Atmadharma magazine - Ank 166
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૬૬
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
સંસારથી સંતૃપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
વર્ષ ૧૪ મું
અંક ૧૦ મો
શ્રાવણ
વી સં. ૨૪૮૩
૧૬૬
ઝ ગ ઝ ગ તો સૂ ર જ
જ્યાં નિઃશંકતા અને નિર્ભયતાથી ઝગઝગતો સમ્યક્ત્વરૂપી સૂરજ ઊગ્યો ત્યાં તે સૂરજનો
પ્રતાપ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે. સમકિતી અલ્પકાળમાં જ સર્વ કર્મનો ક્ષય કરીને
પરમ સિદ્ધપદને પામે છે, તે તેના સમ્યગ્દર્શનનો પ્રતાપ છે.
સમ્યગ્દર્શન શું સંયોગના અવલંબને થયું છે કે સંયોગ તેનો નાશ કરે? નહિ; સમ્યગ્દર્શન
તો સ્વભાવના અવલંબને થયું છે, તેથી જ્ઞાનસ્વભાવના અવલંબને ધર્મી નિઃશંકપણે વર્તે છે,
બાહ્યસંયોગના ભયથી તે કદી નિજસ્વરૂપમાં શંકિત થતા નથી.
–હવે પછી પ્રસિદ્ધ થનાર એક લેખમાંથી
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 25
single page version

background image
આત્મધર્મનું લવાજમ વધે છે
આત્મધર્મ માસિકનું વાર્ષિક લવાજમ જે આજ સુધી રૂા. ત્રણ લેવામાં આવતું હતું, તે
મોંઘવારી આદિ કારણોને અંગે આવતા વરસથી રૂા. ૪–૦–૦ (ચાર) લેવાનું નક્કી
કરવામાં આવેલ છે.
સૌ ગ્રાહક બન્ધુઓ સહકાર આપીને પોતાનું લવાજમ સમયસાર મોકલી આપશે
એવી આશા રાખીએ છીએ.
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
आत्मधर्मना ग्राहकोने
આત્મ–ધર્મસંબંધી જે કંઈ ફરિયાદ કરવાની હોય તે એક માસ સુધીમાં જ કરવી.
આત્મ–ધર્મ અંગેનો પત્ર–વ્યવહાર કરતી વખતે, ગ્રાહકોએ પોતાનો ગ્રાહક નંબરઅવશ્ય પ્રગટ કરવો.
આપણું આત્મધર્મ માસિક દરેક અંગ્રેજી મહિનાની આખર તારીખે પોસ્ટ કરવામાં આવતું હતું. એટલે તે
ગુજરાતી મહિનાની વદ અમાસ લગભગમાં આપને મળતું હતું શ્રાવણ માસનો આ અંક એ રીતે આપના તરફ
રવાના કરવામાં આવેલ છે.
હવે ભાદ્રપદ માસનો અંક આપના તરફ ભાદ્રપદ વદિ પાંચમના રવાના કરવામાં આવશે, અને ત્યારબાદ
આસો માસનો અંક આસો સુ. ૧૦ ના રવાના કરવામાં આવશે અને ત્યારબાદ નવા વરસમાં આપને આત્મધર્મ
વેલાસર મળે તે માટે દરેક ગુજરાતી માસના પહેલા અઠવાડીયામાં અંક રવાના કરવામાં આવશે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
*
પરમાત્માની ઘોષણા
ભગવાને સમવસરણમાં એવી દિવ્ય ઘોષણા કરી છે કે અહો જીવો! તમારા
આત્મામાં પરમાત્મશક્તિ ભરી છે, તે શક્તિનો વિશ્વાસ કરો. જે જીવો પોતાની
પરમાત્મશક્તિનો વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને પછી
તે પોતાની ચૈતન્યશક્તિમાં લીન થઈને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરે છે.
આ રીતે સર્વજ્ઞ પરમાત્માએ પરમાત્મા થવાનો માર્ગ બતાવ્યો છે.
*
પહેલાં જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની આત્મશક્તિના
અવલંબને અંતરાત્મા થઈને પરમાત્મા થયા.
*
વાર્ષિક લવાજમ રૂપિયા ચારઃઃઃ છૂટક નકલ પાંચ આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચૌદમું ઃ સમ્પાદકઃ શ્રાવણ
અંક દસમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
જિનાગમનો પ્રસિદ્ધ ઢંઢેરો
આ જિનાગમનો પ્રસિદ્ધ ઢંઢેરો છે કે મોક્ષ માટે જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરો.
શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવવડે જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે, ને તે અનુભૂતિને
જ ભગવાને મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
કલશ ૧૦પ માં આચાર્યદેવ કહે છે કે, આત્મા જ્ઞાનસ્વરૂપે પરિણમે તે જ મોક્ષનો હેતુ
છે, ને તેના સિવાય અન્ય જે કાંઈ છે તે બંધનો હેતુ છે; –
–ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।
માટે જ્ઞાનસ્વરૂપ થવાનું એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન છે.
જુઓ, આ જિનાગમનો હુકમ! જિનાગમની આજ્ઞા!
મુમુક્ષુએ એક શુદ્ધ જ્ઞાનના આલંબનથી, સહજ આનંદથી વિલસતું આ ચૈતન્યપદ
પ્રાપ્ત કરવા યોગ્ય છે.

PDF/HTML Page 5 of 25
single page version

background image
પૂ. શ્રી કાનજીસ્વામી
શું કહે છે?
પૂ. ગુરુદેવના ઉપદેશ સંબંધમાં
“શાસનપ્રભાવ” નામની પુસ્તિકામાં થોડું દિગ્દર્શન
કરાવવામાં આવ્યું છે; જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી
તે અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
(૧) સર્વજ્ઞની શ્રદ્ધા અને સમ્યગ્દર્શન
આપ ભારપૂર્વક કહો છો કે જેને ધર્મ કરવો હોય તેને સર્વજ્ઞની શ્રદ્ધા અવશ્ય હોવી જોઈએ. સર્વજ્ઞની શ્રદ્ધા
વિના સમ્યગ્દર્શન હોતું નથી અને સમ્યગ્દર્શન વગર સર્વજ્ઞની સાચી ઓળખાણ પણ હોતી નથી,–આ રીતે એ બંને
એકબીજાના સહભાવી છે, તેથી “ધર્મનું મૂળ સર્વજ્ઞ છે” એમ કહો અથવા “ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે” એમ કહો–
એ બંને એક જ છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારની ગા. ૮૦–૮૨ તેમને બહુ પ્રિય છે, તેમાં કહ્યું છે કે–જે જીવ દ્રવ્ય–
ગુણ–પર્યાયથી અરહંતદેવને ઓળખે છે તે જીવ પોતાના આત્માને પણ અવશ્ય ઓળખે છે અને તેનો દર્શનમોહ
અવશ્ય ક્ષય થઈને તેને સમ્યગ્દર્શન થાય છે. પછી શુદ્ધોપયોગના બળથી રાગદ્વેષનો ક્ષય કરતાં ચારિત્રમોહનો પણ
ક્ષય થઈ જાય છે...બધાય તીર્થંકર ભગવંતોએ આ જ ઉપાયથી કર્મોનો ક્ષય કર્યો, અને આ જ પ્રકારનો ઉપદેશ કરીને
નિર્વાણ પામ્યા; તે અરહંત ભગવંતોને નમસ્કાર હો!
(૨) સમ્યક્ પુરુષાર્થ, સર્વજ્ઞનો નિર્ણય, અને ક્રમબદ્ધપર્યાય.
આ જગતમાં ‘સર્વજ્ઞ’ છે; સર્વજ્ઞે બધા પદાર્થોની ત્રણે કાળની પર્યાયો પ્રત્યક્ષ જાણી લીધી છે, અને એ જ
પ્રમાણે થવાનું પદાર્થનું સ્વરૂપ છે. આમાં કંઈ પણ ફેરફાર કરવાની જેની બુદ્ધિ છે તેને સર્વજ્ઞની શ્રદ્ધાનો, કે
વસ્તુસ્વરૂપના નિર્ણયનો, પુરુષાર્થ નથી. સર્વજ્ઞની શ્રદ્ધામાં અને વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવામાં સ્વસન્મુખ અપૂર્વ
પુરુષાર્થ છે. આવા પુરુષાર્થ વિના સર્વજ્ઞનો કે ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય કદી થઈ શકતો નથી.
સર્વજ્ઞની શ્રદ્ધામાં ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ આવી જ જાય છે, અને મોક્ષમાર્ગનો સમ્યક્ પુરુષાર્થ પણ
તેમાં આવી જ જાય છે. આ વિષય પૂ. ગુરુદેવના શ્રીમુખથી સાંભળીને જરૂર સમજવા યોગ્ય છે. “સર્વજ્ઞે જે દેખ્યું છે
તે જ થશે, તેમાં ફેરફાર નહિ થાય,–એ રીતે સર્વજ્ઞની ઓથ લેતાં તો પુરુષાર્થ ઊડી જાય છે”–આ માન્યતામાં ઘણી
ગંભીર ભૂલ છે. પૂ. ગુરુદેવ કહે છે કેઃ હે ભાઈ! શું તેં સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે? “આ જગતમાં સર્વજ્ઞ છે,–જેને ભવ
નથી, રાગ નથી, દ્વેષ નથી” એમ સર્વજ્ઞનો નિર્ણય કરવામાં રાગાદિથી ભિન્ન જ્ઞાનસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ પણ
આવી જ જાય છે; માટે પહેલાં તું સર્વજ્ઞનો નિર્ણય કર. સર્વજ્ઞનો નિર્ણય કરવાથી–(તેમાં જ્ઞાનસ્વભાવનો
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ આવી જ જાય છે.) તને ખબર પડશે કે તેમાં સમ્યક્ પુરુષાર્થ આવે છે કે નથી આવતો!
ઃ ૪ઃ
આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 6 of 25
single page version

