Atmadharma magazine - Ank 146
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૪૬
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ તેરમુંઃ સમ્પાદકઃ માગશર
અંક બીજો રા મ જી મા ણે ક ચં દ દો શી ૨૪૮૨
અ હો.....મા રું આ નં દ ધા મ !
જગતના જીવોએ, દુનિયા રાજી કેમ થાય અને દુનિયાને ગમતું
કેમ થાય–એવું તો અનંતવાર કર્યું છે. પણ હું–આત્મા વાસ્તવિક રીતે
‘રાજી’ થાઉં ને મારા આત્માને ખરેખર ગમતું શું છે–એનો કોઈ વાર
વિચાર પણ નથી કર્યો, એની દરકાર પણ નથી કરી. જેને આત્માને
ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે આત્માને રાજી કર્યે જ છૂટકો
કરશે અને તેને ‘રાજી’ એટલે ‘આનંદધામ’ માં પહોંચ્યે જ છૂટકો છે.
(–પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી)
વાર્ષિક લવાજમ (૧૪૬) છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 17
single page version

background image
છૂટકારો પામતા જીવની પરિણતિ
[આત્મ–ઉલ્લાસી સંતોને નમસ્કાર]
વૈશાખ સુદ બીજે રાત્રિચર્ચામાં પૂ. ગુરુદેવે આત્માના છૂટકારાની ઉલ્લાસભરી વાર્તા
કીધીઃ અહો! જે આત્મા છૂટકારાના માર્ગે ચડયો તેના પરિણામ ઉલ્લાસરૂપે હોય છે....ને તેને
છૂટકારાના જ વિકલ્પો આવે છે....સ્વપ્નાં પણ એનાં આવે. છૂટકારાના પ્રસંગ પ્રત્યે જ તેનું
વલણ જાય....તેના વિકલ્પમાં નિમિત્તપણે પણ છૂટકારાના જ નિમિત્તો હોય. છૂટેલા દેવ,
છૂટકારો પામતા ગુરુ અને છૂટવાનું બતાવનારા શાસ્ત્રો,–એવા છૂટકારાના નિમિત્તો પ્રત્યે જ
તેના વિકલ્પો ઊઠે......તેમાંય છૂટકારાનું સાધન તો નિજસ્વરૂપનું અવલંબન છે, ને દેવ–
ગુરુ–શાસ્ત્ર પણ એ જ કરવાનું બતાવે છે, એટલે તે સ્વરૂપ–સાધનની પ્રધાનતા છૂટતી નથી.
–આવી છૂટકારો પામતા જીવની પરિણતિ હોય છે. છૂટકારાના માર્ગથી વિરુદ્ધ વિકલ્પો ઊઠતા
નથી.
અહો! ખેતરના કામમાં બંધનથી છૂટીને પોતાના ઘરે પાછા ફરતાં બળદ પણ
ઉમંગભેર દોડતા દોડતા ઘરે આવે છે, દોરડાંના બંધનથી છૂટવાનો પ્રસંગ આવતાં નાનું
વાછરડું પણ હર્ષથી કુદાકુદ કરી મૂકે છે. તો પછી અનાદિના ભવબંધનથી છૂટકારાનો અપૂર્વ
પ્રસંગ આવતાં કયા મોક્ષાર્થીની પરિણતિ આનંદથી ઉલ્લસિત ન બને! ! છૂટકારાનો માર્ગ
સાધતા જીવના પરિણામ જરૂર ઉલ્લાસરૂપ હોય છે. અને ઉલ્લસિત વીર્યવાળો જીવ જ
છૂટકારાનો માર્ગ પામે છે.

PDF/HTML Page 4 of 17
single page version

background image
‘શુદ્ધકારણ’
ના આશ્રયે થતું સાદિ–અનંત મંગળરૂપ કાર્ય
(નિયમસાર ગા. ૧૦ ઉપરના પ્રવચનઃ આત્મધર્મ અંક ૧૪૩ થી ચાલુ)
‘કારણ’ તો સદાય શુદ્ધપણે વર્તે છે, પણ તે કારણનું અવલંબન લઈને જ્યાં
શુદ્ધ કાર્ય થયું ત્યાં ખબર પડી કે અહો મારું કારણ તો આ છે! ‘કારણ’ નું
અવલંબન લેનાર જાગ્યો–એટલે કે કાર્ય થયું–ત્યારે કારણના મહિમાની ખબર પડી,
અને તેને કારણ સાથે કાર્યની અપૂર્વ સંધિ થઈ.
આ આત્માના હિતની અમૃત જેવી મીઠી વાત છે.
હે જીવ! તારા ધર્મનું કારણ તો તારામાં સદાય વિદ્યમાન છે પણ તું તેને
કારણ નથી બનાવતો.....કારણમાં અંતર્મુખ થઈને કાર્ય પ્રગટ કરે ત્યારે એમ થાય
કે અહો! આ મારા કાર્યનું કારણ! કાર્યનું કારણ બીજું કોઈ નથી. કારણના
અવલંબને નિર્મળકાર્ય પ્રગટે ત્યારે જ કારણનું કારણપણું સફળ થાય છે.
–પૂ. ગુરુદેવ.
*
જુઓ, એક બીજી વાત! જે સિદ્ધપર્યાય જગતમાં સામાન્યપણે અનાદિઅનંત છે, સાધકપર્યાય પણ જગતમાં
અનાદિઅનંત છે ને સંસારપર્યાય પણ જગતમાં અનાદિઅનંત છે, તેમ કારણશુદ્ધપર્યાય એકેક જીવને સદ્રશપણે
અનાદિઅનંત છે, જીવને તેનો કદી વિરહ નથી. સિદ્ધદશા સામાન્યપણે જગતમાં અનાદિઅનંત હોવા છતાં એક
જીવની અપેક્ષાએ તે નવી પ્રગટે છે, તેમ આ કારણશુદ્ધપર્યાય કાંઈ નવી પ્રગટતી નથી, તેનું ભાન કરનાર જીવને
સમ્યગ્દર્શનાદિ કાર્ય નવું પ્રગટે છે.
(૧) જેમ સિદ્ધપર્યાય સામાન્યપણે જગતમાં અનાદિઅનંત છે, જગતમાં પહેલાં સિદ્ધદશા ન હતી ને
પહેલવહેલી નવી શરૂ થઈ–એમ કદી નથી. એક જીવની અપેક્ષાએ સિદ્ધદશા નવી શરૂ થાય છે તેથી સાદિ–અનંત છે.
પણ જગતમાં કાંઈ સિદ્ધદશાની નવી શરૂઆત થઈ નથી. ‘પહેલા સિદ્ધ કોણ?’–તેનો ઉત્તર એ છે કે જગતમાં સિદ્ધ
અનાદિથી જ છે. એટલે સામાન્યપણે સિદ્ધપર્યાય જગતમાં અનાદિ અનંત છે.
(૨) જેમ સિદ્ધપર્યાય જગતમાં અનાદિ અનંત છે તેમ તેના સાધનરૂપ મોક્ષમાર્ગ પણ જગતમાં અનાદિ–
અનંત છે. એક વ્યક્તિની અપેક્ષાએ જુઓ તો મોક્ષમાર્ગની શરૂઆત નવી થાય છે ને તેનો અંત પણ આવી જાય છે
એટલે તે સાદિ–સાંત છે, પણ જગતમાં તો મોક્ષમાર્ગ

PDF/HTML Page 5 of 17
single page version

background image
સાધનારા જીવો અનાદિકાળથી થતા જ આવે છે ને અનંતકાળ પછી પણ થયા જ કરશે, એટલે સામાન્યપણે
મોક્ષમાર્ગ (સાધકપર્યાય) જગતમાં અનાદિઅનંત છે, કદી તેનો અભાવ નથી.
(૩) વળી એ જ રીતે સામાન્યપણે સંસારપર્યાય પણ જગતમાં અનાદિઅનંત છે. વસ્તુસ્વરૂપ નક્કી
કરનારને પોતામાં સંસારનો છેડો આવી જાય ને પોતાની સાધકદશા કે સિદ્ધદશા નવી શરૂ થાય, એટલે વ્યક્તિગતરૂપે
સંસારપર્યાય ‘અનાદિ–સાંત’ છે, પણ જગતમાં તો સંસાર પર્યાયવાળા જીવો અનાદિઅનંત રહેવાના જ છે.
આ રીતે મોક્ષ, મોક્ષમાર્ગ ને સંસાર એ ત્રણે પ્રકારની પર્યાયો જગતમાં સામાન્યપણે અનાદિઅનંત વર્તે છે.
હવે આપણે તો અહીં કારણશુદ્ધપર્યાયનું અનાદિઅનંતપણું બતાવવું છે.
(૪) જેમ મોક્ષ, મોક્ષમાર્ગ ને સંસાર એ ત્રણે વિશેષ પર્યાયો જગતમાં ‘સામાન્યપણે અનાદિઅનંત’ વર્તે
છે, તેમ આ ‘કારણશુદ્ધપર્યાય’ એકેક જીવમાં અનાદિઅનંત વર્તે છે, અને સંસાર–મોક્ષરૂપ વિશેષ પર્યાયોની
અપેક્ષાએ તે ‘સામાન્ય’ છે. દરેક જીવમાં અનાદિઅનંત સદ્રશપણે તે વર્તે છે.
જગતમાં જીવવસ્તુ અનાદિઅનંત.
તેનો ચૈતન્યગુણ અનાદિઅનંત.
શુદ્ધસિદ્ધપર્યાય સામાન્યપણે (સર્વજીવોની અપેક્ષાએ)
અનાદિ અનંત.
સાધકપર્યાય સામાન્યપણે અનાદિઅનંત.
સંસારપર્યાય સામાન્યપણે અનાદિઅનંત.
તેમ આ કારણશુદ્ધપરિણતિ એકેક જીવમાં અનાદિઅનંત છે. સિદ્ધપરિણતિ જગતમાં અનાદિઅનંત પ્રગટ છે,
ત્યારે કારણશુદ્ધપરિણતિ એકેક જીવમાં અનાદિઅનંત રહેલી છે. આત્માના પરમ સ્વભાવની અપેક્ષાએ તે ‘વિશેષ
પરિણતિ’ છે, પણ ઔદયિકાદિ ચાર ભાવોની અપેક્ષાએ તે સામાન્ય છે.
એક તરફ જુઓ તો જગતમાં સિદ્ધ, સાધક ને સંસારપર્યાયો અનાદિઅનંત વર્તી જ રહી છે; ત્યારે બીજી તરફ
જુઓ તો આત્મામાં શુદ્ધદ્રવ્ય શુદ્ધગુણ ને શુદ્ધપરિણતિ (કારણશુદ્ધપર્યાય) ત્રણે અભેદપણે અનાદિ અનંત વર્તી જ રહ્યા છે.
જગતમાં સિદ્ધદશારૂપી શુદ્ધકાર્ય અનાદિઅનંત છે, તો તે શુદ્ધકાર્યનું શુદ્ધકારણ પણ દરેક જીવમાં અનાદિ અનંત
રહેલું જ છે. તે કારણની શુદ્ધતાનું ભાન કરતાં તેના આશ્રયે સાધકદશા ને સિદ્ધદશારૂપી નિર્મળ કાર્ય પ્રગટી જાય છે.
વ્યક્તિઅપેક્ષાએ અર્થાત્ એક મોક્ષગામી જીવની અપેક્ષાએ–
સંસારપર્યાય અનાદિ–સાંત,
મોક્ષમાર્ગપર્યાય સાદિ–સાંત,
મોક્ષપર્યાય સાદિ–અનંત,
–એમ પર્યાયના ત્રણ પ્રકારો પડે છે. પણ સામાન્યપણે એટલે કે સર્વે જીવોની અપેક્ષાએ તો એ ત્રણે પ્રકારની
પર્યાયો જગતમાં અનાદિઅનંત છે. કાર્યપર્યાયનું આ રીતે અનાદિઅનંતપણું છે, તો તેની સાથે કારણશુદ્ધપર્યાયનું પણ
અનાદિઅનંતપણું એકેક જીવમાં છે–તે અહીં બતાવવું છે.
‘કારણ’ તો સદાય શુદ્ધપણે વર્તે છે, પણ તે કારણનું અવલંબન લઈને જ્યાં શુદ્ધકાર્ય થતું હોય ત્યાં ખબર
પડી કે અહો! મારું કારણ તો આ છે! કારણનું અવલંબન લેનાર જાગ્યો–એટલે કે કાર્ય પ્રગટયું ત્યારે કારણના
મહિમાની ખબર પડી, અને તેણે કારણ સાથે કાર્યની અપૂર્વ સંધિ કરી.
‘કારણ અપેક્ષાએ શુદ્ધતા’ તો વ્યક્તિદીઠ અનાદિઅનંત વર્તે છે, પણ કાર્યમાં શુદ્ધતા નવી કરવાની છે.
જગતમાં સામાન્યપણે શુદ્ધકાર્ય અનાદિઅનંત વર્તે છે, પણ વ્યક્તિઅપેક્ષાએ પોતાને શુદ્ધકાર્ય નવું કરવાનું છે. ‘કાર્ય’
તો નવું કરવાનું છે એટલે એકેક જીવમાં તે અનાદિઅનંત ન હોય. જો કાર્ય અનાદિઅનંત શુદ્ધ હોય તો પછી કરવાનું
શું રહ્યું? કારણ સદાય શુદ્ધ છે તેનું ભાન કરીને તેના આશ્રયે શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) પ્રગટ કરવું તે
મોક્ષમાર્ગ છે.
‘નિયમસાર’ તે શુદ્ધપર્યાય છે, તે પર્યાયની સામે તેના શુદ્ધકારણ તરીકે અહીં કારણશુદ્ધપર્યાય બતાવવી છે. ‘નિયમ’
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૪૬

