Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૬૦
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
સંસારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
દુનિયા કરતાં આત્માને રાજી કરો
જગતના જીવોએ દુનિયા રાજી કેમ થાય અને દુનિયાને ગમતું કેમ થાય એવું તો
અનંતવાર કર્યું છે, પણ હું આત્મા વાસ્તવિક રીતે રાજી થાઉં ને મારા આત્માને ખરેખર
ગમતું શું છે એનો કોઈવાર વિચાર પણ નથી કર્યો, એની કોઈવાર દરકાર પણ નથી કરી.
જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે આત્માને રાજી કર્યે જ છૂટકો કરશે
અને તેને ‘રાજી’ એટલે ‘આનંદધામ’ માં પહોંચ્યે જ છૂટકો છે.....ભાઈ! ...પરનો આશ્રય
છોડીને સ્વતત્ત્વની રુચિ કરવી...પ્રેમ કરવો...મનન કરવું તે જ સત્સ્વભાવને પ્રગટાવવાનો
ઉપાય છે...જે પોતાનું હિત ચાહે તે આવું કરો.
[––પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી]

PDF/HTML Page 3 of 25
single page version

background image
ટૂંકો પ્રશ્ન.ટૂંકો ઉત્તર
પ્ર. કાન હોવા છતાં બહેરો કોણ?
ઉ. આત્મસ્વરૂપની વાર્તા ન સાંભળે તે.
પ્ર. આંખ હોવા છતાં આંધળો કોણ?
ઉ. જિનેન્દ્રદેવના દર્શન ન કરે તે.
પ્ર. જીભ હોવા છતાં મૂંગો કોણ?
ઉ. જિનેન્દ્રદેવનું સ્તવન ન કરે તે.
પ્ર. ધન હોવા છતાં દરિદ્રી કોણ?
ઉ. જે દાન ન કરે તે.
પ્ર. મન હોવા છતાં અસંજ્ઞી કોણ?
ઉ. જે ચૈતન્યનું ચિંતવન ન કરે તે.
પ્ર. આળસુ કોણ?
ઉ. જે તીર્થયાત્રા ન કરે તે.
પ્ર. બહાદુર–સુભટ કોણ?
ઉ. જે મોહમલ્લને જીતે તે.
પ્ર. નિર્ધન છતાં ધનવાન કોણ?
ઉ. જે રત્નત્રયરૂપી ધનને ધારણ કરે તે.
પ્ર. હણનાર છતાં અહિંસક કોણ?
ઉ. જે મોહ શત્રુને હણે તે.
પ્ર. શાસ્ત્રો ભણ્યો હોવા છતાં મૂર્ખ કોણ?
ઉ. જે ચૈતન્યતત્ત્વને ન જાણે તે.
પ્ર. વિદ્વાન્ કોણ?
ઉ. જે આત્મવિદ્યાને જાણે તે.
પ્ર. મનુષ્ય હોવા છતાં પશુ કોણ?
ઉ. જે સ્વ–પરનો વિવેક ન કરે તે.
ભવ્ય – સંબોધન
અરે જીવ!
અનાદિકાળના ભવભ્રમણના દુઃખનો અંત કેમ આવે...ને અપૂર્વ આત્મસુખની પ્રાપ્તિ કેમ થાય તેની આ
વાત છે. અનંત કાળમાં દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામ્યો ને આવો સત્સમાગમ મળ્‌યો ત્યારે જો
આત્માની દરકાર કરીને સત્ ન સમજ્યો ને આત્મજ્ઞાન ન કર્યું તો આયુષ્ય પૂરું થતાં મનુષ્યઅવતાર હારી
જઈશ, માટે ભાઈ! આ અવસર પ્રમાદમાં ગુમાવવા જેવો નથી. આ મનુષ્યપણામાં અવતરીને જીવનનું ધ્યેય એ
છે કે પોતાના વાસ્તવિક આત્મસ્વરૂપની ઓળખાણ કરવી ને તેના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગની
આરાધનાવડે ભવભ્રમણનો નાશ કરવો, ને અપૂર્વ મોક્ષસુખની પ્રાપ્તિ કરવી.
–પૂ. ગુરુદેવ
આત્મધર્મના ગ્રાહકોને
આ “આત્મધર્મ”નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી થાય છે. અત્યાર–સુધી તેનું પ્રકાશન
વલ્લભવિદ્યાનગરથી થતું તેને બદલે હવેથી ભાવનગરથી થશે અને વ્યવસ્થા પણ ત્યાંથી થશે; માટે વ્યવસ્થા
બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો:–
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ : : : છૂટક નકલ ચાર આના

PDF/HTML Page 4 of 25
single page version

background image

વર્ષ ચૌદમું સમ્પાદક માહ
અંક ચોથો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
આગ્રામાં મહાવીર દિગંબર જૈન કોલેજના એક અધ્યાપકશ્રીએ ગાયેલ અભિનંદન કાવ્ય
सन्तप्रवर श्री कानजीस्वामी अभिनन्दन
शब्दावली कुछ है नहीं जो स्बागतार्थ प्रयुक्त हो।
रहते धरा पर भी अहो तुम दिव्य जीवन मूल हो।
है पुन्य दर्शन अमृत उपदेशक तुम्हें साक्षात्कर।
जीवन नया हमको मिला है हो गए कृतकृत्यतर।

१२–२–५७
श्रद्धावनत
श्री महावीर दिगम्बर जैन कोलेज परिवार आगरा।

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
શ્રી સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની યાત્રા નિમિત્તે
પૂ. ગુરુદેવનો મંગલ – પ્રવાસ
(પરમપૂજ્ય શ્રી કહાન ગુરુદેવે સોનગઢથી કારતક સુદ પૂર્ણિમાએ
તીર્થયાત્રા નિમિત્તે મંગલ વિહાર કર્યો...પાલેજમાં અનંતનાથ ભગવાનની
વેદીપ્રતિષ્ઠા તથા મુંબઈમાં મહાન પ્રભાવના કરીને તેઓશ્રી હાલ વિધવિધ
તીર્થધામોની યાત્રા સંઘસહિત કરી રહ્યા છે. પૂ. ગુરુદેવના સોનગઢથી ધંધુકા અને
મુંબઈથી ઇંદોર સુધીના વિહારના સંસ્મરણો આત્મધર્મના ગતાંકમાં આપી ગયા
છીએ. ત્યારપછીના સમાચારો અહીં સંક્ષેપમાં આપવામાં આવે છે. પૂ. ગુરુદેવ સાથે
પ્રવાસમાં હોવાને કારણે આ સમાચારો વિસ્તારથી નથી આપી શકતા, તે બદલ
જિજ્ઞાસુ ગ્રાહકો ક્ષમા કરે. સોનગઢ આવ્યા બાદ વિસ્તારપૂર્વક યાત્રાવર્ણન, તે તે
પ્રસંગના ફોટાઓ સહિત આપવાની ભાવના છે.)
–બ્ર. હરિલાલ જૈન
: ૨ :

જૈન સમાજના સુપ્રસિદ્ધ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની યાત્રા માટે
લગભગ પરપ ભક્તોના એક મોટા સંઘ સહિત વિચરી રહ્યા છે. આ સંઘમાં ૨૪ મોટર તથા ૮ મોટરબસ છે. પૂ.
ગુરુદેવ સંઘસહિત વિધવિધ તીર્થધામોની યાત્રા કરતા કરતા આનંદપૂર્વક વિચરી રહ્યા છે ને ગામેગામ હજારો
મુમુક્ષુઓ ગુરુદેવનો ઉપદેશ સાંભળીને મંત્રમુગ્ધ બની જાય છે. ગુરુદેવ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં જૈન સમાજ
તેઓશ્રીના સ્વાગત માટે ઉમટી પડે છે.
પૂ. ગુરુદેવ મુંબઈથી ઇંદોર પધાર્યા ત્યાં સુધીના સંક્ષિપ્ત સમાચાર આત્મધર્મમાં આપી ગયા છીએ.
સિદ્ધવરક્ટ તીર્થની યાત્રા કરીને સંઘ સહિત પૂ. ગુરુદેવ જ્યારે ઇંદોર શહેર પધાર્યા ત્યારે ત્યાંના જૈન
સમાજે ઘણા ઉમળકાથી પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું. સર હુકમીચંદજી શેઠના પુત્ર ભૈયાસાહેબ રાજકુમારસિંહજી
સ્વાગત–અધ્યક્ષ હતા. આખા શહેરમાં ઠેકાણે ઠેકાણે દરવાજા અને ધજા–વાવટાથી સજાવટ કરવામાં આવી હતી.
લગભગ પંદર હજારની સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. સૌથી આગળ હાથી ઉપર ધર્મધ્વજ, પાછળ
ઘોડેસવાર તથા બેન્ડવાજાં વગેરેથી લગભગ એક માઈલ લાંબું સ્વાગત જુલુસ ઘણું શોભતું હતું. પૂ. ગુરુદેવના
પ્રવચનમાં આઠ–દસ હજારની સંખ્યામાં શ્રોતાજનો હરરોજ લાભ લેતા હતા. ઇંદોરના જૈનસમાજ તરફથી
ભૈયાસાહેબ શ્રી રાજકુમારસિંહજીના હસ્તે એક અભિનંદન પત્ર પૂ. ગુરુદેવને આપવામાં આવ્યું હતું. મધ્ય
ભારતના ગૃહપ્રધાન શ્રી મિશ્રીલાલજી ગંગવાલ પણ પ્રવચનમાં આવતા હતા ને પ્રવચન સાંભળીને ઘણા
પ્રભાવિત થયા હતા. તથા સંત–સમાગમના મહિમાનું એક ભજન તેઓ બોલ્યા હતા. રાત્રિચર્ચામાં પણ દૂરદૂરથી
હજારો લોકો આવતા હતા. પૂ. ગુરુદેવની અને સંઘની વ્યવસ્થા માટે એક મોટી

