Atmadharma magazine - Ank 162
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૬૨
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
સંસારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
વર્ષ ૧૪ મું
અંક ૬ ઠ્ઠો
ચૈત્ર
વી. સં. ૨૪૮૩
૧૬૨
––એણે પ્રભુતા તરફ પગલાં માંડયા
જેને પોતાનું કલ્યાણ કરવું હોય તેણે એ નક્કી કરવું જોઈએ કે મારું કલ્યાણ
કોના આધારે છે?
મારા આત્મસ્વભાવમાં જ મારી પ્રભુતા ભરી છે, બીજા કોઈના પણ આધાર વગર મારો
આત્મા પોતે જ પોતાનું કલ્યાણ કરે, એવી મારી પ્રભુતા છે;– આમ પોતાની પ્રભુતાને
ઓળખીને તેનો આદર કરવો તે જ કલ્યાણનો ઉપાય છે; જેણે આત્માની પ્રભુતાની પ્રતીત કરી
તેણે પોતાની પ્રભુતા તરફ પગલાં માંડયાં... પ્રભુ થવાના માર્ગની તેણે શરૂઆત કરી.
કોઈ બીજો મને તારશે–એમ જે માને છે તે પોતાની પ્રભુતાને માનતો નથી પણ પોતાને
પરાધીન–ગુલામ માને છે, ને તેથી તે સંસારમાં જ રખડે છે.
ભાઈ! તારી પ્રભુતા તારામાં ભરી છે, તેને સંભાળ તો તેમાંથી તારી પ્રભુતા આવશે,
બહારથી નહિ આવે.
–પૂ. ગુરુદેવ

PDF/HTML Page 3 of 21
single page version

background image
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લા પ વર્ષથી ચાલે છે. આ
સંસ્થામાં, જૈનધર્મના વિદ્યાર્થીઓ, કે જેઓની ઉંમર, ૧૧ વર્ષ
અને તેથી વધુ હોય, અને જેઓ, ગુજરાતી પમું ધોરણ કે તેથી
ઉપરના ગુજરાતી કે અંગ્રેજી ધોરણોમાં અભ્યાસ કરતા હોય,
તેમને દાખલ કરવામાં આવે છે.
માસિક લવાજમ પૂરી ફીના રૂા. ૨૫–તથા ઓછી ફીના
રૂા. ૧૫–લેવામાં આવે છે.
અહીં મેટ્રીક (એસ. એસ. સી.) સુધીના અભ્યાસ માટે
હાઈસ્કૂલ છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને, વ્યાવહારિક કેળવણી
ઉપરાંત, ધાર્મિક અભ્યાસનો, તથા પૂજ્ય આધ્યાત્મિક સંત ‘શ્રી
કાનજીસ્વામી’ નાં વ્યાખ્યાન–શ્રવણનો, અપૂર્વ લાભ મળે તેમ
છે.
અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે.
હાલ, સંસ્થાનું સ્વતંત્ર નવું, સુંદર, હવા ઉજાસ તથા
સગવડતાવાળું મકાન બંધાઈ રહ્યું છે, જે ૩–૪ માસમાં પૂરું
થશે.
સંસ્થાનું નવું સત્ર (ટર્મ) તા. ૧૫મી જુન આસપાસ
શરૂ થાય છે.
સંસ્થામાં નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને દાખલ
કરવાના છે.
તો જે વિદ્યાર્થીઓને દાખલ થવા ઈચ્છા હોય તેમણે
ઉપરના સરનામે રૂા. ૦–૨–૦ ની પોષ્ટની ટીકીટો બીડી
સંસ્થાના પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો તા. ૩૦–૪–
૫૭ સુધીમાં મંગાવી ભરી તા. ૨૦–૫–૫૭ સુધીમાં પરત મોકલી
આપવાં.
લી. મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ, (સૌરાષ્ટ્ર)
આત્મધર્મના ગ્રાહકોને
આ “આત્મધર્મ” નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી
થાય છે. અત્યારસુધી તેનું પ્રકાશન વલ્લભવિદ્યાનગરથી થતું
તેને બદલે હવેથી ભાવનગરથી થશે અને વ્યવસ્થા પણ ત્યાંથી
થશે; માટે વ્યવસ્થા બાબતનો પત્રવ્યવહાર હવેથી
નીચેના સરનામે કરવો:–
આનંદ પ્રેસ–ભાવનગર
ભવના અંતના ભણકાર
આ મનુષ્ય અવતાર પામીને
જો ભવના અંતના ભણકાર આત્મામાં
ન જગાડયા તો જીવન શું કામનું?
જેણે જીવનમાં ભવથી છુટવાનો ઉપાય
ન કર્યો તેના જીવનમાં ને કીડા–
કાગડાના જીવનમાં શું ફેર છે! માટે
ભાઈ! હવે આ ભવભ્રમણથી
આત્માનો છૂટકારો કેમ થાય તેનો
ઉપાય સત્સમાગમે કર.
સત્સમાગમે ચિદાનંદ
સ્વભાવનું અંતરના ઉલ્લાસપૂર્વક
શ્રવણ કરીને, તેની પ્રતીત કરતાં જ
તારા આત્મામાં ભવના અંતના
ભણકારા આવી જશે.
આનંદનો ભોગવટો
અરે જીવ!
તારો આત્મા તો આનંદની
ખાણ... તેને આ વિકારનો કે
વિષયોનો ભોગવટો ન હોય. તારા
જ્ઞાયકસ્વભાવના આનંદનો ભોગવટો
છોડીને અનાદિથી આ વિકારરૂપ
વિષયોના ભોગવટા કરી કરીને તારું
જ્ઞાનાનંદ શરીર ક્ષીણ થઈ ગયું... માટે
ભાઈ! હવે તે વિકારનો ભોગવટો
કરવામાં રાજી ન થા, ને તારા
જ્ઞાનાનંદ સ્વરૂપને સંભાળ. વિકારનો
ભોક્તા થવામાં તારું આનંદશરીર
હણાય છે, માટે તે ભોગવટો છોડ;
વિકાર તારા જ્ઞાનસ્વભાવથી જુદા છે,
તેને ભોગવવાનો તારો સ્વભાવ નથી.
માટે અંતરમાં લક્ષ કરીને તારા
જ્ઞાયકસ્વભાવના અતીન્દ્રિય આનંદનો
ભોગવટો કર. આ અતીન્દ્રિય
ભગવાન ઈન્દ્રિય વિષયોમાં મુર્છાઈ
જાય–તે શોભતું નથી.
પૂ. ગુરુદેવ.
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ : : : છૂટક નકલ ચાર આના

PDF/HTML Page 4 of 21
single page version

background image
आत्मधर्म
વર્ષ ચૌદમું : સંપાદક: ચૈત્ર
અંક છટ્ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
સમ્યગ્દર્શનનો ઉપદેશ
પ્રશ્ન:– આપ તો સમ્યગ્દર્શન ઉપર જ ખૂબ ભાર મૂકો છો, અને એના
વગર બધું થોથાં છે–એમ કહો છો; પરંતુ, જ્યાં સુધી સમ્યગ્દર્શન ન પામીએ ત્યાં
સુધી શુભ ભાવ કરવાનો ઉપદેશ કેમ આપતા નથી?
ઉત્તર:– ભાઈ! અનાદિકાળના ભવભ્રમણનો અંત કેમ આવે, અને
આત્માની મુક્તિ કેમ થાય–તેના ઉપાયનો આ ઉપદેશ છે, અને તેની શરૂઆત તો
સમ્યગ્દર્શનથી જ થાય છે. અશુભ તેમજ શુભ એ બંને પ્રકારના ભાવો તો જીવ
અનાદિકાળથી ઉપદેશ વગર પણ કરતો જ આવ્યો છે, પણ તેનાથી કાંઈ
ભવભ્રમણનો અંત આવતો નથી, તેથી તેના ઉપર શું વજન દેવું!! શુભરાગ પણ
અપરાધ છે, વિકાર છે, તેની રુચિ કરવાનું કેમ કહેવાય? જેમ ‘અમૃત ન મળે તો
તું ઝેર ખાજે’ એમ કેમ કહેવાય? હા, એમ કહેવાય કે અમૃત ન મળે ત્યાંસુધી
તેને જ મેળવવાનો પ્રયત્ન કરજે, પણ ઝેર તો ખાઈશ નહિ. –તેમ સમ્યગ્દર્શન ન
થાય તો તેણે સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવો, પણ રાગને તો ધર્મ ન જ માનવો.
રાગને ધર્મ માનવો તે તો મિથ્યાત્વરૂપ ઝેરનું સેવન છે, માટે જેણે ભવથી છૂટવું
હોય તેને માટે તો પહેલાંં સમ્યગ્દર્શનનો જ ઉપદેશ છે.
વળી જિજ્ઞાસુ જીવને સમ્યગ્દર્શનનો અપૂર્વ ઉપાય સમજતાં સમજતાં, તેનું
બહુમાન કરતાં કરતાં, અને તેનો પ્રયત્ન કરતાં કરતાં, અશુભ ભાવો ટળીને
ઊંચી જાતના શુભભાવો તો સહેજે થઈ જાય છે, એટલે તેને તેના ઉપદેશની
મુખ્યતા નથી. જેમ અનાજ પાકતાં રાડાં પણ સાથે પાકી જાય છે, પણ ખેડૂતનો
પ્રયત્ન અનાજ માટે છે, રાડાં માટે નથી; તેમ સમ્યગ્દર્શન વગેરેને સાધતાં સાધતાં
વચ્ચેની ભૂમિકામાં ઊંચી જાતનો શુભરાગ પણ આવી જાય છે, પણ ધર્મીનો
પ્રયત્ન તો સમ્યગ્દર્શનાદિ માટે છે, રાગ માટે તેનો પ્રયત્ન નથી, તેમજ તે રાગને
ધર્મ માનતા નથી.
અશુભ ટાળીને શુભ કરે તેને પણ વ્યવહારે તો ઠીક કહેવાય, –પરંતુ
મનુષ્યભવ પામીને જેણે સમ્યગ્દર્શન ન કર્યું અને ભવભ્રમણનો અંત ન લાવ્યો–
તો તેના શુભની શી કિંમત? તેણે આત્માનું શું હિત કર્યું? –અહીં તો આત્માનું
હિત થાય ને ભવભ્રમણનો અંત આવે–એવી વાત છે. જેનાથી આત્માનું
ભવભ્રમણ ન અટકે તેની શી કિંમત?
પુણ્યની સેવા કરવાથી મોક્ષ નથી થતો, પરંતુ જ્ઞાનસ્વભાવી આત્માની
સેવા (શ્રદ્ધા–જ્ઞાન–રમણતા) કરવાથી જ મોક્ષ થાય છે; માટે તેનો જ ઉપદેશ છે.
(–પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
આત્મપ્રાપ્તિની દુર્લભતા
[ગોલાણા ગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન: કારતક વદ ૮]
(તત્ત્વજ્ઞાનતરંગિણી ગાથા: અધ્યાય પ, ગા: ૪)
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો જેને પ્રેમ છે ને તેની પ્રાપ્તિની ભાવના છે એવો જિજ્ઞાસુ જીવ એમ વિચારે
છે કે અરે! કલ્પવૃક્ષ અને ચિંતામણિ તથા કામધેનુ વગેરે મેં અનંતવાર પૂર્વે પ્રાપ્ત કર્યાં; પરંતુ મારું શુદ્ધ
ચૈતન્યરત્ન મેં કદી પ્રાપ્ત કર્યું નથી.
આ મનુષ્ય લોકની વચ્ચે જંબૂદ્વીપ છે, તેની વચ્ચે મેરુ–પર્વત છે; તેની આસપાસ જુગલીયા મનુષ્યો થાય
છે; જેમણે પૂર્વે વિશેષ દાનાદિ કર્યા હોય તે જુગલીયામાં જન્મે છે; તેને ત્યાં કલ્પવૃક્ષ હોય છે તે ઈચ્છિત
વસ્તુઓ–વસ્ત્ર વગેરે આપે છે. આવા કલ્પવૃક્ષ જીવને અનંતવાર મળ્‌યા પણ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ કદી
કરી નથી.
અનંતવાર ખજાના મળ્‌યા એક ક્ષણમાં કરોડો રૂપિયા મળે એવા નિધાન મળ્‌યા, –પણ આ ચૈતન્ય
નિધાનના ભાન વગર જીવ સંસારમાં જ રખડી રહ્યો છે. અરે હું કોણ? એનો જીવને વિચાર પણ આવતો નથી.
ચિંતામણી રત્ન એટલે તેને હાથમાં રાખીને જે ચિંતવો તે મળે, –એવું ચિંતામણિ રત્ન જીવને અનંત વાર મળ્‌યું,
પણ તે તો જડ મળ્‌યું; ચૈતન્યરત્ન શું છે તે કદી ન જાણ્યું. આ આત્માને પોતામાં જ શાંતિ છે; બહારમાંથી શાંતિ
આવતી નથી પણ આત્માના સ્વભાવમાં જ શાંતિ છે. જેમ અફીણમાં કડવાશ બહારથી નથી આવતી, પણ
અફીણ પોતે જ કડવું છે, સાકરમાં ગળપણ બહારથી નથી આવતું પણ સાકર પોતે ગળી છે; તેમ આત્મા પોતે
જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેવું જ્ઞાન કે આનંદ બહારથી નથી આવતા પણ પોતામાં જ છે. આવા
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ચિંતવવો તે જ શાંતિનો ઉપાય છે. આવો ચિંતામણિ જેવો અવતાર પામીને જીવ
પોતાના સ્વરૂપનું ચિંતન કરતો નથી ને બહારના વિષયોની ચિંતામાં જ તેને વેડફી નાંખે છે. તેનું દ્રષ્ટાંત: એક
માણસને હાથમાં ચિંતામણી આવી પડ્યો... તેને ભૂખ લાગેલી એટલે એમ ઈચ્છયું કે ખોરાક મળે તો ઠીક! –
તરત ખોરાક મળ્‌યો... પછી સૂવા માટે પલંગ માંગ્યો, બંગલો માંગ્યો; વસ્ત્ર વગેરે માંગ્યું... ત્યાં કાગડો કોકો
કરતો આવ્યો, તેના ઉપર ખીજાઈને કાગડાને ઊડાડવા માટે ચિંતામણિ ફેંકી દીધો... ને બંગલો વગેરે બધું ફૂં થઈ
ગયું, તેમ આ જીવને સંસાર પરિભ્રમણમાં ચિંતામણિ જેવો આ મનુષ્ય અવતાર મળ્‌યો... ત્યાં સ્ત્રી–મકાન–
દુકાન–ખેતી–પૈસા વગેરેની ચિંતામાં અજ્ઞાની જીવ આ ચિંતામણિ જેવું જીવન વેડફી નાંખે છે, ને પરની ચિંતામાં
જ તેનો ચિંતામણિ જેવો અવતાર ક્ષણમાં ફૂ થઈ જાય છે. તેને અહીં સમજાવે છે કે અરે જીવ! આ જીવન પામીને
તું તારા આત્માનું ચિંતન કર.
ભાઈ! અનાદિ કાળથી તારા આત્માને આ જન્મ–મરણનો મોટો રોગ લાગુ પડ્યો છે, માટે તે રોગ કેમ
મટે–તેનો સત્સમાગમે ઉપાય કર. જુઓ, છ મહિના ઝીણો ઝીણો તાવ રહ્યા કરે તો ક્ષયરોગની શંકા પડે ને
અમારા સોનગઢની પાસે જીંથરી–અમરગઢની ઈસ્પિતાલમાં ફોટો પડાવવા આવવું પડે છે, તો હે જીવ! આ
જન્મ–મરણનો રોગ તને અનંત ભવથી લાગુ પડ્યો છે, તે મટાડવાનો ઉપાય તો સત્સમાગમે પૂછ! તારા
આત્માનો ફોટો તો પડાવ.
જેમ ચણામાં મીઠાસ ભરી છે, તો તેને સેકતાં મીઠાસ પ્રગટે છે. તેમ આત્મામાં આનંદ ભર્યો છે, તેથી
આત્માનું ભાન કરતાં આનંદ પ્રગટે છે. અજ્ઞાનરૂપી કચાસને લીધે તેને આનંદને બદલે દુઃખનું વેદન થાય છે.
આત્માનું જ્ઞાન કરવું તે જ આનંદનો ઉપાય છે. જ્ઞાનીનો સમાગમ કરીને અંતર્મુખ ઊતરે તો આત્માનું ભાન
થાય; આવા આત્માના ભાન વગર અનંતકાળથી જીવ ચાર ગતિના પરિભ્રમણમાં દુઃખી થઈ રહ્યો છે.
પુણ્યથી તે સ્વર્ગમાં જાય છે ને ત્યાંથી પાછો ચાર ગતિમાં રખડે છે; પાપથી નરકમાં જાય છે. મોક્ષનો
ઉપાય તો પુણ્ય અને પાપ બંનેથી જુદી જાતનો છે. આવા મોક્ષના ઉપાયને ઓળખવો તે ધર્મ છે. આવો મનુષ્ય
અવતાર પામીને, અરે આત્મા! તારા આત્માનું હિત કેમ થાય તેનો તું વિચાર કર. બીજું તો બધું સંસારમાં
મળવું સહેલું છે. પણ આ એક શુદ્ધ આત્માની ઓળખાણ જ બહુ દુર્લભ છે. સંતો તે વાત સમજાવે છે, માટે હે
જીવ! તું આત્માની ઓળખાણ કર.

