Atmadharma magazine - Ank 151
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૫૧
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ તેરમું : સમ્પાદક: વૈશાખ
અંક સાતમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
અનાથના નાથનો અવતાર
અહા! ધન્ય તે વૈશાખ સુદ બીજ... અને ધન્ય તે ઉમરાળા
નગરી... કે જ્યાં માતા ઉજમબાએ કહાનકુંવર જેવા ધર્મરત્નને
જન્મ આપીને ભારતના અનાથ આત્માર્થીઓને સનાથ કર્યા... એ
મંગલ જન્મની આજે ૬૭ મી વધાઈ છે!
આખું ભારત જાણે કે ભૂલું પડી ગયું હતું... ને... સંતની
છાયા વિના અનાથ બની ગયું હતું... એવા સમયે ભૂલા પડેલા
આત્માર્થી જીવોનો ઉદ્વાર કરવા પૂ. ગુરુદેવનો અવતાર થયો... શ્રી
તીર્થંકર ભગવંતોના અપ્રતિહતમુક્તિમાર્ગમાં સ્વયં નિઃશંકપણે
વિચરતા થકા પૂ. ગુરુદેવ આત્માર્થી જીવોને પણ એ માર્ગે દોરી
રહ્યા છે કે હે મોક્ષાર્થી જીવો! તીર્થંકર ભગવંતો જે માર્ગે મુક્ત થયા
તે માર્ગ આ જ છે... આ સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ છે જ
નહિ. તમે નિઃશંકપણે આ માર્ગે ચાલ્યા આવો.
જેમનો જન્મ ભવ્યજનોને આનંદકારી છે એવા પૂ. ગુરુદેવ
જયવંત વર્તો!
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
લીંબડી શહેરમાં શ્રી દિ. જિન
મંદિરનું શિલાન્યાસ મુહૂર્ત
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના પ્રતાપે સૌરાષ્ટ્રમાં
સત્દેવગુરુધર્મની પ્રભાવના દિનપ્રતિદિન ખૂબ
વધતી જાય છે, ને નિતનિત્ મંગલ પ્રસંગ બનતા
જાય છે. લીંબડીના મનસુખલાલભાઈ, ફુલચંદભાઈ
વગેરે ભક્તજનોને પોતાના ગામમાં વીતરાગી
જિનમંદિરની ભાવના થતાં, ચૈત્ર વદ પાંચમના
રોજ ત્યાં દિ. જિનમંદિરના શિલાન્યાસનો ઉત્સવ
થયો હતો. અને બહારગામથી લગભગ ત્રણસો
ભક્તજનોએ આવીને આ પ્રસંગને શોભાવ્યો હતો.
સવારમાં ધામધૂમથી શ્રી જિનેન્દ્રદેવની
રથયાત્રા નીકળી હતી; ત્યારબાદ પૂજનાદિ
વિધિપૂર્વક, મુમુક્ષુઓના ઘણા ઉલ્લાસ વચ્ચે
રાજકોટના શેઠશ્રી મોહનલાલ કાળીદાસના સુહસ્તે
જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું. આવું મંગલકાર્ય
કરવાનું સૌભાગ્ય પોતાને મળ્‌યું તે બદલ શેઠ શ્રી
મોહનલાલભાઈએ ઘણો હર્ષ વ્યક્ત કર્યો હતો અને
પોતાના તરફથી રૂા. ૫૦૦૧) લીંબડી–જિનમંદિરને
અર્પણ કર્યા હતા. આ ઉપરાંત બીજા ભક્તજનોએ
પણ રકમો જાહેર કરી હતી. એકંદર લગભગ રૂા.
૧૭૦૦૦) સત્તર હજાર ઉપરાંત થયા હતા. આવો
સુઅવસર પ્રાપ્ત કરવા માટે ત્યાંના મુમુક્ષુઓને
ધન્યવાદ!

PDF/HTML Page 4 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૧૭ :
પૂ. ગુરુદેવના શ્રીમુખથી ખરેલા
૬૭
પુષ્પોની મંગળમાળા
પ્રભુતાના પંથે પડેલા સંતો આત્મામાં પ્રભુતા સ્થાપે છે
૧ અહો સિદ્ધભગવંતો! સાધકપણાના મહોત્સવમાં મારા હૃદયે પધારો.
૨ હે ભગવંતો! મારા જ્ઞાનમાંથી રાગાદિને કાઢી નાંખીને હું આપને સ્થાપું છું.
૩ જેણે પોતાના આત્મામાં સિદ્ધને સ્થાપ્યા તેનું પરિણમન સિદ્ધદશા તરફ વળ્‌યું.
૪ સમયસારની શરૂઆતથી પદે–પદે આત્મામાં સિદ્ધોની સ્થાપના થતી જાય છે ને વિકાર ટળતો જાય છે.
૫ ‘અમે પ્રભુતાના પંથે પડેલા સંતો, તારી (–શ્રોતાની) પર્યાયમાં પણ પ્રભુતા સ્થાપીએ છીએ.’
૬ આત્મામાં સિદ્ધભગવાન જેવી તાકાત છે તે દેખીને તેનામાં સિદ્ધપણું સ્થાપીએ છીએ.
૭ જેણે આત્માના ઉલ્લાસથી સિદ્ધપણાની હા પાડી તે પણ સિદ્ધોની જાતમાં ભળી જશે.
૮ હે ભવ્ય! આવા આત્માનું લક્ષ બાંધ તો સહેજે સમ્યગ્દર્શન થયા વિના રહેશે નહિ.
૯ શ્રોતા કેવા છે? –કે પોતાના સ્વભાવની વાત અપૂર્વ ઉલ્લાસપૂર્વક સાંભળે છે.
૧૦ જેવા ભાવે વક્તા કહે છે તેવા જ ભાવે શ્રોતા સાંભળે છે, એ રીતે વક્તા–શ્રોતાની સંધિ છે.
૧૧ શ્રોતાને એક આત્માર્થ સાધવાનું જ કામ છે, બીજો કોઈ રોગ તેના મનમાં નથી.
૧૨ વળી તે ઉલ્લાસિત વીર્યવાન છે, –હા પાડીને હોંસથી સાંભળે છે.
૧૩ સિદ્ધને પહેલાંં નહોતો ઓળખતો ને હવે ઓળખ્યા, તેથી તે તરફનો ઉલ્લાસ ઊછળે છે.
૧૪ સર્વજ્ઞને પહેલાંં નહોતા જાણ્યા, ને હવે જાણ્યા, તેથી વીર્યનો વેગ જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયો છે.
૧૫ સિદ્ધોની સંખ્યા સદાય વૃદ્ધિગત જ છે, જેણે સિદ્ધોને સ્વીકાર્યા તેની પર્યાય પણ સદા વૃદ્ધિગત જ છે.
૧૬ હે જીવ! આ વાતની હા પાડ! –હા જ પાડજે, ના પાડીશ નહીં.
૧૭ આત્માના સિદ્ધપણાની વાત સાંભળતાં જ શ્રોતા સ્વસન્મુખ લક્ષ ફેરવવા માંગે છે.
૧૮ ‘હું સિદ્ધ, તું પણ સિદ્ધ’ –એનો હકાર આવતાં જ લક્ષ પલટી જાય છે.
૧૯ અમે સ્વસન્મુખ લક્ષ ફેરવેલા, તને સ્વસન્મુખ લક્ષ ફેરવાવીએ છીએ.
૨૦ સિદ્ધ ભગવાનરૂપી દર્પણમાં જોતાં તેમાં પોતાના શુદ્ધઆત્માનું જ પ્રતિબિંબ દેખાય છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૧૮ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
૨૧ સિદ્ધનું બહુમાન કરનારને સંસારનું કે સંસારના કારણનું બહુમાન છૂટી ગયું છે.
૨૨ સિદ્ધનું બહુમાન કરનાર શુદ્ધઆત્માને જ આદરે છે–તે તરફ જ નમે છે.
૨૩ સિદ્ધનું બહુમાન કર્યું તેનું વલણ વિભાવથી છૂટીને સ્વભાવ તરફ વળ્‌યું.
૨૪ સિદ્ધદશાને સાધવા નીકળેલા સંતો પોતાના મોક્ષના માંડવે સિદ્ધભગવાનને ઊતારે છે.
૨૫ આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપ્યા, હવે અમારી સિદ્ધદશાને રોકવા કોઈ સમર્થ નથી.
૨૬ આત્મામાં જેણે સિદ્ધભગવાનની સ્થાપના કરી તેને સિદ્ધના સંદેશા આવી ગયા.
૨૭ આત્મામાં જેણે સિદ્ધભગવાનની સ્થાપના કરી તેને ભવની શંકા ટળી ગઈ.
૨૮ આત્મામાં જેણે સિદ્ધભગવાનની સ્થાપના કરી તેને અલ્પકાળમાં મોક્ષની નિઃસંદેહતા થઈ.
૨૯ ‘બહારના ભાવો અનંતકાળ કર્યા હવે અમારું પરિણમન અંદર ઢળ્‌યું છે.’
૩૦ ‘અપ્રતિહતભાવે અંર્તસ્વરૂપમાં ઢળ્‌યા તે ઢળ્‌યા, હવે સિદ્ધપદ લીધે જ છૂટકો.’
૩૧ જુઓ, આ મોક્ષના મહોત્સવ ઊજવાય છે; સાધકના આંગણે મોક્ષના માંડવા નંખાય છે.
૩૨ મોક્ષલક્ષ્મીને વરવા જતાં સાધક, પોતાના હૃદયમાં સિદ્ધભગવાનને સાથે રાખે છે.
૩૩ જુઓ, આ સમ્યગ્દર્શન! અહો! સમ્યગ્દર્શન તો જગતમાં અપૂર્વ અચિંત્ય મહિમાવંત ચીજ છે.
૩૪ સમ્યગ્દર્શન થતાં જ આખું પરિણમન ફરી જાય છે, આત્માની દશા જ બદલી જાય છે.
૩૫ સમ્યગ્દશનને, સિદ્ધસમાન પોતાના શુદ્ધઆત્મા સિવાય બીજા કોઈનું અવલંબન છે જ નહીં.
૩૬ આત્મા સમજવા માટે જેને ખરેખરી તાલાવેલી જાગે તેને અંતરમાં માર્ગ મળે જ.
૩૭ ‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એવો વિશ્વાસ આવ્યા વિના સાધકદશા શરૂ થાય નહિ.
૩૮ સમકિતી જીવે સિદ્ધભગવાનના આનંદનો નમુનો પોતાના આત્મામાં ચાખી લીધો છે.
૩૯ સિદ્ધભગવંતોને વંદન કરનાર જીવ વિભાવથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ જાય છે.
૪૦ ‘એકવાર વંદે જો કોઈ, તેને ચતુર્ગતિ ભ્રમણ ન હોઈ’ –કોને વંદે? કે સિદ્ધભગવાનને!
૪૧ પર્યાય અંતર્મુખ થઈને શુદ્ધસ્વભાવ સાથે જેટલી એકતા થઈ તેટલા સિદ્ધને ભાવનમસ્કાર છે.
૪૨ શુદ્ધાત્માના લક્ષે સિદ્ધભગવાનના બહુમાનનો વિકલ્પ તે દ્રવ્યનમસ્કાર છે.
૪૩ સિદ્ધને નમસ્કાર કરનાર જીવ સાધક તો છે ને અલ્પકાળે સિદ્ધ થઈ જશે.
૪૪ સાધકનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે છે કે અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્‌યા છીએ.
૪૫ સાધકના હૃદય અંતરમાં ઊંડા છે, તે બહારથી કલ્પી શકાય એવા નથી.
૪૬ ભવભ્રમણથી થાકેલા જીવોને શ્રીગુરુ કહે છે કે દેખો રે દેખો! અંતરમાં ચૈતન્યનિધાનને દેખો.
૪૭ હે જીવ! તને ચૈતન્યના એવા નિધાન બતાવું કે તારા આનંદને માટે બીજી કોઈ ચીજની જરૂર ન પડે.
૪૮ તારા ચૈતન્યનો મહિમા દેખતાં જ તને આનંદ થશે ને પરનો મહિમા છૂટી જશે.
૪૯ ભવના દુઃખથી જે ખરેખર ડરતો હોય તે તેના વેદનથી પાછો વળીને ચૈતન્યના આનંદનું વેદન કરે.
૫૦ અંર્તદ્રષ્ટિથી ચૈતન્યનિધાનને દેખતાં જ જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈને મોક્ષમાર્ગે વિચરવા માંડે છે.
૫૧ બાહ્યદ્રષ્ટિથી અંધ થયેલા અજ્ઞાની જીવો પોતાના ચૈતન્યનિધાનને દેખતા નથી.
૫૨ અંતર્દ્રષ્ટિના અંજન આંજીને શ્રીગુરુ તેને તેના નિધાન બતાવે છે.
૫૩ હે જીવ! અંતર્દ્રષ્ટિથી જો તો સિદ્ધભગવાન જેવા નિધાન તને તારામાં દેખાશે.
૫૪ ધર્મી જીવ પોતાના આત્મવૈભવને જાણે છે કે અહો! સર્વજ્ઞતાનો વૈભવ મારામાં ભર્યો છે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૧૯ :
૫૫ પોતાના સ્વભાવસામર્થ્યની પ્રતીત જીવને બહારમાં ઊછાળા મારતો અટકાવી દે છે.
૫૬ સમ્યગ્દ્રષ્ટિજીવનું પરિણમન અંતર્મુખ વળી ગયું છે ને તે સર્વજ્ઞનો નંદન થયો છે.
૫૭ સમકિતીને શુદ્ધસ્વભાવ તરફ જ પ્રેમ અને ઉત્સાહ છે, બર્હિભાવો તરફ પ્રેમ કે ઉત્સાહ નથી.
૫૮ સિદ્ધભગવંતોને આત્મામાં સ્થાપીને આચાર્યદેવે અપૂર્વ અપ્રતિહત મંગળ કર્યું છે.
૫૯ સાધ્યરૂપ પોતાનો શુદ્ધઆત્મા તે નમસ્કારને યોગ્ય છે અને સાધકદશા તે નમસ્કાર કરનાર છે.
૬૦ સમ્યગ્દર્શનની શરૂઆતથી કેવળજ્ઞાન થતાં સુધી સાધકજીવ શુદ્ધઆત્મામાં જ નમ્યા કરે છે.
૬૧ “સંસાર તરફના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ ને શુદ્ધાત્મામાં સમાઈ જવા માંગીએ છીએ.”
૬૨ ‘અમારા ચિદાનંદ ધુ્રવસ્વભાવ સિવાય બહારનો સંયોગ હવે સ્વપ્ને પણ જોઈતો નથી. ’
૬૩ ‘ચૈતન્યસ્વરૂપમાં ઢળેલું જે અમારું પરિણમન તેનું ફળ પણ અંતરમાં જ સમાય છે. ’
૬૪ હે જીવ! અંતરમાં સ્વભાવ ભર્યો છે તેના ઉપર જોર કર, ને બાહ્યવલણને છોડ.
૬૫ તારા ચૈતન્યના આનંદનું વેદન કરવામાં રાગાદિના વેદનનો આધાર નથી.
૬૬ અરે જીવ! આત્મામાં જ રહેલી પરમાત્મશક્તિની પ્રતીત કરીને તારા આત્મિકશૌર્યને ઊછાળ.
૬૭ આત્માના પરમ પારિણામિકસ્વભાવનો મહિમા કરવો તે આત્માનું મંગલ બેસતું વર્ષ છે.
પૂ. ગુરુદેવના શ્રીમુખેથી નીકળેલા આ ૬૭ પુષ્પોની માળા ભવ્યજીવોને કલ્યાણકારી
હો. આત્માર્થી જીવોના આત્મિકશૌર્યને ઊછાળનાર શ્રી સદ્ગુરુદેવ જયવંત વર્તો!
તું આનંદિત થા!
જ્ઞાનની જેમ આનંદ પણ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવના અનુભવથી
સમકિતી ધર્માત્માને પોતાના આત્મિક આનંદનું વેદન થયું છે.
અહો! સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પોતાના આત્મા સિવાય ક્યાંય સુખ દેખતા નથી, તે
સુખને પોતાના આત્મામા જ દેખે છે. આથી કદી પણ તેને આત્માનો મહિમા છૂટીને
પરનો મહિમા આવી જતો નથી.
હે વત્સ! તારો આનંદ તારામાં જ શોધ! તારો આનંદ તારામાં છે, તે બહાર
શોધવાથી નહિ મળે, તારું આખું દ્રવ્ય જ સર્વ પ્રદેશે આનંદથી ભરેલું છે, તેને દેખ, –તો
તને તારા આનંદનો અપૂર્વ અનુભવ થાય. પોતાનો આનંદ પોતામાં જ છે. –એમ જાણીને
હે જીવ! તું આનંદિત થા... આત્મા પ્રત્યે ઉલ્લસિત થા.
પૂ. ગુરુદેવ