PDF/HTML Page 6 of 17
single page version

background image
કહેતાં મોક્ષમાર્ગરૂપી કાર્ય, તેનું સાક્ષાત્–સીધું–નજીકનું કારણ કોણ તે અહીં બતાવવું છે.
જગતમાં સૌથી પહેલાં મોક્ષ ક્યો જીવ પામ્યો?
– મોક્ષ અનાદિથી જ જગતમાં છે.
સૌથી પહેલાં મોક્ષમાર્ગ કોણે સાધ્યો?
– મોક્ષમાર્ગ જગતમાંઅનાદિથી જ છે.
સંસારમાં સૌથી પહેલો ભવ ક્યો?
– સંસાર અનાદિથી જ છે.
જેમ એ ત્રણે પ્રકાર સામાન્યપણે અનાદિઅનંત છે, તેમ દ્રવ્ય–ગુણની ત્રિકાળી શક્તિ સાથે તેના
સદ્રશવર્તમાનરૂપ કારણશુદ્ધપરિણતિ પણ અનાદિઅનંત સામાન્યરૂપ છે; જેમ ઉપરના ત્રણ બોલ (મોક્ષ, મોક્ષમાર્ગ,
સંસાર) સામાન્ય લીધા, તેમ અહીં દ્રવ્ય ગુણ અને તેની કારણશુદ્ધપરિણતિ એ ત્રણે અભેદપણે અનાદિઅનંત
સામાન્ય એકરૂપ છે. આમાં ફેર એટલો છે કે ઉપરના ત્રણ બોલ તો જગતમાં સામાન્યપણે છે, ને આ ત્રણ બોલ તો
એકેક જીવમાં સામાન્યપણે અનાદિઅનંત છે. સંસાર–મોક્ષમાર્ગ કે મોક્ષ એ વિશેષ પર્યાયો છે.
ત્રિકાળી દ્રવ્ય–ગુણ તે સામાન્યધુ્રવ, ને તેનું સદ્રશરૂપ વર્તમાન તે વિશેષધુ્રવ; આવા દ્રવ્ય–ગુણ ને તેનું
સદ્રશવર્તમાન–એ ત્રણે અભેદપણે દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે સામાન્ય છે, દરેક જીવને અનાદિઅનંત પારિણામિક
સ્વભાવે વર્તે છે. જગતમાં એવો કોઈ જીવ નથી કે જેને શુદ્ધ દ્રવ્ય–ગુણ અને તેની ધુ્રવકારણરૂપ સદ્રશપરિણતિ ન હોય.
કેવળજ્ઞાન જગતમાં ક્યારે નથી?–અનાદિઅનંત છે. અને તે કેવળજ્ઞાનનું ‘કારણ’ દરેક જીવમાં
અનાદિઅનંત છે, તેને અહીં કારણસ્વભાવ જ્ઞાનઉપયોગ કહીને વર્ણવેલ છે.
જ્ઞાનઉપયોગના બે પ્રકાર કહ્યા– એક સ્વભાવરૂપ અને બીજો વિભાવરૂપ.
કુમતિ વગેરે એકાંત વિભાવજ્ઞાન જગતમાં અનાદિઅનંત છે.
સમ્યક્મતિશ્રુત વગેરે જ્ઞાન પણ જગતમાં અનાદિઅનંત છે.
કેવળજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે તે પણ જગતમાં અનાદિઅનંત છે.
કેવળજ્ઞાનના કારણરૂપ સ્વભાવજ્ઞાન પણ અનાદિઅનંત છે.
જેમ–‘પરમાર્થવચનિકા’ માં કહ્યું હતું કે વિકારની પરંપરારૂપ આગમપદ્ધતિ, અને શુદ્ધચેતનાપરિણતિની
પરંપરારૂપ અધ્યાત્મપદ્ધતિ, એ બંને ધારા જીવમાં અનાદિથી ચાલી આવે છે, તેમાંથી શુદ્ધતાની ધારાને
(કારણશુદ્ધપર્યાયને) કારણ તરીકે સ્વીકારતાં મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે તે આગમ–પદ્ધતિ છૂટતી જાય છે.
તેમ–અહીં કહે છે કે આત્મામાં કારણરૂપ સ્વભાવજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે, ને વિભાવજ્ઞાન પણ
અનાદિનું વર્તે છે. તેમાંથી સ્વભાવજ્ઞાનને કારણપણે સ્વીકારીને જ્યાં તેનું અવલંબન લીધું ત્યાં કેવળજ્ઞાન ખીલી જાય
છે ને વિભાવજ્ઞાન છૂટી જાય છે. ‘કારણ સ્વભાવજ્ઞાન’ કહીને કેવળજ્ઞાનનો આધાર બતાવ્યો છે. કારણસ્વભાવજ્ઞાન
બધા જીવોને અનાદિઅનંત છે, પણ તે કારણ તરફ પોતાનો ઉપયોગ વાળીને એકાગ્ર થાય ત્યારે જ તેનું કાર્ય પ્રગટે
છે, અને તે જીવને જ કારણનો ખરો મહિમા સમજાય છે.
મ...હ...ત્વ...નું
‘કારણશુદ્ધપરિણતિ’ કહેતાં તેમાં ત્રિકાળી ગુણ ને દ્રવ્ય અભેદ જ છે, એ બધાનું ભેગું જ આલંબન છે. આ
અભેદના અવલંબને જ સમ્યગ્દર્શનથી શરૂ કરીને સિદ્ધદશા સુધીના નિર્મળ ભાવો પ્રગટે છે. ‘કારણ’ તો ત્રિકાળ
શુદ્ધપણે વર્તે જ છે, પણ તેને કારણ બનાવનારું કાર્ય વર્તમાન નવું થાય છે. ‘કારણ’ ને કારણપણે સ્વીકાર્યું કોણે?
સ્વીકારનાર તો કાર્ય છે, અને તે જ મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગરૂપી કાર્ય સામાન્યપણે જગતમાં અનાદિઅનંત હોવા
છતાં, વ્યક્તિગતપણે તે કાર્ય નવું થાય છે. ‘કારણ’ દરેક જીવમાં અનાદિઅનંત છે પણ તે કારણને અંગીકાર કરીને
કાર્ય નવું થાય છે, કારણને કારણ બનાવનારું કાર્ય નવું થાય છે. કારણને કારણ તરીકે સ્વીકારતાં શુદ્ધકાર્ય થાય છે.
જ્યાં આવું અપૂર્વ કાર્ય થયું ત્યાં કારણનું ભાન નવું પ્રગટયું, ત્યાં ખબર પડી કે ઓહો! મારામાં આવું કારણ તો
પહેલાં પણ હતું પણ મને તેનું ભાન ન હતું તેથી કાર્ય ન પ્રગટયું.
જુઓ આ ઘણી સરસ ને મૂળભૂત વાત છે, અમૃત જેવી મીઠી વાત છે. આત્મામાં મોક્ષમાર્ગરૂપી કાર્ય કેમ
થાય તેની આ વાત છે.
દ્રવ્ય–ગુણ અને તેની કારણશુદ્ધપરિણતિ એ બધું અભેદ છે. તે અભેદ સાથે અભેદતા કરનારું કાર્ય જાગે ત્યારે
તેને કારણનો ખ્યાલ આવે છે. ખ્યાલ ન હતો ત્યારે પણ તેને ‘કારણ’ તો પડયું જ હતું પણ તે કારણને કારણ
માગસરઃ ૨૪૮૨
ઃ ૨૩ઃ

