક્ષેત્રપ્રમાણમાં જ થાય છે, બહારથી તે આનંદ નથી
આવતો, તેમ જ તે આનંદનો વિસ્તાર થઈને આત્માથી બહાર પણ નીકળી જતો નથી. આ રીતે આનંદના પ્રમાણમાં
આત્મા છે, ને આત્માના પ્રમાણમાં જ્ઞાન છે. કેવળી ભગવાનને પરિપૂર્ણ આનંદ ને પરિપૂર્ણ જ્ઞાન છે તે પણ પોતામાં
છે, તેનું ક્ષેત્ર બહાર નથી. પહેલાં થોડું જ્ઞાન ને થોડું સુખ હતું પછી કેવળજ્ઞાન થતાં ઘણું જ્ઞાન અને ઘણું સુખ થયું
માટે તે આત્માથી જરાય બહાર નીકળી ગયું–એમ નથી. સ્વક્ષેત્રમાં જ પરિપૂર્ણ જ્ઞાન અને સુખની તાકાત ભરી છે.
અહો! પૂર્ણજ્ઞાન ને પૂર્ણ આનંદનું ક્ષેત્ર અહીં મારા આત્માના અસંખ્ય પ્રદેશમાં જ છે, પ્રદેશે પ્રદેશે જ્ઞાન આનંદ ભર્યો
છે, કોઈ પ્રદેશ જ્ઞાન આનંદ વગરનો ખાલી નથી; અત્યારે (સાધકદશામાં) મને મારા જ્ઞાન કે આનં–
ઃ ૨૬૬ઃ
આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 18 of 21
single page version

background image
દનું વેદન મારા આત્મામાંજ થાય છે, તો આ જ્ઞાન ને આનંદ વધીને જ્યાં પૂર્ણ થયા ત્યાં (–સર્વજ્ઞદશામાં) પણ તે
જ્ઞાન ને આનંદ આત્મામાંજ વ્યાપીને રહેલાં છે;–આમ સાધકને પોતાના આનંદના સ્વસંવેદનપૂર્વક સર્વજ્ઞનો નિર્ણય
છે. જે જીવ આત્માના જ્ઞાન–આનંદસ્વભાવનો આવો નિર્ણય કરે તેને પોતામાં સ્વભાવના આશ્રયે અતીન્દ્રિય
આનંદનું સ્વસંવેદન થયા વિના રહે નહિ, ને તેને વિકારથી પણ ભેદ પડી જાય. સાધકદશામાં અલ્પ વિકાર હોય છે,
તે વિકારનું અને જ્ઞાનઆનંદનું એક જ ક્ષેત્ર હોવા છતાં જ્ઞાનીને પોતાના વેદનમાં બંનેની ભિન્નતા થઈ ગઈ છે,
ક્ષેત્રથી ભિન્નતા ન થાય, પણ વેદનના સ્વાદમાં જુદા પડી ગયા છે. અંતરના સ્વભાવમાં જોતાં મને મારા આનંદનું
વેદન થાય છે માટે મારો આત્મા જ મારા જ્ઞાન–આનંદનો આધાર છે; ને અંર્તસ્વભાવમાં જોતાં પુણ્ય પાપ વેદાતા
નથી માટે મારો આત્મા તે વિકારનો આધાર નથી,–આમ અંતરના સ્વસંવેદનપૂર્વકનું ભેદજ્ઞાન જ્ઞાનીને વર્તે છે.
અજ્ઞાની કહે છે કે બહારમાં જોતાં જ્ઞાન થાય છે ને બહારથી આનંદ આવે છે,–તેને અંતરના સ્વભાવના જ્ઞાન
આનંદનો વિશ્વાસ નથી. જ્ઞાની કહે છે કે અંતરમાં જોતાં મને મારા આનંદનું વેદન થાય છે, ને જ્યાં આનંદનુું વેદન
થાય છે ત્યાં જ મારું જ્ઞાન છે. આનંદ અને જ્ઞાન સ્વભાવથી એકાકાર મારો આત્મા છે.
જ્યાં આનંદ ત્યાં આત્મા, અને
જ્યાં આત્મા ત્યાં જ્ઞાન;
આ રીતે આનંદના ન્યાયે જ્ઞાનનું આત્મપ્રદેશીપણું જ છે. અહો! જ્ઞાનનું આત્મપ્રદેશીપણું સમજાવતાં
આચાર્યદેવે આત્માનો આનંદ સ્વભાવ બતાવી દીધો. આચાર્યભગવાન આત્માના અતીન્દ્રિય આનંદમાં ઝૂલી રહ્યા
છે....અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં સંતોની વાણીમાં પણ અતીન્દ્રિય–આનંદ નીતરી રહ્યો છે.