PDF/HTML Page 6 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૫ :
સ્વાગત સમિતિ રચવામાં આવી હતી અને સંઘને રહેવાની તથા જમવા વગેરેની ઘણી સરસ વ્યવસ્થા ઇંદોરના
દિ. જૈન સમાજ તરફથી કરવામાં આવી હતી. સર શેઠ સાહેબના આખા કુટુંબે ઘણા ઉમંગ અને પ્રેમથી ચારે
દિવસ સંઘની વ્યવસ્થામાં ભાગ લીધો હતો. સર હુકમીચંદજી શેઠ પણ પ્રવચનમાં આવતા હતા. છેલ્લા દિવસે
ભૈયાસાહેબ રાજકુમારસિંહજીએ ઘણું પ્રભાવક ભાષણ કર્યું હતું, અને પૂ. ગુરુદેવને સંઘ સહિત ફરીને પધારવાની
તથા ઇંદોરમાં ચાતુર્માસ કરવાની વિનંતિ કરી હતી. પૂ. ગુરુદેવ ઇંદોરમાં ચાર દિવસ રહ્યા હતા, તે દરમિયાન
ગુરુદેવના પ્રવચન અને તત્ત્વચર્ચા સાંભળીને ત્યાંની જનતા ઘણી પ્રભાવિત થઈ હતી, અને પૂ. ગુરુદેવનો આવો
મહાન પ્રભાવ દેખીને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
(ઇંદોરમાં શેઠ સાહેબનું કાચનું મંદિર ઘણું ભવ્ય અને ખાસ દર્શનીય છે, બીજા પણ અનેક જિનમંદિરો
દર્શનીય છે.)
તા. ૩૧ જાન્યુઆરીએ––
ઇંદોરથી પૂ. ગુરુદેવ સંઘસહિત ઉજજૈનનગરી પધાર્યા. ત્યાં પણ દિ. જૈનસમાજ તરફથી લગભગ ૧૦
હજારની જનતાએ ઘણું શાનદાર સ્વાગત કર્યું. પ્રવચનમાં ૪–પ હજાર શ્રોતાઓની હાજરી રહેતી. સંઘને રહેવાની
તેમજ જમવા વગેરેની સુંદર વ્યવસ્થા અહીંના દિ. જૈન સમાજ તરફથી થઈ હતી. પૂ. ગુરુદેવ આ બાજુ જ્યાં જ્યાં
પધારે છે ત્યાં ત્યાં દિ. જૈન સમાજ તરફથી ઘણાં જ ઉલ્લાસપૂર્વક નહિ ધારેલું એવું ભવ્ય સ્વાગત થાય છે. હાર્દિક
વાત્સલ્યપૂર્વક દિ. જૈન સમાજે પૂજ્ય ગુરુદેવને આવકાર્યા છે અને ગુરુદેવ દ્વારા દિ. જૈન ધર્મની મહાન્ પ્રભાવના
થઈ રહી છે. આગળના શહેરની જનતા પણ પૂ. ગુરુદેવનું સ્વાગત કરવા માટે ઘણી ઉત્કંઠિત થઈ રહી છે. એટલું જ
નહિ પણ આસપાસ રહી જતા અનેક ગામો અને શહેરોના સમાજ તરફથી પૂ. ગુરુદેવને પધારવા માટે ઉપરાઉપરી
આમંત્રણો આવ્યા જ કરે છે. પરંતુ કાર્યક્રમ નિશ્ચિત થઈ ગયો હોવાથી ઘણાને નિરાશ થવું પડે છે.
ઉજજૈનથી પૂ. ગુરુદેવ ભોપાલ પધાર્યા. ત્યાં પણ લોકોએ ઘણા ઉલ્લાસથી સ્વાગત કર્યું ને ૪–પ હજાર
માણસોએ પ્રવચનનો લાભ લીધો. સંઘ ઊજજૈનથી મક્ષીજી પાર્શ્વનાથ થઈને ગુના–શહેર આવ્યો. ત્યાં વચ્ચે બે
ગામમાં સાધર્મી લોકોએ પ્રેમપૂર્વક સંઘને ચા પાણી માટે રોક્્યો હતો. તા. ૨–૨–પ૭ ના રોજ પૂ. ગુરુદેવ ગુના
પધારતાં ૮–૧૦ હજારની જૈન જનતાએ પ્રેમપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું. પ્રવચન માટે સુંદર મંડપ હતો.
આસપાસના ગામોથી પણ હજારો લોકો પૂ. ગુરુદેવનું પ્રવચન સાંભળવા આવ્યા હતા. પ્રવચનમાં ૧૦–૧૨
હજારની સંખ્યા થતી હતી. અહીંથી ૪–પ માઈલ દૂર બજરંગઢમાં શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ભગવંતોના ૧પ–
૨૦ ફૂટના ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે ત્યાં દર્શન કરવા પૂ. ગુરુદેવ સંઘસહિત પધાર્યા હતા. ઠેર ઠેર આવા
ભવ્ય ભગવંતોને દેખીને પૂ. ગુરુદેવને તેમજ સૌ ભક્તજનોને ઘણી પ્રસન્નતા થતી હતી. ગુના–શહેરમાં પણ
સંઘને રહેવાની તેમજ ભોજનાદિની સુંદર વ્યવસ્થા ત્યાંના દિ. જૈનસમાજ તરફથી થઈ હતી.
ગુનાથી પૂ. ગુરુદેવ લલિતપુર પધાર્યા. ત્યાં પણ જૈન સંઘે ઘણા પ્રેમપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું ને
પ્રવચનનો લાભ લીધો. ત્યાંથી પાછા ફરતાં ગુરુદેવે ચંદેરીમાં બિરાજમાન ૨૪ ભગવંતોના દર્શન કર્યા. ચંદેરીની
જૈન જનતાએ ઘણા ઉમળકાથી ગુરુદેવનું સ્વાગત કર્યું. ચંદેરી ઉપરાંત થૂબૌનજી ધામમાં બિરાજમાન મોટા મોટા
૨પ ખડ્ગાસન ભગવંતોના પણ દર્શન કરવા માટે સંઘના ઘણા માણસો ગયા હતા.
તા. પ–૨–પ૭ માહસુદ પાંચમે પૂ. ગુરુદેવ ઝાંસી શહેર પધાર્યા. ત્યાંના જૈન સમાજે ઉત્સાહથી ગુરુદેવનું
સ્વાગત કર્યું. ભોજનાદિની વ્યવસ્થા પણ ત્યાંના દિ. જૈન સમાજ તરફથી હતી.
તા. ૬–૨–પ૭ ના રોજ ઝાંસીથી સોનાગીરી ધામ આવ્યા. અહીં શ્રી નંગ–અનંગ કુમારોનું તથા બીજા
કરોડો મુનિવરોનું સિદ્ધિધામ છે નાનો સુંદર પર્વત છે, તેના ઉપર ૭૭ મંદિરો છે. મુખ્ય મંદિરમાં ૧પ ફૂટ ઊંચા
ઘણા પુરાણા શ્રી ચંદ્રપ્રભ ભગવાન બિરાજે છે. ચોકમાં શ્રી બાહુબલીસ્વામીના ભવ્ય પ્રતિમાજી છે; માનસ્તંભ
વગેરે પણ સુંદર છે. તા. ૭ ના રોજ પૂ. ગુરુદેવે સંઘ સહિત આ સિદ્ધિક્ષેત્રની યાત્રા ઘણા ભક્તિભાવથી કરી.
ઉપર સરસ ભક્તિ થઈ હતી. પર્વત ઉપર

