Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૫૬
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
શાંતિનું ઝરણું.

અરે જીવ! બાહ્ય વિષયો તો મૃગજળ જેવા છે; તેમાં ક્યાંય તારી
શાંતિનું ઝરણું નથી. અનંતકાળથી તેં બાહ્ય વિષયોમાં ઝાંવા નાંખ્યા, છતાં તને
શાંતિ ન થઈ, –તૃપ્તિ ન થઈ, માટે તેમાં શાંતિ નથી એમ સમજીને હવે તો
તેનાથી પાછો વળ....ને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા! ચૈતન્યસન્મુખ થતાં
ક્ષણમાત્રમાં તને શાંતિનું વેદન થશે.....ને....એ શાંતિના ઝરણામાં તારો આત્મા
તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
–પૂ. ગુરુદેવ

PDF/HTML Page 3 of 41
single page version

background image
પરમ પ્રભવ શસન રત્ન
હે પરમકૃપાળુ ગુરુદેવ!
અધ્યાત્મતેજની સાથે
સાથે આપનું બ્રહ્મતેજ પણ
અલૌકિક છે. આધ્યાત્મિક
ઉપશાંતરસ વરસાવવા માટે
આપ ચંદ્ર સમાન છો.....ને
બ્રહ્મચર્યના અખંડ તેજથી આપ
સૂર્ય સમાન છો..... આપના
જેવા તેજસ્વી પુરુષનો જોટો
મળવો આ કાળે મુશ્કેલ છે.
અધ્યાત્મરસની ખુમારીથી ને
બ્રહ્મચર્યના રંગથી આપનું જીવન
રંગાયેલું છે...તેથી, આપની
મહાપ્રતાપી છાયામાં નિરંતર
વસતા....ને આપશ્રીના પાવન
ઉપદેશનું પાન કરતા આપના
નાના નાના બાળક–બાળિકાઓ
પણ બ્રહ્મજીવન પ્રાપ્ત કરે તેમાં
શું આશ્ચર્ય છે!!

હે ધર્મપિતા!........જીવનના આધાર.....ને હૈયાનાં હાર! આપશ્રી દ્વારા થઈ રહેલ
જૈનશાસનનો પુનરુદ્ધાર....શોભા...અને અભિવૃદ્ધિનું શું વર્ણન કરીએ? આપની રગેરગમાંથી
જિનશાસનની પ્રભાવનાના સૂર ઊઠી રહ્યા છે...... ને રોમેરોમમાં વીતરાગધર્મનો નાદ ગૂંજી રહ્યા
છે. જિનશાસન ઉપર ઘેરાયેલા મોહનાં વાદળને ગગનભેદી જ્ઞાનગર્જનાવડે આપે વિખેરી નાખ્યા
છે.... ને દિવ્યજ્ઞાનપ્રભા વડે આપે જૈનશાસનને ઝગમગાવી દીધું છે.....તેથી આપ ‘જિનશાસનના
અણમોલરત્ન’ છો.
હે શાસનરત્ન! આપના સુહસ્તે આજે ભારતભરમાં વીતરાગી દેવ–ગુરુ–ધર્મનો ઝંડો
અત્યંત ગૌરવપૂર્વક ઉન્નતિના શિખરે ફરકી રહ્યો છે.....ને એ ઝંડાની છાયામાં હજારો આત્માર્થી
જીવો હોંસભેર આવી રહ્યા છે.

PDF/HTML Page 4 of 41
single page version

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૧૭ :
પૂ. ગુરુદેવ દ્વારા જૈનધર્મની મહાન પ્રભાવના
એક સાથે ૧૪ કુમારિકા બહેનોએ લીધેલી બ્રહ્મચર્યની દીક્ષા
વિલાસિતા ઉપર આધ્યાત્મિકતાનો મહાન વિજય
અમારા સાધર્મીબંધુઓને એક મહાન સમાચાર દેતાં અમને અત્યંત હર્ષ થાય છે કે, આ દસલક્ષણી–
પર્યુષણપર્વના પહેલા દિવસે–ભાદરવા સુદ પાંચમ ને રવિવારના શુભ દિને, પરમ પૂજ્ય સદ્ગુરુદેવના ઉપદેશથી
પ્રભાવિત થઈને ૧૮ થી ૨૬ વર્ષની નાની નાની ઉમરના ચૌદ ૧૪ કુમારિકા બહેનોએ આજીવન બ્રહ્મચર્ય–
પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા જે ઉદે્શથી ધારણ કરવામાં આવી છે તેની ખાસ મહત્તા છે,–તે
આપણે આગળ જતાં જોઈશું.
આમ તો આ યુગમાં પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી દ્વારા દિગંબર જૈનધર્મની મહાન
પ્રભાવનાનાં કાર્યો એક પછી એક થયા જ કરે છે, અને અમારા સાધર્મીબંધુઓ એનાથી પરિચિત પણ છે; આજે
તો પૂ. ગુરુદેવનો પ્રભાવ ભારતભરમાં પ્રસરી ગયો છે. તેમાં વળી આ ૧૪ કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યની
પ્રતિજ્ઞા લીધી તે પણ જૈનધર્મની પ્રભાવનાનો એક એવો જ મહાન પ્રસંગ છે.
માત્ર બ્રહ્મચર્યપાલનના શુભરાગમાં અટકી જવાનો આ બહેનોનો ઉદે્શ નથી, તેઓનો ઉદે્શ તો નિવૃત્ત
જીવનપૂર્વક આગળ વધીને આત્મહિતની સાધના કરવાનો છે. કોઈ પણ ઉપદેશકના પ્રભાવથી એક સાથે ૧૪
કુમારિકા બહેનોએ, માત્ર આત્મહિતની સાધના અર્થે આ રીતે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય–એવું
હાલના ઈતિહાસમાં સાંભળવામાં આવતું નથી. પરમપૂજ્ય ગુરુદેવનો ઉપદેશ કેટલી સરલતાથી જીવોને
આત્મહિતમાં લગાડી દ્યે છે, અને તે ઉપદેશ કેટલો વીતરાગતા ભરેલો છે–તેનું અનુમાન વિવેકી જિજ્ઞાસુઓ આ
મહાન પ્રસંગ ઉપરથી કરી શકશે. પૂ. ગુરુદેવનો આત્મસ્પર્શી ઉપદેશ અનેક જીવોનાં જીવન પલટાવી નાંખે છે.

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨૧૮ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
જે કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે તેઓનાં નામ નીચે મુજબ છે–
(૧) લલિતાબેન [મણીઆર ધરમશી હરજીવનના સુપુત્રી, વઢવાણ ઉ. વ. ૨૬
(૨) જસવંતીબેન [દામાણી હીરાચંદ ત્રિભુવનદાસના સુપુત્રી, સોનગઢ ઉ. વ. ૨૬
(૩) ચંદ્રાબેન [શાહ છોટાલાલ ડામરદાસના સુપુત્રી, ધાંગધ્રા ઉ. વ. ૨૬
(૪) પુષ્પાબેન [શાહ છોટાલાલ ડામરદાસના સુપુત્રી, ધાંગધ્રા ઉ. વ. ૨૪
(૫) પદ્માબેન [શાહ કેશવલાલ મહીજીભાઈના સુપુત્રી, બોરસદ ઉ. વ. ૨૫
(૬) ઈંદુમતીબેન [શાહ ચીમનલાલ ભાઈલાલના સુપુત્રી, બરવાળા ઉ. વ. ૨૨
(૭) સુશીલાબેન [શાહ જગજીવન ચતુરભાઈના સુપુત્રી, સુરેન્દ્રનગર ઉ. વ. ૨૧
(૮) ઉષાબેન [દોશી જગજીવન બાઉચંદના સુપુત્રી, સાવરકુંડલા ઉ. વ. ૧૮
(૯) સુશીલાબેન [મહેતા શાંતિલાલ ગીરધરલાલના સુપુત્રી, જોડીઆ ઉ. વ. ૨૨
(૧૦) ચંદ્રપ્રભાબેન [શાહ રતિલાલ પોપટલાલના સુપુત્રી, જામનગર ઉ. વ. ૨૩
(૧૧) જસવંતીબેન [શાહ રતિલાલ પોપટલાલના સુપુત્રી, જામનગર ઉ. વ. ૨૧
(૧૨) ભાનુમતીબેન [શેઠ ખીમચંદ જેઠાલાલના સુપુત્રી, રાજકોટ ઉ. વ. ૨૧
(૧૩) જસવંતીબેન [ઝોબાળિયા હિંમતલાલ છોટાલાલના સુપુત્રી, નાગનેશ ઉ. વ. ૨૧
(૧૪) વસંતબેન [ગાંધી શીવલાલ ત્રિભુવનદાસના સુપુત્રી, અમરેલી ઉ. વ. ૨૧