background image
(૩) દેશનાલબ્ધિ
પૂ. ગુરુદેવ કહે છે કે એક વાર પણ જ્ઞાની ગુરુના ઉપદેશનું સીધું શ્રવણ કર્યા વગર કોઈ પણ જીવને
દેશનાલબ્ધિ થઈ શકતી નથી–એ જિનસિદ્ધાંતનો નિયમ છે. અજ્ઞાનીના ઉપદેશવડે કદી દેશનાલબ્ધિ થઈ શકતી નથી.
સમ્યક્ત્વપ્રાપ્તિને માટે દેશનાલબ્ધિમાં અજ્ઞાનીને નિમિત્ત માનવું અથવા તો એકલા શાસ્ત્રને નિમિત્ત માનવું તે એક
બહુ મોટી ભૂલ છે.
(૪) ચારિત્રમય મુનિદશાનો અચિંત્ય મહિમા
તેઓશ્રીના પ્રવચનમાં વારંવાર દિગંબર સંત મુનિવરો પ્રત્યે ભક્તિભરેલા ઉદગારો નીકળે છે. णमो लोए
सव्वसाहूणं પદનું જ્યારે તેઓ વિવેચન કરે છે ત્યારે શ્રોતાજનો મુનિવરોની ભક્તિથી ગદગદ રોમાંચિત થઈ જાય
છે ભગવાન કુંદકુંદાચાર્યદેવ, ધરસેનાચાર્યદેવ, વીરસેનાચાર્યદેવ, જિનસેનાચાર્યદેવ, સમન્તભદ્રાચાર્યદેવ,
નેમીચન્દ્રાચાર્યદેવ વગેરે દિગંબર સંતોનું સ્મરણ કરીને જ્યારે આપશ્રી ભક્તિથી કહો છો કે ‘અહો! છઠ્ઠા–સાતમા
ગુણસ્થાને આત્માના આનંદમાં ઝૂલનારા....ને...વનજંગલમાં વસનારા એ વીતરાગી સંત મુનિવરોની શી વાત
કરીએ!! અમે તો તેમના દાસાનુદાસ છીએ. હજી અમારી મુનિ દશા નથી, અત્યારે તો તેની ભાવના ભાવીએ છીએ.
એ મુનિદશાની તો શી વાત! પરંતુ એના દર્શન થવા તે પણ મહાધનભાગ્ય છે.
આપ સ્પષ્ટ કહો છો કે જિનશાસનમાં વસ્ત્રસહિત મુનિદશા કદી હોતી નથી, અને અંતરમાં આત્મજ્ઞાન વગર
એકલા દિગંબરપણાથી પણ મુનિપદ હોતું નથી. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત અંતરમાં લીનતારૂપ
ચારિત્રદ્વારા જ મુનિપદ હોય છે, અને જ્યારે આવું મુનિપદ થાય ત્યારે વસ્ત્રાદિકનો ત્યાગ પણ સહેજે હોય જ છે.
(પ) ઉપાદાન – નિમિત્ત
કોઈ પણ વસ્તુમાં પોતાની યોગ્યતાના સામર્થ્યથી જ્યારે કાર્ય થાય ત્યારે બીજા નિમિત્તની ઉપસ્થિતિ
નિયમરૂપે હોવા છતાં પણ, કાર્યમાં તેનું અકિંચિત્કરપણું છે; ઉપાદાન અને નિમિત્ત બંનેનું પરિણમન એકબીજાથી
સ્વતંત્ર છે–આ વાત તેઓ અનેક દ્રષ્ટાંત, યુક્તિ અને શાસ્ત્રીય પ્રમાણોથી સારી રીતે સમજાવે છે; અને કહે છે કે જીવ
નિમિત્તાધીન–પરાશ્રિત બુદ્ધિથી જ સંસારમાં ભટકી રહ્યો છે. નિમિત્તાધીન દ્રષ્ટિનું પરિણમન છોડીને પોતાના
સ્વાધીનસ્વભાવની સન્મુખ પરિણમન કરવું તે જ મુક્તિનો માર્ગ છે.
(૬) નિશ્ચય – વ્યવહાર
નિશ્ચય–વ્યવહાર સંબંધમાં પણ આપની વિવેચન શૈલી અજોડ છે. નિશ્ચય–વ્યવહારનું રહસ્ય આપ જે ઢંગથી
સમજાવો છો તે સમજતાં જ સમસ્ત જિનસિદ્ધાંતનું રહસ્ય ખોલવાની ચાવી હાથમાં આવી જાય છે. આપ કહો છો કે
નિશ્ચયસ્વભાવના આશ્રયથી જ મુક્તિમાર્ગ છે, વ્યવહારના–શુભરાગના આશ્રયથી કદાપિ મુક્તિ થતી નથી. વળી
એમ પણ નથી કે મુક્તિમાર્ગમાં પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય. નિશ્ચય વિના સાચો વ્યવહાર હોતો નથી.
વ્યવહાર કરતાં કરતાં તેના અવલંબનથી નિશ્ચય થઈ જશે–એવી જેની માન્યતા છે તેને દિ. જૈનસિદ્ધાંતમાં
‘વ્યવહારમૂઢ’ કહ્યો છે. નિશ્ચય–વ્યવહારના આ મહત્વપૂર્ણ સિદ્ધાંતને તેઓ ઘણા વિવેચનથી સમજાવે છે અને
ભારપૂર્વક કહે છે કે આ જૈનધર્મની મૂળ ચીજ છે; આમાં જેની ભૂલ છે તે જૈનધર્મના રહસ્યને સમજી શકતો નથી.
નિશ્ચયના આશ્રય વગર કદી ધર્મની શરૂઆત પણ થતી નથી.
() રુસ્ત્ર િક્તજા
જે જીવને ધર્મની પ્રીતિ છે તેને સમ્યગ્દર્શન પહેલાં તેમજ સમ્યગ્દર્શન પછી પણ, જ્યાં સુધી રાગ રહે છે
ત્યાંસુધી, ‘રાગ તે ધર્મ નથી’ એવું ભાન હોવા છતાં, વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે અતિશય ભક્તિ–બહુમાન–
પૂજનાદિનો રાગ આવ્યા વિના રહેતો નથી. જો દેવ–ગુરુ–શાસ્ત્રના દર્શન–પૂજનાદિનો ભાવ ન આવે તો તે સ્વચ્છંદી
છે. અને જો તે રાગમાં જ ધર્મ માનીને રોકાઈ જાય ને સમ્યગ્દર્શનાદિનો પ્રયત્ન ન કરે તો તે પણ અજ્ઞાની છે, માટે
કઈ ભૂમિકામાં કેવો રાગ હોય છે અને ધર્મનું શું સ્વરૂપ છે; એ બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ. પૂ.
ગુરુદેવ જ્યારે ચરણાનુયોગ દ્વારા ગૃહસ્થોનું
શ્રાવણઃ ૨૪૮૩
ઃ પઃ

PDF/HTML Page 7 of 25
single page version

background image
કર્તવ્ય સમજાવે છે. અને તેમાં પણ પુરાણોની કથાઓ દ્વારા જ્યારે સંતપુરુષોનું દ્રષ્ટાંત આપે છે ત્યારે, પુરાણપુરુષોનું
ચરિત્ર જાણે કે આપણી નજર સામે જ બની રહ્યું હોય–એવું લાગે છે.
(૮) પુણ્ય – પાપ અને ધર્મ
મિથ્યાત્વ–હિંસાદિ ભાવો પાપ છે; દયા–પૂજા વગેરે શુભરાગ પુણ્યબંધનું કારણ છે; અને ધર્મ તો આત્માનો
વીતરાગભાવ છે.–આ રીતે ત્રણેનું ભિન્નભિન્ન સ્વરૂપ આપ સારી રીતે સમજાવો છો. એજ પ્રમાણે નવતત્ત્વોમાં જીવ–
અજીવની ભિન્નતા, આસ્રવ અને સંવરની ભિન્નતા, વગેરેનું પણ તેઓ ઘણું સ્પષ્ટ વિવેચન કરે છે. રાગદ્વારા સંવર
થવાનું માનવું તે તત્ત્વની ભૂલ છે.
(૯) ક્રિયા
ક્રિયાના કેટલા પ્રકાર છે અને તેમાં કઈ ક્રિયાથી ધર્મ થાય છે તે સંબંધમાં આપ સમજાવો છો કે, ચેતન અને
જડ પદાર્થની ક્રિયા ભિન્નભિન્ન છે; ચેતનની ક્રિયા ચેતનમાં હોય છે ને જડની ક્રિયા જડમાં હોય છે. ચેતનની ક્રિયા જડ
કરતું નથી, અને જડની ક્રિયા ચેતન કરતું નથી. ક્રિયાના ત્રણ પ્રકાર છે. –
૧. ધર્મની ક્રિયા.
૨. વિકારની ક્રિયા
૩. જડની ક્રિયા.
(૧) આત્માનો જ્ઞાન–આનંદ સ્વભાવ છે. તે જડથી અને રાગાદિથી પૃથક્ છે. એવા સ્વભાવમાં અંતર્મુખ
થઈને જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ક્રિયા થાય છે તે ધર્મની ક્રિયા છે; આ જ ક્રિયા મોક્ષનું કારણ છે.
(૨) આત્મા પોતાના સ્વભાવથી બહિર્મુખ થઈને રાગ–દ્વેષ–મોહરૂપ જે ભાવ કરે છે તે વિકારની ક્રિયા છે,
અને તે ક્રિયા સંસારનું કારણ છે.
(૩) આત્માથી ભિન્ન દેહાદિની જે ક્રિયા છે તે બધી જડની ક્રિયા છે. તે જડની ક્રિયાથી આત્માને ન તો ધર્મ
થાય છે કે ન અધર્મ;–કેમ કે તેનો કર્તા આત્મા નથી.
આ રીતે ત્રણે ક્રિયાઓનું ભિન્ન ભિન્ન સ્વરૂપ સમજવું જોઈએ.
(૧૦) સમ્યગ્દશન
પૂ. ગુરુદેવના સર્વ ઉપદેશનું મુખ્ય વજન “સમ્યગ્દર્શન” ઉપર છે. આપ કહો છો કેઃ સમ્યગ્દર્શન અલૌકિક
અને અપૂર્વ ચીજ છે; સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ સમકિતીએ પોતાના આત્મામાં ચાખી લીધો છે.
એક સેકંડના સમ્યગ્દર્શનમાં એટલી તાકાત છે કે અનંત ભવનો નાશ કરી નાંખે. સમ્યગ્દર્શન થતાં જ જીવ નિઃશંક
થઈ જાય છે કે બસ! હવે મારે અનંત ભવનો અભાવ થઈ ગયો, હવે હું સાધક થયો ને અલ્પકાળમાં જ મારી મુક્તિ
થશે. સમકિતીને સ્વયં પોતાથી જ પોતાનો નિર્ણય થાય છે, બીજાને પૂછવું નથી પડતું. જીવે સંસાર પરિભ્રમણમાં શુભ
રાગરૂપ વ્રત–તપ–ત્યાગ અનંત વાર કર્યા છે પરંતુ સમ્યગ્દર્શન કદી પ્રગટ કર્યું નથી; અને સમ્યગ્દર્શન વગર કદી
સમ્યગ્જ્ઞાન કે સમ્યક્ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા જ હોય છે, માટે સમ્યગ્દર્શન
જ ધર્મનું મૂળ છે–એમ જાણીને પહેલાં સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવો જોઈએ.
–આ રીતે પૂ. ગુરુદેવના ઉપદેશનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો. પૂ. ગુરુદેવની સાનુભવ પ્રવચન શૈલી
શ્રોતાજનોને મુગ્ધ કરી નાંખે છે. પ્રવચનમાં તેઓ અનેક યુક્તિઓ, દ્રષ્ટાંતો અને શાસ્ત્રના આધારો આપે છે. હજારો
શ્રોતાજનોની સભામાં પણ સંપૂર્ણ શાંત વાતાવરણ રહે છે અને સમયની બરાબર નિયમિતતા જળવાય છે તેઓશ્રીની
વાણી આત્મસ્પર્શી હોવાથી નિઃશંકરૂપે ધારાપ્રવાહ ચાલી જાય છે.
ઃ ૬ઃ
આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 8 of 25
single page version

