Atmadharma magazine - Ank 158
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૫૮
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વષ ૧૪ : અક ૨ : મગશર : ૨૪૮૩ જન સ્વધ્યય મદર ટસ્ટ – સનગઢ
૧૫૮
– સિદ્ધભગવંતોની પંક્તિમાં –
પરિપૂર્ણ આત્મસ્વરૂપને પામેલા સિદ્ધભગવંતો જગતમાં અનાદિથી છે,
એવા સિદ્ધભગવંતો અનંત છે, ને તેમાં સદાય વૃદ્ધિ જ થયા કરે છે.
હે સિદ્ધભગવંતો! આપને મેં મારા આત્મામાં સ્થાપ્યા, એટલે હું પણ
આપની પંક્તિમાં બેઠો... મારા આત્માને મેં સિદ્ધપણે સ્થાપ્યો... હે નાથ! આપ
સિદ્ધ... ને હું પણ સિદ્ધ! બસ! હવે મારા આત્મામાં સમયે સમયે સિદ્ધદશા
પ્રત્યે જ વૃદ્ધિ થયા કરે છે... મારા આત્મામાં વૃદ્ધિ જ થતી જાય છે, ને
સંસારની સમયે સમયે હાનિ જ થતી જાય છે. આ રીતે મારા જ્ઞાનમાં આપને
પધરાવીને હું પણ આપની પાસે આવી રહ્યો છું.
–પૂ. ગુરુદેવ

PDF/HTML Page 3 of 25
single page version

background image
મુમુક્ષુ નો માર્ગ
નિયમસારના ૧૬૫મા શ્લોકમાં ટીકાકાર મુનિરાજ કહે છે કે:
હું મુમુક્ષુંમાર્ગે જાઉં છું... મુમુક્ષુઓ જે માર્ગે ચાલીને મુક્તિ પામ્યા તે માર્ગે હું જાઉં છું. મારા સ્વભાવરૂપ
કારણ પરમાત્માનો આશ્રય કરીને... સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને હું મોક્ષમાર્ગે જાઉં છું–કે જે માર્ગે
મુમુક્ષુઓ ચાલ્યા છે. પૂર્વે જે સિદ્ધભગવંતો થયા તેઓ આ માર્ગે ચાલીને જ મુક્ત થયા છે, હું પણ હવે તે જ માર્ગે
જાઉં છું, વિભાવના માર્ગે હું જતો નથી. અનાદિનો પુણ્ય–પાપરૂપી જે સંસારમાર્ગ તેને છોડીને હવે હું જ્ઞાનાનંદ
સ્વભાવમાં વળું છું... હવે હું વીતરાગી મોક્ષમાર્ગે જાઉં છું. બધાય મુમુક્ષુઓને આ એક જ મોક્ષમાર્ગ છે. મુમુક્ષુઓ
તે માર્ગનું અનુસરણ કરો.
“શ્રમણો જિનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.”
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકથી “આત્મધર્મ”નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી થાય છે. અત્યાર સુધી તેનું પ્રકાશન
વલ્લભવિદ્યાનગરથી થતું તેને બદલે હવેથી ભાવનગરથી થશે. અને વ્યવસ્થા પણ ત્યાંથી જ થશે, માટે વ્યવસ્થા
બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો:–
આનંદ પ્રેસ–ભાવનગર
– સર્વજ્ઞદેવે જે કહ્યું તે ઝીલીને –
સંતો સર્વજ્ઞના માર્ગે ચાલ્યા જાય છે
શ્રી પંચાસ્તિકાયની ૧૦મી ગાથામાં...‘भण्णंति सव्वण्हू’ એમ કહીને કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે કે
સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે તે અમે ઝીલ્યું છે.
અહો, સર્વજ્ઞનાથ! આપે સર્વજ્ઞતાથી જગતના સર્વ પદાર્થોને એક ક્ષણમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક જોયા,
અને જેવા જોયા તેવા જ કહ્યા. હે દેવ! પદાર્થોનું આવું સ્વરૂપ આપના સિવાય બીજા કોઈએ પ્રત્યક્ષ જોયું નથી
ને બીજે ક્યાંય કહ્યું નથી. અને આપના શાસનના ભક્ત સિવાય બીજો કોઈ તેની યથાર્થ પ્રતીત કરી શકતો
નથી.
હે સર્વજ્ઞ ભગવાન! આપ કહેનારા, અને અમે તે સાંભળનારા! આપે જે કહ્યું તે અમે ઝીલ્યું.......તે
ઝીલીને અમે પણ આપના માર્ગે ચાલ્યા આવીએ છીએ...તેથી અમે પણ હવે અલ્પકાળે આપના જેવા સર્વજ્ઞ
થવાના છીએ.
[કા. સુદ ૧૪: વિહાર પહેલાંના સોનગઢના છેલ્લા પ્રવચનમાંથી]
‘અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્‌યા છીએ.’
જેને અંર્તપલટો થાય તેને કોઈને પૂછવા જવું ન પડે, તેનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે કે
અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્‌યા છીએ, સિદ્ધના સંદેશા આવી ચૂકયા છે, હવે ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો, તેમાં
બીજું કાંઈ થાય નહિ, ફેર પડે નહિ.
સમ્યગ્દર્શન પ્રગટ થતાં આત્માનો અનુભવ થાય છે. જેવો સિદ્ધભગવાનને અનુભવ હોય છે તેવો ચોથે
ગુણસ્થાને સમકિતી જીવને અનુભવ હોય છે; સિદ્ધને પૂર્ણ અનુભવ હોય છે ને સમકિતીને અંશે અનુભવ હોય
છે,–પણ જાત તો તે જ. સમકિતી આનંદસાગરના અમૃતનો અપૂર્વ સ્વાદ લઈ રહ્યો છે, આનંદના ઝરણામાં મોજ
માણી રહ્યો છે.
જેને સાચી શ્રદ્ધા પ્રગટે તેનું આખું અંતર ફરી જાય, હૃદયપલટો થઈ જાય, અંતરમાં ઊથલપાથલ થઈ
જાય, આંધળામાંથી દેખતો થાય; અંતરમાં જ્યોત જાગે તેની દશાની દિશા આખી ફરી જાય.
–પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ : : : છૂટક નકલ ચાર આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
વર્ષ ચૌદમું સમ્પાદક માગશર
અંક બીજો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
ધર્મપિતાના ધામાં
તીર્થંકરો અને સંતોના પુનિત ચરણોથી પાવન
થયેલી ભૂમિમાં જ્ઞાનીઓ જ્યારે તીર્થયાત્રા કરવા જાય
છે ત્યારે તેમને એમ નથી લાગતું કે અમે પરદેશમાં
આવ્યા છીએ; પણ તેમને તો એવા ભાવો ઉલ્લસે છે
કે અહો! આ તો અમારા ધર્મપિતાનો દેશ! તીર્થંકરો
અને સંતો અમારા ધર્મપિતા છે... અમે અમારા
ધર્મપિતાના આંગણે આવ્યા છીએ... અમે અમારા
ધર્મપિતાનો જ્ઞાન અને આનંદનો વારસો લેવા આવ્યા
છીએ... હે નાથ! આપ અમારા ધર્મપિતા છો... અમે
આપના પુત્ર છીએ... આપના પગલે પગલે... આપના
પુનિત પંથે સિદ્ધિધામમાં આવીએ છીએ...
આમ ભગવાનના પગલે પગલે ચાલનારા
સંતો જ ભગવાનની ખરી યાત્રા કરે છે.
નમસ્કાર હો... એ સિદ્ધિધામના યાત્રિક સંતોને.

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૧૫૮
પૂ. ગુરુદેવના વિહારનું મંગલ ગીત
[કારતક સુદ ૧૪ના રોજ ભક્તિમાં પૂ. બેનશ્રીબેને ગવડાવેલું મંગલવિહારનું ભાવભીનું ગીત]
ભરત ભૂમિમાં સોના સૂરજ ઊગીયો... રે... જિનજી... ભારત આંગણે પધારે સદ્ગુરુદેવ...
આજે દૈવી વાજાં વાગીયા રે... જિનજી! ...(૧)
સમ્મેદાચલ ઉત્તમ તીર્થરાજ છે રે... તેને ભેટવા જાયે ઉત્તમ ગુરુરાજ... આજે...(૨)
હિંદુસ્તાનમાં મંગળ યાત્રા થાય છે રે... મોંઘેરા મારે સદ્ગુરુદેવના વિહાર... આજે...(૩)
હિંદુસ્તાનમાં પાવન પગલા ગુરુદેવના રે... હિંદ જીવોનાં જાગ્યા સુલટા (મહા) ભાગ્ય... આજે...(૪)
ગુરુદેવના વિહારે ભારત નાચશે રે... આવ્યો આવ્યો અદ્ભુત યોગીરાજ... આજે...(૫)
અનુપમ મૂર્તિ સાક્ષાત્ ગુરુદેવ છે રે... અનુપમ કાર્યો કરે જીવન માંહી... આજે...(૬)
ભારત આંગણ–આંગણ તોરણો બંધાય છે રે... ભવ્ય જીવોનાં વૃંદો ઊછળી જાય... આજે...(૭)
શાશ્વત તીર્થ દર્શને ગુરુ સંચરે રે... એને હૈડામાંહી ઘણી છે હામ... મારે દૈવી... આજે...(૮)
ગુરુજીનો સાથ મળવો બહુ દોહીલો રે... મહાભાગ્યે મળ્‌યો ગુરુજીનો સાથ... આજે...(૯)
તીર્થયાત્રા ગુરુજી સંગે થશે રે... સેવકોના જન્મ સફળ થાય... આજે...(૧૦)
કુમકુમ પગલે ગુરુજી પધારતા રે... આકાશે બહુ દેવદુંદુભી નાદ... આજે...(૧૧)
મંગલકારી ચંદનથી ગુરુચરણો પૂજું રે... હીરલેથી વધાવું ગુરુદેવ... આજે...(૧૨)
દેશોદેશના સજ્જનો ગુરુજીને પૂજશે રે... ભક્તિભાવે સ્વાગત રૂડા થાય... આજે...(૧૩)
ગુરુદેવની ન્યાયવાણી અમર તપો રે... જૈન શાસનમાં વર્તો જય જયકાર... આજે...(૧૪)
વીતરાગી માર્ગ ગુરુજી મારા સ્થાપતા રે.....ગુરુદેવનો વર્તો જય જયકાર...આજે...(૧૫)
શાશ્વતયાત્રા શાશ્વત તીરથરાજની રે... શાશ્વત હોજો ગુરુદેવનો સાથ... આજે...(૧૬)
– પરમેશ્વરની જાહેરાત –
સર્વજ્ઞ પરમેશ્વરની વાણીમાં વસ્તુસ્વરૂપની એવી પરિપૂર્ણતા
જાહેર કરી છે કે: દરેક આત્મા પોતાના સ્વભાવથી પૂરો–પરમેશ્વર છે,
તેને કોઈ બીજાની મદદની અપેક્ષા નથી; તેમજ દરેક જડ પરમાણુ પણ
તેના સ્વભાવથી પરિપૂર્ણ–જડેશ્વર ભગવાન–છે; આ રીતે ચેતન અને
જડ દરેક પદાર્થ સ્વતંત્ર અને પોતાથી જ પરિપૂર્ણ છે, કોઈ તત્ત્વ કોઈ
બીજા તત્ત્વનો આશ્રય માંગતું નથી.–આમ સમજીને પોતાના પરિપૂર્ણ
આત્માની શ્રદ્ધા અને આશ્રય કરવો ને પરનો આશ્રય છોડવો તે
પરમેશ્વર થવાનો પંથ છે.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 6 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૫ :
શાશ્વત તીર્થ સમ્મેદશિખરજી ધામની યાત્રા માટે
પૂ. ગુરુદેવનો મંગલ વિહાર
સિદ્ધિપ્રાપ્ત અનંત સિદ્ધભગવંતોને નમસ્કાર
સિદ્ધિસાધક અને સિદ્ધિપંથપ્રદર્શક શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર












આત્માનું અંતિમ ધ્યેય જે સિદ્ધપદ, તેને અનંત જીવો પ્રાપ્ત કરી ચૂકયા છે; જે સ્થાનથી જીવો સિદ્ધપદ પ્રાપ્ત
કરે છે તે સ્થાનને સિદ્ધિધામ કહેવાય છે. શ્રી સમ્મેદશિખરજી તીર્થ એ ભારતનું શાશ્વત સિદ્ધિધામ છે, અનંતા
તીર્થંકરો ત્યાંથી મુક્તિ પામ્યા છે ને પામશે. સિદ્ધપદ–પ્રાપ્તિની ભાવનાવાળા જીવોને સિદ્ધિધામની યાત્રાનો ભાવ
પણ જાગે છે.
પરમ પૂજ્ય ગુરુદેવ જેમ આપણને સિદ્ધિનો માર્ગ દર્શાવે છે તેમ શાશ્વત સિદ્ધિધામ (સમ્મેદશિખરજી)
પણ દેખાડો–એવી ઘણા ભક્તજનોની ભાવના હતી, ને વારંવાર તે માટે પૂ. ગુરુદેવને વિનંતીઓ થતી હતી...
છેવટે એક મંગલદિને ભક્તોની એ ભાવના ફળી ને પૂ. ગુરુદેવે સંઘ સહિત શ્રી સમ્મેદશિખરજી ધામની યાત્રાએ
પધારવાનો સ્વીકાર કર્યો...આ શુભ સંદેશથી ભારતમાં ઠેરઠેર હર્ષ છવાઈ ગયો.
કારતક સુદ ૧૨ ના રોજ સુવર્ણપુરના લાખેણા જિનમંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની વેદીપ્રતિષ્ઠાનો
ભવ્ય મહોત્સવ ઉજવાયો... અને તરત જ શાશ્વત તીર્થરાજ સમ્મેદશિખરજી ધામને ભેટવાની જોરદાર તૈયારીઓ
થવા લાગી... જ્યાં જુઓ ત્યાં બધાય ભક્તજનો યાત્રાની તૈયારીમાં જ મશગૂલ હતા... બે દિવસ તો ઝડપથી
ચાલ્યા ગયા... ને શાશ્વત તીર્થધામ પ્રત્યે પુનિત પગલાં ભરવાનો મંગલ દિન આવી પહોંચ્યો.
કારતક સુદ પૂર્ણિમા... રવિવાર... અષ્ટાહ્નિકાનો મંગલ દિન... આજે પૂ. ગુરુદેવે સમ્મેદશિખરજી ધામ
પ્રત્યે સોનગઢથી મંગલ વિહાર કર્યો...સવારમાં પાંચ વાગે પૂ. ગુરુદેવ સીમંધરનાથ ભગવાનના દર્શન કરવા
પધાર્યા... જાણે વહાલો પુત્ર પિતાજી પાસે યાત્રા માટે વિદાય લેવા આવ્યો... એવું એ પિતા–પુત્રનું મિલન હતું.
ગુરુદેવ હાથ જોડીને ભાવભીના ચિત્તે સીમંધર

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૧૫૮
ભગવાન પાસે ઊભા હતા ને ભક્તો પંચપરમેષ્ઠીની સ્તુતિ બોલતા હતા–
अर्हतो भगवंत इन्द्रमहिताः सिद्धाश्च सिद्धीश्वराः आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः।
श्री सिद्धांतसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।।
એ પ્રમાણે સ્તુતિ અને જયકાર બાદ પૂ. ગુરુદેવ નેમિનાથ ભગવાનના દર્શને આવ્યા.... પ્રભાતના
ઉપશાંત વાતાવરણમાં વૈરાગ્ય રસમાં ઝૂલી રહેલા એ નાથને થોડીવાર નીહાળ્‌યા...ને વૈરાગ્યના ધોધથી હૃદય
પાવન થયું. ત્યાં અગાશીમાંથી માનસ્તંભસ્થ ગગનવિહારી વિદેહીનાથ નજરે પડ્યા... પછી આવ્યા
સમવસરણમાં...ત્યાં દર્શન કરીને–
“પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે...”
–એમ ગાતાં ગાતાં ભક્તોએ પૂ. ગુરુદેવની સાથે સાથે પ્રભુજીની પ્રદક્ષિણા કરી. તે વખતે એવું સરસ
વાતાવરણ હતું કે જાણે પૂ. ગુરુદેવ ભગવાનના પંથે વિચરી રહ્યા છે ને ભક્તજનો પૂ. ગુરુદેવના પગલે પગલે
પ્રભુના પંથે ચાલી રહ્યા છે. ત્યારબાદ માનસ્તંભમાં ચારે દિશામાં બિરાજમાન સીમંધરપ્રભુના દર્શન કરીને પૂ.
ગુરુદેવ સ્વાધ્યાયમંદિરમાં આવીને બિરાજ્યા...
પૂ. બેનશ્રીબેન સહિત ભક્તમંડળે યાત્રા–મહોત્સવની ધૂન ગાતાં ગાતાં સ્વાધ્યાયમંદિરને પ્રદક્ષિણા દીધી,
પછી ગુરુદેવના દર્શન–સ્તુતિ કર્યા. ત્યારબાદ આજના મંગલ વિહારના માંગળિકરૂપે પૂ. ગુરુદેવે પ્રમોદથી કહ્યું :
“આત્મામાં અનંત ધર્મો છે...પણ સર્વધર્મો નથી. જો આત્મામાં સર્વધર્મો હોય તો પરના ધર્મો પણ
આત્મામાં આવી જાય એટલે આત્મા પરની સાથે એક મેક થઈ જાય. –પણ આત્મા પરથી જુદો છે. આત્મામાં
પરના ધર્મો નથી, એટલે તેનામાં સર્વ ધર્મો નથી, પણ સર્વજ્ઞ અને સર્વદર્શીપણું તેનામાં છે. પરના ચતુષ્ટયનો
આત્મામાં અભાવ છે, પણ પોતાના અનંતજ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યરૂપ સ્વચતુષ્ટયથી તે પરિપૂર્ણ છે. આમ
પરથી ભિન્ન પોતાના સ્વભાવચતુષ્ટયને ઓળખીને અને તેને વ્યક્ત કરીને અનંતા જીવો સિદ્ધપદ પામ્યા છે.
પોતાના સ્વભાવચતુષ્ટય પ્રગટ કરીને અનંતા તીર્થંકરો સમ્મેદશિખરધામથી મોક્ષ પધાર્યા...તે સમ્મેદશિખરજી
તીર્થની યાત્રા કરવા માટે આ વિહાર થાય છે.”
આટલું કહીને મુમુક્ષુઓના અપાર હર્ષ વચ્ચે ““ અનંતચતુષ્ટયસ્વરૂપાય નમ:” એવા મંગલ–વચનપૂર્વક
પૂ. ગુરુદેવે શાશ્વત સિદ્ધિધામ પ્રત્યે ઝડપથી પુનિત પગલા માંડયા...શાશ્વત સિદ્ધિધામની યાત્રા માટે પૂ.
ગુરુદેવના મંગલ વિહારનો પ્રારંભ થયો.
× × ×
સમ્મેદશિખરજીની યાત્રા માટે પૂ. ગુરુદેવના આ વિહાર–મહોત્સવ પ્રસંગે ભક્તજનોને ઘણો આનંદ હતો.
સુવર્ણપુરીનું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી છવાઈ ગયું હતું... સુવર્ણ–પ્રભાત અદ્ભુત શોભાથી ખીલી રહ્યું
હતું. જરાક ચાલીને આશ્રમ પાસે આવતાં પૂ. ગુરુદેવ એકાએક થંભી ગયા... ને ભક્તોને આશ્ચર્ય થયું... ત્યાં તો
માનસ્તંભ સામે નજર કરીને પૂ. ગુરુદેવ બોલ્યા–જુઓ, ભગવાન કેવા દેખાય છે!! ભક્તોને એ દ્રશ્ય જોઈને
આનંદ થયો. પૂ. ગુરુદેવ ભાવપૂર્વક હાથ જોડીને ભગવાનને નીહાળી રહ્યા હતા... જાણે કે યાત્રા માટે જતાં જતાં
ભગવાન પાસે વિદાયની આજ્ઞા લેતા હતા... ને... ભગવાન મંગલ–આશીર્વાદપૂર્વક વિદાય આપતા હતા.
પૂ. ગુરુદેવ તો ઝડપભેર ચાલ્યા જતા હતા... ને ભક્તો પણ ઉમંગભેર પાછળ જતા હતા. ચોકમાં પૂ.
ગુરુદેવે માંગળિક સંભળાવ્યું... ને ભક્તજનો પૂ. ગુરુદેવને વોળાવીને મંગલગીત ગાતાં ગાતાં પાછા ફર્યા:
“ગુરુજીનો વિહાર જયજયકાર... વિચરે મંગલકારી...”
વિહારમાં પૂ. ગુરુદેવની સાથે રહેનારા ભક્તો (બ્ર. ભાઈઓ વગેરે) રસ્તામાં ઉમંગપૂર્વક ગાતા હતા કે:–
ચાલો ચાલો, સૌ હળીમળીને આજ...
સમ્મેદશિખર જઈએ...
ચાલો ચાલો, સદ્ગુરુદેવની સાથ
સમ્મેદ યાત્રા કરીએ...
ચાલો ચાલો, સાધક સંતોની સાથ...
સમ્મેદ યાત્રા કરીએ...