PDF/HTML Page 7 of 17
single page version

background image
બનાવનારું કાર્ય ન હતું; તેને પોતાને શુદ્ધકારણના અસ્તિત્વની ખબર ન હતી તેથી શુદ્ધકાર્યને બદલે અશુદ્ધકાર્ય થતું.
અભેદના અવલંબને શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શનાદિ) પ્રગટ કર્યું ત્યાં આ કારણનો ખરો ખ્યાલ આવ્યો. સમ્યગ્દર્શન લ્યો, કે
કેવળજ્ઞાન લ્યો, એ બધા શુદ્ધકાર્યનું મૂળ કારણ શું તે અહીં અલૌકિક ઢબે ઓળખાવ્યું છે.
ત્રીજી ગાથામાં કાર્યનિયમ અને કારણનિયમની વાત કરી;
સાતમી ગાથામાં કાર્યપરમાત્માની સાથે કારણપરમાત્માની વાત કરી.
નવમી ગાથામાં કાર્યશુદ્ધજીવ અને કારણશુદ્ધજીવની વાત કરી.
દસમી ગાથામાં કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાનની વાત કરી.
–આ રીતે કાર્યની સાથે તેના આધારભૂત કારણ પણ ભેગું ને ભેગું જ બતાવવા જાય છે.
પર્યાયમાં જેણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું તે કાર્યશુદ્ધજીવ થયો. તે જ કાર્ય પરમાત્મા છે. તેના પહેલાં સાધકદશામાં
જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પર્યાય છે તે મોક્ષમાર્ગરૂપ કાર્ય છે, તે નિયમથી કર્તવ્ય છે એટલે કે ‘કાર્યનિયમ’ છે.
મોક્ષમાર્ગની પર્યાયને ‘કાર્યનિયમ’ કહ્યો પણ ‘કાર્યશુદ્ધજીવ’ ન કહ્યો. કાર્યશુદ્ધજીવ અથવા કાર્યપરમાત્મા તો પૂરી
પર્યાય પ્રગટે ત્યારે જ કહેવાય છે. છતાં તે સાધકપર્યાય કે પૂરી પર્યાય એ બંનેનો આધાર તો એક જ છે. દ્રવ્ય–ગુણ
ને કારણશુદ્ધપરિણતિના અભેદપિંડરૂપ આત્માનું અવલંબન લેતાં શુદ્ધપર્યાય થાય છે. કારણસ્વભાવ તરફ અધૂરા
વલણવાળો સાધકભાવ તે મોક્ષમાર્ગ (અર્થાત્ કાર્યનિયમ) છે, અને કારણસ્વભાવ સાથે પૂરી એકતારૂપ સાધ્યભાવ
પ્રગટી ગયો તે કાર્યશુદ્ધજીવ છે. ‘કાર્યનિયમ’ અને ‘કાર્યશુદ્ધજીવ’ માં આટલો ફેર છે; પણ તેના આધારરૂપ કારણ
સ્વભાવ તો એક જ છે; સમ્યગ્દર્શનનો આધાર જુદો ને કેવળજ્ઞાનનો આધાર જુદો–એમ નથી. બધાયને આલંબન
એક સ્વભાવનું જ છે. તે સ્વભાવનું અધૂરું આલંબન તે સાધકદશા ને પૂરું આલંબન તે મોક્ષદશા.
આત્માના પારિણામિક સ્વભાવે વર્તતો કારણશુદ્ધ ઉપયોગ ત્રિકાળનિરુપાધિસ્વરૂપ છે, તેને નિમિત્તના
સદ્ભાવની કે અભાવની અપેક્ષા નથી. કેવળજ્ઞાનમાં કર્મના ક્ષયની અપેક્ષા છે, પણ આ કારણસ્વભાવજ્ઞાનને ‘કર્મના
ક્ષયથી પ્રગટયું’ એવી અપેક્ષા નથી, તે તો ઉપાધિવગરનું સહજ છે, આત્માના દ્રવ્ય–ગુણ સાથે ત્રિકાળ અભેદપણે
વર્તે છે.
કેવળજ્ઞાન પ્રગટયા પછી તેમાં જરા પણ અશુદ્ધતા કે આવરણ નથી તેથી તેને પણ ઉપાધિરહિત અને
સ્વભાવજ્ઞાન કહેવાય છે. ને કારણસ્વભાવજ્ઞાન તો ત્રણેકાળ કર્મની ઉપાધિ વગરનું, એકરૂપ પારિણામિક સ્વભાવે
વર્તે છે, કર્મની હાજરી વખતે પણ તે તો સહજ નિરુપાધિક છે. વિભાવજ્ઞાનના અભાવની અપેક્ષાએ કેવળજ્ઞાનને
સ્વભાવજ્ઞાન કહ્યું; અને પાંચ ભાવોના વર્ણનમાં પરમપારિણામિક સ્વભાવની અપેક્ષાએ ઔદયિકાદિ ચારે ભાવોને
વિભાવસ્વભાવો કહ્યા. એ રીતે જુદી જુદી અપેક્ષાએ જ્યાં જે તાત્પર્ય હોય તે સમજવું જોઈએ. મોક્ષશાસ્ત્રના બીજા
અધ્યાયના પહેલા સૂત્રમાં ઔપશમિક આદિ પાંચે ભાવોને જીવના સ્વતત્ત્વ કહ્યા ત્યારે આ નિયમસારમાં કહે છે કે
પરમપારિણામિક ભાવ સિવાયના ચારે ભાવો વિભાવ છે, ક્ષાયિકભાવ પણ વિભાવ છે.–તે શું આ બે મુનિવરોના
કથનોમાં પરસ્પર વિરુદ્ધતા છે?–બિલકુલ નહિ; મોક્ષશાસ્ત્રમાં તો જીવના ભાવો કયા કયા છે તે બતાવવાનું પ્રયોજન
છે, અને અહીં પાંચ ભાવોમાંથી ક્યો ભાવ આશ્રય કરવો જેવો છે–તે બતાવવાનું પ્રયોજન છે. ક્ષાયિકભાવ પોતે કાંઈ
વિભાવ નથી, તે તો શુદ્ધ છે, પણ તે ક્ષાયિકભાવરૂપ પર્યાયનો આશ્રય લેવા જતાં વિકારની ઉત્પત્તિ થાય છે. પરમ
પારિણામિકસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન વગેરે થાય છે, તેથી તેનો જ આશ્રય લેવા જેવો છે.
આત્માના સ્વભાવનું આ વર્ણન છે. ભાઈ! તારો આત્મા આવા જ સ્વભાવવાળો છે, આવા સ્વભાવને
જાણીને તેમાં અંતર્મુખ થા તો તને ધર્મ થાય. ધર્મ માટે તારા આત્માના સ્વભાવ સિવાય તને બીજા કોઈનો આધાર
નથી. દ્રવ્ય–ગુણ ને કારણશુદ્ધપરિણતિ સદ્રશપણે ત્રિકાળ ધુ્રવ છે તે તારા ધર્મનું ત્રિકાળી કારણ છે. આવું કારણ તો
તારામાં સદાય વિદ્યમાન છે જ. પણ તું તેને કારણ બનાવતો નથી (–તેનું અવલંબન લેતો નથી) તેથી ધર્મ થતો
ઃ ૨૪ઃ
આત્મધર્મઃ ૧૪૬

PDF/HTML Page 8 of 17
single page version

background image
નથી. કારણ તો છે, પણ તેને કારણ બનાવનાર તો કાર્ય છે. કારણમાં અંતર્મુખ થઈને કાર્ય પ્રગટ કરે ત્યારે એમ થાય
કે ‘અહો! આ મારા કાર્યનું કારણ!’ કાર્યનું કારણ બીજું કોઈ નથી, આ જ કારણ છે, આ કારણનું અવલંબન લ્યે
ત્યારે નિર્મળ કાર્ય પ્રગટે છે, અને ત્યારે જ કારણનું કારણપણું સફળ થાય છે.
જુઓ, આ કારણ સાથે કાર્યનો મેળ!! પોતાની વર્તમાન પર્યાયને અભેદકારણ સાથે ભેળવીને આ વાત છે.
એકદમ અંતરનું કારણ બતાવીને, બાહ્યકારણોની દ્રષ્ટિ છોડાવી છે, ને અંર્તસ્વભાવનું અવલંબન કરાવ્યું છે.
* નિમિત્તકારણોના આશ્રયથી કાર્ય થાય–એ વાત તો દૂર ગઈ.
* રાગાદિ વ્યવહાર કારણોના આશ્રયથી કાર્ય થાય–એ વાત પણ કાઢી નાંખી.
* પર્યાયના અવલંબનથી નિર્મળ પર્યાયરૂપ કાર્ય થાય–એમ પણ નથી.
* ભગવાન કારણ પરમાત્મા પોતાની કારણશુદ્ધપરિણતિ સહિત વર્તી રહ્યો છે, તે જ એક કારણ છે.
આ રીતે અભેદ સ્વભાવને જ કારણપણે બતાવીને તેનું અવલંબન કરાવ્યું છે, ને નિમિત્તનું રાગનું કે
પર્યાયનું–ત્રણેનું અવલંબન છોડાવ્યું છે. આ એક વાત સમજે તો બાહ્ય કારણના બધા ઝગડાનું સમાધાન થઈ જાય,
એટલે બાહ્યકારણોની દ્રષ્ટિ છૂટીને અંર્તસ્વભાવની દ્રષ્ટિ થયા વગર રહે નહિ. આવી અપૂર્વદ્રષ્ટિ પ્રગટ કરનાર જીવને
બાહ્યકારણ તરીકે કેવાં નિમિત્ત હોય તે વાત પછી પ૩ મી ગાથામાં જણાવશે. ત્યાં નિમિત્ત બતાવવામાં પણ અલૌકિક
વર્ણન કરશે. ટીકાકારની ઢબ જ કોઈ અદ્ભુત છે!
આ પરમાગમના અર્થો અમે અમારી કલ્પનાથી નથી કહેતા, ગણધરો અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે
વ્યક્ત કરાયેલા અર્થો અમને ગુરુપરંપરાથી મળેલા છે–એમ કહીને ટીકાકારે આ ટીકા રચી છે. એટલે આ ટીકામાં કહેલા
અર્થો ગણધરાદિ ગુરુપરંપરાથી સારી રીતે પ્રગટ કરાયેલા છે, શ્રીગુરુઓના પ્રસાદથી અમને આ અર્થો મળ્‌યા છે.
વળી હમણાં આ પરમાગમના સાર પ્રત્યેની પુષ્ટરુચિથી અમારું મન ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે, ‘આ
ઠેકાણે આવો ઉપયોગ, ને આ ઠેકાણે આવી કારણપરિણતિ’........એમ આ પરમાગમના અર્થો અમારા હૃદયમાં ફરી
ફરીને ઘૂંટાય છે, તેથી આ ટીકા રચાય છે,–આમ કહીને ટીકામાં અલૌકિક ભાવો ખોલ્યાં છે. કુંદકુંદભગવાને મૂળ
સૂત્રોમાં અપૂર્વ રહસ્ય ભરી દીધું છે ને અધ્યાત્મમાં મસ્ત મહામુનિ પદ્મપ્રભદેવે ટીકામાં તે એકદમ સ્પષ્ટ કર્યું છે,
અપૂર્વ આત્મસ્વભાવ બતાવ્યો છે.
એકેક આત્માનો પરિપૂર્ણ સ્વભાવ છે તે ઘણી સ્પષ્ટતાથી અહીં બતાવ્યો છે. જેમ દરિયામાં પાણીનું દળ,
એની શીતળતા અને તે દળની એક સરખી સપાટી–એ ત્રણેથી દરિયો એમ ને એમ પડયો–પાથર્યો છે, તેમાંથી
નાના–મોટા તરંગો ઊઠે છે; તેમ આ આત્મા ચૈતન્યનો દરિયો......આનંદનો સમુદ્ર છે, તે દ્રવ્ય–ગુણ અને
કારણશુદ્ધપરિણતિથી એમ ને એમ પડયો–પાથર્યો....વર્તમાન–વર્તમાનપણે વર્તે છે, તે જ નિર્મળ પર્યાયો પ્રગટવાનું
કારણ છે. નિર્મળ પર્યાયરૂપી કલોલનો આધાર તો આખો દરિયો છે.
જેમ લીંડીપીપરમાં ચોસઠપોરી (–સોળ આના પરિપૂર્ણ) તીખાસ ભરી છે; અને તેનો સ્વભાવ વર્તમાનમાં
પણ વર્તી જ રહ્યો છે,–પ્રગટમાં ભલે ઓછી તીખાસ હો કે વધારે હો; તેમ આત્મામાં તીખો....ઉગ્ર.....પરિપૂર્ણ
જ્ઞાનસ્વભાવ છે, –
દ્રવ્ય સોળ આના પરિપૂર્ણ
ગુણ સોળ આના પરિપૂર્ણ
કારણશુદ્ધપરિણતિ સોળ આના પરિપૂર્ણ,
એ રીતે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ છે, વર્તમાનમાં પણ આવો જ સ્વભાવ છે. આ સ્વભાવ–કારણમાંથી
મોક્ષમાર્ગ અને મોક્ષરૂપી કાર્ય થાય છે. દ્રવ્ય–ગુણ તે સામાન્ય ધુ્રવ, ને તેની સાથેની કારણશુદ્ધપરિણતિ તે વિશેષ ધુ્રવ
એનું વર્ણન કરીને અહીં એકદમ નજીકનું સીધું કારણ બતાવ્યું છે; કાર્યની સાથેનું હાજરાહજૂર કારણ બતાવ્યું છે. કાર્ય
જે કેવળજ્ઞાન, તેના કારણપણે વર્તમાન વર્તતો સર્વથા નિર્મળ અપ્રગટ કારણસ્વભાવ–જ્ઞાનઉપયોગ
માગસરઃ ૨૪૮૨
ઃ ૨પઃ