background image
પરદ્રવ્ય બંધનું કારણ નથી
જ્ઞાનીને બંધન કેમ થતું નથી અને અજ્ઞાનીને બંધન કેમ થાય છે? તેનો ખુલાસો કરતાં આચાર્ય
ભગવાન કહે છે કેઃ બાહ્ય સંયોગો તો જ્ઞાનીને કે અજ્ઞાનીને કોઈને બંધનનું કારણ થતા નથી. જીવોને
પોતાનો અજ્ઞાનભાવ જ બંધનું કારણ છે. જ્ઞાની તો પોતાના જ્ઞાનભાવ રૂપે જ પરિણમતા હોવાથી તેને
બંધન થતું નથી; અને અજ્ઞાની પોતાના અજ્ઞાન ભાવરૂપે પરિણમતો હોવાથી તેને બંધન થાય છે. જ્ઞાની
અને અજ્ઞાનીના અંતર–પરિણમનનું મોટું અંતર પૂ. ગુરુદેવે આ પ્રવચનમાં ઓળખાવ્યું છે.
(સમયસાર–બંધઅધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
અંતર્મુખ થઈને જ્યાં જ્ઞાનસ્વભાવી આત્માનો પત્તો લાગ્યો ત્યાં ધર્મીએ પોતાના આત્માને પરથી ભિન્ન
જાણ્યો, અને રાગાદિ પરભાવોથી પણ આત્મસ્વભાવની ભિન્નતા જાણી; હવે તે અંતર્મુખ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી
જ્ઞાનભાવપણે જ પરિણમે છે. અલ્પરાગાદિ થાય તેમાં તન્મયપણે પરિણમતા નથી. આવા જ્ઞાની ધર્માત્મા
બાહ્યભોગોપભોગની સામગ્રી વચ્ચે વર્તતા હોય ત્યારે પણ અજ્ઞાનજનિત બંધન તેને થતું નથી સંયોગો જ્ઞાનીને
અજ્ઞાનરૂપ પરિણમાવી શકતા નથી, તેથી સંયોગના કારણે બંધન થતું નથી. અજ્ઞાની તે સંયોગના પ્રસંગ વખતે
જ્ઞાનને ભૂલીને પર સાથે એકતાબુદ્ધિથી, રાગમાં લીન થઈને અજ્ઞાનભાવપણે પરિણમે છે. તેથી તેને પોતાના
અજ્ઞાનભાવને લીધે બંધન થાય છે.
પરસંયોગના નિમિત્તે જ્ઞાનીને બંધન થતું નથી તે સમજાવવા અહીં શંખનો દાખલો આપ્યો છે. જેમ શંખ
પોતાના સ્વભાવથી સફેદ છે. તે કાળી–રાતી વગેરે ચીજોને ખાય તોપણ તેના કારણે તેનું શ્વેતપણું હણાતું નથી,
અર્થાત્ કાળીવસ્તુ ખાવાથી શંખ કાળો થઈ જતો નથી; તેમ ઉજ્જવળ જ્ઞાનભાવરૂપે પરિણમતા જ્ઞાની પરસંયોગમાં
ઉભેલા દેખાય તોપણ તે પરદ્રવ્ય તેના જ્ઞાનને અજ્ઞાનરૂપ કરી શકતું નથી; કેમ કે કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને નિમિત્ત
થઈ ને પરભાવસ્વરૂપે પરિણમાવી શકતું નથી, અને પરદ્રવ્યથી લાભ–નુકશાન માનનારો અજ્ઞાની જીવ ભગવાનનું
નામ લેતો હોય ત્યારે પણ તેના અજ્ઞાનભાવને લીધે તેને બંધન જ થાય છે; તે સ્વયં અપરાધી હોવાથી બંધાય છે.
કોઈ તિર્યંચ–બળદનો જીવ સમકિતી હોય ને ખેતરમાં ફરતાં ફરતાં લીલા મોલ ચરતો હોય, છતાં તે વખતે
ય અંતરમાં જ્ઞાનાનંદસ્વભાવની દ્રષ્ટિ વર્તતી હોવાથી અજ્ઞાનજનિત બંધન તેને થતું જ નથી. અને બીજો કોઈ
રાગાદિથી ધર્મ માનનારો મિથ્યાદ્રષ્ટિ જીવ કદાચિત પૂંજણી લઈને પરજીવની દયાના શુભ પરિણામમાં વર્તતો હોય તો
પણ તે વખતેય પોતાના અજ્ઞાનભાવને લીધે તેને બંધન જ થાય છે. પરની ક્રિયા મારી એમ માનીને રાગમાં
લીનપણે વર્તતો હોવાથી અજ્ઞાની ક્ષણે ક્ષણે બંધાય છે; ને જ્ઞાની તો જ્ઞાનાનંદસ્વરૂપમાં એકત્વપણે વર્તતા થકા ક્ષણે
ક્ષણે કર્મોથી છૂટતા જ જાય છે.
જ્ઞાનીને બહારની ક્રિયાના સંયોગમાં ઉભેલા દેખીને ‘તે સંયોગને લીધે જ્ઞાનીને બંધન થતું હશે,’ એમ
અજ્ઞાની કલ્પે છે; પણ તે વખતે ય જ્ઞાની તો સંયોગથી પાર પોતાના જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી જ્ઞાનભાવપણે
પરિણમતા થકા કર્મોથી છૂટતા જ જાય છે. એ જ્ઞાનભાવની ઓળખાણ અજ્ઞાનીને નથી. સંયોગ ઘટયા માટે બંધન
ઘટયું અને સંયોગ વધ્યા માટે બંધન વધ્યું એમ અજ્ઞાનીઓ જ બાહ્યદ્રષ્ટિથી દેખે છે, પણ વસ્તુ સ્થિતિ એમ નથી.
હાથમાં તલવારનો સંયોગ હોય માટે જ્ઞાનીનું જ્ઞાન પલટીને અજ્ઞાનરૂપ થઈ જાય–એમ નથી અને લાખો વર્ષ
સુધી દ્રવ્યલિંગ ધારણ કરીને શુભરાગમાં વર્તે તેથી કાંઈ અજ્ઞાનીનું અજ્ઞાન છૂટીને જ્ઞાન થઈ જાય–એમ નથી. સ્વયં
અંતર્મુખ થઈને જ્ઞાનરૂપે પરિણમતા જ્ઞાનીને અજ્ઞાનરૂપ કરવા કોઈ પરદ્રવ્યની તાકાત નથી; અને સ્વયં
અજ્ઞાનભાવરૂપે વર્તતા અજ્ઞાનીને જ્ઞાનરૂપ કરવા કોઈ પરદ્રવ્ય સમર્થ નથી.
જેમ ધોળો શંખ પણ જ્યારે પોતાની મેળે ધોળાશ છોડીને કાળાશરૂપે પરિણમે ત્યારે તે સ્વયં કાળો થાય છે;
ભલે તે વખતે કાળી ચીજ ખાતો હોય કે ન
શ્રાવણઃ ૨૪૮૩
ઃ ૭ઃ

PDF/HTML Page 9 of 25
single page version

background image
ખાતો હોય પણ તે સ્વયંકૃત કૃષ્ણભાવરૂપ થાય છે. કોઈ પરદ્રવ્ય તેને કૃષ્ણરૂપે પરિણમાવતું નથી. તેમ જે જીવ
સ્વયમેવ પોતાના જ્ઞાનભાવને છોડીને જ્યારે અજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પોતાના સ્વયંકૃત અજ્ઞાનભાવથી જ તે
અજ્ઞાની થાય છે. પણ કોઈ પર ચીજ તેને અજ્ઞાનરૂપ કરતી નથી. પરચીજનો સંયોગ હોય કે ન હોય તો પણ
સ્વયંકૃત અજ્ઞાનભાવને લીધે તે જીવ પોતે જ અજ્ઞાની થાય છે. આ રીતે જીવ પોતે પોતાના સ્વયંકૃત ભાવથી જ
જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ પરિણમે છે. અને જેને બંધન થાય છે તેને પોતાના અજ્ઞાનભાવને લીધે જ બંધન થાય છે.
જ્ઞાનીને તો જ્ઞાનભાવ હોવાથી બંધન થતું નથી. જ્ઞાનભાવમાંં જ્ઞાનીને બંધન થવાની શંકા ઉઠતી જ નથી. આ રીતે
જ્ઞાનભાવમાં નિઃશંકપણે વર્તતો જ્ઞાની કર્મથી બંધાતો નથી પણ તેને કર્મોની નિર્જરા જ થતી જાય છે.
જ્ઞાનીની અદ્ભુત અંર્તપરિણતિ
જ્ઞાનીના અંતરના જ્ઞાન પરિણામ રાગથી પણ પાર છે. એટલે પરમાર્થે જ્ઞાની રાગના કર્તા નથી, જ્ઞાની તો
જ્ઞાનપરિણામના જ કર્તા છે. અજ્ઞાનીને એકલો રાગ જ દેખાય છે, એટલે જ્ઞાનીને પણ તે એ જ દ્રષ્ટિએ દેખે છે કે
“ આ જ્ઞાની રાગ કરે છે, આ જ્ઞાની હર્ષ વેદે છે;” પણ તે વખતે રાગ અને હર્ષથી પાર જ્ઞાનીની પરિણતિ વર્તે છે
તેને તે અજ્ઞાની દેખતો નથી. જ્ઞાનીની પરિણતિ રાગથી ભિન્ન છે. જેને પોતાને રાગથી ભિન્ન જ્ઞાનભાવનું વેદન નથી
તે જીવ જ્ઞાનીની રાગાતીત જ્ઞાનપરિણતિને ક્યાંથી જાણી શકે? અંતરાત્માની ગતિ બહિરાત્મા ક્યાંથી જાણે?
જ્ઞાનીના પરિણામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત ઉજ્જવળ છે, તે ઉજ્જવળતાને તેઓ જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે
ઉજ્જવળતાને જાણતા નથી. જો જ્ઞાનીની અંર્તપરિણતિને યથાર્થ સ્વરૂપે ઓળખે તો જીવને પોતામાં સ્વભાવ અને
વિભાવનું ભેદજ્ઞાન થયા વગર રહે નહિ.
સમ્યગ્દ્રષ્ટિનું પરમ સાહસ
ગમે તેવા ઘોર પરિષહ પ્રસંગમાં પણ જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધાથી ચ્યૂત થતા નથી. નિઃશંકપણે તે
પોતાના જ્ઞાનભાવમાં પરિણમે છે; સમ્યગ્દ્રષ્ટિ જ આવું પરમ સાહસ કરવા સમર્થ છે,–એ વાત હવેના કલશમાં કહે છે.–
(શાર્દૂલવિક્રીડિત)
सम्यग्द्रष्टय एव साहसमिदं कर्तृं क्षमंते परं
यद्वज्रेऽपि पतत्वमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि ।
सर्वामेव निसर्गनिर्भयतया शंकां विहाय स्वयं
जानंत स्वमवध्यबोधवपुषं बोधाच्चयवंते न हि
।। १५४।।
જુઓ, આ ધર્મી જીવનું અંતરંગ પરાક્રમ! માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ આવું પરમ સાહસ કરવાને સમર્થ છે કે,
જેના ભયથી ત્રણલોક ખળભળી જાય ને પોતાનો માર્ગ છોડી દે–એવો વજ્રપાત થાય તો પણ સમ્યગ્દ્રષ્ટિ પોતાના
જ્ઞાનસ્વભાવથી ચ્યૂત થતા નથી. ‘હું તો જ્ઞાનસ્વરૂપ છું, મારું જ્ઞાનશરીર અવધ્ય છે, જગતમાં કોઈ તેને હણવા સમર્થ
નથી’–આમ નિઃશંક અને નિર્ભયપણે જાણતા થકા ધર્માત્મા પોતાના જ્ઞાન–શ્રદ્ધાનથી ડગતા નથી.
કદાચિત કોઈ દેવ આવીને એમ કહે કે તારી માન્યતા ખોટી છે માટે એ માન્યતા છોડી દે; નહિતર હું તારા
પ્રાણ હરી લઈશ, તો ત્યાં પણ જ્ઞાની ધર્માત્મા પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા છોડતો નથી, જ્ઞાનસ્વરૂપથી તે ચ્યૂત
થતા નથી. સ્વરૂપમાં નિઃશંકતા છે તેથી તેમને નિર્ભયતા છે. હું તો જ્ઞાનશરીરી છું, આ જડ શરીર મારું છે જ નહિ, ને
મારા જ્ઞાનશરીરને હણવા કોઈ આ જગતમાં સમર્થ નથી. કદાચિત વજ્રપાત થાય ને ત્રણલોકના જીવો ભયથી
ખળભળી ઊઠે તો પણ ત્યાં ધર્માત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધાથી ડગતા નથી. જગતના સાધારણ જીવો તો ભયથી
ખળભળી ઊઠે છે ને માર્ગ છોડી દે છે, પણ સમકિતી ધર્માત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધાથી નિઃશંકપણે વર્તે છે તેથી તે
નિર્ભય છે, તે પોતાના માર્ગથી ચ્યૂત થતા નથી;–આવા સમકિતી ધર્માત્માને નિર્જરા થાય છે.
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 10 of 25
single page version