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
નંગ–અનંગ મુનિઓના ચરણકમળ છે. નીચે ૧૭ મંદિરો છે, ત્યાં પણ દર્શન અને ભક્તિ કર્યા. અહીં ધર્મશાળા
વગેરેની વ્યવસ્થા સરસ છે.
તા. ૮ ના રોજ ગ્વાલિયર (લશ્કર) પહોંચ્યા. પાંચ છ હજારની જનતાએ ભવ્ય સ્વાગત કર્યું.
ગ્વાલીયરના કિલ્લામાં તથા ડુંગરમાં (એક પત્થરની વાવડી કહેવાય છે ત્યાં) ઘણા મોટા મોટા જિનપ્રતિમાઓ
પર્વતમાં કોતરેલા છે, જે આજે ખંડિત અવસ્થામાં પણ દિ. જૈન ધર્મની ભવ્ય જાહોજલાલીના દર્શન કરાવી રહ્યાં
છે. અહીં ૨૭ જિનમંદિરો છે તે ઘણા ભવ્ય છે. અહીં પણ સંઘના ભોજનાદિની વ્યવસ્થા સ્થાનિક જૈન સમાજ
તરફથી ઘણા પ્રેમપૂર્વક કરવામાં આવી હતી ને અહીંના દિ. જૈન સમાજ તરફથી તેમજ વિદ્યાર્થીઓ તરફથી પૂ.
ગુરુદેવને ભાવભર્યું અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગ્વાલીયરથી ધોળપુર થઈને તા. ૧૦ના રોજ પૂ. ગુરુદેવ આગ્રા પધાર્યા; ત્યાં ભવ્ય સ્વાગત થયું. સંઘને
ઊતરવાની તેમજ જમવા વગેરેની વ્યવસ્થા અહીંના દિ. જૈન સમાજ તરફથી ઘણા પ્રેમપૂર્વક કરવામાં આવી
હતી. આગ્રામાં પૂ. ગુરુદેવ ત્રણ દિવસ રહ્યા હતા. અહીં અનેક જિનમંદિરો દર્શનીય છે. અહીં પણ જૈન સમાજ
તરફથી પૂ. ગુરુદેવને અભિનંદન પત્ર આપવામાં આવ્યું હતું. અને પૂ. ગુરુદેવના હસ્તે મંગલ સ્વસ્તિક કરાવીને
અહીં મહાવીર દિગંબર જૈન કોલેજના સરસ્વતીભવનનું શિલાન્યાસ થયું હતું.
તા. ૧૩ના રોજ આગ્રાથી શૌરીપુર આવ્યા. શૌરીપુર નેમિનાથ ભગવાનની જન્મભૂમિ છે; ધન્ય વગેરે
મુનિવરો ત્યાં અંતકૃત કેવળી થયા છે, ને સુપ્રતિષ્ઠિત મુનિની તે કેવળજ્ઞાન ભૂમિ છે. અહીં નાના પર્વત ઉપર
નેમિનાથ ભગવાનના ખડૂગાસન પ્રતિમા ઘણા ભવ્ય છે; ત્યાં પૂ. ગુરુદેવે ભક્તિ કરાવી હતી. જમુના નદીના
તીરે આ તીર્થ આવેલું છે.
તા. ૧૪ના રોજ શૌરીપુરથી મથુરા આવ્યા. અહીં અંતિમ સિદ્ધ શ્રી જંબૂસ્વામી ભગવાનનું નિર્વાણધામ
છે, તેમના ચરણકમળ છે; તથા સપ્તર્ષિ મુનિઓના સુંદર પ્રતિમાજી છે. ત્યાં ઘણા ભક્તિભાવપૂર્વક પૂજનભક્તિ
થયા હતા. જંબૂસ્વામીની સાથે વિદ્યુત્મુનિ (વિદ્યુતચોર) વગેરે પ૦૦ મુનિઓ પણ અહીંથી મોક્ષ પામ્યા છે. અહીં
મુનિવરોની વિશેષ ભક્તિ થઈ હતી. પૂ. ગુરુદેવે ભાવભર્યું પ્રવચન કર્યું હતું; ત્યારબાદ પં. બલભદ્રજીએ પૂ.
ગુરુદેવના સ્વાગત નિમિત્તે ભક્તિભર્યું પ્રવચન કર્યું હતું. અહીં સંઘને ભોજનાદિની વ્યવસ્થા મથુરાના શેઠ
ભગવતીપ્રસાદજી તથા રાજા ભગવાનદાસજી તરફથી કરવામાં આવી હતી.
તા. ૧૬ ના રોજ મથુરાથી ફિરોજાબાદ આવ્યા. અહીં શેઠ છદામીલાલજી તથા દિ. જૈન સમાજ તરફથી
ઉમળકાભેર સ્વાગત થયું. શેઠશ્રી છદામીલાલજીએ ઘણો ભક્તિભાવ બતાવ્યો હતો; તેઓ સોનગઢના
માનસ્તંભને અનુસરીને લગભગ એવો જ માનસ્તંભ અહીં બનાવી રહ્યા છે, તેમાં પૂ. ગુરુદેવની પ્રવચન સભાનું
દ્રશ્ય તથા તેમાં શેઠજી પોતે ગુરુદેવને નમસ્કાર કરે છે ને દ્રશ્ય કોતરાવેલું છે. એક ઘણું વિશાળ અને ભવ્ય
જિનમંદિર પણ બંધાય છે, ભોજનાદિની વ્યવસ્થા અહીંના સંઘ તરફથી ઘણા પ્રેમપૂર્વક કરવામાં આવી હતી.
અહીં શીતલનાથ ભગવાનનું જિનમંદિર દર્શનીય છે, તેમાં કુંદકુંદ ભગવાનનો સુંદર ફોટો પણ છે. એક મંદિરમાં
લગભગ સવાફૂટના સ્ફટિકના પ્રતિમાજી છે તે પણ દર્શનીય છે, બીજા પણ અનેક મંદિરો દર્શનીય છે. અહીં જૈન
કોલેજ તરફથી તેમજ જૈન સમાજ તરફથી પૂ. ગુરુદેવને અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા, પ્રવચનમાં
પાંચ હજાર લોકોએ લાભ લીધો હતો. પૂ. ગુરુદેવના હસ્તે સરસ્વતીભવન–પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું હતું. પં.
રાજેન્દ્રકુમારજી વગેરે અનેક વિદ્વાનોએ પૂ. ગુરુદેવ પ્રત્યે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.
તા. ૧૭ના રોજ ફિરોજાબાદથી મૈનપુરી તરફ આવ્યા. વચ્ચે શિકોહાબાદ સ્ટેશને કેટલાક ભાઈઓએ
પ્રેમપૂર્વક સંઘને ચા પાણી માટે રોક્યો. મૈનપુરીમાં બપોરે પૂ. ગુરુદેવનું પ્રવચન થયું તેમજ ત્યાંના જૈન સમાજે
પૂ. ગુરુદેવનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું.
મૈનપુરીથી તા. ૧૮ ના રોજ પૂ. ગુરુદેવ કાનપુર પધાર્યા, ત્યાંના જૈન સમાજે પ્રેમપૂર્વક પૂ. ગુરુદેવનું
સ્વાગત કર્યું. તથા સંઘને ઉતરવા તથા જમવા વગેરેની સગવડ પણ કરી હતી. પ્રવચનમાં પણ લોકોએ
ઉલ્લાસપૂર્વક લાભ લીધો હતો.

PDF/HTML Page 8 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૭ :
તા. ૧૯ ના રોજ કાનપુરથી પૂ. ગુરુદેવ લખનૌ પધાર્યા. જૈન સમાજે પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. જૈનબાગની
ધર્મશાળામાં ઉત્તરવા વગેરેની સગવડતા હતી. અહીંના મ્યુઝીયમમાં ઘણા પુરાણા જિનપ્રતિમાજી છે. જેઓ બે
હજાર વર્ષ પહેલાંંની દિ. જૈનધર્મની જાહોજલાલી પ્રસિદ્ધ કરી રહ્યાં છે.
લખનૌથી તા. ૨૦ ની બપોરે નીકળીને વચ્ચે ધર્મનાથ ભગવાનની જન્મભૂમિ રત્નપુરીના દર્શન કરીને
પૂ. ગુરુદેવ સંઘસહિત અયોધ્યા પધાર્યા. અયોધ્યા એ તીર્થંકર ભગવંતોના જન્મની શાશ્વતભૂમિ છે. વર્તમાન
ચોવીસીના શ્રી આદિનાથ આદિ પાંચ તીર્થંકરોના જન્મકલ્યાણક અહીં થયા છે. અહીં એક મંદિરમાં શ્રી આદિનાથ
ભગવાનના મોટા પ્રતિમાજી છે, તથા તેમની આજુબાજુ ભરત–બાહુબલી ભગવંતોના મોટા પ્રતિમાજી બિરાજે
છે; ત્યાં જન્મકલ્યાણક સંબંધી ઘણી ભાવભીની અદ્ભુત ભક્તિ રાત્રે પૂ. બેનશ્રીબેને કરાવી હતી. પૂ. ગુરુદેવ આ
શાશ્વત જન્મધામમાં ભગવાનના દર્શનથી ઘણા પ્રસન્ન થયા.
તા. ૨૧ના રોજ પૂ. ગુરુદેવે સંઘસહિત પાંચે ભગવંતોના જન્મધામની જાત્રા કરી...દરેક ઠેકાણે
ભગવંતોના ચરણકમળ બિરાજે છે; ત્યાં પૂ. ગુરુદેવે ભાવ પૂર્વક અર્ઘ ચડાવ્યો. શ્રી આદિનાથ ભગવાનની ટૂંકે
વિશેષ ભક્તિ થઈ, તથા અનંતનાથ ભગવાનની ટૂંક સરયુ નદીના કિનારે આવેલી છે, ત્યાં પણ વિશેષ પૂજા–
ભક્તિ થઈ હતી. યાત્રા બાદ પૂ. ગુરુદેવે ભાવભર્યું પ્રવચન કર્યું હતું.
તા. ૨૨ના રોજ પૂ. ગુરુદેવ બનારસ (કાશી)નગરે પધાર્યા. પં. કૈલાસચંદ્રજી, પં. ફૂલચંદજી વિગેરે અનેક
ભાઈઓએ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. અહીં જૈનોના ઘર ૩૦–૪૦ જ છે. પાર્શ્વનાથ વગેરે ભગવંતોની અહીં
જન્મભૂમિ છે. ત્યાં સંઘ સહિત યાત્રા તથા ભક્તિ થઈ હતી. અહીં ‘સ્યાદ્વાદ મહાવિદ્યાલય (જે ગંગા નદીના
કિનારે આવેલું છે) તેનું વાર્ષિક અધિવેશન પૂ. ગુરુદેવની છત્ર છાયામાં થયું હતું, તે વખતે વિદ્યાલયના વિદ્વાન
ભાઈઓએ પ્રેમપૂર્વક પૂ. ગુરુદેવનું સન્માન કર્યું હતું.
પૂ. ગુરુદેવ રોજ નવા નવા તીર્થધામોની યાત્રા કરતાં ખૂબ પ્રસન્નતાથી વિચરી રહ્યા છે ને પૂ ગુરુદેવની
સાથે સાથે સંઘ પણ ઘણા આનંદપૂર્વક તીર્થયાત્રા કરી રહ્યો છે. સંઘ સહિત પધારવાથી આ તરફના જૈન–
સમાજમાં પણ આનંદનું વાતાવરણ ફેલાઈ જાય છે. ને પૂ. ગુરુદેવના પ્રવચનો સાંભળીને જનતા મુગ્ધ બની જાય
છે. આ રીતે સૌરાષ્ટ્રના આ સંત જૈનધર્મનો પ્રભાવ ફેલાવતા ફેલાવતા, અને નવા નવા તીર્થધામોની અદ્ભુત
યાત્રા કરતા કરતા, સંઘસહિત ભારતમાં વિચરી રહ્યા છે.
જય હો જૈનશાસનનો અને શાસનપ્રભાવી સંતોનો!