PDF/HTML Page 8 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૭ :
પરમપૂનિત તીર્થધામ શ્રી સમ્મેદશિખરજી
એમ ભક્તિથી ગાતાં ગાતાં, જયજયકારપૂર્વક સમ્મેદશિખરજીને યાદ કરતા જતા હતા... વચ્ચે ઝાડી અને
પહાડીના રમણીય દ્રશ્યો જોતાં શિખરજી ધામનાં દ્રશ્યો યાદ આવતા હતા.
સોનગઢથી વિહાર કરીને લગભગ દસ વાગે વલ્લભીપુર આવ્યા. વલ્લભીપુરના ઠાકોરસાહેબે પૂ. ગુરુદેવનું
સન્માન કર્યું. દરબારગઢના ગેસ્ટહાઉસમાં ઉતારો હતો. બપોરે પૂ. ગુરુદેવના પ્રવચનમાં હજાર ઉપરાંત માણસોએ
લાભ લીધો. સોનગઢથી પણ અનેક મુમુક્ષુ ભાઈ–બહેનો આવ્યા હતા. પૂ. ગુરુદેવે પદ્મનંદી પચીસીના
એકત્વઅધિકારની પહેલી ગાથા ઉપર મંગલ પ્રવચન કર્યું.
રાત્રિચર્ચામાં વલ્લભીપુરના રાજા પ્રવીણસિંહજીએ પ્રશ્ન પૂછયો કે: “આ જીવને કોઈ પણ કારણ વગર
ક્યારેક ખૂબ પ્રસન્નતા દેખાય છે ને ક્યારેક તે ખૂબ ખેદખિન્ન બની જાય છે–તેનું શું કારણ હશે? ”
તેના ઉત્તરમાં પૂ. ગુરુદેવે કહ્યું: જીવને મંદકષાય હોય ને એ જાતનો સાતાનો ઉદય હોય એટલે તેવી
પ્રસન્નતા લાગે પણ તે કાંઈ ખરી પ્રસન્નતા નથી. જીવ પોતાના અકષાયી આનંદને ચૂકી ગયો છે એટલે
મંદકષાયમાં તેને પ્રસન્નતા લાગે છે. આત્મા પોતે આનંદ સ્વભાવી છે, તે આનંદસ્વભાવી આત્માના ભાનપૂર્વક
તેના અતીન્દ્રિય આનંદનું જે વેદન થાય તે જ ખરી પ્રસન્નતા છે. જ્ઞાનસ્વભાવને પકડતાં જે આનંદ આવે તે
અતીન્દ્રિય આનંદ કહેવાય... ને તેમાં જ આત્માની ખરી પ્રસન્નતા છે. જ્ઞાનસ્વભાવી આત્માના લક્ષ વગર જે
પ્રસન્નતા દેખાય છે તે તો સાતાનો ઉદય છે, ને જે ખેદખિન્નતા થાય છે તે અસાતાનો ઉદય છે. આત્માના લક્ષ
વગર જે પ્રસન્નતા લાગે છે તે કાંઈ ખરો આનંદ નથી, તે તો મંદકષાય છે, એટલે તે પણ કષાય છે–દુઃખ છે.
આત્માની અકષાયી શાંતિનું વેદન થાય તે જ ખરી પ્રસન્નતા છે.
વલ્લભીપુરમાં વિહારની શુભ શરૂઆતમાં જ પૂ. ગુરુદેવના ચરણોમાં એક રાજવીનું શિર ઝૂકયું... એ એક
મંગળસૂચક પ્રસંગ બન્યો.
રાત્રિચર્ચા પૂરી થતાં વલ્લભીપુરનો કાર્યક્રમ પૂરો થયો.
× × ×
કારતક વદ એકમ, સોમવાર તા. ૧૯
સવારમાં વહેલા ઉઠીને શ્રી જિનેન્દ્ર ભગવાનનું સ્તવન કર્યું... ને પૂ. ગુરુદેવે વલ્લભીપુરથી પાટણા તરફ
વિહાર કર્યો. વિહારમાં વચ્ચે ‘મૂળ ધરાઈ’ ગામ આવ્યું, ત્યાં બંધાયેલી નવી નિશાળમાં પૂ. ગુરુદેવના પગલાં
કરાવીને તેનું ઉદ્ઘાટન કર્યું... ત્યાંથી આગળ પાટણા પહોંચતા લોકોએ ઉમંગથી સ્વાગત કર્યું.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૧૫૮
અહીં એક શાંતધામમાં અમારો ઉતારો હતો... મુનિઓના વાસ સમાન શાંતિમય ધામમાં પૂ. ગુરુદેવની
સાથે રહેતાં અમને ઘણી શાંતિ થતી હતી. વિહાર દરમિયાન પહેલેથી જ ભક્તો એવી ભાવના ભાવી રહ્યા હતા
કે: જાણે કોઈ મહાન આચાર્ય કે મુનિઓના સહવાસમાં વિચરતા હોઈએ–એવી ઉત્તમ ભાવનાથી આ યાત્રાનો
વિહાર પૂ. ગુરુદેવની સાથે કરવો છે. અને, આવા નાના ગામડાના શાંત વાતાવરણમાં પૂ. ગુરુદેવની સમીપ
બેસતાં એ ભાવનાઓ તાજી થતી હતી.
જ્યાં પૂ. ગુરુદેવનો ઉતારો હતો ત્યાં બપોરે એક ખેડૂત બળદને પાણી પાવા આવ્યો... બળદે શાંતિથી
ધીરેધીરે ત્રણચાર ડોલ પાણી પીધું, ને તૃપ્ત થઈ ગયો. પૂ. ગુરુદેવ એ બધું જોઈ રહ્યા... ને પછી કહ્યું: જુઓ, આ
બળદ પાણી પીવા આવ્યો છે, એ તો પશુ છે... એને તો એમ જ છે કે ‘મને તરસ લાગી છે ને હું પાણી પીઉં છું
તથા પાણીથી મને તૃપ્તિ થાય છે.’ પણ ‘આ બળદનું શરીર હું નથી, હું તો આ શરીરથી ને પાણીથી જુદો
જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ –એવો વિચાર તેને નથી. તેમ આ મનુષ્ય અવતાર પામીને પણ જેઓ દેહાદિથી ભિન્ન
આત્માનો વિચાર કે વિવેક નથી કરતા તે જીવો પણ આ ઢોર જેવા જ છે.
પૂ. ગુરુદેવના નિકટ સહવાસમાં આવા આવા પ્રસંગો વારંવાર બને છે ને તેથી આત્મહિતની વિશેષ
પ્રેરણાઓ મળ્‌યા કરે છે.
સાંજે પૂ. ગુરુદેવ તળાવકાંઠે ફરવા પધાર્યા... તે વખતે જાણે આનંદસરોવરના કાંઠે ચૈતન્ય હંસ કેલિ કરી
રહ્યો હોય–એવું સુંદર દ્રશ્ય લાગતું હતું.
રાત્રે ચર્ચામાં પૂ. ગુરુદેવે કહ્યું કે: કાલે બરવાળા આવે છે; તે ચંપાબેનનું ગામ છે. એમ કહીને બેનશ્રીબેન
સંબંધી કેટલોક પરિચય આપ્યો હતો.
× × ×
કારતક વદ ૨–૩, મંગળવાર, તા. ૨૦
સવારમાં વહેલા શ્રી આરાધનાપાઠ–સ્તુતિ કરી; ને પૂ. ગુરુદેવ પાટણાથી વિહાર કરીને બરવાળા પધાર્યા...
ભક્તજનોએ ધામધૂમથી ઉમંગભેર સ્વાગત કર્યું... દરબારો ઉતારે આવ્યા બાદ પૂ. ગુરુદેવે સુંદર માંગળિક
સંભળાવતા કહ્યું કે “આત્માનો આનંદ તે ઉત્કૃષ્ટ મંગળ છે; જે ભાવે આત્માનો આનંદ પ્રગટે તે મંગળ છે.”
બપોરે પૂ. ગુરુદેવના પ્રવચનમાં હજાર જેટલા માણસોએ લાભ લીધો હતો. પ્રવચન પછી પૂ. ગુરુદેવ
ભાઈલાલભાઈને ત્યાં સમયસારની સ્થાપના માટે પધાર્યા હતા.
બરવાળામાં પૂ. બેનશ્રીબેન પણ પધાર્યા હતા.... પૂ. બેનશ્રીના પિતાજી જેઠાલાલભાઈનું આ મૂળ ગામ,
તેથી અહીં તેમનું મકાન તથા દુકાન જોવા માટે ભક્તજનો ગયા હતા.
સાંજે પૂ. બેનશ્રીબેને જિનવાણી માતાની ભક્તિ કરાવી હતી; રાત્રે પૂ. ગુરુદેવ પાસે ચર્ચામાં ગામના
ઘણા માણસોએ જિજ્ઞાસાથી લાભ લીધો હતો.
–આ રીતે શાશ્વત સિદ્ધિધામને ભેટવા માટે, જૈન ધર્મની પ્રભાવના ફેલાવતા ફેલાવતા પૂ. ગુરુદેવ પુનિત
પગલે વિચરી રહ્યા છે.
કારતક વદ ૪, બુધવાર, તા. ૨૧
સવારમાં વહેલા શ્રી ચોવીશ તીર્થંકર ભગવંતોની સ્તુતિ બાદ, પૂ. ગુરુદેવ બરવાળાથી પોલારપુર
પધાર્યા... પોલારપુરમાં હીરાચંદ માસ્તર વગેરેએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. માંગળિકમાં પૂ. ગુરુદેવે કહ્યું કે
‘આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રગટે તે માંગળિક છે.’ બપોરે પ્રવચનમાં ૪૦૦–૫૦૦ માણસો આવેલા. પ્રવચન
પછી પૂ. ગુરુદેવ ‘ભીમનાથ’ પધારેલા ને ત્યાં માંગળિક સંભળાવેલું.
કારતક વદ પ, ગુરુવાર, તા. ૨૨
પોલારપુરથી પૂ. ગુરુદેવ ધંધુકા પધાર્યા. ત્યાં પ્રેમચંદભાઈ શેઠે (રાણપુરવાળા) તથા તેમના ભાગીદાર
દ્વારકાદાસભાઈ પટેલે પ્રેમપૂર્વક સંઘનું સ્વાગત કરેલું. ગામના બીજા પણ ઘણા ભાઈઓએ પ્રેમપૂર્વક ભાગ લીધો
હતો. પૂ. ગુરુદેવના પગલાં જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં લોકોને એમ થતું કે “અહો! પૂ. કાનજીસ્વામી
સમ્મેદશિખરજીની જાત્રાએ જતાં જતાં અમારા આંગણે પધારે–એવો લાભ અમને ક્યાંથી? ” આવી ભાવનાથી
લોકોને ઘણો ઉલ્લાસ થતો. બપોરે પ્રવચનમાં ૫૦૦–૬૦૦ માણસોએ લાભ લીધો હતો; ને રાત્રે ચર્ચામાં પણ
ઘણા માણસોએ રસપૂર્વક લાભ લીધો હતો. આજના પ્રવચનમાં પૂ. ગુરુદેવે
(અનુસંધાન પૃષ્ઠ ૨૧ પર)

PDF/HTML Page 10 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૯ :
વલ્લભીપુરમાં મંગલ પ્રવચન
પાલેજમાં અનંતનાથ ભગવાનની વેદીપ્રતિષ્ઠા માટે, અને
શાશ્વત તીર્થધામ સમ્મેદ શિખરજીની યાત્રા માટે પૂ. ગુરુદેવશ્રી
વિહાર કરી રહ્યા છે. તે વિહારનું આ સૌથી પહેલું મંગલ પ્રવચન
છે... તેમાં પૂ. ગુરુદેવ ભાવપૂર્વક કહે છે કે: હે ભગવાન! આપને
નમસ્કાર કરીને હું આપની પંક્તિમાં બેસું છું... ને હું પણ પરમાત્મા
થવા માટે આપના પગલે પગલે આવું છું.
(કારતક સુદ પૂર્ણિમા–રવિવારના રોજ વલ્લભીપુરમાં પૂ. ગુરુદેવનું મંગલ પ્રવચન)
શ્રી પદ્મનંદી પચ્ચીસી
વલ્લભીપુર
ત્િ: તા. ૧૮–૧૧–૫૬ રવિવાર

આત્માના ધર્મનો આ વિષય છે. અહીં મંગલાચરણમાં ચિદાનંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છે:–
चिदानंदैकसद्भावं परमात्मानमव्ययम्।
प्रणमामि सदा शान्तं शान्तये सर्वकर्मणाम्।।
१।।
સર્વ કર્મનો નાશ કરીને આત્માની શાંતિની પ્રાપ્તિ માટે, અહીં માંગળિક તરીકે જ્ઞાન–આનંદસ્વરૂપ
પરમાત્માને નમસ્કાર કરું છું.
આ દેહથી ભિન્ન આત્મા શું ચીજ છે તેના ભાન વગર જીવ અનાદિથી ચાર ગતિમાં રખડી રહ્યો છે. ‘હું
કોણ છું?’ તેની સમજણ પૂર્વે એક ક્ષણ પણ કરી નથી.
“હું કોણ છું... ક્યાંથી થયો... શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે... રાખું કે એ પરિહરું!
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યા.”