background image
સમ્યગ્દ્રષ્ટિ
નિઃશંક અને નિર્ભય હોય છે
(સમયસાર નિર્જરા–અધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
વીર સં. ૨૪૮૩ જેઠ વદ ૮–૯–૧૦
*
“આહા! હું તો જ્ઞાનસ્વભાવ જ છું. જ્ઞાનથી ભિન્ન બીજું કાંઈ મારું સ્વરૂપ નથી; મારું
જ્ઞાનસ્વરૂપ જે મેં પ્રતીતમાં લીધું છે તે કદી અન્યથા થવાનું નથી, જગતમાં કોઈ સંયોગનું એવું
સામર્થ્ય નથી કે મારા જ્ઞાનસ્વરૂપને અન્યથા કરી શકે?”–આવી સ્વભાવની નિઃશંકતાને લીધે
સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય હોય છે.
જ્ઞાની અંદરની નિઃશંકતાથી કહે છે કેઃ ભેદજ્ઞાનરૂપી ભાલાવડે અમે મોહને વીંધી નાંખ્યો
છે. મોહને મારીને અમે જઈએ છીએ........એકાદ ભવમાં મોક્ષ પામશું.....ને ફરીને આ સંસારમાં
આવશું નહિ.
જુઓ, આ જ્ઞાનીની નિર્ભયતા!
*
સમકિતી નિઃશંકિત હોવાથી સર્વત્ર નિર્ભય છે–એ વાત હવેની ગાથામાં કહે છે. –
સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે.૨૮૮
જુઓ, આ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માની દશા!
સમકિતી જીવો અત્યંત નિઃશંક અને નિર્ભય હોય છે; કેમ? કારણ કે તેઓ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ
સિવાય સમસ્ત કર્મોના ફળ પ્રત્યે અભિલાષા રહિત હોવાથી, કર્મો પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. રાગાદિ થાય
તેની પણ અપેક્ષા નથી એટલે કે આ રાગ મને કાંઈ લાભ કરશે એવી જરા પણ બુદ્ધિ નથી; હું તો રાગથી પાર
જ્ઞાનસ્વરૂપ જ છું, એ સિવાય બીજું કાંઈ મારું છે જ નહિ.–આ પ્રમાણે અત્યંત નિઃશંક–દારુણ નિશ્ચયવાળા હોવાથી
સમ્યગ્દ્રષ્ટિ જીવો અત્યંત નિર્ભય છે. સિંહ પાછળ આવે ને જરાક ભયથી સમકિતી પણ દોડીને ભાગે, છતાં તે વખતે
પણ, આચાર્યદેવ કહે છે કે તે સમકિતી નિર્ભય છે, કેમકે આ સિંહ મને મારા સ્વરૂપથી ડગાવશે–એવો ભય તેમને
થતો નથી, માટે તે નિર્ભય છે. જ્ઞાનસ્વરૂપમાં શંકા ઉત્પન્ન કરે એવો ભય જ્ઞાનીને કદી થતો નથી. “હું જ્ઞાનસ્વરૂપ
છું”–એવી પ્રતીતમાં ધર્મીને કદી શંકા થતી નથી, અને જ્ઞાનથી ભિન્ન કોઈ પરભાવની તેને અપેક્ષા નથી. સ્વરૂપમાં
નિઃશંક અને પરભાવોથી અત્યંત નિરપેક્ષ હોવાથી ધર્માત્મા અત્યંત નિર્ભય છે. જરાક રાગાદિ થાય કે પ્રતિકૂળતા
આવી પડે ત્યાં “આ રાગ કે પ્રતિકૂળતા મારા જ્ઞાનસ્વરૂપનો નાશ
શ્રાવણઃ ૨૪૮૩ ઃ ૯ઃ

PDF/HTML Page 11 of 25
single page version

background image
કરી નાંખશે” એવો ભય કે સંદેહ જ્ઞાનીને થતો નથી–આ રીતે જ્ઞાની અત્યંત નિઃશંક અને નિર્ભય હોય છે.
આહા! હું તો જ્ઞાનભાવ જ છું, જ્ઞાનથી ભિન્ન બીજું કાંઈ મારું સ્વરૂપ નથી; શુભ–અશુભ કર્મોના ઉદય
વખતે પણ હું તો જ્ઞાનભાવરૂપે જ પરિણમનારો છું, સમસ્ત કર્મોના ફળથી હું અત્યંત ભિન્ન છું–આવો જ્યાં અનુભવ
થયો ત્યાં ધર્મીને સંદેહ કે ભય ક્યાંથી હોય? મારું જ્ઞાનસ્વરૂપ જે મેં પ્રતીતમાં લીધું છે તે કદી અન્યથા થવાનું નથી.
જગતમાં કોઈ સંયોગનું એવું સામર્થ્ય નથી કે મારા જ્ઞાનસ્વરૂપને અન્યથા કરી શકે.–આવી સ્વભાવની નિઃશંકતાને
લીધે સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય હોય છે. હવે, સમકિતીને સાત ભય હોતા નથી–એ વાત આચાર્યદેવ છ કલશ દ્વારા અદ્ભુત
રીતે સમજાવે છેઃ
(૧–૨) નિઃશંકપણે અંતરમાં ચિત્સ્વરૂપ લોકને અવલોકતા જ્ઞાનીને
આ લોક કે પરલોક સંબંધી ભય હોતો નથી.
જ્ઞાની ધર્માત્માને પોતાના સ્વરૂપની નિઃશંકતાને લીધે આ લોક તથા પરલોકનો ભય નથી, તે વાત
આચાર્યદેવ શ્લોકમાં કહે છે. –
(શાર્દૂલવિક્રીડિત)
लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मन–
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः ।
लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ।। १५५।।
(સમકિતીને સાત ભયનો અભાવ દર્શાવનારા આ ૧પપ થી ૧૬૦ સુધીના છ કળશ બહુ સુંદર ભાવવાળા
હોવાથી મોઢે કરવા જેવા છે.)
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા અંર્તદ્રષ્ટિથી સ્વયમેવ એકલો પોતાના ચૈતન્યસ્વરૂપ લોકને અવલોકે છે, બહારના લોકથી
ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ પોતાના આત્માને અનુભવે છે; તેથી તે જ્ઞાની જાણે છે કે આ ચૈતન્યસ્વરૂપ લોક જ મારા
આત્માનો લોક છે; તેનાથી ભિન્ન બીજો કોઈ આ લોક કે પરલોક મારો નથી.–આ રીતે જ્ઞાની તો નિરંતર નિઃશંકપણે
પોતાના આત્માને સહજજ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે, ત્યાં તેને આ લોક કે પરલોક સંબંધી ભય ક્યાંથી હોય?
જગતમાં પરવસ્તુઓ તો આ આત્માથી ભિન્ન છે, લોકની કોઈ ચીજ આત્માની નથી. આત્મા અનંત
ચૈતન્યશક્તિથી ભરેલો છે; આ ચૈતન્યસ્વરૂપી જે લોક છે તે જ આત્માનો લોક છે; આત્માનો આ ચૈતન્યસ્વરૂપ લોક
સદા આત્મા સાથે શાશ્વત રહે છે ને બીજાના સંબંધ વગરનો તે એકલો છે, આત્મા પોતે અંતર્મુખ થઈને એકલો જ
(કોઈ મન–વાણી–દેહાદિની મદદ વિના જ) પોતાને અંતરમાં અવલોકે છે, તેથી પોતે જ પોતાનો લોક છે; ને આત્માનું
ચૈતન્યસ્વરૂપ સદા વ્યક્ત છે. આ રીતે ચૈતન્યસ્વરૂપ આત્માને જ પોતાનો લોક જાણતા હોવાથી ધર્માત્માને લોકસંબંધી
ભય હોતો નથી. અહો! હું તો જ્ઞાયક છું. જ્ઞાનસ્વરૂપમાં જ મારું સર્વસ્વ છે, જ્ઞાનસ્વરૂપથી બાહ્ય મારું કોઈ છે જ નહિ,
એમ ધર્મી જાણે છે, માટે દેહાદિ સામગ્રીનું શું થશે? એવો ભય ધર્માત્માને હોતો નથી. હું મારી અંતરની સામગ્રીથી
પરિપૂર્ણ છું, બહારની સામગ્રી મારી નથી–એવા અનુભવની નિઃશંકતામાં ધર્માત્માને આ લોક કે પરલોકનો ભય હોતો
નથી ‘આ જગતમાં મારું કોણ? પરભવમાં મારું શું થશે? હું ક્યાં જઈશ?’ એવો સંદેહ કે ભય ધર્માત્માને થતો નથી.
હું ચૈતન્યસ્વરૂપ છું ને પરભવમાં પણ હું જ્ઞાનસ્વરૂપે જ રહીશ, જ્ઞાનસ્વરૂપ જ મારો પર–લોક (ઉત્કૃષ્ટ વસ્તુ) છે.
આવી જ્ઞાનસ્વરૂપની નિઃશંકતામાં ધર્મીને બીજી શંકા થતી નથી, ને શંકા નહિ હોવાથી ભય પણ થતો નથી.
“હે આત્મન્! આ ચૈતન્યસ્વરૂપ લોક જ તારો છે, તેનાથી ભિન્ન બીજો કોઈ લોક–આ લોક કે પરલોક તારો
નથી.” આમ જ્ઞાની વિચારે છે અને તે નિઃશંકપણે વર્તતો થકો પોતાના સહજજ્ઞાનને સદા અનુભવે છે. આવા
અનુભવમાં ધર્માત્માને આ લોક કે પરલોક સંબંધી ભય હોતો નથી.
ઃ ૧૦ઃ
આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 12 of 25
single page version

background image
જુઓ, લૌકિકમાં રાજપદ વગેરેમાં તો પુણ્યની અપેક્ષા છે, તેમાં કાંઈ ગુણની અપેક્ષા નથી. મિથ્યાદ્રષ્ટિ જીવ
પણ કોઈ વિશેષ પુણ્યના ઉદયથી રાજા થાય, ત્યાં કોઈ એમ વિરોધ કરે કે બસ, અમારે માથે મિથ્યાદ્રષ્ટિ રાજા ન
જોઈએ. આમ વિચારીને વિરોધ કરે તો તેને કષાયનો અભિપ્રાય છે, તેને પુણ્યનો વિવેક નથી. જેમ પુણ્ય અનુસાર જે
માતા–પિતા મળ્‌યા, ત્યાં કોઈ એમ વિચારે કે મિથ્યાદ્રષ્ટિ જીવોને માતા–પિતા તરીકે ન સ્વીકારું, તો તેને વિચારમાં
વિવેક નથી. ભાઈ, લૌકિકમાં એમ માપ ન હોય, અને ધર્મમાં કોઈ “અમારા ગુરુ બહુ પુણ્યવંત છે”–એમ એકલા
પુણ્ય ઉપરથી ગુરુપદને ઓળખે તો તેણે ખરેખર ગુરુપદને ઓળખ્યું નથી. ધર્મ ચીજ જુદી છે ને પુણ્ય જુદી ચીજ છે.
લૌકિકમાં તો જે પુણ્યથી મોટો હોય તે મોટો ગણાય.
અહીં તો કહે છે કે ધર્માત્માને પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય કોઈની અપેક્ષા નથી. મારા ચૈતન્યસ્વરૂપ ઉત્તમ
લોકને બગાડવા આ જગતમાં કોઈ સમર્થ નથી. આમ ધર્મી જીવ દુનિયાની દરકાર છોડીને આત્માના અંર્તસ્વરૂપમાં
વળે છે. અંર્તસ્વરૂપના અનુભવમાં આ લોકની કે પરલોકની ચિંતા શી? અંર્ત સ્વરૂપના અવલંબને જ્ઞાની સમકિતી
ધર્માત્મા નિરંતર નિઃશંક અને નિર્ભય છે.
આ લોક કે પરલોકમાં સદાય મને મારા ચૈતન્યસ્વરૂપનો જ સાથ છે. એ સિવાય કોઈ પરનો સાથ મને નથી
રાગનો પણ સાથ મને નથી. આવી નિઃશંક પ્રતીતને લીધે ધર્માત્માને કદી આ લોક સંબંધી કે પરલોક સંબંધી ભય
હોતો નથી જેને ચૈતન્યસ્વરૂપની નિઃશંકતા નથી તેને જ ભય હોય છે ને તેને જ બંધન થાય છે. ધર્માત્માને
ચૈતન્યસ્વરૂપની નિઃશંકતાને લીધે લોક સંબંધી નિર્ભયતા છે, તેથી તેને નિર્જરા જ થતી જાય છે પણ બંધન થતું નથી.
અહા, એક વાર આ વાતનો નિર્ણય તો કરો. આ અંતરની વસ્તુની વાત છે. એકલા વૈરાગ્યની આ વાત
નથી; પણ અંતરમાં જગતથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપને જ્યાં અનુભવ્યું છે ત્યાં જગતમાં ક્યાંય પરદ્રવ્ય કે પરભાવ સાથે
એકતાબુદ્ધિ થતી જ નથી, જ્ઞાનમાં જ એકતારૂપે પરિણમન રહે છે, માટે ત્યાં પર સંબંધી ભય હોતો નથી. કર્મનો ઉદય
આવીને મારા ચૈતન્યસ્વરૂપને બગાડી નાંખશે એવો પણ ભય ધર્માત્માને હોતો નથી.
(૩) જ્ઞાની નિર્ભયપણે જ્ઞાનને જ વેદે છે, બીજી કોઈ વેદનાનો
ભય જ્ઞાનીને નથી.
સમકિતી ધર્માત્માને વેદના–ભય પણ હોતો નથી એમ હવે કહે છે કે–
एषैकेव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलेः ।
नैवान्यागतवेदनैव हि भवेतद्भीः कुतो ज्ञानिनो?
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ।। १५६।।
જેને અંતરમાં આત્માના અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાની ધર્માત્મા જાણે છે કે
મારો આત્મા વેદક થઈને પોતાના જ્ઞાનઆનંદના નિરાકુળસ્વાદનો જ વેદનાર છે; મારા જ્ઞાનઆનંદથી ભિન્ન બીજું
કોઈ વેદન મારામાં નથી. મારા જ્ઞાન–આનંદના વેદનમાં આકુળતાના વેદનનો પણ અભાવ છે, તો પછી પુદ્ગલજન્ય
રોગાદિ વેદના તો ક્યાં રહી? આ રીતે નિઃશંકપણે પોતાના સહજ અનાકુળ જ્ઞાનને જ નિરંતર વેદતા હોવાથી
જ્ઞાનીને બીજી વેદનાનો ભંગ હોતો નથી.
જુઓ, અત્યારે ઈન્ફલ્યુએન્ઝા રોગ બહુ ફેલાયો છે, ને લોકો ચારેકોર ભયભીત થઈ ગયા છે. પણ ધર્મી તો
એમ જાણે છે કે આ રોગની વેદના તો દેહમાં છે, આ જડ દેહ જ મારો નથી ત્યાં મને રોગની વેદના કેવી? હું તો
મારા જ્ઞાનને જ વેદું છું; જ્ઞાન જ મારું શરીર છે. મારા જ્ઞાનશરીરમાં આ ઈન્ફલ્યુએન્ઝા
શ્રાવણઃ ૨૪૮૩
ઃ ૧૧ઃ