PDF/HTML Page 6 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૫ :
ચૈતન્યના ચિંતનનો ઉપદેશ
(ભોળાદગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન કારતક વદ ૭ શનિવાર)
(તત્ત્વજ્ઞાન તરંગિણી અ.પ.શ્લો. ૨)
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે; તે જ્ઞાન–આનંદની પૂર્ણતાની પ્રાપ્તિ થયા પછી, ભગવાનની વાણીમાં જે
ઉપદેશ નીકળ્‌યો તેને શાસ્ત્ર કહે છે. તેમાં કહે છે કે: અરે આત્મા! અનંત અનંત કાળથી તું ચાર ગતિમાં રખડી
રહ્યો છે, પણ તું કદી મુક્તિ પામ્યો નથી. હે ભાઈ! સંસારમાં રખડતાં તેં આત્મસ્વરૂપની વાત પણ કદી પ્રેમપૂર્વક
સાંભળી નથી. દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે–એના ભાન વગર તેં બહારમાં આ કરું ને તે કરું–
એવો દેકારો કર્યો છે. તેં ચૈતન્યના ચિંતન સિવાય બાહ્ય પદાર્થોનું ચિંતન પૂર્વે અનંતવાર કર્યું, ને તેથી ચાર
ગતિમાં પરિભ્રમણ કર્યું, માટે હે જીવ! હવે સંતો પાસેથી ચૈતન્યનું શ્રવણ કરીને તેનું તું ચિંતન કર.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
–આવા વિચાર વગર મહા અધર્મ અને પાપ કરીને જીવ અનંતવાર નરકમાં ગયો; ને અનંતવાર પશુ
થયો. પશુ તો બિચારાં ઘાસ ખાય ને મજૂરી કરીને જીવન વીતાવે; તેને કાંઈ આત્માના હિતનો વિચાર નથી.
એક આંગળીને ઈજા થાય તો પણ કેટલા વિચાર કરે છે! તો આ આખો આત્મા અનાદિ કાળથી ચાર ગતિમાં
દુઃખ પામે છે તેનાથી તેનો કેમ છૂટકારો થાય–તેનો વિચાર કેમ નથી કરતો?
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે અરૂપી છે, તે આ દેહથી ભિન્ન છે. દેહની પાંચ ઈન્દ્રિયોવડે આત્મા જણાય નહિ.
આંખ વડે કાળો–ધોળો રંગ દેખાય પણ આત્મા તો રંગ વિનાનો છે તે આંખથી ન દેખાય; કાનથી શબ્દો
સંભળાય પણ આત્મા કાંઈ કાનથી ન જણાય; નાકથી સુગંધ–દુર્ગંધ જણાય પણ આત્મા તો ગંધ વગરનો છે તે
કાંઈ નાકથી સૂંઘી શકાય નહિ. જીભથી રસ ચખાય પણ આત્મા રસ વગરનો છે તે જીભથી સ્વાદમાં ન આવે;
તેમજ સ્પર્શથી પણ તે જણાય નહિ; આત્મા તો અરૂપી ચૈતન્યસ્વરૂપ છે, તે જ્ઞાનથી જણાય છે. અરે! આત્મા
કોણ–તેનો તો વિચાર પણ કરે નહિ, મરીને હું ક્યાં જઈશ ન મારું શું થશે! –એનો વિચાર કરે નહિ, ને માંસ
ખાય, દારુ પીએ, શિકાર કરે–એવા મહાપાપના કામ કરે તે જીવ નરકમાં મહાદુઃખ પામે છે. આત્મા તો
જ્ઞાનસ્વરૂપ છે. જેનામાં રૂપ નથી તે આંખથી કેમ દેખાય? જેનામાં શબ્દ નથી તે કાનથી કેમ સંભળાય? જેનામાં
ગંધ નથી તે નાકથી કેમ સૂંઘાય? જેનામાં શબ્દ નથી તે કાનથી કેમ જણાય? જેનામાં સ્પર્શ નથી તે સ્પર્શવડે કેમ
જણાય? જેનામાં રસ નથી તે જીભવડે કેમ જણાય? આત્મા તો પાંચે ઈન્દ્રિયોથી જુદો છે, તે કોઈ ઈન્દ્રિયોવડે
જણાતો નથી, પણ અંતરમાં જ્ઞાન કરે તો તે જણાય છે.
જુઓ, આ ભાલ પ્રદેશમાં વિહાર કરતાં વચ્ચે ખારી જમીન આવી હતી. તે ખારી જમીનમાં જેમ ઝાડ
ઊગતા નથી, તેમ જે જીવો તીવ્ર પાપમાં પડેલાં છે તેઓ નરકમાં જાય છે, તે ક્ષારભૂમિ જેવી છે, ત્યાં મહાદુઃખ
છે. તીવ્ર પાપમાં ડુબેલા જીવને ધર્મનો વિચાર થતો નથી. અરે રે! અનંતકાળમાં આવો મનુષ્ય અવતાર મળ્‌યો,
આ શરીર તો ક્ષણમાં છૂટી જશે... માટે આ મનુષ્ય અવતારમાં મારા આત્માનું હિત થાય–એવો ઉપાય હું કરું, –
એમ વિચાર કરવો જોઈએ. શાંતિ તો જીવના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ છે પરંતુ મહામોહને લીધે જીવે તેનું ચિંતન
કદી કર્યું નથી, ને સ્ત્રી–પુત્રાદિનું જ ચિંતન કર્યું છે; ઠેઠ મરણ સુધી પરની જ ચિંતા કર્યા કરે છે... અનંત ભવમાં
એ જ રીતે પરની ચિંતા કરતો કરતો મર્યો... પણ પોતાના સ્વરૂપનું ચિંતન જીવે કદી ન કર્યું. ‘હું શુદ્ધચિદ્રૂપ છું’ –
એવા સ્વરૂપના સ્મરણપૂર્વક કદી સમાધિમરણ કર્યું નથી. ભાઈ! તારા ચિદાનંદસ્વરૂપ આત્મા વગર તને કોઈ
શરણરૂપ નથી; માટે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ઓળખ. જીવનમાં આત્માનું ભાન કર્યું હોય તો મરવા ટાણે તેનું
સ્મરણ કરે ને?