PDF/HTML Page 9 of 17
single page version

background image
છે, આ ઉપયોગ ત્રિકાળ નિરુપાધિરૂપ છે, દ્રવ્ય–ગુણ સાથે ત્રિકાળ પારિણામિકભાવે રહેલો છે; તેને જ આગળ સ્વરૂપ
પ્રત્યક્ષ સહજજ્ઞાન તરીકે વર્ણવશે. આખા દ્રવ્ય સાથે ત્રિકાળ અભેદરૂપ એવો આ સહજઉપયોગ કેવળજ્ઞાન પ્રગટવાનું
કારણ છે. એકદમ અંતરમાં ધુ્રવ–કારણની આ વાત છે.
કેવળજ્ઞાન પ્રગટે તે સકલ પ્રત્યક્ષ છે; અને તેના કારણરૂપ જે કારણસ્વભાવજ્ઞાન છે તે સ્વરૂપ–પ્રત્યક્ષ છે.
કારણસ્વભાવજ્ઞાન તે આધાર છે, ને કેવળજ્ઞાન તેના આધારે થયેલું કાર્ય છે. આ કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ તે
પરિણતિરૂપ હોવા છતાં ધુ્રવ છે, પ્રગટ કાર્યરૂપ નથી પણ અપ્રગટ–શક્તિરૂપ છે, કારણરૂપ છે. કારણપણે આત્મામાં તે
સદાય સ્વરૂપ–પ્રત્યક્ષ વર્તે છે.
૩ અજ્ઞાન–ઉપયોગ (કુમતિ વગેરે)
૪ અધૂરા જ્ઞાન ઉપયોગ (સમ્યક્ગતિ–શ્રુત વગેરે)
૩ વિભાવ દર્શન–ઉપયોગ (ચક્ષુદર્શન વગેરે)
–આ બધાય વિભાવઉપયોગ છે, તે સદા એકરૂપ નથી, પણ વિસદ્રશરૂપ છે; કેવળજ્ઞાન અને કેવળદર્શન એ
બે સ્વભાવઉપયોગ જો કે પ્રગટયા પછી સદા એકરૂપ રહેનારા છે. પરંતુ તે પણ ત્રિકાળવર્તી નથી. આત્મામાં અત્યારે
તો તેનો વિરહ છે. જ્યારે આ કારણસ્વભાવઉપયોગ આત્મા સાથે ત્રિકાળ એકરૂપ રહેનાર છે, તેનો કદી વિરહ નથી;
તેથી તે આત્માનો પરમસ્વભાવ છે.
કુમતિ આદિ ત્રણ જ્ઞાનો અનાદિ સાંત છે,
સમ્યક્મતિ–શ્રુત વગેરે ચાર છે જ્ઞાનો સાદિ સાંત છે,
કેવળજ્ઞાન સાદિ–અનંત છે,
પણ તે કોઈ જ્ઞાનોમાં અનાદિ અનંત એકરૂપતા નથી, વિસદ્રશતા છે. તો તે સિવાયનો એક સદ્રશ
અનાદિઅનંત એકરૂપ વર્તનારો ઉપયોગ છે તે અહીં બતાવવો છે.
ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી દ્રવ્યોમાં સદ્રશ એકરૂપ પરિણતિ પારિણામિકભાવે વર્તે છે. તો જ્ઞાતા એવા
જીવતત્ત્વમાં સદ્રશપરિણતિ કેવી છે તે અહીં બતાવે છે જીવની પર્યાયમાં સંસાર મોક્ષ છે તે તો વિસદ્રશ છે પણ તે
સિવાયની એક સદ્રશપરિણતિ ઉત્પાદ–વ્યય વગરની ધુ્રવરૂપ પારિણામિકભાવે વર્તે છે તે કાર્યરૂપ નથી પણ કારણરૂપ
છે, સદાય શુદ્ધ છે, ઉપાધિ વગરની છે, અને દ્રવ્ય સાથે સદા અભેદરૂપ હોવાથી દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. આ નિરપેક્ષ
પરિણતિને પંદરમી ગાથામાં ‘કારણશુદ્ધપર્યાય’ કહીને બહુ સરસ રીતે વર્ણવશે, ત્યાં તેને ‘પૂજ્ય’ કહેશે.
આ ચાલતી (દસમી) ગાથામાં ‘ઉપયોગ’ ની સદ્રશ પરિણતિરૂપ ‘કારણસ્વભાવજ્ઞાન’ નું વર્ણન છે. કેવું છે
તે કારણસ્વભાવજ્ઞાન?
પરમ પારિણામિકભાવે રહેલું,
ત્રિકાળ નિરુપાધિરૂપ,
કારણસ્વભાવરૂપ એટલે કે કેવળજ્ઞાનના કારણરૂપ,
સ્વરૂપ–પ્રત્યક્ષ (સકલ –પ્રત્યક્ષનું કારણ),
સહજ,
ત્રિકાળ એકરૂપ અનાદિઅનંત,
–આ બધા વિશેષણો કારણસ્વભાવજ્ઞાનને લાગુ પડે છે. કેવળજ્ઞાનને પણ આ વિશેષણો લાગુ નથી પડતા.
કારણ સ્વભાવજ્ઞાનને જ વિશેષણો લાગુ પડે છે,–છતાં આ વાત છે ઉપયોગ–પરિણતિની.
જુઓ, આ આત્માના ઉપયોગનું અદ્ભુત વર્ણન! આ નિયમસાર સિવાય બીજે ક્યાંય આવી ‘ખુલ્લી’ વાત
નથી આવતી.
જુઓ, ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી લાવ્યા?
* આ જીવ–અધિકાર છે.
* જીવનો ‘ઉપયોગ’ સ્વભાવ છે.
* ઉપયોગ એટલે આત્માના ચૈતન્યને અનુસરીને વર્તતા પરિણામ.
* તે ઉપયોગના બે પ્રકાર (૧) જ્ઞાન અને (૨) દર્શન.
*જ્ઞાનઉપયોગના ‘સ્વભાવ’ અને વિભાવ એવા બે પ્રકાર,
* તેમાંથી સ્વભાવઉપયોગ પણ કારણ ને કાર્ય એક બે પ્રકારનો છે.
* તેમાંથી ‘કારણસ્વભાવજ્ઞાનઉપયોગ’ નું આ વર્ણન ચાલે છે. સાત તત્ત્વોમાંથી એક જીવતત્ત્વ, તેમાં આ
બધા પ્રકારો સમાઈ જાય છે.
જીવના ચૈતન્યને અનુસરીને વર્તતા જે કારણસ્વભાવરૂપ જ્ઞાનપરિણામ તે કેવળજ્ઞાનનું કારણ છે, ત્રિકાળ
નિરાવરણ છે, અમૂર્ત–અતીન્દ્રિય છે. આત્મામાં આવો ઉપયોગ
ઃ ૨૬ઃ
આત્મધર્મઃ ૧૪૬