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૨૦ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
શ્રી સદ્ગુરુદેવની સ્તુતિ
“આનંદી આતમરામ છે આ પ્રભાવશાળી આતમા”

એક અદ્ભુત વાણીયો ... વીરનો મારગ જાણીયો,
પાલેજથી તે ઓળખાયો ... અનેકના દિલને ભાયો,
મુમુક્ષુઓએ વખાણીયો ... એ પ્રભાવશાળી વાણીયો, સુવર્ણપુરીનો મહારાયો ... એ પ્રભાવશાળી વાણીયો,
× ×

ઉમરાળાનો રહેવાસ ... નામ પડ્યું ‘મિથુન’ રાશી,
શ્રી કાનજીસ્વામી નામ છે ... ભવ તરવાનું કામ છે,
શિવરમણીનો છે પ્યાસી... એ પ્રભાવશાળી સંત છે. આનંદી આતમરામ છે... એ પ્રભાવશાળી સંત છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૨૧ :
શ્રી ગુરુજી ઉપર પ્યાર છે ... સાચો તેનો આધાર છે, કુંદ–સીમંધર વારસ છે ... રત્નચિંતામણી પારસ છે,
તે નાવિક તારણહાર છે ... એ પ્રભાવશાળી વાણીયો. અંતર જેનું આરસ છે ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
સમયસારને છણનારો ... સર્વ દોષને હણનારો, અંતરમાં ઓળખાણ છે ... સર્વ શાસ્ત્રનો જાણ છે,
મુક્તિને તે વરનારો ... એ પ્રભાવશાળી સંત છે. વાણી અમીરસ ખાણ છે ... એ પ્રભાવશાળી વાણીયો.
× ×
અધ્યાત્મિક એ યોગી છે ... આતમરસનો ભોગી છે, અંતરમાં ઉજમાળ છે ... વ્યાખ્યાન અમૃતથાળ છે,
શુદ્ધસ્વરૂપ સંયોગી છે ... એ પ્રભાવશાળી સંત છે.
તે હૃદયનો વિશાળ છે ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
પૂરવ ભવમાં પામેલો ... તે પણ સાથે લાવેલો, આત્મમસ્તીમાં મસ્ત રહે ... સઘળાનું તે હિત ચહે,
તત્ત્વજ્ઞાનમાં રસઘેલો ... એ પ્રભાવશાળી વાણીયો. કર્મશત્રુને નિત્ય દહે ... એ પ્રભાવશાળી વાણીયો.
× ×
અંતર – આતમ ઓપતો. સર્વાંગે તે શોભતો,
મુક્તિ – મંડપ રોપતો. એ પ્રભાવશાળી સંત છે.
મિથ્યાત્વનો વિરોધક છે ... સત્ય તણો એ સ્થાપક છે, અંર્તશોધ કરાવે છે ... ભક્તજનોને ભાવે છે,
પરમ શ્રુતનો બોધક છે ... એ પ્રભાવશાળી વાણીયો. આતમજ્ઞાને સોહે છે ... એ પ્રભાવશાળી વાણીયો.
× ×
અપૂર્વ શાંતિ વેદક છે ... તમામ ગ્રંથી ભેદક છે, અજબ ગજબની વ્યક્તિ છે ... અનોખી એની શક્તિ છે,
ચતુર ને વળી ચેતક છે ... એ પ્રભાવશાળી સંત છે. નિષ્કામ પ્રભુની ભક્તિ છે ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
મહા પ્રતાપી પુરુષ છે ... ભેદજ્ઞાનનો સ્ફૂરક છે, ભાવિકને સંભાળે છે ... આતમ લક્ષે વાળે છે,
જાણે ઊગતો સૂરજ છે ... એ પ્રભાવશાળી વાણીયો. સંશય સૌના ટાળે છે ... એ પ્રભાવશાળી વાણીયો.
× ×
અજબ એની સ્મૃતિ છે ... ગજબ તેની સ્ફૂર્તિ છે, આત્મજ્ઞાનનો રસિયો છે ... અમ અંતરમાં વસીયો છે,
કેવળ કરુણામૂર્તિ છે ... એ પ્રભાવશાળી સંત છે. સંસારથી દૂર ખસીયો છે ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
એને આતમજ્યોતિ જાગી છે...પ્રભુમય લગની લાગી છે, સત્ય સ્વરૂપમાં રહી રહ્યો ... આત્મ ઓળખવા કહી રહ્યો,
ભ્રમણા સૌની ભાંગી છે ... એ પ્રભાવશાળી વાણીયો. સમયે સમયે બોધી રહ્યો ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
શ્રીમંત–ધીમંત આવે છે ... ચરણોમાં શીર ઝૂકાવે છે, કર્મ શત્રુને હણનારો ... સાચો અનુભવ કરનારો,
માનીનાં માન મુકાવે છે... એ પ્રભાવશાળી સંત છે.
બિરૂદ ધર્યું તારણહારો... એ પ્રભાવશાળી વાણીયો.
× ×

