Atmadharma magazine - Ank 172
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૭૨
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૪ થોે
માહ
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૨
‘અમે તો બાળક જેવા છીએ’
ગણધરો વગેરે ગુરુજનો પ્રત્યે અતિ વિનયથી બાળક જેવા બનીને, શ્રી
પદ્મપ્રભ મુનિરાજ કહે છે કેઃ અહા, ગુણના દરીયા ગણધરો અને શ્રુતધરોએ જે
ગૂઢગંભીર ઊંડા ઊંડા અનેક ભાવો આ પરમાગમમાં ભર્યાં છે તે બધા ભાવો
ખોલવાની મારા જેવા મંદબુદ્ધિમાં કેવી તાકાત?–એ ગણધરાદિ જેટલી અગાધ
બુદ્ધિ અમારામાં નથી, તેમની પાસે તો અમે બાળક જેવા છીએ. ક્યાં એ બુદ્ધિના
દરિયા! ને ક્યાં હું–છતાં ગુરુપરંપરાથી જે કાંઈ ભાવો અમને પ્રાપ્ત થયા છે તે
અમારા અંતરમાં વારંવાર અતિ પુષ્ટ રુચિથી ઘૂંટાય છે...ફરી ફરીને તે ભાવોનું
મંથન ચાલ્યા કરે છે, અને તેથી ભવ્ય જીવોના હિતને માટે આ ટીકા પણ રચાય
છે. અહા; સંતોની નિર્માનતા અને ભદ્રિકતા તો જુઓ! પોતે જ્ઞાનના દરિયા છે,
છતાં ગણધરો અને પૂર્વાચાર્યો પાસે તો વિનયથી બાળક જેવા બનીને કહે છે કે
પ્રભો! આપની પાસે તો અમે બાળક જેવા મંદબુદ્ધિ છીએ.
– પ્રવચનમાંથી

PDF/HTML Page 3 of 25
single page version

background image
વિધવિધ સમાચાર
પૂ. ગુરુદેવનો મંગળ વિહાર
લીંબડી શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂ. ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીનો સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર થશે. સૌરાષ્ટ્રના અનેક શહેરોની જેમ લીંબડી
શહેરમાં પણ ભવ્ય દિગંબર જિનમંદિરનું નિર્માણ થયું છે, ને તેમાં જિનેન્દ્ર ભગવાનની
પ્રતિષ્ઠા માટેનો પંચકલ્યાણક મહોત્સવ ઊજવવાનું નક્કી થયું છે. પ્રતિષ્ઠાનું મુહૂર્ત
વૈશાખ સુદ તેરસનું છે. આ નિમિત્તે પૂ. ગુરુદેવના મંગલ વિહારનો કાર્યક્રમ હાલ નીચે
મુજબ વિચારવામાં આવ્યો છે, આ વિહાર ડોળી મારફત થવાનો છેઃ
પૂ. ગુરુદેવ ફાગણ સુદ ત્રીજ ને શુક્રવારે સોનગઢથી મંગલ પ્રસ્થાન કરશે;
લીમડા, ઢસા, લાઠી, મોટા આંકડિયા, વડીઆ, જેતલસર જંકશન, ઉપલેટા, કુતિયાણા
તથા રાણાવાવ થઈને, લગભગ ફાગણ સુદ તેરસે પોરબંદર પહોંચશે; ત્યાં આઠેક
દિવસ રોકાઈ, વચ્ચેના ગામો થઈને રાજકોટ ફાગણ વદ ૧૨ ના રોજ પહોંચશે. ચૈત્ર
સુદ ૧૨ વાંકાનેર પધારશે; ત્યાંથી મોરબી પધારશે; ત્યારબાદ, ધ્રાંગધ્રા, ગુજરવદી,
જોરાવરનગર વગેરે ગામો થઈને, વૈશાખ સુદ એકમ(પહેલી)ના રોજ સુરેન્દ્રનગર,
વૈશાખ સુદ ચોથે વઢવાણ શહેર, ને વૈશાખ સુદ આઠમે લીંબડી શહેર પધારશે. ત્યાં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે;
ત્યારબાદ ચૂડા, રાણપુર, બોટાદ, વીંછીયા
ને ગઢડા થઈને ઉમરાળા જેઠ સુદ ત્રીજે પધારશે; ને ત્યારબાદ સોનગઢ પધરામણી
થશે. (વાંકાનેર–ચૈત્ર સુદ તેરસ, સુરેન્દ્રનગર–વૈશાખ સુદ ત્રીજ, વઢવાણ–શહેર–
વૈશાખ સુદ સાતમ, ઉમરાળા–જેઠ સુદ ચોથ,–આ બધા ગામોની જિનમંદિર પ્રતિષ્ઠાની
વર્ષગાંઠ પ્રસંગે પૂ. ગુરુદેવ તે જ ગામમાં બિરાજમાન હશે. મહાવીર જન્મકલ્યાણક
મહોત્સવ વાંકાનેરમાં ઊજવાશે. ગુરુદેવનો ૬૯મો જ જન્મોત્સવ સુરેન્દ્રનગરમાં
ઉજવાશે.