PDF/HTML Page 10 of 17
single page version

background image
વર્તમાન છે, પણ તે આંખથી ન દેખાય, મનના વિકલ્પથી પણ તે ખ્યાલમાં ન આવે; અંતરની સૂક્ષ્મ દ્રષ્ટિનો આ
વિષય છે. જ્ઞાનીને ઉપયોગનું સ્વસન્મુખ કાર્ય પ્રગટતાં તેના કારણરૂપ સ્વભાવ–ઉપયોગ પ્રતીતમાં આવી જાય છે.
અહીં સ્વભાવ–ઉપયોગમાં કારણ અને કાર્ય એવા બે ભેદ પાડયા, પણ વિભાવના કારણ–કાર્યની વાત ન
લીધી; કેમ કે વિભાવનું કારણપણું ખરેખર આત્માના સ્વભાવમાં છે જ નહિ, વિકારનો કોઈ ધુ્રવ–આધાર નથી.
આત્માની કાર્ય–પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકાર પડે છે, પણ કારણ પરિણતિ તો શુદ્ધ જ છે, તેમાં શુદ્ધ ને
અશુદ્ધ એવા બે પ્રકાર નથી. અહો! શુદ્ધતાનું જ કારણ થવાનો આત્માનો સ્વભાવ છે, આવા સ્વભાવને જાણે તો તે
કારણમાંથી શુદ્ધ કાર્ય પ્રગટયા વિના રહે નહિ. કાર્ય જે કેવળજ્ઞાન તેના કારણ ઉપરઅહીં જોર દેવું છે, તે કારણ ઉપર
જોર દેતાં વચ્ચે સાધકદશામાં મતિ–શ્રુત વગેરે સમ્યક્જ્ઞાન પ્રગટી જાય છે, પણ અહીં તો ધુ્રવ–કારણ ઉપર જોર દેવું છે
તેથી તેની વાત આ ગાથાની ટીકામાં ન લીધી–આવો ટીકાનો મર્મ છે.
અહીં શુદ્ધકાર્ય અને તેનું કારણ બતાવ્યું. આ કારણને અવલંબતા શુદ્ધકાર્ય પ્રગટયે છૂટકો. વચ્ચે સાધકદશામાં
ચાર જ્ઞાન પ્રગટી જાય છે પણ સાધકનું જોર તો કારણસ્વભાવ ઉપર જ છે. કુમતિ–કુશ્રુત ને વિભંગ એ ત્રણ ઉપયોગ
કેવળ વિભાવરૂપ છે, તે તો અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિને જ હોય છે. પહેલાં અજ્ઞાનદશામાં જ્યારે કારણસ્વભાવનું ભાન ન
હતું ત્યારે એકાંતવિભાવરૂપ ઉપયોગ હતો, પછી કારણસ્વભાવનું ભાન થતાં સાધકદશામાં સમ્યક્મતિશ્રુત વગેરે
ઉપયોગ પ્રગટયાં. પણ સાધક ધર્માત્માની દ્રષ્ટિનું જોર તો એકરૂપ કારણસ્વભાવ ઉપર જ છે; તે કારણ ઉપર જોર
આપીને એકાગ્ર થતાં કેવળજ્ઞાન થઈ જાય છે.
આ પ્રમાણે દસમી ગાથા પૂરી થઈ.
* * *
હવે, જેમ જિનમંદિર ઉપર સોનાનો કળશ ચડાવે તેમ આ ગાથા ઉપર ટીકાકાર એક કળશ મૂકે છે–
अथ सकलजिनोक्तज्ञानभेद प्रबुद्ध्वा
परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः
सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं
स भवति परमश्रीकामिनीकामरूपः
।। १७।।
કારણસ્વભાવજ્ઞાન અને કાર્યસ્વભાવજ્ઞાન વગેરેનું ઘણું વર્ણન કર્યું, તેને જાણવાનું ફળ શું તે અહીં બતાવે છે;
જિનેન્દ્ર કથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવેને પરિહરી નિજસ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર
ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે–ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો એટલે કે
મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે.
આ કારણસ્વભાવજ્ઞાન તેમજ કાર્યસ્વભાવજ્ઞાન વગેરે ભેદો કહ્યા તે કેવા છે?....કે જિનેન્દ્ર કથિત છે.
ભગવાન સર્વજ્ઞદેવ અને તેમના માર્ગ સિવાય આ વાત બીજે ક્યાંય હોઈ શકે નહિ. પોતાના સ્વભાવ ઉપયોગમાં
જેમણે ત્રણકાળ ત્રણલોકનો પત્તો મેળવી લીધો છે–બધું પ્રત્યક્ષ જાણી લીધું છે એવા ભગવાન જિનેન્દ્રદેવે જ્ઞાનના
આવા પ્રકારો જાણીને કહ્યા છે; આવા વસ્તુસ્વભાવને જે જાણે તેને પરભાવોથી ભિન્નતા ને નિજસ્વરૂપમાં લીનતા
થયા વિના રહે નહિ.
આત્માના ઉપયોગમાં કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન એવા પ્રકારોને જાણીને, જે પુરુષ
પરભાવોને પરિહરે છે....એટલે કે કારણસ્વભાવ સિવાય બીજા કોઈ પણ ભાવોને પરિહરે છે....એટલે કે
કારણસ્વભાવ સિવાય બીજા કોઈ પણ ભાવોને અવલંબતો નથી, ને નિજસ્વરૂપમાં સ્થિર રહે છે,–‘અહો! આવો
મારો કારણસ્વભાવ! આવી મારી વસ્તુ! આવા સ્વભાવથી વસ્તુની પૂર્ણતા છે’–એમ વસ્તુસ્વભાવનો મહિમા
લાવીને તેમાં ઠરે છે....સ્વભાવમાં ઊંડો ઊતરી જાય છે....કારણપરમાત્મામાં ઊંડો ઊતરીને એકદમ લીન થઈ જાય છે
તે જીવ સાક્ષાત્ પરમાત્મા થઈ જાય છે એટલે કે મુક્તિસુંદરીનો નાથ થઈ જાય છે.
આ અપૂર્વ વાત છે. સર્વજ્ઞના માર્ગનો આશ્રય લઈને જે સમજે તેને જ આ વાત સમજાય તેવી છે.
આત્મામાં જો વિસદ્રશરૂપ સાપેક્ષ ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયો જ હોય ને સદ્રશરૂપ નિરપેક્ષ ધુ્રવપરિણતિ
(સ્વભાવ–આકાર પરિણામ, કારણશુદ્ધપર્યાય–) ન હોય તો વસ્તુની પૂર્ણતા વર્તમાનમાં સિદ્ધ થઈ શકતી નથી. અને
જો વર્તમાન વ્યક્તરૂપ વિસદ્રશ પર્યાયો ન હોય તો
માગશરઃ ૨૪૮૨
ઃ ૨૭ઃ

PDF/HTML Page 11 of 17
single page version

background image
સાધકપણું કે સંસાર–મોક્ષ એ કાંઈ સિદ્ધ થતું નથી. માટે બંને પ્રકારોને જેમ છે તેમ જાણવા જોઈએ. જ્ઞાનમાં મતિજ્ઞાન
વગેરે વિસદ્રશ પર્યાયો છે; તેમજ સદ્રશ એકરૂપ કારણસ્વભાવજ્ઞાન પણ છે, ને તેના અવલંબનથી કેવળજ્ઞાન ખીલે છે;
આવા ભેદો જાણવા–તે જાણીને શું કરવું સર્વજ્ઞ કથિત આ ભેદોને જાણીને જે જીવ પરભાવોને છોડે છે ને
નિજસ્વભાવમાં એકાગ્ર થાય છે,.....અંર્તમુખ થઈને સ્વભાવમાં ઊંડો.....ઊંડો....ઊતરી જાય છે, તેને મોક્ષદશા ખીલી
જાય છે. કારણસ્વભાવમાં ઊંડો ઊતરી ગયો ત્યાં કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટી જાય છે. જુઓ, આમાં ત્રિકાળી કારણ,
મોક્ષમાર્ગ અને મોક્ષ એ ત્રણે આવી ગયા. ધુ્રવ કારણના આશ્રયે જે મોક્ષદશા થઈ તે સાદિ–અનંત મંગળરૂપ છે.
પરમ શરણભૂત કારણસ્વભાવ–પ્રદર્શક સદ્ગુરુદેવનો જય હો.
જ્ઞાન
– સર્વજ્ઞનું અને સાધકનું –
શ્રી પ્રવચનસાર ગા. ૩૬ ઉપરના પ્રવચનમાંથી અદ્ભુત ન્યાય.......
(વીર સં. ૨૪૮૧ વૈશાખ સુદ ૧૪)
*
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે. તે જ્ઞાન પોતે પોતાના સ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં સર્વજ્ઞતા પ્રગટે
છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં જગતના સમસ્ત પદાર્થો જણાય છે. જ્ઞાન–જ્ઞેયને પરસ્પર નિમિત્ત–નૈમિત્તિકપણું છે, એટલે
કેવળજ્ઞાનમાં જગતના બધા જ્ઞેયો નિમિત્ત છે, ને જગતના બધા જ્ઞેયોને કેવળજ્ઞાન નિમિત્ત છે.
જુઓ, અહીં આત્માના જ્ઞાનસ્વભાવની ઓળખાણ કરાવે છે. આત્મા જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન સર્વ જ્ઞેયોને
નિમિત્ત, અને સર્વ જ્ઞેયો જ્ઞાનને નિમિત્ત,–આમ જ્ઞાન અને જ્ઞેયના જ નિમિત્તનૈમિત્તિકસંબંધની વાત કરી,–કેમકે તે
તો સ્વભાવ છે, જ્ઞાન–જ્ઞેયનો નિમિત્તનૈમિત્તિક સંબંધ તો સિદ્ધભગવાનનેય છે;
–પણ, વિકાર અને કર્મનો જે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેની વાત અહીં નથી લીધી, કેમ કે તે આત્માનો
સ્વભાવ નથી. વિકારને પણ જાણવાનો આત્માનો સ્વભાવ છે, પણ વિકારને કરવાનો આત્માનો સ્વભાવ નથી.
પૂરું જ્ઞાન તે બધા જ્ઞેયોને નિમિત્ત, ને બધા જ્ઞેયો તે પૂરા જ્ઞાનમાં નિમિત્ત આવો નિર્ણય કરે તો આત્માના
જ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય; કોઈ પરજ્ઞેય ઇષ્ટ ને કોઈ જ્ઞેય અનીષ્ટ એવો ભેદ ન રહે.
પોતાના આવા જ્ઞાનસ્વભાવની પ્રતીત હોવા છતાં સાધકદશામાં રાગ પણ હોય છે, પણ સાધક તો તેનો પણ
ખરેખર જ્ઞાતા જ છે. તે જાણે છે કે જેવો સર્વજ્ઞના જ્ઞાનનો સ્વભાવ છે તેવો જ મારા જ્ઞાનનો સ્વભાવ છે, સર્વજ્ઞનું
જ્ઞાન પૂરું છે ને મારું જ્ઞાન અધૂરું છે એટલો જ ફેર છે; પણ જ્ઞાનની જાત તો એક જ છે, જેમ સર્વજ્ઞનું જ્ઞાન રાગથી
જુદું છે તેમ મારું જ્ઞાન પણ રાગથી જુદું જ છે. મારું જ્ઞાન જ્ઞાનપણે જ પરિણમે છે, રાગપણે નથી પરિણમતું; અને
રાગ જ્ઞેયપણે પરિણમે છે પણ જ્ઞાનપણે નથી પરિણમતો.–આ રીતે જ્ઞાન અને રાગની અત્યંત જુદાઈ છે.

