Atmadharma magazine - Ank 159
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૫૯
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ંંાારરથથીી ંંતતપ્પ્પ્તત જીવવોોેે ાાંંિિિતતીી ાાંંીી કકરરાાવવતતુુંં જાેેડડ ાાધ્ધ્ધ્યયાાિિિત્ત્ત્મમકક––મમાાિિિકક
વર્ષ ૧૪ મું
અંક ૩ જો
પોષ
વી.સં.
૨૪૮૩
વીતરાગી સંતની વાણી : જૈન ધર્મની મહત્તા
ચૈતન્યના આનંદની મસ્તીમાં ઝૂલતા ને વનમાં વસતા વીતરાગી સંતની આ વાણી છે –
જૈનધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવની
પ્રાપ્તિ તેમાં જ થાય છે; મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જૈન
શાસનમાં જ યથાર્થ છે...જૈન શાસનમાં સર્વજ્ઞ ભગવાને કહેલા ચૈતન્ય સ્વભાવની
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી જ મોક્ષના કારણરૂપ શુદ્ધભાવ થાય છે, તેથીજ જૈનધર્મની
શ્રેષ્ઠતા છે; માટે હે જીવ! આવા શુદ્ધભાવવડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને
અંગીકાર કર, અને રાગને–પુણ્યને ધર્મ ન માન. જૈનધર્મમાં તો ભગવાને એમ કહ્યું
છે કે પુણ્યને જ ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમકે પુણ્યના ફળમાં તો
સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની
જ એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી.

PDF/HTML Page 3 of 21
single page version

background image
શુદ્ધાત્માના નિર્વિકલ્પ અનુભવ માટે ઝંખતો શિષ્ય
શ્રી સમયસારની પહેલી જ ગાથામાં આચાર્યદેવે આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરી કે હું સિદ્ધ અને તું
પણ સિદ્ધ. સિદ્ધ–ભગવાનના આત્મામાં અને આ આત્મામાં સ્વભાવથી કાંઈ ફેર નથી. આ વાતનો ઘણી અપૂર્વ
રુચિથી સ્વીકાર કરીને શિષ્યને પોતાનો શુદ્ધાત્મા સમજવાની ઝંખના થઈ. તેથી તે શુદ્ધાત્માનું સ્વરૂપ જાણવાની
જિજ્ઞાસાથી તેણે પ્રશ્ન પૂછયો કે–હે નાથ! એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ હે? પ્રભો! જે
શુદ્ધ આત્માને જાણ્યા વિના હું અત્યાર સુધી રખડયો, તે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? તે કૃપા કરીને મને બતાવો.
આવા શિષ્યને શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવા શ્રી આચાર્ય પ્રભુએ છઠ્ઠી ગાથામાં “જ્ઞાયકભાવ”નું
વર્ણન કર્યું; ત્યાં વિકારનો અને પર્યાયભેદનો તો નિષેધ કર્યો, પણ હજી ગુણભેદરૂપ વ્યવહારના નિષેધની વાત
ત્યાં આવી ન હતી, તેથી સાતમી ગાથાની શરૂઆતમાં શ્રી આચાર્યદેવે શિષ્યના મુખમાં પ્રશ્ન મુકાવ્યો છે કે–
પ્રભો! દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદથી પણ આ આત્માને અશુદ્ધપણું આવે છે, અર્થાત્ ‘આત્મા જ્ઞાન છે–દર્શન છે–
ચારિત્ર છે’ એમ લક્ષમાં લેવા જતાં પણ ભગવાન શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી પરંતુ માત્ર વિકલ્પની
ઉત્પત્તિ થઈને અશુદ્ધતાનો અનુભવ થાય છે, તો તેનું શું કરવું?
જુઓ! શિષ્યના પ્રશ્નમાં સૂક્ષ્મતા! કોઈ બહારની વાતને તો યાદ નથી કરતો, શરીરની ક્રિયા કે પુણ્ય–
પાપની વાત પણ નથી પૂછતો; અંદરમાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે તે પણ તેને ખટકે છે એટલે તેનાથી
આગળ વધીને શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા માટે તેને આ પ્રશ્ન ઊઠ્યો છે. છઠ્ઠી ગાથામાં શ્રી ગુરુજી
પાસેથી મહાવિનય અને પાત્રતાપૂર્વક જ્ઞાયકસ્વરૂપનું શ્રવણ કરીને તેવો અનુભવ કરવા માટે અંર્ત–મંથન કરતાં
કરતાં ‘હું જ્ઞાયક છું’ એમ લક્ષમાં લેવા માંડ્યું; પરંતુ તેમાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠ્યો. ત્યાં પોતાની
શુદ્ધાત્મરુચિના જોરે શિષ્યે એટલું તો નક્કથ્ી કરી લીધું કે હજી આ ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે તે પણ
શુદ્ધાત્માના અનુભવને રોકનાર છે, આ વિકલ્પ છે તે અશુદ્ધતા છે તેથી તે પણ નિષેધ કરવા જેવો છે. શિષ્યને
રુચિ અને જ્ઞાનમાં એટલી તો સૂક્ષ્મતા થઈ ગઈ છે કે ગુણ–ગુણી ભેદના વિકલ્પથી પણ શુદ્ધ આત્માનો અનુભવ
પાર છે–એમ નક્કી કરીને તે ગુણગુણીભેદના વિકલ્પથી પણ છૂટો પડવા માગે છે; ગુણગુણીભેદના વિકલ્પથી પણ
આગળ કાંઈક અભેદ વસ્તુ છે તેને લક્ષમાં લઈને તેનો અનુભવ કરવા માટે અંતરમાં ઊંડો ઊંડો ઊતરતો જાય
છે, અને તે વાત શ્રીગુરુના મુખથી સાંભળવા માટે વિનયથી પૂછે છે કે પ્રભો! જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદથી
આત્માને લક્ષમાં લેવા જતાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે ને અશુદ્ધતાનો અનુભવ થાય છે, તો શું કરવું?
શ્રી આચાર્યભગવાન પણ શિષ્યની અત્યંત નિકટ પાત્રતા દેખીને તેને શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવે છે;
શિષ્યના પ્રશ્નના ઉત્તર આપતાં સાતમી ગાથામાં કહે છે કે આ ભગવાન જ્ઞાયક એક આત્મામાં જ્ઞાન–દર્શન–
ચારિત્ર એવા ગુણભેદ વ્યવહારથી જ કહેવામાં આવ્યા છે, પરમાર્થથી તો ભગવાન આત્મા એક અભેદ છે. માટે
‘એક અભેદ જ્ઞાયક આત્મા’ને લક્ષમાં લઈને અનુભવ કરતાં, હું જ્ઞાન છું’ ઈત્યાદિ ગુણગુણીભેદના વિકલ્પોનો
પણ નિષેધ થઈ જાય છે ને શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે.
શ્રી સમયસાર ગા. ૭ ઉપરના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૭૭, અષાડ વદ ૨
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકથી “આત્મધર્મ”નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી થાય છે. અત્યાર સુધી તેનું પ્રકાશન
વલ્લભવિદ્યાનગરથી થતું તેને બદલે હવેથી ભાવનગરથી થશે. અને વ્યવસ્થા પણ ત્યાંથી જ થશે; માટે વ્યવસ્થા
બાબતનો પત્ર–વ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો :–
આનંદ પ્રેસ–ભાવનગર
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ: છૂટક નકલ ચાર આના

PDF/HTML Page 4 of 21
single page version

background image
વર્ષ ચૌદમું : સમ્પાદક: પોષ
અંક ત્રીજો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
આરાધના
કોની આરાધના કરવી?
આ ચૈતન્યસ્વરૂપી આત્મા પોતે અનંતશક્તિવાળો દેવ છે, પોતે જ
પોતાનો પરમેશ્વર છે, પોતે દર્શન–જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ છે, તે જ
આરાધ્ય છે, માટે તેની સન્મુખ થઈને તેની જ આરાધના કરવી. તેની
આરાધનાનું ફળ મોક્ષ છે.
આ આત્માથી ભિન્ન પરવસ્તુઓનો (–પંચપરમેષ્ઠી ભગવંતો
વગેરેનો પણ) આત્મામાં અભાવ છે, તેઓ આ આત્માનું ખરું આરાધ્ય કેમ
હોઈ શકે? જેની સાથે પોતાની એકતા ન થઈ શકે તે પોતાનું ખરું આરાધ્ય
હોય નહિ; તેમજ પોતાની પર્યાયમાં જે શુભ–અશુભ રાગાદિ ભાવો થાય છે
તે તો સ્વયં અપરાધરૂપ છે–વિરાધકભાવ છે, તો તેની આરાધના કરવાનું
કેમ હોય? માટે પરચીજ કે વિકાર તે આત્માનું આરાધ્ય નથી, પણ પરથી
ભિન્ન તેમજ વિકારથી રહિત એવો જે પોતાનો અચિંત્ય ચૈતન્ય શક્તિસંપન્ન
સ્વભાવ છે તે જ આરાધ્ય છે, તેની આરાધનાથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર–તપ અને: મોક્ષ પમાય છે. જેઓ આવા આત્મસ્વભાવની આરાધના
કરે છે તેઓ જ આરાધક છે; અને જેઓ આવા આત્મસ્વભાવની આરાધના
નથી કરતા તેઓ વિરાધક છે.
(–પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 21
single page version

background image
નિર્વિકલ્પરસનું પાન કરો
[સમાધિશતક ગા. ૩૯ ઉપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી]


ભાવલિંગી સંતમુનિને સમાધિમરણનો અવસર હોય... આસપાસ બીજા મુનિઓ
બેઠા હોય;–ત્યાં તે મુનિને કોઈવાર તૃષાથી કદાચ પાણી પીવાની જરાક વૃત્તિ ઊઠી જાય
ને પાણી માંગે... કે... ‘પાણી!’
ત્યાં બીજા મુનિઓ તેને વાત્સલ્યથી સંબોધે છે કે અરે મુનિ! આ શું!! અત્યારે
પાણીની વૃત્તિ!! અંતરમાં નિર્વિકલ્પરસના પાણી પીઓ... અંતરમાં ડુબકી મારીને
અતીન્દ્રિય આનંદના સાગરમાંથી આનંદના અમૃત પીઓ... ને આ પાણીની વૃત્તિ છોડો...
અત્યારે સમાધિનો અવસર છે... અનંતવાર દરિયા ભરાય એટલા પાણી પીધાં... છતાં
તૃષા ન છીપી... માટે એ પાણીને ભૂલી જાઓ... ને અંતરમાં ચૈતન્યના નિર્વિકલ્પ
અમૃતનું પાન કરો.........
“निर्विकल्पसमुत्पन्नं ज्ञानमेव सुधारसम्।
विवेकं अंजुलिं कृत्वा तत् पिबंति तपस्विनः।।”
તપસ્વી–મુનિવરો વિવેકરૂપી અંજલિવડે, નિર્વિકલ્પદશામાં ઉત્પન્ન થતા જ્ઞાનરૂપી
સુધારસનું પાન કરે છે. હે મુનિશ્રેષ્ઠ! તમે પણ નિર્વિકલ્પ આનંદરસનું પાન કરીને અનંત
કાળની તૃષાને છીપાવી દ્યો........
આમ જ્યારે બીજા મુનિરાજ સંબોધન કરે છે ત્યારે તે મુનિ પણ તરત પાણીની
વૃત્તિ તોડી નાંખે છે... ને નિર્વિકલ્પ થઈને અતીન્દ્રિય આનંદના અમૃતને પીએ છે.......
અહો! ધન્ય તે નિર્વિકલ્પરસનું પાન કરનારા વનવાસી સંતોને!

PDF/HTML Page 6 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૫ :
શ્રી સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની યાત્રા નિમિત્તે
પૂ. ગુરુદેવનો મંગલ – પ્રવાસ


(પરમપૂજ્ય શ્રી કહાન ગુરુદેવે સોનગઢથી કારતક સુદ પૂર્ણિમાએ
તીર્થયાત્રા નિમિત્તે મંગલ વિહાર કર્યો... પાલેજમાં અનંતનાથ ભગવાનની
વેદીપ્રતિષ્ઠા તથા મુંબઈમાં મહાન પ્રભાવના કરીને તેઓશ્રી હાલ વિધવિધ
તીર્થધામોની યાત્રા સંઘસહિત કરી રહ્યા છે. પૂ. ગુરુદેવના સોનગઢથી ધંધુકા
સુધીના વિહારના સંસ્મરણો આત્મધર્મના ગતાંકમાં આપી ગયા છીએ.
ત્યારપછીના સમાચારો અહીં સંક્ષેપમાં આપવામાં આવે છે. પૂ. ગુરુદેવ સાથે
પ્રવાસમાં હોવાને કારણે આ સમાચારો વિસ્તારથી નથી આપી શકતા, એ
બદલ જિજ્ઞાસુ ગ્રાહકો ક્ષમા કરે. સોનગઢ આવ્યા બાદ વિસ્તારપૂર્વક યાત્રા–
વર્ણન, તે તે પ્રસંગના ફોટાઓ સહિત આપવાની ભાવના છે.)
–બ્ર. હરિલાલ જૈન