જામસાહેબ દિગ્વિજયસિંહજીને જામનગરમાં આ શ્લોક સંભળાવ્યો હતો. અરે, હું કોણ છું? આ દેહ તો
ક્ષણિક સંયોગી વસ્તુ છે, તો હું અનાદિઅનંત ટકનાર દેહથી ભિન્ન કોણ છું? મારું સ્વરૂપ શું છે? એનો વિચાર
તો કરો! જેઓ પરમેશ્વર થયા તે ક્યાંથી થયા? આત્મામાં શક્તિ હતી તે પ્રગટ કરીને પરમાત્મા થયા. જેમ
લીંડીપીપરમાં તીખાસની તાકાત ભરી છે તેમાંથી જ ૬૪ પહોરી તીખાસ પ્રગટે છે, તે ક્યાંય બહારથી નથી
આવતી; તેમ આત્માની પરમાનંદ દશા ક્યાંય બહારથી નથી આવતી, પણ આત્મામાં શક્તિ ભરી છે તેમાંથી જ
તે પ્રગટે છે.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૧૫૮
જુઓ, આજે આ વિહારનું પહેલું મંગલાચરણ છે. હજી તો ૨૦૦૦ માઈલ ઠેઠ સમ્મેદશિખરજી સુધી
જવાનું છે. સમ્મેદશિખરજી ઉપરથી અનંતા તીર્થંકરો સિદ્ધ થયા. તે કઈ રીતે સિદ્ધ થયા તેની આ વાત છે,
પ્રભો! આ દેહમાં રહેલા આત્માને તેં કદી જાણ્યો નથી. અહો! તારો આત્મા ચૈતન્ય અને આનંદસ્વરૂપ
છે. તારો આત્મા દીન કે રંક નથી, સધન કે નિર્ધન નથી, તારો આત્મા તો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે. આ દેહ તો
અશુચીસ્વરૂપ અને અનિત્ય છે. તારા આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ભરી છે. તારા આત્મામાં આનંદ ભર્યો
છે, પણ તેને ભૂલીને બહારમાંથી સુખ લેવા જતાં તારું વાસ્તવિક સુખ ટળી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
“બહુ પુણ્યકેરા પુંજથી શુભદેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે–લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?”
આ દેહ અને લક્ષ્મી તો જડ છે, તેમાં ક્યાંય તારું સુખ નથી, ભાઈ! સુખ તારા આત્મામાં છે. આત્માનું
ભાન જેઓ કરતા નથી ને બાહ્ય વિષયોમાં સુખ માનીને તીવ્ર હિંસાદિ પાપપરિણામ કરે છે તે જીવો પાપનું ફળ
ભોગવવા માટે નીચે નરકમાં જાય છે.
નરક પણ નીચે વસ્તુ છે, એ કાંઈ હંબગ નથી; દરેક જીવ પોતે અનંતવાર ત્યાં જઈને દુઃખ ભોગવી
આવ્યો છે, પણ અત્યારે ભૂલી ગયો છે. જેમ ગર્ભ–અવસ્થાની કે બાલવયની વાત યાદ ન રહી હોય તેથી કાંઈ
તેનું અસ્તિત્વ ન હતું–એમ નથી. એમ નરક પણ છે; ને તીવ્ર પાપ કરનારા જીવો ત્યાં જાય છે. અહીં તો નરકાદિ
ચારે ગતિના અવતારનો અંત કેમ આવે તેની વાત છે, આત્મ–ધર્મની આ વાત છે.
અહીં તો આ પદ્મનંદી પચ્ચીસીનો એકત્વઅધિકાર ચાલે છે. વન–જંગલમાં વસતા ને આત્માના આનંદમાં
ઝૂલતા સંતની આ વાત છે. તેમાં કહે છે કે: અરે જીવ! તું એકલો છે. તારા એકત્વ સ્વરૂપમાં જ તારો આનંદ છે;
તેને એક વાર સંભાળ.
જ્ઞાન અને આનંદસ્વરૂપને પામેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું. –શા માટે? કર્મોના નાશ માટે અને
આત્માના આનંદની પ્રાપ્તિ માટે.
આત્મા આ શરીરના સંયોગ જેટલો નથી, પણ શરીરથી જુદો જ્ઞાનસ્વરૂપ છે. જુઓ, બે માણસ લ્યો, –
એક ૭૦ વર્ષનો છે ને બીજો ૪૦ વર્ષનો છે. ૭૦ વર્ષનો માણસ પોતાની ૫૦ વર્ષ પહેલાંંની કેવી દશા હતી તેનું
અત્યારે જ્ઞાન કરી શકે છે. તેની માફક બીજો માણસ–કે જે ૪૦ વર્ષનો છે તે પણ જો પોતાની ૫૦ વર્ષ પહેલાંંની
દશાને જાણવા માંગે તો કેમ ન જાણી શકે? એક આત્મા ૫૦ વર્ષ પહેલાંંની વાત જાણી શકે તો બીજો આત્મા કેમ
ન જાણી શકે? હવે જો ૪૦ વર્ષનો માણસ પોતાની ૫૦ વર્ષ પહેલાંંની અવસ્થાને જાણવા જાય તો તેને આ
ભવથી આગળ ચાલતાં પૂર્વ ભવની સાથે સંધિ થઈ જાય, ને જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય. આત્માના
અસ્તિત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
જુઓ, ૮૦ વર્ષની ઉમરનો માણસ પોતાની બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાને એક સાથે જાણી
શકે છે, પણ પૂર્વની વીતી ગયેલી બાલ કે યુવાન અવસ્થાને વર્તમાનમાં લાવી શકતો નથી; એટલે તે બાલ,
યુવાન કે વૃદ્ધાવસ્થા તો શરીરની છે, તે જીવનું સ્વરૂપ નથી; જીવનું સ્વરૂપ તો જ્ઞાન છે. આવા જ્ઞાનસ્વરૂપ
આત્માને ઓળખવો તે કરવા જેવું છે. આવા આત્માના ભાન વગર કરોડો–અબજોની પેદાશ હો કે મોટો રાજા
હો–તેની કાંઈ કિંમત નથી. બહારના સામ્રાજ્ય તો અનંત વાર મળ્‌યા, તેમાં આત્માનું કાંઈ હિત નથી. આત્માનું
ખરું સામ્રાજ્ય તો જ્ઞાન ને આનંદમાં છે. તે જ્ઞાન–આનંદસ્વરૂપ સામ્રાજ્ય કેમ પ્રાપ્ત થાય, ને આ અવતાર કેમ
અટકે–તેની આ વાત છે.
આત્માના જ્ઞાનમાં સમાધાન કરવાની ને શાંતિ રાખવાની તાકાત છે. ગમે તેવી પ્રતિકૂળતાના પ્રસંગમાં
પણ આત્મા જ્ઞાનના લક્ષે સમાધાન કરી શકે છે. પચીસ વરસે પચીસ લાખ રૂા. કમાઈને દીકરો આવતો હોય તો
તેનો પિતા કેવો હર્ષ પામે છે? ત્યાં એવો હર્ષ પામે છે કે પુત્ર અને પૈસાની પ્રીતિ આડે શરીરના રોગને પણ
ભૂલી જાય છે. એ રીતે ત્યાં એકના લક્ષે બીજું ભૂલી જાય છે. તેમ જેને આત્માનો ખરો પ્રેમ હોય, આત્મા
ખરેખર વહાલો હોય તે આત્માના આનંદના લક્ષે