તીર્થયાત્રા મહોત્સવના મંગલ દિવસો
ગઈ સાલના પોષ સુદ પૂર્ણિમાએ મુંબઈથી તીર્થયાત્રા નિમિત્તે સંઘ સહિત પૂ.
ગુરુદેવે પ્રસ્થાન કર્યું હતું ને ત્યાર બાદ અનેક તીર્થધામોની ઉલ્લાસભરી યાત્રા કરી
હતી. એ તીર્થયાત્રાના મંગલ દિવસો ફરીને આવતાં, જે દિવસે જે તીર્થધામની યાત્રા
થયેલી તેનું સ્મરણ કરીને, તે દિવસે જે તીર્થધામની સમૂહપૂજા સોનગઢ જિનમંદિરમાં
કરવામાં આવે છે, ને કોઈ કોઈ વાર પૂ. ગુરુદેવ પ્રવચનમાં પણ સિદ્ધવરકૂટ વગેરે
તીર્થધામોના સ્મરણો કહે છે,–આમ, એ આનંદકારી તીર્થયાત્રાનું ફરી ફરીને સ્મરણ
થાય છે. વિશેષમાં, એ તીર્થયાત્રાના ભવ્ય પ્રસંગની ફિલ્મ પણ ઉતારવામાં આવેલી છે,
તેનું પણ સોનગઢમાં પ્રદર્શન થતાં એ ભવ્ય તીર્થયાત્રાના દ્રશ્યો ફરીને જાણે નજર
સમક્ષ જ બની રહ્યા હોય–એવું લાગે છે..અથવા તો, ગુરુદેવની અને ભક્તજનોની
મહાન ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને બધાય તીર્થધામો સુવર્ણપુરે પધાર્યા હોય!–એમ
લાગે છે. સોનગઢના આંગણે જ બધાય તીર્થધામોનાં દર્શન કરતાં ભક્તોને બહુ આનંદ
થાય છે (આખી ફિલ્મ લગભગ ૬૪૦૦ ફીટ લાંબી છે.)
હવે, દક્ષિણના બાકી રહેલા તીર્થંધામો (શ્રી ગોમટેશ્વર બાહુબલિ. રત્નપ્રતિમા,
કુંદનગીરી વગેરે) ની યાત્રા આવતી સાલ (મુંબઈના જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગની
સાથે) કરવાની સૌની ભાવના છે.
વાર્ષિક લવાજમ રૂપિયા ચારઃ છૂટક નકલ પાંચ આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક માહ
અંક ચોથો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
પ્રભુતા
હે જીવ! સિદ્ધભગવંતોને અખંડપ્રતાપવંતી સ્વતંત્રતાથી
શોભિત જેવી પ્રભુતા પ્રગટી છે તેવી જ પ્રભુતા તારા
આત્મામાં છે. તારા આત્માની સ્વતંત્ર પ્રભુતાના પ્રતાપને કોઈ
ખંડિત કરી શકે તેમ નથી. અનાદિથી તેં જ તારી પ્રભુતાને
ભૂલીને તેનું ખંડન કર્યું છે; હવે તારા આત્મસ્વભાવની
પ્રભુતાને પ્રતીતમાં લઈને તેનું અવલંબન કર, તેથી તારી
પામરતા ટળી જશે ને અખંડ પ્રતાપવાળી પ્રભુતાથી તારો
આત્મા સ્વતંત્રપણે શોભી ઊઠશે.
સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં પ્રભુતાનો અંશ પ્રગટે છે;
સમ્યગ્દર્શન વગરના બધા જીવો, (શક્તિપણે પ્રભુ હોવા છતાં)
પામર છે. જે જીવ સમ્યગ્દર્શન વડે આત્માની પ્રભુતાને ઓળખે
છે તે જીવ અલ્પકાળમાં ‘પ્રભુ’ થઈ જાય છે; સ્વતંત્રતાથી
શોભિત એની પ્રભુતાના અખંડ પ્રતાપને કોઈ તોડી શકતું
નથી. આત્માની પ્રભુતાની પ્રતીતનું આ ફળ છે.
–સાતમી શક્તિના પ્રવચનમાંથી.
અધ્યાત્મ–શ્રવણનો પરમ ઉત્સાહ અને વિનય
“અહા, આત્મામાં જ આનંદ છે, આત્મા સિદ્ધ ભગવાન જેવો છે”–આવા અધ્યાત્મનું શ્રવણ કરાવનારા સંત
મળવા અનંતકાળે બહુ દુર્લભ છે. આવા અધ્યાત્મના શ્રવણમાં જીવને ઘણો વિનય ને ઘણી પાત્રતા જોઈએ.
(અહીં પરમભક્તિપૂર્વક ગદગદભાવે ગુરુદેવ કહે છે કેઃ)
અહાહા! ભાવલિંગી સંતમુનિ મળે ને આવી અધ્યાત્મની વાત સંભળાવતા હોય તો, એના ચરણ પાસે બેસીને..
અરે! એના પગનાં તળીયાં ચાટીને આ વાત સાંભળીએ.
વીર સં. ૨૪૮૪ કારતક વદ ત્રીજ
* * *

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૭૨
શ્રી દશરથ મહારાજાએ વૈરાગ્ય પામીને જિનદીક્ષા અંગીકાર
કરી; શ્રી રામ–લક્ષ્મણ–સીતાજી વિદેશ સીધાવ્યા.. ને
અયોધ્યાના રાજસિંહાસન ઉપર વૈરાગ્યવંત ભરતકુમારનો
રાજ્યાભિષેક થયો..વૈરાગી ભરતની ત્યાર પછીની આ કથા
હવે આગળ ચાલે છે. (મોટા પદ્મપુરાણના આધારેઃ બ્ર.
હરિલાલ જૈન)
શ્રી રામ–લક્ષ્મણ–સીતાના વિદેશગમન બાદ કૈકેયી વગેરેને અત્યંત પશ્ચાત્તાપ થાય છે અને તરત જ પાછળ
જઈને કૈકેયી તથા ભરત, રાજ્યમાં પાછા આવીને રાજ્ય સંભાળવા રામચંદ્રજીને ઘણો આગ્રહ કરે છે..પણ પિતાજીના
વચનના પાલનની ખાતર રામ પાછા આવતા નથી ને વિદેશગમન કરે છે. ભરતરાજ ઉદાસીનતાપૂર્વક, શ્રાવકધર્મ
અંગીકાર કરીને ધર્મપાલનપૂર્વક રાજ્ય સંભાળે છે.
આ તરફ રામચંદ્રજી વગેરે દેશોદેશ ફરતાં, એક વાર અતિ ભક્તિપૂર્વક દેશભૂષણ–કુલભૂષણ મુનિરાજના
ઉપસર્ગ દૂર કરે છે ને તે મુનિવરોને કેવળજ્ઞાન થાય છે. ત્યારબાદ “વંશગીરી” પર્વત ઉપર શ્રીરામ સેંકડો ભવ્ય
જિનમંદિરો બંધાવે છે તેથી તે પર્વત “રામગીરી” તરીકે પ્રસિદ્ધિ પામે છે. એક વાર નર્મદા–કિનારે વનમાં
ગુપ્તિ–સુગુપ્તિ નામના ચારણમુનિવરોને રામચંદ્રજી ભક્તિપૂર્વક આહારદાન કરે છે; એ પ્રસંગ દેખીને ત્યાં ઝાડ
ઉપર બેઠેલા એક ગૃદ્ધપક્ષીને જાતિસ્મરણ થાય છે ને મુનિરાજના ચરણસમીપે ભક્તિપૂર્વક પાંખો ફેલાવીને તે
નૃત્ય કરે છે.