PDF/HTML Page 6 of 41
single page version

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૧૯ :
એક સાથે આ ચૌદ વીરબાળાઓ જ્યારે ‘બ્રહ્મચર્યદીક્ષા’ લેવાને માટે પૂ. ગુરુદેવની સમક્ષ ઊભી થઈ તે
વખતનું વૈરાગ્યદ્રશ્ય ખાસ દર્શનીય હતું,–જાણે કે આ ચૌદ કુમારિકા બહેનોએ પૂજ્યગુરુદેવના અધ્યાત્મોપદેશરૂપી
બાણ વડે સંસારને જીતી લીધો હોય ને આધ્યાત્મિકતાનો વિજયધ્વજ ફરકાવતી હોય!
નાની ઉંમરમાં, આત્મહિતની ભાવનાથી આવું સુંદર કાર્ય કરવા બદલ આ બધા બહેનો અભિનંદનને
પાત્ર છે; અને પ્રમોદપૂર્વક તેમને અનુમતિ આપવા બદલ તેઓના વડીલો પણ ધન્યવાદને પાત્ર છે. સોનગઢમાં
આ બ્રહ્મચર્ય પ્રસંગ ઘણા ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
આ ચૌદ બહેનોની માફક, સાત વર્ષ પહેલાંં બીજા છ કુમારિકા બહેનોએ પણ પૂ. ગુરુદેવ પાસે આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી. (આ છ બહેનોનાં નામ તથા બ્રહ્મચર્યપ્રસંગના સમાચાર વગેરે માટે ‘આત્મધર્મ’નો
“બ્રહ્મચર્ય–અંક” જુઓ, વર્ષ છઠ્ઠું અંક બીજો.) આ પ્રમાણે એકંદર વીસ કુમારિકા બ્રહ્મચારી બહેનો હાલ
સોનગઢમાં વસે છે.
યથાર્થ તત્ત્વની રુચિપૂર્વક સામુહિક ‘બ્રહ્મચર્ય–દીક્ષા’ના આવા પ્રસંગો ભારતના ઈતિહાસમાં બહુ વિરલ
છે. સંસારના વિષયકષાયોથી હડહડતા વાતાવરણમાં લગભગ અશક્ય જેવી લાગે એવી આ વાત જ્ઞાનીસંતોની
સમીપતામાં કેવી સુગમ બની જાય છે!–એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. ખરેખર તો, પરમ ઉપકારી પરમ પૂજ્ય
ગુરુદેવ શ્રી પરમ અસંગી શુદ્ધચૈતન્યતત્ત્વના જે ઉપદેશની અમૃતધારા નિરંતર વરસાવી રહ્યા છે તેમાં કોઈ એવો
પ્રભાવ છે કે તે ઉપદેશનું શ્રવણ અને મંથન કરનારના જીવનમાં વૈરાગ્યભાવ સહેજે પોષાતો જાય છે, ને તેનું જ
આ એક નાનકડું ફળ છે.......... શુદ્ધસ્વભાવ તરફ વળવા માટે દિશા પલટાવવાનો ઉદ્યમ કરતાં કરતાં વચ્ચે
રાગની દિશા પણ પલટી જાય છે ને તેથી વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે વિનય–ભક્તિના તેમજ બ્રહ્મચર્ય
વગેરેના અનેક પ્રસંગો બને છે.
આ બધા બહેનોએ આત્મહિતને માટે જીવન સમર્પણ કરી દેવાનું જે સાહસ પ્રાપ્ત કર્યું છે. તેમાં, પરમ
પૂજ્ય ગુરુદેવના આત્મસ્પર્શી ઉપદેશનો તો મુખ્ય પ્રભાવ છે જ–તે ઉપરાંત એવું જ મહત્ત્વનું એક બીજું પણ
કારણ છે, અને તે છે–બે બહેનોની શીતલ છાયા ને વાત્સલ્યભરી હૂંફ! પરમ પૂજ્ય બેનશ્રી ચંપાબેન તથા પરમ
પૂજ્ય બેન શાંતાબેન એ બંને બહેનો (–કે જેમનો ઉલ્લેખ મુખ્યપણે “બેનશ્રી–બેન” એવા સંયુક્ત નામથી
કરવામાં આવે છે–) તેમનું ધર્મરંગથી રંગાયેલું સહજ જીવન તો નજરે જોવાથી જ ખ્યાલમાં આવી શકે. એ બંને
બહેનોની પવિત્રતા, અનુભવ, સંસ્કાર, વૈરાગ્ય, તેમજ દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની અપાર ભક્તિ અને અર્પણતા,
વિનય અને વાત્સલ્ય વગેરેનું વિગતવાર વર્ણન અહીં થઈ શકે તેમ નથી. આજથી પાંચ વર્ષ પહેલાંં જ્યારે
કલકત્તાવાળા શેઠશ્રી વછરાજજી ગંગવાલ તથા તેમના ધર્મપત્ની મનફૂલાદેવી પહેલીવાર સોનગઢ
આવ્યા..........અને માત્ર ચાર દિવસ પૂ. ગુરુદેવનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળ્‌યો....તથા બંને પવિત્ર બહેનોની
ધર્મમય જીવનચર્યા દેખી.... ત્યારે તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા કે તે જ વખતે સોનગઢમાં બહેનોને માટે
એક આશ્રમ બંધાવવાનો તેમણે નિશ્ચય કર્યો, અને તે પ્રમાણે એક સુંદર આશ્રમ–“શ્રી ગોગીદેવી દિગંબર જૈન
શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમ” લગભગ સવા લાખ રૂા. ખર્ચીને તેમણે બંધાવી આપ્યો. તે આશ્રમમાં પૂ. બેનશ્રી–બેનની
હિતકર છાયામાં અનેક બહેનો રહે છે; જેઓ આશ્રમમાં નથી રહી શકતા તેઓ પણ આસપાસમાં જ રહે છે. અને
આ બહેનોના જીવનમાં પૂ. બેનશ્રી–બેન નિરંતર અપાર વાત્સલ્યપૂર્વક જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કરે છે.....દેવ–
ગુરુ–ધર્મની ભક્તિ બાબતમાં તો વર્તમાનયુગમાં તેઓશ્રીની અતૃતીયતા છે. આ રીતે ધર્મમાતા પૂ. બેનશ્રી–બેને
આ પુત્રીઓના જીવનનું ઘડતર કર્યું છે અને એ માતાઓની પવિત્ર ગોદમાં રહીને જ આ બધી બહેનોએ સતના
શરણે જીવન સમર્પણ કરવાની તાકાત મેળવી છે. આ રીતે પરમ પવિત્ર પૂ. બેનશ્રી ચંપાબેન અને પરમ પવિત્ર
પૂજ્ય બેન શાંતા બેનનો પણ બહેનો જીવનમાં મહાન ઉપકાર છે.
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનાર આ બધા બહેનોએ અનેક વર્ષો સુધી પરમપૂજ્ય ગુરુદેવના ઉપદેશના શ્રવણ
ઉપરાંત અનેક શાસ્ત્રોની સ્વાધ્યાય પણ કરી છે અને દર્શન–પૂજન–

