Atmadharma magazine - Ank 161
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૬૧
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
સંસારથી સંતૃપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
વર્ષ ૧૪ મું
અંક પ મો
ફાગણ
વીર સં. ૨૪૮૩
૧૬૧
કયાં ભવનાશક જૈનધર્મ! અને કયાં અનંત ભવનો સંદેહ??
જૈનધર્મ રાગનો રક્ષક નથી પણ રાગનો નાશ કરીને વીતરાગતાનો ઉત્પાદક છે, ભવનો
નાશ કરીને મોક્ષને આપનાર છે. અનાદિના મિથ્યાત્વાદિનો નાશ કરીને સમ્યક્ત્વાદિ અપૂર્વ ભાવો
પ્રગટે તેનું નામ જૈનધર્મ છે. ભવનું મથન કરી નાંખે,–ભવનો નાશ કરી નાંખે તે જ જૈનધર્મ છે.
હજી તો અનંત ભવની શંકામાં જે પડયો હોય, અરે! ભવ્યપણામાં પણ જેને શંકા હોય–એવા જીવને
તો જૈનધર્મની ગંધ પણ આવી નથી. આહા! જૈનધર્મ શું ચીજ છે તેની વાત લોકોએ યથાર્થ
સાંભળી પણ નથી. એક ક્ષણ પણ જૈનધર્મ પ્રગટ કરે તો અનંતભવનો કટ થઈ જાય ને આત્મામાં
મોક્ષની છાપ પડી જાય, મુક્તિની નિઃશંકતા થઈ જાય.–આવો જૈનધર્મ છે. આ જ જૈનધર્મની
શ્રેષ્ઠતા છે, તેથી હે ભવ્ય જીવ! ભવના નાશ માટે તું આવા જૈનધર્મને ભાવ.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 25
single page version

background image
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લા પ વર્ષથી ચાલે છે. આ સંસ્થામાં,
જૈનધર્મના વિદ્યાર્થીઓ, કે જેઓની ઉમર, ૧૧ વર્ષ અને તેથી વધુ હોય,
અને જેઓ, ગુજરાતી પમું ધોરણ કે તેથી ઉપરના ગુજરાતી કે અંગ્રેજી
ધોરણોમાં અભ્યાસ કરતા હોય, તેમને દાખલ કરવામાં આવે છે.
માસિક લવાજમ પૂરી ફીના રૂા. ૨પ તથા ઓછી ફીના રૂા.
૧પ લેવામાં આવે છે.
અહીં મેટ્રીક (એસ. એસ. સી.) સુધીના અભ્યાસ માટે
હાઈસ્કુલ છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને, વ્યાવહારિક કેળવણી
ઉપરાંત, ધાર્મિક અભ્યાસનો, તથા પૂજ્ય આધ્યાત્મિક સંત ‘શ્રી
કાનજી સ્વામી’ ના વ્યાખ્યાન–શ્રવણનો, અપૂર્વ લાભ મળે તેમ છે.
અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે.
હાલ, સંસ્થાનું સ્વતંત્ર નવું, સુંદર, હવા ઉજાસ તથા
સગવડતાવાળું મકાન બંધાઈ રહ્યું છે, જે ૩–૪ માસમાં પૂરું થશે.
સંસ્થાનું નવું સત્ર (ટર્મ) તા. ૧પ મી જુન આસપાસ શરૂ
થાય છે.
સંસ્થામાં નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને દાખલ
કરવાના છે.
તો જે વિદ્યાર્થીઓને દાખલ થવા ઈચ્છા હોય તેમણે
ઉપરના સરનામે રૂા. ૦–૨–૦ ની પોષ્ટની ટીકીટો બીડી સંસ્થાના
પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો તા. ૩૦–૪–પ૭ સુધીમાં
મંગાવી ભરી તા. ૨૦–પ–પ૭ સુધીમાં પરત મોકલી આપવાં.
લી. મંત્રીઓ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
આત્મધર્મના ગ્રાહકોને
આ “આત્મધર્મ” નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી
થાય છે. અત્યાર સુધી તેનું પ્રકાશન વલ્લભવિદ્યાનગરથી થતું તેને
બદલે હવેથી ભાવનગરથી થશે અને વ્યવસ્થા પણ ત્યાંથી થશે; માટે
વ્યવસ્થા બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવોઃ–
આનંદ પ્રેસ – ભાવનગર
જ્ઞાન દીવડા
જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મામાં
જેણે પ્રકાશ કર્યો.......જ્ઞાનના દીવડાથી
આત્માને પ્રકાશિત કર્યો તે જીવ ખરેખર
‘ધર્મ–દીવાકર’ છે– તે જ ‘જ્ઞાનદીવાકર’ છે;
તેને આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાનદીવડા
પ્રગટી ગયા છે અને અજ્ઞાન–અંધકારનો નાશ
થઈ ગયો છે. હજી તો જેને જ્ઞાનપ્રકાશી
આત્માનું ભાન પણ નથી, આત્મામાં
જ્ઞાનદીવડો પ્રગટાવ્યો નથી ને અજ્ઞાનનું
અંધારું ટાળ્‌યું નથી તે ‘ધર્મદીવાકર’ શેનો?
ચિદાનંદતત્ત્વમાં સમ્યક્શ્રદ્ધાની ચીનગારીવડે
જેમણે અતીન્દ્રિય જ્ઞાનથી ઝગમગતા દીવડા
પ્રગટાવ્યા એવા ધર્માત્મા જ ખરેખરા
ધર્મદીવાકર છે.
રજીસ્ટ્રેશન ઓફ ન્યુસ પેપર્સ
(સન્ટલ)રૂલ્સ ૧૯પ૬’નઅન્વય
“આત્મધર્મ” સંબંધમાં નીચેની
વિગતો પ્રગટ કરવામાં આવે છે.
૧ પ્રસિદ્ધિ સ્થળ –આનંદ પ્રેસ, ભાવનગર
૨ પ્રસિદ્ધિ ક્રમ– દરેક મહિનાની વદ તેરસ
૩ મુદ્રકનું નામ– શ્રી હરિલાલ દેવચંદ શેઠ
કયા દેશના – ભારતીય
ઠેકાણું–આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર
૪ પ્રકાશકનું નામ– શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી હરિલાલ
દેવચંદ શેઠ–ભાવનગર
કયા દેશના– ભારતીય
ઠેકાણું – આનંદ પ્રેસ–ભાવનગર
પ તંત્રીનું નામ–રામજી માણેકચંદ દોશી
કયા દેશના–ભારતીય
ઠેકાણું–જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
૬ સામયિકના માલિકનું નામ–
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
અમે આથી જાહેર કરીએ છીએ કે
ઉપર આપેલી વિગતો અમારી જાણ અને
માન્યતા મુજબ બરોબર છે.
તા. ૨૦–૪–પ૭
સહી
રામજી માણેકચંદ દોશી
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણઃઃઃ છૂટક નકલ ચાર આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચૌદમું ઃ સમ્પાદકઃ ફાગણ
અંક પાંચમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
જ્યાં દોષ થાય છે ત્યાં જ ગુણ ભર્યા છે.
જ્યાં દોષ થાય છે ત્યાં જ ગુણ ભર્યા છે.
જ્યાં અલ્પજ્ઞતા છે ત્યાં જ સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે.
જ્યાં દુઃખ થાય છે ત્યાં જ ત્રિકાળ સુખ ગુણ રહેલો છે.
જ્યાં ક્રોધ થાય છે ત્યાં જ ત્રિકાળી ક્ષમાગુણ ભરેલો છે.
–આ રીતે ‘ક્ષણિક દોષ’ અને ‘ત્રિકાળી ગુણ’ બંને એક સાથે વર્તી રહ્યા છે,
તેમાં ગુણસ્વભાવને ઓળખીને તેનું અવલંબન લેતાં દોષ ટળી જાય છે ને ગુણની
નિર્દોષ દશા પ્રગટે છે.
આત્માની ક્ષણિક હાલતમાં દોષ થતાં અજ્ઞાનીને તો પોતાનો આખોય
આત્મા જ દોષસ્વરૂપ ભાસે છે, પણ તે જ વખતે આત્માનો સ્વભાવ ગુણથી ભરેલો
છે, તે તેને ભાસતો નથી,–દોષથી જરાય ભિન્નતા ભાસતી નથી, એટલે તે દોષને
ટાળી શકતો નથી. જ્ઞાની તો ક્ષણિક દોષ વખતે પણ પોતાના ત્રિકાળી ગુણસ્વભાવને
દોષથી ભિન્ન જાણતા થકા, ગુણના જોરે દોષનો નાશ કરી નાંખે છે.