એક વાર ત્રણ ખંડનો રાજા રાવણ કપટથી સીતાને હરી જાય છે; રામ–લક્ષ્મણને તેની સાથે યુદ્ધ થાય છે, તેમાં
લક્ષ્મણ ચક્ર વડે રાવણનો ઘાત કરે છે. રાવણના મૃત્યુ બાદ તેના પુત્રો ઇન્દ્રજીત વગેરે તેમ જ કુંભકર્ણ જિનદીક્ષા લ્યે છે,
મંદોદરી વગેરે હજારો રાણીઓ પણ દીક્ષા લઈને અર્જિકા થાય છે..રામ–લક્ષ્મણ–સીતા વગેરે લંકામાં રાવણના મહેલમાં
શાંતિનાથ જિનમંદિરમાં ભક્તિ કરે છે..ત્યારબાદ ત્રણ ખંડના અધિપતિ રામ–લક્ષ્મણ, બળદેવ–વાસુદેવ તરીકે
અયોધ્યાનગરીમાં પ્રવેશ કરે છે, અયોધ્યામાં ઘરેઘરે રત્નવૃષ્ટિ થાય છે, ને ઠેરઠેર નવા જિનમંદિરો બંધાય છે. રામ–
લક્ષ્મણ–સીતાના દર્શનથી ભરત બહુ ખુશી થાય છે..
જેમ પિંજરામાં પુરાયેલો સિંહ વનમાં જવાની ઉત્કંઠા કરે તેમ ઘરથી ઉદાસીન ભરતરાજ ઘરબાર છોડીને
વનવાસી મુનિ થવા ઇચ્છે છે; એક વાર ઘર છોડીને ચાલ્યા જવાની તૈયારી કરે છે ત્યાં કૈકેયીના કહેવાથી રામ–લક્ષ્મણે
તેને રોકયો; ને રામચંદ્રજી અતિસ્નેહપૂર્વક તેને કહેવા લાગ્યા–હે બંધુ! પિતાજી જ્યારે વૈરાગ્ય પામ્યા ત્યારે આ
રાજસિંહાસન ઉપર તને બેસાડયો છે, તેથી તું જ આ રઘુવંશનો સ્વામી છે. આ સુદર્શનચક્ર તથા દેવો અને વિદ્યાધરો
તારી આજ્ઞામાં રહેશે, હું તારા શિરે છત્ર ધરીશ, ભાઈ શત્રુઘ્ન ચામર ઢાળશે અને લક્ષ્મણ તારું મંત્રીપણું કરશે, હે
ભરત! જો તું અમારા વચન નહિ માને તો

PDF/HTML Page 6 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ પઃ
હું ફરીને વિદેશ ચાલ્યો જઈશ..ને મૃગોની જેમ વનમાં રહીશ. હું તો રાવણને જીતીને તારા દર્શન માટે આવ્યો હતો, માટે
તું આ રાજ્ય કર. પછી તારી સાથે હું પણ મુનિપણું અંગીકાર કરીશ.
–પણ ભરત તો મહાનિઃસ્પૃહ છે, વિષયોથી તેનું ચિત્ત અત્યંત વિરક્ત થઈ ગયું છે; તે કહે છે કે હે દેવ! આ
રાજસંપદાને હું તુરત જ છોડવા માંગું છું; એને તજીને શૂરવીર પુરુષો મોક્ષ પામ્યા છે. હું પણ એને તજીને, મુનિ થઈને,
શીઘ્ર મોક્ષને સાધવા માગું છું. સ્વર્ગસમાન આ ભોગોમાં કે રાજસંપદામાં મને ક્યાંય રુચિ નથી. રત્નત્રયરૂપ જહાજમાં
બેસીને હવે હું આ સંસારસમુદ્રને તરવા ચાહું છું. અનંતકાળના જન્મ–મરણોથી આ આત્મા ખેદખિન્ન થયો–
તેનાથી હવે બસ થાઓ..
ભરતની આ વૈરાગ્યવાણી સાંભળીને મોટા મોટા અનેક રાજાઓની આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે.
તેઓ ગદગદવાણીથી કહે છેઃ હે મહારાજ! પિતાના વચન અનુસાર થોડા દિવસ રાજ્ય કરો.. પછી મુનિ થાજો..