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૨૨૦ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
ભક્તિ આદિ કાર્યો તો તેમને માટે સહજ છે. આ બહેનોએ અનેક વર્ષના સત્સમાગમ અને અભ્યાસ બાદ
પોતાની મેળે જ બ્રહ્મચર્ય–જીવન ગાળવાનો નિર્ણય કર્યો છે, તે માટે કોઈએ તેમને કહ્યું નથી, એટલું જ નહિ
પરંતુ જ્યારે તેમણે બ્રહ્મચર્ય માટેના પોતાના વિચારો જણાવ્યા ત્યારે તેમની દ્રઢતાની કસોટી કરીને જ તેમના
વડીલોએ તેમને સંમતિ આપી છે. આ બહેનો પોતાની ભૂમિકાને લક્ષમાં રાખીને રાત્રીભોજનત્યાગ, કંદમૂળ
વગેરે અભક્ષ્ય ત્યાગ ઈત્યાદિ યોગ્ય સંયમપૂર્વક રહે છે; અને નિવૃત્તિપૂર્વક પોતાના ધ્યેયને પહોંચી વળવા માટે
શક્તિ અનુસાર પ્રયત્ન કર્યા કરે છે. સંતોની છાયામાં આત્મસાધના વડે તેઓ પોતાના શીઘ્ર ધ્યેયને પ્રાપ્ત
કરો..... એવી ભાવના છે.
• • •
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેવાના દિવસે (ભાદરવા સુદ પાંચમે) સવારમાં ભક્તમંડળ સહિત બધા બહેનોએ
ભક્તિપૂર્વક શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રનાં દર્શન–સ્તુતિ કર્યા હતા, તેમ જ જિનમંદિરમાં શ્રી જિનેન્દ્રભગવાનનું તથા
તથા દસલક્ષણધર્મનું સમૂહપૂજન કર્યું હતું. ત્યાર બાદ આજના પ્રસંગ નિમિત્તે શ્રી જિનવાણી માતાની રથયાત્રા
બેન્ડવાજાં સહિત નીકળી હતી. બ્રહ્મચર્ય લેનારા ચૌદ બહેનો સહિત રથયાત્રા ગામમાં ફરીને ‘શ્રી પ્રવચનમંડપે’
આવી હતી.... ત્યાં પ્રવચનમાં પૂ. ગુરુદેવે વૈરાગ્યપૂર્વક કહ્યું હતું કે “આ શરીર તો ધૂળનું ઢીંગલું છે તેમાં ક્યાંય
આત્માનું સુખ નથી.......તેના ઉપરથી દ્રષ્ટિ હઠાવીને, ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અંદરથી શાંતિનું એક ઝરણું
આવે છે! જીવ જે શાંતિ લેવા માગે છે તે કોઈ સંયોગોમાંથી નથી આવતી પણ પોતાના સ્વભાવમાંથી જ આવે
છે.” પૂ. ગુરુદેવનું અધ્યાત્મરસ–ઝરતું આ પ્રવચન સભાજનોને વૈરાગ્યની ધૂનમાં ડોલાવતું હતું. એ ચૈતન્યસ્પર્શી
પ્રવચનનું શ્રવણ કર્યા બાદ ચૌદે બહેનો એકસાથે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેવા માટે હાથ જોડીને ઊભા થયા....ને
સભાજનો ઉત્સુકતાથી એ વૈરાગ્યપ્રસંગ નીહાળી રહ્યા....
પરમપૂજ્ય ગુરુદેવે પ્રથમ માંગલિક સંભળાવ્યું; અને પૂર્વે કોઈ કુદેવ–કુગુરુના સેવનથી કે સાચા
દેવગુરુના અવિનયથી, કે તીવ્ર હિંસાદિ પરિણામથી જે દોષો લાગ્યા હોય તેનું “મિચ્છામિ દુક્કડં” કરાવ્યું હતું.
ત્યાર બાદ.... “નાની ઉમરમાં આ બહેનો બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લ્યે છે તે બહુ સારું કામ કરે છે” એમ કહીને, પૂ.
ગુરુદેવે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા આપી હતી કે–તમારે ચૌદેય દીકરીઓએ પંચપરમેષ્ઠીની સાખે, ચાર તીર્થની સાખે ને
આત્માની સાખે જાવજ્જીવપર્યંત–આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવું.
બેનો હાથ જોડીને વિનયથી સાંભળી રહી છે, ને ગુરુદેવ કહે છે : નિવૃત્તિથી આત્માના વિચારના
અવકાશ માટે આ બ્રહ્મચર્ય નિમિત્ત છે. આત્માના લક્ષમાં આગળ વધવા માટે આ પણ એક નિમિત્ત છે.
શાસ્ત્રોમાં બ્રહ્મચર્યના વખાણ ઘણા આવે છે; દ્રષ્ટિ સહિતની વાત તો જુદી છે, અને ત્યારે પહેલાંં પણ પાત્રજીવને
બ્રહ્મચર્યાદિનો રંગ હોય છે.
એ પ્રમાણે બેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પૂરી થયા બાદ પૂ. ગુરુદેવે સભાને સંબોધીને કહ્યું કે–“આજે આ
દીકરીયુંએ બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લીધી તે બહુ સરસ કર્યું. આ બેનો ઘણા વર્ષથી અહીં રહીને તત્ત્વનું શ્રવણ કરે
છે.....અભ્યાસ કરે છે...........ને સમજણના લક્ષે આ કામ કરે છે; ધર્મનું મૂળસ્વરૂપ શું છે ને આ
બ્રહ્મચર્યપ્રતિજ્ઞાની મર્યાદા કેટલી છે તે તેમના ખ્યાલમાં છે. પહેલાંં છ બેનુંએ પ્રતિજ્ઞા લીધી હતી ને આજે આ
ચૌદ બેનુંએ પ્રતિજ્ઞા લીધી, આમ વીસ બેનો થયા. આવો પ્રસંગ ઘણા વર્ષે બને છે. રામજીભાઈ તો કહે છે કે
‘દીકરીયુંએ ડંકા માર્યા છે.” બીજાઓએ આનું અનુકરણ કરવા જેવું છે. ઘણા તો પચાસ પચાસ વર્ષે પણ વૃત્તિને
વાળી નથી શકતા, ત્યારે આ તો નાની નાની ઉમરમાંથી આ જાતની જવાબદારી લ્યે છે તે બેનોએ ઘણી હિંમત
કરી છે..........કોઈએ તેમને કહ્યું નથી પણ તેઓને પોતાની મેળે જ આ જાતના ભાવ થયા છે...........આ તો
સહજના સોદા છે......” (પૂ. ગુરુદેવે આટલું કહ્યા બાદ હિંમતભાઈ ભાષણ કરવા ઉભા થયા.........પણ ત્યાં તો
અચાનક એક વાત યાદ આવતાં પૂ. ગુરુદેવે કહ્યું–)
“હા! જુઓ, એક વાત રહી ગઈ. આ બેનુંનો આવો સમૂહ તૈયાર થયો તે તો આ બેનોને
(બેનશ્રીબેનને) આભારી છે; કેમકે હું તો બેનુંની વાતમાં ક્યાંય પડતો

PDF/HTML Page 8 of 41
single page version

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૨૧ :
નથી, મારે તો બૈરાંઓ સાથે પરિચય નથી, તેથી બેનોનો આ પ્રસંગ તો ખરેખર આ બે બેનોને આભારી છે.
બેનોની છત્રછાયામાં આ બ્રહ્મચારી બેનોનું રક્ષણ ને પાલન થાય છે, તે બેનોનો પ્રભાવ છે. આ બેનોનાં
(બેનશ્રી ચંપાબેન તથા બેન શાંતાબેનના) આત્મા અલૌકિક છે.......... આ કાળે આવા બેનો પાક્યા તે મંડળની
બેનુંના મહાભાગ્ય છે..... જેનાં ભાગ્ય હશે તે તેમનો લાભ લેશે.”
ત્યારબાદ સમસ્ત સંઘ તરફથી નૂતન બ્રહ્મચારી બહેનોને અભિનંદન આપતાં વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલભાઈએ કહ્યું હતું કે–આજે મંગળ દિવસ છે.........એક સાથે ૧૪ બેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી તે
ગુરુદેવનો મહા પ્રભાવ છે.......... આનંદનિધાન ચૈતન્યભગવાનના દર્શન કરીને તેનું જે સ્વરૂપ પૂ. ગુરુદેવ
બતાવે છે તે ઝીલીને, “અમે અમારા આવા આનંદનિધાનને કેમ વરીએ!.....ને આ દુઃખદ ભવસાગરથી કેમ
તરીએ?”–એવી ભાવનાથી, “જ્યાં સુધી એ આનંદધામ હાથ ન લાગે ત્યાં સુધી તે આનંદધામને સ્પર્શીને
આવતી સંતોની વાણી સાંભળ્‌યા જ કરીએ.......... સંતોની છાયામાં રહીને એ આનંદધામની ઝાંખી કરાવનારી
વાણીનું મંથન કર્યા જ કરીએ” –આવી ભાવનાથી આજે આ બેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી છે. તે માટે તેમને
અત્યંત અભિનંદન ઘટે છે...........જે ભાવનાથી તેમણે આ કાર્ય કર્યું છે તે ભાવનામાં આગળ વધીને તેઓ
પુરુષાર્થ વડે આત્મહિત સાધે–એમ ઈચ્છીએ.....આપણે સૌએ પણ એ કરવા જેવું છે કે જેથી અનંત ભવભ્રમણથી
છૂટીએ......આ બેનોએ જે વિરાટ પ્રયત્ન આદર્યો છે તે માટે તેમને ફરીને અભિનંદન!....તેઓએ તેમના કુટુંબને
અજવાળ્‌યું છે.......ને મુમુક્ષુમંડળનું ગૌરવ વધાર્યું છે.”
–આ ઉપરાંત, આ પ્રસંગે તાર અને પત્રોદ્વારા કેટલાક અભિનંદનના સંદેશાઓ આવ્યા હતા તે પણ વાંચી
સંભળાવ્યા હતા. તેમાં ઈંદોરથી પ્રતિષ્ઠાચાર્ય પંડિત શ્રી નાથુલાલજી અભિનંદન દેતાં પોતાના પત્રમાં પ્રમોદપૂર્વક
લખે છે કે–
“श्री पूज्य स्वामीजी से श्री दसलक्षणधर्म के प्रारंभिक दिवस भाद्रपद शुक्ला ५ को प्रातः आजीवन
ब्रह्मचर्यप्रतिज्ञा ग्रहण करने वाली १४ कुमारी बहनों के प्रति मैं हार्दिक आदरभाव प्रगट करता हूँ।
“बालब्रह्मचारी तीर्थंकर श्री नेमिनाथ और श्री पार्श्वनाथ के पश्चात् श्री महावीरस्वामीका यह
तीर्थकाल है तथा बालब्रह्मचारी श्री पूज्य कानजीस्वामी की अपूर्व वाणीका प्रभाव है कि जिनके आदर्शका
मूर्तरूप सौराष्ट्र के अनेक तरुणा बालब्रह्मचारी बन्धुओंमें द्रष्टिगोचर हो रहा है। इसी प्रकार ब्राह्मी–सुन्दरी
और राजीमतीके आदर्शको कार्यान्वित करनेवाली सोनगढमें विद्यमान २० बालब्रह्मचारिणी बहनें तथा
युवानस्थामें ही ब्रह्मचर्य अंगीकार करनेवाले अनेक दम्पती भगवान महावीरके तीर्थकी प्रभावना कर उसे
सार्थक बना रहे हैं। निःसंदेह आज यह भौतिकता पर आध्यात्मिकताकी विजय है।
...... धन्य है श्री पूज्य स्वामी जी, और श्री पूज्य बहनश्री बहन!”
અભિનંદન–સંદેશ પછી શ્રી જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી શેઠ શ્રી પ્રેમચંદભાઈએ બહેનોને
અભિનંદન આપતાં, પરમ કૃપાળુ ગુરુદેવનો મહિમા વર્ણવ્યો હતો અને ‘આ બહેનો આત્માની શાંતિને લક્ષમાં
રાખીને આગળ વધો’ –એવી ભાવનારૂપ આશીર્વાદ આપ્યા હતા; તેમ જ દરેક બહેનને એકેક સાડલો તથા
ચાંદીનો ગ્લાસ ભેટ આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ, બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેનાર બધા બહેનોના વાલીઓએ પોતપોતાના તરફથી જિનમંદિરમાં તેમજ
કુમારિકા–બ્રહ્મચર્યાશ્રમ વગેરેમાં દાનની રકમો જાહેર કરી હતી. આ બ્રહ્મચર્યપ્રતિજ્ઞાના અવસર ઉપર જુદાજુદા
અનેક ગામોથી હજાર ઉપરાંત લોકો આવ્યા હતા..... ને દરેક ગામના શ્રી સંઘોએ પોતાનું વાત્સલ્ય બતાવ્યું હતું.
અનેક લોકોએ કુમારિકા–બ્રહ્મચર્યાશ્રમના ફંડમાં હજારો રૂપિયાની રકમો લખાવી હતી. સુતાર અને રબારી
સુદ્ધાંએ રકમો લખાવીને આ પ્રસંગે પોતાનો પ્રમોદ જાહેર કર્યો હતો.
અંતમાં, જયજયકારપૂર્વક આ પ્રસંગની પૂર્ણતા થતાં બ્રહ્મચારીબેનો તરફથી શ્રીફળની લાણી થઈ હતી.