વંદન હો.....એ આનંદધામમાં વસનારા સંતોના ચરણમાં!
આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ
કેવળી ભગવાનને આહાર માનનાર વિષયોનો જ અર્થી છે,
આત્માનો અર્થી નથી.
[શ્રી પ્રવચનસાર ગા. ૨૦ ઉપરના પ્રવચનમાંથી]
*
(આ લેખમાં આહાર કહેતાં કવલ–આહાર સમજવો.)
આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે, આત્મા પોતાના સ્વભાવથી જ સ્વયમેવ જ્ઞાન ને આનંદરૂપે પરિણમે
છે. આવા આત્મસ્વભાવનું ભાન કરીને અને તેમાં લીનતારૂપ શુદ્ધોપયોગ વડે જેમણે અતીન્દ્રિયજ્ઞાન ને આનંદ ખીલી
ગયા છે એવા કેવળી ભગવંતોને દેહસંબંધી કંઈ પણ સુખ કે દુઃખ હોતું નથી. શરીરમાં ક્ષુધા લાગે ને આહાર કરે તે
બંને ઇન્દ્રિયજનિત દુઃખ–સુખ છે, પરંતુ ભગવાનનો આત્મા તો ઇન્દ્રિયોથી પાર અતીન્દ્રિ જ્ઞાન–આનંદસ્વભાવે
પરિણમી ગયો છે, તેથી ભગવાનને ક્ષુધા કે આહાર હોતા નથી. આમ હોવા છતાં કેવળી ભગવાનને પણ ક્ષુધા અને
આહારાદિ હોવાનું જે માને છે તેને ભગવાનના અતીન્દ્રિયજ્ઞાન ને આનંદની ખબર નથી, એટલે આત્માના અતીન્દ્રિય
સ્વભાવની તેને રુચિ નથી પણ તે વિષયોનો જ અર્થી છે, ઇન્દ્રિય વિષયોથી પાર આત્માના અતીન્દ્રિયસુખની તેને
ગંધ પણ નથી; અને કેવળી ભગવાનનો પણ તે અવર્ણવાદ કરે છે; કેવળી ભગવાનનો અવર્ણવાદ તે મિથ્યાત્વના
આસ્રવનું કારણ છે. અહો! આત્માનો સ્વભાવ જ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદમય છે, એની જો પ્રતીત
થાય તો, જેમને તે અતીન્દ્રિય સ્વભાવ પૂરો ખીલી ગયો છે એવા કેવળી ભગવાનને આહાર કે ક્ષુધા હોવાનું
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
ઃ ૨૬૭ઃ

PDF/HTML Page 19 of 21
single page version

background image
માને જ નહીં. ખરેખર તો તે મિથ્યાદ્રષ્ટિ જીવને પોતાને ઇન્દ્રિયવિષયોની રુચિ છૂટી નથી તેથી, અતીન્દ્રિય થયેલા
કેવળી ભગવાનને પણ ને શરીરસંબંધી સુખ–દુઃખ માને છે.
ભગવાનને જ્ઞાન ને આનંદ સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ ખીલી ગયાં છે, દેહાતીત–અતીન્દ્રિયદશા થઈ ગઈ છે.
આ જડ ઇન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં તેની સાથે જ્ઞાનનો સંબંધ છૂટી ગયો છે. જ્યાં ઈંદ્રિયોની સાથે પણ સંબંધ નથી
રહ્યો ત્યાં આહાર પાણીનો સંબંધ તો કેમ હોય?–ન જ હોય.
કેવળજ્ઞાન થયા પછી પણ હજારો–લાખો વર્ષો સુધી ભગવાનને શરીર રહે, છતાં તેમને આહાર હોતો નથી;
કેમ કે, એક તો તેમનું શરીર પરમઔદારિક થઈ જાય છે અને તેમનો આત્મા ઇન્દ્રિયાતીત થઈ ગયો છે, ઇન્દ્રિયોનું કે
ઈંદ્રિયોના વિષયોનું અવલંબન તેમને સર્વથા છૂટી ગયું છે. અહો! કેવળજ્ઞાન થતાં ભગવાનનો આત્મા તો પલટી
ગયો–દોષ રહિત થઈ ગયો. ને ભગવાનનું શરીર પણ પલટીને ક્ષુધાદિ દોષોથી રહિત પરમઔદારિક થઈ ગયું.
જુઓ, આ ભગવાનની દશા!! ભગવાનના આવા સ્વરૂપને જે નથી ઓળખતો તેને આત્માના જ્ઞાન–આનંદ–
સ્વભાવની ઓળખાણ નથી. આમાં કાંઈ એકલા કેવળી–ભગવાનની વાત નથી. પણ ભગવાનની જેમ આ આત્માનો
પણ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમય સ્વભાવ છે, બહારના વિષયોથી તેને જ્ઞાન કે આનંદ થતા નથી,–આમ આત્માના
સ્વભાવને ઓળખીને તેની પ્રતીત કરવા માટે આ વાત સમજાવે છે.