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
બાળકોને કેવા સંસ્કાર પાડવા?
ખૂલ્લા મેદાનમાં મોટા વૃક્ષની છાયા નીચે ઉપશાંત વાતાવરણમાં ઈટોલા ગામમાં
વિદ્યામંદિરમાં નાના બાળકો માટે પૂ. ગુરુદેવનું પ્રવચન
[માગશર શુદ ત્રીજ : બુધવાર]
આ દેહથી ભિન્ન આત્મતત્ત્વ છે, તેને ઓળખવું તે જ સાચી વિદ્યા છે. અનંતકાળથી આત્મા ચાર ગતિમાં
રખડી રહ્યો છે ને દુઃખ થાય છે, તે પરિભ્રમણ જેનાથી ટળે તે જ સાચી વિદ્યા છે. વિદ્યા વિનાનો નર પશુ કહેવાય
છે. કોઈ માણસને કહે કે ‘તું પશુ જેવો છો–ગધેડો છો’–તો તેને તે સારું લાગતું નથી; પણ જે ભાવથી પશુ જેવો
અવતાર મળે એવો ભાવ જો તે વર્તમાનમાં સેવી રહ્યો છે તો તે પશુ જ થશે. જે અત્યારે પશુ થયા છે તેમણે પૂર્વે
માયા–કપટના ભાવ કર્યા હતા, તેના ફળમાં તે પશુ થયા છે; અને મનુષ્ય થઈને પણ જેઓ આત્માનું જ્ઞાન કરતા
નથી તે તીવ્ર માયા–દંભ–ઠઠ્ઠા–મશ્કરી વગેરે ભાવો સેવે છે તે પણ પશુ થવાની જ તૈયારી કરી રહ્યો છે, તેથી
જ્ઞાની તેને પશુ કહે છે.
આ મનુષ્ય અવતાર પામીને પહેલેથી જ બાળપણથી આત્માના હિતના સંસ્કાર પાડવા જોઈએ. શ્રીમદ્
રાજચંદ્ર ૧૬ વર્ષની વયમાં કહે છે કે–
હું કોણ છું! ક્યાંથી થયો! શું સ્વરુપ છે મારું ખરું!
કોના સંબંધે વળગણા છે! રાખું કે એ પરિહરું!
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા!
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
જુઓ, આ કથન!! નાનપણથી જ તેમને ઊંડા સંસ્કાર હતા. સાત વર્ષની ઉમરે તો પોતાને જાતિસ્મરણ
એટલે પૂર્વભવમાં મારો આત્મા ક્યાં હતો તેનું ભાન થયું. પછી આ કાવ્ય તેમણે બનાવ્યું છે. શરીરની બાલવય
હતી પણ આત્મા ક્યાં બાળક હતો?
આ દેહ તે કાંઈ આત્મા નથી; દેહ તો ક્ષણભંગુર છે; આત્મા કાંઈ ક્ષણભંગુર નથી, આત્મા તો અવિનાશી
છે. વૃદ્ધ, યુવાન કે બાળક સૌએ આત્માનું જ્ઞાન કરવું જોઈએ. દેહનો કાંઈ ભરોસો નથી કે આટલા વર્ષ સુધી તે
ટકી જ રહેશે. નાની ઉમરમાં પણ ઘણાનો દેહ છૂટી જાય છે. દેહ જુદો છે ને દેહને જાણનારો તેનાથી જુદો છે–એમ
ઓળખવું જોઈએ. દેહ એ તો સ્થૂળ વસ્તુ છે, ને આત્મા તો સૂક્ષ્મ વસ્તુ છે.
ચણાની જેમ આત્મામાં મીઠો સ્વાદ એટલે કે આનંદશક્તિરૂપે રહેલો છે; પણ અજ્ઞાનદશામાં તેનો સ્વાદ
આવતો નથી. જો સમ્યગ્જ્ઞાન કરે તો અંતરના આનંદનો સ્વાદ આવે ને પછી તેને જન્મ–મરણ થાય નહિ.
અરે જીવો! વિચાર તો કરો કે “હું કોણ છું? ને મારે આ પરિભ્રમણ કેમ છે?” આ દેહ તો નવો મળ્‌યો
છે. ૨પ–પ૦ કે ૧૦૦ વર્ષ પહેલાંં કાંઈ આ દેહ ન હતો, માટે આ દેહ તે તમારી ચીજ નથી, તમે દેહથી ભિન્ન
જાણનાર તત્ત્વ છો. આ બધું કોણ જાણે છે? જાણનાર તો આત્મા છે. આત્મા ન હોય તો આ બધું જાણે કોણ?
લાખોની કિંમતનો હીરો હોય પણ આંખ ન હોય તો? આંખ વગર કોણ દેખે? માટે આંખની કિંમત વધી કે
હીરાની?–હવે આંખ પણ આત્મા વગર ક્યાંથી જાણે? આત્મા વિના આ આંખના કોડા કાંઈ જાણી શકતા નથી,
માટે બધાને જાણનાર એવા આત્માનો જ ખરો મહિમા છે. આવા આત્માનું ભાન કરીને પૂર્ણ પરમાત્મદશા આઠ
વર્ષના બાળકને પણ થઈ શકે છે, એમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અરે! નાનું દેડકું–સર્પ–હાથી ને સિંહ વગેરેને પણ
આવા આત્માનું જ્ઞાન થઈ શકે છે, પણ તે માટે