PDF/HTML Page 12 of 17
single page version

background image
રાગને અને જ્ઞાનને પણ માત્ર જ્ઞેય–જ્ઞાયકપણાનો જ સંબંધ છે, કર્તાકર્મપણું નથી. જેમ સર્વજ્ઞનું જ્ઞાન રાગને
જાણતું હોવા છતાં રાગના કર્તાપણે નથી પરિણમતું, તેમ સાધકનું જ્ઞાન પણ ખરેખર રાગના જ્ઞાતાપણે જ પરિણમે
છે, રાગનું કર્તા થતું નથી.
જ્ઞાનમાં રાગ જણાય છે, એટલે જ્ઞાનના જ્ઞેય તરીકે તે નિમિત્ત છે, અને જ્ઞાન તે રાગને જ્ઞેય બનાવે છે.
એટલે જ્ઞાતા તરીકે જ્ઞાન તેને નિમિત્ત છે. સર્વજ્ઞના જ્ઞાનમાં આ રાગ જણાય છે એટલે સર્વજ્ઞના જ્ઞાનમાં આ રાગ
નિમિત્ત છે ને આ રાગમાં સર્વજ્ઞનું જ્ઞાન નિમિત્ત છે.
અહો, રાગની સામે સર્વજ્ઞતાનું નિમિત્ત! એટલે રાગની સાથે સર્વજ્ઞતાની પ્રતીત પણ ભેગી ને ભેગી જ રહે
છે;–આ રીતે સર્વજ્ઞને સાથે રાખીને સાધક ઊપડયો છે સર્વજ્ઞ થવા....રાગ વખતે સાધકને એકલા રાગનું જ અસ્તિત્વ
નથી દેખાતું, પણ તે જ વખતે રાગથી ભિન્ન એવી સર્વજ્ઞતાની–એટલે કે આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત તેને
ભેગી ને ભેગી વર્તે જ છે. ‘રાગ તે હું નહીં’ પણ જ્ઞાયક તે હું’–આ પ્રમાણે રાગ વખતેય રાગથી ભિન્ન જ્ઞાયકપણાની
પ્રતીત રહે છે, તેના જોરે સાધકને રાગ તૂટીને અલ્પકાળમાં સર્વજ્ઞતા પ્રગટી જશે.
જ્ઞાનનો ને રાગનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે ને રાગ તો જ્ઞેય છે. સર્વજ્ઞના
જ્ઞાનમાં આ રાગ જ્ઞેયપણે નિમિત્ત છે ને આ રાગને સર્વજ્ઞનું જ્ઞાન જ્ઞાતાપણે નિમિત્ત છે. જ્ઞાનસ્વભાવની સન્મુખ
રહીને સાધક જાણે છે કે, આ રાગ જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં નિમિત્ત છે તેમ મારા જ્ઞાનમાં પણ માત્ર જ્ઞેયરૂપે નિમિત્ત છે;
અને સર્વજ્ઞનું જ્ઞાન જેમ રાગને નિમિત્ત છે તેમ મારું જ્ઞાન પણ રાગને માત્ર નિમિત્ત છે,–કર્તા નહિ. સર્વજ્ઞનું જ્ઞાન
જેમ આ રાગ સાથે તન્મય નથી તેમ મારું જ્ઞાન પણ આ રાગ સાથે તન્મય નથી, કેમકે સર્વજ્ઞના જ્ઞાનની મારા
જ્ઞાનની એક જ જાત છે, રાગની જાત જ્ઞાનથી જુદી છે.
જુઓ! આ ભેદજ્ઞાન!! ને આ સર્વજ્ઞની શ્રદ્ધા!! જો પોતામાં જ્ઞાનની ને રાગની સ્પષ્ટ ભિન્નતા ન ભાસે તો
તેને સર્વજ્ઞના જ્ઞાનની પણ ખરેખર શ્રદ્ધા નથી.
સાધકને હજી પૂરું જ્ઞાન નથી એટલે તેના જ્ઞાનમાં પૂરા જ્ઞેયો પણ નિમિત્ત થતા નથી, પણ પ્રતીતમાં તો પૂરું જ
આવી ગયું છે. બધાય જ્ઞેયોનો હું જ્ઞાતા જ છું, કોઈ પણ પરજ્ઞેયોની સાથે મારે એ સિવાય બીજો સંબંધ નથી,–એમ
જ્ઞાનીને શ્રદ્ધા છે. જ્ઞાન અધૂરું હોવા છતાં તેને પણ પરજ્ઞેયો સાથે માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે.–જ્ઞાતાજ્ઞેયપણાનો જ
સંબંધ છે, પણ વિકાર તરીકેનો સંબંધ નથી. જેમ સિદ્ધ ભગવાનને જગતના બધા જ્ઞેયો જ્ઞાનના જ નિમિત્તો છે,
વિકારના નિમિત્તો નથી, તેમ મારો પણ એવો જ જ્ઞાનસ્વભાવ છે ને જ્ઞેય પદાર્થો મને જ્ઞાનનું જ નિમિત્ત છે.
પ્રશ્નઃ– હજી સાધકદશા છે એટલે વિકાર તો થાય છે ને વિકારના નિમિત્તો પણ છે, છતાં વિકારના નિમિત્તની
કેમ ના પાડી?
ઉત્તરઃ– વિકાર અને તે વિકારના નિમિત્તો–એ બંને પણ જ્ઞાનમાં તો જ્ઞેયપણે જ છે. સાધકને વિકાર છે તે
પણ જ્ઞાનના જ્ઞેયપણે જ નિમિત્ત છે, કેમ કે તે રાગ વખતેય સાધકનું જ્ઞાન તો જ્ઞાનપણે જ પરિણમે છે, જ્ઞાન રાગપણે
પરિણમતું નથી; તેમ જ રાગ રાગપણે જ પરિણમે છે, રાગ જ્ઞાનપણે નથી પરિણમતો; આ રીતે જ્ઞાનને અને રાગને
કર્તાકર્મપણું નથી, એકરૂપતા નથી. આવા ભેદજ્ઞાનરૂપ સાધકનું પરિણમન છે. સાધકનું જ્ઞાન, જ્ઞાનસ્વભાવને
સ્વજ્ઞેયપણે પ્રકાશતું થકું રાગાદિને પરજ્ઞેયપણે જાણે છે.
કેવળજ્ઞાની ભગવાનને પોતાના આત્મામાં તો રાગનું પરિણમન છે જ નહીં, અને જગતના જ્ઞેયોમાં જે
રાગાદિક છે તે તેમના જ્ઞાનમાં જ્ઞેયપણે જ છે, ને જ્ઞાન તેનું જ્ઞાતા છે; એટલે તેમને જ્ઞાનના જ્ઞેય તરીકે જ તે નિમિત્ત
છે, ને જ્ઞાન તેના જ્ઞાતાપણે નિમિત્ત છે; પણ જ્ઞાનની ને રાગની એકતા નથી. હવે જેવો કેવળજ્ઞાની ભગવાનનો
જ્ઞાનસ્વભાવ છે તેવો જ આ જીવનો જ્ઞાનસ્વભાવ છે, તેથી આ જીવના જ્ઞાનને પણ રાગ સાથે એકતા નથી.
અહો! આ રીતે સર્વજ્ઞજ્ઞાનનો ને જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે તો પોતામાં જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન
પરિણમી જાય, ને રાગાદિ સાથે એકતાપણું છૂટી જાય. એટલે વિકારથી પાછું ખસીને તેનું પરિણમન જ્ઞાનસ્વભાવ
તરફ ઝૂકી જાય.
આ છે સર્વજ્ઞ થવાનો માર્ગ!
* जय हो आवा ज्ञानस्वभावनो *
માગશરઃ ૨૪૮૨ ઃ ૨૯ઃ

PDF/HTML Page 13 of 17
single page version

background image
“અરે જીવ! હવે તો જિનભાવના ભાવ!”
ભીષણ ભવદુઃખથી બચવાનો ઉપાય
[પૂ. ગુરુદેવનું વૈરાગ્ય ભરપૂર પ્રવચન]
અરે જીવ! શુદ્ધ આત્માની ભાવના વિના, અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરવા
છતાં પણ, તું ચાર ગતિના ઘોર દુઃખને જ પામ્યો. એકમાત્ર ‘જિનભાવના’ જ
ચારગતિના ઘોર દુઃખોથી બચાવનારી છે. માટે હે જીવ! હવે તો તું જિનભાવના ભાવ, કે
જેથી ફરીને સ્વપ્નેય આવા દુઃખ ન થાય......ને પરમ આનંદરૂપ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
–આવો સંતોનો ઉપદેશ છે.
આ ‘ભાવ–પ્રાભૃત’ વંચાય છે; તેમાં ‘ભાવ’ એટલે શું? અહીં ‘ભાવ’ એટલે મોક્ષના કારણરૂપ ભાવ કયા
છે તેની વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાન–આનંદ સ્વરૂપ વસ્તુ છે તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવી તે ભાવ છે, ને તે
ભાવ જ મોક્ષનું કારણ છે. આચાર્યદેવ કહે છે કે–
હે શિવપુરીના પથિક! પ્રથમ તું ભાવને જાણ. ભાવ રહિત દ્રવ્યલિંગથી તારે શું પ્રયોજન છે?–એનાથી કાંઈ
સિદ્ધિ નથી. સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનું કારણ જાણીને તેની પ્રાપ્તિનો ઉદ્યમ કર; કેમકે મોક્ષપુરીનો પંથ શ્રી
જિનેન્દ્રદેવે પ્રયત્નસાધ્ય કહ્યો છે.
હે જીવ! સંસારમાં ભ્રમણ કરતાં તે દ્રવ્યલિંગ અનંતવાર ધારણ કર્યું તો પણ તારી કાંઈ સિદ્ધિ નથઈ; શુદ્ધ
ભાવ વિના તું ચાર ગતિમાં ભમતો જ રહ્યો. હે સત્ સમજવાની જિજ્ઞાસાવાળા સત્પુરુષ! તું સાંભળ! આત્માના
ભાન વિના અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને પણ તે મિથ્યાત્વ આદિક ભાવોને જ ભાવ્યા છે, પણ સમ્યક્ત્વ આદિક
શુદ્ધ ભાવોને તેં કદી એક ક્ષણ પણ ભાવ્યા નથી; તે સમ્યગ્દર્શન વગર તારી કાંઈ સિદ્ધિ ન થઈ, માટે હવે તો શુદ્ધ
ભાવોને ઓળખીને તેની ભાવના કર.
ભાઈ! તારી વસ્તુ અંદર છે, તારા આનંદના નિધાન તારી વસ્તુમાં છે. તે અંતરમાં તો નજર કર. નજર
કરતાં ન્યાલ થઈ જવાય એવી વસ્તુ અંદર પડી છે. એના સિવાય બહારના લક્ષે અનંતવાર રાગની મંદતા કરી, પણ
તારા હાથમાં કાંઈ ન આવ્યું.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે–
યમ નિયમ સંયમ આપ ક્યિો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો;
વનવાસ લહ્યો મુખ મૌન રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દીયો.
*
સબ શાસ્ત્રન કે નય ધારી હિયે,
મત ખંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન બાર અનંત ક્યિો,
તદપિ કછૂ હાથ હજૂ ન પર્યો;
અબ કયો ન વિચારત હૈ મનસેં
કછૂ ઓર રહા ઉન સાધનસેં.
આત્માને ભૂલીને, મિથ્યા ભ્રાંતિથી બહારના બીજા બધા સાધન કર્યા, પણ વાસ્તવિક સાધન શુદ્ધ ભાવ છે તે
શુદ્ધ ભાવ કદી એક ક્ષણ પણ પ્રગટ ન કર્યો, અરે! તેની ઓળખાણ પણ ન કરી. રાગની મંદતા કરીને તેને જ
ઃ ૩૦ઃ
આત્મધર્મઃ ૧૪૬