PDF/HTML Page 5 of 25
single page version

background image
બે ભાઈ
[શાંતિની શોધમાં]
*
જેણે પોતાના આત્માનું હિત કરવું હોય તેને પહેલાં અંદરમાં ખટક જાગવી જોઈએ કે અરે! મારા આત્માને
કઈ રીતે શાંતિ થાય? મારા આત્માને કોણ શરણરૂપ છે!! સંતો કહે છે કે આ દેહ કે રાગ કોઈ તારું શરણ નથી;
પ્રભો! અંદર એક સમયમાં જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે; તેને ઓળખ, ભાઈ!
બે સગા ભાઈ હોય, બેય નરકમાં એક સાથે હોય, એક સમકિતી હોય ને બીજો મિથ્યાદ્રષ્ટિ હોય. ત્યાં
સમકિતીને તો નરકની ઘોર પ્રતિકૂળતામાં પણ ચૈતન્યના આનંદનું અંશે વેદન પણ સાથે વર્તી રહ્યું છે....ને મિથ્યાદ્રષ્ટિ
એકલા સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે...તેના ભાઈને પૂછે છે કે, ‘અરે ભાઈ! કોઈ શરણ!!
આ ઘોર દુઃખમાં કોઈ સહાયક!! ..... કોઈ આ વેદનાથી છોડાવનાર!!! ત્યાં સમકિતી ભાઈ કહે છે કે–અરે
બંધુ! કોઈ સહાયક નથી; અંદરમાં ભગવાન ચૈતન્ય જ આનંદથી ભરેલો છે તેની ભાવના જ આ દુઃખથી
બચાવનાર છે;
ચૈતન્યની ભાવના વિના બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ સહાયક નથી. આ દેહ, ને
આ પ્રતિકૂળ સંયોગો એ બધાયથી પાર ચૈતન્યસ્વરૂપી આત્મા છે,–આવા ભેદજ્ઞાનની ભાવના સિવાય જગતમાં બીજું
કોઈ દુઃખથી બચાવનાર નથી. કોઈ શરણ નથી; માટે ભાઈ! એક વાર સંયોગને ભૂલી જા....ને અંદર ચૈતન્ય તત્ત્વ
આનંદસ્વરૂપ છે તેની સન્મુખ જો. તે એક જ શરણ છે.
પૂર્વે આત્માની દરકાર કરી નહિ ને પાપ કરતાં પાછું
વાળીને જોયું નહિ તેથી આ નરકમાં અવતાર થયો....હવે તો આ જ સ્થિતિમાં હજારો વર્ષનું આયુષ્ય પૂરું કર્યે
છૂટકો....સંયોગ નહિ ફરે, તારું લક્ષ ફેરવી નાંખ! સંયોગથી આત્મા જુદો છે તેના ઉપર લક્ષ કર. સંયોગમાં તારું
દુઃખ નથી; તારા આનંદને ભૂલીને તેં જ મોહથી દુઃખ ઊભું કર્યું છે, માટે એક વાર સંયોગને અને આત્માને ભિન્ન
જાણીને, સંયોગની ભાવના છોડ ને ચૈતન્યમૂર્તિ આત્માની ભાવના કર. હું તો જ્ઞાનમૂર્તિ–આનંદમૂર્તિ છું. આ સંયોગ
અને આ દુઃખ બંનેથી મારો આત્મસ્વભાવ જુદો, જ્ઞાનઆનંદની મૂર્તિ છે,–આમ આત્માનો નિર્ણય કરીને તેની
ભાવના કરવી તે જ દુઃખના નાશનો ઉપાય છે. ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. ‘જ્યાં દુઃખ
કદી ન પ્રવેશી શકતું ત્યાં નિવાસ જ રાખીએ...’
ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં આનંદનું વેદન છે, તેમાં
દુઃખનો પ્રવેશ નથી....એવા ચૈતન્યમાં એકાગ્ર થઈને નિવાસ કરવો તે જ દુઃખથી છૂટકારાનો ઉપાય છે. કષાયોથી
સંતપ્ત આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન જ તેનાથી છૂટવાનો ઉપાય છે; માટે હે બંધુ! સ્વસ્થ થઈને તારા
આત્માની ભાવના કર.....તેના ચિંતનથી તારા દુઃખો ક્ષણ માત્રમાં શાંત થઈ જશે.
ધર્મી જાણે છે કે અહો! મારા ચૈતન્યની છાયા એવી શાંત–શીતળ છે કે તેમાં મોહ–સૂર્યનાં સંતપ્ત
કિરણો પ્રવેશી શકતાં નથી, કોઈ સંયોગો પણ તેમાં પ્રવેશી શકતા નથી; માટે મોહજનિત વિભાવોના
આતાપથી બચવા હું મારા ચૈતન્ય તત્ત્વની શાંત....ઉપશાંત....આનંદ ઝરતી છાયામાં જ જાઉં છું....મારા
ચૈતન્યસ્વભાવની જ ભાવના કરું છું.
(–સમાધિશતક ગા. ૩૯ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 6 of 25
single page version

background image
પૂ. ગુરુદેવનો મંગલ–પ્રવાસ
ઘણા ઉલ્લાસપૂર્વક શાશ્વત તીર્થધામોની યાત્રા
પરમપૂજ્ય ગુરુદેવ પવિત્ર તીર્થધામોની યાત્રા કરતા કરતા અને
જૈનધર્મની મહાન પ્રભાવના કરતા કરતા સંઘસહિત વિચરી રહ્યા છે. પૂ. ગુરુદેવની
સાથે આનંદ–મંગલ અને ઉલ્લાસપૂર્વક સંઘ વિચરી રહ્યો છે. મહાન તીર્થધામોની
યાત્રા કરતાં પૂ. ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ છે ને તેઓશ્રી વારંવાર ભક્તિભર્યા
ઉદ્ગારો કાઢે છે.
ઃ લેખાંક – ૩ઃ
બનારસ – કાશી
અનંત તીર્થંકરોના જન્મધામથી પાવન થયેલી શાશ્વતી અયોધ્યાનગરીની યાત્રા કરીને, તા. ૨૨–૨–પ૭ ના
રોજ પૂ. ગુરુદેવ બનારસ (કાશી) પધાર્યા. બનારસ તે શ્રી પાર્શ્વનાથ–સુપાર્શ્વનાથ વગેરે ભગવંતોનું જન્મધામ છે.
અહીં જૈનોના ૨પ–૩૦ જ ઘર છે. ગુરુદેવ પધારતાં પં. કૈલાસચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્ર, પં. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, પ્રો.
ખુશાલચંદ્રજી વગેરે વિદ્વાન ભાઈઓએ
ફાગણઃ ૨૪૮૩ ઃ પઃ

PDF/HTML Page 7 of 25
single page version

background image
પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું, તેમજ સંઘને ઉતરવા વગેરેની સુંદર વ્યવસ્થા કરી હતી.
સિંહપુરી – ચંદ્રપુરી
બપોરે પૂ. ગુરુદેવ સંઘસહિત સિંહપુરી–ચંદ્રપુરીના દર્શને પધાર્યા. સિંહપુરી શ્રેયાંસનાથ ભગવાનની
જન્મભૂમિ બનારસથી આઠ માઈલ દૂર છે; અને ચંદ્રપુરી તે ચંદ્રનાથ ભગવાનની જન્મભૂમિ બનારસથી ૧૪ માઈલ
દૂર ગંગાકિનારે આવેલું છે. ગંગાકિનારે ચંદ્રપુરી–જન્મધામનું દ્રશ્ય પ્રસન્નતા ઉપજાવે તેવું છે....ત્યાં ચંદ્રપ્રભુ
ભગવાનના પ્રતિમાજી તેમજ ચરણકમળ બિરાજે છે. ત્યાં દર્શન–પૂજન કરીને સૌ સિંહપુરી આવ્યા...શ્રેયાંસનાથ
ભગવાનના આ જન્મધામમાં પ્રવેશતાં જ હૃદયમાં શાંતિના શેરડા પડે છે. અહા! શું એ શાંતિનું ધામ!! અહીં
બૌદ્ધોના સારનાથ–સ્તંભની સામે જ શ્રેયાંસનાથ પ્રભુનું સુંદર મંદિર છે, ને શ્રેયાંસનાથ ભગવાનના શાંત ભાવવાહી
પ્રતિમાજી બિરાજે છે. ત્યાં ગુરુદેવ સાથે સૌએ અર્ઘ ચડાવીને ભક્તિ કરી.....પૂ. બેનશ્રીબેને ઘણા ઉલ્લાસથી
ભગવાનના જન્મની વધાઈ ગવડાવી હતી. ત્યાં દર્શન કરીને સાંજે પાછા બનારસ આવ્યા.
રત્નપ્રતિમા
તા. ૨૩ મી એ સવારમાં પૂ. ગુરુદેવ રત્નના પ્રતિમાજીના દર્શન કરવા પધાર્યા. પાર્શ્વનાથ પ્રભુના રત્નના
નાનકડા સુંદર પ્રતિમાજી છે તે હાથમાં લઈને ગુરુદેવે નીહાળ્‌યા, ને ભાવથી અર્ઘ ચડાવ્યો....ત્યારબાદ બીજા મંદિરોના
પણ દર્શન કર્યા.
પૂ. ગુરુદેવનું પ્રવચન ટાઉનહોલમાં હતું. પ્રવચનમાં તેમજ રાત્રિચર્ચામાં વિદ્વાનોએ તેમજ જનતાએ ઘણા
પ્રેમથી લાભ લીધો હતો.
પાર્શ્વનાથ જન્મધામાં
પ્રવચન બાદ, ભેલુપુરમાં પાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ છે ત્યાં સૌ દર્શન કરવા ગયા. અહીં ત્રણ મંદિર
શ્રી શ્રેયાંસનાથ ભગવંતની કલ્યાણકભૂમિ સિંહપુરીતીર્થ
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 8 of 25
single page version