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૨૨ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
સુંવાળી એની કાયા છે ... શીતળ જેની છાયા છે, સુવર્ણપુરી મોઝાર છે ... પુણ્યશાળી પારાવાર છે,
તે ઉજમબાના જાયા છે ... એ પ્રભાવશાળી સંત છે. શ્રદ્ધાથી બેડો પાર છે ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
રોકાયો નહીં માયામાં ... જેને મોહ નથી આ કાયામાં, કરુણા અપરંપાર છે ... અનંત ગુણ ભંડાર છે,
રહેવું એની છાયામાં ... એ પ્રભાવશાળી વાણીયો.
તેને વંદન લાખો વાર છે ... એ પ્રભાવશાળી વાણીયો.
× ×
એને નહિ ઓળખે તે પસ્તાશે...ભવ રખડી ખત્તા ખાશે, સદ્ગુરુ નાવિક તું સાચો ... ઉતારુ પ્રભુ! હું તારો,
જાણનાર ફાવી જશે ... એ પ્રભાવશાળી સંત છે.
મનમંદિરમાં કર વાસો ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
તેને કદી ના વીસરીયે ... આજ્ઞા એની શીર ધરીએ, ગુરુદેવને પાયે લાગું છું ... અવિનયની માફી માંગું છું,
ભવસાગર સહેજે તરીયે ... એ પ્રભાવશાળી વાણીયો. સેવા ભક્તિ યાચું છું ... એ પ્રભાવશાળી સંત છે.
× ×
વિનવે પ્રભુને સર્વ સમાજ . રાખજો વહાલા સૌની લાજ,
અમર તપો તમે હે ગુરુરાજ! એ પ્રભાવશાળી આતમા.
[ભાવભીની ગ્રામ્યભાષામાં રચાએલી આ સ્તુતિ, ઉમરાળાના ભાઈશ્રી રતિલાલ નાગરદાસે
રચીને ગાઈ હતી; ત્યારબાદ ફરીને ફા. વદ ૧૧ ના રોજ વ્યાખાન બાદ પૂ. બેનશ્રીબેને વિશેષ
ભક્તિપૂર્વક આ સ્તુતિ ગવડાવી હતી, ગુરુદેવના જન્મોત્સવ–પ્રસંગે તે અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે.
]
સમ્યક્ત્વના મહિમાસૂચક પ્રશ્નોત્તર
પ્રશ્ન:– જીવને અહિતકારી કોણ છે?
ઉત્તર:– ત્રણકાળ ત્રણલોકમાં જીવને મિથ્યાત્વસમાન બીજું કોઈ અહિતકારી નથી. (–
રત્નકરંડશ્રાવકાચાર: ૩૪)
પ્રશ્ન:– જીવે શેની ભાવના પૂર્વે નથી ભાવી?
ઉત્તર:– જીવે પૂર્વે મિથ્યાત્વ–આદિક ભાવોની જ ભાવના ભાવી છે, પણ સમ્યક્ત્વ–આદિક ભાવોને પૂર્વે
કદી ભાવ્યા નથી. –––
મિથ્યાત્વઆદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે,
સમ્યક્ત્વઆદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
–નિયમસાર
પ્રશ્ન:– જ્ઞાન વગેરે સર્વે ગુણોની શોભા શેનાથી છે?
ઉત્તર:– જેવી રીતે નગરની શોભા દરવાજાથી છે, મુખની શોભા ચક્ષુથી છે અને વૃક્ષની સ્થિરતા મૂળથી
છે, તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ્દર્શનથી છે. (–ભગવતી આરાધના: ૭૪૦)

PDF/HTML Page 10 of 21
single page version

background image
સમવસરણમાં સર્વજ્ઞદેવે કહેલો.
ને
કુંદકુંદાચાર્યદેવે ઝીલેલો.
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૨૩ :
સર્વજ્ઞ થવાનો ઉપાય
સમવસરણ–પ્રતિષ્ઠાના વાર્ષિક મહોત્સવ પ્રસંગે શ્રી પ્રવચનસાર
ગા. ૪૧ ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન: વીર સં. ૨૪૮૧ વૈશાખ વદ ૬
(૧) સીમંધરપ્રભુનું સમવસરણ
આજે અહીં સમવસરણની સ્થાપનાનો દિવસ છે. આ તરફ (–પૂર્વ દિશા તરફ) મહા વિદેહક્ષેત્રમાં
શ્રી સીમંધર પરમાત્મા અત્યારે સાક્ષાત્ તીર્થંકરપણે બિરાજે છે; ત્યાં સમવસરણની દૈવી રચના છે ને
ઈન્દ્રો–ચક્રવર્તી વગેરે ભગવાનની સેવા કરવા આવે છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ ત્યાં દર્શન કરવા પધાર્યા હતા.
તે સીમંધર ભગવાનના સમવસરણની અહીં સ્થાપના થઈ તેનો આજે મંગલ દિવસ છે.
(૨) કુંદકુંદાચાર્યદેવ સીમંધર – પ્રભુના સમવસરણમાં
આ ભરતક્ષેત્રમાં કુંદકુંદાચાર્યદેવ થયા, તેઓ મહા અધ્યાત્મની મૂર્તિ હતા ને આત્માના આનંદમાં
ઝૂલતા હતા; તેમના વખતમાં આ ભરતક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર–ભગવાનનો વિરહ હતો. એકવાર
આચાર્યદેવને ભગવાનનો વિરહ ખટક્યો ને ધ્યાનમાં સીમંધરભગવાનના સમવસરણનું ચિંતવન કર્યું.
તેમને જમીનથી ચાર આંગળ ઊંચે ચાલવાની લબ્ધિ હતી. તેમની મહાન પાત્રતાના યોગે અને શાસનના
મહા ભાગ્યે તેમને મહાવિદેહમાં સાક્ષાત્ સીમંધર પરમાત્મા પાસે આવવાનો યોગ બન્યો. કુંદકુંદાચાર્યદેવે
આઠ દિવસ સુધી ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળ્‌યો તથા શ્રુત કેવળીઓનો પરિચય કર્યો ને પછી
ભરતક્ષેત્રે આવીને આ પ્રવચનસાર–સમયસાર વગેરે અલૌકિક શાસ્ત્રોની રચના કરી. સમવસરણમાં
સીમંધરભગવાને શું કહ્યું તે વાત આચાર્યદેવ આ પ્રવચનસારમાં કહે છે. અહો! કુંદકુંદાચાર્યદેવે આ
પંચમકાળમાં તીર્થંકર જેવું કામ કર્યું છે.
(૩) જ્ઞાન ખીલવાનો પ્રયોગ
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમ સ્વભાવ છે. તે જ્ઞાનનો અતીન્દ્રિયસ્વભાવ છે.
બહારના કોઈપણ સાધનનો પ્રયોગ કરતાં જ્ઞાન ખીલે એવો તેનો સ્વભાવ નથી, પણ અંતરના
જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાના પ્રયોગથી જ તે જ્ઞાન ખીલે છે. માટે હે જીવ! તું તારા જ્ઞાનસ્વભાવની
સન્મુખ થઈને તેનો નિર્ણય કર તો મોક્ષમાર્ગ થાય.
(૪) અતીન્દ્રિયજ્ઞાનમાં આનંદ છે
આત્માનો જ્ઞાનસ્વભાવ ઈન્દ્રિયોથી પાર છે,

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૨૪ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
આ ઈન્દ્રિયો તેનાથી જુદી છે. જ્ઞાનને અને ઈન્દ્રિયોને એકતા નથી. પોતાના સ્વભાવને અવલંબીને
અતીન્દ્રિયપણે વર્તે તે જ જ્ઞાન આત્માનો સ્વભાવ છે; ને તે આનંદના અનુભવ સહિત છે. ઈન્દ્રિયોને
અવલંબીને વર્તે તે જ્ઞાન તો પરાધીન અને આકુળતાવાળું હોવાથી હેય છે. ચિદાનંદ સ્વભાવ તરફ વળીને
સાધકનું જ્ઞાન અંતરમાં અભેદ થયું તે જ મુખ્ય છે, ને તેમાં ઈન્દ્રિયોનું કે રાગનું અવલંબન નથી, પણ
આનંદનો જ અનુભવ છે. વચ્ચે અધૂરા જ્ઞાનમાં ઈન્દ્રિયોનું અવલંબન તથા રાગ રહ્યા તે તો હેય છે, તે
કાંઈ આદરણીય નથી. આ રીતે સ્વભાવમાં જ્ઞાનની એકતા થાય ને ઈન્દ્રિયોનું અવલંબન તૂટે તે જ
ઉપાદેય છે, તેમાં આનંદનો અનુભવ છે.
(૫) સર્વજ્ઞનો નિર્ણય ત્યાં ભ્રાંતિનો અભાવ
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ને તે સ્વભાવનું પૂર્ણ સામર્થ્ય ખીલી જતાં સર્વજ્ઞતા પ્રગટે છે. આ
જગતમાં, આત્માના જ્ઞાનસ્વભાવના અવલંબને જ્ઞાનની દિવ્યશક્તિ પ્રગટ કરીને સર્વજ્ઞ થયેલા પરમાત્મા
આ છે, –આમ જેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરીને તેનું બહુમાન કર્યું તેને જ્ઞાનનું ને રાગનું
ભેદજ્ઞાન થયા વિના રહે નહીં, ને તેને ભ્રાંતિની ઉત્પત્તિ થાય જ નહીં. આ રીતે સર્વજ્ઞનો નિર્ણય કરતાં
ભ્રાંતિનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે.
(૬) સર્વજ્ઞનો નિર્ણય અતીન્દ્રિય – જ્ઞાન વડે થાય છે.
વર્તમાનમાં પોતાને અલ્પજ્ઞાન હોવા છતાં, તે જ્ઞાનમાં સર્વજ્ઞતાનો નિર્ણય કર્યો તે કોના જોરે કર્યો?
તે નિર્ણય ઈન્દ્રિયના કે રાગના જોરે નથી કર્યો, પણ સર્વજ્ઞનો નિર્ણય કરવા જતાં પોતાના જ્ઞાનસ્વભાવમાં
ઊતરીને જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યનો નિર્ણય કર્યો છે. આ રીતે જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યનો નિર્ણય પણ
અતીન્દ્રિયજ્ઞાન વડે જ થાય છે. આ રીતે સ્વભાવની સન્મુખતા વડે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં
સમ્યગ્દર્શન થાય છે ને મિથ્યાત્વની ઉત્પત્તિ થતી નથી; એટલે સર્વજ્ઞનો આ રીતે નિર્ણય કરનાર જીવ મોક્ષ
માર્ગે ચડી જાય છે, –સર્વજ્ઞતાનો સાધક થઈ જાય છે.
(૭) જ્ઞાનસ્વભાવના નિર્ણય વિના સર્વજ્ઞના માર્ગની શરૂઆત થાય નહિ.
જ્ઞાનસ્વભાવી આત્મામાંથી જ્ઞાનનું પૂરેપૂરું સર્વજ્ઞપણું પ્રગટ કરનારા અનંતા સિદ્ધ ભગવંતો આ
જગતમાં છે, લાખો કેવળી–અરિહંત ભગવંતો મનુષ્યલોકમાં બિરાજે છે, –આમ જ્યાં સર્વજ્ઞની સત્તાનો
નિર્ણય કરવા જાય ત્યાં પોતાના જ્ઞાન સ્વભાવની સન્મુખતા થયા વિના રહેતી નથી. જ્ઞાનસ્વભાવમાં ઊંડો
ઊતરીને જ સર્વજ્ઞનો નિર્ણય થાય છે. સર્વજ્ઞતા પોતાને પ્રગટયા પહેલાં પણ સ્વભાવમાં સર્વજ્ઞ થવાનું
સામર્થ્ય ભરેલું છે તેનો નિર્ણય આત્માના આધારે થઈ શકે છે; અને આવો નિઃશંક નિર્ણય થયા વગર
સર્વજ્ઞ થવાનો પુરુષાર્થ ઊપડી શકે જ નહિ. સ્વભાવ સામર્થ્યના નિર્ણયથી જ વાસ્તવિક માર્ગની શરૂઆત
થાય છે.
(૮) હે જીવ! તારા આત્મામાં એકવાર સર્વજ્ઞતાનો રંગ ચડાવ
જેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો, અને મારા આત્મામાં પણ સર્વજ્ઞ થવાની તાકાત છે–એમ