ત્યારે ભરત કહે છેઃ પિતાજી વચન અનુસાર મેં ઘણા દિવસ રાજ્ય કર્યું ને રાજસંપદા ભોગવી; હવે તો હું
પિતાજીએ જે કર્યું તે કરવા ચાહું છું. અરે! તમે પણ આ વસ્તુની અનુમોદના કેમ નથી કરતા? પ્રશંસાયોગ્ય વસ્તુમાં
વિવાદ શો? હે શ્રીરામ! હે લક્ષ્મણ! તમે બળદેવ–વાસુદેવનો મહાન વૈભવ પ્રાપ્ત કર્યો છે તો પણ મને હવે તેમાં
રુચિ નથી. કેમ કે–જેમ સમુદ્ર નદીઓનાં પાણીથી કદી તૃપ્ત થતો નથી તેમ બાહ્ય વિષયો વડે આત્માને કદી તૃપ્તિ
થતી નથી. માટે હવે
તો હું તત્ત્વજ્ઞાનના માર્ગમાં (–મુનિમાર્ગમાં) પ્રવર્તીશ.
–એમ કહીને, અત્યંત વિરક્ત એવો તે ભરત, રામ–લક્ષ્મણને પૂછયા વગર જ વૈરાગ્યપૂર્વક ઊઠયો જેમ અગાઉ
ભરત ચક્રવર્તી ઊઠયા હતા તેમ; ભરત ગંભીર ચાલથી ચાલતો મુનિરાજ પાસે જવા કટિબદ્ધ થયો..ત્યારે ઘણા
સ્નેહપૂર્વક લક્ષ્મણે તેનો હાથ ઝાલીને રોકયો..માતા કૈકેયી પણ આંસુ સારતી આવી...રામ–લક્ષ્મણની રાણીઓ (સીતા,
વિશલ્યા, વગેરે) એ પણ ભરતને ઘણો વિનવ્યો..અને જલક્રીડા માટે સરોવર કિનારે લઈ ગઈ..પણ આ તો અત્યંત
વિરક્ત છે..બધા જલક્રીડા કરે છે ત્યારે આ તો સરોવરના કાંઠે ઊભો છે..ને બાજુમાં આવેલા જિનમંદિરમાં જઈને
ભગવાનની પૂજા–ભક્તિ કરે છે...
હવે આ તરફ બરાબર એ જ વખતે એવું બન્યું કે–ત્રિલોકમંડન હાથી–કે જે રાવણનો પટ્ટ હાથી હતો અને
જેને રામચંદ્રજી લંકાથી અયોધ્યા લાવ્યા હતા તે–ગજબંધન તોડીને ગર્જના કરતો ભાગ્યો. લોકો ભયભીત થયા.
હાથી નગરનો દરવાજો તોડીને, ભરત જ્યાં પૂજા કરતો હતો ત્યાં આવ્યો..સીતા વગેરે રાણીઓ ભયભીત થઈને
ભરતના શરણે આવી. હાથીને ભરત તરફ જતો દેખીને તેની માતા હાહાકાર કરવા લાગી...સીતા વગેરેને
બચાવવા માટે ભરત તેમની આગળ આવીને ઊભો રહ્યો. ભરતને દેખતાં જ હાથીને જાતિસ્મરણ થયું..તે
પોતાનો પૂર્વભવ વિચારીને શાંતચિત્ત થઈ ગયો ને સૂંઢ નરમ કરીને વિનયપૂર્વક ભરતની પાસે ઊભો.
ભરતે મધુર વાણીથી કહ્યુંઃ અહો ગજરાજ! કયા કારણથી તું ક્રોધિત થયો! ભરતના વચન સાંભળતાં અત્યંત
શાંત અને સૌમ્ય થઈને ત્રિલોકમંડન હાથી ભરતની સામે જોઈ રહ્યો અને મનમાં વિચારવા લાગ્યોઃ અહા! આ
ભરત મારો પરમ મિત્ર છે, છઠ્ઠા સ્વર્ગમાં અમે બંને સાથે હતા; ત્યાંથી આ તો ઉત્તમપુરુષ થયો ને હું મહાનિંદ્ય
પશુયોનિ પામ્યો! ધિક્કાર આ જન્મને! હવે શોચ કરવો વૃથા છે, હવે તો એવો ઉપાય કરું કે જેથી આત્માનું
કલ્યાણ થાય, ને સંસાર ભ્રમણમાં ન ભમું. શોચ કરવાથી શું? હવે સર્વ પ્રકારનો ઉદ્યમ કરીને ભવદુઃખથી
છૂટવાનો ઉપાય કરું–આ રીતે, જેને પૂર્વ ભવનું ભાન થયું છે એવો તે ગજેન્દ્ર અત્યંત વિરક્ત થઈને
હિતચિંતન કરવા લાગ્યો.