PDF/HTML Page 13 of 25
single page version

background image
વગેરે રોગોનો પ્રવેશ જ નથી, ત્યાં મને વેદનાનો ભય ક્યાંથી હોય?
વેદ્ય–વેદક બંને અભેદ હોય છે એટલે કે આત્મા વેદક થઈને પોતાના ભાવને વેદે, પણ શરીરને ન વેદે.
પોતાથી ભિન્ન વસ્તુની વેદના પોતાને કેમ હોય? ધર્મીનો આત્મા તો પોતાથી અભિન્ન એવા જ્ઞાનનું જ વેદન કરે છે;
તે જ્ઞાનવેદનમાં બહારની કોઈ વેદનાનો પ્રવેશ જ નથી, તો પછી જ્ઞાનીને વેદનાનો ભય કેમ હોય? આ દેહ છેદાય કે
ભેદાય, તેમાં રોગ થાય કે વીંછી કરડે–તેની વેદનાનું વેદન ધર્મીને નથી–નબળાઈથી જરાક અણગમો કે દ્વેષ થઈ જાય
તોપણ તે દ્વેષને પોતાના જ્ઞાનસ્વરૂપ સાથે એકપણે તેઓ વેદતા નથી, દ્વેષથી ભિન્ન જ્ઞાનભાવને જ પોતામાં
એકત્વપણે વેદે છે; માટે જ્ઞાનવેદનમાં નિઃશંકપણે વર્તતા ધર્માત્માને બીજી કોઈ બાહ્યવેદનાનો ભય હોતો નથી.
‘વેદના’ માં અનુકૂળ અને પ્રતિકૂળ બંને વેદના લેવી. જેમ ગમે તેવી પ્રતિકૂળતાની વેદનામાં પણ ભીંસાઈને
ધર્માત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધા છોડતા નથી; તેમ ગમે તેવી અનુકૂળતાના ગંજ હોય તો પણ ધર્માત્મા તેની
વેદનામાં–સંયોગના ભોગવટામાં–સુખબુદ્ધિથી એકાગ્ર થઈને પોતાના સ્વરૂપની શ્રદ્ધાને કદી છોડતા નથી. હર્ષ–
શોકરૂપ વિકારનું જે ક્ષણિક વેદન છે તેનાથી પણ ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણ્યું છે ને આત્માના અતીન્દ્રિય
આનંદના અંશનું વેદન થયું છે, ત્યાં બાહ્ય રોગાદિની વેદનાનો ભય ધર્માત્માને હોતો નથી. અમે તો આત્માના
અતીન્દ્રિય આનંદને વેદનારા છીએ, હર્ષ–શોકનું વેદન થાય તે પણ ખરેખર અમારું વેદન નથી, તે વિકારી વેદનાનો
મારા જ્ઞાનસ્વરૂપમાં પ્રવેશ નથી; અને બહારમાં રોગાદિ થાય તે તો મારાથી બહાર જ છે, તેની વેદના મને નથી.–
આવા ભેદજ્ઞાનમાં ધર્માત્માને કદી વેદનાનો ભય હોતો નથી.
જેમાં જે ભર્યું હોય તેમાં તેનું વેદન થાય. ધર્મી જાણે છે કે મારા આત્મામાં તો આનંદ અને શાંતિ જ ભર્યાં છે,
તેથી આત્મસન્મુખ દ્રષ્ટિમાં મને મારા આનંદ અને શાંતિનું જ વેદન છે. આવું જાણતાં ધર્મી ક્ષણિક હર્ષશોક જેટલા
વેદનમાં એકાકાર થતા નથી. મારા જ્ઞાનમાં બીજી કોઈ ચીજનો પ્રવેશ જ નથી. તો તેનું વેદન મને કેમ હોય? અજ્ઞાની
તો હર્ષ–શોકના ક્ષણિકવેદનમાં એવો એકાકાર થઈ જાય છે કે જ્ઞાનઆનંદસ્વરૂપને સાવ ભૂલી જ જાય છે, હર્ષશોકથી
જુદું કોઈ વેદન તેને ભાસતું જ નથી; તેથી હર્ષ–શોકના જ વેદનમાં એકાકારપણે વર્તતો તે કર્મોથી બંધાય જ છે. ને
જ્ઞાની ધર્માત્માએ હર્ષ–શોકથી પાર ચૈતન્ય આનંદના વેદનને જાણ્યું છે, તેથી તે હર્ષ–શોકના વેદન વખતે પણ તેમાં
એકાકારરૂપે પરિણમતા જ નથી, તેનાથી ભિન્નપણે રહીને, જ્ઞાનમાં જ એકતા કરીને જ્ઞાનને વેદે છે, તેથી તે
જ્ઞાનવેદનની મુખ્યતામાં ધર્મીને નિર્જરા જ થતી જાય છે. ધર્મીને જ્ઞાનની મુખ્યતાનું વેદન હોવાથી તેનું જ એક વેદન
ગણ્યું, ને હર્ષ–શોકનું અલ્પ વેદન હોવા છતાં તે ગૌણ હોવાથી, તેનો અભાવ ગણ્યો. આ રીતે ધર્મીને એક
જ્ઞાનવેદનામાં બીજી વેદનાનો અભાવ જ છે, તેથી તેને વેદનાને ભય હોતો નથી.
શ્રેણિકરાજા વગેરે સમકિતી જીવો નરકમાં છે તેમને પણ અંતરમાં ચૈતન્યદ્રષ્ટિથી જ્ઞાનવેદનની જ મુખ્યતા છે,
શોકનું વેદન મુખ્ય નથી, કેમકે દ્રષ્ટિ તો અંતરના ચૈતન્યસ્વભાવ ઉપર જ છે. હર્ષ–શોકની વેદના તે તો ઉપરના ભાવો
છે, તે ઉપરના ભાવો વડે અંતરમાં જવાતું નથી. તે ઉપરના ભાવોને ઓળંગીને ધર્માત્માએ અંતરમાં પ્રવેશ કર્યો છે,–
અંતર્મુખ થઈને તે પોતાના આત્મિક જ્ઞાન–આનંદના શાંતરસને વેદે છે.
જેનું વર્ણન સાંભળતાં પણ સાધારણ પ્રાણીને કંપારી છૂટે એવી નરકની વેદનામાં પડયો હોય, ત્યાં અજ્ઞાની
તો તે વેદનામાં ભીંસાઈ જાય છે ને એનાથી ભિન્ન મારું ચૈતન્યતત્ત્વ છે, એવી ચૈતન્યની વેદના તે ભૂલી જાય છે. અને
ત્યાં જ્ઞાની તો તે નરકની વેદનાથી પાર પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના વેદનને વેદે છે. જ્ઞાનાનંદસ્વરૂપની દ્રષ્ટિની
મુખ્યતામાં શોકના વેદનનો તેને અભાવ છે. પણ આ વાત અંતરની છે, લોકોને બહારથી સમજવું કઠણ પડે તેવું છે.
જુઓ, પં. બનારસીદાસજી જ્યારે અંતિમ દશામાં હતા ત્યારે તે તો પોતાની જ્ઞાનદશામાં હતા, પણ પાસેના
લોકોને એવી શંકા પડી કે–આનો જીવ છૂટતાં વાર લાગે છે તેથી જરૂર તેનો જીવ ક્યાંક કોઈ
ઃ ૧૨ઃ
આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 14 of 25
single page version

background image
વસ્તુમાં ચોંટયો છે. પંડિતજી એમની વાત સમજી ગયા.....ને તરત ઈસારાથી પાટી મંગાવી તેમાં લખ્યુંઃ–
“જ્ઞાનકુતકા હાથ મારી અરિ મોહના,
ચલે બનારસીદાસ ફેર નહિ આવના.”
જુઓ, આ જ્ઞાનીની અંદરની દશા! અંદરની નિઃશંકતાથી કહે છે કે, ભેદજ્ઞાનરૂપી ભાલાવડે અમે મોહને
વીંધી નાંખ્યો છે, મોહને મારીને અમે જઈએ છીએ. એકાદ ભવમાં મોક્ષ પામશું......ને ફરીને આ સંસારમાં આવશું
નહિ. જુઓ, આ જ્ઞાનીની નિર્ભયતા! જ્ઞાનીનાં અંતરના વેદન બહારથી ઓળખાય તેવા નથી.
આહા! ચૈતન્યના શાંત–અનાકૂલ વેદનને ચૂકીને જીવો વ્યર્થ ચિંતા કરીને આકુળતાને જ વેદે છે. પણ
બહારની જેટલી ચિંતા કરે તે બધી વ્યર્થ છે, તેમાં માત્ર આકુળતાના વેદન સિવાય બીજું કાંઈ નથી. માટે ધર્મી તો
નિરાકુળપણે અંતરના ચૈતન્યસ્વભાવ ઉપર નિઃશંક દ્રષ્ટિ રાખીને જ્ઞાનના સહજવેદનને નિર્ભયપણે અનુભવે છે.
અને “જેવું વર્તમાન તેવું ભવિષ્ય”–એ ન્યાયે તેને એવો પણ ભય નથી થતો કે ‘ભવિષ્યમાં રોગાદિની વેદનામાં
હું ભીંસાઈ જઈશ!’ તે નિશંક છે કે ભવિષ્યમાં પણ મારા જ્ઞાનસ્વરૂપમાંથી આવા નિરાકુળ જ્ઞાનનું જ વેદન
આવશે, મારા જ્ઞાનમાં બીજા વેદનનો અભાવ છે.–આવી નિઃશંકતાને લીધે ધર્માત્માને નિર્ભયતા છે, તેમને
વેદનાભય હોતો નથી.
(આ ઉપરાંત અરક્ષા, અગુપ્તિ, મરણ કે અકસ્માત વગેરે સંબંધી ભય પણ સમ્યગ્દ્રષ્ટિને હોતો નથી તેનું
વિવેચન હવે પછી આપવામાં આવશે.) (ચાલુ)
કર્મબંધથી છૂટવાનો ઉપાય
જુઓ, આચાર્યદેવ કર્મોથી છૂટવાનો ઉપાય બતાવે છે. જ્ઞાનસ્વરૂપના
અનુભવવડે જ આઠ કર્મોનો નાશ થાય છે. સ્વભાવસન્મુખ દ્રષ્ટિ થતાં સમ્યક્ત્વરૂપી
સૂરજ ઉગ્યો ત્યાં તે સૂર્યનો પ્રતાપ સમસ્ત કર્મોને નષ્ટ કરી નાંખે છે; પૂર્વકર્મનો ઉદય
વર્તતો હોવા છતાં દ્રષ્ટિના જોરે સમ્યગ્દ્રષ્ટિને નવા કર્મોનો જરાપણ બંધ ફરીને થતો
નથી પણ પૂર્વકર્મ નિર્જરતું જ જાય છે. ઉદય છે માટે બંધ થાય–એ વાત ક્યાંય ઉડી
ગઈ; ઉદય વખતે ચિદાનંદસ્વભાવ તરફથી દ્રષ્ટિના જોરે આત્મા તે ઉદયને ખેરવી જ
નાંખે છે, એટલે તે ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરી જ જાય છે. જ્યાં
મિથ્યાત્વના બંધનને ઉડાડી દીધું ત્યાં અસ્થિરતાના અલ્પ બંધનની શી ગણતરી?–તે
પણ ક્રમે ક્રમે ટળતું જ જાય છે, આ રીતે જ્ઞાનીને સ્વસન્મુખ પરિણતિને લીધે કર્મની
નિર્જરા જ થાય છે, ને અલ્પકાળમાં સર્વકર્મનો નાશ કરીને તે સિદ્ધપદને પામે છે.–
આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.
(–પ્રવચનમાંથી)
શ્રાવણઃ ૨૪૮૩ ઃ ૧૩ઃ