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
જીવનમાં જે ઘૂંટયું હશે તેનું મરણટાણે સ્મરણ થશે. ચૈતન્યનું ભાન કરીને તેના સ્મરણપૂર્વક કદિ
સમાધિમરણ જીવે કર્યું નથી. ચૈતન્યસ્વરૂપનું ભાન કરીને એકવાર પણ તેના લક્ષે સમાધિમરણે દેહ છોડે તો
અલ્પકાળમાં મુક્તિ થયા વગર રહે નહિ.
આચાર્યદેવ કહે છે કે પ્રભુ! તેં જિંદગીને કાંઈ ઊજવળ કરી નહિ... આવો મનુષ્ય અવતાર પામીને પણ તેં
આત્માનું કાંઈ હિત ન કર્યું... તો આ અવતાર પૂરો થતાં તારા ક્યાં ઊતારા કરીશ! તારા આત્મામાં પરિપૂર્ણ
જ્ઞાન–આનંદ ભર્યા છે. જેમ લીંડી પીપરમાં ૬૪ પહોરી તીખાશની તાકાત છે તો તેમાંથી તે તીખાશ પ્રગટે છે. તેમ
એકેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની તાકાત ભરી છે, તેનું ભાન કરતાં તેમાંથી જ તે જ્ઞાન–આનંદ પ્રગટ
થાય છે: વેપાર ધંધામાં પાપના ભાવ કરે ને પૈસા મળે, ત્યાં મૂઢપ્રાણી એમ માને છે કે મેં આમ કર્યું તેથી મને
પૈસા મળ્‌યા. પણ ભાઈ! પૈસા તે કાંઈ તારા પાપના ધંધાથી નથી મળ્‌યા; પૈસા તો પૂર્વના પુણ્યના ફળમાં મળ્‌યા
છે. પુણ્ય વિના લાખ ઉપાય કરે તો પણ પૈસા મળતા નથી. પહેલાંં સત્સમાગમે આત્માનું સ્વરૂપ વારંવાર
સાંભળીને તેનો પરિચય કરવો જોઈએ. જેમ નિશાળમાં એકડો શીખવા જાય છે ત્યાં પણ તે એકડો સેંકડો વાર
ઘૂંટે છે. તેમ જેણે આત્માનું જ્ઞાન કરવું હોય તેણે સત્સમાગમે તેની વાત વારંવાર ઘૂંટવી જોઈએ.
ભાઈ! તારી જિંદગીના ૫૦–૬૦ વર્ષ તો વીતી ગયા... તો હવે પાંચ–દસ વર્ષ આત્માની સમજણ માટે તો
કાઢ! અરે, આ દેહથી જુદું તત્ત્વ શું છે? તેની મને કેમ સમજણ થાય! એમ તું વિચાર તો કર. જીવનમાં
આત્માના હિતનો કદી ઉપાય કર્યો નથી તો મરણ વખતે તું કોનું શરણ કરીશ? ઘણા કહે છે કે છેલ્લે મરવા ટાણે
આત્માનું ધર્મધ્યાન કરશું! –પણ ભાઈ! અત્યારે જીવનમાં આત્માની દરકાર કરતો નથી તો મરવા ટાણે તેનું
ધ્યાન ક્યાંથી લાવીશ! જેમ–બંદૂક જેણે કદી હાથમાં ઝાલી નથી, કઈ રીતે બંદૂક પકડવી ને ક્યાંથી ફોડવી તેની
ખબર નથી તે લડાઈમાં ક્યાંથી ઊભો રહી શકશે? બંદૂક પકડતાં પણ તેનો હાથ ધૂ્રજશે. તેમ જીવનમાં દેહથી
જુદા આત્માને જાણવાની જેણે દરકાર નથી કરી, સત્સમાગમે શ્રવણ–મનન પણ કર્યું નથી તે દેહ છૂટવા ટાણે તેનું
ચિંતન ક્યાંથી લાવશે? માટે ભાઈ! જીવનમાં તારા હિતનો ઉપાય કર–એવો ઉપદેશ છે.
એમ ખેડૂત પૂછતો હતો કે મહારાજ! અમે બહુ દુઃખી છીએ, આ દુઃખનો ક્યાંય ઉપાય આરો! ત્યારે કહ્યું
કે ભાઈ! પૂર્વનાં પાપ કર્યા તેથી આ દુઃખ આવ્યા છે... માટે હવે આત્માનું ભાન કરવું તે જ આ ભવચક્રથી
છૂટવાનો ઉપાય છે. આત્માના જ્ઞાન વગર આ ભવના દુઃખનો ક્યાંય આરો નથી. શ્રીમદ્ રાજચંદ્ર મોરબી પાસે
વવાણીયા ગામમાં થઈ ગયા. તેઓ ૧૬ વર્ષની ઉમરમાં કહે છે કે–
બહુ પુણ્યકેરા પુંજથી
શુભ દેહ માનવનો મલ્યો,
તોય અરે! ભવચક્રનો
આંટો નહિ એકે ટળ્‌યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ–ટળે છે,
લેશ એ લક્ષે લહો!
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે
કાં અહો! રાચી રહો?
અરે જીવ! આવો મોંઘો મનુષ્ય અવતાર મલ્યો તેમાં જો તેં આત્મજ્ઞાન ન કર્યું ને ભવનો ફેરો ન ટાળ્‌યો,
તો તેં આ મનુષ્ય અવતાર પામીને શું કર્યું? કીડીના અવતારમાં અને તારા અવતારમાં શું ફેર પડ્યો?
આત્મજ્ઞાન વગર ક્ષણે ક્ષણે તું ભાવ મરણે મરી રહ્યો છે. તેનાથી તારા આત્માનો ઉદ્ધાર કેમ થાય તેની આ વાત
છે.
હું આત્મા જગતનો જાણનાર સાક્ષી છું, કોઈનો કર્તા–હર્તા હું નથી–એમ પોતાના આત્માનો વિચાર કે
વિશ્વાસ જીવે કર્યો નથી, ને પરનો વિશ્વાસ કર્યો છે; માટે હે ભાઈ! સત્સમાગમે આત્માના સ્વરૂપનું શ્રવણ કરીને
તેનો વિચાર કર... તેનો વિશ્વાસ કર. જેને આત્માની ઘા લાગી છે, આત્માના હિતની જિજ્ઞાસા જાગી છે તે
સત્સમાગમે જ્ઞાની પાસેથી આત્માની વાત સાંભળીને એમ વિચારે છે કે અરેરે! મારા આવા સ્વરૂપનો મેં કદી
વિચાર ન કર્યો ને હું ભવભ્રમણમાં દુઃખી થયો. હવે જ્ઞાની પાસેથી મારું શુદ્ધ સ્વરૂપ ભવભ્રમણ ટાળવું છે. –આમ
જિજ્ઞાસા જગાડીને આત્માનું શ્રવણ–મનન કરવું જોઈએ તો આત્માનું ભાન થાય ને આ ભવભ્રમણથી છૂટકારો
થાય.

PDF/HTML Page 8 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૭ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
[૨૫]
સ્વધર્મવ્યાપકત્વ શક્તિ
જ્ઞાનસ્વરૂપ આત્મામાં એક એવી શક્તિ છે કે અનાદિકાળથી દેવ–મનુષ્ય–નારક–તિર્યંચના અનેક શરીરો
ધારણ કર્યા છતાં પોતે તો એક સ્વરૂપે જ રહ્યો છે, અનેક શરીરોરૂપે આત્મા થઈ ગયો નથી પણ પોતાના અનંત
ધર્મોરૂપે જ રહ્યો છે. આ રીતે ‘સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વ શક્તિ આત્મામાં છે. ’
એટલે શરીરના ધર્મરૂપે ન થતાં આત્મા પોતાના ધર્મોમાં જ રહે છે. અનાદિથી સંસારમાં રખડતાં રખડતાં અનંત
શરીરો જીવે ધારણ કર્યા પણ તે બધામાં તેનું સ્વરૂપ તો એક જ રહ્યું છે, તે કદી કોઈ શરીરના ધર્મમાં વ્યાપીને
રહ્યો નથી પણ પોતાના નિજધર્મોમાં વ્યાપીને એક સ્વરૂપે જ રહ્યો છે. મનુષ્યદેહ હોય ત્યાં અજ્ઞાનીને દેહબુદ્ધિથી
એમ લાગે છે કે ‘હું મનુષ્ય છું. ’ તિર્યંચનો દેહ હોય ત્યાં એમ લાગે છે કે ‘હું તિર્યંચ છું’ –એમ જે જે શરીર હોય
તે શરીરરૂપે જ પોતાને માને છે; અહીં આચાર્યપ્રભુ સમજાવે છે કે અરે જીવ! તું શરીરરૂપે થઈ ગયો નથી. જુદ
જુદા અનંત શરીરો ધારણ કર્યા ને છૂટયા છતાં તારો આત્મા તો તે ને તે જ રહ્યો છે. મનુષ્ય અવતાર વખતે તું
કાંઈ મનુષ્ય શરીરરૂપે થઈ ગયો નથી, તું તો તારા જ્ઞાનાદિ અનંત ધર્મોથી એકરૂપ છો. શરીરો અનંત બદલાઈ
ગયા પણ તારા સ્વરૂપના ધર્મો કાંઈ બદલી ગયા નથી. અનંતકાળ પહેલાંં તારામાં જે જ્ઞાનાદિ નિજધર્મો હતા તે
જ જ્ઞાનાદિ નિજધર્મોમાં અત્યારે પણ તું રહ્યો છે, માટે તારા નિજધર્મોને દેખ.
શરીર તો એક જાય ને બીજું આવે, વળી તે જાય ને ત્રીજું આવે, કોઈ પણ શરીર સળંગપણે રહેતું નથી,
ને આત્મા તો સળંગપણે બધા શરીરોમાં એક ને એક રહે છે. આત્મા તો પોતાના જ્ઞાનધર્મમાં રહેલો છે ને શરીર
તો અચેતન–જડ ધર્મમાં રહેલું છે, એટલે આત્મા તો જાણનાર ધર્મવાળો છે, ને શરીર તો કંઈ પણ ન જાણે એવા
જડધર્મવાળું છે; આ રીતે બંનેના ધર્મો પ્રગટ ભિન્ન ભિન્ન છે. પોતાના જ્ઞાનધર્મથી તે તે વખતના શરીરને જાણતાં
‘આ શરીર જ હું છું’ એમ માનીને અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનધર્મને ભૂલી જાય છે. દેહને જાણવાનો આત્માનો
સ્વભાવ છે પણ પોતે દેહરૂપે થઈ જાય–એવો આત્માનો સ્વભાવ નથી. પોતે તો પોતાના જ્ઞાનાદિ સ્વભાવરૂપ
ધર્મમાં જ રહે છે.
અહીં શરીરની વાત લીધી છે તે પ્રમાણે બધા પદાર્થોનું પણ સમજી લેવું. હાથીને જાણતાં આત્મા હાથી
થઈ જતો નથી, કીડીને જાણતાં આત્મા કીડી

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
થઈ જતો નથી, તેમજ લીમડાને જાણતાં આત્મા લીમડા જેવો કડવો થઈ જતો નથી ને આંબાને જાણતાં આત્મા
આંબા જેવો મીઠો થઈ જતો નથી; ભિન્ન ભિન્ન અનેક જ્ઞેયોને જાણવા છતાં પોતે તો પોતાના જ્ઞાનધર્મરૂપે જ રહે
છે. અજ્ઞાની પોતાના જ્ઞાનધર્મને ભૂલીને, જે જે પરજ્ઞેયોને જાણે તેને જ પોતાનું સ્વરૂપ માની લ્યે છે.
હજી તો એક આથી પણ સૂક્ષ્મ વાત છે કે અનાદિથી જીવ રાગ–દ્વેષ–મોહ કરતો આવે છે છતાં જીવનો
સ્વભાવ તે રૂપ થઈ ગયો નથી. જેમ શરીરો અનેક ધારણ કર્યા છતાં આત્મા શરીરમય થઈ ગયો નથી, તેમ
પોતાની અવસ્થામાં ક્ષણે ક્ષણે અનાદિથી રાગાદિ કરતો આવે છે છતાં આત્માનો સ્વભાવ રાગમય થઈ ગયો
નથી. ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં હર્ષ ને ઘડીકમાં ગમગીની, ઘડીકમાં અશુભ ને ઘડીકમાં શુભ–એમ
અનાદિકાળથી જુદા જુદા વિકારીભાવો બદલાયા કરે છે, એક ને એક વિકારીભાવ સળંગપણે રહેતા નથી, પણ
આત્મા પોતાના અનંતધર્મો સહિત સળંગપણે અનાદિ–અનંત એકરૂપ વર્તે છે, માટે વિકાર તેનું વાસ્તવિક સ્વરૂપ
નથી. અનંતધર્મોમાં વ્યાપવાપણું ત્રિકાળ છે તે જ વાસ્તવિક સ્વરૂપ છે. આવા સ્વરૂપને ઓળખે તો પર્યાયમાંથી
રાગાદિનું વ્યાપવાપણું છૂટી જાય ને નિર્મળતા વ્યાપે.
અજ્ઞાની તો દેહરૂપે કે રાગરૂપે જ આત્માને અનુભવે છે, જ્ઞાની તો જ્ઞાન–આનંદ વગેરે અનંતધર્મોમાં
વ્યાપકપણે પોતાના આત્માને અનુભવે છે એટલે તેના અનુભવમાં જ્ઞાન–આનંદ વગેરે અનંત ધર્મોની શુદ્ધતાનું
વેદન છે. “મારા આત્મા સદાય દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે મારા નિજધર્મોમાં જ રહેલો છે” એમ શ્રદ્ધા
કરે તેને દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે બધાય ધર્મોનું શુદ્ધ પરિણમન થયા વિના રહે નહિ.
બે માણસો ભેગા થાય ત્યાં પૂછે છે કે “ક્યાં રહેવું? ” તેમ અહીં આત્માને કોઈ પૂછે કે “ક્યાં રહેવું? ”
–તો જ્ઞાની કહે છે કે “અમારા નિજધર્મોમાં રહેવું.” આત્મા પોતાના નિજધર્મોમાં જ રહે છે, નિજધર્મને છોડીને
આત્મા કદી બહાર રહેતો નથી. આત્મા શરીરમાં તો નથી રહ્યો, પણ એકલા રાગાદિમાં રહે તેને પણ ખરેખર
આત્મા કહેતા નથી. આત્મા તો પોતાના અનંતધર્મો અને તેની નિર્મળ પર્યાયોમાં રહેનાર છે. આવા સ્વરૂપે
ઓળખે તો જ આત્માને ઓળખ્યો છે.
પ્રશ્ન:– અત્યારે તો આત્મા શરીરમાં રહ્યો છે ને?
ઉત્તર:– અરે ભાઈ, અત્યારે પણ શું આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને છોડીને શરીરરૂપે થઈ ગયો છે? –
શરીરમાં આત્મા કઈ રીતે રહ્યો? શરીરનું એક વાર પૃથક્કરણ તો કરી જો! શરીર તો લોહી–માંસ–ચરબી વગેરે
સાત ધાતુનું ઢીંગલું છે, ને આ ભગવાન આત્મા તો ચૈતન્યધાતુનો પિંડ છે. એકબીજાના સંયોગમાં રહ્યા તેથી
આત્મા શરીરમાં રહ્યો એમ લોકો બોલે છે, પણ ખરેખર તો અત્યારે પણ આત્મા પોતાના ગુણ–પર્યાયરૂપ
ધર્મોમાં જ રહ્યો છે. પોતાના ધર્મોને આત્મા કદી પણ છોડતો નથી, ને શરીરાદિને આત્મા કદી પણ ગ્રહતો નથી.
સડેલું શરીર હો કે સર્વાંગસુંદર શરીર હો, નારકીનું શરીર હો કે દેવનું દિવ્ય શરીર હો, –તે કોઈ શરીરરૂપે
આત્મા થયો જ નથી, આત્મા તો એક જ ધારાવાહી સ્વરૂપે રહ્યો છે. શરીર તો અચેતન પુદ્ગલોથી રચાયેલું છે,
આત્મા કાંઈ અચેતન નથી, આત્મા તો ચૈતન્યમૂર્તિ છે. અચેતન–શરીરમાં ચૈતન્યમૂર્તિ આત્મા કેમ રહે? આત્મા
તો પોતાના ચૈતન્યધર્મમાં જ રહ્યો છે. અહો, દેહ અને આત્માનું આવું સ્પષ્ટ ભિન્નપણું હોવા છતાં, મોહને લીધે
અજ્ઞાની જીવને તેની ભિન્નતા દેખાતી નથી.
હનુમાનજી તે વાનરવંશના રાજકુમાર હતા, તેનું મૂળ નામ શ્રી શૈલકુમાર હતું. તેઓ કામદેવ હતા એટલે
છ ખંડમાં ઉત્તમ તેમનું રૂપ હતું. એ જ પ્રમાણે શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમાર પણ કામદેવ હતા, આદિનાથ
પ્રભુના પુત્ર બાહુબલિકુમાર પણ કામદેવ હતા, તેમને દેહથી ભિન્ન ચિદાનંદસ્વરૂપી આત્માનું ભાન હતું, છ ખંડમાં
રૂપાળું શરીર હોવા છતાં તે શરીરમાં આત્મબુદ્ધિ સ્વપ્નેય તેમને ન હતી, જેમ થાંભલાથી આત્મા જુદો છે તેમ
દેહથી પણ આત્માને અત્યંત જુદો જાણતા હતા; અમારો આત્મા આ રૂપાળા દેહમાં રહ્યો છે–એવી બુદ્ધિ સ્વપ્ને
પણ ન હતી, આત્માના સ્વધર્મના ભાનમાં દેહાદિથી તો ઉદાસ–ઉદાસ હતા, સ્વપ્નેય તેમાં સુખ ભાસતું ન હતું.
જેમ કોઈ મુસાફર રસ્તા ઉપરથી જતો હોય ત્યાં એક પછી એક ઝાડની છાયામાંથી પસાર થતો જાય છે, પણ હું
આ ઝાડની છાયારૂપે થઈ ગયો–એવી કલ્પના તેને થતી નથી; આંબા, અશોક, ચંપા, જાંબુડા, દ્રાક્ષ, સોપારી,
નાળિયેરી