PDF/HTML Page 14 of 17
single page version

background image
સાધન માની લીધું, પણ રાગથી પાર એવા શુદ્ધ ભાવનું એક ક્ષણ પણ સેવન કર્યું નથી. હું પોતે જ્ઞાનસ્વરૂપ વસ્તુ છું–
એવા અંતર્મુખ પ્રયત્ન વગર, હે જીવ! તેં બીજી રાગાદિની ભાવના અનંતવાર ભાવી, બહારનો ત્યાગ કર્યો ને
કષાયોની મંદતા કરીને દ્રવ્યલિંગી સાધુ પણ તું અનંતવાર થયો, પણ ચિદાનંદ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપ
શુદ્ધ ભાવ વિના તારું સંસાર ભ્રમણ ન ટળ્‌યું ને ચાર ગતિમાં તેં ભીષણ દુઃખ જ ભોગવ્યાં. માટે હવે તો તે દુઃખથી
છૂટવા માટે ‘જિનભાવના’ ભાવ! એમ આચાર્યદેવ કહે છે–
भीसण णरयगईए तिरियगईए कुदेवमणुगईए ।
पत्तोसि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव! ।। ८।।
भीषण नरकगतौ तिर्यग्गतौ कुदेवमनुष्यगत्योः ।
प्राप्तोसि तीव्रदुःखं भावय जिनभावना जीव!
।। ८।।
(કુંદકુંદપ્રભુની આ ગાથા શ્રીમદ્ રાજચંદ્રજીના લખાણમાં પણ આવે છે.)
હે જીવ! તારા આત્માના શુદ્ધ ભાવને તેં પૂર્વે કદી ઓળખ્યા નથી ને તેની ભાવના ભાવી નથી.
‘જિનભાવના’ વિના એટલે કે શુદ્ધ આત્માની ભાવના વિના તે ચાર ગતિના ભીષણ દુઃખો અનંતવાર સહન કર્યાં,
માટે હવે તું જિન ભાવના ભાવ.
અરે જીવ! નરકગતિના એવા ભીષણ દુઃખ–કે જેનું વર્ણન સાંભળતાં પણ ત્રાસ છૂટે, એવા દુઃખો તેં શુદ્ધ
ભાવ વિના અનંતવાર ભોગવ્યાં. માટે હવે તો તું જિનભાવના ભાવ...હું શુદ્ધચિદાનંદ આત્મા છું–આનંદથી ભરેલો
છું......બહારમાં કંઈ પણ મારું નથી, એમ સ્વભાવની ભાવના કર....તેની રુચિ કર.–તેની પ્રીતિ કર...વારંવાર તેનો
અભ્યાસ કર, જેથી તારા ભવ–દુઃખનો અંત આવે.
હે જીવ! ભયંકર નરકગતિમાં તેમજ તિર્યંચગતિમાં, તથા કુદેવ અને કુમનુષ્યગતિમાં અનાદિકાળથી તું ઘોર
દુઃખને પામ્યો,–શાથી?–કે રાગની ને સંયોગની ભાવના ભાવી પણ જિનભાવના ન ભાવી તેથી. માટે હવે તો તું
જિનભાવના એટલે કે શુદ્ધ આત્મતત્ત્વની ભાવના ભાવ,–કે જેથી ચારગતિના ઘોર દુઃખ છૂટીને તને સિદ્ધપદની
પ્રાપ્તિ થાય.
અહીં ‘જિનભાવના’ ભાવવાનું કહ્યું તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે. જિન એટલે સર્વજ્ઞ પરમાત્મા, તેમના
જેવો જ આ આત્માનો સ્વભાવ છે–એવી શ્રદ્ધા તથા જ્ઞાન કરીને તેમાં એકાગ્રતા કરવી તેનું નામ જિનભાવના છે.
જિનેન્દ્ર ભગવાન પણ પૂર્વે એવી ભાવના ભાવીને પરમાત્મપદ પામ્યા છે. કોઈ સંયોગની કે રાગાદિની ભાવનાથી
પરમાત્મપદ થાય–એમ નથી, પણ જિનભાવના એટલે શુદ્ધ આત્માની વીતરાગી ભાવના તે જ પરમાત્મપદનો ઉપાય
છે. માટે હે પરમ પદના અભિલાષી જીવ! તું એવી જિનભાવના ભાવ. “જીવ તે જિનવર, અને જિનવર તે જીવ”–
જીવ અને જિનવરના સ્વભાવમાં પરમાર્થે કાંઇ ફેર નથી. એમ પોતાના સ્વભાવની ઓળખાણ કરીને તેની ભાવના
કરવી તે જિનભાવના છે ને તે મુક્તિનો માર્ગ છે.
આચાર્યદેવ કહે છે કે અરે જીવ! તેં પૂર્વે બીજી ઊંધી ભાવનાઓ ભાવી, ને તેથી તું ઘોર દુઃખ પામ્યો, પણ
જિનભાવના તેં પૂર્વે એક ક્ષણ પણ કદી નથી ભાવી.
‘અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા !!
અનંત દુઃખ, નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા !
ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ....રે...નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.’
(શ્રીમદ્ રાજચંદ્ર)
અરે જીવ! નરક વગેરેનાં દુઃખ, જેનો પાર નથી એવા દુઃખ મિથ્યાત્વભાવે તે અનંતવાર ભોગવ્યા છતાં ત્યાં
હજી પણ તું મિત્રતા માને છે...ને ત્યાંથી પાછો ફરતો નથી, એ આશ્ચર્ય છે! અને વળી ચિદાનંદ સ્વભાવની
ભાવનામાં અનંતસુખ છે છતાં તું તેની મિત્રતા કરતો નથી–તેની ભાવના ક્ષણમાત્ર પણ ભાવતો નથી, અરે મૂઢ! આ
તારી કેવી વિચિત્રતા છે!! આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં અતીન્દ્રિય–આનંદનું અનંત સુખ છે પણ ત્યાં તો
તને પ્રેમ નથી આવતો ને કંટાળો લાવે છે–દુઃખ વાગે છે, અને મિથ્યાશ્રદ્ધાદિ ભાવોમાં અનંતું દુઃખ છે છતાં ત્યાં તું
પ્રેમ કરે છે– તેમાં તને સુખ લાગે છે,–તે કેવી વિચિત્રતા છે!! અરે જીવ! હવે તો તારા જ્ઞાનચક્ષુને ખોલ.....તારા
જ્ઞાનનેત્રને ઉઘાડીને તું જો તો ખરો કે શેમાં તારું સુખ છે, ને શેમાં તને દુઃખ છે? મિથ્યા ભાવને લીધે જ તું અનંત
દુઃખ પામ્યો–એમ
માગશરઃ ૨૪૮૨
ઃ ૩૧ઃ

PDF/HTML Page 15 of 17
single page version

background image
જાણીને હે જીવ! તે મિથ્યા ભાવોથી તું નિવૃત્ત થા.....નિવૃત્ત થા....તેનાથી શીઘ્ર નિવૃત્ત થઈને હવે તો સમ્યગ્દર્શનાદિ
ભાવોની ભાવના કર....હવે તો જિનભાવના ભાવ! પ્રભુ! અંતરમાં તારો આનંદ ભર્યો છે તેમાં તો નજર કર.
ચૈતન્યની ભાવના વિના તેં ચારે ગતિમાં ભીષણ દુઃખ ભોગવ્યાં, માટે હવે તો તું શુદ્ધ આત્મતત્ત્વની ભાવના ભાવ,–
જેથી તારું સંસારભ્રમણ મટે. આ ભાવના વિના બીજા કોઈ ઉપાયથી તારું ભીષણ ભવદુઃખ મટે તેમ નથી.
સંસારના દુઃખથી થાકીને–(.... ‘અભિલાષ જો દુઃખ મુક્તિની’)–તે દુઃખથી મુક્ત થવાનો અભિલાષી જીવ
જ્યારે મુનિપણું લેવાને માટે તૈયાર થાય છે ત્યારે પોતાના કુટુંબીજનોની વિદાય લેતાં કહે છે કેઃ હે માતા! તું હવે
અમારી છેલ્લી માતા છો....હવે અમે બીજી માતા ધારણ કરવાના નથી.....હવે અમે ફરીને આ સંસારમાં અવતરવાના
નથી...હે માતા! મને રજા આપ. હે જનેતા! તું આ શરીરની જનેતા છો....મારા આત્માની જનેતા તું નથી–એમ
જાણીને તું મોહને છોડ, ને મને રજા આપ. હું હવે મારા આનંદના જન્મદાતા એવા મારા આત્મા પાસે જાઉં છું. એ
પ્રમાણે, દીક્ષા વખતે રજા માંગવા જાય ત્યારે મહા વૈરાગ્યથી બધાને સમજાવે છે. મરણ ટાણે તો દેહાદિને છોડીને જીવ
ચાલ્યો જાય છે, પણ આ તો જીવતાં બધેયથી મમતા તોડીને ચૈતન્યની ભાવનામાં જાય છે. અરે! ચૈતન્ય ભગવાનની
પ્રીતિ છોડીને આ અનિત્ય શરીર અને સંયોગોની પ્રીતિથી અનંતકાળ ચાર ગતિનાં દુઃખો ભોગવ્યાં હવે એનાથી બસ
થાઓ.....હવે આ અનિત્ય શરીરાદિની પ્રીતિ તોડીને, અમારા નિત્ય ટકતા એવા ચૈતન્યની પ્રીતિ કરી છે.–આ પ્રમાણે
હે જીવ! એકવાર તો ભેદજ્ઞાન કરીને તું જિનભાવના ભાવ. તે ભાવનાથી તારા ભવ–દુઃખનો અંત આવશે ને તને
મોક્ષસુખની પ્રાપ્તિ થશે.
જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે. જેને આત્માના આનંદની ખરેખરી રુચિ જાગે તે
વારંવાર આત્માની ભાવના ભાવે....ને આત્માનો આનંદ પ્રાપ્ત કર્યે જ છૂટકો. જેને જેની ઓળખાણ કે રુચિ જ ન
હોય તે તેની ભાવના કયાંથી ભાવે? હે ભાઈ! જો તારે ખરેખર આનંદ જોઈતો હોય...ને આ આ સંસારના ઘોર
દુઃખોથી છૂટવું હોય તો, આચાર્યદેવ કહે છે કે, તું જિનભાવના ભાવ. ભગવાન જેવો જ તારો આત્મા જ્ઞાન ને
આનંદશક્તિનો નિધિ છે, અંતરની દ્રષ્ટિ વડે તેને ખોલીને તેમાંથી જ્ઞાન ને આનંદ જેટલા કાઢ તેટલા નીકળે તેમ છે,
માટે તેને ઓળખીને તેની ભાવના ભાવ. બીજી બધી ભાવના છોડ ને એક શુદ્ધ આત્માની જ ભાવના ભાવ.
આત્માની ભાવના વિના અનાદિકાળથી સંસારમાં ચાર ગતિના દુઃખ તું પામ્યો, માટે હે જીવ! હવે તું
જિનેશ્વરદેવનું શરણ લે, અને જિનેશ્વરદેવે કહેલા શુદ્ધ સ્વરૂપનો વારંવાર ભાવનારૂપ અભ્યાસ કર, જેથી સંસારના
ભ્રમણથી રહિત એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય.–એવો ઉપદેશ છે. આ સિવાય બીજું કોઈ તેને શરણરૂપ નથી. કહ્યું છે કે–
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ્ય! આરાધ્ય! પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.’
–શ્રીમદ્ રાજચંદ્ર
પ્રભુ! તારા આનંદ ખજાના અંદર તારામાં જ ભર્યા છે, તેને અંતર્દષ્ટિથી શોધ. ભાઈ, તારા શુદ્ધ સ્વરૂપનું
વારંવાર શ્રવણ મનન અભ્યાસ અને ભાવના કરીને તે તરફ ઝૂકી જા. અનાદિથી તારા જ્ઞાનનો ઝૂકાવ તેં બહારમાં
કર્યો તેથી તું દુઃખી થયો.....હવે તારા પરમ શુદ્ધસ્વરૂપને લક્ષમાં લઈને તેમાં તારા જ્ઞાનને ઝૂકાવ તો તને પરમ
આનંદનો અનુભવ થાય. જિનેશ્વરદેવે તારું જે વાસ્તવિક સ્વરૂપ કહ્યું છે તેનું તું શરણ લે, સ્વભાવની ભાવના ભાવ,
વારંવાર ફરીફરીને તેનો પરિચય અને અભ્યાસ કર,–જેથી તારું સંસારભ્રમણ ટળીને તને મોક્ષની પ્રાપ્તિ થાય. આવો
સંતોનો ઉપદેશ છે.
હે જીવ! તું જિનભાવના ભાવ. જિનભગવાનના આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું જ શુદ્ધ મારું સ્વરૂપ છે
ને એ સિવાય બીજું કાંઈ મારું સ્વરૂપ નથી–એવી ભાવના ભાવ. આને જિનભાવના કહો કે શુદ્ધ આત્માની ભાવના
કહો, આ ભાવના ભવનાશિની છે; આ ભાવના ભાવવાથી ભવનો અભાવ થાય છે ને પરમ આનંદસ્વરૂપ
ઃ ૩૨ઃ
આત્મધર્મઃ ૧૪૬