background image
છે. તેમાં બે દિ. મંદિર છે; અને ત્રીજું મંદિર શ્વે. દિ. નું ભેગું છે, તેમાં બંનેના પ્રતિમાજી અલગ અલગ બિરાજે છે.
અહીં પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ તથા ધૂન થઈ હતી.
ગંગાકિનારે સુપાર્શ્વ જન્મધામાં – અને – સ્યાદ્વાદ મહાવિદ્યાલયમાં
કાશીમાં ગંગા કિનારે દિ. જૈન સ્યાદ્વાદ મહાવિદ્યાલય આવેલું છે. ત્યાંના આમંત્રણથી પૂ. ગુરુદેવ બપોરે
સંઘસહિત ત્યાં પધાર્યા; અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પ્રેમભર્યું સ્વાગત કર્યું અને ગુરુદેવની છાયામાં વિદ્યાલયનું
વાર્ષિક સંમેલન થયું......અહીં બે જિનમંદિરો છે. ને સુપાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ પણ અહીં છે. આ સ્થાન
ગંગાકિનારે જ છે, ને ગંગાના પાણી જાણે કે ભગવાનનો અભિષેક કરતા હોય તેમ તેને ઘસાઈને જ વહી રહ્યા છે.
અહીંનું દ્રશ્ય બહુ રમણીય છે. અહીં ઘણી ઉમંગભરી ભક્તિ થઈ. ભગવાનના જન્મધામનું ખાસ સ્તવન પૂ.
બેનશ્રીબેને બનાવેલું તે અહીં ગવડાવ્યું. ભક્તિ પ્રસંગે ગુરુદેવ પણ વિશેષ આનંદિત હતા....સંતોની સાથે આ
જન્મધામના દર્શનથી સૌ ભક્તોને ઘણો આનંદ થયો. સ્યાદ્વાદ વિદ્યાલયમાં પૂ. ગુરુદેવનું સુંદર પ્રવચન થયું...
ગંગાકિનારે ગુરુદેવે અધ્યાત્મગંગાનો પ્રવાહ વહેવડાવ્યો.
સન્મતિ – નિકેતનમાં
ત્યારબાદ ગુરુદેવ ‘સન્મતિ–નિકેતન’ (વિદ્યાલય) માં પધાર્યા. ત્યાં પ્રો. ખુશાલચંદ્રજી વગેરેએ તથા
વિદ્યાર્થીઓએ સ્નેહભર્યું સન્માન કર્યું. ત્યાં મંગલ–પ્રવચન સંભળાવીને બાજુમાં હુકમીચંદજી શેઠના જિનમંદિરે દર્શન
કર્યા. આ મંદિરમાં મહાવીર ભગવાનના મોટા ભાવવાહી પ્રતિમાજી બિરાજે છે.
ડાલમીઆ નગરમાં ભવ્ય સન્માન
તા. ૨૪મીએ બપોરે સંઘસહિત પૂ. ગુરુદેવ બનારસથી ડાલમીઆ–નગર તરફ પધાર્યા....યાત્રાના પ્રવાસ
દરમીયાન વચ્ચે વચ્ચે રસ્તામાં વનજંગલમાં ગુરુદેવની સાથે થઈ જતા ત્યારે ભક્તજનોને વિશેષ હર્ષ થતો.
લગભગ ચાર વાગે ડાલમિયાનગર પહોંચ્યા....અહીં ગુરુદેવની અને સંઘની બધી વ્યવસ્થા શેઠશ્રી
શાંતિપ્રસાદજી શાહુએ ઘણા પ્રેમપૂર્વક કરી હતી. અહીં એક જિનમંદિર છે તેમાં મહાવીર ભગવાનના ભાવવાહી
પ્રતિમાજી બિરાજે છે ત્યાં રાત્રે ભક્તિ થઈ હતી. ભક્તિ ઘણા ઉલ્લાસપૂર્વક થઈ હતી.
તા. ૨પ મીએ સવારે ગુરુદેવના સન્માનનો સમારંભ થયો હતો. તેમાં અનેક વિદ્વાનોએ ભાષણ અને કાવ્યો
દ્વારા ગુરુદેવને અભિનંદન આપ્યા હતા. પં. અયોધ્યાપ્રસાદજી ગોયલીયના હાથે ગુરુદેવને સન્માનપત્ર અર્પણ
કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીમતી રમાદેવી શેઠાણીએ તથા શેઠ શાંતિપ્રસાદજી શાહુએ ભક્તિપૂર્વક શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી. આ પ્રસંગે શેઠજીએ કહ્યું હતું કે–“અમારું પરમ સૌભાગ્ય છે કે પૂ. સ્વામીજી અમારા આંગણે
સંઘસહિત પધાર્યા છે ને અમને તેમના સ્વાગતનું સૌભાગ્ય મળ્‌યું છે. હું આ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પૂ. સ્વામીજીનું
અને સંઘનું સ્વાગત–સન્માન કરું છું.” ત્યારબાદ ડાલમીઆ નગરની જૈન સમાજ તેમજ સારી જનતા તરફથી એક
શ્રદ્ધાંજલિ ભેટ કરવામાં આવી હતી; તેમજ શ્લોકવાર્તિક વગેરે શાસ્ત્રો ગુરુદેવને ભેટ આપ્યા હતા.
પ્રવચન બાદ, અહીં વિશાળ પાયા ઉપર શેઠના ઔદ્યોગિક કારખાનાઓ (સીમેન્ટ ફેકટરી, સ્યુગર ફેકટરી,
પેપર મીલ્સ વગેરે) ચાલે છે તે બતાવવા માટે શેઠજી સૌને તેડી ગયા હતા. સંઘના ભોજનાદિની પણ સુંદર વ્યવસ્થા
શેઠ શાંતિપ્રસાદજી શાહુ તરફથી કરવામાં આવી હતી. ગુરુદેવ પ્રત્યે તેમણે ઘણો પ્રેમ અને ભક્તિભાવ દર્શાવ્યો હતો.
સંઘ બપોરે અહીંથી રવાના થઈને રાત્રે આરા પહોંચી ગયો.
આરા (જૈનપુરી) માં જિનેન્દ્ર દર્શન
પૂ. ગુરુદેવ તા. ૨૬ ના રોજ સવારે આરા શહેર પધાર્યા. સંઘે અને આરાના દિ. જૈન સમાજે ઉલ્લાસથી
ગુરુદેવનું સ્વાગત કર્યું. આરાને જૈનપુરી કહેવામાં આવે છે. અહીં લગભગ ૪૦ જિનમંદિરો છે. માંગલિક સંભળાવ્યા
બાદ ગુરુદેવ જિનમંદિરોના દર્શન કરવા પધાર્યા....ભક્તજનો પણ આનંદથી ભક્તિની ધૂન ગાતાં ગાતાં
ફાગણઃ ૨૪૮૩
ઃ ૭ઃ

PDF/HTML Page 9 of 25
single page version

background image
ગુરુદેવ સાથે દર્શન કરતા હતા.....તે વખતે અસલ જાત્રાનું વાતાવરણ બની ગયું હતું. એક ઠેકાણે જલમંદિર જેવું
મંદિર આવ્યું, ત્યાં પૂલ ઉપરથી પસાર થતાં થતાં ભક્તો ગાતા હતા કે–
હિલમિલ કર સબ ભક્તો ચાલો...
ગુરુવરજીકી સાથમેં
જિનમંદિરના દર્શન કરીએ.........
ગુરુજીકી સાથમેં
નંદીશ્વર – મંદિરના દર્શન
આગળ જતાં નંદીશ્વર–મંદિર આવ્યું.... અહીં નંદીશ્વરના બાવન જિનમંદિરોની બહુ સરસ રચના છે; તેના દર્શનથી
પૂ. ગુરુદેવ અને સૌ ભક્તજનો બહુ પ્રસન્ન થયા. ગુરુદેવ તો કહે કે–“જુઓ આ નંદીશ્વરની રચના, ધ્યાન રાખીને જોઈ
લેજો....આપણે સોનગઢમાં કરવું હોય તો કામ આવે.” આ નંદીશ્વરની રચના જોતાં જ ભક્તો ધૂન ગાવા માંડયાં–
હિલમિલ કર સબ ભક્તો ચાલો.....
નંદીશ્વરકે ધામમેં
નંદીશ્વરકે ધામમેં....નંદી....નંદી.....
હાં ગુરુજીકી સાથમેં
–ગુરુદેવ આ નંદીશ્વરધામનું અવલોકન કરતા કરતા તેની પ્રદક્ષિણા કરતા હતા ને ભક્તજનો પણ ધૂન
ગાતાં ગાતાં ગુરુદેવની સાથે પ્રદક્ષિણા કરતા હતા...પ્રદક્ષિણા બાદ આનંદથી દર્શન કરીને સૌએ અર્ઘ ચડાવ્યો. બીજા
એક જિનમંદિરમાં શ્રી સમ્મેદશિખરજી ધામની સરસ રચના હતી; ત્યાં પણ દર્શન કર્યા. અનેક જિનમંદિરોના દર્શન
કરીને પૂ. ગુરુદેવ બ્ર. ચંદાબાઈના જૈન બાલાશ્રમમાં પધાર્યા. અહીં ગુરુદેવનો ઉતારો હતો.
બપોરે, શાંતિનાથ ભગવાનનું મોટું મંદિર છે ત્યાં પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું. પ્રવચનમાં અહીંની
જનતાએ ઘણા પ્રેમથી લાભ લીધો હતો......
બાહુબલી ભગવાન
બાલાશ્રમમાં શ્રી બાહુબલિ ભગવાનના ઘણા સુંદર ભાવવાહી પ્રતિમાજી (લગભગ ૧પ ફૂટ ઊંચા) બિરાજે
છે. તેની સન્મુખ એક સુંદર માનસ્તંભ છે. આ માનસ્તંભમાં નીચે, વચ્ચે અને ઊંચે–એમ ત્રણ સ્થળે પ્રતિમાજી છે.
એક તરફ બાહુબલિ ભગવાન અને તેની સામે માનસ્તંભમાં શ્રી આદિનાથ ભગવાન,–એ રીતે પિતા–પુત્ર
એકબીજાની સન્મુખ બહુ શોભી રહ્યા છે. પ્રવચન બાદ ગુરુદેવ બાહુબલિની ભક્તિ કરવા પધાર્યા હતા....
ધન્ય મુનિશ્વર આતમહિતમેં
છોડ દિયા પરિવાર........
કિ તુમને છોડા સબ ઘરબાર....
ધન છોડા, વૈભવ સબ છોડા,
સમઝા જગત અસાર......
કિ તુમને છોડ દિયા સંસાર......
–ઇત્યાદિ વૈરાગ્યભરેલી ભક્તિઓ થઈ હતી.....બાહુબલિ ભગવાનની મુદ્રા ખૂબ જ ભાવવાહી છે...દર્શન
કરતાં એ મુદ્રાને વારંવાર નીહાળ્‌યા કરવાનું મન થાય છે. અહીં ભક્તજનોએ બાહુબલી ભગવાનનો મસ્તકાભિષેક
પણ ઘણા ભક્તિભાવથી કર્યો હતો.
બાલાશ્રમાં સન્માન – સમારંભ
સાંજે બાલાશ્રમની બહેનો તરફથી ગુરુદેવના સન્માન અને અભિનંદનનો મેળાવડો થયો હતો તેમાં બ્ર. પં.
ચંદાબાઈ તેમજ આશ્રમની બહેનો ઉપસ્થિત હતા; શરૂઆતમાં આશ્રમની બાળાઓએ સ્વાગતગીત ગાયા....
ત્યારબાદ પુષ્પમાળા અર્પણ કરી...બ્ર. ચંદાબાઈએ પણ ગુરુદેવ પ્રત્યે ઘણો ભાવ બતાવ્યો હતો અને ગુરુદેવ અહીં
પધારવાથી તેઓ ઘણા ખુશી થયા હતા. આ પ્રસંગે ગુરુદેવે સોનગઢના બ્ર. આશ્રમ વગેરે સંબંધી કેટલોક ખાસ
પરિચય આપ્યો હતો....ગુરુદેવના મુખેથી એ પરિચય સાંભળીને બ્ર. ચંદાબાઈ વગેરે ખુશી થયા હતા, ને તેમણે પૂ.
બેનશ્રીબેનનું પણ સન્માન કર્યું હતું.
ગુરુદેવે સાંજે બાલાશ્રમની સામેના જિનમંદિરોના દર્શન કર્યા હતા.
અભનદન પત્ર
રાત્રે ચર્ચા બાદ પૂ. ગુરુદેવને અહીંના સંઘ તરફથી અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું...ને સૌ
જનતાએ ગુરુદેવ પ્રત્યે હાર્દિક સ્નેહ વ્યક્ત કર્યો હતો.
ઃ ૮ઃ
આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 10 of 25
single page version