PDF/HTML Page 12 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૨૫ :
સ્વભાવસામર્થ્યનો નિર્ણય કર્યો. તેણે પોતાના આત્મામાં સર્વજ્ઞતાનું બીબું છાપ્યું. જેવું બીબું હોય
તેવી છાપ ઊઠે, તેમ સર્વજ્ઞનો નિર્ણય કરીને જેણે સર્વજ્ઞતાનું બીબું પોતાના આત્મામાં છાપ્યું તેને
આત્મામાં સર્વજ્ઞતાનો એવો રંગ ચડ્યો... કે... અલ્પકાળમાં તે પોતે સર્વજ્ઞ થઈ જાય છે. જુઓ, આ
રંગ!! એને આત્માનો રંગ લાગ્યો કહેવાય. અનાદિથી રાગથી ને ઈન્દ્રિયોથી જ્ઞાન થાય એમ માનીને
જ્ઞાનમાં રાગનો ને નિમિત્તનો રંગ ચડાવ્યો છે, તેને બદલે સર્વજ્ઞનો નિર્ણય કરે ને મારા જ્ઞાનમાં
સર્વજ્ઞ થવાનું સામર્થ્ય છે–એમ નક્કી કરીને જ્ઞાનમાં સર્વજ્ઞતાનો
રંગ ચડાવે તો પોતાના આત્મામાં
સર્વજ્ઞતાની છાપ પડી જાય, –પોતે સર્વજ્ઞ થઈ જાય. માટે હે જીવ! એકવાર તારા આત્મામાં સર્વજ્ઞતાનો
રંગ ચડાવ.
(૯) સર્વજ્ઞદેવે કહેલો સર્વજ્ઞ થવાનો ઉપાય
ભગવાને સમવસરણમાં દિવ્યધ્વનિથી એમ કહ્યું છે કે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને તેની
સન્મુખ એકાગ્ર થા તે સર્વજ્ઞ થવાનો ઉપાય છે. અમે આ જ ઉપાયથી મોહનો નાશ કરીને સર્વજ્ઞ થયા
છીએ ને તમારે માટે પણ એ જ ઉપાય છે. આવો ઉપાય ભગવાને જાતે કર્યો ને મુમુક્ષુઓને માટે આવો જ
ઉપાય ભગવાને ઉપદેશ્યો આ સિવાય બીજો ઉપાય છે જ નહીં.
(૧૦) આત્મામાં સર્વજ્ઞ ભગવાની પ્રતિષ્ઠા
અહો, કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ મહિમાવંત દશા!! એને સ્વીકારનાર જીવ પોતાના જ્ઞાનસ્વભાવની
સન્મુખ થયા વિના રહે નહિ. જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જેણે કેવળજ્ઞાનનો મહિમા કર્યો તેને અપૂર્વ
સમ્યગ્દર્શન થયું ... તેણે પોતાના આત્મામાં સર્વજ્ઞ ભગવાનની પ્રતિષ્ઠા કરી... કેવળી ભગવાન જેવો જ
આનંદનો અનુભવ તેને થયો... આવું ભાવશ્રુત પ્રગટ્યું તે કેવળજ્ઞાની ભગવાનની ભક્તિ છે ને તે જ
પરમાર્થે અપૂર્વ મહોત્સવ છે. ભાવશ્રુતના બળે જેણે પોતાના આત્મામાં સર્વજ્ઞભગવાનની પ્રતિષ્ઠા કરી તે
પોતે અલ્પકાળમાં સાક્ષાત્ સર્વજ્ઞ થઈ જાય છે.
જય હો સર્વજ્ઞદેવનો
પા લે જ માં પ્ર ભુ પ ધા ર્યા
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે અનેક સ્થળોએ જિનમંદિરો સ્થાપ્યા છે ને સ્થપાતા જાય છે. પૂ. ગુરુદેવ
અનેક વર્ષો પાલેજમાં રહેલા છે, તેથી ત્યાંના ભક્તજનો દિ. જિનમંદિર બંધાવી રહ્યા છે. આ જિનમંદિરમાં
બિરાજમાન કરવા માટે શ્રી અનંતનાથ ભગવાન, શ્રી અભિનંદન ભગવાન, શ્રી અમરનાથ ભગવાન, શ્રી
સીમંધર ભગવાન વગેરે જિનબિંબોની પંચકલ્યાણક પ્રતિષ્ઠા ચૈત્ર સુદ તેરસે મિશ્રોલી (–રાજસ્થાન) માં
કરાવવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત થયેલા જિનેન્દ્ર ભગવંતો ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ પાલેજમાં પધારતાં
ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું; પોતાના આંગણે ભગવંતો પધાર્યા તેથી ભક્તજનોને ઘણો હર્ષ
થયો હતો. આ સુઅવસર માટે ત્યાંના મુમુક્ષુઓને વધાઈ!

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨૬ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
અંક ૧૪૨ થી ચાલુ
[૧૯]
પરિણામશક્તિ
આત્માની શક્તિઓનું આ વર્ણન ચાલે છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં કેવી કેવી શક્તિઓ ઉલ્લસે છે તે
આચાર્યદેવે બતાવ્યું છે. આ શક્તિઓ દ્વારા અનંત શક્તિના પિંડરૂપ અનેકાન્તમૂર્તિ આત્માને ઓળખીને તેમાં
એકાગ્ર થતાં, શ્રદ્ધા–આનંદ વગેરેનું નિર્મળ પરિણમન થાય છે તેનું નામ ધર્મ છે.
શ્રદ્ધાનું મૂળ, જ્ઞાનનું મૂળ, આનંદનું મૂળ આત્મા છે; તે આત્મા કેવો છે તે જ્યાં સુધી યથાર્થરૂપે જાણવામાં
ને અનુભવવામાં ન આવે ત્યાં સુધી શ્રદ્ધા–જ્ઞાન–આનંદના અંકુરા ફૂટે નહિ. આનંદ કયા પદાર્થમાં ભર્યો છે કે
જેની સન્મુખ થતાં આનંદનું વેદન થાય? આત્મા શું વસ્તુ છે કે જેને લક્ષમાં લઈને ચિંતવતાં આનંદ થાય? તેનં
જ્યાં યથાર્થ શ્રવણ–ગ્રહણ–ધારણ ને નિર્ણય પણ ન હોય ત્યાં ચિંતન ક્યાંથી કરે? ને તેના આનંદનો અનુભવ
ક્યાંથી થાય? અહો! મહિમાવંત ભગવાન આત્મા અનંતધર્મથી પ્રસિદ્ધ છે–તેનો મહિમા પ્રસિદ્ધપણે સર્વે સંતો
અને શાસ્ત્રો ગાય છે, પણ તેની સન્મુખ થઈને પોતાની પર્યાયમાં જીવે કદી તેની પ્રસિદ્ધિ કરી નથી. ભગવાન
આત્માની પ્રસિદ્ધિ કેમ થાય એટલે કે પર્યાયમાં તેનો પ્રગટ અનુભવ કેમ થાય તે અહીં બતાવે છે.
સ્વસંવેદનજ્ઞાનરૂપ લક્ષણ વડે ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાનલક્ષણને અંતરમાં વાળીને
આત્માને લક્ષ્ય બનાવતાં ચૈતન્યમૂર્તિ આત્માનો અનુભવ થાય છે. તે અનુભવમાં એકલું જ્ઞાન જ નથી પરંતુ
જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા વગેરે અનંતશક્તિઓ પણ ભેગી જ ઊછળે છે. તેથી
આત્માના અનેકાન્ત સ્વરૂપ છે. તે અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની અનંતશક્તિઓમાંથી કેટલીક શક્તિઓ
અહીં આચાર્યદેવે વર્ણવી છે; તેમાં ‘જીવત્વ’ થી માંડીને ‘ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ’ સુધીની ૧૮ શક્તિઓ ઉપરના
વિસ્તાર પ્રવચનો થઈ ગયા છે. હવે ૧૯ મી પરિણામશક્તિ છે.
પરિણામશક્તિ કેવી છે? “દ્રવ્યના સ્વભાવભૂતધ્રૌવ્ય–વ્યય–ઉત્પાદથી આલિંગિત, સદ્રશ અને વિસદ્રશ
જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે.” આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં આ શક્તિ પણ
ભેગી જ પરિણમે છે.
પહેલાંં તો એમ કહ્યું કે ધ્રૌવ્ય, વ્યય, ને ઉત્પાદ એ ત્રણેય, દ્રવ્યના સ્વભાવભૂત છે, કોઈ બીજાને લીધે
નથી. જેમ ધુ્રવ ટકવાપણું પોતાના સ્વભાવથી જ છે, કોઈ બીજાને લીધે નથી, તેમ ક્ષણે ક્ષણે નવી પર્યાયનું
ઊપજવાપણું