PDF/HTML Page 10 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૯ :
વગેરે અનેક પ્રકારના ઝાડની છાયામાંથી પસાર થવા છતાં મનુષ્ય તો તેને તે જ એક સ્વરૂપે રહ્યો છે, તે કાંઈ
મનુષ્ય મટીને ઝાડની છાયારૂપે થઈ જતો નથી. તેમ સંસાર પરિભ્રમણમાં આત્મા એક પછી એક શરીરો ધારણ
કરે છે ને છોડે છે, અનેક શરીરોમાંથી પસાર થવા છતાં ‘હું આ શરીરરૂપે થઈ ગયો’ એવી કલ્પના પણ જ્ઞાનીને
થતી નથી. દેવ–મનુષ્ય–હાથી–બળદ વગેરે શરીરોમાંથી પસાર થવા છતાં આત્મા તો સોંસરવટ તેને તે જ
એકસ્વરૂપે રહ્યો છે, આત્મા ચેતન મટીને જડ શરીરરૂપે થઈ ગયો નથી. ભાઈ! આમ સ્પષ્ટપણે તારું સ્વરૂપ
દેહથી અત્યંત જુદું છે, તો જુદાને જુદારૂપે માનવામાં તને શું વાંધો આવે છે!! ! જેમ સડક ઉપર જતો માણસ
ઝાડના પડછાયા ઉપરથી ચાલ્યો જાય છે, ત્યાં તે માણસનો સ્વભાવ કોઈ છાયારૂપે થતો નથી. માણસ તો બધી
છાયાને ઓળંગીને સોંસરવો નીકળી જાય છે, તેમ અનાદિથી સંસાર–સડકમાં ચાલતો આત્મા એક પછી એક
અનેક શરીરોમાંથી પસાર થયો, પણ તે કદી કોઈ શરીરરૂપે થયો નથી, સદા સળંગપણે એક સ્વરૂપે પોતામાં જ
રહ્યો છે. બધાય આત્મામાં આવી શક્તિ છે કે તે સ્વધર્મમાં જ રહે છે. આવા નિજધર્મને જે ઓળખે તેને શરીરનો
સંબંધ છૂટીને અશરીરી મુક્તદશા થયા વિના રહે નહીં.
આત્મા શરીરના ધર્મમાં રહ્યો જ નથી, તો પછી શરીરની ક્રિયાઓ આત્મા કરે–એ વાત ક્યાં રહી? ભાષા
બોલાય તે શરીરનો ધર્મ છે, જીવનો નહિ.
પ્રશ્ન:– આમાં તો ક્રિયા ઊડી જાય છે?
ઉત્તર:– ના; જેની જે ક્રિયા છે તે સ્થપાય છે. જીવની ક્રિયાને જીવમાં સ્થપાય છે ને શરીરાદિ અજીવની
ક્રિયાને અજીવમાં સ્થપાય છે; એટલે અજીવની ક્રિયા જીવમાં માની લીધી છે તે વાત ઊડી જાય છે. શરીરની ક્રિયા
આત્મા કરે અથવા શરીરની ક્રિયાથી આત્માને ધર્મ થાય–એમ જેણે માન્યું તેણે આત્માને ‘સ્વધર્મવ્યાપક’ ન
માન્યો પણ જડ શરીરના ધર્મોમાં વ્યાપક માન્યો. એટલે કે આત્માને જડરૂપ માન્યો, ને જડને આત્મારૂપ માન્્યું,
જીવને અજીવ માન્યો અને અજીવને જીવ માન્યો–તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ તે જ અધર્મની મહાન્ ક્રિયા છે.
આત્મા તો જ્ઞાનાદિ સ્વધર્મોમાં જ રહેલો છે, ને શરીરથી તો જુદો જ છે–એમ બંનેના ધર્મોને ભિન્ન ભિન્ન
ઓળખીને, સ્વધર્મમાં વ્યાપક આત્માની શ્રદ્ધા કરવી તે અપૂર્વ સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વ થતાં આત્મા પોતાની
નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે; અને તે જ ધર્મની ક્રિયા છે.
શરીરાદિ જડ પદાર્થોમાં તો ત્રણ કાળમાં એક ક્ષણ પણ આત્મા વ્યાપ્યો જ નથી. અજ્ઞાનદશામાં રાગાદિને
જ નિજસ્વરૂપ માનીને તેમાં વ્યાપતો હતો, તે વખતે સ્વધર્મવ્યાપકશક્તિનું ભાન ન હતું. હવે, “મારા આત્માનો
સ્વભાવ તો મારા અનંતધર્મોમાં જ વ્યાપેલો છે, વિકારમાં કે પરમાં વ્યાપવાનો મારો સ્વભાવ નથી” –એવું
સમ્યગ્જ્ઞાન થતાં સાધક જીવ પોતાની નિર્મળ પર્યાયોમાં જ તન્મય થઈને તેમાં વ્યાપે છે, રાગાદિમાં પણ તે
તન્મય થઈને વ્યાપતો નથી; તેને રાગાદિ ટળીને અલ્પકાળમાં મુક્તદશા થઈ જાય છે.
પ્રશ્ન:– આત્મા તો સ્વ–ધર્મમાં સદાય રહેલો જ છે, તો પછી તેને ધર્મ કરવાનું કેમ કહો છો?
ઉત્તર:– જો ‘આત્મા સદાય સ્વધર્મમાં રહેલો છે’ એવું ભાન કરે તો તો તે જીવને પર્યાયમાં પણ
સમ્યગ્દર્શનાદિ ધર્મ થઈ જ જાય. દ્રવ્યસ્વભાવથી આત્મા ત્રિકાળ પોતાના જ્ઞાનાદિ ધર્મોમાં વ્યાપેલો છે, પરંતુ
અનાદિથી અજ્ઞાનીને તેનું ભાન નથી, તેથી પર્યાયમાં તેને નિજધર્મનો અનુભવ થતો નથી. માટે તેને કહે છે કે તું
તારા નિજધર્મને ઓળખીને તેનો અનુભવ કર, તો તને પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય.
સમયસારની ૧૮મી ગાથા પછીની ટીકામાં પણ આવી જ શૈલીનો પ્રશ્ન પૂછયો છે. જ્ઞાનસ્વરૂપ આત્માને
નિરંતર સેવવાનો (અનુભવવાનો) ઉપદેશ આપ્યો, ત્યાં શિષ્ય પૂછે છે કે–પ્રભો! આત્મા તો જ્ઞાન સાથે
તાદાત્મ્યરૂપે એકમેક છે, જુદો નથી, તેથી જ્ઞાનને સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ
આપવામાં આવે છે?
ત્યારે તેનું સમાધાન કરતાં આચાર્યદેવ કહે છે કે એમ નથી; જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે
તોપણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણકે સ્વયંબુદ્ધત્વ અથવા બોધિતબુદ્ધત્વ–એ કારણપૂર્વક
જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે કે સ્વભાવથી તો આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, પર્યાયમાં અનાદિથી
અજ્ઞાનને સેવી રહ્યો છે, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પર્યાયમાં તેનું સેવન કદી એક ક્ષણ પણ કર્યું નથી. અને
જ્યાં સુધી પર્યાયમાં જ્ઞાનસ્વભાવનું સેવન ન કરે ત્યાં સુધી તે આત્મા અજ્ઞાની છે; જ્યારે અંતર્મુખ થઈને
પર્યાયને જ્ઞાનસ્વભાવમાં એકાકાર કરીને તેનું સેવન (શ્રદ્ધા–જ્ઞાનલીનતા) કરે ત્યારે આત્મા જ્ઞાની થાય છે. એ
રીતે પર્યાયમાં જ્ઞાન નવું પ્રગટે છે. તેમ અહીં આત્માને સ્વધર્મવ્યાપક કહ્યો તેમાં પણ એ