હાથીને નગરમાં લાવ્યા પછી ચોથા દિવસે તેના મહાવતોએ રામ–લક્ષ્મણ પાસે આવીને કહ્યુંઃ હે દેવ! આ
ગજરાજનો આજે ચોથો દિવસ છે, તે કાંઈ ખાતો નથી, પીતો નથી, સૂતો નથી. જ્યારથી તે ક્રોધિત થયો અને પાછો
શાંત થયો ત્યારથી બધી ચેષ્ઠા છોડીને,

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭૨
નિશ્ચલપણે શાંતચિત્તે આંખો મીંચીને ધ્યાનારૂઢ ઊભો રહે છે; ગીત સાંભળતો નથી, નૃત્ય દેખતો નથી–ખબર નથી
પડતી કે એના મનમાં શું છે? આ સાંભળીને બંને ભાઈ પણ ચિંતાવાન થઈને વિચારવા લાગ્યા કે હાથી ગજબંધન
તોડીને શા માટે ભાગ્યો? ને પાછો! અચાનક ભરત પાસે કેમ ક્ષમાવાન બની ગયો? ને ત્યારથી તે આહાર–પાણી કેમ
નથી લેતો?
–એવામાં, અનેક મુનિઓ સહિત શ્રી દેશભૂષણ–કૂલભૂષણ કેવળી ભગવંતો અયોધ્યામાં પધાર્યા,–આ તે જ
મુનિઓ છે કે વિદેશગમન વખતે શ્રીરામ–લક્ષ્મણે જેમનો ઉપસર્ગ દૂર કરીને ભક્તિ કરી હતી. કેવળી ભગવંતોનું
આગમન સાંભળતાં જ ભરત વગેરેને ઘણી પ્રસન્નતા થઈ, ને ત્રિલોકમંડન હાથી ઉપર બેસીને રામ–લક્ષ્મણ–ભરત–
શત્રુઘ્ન તેમના દર્શને ગયા;
સાથે કૌશલ્યા–સુમિત્રા–કૈકેયી અને સુપ્રભા એ ચારે રાજમાતાઓ પણ અનેક રાણીઓ
સહિત ગયાં; સુગ્રીવ આદિ અનેક વિદ્યાધર રાજાઓ પણ સાથે ચાલ્યા. દૂરથી જ કેવળી ભગવાનને જોતાં રામ વગેરે
હાથી ઉપરથી ઉતરી ગયા, ને ભગવાન સમીપ જઈને વિનયપૂર્વક દર્શન–પૂજનાદિ કર્યા, અને વૈરાગ્યઉત્પાદક ને રાગનો
નાશક એવો ભગવાનનો ઉપદેશ સાંભળ્‌યો; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષનું કારણ છે–એનું વર્ણન દિવ્યધ્વનિમાં
સાંભળ્‌યું.
આ પ્રસંગે લક્ષ્મણે પૂછયુંઃ પ્રભો! આ ત્રિલોકમંડન હાથી બંધન તોડીને ક્રોધિત થયો અને ભરતને દેખતાં
તત્કાળ પાછો શાંત થઈ ગયો, અને ખાનપાનથી પણ વિરક્ત થઈ ગયો તેનું શું કારણ?
ત્યારે દિવ્યધ્વનિ દ્વારા ભગવાન દેશભૂષણ કહેવા લાગ્યાઃ પ્રથમ તો લોકોની ભીડ દેખીને મદોન્મત્તપણાને લીધે
તે હાથી ક્ષુભિત થયો ને પછી ભરતને જોતાં પોતાનો પૂર્વભવ વિચારી તે શાંત અને વિરક્ત થયો. આ ભરતને અને
હાથીને ઘણા ભવથી સંબંધ ચાલ્યો આવે છે.