કારતક વદ છઠ્ઠના રોજ સવારમાં શ્રી જિનેન્દ્રદેવની સ્તુતિ અને અનંતનાથ ભગવાનના જયજયકારપૂર્વક
ધંધૂકાથી પૂ. ગુરુદેવે વિહાર કર્યો. હવે અમે સૌરાષ્ટ્રની બહાર ભાલ પ્રદેશમાં આવી ગયા. ભાલ પ્રદેશનો વિહાર
જરાક વિકટ છે. ધંધુકાથી ખડોલ સુધી ગીચ ઝાડીઓના વિકટ રસ્તે પસાર થતાં સમ્મેદશિખરજી ધામની ગીચ
ઝાડીઓનું સ્મરણ થતું હતું. આ ભાલપ્રદેશમાં ભોમિયા વિના ચાલે તેવું ન હતું. આપણે તો આ સંસારરૂપી
ભાલપ્રદેશમાંથી બહાર નીકળીને સિદ્ધ નગરીમાં પહોંચવા માટે પૂ. ગુરુદેવ જ માર્ગદર્શક ભોમિયા છે. પૂ.
ગુરુદેવની સાથેસાથે તેઓશ્રીના પુનિત માર્ગે વિચરીએ–એવી ભાવનાપૂર્વક ખડોલ ગામે પહોંચ્યાં. ત્યાં થોડી વાર
રોકાઈને ૧૦ વાગ્યે ફેદરા ગામે પહોંચ્યા.
ફેદરા પછી ભોળાદ ગામે આવતાં વચ્ચે “કાર નદી આવી. ભોળાદથી ગોલાણા ગામે જતાં વચ્ચે નૌકા
દ્વારા સાબરમતી નદી ઓળંગવાનું આવ્યું. પૂ. ગુરુદેવ આ જીવનમાં પહેલી જ વાર નૌકામાં બેઠા... ગુરુદેવ સાથે
ભક્તિ કરતાં કરતાં ભક્તજનો પણ નૌકામાં બેઠા... ને નૌકા ચાલી... ચાલતી નૌકામાં પૂ. ગુરુદેવના પવિત્ર
હસ્તાક્ષર (““ ચિદાનંદાય નમ:” એ પ્રમાણે) કરાવ્યા... ગુરુદેવ સાથે નૌકાવિહારનો આ પ્રસંગ બહુ
આનંદકારી હતો. તેનું વિસ્તૃત વર્ણન હવે પછી આપશું.
સાબરમતી પાર કર્યા બાદ ગોલાણા ગામે પહોંચ્યા. અમારી સાથેની મોટરબસ બીજા રસ્તે ગયેલી, તે
રસ્તામાં ખૂંચી ગયેલી, તેથી આજે તે અમને ન મળી. અહીં ગોલાણા ગામે શ્રી અમૃતલાલ નરસીભાઈના
સ્વર્ગવાસના સમાચાર મળતાં વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ.
શ્રીમદ્ રાજચંદ્રની ભૂમિમાં
કારતક વદ ૯ના રોજ ગોલાણાથી ખંભાત નગરે આવ્યા. અહીં પુરાણા જિનમંદિરમાં શ્રી વિમલનાથ

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
ભગવાન વગેરે અનેક જિનેન્દ્ર ભગવંતોના દર્શન થયા... સોનગઢથી વિહાર કર્યા બાદ અમને શ્રી જિનેન્દ્રદેવના
આ પહેલ વહેલા જ દર્શન થતા હતા... સૌએ ભાવપૂર્વક દર્શન કર્યા બાદ પૂ. ગુરુદેવે વિમલનાથ ભગવાનનું એક
ભજન ગવડાવ્યું હતું. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને પણ ભક્તિ કરાવી હતી. ભક્તિ બાદ અહીંની શ્રીમદ્
રાજચંદ્રજીની સ્વાધ્યાયશાળા જોવા ગયા હતા.
કારતક વદ ૧૦ના રોજ પૂ. ગુરુદેવ વડવા પધાર્યા. શ્રીમદ્ રાજચંદ્રજી અહીં જે વડ નીચે વાંચન કરતાં તે વડ
જોયો, તેમજ બીજા અનેક સ્થાનો જોયા. આ સ્થાન શાંત છે. બપોરના પ્રવચનમાં પૂ. ગુરુદેવે શ્રીમદ્ રાજચંદ્રજીના
એક પત્ર ઉપર પ્રવચન કરતાં “નિજપદની પ્રાપ્તિ તે અનેકાન્તનું ફળ છે” એ વિષય સુંદર રીતે સમજાવ્યો હતો.
(૧) “મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે.”
(૨) “કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી–પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દ્રષ્ટિપણે
પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્માસંબંધી ફળ નથી,
એમ અનુભવમાં આવે છે.”
–ઈત્યાદિ સુંદર વચનામૃતો ત્યાં સભામંડપમાં લખેલા છે.
વ્યાખ્યાન બાદ પૂ. ગુરુદેવ વડવાથી પાછા ખંભાત પધાર્યા.
કારતક વદ અગીયારસે સવારમાં પૂ. ગુરુદેવે બોરસદ તરફ વિહાર કર્યો... અમે ભક્તજનો મોટરબસમાં
આજે આનંદપૂર્વક ભક્તિ કરતા કરતા જતા હતા. અમારી મોટરબસ ખંભાતથી ઉપડેલી, તે રસ્તો ભૂલીને પાછી
ખંભાત તરફ જ જઈ રહી હતી... આ રીતે રસ્તો ભૂલવાથી અમે મોડા પહોંચ્યા. પૂ. ગુરુદેવને પણ રસ્તાની
ગરબડ થઈ થવાથી તેઓ લગભગ સાડાબાર વાગે બોરસદ પહોંચ્યા. આવતાં વેંત જિનમંદિરમાં શ્રી આદિનાથ
ભગવાનનાં દર્શન કર્યા. તે ઉપરાંત એક ગૃહચૈત્યમાં અજિતનાથ ભગવાન (સ્ફટિકના) બિરાજે છે ત્યાં પણ
દર્શન કર્યાં. બપોરે પ્રવચનમાં ઘણા માણસો આવેલા ને પૂ. ગુરુદેવે સમ્યગ્દર્શનની અદ્ભુત વાત સમજાવી હતી.
અગાસનું આશ્રમ
કારતક વદ ૧૨ના રોજ પૂ. ગુરુદેવ અગાસ પધાર્યા. અમે ભક્તજનો પણ ભક્તિ કરતા કરતા
મોટરબસમાં ચાલ્યા. અનેક ભક્તોએ પ્રેમપૂર્વક પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું. અહીં ઉપરના ભાગમાં શ્રી ચંદ્રપ્રભ
ભગવાનનું દિ. જિનમંદિર છે, ત્યાં દર્શન કર્યા. નીચે સ્વાધ્યાય ર્હાંલમાં આવ્યા બાદ થોડીવાર તો ગુરુદેવ એવી
ગંભીર સ્તબ્ધતાથી બેસી રહ્યા–જાણે કે શ્રીમદ્ને યાદ કરતા હતા કે ‘ક્યાં છે મારો ભાઈ! ’ ‘મારા
સાધર્મીભાઈનું આ સ્થાન! ’ ત્યારબાદ ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું અને પછી આખી સંસ્થાના વિધવિધ
સ્થાનોનું અને આસપાસના વાતાવરણનું અવલોકન કર્યું હતું. બપોરે પૂ. ગુરુદેવે “અનેકાંતિક માર્ગ પણ સમ્યક્
એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ ઉપકારી નથી” –એ શ્રીમદ્ના વચનનું રહસ્ય
પ્રવચનમાં સમજાવ્યું હતું.
અગાસમાં આખો દિવસ રહીને બીજે દિવસે પૂ. ગુરુદેવ બોરસદ પધાર્યાં. બપોરે શ્રીમદ્ રાજચંદ્રની શાળા
જોવા ગયા ને ત્યાં મંગલ પ્રવચન કર્યું.
કારતક વદ ચૌદસના રોજ સવારમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને બોરસદથી વાસદ મુકામે
આવ્યા... બીજે દિવસે વાસદથી છાણી આવ્યા. છાણીમાં દિ. જિનમંદિર છે ત્યાં ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કર્યાં.
અહીંથી પાવાગઢ સિદ્ધક્ષેત્રના પણ દૂરદૂર દર્શન થતા હતા.
માગસર સુદ એકમે છાણીથી વિહાર કરીને વડોદરા આવ્યા... વડોદરાના શ્રીસંઘે ધામધૂમથી પૂ. ગુરુદેવનું
સ્વાગત કર્યું... અહીં બે દિ. જિનમંદિર છે ત્યાં દર્શન કર્યા. ગુરુદેવના પ્રવચનમાં હજાર જેટલા શિક્ષિત માણસો
આવ્યા હતા ને સુંદર પ્રવચન સાંભળીને સૌ પ્રસન્ન થયા હતા. અહીં એક “સુખસાગર” નામનું સરોવર છે.
અહીંના મ્યુઝિયમમાં અનેક પુરાણા જિનબિંબો છે.
વડોદરામાં બે દિવસ રહીને, માગસર સુદ ત્રીજે સવારમાં જિનેન્દ્ર દેવના દર્શન કરીને ગુરુદેવ ઈટોલા ગામે
પધાર્યા. અહીં વિદ્યામંદિરના શિક્ષકોની વિનંતિથી પૂ. ગુરુદેવે વિદ્યામંદિરના મેદાનમાં એક વડ વૃક્ષની નીચે શાંત
વાતાવરણમાં બાળકો માટેનું ખાસ પ્રવચન કર્યું. તેમાં બાળકોને કેવા સંસ્કાર પાડવા તે સમજાવ્યું હતું આ
પ્રવચન વખતનું દ્રશ્ય બહુ સરસ