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૨૨૨ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
ત્યારબાદ બ્રહ્મચારીબેનો ધર્મમાતા પૂ. બેનશ્રી–બેનના આશીર્વાદ લેવા ગયા..........ત્યાં વિનયપૂર્વક
દર્શનાદિ કર્યા. અને પૂ. બેનશ્રી–બેને પ્રસંગોચિત શિખામણ આપતાં ઘણા વાત્સલ્યપૂર્વક કહ્યું : “તમે
આત્મહિતના હેતુએ જીવન ગાળજો.....દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિ અને બહુમાન વધારજો....અરસપરસ
એકબીજાની બેનો હો–એ રીતે વર્તજો....ને વૈરાગ્યથી રહેજો....એમાં શાસનની શોભા છે. આત્માનું કલ્યાણ કેમ
થાય...ને તે માટે પૂ. ગુરુદેવ શું કહે છે–તેનો વિચાર કરવો....સ્વાધ્યાય અને મનન વધારવું. બ્રહ્મચર્યપ્રતિજ્ઞાને
લીધે આત્માના વિચારને માટે નિવૃત્તિ મળે છે એમ પૂ. ગુરુદેવ વારંવાર કહે છે, માટે નિવૃત્તિ લઈને સ્વાધ્યાય–
મનન કરવું. આમ તમારે તમારા જીવનમાં આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ રાખવું.
પૂ. બેનશ્રીબેનની આવી સરસ હિત–શિખામણથી બધાને ઘણી પ્રસન્નતા થઈ હતી.
આ પ્રસંગ નિમિત્તે ‘આશ્રમ’ સુશોભિત મંડપ વગેરે શણગારથી શોભતો હતો....ને ત્યાં આખો દિવસ
ઉલ્લાસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. આજના ભક્તિ વગેરે કાર્યક્રમો પણ વિશેષ ઉલ્લાસથી થયા હતા. બ્ર.
બેનો તરફથી આહારદાન માટે વિનંતિ થતાં ભાદરવા સુદ છટ્ઠના રોજ પૂ. ગુરુદેવે આશ્રમમાં પધારીને ભોજન
કર્યું હતું. આ રીતે પૂ. ગુરુદેવ દ્વારા થઈ રહેલી અનેકવિધ પ્રભાવનાનો આ એક મહાન પ્રસંગ ઊજવાયો હતો.
પરમ પ્રભાવી પૂ. ગુરુદેવ દ્વારા પરમ હિતકર જૈનધર્મની અને વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રની જે
વિજયધ્વજા આજ ફરકી રહી છે તેને દેખીને કોઈ પણ ધર્મવત્સલ જિજ્ઞાસુ જીવનું હૃદય પ્રમોદથી પ્રફુલ્લિત થયા
વગર રહી શકતું નથી.
અંતમાં, સર્વે હિતાર્થી જીવોને માટે એવી ભાવના છે કે, તેઓ આપણા જૈનશાસનના આ એક અતિ
મૂલ્યવાન રત્નને પારખે, તેના દ્વારા થઈ રહેલી જૈનધર્મપ્રભાવનાને દેખીને પ્રમોદિત થાય અને દરેક આત્માર્થી
જીવ પોતાના આત્મહિતને માટે જેટલો લઈ શકાય તેટલો લાભ અવશ્ય લ્યે. વિવેકીજનો આત્મહિતના
અવસરમાં પ્રમાદ કરતા નથી.
जय जनन्द्र!.जय गरुदव!.जय जनशसन!
પ્રયત્ની દિશા
આત્માના પ્રયત્ન બાબતમાં દિશા બતાવતાં પૂ. ગુરુદેવ ઘણા ઊંડાણમાંથી કહે છે કે–
આત્મસ્વરૂપ શું છે તેનો નિર્ણય કરવાની ધૂન જાગવી જોઈએ......બધા ન્યાયોથી નક્કી
કરવાની લગન લાગવી જોઈએ......બધાય પડખેથી અંદર નક્કી ન થાય ત્યાં સુધી સખ ન પડે.....
એમ ને એમ ઉપર ટપકે જતું ન કરી દેવાય. અંદર મંથન કરી કરીને એવો દ્રઢ નિર્ણય કરે કે જગત
આખું ફરી જાય તોય પોતાના નિર્ણયમાં શંકા ન પડે. આત્માના સ્વરૂપનો આવો નિર્ણય કરતાં
વીર્યનો વેગ તેના તરફ જ વળે છે. અંતરમાં પુરુષાર્થની દિશા સૂઝી ગઈ પછી તેને માર્ગની મુંઝવણ
થતી નથી....પછી તો તેની આત્માની લગની જ તેનો માર્ગ કરી લ્યે છે. આગળ શું કરવું તેનો
પોતાને જ ખ્યાલ આવી જાય છે.....‘હવે મારે શું કરવું’ એવી મુંઝવણ તેને થતી નથી.
અહો! આત્મા પોતે પોતાનું હિત સાધવા જાગ્યો.........ને............હિત ન સાધી શકે એમ
બને જ કેમ? આત્માનો અર્થી થઈને આત્માનું હિત સાધવા જે જાગ્યો તે જરૂર આત્મહિત સાધે જ.

PDF/HTML Page 10 of 41
single page version

background image
સંતોની શીતલ છાયામાં
“અમ બાળકોને ચરણોમાં રાખજો. સર્વ પર્યાયે કરજો સહાય.
– વંદન કરું ભાવથી હું.”
હે વીરનંદન...ધર્મપિતા ગુરુદેવ! જેમ આપનો આત્મા આનંદમય ચૈતન્યપ્રભાથી ઝળકી રહ્યો છે તેમ
આપની મુદ્રા પણ પ્રસન્નતામય બ્રહ્મતેજથી ચમકી રહી છે. બ્રહ્મજીવનની અદ્ભુત મોજમાં આપ મહાલી રહ્યા
છો....ને હાકલદ્વારા અનેક જીવોને એ તરફ દોરી રહ્યા છો. આપની વીરહાકલ સાંભળતાં જ આત્માર્થી જીવો
ઝબકી ઊઠે છે....અને સંસારના વિષ જેવા વિષયોને ઠોકર મારીને આત્મિક–આનંદને સાધવા માટે આપના
શરણે દોડયા આવે છે.
.તારા ચરણોમાં રહીએ સદાય.
[ચિત્રમાં, પરમપૂજ્ય ગુરુદેવ અને બાલબ્રહ્મચારી ભાઈઓનું દ્રશ્ય છે. પરમ પૂજ્ય ગુરુદેવની એક તરફ
બ્ર. ચંદુભાઈ તથા બ્ર. અમુભાઈ છે.: અને બીજી તરફ બ્ર. ગુલાબચંદભાઈ તથા બ્ર. હરિભાઈ છે. આ બધા
ભાઈઓએ લગભગ દસવર્ષ પહેલાંં પૂ. ગુરુદેવ પાસે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; અને પૂ. ગુરુદેવની
શીતલ છાયામાં તેઓ પોતાનું જીવન વીતાવે છે.
]