PDF/HTML Page 14 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૨૭ :
પણ પરદ્રવ્યના પોતાના સ્વભાવથી જ છે, પરને લીધે નથી. પર નિમિત્તને લીધે આત્માના પરિણામ ઊપજવાનું
માને તો તેણે પરિણામશક્તિવાળા આત્માને જાણ્યો નથી. ઉત્પાદ–વ્યય–ધુ્રવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે; અને
દ્રવ્યનું અસ્તિત્વ એવા ઉત્પાદ–વ્યય–ધુ્રવથી આલિંગિત છે, એટલે કે ઉત્પાદ–વ્યય–ધુ્રવની ભિન્ન ભિન્ન ત્રણ સત્તા
નથી પરંતુ એક જ સત્તા એ ત્રણેથી એક સાથે સ્પર્શાયેલી છે; તે સત્તાનું અસ્તિત્વ ધુ્રવતા અપેક્ષાએ તો સદ્રશ છે
ને ઉત્પાદ–વ્યય અપેક્ષાએ વિસદ્રશ છે. –આવા અસ્તિત્વમાત્રમય પરિણામશક્તિ છે. ધુ્રવતા વગર પરિણામ શેમાં
થાય? અને ઉત્પાદ–વ્યય વગર પરિણામ કઈ રીતે થાય? ઉત્પાદ–વ્યય ને ધુ્રવતા વગર પરિણામ બની શકે નહિ,
માટે કહ્યું કે ધ્રૌવ્ય–વ્યય ઉત્પાદથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમય પરિણામશક્તિ છે.
‘उत्पादव्यय–
ध्रौव्ययुक्तं सत्’ અને ‘सत् लक्षण द्रव्यं’ એ બંને મહત્ત્વનાં સૂત્રો (તત્ત્વાર્થસૂત્રનાં) આમાં સમાઈ જાય છે.
અસ્તિત્વમાત્ર કહીને સત્પણું બતાવવું છે.
જો કે પરિણામશક્તિ તો આત્મા અને જડ બધાય દ્રવ્યોમાં છે, પરંતુ અત્યારે તો આત્માની વાત છે. દરેક
આત્મામાં પરિણામશક્તિ ત્રિકાળ છે. અજ્ઞાનદશા, સાધકદશા કે સિદ્ધદશા–તે દરેક વખતે પરિણામશક્તિનું
પરિણમન તો વર્તી જ રહ્યું છે. પણ, પરિણામશક્તિવાળા આત્માનું ભાન કરીને તેનો આશ્રય કરતાં
પરિણામશક્તિનું નિર્મળ પરિણમન થાય છે. આ રીતે શક્તિઓનું નિર્મળ પરિણમન થાય તે જ ધર્મ છે, તેમાં જ
આત્માની પ્રસિદ્ધિ છે.
જેમ ઘરમાં લાખ રૂપિયાની કિંમતનો એક દાગીનો પડ્યો હોય, પરંતુ જ્યાં સુધી તેની પ્રસિદ્ધિ નથી. –
એટલે કે તેની ખબર નથી ત્યાં સુધી તો, તે ઘરમાં હોવા છતાં ન હોવા સમાન જ છે. તેમ આ ભગવાન, આત્મા,
જ્ઞાન, આનંદ વગેરે અનંત શક્તિઓરૂપી દાગીનાથી ભરેલો છે, પરંતુ જ્યાં સુધી તેનું ભાન નથી ત્યાં સુધી તે
અપ્રસિદ્ધ છે, એટલે કે અજ્ઞાનીને તો આત્મા, વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવો છે, તેને તેની પ્રસિદ્ધિ નથી. અને
અંતર્મુખ થઈને આત્માના શ્રદ્ધા જ્ઞાન કરતાં તેની પ્રસિદ્ધિ થાય છે, અર્થાત્ આત્માની શક્તિઓ નિર્મળપણે
પરિણમીને તેનો પ્રગટ અનુભવ થાય છે. આવી આત્માની પ્રસિદ્ધિ થાય તેનું નામ ધર્મ છે.
અઢારમી ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વશક્તિના વર્ણનમાં ઘણા ખુલાસા આવી ગયા છે, તે મુજબ અહીં પણ
સમજવું. અઢારમી શક્તિમાં ક્રમપ્રવૃત્તિ અને અક્રમપ્રવૃત્તિ કહીને ઉત્પાદ–વ્યય–ધ્રુવ બતાવ્યા હતા; ને અહીં સદ્રશ
અને અને વિસદ્રશરૂપ અસ્તિત્વ કહીને પરિણામશક્તિ બતાવી છે. ધુ્રવ અપેક્ષાએ સદ્રશતા છે, ને ઉત્પાદ–વ્યય
અપેક્ષાએ વિસદ્રશતા છે. આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવ વિના પરિણામ બની શકે જ નહિ. એકલી ધુ્રવરૂપ નિત્યતા જ
હોય ને ઉત્પાદ–વ્યય ન હોય તો ક્ષણે ક્ષણે નવા પરિણામની ઉત્પત્તિ થઈ શકે નહિ; તેમ જ જો સર્વથા ક્ષણિકતા
જ હોય ને ધુ્રવતા ન હોય તો બીજી ક્ષણે વસ્તુનું સત્પણું જ ન રહે એટલે નવા પરિણામ પણ શેમાંથી થાય? આ
રીતે, અજ્ઞાન ટળીને જ્ઞાન, દુઃખ ટળીને આનંદ, સંસાર ટળીને મોક્ષ ઈત્યાદિ પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા વગર
થઈ શકતા નથી. માટે કહ્યું છે કે આ પરિણામશક્તિ ઉત્પાદ–વ્યય–ધુ્રવથી વણાયેલા અસ્તિત્વમય છે. આચાર્યદેવે
એકેક શક્તિમાં ગૂઢપણે વસ્તુસ્વરૂપ ગૂંથી દીધું છે. અનાદિના અજ્ઞાનમાંથી પલટો ખાઈને અંતર્મુખ થઈને કાયમી
જ્ઞાનસ્વભાવની સાથે એકતા કરીને અનુભવ કર્યો, ત્યાં જ્ઞાનનું નિર્મળ પરિણમન થયું, ને તે પરિણમનમાં આવા
ઉત્પાદ–વ્યય–ધુ્રવથી ગુંથાયેલું અસ્તિત્વ પણ ભેગુ જ છે, એટલે કે જ્ઞાનની સાથે પરિણમનશક્તિ પણ ભેગી જ
ઊછળે છે. માટે અનેકાન્ત અબાધિતપણે વર્તે છે.
ધુ્રવતા તેમ જ વ્યય અને ઉત્પાદ એ ત્રણે થઈને આત્માનું અસ્તિત્વ છે. એકલી પર્યાયને જ જુએ ન
ધુ્રવદ્રવ્યને પ્રતીતમાં ન લ્યે તો અસ્તિત્વની પ્રતીત થતી નથી. એટલે એકલી પર્યાયદ્રષ્ટિ વડે આત્માની શક્તિની
પ્રતીત થઈ શકતી નથી. એ ખાસ રહસ્ય છે.
વળી કહ્યું કે ઉત્પાદ–વ્યય–ધુ્રવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે, તે પોતાથી જ થાય છે, પર્યાયની ઉત્પત્તિ પરને
લઈને થાય અથવા નિમિત્ત આવે તેવી પર્યાય થાય–એમ જે માને છે તેણે ઉત્પાદને સ્વભાવભૂત ન માન્યો,
એટલે ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ અસ્તિત્વ સિદ્ધ ન થયું, ને એમ થતાં અનંત શક્તિવાળો આત્મા જ સિદ્ધ ન થયો. –
આ રીતે પરને લીધે પર્યાયની ઉત્પત્તિ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેની પર્યાયમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ
થતી નથી.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૨૮ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
જ્ઞાનસ્વરૂપ આત્મામાં સદ્રશપણું અને વિસદ્રશપણું બંને રહેલા છે. ગુણોની ધુ્રવતા અપેક્ષાએ સદ્રશતા છે
એટલે કે એકરૂપપણે રહે છે, –ગુણો તે ને તે જ રહે છે; ને અવસ્થાના ઉત્પાદ–વ્યયની અપેક્ષાએ વિસદ્રશતા છે.
એટલે કે બીજા–બીજાપણું છે. અવસ્થા એક વ્યય થાય છે ને બીજી ઉત્પન્ન થાય છે–એ રીતે તેમાં વિસદ્રશપણું છે,
ને ગુણમાં કાંઈ એક વ્યય થાય ને બીજો ઉત્પન્ન થાય–એમ નથી, તે તો તે જ રહે છે, એ રીતે તેમાં સદ્રશપણું છે.
પર્યાયમાં ‘વિસદ્રશપણું’ કહ્યું તે કાંઈ વિકારીપણું નથી સૂચવતું પરંતુ બદલવાપણું સૂચવે છે. સિદ્ધભગવંતોને
એવી ને એવી નિર્મળ પર્યાય જ સદાય થયા કરે છે, છતાં ત્યાં પણ પર્યાયનું વિસદ્રશપણું તો છે જ. એવી ને
એવી પર્યાય હોવા છતાં પહેલી પર્યાય તે બીજી નથી, બીજી તે ત્રીજી નથી, એમ વિસદ્રશપણું છે.
ધુ્રવશક્તિપણે વસ્તુ એકરૂપ હોય, પણ અવસ્થાપણે એકરૂપ ન હોય. જો ધુ્રવપણે એકરૂપ ન હોય, ને
વિસદ્રશ હોય તો આત્મા ચેતન પલટીને જડ થઈ જાય;–એમ બને નહિ. ચેતન તો ચેતનપણે ધુ્રવ રહે છે. અને
અવસ્થાથી પણ જો એકરૂપતા હોય તો સંસાર અવસ્થા ટળીને મોક્ષ અવસ્થા થઈ જ ન શકે. –પણ એમ નથી.
વસ્તુ ધુ્રવરૂપે સદ્રશ–એકરૂપ રહેતી હોવા છતાં અવસ્થામાં ઉત્પાદ–વ્યયરૂપ વિસદ્રશપણું છે. –આવો વસ્તુનો
સ્વભાવ છે. ઉત્પાદ–વ્યય એ બંને એક જ નથી, ઉત્પાદ તો સદ્ભાવ છે ને વ્યય તો અભાવ છે, તે બંને એક જ
સમયે હોવા છતાં તેમાં જુદી જુદી પર્યાયની વિવક્ષા છે. નાશ પામી તે પર્યાયની અપેક્ષાએ વ્યય છે, વર્તમાન
વર્તતી પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે, અને સળંગપણે ગુણની અપેક્ષાએ ધુ્રવતા છે. આવું ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
વસ્તુનું સ્વરૂપ છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવ સહિત અસ્તિત્વ છે, ને એવા અસ્તિત્વમય પરિણામશક્તિ છે. જ્ઞાનમાત્ર
આત્માના અનુભવમાં આ શક્તિ પણ ભેગી જ છે. આ શક્તિ ન હોય તો પરિણામ જ ક્યાંથી થાય? જ્ઞાનને
અંતરમાં વાળીને આખા આત્માને લક્ષ્ય બનાવીને તેનો અનુભવ કરતાં એક સાથે આ બધી શક્તિઓ તેમાં
પરિણમી રહી છે–નિર્મળપણે ઉલ્લસી રહી છે.
પ્રશ્ન:– પર્યાયમાં વિકાર પણ છે તો ખરો!
ઉત્તર:– વિકાર છે તે ખરેખર શક્તિનું પરિણમન નથી, કેમ કે શક્તિનું પરિણમન ખરેખર તેને જ કહીએ
છીએ કે જે શક્તિ સાથે અભેદ થઈને નિર્મળપણે પરિણમે. શક્તિનો આશ્રય છોડીને પરના આશ્રયે વિકારપણે
પરિણમે તેને ખરેખર શક્તિનું પરિણમન કહેતા નથી. સાધકને અનંતશક્તિના પિંડરૂપ આત્માના આશ્રયે
શક્તિનું નિર્મળ પરિણમન થાય છે; અને જરાક અશુદ્ધતા છે તે શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિમાં તેને અભૂતાર્થ છે–ગૌણ છે
તેથી તેનો અભાવ જ ગણ્યો છે. પર્યાયમાં અલ્પ વિકાર હોવા છતાં તેનો અભાવ કહેવો–એ અપૂર્વ અંર્તદ્રષ્ટિની
વાત છે, શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ હોય તેને જ એ સમજાય તેવી છે.
અહીં જે શક્તિઓ વર્ણવી છે તેમાંથી કેટલીક શક્તિઓ એવી છે કે જે આત્મા સિવાય જડમાં પણ છે;
પરંતુ અહીં તો આત્માની જ વાત છે; ને તેમાં પણ જેની પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ થઈ છે એવા સાધક જીવને
અનુલક્ષીને વાત છે. સાધકને જ્ઞાનમાત્ર આત્માના અનુભવમાં અનંત–શક્તિઓ કઈ રીતે ઊછળે છે તે અહીં
બતાવવું છે. અજ્ઞાનીને તો આત્માની પ્રસિદ્ધિ નથી, આત્માના જ્ઞાનલક્ષણની પણ તેને ખબર નથી; તે તો
રાગલક્ષણવાળો કે શરીરલક્ષણવાળો જ આત્મા માને છે. આત્માની કે આત્માની શક્તિની તેને ખબર જ નથી.
અહો, આ શક્તિઓ વર્ણવીને તો આચાર્યદેવે આત્માના સ્વભાવનો અદ્ભૂત મહિમા પ્રસિદ્ધ કર્યો છે, જ્ઞાનમાત્ર
આત્મામાં કેટલી ગંભીરતા ભરી છે તે ખોલીને બતાવ્યું છે.
પ્રશ્ન:– જો એક જ્ઞાનમાત્ર ભાવમાં જ આ બધી શક્તિઓ સમાઈ જાય છે તો પછી આટલી બધી
શક્તિઓ જુદી જુદી શા માટે વર્ણવો છો? આટલી બધી શક્તિઓ સમજવામાં તો ઘણી મહેનત પડે!
ઉત્તર:– અરે ભાઈ! આ શક્તિઓ સમજે તો તો અંતરમાં આનંદના તરંગ ઊછળે એવી અદ્ભૂત વાત છે.
આ સમજવું તે ‘મહેનત’ નથી પણ અનંતકાળના થાક ઉતારવાનો આ રસ્તો છે. વળી ‘જ્ઞાનમાત્ર ભાવમાં બધી
શક્તિઓ સમાઈ જાય છે’ એમ કહ્યું તે તો અભેદઅનુભવની અપેક્ષાએ છે એટલે કે જ્ઞાનને અંતરમાં વાળીને
જ્યાં અભેદ આત્માને અનુભવમાં લીધો ત્યાં કાંઈ જુદી