PDF/HTML Page 10 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૯ :
અંતરમાં આત્માનો ઘણો પ્રેમ જોઈએ,–સમજવા માટેની દરકાર જોઈએ. પહેલેથી બાળપણથી જ આવા સંસ્કાર
પાડવા જેવું છે. આ માટે સોનગઢથી ખાસ “જૈન બાળપોથી” છપાણી છે.
શ્રીમદ્ રાજચંદ્રને નાની ઉમરથી જ જ્ઞાનનો ઘણો ઉઘાડ હતો; નાની ઉમરથી આવો ઉઘાડ જોઈને તેમને
ખ્યાલમાં આવી ગયું હતું કે જરૂર આમાં કાંઈક પૂર્વભવના સંસ્કાર છે. તેથી તેઓ કહે છે કે–
“લઘુવયથી અદ્ભુત થયો તત્ત્વજ્ઞાનનો બોધ,
એ જ સૂચવે એમ કે ગતિ–આગતિ કાં શોધ? ”
અંદર વિચાર કરવો જોઈએ કે મારો આત્મા આ ભવ પહેલાંં પણ ક્યાંક હતો...ને આ ભવ પછી પણ
ક્યાંક રહેશે. મારા આત્માનું હિત કેમ થાય? એવા બાળપણથી જ સંસ્કાર પાડવા જેવું છે. બાળકોનો આત્મા
પણ આ સમજી શકે છે, કેમકે બધા આત્મામાં સરખી શક્તિ રહેલી છે. બાળકોને આ આત્મવિદ્યા પહેલી
શીખવવા જેવી છે, કેમકે સાચું સુખ આ આત્મવિદ્યાથી જ મળે છે. સભામાં પૂછો કે જેને સુખ જોઈતું હોય તે હાથ
ઊંચા કરો, તો આખી સભા હાથ ઊંચા કરશે. અને બીજી વાર પૂછશો કે તે સુખ કેવું જોઈએ?–નાશવાન કે
અવિનાશી? તો બધા બે હાથ ઊચા કરીને કહેશે કે અવિનાશી સુખ જોઈએ. તો તે અવિનાશી સુખ મેળવવા માટે
આ આત્મવિદ્યા ભણવી જોઈએ. વિદ્યા વિનયથી આવે છે, એટલે તીવ્ર હિંસા–જૂઠું–ચોરી–પરસ્ત્રી, ખાવાપીવાની
લોલુપતા એવા તીવ્ર પાપ છોડીને વિનય અને પાત્રતા મેળવવી જોઈએ. અને સત્સમાગમે દેહથી ભિન્ન આત્માનું
સ્વરૂપ વિચારવું જોઈએ. ભાઈ! અજ્ઞાનને લીધે તેં એટલા ભવ કર્યા કે તારા અવતારનો કોઈ અંક નથી. ક્રોધાદિ
ભાવોથી તારો આત્મા દુઃખી થઈ રહ્યો છે, તેને ક્યાંય શાંતિ નથી; માટે આત્મા શું ચીજ છે તેનું વાસ્તવિક જ્ઞાન
કર તો તારું ભવદુઃખ ટળે ને તને શાંતિ થાય. આવા તત્ત્વનો અભ્યાસ અને વિચાર બાળકોને પણ નાનપણથી
કરાવવા જેવો છે. બાળકો તે પણ આત્મા છે ને તેમનામાં આ સમજવાની તાકાત છે.
હું કોણ છું? ક્યાંથી થયો?
[મીઆંગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન : માગશર શુદ ૪]
આ દેહમાં રહેલો આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનું ભાન કરીને જેમણે પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરી તે સર્વજ્ઞ
પરમાત્મા છે. તેઓ શાંતિનો ઉપાય બતાવતાં જગતને કહે છે કે:–જેમ માટી વિના ઘડો ન થાય તેમ આત્મા
વિના શાંતિ ન થાય. આત્માના સ્વભાવમાં જ શાંતિ અને આનંદ ભર્યો છે; તે સ્વભાવને ઓળખતાં આત્માને
પોતાની શાંતિનો અનુભવ થાય છે.
જીવ બાહ્ય વિષયોને માટે વખત ગાળે છે પણ અંતરના ચૈતન્યતત્ત્વની સમજણ માટે તે રુચિ કરીને
અવકાશ લેતો નથી. સત્ સાંભળવા મળ્‌યું ત્યારે જીવે તેની દરકાર કરી નથી, તેથી જ આ સંસારમાં તે પરિ
ભ્રમણ કરી રહ્યો છે. આત્મામાં જ (લીંડીપીપરની જેમ) પરિપૂર્ણ જ્ઞાન–આનંદની શક્તિ ભરેલી છે, પણ તે
પોતાના આનંદને બહારમાં શોધે છે. જો એક વાર પણ અંતરના ચિદાનંદ સ્વભાવની ઓળખાણ કરીને જન્મ–
મરણનો નાશ કરે તો તેને ફરીને સંસારમાં અવતાર રહે નહિ. જેમ માખણનાં ઘી થાય પણ ઘીનાં ફરીને માખણ
ન થાય; તેમ સંસારમાં રખડતો આત્મા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે મુક્તિ પામે છે, પણ મુક્ત થયેલા
આત્માનો સંસારમાં ફરીને અવતાર થતો નથી.
જેમ દિવાસળીના ટોપકામાં ભડકો થવાથી તાકાત છે, તેમ આત્મામાં કેવળજ્ઞાનજ્યોત પ્રગટાવવાની
તાકાત છે. ચૈતન્યમૂર્તિ આત્મા દેહાદિથી પર છે; દેહ તો જડ છે, તેનામાં કાંઈ જ્ઞાનજ્યોત પ્રગટવાની તાકાત નથી.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
દેહના સાધનથી જીવને ધર્મ થતો નથી. ધર્મનું સાધન તો આત્મા પોતે જ છે. પૈસામાં કે મિષ્ટાન્નમાં ક્યાંય
આત્માનું સુખ નથી. મિષ્ટાન્નના સ્વાદનો રસ તેમાં અજ્ઞાની મજા અને આનંદ માને છે પણ પોતાના આત્માના
ચૈતન્યરસને તે જાણતો નથી. મિષ્ટાન્ન તે તો જડ છે, તે છ કલાકમાં રૂપાંતર થઈને વિષ્ટા થઈ જાય છે, તેમાં
સ્વપ્નેય આત્માનું સુખ નથી, પણ અજ્ઞાનીએ માત્ર કલ્પનાથી માન્યું છે. આત્માના સ્વભાવનું અતીન્દ્રિય સુખ
અજ્ઞાનીને લક્ષમાં આવતુ નથી. આત્માના સ્વભાવનું જે સુખ છે તે સુખ જગતના કોઈ વિષયોમાં નથી. અહો!
આત્માના આનંદના અતીન્દ્રિય સ્વાદનું વર્ણન વાણીમાં પૂરું આવે તેમ નથી. તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો.
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
આત્માના સ્વભાવનો પરમ અનંત આનંદ સિદ્ધપદમાં સાદિ–અનંત પ્રગટી ગયો છે. સિદ્ધ ભગવંતો
સાદિ–અનંત પોતાના અનંત આનંદમાં બિરાજી રહ્યા છે. અહો! એ સિદ્ધપદનો મહિમા વાણીથી શું કહેવો? એ
સિદ્ધ ભગવંતોના આનંદની શી વાત!! એ તો આત્માના સ્વભાવમાં અંતર્મુખ થઈને જે અનુભવ કરે તેને જ
તેની ખબર પડે. સમકિતીને અંતરની શાંતિના સ્વાદ આગળ દુનિયાના વિષયોની કાંઈ કિંમત રહેતી નથી. મારા
આત્માનો આનંદ જગતના વિષયોથી પર છે. ભાઈ! એક વાર તારા આત્મામાં સમ્યગ્જ્ઞાનના ઝણકાર તો
જગાડ કે મારો આત્મા આ દેહાદિથી ભિન્ન, પોતે જ આનંદસ્વરૂપ છે. મારા આત્માનો આનંદ બહારમાં ક્યાંય
નથી; અંતર્મુખ થઈને સ્વભાવમાં એકાગ્ર થયે જ મારો આનંદ છે. જેમ ઘડો માટીમાંથી જ થાય છે તેમ મારી
શાંતિ મારા આત્મામાંથી જ આવે છે. આત્માના સમ્યગ્જ્ઞાન વગર આત્માની શાંતિ કે મુક્તિ થતી નથી, માટે
સત્સમાગમે પોતાની પાત્રતાપૂર્વક આત્મસ્વરૂપનો અભ્યાસ કરવો જોઈએ. આ શરીર તો કાંઈ જીવને આધીન
રહેતું નથી, જીવની ઈચ્છા ન હોય છતાં તે તો ક્ષણમાં છૂટી જાય છે; માટે તે ચીજ આત્માની નથી. લક્ષ્મી વગેરેનો
સંયોગ પણ જીવની ઈચ્છા પ્રમાણે આવતો કે રહેતો નથી. આત્માની વસ્તુ તો જ્ઞાન છે, હું તો જ્ઞાનસ્વરૂપ છું–
એવો નિર્ણય જીવે અનંતકાળમાં કદી કર્યો નથી. ‘હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે?’ તે કદી જાણ્યું નથી. “હું
મનુષ્ય, હું વાણીયો, હું ફલાણાનો પુત્ર, ફલાણો મારો પુત્ર,” એમ જીવે ભ્રમણાથી દેહને જ પોતાનું સ્વરૂપ માન્યું
છે; પણ હરામ છે એ કોઈ જીવનાં હોય તો! જીવનાં જે હોય તે જીવથી કદી જુદા પડે નહિ, અને જે જુદા પડી
જાય છે તે જીવથી જુદા જ છે. જીવ તો જ્ઞાનસ્વરૂપ છે, તેનું જ્ઞાન તેનાથી કદી જુદું પડતું નથી.
એક સેકંડ પણ આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે તો અનંતકાળનું પરિભ્રમણ ટળીને અલ્પકાળમાં મુક્તિ
થયા વિના રહે નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી ૧૬ વર્ષ અને પ મહિનાની વયમાં કહે છે કે:–
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું! કોની સંબંધે વળગણા છે રાખું કે એ
પરહરું! એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વો
અનુભવ્યાં.
અરે! આવો દુર્લભ મનુષ્ય અવતાર પામીને પણ “હું કોણ છું? ’ એનો વિચાર પણ જીવ કરતો નથી;
બહારના કાર્યો આડે તેને ચૈતન્યની વાત સાંભળવાની પણ ફૂરસદ મળતી નથી. હે જીવ! આવો અવતાર અને
સત્સમાગમ અનંતકાળે મળવો મુશ્કેલ છે. તેમાં જો આત્માની દરકાર કરીને તેની સમજણનો અવકાશ નહિ લે
તો આ ચોરાસીના જન્મમરણમાંથી તારો ક્યાંય આરો નહિ આવે. અંતર્મુખ થઈને તું અજમાયસ કર.
અનંતકાળમાં નહિ સમજેલ તે ચીજનો ભાવ અપૂર્વ છે; તે સમજવા માટે સત્સમાગમે વારંવાર શ્રવણ અને
ધારણ કરીને અંતરમાં પ્રયોગ કરવો જોઈએ. અંતરના પ્રયોગ વગર સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
થતો નથી, તેના વિના મુક્તિ કે શાંતિ થતી નથી, માટે હે જીવો! અંતરનું સુખ અંતરમાં છે તેનો વિશ્વાસ કરો.