PDF/HTML Page 11 of 41
single page version

background image
સંતોની શીતલ છાયામાં
“અમ બાળકોને ચરણોમાં રાખજો.સર્વ પર્યાયે કરજો સહાય.
– વંદન કરું ભાવથી હું.”
આજ દિન સુવર્ણ ઊગ્યો ગુરુજીના પ્રતાપથી, મહા ભાગ્ય ખીલ્યાં આજ મારે નાથ આવ્યા આંગણે. અમ
બાળના આધાર ગુરુજી, તરણ તારણ આપ છો, મુજ હૃદય ઊછળી જાય હું કઈ વિધ પૂજું નાથને? તુજ ગુણ
અપરંપાર પ્રભુજી બાળકો કેમ વર્ણવે? આનંદ હૃદયે ઊછળે પ્રભુ! આપનાં દર્શન થકી. નાચું બજાવું ભક્તિથી
ગુણ ગાન ગાઉં પ્રેમથી, આ બાળ વિનવે નાથ પ્રભુજી! ચાહું સેવા ચરણની. સત્ પંથના પ્રેરક પ્રભુ! જય જય
થજો તુજ જગતમાં, કલ્યાણકારી નાથ! મારાં વંદન હો તુજ ચરણમાં. ચૈતન્ય તણી વૃદ્ધિ કરી રહું આત્મશક્તિમાં
સદા, પ્રેર્યા કરો એ બોધ મુજને, ગુરુ કહાન ઉર વસિયા સદા. શુદ્ધાત્મની શક્તિ પ્રકાશી, સ્વરૂપગુપ્ત બનાવજો,
મુજને તમારી સાથ રાખી બ્રહ્મપદમાં સ્થાપજો. શાશ્વત તીર્થમાં સાથ રાખી, દર્શન અનંત ભગવંતનાં, આ દાસને
શિવપંથ સ્થાપી, રાખો તમારાં ચરણમાં.
[
ચિત્રમાં પૂજ્ય બેનશ્રીબેન અને ૨૦ બાલબ્રહ્મચારી બહેનોનું દ્રશ્ય છે. બ્રહ્મચર્યપ્રસંગ નિમિત્તે આશ્રમમાં
પૂ. ગુરુદેવને આહારદાન બાદ થયેલી સ્તુતિ અહીં આપી છે.]

PDF/HTML Page 12 of 41
single page version

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૨૩ :
ત્યાં આનંદનાં ઝરણાં ઝરે છે

અરે જીવ! બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી શાંતિનું ઝરણું
નથી. અનંતકાળથી તે બાહ્ય વિષયોમાં ઝાંવા નાંખ્યા છતાં તને શાંતિ ન થઈ,––તૃપ્તિ
ન થઈ, માટે તેમાં શાંતિ નથી એમ સમજીને હવે તો તેનાથી પાછો વળ.... ને
ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા! ચૈતન્ય સન્મુખ થતાં ક્ષણમાત્રમાં તને શાંતિનું વેદન
થશે ને... એ શાંતિના ઝરણામાં તારો આત્મા તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
વીતરાગી પર્યુષણપર્વની શરૂઆત
બ્રહ્મસ્વરૂપ આત્માને પ્રાપ્ત કરવાની પાત્રતા
ઉત્તમક્ષમાધર્મના દિવસે, ૧૪ બેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર
કરી તે પ્રસંગે પૂ. ગુરુદેવના અધ્યાત્મરસઝરતા વૈરાગ્યભર્યા
પ્રવચનમાંથી ચૂંટેલા ૧૪ રત્નો
૧.
જૈનશાસનમાં ખરા પર્યુષણ પર્વની આજે શરૂઆત થાય છે. દસલક્ષણીધર્મમાં આજે ઉત્તમક્ષમાનો
દિવસ છે; અને આપણે અહીં આજે ચૌદ બેનો–દીકરીઓ બ્રહ્મચર્યની બાધા લ્યે છે; એ રીતે આજે મંગળપ્રસંગ
છે. અને આ સમયસારની ૯૫ મી ગાથા વંચાય છે તેમાં પણ આત્માના હિતની મહામંગળ વાત છે.
૨.
આ દેહમાં રહેલો આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે પોતે જ શક્તિરૂપે ભગવાન છે. ભગવાનપણું એટલે
કે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદપણું ક્યાંય બહારથી નથી આવતું, પણ પોતાના સ્વભાવમાં જ તેવું સામર્થ્ય છે
તેમાંથી જ તે વ્યક્ત થાય છે. પોતાના આવા સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા અને એકાગ્રતા કરીને અતીન્દ્રિય આનંદના
વેદનમાં એવો લીન થાય કે જગતની કોઈ પ્રતિકૂળતામાં દ્વેષ કે અનુકૂળતામાં રાગની વૃત્તિ જ ન થાય, વીતરાગી
આનંદના વેદનમાં વચ્ચે ક્રોધાદિ ભાવોની ઉત્પત્તિ જ ન થાય,––તેનું નામ ઉત્તમક્ષમાદિ ધર્મ છે. આવા વીતરાગી
ધર્મની વિશેષ ઉપાસનાના દિવસો આજે શરૂ થાય છે.
૩.
ભગવાન! આ શરીર તો ધૂળનું ઢીંગલું છે, તેમાં ક્યાંય આત્માનું સુખ નથી.... તેના ઉપરથી દ્રષ્ટિ
હઠાવીને, ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અંદરથી શાંતિનું એક ઝરણું આવે છે. જીવ જે શાંતિ લેવા માંગે છે તે
કોઈ સંયોગોમાંથી

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૨૨૪ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
ગોમાંથી નથી આવતી પણ પોતાના સ્વભાવમાંથી જ આવે છે.
“મારો આત્મા સ્વત: આનંદ અને જ્ઞાનથી પરિપૂર્ણ છે; મારું જ્ઞાન કે આનંદ આ અચેતન શરીરમાં નથી;
આ દેહ જાય કે કટકા થાય, લાખો વર્ષ રહે કે આજે જ છૂટી જાય, પણ તે જડ છે, તેનામાં મારો અધિકાર નથી,
ને તેને આધીન મારું સુખ નથી,”–આવા ભાનપૂર્વક અંતર્મુખ થઈને સ્વભાવમાં એકાગ્ર થતા અંદરથી અતીન્દ્રિય
શાંતિનું એક એવું ઝરણું આવે........કે દેહ ઉપર ગમે તેવી પ્રતિકૂળતાના પરીષહો હોય તોપણ અંદર રાગ–દ્વેષરૂપ
અશાંતિ ઉત્પન્ન ન થાય,–એનું નામ ધર્મ છે. બહિરલક્ષે રાગ–દ્વેષના ભાવો ઉત્પન્ન થાય તે આત્માનું સ્વરૂપ નથી;
આત્મસ્વરૂપમાં અંતર્મુખ થતાં વીતરાગી શાંતભાવ ઉત્પન્ન થાય.......આનંદના ઝરણાં ઝરે.........તે આત્માનું
સ્વરૂપ છે ને તે જ ધર્મ છે. પરની ને વિકારની ઉપેક્ષા કરીને ચિદાનંદસ્વરૂપ આત્માની સન્મુખ થવાથી ઉત્તમક્ષમા
વગેરે ધર્મની આરાધના થાય છે.
૪.
ભગવાન! તું તો ચૈતન્યમૂર્તિ......ને આ શરીર તો ધૂળનું ઢીંગલું!....તેનામાં તારું સુખ કેમ હોય?
આ શરીરની રોગ–નીરોગ અવસ્થા તારે આધીન નથી, માટે તેની તો ઉપેક્ષા કર, તેનાથી ઉપેક્ષિત થઈને
સ્વભાવની અપેક્ષા કર; અર્થાત્ દેહદ્રષ્ટિ છોડીને ચૈતન્યસ્વભાવને દ્રષ્ટિમાં લે; આત્મા સિવાય કોઈ પણ ચીજ
મારી નથી–એમ દ્રષ્ટિને પર તરફથી હઠાવીને ચૈતન્યસ્વભાવમાં જોડવી તે ધર્મનો મૂળ પાયો છે.
૫.
ચૈતન્યસ્વભાવને ચૂકીને વિભાવની કે સંયોગની રુચિ કરવી તે મોટો ક્રોધ છે. ભલે મંદકષાયથી કોઈ
જીવ ક્ષમાવાન અને શાંત દેખાતો હોય, કોઈ નિંદા કે ઉપસર્ગ કરે છતાં તેના ઉપર ક્રોધ કરતો ન હોય, પરંતુ
અંદરમાં જો એવી બુદ્ધિ છે કે ‘ આ મંદકષાયના પરિણામ કે પાંચ ઈન્દ્રિયના વિષયો આત્માને સુખનું કારણ છે’–
તો તે જીવ વિષય–કષાયોથી પાર એવા ચૈતન્યસ્વભાવનો અનાદર કરે છે; અતીન્દ્રિય–શાંત ચૈતન્યનો અનાદર
કરીને તે વિષય–કષાયમાં જ ડુબેલો છે; તેને ઉત્તમક્ષમાદિ વીતરાગીધર્મની ખબર નથી.
૬.
હે ભાઈ! આત્મામાં અંતર્મુખ થવાની આ રીત તો સાંભળ! ગમે ત્યારે પણ આત્મામાં અંતર્મુખ થયે
જ કલ્યાણ છે, એ સિવાય બહિર્મુખ વલણમાં ક્યાંય કલ્યાણ નથી. શરીરને સાચવવાની માન્યતા કે ઈન્દ્રિય–
વિષયોમાંથી સુખ લેવાની બુદ્ધિ તે ચૈતન્યસ્વભાવથી તદ્ન વિરુદ્ધ છે. અનંત અનંતકાળ બાહ્યવિષયોમાં ભટક્યો
છતાં તેમાં ક્યાંય જીવને શાંતિ ન મળી....ને તૃપ્તિ ન થઈ, માટે બાહ્યવિષયોમાં ક્યાંય સુખ છે જ નહિ–એમ
નિર્ણય કરીને હે જીવ! તું અંતરમાં વળ! આ અંતર્મુખ થવાની રીત સંતો બતાવે છે. ચિદાનંદસ્વભાવના
શ્રદ્ધાજ્ઞાન કરીને પછી તેમાં જ અંતર્મુખ થઈને જ્યાં આનંદના વેદનમાં લીન થયો ત્યાં બહારમાં લાખો પ્રતિકૂળ
પ્રસંગો બને તો પણ ક્રોધ થતો નથી, તેનું નામ વીતરાગી ક્ષમા છે.
૭.
હું આનંદકંદ....સચ્ચિદાનંદ....અનાદિઅનંત આત્મા છું–એમ સ્વભાવની પ્રતીત અને સ્વસંવેદન થતાં
ધર્મની શરૂઆત થઈ; પછી તેમાં એવી લીનતા થાય કે–
‘બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો...’
–આવી સ્થિતિનું નામ મુનિદશા છે.......ત્યાં આત્મામાંથી આનંદનાં ઝરણાં ઝરે છે.
૮.
બહારમાં ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ હો કે અનુકૂળ પ્રસંગ હો, તે મારાથી ભિન્ન છે, મારા જ્ઞાનના જ્ઞેય
છે, પરંતુ મને સુખ–દુઃખના દાતાર નથી. પર સંયોગોને ઈષ્ટ–અનિષ્ટ માનવા તેમાં તો મિથ્યા માન્યતાનું મહાન
અસત્ય છે ને તે મહાપાપ છે. પહેલાંં તે માન્યતા સુધાર્યા વગર કદી પણ ચારિત્રધર્મ થાય નહિ. જેમ જમીન
વગર આકાશમાં બીજ ઊગતા નથી, તેમ ભગવાન