PDF/HTML Page 15 of 25
single page version

background image
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
[૨૯–૩૦] તત્ત્વશક્તિ અને અતત્ત્વશક્તિ
તદ્રૂપપણું અને અતદ્રૂપપણું એવા બે વિરુદ્ધ ધર્મો આત્મામાં છે એ વાત ૨૮ મી શક્તિમાં કરી; હવે ૨૯ અને
૩૦ મી શક્તિમાં તે બંનેનું કાર્ય બતાવે છે. “તદ્રૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ છે.” અને “અતદ્રૂપ ભવનરૂપ એવી
અતત્ત્વશક્તિ છે.” જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વયમેવ આવી શક્તિવાળો છે.
ભવનરૂપ એટલે રહેવારૂપ અથવા પરિણમવારૂપ; જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાના ચેતન સ્વભાવપણે જ રહીને
પરિણમે છે, પણ જડરૂપે થતો નથી. આ રીતે, ચેતનસ્વભાવપણે જ રહેવારૂપ શક્તિ તે તત્ત્વશક્તિ છે, અને ચેતન
મટીને જડરૂપ ન થવારૂપ શક્તિ તે અતત્ત્વશક્તિ છે. આવી બંને શક્તિ આત્મામાં ત્રિકાળ છે. આત્મા જ્ઞાનમાત્ર છે
એમ કહેતાં તેમાં આ બંને શક્તિઓ પણ ભેગી આવી જ જાય છે.
આત્મામાં પોતાના જ્ઞાનાદિ સ્વરૂપે થવાની શક્તિ છે, પણ પરરૂપે થવાની શક્તિ નથી, પરરૂપે ન થવાની
શક્તિ છે. અને ખરેખર શુદ્ધ આત્મદ્રવ્યમાં તો પુણ્ય–પાપરૂપે પરિણમવાની પણ શક્તિ નથી, પુણ્ય–પાપથી અતદ્રુપ
રહેવાની તેની શક્તિ છે. જો ત્રિકાળી સ્વભાવ એક સમયના વિકારમાં તદ્રુપ થઈ જાય તો તે વિકાર ટળી શકે જ
નહિ, અથવા તો વિકાર ટળતાં આખા સ્વભાવનો જ નાશ થઈ જાય, માટે ત્રિકાળ શુધ્ધસ્વભાવને વિકાર સાથે
તદ્રૂપતા નથી. સમયસારની છઠ્ઠી ગાથામાં પણ કહ્યું છે કે–શુદ્ધ દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં જ્ઞાયકભાવ શુભાશુભ
વિકારરૂપે પરિણમતો નથી. આત્માની શક્તિઓમાં વિકારરૂપે પરિણમવાનો પણ સ્વભાવ નથી તો પછી આત્મા
દેહાદિનું કરવારૂપે પરિણમે, એ વાત તો ક્યાંથી હોય? વિકાર તે ત્રિકાળી શક્તિનો ભાવ નથી પણ ક્ષણિક પર્યાયનો
ભાવ છે.
આત્મામાં અનંત શક્તિઓ હોવા છતાં તેમાં એવી કોઈ શક્તિ નથી કે પરને કરે કે વિકારને ઊપજાવે, હા,
પરરૂપ કે વિકારરૂપ ન પરિણમે એવી તેની અતત્ત્વશક્તિ છે, ને સ્વભાવરૂપે પરિણમે એવી તત્ત્વ શક્તિ છે.
અહીં તો અનેકાન્તસ્વભાવી આત્મતત્ત્વ બતાવવું છે, આત્માનો સ્વભાવ બતાવવો છે, આત્માની શક્તિઓ
બતાવવી છે, એટલે અશુદ્ધતા તેમાં ન આવે. જો કે રાગ–દ્ધેષ, દુઃખ વગેરે વિકાર છે તે આત્માની જ એક
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 16 of 25
single page version

background image
સમયપૂરતી પર્યાયની યોગ્યતા છે, પણ તે વિકારની યોગ્યતાથી ઓળખતાં આત્મતત્ત્વ ઓળખાતું નથી. આત્માના
ત્રિકાળી સ્વભાવમાં કે અનંતી શક્તિઓમાં વિકારની યોગ્યતા પણ નથી, જેવો સ્વભાવ છે તેવી પર્યાય થાય તેને જ
આત્મતત્ત્વ કહે છે. ધર્મ કરનારે ક્યાં દ્રષ્ટિ કરવી?–કે જેમાંથી ધર્મ આવે ત્યાં દ્રષ્ટિ કરવી. દેહમાંથી કે વિકારમાંથી ધર્મ
આવતો નથી; એક સમયની વિકારની લાયકાતનો જ આશ્રય કરીને શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ છે. મારો આત્મા તો
ત્રિકાળ જ્ઞાન–સુખ ને શ્રદ્ધારૂપે થવાની તાકાતવાળો છે, વિકારરૂપે કે પરરૂપે ન થાય એવો મારો સ્વભાવ છે,–આમ
શુદ્ધસ્વભાવના આશ્રયે શ્રધ્ધા કરવાથી સમ્યક્ત્વ થાય છે.
પરરૂપે કે કર્મરૂપે થવાની શક્તિ તો એક સમય પણ આત્મામાં દ્રવ્યમાં–ગુણમાં કે પર્યાયમાં નથી, તેનાથી તો
સર્વથા અતદ્રૂપે જ આત્મા પરિણમે છે.
પર્યાયમાં જે વિકાર છે તે–રૂપે થવાની શક્તિ પણ આત્માના દ્રવ્યમાં કે ગુણમાં નથી, માત્ર તે સમયપૂરતી
પર્યાયની જ તે લાયકાત છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણ તે વિકાર સાથે તદ્રૂપ–એકાકાર થઈ ગયા નથી.
ત્રિકાળી દ્રવ્યગુણ તરફ વળીને તેની સાથે જ્યાં પર્યાય એકાકાર–તદ્રૂપ થઈ ત્યાં તે પર્યાયમાં વિકારરૂપ
પરિણમન પણ ન રહ્યું, વિકાર સાથે અતદ્રૂપે તે પર્યાય પરિણમી ગઈ. આ રીત સ્વશક્તિના અવલંબને પર્યાય શુદ્ધરૂપે
પરિણમે એવી તત્ત્વશક્તિ, અને વિકારરૂપ ન એવી અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિઓ તે સ્વભાવ છે ને
આત્મા સ્વભાવી છે. આત્મા પોતે આવા સ્વભાવવાળો છે કે પોતાના સ્વભાવમાં (–દ્રવ્ય, ગુણ ને શુદ્ધ પર્યાયમાં)
તદ્રૂપ–એકાકાર થઈને પરિણમે અને વિકારરૂપે કે પરરૂપે અતદ્રૂપ રહે એટલે કે તે–રૂપે ન પરિણમે. અહો! વિકારરૂપે
પરિણમવાનો આત્માનો સ્વભાવ જ નથી તો પછી કર્મ તેને વિકાર કરાવે એ વાત ક્યાં રહી? જેને કર્મ ઉપર ને
વિકાર ઉપર દ્રષ્ટિ છે તેને આત્માના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ નથી; વિકારપૂરતો જ આત્માને અનુભવે છે તે મિથ્યાદ્રષ્ટિ
છે. તેને આચાર્યદેવ સમજાવે છે કે અરે ભાઈ! વિકારરૂપે પરિણમવાનો તારો સ્વભાવ નથી, તારો સ્વભાવ તો
શુદ્ધચૈતન્યસ્વરૂપે થવાનો જ છે. તે સ્વભાવ તરફ જઈને તેની સમ્યક્શ્રધ્ધા–જ્ઞાન કરવા અને તેમાં લીનતા કરવી તે
જ મોક્ષનો માર્ગ છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. વચ્ચે શુભભાવ હોય પણ તે મોક્ષમાર્ગ નથી અને તે–રૂપે
પરિણમવાનો આત્માનો સ્વભાવ નથી. જો તે શુભને મોક્ષમાર્ગ માને તો તે જીવે શુભવિકારરૂપે નહિ પરિણમવારૂપ
આત્મસ્વભાવને જાણ્યો નથી એટલે તે મોક્ષમાર્ગથી ભષ્ટ છે.
જેમ કોઈને ભૂત વગેરેનો ભય લાગે ત્યારે મકાનનાં બારણાં બંધ કરી દે છે; તેમ જેને વિકારનો ને ભવનો
ભય લાગ્યો છે એવો જીવ અતત્ત્વશક્તિની પ્રતીતવડે આત્માના બારણાં બંધ કરી દે છે કે વિકારનો મારા સ્વભાવમાં
પ્રવેશ જ નથી, મારો આત્મા વિકાર સાથે અતદ્રૂપ છે એટલે વિકારને માટે મારા આત્માનાં બારણાં બંધ છે.
મકાનના બારણાં બંધ કરી દે છતાં તેમાં તો ભૂતડું પેસી પણ જાય, પણ આ ચૈતન્યમૂર્તિ આત્મા એવો છે કે તેના
સ્વભાવઘરમાં જઈને મિથ્યાત્વરૂપી બારણું બંધ કરી દે પછી તેમાં રાગ–દ્વેષ–મોહરૂપી ભૂતડાં પેસી શકતા નથી;
જ્ઞાનીને તે રાગાદિ પોતાના સ્વભાવપણે જરા પર ભાસતા નથી.
જ્ઞાનીને કોઈ પરભાવો સ્વભાવમાં તદ્રૂપપણે નથી ભાસતા પણ અતદ્રૂપપણે જ ભાસે છે, એટલે જ્ઞાની
રાગાદિમાં તદ્રૂપ થઈને–એકાકાર થઈને પરિણમતા જ નથી. રાગાદિમાં તદ્રૂપ થઈને જે પરિણમે છે તેને આત્મા ની
અતત્ત્વશક્તિની પ્રતીત નથી. અહો, એક પણ શક્તિથી આત્માનું સ્વરૂપ બરાબર સમજે તો તેમાં અનંતશક્તિની
પ્રતીત ભેગી આવી જાય છે.
ચૈતન્યનું ચૈતન્યરૂપે જ થવું તે તત્ત્વશક્તિ છે, અને ચૈતન્યનું જડરૂપે ન થવું તે અતત્ત્વશક્તિ છે.
“જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતનરૂપ;
કોઈ કોઈ પલટે નહિ, છોડી આપસ્વરૂપ.”
ચેતન ત્રણે કાળ ચેતનરૂપે રહીને પરિણમે છે, ને જડ ત્રણે કાળ જડરૂપે રહીને પરિણમે છે. જડ પલટીને કદી
ચેતનરૂપ થતું નથી ને ચેતન પલટીને કદી જડરૂપ થતું નથી.–આવો જ વસ્તુનો સ્વભાવ છે. આત્મા ચેતન, અને
શરીર જડ, બંને ત્રણે કાળે જુદેજુદા
શ્રાવણઃ ૨૪૮૩ ઃ ૧૪ A