background image
પરમપૂનિત તીર્થધામ શ્રી સમ્મેદશિખરજી
અભિનંદન પત્ર અર્પણ કરતી વખતે શેઠ સુબોધકુમારજીએ કહ્યું હતું કે–“પૂ. મહારાજશ્રી અહીં પધાર્યા તે અમારાં
સૌભાગ્ય છે; તેમનું પ્રવચન સાંભળતાં આત્માનો વિષય જે જટીલ લાગતો હતો તે અમને સુગમ થઈ ગયો.
સ્વામીજી પધારતાં અમારો ટાઈમ કયાં ચાલ્યો ગયો તે અમને ખબર ન પડી, સ્વામીજી અહીં વધારે ટાઈમ રહે એવી
અમારી હાર્દિક અભિલાષા છે.”
પટના – સુદર્શનમોક્ષધામ
(તા. ૨૭) સવારમાં બાહુબલી ભગવાનના દર્શન કરીને ગુરુદેવ પટના તરફ પધાર્યા. અમદાવાદ મુંબઈથી
સ્પેશીઅલ ટ્રેઈન દ્વારા રવાન થયેલ સંઘ પણ અહીં પટણા આવી ગયો. ગુલઝારીબાગ જિનમંદિરમાં દર્શન કરીને
ગુરુદેવે હીરા–માણેકનો અર્ઘ ચડાવ્યો. ત્યારબાદ થોડે દૂર શ્રી સુદર્શન (શેઠ) મુનિરાજની મોક્ષભૂમિ છે તેનાં દર્શન
કરવા પધાર્યા. સૌ ભક્તજનો પણ ભક્તિ ગાતાં ગાતાં ગુરુદેવની સાથે ચાલ્યા, નિર્વાણભૂમિમાં શ્રી સુદર્શન–
ભગવાનના ચરણકમળ છે ત્યાં જઈને એ દ્રઢ બ્રહ્મચારી વૈરાગ્યવંત સંતના ચરણની પૂજા કરી.....પૂજન બાદ ઘણી
ભક્તિ થઈ.
આવો આવોજી..... હાં....હાં.....
આવો આવોજી..... જૈન જગ સાર,
સુદર્શન મુનિ મોક્ષ ગયે.....
ધન્ય ધન્ય ‘વણિકકુલભૂષણ’
દ્રઢ બ્રહ્મચારી નેતા..............
– ઇત્યાદિ સ્તવનો ગવાયા હતા.
રાજગીરી ધામાં
બપોરે પટનાથી રવાના થઈને સંઘ રાજગીરી પહોંચી ગયો....સાંજે પાંચ વાગે ગુરુદેવ પધારતાં સૌએ
ઉમંગપૂર્વક સ્વાગત કર્યું. રાત્રે જિનમંદિરમાં ઘણી ઉમંગભરી ભક્તિ થઈ હતી; તેમાં ગુરુદેવે સમવસરણનું સ્તવન
ગવડાવ્યું હતું.
પંચશૈલપુરની યાત્રાએ
તા. ૨૮ (માહ વદ ૧૪) ના રોજ સવારમાં સંઘ સહિત ગુરુદેવ પંચશૈલપુર તીર્થ યાત્રાએ પધાર્યા. આ
પંચશૈલપુર (પંચ પહાડી) તીર્થનું વર્ણન અને મહિમા શ્રી ષટ્ખંડાગમ–ધવલા જેવા શાસ્ત્રોમાં પણ આવે છે. અહીં
પાંચ સુંદર રળિયામણાં પર્વતો છે; તેમાં
ફાગણઃ ૨૪૮૩
ઃ ૯ઃ

PDF/HTML Page 11 of 25
single page version

background image
વિપુલાચલ પર્વત ઉપર ભગવાન મહાવીર પ્રભુની પહેલવહેલી દેશના થઈ હતી, ગૌતમસ્વામી અહીં જ ગણધરપદ
પામ્યા હતા અને અહીં જ બારઅંગની રચના કરી હતી. તે ઉપરાંત અહીં રાજગૃહીમાં ૨૩ તીર્થંકરોના સમવસરણ
થયા હતા. શ્રેણિકરાજાની આ રાજધાની હતી; તેમજ મુનિસુવ્રતપ્રભુના ચાર કલ્યાણક અહીં થયા હતા. આવા પાવન
ધામમાં ભગવાનના સમવસરણનું સ્મરણ કરતાં કરતાં ને ભક્તિગાન ગાતાં ગાતાં ગુરુદેવની સાથે સાથે ભક્તજનો
વિપુલાચલ પર્વત ઉપર જતા હતા...જાણે કે ગુરુદેવ સાથે ભગવાનના સમવસરણમાં જતા હોઈએ એવા ભાવો સૌ
ભક્તજનોને ઉલ્લસતા હતા.
વિપુલાચલ ઉપર ત્રણ મંદિરો છે; તેમાં મહાવીર પ્રભુ વગેરેના પ્રતિમાજી તથા ચરણકમળ બિરાજે છે ગુરુદેવ
સહિત સૌ ભક્તોએ અર્ઘ ચડાવ્યો. ત્યારબાદ ભક્તિ થઈ.....
(૧) “વીર સભામાં અહીં ગૌતમ પધાર્યા.........
અમૃત વરસ્યા મેહ રે....વીરજીની વાણી
છૂટી રે.....”
(૨) પ્રભુની વાણી જોર રસાળ....
મનડું સાંભળવા તલસે........
એ સ્તવનો ગુરુદેવે ઘણા ભાવથી ગવડાવ્યાં હતા. તે વખતે જાણે કે વિપુલાચલ ઉપર ભગવાનના
સમવસરણની સભા ભરાણી હોય ને ભક્તો દિવ્ય ધ્વનિ માટે ભગવાનને વિનવતા હોય–એવું ભાવભર્યું વાતાવરણ
હતું. ત્યાં ઘણા ઉલ્લાસથી ભક્તિ કર્યા બાદ બીજા અને ત્રીજા પર્વતની યાત્રા કરી.
યાત્રા બાદ ત્રીજા પર્વતની તળેટીમાં ભાતું આપવામાં આવે છે, ત્યાં સૌએ ભાતું ખાધું ને વિશ્રામ કર્યો.
એ રીતે ત્રણ પર્વતની યાત્રા કરીને ગુરુદેવ નીચે પધાર્યા..કેટલાક ભક્તજનોએ ચોથા પહાડની પણ યાત્રા કરી.
બપોરે જિનમંદિરના ચોકમાં ગુરુદેવનું સુંદર પ્રવચન થયું. પ્રવચન બાદ ગયા અને પટનાના જૈન સમાજ
તરફથી ગુરુદેવ પ્રત્યે એક અભિનંદન પત્ર વાંચવામાં આવ્યો હતો અને રાત્રે જિનમંદિરમાં અદ્ભુત ભક્તિ થઈ હતી.
(તા. ૧–૩–પ૭) મહા વદ અમાસની સવારમાં બાકી રહેલી બે ટૂંકની યાત્રાએ ગુરુદેવ સંઘસહિત પધાર્યા
હતા. પહેલાં પાંચમા પર્વત ઉપર ગયા હતા. અહીં ચોવીસ ભગવંતોના પ્રતિમાજી કોતરેલા છે. ત્યાં દર્શન કરીને અર્ઘ
ચડાવ્યો, ત્યારબાદ ઘણી મહાન ભક્તિ થઈ. પહેલાં ગુરુદેવે બે સ્તવનો ગવડાવ્યાં હતા.
આશ ધરીને અમે આવીયા રે......
અમને ઉતારો ભવોદધિ પાર રે....
જિનરાજ લગન લાગી રે
ઇત્યાદિ સ્વતનો ગુરુદેવે ગવડાવ્યા હતા......વિધવિધ તીર્થોની યાત્રામાં ગુરુદેવને ઉલ્લાસ થતાં વારંવાર
ભાવભીની ભક્તિ કરાવતા હતા...ને તેથી ભક્તોને ઘણો આનંદ થતો હતો. પંચપહાડી ઉપર પૂ. ગુરુદેવની ભક્તિ
બાદ પૂ. બેનશ્રીબેને પણ ઘણા ઉમંગપૂર્વક–
“આજ તો વધાઈ મારે સમોસરણ દરબારજી......એ સ્તવન ગવડાવીને જોરદાર ભક્તિ કરાવી હતી. અહીં
ભક્તિ બાદ, આ પાંચમી ટૂંક ઉપર નીકળેલા પુરાણા જિનમંદિરના અવશેષો તેમજ બે હજાર વર્ષો જૂના અનેક
દિગંબર જિનપ્રતિમાઓનું ગુરુદેવ સહિત સૌએ અવલોકન કર્યુ હતું. બે હજાર વર્ષો જૂના જિનવૈભવને જોતાં
ગુરુદેવના મુખમાંથી અનેક વાર ઉદ્ગારો નીકળતા કે જુઓ, ઈતિહાસ પણ દિગંબર જૈનધર્મની સાક્ષી પૂરે છે.
પંચમપહાડીની યાત્રા બાદ ગુરુદેવ ચોથી પહાડી તરફ પધાર્યા. ત્યાં જતા વચ્ચે પુરાણી ગુફાઓ આવે છે તેનું
અવલોકન કર્યું. આ ગુફાની દિવાલો ઉપર જિનપ્રતિમાની આકૃતિ કોતરેલી છે. ગુફાના પ્રવેશદ્વારમાં ચાર જિનપ્રતિમા
કોતરેલ એક સ્તંભ છે. આ વિશાળ અને શાંત ગુફામાં પ્રવેશતાં જ એમ થાય છે કે અહીં પૂર્વે અનેક સંતમુનિઓ
વસ્યા હશે ને આત્મધ્યાન કર્યાં હશે.
ચોથી પહાડીનું નામ ‘શ્રમણગીરી’ છે; અહીં ૭૦૦ મુનિઓ વસતા હતા ને આત્મધ્યાન કરતા હતા. તેમના
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 12 of 25
single page version