PDF/HTML Page 16 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૨૯ :
જુદી શક્તિનો વિચાર નથી, ત્યાં તો અભેદ આત્માના પરિણમનમાં બધી શક્તિઓ એક સાથે નિર્મળપણે
પરિણમી રહી છે. –આ રીતે જ્ઞાનમાત્ર ભાવમાં બધી શક્તિઓ સમાયેલી છે એમ કહ્યું. પરંતુ એકલા જ્ઞાનગુણમાં
કાંઈ બીજા બધા ગુણો આવી જતા નથી. જો એક ગુણમાં બીજા બધા ગુણ આવી જાય તો તો એક ગુણ પોતે જ
આખું દ્રવ્ય થઈ ગયું! –પણ એમ નથી.
“द्रव्याश्रया निर्गुणा गुणः” દ્રવ્યના આશ્રયે અનંતગુણો રહેલા છે, પરંતુ
એક ગુણના આશ્રયે બીજા ગુણ નથી. આ રીતે અનંતગુણથી અભેદરૂપ આત્મવસ્તુની દ્રષ્ટિ કરવા માટે આ
વર્ણન છે. આત્માનો સ્વભાવ અનેકાન્તમય કઈ રીતે છે. એટલે કે તેમાં અનંતધર્મો કઈ રીતે છે તે સ્પષ્ટ
સમજાવવા માટે આચાર્યદેવે આ વર્ણન કર્યું છે. –તેથી જિજ્ઞાસુઓએ આ વાત સમજવી જરૂરી છે.
આ એક આત્માને બીજા પદાર્થો સાથે કાંઈ સંબંધ નથી, તેથી અહીં પર સાથેના સંબંધની વાત જ નથી;
વળી વિકારની પણ વાત નથી, કેમકે પર સાથેનો સંબંધ છોડી દેતાં એકલા આત્મસ્વભાવમાં વિકાર નથી, વિકાર
તે આત્માનો સ્વભાવ નથી. આ તો આત્માના સ્વભાવની વાત છે, આત્માના સ્વભાવમાં કેવા કેવા ધર્મો રહેલા
છે તે અહીં ઓળખાવે છે. આ રીતે ‘અનેકાન્ત’ આત્માને પરથી અત્યંત જુદો ને પોતાના અનંત ધર્મોથી
પરિપૂર્ણ બતાવે છે. આવા આત્માને જાણવો–શ્રદ્ધવો–અનુભવવો તે મુક્તિમાર્ગ છે.
જગતમાં અનંતા દ્રવ્યો છે તે બધાય ‘સત્’ છે. આત્મા પણ અનંત છે, એકેક આત્મા ભિન્ન ભિન્ન
સ્વતંત્ર દ્રવ્ય છે; દ્રવ્યનું લક્ષણ ‘સત્’ છે, તે સત્પણું ઉત્પાદ–વ્યય–ધુ્રવતા સહિત છે; અને તે ઉત્પાદ–વ્યય–ધુ્રવ
પોતાના સ્વભાવભૂત જ છે; ઉત્પાદ–વ્યયને ધુ્રવતા એ ત્રણે થઈને દ્રવ્યનું સત્પણું છે. ‘ધુ્રવતા’ એટલે વસ્તુમાં
કાયમ રહેવાનો પણ સ્વભાવ છે, અને ‘ઉત્પાદ–વ્યય’ એટલે બદલવાનો પણ સ્વભાવ છે. કાયમ રહેવું અને
બદલવું એ બંને એકબીજાથી વિરુદ્ધ નથી પણ એ બંને થઈને જ દ્રવ્યનું સત્પણું છે. આવા ઉત્પાદ–વ્યય–
ધુ્રવતાવાળી સત્તા વગર દ્રવ્યના પરિણામ સિદ્ધ થઈ શકે નહિ. આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની પરિણામશક્તિ
ઉત્પાદ–વ્યયધુ્રવરૂપ સત્તામય છે. એક પરિણામ શક્તિમાં નિત્યપણું અને અનિત્યપણું બંને સમાય છે. નિત્યપણું
નક્કી કરનાર તો અનિત્ય છે; જો અવસ્થા બદલતી ન હોય તો, અનાદિની અજ્ઞાનદશા પલટીને જ્ઞાનદશા થયા
વગર, આત્મદ્રવ્યની નિત્યતાનો નિર્ણય કોણ કરે? નિત્યતાનો નિર્ણય તો પર્યાયમાં થાય છે, અને તે પર્યાય
અનિત્ય છે. તથા, જો નિર્ણય કરનારો આત્મા સળંગ નિત્ય ટકતો ન હોય તો તે નિર્ણયના ફળને કોણ ભોગવે?
અને તે નિર્ણય કોના આધારે કરે? માટે વસ્તુપણે આત્મા પોતે નિત્ય પણ છે; કાયમ ‘હું... હું’ એવા સંવેદનથી
તેની નિત્યતાનો અનુભવ થાય છે; ને પર્યાયમાં દુઃખ–સુખ, અજ્ઞાન–જ્ઞાન ઈત્યાદિ અનેક ફેરફારના અનુભવથી
તેની અનિત્યતા સિદ્ધ થાય છે. હે જીવ! શરીર અને રાગાદિ બાદ કરતાં એકલું જ્ઞાન રહ્યું તે પણ સ્વત: આવા
પરિણામસ્વભાવવાળું છે, તેમાં આનંદ છે, પ્રભુતા છે, સ્વચ્છતા છે, ચૈતન્યમય જીવન છે. –ઈત્યાદિ અનંતી
શક્તિઓ તારા જ્ઞાનમાત્ર સ્વભાવને અભિનંદે છે. માટે તું પરની સામે ન જોતાં અંર્તદ્રષ્ટિ કરીને આવા તારા
આત્મસ્વભાવને દેખ....... તારા આત્માના અનંત નિધાનને દેખ. એને દેખતાં જ તને અતીન્દ્રિય આનંદનો
અનુભવ થશે, ને ક્યાંય પરના આશ્રયથી લાભ થવાની તારી મિથ્યાબુદ્ધિ ટળી જશે.
સદ્રશતા અને વિસદ્રશતા એવા બંને સ્વભાવવાળું તારું અસ્તિત્વ છે. અશુભ વિચાર બદલીને શુભ થાય
છે–એ તો સૌને અનુભવસિદ્ધ છે; વિસદ્રશતા વિના વિચારનો પલટો થઈ શકે નહિ. અને પહેલાંં અશુભવિચારમાં
હું હતો ને અત્યારે શુભવિચારમાં હું છું–એમ પોતાના સળંગપણાનો અનુભવ થાય છે–તે સદ્રશતા વિના બની
શકે નહીં. આ રીતે સદ્રશતા અને વિસદ્રશતા (અર્થાત્ ઉત્પાદ–વ્યય ને ધુ્રવતા) વિના પરિણામરૂપ કાર્ય થઈ શકે
જ નહિ. એક પરિણામશક્તિમાં આ બધું આવી જાય છે. પરિણામશક્તિ આત્માની છે એટલે પોતાની પર્યાયના
ઉત્પાદ–વ્યય (–સમ્યક્ત્વનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય ઈત્યાદિ) પોતાના સ્વભાવથી જ થાય છે, કોઈ કર્મ વગેરે
નિમિત્તોને લીધે આત્માના પરિણામ થતાં નથી.
આત્મા ગુણપણે કાયમ રહે છે ને અવસ્થાથી બદલે છે; ઉત્પાદ–વ્યયરૂપે બદલવું ને ધુ્રવપણે કાયમ ટકવું