PDF/HTML Page 8 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૭ :
હતું. ર્કાંલેજના પ્રીન્સીપલ–પ્રોફેસર અને એકડીયા ભણતો બાળક એ બધા એક સાથે એક સભામાં બેસીને
ગુરુદેવનું પ્રવચન સાંભળતા.
માગસર સુદ ચોથ સવારે વિહાર કરીને પૂ. ગુરુદેવ મીયાંગામ પધાર્યા... ભક્તોએ ઉમંગથી સ્વાગત કર્યું.
ત્યારબાદ શ્રી જિનેન્દ્ર દેવના દર્શન કર્યા. બપોરે શણગારેલા મંડપમાં ગુરુદેવનું પ્રવચન થયું.
પાલેજમાં પ્રતિષ્ઠા મહોત્સવ
મીયાંગામથી વિહાર કરીને માગસર સુદ પાંચમે પૂ. ગુરુદેવ પાલેજપુરીમાં પધાર્યા. ભક્તમંડળે
ઉલ્લાસપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું. અહીં નવું જિનમંદિર બંધાયેલ છે તેમાં વેદી પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો.
પાલેજનું રળિયામણું જિનમંદિર તથા અનંતનાથ–સીમંધરનાથ વગેરે ભગવંતોની મુદ્રા નીહાળતાં નીહાળતાં
ગુરુદેવના હૃદયમાં આનંદની ઊર્મિઓ જાગતી હતી. પૂ. ગુરુદેવ અહીં જે દુકાનમાં બેસતા હતા તે દુકાન તથા
જ્યાં અફીણના કેઈસનો પ્રસંગ બનેલો તે સ્થળ વગેરે ભક્તોએ જોયું. જયાં પૂં ગુરુદેવ એકાંતમાં વિચાર–મંથન
કરતા તે ઓરડી પણ જોઈ. માગસર સુદ સાતમે પાલેજની હાટડીમાં ભક્તજનોએ ઉમંગથી ભક્તિ કરી...
ચોપડામાં ગુરુદેવના હસ્તાક્ષર કરાવ્યા. ગુરુદેવે હસતાં હસતાં “કાર કરીને કહ્યું કે “આ ભગવાનની વાણી છે.”
માગસર સુદ ૮થી વેદીપ્રતિષ્ઠાની વિધિનો પ્રારંભ થયો. પ્રતિષ્ઠામંડપમાં જિનેન્દ્રદેવનું સ્થાપન અને
ઝંડારોપણ થયું અને પછી અઢી દ્વીપ (વીસ વિહરમાન જિનેન્દ્રદેવ) નું પૂજન વિધાન શરૂ થયું. બપોરે પૂ.
ગુરુદેવનું પ્રવચન થયું હતું. રાત્રે જિનેન્દ્ર–ભજન થયું હતું. બીજે દિવસે પણ સીમંધરાદિ વીસ વિહરમાન
ભગવાનનું પૂજન ચાલ્યું. દસમના રોજ નાંદીવિધાન, ઈંદ્રપ્રતિષ્ઠા, યાગમંડલ વિધાન, જલયાત્રા, તથા વેદિશુદ્ધિ
વગેરે વિધિ થઈ હતી. પૂ. બેનશ્રી–બેનજીના પવિત્ર હસ્તે વેદીશુદ્ધિની કેટલીક મહત્ત્વની ક્રિયાઓ જોઈને ભક્તોને
આનંદ થતો હતો. પૂ. ગુરુદેવના પ્રવચનમાં દોઢ હજાર જેટલા માણસો આવ્યા હતા...ને ગુરુદેવે સમ્યગ્દર્શનનો
ઘણો સરસ મહિમા સમજાવ્યો હતો.
માગસર સુદ ૧૧–તે પાલેજમાં અનંતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલદિન છે. “તમારાં શા કરીએ
સન્માન...પધારો અનંતનાથ ભગવાન.” ઈત્યાદિ ભક્તિપૂર્વક જિનેંદ્ર ભગવંતોને જિનમંદિરમાં પધરાવ્યા...
ચાલીશ હજારનું નૂતન જિનાલય
સવાનવ વાગતાં પૂ. ગુરુદેવ પધાર્યાં... જિનેન્દ્ર–ભગવંતોની પાસે તેમના નંદન પધાર્યા... માંગળિક
સંભળાવીને ગુરુદેવે ભગવાનની બેઠક ઉપર મંગલ સ્વસ્તિક કર્યો અને પછી ભક્તોના મહાન જયજયકાર વચ્ચે
હૃદયના શુદ્ધભાવે ને પાવન હસ્તે પ્રભુજીને વેદી ઉપર બિરાજમાન કર્યા... હૃદયમાં સ્થાપેલા નાથને જિનમંદિરમાં
પણ સ્થાપ્યાં. પછી સૌ સંતોએ હીરામાણેક–રત્નોથી ભગવાનને વધાવ્યાં. અહીંનું જિનમંદિર લગભગ ૪૦, ૦૦૦
રૂા. ના ખર્ચે તૈયાર થયું છે; તેમાં નીચે મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાન અને
સીમંધર ભગવાન બિરાજે છે, ને ઉપરના ભાગમાં પાર્શ્વનાથ ભગવાન, અભિનંદન ભગવાન અને અમરનાથ
ભગવાન બિરાજે છે. આ ઉપરાંત બાજુના જ્ઞાનમંદિરમાં શ્રી સમયસારજી–જિનવાણી–માતાની સ્થાપના કરવામાં
આવી છે. પ્રતિષ્ઠા બાદ પૂ. ગુરુદેવે ઘણા ભાવથી માંગળિક સંભળાવ્યું હતું. શાંતિયજ્ઞ અને પ્રવચન બાદ ભવ્ય
રથયાત્રા નીકળી... રથયાત્રા માટે ખાસ હાથી આવેલ હતો... ગજરાજ ઉપર જિનરાજ અતિશય શોભતા હતા...
પાલેજમાં આ રથયાત્રા અદ્ભુત હતી... ને રાત્રે ભક્તિ થઈ હતી. પાલેજમાં પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે ત્યાંના
ભક્તજનો–શેઠ કુંવરજીભાઈ, આણંદજીભાઈ વગેરેએ ઘણો ઉત્સાહ બતાવ્યો હતો.
માગસર સુદ ૧૨–સવારમાં પૂ. ગુરુદેવ જિનમંદિરે દર્શન કરવા પધાર્યાં અને અનંતનાથ ભગવાનની
સ્તુતિ કરી. અભિનંદનસ્વામીને અભિનંદ્યા... ને જયજયકારપૂર્વક પાલેજથી વિહાર કરીને ભરૂચ પધાર્યાં. રાત્રે
ચર્ચામાં સમ્યગ્દર્શન અને જાતિસ્મરણ જ્ઞાન વગેરે બાબત સુંદર તત્ત્વચર્ચા ચાલી હતી.
પૂ. ગુરુદેવ જૈન ધર્મની પ્રભાવના કરતા કરતા વિચરી રહ્યા છે. પૂ. ગુરુદેવ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં
આત્મા અને પરમાત્માની ચર્ચાના નાદ ગૂંજી ઊઠે છે; ગુરુદેવના આગમનની આગાહી: થતાં જ આખી નગરીનું
વાતાવરણ અધ્યાત્મમય બની જાય છે, એ તેઓશ્રીનો અજોડ પ્રભાવ છે. સેંકડો ને હજારો લોકો જિજ્ઞાસાપૂર્વક
ગુરુદેવનો પાવન સંદેશ સાંભળે છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
પૂ. ગુરુદેવે પહેલી જ વાર અર્ધ્ય ચડાવ્યો
માગસર સુદ ૧૩ સવારમાં પાર્શ્વપ્રભુના દર્શન કરીને પૂ. ગુરુદેવ ભરૂચથી અંકલેશ્વર તરફ પધાર્યા... આ
ભગસાગરને સમ્યક્ત્વરૂપી સેતુ દ્વારા ઓળંગી જઈએ. એવી ભાવના ભાવતાં ભાવતાં ગુરુદેવની સાથે સાથે
નર્મદા નદીનો ૧ માઈલ લાંબો પૂલ ઓળગી ગયા... હવે અમે પુષ્પદંત–ભૂતબલિ જેવા મહાન્ શ્રુતધર સંતોની
પાવનભૂમિમાં જતા હતા. જે ભૂમિમાં એ મહાન્ સંતો પૂર્વે વિચર્યા તે ભૂમિમાં વર્તમાન સંતોની સાથે વિચરતાં
બહુ આનંદ થતો હતો.
અંકલેશ્વર ૭ાા વાગે પહોંચ્યા, ત્યાંથી સીધા પાંચ માઈલ સજોદ ગામે પૂ. ગુરુદેવ સાથે ગયા. અહીં
બિરાજમાન શ્રી શીતલનાથ ભગવાન અદ્ભુત છે, જાણે ચોથા કાળના હોય એવા પ્રતિમાજી છે ને સન્મુખ
બેસતાં જ આત્મધ્યાનની પ્રેરણા જાગે છે. ગુરુદેવે અને ભક્તજનોએ ઘણા જ ભાવથી પ્રભુજીને સર્વાંગે
નિહાળ્‌યા... સ્તુતિ કરી... અને અર્ધ્ય ચડાવ્યો... અહીં પૂ. ગુરુદેવે શ્રી જિનેન્દ્રદેવને અર્ધ્ય ચડાવવાની પહેલી જ
વાર શરૂઆત કરી, ગુરુદેવ ભાવપૂર્વક જ્યારે ભગવાનને અર્ધ્ય ચડાવતા હતા ત્યારનું દ્રશ્ય ઘણું ભક્તિભર્યું હતું
ને એ દ્રશ્ય દેખીને ભક્તોને ઘણો હર્ષ થતો હતો.
શ્રુતધામ અંકલેશ્વર
સજોદમાં શ્રી શીતલનાથ ભગવાનના દર્શન કરીને પૂ. ગુરુદેવ શ્રુતધામ અંકલેશ્વરમાં પધાર્યા... ભક્તોએ
પ્રેમથી સ્વાગત કર્યું. બે હજાર વર્ષ પહેલાંં અહીં શ્રુતનો મોટો ઉત્સવ ઊજવાયો હતો... ગામમાં લગભગ
૨૦,૦૦૦ની વસ્તી છે, દિ. જૈનોના ૨૦ ઘર છે; ચાર પુરાણા જિનમંદિરો છે, તેમાં અનેક પુરાણા જિનપ્રતિમા
બિરાજમાન છે. અનેક સ્થળે મુનિઓના પ્રતિમા પણ છે. સાંજે શ્રુતધર સંતોની અને જિનવાણીમાતાની અદ્ભુત
ભક્તિ પૂ. બેનશ્રીબેને કરાવી હતી. આ અંકલેશ્વરની યાત્રાનું વિશેષ વર્ણન હવે પછી આપશું.
સુરતનું શાનદાર સ્વાગત
માગસર સુદ ૧૪–અંકલેશ્વરથી પૂ. ગુરુદેવ કીમ ગામે પધાર્યા; ને પૂર્ણિમાના રોજ સુરત પધાર્યા. પૂ.
ગુરુદેવને સત્કારવા સુરત થનગની રહ્યું હતું... ને સુરતની સુરત જ જાણે બદલાઈ ગઈ હતી. ગુરુદેવ પધારતાં
સુરતની જનતાએ ઉમંગભેર સ્વાગત કર્યું. ચંદાવાડીમાં ઊતારો હતો... અનેક જિન–મંદિરો છે તેના દર્શન કર્યા.
બપોરે બીસન્ટ હાલમાં પ્રવચન હતું ને હજારોની સંખ્યામાં જનતા શ્રવણ કરવા આવી હતી. રાત્રિચર્ચામાં પણ
મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ લાભ લેતા હતા.
માગસર વદ એકમે, સુરતથી ૩ માઈલ દૂર કતાર ગામે પૂ. ગુરુદેવ અને સૌ ભક્તજનો આવ્યા, ત્યાં શ્રી
કુંદકુંદસ્વામી, ધરસેન–પુષ્પદંત–ભૂતબલિસ્વામી, જંબુસ્વામી, વિદ્યાનંદીસ્વામી, રવિસેનસ્વામી, જયસેનસ્વામી,
યોગીન્દુસ્વામી, જિનસેનસ્વામી, અકલંકસ્વામી વગેરે અનેક સંતોના પુનિત ચરણકમળ છે. ત્યાં ભક્તિથી દર્શન
કર્યા. અહીંનું વાતાવરણ ઉપશાંત હતું... ત્યાં દર્શન–ભક્તિ કરીને સૌ પાછા સુરત આવ્યા. પ્રવચન બાદ
જિનમંદિરમાં ભક્તિ થઈ હતી. અહીં ચંદાવાડીના જિનમંદિરમાં એક નાનકડા સુવર્ણ–પ્રતિમા હતા. રાત્રે ચર્ચામાં
પૂ. ગુરુદેવે આત્માના શાંતરસનું (–સમકિતીના આનંદનું) અદ્ભુત વર્ણન કર્યું હતું. પૂ. ગુરુદેવ સુરત પધારતાં
બે દિવસમાં ઘણી પ્રભાવના થઈ, ને મૂલચંદ કિસનદાસ કાપડિયા, વગેરે દિ. સમાજના સૌ જિજ્ઞાસુઓ ઘણા
પ્રસન્ન થયા. ‘જૈનમિત્ર’માં આ પ્રસંગની ભાવભરી નોંધ પ્રગટ થઈ હતી.
માગસર વદ બીજે, સવારમાં જિનેન્દ્રદેવના દર્શન કરીને પૂ. ગુરુદેવ સુરતથી પલસાણા પધાર્યા; ત્રીજને
દિવસે નવસારી પધાર્યા; ને ચોથના રોજ ચીખલી ગામે પધાર્યા. ચીખલીમાં લોકોએ પ્રેમથી સ્વાગત કર્યું... બપોરે
થીએટરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન હતું. આખું થીએટર વિદ્યાર્થી ભાઈ–બહેનોથી ચીક્કાર ભરાઈ ગયું હતું. પ્રવચન
બાદ અહીંના હેડ માસ્તરે પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો પ્રમોદ બતાવ્યો હતો.
પાંચમના રોજ ચીખલીથી વલસાડ આવ્યા... ગીતાસદનમાં સુંદર પ્રવચન થયું... સાંજે એક ગૃહચૈત્યમાં
પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા ગુરુદેવ પધાર્યા હતા. રાત્રે ચર્ચામાં પુણ્ય અને પુરુષાર્થ બાબત સરસ ચર્ચા ચાલી હતી.
આદિવાસીનો પ્રદેશ
છઠ્ઠના રોજ વલસાડથી વાપી ગામે આવ્યા... ને બીજે દિવસે (સાતમ–આઠમ ભેગા) તલાસરી ગામે
આવ્યા... હવેના આ ગામો તે આદિવાસી લોકોનો

PDF/HTML Page 10 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૯ :
પ્રદેશ છે, ગીચ જંગલ અને ઝાડીવાળો પ્રદેશ છે. ગુજરાત દેશનો વિહાર પૂરો કરીને હવે અમે મહારાષ્ટ્ર દેશમાં
પ્રવેશ કર્યો. સમ્મેદશિખરજી તીર્થધામની યાત્રા માટે પૂ. ગુરુદેવ સાથે સાથે વનજંગલના પ્રદેશોમાંથી વિચરતાં
વિચરતાં ક્યારેક ક્યારેક અમને આહારદાનનો પણ લાભ મળતો, ને તેથી આનંદ થતો.
અહીં તલાસરીના વનમાં ફરવા જતાં પૂ. ગુરુદેવને વૈરાગ્યની ને ધ્યાનની ભાવનાઓ જાગી હતી. સાંજે
પૂ. ગુરુદેવ અમને ભક્તજનોને અહીંનું વન બતાવવા તેડી ગયા હતા ને ગુરુદેવની સાથે વનમાં બેસીને
વનવાસી મુનિવરોની સ્તુતિ કરી હતી. આજે કુંદકુંદ પ્રભુની આચાર્યપદવીનો દિવસ અને વનમાં મુનિઓની
સ્તુતિનો પ્રસંગ બનતાં સૌને આનંદ થયો હતો. (આ પ્રસંગનું વિશેષ વર્ણન હવે પછી આવશે.)
ભીમંડી અને શીવનગર
માગસર વદ ૯–પૂ. ગુરુદેવ કાસા ગામે પધાર્યા ને અહીં શિક્ષણશિબિરમાં ૨૦૦ મરાઠી શિક્ષકો વચ્ચે પૂ.
ગરુદેવે એક વૃક્ષ નીચે, સાત વ્યસનના ત્યાગ બાબત સરસ પ્રવચન કર્યું. બીજે દિવસે કાસાથી મનોર આવ્યા.
મનોરથી ખુપરી ગામે થઈને સાંજે અંબાડી ગામે આવ્યા. અહીંના એકાંત–શાંત વાતાવરણમાં પૂ. ગુરુદેવ
“એકાકી વિચરતો......” ઈત્યાદિ ભાવના બોલ્યા હતા. માગસર વદ ૧૨ના રોજ પૂ. ગુરુદેવ ભીમંડી પધાર્યા.
ભક્તોએ ઉમંગપૂર્વક સ્વાગત કર્યું. મુંબઈથી પણ ૫૦૦ જેટલા ભક્તો પ્રવચન સાંભળવા આવ્યા હતા... સાંજે
ભીમંડીથી વિહાર કરીને થાણા પધાર્યા. થાણાના શ્વેતાંબર મંદિરમાં શ્રી સીમંધર ભગવાનની મૂર્તિ પણ છે.
માગસર વદ તેરસે પૂ. ગુરુદેવ ભીમંડીથી શીવ પધાર્યા... વચ્ચે ઘાટકોપર, કુરલા, મુલન્દ વગેરે સ્થળે
સેંકડો ભક્તજનોએ ઉમંગથી ગુરુદેવનું સ્વાગત કર્યું. શીવમાં ભવ્ય સ્વાગત થયું ને મંગલ પ્રવચનમાં પૂ. ગુરુદેવે
“શિવનગરીમાં પ્રદેશ કઈ રીતે થાય” તે સમજાવ્યું.
મુંબઈનું મહાવીરનગર
માગસર વદ ચૌદસના રોજ શીવથી વિહાર કરીને પૂ. ગુરુદેવ મુંબઈ શહેરમાં પધાર્યા... મુંબઈના હજારો
ભક્તોએ ઘણા ઉમંગથી ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. મુંબઈની અટારીઓ ગુરુદેવના દર્શન માટે ઊભરાઈ ગઈ
હતી... લાખો લોકોએ ઉત્સુકતાથી ગુરુદેવના દર્શન કર્યા. આજે મુંબઈ નગરી ઠેર ઠેર શણગારથી ઘણી શોભતી
હતી. પૂ. ગુરુદેવના પ્રવચનમાં સવારે–બપોરે સાત–આઠ હજાર શ્રોતાઓ આવતા..પૂ. ગુરુદેવ મુંબઈમાં ૧૭
દિવસ રહ્યા તે દરમિયાન મુંબઈની જનતાએ જે ઉત્સાહથી લાભ લીધો છે ને જે પ્રભાવના થઈ છે તે જોઈને
લોકો ચકિત થઈ જતા હતા. મુમ્માદેવી પ્લોટમાં મહાવીરનગરમાં પ્રવચનમંડપ હતો, તેનું પ્રવચનસભા વખતનું
દ્રશ્ય અદ્ભુત લાગતું. અહીં પાંચ દિગંબર જિનમંદિર (ભૂલેશ્વર, કાલબાદેવી, ગુલાલવાડી તથા ચોપાટી ઉપર
કાચના બે મંદિર) છે ત્યાં પૂ. ગુરુદેવ દર્શન કરવા પધાર્યા હતા ને હીરા–માણેકથી જિનેન્દ્ર ભગવાનને વધાવ્યા
હતા. અહીં ઝવેરી બજાર તરફ નવું દિ. જિનમંદિર પૂ. ગુરુદેવના પ્રભાવે બંધાઈ રહ્યું છે; મુંબઈના પ્રમુખશ્રીએ
આ જિનમંદિરના પાયામાં પૂ. ગુરુદેવના પાવન હસ્તે શિલારોપણ કરાવ્યું હતું... મુંબઈમાં પૂ. ગુરુદેવનું જે ભવ્ય
સ્વાગત થયું તેની પ્રશંસનીય નોંધ મુંબઈના અનેક પત્રકારોએ લીધી હતી. શ્રી જયપુરના સંઘ તરફથી
(પ્રતિષ્ઠિત ૩૦૦ વ્યક્તિઓની સહી કરેલ) આમંત્રણ પત્ર આવ્યું હતું તેમાં પૂ. ગુરુદેવને જયપુરમાં ચોમાસું
રહેવા માટે વિનતિ કરવામાં આવી હતી. આ સિવાય ઇંદોર, કલકત્તા, દિલ્હી વગેરે અનેક સ્થળેથી પણ આમંત્રણ
આવ્યા હતા. અહીંના મ્યુઝીયમમાં શ્રી બાહુબલી ભગવાનના (૧૨૦૦ વર્ષ પુરાણા) પ્રતિમાજી છે તથા બીજા
પણ અનેક પ્રતિમાઓ છે. મુંબઈમાં જિનમંદિરોમાં સોનગઢના ભક્તજનોએ ધામધૂમપૂર્વક મહાન પૂજન ભક્તિ
વગેરે કર્યા હતા, ને પૂજનાદિનો ઉત્સાહ જોઈને મુંબઈના ભક્તજનોને આશ્ચર્ય અને આનંદ થયા હતા. પૂ.
ગુરુદેવ ૮–૧૦ હજાર શ્રોતાઓની સભામાં જ્યારે હલકપૂર્વક ગદગદવાણીથી ભગવાનની ભક્તિ વગેરેનું વર્ણન
કરતા ત્યારે સભા એકદમ સ્તબ્ધ બની જતી હતી ને વૈરાગ્યની મસ્તી જામતી. ગુરુદેવના આગમનથી આ
મોહમયી–નગરી જાણે કે ધર્મનગરી બની ગઈ હતી. રવિવારે શ્રી જિનેન્દ્ર ભગવાનની મહાન્ ભવ્ય રથયાત્રા
ઘણા ઉલ્લાસ અને ભક્તિપૂર્વક નીકળી હતી.
મોટરદ્વારા યાત્રા–પ્રયાણ
મુંબઈમાં ૧૭ દિવસ રહીને, પોષ સુદ પૂર્ણિમાના