PDF/HTML Page 12 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૧ :
अभनन्दन पत्र
महान् आध्यात्मिक सन्त
श्री कानजी स्वामी की सेवा में सम्मान प्रस्तुत
सत्पुरुष!
जैन पुरातत्त्व से सम्पन्न, देवसेन, शान्तिसेन, कुलभूषण, आदि दिगम्बर मुनियों की
साधनास्थली, जैन रक्षक विजयसिंह कछवाडा की राजधानी, शस्यश्यामला उपत्य का ग्वालियर की
पुण्यभूमि में स्थित जैन छात्रावास अपने आत्मार्थी श्री कानजी स्वामी का स्वागत करता हुआ आत्म
विभोर हो रहा है।
भारतीय संस्कृति में अतिथि की देवसंज्ञा मानी गई है, फिर आप जैसे अतिथि की, जो महत्
पुरुषों के योग्य समस्त मानवोचित गुणों से अलंकृत हैं, हम किस प्रकार अभ्यर्थना करें, समझ में नहीं
आता। आपके ज्ञान–चक्षुओं को खोलनेवाला अमृत सरोवर श्री ‘समयसार’ से आपको अत्यधिक प्रेम है।
परम उपकारी, समयसार मर्मज्ञ आप जैन जाति के जीवनदाता हैं। आपकी दिव्यवाणी के उत्कृष्ट प्रवाह
द्वारा जैन जाति में समयसार के अभ्यास की रुचि जागृत हुई। आपकी अध्यात्म सरिता की धारा में
डुबकी लगाते ही हृदय में श्री समयसार को पढ़ने की तीव्र अभिलाषा उत्पन्न होती है। समयसार के
प्रणेता, आपके प्रवचन जैन साहित्य की अमर निधि हैं।
आध्यात्मिक पथ–प्रदर्शन!
आपकी ज्योतिर्मय आत्मा से न जाने कितने अज्ञानान्धकार में भटकते हुये प्राणियों को ज्ञान का
प्रकाश मिला। आपकी छत्रछाया में ही आज के अनेकों जैन लेखकों को ज्ञान, उत्साह, और प्रेरणा
मिली। आपके सान्निध्य में रहकर अनेक विद्वानोंने कई आध्यात्मिक ग्रन्थों की रचना की है, अनुवाद
किये हैं और सम्पादन किया है। इस युग के महान् आध्यात्मिक सन्त आपकी वाणो संसारी प्राणियों के
लिये अमृत वाणी है।
महात्मा।
आप जैन धर्म के उन मक्तों में से हैं जिन्होंने अपने जीवन और यौवन के सुख स्वप्नो और
भौतिक आकर्षणों का परित्याग कर मानवमात्र की मोक्ष साधना में ‘महाभिनिष्क्रमण’ किया है।
भारत के महान् आध्यात्मिक सन्तो में आपका विशिष्ट स्थान है। आप बालब्रह्मचारी हैं और अपनी
२४ वर्ष की उम्रसे ही संसार से विरक्त रहकर शास्त्राभ्यास और सत्यान्वेषण में लगे रहे हैं।
आपकी द्रढ़ मानता है कि ‘जैन धर्म विश्व धर्म है’ आन्तरिक तथा बाह्य दिगम्बरता के विना कोई
जीव मोक्ष नहीं पा सकता।

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
आपकी प्रवचन शैली अनुपम और प्रभावक होने से श्रोतागण मन्त्रमुग्ध हो जाते हैं। आपकी वाणी
में संसार दुख से सन्तप्त प्राणियों को दुख से छूटने व शाश्वत सुख का माग दिखलाई पड़ता है। आप
निश्चय व्यवहार, उपादान निमित्त, द्रव्य का स्वतन्त्र परिणमन आदि का सुन्दर विवेचन करते है और
श्रोताओं को जड़ कर्म एवं मोह, राग आदि से पृथक् नित्य, शुद्ध, चैतन्यस्वरूप आत्मा का स्वाभाविक
चित्र प्रस्तुत कर आत्मदर्शन की ओर प्रेरणा प्रदान करते है।
श्रीमान्
हमें आशीर्वाद दें कि हम छात्रावास के छात्र अपना सफल विद्यार्थी जीवन समाप्त कर जैन धर्म
के सच्चे भक्त बनें। हम आशा ही नहीं पूर्ण विश्वास है कि आप भविष्य में भी इस छात्रावास के प्रति
कृपाभाव बनायें रखेंगे। आपने इस छात्रावास के छात्रों को अपना स्वागत करने का जो अवसर दिया
हैं, उसके लिये हम अत्यन्त आभारी हैं। हम भगवान महावीर से आपके स्वास्थ्य तथा दीर्धायु की
कामना करते हैं।
श्रद्धावनत
छात्रावास के छात्र (ग्वालीयर–लश्कर)
• • •
। श्रीवीतरागाय नमः।
आध्यात्मिक संत आत्मार्थी सत्पुरुष श्री कानजी स्वामी की सेवा में सादर समर्पित
सम्मन पत्र
सम्माननीय!
हमारा सौभाग्य हैं कि हम जिस महान् व्यक्तित्व के पुण्य सम्पर्क की वर्षो से प्रतीक्षा कर रहे थे
हमारी वह मनोकामना आज सफल हो गई। वर्तमान वीस तीर्थंकर्रो की निर्वाणभूमि तीर्थराज श्री
सम्मेदशिखर की वन्दना करने के पवित्र संकल्प को लेकर आप सौराष्ट से ५०० धार्मिक बंधुओं के साथ
मार्ग में आनेवाले सिद्धक्षेत्रों की वन्दना करते हुए यहां पधारे हैं। दो दिन से हमें आप अपनी
लोककल्याणकारिणी अमृतमयी वाणी का रसास्वादन करा रहे हैं। आज इस मंगलवेला में मध्यप्रदेश के
आत्मज्ञानपिपासु नागरिकों के समक्ष आप के प्रति बहुमान प्रकट करते हुए हम अपने को गौरवान्वित
मानते हैं।
आत्मार्थिन्!
अनंत दुःखमय संसार की स्थिति का अवलोकन कर आपने उच्चतम तत्त्वज्ञान का अध्ययन एवं
मनन किया और उसकी महत्ता से अन्य मुमुक्षु जनों को अवगत कराकर उनका पथ प्रदर्शन किया।
इस विनाशकारी अणु युग के भौतिक वातावरण के विरुद्ध आध्यात्मिकता का प्रसार कर आपने सहस्रों
दिग्भ्रांत मानवों का जीवन ही परिवर्तित कर दिया है! आपकी

PDF/HTML Page 14 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૩ :
वीतरागप्रणीत निर्ग्रंथ मार्ग पर द्रढ श्रद्धा, आत्मार्थिता, गुणगरिमा, निःस्पृहता, कर्तव्यनिष्ठा और
परोपकारपरायणता का मूर्तिमान रूप सोनगढ़
(सौराष्ट्र) हैं, जो आपही के कारण आज तीर्थ–स्थान
बन गया है। समस्त सौराष्ट्र में आपने जैन धर्म का महान् उद्योत कर दिया है। आप समान परमोपकारी
आत्मार्थी सत्पुरुष का समागम पाकर आज हम अतिशय गौरव का अनुभव कर रहे हैं।
संतप्रवर!
यह धर्मप्रधान भारतभूमि सदा से साधु एवं संत जनों को जन्म देती रही है। विभिन्न दर्शनों के
सूत्रपात का स्थान भी यही है। किन्तु इद्दलौकिक और पारलौकिक कल्याण के हेतु सम्यग्दर्शन,
सम्यग्ज्ञान और सम्यक् चारित्र तीनों ही आवश्यक है। साधुत्व एवं संतत्त्व की साधना में रत्नत्रय प्रमुख
साधन है। आपने सांसारिक वैभव और इन्द्रिय सुखों को तिलांजलि देकर आजन्म ब्रह्मचारी रहते हुए
श्रीमद् कुन्दकुन्दस्वामी प्रभृति आचार्यो द्वारा प्रणीत विश्वभारती के अनुपमरत्न समयसार, प्रवचनसार
आदि महान ग्रन्थों का गंभीर अध्ययन कर अन्तर्द्रष्टि प्राप्त की हैं। अनेक संकटो एवं बाधक परिस्थितियों
को आह्वान करते हुए शांति और सहिष्णुतापूर्वक अपने निश्चित ध्येय एवं लक्ष्य की ओर अग्रसर बने हुए
हैं। आपकी श्रद्धा, साहस और द्रढ़ता की जितनी सराहना की जाय, थोड़ी है।
अध्यांत्मयोगिन्!
मोह और ममता के पंक में निमग्न मानव समूह का हित बहिर्मुखी वृत्ति से हटकर अन्तर्मुख बनने
में ही है। आप अपने अतिशय प्रभावक आध्यात्मिक प्रवचन द्वारा आत्मतत्त्व के निरूपाधिक शुद्ध स्वरुप
का स्वाभाविक चित्र प्रस्तुत कर श्रोताओं को आत्मदर्शन की ओर प्रैरणा प्रदान करती हैं। अपनी
उद्बोधक वाणीद्वारा आप भौतिक सुखों की लालसा में निमग्न जनता को आत्मज्ञान की ओर झुकने के
लिये सदैव उपदेश करते रहते हैं। आपके द्वारा के गई भारतीय संस्कृति एवं आत्मधर्म की महान् सेवा
भारत के धार्मिक इतिहास में चिरस्मरणीय रहेगी।
इस षावन प्रसंग पर उपस्थित हम मुमुक्षुजन आपका अन्तःकरण से अभिनन्दन करते हुए अपने
भावों की कुसुमांजलि इस सम्मान पत्र के द्वारा समर्पित करते हैं और शाश्वत विद्यमान श्री १००८
जिनेन्द्र भगवान श्री सीमंधर स्वामी से प्रार्थना करते है कि आपका सदुद्रेश्य सफल हो और आप चिरायु
रह कर विश्व हितकारी जिनशासन की पताका फहराते हैं।
गांधी हाल, इन्दौर विनयावनत
दिनांक २८–१–१९५७ दिगम्बर जैंन समाज, इन्दौर.