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૩૦ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
–એવો જ તેનો સ્વભાવ છે. ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ ત્રણ જુદી જુદી સત્તા નથી પણ ત્રણે સ્વરૂપ એક સત્તા છે.
જો વસ્તુ ટકીને બદલે તો જ નવું કાર્ય થાય. જો ટકે જ નહિ તો તેનો નાશ થઈ જાય, અને જો બદલે જ નહિ તો
કાર્ય ન થાય. જેમ કે–લાકડાના રજકણો બદલે તો તે બળીને રાખ થાય; જો તે બદલે જ નહિ તો રાખ થાય નહિ.
એ પ્રમાણે દરેક ચીજનો ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવ છે.
જેમ ૧૦ તોલા સોનું છે, તેની હાર અવસ્થા છે, તે પલટીને બંગડી થઈ; ત્યાં સોનું દસેદસ તોલા ટકીને
હારમાંથી બંગડી અવસ્થારૂપે બદલ્યું છે, એટલે તે સોનું ટકયું પણ છે ને બદલ્યું પણ છે. એ રીતે દરેક વસ્તુ
ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ પરિણામસ્વભાવવાળી છે. અહીં વસ્તુનો સૂક્ષ્મસ્વભાવ સમજાવવા માટે સોનાનો સ્થૂળ
દાખલો છે. આત્મા તો સ્વાભાવિક ચીજ છે, સોનું તે કાંઈ મૂળ–સ્વાભાવિક ચીજ નથી, તે તો સંયોગી ચીજ છે;
તે સંયોગની વાત સ્વભાવમાં પૂરી લાગુ ન પડે. સોનામાં ભાગ કરતાં કરતાં જેના કોઈ પ્રકારથી બે ભાગ ન
પડી શકે એવો જે છેલ્લો પોઈન્ટ (–પરમાણુ) રહે તે મૂળ વસ્તુ છે. સોનું તો નાશ પણ પામે, પણ પરમાણુનો
નાશ કદી થતો નથી. અહીં તો દ્રષ્ટાંત તરીકે સમજાવવા સોનાને મૂળ વસ્તુ ગણવામાં આવે છે. જેમ આકાર
બદલવા છતાં સોનું તે સોનું જ રહે છે, લાકડું થઈ જતું નથી; અને સોનારૂપે ધુ્રવ રહેવા છતાં તેના વિધવિધ
આકારો બદલે છે; સોનું તો સંયોગી ચીજ હોવાથી થોડો કાળ ટકે છે, તે થોડા કાળના દ્રષ્ટાંત ઉપરથી ત્રિકાળી
વસ્તુનો સ્વભાવ સમજી લેવો. આત્મામાં મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–કેવળજ્ઞાન વગેરે અવસ્થાઓ પલટે છે અને
જ્ઞાનસ્વભાવપણે આત્મા એવો ને એવો રહે છે. અહીં તો એ વિશેષ બતાવવું છે કે ટકીને અવસ્થા બદલે છે તે
પોતાના સ્વભાવભૂત છે. કોઈ બીજાને લીધે આત્મા ટકતો નથી, ને કોઈ બીજાને લીધે તેની અવસ્થા થતી નથી.
એ જ પ્રમાણે બીજા પદાર્થોમાં પણ સૌ સૌના સ્વભાવથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા વર્તે છે.
જુઓ, આવા વસ્તુસ્વભાવની પ્રતીત તે વીતરાગતાનું કારણ છે. કોઈ બીજાને કારણે સુખ–દુઃખ થાય એ
વાત રહેતી નથી. જગતમાં જે જીવો દુઃખી છે તેઓ પોતાની પર્યાયના જ તેવા ઉત્પાદથી દુઃખી છે, અને તેની
દુઃખપર્યાય પલટીને સુખપર્યાયનો ઉત્પાદ તે પોતે કરે તો થાય, બીજો જીવ તેની પર્યાય કરી શકે નહિ. આત્મા
પોતે અનંત શક્તિનો પિંડ છે પણ તેની સંભાળ ન કરતાં શરીર ઉપર લક્ષ કરીને ‘શરીર તે જ હું’ એમ માને છે,
ને શરીરમાં કાંઈક થતાં મને થયું એમ માનીને પોતાની ભિન્ન સત્તાને ભૂલી જાય છે તેથી જ જીવ દુઃખી છે.
જ્યાંસુધી દેહથી ભિન્ન ચૈતન્યસત્તાની પોતે સંભાળ ન કરે ત્યાં સુધી તેનું દુઃખ ટળે નહિ. આ એક સિદ્ધાંત છે કે,
દુઃખ કોઈ બહારના સંયોગના કારણે થયું નથી તેથી બહારના સંયોગવડે દુઃખ મટતું નથી, પણ પોતે ઊંધા
ભાવથી દુઃખ ઊભું કરે છે તે પોતાના સવળા ભાવથી મટે છે. બીજો કોઈ દુઃખ આપી શકે નહિ ને મટાડી શકે
પણ નહિ.
જુઓ, ‘હું દુઃખ ટાળું’ એમ વિચાર આવે છે, પણ ‘હું આત્માનો જ નાશ કરી નાંખું’ એમ વિચાર
આવતો નથી, એટલે કે પોતે કાયમ ટકીને દુઃખઅવસ્થા પલટીને સુખઅવસ્થા કરવા માંગે છે. આ રીતે, ‘મારે
દુઃખ ટાળીને સુખી થવું છે.’– એમાં જ ઉત્પાદ–વ્યય–ધ્રુવનો ધ્વનિ આવી જાય છે. આત્મા ત્રિકાળ છે ને દુઃખ
ક્ષણિક છે, તે દુઃખ ટળી શકે છે. દુઃખ કોણ ટાળે? –જેણે ઉત્પન્ન કર્યું છે તે; બીજા જોનારે કાંઈ તે દુઃખ ઉત્પન્ન
કર્યું નથી એટલે તે તેને ટાળી ન શકે. શરીરમાં રોગ થતાં, પોતાનું અસ્તિત્વ તેનાથી ભિન્ન હોવા છતાં પોતાના
ભિન્ન અસ્તિત્વને ચૂકીને ‘આ મને રોગ થયો’ એવી મિથ્યા કલ્પનાથી પોતે દુઃખી થાય છે. હું તો ચૈતન્ય છું,
દેહના ઉત્પાદ–વ્યય–ધુ્રવથી મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ તદ્ન જુદા છે, મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં મારી અનંત
શક્તિઓ પરિણમી રહી છે–એમ સ્વશક્તિની સંભાળ કરે તો તેમાં ક્યાંય દુઃખ છે જ નહિ.
હું પરનું દુઃખ ટાળી શકતો નથી–એમ જ્ઞાનીને ભાન હોવા છતાં, રાગની ભૂમિકામાં દુઃખી જીવો પ્રત્યે (તે
પ્રસંગને કારણે નહિ પણ પોતાના રાગને કારણે) કરુણા વગેરેનો ભાવ થઈ આવે છે, કેવળી ભગવાન વગેરે
વીતરાગી જીવોને એવો રાગ થતો નથી. ધર્મીને કોઈવાર રોગ થાય ને દવા કરવાનો રાગ પણ થાય, પણ ત્યાં

PDF/HTML Page 18 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૩૧ :
વિવેક વર્તે છે કે રોગને કારણે રાગ નથી ને રાગને કારણે દવા વગેરેની કે રોગ મટવાની ક્રિયા થતી નથી; તેમજ
રાગ કે દવા તે કાંઈ દુઃખ મટવાનો ઉપાય નથી. મારી સહનશીલતાની નબળાઈથી રાગ થાય છે, તે રાગ પણ
મારા ચિદાનંદસ્વરૂપમાં નથી, ચિદાનંદસ્વરૂપના આશ્રયે રાગ ટાળવો તે દુઃખ ટાળવાનો ઉપાય છે–આ રીતે
યથાર્થ ઉપાયને જ્ઞાની જાણે છે, એટલે રાગ તરફ તેના અભિપ્રાયનું જોર જતું નથી, તેથી તેનો રાગ અત્યંત મંદ
છે; અજ્ઞાની તો બધું ઊંધુંં માને છે–રોગને કારણે રાગ માને છે, ને રાગવડે દવા વગેરેનો સંયોગ મેળવવો તેને તે
દુઃખ ટાળવાનો ઉપાય માને છે, એટલે તેનું જોર એકલા રાગ તરફ જ જાય છે, તેથી તેનો રાગ અનંતા જોરવાળો
છે. આ રીતે રાગ પાછળ બંનેના અભિપ્રાયની દિશામાં મોટો ફેર છે.
અજ્ઞાની અનુકૂળ સંયોગથી સુખ અને પ્રતિકૂળ સંયોગથી દુઃખ એમ માને છે, એટલે દુઃખ ટાળીને સુખ
કરવા માટે તે સંયોગ તરફ જ જોયા કરે છે, પણ સંયોગથી ભિન્ન પોતાના આત્મા તરફ જોવાનું તેને બનતું
નથી, તેથી તેને સંયોગના આશ્રયે રાગ–દ્વેષ જ થયા કરે છે, વીતરાગી શાંતિનો અનુભવ થતો નથી. જ્ઞાની
સંયોગોથી પોતાને સુખ–દુઃખ માનતા નથી, સુખ પોતાના સ્વભાવમાં જ છે એમ તેને અનુભવ છે અને બર્હિમુખ
વલણ જાય તેટલું દુઃખ છે–એમ તે જાણે છે; એટલે દુઃખ ટાળવા માટે તે પર તરફ નથી જોતા પણ પોતાના
સ્વભાવના આનંદના અનુભવ તરફ વળે છે. અહીં આત્માની શક્તિઓ બતાવીને સ્વદ્રવ્ય તરફ વળવાનું
આચાર્યદેવ બતાવે છે.
જગતા બધા દ્રવ્યો સત્ છે, ને તેનું બદલાપણું તેના સ્વભાવથી જ છે; તેને બદલે અજ્ઞાની તેની સત્તાનો
ઈન્કાર કરીને કહે છે કે હું તેને બદલાવી દઉં–એટલે ખરેખર તે પોતાની ચૈતન્યસત્તાને પરથી ભિન્ન સ્વીકારતો
નથી, ઊંધા અભિપ્રાય વડે પોતે પોતાની સત્તાનો જ ઘાત કરે છે, –તેનું નામ આત્મઘાત છે, ને તે આત્મઘાતને
મહાપાપ કહ્યું છે. મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ મારી સત્તામાં જ છે, ને પરના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પરની સત્તામાં જ છે,–
બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે, તેથી એકના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં બીજાનો કાંઈ હાથ નથી. –આમ જાણીને પોતે
પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં અંગીકાર કરવી ને પરસત્તાને પોતાથી ભિન્ન જેમ છે તેમ
જાણવી–આવું ભેદજ્ઞાન તે આત્માને જીવતો રાખે છે–આત્માને પ્રસિદ્ધ કરે છે, તેમાં આત્મા જેવો છે તેવા સ્વભાવે
પ્રસિદ્ધ થઈને મુક્તિ થાય છે.
“હું” અને “તે” આવા બે ભેદ પડે છે તે જ બતાવે છે કે સ્વ અને પર વસ્તુની સત્તા ભિન્ન ભિન્ન છે; જો
ભિન્ન સત્તા ન હોય તો ‘આ હું’ અને ‘આ તે’ એવા બે ભેદ પડે નહિ. સ્વ–પરની સત્તા ભિન્ન ભિન્ન હોવા
છતાં, પર વસ્તુના કાર્યો મારાથી થાય એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાના અધિકાર ઉપર તરાપ
મારે છે, પરને પોતાને આધીન માનીને તેની સ્વાધીનતા હણવા માંગે છે; પરંતુ પર ચીજ તો કાંઈ તેને આધીન
થઈને પરિણમતી નથી તેથી તે અજ્ઞાની પરના આશ્રયે પરિણમતો થકો આકુળ–વ્યાકુળ થઈને પોતે પોતાની
સ્વાધીનતાને હણે છે. જેમ એક રાજાની સત્તા ઉપર બીજો રાજા અધિકાર જમાવવા જાય તો ત્યાં લડાઈ થાય છે,
તેમ ચૈતન્ય અને જડ બંને પદાર્થો પોતપોતાની સ્વતંત્ર સત્તાના રાજા છે, છતાં આત્મા પરને પોતાનું માનીને
તેની સત્તામાં ઘાલમેલ કરવા જાય તો ત્યાં વિસંવાદ ઊભો થાય છે એટલે કે આત્માની પર્યાયમાં શુદ્ધતા હણાઈને
અશુદ્ધતા થાય છે–દુઃખ થાય છે–સંસાર થાય છે. પરથી અત્યંત વિભક્ત અને પોતાના જ્ઞાનાદિ અનંતગુણોથી
એકત્વ એવી પોતાની ચૈતન્યસત્તાને જાણીને–શ્રદ્ધા કરીને તેમાં સ્થિર રહેતાં શુદ્ધતા થાય છે–સુખ થાય છે–મુક્તિ
થાય છે, ને સ્વભાવઆશ્રિત સ્વતંત્રતાથી આત્મા શોભે છે.
[આ લેખનો બાકીનો સુંદર ભાગ આવતા અંકમાં વાંચો]