PDF/HTML Page 14 of 41
single page version

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૨૫ :
આત્મા પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપ છે–તેની સમ્યક્શ્રદ્ધારૂપી ભૂમિકા વગર વીતરાગીચારિત્રનાં વૃક્ષ ઊગતા નથી.
સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે.
૯.
ભાઈ! પહેલાંં તો આટલો તો વિચાર કર કે ‘હું જે શાંતિ લેવા માગું છું તે મારામાં હોય કે મારાથી
બહાર હોય?’ તું જે શાંતિ લેવા માંગે છે તે તારામાં જ છે, બહારમાં નથી. અજ્ઞાનને લીધે પોતાને ભૂલીને
પોતાની શાંતિ માટે બહાર વ્યર્થ ફાંફાં મારે છે. જેમ પોતાની ડૂંટીમાં જ રહેલી કસ્તુરીને ભૂલીને મૃગલું સુગંધ
શોધવા બહારમાં દોડે છે. અથવા મૃગજળને પાણી માનીને ત્યાં દોડે છે, તેમ પોતાના સ્વરૂપમાં જ રહેલી શાંતિને
ભૂલીને અજ્ઞાની જીવ બહારમાં શાંતિ શોધે છે, બાહ્યવિષયોમાં શાંતિ માટે ઝાંવા નાંખે છે, પણ અરે જીવ! એ
વિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી શાંતિનું ઝરણું નથી. અનંતકાળથી તેં બાહ્યવિષયોમાં ઝાંવા
નાંખ્યા છતાં તને શાંતિ ન થઈ–તૃપ્તિ ન થઈ, માટે તેમાં શાંતિ નથી એમ સમજીને હવે તો તેનાથી પાછો વળ!
ને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા! ચૈતન્યસન્મુખ થતાં ક્ષણમાત્રમાં તને શાંતિનું વેદન થશે, ને એ શાંતિના
ઝરણામાં તારો આત્મા તૃપ્ત..........તૃપ્ત થઈ જશે.
૧૦.
જુઓ, આજે વીતરાગી પર્યુષણની શરૂઆત થાય છે. પર્યુષણ કહો કે આત્માની શાંતિનો રાહ
કહો. હું જે શાંતિ લેવા માંગું છું તે કોઈ સંયોગોમાં નથી, રાગમાં નથી, પણ મારા સ્વભાવમાં જ છે–એમ દ્રઢ
વિશ્વાસ કરીને, અંતમુર્ખ થઈને, સમ્યક્શ્રદ્ધામાં જ્ઞાનમાં અને ચારિત્રમાં આત્માને જ વસાવવો.....એટલે કે શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર ત્રણેને અંતરમાં વાળીને આત્મસ્વભાવમાં જોડવા તે પર્યુષણપર્વની ખરી ઉપાસના છે; ને તેમાં
આત્મામાંથી શાંતિનાં ઝરણાં વહે છે.
૧૧.
અહો! આવા તારા સ્વભાવની વાત સાંભળીને એકવાર પ્રભુ! હા તો પાડ! આ જ હિતનો ઉપાય
છે ને આ જ મારે કરવા જેવું છે–એમ એક વાર નિર્ણય તો કર! વીતરાગી સંતોએ અનુભવેલી આ વાત છે.
આત્માના આનંદ–સ્વભાવનું વર્ણન સાંભળતાં જેનો આત્મા ઉલલાસથી ઊછળી ગયો, તેને સંસારના વિષયોમાં
સુખબુદ્ધિ રહેતી નથી, તેને ચૈતન્ય સિવાય બાહ્યવિષયો અત્યંત તૂચ્છ લાગે છે; અને અંતર્મુખ થઈને તે જરૂર
આત્માના આનંદને પ્રાપ્ત કરે છે.
૧૨.
પ્રભો! એક વાર તારા જ્ઞાનસ્વરૂપ આત્માનો વિશ્વાસ કર. પરમાં સુખ માનીને, ભગવાન! તું
ભૂલ્યો....... જેમ ભ્રમણાથી કોઈ માતાને સ્ત્રી માની બેસે ને ખોટી વાસના થાય, પણ જ્યાં જાણે કે ‘અરે! આ
તો મારી માતા!! મારી જનેતા!’–ત્યાં તે વાસના છૂટી જાય છે ને શરમાઈ જાય છે. તેમ પોતાના ચૈતન્યસ્વરૂપને
ચૂકીને ભ્રમણાથી પરમાં સુખ માન્યું, પણ જ્યાં ભૂલ ભાંગીને ભાન કર્યું કે ‘હું તો પરથી જુદો ચૈતન્યસ્વભાવી
છું, મારું સુખ પરમાં નથી, મારું સુખ તો મારામાં જ છે..... અત્યાર સુધી પરમાં સુખ માનીને હું ભૂલ્યો’–ત્યાં
પછી સ્વપ્નેય પરમાં સુખબુદ્ધિ થતી નથી, તેની વૃત્તિનો વેગ વિષયો તરફથી પાછો વળીને સ્વભાવ તરફ વળી
જાય છે. ત્યાં વીતરાગી દેવ–ગુરુનું બહુમાન, તૃષ્ણાનો ઘટાડો ને બ્રહ્મચર્યનો રંગ વગેરે તો સહેજે હોય જ.
૧૩.
જુઓ, આજે ૧૪ બેનો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લ્યે છે, સાત વર્ષ પહેલાંં બીજા છ બેનોએ પણ
પ્રતિજ્ઞા લીધી હતી. બધાય બહેનો કુંવારા છે. પુરુષ કરતાં સ્ત્રીઓને શરીરની પરાધીનતા છે, છતાં આ બેનો
પ્રતિજ્ઞા કરે છે તે ઘણી હિંમત કરે છે. સાધારણ માણસો–જેઓ વૃત્તિનો વેગ વાળી શકતા નથી–તેમનાં તો હૃદય
હલી જાય એવું છે.
બ્રહ્મસ્વરૂપમાં આત્મમાં ચર્યા કરવી તે ખરું બ્રહ્મચર્ય છે. બ્રહ્મ એટલે આનંદસ્વરૂપ આત્મા, તેમાં ચરવું–
રમવું–એકાગ્ર થવું તે બ્રહ્મચર્ય છે. અને આવા લક્ષપૂર્વક આગળ વધવા માટે બ્રહ્મચર્ય વગેરેનો રંગ હોય તેને
પાત્રતા ગણાય છે. બ્રહ્મસ્વરૂપ–આનંદસ્વરૂપ આત્માને ચૂકીને પરમાં