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
શુભદિને પૂ. ગુરુદેવે મોટરદ્વારા સંઘસહિત તીર્થયાત્રા માટે મંગલ પ્રસ્થાન કર્યું છે. ગામેગામમાં જૈનધર્મની મહાન
પ્રભાવના કરતા કરતા શાશ્વત સિદ્ધિધામ શ્રી સમ્મેદશિખરજીની યાત્રા અર્થે ભક્તોના મોટા સંઘ સહિત પૂ.
ગુરુદેવ વિચરી રહ્યા છે ને સિદ્ધિનો પંથ પ્રસિદ્ધ કરતા જાય છે. ગુરુદેવનો આ યાત્રાપ્રવાસ ભારતભરમાં જૈન
ધર્મનો જયજયકાર ફેલાવો.
મુંબઈથી પૂ. ગુરુદેવ ભીમંડી પધાર્યા...ત્યાં સંઘ સહિત પૂ. ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું... સાંજે ભીમંડીથી
ગજપંથા આવ્યા... પોષ વદ એકમે ગજપંથા તીર્થની યાત્રા કરી. અહીંથી સાત બલભદ્ર તથા અનેક મુનિવરો
મુક્તિ પામ્યા છે. પર્વત ઉપર ૮ ફૂટના ભવ્ય–પ્રતિમાજી પાર્શ્વનાથ ભગવાનના છે, તે ઉપરાંત પંચપરમેષ્ઠી વગેરેના
પ્રતિમા પણ છે. સાત બલભદ્રના ચરણકમળ પણ છે. ત્યાં ઉલ્લાસપૂર્વક જાત્રા કરીને સંઘ માંગીતુંગી આવ્યો.
માંગીતુંગી: નવ કરોડ મુનિનું મુક્તિધામ
માંગીતુંગીમાં શ્રી રામચંદ્રજી, હનુમાનજી તથા ૯૯ કરોડ મુનિઓ મુક્તિ પામ્યા છે. પર્વતનું ચઢાણ ઘણું
અઘરું છે. પોષ વદ બીજે ગુરુદેવે સંઘસહિત યાત્રા કરી. પર્વત ઉપર ઘણા જૂના સુંદર ઉપશાંત પ્રતિમાઓ બિરાજે
છે. માંગી અને તુંગી એમ જુદા જુદા બે શિખર છે. અહીં શેઠ શ્રી ગજરાજજી ગંગવાલ પણ આવેલા, ને તેમણે
પૂ. ગુરુદેવના સ્વાગતનું ભાષણ કર્યું હતું તથા ત્યાંની ટ્રસ્ટકમિટિ તરફથી પૂ. ગુરુદેવને એક માનપત્ર આપ્યું હતું.
માંગીતુંગીના ફંડ માટે અપીલ થતાં ચારેક હજાર રૂા. નું ફંડ થયું હતું.
પોષ વદ ત્રીજે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ભગવાનની રથયાત્રા નીકળી હતી.
માંગીતુંગીથી (વદ ચોથે) પૂ. ગુરુદેવ ધૂલિયા ગામે પધાર્યાં, ભક્તોએ ઉલ્લાસથી સ્વાગત કર્યું હતું ને
પ્રવચનમાં અઢી હજાર જેટલા શ્રોતાઓએ લાભ લીધો હતો.
ચોરાશી ફૂટ ઊંચા પ્રતિમા
ધૂલીયાથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ સંઘસહિત શ્રી બડવાની તીર્થધામ પધાર્યા હતા. માગસર વદ છઠ્ઠના
રોજ તીર્થયાત્રા થઈ હતી. આ બડવાની તીર્થમાં શ્રી આદિનાથ ભગવાનના લગભગ ૮૪ ફૂટ ઊંચા (બાવન
ગજા) ખડ્ગાસન પ્રતિમા પર્વતમાં જ કોતરેલા છે, તે અદ્ભુત છે ને એશિયાભરમાં આ પ્રતિમા સૌથી મોટા છે.
પર્વતની તળેટીમાં પણ અનેક જિનમંદિરો છે. આ પર્વત ઉપરથી શ્રી ઈન્દ્રજીત, કુંભકર્ણ અને કરોડો મુનિવરો
મુક્તિ પામ્યા છે. આ ઉપરાંત
આ પર્વત ઉપર શ્રી કુંદકુંદાચાર્યદેવના ખડ્ગાસન પ્રતિમાજી છે, જેઓ
સીમંધર ભગવાન સન્મુખ (પૂર્વ દિશામાં) હાથ જોડીને ઊભા છે. આ દ્રશ્ય જોઈને પૂ. ગુરુદેવને અને સૌ
ભક્તજનોને ઘણો આહ્લાદ થયો. અહીં ગુરુદેવે ભાવપૂર્વક શ્રી જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કર્યો હતો;
ગુરુદેવના હસ્તે જિનેન્દ્રદેવના અભિષેકનું દ્રશ્ય દેખીને સૌ ભક્તોને ઘણો આનંદ થયો હતો. બપોરે પૂ. ગુરુદેવે
ગામમાં પ્રવચન કર્યું હતું.
બડવાનીથી પૂ. ગુરુદેવ પાવાગીરી–ઊન પધાર્યા હતા. અહીંથી સુવર્ણભદ્રાદિ અનેક મુનિઓ મુક્તિ પામ્યા
છે. ભવ્ય જિનમંદિરમાં શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ભગવાનના ઘણા મોટા (૧૫ ફૂટના) પ્રતિમાજી અતિશય
ઉપશાંત મુદ્રામાં ખડ્ગાસને ધ્યાનસ્થ બિરાજે છે. તેની ઘણા ઉલ્લાસથી યાત્રા કરી.
ઈન્દોરમાં પ્રવેશ
માગસર વદ ૯ના રોજ પૂ. ગુરુદેવ ખંડવા શહેરમાં પધાર્યા... અહીંના ભક્તજનોએ ઘણા જ ઉલ્લાસથી
ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું, ને આખા સંઘની વ્યવસ્થા ઘણા પ્રેમપૂર્વક કરી. વ્યાખ્યાનમાં ૩–૪ હજાર શ્રોતાઓ
આવતા હતા. ભક્તિ, રાત્રિચર્ચા વગેરેમાં પણ ઘણા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. હવે અહીંથી
સિદ્ધવરકુટ થઈને પૂ. ગુરુદેવ ઇંદોર તા. ૨૭મીએ પધારશે.
[આ પ્રમાણે ગુરુદેવ સંઘસહિત ધર્મપ્રભાવના કરતા કરતા
તીર્થધામોની યાત્રા ઉલ્લાસપૂર્વક કરતા જાય છે.]

PDF/HTML Page 12 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૧૧ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
[૨૪]
નિયતપ્રદેશત્વ શક્તિ
આત્મામાં અનંત શક્તિઓ હોવા છતાં તે જ્ઞાનમાત્ર છે, જ્ઞાનભાવમાં બધું સમાઈ જાય છે, એટલે કે જ્ઞાને
અંતર્મુખ સ્વભાવ સાથે એકતા કરીને જ્યાં આત્મ–સ્વભાવને અનુભવમાં લીધો ત્યાં આત્માના અનુભવમાં
એકલું જ્ઞાન જ નથી પણ આનંદ વગેરે અનંતશક્તિઓ પણ નિર્મળ પર્યાયસહિત અનુભવાય છે. એકેક શક્તિનો
જુદો જુદો અનુભવ નથી પણ અભેદ આત્માના અનુભવમાં અનંતશક્તિનો રસ ભેગો જ છે. તે ઓળખાવવા
અહીં આત્માની શક્તિઓનું અદ્ભુત વર્ણન આચાર્યદેવે કર્યું છે. તેમાં ૨૪મી ‘નિયનપ્રદેશત્વ શકિત’ છે. તે કેવી
છે?–“આત્માનું નિજક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, તે અનાદિસંસારથી માંડીને સંકોચ–વિસ્તારથી લક્ષિત છે અને
મોક્ષદશામાં તે ચરમશરીરના પરિમાણથી કંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે; આવું લોકાકાશના માપ
જેટલા અસંખ્ય આત્મ–અવયવપણું તે નિયત–પ્રદેશત્વ શક્તિનું લક્ષણ છે.”–આવી પણ એક શક્તિ આત્મામાં છે.
બહારમાં જે આ નાક–કાન વગેરે શરીરના અવયવો છે તે તો જડ છે, તે કાંઈ આત્માના અવયવ નથી.
આત્મા તો અરૂપી–અવયવવાળો છે, ને અસંખ્ય પ્રદેશો તે જ તેના અવયવો છે. લોકાકાશના પ્રદેશોની જેટલી
સંખ્યા છે તેટલી જ આત્માના અવયવોની સંખ્યા છે; અને તે દરેક અવયવ જ્ઞાન–આનંદ વગેરે શક્તિથી
ભરેલા છે.
આત્માના પ્રદેશો લોક જેટલા હોવા છતાં તે લોકમાં ફેલાઈને રહેલો નથી, કેવળી–સમુદ્ઘાત વખતે માત્ર
અમુક સમયે જ લોકવ્યાપકપણે તેના પ્રદેશો વિસ્તરે, અને તે સમુદ્ઘાત કેવળજ્ઞાનીને જ હોઈ શકે. એ સિવાય
સંસારદશામાં તે તે શરીરપ્રમાણે આત્માના પ્રદેશોનો સંકોચ–વિસ્તાર થાય છે. હાથીના મોટા શરીરમાં જે આત્મા
રહેલો છે તેના અસંખ્ય પ્રદેશો તેટલા વિસ્તાર પામ્યા છે, ને કીડીના શરીરમાં જે આત્મા રહેલો છે તેના અસંખ્ય
પ્રદેશો તેટલા સંકોચ પામ્યા છે, છતાં અસંખ્ય પ્રદેશો તો બંનેમાં સરખા જ છે.
પ્રશ્ન:– જ્યારે મોટા શરીરમાં વિસ્તાર પામે ત્યારે જીવના પ્રદેશો વધી જાય, ને જ્યારે નાના શરીરમાં
સંકોચ પામે ત્યારે જીવના પ્રદેશો ઘટી જાય–એમ બને કે નહીં?
ઉત્તર:– ના; આત્માના ‘નિયત અસંખ્ય પ્રદેશ’ છે, તે તો ત્રિકાળ તેટલા જ રહે છે, તેમાં એક પણ પ્રદેશ