PDF/HTML Page 12 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૧૧ :
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના – ભરપૂર
વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(૧)
[“આત્મધર્મ” ના ઘણા જિજ્ઞાસુ વાંચકો સહેલા લેખોની માગણી કરે છે...... આ અંકથી શરૂ
થતા સમાધિશતકના આ પ્રવચનો અધ્યાત્મરસથી ભરપૂર હોવા છતાં સરળ અને સહેલાઈથી સમજી
શકાય તેવાં છે...... આશા છે કે જિજ્ઞાસુ વાંચકો આ લેખમાળાદ્વારા સહેલાઈથી અધ્યાત્મરસનું પાન
કરી શકશે..]
શ્રી સિદ્ધપરમાત્માને નમસ્કાર.
શ્રી સમંધરાદિ જિનેન્દ્રદેવોને નમસ્કાર.
સમાધિદાતાર પૂજ્યપાદસ્વામીને નમસ્કાર.
બોધિદાતાર શ્રી કહાનગુરુદેવને નમસ્કાર.
ત્રિરત્નદાતારી જિનવાણી માતાને નમસ્કાર.
[વર સ. ૨૪૮૨, વશખ વદ અકમ]
આ સમાધિતંત્ર શરૂ થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે સમાધિ છે. સમાધિ કહો કે શાંતિ કહો, તેની
પ્રાપ્તિ કેમ થાય તે વાત આ સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદસ્વામીએ બતાવી છે.
પૂજ્યપાદસ્વામીનું બીજું નામ દેવનંદી હતું. લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાંં તેઓ આ ભરતભૂમિમાં
વિચરતા હતા; અને જેમ શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધર ભગવાન પાસે વિદેહક્ષેત્રે ગયા હતા તેમ આ
પૂજ્યપાદસ્વામી પણ વિદેહીનાથના દર્શનથી પાવન થયા હતા–એવો ઉલ્લેખ શિલાલેખોમાં છે. તેમણે સર્વાર્થસિદ્ધિ
(તત્ત્વાર્થસૂત્રની ટીકા), તેમજ જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૧૫૮
મહાન ગ્રંથો રચ્યા છે. તેમની અગાધ બુદ્ધિને લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે. તેઓ
મહાબ્રહ્મચારી તેમજ વિશિષ્ટ ઋદ્ધિઓના ધારક હતા. એવા મહાન આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામીએ રચેલ આ
સમાધિતંત્ર અથવા સમાધિશતક આજે શરૂ થાય છે. તેનું મંગલાચરણ–
સકલ વિભાવ અભાવકર કિયા આત્મકલ્યાણ,
પરમાનંદ–સુબોધમય, નમું સિદ્ધ ભગવાન.
આત્મસિદ્ધિ કે માર્ગકા, જિસમેં સુગમ વિધાન,
ઉસ સમાધિયુત તંત્રકા, કરું સુગમ વ્યાખ્યાન.
આત્માની અવસ્થામાં જે મોહ–રાગ–દ્વેષના ભાવો છે તે વિભાવ છે, તેમાં અસમાધિ છે; આત્માના
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સમાધિ વડે તે સકલ વિભાવનો અભાવ કરીને જેઓ સિદ્ધ થયા તે
સિદ્ધભગવંતોને હું નમસ્કાર કરું છું. સિદ્ધભગવાન કેવા છે? પરમ આનંદ અને જ્ઞાનમય છે, પોતાનું
આત્મકલ્યાણ કર્યું છે, અને સમસ્ત વિભાવનો અભાવ કર્યો છે.
આવા સિદ્ધભગવાનને ઓળખીને અહીં તેમને નમસ્કાર કર્યા છે. –કઈ રીતે? કે જેવા સિદ્ધભગવાન છે
તેવી જ તાકાત મારા આત્મામાં છે–એમ સિદ્ધસમાન પોતાના આત્માને પ્રતીતમાં લઈને સિદ્ધભગવાનને
નમસ્કાર કર્યા છે. નાટક–સમયસારમાં કહે છે કે–
“ચેતનરૂપ અનુપ અમૂરત સિદ્ધસમાન સદા પદ મેરો” સિદ્ધભગવાન જેવા પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ
મારા આત્મામાં ભર્યા છે, –એવા સિદ્ધસમાન આત્માને પ્રતીતમાં લેવો તે સિદ્ધ થવાનો માર્ગ છે, ને તે જ
સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર છે, તે અપૂર્વ માંગળિક છે.
એ રીતે માંગળિકરૂપે સિદ્ધભગવાનને નમસ્કાર કરીને, જેમાં આત્મસિદ્ધિના માર્ગનો સહેલો ઉપાય
બતાવ્યો છે એવા આ સમાધિતંત્રના વ્યાખ્યાનનો પ્રારંભ કરવામાં આવે છે.
શાસ્ત્રકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી, મોક્ષના ઈચ્છુક ભવ્ય જીવોને મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ
બતાવવાની ઈચ્છાથી, શાસ્ત્રની નિર્વિઘ્ન સમાપ્તિ વગેરે ફળની ઈચ્છા કરતા થકા વિશિષ્ટ ઈષ્ટદેવ શ્રી
સિદ્ધભગવાનને નમસ્કાર કરે છે: જુઓ, સૌથી પહેલાંં તો મોક્ષાર્થી જીવની વાત લીધી છે; જે જીવ મોક્ષાર્થી છે...
આત્માર્થી છે... ‘હું કોણ છું ને મારું હિત કેમ થાય?’ એમ જેને આત્માના હિતની જિજ્ઞાસા જાગી છે–એવા
જીવને મોક્ષનો ઉપાય બતાવવા માટે આ શાસ્ત્રનો ઉપદેશ છે. ‘કામ એક આત્માર્થનું’ –એટલે જેને એક
આત્માર્થની જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી, આત્માનો જ અર્થી થઈને શ્રીગુરુ પાસે હિતનો ઉપાય
સમજવા આવ્યો છે ને પૂછે છે કે પ્રભો! આ આત્માને શાંતિ કેમ થાય? આ આત્માનું હિત કેમ થાય? એવા
આત્માર્થી જીવને આ આત્માના મોક્ષનો ઉપાય આચાર્યદેવ બતાવે છે.
જેને લક્ષ્મી કેમ મળે કે સ્વર્ગ કેમ મળે–એવી ભાવના નથી પણ આત્માના હિતની ભાવના છે તે જિજ્ઞાસુ
થઈને શ્રી આચાર્યદેવ પાસે તેનો ઉપાય સમજવા આવ્યો છે. લક્ષ્મીમાં કે સ્વર્ગના વૈભવમાં આત્માનું સુખ નથી.
જો તેમાં સુખ હોત તો ઈન્દ્રો અને રાજાઓ પણ મુનિઓના ચરણની સેવા કેમ કરત? મુનિવરો પાસે તો લક્ષ્મી
વગેરે નથી, અને ઈન્દ્ર પાસે તો ઘણો વૈભવ છે, છતાં તે ઈન્દ્ર પણ મુનિના ચરણે નમસ્કાર કરે છે. તે ઉપરથી
એમ નક્કી થયું કે લક્ષ્મી વગેરેમાં સુખ નથી; અને લક્ષ્મી વગેરેની જેને ભાવના છે તેને આત્માના હિતની
ભાવના નથી. અહીં તો બીજી બધી રુચિ છોડીને એક આત્માના હિતની જ જેને ભાવના છે એવા મુમુક્ષુ જીવને
આચાર્યદેવ આત્માના હિતનો ઉપાય બતાવે છે.
તેમાં મંગલાચરણરૂપે ઈષ્ટ તરીકે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે–
येनात्माऽबुद्धयतात्मैव परत्वेनैव चापरम्।
अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः।।
१।।
જેમના દ્વારા આત્મા આત્મારૂપે જણાય છે અને પર પરરૂપે જણાય છે, તથા જેઓ અક્ષયઅનંતબોધ
સ્વરૂપ છે એવા સિદ્ધ–આત્માને અમારા નમસ્કાર હો.
હે સિદ્ધ પરમાત્મા! આપે આત્માને આત્મારૂપે જાણ્યો છે ને પરને પરરૂપે જાણ્યા છે, અને એ રીતે
જાણીને આપ અક્ષયઅનંતબોધસ્વરૂપ થયા છો, તેથી એવા પદની પ્રાપ્તિ અર્થે હું આપને નમસ્કાર કરું છું.

PDF/HTML Page 14 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૧૩ :
જુઓ, આ મંગલાચરણ!! મંગલાચરણમાં સિદ્ધભગવાનને યાદ કર્યાં છે. સિદ્ધભગવાનને જાણતાં આ
આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપે જણાય છે, ને સિદ્ધભગવાનથી જુદું એવું બધુંય પરરૂપે જણાય છે.
જુઓ, આમાં બધા શાસ્ત્રોનું ભણતર આવી ગયું. ‘આ આત્માનો સ્વભાવ સિદ્ધભગવાન જેવો છે, જેવો
સિદ્ધભગવાનનો આત્મા છે તેવો મારો આત્મા છે, ને તે સિવાય જે રાગાદિ છે તે મારા આત્માનો સ્વભાવ
નથી’ આવી ઓળખાણ કરવી તે બધા શાસ્ત્રોનો સાર છે.
હે સિદ્ધ પરમાત્મા! આપ કેવળજ્ઞાનની મૂર્તિ છો, પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છો, ને રાગરહિત છો; એવો જ
મારા આત્માનો સ્વભાવ છે. –આ પ્રમાણે સિદ્ધભગવાનને ઓળખતાં તેવો પોતાનો આત્મસ્વભાવ જાણ્યો એટલે
તેણે પોતાના આત્મામાં જ સિદ્ધભગવાનને ઊતારીને, અંતર્મુખ થઈને સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા.
नमो सिद्धाणं–સિદ્ધભગવંતોને નમસ્કાર હો. કેવા સિદ્ધ ભગવાન? કે જેને રાગાદિ નથી ને પરિપૂર્ણ
કેવળજ્ઞાન છે; આમ સિદ્ધના આત્માને જાણતાં રાગ રહિત ને જ્ઞાન સહિત એવો આત્મા જણાય છે. સિદ્ધનો
આત્મા શુદ્ધ છે, તેથી તેને જાણતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાય છે, ને સ્વપરનું ભેદજ્ઞાન થાય છે. જેણે આવું
ભેદજ્ઞાન કર્યું તેણે સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર કર્યા.
સિદ્ધમાં જે છે તે સ્વ;
સિદ્ધમાં જે નથી તે પર.
આ રીતે સિદ્ધભગવાનને જાણતાં સ્વ–પરનું ભેદજ્ઞાન થાય છે; માટે મંગલાચરણમાં સિદ્ધભગવાનને
નમસ્કાર કર્યા છે. આ રીતે સિદ્ધભગવાન જેવા શુદ્ધ આત્માનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે, ને તે પહેલો
અપૂર્વ ધર્મ છે.
અહો! જુઓ આ આદર્શ!! આત્માના આદર્શરૂપે સિદ્ધને સ્થાપ્યા, ને બીજું બધું લક્ષમાંથી કાઢી નાંખ્યું.
જેને આવું લક્ષ છે તેણે જ સિદ્ધને નમસ્કાર કર્યા છે. જેણે સિદ્ધનો વિનય કર્યો તે રાગનો આદર કરતો નથી,
અને જે રાગનો આદર કરે છે તેણે રાગરહિત એવા સિદ્ધભગવાનનો આદર ખરેખર કર્યો નથી. આત્માનું શુદ્ધ
સ્વરૂપ અને રાગાદિ એ બંનેના ભેદજ્ઞાન વગર સિદ્ધભગવાનને ખરેખર ઓળખી શકાય નહિ. જેણે
સિદ્ધભગવાનને ઓળખ્યા તેણે પોતાના શુદ્ધ સ્વભાવને સિદ્ધસમાન જાણ્યો ને રાગને સ્વભાવથી ભિન્ન જાણ્યો.
એ રીતે રાગથી પાછો ફરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં નમ્યો તેણે સિદ્ધને ખરા નમસ્કાર કર્યાં.
સિદ્ધભગવાનને કદી કોઈ સંયોગમાં રાગાદિ થતા નથી. જે જીવ રાગને ભલો (ઈષ્ટ) માને છે તેણે
રાગરહિત એવા સિદ્ધને ખરેખર ઈષ્ટ નથી માન્યા. સિદ્ધભગવાનને ઈષ્ટ માનનાર પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને
જ ઈષ્ટ માનીને તે તરફ જ નમે છે–તેનો જ આદર કરે છે, રાગનો આદર તે કરતો નથી. સિદ્ધભગવાનને જાણતાં
આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને જાણે છે, તેથી માંગળિકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કર્યાં છે.
સમયસારના માંગળિકમાં પણ वदित्तु सव्वसिद्धे કહીને કુંદકુંદાચાર્યદેવે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા
છે, –કેમકે સિદ્ધભગવંતો શુદ્ધ આત્માના પ્રતિચ્છંદના સ્થાને છે તેથી તેમના સ્વરૂપને જાણતાં શુદ્ધઆત્માનું સ્વરૂપ
જણાય છે; એ જ રીતે અહીં પૂજ્યપાદસ્વામીએ પણ સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. “જે સિદ્ધનું સ્વરૂપ તે
મારું સ્વરૂપ; અને જે સિદ્ધના સ્વરૂપમાં નહિ તે મારું સ્વરૂપ નહિ” –આ પ્રમાણે સિદ્ધને ઓળખતાં સ્વ–પરનું
ભેદજ્ઞાન થાય છે, તે અપૂર્વ મંગળ છે.
(વર સ. ૨૪૮૨, વશખ વદ બજ)
આત્મા જ્ઞાન–આનંદસ્વરૂપ છે, તેની શ્રદ્ધા કરીને તેમાં લીન થતાં નિર્વિકલ્પ શાંતિ થાય તેનું નામ
સમાધિ છે. આ સમાધિ તે મોક્ષનો ઉપાય છે, ને તેનું ફળ મોક્ષ છે.
અહીં, ગ્રંથકર્તાને તેમજ શ્રોતાઓને આત્માની મુક્તિની અભિલાષા છે, તેથી મુક્તિ પામેલા એવા
સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા છે. આ મંગલાચરણના શ્લોકમાં મોક્ષમાર્ગનું તેમજ મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે.
સિદ્ધ ભગવાનને જાણતાં ‘આત્મા આત્મારૂપે જણાય છે ને પર પરરૂપે જણાય છે’ –આવું ભેદજ્ઞાન તે મોક્ષનો
ઉપાય છે અને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદરૂપ દશા પ્રગટે તે મોક્ષ છે.