ભગવાન ઋષભદેવના વખતમાં તેઓ બંને સૂર્યોદય અને ચંદ્રોદય
નામના ભાઈઓ હતા, ત્યારે મારીચીના સંબંધથી મિથ્યાત્વના સેવન વડે કુધર્મનું આચરણ કરીને અનેક ભવોમાં
ભમતાં ભમતાં, વિમલનાથ ભગવાનના વખતમાં તે બંને હરણ થયેલા; તે વખતે સ્વયંભૂતિ નામના ત્રીજા નારાયણે
તેમને પકડી જિનમંદિરની પાસે રાખેલા. જિનમંદિરની સમીપ હોવાને કારણે તે હરણોને અનેક મુનિઓના દર્શન
થતાં ને જિનવાણીનું શ્રવણ થતું.
ત્યાંથી ભરતનો જીવ તો, વચ્ચે સ્વર્ગાદિના કેટલાક અવતાર કરીને, પશ્ચિમ વિદેહક્ષેત્રમાં ચક્રવર્તીનો પુત્ર
થયેલ, ત્યાં ત્રણ હજાર રાણીઓ સહિત હોવા છતાં, સંસારથી અત્યંત વિરક્તપણાને લીધે તીક્ષ્ણ અસિધારા વ્રતનું
પાલન કરી, છઠ્ઠા–બહ્મોત્તર સ્વર્ગમાં ગયો.
અને હાથીનો જીવ, વચ્ચે અનેક અવતાર કરીને, એક રાજાને ત્યાં મૃદુમતી નામનો પુત્ર થયેલ; મૃદુમતીના
ભવમાં વિષયકષાયોથી વિરક્ત થઈને મુનિ થયેલ. એક વાર એક નગરની સમીપના પર્વત ઉપર કોઈ ગુણનિધાન
મહામુનિ ચાર માસના ઉપવાસ કરીને રહેલા. ચાર માસ પૂર્ણ થતાં તે ગુણનિધાન મુનિ તો બીજે વિહાર કરી ગયા; ને
તે વખતે મૃદુમતિ મુનિ તે નગરમાં આવ્યા. નગરીના લોકોએ મૃદુમતિ મુનિને જ પૂર્વોક્ત ચાર માસના ઉપવાસ
કરનારા મુનિ સમજીને ઘણા આદરથી તેમની પ્રશંસાદિક કરીને આહારાદિ આપ્યાં. આણે પણ જાણ્યું કે પર્વત ઉપર ચાર
માસ ઉપવાસ કરીને રહેલા મહામુનિને ભરોસે લોકો ભ્રમથી મારી અધિક પ્રશંસા કરી રહ્યા છે–આમ જાણવા છતાં
માનને લીધે તેણે ન તો લોકો પાસે કંઈ ખુલાસો કર્યો, કે ન ગુરુ પાસે પ્રાયશ્ચિત કરીને શલ્ય દૂર કર્યું; આ તીવ્ર
માયાશલ્ય જ તેને તિર્યંચ અવતારનું કારણ થયું. અહીંથી તો તે મૃદુમતિ મુનિ છઠ્ઠા સ્વર્ગે–ભરતના જીવની સાથે
ઉપજ્યાંં.
આ રીતે છઠ્ઠા સ્વર્ગમાં ભરત અને હાથી બંનેના જીવો સાથે હતા; ત્યાંથી એક તો આ ભરત તરીકે ઉપજ્યો ને
બીજો હાથી તરીકે ઉપજ્યો. પૂર્વ ભવોના સંબંધને લીધે, ભરતને જોતાં જ, જાતિસ્મરણ થવાથી હાથી શાંત થઈ ગયો, ને
સંસારથી વિરક્ત થઈને આત્મહિતનું ચિંતન કરતો થકો ખાનપાનથી પણ ઉદાસ વર્તે છે. ભરત તો આજ ભવે મોક્ષ
પામનાર ચરમશરીરી છે, ને હાથીનો જીવ પણ નિકટ ભવ્ય છે. રત્નત્રયરૂપ વીતરાગી જિન ધર્મ જ મોક્ષપ્રાપ્તિ
કરાવવા સમર્થ છે, માટે ભવ્યજીવો તેનું આરાધન કરો.
શ્રી દેશભૂષણ કેવળીના મુખથી મોહઅંધકારને હરનારા ને સંસારસાગરથી તારનારા આવા મહાપવિત્ર વચનો
સાંભળીને, અને તેમાં ભરતના તથા

PDF/HTML Page 8 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ ૭ઃ
હાથીના પૂર્વભવો સાંભળીને, શ્રી રામ–લક્ષ્મણ વગેરે સર્વે ભવ્ય જીવો આશ્ચર્ય પામ્યા..આખી સભા સ્તબ્ધ થઈ ગઈ.