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
ઘટતો કે વધતો નથી. ગમે તેટલો મોટો આકાર થાય તેથી કાંઈ એકેય પ્રદેશ વધી જતો નથી, તેમ જ ગમે તેટલો
નાનો આકાર થાય તો પણ એકેય પ્રદેશ ઘટી જતો નથી. નાના કે મોટા ગમે તે આકારમાં સરખે–સરખા અસંખ્ય
પ્રદેશો રહે છે.
પ્રશ્ન:– તો પછી, જ્યારે જીવનો આકાર સંકોચાય ત્યારે તેના પ્રદેશો નાના માપના થઈ જાય અને જ્યારે
જીવનો આકાર વિકાસ પામે ત્યારે તેના પ્રદેશો મોટા થઈ જાય એમ છે?
ઉત્તર:– ના; પ્રદેશ એટલે સૌથી છેલ્લો અંશ; તે કદી નાનો–મોટો થતો નથી. એક જીવ પહેલાંં કીડીના
શરીરમાં રહેલો હતો ત્યારે તેનો આકાર તેવો સંકોચાયેલો હતો, ને પછી તે જ જીવ હાથીના શરીરમાં આવતા
તેનો આકાર વિસ્તારરૂપ થયો, પણ તેથી કાંઈ તે જીવના પ્રદેશો મોટા નથી થઈ ગયા, પ્રદેશો તો એવડા ને
એવડા જ છે, તેમની સંખ્યા પણ એટલી ને એટલી જ છે.
પ્રશ્ન:– જો જીવના પ્રદેશોની સંખ્યા પણ ઘટતી–વધતી નથી ને તેના પ્રદેશોનું માપ પણ નાનું–મોટું થતું
નથી, પ્રદેશો જેટલા છે તેટલા જ રહે છે ને જેવડા છે તેવડા જ રહે છે,–તો જીવમાં સંકોચ–વિસ્તાર કઈ રીતે
થાય છે?
ઉત્તર:– પ્રદેશોની તે પ્રકારની હીન–અધિક અવગાહનાથી સંકોચ–વિસ્તાર થાય છે; લોકના અસંખ્ય પ્રદેશ
અને એક જીવના અસંખ્ય પ્રદેશ એ બંને સરખા છે; લોકના એકેક પ્રદેશે જીવના જેમ જેમ વધુ પ્રદેશો
અવગાહીને રહે તેમ તેમ જીવના આકારનો સંકોચ થાય છે, ને લોકના એક પ્રદેશે જીવના જેમ જેમ ઓછા પ્રદેશો
રહે તેમ તેમ જીવના આકારનો વિકાસ થાય, એ રીતે સંકોચ–વિસ્તાર થાય છે. દાખલા તરીકે–જીવ જ્યારે આખા
લોકમાં અવગાહીને રહ્યો હોય ત્યારે લોકના દરેક પ્રદેશે જીવનો એકેક પ્રદેશ છે, અને જ્યારે અર્ધા લોકને
વ્યાપીને જીવ રહે ત્યારે લોકના દરેક પ્રદેશે જીવના બબ્બે પ્રદેશો હોય, એ જ પ્રમાણે જ્યારે લોકના અસંખ્યાતમા
ભાગને વ્યાપીને જીવ રહે ત્યારે લોકના એકેક પ્રદેશે જીવના ‘અસંખ્યાતમા ભાગના અસંખ્ય’ પ્રદેશો રહેલા છે.
જીવના અસંખ્ય પ્રદેશોનું માપ એટલું મોટું છે કે તેને અસંખ્યથી ભાગતાં પણ અસંખ્ય આવે છે. વળી જીવનો
અવગાહન સ્વભાવ પણ એવો જ છે કે ગમે તેટલો તે સંકોચાય તો પણ અસંખ્ય પ્રદેશને તો તે રોકે જ;
સંકોચાઈને એક જ પ્રદેશમાં જીવના બધા પ્રદેશો રહી જાય–એવો સંકોચ જીવમાં કદી થતો નથી. કંદમૂળની,
સોયની અણી ઉપર રહે એટલી નાની કટકીમાં પણ અસંખ્ય શરીરો છે ને એકેક શરીરમાં અનંત જીવો રહેલા છે,
તે દરેક જીવે પણ અસંખ્ય પ્રદેશો રોકયા છે.
પ્રશ્ન:– આખા લોકના પ્રદેશો તો અસંખ્યાત જ છે, ને લોકમાં જીવો તો અનંતાનંત છે, તો તે બધા જીવો
લોકમાં કઈ રીતે સમાયા?
ઉત્તર:– જીવનો અમૂર્ત સ્વભાવ છે એટલે જ્યાં એક જીવ રહેલો છે ત્યાં જ બીજા જીવના પ્રદેશો પણ રહી
શકે છે, અને એ રીતે ભિન્ન ભિન્ન અનંત જીવોના અનંત પ્રદેશો એક પ્રદેશે રહી શકે છે. એક જ જીવના પૂરા–
અસંખ્ય પ્રદેશો એક પ્રદેશે કદી ન રહે (કેમકે જીવના પ્રદેશોમાં જ એ પ્રકારનો સંકોચ થવાનો સ્વભાવ નથી),
પરંતુ જુદા જુદા અનંત જીવોના અનંત પ્રદેશો એક જ પ્રદેશે રહેલા છે. એ રીતે લોકના અસંખ્ય પ્રદેશોમાં
અનંતાનંત જીવો સમાયેલા છે. લોકાગ્રે જ્યાં એક સિદ્ધભગવાન છે ત્યાં જ બીજા અનંત સિદ્ધભગવંતો બિરાજે
છે, છતાં બધા ભિન્ન ભિન્ન છે, દરેકને પોતપોતાનો આનંદ જુદો છે, દરેકને પોતપોતાનું જ્ઞાન જુદું છે, દરેકને
પોતપોતાના આત્મપ્રદેશો જુદા છે, એ રીતે એક ક્ષેત્રે અનંતસિદ્ધો હોવા છતાં દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. જે
અજ્ઞાનીઓને આવા સ્વભાવની ખબર નથી તેઓને એવો ભ્રમ થાય છે કે મુક્તજીવો એકબીજામાં જ્યોતમાં
જ્યોત મિલાય–તેમ ભળી ગયા છે, ને ત્યાં જીવો જુદા જુદા નથી. પરંતુ આચાર્યદેવ કહે છે કે જીવમાં નિત્ય–
અસંખ્ય પ્રદેશ હોવારૂપ શક્તિ છે, તેથી પોતાના સ્વતંત્ર અસંખ્ય પ્રદેશરૂપે તે ત્રિકાળ ટકી રહે છે.
* “અસંખ્ય”ના એક બીજાથી ચડિયાતા નવ પ્રકારો છે, તેમાંથી જીવના પ્રદેશોનું જે અસંખ્યપણું છે તે
આઠમા પ્રકારનું છે, તેને “મધ્યમ અસંખ્યાત અસંખ્યાત” કહેવાય છે. તેનો અસંખ્યાતમો ભાગ તે પણ
અસંખ્ય છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૧૩ :
અસંખ્ય પ્રદેશ એટલા ને એટલા રહીને, સંસાર અવસ્થામાં જીવની આકૃતિમાં સંકોચ–વિકાસ થયા કરે
છે, પણ મુક્તિ થયા પછી સિદ્ધદશાના પહેલા સમયે જેવો આકાર હોય તેવો આકાર સદાય રહે છે, પછી ત્યાં
સંકોચ–વિકાસ થતો નથી. અહીં ‘ચરમશરીરથી કિંચિત્ ન્યૂન આકારે અવસ્થિત’ એવા અસંખ્ય પ્રદેશીપણાને
નિયતપ્રદેશત્વ શક્તિનું લક્ષણ કહ્યું, ચરમશરીર તો મોક્ષગામીને જ હોય; એટલે મોક્ષગામી જીવની વાત લીધી.
જે જીવ આત્માની શક્તિ તરફ વળ્‌યો છે તે અલ્પકાળમાં જ ચરમશરીરી થઈને અશરીરી–સિદ્ધ થઈ જશે.
પ્રશ્ન:– સિદ્ધદશામાં આકાર હોય?
ઉત્તર:– હા; જીવના અસંખ્ય પ્રદેશો છે તેનો સિદ્ધદશામાં પણ આકાર હોય છે.
પ્રશ્ન:– સિદ્ધદશામાં જીવનો કેવો આકાર હોય?
ઉત્તર:– ચરમશરીરથી કિંચિત્ ન્યૂન, એટલે કે મોક્ષદશા પહેલાંનું જે છેલ્લું શરીર હતું તે શરીરના
આકારથી જરાક ઓછા માપનો આકાર સિદ્ધદશામાં હોય છે. અહીં ‘ચરમશરીરથી કિંચિત્ ન્યૂન’ કહ્યું છે, તેને
બદલે ચરમશરીરથી ત્રીજા ભાગે ન્યૂન કેટલાક માને છે તેમની માન્યતા બરાબર નથી. શરીરના કેશ–નખ વગેરે
કેટલાક ભાગમાં આત્મપ્રદેશો નથી–તે બાદ કરીને કિંચિત્ન્યૂન આકાર કહેવાય છે.
બધાય સિદ્ધભગવંતોને જ્ઞાન સરખું, આનંદ સરખો, પ્રભુતા સરખી, આત્મપ્રદેશોની સંખ્યા સરખી, પરંતુ
આકાર એક સરખો જ બધાયનો હોય–એવો નિયમ નથી. જો કે એકસરખા આકારવાળા પણ અનંતા સિદ્ધ છે,
છતાં બધાય સિદ્ધનો આકાર એકસરખો જ હોતો નથી; કોઈનો આકાર મોટો હોય, કોઈનો નાનો હોય; જેમકે
બાહુબલી ભગવાન પરમ ધનુષ ઊંચા હતા ને મહાવીર ભગવાન ૧ ધનુષ ઊંચા હતા, સિદ્ધદશામાં પણ તેમનો
આકાર તે પ્રકારે જુદો જુદો જ છે.
પ્રશ્ન:– સિદ્ધ ભગવાન તો બધાય સરખા, છતાં ત્યાંય મોટા–નાનાપણું?
ઉત્તર:– એ તો એમ બતાવે છે કે આકારના મોટા–નાનાપણા સાથે જ્ઞાન–આનંદનું માપ નથી. સવા–
પાંચસો ધનુષનો મોટો આકાર હોય માટે તેને જ્ઞાન–આનંદ વધારે, ને એક ધનુષ જેવડો આકાર હોય માટે તેને
જ્ઞાનઆનંદ ઓછા–એમ નથી. પ્રદેશો તો બંનેના સરખા જ છે. કોઈ જીવનો આકાર નાનો હોય છતાં બુદ્ધિ ઉગ્ર
પણ હોય, ને કોઈ જીવનો આકાર મોટો ભેંસ જેવો હોય છતાં બુદ્ધિ અલ્પ પણ હોય; કેમકે જ્ઞાન વગેરે ગુણનું
કાર્ય જુદું છે, ને પ્રદેશોના આકારની રચના થવાનું કાર્ય જુદું છે. ઓછી અવગાહના હોય તેથી કાંઈ આત્માની
શક્તિઓ કે પ્રદેશો ઓછા થઈ જતા નથી, ને ઓછી અવગાહનાને કારણે કાંઈ આત્માના પરિપૂર્ણ જ્ઞાન–આનંદ
કે પ્રભુતાને બાધા આવતી નથી, તેથી મુક્તદશા થતાં આત્માનો આકાર સર્વવ્યાપક થઈ જાય–એવું કાંઈ નથી.
જેની દ્રષ્ટિમાં આત્માની સ્વભાવશક્તિનો મહિમા ન આવ્યો તેની દ્રષ્ટિ બાહ્યક્ષેત્ર ઉપર ગઈ, એટલે
બાહ્યમાં ક્ષેત્રની વિશાળતાથી (સર્વવ્યાપકપણાથી) આત્માનો મહિમા કલ્પ્યો, પણ આ શરીરપ્રમાણ મારા
આત્માના અસંખ્ય પ્રદેશમાં જ મારી અનંતશક્તિથી પરિપૂર્ણ પ્રભુતા ભરી છે. એનો વિશ્વાસ ન આવ્યો. એટલે
આત્માને શરીરપ્રમાણ ન માનતાં સર્વવ્યાપક માને છે તેને આત્માના સ્વભાવની ખબર નથી, તે મિથ્યાદ્રષ્ટિ છે
એમ જાણવું.
અહો, આત્માની એકેક શક્તિના, વર્ણનમાં કેટલી સ્પષ્ટતા ભરી છે! આવી નિજશક્તિને ઓળખે તો
અંતરમાં ભગવાન આત્માનો પ્રસિદ્ધ અનુભવ થયા વિના રહે નહીં.
આત્માની શક્તિ શું તેના સ્વભાવની પ્રતીત કરીને તેના અનુભવમાં લીન થવું તે ધર્મ છે. આત્મા
અસંખ્ય ચૈતન્ય પ્રદેશોનો પિંડ છે, ને તેમાં જ્ઞાનાદિ અનંત ગુણો છે. આત્મામાં પ્રદેશોની સંખ્યા થોડી છે ને
ગુણોની સંખ્યા અનંતી છે. પ્રદેશ અપેક્ષાએ જે એક અંશ છે તે બીજે ઠેકાણે નથી, એવા અસંખ્ય અંશોરૂપ
આત્માનું સ્વક્ષેત્ર છે. આત્મામાં અનંતગુણો છે તે દરેક ગુણ તો અસંખ્ય પ્રદેશમાં વ્યાપીને રહેલો છે, પણ
આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એક પ્રદેશ બધા પ્રદેશમાં વ્યાપતો