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૧૫૮
સિદ્ધના સ્વરૂપને જાણતાં આત્મા આત્મારૂપે જણાય છે;–કેવો આત્મા? કર્મ, શરીર કે કર્મની ઉપાધિથી
થયેલા વિભાવભાવો તે બધાથી રહિત જ્ઞાન–આનંદ–સ્વરૂપ આત્મા છે, તે જ હું છું–એમ આત્મા આત્માપણે
જણાય છે. રાગાદિ વિભાવ કે નર–નારકાદિ વિભાવપર્યાયો તે આત્માનો સ્વભાવ નથી પણ આત્માના સ્વરૂપથી
ભિન્ન છે, કેમ કે સિદ્ધભગવાનને તે નથી;–આમ સિદ્ધભગવાનને જાણતાં આત્માનું સ્વરૂપ જણાય છે, ને શરીરાદિ
પરરૂપે જણાય છે. વિકાર તે જીવની પર્યાય હોવા છતાં, સિદ્ધના આત્મામાં તે નથી તેથી તે પર છે, જીવનું સ્વરૂપ
નથી. જીવનું સ્વરૂપ તો અનંત જ્ઞાન–દર્શન–સુખ ને વીર્યસંપન્ન છે. આવા નિજ સ્વરૂપને જાણતાં તેના આશ્રયે
મોક્ષમાર્ગ તથા મોક્ષ પ્રગટે છે.
જે સિદ્ધભગવાનમાં હોય તે સ્વ;
જે સિદ્ધભગવાનમાં ન હોય તે પર.
–જે મોક્ષનો અભિલાષી હોય તે જીવ સિદ્ધભગવાનને પોતાના ધ્યેયરૂપે રાખીને આ પ્રમાણે સ્વ–પરનું
ભેદ–વિજ્ઞાન કરે છે.
હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, જ્ઞાન ને આનંદ જ મારું સ્વરૂપ છે, ઈન્દ્રિયો કે શરીરાદિ મારાથી પર છે, વિકાર
પણ ખરેખર મારા સ્વરૂપથી પર છે. જડથી ભિન્ન ને વિકારથી ભિન્ન મારું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ જ મારું પરમ
ઈષ્ટ છે; ને એવા સ્વરૂપને પામેલા શ્રી સિદ્ધ ભગવાન પણ નિમિત્તરૂપે પરમ ઈષ્ટ છે. આમ ઈષ્ટપણે સ્વીકારીને
સિદ્ધપરમાત્માને નમસ્કાર કર્યા છે.
અહીં એમ જાણવું કે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા તેમાં પાંચે પરમેષ્ઠીભગવંતો આવી જાય છે; કેમ કે
આચાર્ય વગેરેને પણ એકદેશ–સિદ્ધપણું પ્રગટ્યું છે, આત્માના જ્ઞાન–આનંદની અંશે પ્રાપ્તિ તેમને પણ થઈ છે,
તેથી તેઓ પણ ઈષ્ટ છે.
પંચપરમેષ્ઠી ભગવંતોને જ્ઞાન–આનંદરૂપ જે ભાવ પ્રગટ્યા છે તે આત્માના હિતકારી છે; ને મોહ–રાગ–
દ્વેષાદિ ભાવો તે આત્માને અહિતકારી–દુઃખદાયી છે. સિદ્ધ–ભગવાનના આત્મામાં જે ભાવો છે તે ભાવો આત્માને
શાંતિકારી હિતરૂપ છે, ને સિદ્ધભગવાનમાંથી જે ભાવો નીકળી ગયા તે ભાવો આત્માને અહિતરૂપ છે. –આમ
ઓળખીને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના આદરથી મોહાદિ ભાવનો નાશ કરવો તે કર્મબંધનથી છૂટીને મુક્ત થવાનો
ઉપાય છે. પણ અજ્ઞાનીને સ્વ–પરના ભેદજ્ઞાનમાં કંટાળો આવે છે, –મોક્ષનો ઉપાય કરવામાં તેને દુઃખ લાગે છે,
તે આત્માની શ્રદ્ધા–જ્ઞાન–રમણતાનો તો ઉપાય કરતો નથી ને રાગાદિ ભાવોને જ હિતરૂપ માનીને સેવે છે, –તે
વિપરીત ઉપાય છે, તેનાથી ચતુર્ગતિના દુઃખથી છૂટકારો થતો નથી. સિદ્ધભગવાન જેવો મારો આત્મા છે–એમ
જાણીને, આત્માની સન્મુખ થવું તે દુઃખથી છૂટીને સુખી થવાનો ઉપાય છે. આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને
એકગ્રતારૂપ રત્નત્રયવડે આત્મા બંધનથી છૂટીને મુક્તિ પામે છે. શુદ્ધ રત્નત્રય કહો કે સમાધિ કહો, –તે જ
મુક્તિનો ઉપાય છે.
જ્ઞાની ગુરુના ઉપદેશથી એમ જાણ્યું કે “આત્માનો સ્વભાવ શુદ્ધ સિદ્ધસમાન છે, સિદ્ધભગવાન જેવો જ
આત્માનો સ્વભાવ છે, રાગાદિ કે શરીરાદિ તેનું સ્વરૂપ નથી; તારી પર્યાયમાં વિકાર અને દુઃખ છે પણ તે તારું
વાસ્તવિક સ્વરૂપ નથી;” –આ પ્રમાણે ગુરુના ઉપદેશથી જાણીને, અથવા પૂર્વે સાંભળ્‌યું હોય તેના સંસ્કારથી,
જીવ જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીત કરે છે ત્યારે મિથ્યાત્વાદિ કર્મોનો ઉપશમાદિ થઈ જાય છે; તથા
સમ્યગ્દર્શન થતાં તત્ત્વોની વિપરીતબુદ્ધિ છૂટી જાય છે, ને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ સિવાય બીજે ક્યાંય
આત્મબુદ્ધિ થતી નથી. આ રીતે શુદ્ધ આત્માને આત્મારૂપે, વિકારને વિકારરૂપે, ને પરને પરરૂપે જાણે છે, એટલે
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે, પછી આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરથી ઉદાસીનતારૂપ ચારિત્ર થાય છે;–
આવાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. સ્વને સ્વ–રૂપે અને પરને પર–રૂપે જાણીને, પરથી
ઉદાસીન થઈને સ્વમાં ઠરવું તે મોક્ષનો ઉપાય છે. સિદ્ધભગવાનને ઓળખતાં આવો મોક્ષનો ઉપાય થાય છે, માટે
માંગળિકમાં ઈષ્ટદેવ તરીકે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યાં.
પરમજ્ઞાન ને આનંદસ્વરૂપ જે પરિપૂર્ણ શુદ્ધ દશા તે મોક્ષ છે. ક્ષાયિકભાવે પરિપૂર્ણ જ્ઞાન–આનંદ જ્યાં
ખીલી ગયાં છે, ને કર્મોનો સર્વથા ક્ષય થઈ ગયો છે–એવી શુદ્ધ દશાનું નામ મોક્ષ છે. તે મોક્ષદશાને સિદ્ધભગવંતો
પામ્યા છે; તે સિદ્ધભગવંતોને આત્માના