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
। श्रीवीतरागाय नमः।
आध्यात्मिक संत आत्मार्थी सत्पुरुष श्री कानजी स्वामी
की सेवा में सादर समर्पित
अभनन्दन पत्र

सत्पुरुष
जैन पुरातत्त्व से सम्पन्न, शान्तिकेन्द्र, कुलभूषण आदि दिगम्बर मुनियों की साधनास्थली,
जैनरक्षक विजयसिंह कछवाहा की राजधानी, प्राचीन जैन संस्कृति के केन्द्र ग्वालियर के इस
ऐतिहासिक नगर में अध्यात्मयोगी श्री कानजी स्वामी का स्वागत करते हुये हमें परम हर्ष हो रहा है।
संतप्रवर!
आपका यह संघ ५०० धार्मिक बन्धुओं के साथ सोनगढ़ (सौराष्ट्र) से श्री सम्मेदशिखरजी को
वन्दनार्थ जाते हुए मार्ग में इस नगर में आया है इससे हमें हार्दिक आनन्द हो रहा है। शान्तिरस की
जो विमलधारा सौराष्ट्र से प्रारम्भ होकर अनेक नगरों व उपनगरों में होती हुई अविरुद्ध प्रवाह से बढ़ती
हुई इस नगर में आई है। उससे हमें शान्ति और आत्मज्ञान का जो शुभ संदेश मिला है उसने हमारे
हृदय की ज्योति को जगा दिया है।
अध्यात्म योगिन्!
आपने सांसारिक वैभव व इन्द्रिय सुखों का परिहार करके बालब्रह्मचारी रहकर आध्यात्मिक
ग्रन्थों के अध्ययन से जो आत्मज्ञान प्राप्त किया है वह अद्वितीय हैं। आपने श्रीमद् कुन्दकुन्दस्वामी द्वारा
रचित समयसार का अध्ययन करके जो अन्तर्द्रष्टि प्राप्त की है और डसके द्वारा अपने सदुपदेशों एवं
आध्यात्मिक प्रवचनों से मानव कल्याण का प्रशस्त मार्ग दर्शाया है उससे संसार में भटकते हुये प्राणियों
के हृदय में आशा का नया संचार जाग्रत हो गया है। आपके द्वारा की गई भारतीय संस्कृति एवं
आत्मधर्म की महान् सेवा भारत के धार्मिक इतिहास में चिरस्थाई रहेगी।
इस पुनीत अवसर पर बृहत्तर ग्वालियर का दिगम्बर जैन समाज हृदय से अभिनन्दन करता
हुवा श्री १००८ भगवान जिनेन्द्र देव से प्रार्थना करता हैं कि आप चिरायु हों एवं आपका आत्मज्ञान का
शुभ संदेश संसार के कोने कोने में सूर्य की प्रखर किरणों की भांति फैले, यही हमारी शुभ कामना हैं।
लश्कर विनीत
दिनांक ९ फरवरी १९५७ दिगम्बर जैन समाज
बृहत्तर ग्वालियर . प्र.

PDF/HTML Page 16 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૫ :
श्री मांगीतुंगी सिद्धक्षेत्रमां शेठश्री गजराजी गंगवालना हस्ते
पू. गुरुदेवने अपायेल सन्मानपत्र

श्री परमपूज्य भगवान कुंदकुंदाचार्य के लघुनंदन परमपूज्य सद्गुरुदेव श्री कानजीस्वामी के
चरण–कमलो में श्री सिद्धक्षेत्र मांगीतुंगीजी दि० जैन के प्रबंधकर्ताओं की तरफ से––
परमपूज्य अध्यात्मयोगी आपने उमराला ग्राममें पिता मोतीचंदजी माता उजमबाई के कुख से
जन्म लेकर इस भरतक्षेत्र में अज्ञानरूपी अंधकार को नष्ट कर यथार्थ ज्ञानका प्रकाश किया है।
आपके बाल्यावस्थामें ही संसार से विरक्ता थी। आपने स्थानकवासी श्वे० जैनकुल में जन्म लेकर
बालब्रह्मचारी रहते हुवे २४ वर्ष के उम्रमें स्थानकवासी दीक्षा ग्रहण की। बाद में सत्य ज्ञान की
अंतःकरण में हमेशा के लिये खोज रहती थी। आपके हस्तकमलमें श्री भगवन् कुंदकुंदाचार्य के अपूर्व
ग्रंथराज समयसारादि प्राप्त हुवे जिससे दिनप्रतिदिन आपकी आत्मोन्नति खिलती गई। जिसका
फलस्वरूप आज आपने भारत में अध्यात्म धर्म का प्रकाश होरहा है।
सत्य वस्तु की प्राप्ति के लिये आप सारगर्भित उपदेश देकर भव्य जीवों को संसाररूपी समुद्र से
तारने में समर्थ हुए है।
जिस प्रकार भगवान महावीर का समवसरण भारत म सर्वत्र विहार कर ज्ञानरूपी सूर्यका प्रकाश
करता था। उसी प्रकार आप भी इस पंचम कालमें जगह जगह विहार कर अज्ञानरूपी जीवों को सच्चा
मार्ग बतलाकर अज्ञानरूपी अंधकार को नष्ट कर रहे है।
आपश्रीने सौराष्ट्र में सनातन दि० जैन धर्म का उद्योत कर १५ जिनमंदिर पंचकल्याणक प्रतिष्ठा
आपके करकमलोद्वारा हुई और दि० जैन सिद्धांत के लाखो ग्रंथ आपके उपदेश से प्रकाशित हुये और
कई भाई बहिनोने आजीव ब्रह्मचर्य की दीक्षा ली।
इस प्रकार दि० जैन धर्म का आपश्रीने उद्योत कीया है। क्षेत्र के प्रबंधकारिणी कमेटी के ओर से
महामंत्रीजीने आपश्री को श्री सिद्धक्षेत्र मांगीतुंगीजी पधारने का आमंत्रण दिया सो स्वीकार कर आपश्री
का पवित्र क्षेत्र पर पदार्पण हुवा, इस लिये क्षेत्र के प्रबंधकर्ता अपना अहोभाग्य समझती है।
हमारी भी जिनेन्द्र देव से प्रार्थना है कि––भव्य जीवों का उद्धार करने के लिये आप चिरायु हो
और दि० जैन धर्म का प्रभाव दिनपरदिन बढे़ एैसी आशा करते है।
श्री मांगीतुंगीजी प्रबंधकारिणी कमेटी
शाह मोतीलाल पितांबरदास महामंत्री पारोला
शाह रमणलाल बालचंद सा सोनगीर
शाह चंदुलाल झुमकु सालाड मालेगांव
शेठ चंदुलाल मंगणीराम सटाणे
शाह गणेशलाल नाथुलाल जैन