આહારની વૃત્તિ છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે, ત્યારપછી આહારની વૃત્તિ જ ઊઠતી નથી. મુનિરાજને છઠ્ઠે
ગુણસ્થાને જે આહાર હોય છે તે શા હેતુએ હોય છે?–મુનિ હજી જ્ઞાન–ધ્યાન–સંયમને સાધે છે ને હજી અનંત
વીર્યબળ પ્રગટયું નથી તેથી ત્યાં રત્નત્રયની આરાધનાના હેતુએ આહારની વૃત્તિ હોય છે; પરંતુ કેવળી ભગવાનને
તો સ્વભાવથી જ અનંત જ્ઞાનાદિ વર્તે છે, તેમને હવે કાંઈ સાધવાનું રહ્યું નથી ને અનંતબળ પ્રગટી ગયું છે, ત્યાં
તેમને કોઈ પણ હેતુએ આહાર હોઈ શકતો જ નથી. જ્યાં વીર્યબળ ઓછું છે ને ઇન્દ્રિયો સાથે ઉપયોગનો સંબંધ છે
ત્યાં જ આહારાદિ દોષો હોય છે; જ્યાં ઈન્દ્રિયો સાથેનો સંબંધ તૂટી ગયો, ને આત્મા પોતે અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ
થઈ ગયો ત્યાં આહારાદિ હોતા નથી. આ કોઈ સંપ્રદાયના આગ્રહની વાત નથી પણ વસ્તુનું સ્વરૂપ જ આ રીતે છે.
જેણે યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવું હોય ને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે હઠાગ્રહ છોડીને આ વાત સમજવી પડશે.
કેવળીભગવાન આત્માના સ્વભાવથી જ અતીન્દ્રિયજ્ઞાન ને સુખરૂપે પરિણમીને પાર થઈ ગયા છે, તેથી તે
ભગવાનને ક્ષુધાજનિત દુઃખ કે આહારજનિત સુખ હોતા નથી એટલે કે ક્ષુધા કે આહાર હોતા જ નથી. જેમ–જેના
ચક્ષુમાં જ રાત્રે દેખવાનું સામર્થ્ય છે તેને દીવાની શું જરૂર છે? તેમ જેમને કેવળજ્ઞાનરૂપી અતીન્દ્રિયજ્ઞાનચક્ષુ ખુલી
ગયાં છે ને સ્વભાવથી જ અતીન્દ્રિયઆનંદ પ્રગટી ગયો છે એવા ભગવંતોને આહારાદિ હોતા નથી. આમ હોવા છતાં
ભગવાન કેવળીપરમાત્માને પણ ક્ષુધા–આહારપાણી કે રોગાદિ હોવાનું જે માને છે તે કેવળીભગવાનના સ્વરૂપને
વિપરીત માને છે, એટલે દેવની શ્રદ્ધામાં તેને વિપરીતતા છે. જ્યાં ક્ષુધા–તૃષા–આહાર–પાણી કે રોગાદિ હોય ત્યાં
કેવળજ્ઞાન અને પૂર્ણ અતીન્દ્રિયઆનંદ હોય નહિ; તેથી ભગવાનને આહારાદિ માનનાર ભગવાનના પૂર્ણજ્ઞાનઆનંદને
માનતો નથી એટલે કે આત્માના જ્ઞાન આનંદસ્વભાવને જ તે માનતો નથી, ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયસુખને જ તે
માને છે, તેથી તે જીવ ખરેખર આત્માના સ્વભાવનો અર્થી નથી પણ વિષયોનો અર્થી છે. ઈંદ્રિયો વગર જ સર્વજ્ઞ
ભગવાનને પૂર્ણજ્ઞાન ને સુખ હોય છે–એમ જો બરાબર ઓળખે તો તેને આત્માના અતીન્દ્રિયજ્ઞાન ને સુખ
સ્વભાવની જરૂર પ્રતીત થાય, એ પ્રતીત થતાં સમસ્ત ઇન્દ્રિયવિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી જાય ને પોતાના સ્વભાવના
અતીન્દ્રિયઆનંદના અંશનું વેદન થાય.
જય હો.....એ અતીન્દ્રિય–આનંદના ભોક્તા અનાહારી અરહંતોને!
ઃ ૨૬૮ઃ આત્મધર્મઃ ૧૪૩

PDF/HTML Page 20 of 21
single page version

background image
પાલેજમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે સત્ દેવ–ગુરુ–ધર્મની પ્રભાવના દિનદિન વધતી જાય છે, સૌરાષ્ટ્રમાં પૂ.