PDF/HTML Page 16 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૧૫ :
પરિપૂર્ણ આનંદમાં કોઈ વિઘ્ન નથી, જ્ઞાનમાં કોઈ આવરણ નથી; રાગાદિ વિકાર કે કર્મનો સંબંધ તેમને
રહ્યો નથી;–આવા અનંત સિદ્ધભગવંતો લોકોના અગ્રભાગે બિરાજમાન છે, –પોતાના અતીન્દ્રિય આનંદના
ભોગવટામાં જ લીન છે. –આવી સિદ્ધદશા તે આત્માનું ધ્યેય છે, તે જ આત્માનું ઈષ્ટ છે. શાસ્ત્રકર્તા પૂજ્યપાદ
સ્વામીને તેમજ વ્યાખ્યાતા અને શ્રોતાજનોને આવું શુદ્ધ આત્મપદ પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા છે તેથી તેવા
શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને શરૂઆત કરી છે. જેને જે વહાલું હોય તેને જ તે નમસ્કાર કરે
છે. શાસ્ત્રકર્તાને, વ્યાખ્યાતાને તેમજ શ્રોતાજનોને સિદ્ધપદની પ્રાપ્તિની જ ભાવના છે, ને તેને માટે જ અનુષ્ઠાન
(ઉપાય) કરે છે, તેથી સિદ્ધભગવાનનું બહુમાન કરીને તેમને નમસ્કાર કર્યા છે: અહો! અમને આ એક સિદ્ધપદ
જ પરમપ્રિય છે, તે સિવાય રાગાદિ કે સંયોગ અમને પ્રિય નથી; માટે શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર
કરીને શુદ્ધ આત્માનો જ અમે આદર કરીએ છીએ.
જેમ બાણવિદ્યા શીખવાનો અભિલાષી પુરુષ બાણવિદ્યા જાણનારનું બહુમાન કરે છે, તેમ મોક્ષનો
અભિલાષી જીવ મોક્ષ પામેલા એવા સિદ્ધભગવાનનું તેમજ અરહંતભગવાન વગેરેનું બહુમાન કરીને તેમને જ
નમસ્કાર કરે છે.
આ રીતે પહેલા શ્લોકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કરીને મંગળાચરણ કર્યું. ।। ।।
અરિહંતપ્રભુ પ્રભુતા બતાવે છે
શ્રી અરિહંત ભગવાન કહે છે કે: અહો! પૂર્ણ ચૈતન્યઘન
સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને તેમાં અંર્તમુખ એકાગ્રતાથી અમે
કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે; અને દરેક જીવના અંતરમાં ચૈતન્ય
દરિયો છલોછલ છલકાઈ રહ્યો છે, તેમાં અંર્તદ્રષ્ટિ કરવી તે
સમ્યગ્દર્શન છે. આખો પરિપૂર્ણ ચૈતન્ય આત્મા છે તેનું ભાન
કર્યા સિવાય બીજી કોઈ રીતે સાચું સમ્યક્ત્વ થતું નથી. દરેક
આત્મા પ્રભુ છે, પૂર્ણ સામર્થ્યવાળા છે; વર્તમાન અવસ્થામાં
અપૂર્ણતા ભલે હો, પણ તે અપૂર્ણતા સદા રહ્યા કરે–એવું તેનું
સ્વરૂપ નથી. પર્યાયથી પણ પરિપૂર્ણ થવાનું દરેક આત્માનું
સામર્થ્ય છે. આવા આત્મસ્વભાવને ઓળખીને તેના અનુભવથી
જ ધર્મની શરૂઆત થાય છે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૧૫૮
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
* (૨૩) નષ્ક્રયત્વ શક્ત *
આત્મા જ્ઞાનમાત્ર છે, તે જ્ઞાનમાત્ર આત્મામાં સ્વયમેવ અનેકાન્ત પ્રકાશે છે, એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા
સ્વયમેવ અનંત ધર્મોવાળો છે. આવા અનેકાન્તમય આત્માની પ્રસિદ્ધિ કઈ રીતે થાય? –તેનો અનુભવ કઈ રીતે
થાય? –તેનું આ વર્ણન છે. શરૂઆતમાં આચાર્યદેવે કહ્યું છે કે જ્ઞાનલક્ષણવડે આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્મા
તરફ ન વળતાં એકલા પર જ્ઞેયો તરફ જ જે જ્ઞાન વળે તે જ્ઞાનમાં આત્માની પ્રસિદ્ધિ થતી નથી, તેથી તે
મિથ્યાજ્ઞાનને આત્માનું લક્ષણ પણ કહેતા નથી; અંતરમાં વળીને આત્માને લક્ષિત કરે તે જ્ઞાનમાં આત્માનો
પ્રસિદ્ધ અનુભવ થાય છે, ને તે જ્ઞાન જ ખરેખર લક્ષણ છે. આવા જ્ઞાનલક્ષણને મુખ્ય કરીને આત્માને જ્ઞાનમાત્ર
કહ્યો, ત્યાં શિષ્યને પ્રશ્ન થયો કે–પ્રભો! આત્મામાં અનંતધર્મો હોવા છતાં આપ તેને ‘જ્ઞાનમાત્ર’ કેમ કહો છો?
જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત નથી થતો? તેના સમાધાનમાં આચાર્યદેવે કહ્યું કે: અનંતધર્મોવાળા આત્માને
જ્ઞાનમાત્ર કહેવા છતાં એકાંત નથી થતો, કેમ કે આત્માના જ્ઞાનમાત્ર ભાવની સાથે જ અનંત શક્તિઓ પરિણમે
છે તેથી તે જ્ઞાનમાત્ર ભાવને સ્વયમેવ અનેકાન્તપણું છે.
તે જ્ઞાનમાત્ર ભાવની સાથે પરિણમતી–ઉલ્લસતી શક્તિઓનું આ વર્ણન ચાલે છે. આચાર્યદેવે ૪૭
શક્તિઓ વર્ણવી છે, તેમાંથી ૨૨ શક્તિઓનું વિવેચન થઈ ગયું છે. હવે ૨૩ મી નિષ્ક્રિયત્વ–શક્તિ છે. “સમસ્ત
કર્મના ઉપરમથી પ્રવર્તેલી આત્મપ્રદેશોની નિષ્પંદતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ છે.” જ્ઞાનમાત્ર આત્મામાં આવી
પણ એક શક્તિ છે.
આત્માના પ્રદેશોમાં હલન–ચલનરૂપ ક્રિયા થાય તે યોગ છે, તે ક્રિયાના નિમિત્તે કર્મો આવે છે; પણ તે
કર્મો કે પ્રદેશોના કંપનરૂપ ક્રિયા આત્માનો સ્વભાવ નથી; આત્માનો સ્વભાવ તો સ્થિર–અકંપ રહેવાનો છે.
અકંપ સ્વભાવી આત્મા શરીરને હલાવેચલાવે કે કર્મો આવવામાં નિમિત્ત થાય–એ વાત ક્યાં રહી?
સ્વભાવદ્રષ્ટિમાં તો આત્મા કર્મને નિમિત્ત પણ નથી. આત્માના સ્વભાવમાં એવી કોઈ શક્તિ નથી કે જડ
શરીરાદિકને હલાવે, કે કર્મોને ખેંચે. શરીરનું હાલવું–ચાલવું–બોલવું–ખાવું વગેરે ક્રિયાઓ આત્મા સાથે મેળવાળી
લાગે, ત્યાં અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે “મારાથી આ ક્રિયા થાય છે,” –આત્માના અકંપ સ્વભાવની તેને
ખબર નથી. ભાઈ, શરીરાદિ ક્રિયા તો સ્વયં જડની શક્તિથી થાય છે, તેનો તો તું કર્તા નથી; પણ તારા
આત્મપ્રદેશોમાં જે કંપન થાય તે પણ તારું ખરું સ્વરૂપ નથી, નિષ્ક્રિય એટલે કે અડોલ–સ્થિર–અકંપ રહેવાનો
તારો સ્વભાવ છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૧૭ :
જેમ રાગ–દ્વેષથી અસ્થિરતા થાય તે આત્માનો સ્વભાવ નથી, વીતરાગી સ્થિરતા તે જ આત્માનો
સ્વભાવ છે; તેમ પ્રદેશોનું કંપન–અસ્થિરતા થાય તે પણ આત્માનો સ્વભાવ નથી, અકંપ–નિષ્ક્રિય સ્થિર રહે તે
જ આત્માનો સ્વભાવ છે. ઈચ્છા અને કંપન બંને વિકાર છે. જીવ એમ ઈચ્છા કરે કે હું અમુક ઠેકાણે (નંદીશ્વર
વગેરે) જાઉં, છતાં આત્મપ્રદેશોમાં ત્યાં જવાની ક્રિયા ન પણ થાય, કેમકે ત્યાં જવાની ઈચ્છા અને ત્યાં જવાની
ક્રિયા એ બંને જુદા જુદા ગુણની પર્યાયો છે, તેમજ તે બંને વિકાર છે. આત્માનો જ્ઞાયકસ્વભાવ તો તે ઈચ્છા
વગરનો અને કંપન વગરનો છે, અત્મા તો વીતરાગી અકંપસ્વભાવી છે. આત્માના પ્રદેશોમાં જે કંપન–ધ્રૂજારો
થાય છે અને તેના નિમિત્તે કર્મો આવે છે–તે માત્ર વર્તમાન પૂરતી લાયકાત છે, આત્માની ત્રિકાળી શક્તિમાં તે
નથી. જો ત્રિકાળી શક્તિમાં કંપન હોય, તો તો સદાય કર્મ આવ્યા જ કરે, ને આત્મા કર્મરહિત મુક્ત કદી થઈ જ
ન શકે. પણ આત્માની નિષ્ક્રિય શક્તિ છે, તે કદી કર્મને નિમિત્ત થતી નથી, અને આવા આત્મસ્વભાવની દ્રષ્ટિથી
ક્ષણેક્ષણે કર્મનું નિમિત્તપણું છૂટતું જાય છે, ને સર્વ કર્મનો અભાવ થઈને સિદ્ધદશા પ્રગટે છે, ત્યાં આત્મા સાદિ–
અનંત અકંપપણે સ્થિર રહે છે. ચૌદમા ગુણસ્થાનથી જ અકંપણું થઈ જાય છે, ત્યાં આત્માને કર્મનો આસ્રવ
સર્વથા અટકી ગયો છે. નીચલી દશામાં કંપન તો હોય, પરંતુ તે હોવા છતાં, આત્મસ્વભાવ શું છે તેની
ઓળખાણ કરવાની આ વાત છે. આત્માનો સ્વભાવ શું છે તે લક્ષમાં લઈને તેની હા તો પાડે, પછી તે
સ્વભાવના અવલંબને પર્યાય પણ તેવી જ શુદ્ધ થઈ જશે.
જેમ અભોકતૃત્વ, અકર્તૃત્વ વગેરે શક્તિઓ તો એવી છે કે તેવા આત્મસ્વભાવની પ્રતીત કરતાં જ
પર્યાયમાં અંશે તેનું નિર્મળ પરિણમન થાય છે; પણ આ નિષ્ક્રિય શક્તિમાં એવું નથી કે આત્માનો નિષ્ક્રિય
સ્વભાવ પ્રતીતમાં આવતાં જ પ્રદેશોનું કંપન અંશે અટકી જાય. હા, એટલું ખરું કે તે કંપન હોવા છતાં
મિથ્યાત્વાદિના રજકણો તો તેને આવતાં જ નથી. તેરમા ગુણસ્થાને જ્ઞાન–આનંદ પૂરા થઈ ગયા છે, છતાં ત્યાં
પ્રદેશોનું કંપન હોય છે. અનાદિથી માંડીને તેરમા ગુણસ્થાન સુધી પ્રદેશોનું કંપન હોય છે. એક સમય પણ
પર્યાયમાં અકંપપણું થાય તો મુક્તિ થયા વિના રહે નહીં; અને અકંપ–આત્મ–સ્વભાવની પ્રતીત કરે તેને પણ
મુક્તિ થયા વિના રહે નહિ. અકંપસ્વભાવને પ્રતીતમાં લેવા જતાં એકલું અકંપપણું જુદું પ્રતીતમાં નથી આવતું
પણ અકંપપણાની સાથે જ રહેલા શ્રદ્ધા–જ્ઞાન–આનંદ–પ્રભુતા વગેરે અનંત ગુણોનો પિંડ આત્મા પ્રતીતિમાં આવે
છે. આવા આત્માને શ્રદ્ધામાં લઈને તેમાં સ્થિરતાનો પ્રયત્ન કરવાનો છે. પ્રદેશોનું કંપન હોવા છતાં સ્વરૂપની
શ્રદ્ધા અને સ્થિરતા કરીને કેવળજ્ઞાન પામી શકાય છે. કોઈ જીવ જ્ઞાનમાં એમ વિચારે કે હું પ્રદેશોના કંપનને
રોકી દઉં, –તો એમ ન રોકાય, કેમ કે જ્ઞાનક્રિયાથી કંપનરૂપ ક્રિયા જુદી છે. માટે તું તારા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન ને
આનંદનો ઉદ્યમ કર, પ્રદેશોનું કંપન કાંઈ તારા શ્રદ્ધા–જ્ઞાન–આનંદને રોકતું નથી. કેવળજ્ઞાન થયા પછી પણ
કોઈને લાખો–અબજો વર્ષો સુધી કંપન રહે, છતાં ત્યાં કેવળજ્ઞાનને કે પૂર્ણાનંદને જરાય બાધા નથી આવતી.
પ્રદેશોની સ્થિરતા તો સહેજે તેના કાળે થઈ જશે, જીવે તો પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન ને
એકાગ્રતાનો જ ઉદ્યમ કરવાનો છે. કેવળી ભગવાનને પ્રદેશોનું કંપન હોવા છતાં આત્માનો અકંપસ્વભાવ
કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાઈ ગયો છે, તેમ જ અકંપદશા પ્રગટશે તે પણ જણાઈ ગયું છે.
શ્રીકૃષ્ણના રાણીએ નેમિનાથ પ્રભુનું વસ્ત્ર ધોવાની ના પાડી ત્યારે નેમિનાથકુમારે શ્રીકૃષ્ણની
આયુધશાળામાં જઈને એવો શંખ ફૂંક્યો કે તેના અવાજથી દ્વારકાની ધરતી ધ્રૂજી ઊઠી! ત્યાં કોઈ એમ માપ કાઢે
કે ‘ભગવાનનું બળ કેટલું કે ધરતી ધુ્રજાવી?’ –તો તેને ભગવાનના આત્માની ખરી ઓળખાણ નથી. અરે
ભાઈ, આત્માનો પોતાનો ધુ્રજવાનો સ્વભાવ નથી ત્યાં પરને તો તે ક્યાંથી ધુ્રજાવે? તે વખતે તે પ્રકારનું
પ્રદેશોનું કંપન ભગવાનના આત્મામાં થયું તે પણ તેનો સ્વભાવ નથી, એટલે તેના ઉપરથી ભગવાનના
આત્માની ખરી ઓળખાણ થતી નથી. ભગવાનને તો તે વખતે, જરાક માનનો વિકલ્પ અને કંપન હોવા છતાં
તેનાથી ભિન્ન પોતાના અકંપ–જ્ઞાનાનંદસ્વભાવનું ભાન હતું. એ પ્રકારે ઓળખે તો જ ભગવાનને ઓળખ્યા
કહેવાય.
પ્રશ્ન:– આત્મસિદ્ધિમાં તો એમ કહ્યું છે ને કે–
“દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ,
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩”
–એટલે કે દેહ ને ઈન્દ્રિયો આત્માની સત્તાવડે પ્રવર્તે છે એમ તેમાં કહ્યું છે, અને અહીં તો કહો