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
પ્રમાણે સમજવું. સ્વભાવથી પોતાના સ્વધર્મમાં ત્રિકાળ વ્યાપેલો હોવા છતાં તેનું ભાન કરે ત્યારે પર્યાયમાં તેનું
નિર્મળ પરિણમન થાય અને પર્યાયમાં ધર્મ પ્રગટે. આ રીતે નિર્મળ પર્યાયને સાથે ભેળવીને આ શક્તિઓનું
વર્ણન છે–તે વાત ઘણી વાર સ્પષ્ટ કરવામાં આવી છે. નિર્મળ પર્યાયને સાથે ભેળવ્યા વગર શક્તિની પ્રતીત કરી
કોણે? પ્રતીત કરવાનું કાર્ય તો નિર્મળ પર્યાયમાં જ થાય છે; એટલે નિર્મળ પર્યાય ભેગી ભેળવીને પ્રતીત કરે તેને
જ આત્માની સાચી પ્રતીત થાય છે. પર્યાયમાં જરા પણ નિર્મળતા થયા વગર એકલી શુદ્ધ શક્તિની પ્રતીત કરવા
જાય તો તેને સાચી પ્રતીત થતી નથી, પણ એકાંત થઈ જાય છે.
આત્મા પોતાના સ્વધર્મમાં જ વ્યાપક છે, તેને કોઈ પરની સાથે સંબંધ નથી. અજ્ઞાનીઓ એમ કહે છે કે
ભેંસ મરી ગઈ હોય ને તેના ચામડાની ગોફણ બનાવીને કોઈક હિંસા કરે તો તેનું પાપ ભેંસના જીવને પણ
લાગે. –જુઓ, આ મૂઢ જીવોની વાત! તેણે તો આત્માને શરીરના ધર્મરૂપ થઈ ગયેલો જ માન્યો છે. જ્યારે
ભેંસનો આત્મા તે શરીરમાં હતો ત્યારે પણ તે શરીરની ક્રિયાના કારણે તેને પાપ નહોતું લાગતું. શરીરના ચામડા
આત્માએ ક્યારે કર્યાં છે કે તેનું પાપ આત્માને લાગે? શરીર આત્માને કારણે થયું નથી, પણ પરમાણુની રચના
છે, આત્માનો ધર્મ કે પાપ–પુણ્ય તે શરીરમાં નથી રહેતા. શરીરરહિત આત્મા ત્રિકાળ પોતાના સ્વરૂપમાં છે તેને
જાણ્યા વગર શરીરાદિને ખરેખર ‘વોસરાવી’ શકાય નહિ. “કાયાથી કરેલા પાપને હું વોસરાવું છું” –એ તો
ચૈતન્યસ્વભાવના ભાનપૂર્વક કાયા તરફનું લક્ષ છૂટી જાય તેની વાત છે. તેને બદલે અજ્ઞાની તો શરીરથી જ પાપ
થવાનું માને છે ને શરીરને હું વોસરાવું (છોડું) એમ માને છે, એટલે તે ખરેખર શરીરને વોસરાવતો નથી પણ
ઉલટો શરીર સાથે એકતાબુદ્ધિ કરીને મિથ્યાત્વને સેવે છે, ને આત્માના સમ્યગ્દર્શનાદિ ધર્મને વોસરાવે છે. ભાઈ,
પહેલાંં કાયા સાથેની એકત્વબુદ્ધિ તો છોડ, ને કાયાથી ભિન્ન આત્માને તો જાણ, –પછી તને ખબર પડશે કે
કાયાને વોસરાવવી એટલે શું? કાયા તે જ હું–એમ કાયાને જે પોતાની માને તે કાયાને વોસરાવશે ક્યાંથી? કાયા
તે હું નથી, હું તો મારા જ્ઞાનાદિ અનંતધર્મોમાં જ રહેલો છું, કાયાપણે હું કદી થયો જ નથી, કાર્મણકાયમાં પણ હું
કદી રહ્યો નથી, હું તો મારી ચૈતન્યકાયામાં જ સદાય રહ્યો છું–આ પ્રમાણે દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વનું જે જ્ઞાન કરે
તેણે શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ કાયાને વોસરાવી દીધી; માટે હે જીવ! શરીરથી અત્યંત ભિન્ન અને પોતાના અનંત
ધર્મોથી સદાય અભિન્ન એવા તારા સ્વભાવને એવો નક્કી કર કે જેથી શરીરનો સંબંધ છૂટીને અશરીરી સિદ્ધદશા
થયે છૂટકો થાય.
શરીર તે આત્માનું વાસ્તુ કે રહેઠાણ નથી, જ્ઞાનાદિ અનંતધર્મો તે જ આત્માનું વાસ્તુ છે, તેમાં જ
આત્માનું રહેઠાણ છે. અજ્ઞાની આવા અનંતધર્મોનું વાસ્તુ છોડીને જડ શરીરમાં પોતાનું રહેઠાણ માને છે, છતાં તે
પણ કાંઈ જડમાં તો રહ્યો નથી, તે પોતાના અજ્ઞાનભાવમાં રહ્યો છે. એક ઠેકાણે પાવૈયા લોકોમાં એવો રિવાજ કે
જ્યારે નવા મકાનનું વાસ્તુ લ્યે ત્યારે બધા ભેગા થઈને કૂટતા કૂટતા તે મકાનમાં જાય. –જુઓ, આ નપુંસકનું
વાસ્તુ!! તેમ અનંતધર્મસ્વરૂપ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેમાં વાસ કરવાના પુરુષાતનથી જે રહિત છે
એવા મૂઢ–અજ્ઞાની જીવો ચૈતન્યનું વાસ્તુ છોડીને, જડમાં ને વિકારમાં પોતાનો વાસ માની રહ્યા છે. તેને સમજાવે
છે કે અરે જીવ! તે તારો વાસ નથી, વિકારમાં વસવાનો તારો સ્વભાવ નથી, તારો સ્વભાવ તો તારા શ્રદ્ધા–
જ્ઞાન–આનંદ વગેરે અનંતધર્મોમાં વસવાનો છે; માટે તારા સ્વભાવને ઓળખીને તેમાં વાસ કર, –તેની શ્રદ્ધા–
જ્ઞાન–એકાગ્રતા કર; ને વિકારની વાસના છોડ. પોતાના અનંતધર્મોમાં પોતાનું વાસ્તુ છે તેને ન માનતાં, જડ
શરીર વગેરેમાં પોતાનો વાસ જે માને છે તે સ્થૂળ અજ્ઞાની છે તેને જૈનધર્મની ગંધ પણ નથી, તે તો અજૈનધર્મી
છે, એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે. સસલા જેવો પોચો કે મગર જેવો કઠણ, રીંછ જેવો કાળો કે હંસ જેવો ધોળો આત્મા
કદી થયો જ નથી, આત્મા તો પોતાના અનંત ધર્મોમાં જ રહ્યો છે. ‘અનંતધર્મોમાં આત્મા રહ્યો છે’ એમ કહેતાં
અનંત–ધર્મો અને તેમાં રહેનારો આત્મા–એમ જુદી જુદી બે ચીજ ન સમજવી, પરંતુ આત્મા પોતે જ
અનંતધર્મસ્વરૂપ છે; અનંતધર્મોથી ભિન્ન બીજું કાંઈ આત્મતત્ત્વ નથી. આવા અનંતધર્મસ્વરૂપ એકાકાર પોતાના
આત્માને ઓળખવો તે અનેકાન્ત છે ને તે અનેકાન્તનું ફળ પરમ અમૃત છે એટલે કે આત્માને ઓળખીને તેનો
અનુભવ કરતાં પરમ આનંદરૂપ અમૃતનો સ્વાદ અનુભવમાં આવે છે.
–પચીસમી સ્વધર્મવ્યાપકત્વ શક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 12 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૧ :
– પરમ શાંતિ દાતારી –
ધ્ત્
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર
પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના –
ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(૩)
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ–૪ સમાધિશતક ગા. ૩]
–એ પ્રમાણે પહેલાં શ્લોકમાં સિદ્ધ ભગવાનને તથા બીજા શ્લોકમાં અરહંત ભગવાનને નમસ્કાર કરીને
હવે ત્રીજા શ્લોકમાં શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે જે કેવળ સુખનો અભિલાષી છે એવા મોક્ષાર્થી જીવને માટે હું
કર્મમલથી વિભક્ત એવા સુંદર આત્માનું સ્વરૂપ કહીશ:–
श्रतेन लिंगेन यथात्मशक्ति–
समाहितान्तःकरणेन सम्यक्।
समीक्ष्य कैवल्यसुखस्पृहाणां
विविक्तमात्मानमथाभिधास्ये ।।३।।
શાસ્ત્રકાર શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે: હું શ્રુતથી એટલે કે કુંદકુંદભગવાન વગેરે પૂર્વાચાર્યોએ રચેલા
શાસ્ત્રોથી, તથા લિંગથી એટલે યુક્તિ–અનુમાનથી, અને આત્મશક્તિ અનુસાર ચિત્તની એકાગ્રતાથી સમ્યક્પ્રકારે
જાણીને તથા અનુભવીને, ભિન્ન આત્માનું સ્વરૂપ હવે કહીશ. કોને માટે કહીશ? કે જે જીવ કેવળ આત્માના
સુખનો જ અભિલાષી છે, વિષયોથી પાર એવા અતીન્દ્રિય ચૈતન્ય આનંદની જ જેને ભાવના છે, એવા ભવ્ય
જીવોને માટે હું ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ.
જુઓ, જેમના ચરણકમળ દેવોથી પૂજ્ય છે એવા પૂજ્યપાદસ્વામી પોતે આત્માનો અનુભવ કરતાં કરતાં
આ રચના કરે છે. તેઓ પંદર–પંદર દિવસના ઉપવાસ

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
કરતા, ને અનેક ઋદ્ધિઓ તેમને પ્રગટી હતી, મહાન્ બુદ્ધિના દરિયા હતા ને આત્માની શાંતિના અનુભવમાં લીન
હતા. આવા દિગંબર સંત કહે છે કે: અહો! જે જીવો આત્માના અતીન્દ્રિય સુખને ઝંખી રહ્યા છે તેમને માટે હું
કર્મથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીશ, કે જે આત્માને જાણતાં જરૂર અતીન્દ્રિય આનંદ થાય. આત્મા પોતે
અતીન્દ્રિય આનંદનો સાગર છે; જગતના અનંતકાળના ભવભ્રમણના દુઃખથી થાકીને જેને કેવળ આત્માના
સુખની જ સ્પૃહા જાગી છે–એવા ભવ્ય આત્માને માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ.
મારે મારા આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત કરવો છે, અને તે મને જરૂર પ્રાપ્ત થશે–એમ આત્માના
સુખને જે લેવા માંગે છે તેને આ વાત સમજાવે છે. ‘હું અભવ્ય હોઈશ, મને આત્માનો આનંદ નહિ મળે’ એવો
સંદેહ જેને ટળી ગયો છે, ને આનંદનો ઉપાય બતાવનાર દેવ–ગુરુ–શાસ્ત્રની આસ્થા થઈ છે, તેથી આત્માના
સુખનો અભિલાષી થઈને તેનો ઉપાય જાણવા આવ્યો છે, એવા આત્માને અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહીને
સુખનો ઉપાય બતાવે છે. દુઃખ તો ક્ષણિક પર્યાયમાં છે, તેનો નાશ થઈને સુખ પ્રગટ થશે;–ક્યાંથી? કે આત્માના
સ્વભાવમાં અતીન્દ્રિય સુખ છે તેમાંથી તે પ્રગટશે. સુખ વર્તમાનમાં નથી ને ત્રિકાળમાં છે–એમ અનેકાન્ત
જાણીને, જ્યાં ત્રિકાળ સ્વભાવની સન્મુખ થયો ત્યાં પર્યાયમાં પણ સુખ થયું ને દુઃખ ટળ્‌યું. પરથી ભિન્ન આત્માનું
સ્વરૂપ જાણીને તેની સન્મુખ થવું તે જ હિતનો ઉપાય છે, માટે હિતના કામી જીવને ભિન્ન આત્માનું સ્વરૂપ
આચાર્યદેવ બતાવે છે.
અહો શ્રોતા કેવા છે? કે જેને માત્ર આત્માના સુખની જ સ્પૃહા છે, જગતના બાહ્ય વિષયોની અભિલાષા
નથી; ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ’ –આવા પાત્ર શ્રોતાને સુખનો ઉપાય બતાવે છે– ‘જગત ઈષ્ટ
નહિ આત્મથી’ –એમ આત્માના અતીન્દ્રિય સુખ સિવાય જગતમાં બીજું કાંઈ જેને વહાલું નથી, કેવળ આત્માના
આનંદની જ જેને ભાવના છે, એવા ભવ્ય જીવોને માટે ભિન્ન આત્માનું સ્વરૂપ હું બતાવીશ–એમ શ્રી
પૂજ્યપાદસ્વામી કહે છે.
બાર અંગ–ચૌદ પૂર્વનો સાર એ છે કે કર્મથી ભિન્ન–સંયોગથી ભિન્ન, જ્ઞાનઆનંદસ્વરૂપ છે–તેનું લક્ષ કરવું
ને તેમાં ઠરવું. જેણે આવા આત્માનું લક્ષ કર્યું તેનો જન્મ સફળ છે. આવા લક્ષ વગર ભલે દ્રવ્યલિંગી સાધુ થાય
તો પણ તેનો જન્મ સફળ નથી. સુખ અને શાંતિ તો અંદરથી આવે છે કે બહારથી? અંતરના સ્વભાવમાં શાંતિ
છે તેમાંથી જ શાંતિ આવે છે, માટે તેનું લક્ષ કરવું તે જ સર્વ શાસ્ત્રનો સાર છે. અને જેણે એવું લક્ષ કર્યું તેનો
અવતાર સફળ છે.
સમયસારની પાંચમી ગાથામાં પણ આચાર્યદેવ કુંદકુંદ ભગવાને કહ્યું કે હું એકત્વ–વિભક્ત શુદ્ધ આત્માનું
સ્વરૂપ મારા નિજ વૈભવથી બતાવીશ. મને મારા ગુરુઓએ અનુગ્રહપૂર્વક જે શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો છે
તેનાથી, અને મારા આત્માના પ્રચુર સ્વસંવેદન વગેરેથી જે આત્મવૈભવ પ્રગટ્યો છે તે સર્વ વૈભવથી હું શુદ્ધ
આત્માનું સ્વરૂપ કહીશ. અહીં પણ પૂજ્યપાદસ્વામી કહે છે કે હું કર્માદિથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ.
અશુદ્ધતાને તો જગત અનુભવી જ રહ્યું છે, પણ શુદ્ધ આત્માને કદી જાણ્યો નથી, તેથી જે સુખનો અભિલાષી છે
તેણે તો શુદ્ધ આત્માનું સ્વરૂપ જ જાણવાયોગ્ય છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ જ આરાધ્ય છે. આ સમાધિશતકમાં જ
આગળ ૫૩ મી ગાથામાં કહેશે કે–જેને મોક્ષની અભિલાષા છે એવા જીવોએ તો જ્ઞાન–આનંદ–સ્વરૂપ આત્માની
જ કથા કરવી, બીજા અનુભવી પુરુષોને પણ તે જ પૂછવું, તે આત્મસ્વરૂપની જ ઈચ્છા અર્થાત્ પ્રાપ્તિની ભાવના
કરવી ને તેમાં જ તત્પર થવું, કે જેથી અવિદ્યામય એવી અજ્ઞાનદશા છૂટીને જ્ઞાનમય નિજપદની પ્રાપ્તિ થાય.
આત્માર્થીને પોતાના આત્મસ્વરૂપની વાત સિવાય બીજી વાતમાં રસ ન હોય... તેને તો સર્વ પ્રકારે એક
આત્મસ્વરૂપની જ પ્રાપ્તિનો ઉદ્યમ કર્તવ્ય છે.
વળી “યોગસાર” માં પણ કહે છે કે–વિદ્વાન્ પુરુષોએ આ એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ નિશ્ચલ મનથી
પઢવા યોગ્ય છે, તે જ ધ્યાન કરવા યોગ્ય છે, તે જ આરાધવા યોગ્ય છે, તે જ પૂછવા યોગ્ય છે, તે જ શ્રવણ
કરવા યોગ્ય છે, તે જ અભ્યાસવા યોગ્ય છે, તે જ ઉપાર્જન કરવા યોગ્ય છે, તે જ જાણવા યોગ્ય છે, તે જ કહેવા
યોગ્ય છે, તે જ પ્રાર્થના કરવા યોગ્ય છે, તે જ શિક્ષા યોગ્ય (વિનેય) છે, અને તે જ સ્પર્શવા યોગ્ય છે, –કે જેથી
આત્મા સદા સ્થિર રહે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૩ :
જુઓ, અહીં ઘણા બોલથી એક આત્માને જ સર્વ પ્રકારે ઉપાદેય કહ્યો છે.
જગતના જીવોને–જેને સુખ જોઈતું હોય તેણે–આ પરથી ભિન્ન શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય છે, તેને
જાણ્યા વિના સુખ કદી થાય નહિ. ચૈતન્યસ્વરૂપ આત્માની સન્મુખ થવું તે જ સુખનો ઉપાય છે, ને તે માટે જ
શાસ્ત્રોમાં સંતોનો ઉપદેશ છે. સર્વ ઉપદેશનું રહસ્ય શું? કે શુદ્ધ આત્માની સન્મુખ થઈને તેને જાણવો. તે જ સર્વ
શાસ્ત્રોનો સાર છે. આ સિવાય બહારના બીજા ઉપાયથી સુખ થવાનું જે કહેતા હોય તે ઉપદેશક પણ સાચા નથી,
ને તેનો ઉપદેશ તે હિતોપદેશ નથી. હિતોપદેશ તો આ છે કે તું તારા શુદ્ધ આત્માને જાણીને તેની સન્મુખ થા.
આગમથી, અનુમાનથી ને અનુભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણીને મારી શક્તિથી હું તે કહીશ; જેને
શુદ્ધાત્માની જિજ્ઞાસા છે–આત્માના આનંદની જિજ્ઞાસા છે–એવા ભવ્યજીવો આ શુદ્ધાત્માને જાણો. મને મારું સુખ
કેમ થાય, મારા આત્મામાં શાંતિનું વેદન કેમ થાય–એવી જેના અંતરની ઊંડી અભિલાષા છે તે જીવને અહીં શુદ્ધ
આત્માનું સ્વરૂપ સંભળાવે છે.
આગમમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું બતાવ્યું છે?
‘एको मे सासदो अप्पा णाणदंसणलक्खणो।
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।।’
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
મારો આત્મા એક શાશ્વત જ્ઞાનદર્શનલક્ષણરૂપ છે, ને
બાકીના સર્વે સંયોગલક્ષણરૂપ ભાવો મારાથી બાહ્ય છે.
આ રીતે કુંદકુંદાચાર્યદેવ વગેરે સંતોએ, નિયમસાર, સમયસારાદિ પરમ આગમોમાં શુદ્ધાત્માનું સ્વરૂપ જે
પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે જાણીને તેના અનુસાર હું શુદ્ધઆત્માનું સ્વરૂપ કહીશ.
વળી કહે છે કે હું લિંગ એટલે કે યુક્તિ અને અનુમાનવડે દેહાદિથી ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ. તે આ
પ્રમાણે: શરીરાદિથી આત્મા ભિન્ન છે કેમકે તે ભિન્ન લક્ષણથી લક્ષિત છે; જેઓ ભિન્ન લક્ષણવડે લક્ષિત થાય છે
તેઓ ભિન્ન હોય છે, –જેમકે જળ અને અગ્નિના લક્ષણ (શીત અને ઉષ્ણ) ભિન્ન ભિન્ન હોવાથી તેઓ પ્રસિદ્ધપણે
જુદા છે. આત્મા ઉપયોગસ્વરૂપથી લક્ષિત છે અને શરીરાદિ તેનાથી વિરુદ્ધ એવા અનુપયોગ–જડ સ્વરૂપે લક્ષિત
છે, તેથી તેને જુદાપણું છે. એ જ પ્રમાણે રાગાદિ ભાવોથી પણ જ્ઞાનની ભિન્નતા છે, કેમકે બંનેના લક્ષણ જુદા છે.
–ઈત્યાદિ પ્રકારે યુક્તિ તથા અનુમાનથી પણ હું ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ. –કોને? કે જે જીવ કેવળ
અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને.
[વર સ. ૨૪૮૨, વશખ વદ પચમ]