background image
ભગવાન મહાવીરની નિર્વાણભૂમિઃ શ્રી પાવાપુરી
સ્મરણથી ગુરુદેવને પણ ઘણી ભાવનાઓ જાગતી હતી. આ પહાડી ઉપર ગુરુદેવે ઘણા ભાવપૂર્વક મુનિવરોની ભક્તિ
ગવડાવી હતી–
મારા પરમ દિગંબર મુનિવર આયા,
સબ મિલ દર્શન કર લો,
હાં સબ મિલ દર્શન કર લો.....
બાર બાર આના મુશકીલ હૈ,
ભાવભક્તિ ઉર ધર લો.....
હાં ભાવભક્તિ ઉર ધર લો.....
ગુરુદેવની ભાવભીની ભક્તિ સાંભળીને સૌ ભક્તો પ્રસન્ન થયા હતા...પહાડી ઉપરથી ઉતરતાં ઉતરતાં પણ
ગુરુદેવ ધીમે ધીમે મુનિવરોની ભક્તિ બોલતા હતા......
–આમ આનંદપૂર્વક પંચ પહાડી તીર્થધામની યાત્રા પૂર્ણ થઈ.
પંચ પહાડી તીર્થધામ કી જય...
પંચ પહાડી તીર્થધામમાં વિચરેલા તીર્થંકરો–સંતોને નમસ્કાર.
જિનવાણી–પાવનધામને નમસ્કાર.
પૂ. ગુરુદેવ સાથે પવિત્ર તીર્થધામની યાત્રા થઈ તેની ખુશાલીમાં આજે રાત્રે જિનમંદિરમાં અદ્ભુત ભક્તિ
થઈ હતી.
તા. ૨–૩–પ૭ (ફા. સુદ ૧) ના રોજ સવારમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી.
રથયાત્રા બાદ શ્રી જિનેન્દ્રદેવનો મહાઅભિષેક થયો હતો. અને રાજગૃહીના જૈન સમાજ તરફથી ગુરુદેવને
સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
કુંડલપુર – નાલંદા
બપોરે રાજગીરીથી પાવાપુર તરફ જતાં વચ્ચે કુંડલપુર તથા નાલંદા પણ ગયા હતા. કુંડલપુરમાં
મહાવીરપ્રભુનું જે જન્મસ્થાન ગણાય છે ત્યાં જિનમંદિરમાં ગુરુદેવે ભક્તિ કરાવી હતી અને પછી બેનશ્રીબેને
જન્મકલ્યાણકની વધાઈની ધૂન ગવડાવી હતી. નાલંદામાં બૌદ્ધોની જૂની વિદ્યાપીઠ ખોદકામ કરતાં નીકળેલી છે, જેમાં
શ્રી અકલંક–નિકલંક ગુપ્ત વેષે ભણતા હતા ને પકડાઈ જતાં તેમને કેદ કર્યા હતા....ત્યાંથી છટકીને જતાં, પાછળથી
પકડાઈ ગયા ને નિકલંકનું બલિદાન દેવાયું. પછી તો અકલંક સ્વામીએ બૌદ્ધોને હરાવીને જૈનધર્મનો જોરદાર પ્રભાવ
ફાગણઃ ૨૪૮૩
ઃ ૧૧ઃ

PDF/HTML Page 13 of 25
single page version

background image
ફેલાવ્યો; તે બધો ઇતિહાસ આ નાલંદા વિદ્યાપીઠમાં બનેલો, તેથી આ નાલંદા વિદ્યાપીઠના અવલોકન પ્રસંગે
ભક્તજનો અકલંક–નિકલંકના સ્મરણથી લાગણીવશ બની જતા હતા, ને હૃદય જૈનધર્મ પ્રત્યેની ભક્તિથી ભરાઈ
જતું હતું, કુંડલપુર અને નાલંદા થઈને ગુરુદેવ સંઘસહિત પાવાપુરી પધાર્યા.
પાવાપુરી ધામાં અદ્ભુત ભક્તિભરી યાત્રા
પાવાપુરીમાં ધર્મશાળામાં મહાવીરભગવાનના ૧૦ ફુટ મોટા ખડ્ગાસન પ્રતિમાજી બિરાજે છે. જે ઘણી જ
સુંદર અને ભાવવાહી છે. ત્યાં રાત્રે ભક્તિ થઈ હતી. ગુરુદેવે પણ ભક્તિમાં સ્તવનો ગવડાવ્યા હતા. ધર્મશાળામાં
બીજા પણ અનેક મંદિરો છે. તેમ જ ૨૪ ભગવંતોના ચરણકમળ અને મહાવીરપ્રભુના તથા ગૌતમગણધરના
ચરણકમળ પણ છે.
જલમંદિર પદ્મસરોવરની વચ્ચે આવેલું છે, જે ભગવાનનું નિર્વાણસ્થાન છે.
(તા. ૩) ફાગણ સુદ બીજઃ આજે સવારમાં જલમંદિરે સામૂહિક પૂજનભક્તિ ઘણા ઉલ્લાસથી થયા હતા.
પાવાપુરી જલમંદિરમાં વીરપ્રભુના તેમજ ગૌતમપ્રભુ અને સુધર્મપ્રભુના ચરણકમળ બિરાજે છે. સરોવરની
વચ્ચે જલમંદિરનું દ્રશ્ય બહુ રળિયામણું લાગે છે. ત્યાં પૂજન–ભક્તિ માટે ગુરુદેવ સાથે ભક્તજનો ગાતાં ગાતાં
ચાલ્યા...પ્રભુના ચરણ પાસે આવીને બેઠા; ભાવપૂર્વક હીરામાણેકનો અર્ઘ ચડાવ્યો...ગુરુદેવે પ્રભુચરણનો અભિષેક
પણ કર્યો...પછી ભક્તિ શરૂ કરતાં પહેલાં ગુરુદેવે કહ્યું કેઃ જુઓ ભગવાન અહીંથી મોક્ષ પધાર્યા...અહીંથી ઉપર
ભગવાન બિરાજે છે...એમ કહીને હાથ ઊંચો કરીને સિદ્ધાલય બતાવ્યું...અને પછી ભક્તિ શરૂ કરી–
આજે વીરપ્રભુજી નિર્વાણ પદને પામીયા રે.....
અહીંથી વીરપ્રભુજી નિર્વાણ પદને પામીયા રે.....
શ્રી ગૌતમગણધરજી પામ્યા કેવળજ્ઞાન.....
સુરનર આવો આવો નિર્વાણ મહોત્સવ ઉજવવા રે.
ભક્તિમાં ભગવાનના વિરહની વાત આવતાં ગુરુદેવ ગદગદ થઈ ગયા હતા.....અને એ ગદગદભરેલી
ભક્તિ ભક્તોના હૈયાંને પણ હચમચાવતી હતી.
એ ભક્તિ વખતના સ્તબ્ધ વાતાવરણમાં જાણે કે ભક્તો ગુરુદેવને પૂછી રહ્યા છે કે–હે ગુરુદેવ! ભગવાન
અહીંથી કઈ રીતે–કયા માર્ગે મુક્તિ પધાર્યા? તે અમને બતાવો. ત્યારે ગુરુદેવ ભક્તિદ્વારા બતાવે છે કે ભગવાન
અહીંથી સમશ્રેણી માંડીને સિદ્ધ થયા ને ઉપર બિરાજી રહ્યા છે.
“અહીં પાવાપુરીમાં સમશ્રેણી પ્રભુ આદરી રે.....
મુક્તિમાં બિરાજ્યા આપ પ્રભુ ભગવંત.....
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહા પડયા રે.....
વીર ભગવાનના પગલે પગલે મુક્તિમાર્ગે ચાલતાં ચાલતાં ગુરુદેવ ભક્તોને બતાવી રહ્યા છે કે–ભગવાને તો
ત્રીસ વર્ષે તપ આદર્યા ને ઉગ્ર આત્મધ્યાન કરી–કરીને કેવળજ્ઞાન પામ્યા....પછી અનેક ભક્તોને ઉગારીને અહીંથી
મોક્ષધામ સીધાવ્યાઃ–
ત્રીસ વર્ષે તપ આદર્યા.....લીધા કેવળજ્ઞાન,
અગણિત ભવ્ય ઉગારીને.....પામ્યા પદ નિર્વાણ.....
ભગવાન પાસે બાળકની જેમ ભક્તિ કરતાં હાથ જોડીને સંતો કહે છે કે “હે નાથ!–
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ
અમને કેવળના વિરહામાં મૂકી ચાલીયા રે.....
છેવટે બેધડકપણે આત્મસાક્ષીથી કહે છે કે–હે ભગવાન! આપ મુક્તિ ભલે પામ્યા...અમે પણ આપનાં બાળક
છીએ...ને અમે પણ આપના શાસનને શોભાવતા શોભાવતાં આપની પાસે ચાલ્યા આવીએ છીએ.
–આવા ભાવપૂર્વક ગુરુદેવની ભાવભીની ભક્તિ પૂરી થઈ, ને આવા તીર્થધામમાં ગુરુદેવની આવી ભક્તિ
દેખીને સૌ ભક્તજનોને ઘણો જ આનંદ થયો....
ત્યાર બાદ પૂ. બેનશ્રીબેને પણ મહાઉલ્લાસથી ભક્તિ કરાવી.
નિર્વાણ મહોત્સવ થયા અહીં.....
વીર પ્રભુ સિદ્ધ થયા છે.....
વીર પ્રભુજી સિદ્ધ થયા છે,
ગૌતમ કેવળજ્ઞાન.....વીર પ્રભુ.
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 14 of 25
single page version