ગુરુદેવનાં પ્રતાપે અનેક જિનમંદિરો થયા છે. ગૃહસ્થપણામાં વેપાર અર્થે પૂ. ગુરુદેવ કેટલાક વર્ષો પાલેજ ગામમાં રહ્યા
હતા, તેથી ત્યાંના ભાઈશ્રી કુંવરજીભાઈ તથા આણંદજીભાઈ વગેરેને એવી ભાવના હતી કે પૂ. ગુરુદેવ આ ગામમાં
અનેક વર્ષો સુધી રહ્યા તેથી અહીં પણ એક જિનમંદિર થાય તો સારું!–આ મંગલભાવનાને લીધે તેમણે પાલેજમાં
જિનમંદિર કરાવવાનો નિર્ણય કર્યો. અને શ્રાવણ વદ એકમના રોજ ભાઈશ્રી કુંવરજીભાઈના શુભહસ્તે પાલેજમાં શ્રી
દિગંબર જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું. પોતાને આંગણે શ્રી જિનમંદિરના ખાતમુહૂર્તનો આવો મંગલ અવસર પ્રાપ્ત
થવાથી પાલેજના ભાઈશ્રી કુંવરજીભાઈ તેમ જ આણંદજીભાઈ વગેરેને ઘણો જ હર્ષ થયો હતો. આ પ્રસંગે શ્રી
જિનેન્દ્રદેવની રથયાત્રા તેમ જ પૂજનાદિ વિધિ કરવામાં આવી હતી. શ્રી જિનેન્દ્ર ભગવાનના મંદિરને માટે જેટલા તન–
મન–ધન ખરચાય તે સફળ છે.
પાલેજમાં આ મંગળ કાર્યની શરૂઆત કરવા માટે ત્યાંના મુમુક્ષુઓને ધન્યવાદ!
(પાલેજ ગામ ગુજરાતમાં ભરુચ પાસે આવેલું છે.)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રાવણ વદ પાંચમના રોજ ઓરાણ (ગુજરાત) ના ભાઈશ્રી વાડીલાલ કચરાલાલ શાહ તથા તેમના
ધર્મપત્ની અમથીબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને
ધન્યવાદ!
વૈરાગ્ય સમાચાર
શ્રાવણવદ ત્રીજના રોજ સુરેન્દ્રનગરમાં ભાઈશ્રી ફૂલચંદ ચતુરભાઈ લગભગ ૮૦ વર્ષની વયોવૃદ્ધ ઉમરે
સ્વર્ગવાસ પામ્યા છે. સુરેન્દ્રનગરના મુમુક્ષુમંડળમાં તેઓ એક ઉત્સાહી આગેવાન હતા. પરમ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે
તેમને ઘણો ભક્તિભાવ હતો અને ગુરુદેવના સત્સંગનો લાભ લેવા તેઓ અવાર નવાર સોનગઢ આવીને લાંબો
વખત રહેતા; તત્ત્વ સમજવા માટે તેમને સારો પ્રેમ હતો. થોડા જ દિવસોમાં સોનગઢ આવવાની તેમની ભાવના
હતી, તે પણ પૂરી ન થઈ શકી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત અસ્વસ્થ હતી, છતાં સ્વર્ગવાસના
આગલા દિવસે પણ તેઓ જિનમંદિરે દર્શન કરવા ગયા હતા. આ રીતે શ્રી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની લાગણી પૂર્વક તેઓ
સ્વર્ગવાસ પામ્યા; અંતિમ સમય સુધી તેમણે શાંતિ રાખી હતી. દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની લાગણીના સંસ્કારના બળે
આગળ વધીને તેઓ આત્મહિત સાધે ને આવા જન્મમરણથી છૂટે એ જ ભાવના..........
અહો! આ જગતમાં એવા સંતો ધન્ય છે કે જેમણે આ ક્ષણભંગુર શરીરને અશરણભૂત જાણીને તેનાથી પાર
એવા અવિનાશી ચૈતન્યતત્ત્વનું શરણ લઈ લીધું છે...ને સંસારના સમુદ્રનો કિનારો પ્રાપ્ત કરી લીધો છે.
અધિકમાસનો અંક
અધિક ભાદરવા માસનો આત્મધર્મનો આ વધારાનો અંક પ્રસિદ્ધ કરવા માટેનું ખર્ચ ભાઈ મોહનલાલ
ત્રિકમજી દેસાઈ (ભાવનગર) તરફથી આપવામાં આવ્યું છે. આ રીતે તેઓ દરેક વખતે અધિક માસના અંકનું ખર્ચ
આપતા આવ્યા છે. આ માટે તેમનો આભાર માનવામાં આવે છે.