જે જીવ આત્માના અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને માટે હું શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ–એમ
પૂજ્યપાદસ્વામી આ ત્રીજી ગાથામાં પ્રતિજ્ઞા કરે છે. કઈ રીતે કહીશ? કે આગમથી, યુક્તિથી–અનુમાનથી અને
મારા અંતરના અનુભવથી મારી આત્મશક્તિ અનુસાર હું શુદ્ધ આત્માનું કર્માદિથી ભિન્ન સ્વરૂપ કહીશ. કોને માટે
કહીશ? કે જેને આત્માના સુખની અભિલાષા છે તેને માટે કહીશ.
મારો આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, મને મારો આનંદ કેમ પ્રાપ્ત થાય–એમ જેને ધગશ જાગી હોય
એવા જીવને સંબોધીને આત્માનું સ્વરૂપ હું કહીશ. જેને સંસારની કે પુણ્યની અભિલાષા છે એવા જીવોને તો
ભિન્ન આત્માનું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જ નથી, એટલે એવા જીવોને શ્રોતા તરીકે લીધા જ નથી.
મારે તો આત્માનો આનંદ જોઈએ છે, કર્મના સંબંધ વગરનો–ઈન્દ્રિયના વિષયોના સંબંધ વગરનો, કેવળ
આત્માનો અતીન્દ્રિય આનંદ મારે જોઈએ છે, –આવી જેને ઝંખના થઈ છે તેને માટે કર્માદિથી ભિન્ન આત્માનું
સ્વરૂપ બતાવે છે, કેમ કે એવા આત્માનું સ્વરૂપ જાણવાથી જ અતીન્દ્રિય સુખ થાય છે; માટે આગમથી, યુક્તિથી
ને અનુભવથી આવા શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવા યોગ્ય છે.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
અગમ:
મારો આત્મા એક શુદ્ધ જ્ઞાનદર્શન લક્ષણસ્વરૂપ છે, આ સિવાય જે બાહ્ય ભાવો રાગાદિ શરીરાદિ–છે તે
બધાય મારાથી ભિન્ન સંયોગ લક્ષણવાળા છે, –આ રીતે લક્ષણ દ્વારા પરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા આગમોમાં
બતાવ્યો છે, તે અનુસાર જાણીને હું તેનું વર્ણન કરીશ.
અનુમાન – યુક્તિ:
દેહ અને આત્મા ભિન્ન છે, કેમ કે બંનેના લક્ષણ ભિન્ન છે, જેનાં લક્ષણો જુદાં હોય તે ચીજો જુદી હોય છે,
જેમ કે અગ્નિ અને પાણી; આત્મા તો ઉપયોગ–લક્ષણી છે ને દેહાદિ તો ઉપયોગ રહિત અચેતન છે, માટે બંને
ભિન્નભિન્ન છે. કોઈને દેહ નાનો હોય છતાં બુદ્ધિ ઘણી હોય, ને કોઈને દેહ મોટો હોય છતાં બુદ્ધિ થોડી હોય–એમ
દેખાય છે; જો દેહ અને બુદ્ધિ ભિન્ન ભિન્ન ન હોય તો એમ બને નહિ. માટે દેહ તો જડ છે, ને બુદ્ધિ એટલે કે જ્ઞાન
તે તો આત્માનું લક્ષણ છે, એ રીતે દેહ અને આત્મા ભિન્નભિન્ન છે. –આ પ્રમાણે યુક્તિથી હું દેહાદિથી ભિન્ન
આત્માનું સ્વરૂપ કહીશ.
દેહાદિની ક્રિયાવડે આત્મા લક્ષિત નથી થતો, તેનાથી તો જડ લક્ષિત થાય છે. આત્મા તો જ્ઞાનલક્ષણ વડે
લક્ષિત થાય છે. –એ રીતે બંને ભિન્ન છે.
વળી અંદર રાગ–દ્વેષાદિ ભાવો થાય છે તે પણ ખરેખર આત્માના જ્ઞાનલક્ષણથી ભિન્ન છે; કેમ કે રાગદ્વેષ
તો આકુળતા લક્ષણવાળા છે, તે સ્વ–પરને જાણતા નથી, બહિરમુખ ભાવ છે, ને જ્ઞાનસ્વભાવ તો શાંત અનાકુળ
છે, અંતર્મુખ થવાનો તેનો સ્વભાવ છે, સ્વપરને જાણવાનો તેનો સ્વભાવ છે, આ રીતે ભિન્ન લક્ષણ દ્વારા
રાગાદિથી જ્ઞાનને ભિન્ન જાણીને, તે જ્ઞાનલક્ષણવડે આત્માને રાગાદિથી ભિન્ન ઓળખવો, સર્વ પ્રકારના લક્ષણવડે
અનુમાનથી–યુક્તિથી આત્માને દેહાદિથી જુદો ને રાગાદિથી જુદો જ્ઞાનદર્શનસ્વરૂપ નક્કી કરવો.
ચિત્તની એકાગ્રતા – અનુભવ
આગમથી અને યુક્તિથી જે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કર્યો તેમાં એકાગ્ર થઈને તેનો સાક્ષાત્
અનુભવ કર્યોં, –આવા અનુભવપૂર્વક હું ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ;–કોને? કે જે આત્માના આનંદનો
અભિલાષી છે તેને!
આ રીતે આગમથી યુક્તિથી ને અનુભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી.ા૩ા
સં તો નો સં દે શ
ધર્મ માટે બાહ્યસાધનોની શોધમાં ભટકતા જીવોને સંતોનો સંદેશ
છે કે –
હે જીવ શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ માટે તારા સ્વભાવ સિવાય
બીજા કોઈ સાધનો સાથે તારે ખરેખર સંબંધ નથી, શુદ્ધ – અનંત
શક્તિવાળો તારો જ્ઞાનસ્વભાવ જ તારા ધર્મનું સાધન છે, તેથી
સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિને માટે તું અનંતશક્તિસંપન્ન
તારા જ્ઞાનસ્વભાવને એકને જ સાધનપણે અંગીકાર કર. ને એના
સિવાય બીજા કોઈ પણ સાધને શોધવાની વ્યગ્રતા છોડ. આત્મા
સિવાય બીજા સાધને શોધવું તેમાં તારી પરતંત્રતા છે. સર્વપ્રકારે
સાધનરૂપ થઈને સ્વયં ધર્મરૂપે પરિણમવાને સમર્થ એવા તારા ‘સ્વયંભૂ
ભગવાન’ ને જ અંતર્મુખ થઈને શોધ. બીજાું કાંઈ શોધ મા!