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
સમ્યક્ત્વના મહિમાસૂચક પ્રશ્નોત્તર

પ્રશ્ન:– જીવને તપ વગેરે, પત્થરના બોજા સમાન ક્યારે છે?
ઉત્તર:– શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર અને તપ એ બધાં જો સમ્યગ્દર્શન વગર હોય તો પુરુષને પત્થરની જેમ
બોજા સમાન છે. (–આત્માનુશાસન : ૧૫)
પ્રશ્ન:– ઉપર જે ભાવોને પત્થરના બોજા સમાન કહ્યા તેઓ મહામણિ સમાન પૂજ્ય ક્યારે થાય?
ઉત્તર:– જો તે જ્ઞાનાદિ ભાવોની સાથે સમ્યગ્દર્શન હોય તો તેઓ મહામણિ સમાન પૂજનીક છે.
(–આત્માનુશાસન : ૧૫)
પ્રશ્ન:– અનંતકાળથી ચોરાશીલાખ યોનીમાં રખડખા જીવે શું પ્રાપ્ત નથી કર્યું?
ઉત્તર:–
લક્ષ ચોરાશી યોનિમાં, ભમિયો કાળ અનંત
પણ સમકિત તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાંત.
–હે જીવ! ચોરાશીલાખ યોનિમાં અનાદિકાળથી ભમતાં તું કદી પણ સમ્યક્ત્વ પામ્યો નથી–એમ ચોક્કસ
જાણ! (યોગસાર: ૨૫)
પ્રશ્ન:– આત્મસ્વરૂપને જાણ્યા વિના પુણ્ય કરે તો શુ થાય?
ઉત્તર:– હે જીવ! જો તું આત્માને નહિ જાણ અને બસ, પુણ્ય–પુણ્ય જ કર્યા કરીશ તોપણ તું સિદ્ધિસુખ
પામી શકીશ નહિ, પરંતુ ફરી ફરીને સંસારમાં જ ભટકીશ. કેમ કે–
નિજરૂપ જે નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય!
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય.
(–યોગસાર: ૧૫)
પ્રશ્ન:– મોક્ષનું કારણ શું છે?
ઉત્તર:– નિજદર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ માન, હે યોગી! શિવહેતુએ નિશ્ચયથી તું જાણ.
હે યોગી! એક પરમ આત્મદર્શન જ મોક્ષનું કારણ છે, એ સિવાય બીજું કાંઈ પણ મોક્ષનું કારણ નથી. –
એમ તું નિશ્ચયથી સમજ. (–યોગસાર: ૧૬)
પ્રશ્ન:– જગતમાં ઉત્તમ રત્ન કયું છે?
ઉત્તર:– સમ્યક્ત્વ–રત્ન જગતમાં સૌથી ઉત્તમ છે.
પ્રશ્ન:– મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવું?
ઉત્તર:– જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ, મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન.
–મોક્ષ પ્રાપ્ત કરવા માટે હે યોગી! તારા શુદ્ધાત્મામાં અને જિનભગવાનમાં જરા પણ ફેર ન સમજ, –આ
પ્રમાણે નિશ્ચયથી તું માન. (–યોગસાર: ૨૦)

आनंद ब्रह्मणो रूपं निजदेहे व्यवस्थितम्।
ध्यानहीना न पश्यंति जास्यंधा इव भास्करम्।।
સ્ત્ર
અહો! જ્ઞાનસ્વભાવી આત્મા પોતે આનંદસ્વરૂપ છે,
અને તે નિજદેહે વ્યવસ્થિત છે, તોપણ,
– જેમ જન્માંધ પ્રાણીઓ સૂર્યને દેખી શકતા નથી
તેમ ધ્યાનહીન જીવો તેને દેખી શકતા નથી.

PDF/HTML Page 20 of 21
single page version

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૩૩ :
વૈરાગ્ય સમાચાર
ચૈત્ર સુદ ૧૨ ના રોજ સોનગઢમાં રાત્રિચર્ચા ચાલી રહી હતી, દેહથી ભિન્ન આત્માનું અતીન્દ્રિય
સ્વરૂપ પૂ. ગુરુદેવ સમજાવી રહ્યા હતા... ત્યાં અચાનક શ્રી. રાજીભાઈના નામે તાર આવ્યો– ‘રાજકોટના
નૌતમલાલભાઈ હાર્ટફેઈલથી ગુજરી ગયા. ’ –એ સમાચાર સાંભળતાં જ વૈરાગ્ય ભરેલા આઘાતથી
ચર્ચાનું વાતાવરણ થોડીવાર તો થંભી ગયું હતું. હજી આ સમાચાર આવ્યા અગાઉ માત્ર પા કલાક પહેલાંં
તો પૂ. ગુરુદેવ તેમના સંબંધમાં વાતચીત કરતા હતા.
ભાઈશ્રી નૌતમભાઈને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો પ્રેમ હતો. લગભગ પંદર વર્ષ પહેલાંં તેમણે પૂ.
ગુરુદેવ પાસે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી. રાજકોટ દિ. જૈન સંઘમાં તેઓ છેલ્લા અનેક વર્ષોથી વાંચન
કરતા હતા, અને ત્યાના સંઘના તેઓ મહાન સ્થંભ હતા, સંઘને તેમના ઉપર ઘણી લાગણી હતી. પૂ.
ગુરુદેવના વિશેષ સમાગમનો લાભ લેવા માટે સોનગઢ આવીને રહેવાની તેમની ભાવના હતી. તેઓ
સોનગઢ આવેલા, ને સ્વર્ગવાસના ચાર દિવસ પહેલાંં જ તેઓ સોનગઢથી રાજકોટ ગયેલા. સ્વર્ગવાસના
આગલા દિવસે રાત્રે તેમણે જિનમંદિરમાં વાંચન પણ કર્યું હતું. ત્યારબાદ છાતીમાં દુઃખાવો શરૂ થયો, બીજે
દિવસે સવારે તેમને ખ્યાલમાં આવી ગયું કે આ હુમલો ગંભીર છે. અને ચૈત્ર સુદ બારસની સાંજે લગભગ
પાંચ વાગે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમની ઉમર લગભગ ૬૦ વર્ષની હતી. તેમના આવા અચાનક
સ્વર્ગવાસથી રાજકોટના દિ. જૈન સંઘને ઘણી ખોટ પડી છે. ભાઈશ્રી નૌતમભાઈ સત્સમાગમની જે
ભાવના સાથે લઈને ગયા છે, તે ભાવનાના બળે સત્સમાગમે તેઓ પોતાનું આત્મહિત સાધો એ જ
ભાવના.
પૂ. ગુરુદેવ કહે છે કે: માત્ર મૃત્યુ વખતે જ નહિ પણ સદાય જીવ ને દેહ જુદા જ છે, અત્યારે પણ
બંને તદ્ન જુદાં જ છે, માટે તારા આત્માને દેહથી ભિન્ન જાણ. દેહ નહિ છૂટે ––– એટલે કે દેહ તો અહીં જ
પડ્યો રહેશે. પણ જીવ દેહને છોડીને બીજા ભવમાં ચાલ્યો જશે, માટે જીવનું પોતાનું નિજ સ્વરૂપ શું છે–કે
જે પોતાની સાથે જ રહે–તે ઓળખી લેવા જેવું છે. તેની ઓળખાણ વિના આ જન્મ–મરણનું ચક્ર અટકે
નહિ.
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક ઉનાળાની રજા દરમિયાન વૈશાખ સુદ ૪ ને સોમવાર તા. ૧૪–૫–૫૬
થી શરૂ કરીને વૈશાખ વદ ૧૦ને સોમવાર તા. ૪–૬–૫૬ સુધી વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે
શિક્ષણ વર્ગ ખોલવામાં આવશે.
આ શિક્ષણવર્ગમાં બાળવર્ગ, પ્રથમ શ્રેણી, મધ્યમ શ્રેણી ને ઉત્તમ શ્રેણી એમ ચાર વર્ગો રાખવામાં
આવ્યા છે. વિશેષમાં આ વખતે ધર્મ કથાનુયોગમાંથી ધાર્મિક વાર્તાઓ થશે, તથા ભક્તિ–સ્તવનો વાજિંત્ર
સાથે શીખવવામાં આવશે.
વર્ગમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તુરત આવી જવું. ને પોતાનું બિછાનું સાથે લાવવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)