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૧૫૮
છો કે–હરામ છે આત્મા પરની ક્રિયા કરી શકતો હોય તો! તો એ બંને વાતનો મેળ કઈ રીતે છે?
ઉત્તર:– ત્યાં આત્મસિદ્ધિમાં તો, જે બિલકુલ નાસ્તિક છે ને આત્માનું અસ્તિત્વ જ નથી માનતો તેને
આત્માનું અસ્તિત્વ બતાવવા માટેની વાત છે. આત્માના હોવા વિષે જ જેને શંકા છે તેને સમજાવે છે કે અરે
ભાઈ! જો આત્મા ન હોય તો આ ઈન્દ્રિયો ક્યાંથી જાણે? માટે જે જાણપણું પ્રવર્તે છે તે આત્માની સત્તાવડે જાણ.
–એ રીતે આત્માનું હોવાપણું ત્યાં સિદ્ધ કર્યું છે. અને અહીં તો જે આત્માના અસ્તિત્વને માને છે પણ તેના
વાસ્તવિક સ્વરૂપને નથી જાણતો ને પરનો કર્તા માને છે, તેને આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાવવું છે. ભાઈ,
તારો આત્મા સ્થિર સ્વભાવી છે, તારા આત્માના પ્રદેશોમાં જે પરિસ્પંદન થાય તે પણ તારો સ્વભાવ નથી, તો
પછી તારાથી અત્યંત જુદા એવા જડ પદાર્થોને તારો આત્મા ચલાવે એ વાત તો ક્યાં રહી? પ્રદેશોનું કંપન તો
તારી પર્યાયમાં છે, પરંતુ પરને હાલવવાનું તો તારી પર્યાયમાં પણ નથી.
આત્માની પર્યાયમાં પ્રદેશોનું કંપન થાય છે તે ખરેખર પરને લીધે નથી પણ પોતાની જ તે પ્રકારની
લાયકાત છે. પરંતુ તે કંપન આત્માનો મૂળ સ્વભાવ નથી. સમસ્ત કર્મના અભાવરૂપ સિદ્ધદશા થતાં કંપન
ટાળીને નિષ્કંપદશા પ્રગટે છે તેને અહીં નિષ્ક્રિયપણું કહ્યું છે.
પ્રશ્ન:– આત્માનો સ્વભાવ નિષ્ક્રિય છે કે સક્રિય?
ઉત્તર:– પ્રદેશોના કંપનરૂપ ક્રિયા આત્માનો સ્વભાવ નથી તે અપેક્ષાએ તો આત્મા નિષ્ક્રિય છે; પણ
પોતાના જ્ઞાન–આનંદ વગેરેના નિર્મળ પરિણામરૂપે થવાની ક્રિયા તેનો સ્વભાવ છે, તે અપેક્ષાએ આત્મા સક્રિય છે.
જ્ઞાન–આનંદના સ્વભાવથી ભરેલો આત્મા કંપન વગરના સ્થિર સ્વભાવવાળો છે. જેમ જિનબિંબ હલન
ચલન વગર ઠરી ગયેલા છે, તેમ આત્માનો સ્વભાવ સ્થિરબિંબ છે. અનંતા સિદ્ધભગવંતો ચૈતન્યની સ્થિર
પ્રતિમા થઈ ગયા છે, તેવો જ આત્માનો સ્વભાવ છે.
જેમ કોઈ મૂર્ખ, મધ્યબિંદુથી આખો દરિયો ઊછળી રહ્યો છે તેને તો દેખે નહિ ને કાંઠે બહાર આવતા
મેલને જ દેખીને કહે કે મેં દરિયો જોયો. –તો ખરેખર તેણે દરિયો જોયો નથી; કેમ કે કાંઠાનો મેલ તે દરિયો
નથી, દરિયો તો અંદરથી ઊછાળા મારતો મેલને બહાર કાઢી નાખે છે, તેમ આ આત્મા અનંત શક્તિઓથી
ઊછળતો ચૈતન્ય દરિયો છે. હે જીવ! અંતરમાં અનંત શુદ્ધ શક્તિઓથી ભરચક ચૈતન્ય–સમુદ્ર ઊછળી રહ્યો છે
તેને તો જો! અનંત શક્તિથી ઊછળતા ચૈતન્ય સમુદ્રને તો જે દેખતો નથી ને કાંઠાના મેલની માફક પર્યાયના
ક્ષણિક વિકારને જ દેખે છે ને તેને જ આત્મા માને છે તે જીવ લોકોત્તર મૂર્ખ એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે. અરે મૂઢ!
તારા આત્માનો સ્વભાવ તો અનંત શક્તિઓના નિર્મળ પરિણમનરૂપે ઊછળીને વિકારને બહાર કાઢી
નાંખવાનો છે, માટે અંતર્મુખ નજર કરીને આખા ચૈતન્ય દરિયાને દેખ, ને પર્યાય બુદ્ધિ છોડ. શાંતિનો દરિયો
તારા આત્મસ્વભાવમાં ભર્યો છે, તેમાં દ્રષ્ટિ કર તો તને શાંતિનું વેદન થાય, એના સિવાય બીજે ક્યાંયથી તને
શાંતિનું વેદન થાય તેમ નથી.
અહીં એક સમયની કંપનપર્યાયને ગૌણ કરીને આત્માના ત્રિકાળી અકંપસ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે,
એકલું અકંપપણું જુદું પાડીને નહિ પણ જ્ઞાન–શ્રદ્ધા–આનંદ–અકંપપણું ઈત્યાદિ અનંત શક્તિથી અભેદરૂપ
ભગવાન આત્મા બતાવવો છે. લોકો કહે છે કે અમુક નેતા તો પગના ધમધમાટથી ધરતીને ધુ્રજાવે છે. –પણ એ
તો બધું દેહનું અભિમાન છે, અહીં તો કહે છે કે ભાઈ! તારો આત્મા દેહથી તો જુદો ને ત્રિકાળ ધ્રૂજારા વગરનો
સ્થિર–નિષ્ક્રિય છે, તો તે પરને કંપાવે એ વાત ક્યાં રહી? માટે તારા આત્માના સ્વભાવ સામે જો... તો તારી
અનંત શક્તિઓનું શુદ્ધ પરિણમન ઊછળતાં પર્યાયમાંથી કંપન પણ છૂટીને સાદિ–અનંત અકંપ એવી સિદ્ધદશા
પ્રગટશે.
–ત્રેવીસમી નિષ્ક્રિયત્વ શક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 20 of 25
single page version

background image
: માગશર: ૨૪૮૩ : ૧૯ :
(અનુસંધાન પૃષ્ઠ ૧૦ થી શરૂ)
જગતની બધી પ્રતિકૂળતાને ભૂલી જાય છે, માટે જ્ઞાનીનો ઉપદેશ છે કે ‘તું તને ઓળખ.’
કોઈનું શરીર કૃશ હોય છતાં બુદ્ધિ ઘણી હોય, કોઈને શરીર સ્થૂળ હોય છતાં બુદ્ધિ થોડી હોય; તે એમ
સૂચવે છે કે શરીર અને બુદ્ધિ ભિન્ન ભિન્ન વસ્તુ છે. બુદ્ધિ એ તો આત્માનું જ્ઞાન છે, ને શરીર તો જડ છે. આમ
દેહાદિથી ભિન્ન આત્માને ઓળખીને અનંત જીવો પરમાત્મા થયા... જે પોતાના આવા આત્માને ઓળખે તે
પરમાત્માની પંક્તિમાં બેઠો કહેવાય.
પ્રભો! તું કોણ છો? –કે આત્મા; ક્યાંથી થયો? –કે અનાદિનો જ છો;
શું તારું સ્વરૂપ છે? –કે જ્ઞાન ને આનંદ જ તારું સ્વરૂપ છે.
આવા જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા સિવાય બીજા કોઈ સાથે તારે સંબંધ નથી. આવા આત્માને જાણવો
તે જ સુખનો ઉપાય છે. બીજા લાખ ઉપાયથી પણ સુખ થતું નથી. જીવો સુખ તો ઈચ્છે છે પણ સુખના
વાસ્તવિક ઉપાયને જાણતા નથી. જુઓ, આ સુખનો ઉપાય કહેવાય છે. દુનિયામાં સારામાં સારી આ વાત છે.
દુનિયામાં સારામાં સારી ઉત્તમ ચીજ હોય તો તે જ્ઞાન–આનંદ–સ્વરૂપ આત્મા જ છે; દુનિયાના જીવો સારામાં
સારી ચીજ લેવા માગે છે, દુનિયામાં સારામાં સારી વસ્તુ એવો જે આત્મા, તેની પ્રાપ્તિ (અનુભવ) કેમ થાય
તેની આ વાત છે.
જેઓ ભગવાન થયા તેઓ કહે છે કે: અહો આત્મા! તારું સ્વરૂપ વીતરાગ અકષાયી શાંત... શાંત છે...
તારો આત્મા ઉપશાંત ભાવથી ભરેલો છે. એક વાર સત્સમાગમે તેનો મહિમા તો જાણ! “આ સારું... આ સારું”
એમ બીજી ચીજને સારી માનનારો તું પોતે જ સારો છો કે નહિ? તારામાં કાંઈ સારાપણું છે કે નહિ? તેને તો તું
ઓળખ! આત્મા જ ઉત્તમ છે. આત્માની પાસે પુણ્યનાં ફળરૂપ ઈન્દ્રપદ પણ તુચ્છ છે. વીતરાગનો ભક્ત પુણ્યના
ફળની ભાવના ભાવતો નથી. ઈન્દ્રો પાસે પુણ્યના ફળના ઢગલા હોવા છતાં તે વીતરાગી મુનિનો આદર કરે છે
કે અહો! ધન્ય ધન્ય! મુનિરાજ!! આપના ચરણકમળમાં મારા નમસ્કાર છે! આ રીતે ધર્માત્મા પુણ્યને કે
પુણ્યના ફળને ઉત્તમ નથી માનતો પણ આત્માના ધર્મને જ ઉત્તમ માને છે. આ રીતે આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને
પ્રતીતમાં લઈને તેનું જે બહુમાન કરે છે તેણે જ વીતરાગને ખરેખર નમસ્કાર કર્યા છે. આવું સમજીને જે
વીતરાગને એક વાર પણ નમ્યો તેને અનંત અવતારનો નાશ થઈ જાય છે.
હે નાથ! હું મારા આત્મામાંથી રાગાદિની પ્રીતિ છોડીને વીતરાગ સ્વભાવનો આદર કરું છું, અને
વીતરાગતાને પામેલા એવા આપનું બહુમાન કરું છું. –આ રીતે ધર્માત્મા પરમાત્માને નમસ્કાર કરે છે.
ભગવાનને નમસ્કાર કરતાં ધર્માત્મા કહે છે કે–હે ભગવાન! જેવા આપ છો તેવો જ હું છું, આપની જાતનો જ હું
છું–એવી ઓળખાણ કરીને હું આપની પંક્તિમાં આવું છું... હું પણ પરમાત્મા થવા માટે આપના પગલે પગલે
આવું છું.
આત્માની ઓળખાણ કરવાનો ઉપદેશ
જેઓ વનજંગલમાં વસતા હતા ને આત્માના આનંદનું શોધન કરીને તેના વેદનમાં જિંદગી ગાળતા
હતા એવા મુનિરાજ કહે છે કે: “અહો! અમને અમારું ચૈતન્યપદ જ પરમપ્રિય છે. ચૈતન્યસ્વરૂપના
આનંદની વાર્તા સાંભળવા માટે દેવો પણ તલસે છે. ચૈતન્યસ્વરૂપની સમજણ જ અનંત
જન્મમરણના દુઃખોથી જીવની રક્ષા કરનાર છે. દેવો પણ મનુષ્ય અવતારને ઝંખે છે કે ક્યારે મનુષ્ય
થઈને અમે અમારી મુક્તિને સાધીએ ને આ ભવચક્રમાંથી આત્માને છોડાવીએ! આ રીતે દેવોને પણ
પ્રિય એવો મનુષ્ય અવતાર પામેલા હે દેવાનુપ્રિય! દેહથી ભિન્ન તારું જ્ઞાનાનંદસ્વરૂપ છે તેનો તું
વિચાર કર... આ આત્માની ઓળખાણ વગર આ ભવચક્રમાંથી ઊગરવાનો બીજો કોઈ આરો નથી.