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
નથી. અસંખ્યપ્રદેશો સર્વત્ર જ્ઞાન, આનંદ વગેરે અનંતી શક્તિથી ભરેલા છે, એક ઠેકાણે જ્ઞાન ને બીજા ઠેકાણે
આનંદ એમ ભિન્ન ભિન્ન ક્ષેત્ર નથી, પણ એકેક પ્રદેશે સર્વે ગુણો એક સાથે રહેલા છે. એટલે, એક પ્રદેશે સર્વે
ગુણો છે પણ એક પ્રદેશે સર્વે પ્રદેશો નથી.
આત્મા સંસારદશામાં પણ શરીર–મન–વાણી વગેરેનો સંકોચ–વિસ્તાર કરી શકે એ વાત તો સાચી છે જ
નહિ. હા, સંસારદશા વખતે આત્માના પ્રદેશોની પર્યાયમાં સંકોચવિકાસ થાય છે, પરંતુ તે સંકોચ–વિકાસ કાયમ
થયા જ કરે એવો પણ આત્માનો સ્વભાવ નથી; અસંખ્યપ્રદેશ અનંતગુણથી ભરેલા કાયમ રહ્યા કરે–એવો
સ્વભાવ છે. સિદ્ધદશા થતાં આત્માના અસંખ્ય પ્રદેશો સંકોચ–વિસ્તાર થયા વિના એમ ને એમ સ્થિર રહી જાય
છે. સંકોચ–વિકાસરૂપ ભિન્ન ભિન્ન આકારો–વડે આત્મા એકરૂપ લક્ષિત થતો નથી, કેમકે કોઈ પણ આકાર
ત્રિકાળ નથી રહેતો, તેથી સંકોચ–વિસ્તારવડે તો માત્ર એક સમયનો વ્યવહાર લક્ષિત થાય છે, ને આત્માનું
અસંખ્યપ્રદેશીપણું તો ત્રિકાળ એકરૂપ રહે છે, એટલે તે દ્રવ્યનો સ્વભાવ છે. –આમ હોવા છતાં એકલું અસંખ્ય
પ્રદેશીપણું તે કાંઈ આત્માનું લક્ષણ નથી, કેમ કે અસંખ્યપ્રદેશીપણું તો ધર્માસ્તિકાય વગેરે જડ દ્રવ્યોમાં પણ છે;
આત્માનું લક્ષણ તો ‘જ્ઞાન’ છે, તેના વડે જ આત્મા લક્ષિત થાય છે. અહીં ‘જ્ઞાનલક્ષણ’ તેને જ કહ્યું કે જે જ્ઞાન
અંતર્મુખ થઈને આત્માને લક્ષિત કરે,–આત્માને પ્રસિદ્ધ કરે,–આત્માનો અનુભવ કરે. જો રાગ સાથે એકતા કરીને
રાગને જ પ્રસિદ્ધ કરે–તેનો જ અનુભવ કરે, ને રાગથી ભિન્નપણે આત્માને ન પ્રસિદ્ધ કરે,–ન અનુભવે તો તે
જ્ઞાન ખરેખર જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે, ને તેને આચાર્યદેવ આત્માનું લક્ષણ નથી કહેતા. અહીં તો જ્ઞાનવડે
પોતે પોતાના આત્માને પ્રસિદ્ધ કરવાની વાત છે; જે જ્ઞાન પોતે પોતાના આત્માને પ્રસિદ્ધ ન કરે ને પરને જ
પ્રસિદ્ધ કરે તો તો તે પરનું લક્ષણ થઈ ગયું, તે આત્માનું લક્ષણ ન થયું.–એટલે કે તે જ્ઞાન મિથ્યા થયું.
ધર્માસ્તિકાય તેમજ અધર્માસ્તિકાય એ બંને દ્રવ્યોમાં પણ આત્મા જેટલા જ અસંખ્ય પ્રદેશો છે, પરંતુ
તેનામાં એવો સ્વભાવ નથી કે કદી સંકોચ–વિસ્તાર પામે; તે તો ત્રિકાળ સ્થિર, લોકમાં વ્યાપીને રહ્યા છે;
આત્મામાં જ એવી લાયકાત છે કે તેના પ્રદેશો સંસાર–અવસ્થામાં સંકોચ–વિકાસ પામે. તે ઉપરાંત અહીં તો એમ
બતાવે છે કે સંકોચ–વિકાસ જેટલું જ આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, અસંખ્યપ્રદેશીપણુ નિયત છે–એકરૂપ છે,
તેથી તે જીવનું કાયમ સ્વરૂપ છે. આ ઉપરાંત પ્રદેશોમાં એવું પણ નિયતપણું છે કે તેનું સ્થાન પણ બદલે નહિ,
સંકોચ–વિકાસ થાય પણ નીચેનો પ્રદેશ ઉપર આવી જાય કે ઉપરનો પ્રદેશ નીચે આવી જાય–એમ પ્રદેશનું સ્થાન
પલટે નહિ. આત્માના આવા અસંખ્ય પ્રદેશોનો નિર્ણય આગમથી ને યુક્તિથી થાય, પણ છદ્મસ્થને તે પ્રત્યક્ષ ન
દેખાય; જેમ જ્ઞાન–આનંદનું તો સાક્ષાત્ વેદન થાય છે, તેમ અસંખ્ય પ્રદેશો સાક્ષાત્ ન દેખાય; પરંતુ, જેટલા
ભાગમાં મને મારા જ્ઞાન–આનંદનું વેદન થાય છે તેટલા અસંખ્ય પ્રદેશમાં જ મારું અસ્તિત્વ છે–એમ નિર્ણય થઈ
શકે.
જુઓ, અહીં આત્માને અસંખ્ય પ્રદેશી કહેવો તે નિશ્ચય છે, ને સંકોચ–વિકાસના આકારરૂપ કહેવો તે
વ્યવહાર છે, કેમકે અસંખ્ય પ્રદેશીપણું તો સદાય રહે છે, ને સંકોચ–વિકાસરૂપ આકાર તો ક્ષણિક છે; જીવને કોઈ
અમુક જ આકારવાળો કહી શકાતો નથી, પણ ‘અસંખ્યપ્રદેશી જીવ’ એમ કહી શકાય છે. અસંખ્ય પ્રદેશ કહ્યા ને
છતાં તેને નિશ્ચય કહ્યો, કેમકે અસંખ્યપ્રદેશી કહીને કાંઈ અસંખ્ય ભેદ નથી બતાવવા, પણ જીવનું નિત્ય એકરૂપ
સ્વરૂપ બતાવવું છે. જીવમાં અસંખ્ય–પ્રદેશીપણું નિગોદદશા વખતે પણ છે ને સિદ્ધદશા વખતે પણ છે,–
અનાદિઅનંત છે, તેથી તેને નિશ્ચય કહ્યો. અને નિગોદદશાના સંકોચરૂપ આકાર વખતે સિદ્ધદશાનો આકાર નથી,
તથા સિદ્ધદશાના આકાર વખતે નિગોદ વગેરેનો આકાર નથી, એ રીતે સંકોચ–વિકાસરૂપ આકારમાં એકરૂપતા
નથી પણ તે ક્ષણિક અને જુદા જુદા અનેક રૂપ છે તેથી તેને વ્યવહાર કહેવાય છે.
આત્માના પ્રદેશોમાં સંકોચ–વિકાસ થાય તે પણ તેનું કાયમી સ્વરૂપ નથી, તો પછી આત્મા પરચીજને
લાંબી–પહોળી કરે તે વાત તો ક્યાં રહી? શરીર–વસ્ત્ર–મકાન વગેરેનો સંકોચ–વિકાસ આત્મા કરે, કે લાડવો–ઘડો
વગેરેનો આકાર આત્મા કરે–એમ કદી બનતું નથી. બળદના શરીર ઉપર કાંકરો પડતાં આખું ય શરીર

PDF/HTML Page 16 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૧૫ :
ઝણઝણાટીથી સંકોચાઈ જાય છે, અથવા કાચબાને ભય થતાં પગ અને મોઢું પેટમાં સંકોચાઈ જાય છે, ત્યાં તે
શરીર સંકોચવાની ક્રિયા ખરેખર તે તે આત્માએ કરી નથી; એ જ પ્રમાણે સર્પ આનંદથી ડોલે કે ક્રોધમાં આવે
ત્યારે તેની ફેણ વિકસે છે, તથા દેડકું શરીરને ફૂલાવીને દડા જેવું વિકસાવે છે,–તેમાં પણ ખરેખર તે તે આત્માએ
તે ક્રિયાને કરી નથી. શરીરને અનુસાર આત્માના પ્રદેશોમાં તે પ્રકારનો સંકોચ–વિસ્તાર થયો તે આત્મામાં થયો
છે, પરંતુ તે સંકોચ–વિસ્તારની પર્યાય વડે આત્માનો નિયત આકાર કહેવાતો નથી, અસંખ્ય–પ્રદેશીપણું સદા
નિયત છે; વળી, એકલા નિયતપ્રદેશત્વ વડે પણ આત્મા ઓળખાતો નથી, પરંતુ એવી અનંત–શક્તિનો પિંડ
આત્મા છે, તેને પકડતાં જ આત્મા વાસ્તવિક સ્વરૂપે ઓળખાય છે. આ અધિકારના છેડે ઉપસંહાર કરતાં
આચાર્યદેવ કહેશે કે–આવી અનેકાન્ત–સ્વરૂપ વસ્તુ છે, તેને જાણવી તે જૈનનીતિ છે. આવી જૈનીનીતિને જે
સત્પુરુષો ઓળંગતા નથી તેઓ સ્વયં જ્ઞાનસ્વરૂપ થાય છે; એટલે કે આત્મા પોતે જ્ઞાન–સ્વરૂપ થઈ જાય–તે
અનેકાન્તનું ફળ છે. એ જ વાત બીજી રીતે કહીએ તો જ્ઞાનને અંતર્મુખ કરીને જ્ઞાયકસ્વભાવી આત્માને પકડવો
તે જ ખરો અનેકાન્ત છે, ને તે જ જૈનમાર્ગની નીતિ છે.
આત્માને લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશવાળો કહ્યો છે તેથી એમ ન સમજવું કે આત્મા પહોળો થઈને
લોકમાં વ્યાપેલો છે. આત્મા તો શરીરપ્રમાણ છે, કેવળીના લોકપૂરણ સમુદ્ઘાત સિવાય આત્મા કાંઈ ક્ષેત્રથી
લોકાકાશ જેટલો પહોળો નથી; પરંતુ તેના પ્રદેશરૂપ અવયવોની સંખ્યા લોકાકાશના પ્રદેશ જેટલી જ છે. આત્મા
લોકાકાશ જેટલો પહોળો થાય તે નિશ્ચય ને શરીરપ્રમાણ રહે તે વ્યવહાર–એમ નથી; પણ સંખ્યાથી આત્માને
લોક જેટલા અસંખ્ય પ્રદેશ ત્રિકાળ છે તે નિશ્ચય, અને શરીરપ્રમાણ આકાર કહેવો તે વ્યવહાર છે. આત્માના
અસંખ્યપ્રદેશે અનંત ગુણો વ્યાપીને રહ્યા છે, અર્થાત્ અસંખ્યપ્રદેશી આત્મા પોતે જ અનંતગુણસ્વરૂપ છે. તે
ગુણોમાં એવી અંશકલ્પના નથી કે ગુણનો અમુક ભાગ એક પ્રદેશમાં ને અમુક ભાગ બીજા પ્રદેશમાં; આત્માના
અસંખ્ય પ્રદેશોમાં કોઈ પ્રદેશ ગુણથી હીન કે અધિક નથી, એટલે પગ વગેરે નીચેના અવયવોના આત્મપ્રદેશોને
ખરાબ કહેવા ને ઉપરના મસ્તક વગેરે અવયવોના આત્મપ્રદેશોને સારા કહેવા–એવા ભેદ આત્મપ્રદેશોમાં નથી.
બધા પ્રદેશો અનંત શક્તિથી પરિપૂર્ણ છે, માટે તારા અસંખ્ય પ્રદેશમાં ભરેલી તારી સ્વભાવશક્તિને જો, તે
તાત્પર્ય છે.
હે જીવ! તારા અસંખ્ય પ્રદેશોમાં જ તારું કાર્ય–ક્ષેત્ર છે. તારું જે કાંઈ છે તે બધુંય તારા અસંખ્ય પ્રદેશમાં
જ છે, તારા અસંખ્ય પ્રદેશની બહાર તારું કાંઈ નથી. તારું સુખ કે દુઃખ, તારું જ્ઞાન કે અજ્ઞાન, તારી શાંતિ કે
અશાંતિ, તારી વીતરાગતા કે રાગદ્વેષ, તે બધુંય તારા અસંખ્ય પ્રદેશમાં જ છે, તારા અસંખ્ય પ્રદેશથી બહાર
બીજે ક્યાંય તારું સુખ કે દુઃખ નથી, તારી અશાંતિ પણ બહારમાં નથી. તારા શાંત–ઉપશમ સ્વભાવની
વિકૃતિરૂપ અશાંતિનું વેદન પણ તારા અસંખ્ય પ્રદેશોમાં જ છે. જ્યાં અશાંતિનું વેદન થાય છે ત્યાં જ તારો શાંતિ
સ્વભાવ ભર્યો છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ તારો જ્ઞાનસ્વભાવ રહેલો છે, જ્યાં દુઃખનું વેદન છે ત્યાં જ તારો
આનંદ સ્વભાવ પરિપૂર્ણ છે, જ્યાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે તે જ ઠેકાણે તારો વીતરાગી સ્વભાવ વિદ્યમાન છે.
માટે, અશાંતિ ટાળીને શાંતિ કરવા, દુઃખ ટાળીને સુખ કરવા, અજ્ઞાન ટાળીને જ્ઞાન કરવા કે રાગ–દ્વેષ ટાળીને
વીતરાગતા કરવા ક્યાંય બહારમાં ન જો, પણ તારા સ્વભાવમાં જ જો. તું પોતે જ જ્ઞાન–સુખ–શાંતિ–
વીતરાગતાથી ભરેલો છે, માટે તેમાં નજર કર. તારા આત્માનો એકેય પ્રદેશ એવો નથી કે જેમાં જ્ઞાન–સુખ–
શાંતિ–વીતરાગતારૂપ સ્વભાવ ન ભર્યો હોય, માટે તે સ્વભાવને જોતાં શીખ તો તને તારા જ્ઞાન–સુખ–શાંતિ ને
વીતરાગતાનો વ્યક્ત અનુભવ થાય. બહારમાં જોયે જ્ઞાન–સુખ–શાંતિ કે વીતરાગતાનું વેદન નહિ થાય કેમકે
તારું જ્ઞાન–સુખ–શાંતિ કે વીતરાગતા ક્યાંય બહારમાં નથી.
આત્મા પોતાની ઈચ્છા–અનુસાર પરનું કામ કરી શકે એમ તો બનતું નથી, અને ઈચ્છા પ્રમાણે જ
પ્રદેશોનો સંકોચ–વિકાસ થાય એમ પણ બનતું નથી. ઠીંગણાપણું હોય ત્યાં ઊંચા થવાની ઈચ્છા કરે છતાં તેની
ઈચ્છા અનુસાર શરીર પરિણમતુ નથી તેમજ આત્માના પ્રદેશોમાં પણ તેવો ફેરફાર થતો નથી. પ્રદેશશક્તિનું કાર્ય
સ્વતંત્ર છે,–તેમાં ઈચ્છાનું નિરર્થક–