PDF/HTML Page 16 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૫ :
ત્ િ િ !
આ તીર્થંકર ભગવાનો ટેલિફોન આવ્યો છે કે હે જીવ! તું દેહથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ છો. તારો આત્મા આનંદ સ્વભાવથી ભરેલો છે. તેનું ભાન કરતાં
અંતરમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેનું નામ ધર્મ છે; માટે તું તેનું ભાન કર.
[ધંધૂકામાં પૂ. ગુરુદેવનું પ્રવચન: કારતક વદ પાંચમ]


‘આ ‘પદ્મનંદી’ અધ્યાત્મશાસ્ત્ર છે.
આ દેહમાં રહેલો આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેને જાણીને જેઓ સર્વજ્ઞ થયા, તેમની વાણીમાં આત્માનું જે
વાસ્તવિક સ્વરૂપ કહ્યું તે સંતોએ આ અધ્યાત્મશાસ્ત્રમાં બતાવ્યું છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વગર
જીવ ચાર ગતિમાં અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. (૧)
આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના જીવ ચાર ગતિમાં અનંત દુઃખ પામ્યો. તે આત્મસ્વરૂપ જેમણે
સમજાવ્યું એવા શ્રી સદ્ગુરુભગવાનને નમસ્કાર હો.
ભાઈ! જ્ઞાનીઓએ જેવો ચિદાનંદ આત્મા બતાવ્યો છે તેવો જાણ્યા વગર આ ચોરાશી લાખ જીવયોનિમાં
તું બધા અવતાર કરી ચૂક્યો, ને તેમાં તું બહુ દુઃખી થયો. જુઓ, પૈસા વગર દુઃખી થયો–એમ ન કહ્યું, પણ
આત્મજ્ઞાન વગર જ દુઃખી થયો. અજ્ઞાનને લીધે ચાર ગતિના અનંત દુઃખ ભોગવ્યા, માટે હે જીવ! હવે
સત્સમાગમે આત્માની સમજણ કર.
અહીં કહે છે કે જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. કદાચિત્ શાસ્ત્રજ્ઞાન કરે છે તોપણ અંતરના
આત્મતત્ત્વને જાણ્યા વગર તે સંસારમાં જ રખડે છે. ભાઈ, લક્ષ્મી તને અનંતવાર મળી, મોટો રાજા અને દેવ
પણ તું અનંત વાર થયો, અને તેં શાસ્ત્રજ્ઞાન પણ અનંતવાર કર્યું પણ શાસ્ત્રોએ કહેલા ચૈતન્યતત્ત્વને તેં કદી
જાણ્યું નહિ.
भ्रमतोऽपि सदा शास्त्रजाले महति केचन।
न विदन्ति परं तचं दारुणीव हुताशनम्।।५।।
જેમ લાકડામાં અગ્નિ રહેલો છે તેમ દેહમાં આ ચૈતન્યતત્ત્વ રહેલું છે; પરંતુ અજ્ઞાની જીવ અનેક શાસ્ત્રો
ભણવા છતાં પોતાના ભ્રમને લીધે આવા પરમ ચૈતન્ય–તત્ત્વને જાણતો નથી.
જુઓ, આ સર્વજ્ઞદેવ–તીર્થંકર ભગવાનનો ટેલિફોન છે. બહારમાં વેપારનો ટેલિફોન આવે ત્યાં હોંસથી
દોડે છે, તો આ તીર્થંકર ભગવાનનો ટેલિફોન–સંદેશો સંતો સંભળાવે છે કે–હે જીવ! તું દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
છો, તેનું ભાન કર. આ વાતનું શ્રવણ પણ જીવને દુર્લભ છે. સમયસારમાં કહે છે કે–

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
શ્રુત પરિચિત અનુભૂત સર્વને
કામ–ભોગ–બંધનની કથા
પરથી જુદા એકત્વની
ઉપલબ્ધિ કેવળ સુલભ ના. (પ)
આત્માનો અનુભવ કરતાં જે અતીન્દ્રિય શાંતિનું વેદન થાય છે તેની ઝાંઈ પણ જીવને કદી આવી નથી.
આત્માને બંધન કરનારી એવા વિષય–કષાયોની જ કથા સાંભળી છે, તેનો જ પ્રેમ અને પરિચય કર્યો છે; પણ
અનંત જન્મમરણનો જેનાથી અંત આવે–એવા ચૈતન્ય સ્વરૂપની વાત જીવે કદી પ્રેમથી સાંભળી નથી, તેનો
પરિચય કર્યો નથી, તેથી તે દુર્લભ છે. જીવે ક્યારેક શાસ્ત્રોનું ભણતર કર્યું તો તે પણ વેદીયાની જેમ ભણી ગયો,
પણ તેના મર્મને ન સમજ્યો. જેમ લાકડામાં અગ્નિ છે તે ઈન્દ્રિયોથી દેખાતો નથી પણ જ્ઞાનથી જ તેનો નિર્ણય
થાય છે; તેમ આ દેહરૂપી લાકડામાં ચૈતન્યજ્યોત આત્મા રહેલો છે, તે આત્મા ઈન્દ્રિયોવડે ન દેખાય, પણ
અંતરના જ્ઞાનવડે જ તે ઓળખાય છે. આવા આત્મસ્વરૂપને ઓળખ્યા વગર જીવ અનંત દુઃખ પામ્યો છે.
સત્સમાગમે આત્માના આનંદસ્વરૂપનું વારંવાર શ્રવણ કરીને તેનો પ્રેમ અને નિર્ણય કરવો જોઈએ. જીવે પૂર્વે
બધું કર્યું છે પણ આત્માને સમજવાની કદી દરકાર કરી નથી.
જ્ઞાન અને આનંદની સત્તા મારા આત્મામાં છે, બહાર નથી. આવા આત્માના લક્ષ વગર શાસ્ત્રો ભણવા
છતાં અજ્ઞાની જીવ સંસારમાં જ રખડે છે. ખરેખર તો તે શાસ્ત્રને ભણ્યો જ નથી. શાસ્ત્રો તો જ્ઞાનાનંદસ્વરૂપ
આત્મા દર્શાવે છે, તેને જો ઓળખે તો જ શાસ્ત્રને ખરેખર ભણ્યો કહેવાય.
આત્મા દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છે. જેમ શ્રીફળમાં સફેદ મીઠું ટોપરું છે તે ઉપરના છાલાથી, અંદરની
કાચલીથી તથા રાતી છાલથી જુદું છે, તેમ આ આત્મા જ્ઞાન અને આનંદનું શ્રીફળ છે; તે દેહરૂપી છાલાથી ભિન્ન
છે, અંદરના કર્મરૂપી કાચલાંથી પણ ભિન્ન છે ને રાગરૂપી રતાશથી પણ તે ભિન્ન છે. આવા આત્માનો અનુભવ
કરતાં અંદરમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેનું નામ ધર્મ છે.
वस्तुस्वभावः धर्मः એમ ભગવાને કહ્યું છે;
આત્માનો આનંદ સ્વભાવ છે. તે આનંદનું વેદન થાય તેનું નામ ધર્મ છે.
જુઓ, ભાઈ! ધર્મની આ વ્યાખ્યા અલૌકિક છે. લોકો પુણ્યને ધર્મ માની રહ્યા છે, તેનાથી આ વ્યાખ્યા
જુદી છે. પુણ્ય અનંતવાર તું કરી ચૂક્યો પણ તે ધર્મનું સ્વરૂપ કદી જાણ્યું નથી. ભાઈ, તું વિચાર તો કર કે અનંત
કાળથી સંસારમાં રખડતાં તેં શું કર્યું? શું તેં એકલા પાપ જ કર્યાં છે? –ના; પાપ તેમજ પુણ્ય પણ તેં અનંતવાર
કર્યાં; છતાં હજી જન્મમરણથી તારો છૂટકારો ન થયો. એક સેકંડ પણ જો ધર્મ કરે તો અલ્પકાળમાં જન્મમરણથી
છૂટકારો થયા વિના રહે નહિ. જન્મ–મરણથી છૂટકારો કેમ થાય તેની આ વાત છે. આ સમજવું તારે બાકી રહ્યું
છે.
શાસ્ત્રોનું ભણતર જુદી ચીજ છે ને અંતરમાં આત્માનો અનુભવ જુદી ચીજ છે. શાસ્ત્ર ભણતર પણ જીવે
અનંતવાર કર્યું, પણ વાસ્તવિક આત્મા શું ચીજ છે તેનો અનુભવ કદી કર્યો નથી; રાગનો જ અનુભવ કર્યો છે.
અજ્ઞાની પૈસા વગેરેમાં સુખ માનીને મમતા કરે છે, તે મમતાના દુઃખનું વેદન તેને પોતામાં થાંય છે, પણ પૈસા
કાંઈ તેના આત્મામાં આવી જતા નથી, તે તો બહાર જ રહે છે. લોકો કહે છે કે “આની પાસે કરોડ રૂપીયા છે.”
જ્ઞાની કહે છે કે એની પાસે કરોડ રૂપીયા નથી પણ કરોડ રૂપીયાની મમતા તેની પાસે છે. કરોડ રૂપીયા તે તો જડ
પુદ્ગલ છે, તે કાંઈ આત્મામાં આવતા નથી.
જીવે બહારના પદાર્થોની સમજણ કરી, –હીરા મોતીની કિંમત કરી, પણ અંતરમાં આત્મા શું ચીજ છે,
ચૈતન્ય હીરો કેવો છે–તેની કિંમત કદી જાણી નથી.
આજે વિહારનો પાંચમો દિવસ છે ને આ પાંચમી ગાથા વંચાય છે. પદ્મનંદી સ્વામી આ પાંચમી ગાથામાં
કહે છે કે–અરે પ્રભો! જેમ લાકડામાં અગ્નિ ભરેલો છે તેમ તારા આત્મામાં આનંદ ભર્યો છે. બહારમાં ક્યાંય તારો
આનંદ નથી. અરે, ચૈતન્યને ચૂકીને જેને બાહ્ય પદાર્થોમાં રસ પડ્યો છે તેઓ ચૈતન્યના અપૂર્વ આનંદને જાણતા
નથી. ભગવાન કહે છે કે તારો આત્મા પણ મારા આત્મા જેવો જ છે; ભગવાન થવાની તારામાં તાકાત છે; માટે
તું એક વાર તારા આત્માની ઓળખાણ

PDF/HTML Page 18 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૭ :
કર. અનંતકાળે આત્માની સમજણનો આ અવસર આવ્યો છે, તેને બાહ્ય વિષયોમાં જે ગુમાવે છે તે તો આંધળા
જેવો મૂર્ખ છે.
એક આંધળો હતો; તેને એક ગામમાં પ્રવેશવું હતું; ગામને ફરતો ગઢ હતો ને અંદર જવાનું એક જ દ્વાર
હતું. આંધળાએ કોઈને પૂછયું કે ભાઈ!ં દરવાજો ક્યાં છે? તે ભાઈએ કહ્યું કે–જો ભાઈ! આ ગઢને હાથ
લગાડીને ચાલ્યા જાઓ, ચાલતાં ચાલતાં બારણું આવશે એટલે અંદર ચાલ્યા જાજો... આંધળાને ફરતાં ફરતાં
જ્યાં બારણું આવવાનું ટાણું થયું ત્યાં જ બરાબર ખંજવાળ આવી, ને ગઢ ઉપરનો હાથ ઉપાડીને ખંજવાળતો–
ખંજવાળતો ચાલ્યો ગયો... ને બારણું પાછળ રહી ગયું... તેથી પાછો ભટકવા લાગ્યો... તેમ અનાદિ કાળથી
સંસારમાં રખડતા આ જીવને મનુષ્ય અવતારમાં સત્ સમજીને મુક્તિપુરીમાં પ્રવેશવાનું ટાણું આવ્યું.... સંતોએ
તેને મુક્તિમાં પ્રવેશવાનું દ્વાર દેખાડયું... પણ મૂઢ અજ્ઞાની જીવ આંધળાની જેમ વિષય કષાયોની ખંજવાળમાં
જીવન વીતાવી દે છે ને મુક્તિનો આ અવસર ગુમાવી દે છે, માટે સંતો કહે છે કે–અરે ભાઈ! અનંત અનંત
અવતારના દુઃખથી છૂટવાનું આ ટાણું આવ્યું છે; તો હવે દેહાદિથી ભિન્ન એવા તારા પરમતત્ત્વને સત્સમાગમે તું
જાણ.
જેમ લાકડામાં અગ્નિ છે, પણ તે કાઈ લાકડાને કાપવાથી નથી નીકળતી, કે આંખથી નથી દેખાતી. તેને
માટે તો એક ચિનગારી જોઈએ. તેમ આ દેહમાં ચૈતન્યતત્ત્વ આનંદથી ભરેલું છે; પણ તે કાંઈ આંખથી નથી
દેખાતું, કે શરીરના કટકા કરવાથી તેમાં તે નથી દેખાતું, તે ચૈતન્યતત્ત્વ તો અંતરના જ્ઞાનદ્વારા જ ઓળખાય છે.
પરમ ચૈતન્યતત્ત્વને જાણ્યા વગર તેના આનંદનું વેદન થાય નહિ. જગતના આનંદથી ચૈતન્યનો આનંદ જુદી
જાતનો છે. આવા ચૈતન્યતત્ત્વને સાંભળવા માટે પણ જીવે રસ લીધો નથી. જરાક પ્રતિકૂળતા આવે ત્યાં ગમતું
નથી ને તેનાથી છૂટવા માંગે છે. પણ બાપુ! જેનાથી અનંત જન્મમરણની અનંતી પ્રતિકૂળતા સહન કરવી પડે–
એવા અજ્ઞાનને તો તું સેવી રહ્યો છે, માટે જો તું ખરેખર જન્મમરણના દુઃખથી છૂટવા ચાહતો હો તો અજ્ઞાન
છોડ, ને સત્સમાગમે આત્માનું જ્ઞાન કર. આત્માનું યથાર્થ જ્ઞાન કરવું તે જ જગતમાં ઉત્તમ માંગળિક છે, તેનાથી
જ પાપનો નાશ, ને પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. આવું માંગળિક તે જ ધર્મ છે; આવા માંગળિકના સાથિયા પૂર્યા
વગર આત્માના ભવનો અંત કદી આવતો નથી, માટે સત્સમાગમે આત્માનું જ્ઞાન કરીને આત્મામાં આવા
મંગળ–સાથિયા પૂરવા, તે ભવથી છૂટવાનો ઉપાય છે.