background image
ગૌતમસ્વામીની મોક્ષભૂમિઃ શ્રી ગુણાવા
વિપુલાચલે મહાવીર પ્રભુનું અર્હંતપદ ને ગૌતમસ્વામીનું ગણધરપદ, ત્યાંથી આગળ આવતાં આ પાવાપુરી
ધામમાં મહાવીર પ્રભુનું સિદ્ધપદ અને ગૌતમપ્રભુનું અર્હંતપદ. આ રીતે તીર્થંકર–ગણધરની સરસ જોડીના
પાવનધામોનાં દર્શન ગુરુદેવ સાથે થતાં સૌ ભક્તોના અંતરમાં બહુ જ ભક્તિનો આહ્લાદ થતો હતો.
ગુરુદેવને પણ ભક્તિની ધૂન જાગતાં ફરીને તેઓશ્રીએ ભક્તિ ગવડાવી–
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા ગૌતમ કેવળજ્ઞાન રે
વીરજીનું શાસન ઝૂલે રે.....
ગુરુદેવ ભક્તિરૂપી દોરીવડે ભગવાનના શાસનને ઝૂલાવી રહ્યા છે–એવું એ ભક્તિ વખતનું વાતાવરણ હતું,
ને ભક્તો ભક્તિના તાનમાં ડોલતા હતા.
ભક્તિ પછી ઉમંગભર્યા પૂજન થયા.....ગુરુદેવ જ્યારે હાથમાં શ્રીફળ વગેરેને લઈને ચઢાવતા હતા ત્યારે એ
દ્રશ્ય વખતે સમન્તભદ્ર સ્વામીની એ સ્તુતિ યાદ આવતી હતી કે “હે જિનેન્દ્ર! તારા ચરણની યથાર્થ સેવના જ્ઞાનીઓ
જ કરે છે. આજે ગુરુદેવની સાથે સાથે જિનેન્દ્રદેવનું પૂજન કરતાં ભક્તજનોને જે આનંદ થયો તેનું વર્ણન અહીં શું
થઈ શકે?
પૂજનાદિ બાદ, જયજયકારથી વાતાવરણ ગાજી ઊઠયું. ત્યારબાદ ભક્તિની જોરદાર ધૂન ગાતાં ગાતાં પૂ.
બેનશ્રીબેન સહિત ભક્તમંડળે એ પવિત્રધામની પ્રદક્ષિણા કરી....પ્રદક્ષિણા બાદ જમીન પર ઘૂંટણભર થઈને
ભાવભીને ચિત્તે બંને બેનોએ શીર લગાવીને નમસ્કાર કર્યા....જાણે કે એ નમસ્કાર મંત્રના બળવડે ઉપરના સિદ્ધ
ભગવંતોને નીચે ઉતારીને પોતાના હૃદયમાં પધરાવ્યા.....
એમ ભક્તિ–પૂજન કરીને પાછા ફરતાં, પૂલ ઉપરથી પસાર થતી વખતે–
“હે વીર તુમ્હારે દ્વારે પર એક દર્શ ભીખારી
આયા હૈ”
એ ભક્તિની અદ્ભુત ધૂન જામેલી....ને ભક્તો એકતાન થઈ ગયેલા. તે પ્રસંગ નજરે નીહાળનારાના હૈયામાં
કોતરાઈ ગયો છે....એ વખતે ભક્તોની આંખો ભક્તિરસથી ભીની થઈ જતી હતી.
ફાગણઃ ૨૪૮૩ ઃ ૧૩ઃ

PDF/HTML Page 15 of 25
single page version

background image
પાછાં ફરતાં આ ઉલ્લાસભરી યાત્રા ગુરુદેવ સાથે થઈ તેની “વાહવા જી વાહવા” ની ધૂન ગાતાં હતાં–
પાવાપુરી ધામ દેખ્યાં.....વાહવા જી વાહવા.....
મુક્તિના આ ધામ દેખ્યાં.....વાહવા જી વાહવા.....
ગુરુદેવની સાથે દેખ્યાં.....વાહવા જી વાહવા.....
ગુરુદેવે ભક્તિ કરી.....વાહવા જી વાહવા.....
સંતો સાથે જાત્રા થઈ.....વાહવા જી વાહવા.....
અનંતકાળની ભાવના પૂરી થઈ.....
વાહવા જી વાહવા.....
આજે (ફાગણ સુદ બીજ ને રવિવારે) સોનગઢમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલ દિવસ, અને
બરાબર આજે જ અહીં પાવાપુરી મોક્ષધામમાં ગુરુદેવ સાથે અપૂર્વ ભક્તિભરેલી યાત્રાનો પ્રસંગ બન્યો તેથી સૌ
ભક્તોને ઘણો ઉલ્લાસ થયો.
લગભગ ૧૦૦૦ ભક્તજનો સાથે તીર્થયાત્રાનો આ એક મહાન પ્રસંગ છે, તે બાબતનો પ્રમોદ સૌ ભક્તજનો
ગુરુદેવ પાસે વ્યક્ત કરતા હતા....ને આ યાત્રા પ્રસંગથી ગુરુદેવને પણ ઘણો પ્રમોદ થતો હતો. જલમંદિરની સામે
વીરપ્રભુની અંતિમ દેશનાનું (સમવસરણનું) સ્થાન છે, તે જોવા પણ ગુરુદેવ પધાર્યા હતા. ત્યાં સમવસરણ જેવી
રચના (ત્રણ પીઠીકા) છે ને તેમાં વીરપ્રભુના પુરાણા (લગભગ અઢી હજાર વર્ષ જૂના) ચરણકમળ છે, ત્યાં ગુરુદેવે
ભક્તજનો સહિત અર્ઘ ચઢાવ્યો હતો.
બપોરે પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું. પ્રવચનમાં ગુરુદેવ વારંવાર તીર્થધામોનો ભાવવાહી ઉલ્લેખ કરતા હતા.
તા. ૪ (ફા. સુદ ત્રીજ) બપોરે પૂ. ગુરુદેવ અને સંઘ પાવાપુરીથી નીકળીને ગુણાવા આવ્યા. ગુણાવા તે
ગૌતમસ્વામીની મોક્ષભૂમિ છે; ત્યાં જિનમંદિરમાં મુનિસુવ્રતપ્રભુના મોટા પ્રતિમાજી તેમજ ગણધરદેવના ચરણકમળ
છે; તે ઉપરાંત પાવાપુરી જેવું એક નાનું રળિયામણું જલમંદિર પણ છે. સરોવર વચ્ચે જલમંદિરમાં ગૌતમ સ્વામીના
ચરણકમળ શોભે છે. ગુણાવા ઉપશાંત વાતાવરણવાળું સિદ્ધિધામ છે. અહીં ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી, તેમાં પૂ.
ગુરુદેવે પણ ભક્તિ ગવડાવી હતી.
અહીંથી પૂ. ગુરુદેવ ગયા શહેરમાં પધાર્યા......ગયા શહેરમાં જૈન સમાજે ગુરુદેવનું ને સંઘનું પ્રેમપૂર્વક ભવ્ય
સ્વાગત કર્યું. તથા ગુરુદેવને અભિનંદનપત્ર આપવામાં આવ્યુ હતું. કેટલાક ભક્તજનો ગુણાવાથી સીધા
સમ્મેદશિખરજી ગયેલા ને ત્યાં રાત્રે જિનમંદિરમાં ભક્તિ કરી હતી.
પૂ. ગુરુદેવ તા. ૬ (ફા. સુદ પાંચમ) ની સવારે લગભગ ૧૦ વાગે સમ્મેદશિખરજી ધામ (મધુવન) પધાર્યા;
પવિત્ર તીર્થધામમાં જૈનસમાજે ઉમળકાપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું...શાશ્વત તીર્થધામમાં આવતાં ગુરુદેવને પણ ઘણી
જ પ્રસન્નતા થતી હતી...ત્રણ–ચાર હજાર શ્રોતાજનોની સભામાં માંગળિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે–અનંત
તીર્થંકરો અને સંત મુનિવરો અહીંથી મોક્ષ પામ્યા છે, તેથી આ સમ્મેદશિખરજી તીર્થ તે મંગળ છે; જુઓ,
અહીંથી ઉપર અનંત સિદ્ધભગવંતો બિરાજે છે. આત્માનો જ્ઞાન–આનંદ સ્વભાવ જે ભાવથી પ્રગટયો તે ભાવ
પણ મંગળ છે. ધવલામાં તો વીરસેનાચાર્ય કહે છે કે –ભવિષ્યમાં મોક્ષ પામનાર આત્મ દ્રવ્ય પણ મંગળ છે,
કેમકે અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું છે અને જે કાળે આત્મા મુુક્તિ પામ્યો તે કાળ પણ મંગળ છે. જેણે
આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવની પ્રતીત કરીને પોતામાં સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ મંગળ પ્રગટ કર્યું તે જીવ
ભગવાનને પણ પોતાના મંગળનું કારણ કહે છે, ને ભગવાન જ્યાંથી મોક્ષ પધાર્યા એવા આ સમ્મેદશિખરજી
વગેરે તીર્થધામને પણ તે મંગળનું નિમિત્ત કહે છે. કેમ કે આવી નિર્વાણભૂમિ જોતાં તેને મોક્ષતત્ત્વનું સ્મરણ
થાય છે. આ રીતે મોક્ષ તત્ત્વની પ્રતીતમાં અને સ્મરણમાં આ ભૂમિ નિમિત્ત છે તેથી આ ભૂમિ પણ મંગલ છે.
તેની જાત્રા માટે અહીં આવ્યા છીએ. આ રીતે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સર્વ પ્રકારે માંગલિક કર્યું.
ઃ ૧૪ઃ
આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 16 of 25
single page version