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
પણું છે. જે પ્રમાણે ઈચ્છા મુજબ પ્રદેશોની રચના નથી થતી પણ પ્રદેશોની તેવી લાયકાતથી જ તેની રચના થાય
છે, તે જ પ્રમાણે “હું સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કરું કે હું મોક્ષ પામું” એવી ઈચ્છા વડે સમ્યગ્દર્શનાદિ થતા નથી,
પણ અંર્ત સ્વભાવનું અવલંબન લઈને તે રૂપે પરિણમન કરે તો જ સમ્યગ્દર્શનાદિ થાય છે. સમ્યગ્દર્શનાદિનું
પરિણમન આત્માની શક્તિમાંથી થાય છે, કાંઈ ઈચ્છામાંથી નથી થતું; માટે આત્માની શક્તિનું અવલંબન કર, ને
ઈચ્છાને નિરર્થક જાણ.
પ્રશ્ન:– શરીરમાં જેવો સંકોચ કે વિકાસ થાય તેવો જ સંકોચ કે વિકાસ આત્મામાં થાય છે; એક હજાર
જોજન મોટા માછલા થાય છે ત્યાં તે હજાર જોજનના શરીરમાં રહેલા આત્માના પ્રદેશો પણ તેટલો વિસ્તાર
પામ્યા છે, ને અંગુલના અસંખ્યાતમા ભાગનું નાનું શરીર હોય તેમાં રહેલા આત્માના પ્રદેશો તેટલો સંકોચ
પામીને રહ્યા છે; બંને આત્માના પ્રદેશો સરખા હોવા છતાં, જેવું– જેવું શરીર આવે તેવા તેવા આકારે થાય છે,
માટે તે શરીરને કારણે થયું કે નહિ?
ઉત્તર:– ના; શરીરમાં જેવો સંકોચ કે વિકાસ થાય, લગભગ તેવો જ સંકોચ કે વિકાસ આત્મામાં થાય,
છતાં બંને સ્વતંત્ર છે. શરીરમાં ક્ષય થતાં દુબળું પડે ત્યાં આત્માના પ્રદેશો પણ તેવા સંકોચાય, ને શરીર હૃષ્ટપુષ્ટ
થતાં આત્માના પ્રદેશો પણ તેવા આકારે વિકાસ પામે.–પરંતુ, આ રીતે શરીર અને આત્મા બંને એક કાળે સંકોચ
કે વિકાસ પામે તેથી શું? તેથી કાંઈ શરીરને કારણે આત્મા સંકોચાણો કે આત્માએ શરીરને સંકોચ્યું–એમ નથી.
જગતમાં તો સદાય એક સાથે અનંતા દ્રવ્યો પોતપોતાનું કામ કરી જ રહ્યા છે, એક સાથે બધાના કાર્યો થાય
તેથી કાંઈ એક–બીજાના કર્તા ન કહેવાય. જ્યાં સિદ્ધભગવંતો બિરાજે છે ત્યાં જ નિગોદના જીવ પણ રહેલા છે,
સિદ્ધભગવંતો પોતાની પરમ આનંદરૂપ સિદ્ધદશારૂપે પરિણમી રહ્યા છે ને તે જ વખતે તથા તે જ ક્ષેત્રે રહેલ
નિગોદનો જીવ પરમદુઃખરૂપ નિગોદદશારૂપે પરિણમી રહ્યો છે, –તો શું એક જ વખતે ને એક જ ક્ષેત્રે બનેનું કાર્ય
થયું તેથી ને બનેને એક કહી શકાશે? અથવા એકબીજાના કર્તા કહી શકાશે? –ના; એ જ પ્રમાણે જીવ અને
શરીરના સંકોચ–વિકાસનું કાર્ય એક ક્ષેત્રે ને એક કાળે થાય તેથી કાંઈ તે બંનેને એક ન કહી શકાય, અથવા
એકબીજાના કર્તા પણ ન કહી શકાય. –આમ ન્યાયથી બે દ્રવ્યોની ભિન્નતા ઓળખે તો બધાય પરમાંથી મોહ (–
આત્મબુદ્ધિ) છૂટી જાય, ને ચૈતન્યસ્વરૂપ પોતાના આત્મામાં જ બુદ્ધિ વળી જાય. એ રીતે બુદ્ધિને એટલે
મતિશ્રુતજ્ઞાનને આત્મસ્વભાવની સન્મુખ કરવા તે અપૂર્વ ધર્મની રીત છે.
આ જડ શરીરના અવયવ તે આત્માના નથી; આત્મા તો અસંખ્યપ્રદેશી ચૈતન્યશરીરવાળો છે. ભાઈ, આ
દેહ તો સંયોગ–વિયોગરૂપ, ક્ષણિક, નાશવાન, જડ છે, તારો આત્મા તેનાથી જુદો, અસંયોગી, નિત્ય,
ચેતનસ્વરૂપ છે, તારું અસંખ્યપ્રદેશી શરીર અનાદિ–અનંત નિયત છે. ચારે ગતિમાં ગમે તેટલા દેહ ધારણ કર્યા ને
છોડયા છતાં તારા આત્માનો એક પ્રદેશ પણ ઘટ્યો કે વધ્યો નથી. જીવનો નાનો મોટો આકાર શરીરના કે
આકાશના નિમિત્તે છે, પણ એકલા જીવનો સ્વ–આકાર તો નિશ્ચયથી સર્વજ્ઞભગવાને અસંખ્યપ્રદેશી જોયો છે.
આ સિવાય શરીરના અવયવો તો જડની રચના છે, તેને આત્માના માનવા તે ભ્રમ છે. ભાઈ, તારું ચૈતન્ય–
શરીર અસંખ્યપ્રદેશી છે, ને તે જ તારા અવયવ છે. અસંખ્ય પ્રદેશે અનંતશક્તિઓ ભરેલી છે. ખરેખર તું જડ
શરીરમાં નથી રહ્યો, પણ તારા અસંખ્ય પ્રદેશોમાં જ તું રહ્યો છે. અસંખ્ય–પ્રદેશી ક્ષેત્ર તે જ તારું ઘર છે, તે જ
તારું રહેઠાણ છે.
નિગોદમાંથી નીકળીને કોઈ જીવ કેવળજ્ઞાન અને સિદ્ધદશા પામે, ત્યાં પહેલાંં નિગોદદશામાં જે અસંખ્ય–
પ્રદેશો હતા તે જ અસંખ્ય પ્રદેશો સિદ્ધદશામાં છે, કાંઈ બીજા નવા પ્રદેશો નથી આવ્યા. અસંખ્ય પ્રદેશમાં જે
શક્તિ ભરી હતી તે શક્તિ પ્રગટ થઈ. કોઈ એક ધનુષ (૪ હાથ) ના શરીરાકારે મોક્ષ જાય ને કોઈ પાંચસો–
સવાપાંચસો ધનુષના શરીરાકારે મોક્ષે જાય, છતાં તે બંનેના આત્મપ્રદેશો તો સરખા જ છે, જ્ઞાન સરખું જ છે,
આનંદ સરખો જ છે, પ્રભુતા સરખી જ છે; આ રીતે બાહ્ય આકૃતિથી મહત્તા નથી પણ અસંખ્ય પ્રદેશમાં જે
સ્વભાવ ભર્યો છે તે સ્વભાવની મહત્તા છે. આવા અસંખ્યપ્રદેશમાં ભરેલા આત્મસ્વભાવને જાણે તો દેહાદિ
સમસ્ત પદાર્થોમાંથી અહંકાર કે મહિમા
[જુઓ અનુસંધાન પૃષ્ઠ ૧૭]