અહો, મોક્ષમાર્ગી મુનિવરોની દશા!!
એ તો પરમેશ્વરનો માર્ગ છે.
જૈન મુનિવરો પરમેશ્વરનો ભેટો કરવા નીકળ્‌યા છે.
“–પરમેશ્વરનો ભેટો કેમ થાય? ”

મુનિવરોને અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં તો પરમેશ્વરનો ભેટો થઈ ગયો છે, ને હવે અંતરમાં લીન થઈને પૂર્ણ–
આનંદી પરમેશ્વરપદને સાધી રહ્યા છે.
ભગવાનનો ભેટો કરવા નીકળેલા મોક્ષમાર્ગી મુનિવરો આનંદના સાગરમાં ઝૂલી રહ્યા છે, અંતરના
ચૈતન્ય દરીયામાં તેમને શાંતિની ભરતી આવી છે... આનંદનો સમુદ્ર ઊછળ્‌યો છે... રોમ રોમમાં સમાધિ પરિણમી
ગઈ છે. આવા મુનિ–અહો! જાણે કે ‘ચાલતા સિદ્ધ!ં’ –એવી એમની અદ્ભુત દશા છે.
મુક્તિસુંદરી કહે છે કે હું આવા શુદ્ધરત્નત્રયના સાધક મુનિવરોને જ વરું છું. આવા મોક્ષમાર્ગી મુનિવરો
જ મુક્તિસુંદરીના નાથ થાય છે. – ‘જય હો... એ મુક્તિસુંદરીના નાથનો.’

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
સમ્યક્ત્વના મહિમાસૂચક પ્રશ્નોત્તર
પ્રશ્ન:– જીવને અનાદિકાળથી દુર્લભ શું છે?
ઉત્તર:– કાળ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને ભવસમુદ્ર પણ અનાદિ છે; પરંતુ અનાદિકાળથી
ભવસમુદ્રમાં રખડતા આ જીવે બે વસ્તુ કદી પ્રાપ્ત કરી નથી–એક તો શ્રી જિનસ્વામી અને બીજું સમ્યક્ત્વ. તેથી
તે દુર્લભ છે.
(–પરમાત્મપ્રકાશ: ૨–૧૪૩)
પ્રશ્ન:– જ્ઞાન અને ચારિત્રની શોભા શેનાથી છે?
ઉત્તર:– વિશેષ જ્ઞાન કે ચારિત્ર ન હોવા છતાં, જો એકલું માત્ર સમ્યગ્દર્શન જ હોય તો પણ તે પ્રશંસનીય
છે. પરંતુ મિથ્યાત્વરૂપી ઝેરથી દુષિત થયેલા જ્ઞાન કે ચારિત્ર પ્રશંસનીય નથી. (–જ્ઞાનાર્ણવ ૬–૫૫)
પ્રશ્ન:– શું એકલું પ્રશંસનીય છે?
ઉત્તર:– વિશેષ જ્ઞાન–ચારિત્ર ન હોય તોપણ, એકલું સમ્યગ્દર્શન પણ પ્રશંસનીય છે.
પ્રશ્ન:– કયા જ્ઞાન અને ચારિત્ર પ્રશંસનીય નથી?
ઉત્તર:– સમ્યગ્દર્શન વિના, મિથ્યાત્વરૂપી ઝેરથી દુષિત થયેલા જ્ઞાન કે ચારિત્ર પ્રશંસનીય નથી.
પ્રશ્ન:– ભવકલેશનો ભાર હળવો કરવાનું ઔષધ શું છે?
ઉત્તર:– સૂત્રજ્ઞ આચાર્યદેવોએ કહ્યું છે કે, અતિ અલ્પ યમ–નિયમ–તપ વગેરે હોય તોપણ, જો તે
સમ્યગ્દર્શન સહિત હોય તો ભવસમુદ્રના કલેશના ભારને હળવો કરવાની તે ઔષધિ છે.
(–જ્ઞાનાર્ણવ ૬–૫૬)
પ્રશ્ન:– કોણ મુક્ત છે?
ઉત્તર:– શ્રી આચાર્યદેવ કહે છે કે જેને દર્શનની વિશુદ્ધિ થઈ ગઈ છે તે પવિત્ર આત્મા મુક્ત જ છે એમ
અમે માનીએ છીએ; કેમકે દર્શનશુદ્ધિને જ મોક્ષનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. (–જ્ઞાનાર્ણવ ૬–૫૭)
પ્રશ્ન:– શેના વિના જીવ મુક્તિ નથી પામતો?
ઉત્તર:– જેઓ જ્ઞાન અને ચારિત્રના પાલનમાં પ્રસિદ્ધ થયા છે એવા જીવો પણ, આ જગતમાં
સમ્યગ્દર્શન વગર મોક્ષને પામી શકતા નથી. (–જ્ઞાનાર્ણવ ૬–૫૮)
પ્રશ્ન:– આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવને કોણ નથી પામી શક્યા?
ઉત્તર:– આ પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ ભેદજ્ઞાન વગર કદી ક્યાંય કોઈપણ તપસ્વી કે શાસ્ત્રજ્ઞ પામી
શક્યા નથી; ભેદજ્ઞાનથી જ શુદ્ધચૈતન્ય સ્વભાવની પ્રાપ્તિ થાય છે. (–તત્ત્વજ્ઞાનતરંગિણી ૮–૧૧)
પ્રશ્ન:– કર્મસમૂહનો ક્ષણમાત્રમાં ક્ષય કોણ કરે છે?
ઉત્તર:– ભેદ વિજ્ઞાની મહાત્મા ચૈતન્યસ્વરૂપના પ્રતિઘાતક એવા કર્મોના સમૂહનો ક્ષણમાત્રમાં ક્ષય કરી
નાંખે છે; કેવી રીતે? –કે જેવી રીતે અગ્નિ ઘાસના ઢગલાને ક્ષણ માત્રમાં ભસ્મ કરી નાંખે છે તેવી રીતે.
(–તત્ત્વજ્ઞાનતરંગિણી ૮–૧૨)
પ્રશ્ન:– મોક્ષાર્થી જીવે અત્યંત ભાવવાયોગ્ય શું છે?
ઉત્તર:– સંવર તથા નિર્જરા સાક્ષાત્ પોતાના આત્માના જ્ઞાનથી થાય છે, અને આત્મજ્ઞાન ભેદજ્ઞાનથી
થાય છે, માટે મોક્ષાર્થી જીવોએ તે ભેદજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે. (–તત્ત્વજ્ઞાનતરંગિણી ૮–૧૪)
ભેદજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધઆત્મતત્ત્વની પ્રાપ્તિથી સાક્ષાત્ સંવર સંપ્રાપ્ત થાય છે;
માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવનીય છે. (–સમયસાર, કળશ ૧૨૯)
પ્રશ્ન:– મનુષ્ય હોવા છતાં પશુ જેવો કોણ છે?
ઉત્તર:– “नरत्वेऽपि पशुयन्ते मिथ्यात्वग्रस्तचेतः सः” –જેનું ચિત મિથ્યાત્વથી ઘેરાયેલું છે એવો
મિથ્યાદ્રષ્ટિ જીવ, મનુષ્યપણું હોવા છતાં પણ પશુ સમાન હિત–અહિતના વિવેક રહિત અવિવેકી આચરણ કરતો
હોવાથી પશુ છે.
(–સાગારધર્મામૂત–૪)

PDF/HTML Page 20 of 21
single page version

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૯ :
વેદન
પ્રશ્ન:– જ્ઞાનીને શેનું વેદન હોય છે?
ઉત્તર:– સાધકદશામાં જ્ઞાનીને આત્માના જ્ઞાન–આનંદનું વેદન હોય છે; હર્ષ–શોકનું અલ્પવેદન છે પણ
તેમાં એકતા–બુદ્ધિપૂર્વક તેનું વેદન નથી, તેથી તે વેદનની મુખ્યતા નથી.
પ્રશ્ન:– સર્વજ્ઞ પરમાત્માને શેનું વેદન છે?
ઉત્તર:– સર્વજ્ઞ પરમાત્માને પોતાના પરિપૂર્ણ જ્ઞાન આનંદનું જ વેદન છે, હર્ષ–શોકનું વેદન તેમને જરા
પણ નથી.
પ્રશ્ન:– અજ્ઞાનીને શેનું વેદન હોય છે?
ઉત્તર:– અજ્ઞાની જીવ હર્ષશોકથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદ–સ્વરૂપને જાણતો નથી, તેથી તે હર્ષ–શોકમાં જ
એકાકાર થઈને તેને જ વેદે છે; જ્ઞાન–આનંદનું વેદન તેને જરા પણ નથી. બાહ્ય સંયોગોને તો કોઈ પણ જીવ
વેદતો નથી.
પ્રશ્ન:– જ્ઞાનીને જ્ઞાન–આનંદનું વેદન, તેમજ હર્ષ–શોકનું પણ વેદન, એમ બંને વેદન હોવા છતાં ‘તેને
એકલા જ્ઞાન–આનંદનું જ વેદન છે ને હર્ષશોકનું વેદન નથી’ એમ કેમ કહ્યું?
ઉત્તર:– જેની સાથે અભેદતા છે તેનું જ વેદન છે, ને જેનાથી ભિન્નતા છે તેનું વેદન નથી–એ અપેક્ષાએ
જ્ઞાનીને જ્ઞાન આનંદનું વેદન જ છે, ને હર્ષશોકનું વેદન નથી એમ કહ્યું છે. જે જ્ઞાન–આનંદરૂપ નિર્મળ ભાવ
પ્રગટ્યો છે તેની સાથે આત્માની અભેદતા હોવાથી જ્ઞાની તેનો જ વેદક છે; અને જે હર્ષ–શોક થાય છે તેને
પોતાના સ્વભાવથી ભિન્નપણે જાણતો હોવાથી જ્ઞાની તેનો વેદક નથી. જેના ઉપર દ્રષ્ટિ પડી છે તેનું જ વેદન છે.
પ્રશ્ન:– આનંદનું વેદન કેમ થાય?
ઉત્તર:– મારો આત્મા જ્ઞાન–આનંદસ્વરૂપ છે, હર્ષ–શોકાદિ ભાવો મારા સ્વભાવથી જુદા છે, એવું ભેદજ્ઞાન
કરીને, અંતરના જ્ઞાન–આનંદસ્વરૂપ તરફ વળતાં આત્માના આનંદનું વેદન થાય છે. ભેદજ્ઞાન પછી સાધક
દશામાં જો કે અલ્પ હર્ષ–શોક થાય છે, છતાં શ્રદ્ધામાં તો વેદનનો એક જ પ્રકાર છે.
પ્રશ્ન:– “શ્રદ્ધામાં વેદનનો એક જ પ્રકાર છે” એટલે શું?
ઉત્તર:– ધર્મી જીવની દ્રષ્ટિ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ ઉપર છે ત્યાં તે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને એકને જ
વેદે છે, હર્ષાદિના વેદનને ધર્મીની દ્રષ્ટિ પોતામાં સ્વીકારતી નથી; માટે શ્રદ્ધા અપેક્ષાએ તો ધર્મીને એકલા આનંદનું
જ વેદન છે.
પ્રશ્ન:– ‘ચારિત્ર અપેક્ષાએ વેદનના બે પ્રકાર’ –કઈ રીતે?
ઉત્તર:– ધર્મી જીવને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવના ભાનપૂર્વક જેટલે અંશે તેમાં લીનતા થઈ છે તેટલે
અંશે તો આનંદનું વેદન છે, અને જેટલા હર્ષ–શોકરૂપ અસ્થિરતાના ભાવ છે તેટલું આકુળતાનું વેદન છે, એ રીતે
સાધક દશામાં વેદનના બંને પ્રકાર એક સાથે વર્તે છે.
પ્રશ્ન:– અજ્ઞાનીના વેદનમાં ક્યો પ્રકાર છે?
ઉત્તર:– અજ્ઞાની “હર્ષ–શોક વગેરે ભાવો તે જ હું” એવી એકત્વબુદ્ધિને લીધે એકાંત હર્ષ–શોકાદિ ભાવોને
જ વેદે છે. એટલે તેના વેદનમાં દુઃખનું જ એકલું વેદન છે.
પ્રશ્ન:– સર્વજ્ઞના વેદનમાં ક્યો પ્રકાર છે?
ઉત્તર:– સર્વજ્ઞના વેદનમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદનો એક જ પ્રકાર છે, હર્ષ શોકાદિનું વેદન તેમને જરાપણ
નથી. –આ રીતે વેદન બાબતમાં ચાર બોલ થયા.
પ્રશ્ન:– વેદન બાબતમાં ચાર બોલ કઈ રીતે થયા?
ઉત્તર:– (૧) સર્વજ્ઞને એકલું આનંદનું જ વેદન છે.
(૨) અજ્ઞાનીને એકલું દુઃખનું જ વેદન છે.
(૩) સાધક જ્ઞાનીને અંશે આનંદનું વેદન, તેમજ અંશે દુઃખનું પણ વેદન–એમ બંને વેદન છે.
(૪) સાધકને બંને વેદન હોવા છતાં દ્રષ્ટિ અપેક્ષાએ એકલું આનંદનું જ વેદન છે. હર્ષ–શોકાદિને પોતાના
સ્વભાવમાં એકપણે તે વેદતો જ નથી.
–આ રાતે વેદનના ચાર બોલ છે. તેમાંથી આ સમયસારની ૭૮મી ગાથામાં અત્યારે ચોથા બોલની વાત
ચાલે છે.
(–શ્રાવણ–પૂર્ણિમા–વાત્સલ્યદિને સ. ગા. ૭૮ના પ્રવચનમાંથી)