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૨૨૬ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
સુખબુદ્ધિનો ભ્રમ થઈ ગયો તેને બ્રહ્મચર્ય ન કહેવાય. સંયોગોમાં સુખનો ભ્રમ તે મહાન અબ્રહ્મ છે.
અતીન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્યબ્રહ્મ આત્મા અસંયોગી તત્ત્વ છે તેને ચૂકીને, સંયોગમાં જ તેની તીવ્ર
વૃત્તિ છે તેને તો ચૈતન્યના અનુભવની પાત્રતા નથી. ચૈતન્યના અતીન્દ્રિયસુખનો રંગ જેને લાગે તેને
ઈન્દ્રિયવિષયોનો રંગ ઊડી જાય. સંયોગી ચીજમાં જે વૃત્તિનો તીવ્ર વેગ કરી નાંખે છે તેને અસંયોગી સ્વભાવ
તરફ વળવાનો અવકાશ રહેતો નથી. સ્વભાવની રુચિ થાય અને બાહ્યવિષયો તરફની વૃત્તિનો વેગ મોળો ન
પડે–એમ બને જ નહીં.
આ બ્રહ્મચર્યપ્રસંગથી આત્માના વિચાર માટે વિશેષ નિવૃત્તિ મળે છે. અવકાશ લઈને આત્માના
વિચારમાં આગળ વધવા માટે આ એક નિમિત્ત છે.
૧૪. સમકિતી ધર્માત્માએ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખ્યો છે; તે જાણે છે કે મારો આત્મા
જ્ઞાન–આનંદસ્વરૂપ છે, તેમાં એકાગ્ર થવું તે જ મારો ધર્મ છે ને તેમાં જ મારી શાંતિ છે, એ સિવાય બાહ્યલક્ષે
પુણ્ય–પાપની જે વૃત્તિઓ થાય તેમાં મારી શાંતિ નથી, અને સંયોગોમાં પણ સ્વપ્નેય મારું સુખ નથી. ચૌદ
બ્રહ્માંડમાં કોઈ મારો આનંદ આપનાર નથી, મારો આનંદ મારામાં જ છે. ઈન્દ્રપદના વૈભવમાં કે ઈન્દ્રાણીના
સહવાસમાં પણ મારો આનંદ નથી. આવા ભાનપૂર્વક ચૈતન્યના અતીન્દ્રિયઆનંદના વેદન પાસે, ઈન્દ્રાણી જેવી
નવયૌવના સ્ત્રીને નીરખતાં તે કષ્ટાની પૂતળી ભાસે છે, તેમાં સ્વપ્નેય સુખ ભાસતું નથી, તે ભગવાન સમાન
છે. પોતાના પરમાત્મસ્વરૂપનું સહજ સુખ તેના વેદનમાં આવી ગયું છે, તેથી ચૌદ બ્રહ્માંડના કોઈ પણ વિષયમાં
જરાપણ સુખબુદ્ધિ તેને થતી નથી;–તે ભગવાન સમાન છે, અને અલ્પકાળમાં પૂર્ણાનંદને સાધીને તે સાક્ષાત્
પરમાત્મા થઈ જશે.
મોંઘા માનવજીવનું કર્તવ્ય
સમુદ્રનાં પાણીથી પણ જેની તૃષા ન છીપી તેની તૃષા એક ટીપું પાણીથી તૂટવાની નથી;
તેમ આ જીવે સ્વર્ગાદિના ભોગ અનંતવાર ભોગવ્યા છતાં તૃપ્તિ ન થઈ, તો સડેલા ઢીંગલા
સમાન આ માનવદેહના ભોગથી તેને કદાપિ તૃપ્તિ થવાની નથી. માટે ભોગ ખાતર જિંદગી
ગાળવા કરતાં મનુષ્યજીવનમાં બ્રહ્મચર્ય પાળવું અને નિવૃત્તિથી તત્ત્વનો અભ્યાસ કરવો તે જ
આ મોંઘા માનવજીવનમાં કરવા જેવું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે.
ઘણા ભૂખ્યા ગીધને રોટલાનો કટકો મળ્‌યો, પણ પાણીમાં તેનું પ્રતિબિંબ જોતાં માંસના
કટકાની લાલચે તે પણ ખોયો; તેમ આ સંસારમાં અનંત જન્મ–મરણના પ્રવાહમાં તણાતા જીવને
અલ્પ માનવજીવનનો કટકો મળ્‌યો, તેને મૂર્ખ જીવ વિષયોમાં વેડફી નાંખે છે. અરે! આ મોંઘા
જીવનને વિષયભોગની લાલસામાં વેડફી નાંખવા કરતાં વૈરાગ્ય લાવી બ્રહ્મચર્ય પાળવું અને
નિવૃત્તિથી તત્ત્વનો અભ્યાસ કરવો તે આ મોંઘા જીવનનું મહા કર્તવ્ય છે.
• • • •
દેહને ખાતર અનંત જીવન વ્યતીત થયા..... સંતો કહે
છે કે હવે આત્માર્થને ખાતર આ જીવન અર્પણ કરો.

PDF/HTML Page 16 of 41
single page version

background image
પૂ. બેનશ્રીબેન.અને ૧૪ બાલબ્રહ્મચારી બેનો
વચમાં પૂજ્ય બેનશ્રીબેન બિરાજમાન છે; તેઓશ્રીની જમણી તરફથી શરૂ કરતાં–(૧) ઉષાબેન, (૨)
સુશીલાબેન જગજીવન, (૩) ચંદ્રપ્રભાબેન, (૪) જસવંતીબેન હીરાલાલ, (૫) ઇંદુમતીબેન, (૬) વસંતબેન,
(૭) પદ્માબેન, (૮) સુશીલાબેન શાંતિલાલ, (૯) લલિતાબેન, (૧૦) જસવંતીબેન હિંમતલાલ, (૧૧)
ચંદ્રાબેન, (૧૨) પુષ્પાબેન, (૧૩) જસવંતીબેન રતિલાલ, (૧૪) ભાનુમતીબેન–એ પ્રમાણે ૧૪ બ્રહ્મચારી
બહેનો છે.
પરમપૂજ્ય સદ્ગુરુદેવ પાસે આ ૧૪ કુમારિકાબેનોએ ભાદરવા સુદ પાંચમના રોજ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી તે શુભ પ્રસંગની યાદગીરીમાં, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી, “આત્મધર્મ”નો
આ ખાસ વિશેષ અંક “બ્રહ્મચર્ય–અંક” (બીજો) પ્રસિદ્ધ કરતાં અમને ઘણો હર્ષ થાય છે. અને અમને દ્રઢ
વિશ્વાસ છે કે ભારતના જે જે ભક્તજનોના હાથમાં આ અંક જશે તે સૌ ભક્તજનો અમારા આ હર્ષમાં
હોંસપૂર્વક સાથ પુરાવશે.

PDF/HTML Page 17 of 41
single page version

background image
પૂ. બેનશ્રીબેન.અને ૬ બાલબ્રહ્મચારી બેનો
વચમાં પૂજ્ય બેનશ્રીબેન બિરાજમાન છે; તેઓશ્રીની જમણી તરફથી શરૂ કરતાં–
(૧) શારદાબેન જગજીવન શાહ સુરેન્દ્રનગર ઉ. વર્ષ : ૨૯
(૨) દયાબેન શિવલાલ મહેતા મોરબી ઉ. વર્ષ : ૩૪
(૩) કાન્તાબેન માણેકલાલ કામદાર અમરેલી ઉ. વર્ષ : ૨૮
(૪) મુક્તાબેન જગજીવન દોશી સાવરકુંડલા ઉ. વર્ષ : ૨૭
(૫) કંચનબેન મગનલાલ ચુડગર વઢવાણ ઉ. વર્ષ : ૩૧
(૬) કંચનબેન છોટાલાલ શાહ ધાંગ્રધ્રા ઉ. વર્ષ : ૩૦
–આ છએ કુમારિકા બેનોએ લગભગ સાત વર્ષ પહેલાંં પરમ પૂજ્ય ગુરુદેવ પાસે આ– જીવન–
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે; અને આશ્રમમાં પૂ. બેનશ્રીબેનની શીતલછાયામાં તેઓ પોતાનું જીવન વીતાવે છે.

PDF/HTML Page 18 of 41
single page version

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૨૭ :
“સમ્યગ્દર્શનું અફર આંગણું”

સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે આંગણે આવેલો જીવ પહેલાંં પોતાના
આત્મસ્વભાવનો નિર્ણય કરે છે. ત્યાં જો કે મનનું અવલંબન છે પણ નિર્ણયમાં તો
‘અરિહંત જેવો મારો આત્મા છે’ એમ નક્કી કર્યું છે, એટલે તે નિર્ણયમાં મનના
અવલંબનની મુખ્યતા નથી પણ સ્વભાવ તરફના ઝૂકાવની મુખ્યતા છે, તેથી તેને
“સમ્યગ્દર્શનનું અફર આંગણું” કહ્યું છે.
વીર સં. ૨૪૭૫ના કારતક સુદ તેરસ ને રવિવારના રોજ છ બેનોએ બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા લીધી તે પ્રસંગે શ્રી પ્રવચનસાર ગાથા ૮૦ ઉપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
[૧]
આજે માંગળિક પ્રસંગ છે ને ગાથા બરાબર અલૌકિક આવી છે. પ્રવચનસારની ‘૮૦’ મી ગાથા છે;
૮૦ એટલે આઠ અને શૂન્ય, આઠ કર્મનો નાશ કરીને સિદ્ધદશા કેમ થાય તેની આ વાત છે.
અરિહંત ભગવાનનો આત્મા પણ પૂર્વે અજ્ઞાન દશામાં હતો ને સંસારમાં રખડતો હતો; પછી
આત્માનું ભાન કરીને તેણે પોતાના દર્શનમોહનો ક્ષય કર્યો, અને શુદ્ધોપયોગ વડે ચારિત્રમોહનો પણ ક્ષય
કરીને સર્વજ્ઞ અરિહંતદશા પ્રગટ કરી. –આવા અરિહંત ભગવાનના આત્માને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જે જીવ
બરાબર જાણે છે તે પોતાના આત્માને જાણે છે ને તેને દર્શનમોહનો નાશ થઈને શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટે છે.
[૨]
અહીં તો, જે જીવ આત્મસ્વભાવના આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં જરૂર પ્રવેશ કરે છે–
એવી જ શૈલિ છે. આત્માના સ્વભાવની નિર્વિકલ્પ પ્રતીતિ ને અનુભવ તે સમ્યકત્વ છે, તે અપૂર્વ