PDF/HTML Page 17 of 25
single page version

background image
જ પરિણમી રહ્યા છે, કદી એક થયા જ નથી. તે ઉપરાંત અહીં તો અંદરના ભાવની સૂક્ષ્મ વાત છે કે ચેતન પોતાના
ચૈતન્ય સ્વભાવરૂપે જ પરિણમે અને રાગાદિરૂપે ન પરિણમે–એવું તેનું સ્વરૂપ છે.
જો તત્શક્તિ ન હોય તો આત્મા પોતાના ચેતનસ્વરૂપે રહી ન શકે, ચેતનપણાથી જુદો થઇ જાય. અને જો
અતત્શક્તિ ન હોય તો આત્મા શરીરાદિથી જુદો ન રહી શકે, જડરૂપ થઈ જાય, અથવા ક્ષણિક વિકારરૂપે જ આખો
સ્વભાવ થઈ જાય. આ રીતે આત્માની તત્–અતત્શક્તિઓને સમજતાં જડથી ને વિકારથી જુદો ચેતનસ્વભાવ
સમજાય છે, પોતાનો આત્મા ચેતનસ્વભાવમય રહે છે ને વિકારમય થતો નથી–એવું ભેદજ્ઞાન થાય છે,–તે ધર્મ છે.
પછી તે ધર્મની ભૂમિકામાં જે જે શુભ–અશુભ પરિણામો આવે તેને ધર્મી જીવ પોતાના સ્વભાવથી અતદ્રૂપે જ્ઞેયપણે
જાણે છે, એટલે સ્વભાવની જ અધિકતા તેને રહે છે ને વિકારની હીનતા જ થતી જાય છે. આવી અંર્તદશા થયા
વગર વ્રત કે ત્યાગના શુભ પરિણામ કરે તેની કિંમત કાંઈ નથી, તેનું ફળ પણ સંસાર જ છે. વર્તમાન પરિપૂર્ણ શુદ્ધ
ચિદાનંદ સ્વભાવની ઉપાદેય–બુદ્ધિ થતાં સમસ્ત પરભાવોમાં હેયબુદ્ધિ થઈ ગઈ, તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે,
અને તે જ ચારિત્ર માટેની ભૂમિકા છે. આવી ભૂમિકા વગર ધર્મમાં આત્માનો પ્રવેશ થઈ શકતો નથી.
અજ્ઞાનીઓ મૂળ વસ્તુસ્વરૂપ સમજ્યા પહેલાં વ્રત અને ત્યાગની વાતો કરે છે અને કહે છે કે “સમજ્યા પછી
પણ એ જ કરવાનું છે ને! માટે આપણે તે કરવા માંડો, તે કરતાં કરતાં સમજણ થઈ જશે.”–પણ તેની બધી વાત
ખોટી છે. સમજ્યા પછી પણ તારા માનેલા વ્રતાદિ નહિ આવે, શુદ્ધતા વગરના એકલા રાગને તે વ્રતાદિ માન્યા છે
પણ એવું વ્રતનું સ્વરૂપ છે જ નહિ. અને તારા માનેલા એકલા શુભ રાગરૂપ વ્રતાદિ અનંત કાળ કર તો પણ તેનાથી
આત્માની સમજણ થાય નહિ. ભાઈ, રાગના રસ્તા જુદા છે ને ધર્મની સમજણના રસ્તા જુદા છે. રાગને ધર્મનો
રસ્તો તેં માની લીધો, તેમાં તો ઊંધી સમજણનું પોષણ થાય છે.
આત્મા પર સાથે તદ્રૂપ કદી થયો જ નથી, એટલે પરનો ત્યાગ કરવાનું તો આત્મામાં નથી. અને રાગ
પોતાની પર્યાયમાં થાય છે તે રાગનો ત્યાગ પણ “આ રાગને છોડું” એવા લક્ષે થતો નથી, પણ રાગરહિત શુદ્ધ
ચિદાનંદ સ્વભાવમાં એકાગ્રતા થતાં જ સહેજે રાગરહિત પરિણતિ થઈ જાય છે ને વિકાર છૂટી જાય છે,–તેનું નામ
વિકારનો ત્યાગ છે; માટે પહેલાં આત્માના શુદ્ધ સ્વભાવની ઓળખાણ કરી હોય તો જ તેમાં એકાગ્રતાવડે વિકારનો
ત્યાગ થઈ શકે. આ સિવાયજડનો ત્યાગ કરવાનું માને તે તો આત્માને જડ સાથે એકમેક માને છે, એટલે તેણે જડથી
ભિન્ન આત્માને ઓળખ્યો નથી. જેમ–વાણીયાને કોઈ કહે કે તું માંસ છોડ, તો તેણે વાણીયાને ઓળખ્યો નથી કેમકે
વાણીયાનો સ્વભાવ માંસના ત્યાગરૂપ જ છે, વાણીયાએ મોઢામાં માંસ પકડયું જ નથી, તો છોડે શું? તેમ જે અજ્ઞાની
પરને છોડવાનું માને છે તેણે પરથી ભિન્ન આત્માને ઓળખ્યો જ નથી, આત્માનો સ્વભાવ પરના તો ત્યાગરૂપ જ છે.
આત્માએ પરવસ્તુને પકડી જ નથી તો છોડે કોને? અહીં તો સ્વભાવદ્રષ્ટિ માં વિકારને છોડું” એવો પણ વિકલ્પ
નથી કેમકે સ્વભાવમાં વિકારનું ગ્રહણ થયું જ નથી. આવા સ્વભાવમાં જે પર્યાય અભેદ થઈ તે પર્યાય પણ સ્વયમેવ
વિકારના અભાવરૂપ જ છે; સ્વભાવમાં તે તદ્રૂપ છે ને વિકારમાં અતદ્રૂપ છે. આત્મા જડથી અતદ્રૂપ છે, એટલે જડના
સંગ વગરના એકલા આત્માને લક્ષમાં લેતાં તે શુદ્ધ જ છે, તેનામાં વિકાર નથી.
આત્મામાં તદ્રૂપ પરિણમવાની શક્તિ છે એટલે જેવો શુદ્ધસ્વભાવ છે તેવારૂપે પરિણમવાની શક્તિ છે, અને
આ શક્તિ આત્માની હોવાથી તેના બધાય ગુણોમાં પણ તદ્રૂપ–પરિણમનસ્વભાવ છે, એટલે જ્ઞાનનું જ્ઞાનપણે
પરિણમન થાય તે તદ્રૂપ પરિણમન છે, પણ અજ્ઞાનરૂપે પરિણમન થાય તે તદ્રૂપ ન કહેવાય; એ જ રીતે શ્રદ્ધાનું
સમ્યક્શ્રદ્ધારૂપે પરિણમન થાય તે તદ્રૂપ–પરિણમન છે, પણ મિથ્યાત્વરૂપે પરિણમન થાય તે તદ્રૂપ ન કહેવાય;
આનંદનું આનંદરૂપે પરિણમન થાય તે તદ્રૂપ પરિણમન છે, પણ આકુળતારૂપે પરિણમન થાય તેને તદ્રૂપ ન
કહેવાય. ચારિત્રનું સ્વરૂપમાં લીનતારૂપ વીતરાગી પરિણમન થાય તે તદ્રૂપ–પરિણમન છે, પણ રાગરૂપ પરિણમન
થાય તે તદ્રૂપ ન કહેવાય, એમ બધા ગુણોનો તદ્રૂપ–પરિણમન સ્વભાવ છે, ને વિકાર સાથે અતદ્રૂપ રહેવાનો
સ્વભાવ છે. આવા સ્વભાવને નહિ જાણનાર અજ્ઞાની રાગમાં
ઃ ૧૪ B આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 18 of 25
single page version

background image
તદ્રૂપ–એકાકાર થઈને પરિણમે છે, ને જ્ઞાની તો સ્વભાવમાં જ તદ્રૂપપણે પરિણમે છે. આ રીતે નિર્મળ પરિણમન
સહિત શક્તિઓ તે જ આત્મા છે. આત્મામાં શુદ્ધતારૂપ થવાની શક્તિ તો ત્રિકાળ છે; ને અશુદ્ધતારૂપ થવાની તો
માત્ર એક સમયની પર્યાયની યોગ્યતા છે, તેને ખરેખર આત્મા નથી કહેતા, કેમકે તેમાં આત્માની પ્રસિદ્ધિ નથી.
*
પ્રશ્નઃ– આ વાત સમજવાથી સમાજને શું લાભ?
ઉત્તરઃ– જેનાથી એક જીવને લાભ તેનાથી બધા જીવોને લાભ! સમાજ એ કોઈ જુદી વસ્તુ નથી પણ
વ્યક્તિઓનો સમૂહ તે સમાજ છે. એટલે વ્યક્તિ તે પણ સમાજનો એક ભાગ છે. જેનાથી એક વ્યક્તિને લાભ થાય
તેનાથી બધાને લાભ થાય, માટે જે વ્યક્તિનાહિતનો માર્ગ છે તે જ સમાજના હિતનો માર્ગ છે. વ્યક્તિના હિતનો
માર્ગ એક ને સમાજના હિતનો માર્ગ તેનાથી બીજો–એમ નથી.
માટે, આ સમજીને પોતે પોતાનું હિત સાધી લેવું. હિતનો આ એક જ માર્ગ છે અને સમાજમાંથી પણ જે જે
જીવો આ માર્ગ સમજશે તેઓ જ કલ્યાણ પામશે.
પરપદાર્થમાં આત્મા કાંઈ કરી શકતો નથી. કાં તો પૈસા મારા પરમેશ્વર ને હું પૈસાનો દાસ’ એમ ત્રીવ મમતા
કરે, અથવા મમતા ઘટાડીને દાનાદિના ભાવ કરે, પણ તેમાંય ક્યાંય ધર્મ નથી. હું તો સર્વથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ છું
એમ સ્વરૂપનું ભાન કરીને પરની મમતાનો અભાવ કરવો ને સ્વરૂપમાં ઠરવું તેનું નામ ધર્મ છે, આ સિવાય બીજા
લાખ–કરોડ ઉપાયે પણ ધર્મ નથી.
પ્રશ્નઃ– આ વાત તો મોટા મોટા આચાર્યોને પણ કઠણ પડે તેવી છે!
ઉત્તરઃ– ભાઈ, મોટા કહેવા કોને? શું મોટા શરીરવાળાને મોટા કહેવા? તો તો માછલું પણ મોટું હજાર
જોજનનું થાય છે, શું તેને મોટા કહેશો? નહિ! તો પૈસાથી મોટાને મોટા કહેવા? પદવીથી મોટાને મોટા કહેવા? તો
તો માંસ ખાનારા પાપી જીવો પણ પૈસામાં ને પદવીમાં મોટા હોય છે. શું તેને મોટા ગણશો?–નહિ. શરીરથી,
લક્ષ્મીથી કે પુણ્યથી કાંઈ ધર્મમાં મોટાપણું ગણાતું નથી. ધર્મમાં તો ધર્મથી મોટાપણું ગણાય છે જેને ધર્મનું ભાન પણ
ન હોય તે ભલે લોકોમાં આચાર્ય તરીકે પૂજાતો હોય તો પણ ધર્મમાં તેને મોટા ગણતા નથી. સમયસારની ચોથી
ગાથામાં કહે છે કે પરથી ભિન્ન એકત્વસ્વરૂપ આત્માના ભાન વિના સમસ્ત અજ્ઞાની જીવો પરસ્પર આચાર્યપણું કરે
છે. સાચા તત્ત્વથી વિરુધ્ધ પ્રરૂપણા કરીને અજ્ઞાનીઓ એક–બીજાના અજ્ઞાનને પોષણ આપે છે, તે તો ઊંધુંં
આચાર્યપણું છે. જગતના જીવો માને કે ન માને તેનું અહીં કામ નથી, સંસાર તો એમ ને એમ ચાલ્યા જ કરશે, અહીં
તો પોતે સત્ય સમજીને પોતાનું હિત કરી લેવાની વાત છે.
ભાઈ, અનંતવાર તું મનુષ્ય થયો, મોટા મોટા હોદા ને રાજપદ પણ અનંતવાર મળ્‌યા, પણ આ ચૈતન્યરાજા
પોતે કોણ છે તેની વાત પણ તેં પોતાની કરીને પે્રમથી કદી સાંભળી નથી. પરમાં તારું પદ નથી, વિકાર પણ તારું ખરું
પદ નથી, તે તો બધા અપદ છે....અપદ છે, માટે તેનાથી પાછો ફર, ને આ અનંત શક્તિસંપન્ન શુદ્ધચૈતન્યપદમાં
આવ! એક વાર તારા નિજ પદની અનંત ઋદ્ધિનું નિરીક્ષણ કર, તો બહારની ઋધ્ધિનો મહિમા ઊડી જાય.
સર્વજ્ઞભગવાન જેવી તારી ચૈતન્યઋદ્ધિ છે. સર્વ શાસ્ત્રો તારા ચૈતન્યપદનો મહિમા ગાય છે. સાંભળ–
“જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહિ કાંઈ,
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ”
ભગવાન સર્વજ્ઞ જિનદેવ અને તારો આત્મા પરમાર્થે સરખા છે, ‘જિન’ અને ‘નિજ’ બંને સ્વભાવે સરખા
છે, સ્વભાવમાં જરાય ફેર નથી. આવા સ્વભાવનું લક્ષ કરાવવા જ સર્વ શાસ્ત્રો કહ્યાં છે. સર્વે શાસ્ત્રોનો સાર
અંતર્મુખ થઈને આવ ચૈતન્યપદને લક્ષમાં લેવું તે જ છે. આવા ચૈતન્યપદને લક્ષમાં જેણે ન લીધું તેણે શાસ્ત્રોનું
તાત્પર્ય જાણ્યું નથી.
આત્માના જ્ઞાનસ્વભાવમાંથી જ ભગવાન સર્વજ્ઞપદ પામ્યા, અને વાણીમાં તે સર્વજ્ઞસ્વભાવ બતાવ્યો. જેણે
તેે સર્વજ્ઞસ્વભાવને લક્ષમાં લીધો તે ભગવાનના માર્ગમાં
શ્રાવણઃ ૨૪૮૩ઃ ૧૪ C