PDF/HTML Page 16 of 17
single page version

background image
મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. માટે આ ભાવના ભાવવાનો ઉપદેશ છે.
અરે જીવ! તારો આત્મસ્વભાવ આનંદથી ભરેલો છે, પણ તેની ભાવના છોડીને તેં ચાર ગતિના ભીષણ
દુઃખો અત્યાર સુધી ભોગવ્યા....હવે તો તારા આનંદસ્વભાવને યાદ કર બહારના ભાવો ફરીફરીને અનંતકાળ દુઃખ
ભોગવ્યું, હવે તો તેનાથી પાછો વળ. બહારના ભાવો ભૂલી જા.....ને અંતરના સ્વભાવને યાદ કર. તું ગમે તે
સંયોગમાં હો.....ગમે તે દેશે જા...કે ગમે તે કાળમાં હો....પણ તારા શુદ્ધ આત્માની ભાવના વિના તને ક્યાંય સુખ
થાય તેમ નથી. તારા આત્માના શુદ્ધ ભાવ (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) તે જ તને સુખના દાતાર છે, બીજું કોઈ
તને સુખનું દાતાર નથી.
અરે, આત્માની અભાન દશામાં ચાર ગતિમાં તેં કેવા કેવા દુઃખો સહન કર્યાં–એને તો યાદ કર! અરે બાપુ!
ચૈતન્યની ભાવના વગર તેં એવા તો અનંતઅનંત દુઃખ ભોગવ્યાં કે તે વચનથી કહી શકાય તેવાં નથી...બસ! એ તો
તેં ભોગવ્યાં...ને કેવળજ્ઞાની ભગવાને જાણ્યા. તેં બહુ દુઃખ ભોગવ્યા...ભાઈ! હવે બસ થઈ. આત્માની ભાવના ન
ભાવી તેથી જ તેં આવા દુઃખો ભોગવ્યા....માટે હવે તો આત્માની ભાવના ભાવ....આત્માના સ્વભાવમાં આનંદ છે
તેની ભાવના ભાવ...જેથી ફરીને સ્વપ્નેય આવા દુઃખ ન થાય..ને પરમ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.–આમ કરુણાપૂર્વક
સંતોનો ઉપદેશ છે.
ઘોર સંસારદુઃખોથી છોડાવનાર સંતોને નમસ્કાર
શ્રી ભાવપ્રાભૃત ગા. ૭–૮ ઉપરના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૮૧ ભાદરવા વદ અમાસ.
* સુવર્ણપુરે મંગલ વધામણાં *
શ્રી જિનમંદિર –શિલાન્યાસ
શ્રી જિનેન્દ્રદેવના પરમ ભક્ત પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પુનિત પ્રભાવથી સનાતન સત્યશ્રી દિગંબર જૈન
ધર્મની દિનપ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. ગુરુદેવની વીતરાગ તત્ત્વબોધક દિવ્ય વાણીથી પ્રભાવિત થયેલા,
ભારતવર્ષમાંથી અનેક મુમુક્ષુઓએ સત્સમાગમ માટે અહીં સોનગઢમાં વસવાટ કર્યો છે; અને દિવસે દિવસે
સત્સમાગમાર્થે મુમુક્ષુઓની સંખ્યા વધતી જાય છે...અહીંનું જિનમંદિર નિત્યનૈમિત્તિક પૂજન–ભક્તિ વગેરે કાર્યો માટે
નાનું પડે છે.....મુમુક્ષુઓને ઘણા વખતથી ભાવના હતી કે–આપણું જિનમંદિર મોટું બનાવીએ, તેથી અહીંના
જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરી, તેનું વિશાળકાય, ઉન્નત શિખરબદ્ધ નવનિર્માણ કરવાનું નક્કી થયું છે.....
શ્રી જિનમંદિરના નવનિર્માણનો શિલાન્યાસવિધિ કારતક વદ પ, રવિવારે, ભક્તોનાં મંગલ ગીતો અને
ગગનગુંજી જિનેન્દ્રદેવના જયનાદો વચ્ચે ઘણા જ આનંદોલ્લાસપૂર્વક સંપન્ન થયો. શિલાન્યાસના વિધિ પ્રસંગે મુમુક્ષુ
સંઘનો આનંદ અનેરો હતો. જિનમંદિરની બહાર શિલાન્યાસ કરવાના સ્થળે, શ્રી જિનેન્દ્રદેવ તથા શ્રી વિનાયકયંત્ર
બિરાજમાન કરવામાં આવ્યાં હતાં. પ્રથમ ભગવાનનો અભિષેક પૂજા કરી, શિલાન્યાસવિધિ શાસ્ત્રોક્ત વિધિથી,
મુમુક્ષુઓના ગગનભેદી હર્ષનાદો વચ્ચે, પરમ કૃપાળુ ગુરુદેવશ્રીની સમક્ષ કરવામાં આવ્યો હતો. મુહૂર્તના વિધિ પ્રસંગે
પાયામાં મૂકવામાં આવતા તામ્ર કળશ અને પ્રશસ્તિલેખવાળા તામ્રપત્ર ઉપર પૂ. ગુરુદેવશ્રીના મહામંગળ હસ્તે શ્રી
સ્વસ્તિકવિધાન થયું હતું. પૂ. ગુરુદેવશ્રી ના હસ્તકે સ્વસ્તિકવિધાન થતું હતું તે મંગલ પ્રસંગનું દ્રશ્ય ઘણું જ ભાવભીનું
હતું, તે દ્રશ્ય જોઈ મુમુક્ષુ હૃદયો આનંદથી નાચી ઊઠયાં હતા અને જયકારના નાદોથી ગગનને ગુંજાવી દીધું હતું....
શિલાન્યાસનો મંગલ વિધિ મુમુક્ષુ સંઘની વિનંતીથી પરમ પૂજ્ય ભગવતી બેનશ્રીબેનજી ના મંગલ હસ્તે
તથા જસાણી શ્રી આણંદજીભાઈ, તેમના ધર્મપત્ની જયાલક્ષ્મીબેન અને વસંતભાઈના હાથે થયો હતો.....
ત્રિકાળ જયવંત વર્તો....પરમોપકારી ગુરુદેવશ્રીનો બાહ્યાંતર વૈભવ કે જેની સત્કૃપાથી આપણને શ્રી
જિનેન્દ્રદેવ, જિનાલય અને આત્મદેવ મળ્‌યાં !
જય હો વિજય હો શ્રી સીમંધર ભગવાનનો !
જય હો વિજય હો શ્રી સીમંધર જિનાલયનો !
જય હો વિજય હો શ્રી શાસનસ્તંભ ભગવાન
શ્રી કુંદકુંદાચાર્યદેવનો !
જય હો વિજય હો સદ્ધર્મપ્રભાવક શ્રી કહાન ગુરુદેવનો !

PDF/HTML Page 17 of 17
single page version

background image
એક...દો...તીન...
(૧) સ્વભાવ સુખરૂપ છે. –આ ત્રણેને યથાર્થ જાણે તો સ્વભાવના
(૨) વિભાવ દુઃખરૂપ છે.
આશ્રયે સુખ પ્રગટે ને દુઃખ ટળે.
(૩) સંયોગ જ્ઞેયરૂપ છે.
*
(૧) સ્વભાવનું સામર્થ્ય છે. –આ ત્રણેને યથાર્થ જાણે તો સ્વભાવના
(૨) વિભાવનું વિપરીતપણું છે.
સામર્થ્યના આશ્રયથી પર્યાયમાં નિર્મળતારૂપ
(૩) સંયોગનું પૃથકપણું છે. સામર્થ્ય પ્રગટે, ને વિભાવ ટળે.
*
(૧) સ્વભાવ ઉપાદેય છે. –આમ ઉપાદેય, હેય, ને જ્ઞેય એ ત્રણેને
(૨) વિભાવ હેય છે.
જાણીને ઉપાદેયરૂપ સ્વભાવનો આદર કરતાં
(૩) સંયોગ જ્ઞેય છે. નિર્મળતા પ્રગટી જાય છે, હેયરૂપ વિભાવો
છૂટી જાય છે, ને જ્ઞાનસામર્થ્યમાં બધું જ્ઞેય થઈ
જાય છે.
*
(૧) સ્વભાવ શાશ્વત છે. –આમ જાણે તો, સંયોગનું લક્ષ છોડીને,
(૨) વિભાવ ક્ષણિક છે.
શાશ્વત સ્વભાવના લક્ષે પર્યાયનો ક્ષણિક વિકાર
(૩) સંયોગ પોતામાં અભાવરૂપ છે. ટળે, ને શુદ્ધતા પ્રગટે.
*
(૧) જ્ઞાયકસ્વભાવ, કદી મટે નહિ આમ જાણે તો, નિત્ય ટકતા એવા જ્ઞાયક
(૨) રાગ, સદા રહે નહીં. સ્વભાવનું અવલંબન કરે ને રાગ ટળીને અસંયોગી
(૩) પર ચીજ, સાથે આવે નહીં. સિદ્ધપદ પ્રગટે.
(જુદી જુદી ચર્ચાઓ ઉપરથી)
મુદ્રકઃ– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)