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૨૨૮ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
ધર્મ છે; તે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે જીવ પહેલાંં પોતાના આત્મસ્વભાવનો નિર્ણય કરે છે.
શરૂઆતમાં, અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને પોતાના આત્મ સ્વભાવનો નિર્ણય
કરે છે તેમાં હજી મનનું અવલંબન છે તેથી તેને ‘સમ્યગ્દર્શનનું આંગણું’ કહેવાય છે. મનનું
અવલંબન છોડીને સીધો સ્વભાવનો અનુભવ કરશે તે સાક્ષાત્ સમ્યગ્દર્શન છે. ભલે પહેલાંં મનનું
અવલંબન છે પણ નિર્ણયમાં તો ‘અરિહંત જેવો મારો આત્મા છે’ એમ નક્કી કર્યું છે, એટલે તે
નિર્ણયમાં મનના અવલંબનની મુખ્યતા નથી પણ સ્વભાવ તરફના ઝૂકાવની મુખ્યતા છે, તેથી તેને
‘સમ્યગ્દર્શનનું અફર આંગણું’ કહ્યું છે.
[૩]
સમ્યગ્દર્શન પ્રગટાવવા માટે આ અલૌકિક અધિકાર છે. આ અધિકાર સમજીને યાદ રાખવા
જેવો છે ને આત્મામાં વાગોળવા જેવો છે. નિર્ણય–દ્વારા સ્વભાવના આંગણે આવ્યા પછી અંદર
ઊતરીને સ્વભાવનો અનુભવ કરવામાં અનંતી અપૂર્વ પુરુષાર્થ છે. આ ચૈતન્યભગવાનને આંગણે
આવ્યા પછી–એટલે કે મન વડે આત્મસ્વભાવને જાણ્યા પછી–ચૈતન્યસ્વભાવની અંદર ઢળીને
અનુભવ કરવા માટે અપૂર્વ પુરુષાર્થ કરે તે જ ચૈતન્યમાં ઢળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, પણ જે
જીવો શુભવિકલ્પમાં અટકી જાય છે તેઓ પુણ્યમાં અટકી જાય છે, તેમને સમ્યગ્દર્શન થતું નથી.
પરંતુ અહીં તો જે જીવ સ્વભાવના આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં વળીને અનુભવ કરે જ–એવી
અપ્રતિહતપણાની જ વાત છે, આંગણે આવેલો પાછો ફરે એવી વાત જ નથી.
[૪]
જુઓ, ભાઈ! આ જ આત્માના હિતની વાત છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવે આ
સમજણ પૂર્વે અનંત કાળમાં એક સેકંડ પણ નથી કરી. એક સેકંડ પણ જે આવી સમજણ કરે તેને
ભવનો નાશ થયા વિના રહે નહિ. જેણે આવી સમજણ કરીને સમ્યગ્દર્શન કર્યું તે જીવ મોક્ષના
આંગણે આવી ગયો. ભલે તેને આહાર વિહારાદિ હોય પણ આત્માનું લક્ષ એક ક્ષણ પણ દ્રષ્ટિમાંથી
છૂટતું નથી, આત્મસ્વભાવનો જે નિર્ણય કર્યો છે તે કોઈ પ્રસંગે ખસતો નથી; તેને ક્ષણે ક્ષણે ધર્મ
થયા કરે છે.
અંતર્મુખ થઈને આત્માના સ્વસંવેદનથી જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે સમકિતીને
ભગવાનનાં દર્શન થઈ ગયા, આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો, આનંદનું વેદન થઈ ગયું, સ્વાનુભવ
થઈ ગયો, નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ, અનંત ભવનો નાશ થઈ ગયો, સિદ્ધદશાના સંદેશ આવી
ગયા, આત્માની મુક્તિના ભણકાર આવી ગયા. સમકિતી ધર્માત્માની આવી દશા હોય છે,––ભલે તે
અવ્રતી હોય.... ભલે તિર્યંચ હોય.... કે ભલે નરકમાં હોય.
[૫]
આ સમ્યગ્દર્શનની અપૂર્વ મંગલકારી વાત છે..... બરાબર લક્ષ રાખીને સમજવા જેવી છે.....
જો આત્માનું લક્ષ રાખીને અંતરમાં આ વાત સમજે તો અનંતકાળે નહિ મળેલો એવો અપૂર્વ
સમ્યગ્દર્શનનો લાભ થાય. –આ વાત સાંભળવા મળવી પણ મોંઘી છે. આ સમજવામાં સ્વભાવનો
અપૂર્વ પુરુષાર્થ છે. સ્વભાવના અનંત પુરુષાર્થ વગર જો તરી જવાતું હોત તો તો બધા જીવો મોક્ષમાં
ચાલ્યા જાત! પુરુષાર્થ વગર આ સમ–

PDF/HTML Page 20 of 41
single page version

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૨૯ :
જાય તેમ નથી. આ સમજવા માટે સ્વભાવની રુચિપૂર્વક ધીરજથી સતત પ્રયત્ન કરવો જોઈએ. જેણે
આત્મસ્વભાવનું ભાન કર્યું તેને તે ભાન સદાય રહ્યા કરે છે, ખાતાં–પીતાં ક્યારેય આત્મા ભૂલાતો
નથી. સદાય આવું આત્મભાન રહ્યા કરે–એ જ કરવાનું છે. આવું ભાન થયા પછી જ્ઞાનીને તે ગોખવું
નથી પડતું, તેની સહજદશા જ એવી થઈ જાય છે.
[૬]
અહો, આ વાત સમજવા માટે અંતરમાં અપૂર્વ હોંસથી આત્માની દરકારપૂર્વક અભ્યાસ કરવો
જોઈએ. સ્ત્રીનો પ્રેમી તેની વાત કેવી હોંસથી સાંભળે છે!–છતાં ત્યાં તો કાંઈ સુખ નથી. આ તો
આત્માની મુક્તિ મળે તેવી વાત છે, મોક્ષના અભિલાષીને આ સમજવા માટે અંતરમાં હોંસ ને
ઉત્સાહ જોઈએ. આ સમ્યગ્દર્શનની રીત સમજ્યા વગર ક્યાંય આરો કે ઉગારો નથી. જે જીવ આ
સમજશે તે જીવ મોહનો નાશ કરીને, ક્રમેક્રમે અકંપપણે સ્વભાવમાં આગળ વધીને, ચારિત્રદશા
પ્રગટ કરીને, કેવળ જ્ઞાન અને સિદ્ધપદને પામશે.
• • • •
પૂ. ગુરુદેવ સમ્યક્ત્વનો ઉપાય બતાવે છે
ચર્ચામાં એક જિજ્ઞાસુ ભાઈએ પૂછયું :
વિકલ્પદ્વારા સાત તત્ત્વની પ્રતીતરૂપ આંગણે આવ્યો પણ અંદર પ્રવેશ ન કર્યો–એટલે શું?
ઉત્તરમાં પૂ. ગુરુદેવે કહ્યું :
‘હું જીવ છું, અજીવ મારાથી ભિન્ન છે’ ઈત્યાદિ પ્રકારે સાત તત્ત્વ વિકલ્પથી જાણ્યા......પણ
તે વિકલ્પ સમ્યગ્દર્શનનું કારણ નથી. વિકલ્પમાં એકતા કરીને તેના જ વેદનમાં જીવ અટક્યો,
પણ વિકલ્પથી જુદો પડીને સ્વભાવના વેદનમાં ન આવ્યો તેથી સમ્યગ્દર્શન ન થયું. કેમકે
સમ્યગ્દર્શનની આદિમાં (–શરૂઆતમાં) વિકલ્પ નથી પણ આત્મા જ છે, એટલે કે વિકલ્પના
આશ્રયથી સમ્યગ્દર્શનની શરૂઆત થતી નથી પણ આત્માના જ આશ્રયથી સમ્યગ્દર્શનની
શરૂઆત થાય છે.
અનંતવાર વિકલ્પ સુધી આવીને તેમાં જ અટકી ગયો પણ સ્વભાવમાં ન વળ્‌યો તેથી
એમ કહેવાય કે આંગણે આવ્યો પણ અંદર પ્રવેશ ન કર્યો.
સમ્યગ્દર્શનની આદિમાં મધ્યમાં કે અંતમાં વિકલ્પ નથી; અંતર્મુખ થઈને પ્રતીત કરતાં
આત્મા પોતે જ સમ્યગ્દર્શનાદિનું કારણ થાય છે, તેથી સમ્યગ્દર્શનની આદિમાં મધ્યમાં ને અંતમાં
આત્મા જ છે. પહેલાંં વિકલ્પ હતો માટે સમ્યક્ત્વ થયું–એમ નથી. વિકલ્પ વખતે પણ નિર્ણયમાં
તો એમ હતું કે આ વિકલ્પ મારા સમ્યક્ત્વનું સાધન નથી, હજી આ વિકલ્પથી આગળ જઈને
આત્મામાં ઊંડા ઊતરવાનું છે, હજી સ્વભાવમાં અંતર્મુખ થવાનું છે. અંતર્મુખ થતાં આત્મા પોતે
જ સાધન થઈને સમ્યક્ત્વ થાય છે.
[રાત્રિચર્ચામાંથી : શ્રાવણ વદ બીજ]