PDF/HTML Page 19 of 25
single page version

background image
ભળ્‌યો, તે સાધક થયો, ને ભગવાનનો ઉપદેશ તેણે જ ખરેખર જાણ્યો.
લોકો પૂછે છે કે શું કરવું?
જુઓ, આ શું કરવું તે કહેવાય છે. “લક્ષ થવાને તેહનો......” તારું શુદ્ધચૈતન્યપદ સર્વજ્ઞસ્વભાવથી ભરેલ છે
તેનું તું લક્ષ કર. શ્રવણ–વાંચન–વિચાર–મનન તે બધાયમાં આ શુદ્ધચૈતન્યપદને લક્ષમાં રાખ. ક્યાં લક્ષ કરવા જેવું
છે ને ક્યાંથી લક્ષ ઊઠાડવા જેવું છે તે સમજ. બહારમાં તારું પદ નથી, બહારમાં લક્ષ કરીને અત્યાર સુધી રખડયો
માટે ત્યાંથી લક્ષ ઉઠાડ અને અંતરમાં તારું ચૈતન્યપદ સર્વજ્ઞસમાન છે–તેમાં લક્ષ કર. અંતર્મુખ લક્ષ કર્યે જ કલ્યાણ છે,
માયે તે જ કરવાનું છે.
જુઓ, આ સીધી–સાદી વાત છે.
તું છો કે નહિ?–કે હા.
પર છે કે નહિં?–હા.
તું અને પર જુદા છો કે એક?–જુદા.
જુદાં છે તેનાં કાર્ય જુદા હોય કે એક? જુદા.
–એ રીતે જુદાનાં કાર્યો જુદાં છે, માટે જુદા પદાર્થો ઉપરથી દ્રષ્ટિ છોડ! તેનું હું કાંઈ કરું એ માન્યતા છોડ. ને
હવે તારામાં જો.
તારામાં વિકાર થાય છે તે કાયમ રહેનાર છે કે ક્ષણિક છે?
–વિકાર તો ક્ષણિક છે?
અને તારો સ્વભાવ કાયમ રહેનાર છે કે ક્ષણિક છે?
–આત્મનો સ્વભાવ તો કાયમ રહેનાર છે.
બસ! ક્ષણિક વિકાર જેટલો આત્મા નથી, આત્મા તો કાયમ ટકનાર જ્ઞાનાદિ અનંત ગુણનો ભંડાર છે; તે
અનંત ગુણરૂપ સ્વભાવને જો. તે સ્વભાવમાં એકાકારતા કર ને વિકાર સાથેની એકતા છોડ.–આ જ ધર્મ અને હિત
છે. આત્માને પરથી ભિન્ન જાણીને સ્વભાવમાં એકતારૂપ પરિણમન કરે તે ધર્મી–અંતરાત્મા છે, અને જે પર સાથે
એકતા માનીને વિકારમાં એકતારૂપ પરિણમન કરે તે અધર્મી–બહિરાત્મા છે.
અંતર સ્વરૂપ ને અવલોકતાં વિકારની ઉત્પત્તિ થતી નથી, કેમકે સ્વભાવમાં વિકાર નથી, વિકાર સાથે
સ્વભાવની એકરૂપતા નથી. બાહ્ય દ્રષ્ટિથી સંસાર ઉત્પન્ન થયો છે, અંતર્મુખ થઈને સ્વભાવને અવલોકતાં તેનો નાશ
થઈ જાય છે.
“ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.”
અહો! ચૈતન્ય સ્વભાવમાં તો આનંદરૂપે જ થવાની શક્તિ ત્રિકાળ છે, પણ પોતાની તે શક્તિને જીવ દેખતો
નથી તેથી જ તેને આનંદનું પરિણમન–વેદન થતું નથી; ને બાહ્યદ્રષ્ટિથી તે દુઃખને જ વેદે છે. તે દુઃખ વેદવાનો તેનો
સ્વભાવ નથી. દુઃખ તો એક સમયનું માત્ર પર્યાયમાં છે, ને આનંદ સ્વભાવથી દ્રવ્ય–ગુણ ત્રિકાળ ભરેલો છે. એકલા
સિદ્ધોમાં નહિ પણ બધાય આત્મામાં આવો આનંદસ્વભાવ ભરેલો છે, તે સ્વભાવમાં જુએ એટલી જ વાર છે.
જુઓ, મુમુક્ષુ એમ વિચારે છે કે મારે મોક્ષ જોઈએ છે ને ભવ નથી જોઈતો. આનો અર્થ એ થાય છે કે
આત્મામાં મોક્ષ થવાનો સ્વભાવ છે પણ ભવ થવાનો સ્વભાવ નથી; ભવની ઉત્પત્તિ ન થાય એવો આત્માનો
સ્વભાવ છે. આવા આત્મસ્વભાવને લક્ષમાં લીધા વગર ‘મોક્ષ જોઈએ ને ભવ ન જોઈએ’ એવી ભાવના સાચી હોય
નહિ. ભવના કારણરૂપ વિભાવને જે પોતાના સ્વભાવમાં માને તેને ભવથી છૂટવાની ખરી ભાવના જ નથી. એટલે
ખરી મુમુક્ષુતા તેને થઇ જ નથી. જેનામાં ભવ નથી એવા આત્મસ્વભાવની સન્મુખતા વગરરહિત થવાની સાચી
ભાવના હોય નહીં.
પ્રશ્નઃ– સમકિતીને ભવરહિત સ્વભાવની શ્રદ્ધા હોવા છતાં તેને પણ એકાદ ભવ તો થાય છે?
ઉત્તરઃ– અનંત શક્તિના પિંડરૂપ ભવરહિત સ્વભાવની દ્રષ્ટિમાં ક્ષણે ક્ષણે તેને મોક્ષરૂપ પરિણમન જ થઈ
રહ્યું છે; ત્યાં એકાદ ભવ રહ્યો છે તેનો તે જ્ઞાતા જ છે, સ્વભાવ તરફના વલણમાં તેને ભવ તરફના પરિણમનની
પ્રધાનતા નથી પણ મોક્ષ તરફના પરિણમનની જ પ્રધાનતા છે. અને જેની પ્રધાનતા હોય તેનું જ અસ્તિત્વ ગણવામાં
આવે છે, માટે સમકિતીને ભવ નથી.
ઃ ૧૪
D આત્મધર્મઃ ૧૬૬

PDF/HTML Page 20 of 25
single page version

background image
‘આત્માને જાણ્યો પણ આનંદ ન આવ્યો અથવા અનંત ભવની શંકા ન મટી’–એમ કોઈ કહે તો તેણે
આનંદ સાથે આત્માને તદ્રૂપ માન્યો જ નથી પણ આનંદથી જુદો માન્યો છે, એટલે આત્માને જાણ્યો જ નથી;
ભવસ્વભાવ વગરના મુક્તસ્વરૂપ આત્માને તેણે જાણ્યો જ નથી. અનંતગુણો સાથે તદ્રૂપ એવા આત્માને જાણતાં
તેના અનંતગુણોમાં તદ્રૂપ એટલે કે જેવો સ્વભાવ છે તેવા સ્વભાવરૂપ શુદ્ધ પરિણમન થાય છે, આનંદનું વેદન થાય
છે ને ભવની શંકા ટળી જાય છે. આવા સાધકને અલ્પ વિકાર રહે તેની મુખ્યતા નહિ હોવાથી (–તેમાં તદ્રૂપતા નહિ
હોવાથી) તે અભાવ સમાન જ છે.
આત્માની તદ્રૂપ પરિણમનરૂપ શક્તિને જાણવા છતાં પર્યાયમાં એકલા વિકારરૂપજ પરિણમન છે એમ જે
માને તેણે ખરેખર સ્વભાવ સાથે તદ્રૂપ આત્માને જાણ્યો જ નથી, તેણે તો આત્માને વિકાર સાથે જ તદ્રૂપ માન્યો
છે, આત્માના ગુણોનું વિકારથી અતદ્રૂપપણું તેણે જાણ્યો નથી. જો ખરેખર જાણે તો ગુણના પરિણમનમાં પણ
વિકારથી અતદ્રૂપતા થઈને સ્વભાવમાં તદ્રૂપતા થયા વિના રહે નહિ, કેમ કે એવો જ આત્માનો સ્વભાવ છે.
આત્મામાં જ્ઞાન–આનંદ–શ્રદ્ધા વગેરે અનંત ગુણો છે, તે અનંતગુણો સાથે તદ્રૂપ થઈને પરિણમે એવો આત્માનો
સ્વભાવ છે; જ્ઞાન તદ્રૂપ પરિણમે ને આનંદ વગેરે ન પરિણમે– એમ ન બને. અભેદ પરિણમનમાં બધા ગુણોનો અંશ
સમ્યક્ પણે પરિણમે છે–એવો આત્મસ્વભાવ છે.
– ૨૯ મી તત્ત્વશક્તિ અને ૩૦ મી અતત્ત્વશક્તિનું વર્ણન અહીં પુરું થયું.
અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને ચૂકીને બાહ્ય
ઈન્દ્રિય વિષયોમાં મૂર્છાઈ ગયેલા બહિરાત્માઓ
નિરંતર દુઃખી છે.
અને
મારું સુખ મારા આત્મામાં જ છે, બાહ્ય ઈન્દ્રિયવિષયોમાં
મારું સુખ નથી–એવી અંર્તપ્રતીતિ કરીને,
ધર્માત્મા અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિયસુખનો
સ્વાદ લ્યે છે..........તે નિરંતર સુખી છે.
નિજ ચૈતન્ય વિષયને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખદુઃખની બુદ્ધિથી
અજ્ઞાની જીવો દિનરાત બળી રહ્યા છે.
અરે જીવો! પરમ આનંદથી ભરેલા તમારા આત્માને સંભાળો ને
આત્માના શાંત રસમાં મગ્ન થાઓ.
શ્રાવણઃ ૨૪૮૩ ઃ ૧પઃ