PDF/HTML Page 18 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૧૭ :
આનંદમય માંગળિક
[બરવાળા ધામાં પૂ. ગુરુદેવનું મંગલાચરણ]
કારતક વદ ત્રીજ
આત્માના અતીન્દ્રિય આનંદનું
વેદન થાય તે માંગળિક છે
માંગળિક એટલે શું? મંગ એટલે આત્માની પવિત્રતા, તેને જે લાવે તે માંગળિક છે. અથવા મંગ એટલે
પાપ, તેને જે ગાળે–નાશ કરે તે માંગળિક છે. આત્માના જ્ઞાનાનંદસ્વરૂપની શ્રદ્ધા કરવી–જ્ઞાન કરવું–એકાગ્રતા
કરવી એવો જે ભાવ તે પોતે મંગળ છે. તીર્થંકર ભગવંતોએ જે પરમાનંદદશા પ્રાપ્ત કરી તે ક્યાંથી કરી? પોતાના
આત્મામાંથી જ તે દશા પ્રાપ્ત કરી છે. સુખ–આનંદ–શાંતિ તે આત્મામાં જ છે, બહારના વિષયોમાં ક્યાંય સુખ–
શાંતિ કે આનંદ નથી. આવા આત્માનું ભાન કરવું તે મંગળ છે.
હું કોણ છું–શું મારું સ્વરૂપ છે તે જીવે કદી વિચાર્યું નથી. ભગવાન કહે છે કે અહો જીવો! તમે દેહાદિથી
ભિન્ન ચૈતન્યતત્ત્વ છો... જ્ઞાન ને આનંદ તમારો સ્વભાવ જ છે, પણ તેને ભૂલીને જીવ બહારમાં સુખ માનીને
સંસારમાં રખડે છે, તે અમંગળ છે; ને આત્માના જ્ઞાનદ્વારા તેનો જે નાશ કરે તે મંગળ છે. આત્માના અતીન્દ્રિય
આનંદનું વેદન થાય તે માંગળિક છે.
આત્માની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કરીને જેઓ પરમાત્મા થયા એવા અર્હંતો માંગળિક છે, સિદ્ધો માંગળિક છે,
સાધુઓ માંગળિક છે, ને તેમનો કરેલો ધર્મ તે માંગળિક છે. પોતે તેનું ભાન કરે તો પોતામાં મંગળ થાય.
આત્માના જ્ઞાન વગર જન્મ–મરણનો કદી આરો આવે તેમ નથી.
ભાઈ, આ દેહ તારો નથી, તેમાં તારો આનંદ નથી. આનંદ તો તારા આત્મામાં છે. તેનું તેં કદી ભાન કર્યું
નથી. અનંતકાળનો અજાણ્યો માર્ગ સત્સમાગમ વગર અને પોતાની પાત્રતા વગર સમજાય તેવો નથી. ભગવાન
તીર્થંકર દેવોએ જે કર્યું તે પ્રમાણે કરવાનું જગતને કહ્યું. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં જ પરમાત્મા થવાની
તાકાત છે: તેમાં એકાગ્રતાવડે જ અનંતા જીવો પરમાત્મા થયા અને ભગવાને એ જ ઉપદેશ આપ્યો કે આત્માના
જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા કરો. આ સંતોનો રાહ છે. જેમ કસ્તૂરીમૃગ પોતામાં રહેલી કસ્તૂરીની સુગંધ
બહારમાં ઢૂંઢે છે, તેમ અજ્ઞાની પ્રાણી પોતાના આનંદ–સ્વભાવને ભૂલીને બહારમાં આનંદ ઢૂંઢે છે. આત્માના
જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન કરવું તે જ જગતમાં ઉત્કૃષ્ટ મંગળ છે. મંગળ તેને કહેવાય કે જેનાથી સુખની પ્રાપ્તિ અને
વૃદ્ધિ થાય, સંસારમાં પુત્રજન્મ, લગ્ન વગેરેને મંગળ પ્રસંગ કહે છે તે તો લૌકિક છે, તે ખરેખર મંગળ નથી.
મંગળ તો તેને કહેવાય કે જેનાથી આત્માને સુખશાંતિ થાય ને દુઃખ ટળે.
બાપુ! અનંત અનંત કાળથી તારો આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે... અનંત અનંત શરીરો તેં ધારણ
કર્યા ને છોડયા, પણ આત્મા દેહથી ભિન્ન શું ચીજ છે તેનું તેં કદી ભાન કર્યું નથી. અહિંસારૂપ ધર્મ તે મંગળ છે.
પણ અહિંસાનું સ્વરૂપ શું છે? તેની પણ જીવને ખબર નથી. એક ક્ષણની અહિંસા મુક્તિ આપે. –તે કઈ
અહિંસા? પરજીવને બચાવવાનો શુભ રાગ થાય તે ખરેખર અહિંસા નથી. પણ હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું–
એવા ભાનપૂર્વક તેમાં લીન રહેતાં રાગાદિની ઉત્પત્તિ જ ન થાય ને શાંતિની ઉત્પત્તિ થાય તે જ ખરી અહિંસા છે;
આવી વીતરાગી અહિંસા તે ધર્મ છે, અને તે મંગળ છે. આ પ્રમાણે મંગળ કર્યું.
કેટલીક શક્તિઓ
[પૃષ્ઠ ૧૬નું અનુસંધાન]
છૂટી જાય, દેહ છૂટવાના પ્રસંગે પણ આવા સ્વભાવના લક્ષે શાંતિ હાજર રહે. શરીરમાં હું છું જ નહીં, હું તો મારા
અસંખ્ય પ્રદેશમાં જ છું–એવા ભિન્નતાના બોધવડે મૃત્યુપ્રસંગે પણ સમાધિ રહે છે.
ચોવીસમી નિયતપ્રદેશત્વ શક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
આત્માના આનંદની વાર્તા
આ અધ્યાત્મ ગ્રંથ છે, તે આત્મતત્ત્વનો પ્રકાશક છે. આ દેહમાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે, તેનું ભાન
કરીને જેઓ સર્વજ્ઞ થયા અને ત્રણ કાળ ત્રણ લોકને પ્રત્યક્ષ જોયા, તે સર્વજ્ઞ પરમાત્માએ જે ઉપદેશ કર્યો તેના
ઉપરથી આ શાસ્ત્રો વીતરાગી સંતોએ રચ્યાં છે. તેમાં એમ કહે છે કે હે આત્મા! તું અનાદિઅનંત છો, તારા
ભાવનગર અત્યાર સુધીમાં તેં અનંત અનંત અવતાર કર્યાં. તારો સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે; પરિભ્રમણ
કરવું તે તારો સ્વભાવ નથી. આત્મા શરીરના રજકણે રજકણથી જુદો છે. તે સ્વભાવમાં તો અતીન્દ્રિય
આનંદરસ ભર્યો છે. આવા આત્માનો રસ જેને નથી આવતો ને પુણ્ય–પાપનો રસ આવે છે તે સંસારમાં જન્મ–
મરણ કરે છે. પણ એક વાર પણ જો ચૈતન્યનો રસ પ્રગટાવીને તેનું સમ્યક્ભાન કરે તો અજ્ઞાનનો નાશ થઈ
જાય, ને પછી તેને જન્મ–મરણ ન રહે.
જેમ ચણો જ્યારે કાચો હોય છે ત્યારે તૂરો લાગે છે, ને વાવવાથી ઊગે છે; પણ તેને સેકતાં તેનો સ્વાદ
મીઠો લાગે છે ને પછી તે ઊગતો નથી; તેમ આત્મામાં જ્યાં સુધી કચાસ એટલે કે અજ્ઞાન છે ત્યાં સુધી તેને
આકુળતાનો સ્વાદ આવે છે ને તે જન્મ–મરણમાં રખડે છે. પણ રુચિમાં તેને પચાવીને તેનું સમ્યગ્જ્ઞાન કરતાં
આનંદનો મીઠો સ્વાદ આવે છે ને પછી તે સંસારમાં જન્મ–મરણ કરતો નથી.
આત્માના આનંદની વાર્તા સાંભળવા માટે સ્વર્ગના દેવો પણ તલસે છે, ને તે આનંદપ્રાપ્તિની વાર્તા
સાંભળવા માટે તેઓ સ્વર્ગમાંથી અહીં આવે છે, તો આવો દુર્લભ મનુષ્ય અવતાર પામીને સત્સમાગમે
આત્માના આનંદની પ્રાપ્તિનો ઉપાય સાંભળવો જોઈએ. આત્માના આનંદ સ્વભાવની વાર્તા સાંભળવી પણ
દુર્લભ છે, ને તે આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો તે તો મહા અપૂર્વ ચીજ છે. આનંદ કહો કે ધર્મ કહો. ધર્મ
કરનારને પોતાના આત્મામાંથી આનંદનું વેદન થાય છે... અંદરથી શાંતિના ઝરણાં ઝરે છે.
પ્રભો! તેં તારા આત્માના આનંદનો સ્વાદ કદી ન જાણ્યો, ને પુણ્ય–પાપના સ્વાદમાં જ અટકી ગયો. હવે
તારો આનંદ સ્વભાવ અમે તને બતાવીએ છીએ. આત્મા પોતે ચિદાનંદ અમૃતનો કુંડ છે; તેમાં ડુબકી મારીને
આનંદમાં ઝૂલનારા સંતો કહે છે કે અરે જીવ! તારા આત્માની સમજણ કર... સાચી સમજણ તે જ તારો વિસામો
છે. તારા આત્મામાં આનંદ સદાય ભર્યો જ છે, પણ અજ્ઞાનદશામાં તે તને અવ્યક્ત છે... તારા આનંદને તેં કદી
દેખ્યો નથી, ને બહારમાં આનંદ માનીને તું સંસારની ચારે ગતિમાં રઝળી રહ્યો છે... તેમાં તને ક્યાંય વિસામો
નથી ભાઈ! આત્મામાં આનંદ ભર્યો છે તે સંતોને અતીન્દ્રિય જ્ઞાનવડે વ્યક્ત જણાય છે. આ એકત્વઅધિકારના
ત્રીજા શ્લોકમાં આચાર્યદેવ કહે છે કે–
यदव्यक्तमबोधानां व्यक्तं सद्बोधचक्षुषाम्।
सारं यत्सर्ववस्तुनां नमस्तस्मै चिदात्मने।।
३।।
અબુદ્ધ–અજ્ઞાની જીવોને જે અગોચર છે અને સમ્યગૂજ્ઞાનરૂપ ચક્ષુવડે જે વ્યક્ત–ગોચર થાય છે, તથા સર્વ
વસ્તુઓમાં જે સારભૂત–ઉત્તમ વસ્તુ છે એવા ચૈતન્યસ્વરૂપ આત્માને નમસ્કાર હો.
સંતોને આત્માનો આનંદ વહાલો છે તેથી તેઓ સમ્યગ્જ્ઞાનવડે આત્માને ઓળખીને તેને જ નમસ્કાર
કરે, તે તરફ જ ઝૂકે છે.
આત્માના આનંદને જે જાણતો નથી ને બહારની અનુકૂળતામાં સુખ માને છે, તે જીવ પ્રતિકૂળતાને દૂર
કરીને સુખ લેવા માંગે છે. એટલે તેના અભિપ્રાયમાં એમ છે કે મને પ્રતિકૂળતા કરનારા જેટલા મનુષ્યો જગતમાં
હોય તે બધાનો સંહાર કરીને પણ હું અનુકૂળતા મેળવું ને સુખી થાઉં. –હવે આ લોકમાં તો એક ખૂન કરનારને
પણ ફાંસી અપાય છે ને હજારો લાખોના સંહારનો ભાવ કરનારને પણ ફાંસી એક જ વાર અપાય છે. હજાર
ખૂન કરનારને હજાર વાર ફાંસી આ લોકમાં અપાતી નથી, તો વિચાર કરો કે, એક ખૂન કરનારને એક વાર
ફાંસી, ને હજારો ખુન કરનારને પણ એક વાર ફાંસી –તેમાં શું કુદરતનો ન્યાય છે? ના; હજારો મનુષ્યોની
હિંસાના તીવ્ર પાપ પરિણામ છે તેનું ફળ ભોગવવાનું

PDF/HTML Page 20 of 21
single page version

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૧૯ :
સ્થાન આ મનુષ્ય લોકમાં નથી, તેનું ફળ ભોગવવાનું સ્થાન તો નરક છે. ત્યાં હજારો ફાંસી કરતાં પણ વધારે
દુઃખ છે. આવા નરકના ભીષણ દુઃખો જીવ અનંતવાર ભોગવી આવ્યો છે, માટે અરે આત્મા! હવે તું ચેત અને
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનું શ્રવણ કર.
જ્ઞાનાનંદસ્વરૂપનું યથાર્થ શ્રવણ ક્યારે કર્યું કહેવાય? કે જ્યારે તેને લક્ષમાં લઈને સમજે ત્યારે; સમજે તો
જ યથાર્થ શ્રવણ કર્યું કહેવાય. અહીં આચાર્યદેવ સમજાવે છે કે–અરે જીવ! તારા આત્મામાં આનંદ તો છે, પણ
અજ્ઞાનને લીધે તને તે અવ્યક્ત છે, માટે યથાર્થ જ્ઞાન કરીને તે: આનંદને વ્યક્ત કર. સર્વજ્ઞ ભગવંતોને જે આનંદ
પ્રગટ્યો તે ક્યાંથી પ્રગટ્યો? અંદર આત્મશક્તિમાં હતો તેમાંથી જ પ્રગટ્યો છે. જેમ ચોસઠપહોરી તીખાસ
લીંડીપીપરની શક્તિમાં રહેલી છે તેમાંથી જ તે વ્યક્ત થાય છે, તેમ જ્ઞાન ને આનંદની શક્તિ આત્મ–સ્વભાવમાં
ભરેલી છે, તેમાંથી જ તે વ્યક્ત થાય છે. તે વ્યક્ત થવાનો ઉપાય અહીં સમજાવે છે.
ભાઈ! તારા આત્માના જ્ઞાન વગર તને તારો આનંદ વેદનમાં નહિ આવે. જેમ મડદાંને ખબર નથી કે હું
કોણ છું? તેમ ‘મારો આત્મા કોણ છે’ તેની જેને ખબર નથી તે પણ મડદા જેવા છે, શાસ્ત્રકાર તેને ‘ચાલતું
શબ’ કહે છે; કેમકે આ શરીર તે તો જડ કલેવર છે, તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે, પણ દેહથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ હું છું–એમ તે પોતાને જાણતો નથી. ભાઈ, તારી આનંદશક્તિ અનાદિ કાળથી બિડાઈ રહેલી છે,
હવે તેનું ભાન કરીને તારા આનંદને તું વ્યક્ત કર.
આત્મામાં આનંદ સ્વભાવ છે તેની ઊલટી દશા તે જ સંસાર છે; તે સિવાય બહારમાં શરીર–સ્ત્રી–મકાન
વગેરેમાં કાંઈ આત્માનો સંસાર રહેતો નથી; આત્મા તો બીજે ચાલ્યો જાય છે ને તે બધા તો અહીં પડ્યા રહે છે.
સ્ત્રી આદિ છૂટયા માટે આત્માનો સંસાર છૂટી ગયો એમ નથી. સંસાર તો આત્માની અરૂપી વિકારી હાલત છે.
આત્માના આનંદનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં આત્મામાંથી અજ્ઞાન અને રાગાદિ છૂટી જાય છે, એટલે
આત્માનો સંસાર છૂટી જાય છે.
હે ભાઈ! તારું સુખ ને તારી પ્રભુતા તારામાં જ ભર્યા છે–એ વાત તને બેસે છે? પહેલાંં આ વાતનું
ગુરુગમે જ્ઞાન કર. વારંવાર સત્સમાગમે આ વાતનું શ્રવણ કર, વારંવાર તેનું મનન કર..... ને વારંવાર તેનો
અભ્યાસ કર. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુવડે આ ચૈતન્યનો આનંદ વ્યક્ત થાય છે. જેમ સૂર્ય ઘુવડને નથી દેખાતો તેમ
આત્મામાં આનંદ ભર્યો હોવા છતાં અજ્ઞાનથી અંધ જીવોને તે દેખાતો નથી. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુ જેને ઊઘડી
ગયાં છે તે પોતાના આનંદને વ્યક્તરૂપે અનુભવે છે.
ભજુઓ, ઘણા જીવોને પૂર્વના અનેક ભવોનું ઘણા વર્ષ પહેલાંંનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ દેહમાં
આવ્યા પહેલાંં હું ક્યાં હતો–તેનું ભાન કરનાર જીવો અત્યારે પણ અહીં છે. દેહથી પાર જ્ઞાનસ્વરૂપ હું છું–એવી
યથાર્થ સમજણ એક ક્ષણ પણ કરે તો અનંત ભવનો નાશ કરીને તે જીવ અલ્પકાળમાં પરમાત્મા થયા વિના રહે
નહિ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનચક્ષુ
ખોલીને જેણે આત્માને જાણ્યો તેને અલ્પકાળમાં જન્મમરણનો અંત આવી જાય છે ને તે મુક્તિ પામે છે.
આત્મા અતીન્દ્રિય છે, તે આંખથી દેખાય તેવો નથી. ઈન્દ્રિયોથી દેખાય તે આત્મા નહિ, ને આત્મા
ઈન્દ્રિયોથી દેખાય નહિ. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુવડે જ આત્મા જણાય છે. અરે, મારા આત્માને ઓળખીને હવે હું
આ જન્મમરણથી કેમ છૂટું? ને મારા આત્માને શાંતિ કેમ થાય! –એમ અંદરથી આત્માની સમજણનો રસ
જાગવો જોઈએ. આત્માનો આવો રસ જેને લાગ્યો તેને સત્સમાગમે સમ્યગ્જ્ઞાનવડે આત્માનું ભાન થાય છે.
એક વાર જે આત્માને જાણે તેને તેના આનંદનો સ્વાદ આવે ને પછી તેનું ધ્યાન કરતાં કરતાં તે સાક્ષાત્
પરમાત્મા બની જાય છે.
આચાર્યદેવ કહે છે કે–અહો! આ જગતમાં સારમાં સાર ઉત્તમ વસ્તુ હોય તો તે આ ચૈતન્યસ્વરૂપ આત્મા
જ છે. જગતનો મહિમા જેને છૂટી ગયો છે ને આત્માનો અનંતો મહિમા આવ્યો છે તે આત્માને નમસ્કાર કરે છે,
આત્માના સ્વભાવ તરફ વળે છે. આત્માનો સ્વભાવ સમજીને તેનો મહિમા કરવાથી ને તેમાં લીન થવાથી જન્મ–
મરણનો અંત આવે છે, માટે સત્સમાગમે આત્માનું સમ્યગ્જ્ઞાન કરવું જોઈએ.