background image
તીર્થધામમાં આવું ઉલ્લાસભર્યું માંગળિક સાંભળીને સૌને ઘણો આનંદ થયો હતો, ગુરુદેવ આ તીર્થધામમાં
પધારતાં અહીંનું આખું વાતાવરણ ઘણું ઉમંગભર્યું ને પ્રફુલ્લતામય લાગતું હતું. અહીં સંઘમાં લગભગ ૧પ૦૦ જેટલા
ભક્તજનો થઈ ગયા હતા, ને ગુરુદેવ સાથે આ શાશ્વત સિદ્ધિધામને ભેટવા સૌનાં હૃદય આતુર થઈ રહ્યા હતા....કયારે એ
સિદ્ધિધામને ભેટીએ? ને કયારે ગુરુદેવ સાથે યાત્રા કરીને એ સિદ્ધિધામને દેખીએ? એમ સૌ ભાવના ભાવી રહ્યા હતા.
મંગળિક બાદ ભોજનાદિ કરીને પૂ. કાનજી સ્વામી તરત જ ઈસરી પં. ગણેશપ્રસાદજી વર્ણીજીને મલવા માટે
ગયા હતા....એક બીજાના મિલનથી બંનેને ખૂબ પ્રસન્નતા થઈ હતી, ને વાત્સલ્યપૂર્વક લગભગ અડધી કલાક
વાતચીત થઈ હતી....એ સિવાય સમ્મેદશિખરજી ધામમાં ફરીને પણ અનેક વાર બંનેનું મિલન અને વાતચિત થયા
હતા. વર્ણીજીએ પ્રેમપૂર્વક કહ્યું હતું કે
‘इनकी प्रसन्न मुद्रा मुझे बहुत पसंद आई, और ऐसा लगा कि इस
आत्माके द्वारा समाजका कल्याण होगा।’ અને આપ સ્પષ્ટ કહેતા હતા કે ઈસકા વિરોધ નહિ કરના ચાહિએ. આ
ઉપરાંત અનેક વિદ્વાન પંડિતો પણ ગુરુદેવના પરિચયમાં આવ્યા હતા ને ગુરુદેવના પરિચયથી ખૂબ પ્રસન્ન અને
પ્રભાવિત થયા હતા. પં. બંસીધરજી, પં. કૈલાસચંદ્રજી, પં. ફૂલચંદજી વગેરેએ ઘણો પ્રેમ બતાવ્યો હતો.
બપોરે પ્રવચનમાં સભાનું દ્રશ્ય ઘણું ભવ્ય હતું. ત્રણ મુનિઓ, બે અર્જિકાઓ, અનેક ક્ષુલ્લક, બ્રહ્મચારીઓ,
ઘણા વિદ્વાનો તેમજ પ્રતિષ્ઠિત ગૃહસ્થો અને ત્રણચાર હજાર જેટલા શ્રોતાજનોથી સભા ઘણી સુશોભિત લાગતી હતી;
ને
नमः समयसाराय એ શ્લોક ઉપર અદ્ભુત ભાવભર્યું પ્રવચન થયું હતું. સમ્મેદશિખરમાં આવી અદ્ભુત સભા
અને આવા મોટા સંઘસહિત આવી યાત્રા તે મહાન પ્રસંગ બન્યો.
રાત્રે જિનમંદિરમાં ઘણા ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી.
ફાગણ સુદ છઠ્ઠ (તા. ૭) ના રોજ સવારમાં પૂ. ગુરુદેવ ભક્તજનો સહિત તળેટીના જિનમંદિરોના દર્શને
પધાર્યા હતા.
સમ્મેદશિખરજી જેવા મહાન તીર્થધામને શોભાવે એવો તળેટીનો અદ્ભુત જિનવૈભવ જોઈને ગુરુદેવ અને
સૌ પ્રસન્ન થયા હતા. સુંદર કારીગરીવાળો, માનસ્તંભ, પાર્શ્વનાથ પ્રભુના ઉપશાંત રસમાં ઝૂલતા વિશાળ પ્રતિમાજી,
પુષ્પદંત ભગવાન, ચંદ્રપ્રભુ ભગવાન, સહસ્રકૂટ જિનાલય, ચોવીસ ખડ્ગાસન ભગવંતો તેમાં મહાવીર પ્રભુના મોટા
પ્રતિમાજી, નંદીશ્વર જિનધામની વિશાળ રચના, સીમંધરપ્રભુના ચરણકમળ, વગેરે અદ્ભુત જિનેન્દ્રવૈભવ છે તેના
ભક્તિપૂર્વક દર્શન કર્યા.
ત્યારબાદ જિનમંદિરમાં સમૂહ પૂજન થયું, જેમાં ગુરુદેવે પણ ભાગ લીધો હતો. સમ્મેદશિખરજી જેવા મહાન્
તીર્થધામમાં ગુરુદેવ સહિત પ૦૦ ઉપરાંત ભક્તજનો એકસાથે ધામધૂમથી જ્યારે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરતા
હતા ત્યારનું દ્રશ્ય ઘણું ભક્તિપ્રેરક હતું. સમ્મેદશિખર ધામની તેમજ સિદ્ધ ભગવાનની વગેરે અનેક પૂજાઓ થઈ હતી.
બપોરે પ્રવચન થયું હતું. અહીં પ્રવચનો ખૂબ જ ભાવભરેલા થતા હતા...અને એ ભાવભર્યા પ્રવચનો સાંભળીને
હજારો શ્રોતાજનો તેમ જ વિદ્વાનો પણ મુગ્ધ થઈ જતા હતા.
“હવે આવતી કાલે તો સમ્મેદશિખરજી ઉપર જવાનું છે, ત્યાં ઉપરના સિદ્ધભગવાન દેખાડશું” એમ ગુરુદેવ
પ્રવચનમાં વારંવાર ભાવપૂર્વક ઉલ્લેખ કરતા હતા.
શાશ્વત તીર્થધામની અપૂર્વ યાત્રા
ફાગણ સુદ સાતમ (તા. ૮ શુક્રવાર)ઃ આજે ગુરુદેવની સંઘસહિત સમ્મેદશિખરજી તીર્થધામની યાત્રાનો
મહાન દિવસ! અષ્ટાહ્નિકા પણ આજથી પ્રારંભ થાય છે, તે ઉપરાંત સુપાર્શ્વનાથ ભગવાનના મોક્ષકલ્યાણકનો પણ
આજે મંગલદિન છે, ચંદ્રપ્રભુના કલ્યાણકનો પણ આજે દિવસ છે, આવા મંગલ દિવસે ગુરુદેવ સાથે શાશ્વત
તીર્થધામની યાત્રા કરતાં સૌ ભક્તોને ઘણો આનંદ થયો હતો.
રાત્રે બે વાગતાં તો પૂ. ગુરુદેવ તૈયાર થઈ ગયા......ને સિદ્ધભગવંતોને યાદ કરીને, એ શાશ્વત સિદ્ધિધામની
યાત્રાનો મંગલ પ્રારંભ કર્યો....સેંકડો ભક્તજનો પણ સાથે ચાલ્યા.....લગભગ પાંચ વાગતાં હજાર જેટલા ભક્તજનો
સહિત ગુરુદેવ ઉપર પહોંચી ગયા......આજની આ મહામંગલ યાત્રા બાબત ગુરુદેવ ખૂબ પ્રસન્નતાપૂર્વક વારંવાર ચર્ચા
કરતા હતા.
ફાગણઃ ૨૪૮૩
ઃ ૧પઃ

PDF/HTML Page 17 of 25
single page version

background image
સૌથી પહેલી કુંથુનાથ ભગવાનની ટૂંક આવે છે. ત્યાં દર્શન અને ચરણસ્પર્શ કરીને સૌએ અર્ઘ ચડાવ્યો.....
સમ્મેદશિખરજી તીર્થ ઉપરથી આ ચોવીસીના ૨૦ તીર્થંકર ભગવંતો તેમજ કરોડો મુનિવરો મોક્ષ પામ્યા છે; ઉપર ૨પ
ટૂંકો છે. તેમાં ભગવાનના ચરણકમળ બિરાજે છે. પહેલી ટૂંકે શરૂઆતમાં પૂ. ગુરુદેવે એક સ્તવન ગવડાવ્યું હતું.....તેમાં
વચ્ચે કહ્યું કેઃ જુઓ, અહીંથી અનંતા તીર્થંકરો ને મુનિઓ મોક્ષ પધાર્યા છે, તે અનંતા સિદ્ધ ભગવંતો અત્યારે
ઉપર બિરાજી રહ્યા છે.....ઉપર પંક્તિમાં અનંત સિદ્ધ ભગવંતો બિરાજે છે, તેનાં અહીં સ્મરણ થાય છે.....
આજે આ મહામંગળ પ્રસંગ છે.
* અહીંથી અનંતા જીવો મોક્ષ પામ્યા છે તેથી આ ભૂમિ મંગળ છે.
* આજે ભગવાનના મોક્ષનો દિવસ છે તેથી આ કાળ પણ મંગળ છે.
* આત્મદ્રવ્ય અલ્પકાળમાં મોક્ષ પામનાર છે તે દ્રવ્ય પણ મંગળ છે.
* અને આજનો ભાવ પણ મંગળ છે.
આ રીતે આપણે બધું મંગળ છે.
ગુરુદેવના શ્રીમુખેથી, શાશ્વત તીર્થરાજની યાત્રાના પ્રારંભમાં આ પ્રમાણે માંગળિક સાંભળતાં સૌ
ભક્તજનોએ આનંદપૂર્વક હર્ષનાદ વ્યક્ત કર્યો હતો.
ત્યાર બાદ ભક્તિ ચાલતાં ચાલતાં ગુરુદેવ કહે કે–આ કુંથુનાથ પ્રભુની પહેલી ટૂંક છે. “કૂંથુ” નો અર્થ પૃથ્વીમાં
સ્થિત; જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણોસ્વરૂપ ચૈતન્ય–પૃથ્વીમાં ભગવાન સ્થિર રહેનારા છે. આમ તો અહીંની કાંકરી–
કાંકરીએ અનંતા જીવો મોક્ષ ગયા છે, પણ નજીકના કાળને હિસાબે વર્તમાન ચોવીસીમાં શ્રી કુંથુનાથ ભગવાન અહીંથી
મોક્ષ ગયા છે. અનંતા સિદ્ધ ભગવંતો અહીં આપણા શીર ઉપર બિરાજે છે; મોક્ષપદ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે તેથી તેઓ
લોકમાં સૌથી શ્રેષ્ઠ–ઊંચા સ્થાને બિરાજે છે. ઇત્યાદિ ઘણા ઘણા પ્રકારે ગુરુદેવ સિદ્ધ ભગવંતોનો મહિમા ભક્તજનોને
સમજાવતા હતા....ને “આવા સિદ્ધભગવંતોને તમારા હૃદયમાં સ્થાપીને તેમનું ધ્યાન કરો.” એવી પ્રેરણા ભક્તોના
હૃદયમાં જગાડતા હતા. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને પણ નવા નવા સ્તવનો દ્વારા અદ્ભુત ભક્તિ કરાવી હતી. તીર્થધામ
હજારો ભક્તોથી ઉભરાઈ ગયું હતું.....ને ચારે કોરના રસ્તા યાત્રાળુઓથી છવાઈ ગયા હતા.
એક પછી એક ટૂંકની યાત્રા કરતા કરતા, ને ભક્તિપૂર્વક અર્ઘ ચડાવતા ચડાવતા, સુપાર્શ્વનાથ પ્રભુની ટૂંકે
આવ્યા...આ ભગવાનનો આજે મોક્ષકલ્યાણક હોવાથી અહીં ખાસ ભક્તિ થઈ. ગુરુદેવે સુપાર્શ્વનાથપ્રભુના
ચરણકમળનો ભાવપૂર્વક અભિષેક કર્યો.....ને પછી “હું એક શુદ્ધ સદા અરૂપી.....જ્ઞાનદર્શનમય ખરે” એ ધૂન
બોલ્યા....તેમજ “ અપૂર્વ અવસર” ની કેટલીક ગાથાઓ ઘણા જ ઉપશાંત ભાવથી બોલ્યા હતા..... તે વખતનું
વાતાવરણ ભક્તિથી ને ઉપશાંત ભાવનાથી છવાઈ ગયું હતું.
ત્યારબાદ છેલ્લી પાર્શ્વનાથ ભગવાનની ટૂંકે પણ પૂ. ગુરુદેવ એ સ્તવનો ભક્તિપૂર્વક ગવડાવ્યા હતા. છેલ્લે
પૂ. બેનશ્રીબેને એક સ્તવન ગવડાવ્યું હતું......ને આ રીતે ઘણા આનંદ અને જયજયકારપૂર્વક પૂ. ગુરુદેવની સંઘસહિત
શાશ્વત તીર્થધામની યાત્રા પૂર્ણ થઈ હતી.....
શાશ્વત તીર્થધામ શ્રી સમ્મેદશિખરજી ધામકી જય હો.
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 18 of 25
single page version