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
परमपूज्य प्रातःस्मरणीय श्री कानजी स्वामी के पुनीत करकमलोंंमें सादर समर्पित
अभनन्दन पत्र
मान्यवर,
आपके विराट् संघ ने सिद्धक्षेत्र श्री सम्मेदशिखरजी के यात्राप्रसंग से आज इस छोटी सी नगरी
में एक दिवसीय विराम लिया है, यह हम सब के परम सौभाग्य का विषय है। वसन्त की पद चाप से
वसुधावधू का रोम हर्ष था एवं कोकिल का पंचम मुखरित होना स्वाभाविक है, यह विद्यास्थली भी
आज आप जैसे बहुमुखी व्यक्तित्व को अपने मध्य पा अलौकिक आनन्द का अनुभव कर रही है।
अध्यात्म सन्त,
आपके शोधपूर्ण एवं ठोस अध्ययन तथा अनुभव ने अध्यात्म जगत में एक युगान्तर ही उपस्थित
कर दिया हैं। भारतवर्ष सहस्रों वर्षों से सन्तभूमि रही है, परंतु आत्मतत्त्व की इतनी मौलिक, जगन्मोहिनी
एवं रसवती व्याख्या जिसका निर्विरोध रूप से सर्वत्र स्वागत हुआ हो अद्यावधि कम ही हुई है।
अजातशत्रु,
आप राग द्वेष की छुद्र सीमाओं से परे है, मलयाचल की सुरभि–सद्रश आपकी सरल सुकोमल
वाणी सभी आत्माओं को स्वभाव से ज्ञानभरित करती है। आपके निर्विकार व्यक्तित्व के सन्मुख उग्र
विरोधक शक्ति भी नत हो सेविका बनने में ही आनन्दानुभव करती हैं।
आपसे आशा,
आपकी ज्ञानगरिमा, स्वभाव की सरलता, सुलझी हुई विचारधारा तथा धर्म की सर्वमान्य
विवेचना से हमें भगवान महावीर एवं महात्मा बुद्ध का समय स्मरण हो जाता है। हमारी अभिलाषा ही
नहीं विश्वास भी हैं कि आपकी वाणी भारत ही नहीं सम्पूर्ण विश्व की अन्धकाराच्छन्न जनता का उचित
मार्ग निर्देशन कर विश्वशान्ति स्थापित करेगी।
हम हैं,
आपके आशीर्वचनाभिलाषी अध्यापक एवं छात्र,
दिनांक श्री पी० डी० जैन इण्टर कालेज,
फरबरी १६, सन् १९५७ फीरोजाबाद [आगरा]

PDF/HTML Page 18 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૭ :
।। श्री सीमंधरस्वामीने नमः।।
भारत के महान् आत्मतत्वावेत्ता श्री कानजी स्वामीजी
की सेवा में सादर समर्पित
अभनन्दन पत्र
श्रद्धास्पद स्वामीजी,

समयसार के महान् व्याख्याता सुकविशिरोमणि स्वर्गीय पं० बनारसीदासजी की इस जीवन–भूमि
और उत्तर–प्रदेश के ऐतिहासिक नगर आगरा में आपका और आपके धार्मिक सङ्ध का स्वागत और
अभिनन्दन करते हुए हमको अतिशय गौरव का अनुभव हो रहा हैं। हम लोग बहुत दिन से सोगनढ़
(काठियावाड़) आदि स्थानों में आपके द्वारा स्थापित गौरवगाथाओं को सुन रहे थे और उनसे कुछ
परिचित भी थे किन्तु आज अपने नगर में ही सङ्ध सहित आपका पुण्यदर्शन प्राप्त कर के हमारे आनन्द
की कोई सीमा नहीं रही है।
सत्पपथ प्रदर्शक सन्त,

विज्ञान के इस युग में आपने जो चमत्कार दिखाया है वह महान् है क्योंकि वह चमत्कार किसी
भौतिक पदार्थ का नहीं, किन्तु आत्मा की अनुभूति का है। आत्मानुभूति के उस पवित्र आदर्श से प्रेरित
होकर ही, शत या सहस्र नहीं किन्तु कोटि–कोटि आत्माएँ आपसे प्रकाश और पथ–प्रदर्शन प्राप्त कर
अपना जीवन धन्य मान रही हैं। सभी प्रकार के अज्ञान और मिथ्यात्व के विरुद्ध आपने अपने जीवन के
प्रारम्भ से ही अभियान किया है। आप प्राणी मात्र को सहज स्वाभाविक ज्ञान दर्शन से चमत्कृत और
सुख–सम्पन्न देखना चाहते हैं, तथा प्रयत्न करते हैं, यह आपकी लोकोपकारिणी वीतराग वृत्ति का ही
स्वाभाविक परिणाम है।
लोकोपकारी महात्मन्,

मङ्गलमय महावीर, गौतमगणी और कुन्दकुन्द सद्रश महर्षियों की वाणी का आजीवन रसपान
करते कराते हुए आपने भौतिक पदार्थो की मोह–ममता से अपने आपको सदैव दूर रक्खा है और
आत्मस्वरुप में सहायक लोकोपकारी रचनात्मक कार्यों में ही अपने समय का सदुपयोग किया है,
जिसके फलस्वरुप आपके तत्त्वावधान में तीन लाख पुस्तकों का प्रकाशन,

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
विद्वद्वरेण्य,

समयसार जैसे पारमार्थिक और गूढ़ ग्रन्थों को जहाँ आपने सरल और सुलभ बनाया है, वहां
अपनी सूझ–बूझ के द्वारा विद्यार्थियों और विद्वानों का भी भविष्य उज्ज्वल बनाने का प्रयत्न किया है।
हमारी प्रार्थना पर आपने यहां आचार्य ‘शान्तिसागर भवन’ की मङ्गलमय आधारशिला रचना स्वीकार
किया है। यह मङ्गल कार्य युगयुगान्त–पर्यन्त जैन धर्म और विश्व–कल्याण की प्रेरणा के साथ एक
निर्ग्रन्थाचार्य की स्मृति को अमर रक्खेगा। इस सरस्वती भवन में विश्व में उपलब्ध सम्पूर्ण जैन वाङ्मय
का संग्रह करके जैन साहित्य और जैनधर्म की खोज का मार्ग प्रशस्त किया जायगा, जिसकी आज
भारी आवश्यकता है। विश्वविद्यालय के रिचर्स स्कालरों और शान्तिप्रेमियों के लिए यह भवन अत्यन्त
उपयोगी सिद्ध होगा–ऐसा हमारा विश्वास है। विश्व में सदा शान्ति बनी रहे यह स्व० आचार्य
शान्तिसागर महाराज की हार्दिक कामना थी, यही आपकी और हम सबकी भी मनोकामना है। हम श्री
शान्तिनाथ भगवान से प्रार्थना करते हैं कि विश्व में कहीं भी युद्ध न हो। इस प्रार्थना और प्रयत्न की
सफलता के हेतु हम आपका आशीर्वाद चाहते हैं।
अनुपम विद्याप्रेमी,

भगवान् महावीर के नाम से अङ्कित इस विद्यासदन में भगवान् शान्तिनाथ की तेजोमय मूर्ति भी
बिराजमान है। इससे हमको अपनी संस्था के महान् पवित्र उद्देश्य “चरित्रबल के विकास” में अनुपम
सहायता मिलती है। कला, विज्ञान, वाणिज्य आदि लौकिक शिक्षा के साथ–साथ यहाँ नैतिक एवं
धार्मिक शिक्षा की भी समुचित व्यवस्था है। जिस प्रकार यहाँ भारत तथा विश्व के महामान्य राजनेता एवं
धुरन्धर विद्वानों का पदार्पण एवं स्वागत होता है; उसी प्रकार आत्मज्ञान एवं विश्व–बन्धुत्व का सन्देश
देनेवाले वीतराग महर्षियों और सन्तों की चरणरज एवं उपदेशों का प्रसाद भी समय–समय पर हमको
मिलता रहता है। आपकी असीम अनुकम्पा से यहाँ आज इस सरस्वती भवन की नींव रक्खी जा रही
है, इससे आगरा–निवासियों का ही नहीं अपितु समग्र समाज एवं भावी पीढ़ियों का उपकार होगा।
आपने हमारी प्रार्थना पर इस भवन की नींव रखना स्वीकार किया, यह हमारे लिए बडे़ गौरव की बात
है और इसके लिए हम आपके चिर आभारी रहेंगे।

PDF/HTML Page 20 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૯ :
सम्यग्द्रष्टे,
आप तो सम्यग्दर्शन, सम्यग्ज्ञान आदि रत्नों से वैभवशाली है। हमारे पास ऐसी कोई वस्तु नहीं
जिससे आपका उचित सत्कार और सेवा कर सकें, फिर भी भावनावश केवल विनयपूर्ण–पत्र–प्रसून
लेकर आपके श्रीचरणों में भेट करने खडे़ हुए हैं। आशा है आप हमारी त्रुटियों की ओर ध्यान न देकर
अपने विशाल हृदय में इस संस्था को भी स्थान देने की कृपा करेंगे।
हम हैं आपके अनुगृहीत–––
आगरा अध्यक्ष, सदस्यगण, अध्यापक और विद्यार्थी
१२–२–१९५७ श्री महावीर दिगम्बर जैन, कालेज
एवं
सकल दिगम्बर जैन समाज, आगरा।
भारत क सुप्रसिद्ध आध्यात्मिक सन्त
आत्मार्थी सत्पुरुष पूज्य श्री कानजी स्वामी
के
कर–कमलों में सादर समर्पित
अभनन्दन पत्र
पूज्यश्री,
आज उत्तर भारत के इस परम पुनीत अतिशय क्षेत्र फीरोजाबाद नगर में आप जैसे परम
उपकारी, जिनभक्त, प्रवचन–कला–मर्मज्ञ एवं अध्यात्मरसिक का दर्शन–लाभ कर हम परम आह्लाद का
अनुभव कर रहे हैं। स्वागत के साधन, सामर्थ्य एवं क्षमता में अकिञ्चन होते हुये भी हम आपका
अभिनन्दन करते हुये अपने को अत्यन्त ही गौरवान्वित अनुभव करते हैं।