background image
परमप्रभावक आत्मार्थी सत्पुरुष श्री कानजी स्वामीकी
सेवामें सादर समर्पित
सन्मान–पत्र
स्वामीजी!
हमारा सौभाग्य है कि हम सोनगढ़ के जिस महान् व्यक्तित्वके पुण्य सम्पर्ककी
चिरकालसे प्रतीक्षा कर रहे थे वह मनःकामना आज सफल हुई। अनादिसिद्ध निर्वाणभूमि
तीर्थराज श्री सम्मेदाचलकी बन्दना करनेके पवित्र संकल्पको लेकर आप सौराष्ट्रसे ५००
धार्मिक बन्धुओं और बहिनोंके साथ मार्गमें आनेवाले अनेक सिद्धक्षेत्रों व दूसरे तीर्थोंकी
बन्दना करते हुए डालमियानगर पधारे हैं। हमने आपकी लोक–कल्याणकारिणी अमृतमयी
अध्यात्मवाणीका रसास्वादन किया है। फलस्वरूप आज इस मंगलबेलामें हम सब आपके
प्रति बहुमान प्रकट करते हुए अपनेको धन्य अनुभव करते हैं।
आत्मार्थिन्!
२३ वर्षकी छोटी उम्रमें गृह–प्रपञ्चसे मुक्त हो आपने आत्मतत्त्वकी जिज्ञासावश अनेक
दुरूह ग्रन्थोंका अध्ययन और मनन कर वह तृप्ति नहीं प्राप्त की जो श्रीमदाचार्य
कुन्दकुन्दप्रणीत विश्वभारती के अनुपम रत्न श्री समयसार आदि ग्रन्थरत्नोंके स्वाध्याय
और मनन से आपने प्राप्त की हैं। परिणामस्वरूप आपको अपने प्रपञ्चबहुल जीवनका
परित्याग कर निश्चित ध्येय की सिद्धिके लिए ऐसी करवट लेनी पडी़ हैं जो मोहग्रस्त
संसारी प्राणियोंके लिए अनुपम उदाहरणके रूपमें सदा प्रसिद्ध रहेगी।
द्रढ़ श्रद्धानी!
वीतराग सर्वज्ञप्रणीत स्वावलम्बिनी वृत्तिको चरितार्थ करनेवाले और तिल–तुषमात्र
परिग्रहसे रहित निर्ग्रन्थ मार्ग पर आपकी द्रढ़ श्रद्धा हैं। आप अपने जीवनमें यह अच्छी
तरहसे अनुभव करते है कि रत्नत्रयपूत इस मार्ग पर चले बिना यह संसारी प्राणी मोक्षका
अधिकारी नहीं हो सकता।
आत्मदर्शिन्!
मोह और ममता के पङ्कमें निमग्न संसारी प्राणियों को हितका उपदेश देनेवाले
अनेक आत्मदर्शी महापुरुष इस भारत–भू पर अवतरित हुए हैं। आप भी अपने अतिशय
प्रभावक आध्यात्मिक प्रवचनों–द्वारा इन संसारी प्राणियोंको निरूपधि आत्मतत्त्वका
दिग्दर्शन कराते हुए यदा कदा यत्र तत्र भ्रमण करते रहते हैं। आपकी यह परम
कल्याणकारिणी वृत्ति अभिनन्दनीय हैं।
ફાગણઃ ૨૪૮૩ ઃ ૧૭ઃ

PDF/HTML Page 19 of 25
single page version

background image
बालब्रह्मचारिन्!
आपने अपने जन्मकालसे ही ब्रह्मचर्य व्रतके महत्वको न केवल अनुभव किया अपितु
उसे अपने जीवनमें उतारा भी है। आपकी इस पुनित चर्यासे प्रभावित होकर सैकडों भाई
व बहिन इस दुश्चर तपका पालन कर रहे है। आपके पावन निवाससे सोनगढ़ सबके लिए
तीर्थ बन गया है।
इस पावन प्रसङ्ग पर उपस्थित हम सब मुमुक्षुजन आपका अन्तःकरणसे अभिनन्दन
करते हुए अपने भावोंकी कुसुमाञ्जलि इस सम्मानपत्रके द्वारा सादर समर्पित करते है और
श्री १००८ जिनेन्द्र भगवान् श्री महावीरस्वामीका पुण्य नाम स्मरण कर यह मनःकामना
करते हैं कि आप अपने जीवनमें यथाजात रूपके अधिकारी बन चिरकाल तक मुमुक्षु
जनोंको साक्षात् मोक्षमार्गका पथ प्रदर्शन करतें रहें।
दालमियानगर विनयावनत
२५ फरवरी १९५७ डालमियानगर निवासी
। श्र ।
आध्यात्मिक संत परम श्रद्धेय श्री कानजी स्वामी
के चरणों में सादर समर्पित
मन्यवर!
यह हम सब लोगों का परम सौभाग्य है कि जिस महान् विभूति के पुण्य दर्शनों की
उत्कण्ठा हम वर्षों से अपने हृदयों में सजोंये हुये थे, वह आज आपके शुभागमन से पूरी हो
गई। आपके पुनीत दर्शनो से हम कितने सुखी, आपके अमृत तुल्य सदुपदेश से हम
कितने भावविभोर एवं आपके महान् व्यक्तित्व से हम कितने प्रभावित हुये हैं, इसका
प्रकाशन वाणी की शक्ति के परे की चीज है। सूर्योदयका प्रकाश पाकर जैसे कमल
विकसित हो उठता है, वैसे ही आपके दर्शन एवं अद्भुत प्रवचन–शैली से गया जैन समाज
का हृदय कमल विकसित हो उठा है।
त्याग तपस्याके प्रतीक!
आपके जीवनकी जो पवित्र पोथी समाज की आंखो के आगे खुली पडी़ है उसकी
कथा–गाथा का एक एक अध्याय, अध्याय का एक एक पन्ना और पन्ने की प्रत्येक पंक्ति
प्रेरणा के अपूर्व छन्द, आदर्श के एक अलौकिक संगीत और ज्ञान की एक दिव्य दीप्ति से
समुद्भासित है। विमल त्याग और कठोर तपस्या की निरन्तर आहुति से आपके हृदय में
૧૮ આત્મધર્મઃ ૧૬૧

PDF/HTML Page 20 of 25
single page version

background image
ज्ञान की जो यज्ञ वेदी जल उठी है उसकी सुनिर्मल शिखा लोक के कलुष अवसाद एवं
अन्धकार को दूर करती है। आपने आपत्तियों की तीखी आँच मे तप–तपा कर, बाधा–
विघ्नों की कठिन कसौटी पर कस कसाकर अपने जीवन को पारस पत्थर बनाया है, जो
अपने लिये तो सब प्रकार से निःस्व है, पर जिन्दगी के लोहे की जिस लकड़ी को छू देता
है, वह मूल्य, महत्व और महिमा की दमक से सोना हो उठता है।
आदर्श एवं प्रभावशाली व्यक्तित्वः –
दूसरों के लिये अपना जीवन जीनेवाले महापुरुष! अन्तर में ज्ञान की अक्षय निधियों
का भरा पूरा भण्डार लिये आपका जो सरल सहज व्यक्तित्व है, उसके अजेय आकर्षण
और अपरिमित प्रभाव की रूपरेखा शब्द नहीं आकें सकते। ओज–तेज के उस प्रकाश में,
शान्ति–सौम्यता की शीतल छाँह में जिसे भी घड़ी भर टिकने का सौभाग्य हुआ है, वही
उस शब्द–रूपहीन स्वर्गीय सुख की अनुपम अभिज्ञता से धन्य हो उठा है। आपके जीवन
का प्रवाह अपनी राह बहता है और उसके दोनों कूल धूल–सिंच कर हरे भरे लहराते हैं।
जैन समाज ने आपको लम्बी अवधि तक बहुत पास से देखा है, वैभव विलास के
जगरमगर से साधना के द्वारा बीहड़ मार्ग पर किस प्रकार आपका जीवन आगे बढ़ा हैं उसे
जाना है और आजीवन साधना के जो अनमोल बोल झड़ते है, उन्हें जतन से चुना है और
तब यह समझा है कि आपका व्यक्तित्व कितना पारदर्शी है, किन आदर्शो पर उसकी नींव
पड़ी है और उसके फल–फूल उसकी छाया में सन्तप्त लोक–जीवन के लिये कैसा मन्त्र है,
दुखी मानवता के लिये कैसी अमोघ औषधि है।
हमारे मान्य अतिथिः –
हमारी समझमें नहीं आता कि हम आपकी वन्दना अर्चना किन शब्दों में करें,
क्योंकि हमारी वाणी मूक है और प्राण विह्वल है।
हम आपके मंगलमय भविष्य एवं सुदीर्घ जीवन की शुभ कामना करते हैं। हमें आशा
ही नहीं पूर्ण विश्वास है कि आप दिनों दिन धर्मपथ पर अग्रसर होते हुये अनगिनती दुखी
और अन्धकार में भटकने वाली आत्माओं की आँखोको विमल प्रकाश, लड़खड़ाते चरणों
को सच्ची सुगम राह, एवं पीड़ित जीवनों को आश्वासन की वाणी सुनाकर उन्हें सही
मंजिल की ओर चलने की सद्प्रेरणा देते रहेंगे।
अन्त में सेवा त्याग का स्वर्गीय संकल्प लिये उदार मार्ग पर चलने वाले आपके
चरणों पर हम अपने आँसू के गंगाजल से धुली कामनाओं के फूल बिछाते हैं और आपके
दीर्घ जीवन की मंगल कामना करते है।
चिर विनीत
महावीर जैन युवक समिति, गया।
ફાગણઃ ૨૪૮૩ ઃ ૧૯ઃ