જેને અવિનાશી મોક્ષપદને સાધવા માટે સાધુ થવાની અભિલાષા છે, અને જેનું ચિત્ત ગુરુઓના
ચરણોમાં વિનયથી નમ્રીભૂત છે, એવો ભરત અત્યંત વૈરાગ્યથી ઊભો થઈને, કેવળી પ્રભુને પ્રણામ કરીને
કહેવા લાગ્યોઃ
“હે નાથ! હું સંસારવનને વિષે ભ્રમણ કરતો થકો બહુ દુઃખી થયો; હવે આ સંસાર ભ્રમણથી હું
થાકયો..હે પ્રભો! મુક્તિના કારણરૂપ આપની દિગંબર જિનદીક્ષા મને આપો. આશાના તરંગોથી ઉછળતી
ચાર ગતિરૂપ નદીમાં હું ડૂબું છું તેમાંથી, હે સ્વામી! હસ્તાવલંબન દઈને મને ઉગારો..” આમ કહીને,
કેવળી
ભગવાનની આજ્ઞા અનુસાર જેણે સમસ્ત પરિગ્રહ છોડી દીધો છે એવા તે પરમ સમ્યક્ત્વી ભરતરાજે, પોતાના
કોમળ હાથ વડે શિરના કેશનો લોચ કર્યો, ને મહાવ્રત અંગીકાર કરીને જિનદીક્ષા ધારણ કરી. અહા! ભરતની
દીક્ષાના આ પ્રસંગે આકાશમાં દેવો “ધન્ય..ધન્ય” કહેતા થકા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. હજારથી પણ વધારે
રાજાઓ ભરતના અનુરાગને લીધે વિરક્ત થઈને, રાજઋદ્ધિ છોડી ભરતની સાથે જ જિનદીક્ષા ધારણ કરીને મુનિ
થયા, અને કેટલાક અણુવ્રતધારી શ્રાવક થયા.
માતા કૈકેયી, પોતાના પુત્રનો વૈરાગ્ય અને દીક્ષા દેખીને, અશ્રુપાત કરતી તીવ્ર મોહને લીધે મૂર્ચ્છિત
થઈને જમીન પર પડી. થોડીવારે ભાનમાં આવતાં, જેમ વાછડાના વિયોગમાં ગાય પુકાર કરે તેમ વિલાપ
કરવા લાગીઃ ‘હાય પુત્ર! તારા વિના હવે હું કેમ જીવીશ!!’–આ પ્રમાણે વિલાપ કરતી માતાને ધૈર્ય બંધાવતાં
રામ–લક્ષ્મણે કહ્યુંઃ હે માતા! ભરત તો પહેલેથી જ મહાવિવેકી, જ્ઞાનવાન અને સંસારથી અત્યંત વિરક્ત હતો;
તેનો શોક તજો. શું અમે પણ તમારા પુત્રો નથી? અમે તમારા આજ્ઞાકારી કિંકર છીએ. કૌશલ્યા–સુમિત્રા
તેમજ સુપ્રભાએ પણ કૈકેયીને ઘણું સંબોધન કર્યું. તેથી શોકરહિત થઈને તે પ્રતિબોધ પામી. શુદ્ધ મન વડે
પોતાના મોહની તે નિંદા કરવા લાગી, અરે! ધિક્કાર છે આ સ્ત્રી પર્યાયને; હવે જિનદીક્ષા ધારણ કરીને
એવો ઉપાય કરું કે જેથી ફરીને સ્ત્રીપર્યાય ન ધરું ને ભવસાગરને તરું. આમ આમ વિચારી મહાજ્ઞાનવાન
અને સદા જિનશાસનની ભક્ત એવી તે કૈકેયી, મહાવૈરાગ્યથી પૃથ્વીમતી આર્યિકાની પાસે આર્યિકા થઈ.
નિર્મળ સમ્યક્ત્વની ધારક કૈકેયીએ સમસ્ત પરિગ્રહ ત્યાગીને માત્ર એક શ્વેતવસ્ત્ર ધારણ કર્યું. તેની સાથે બીજી
ત્રણસો સ્ત્રીઓ આર્યિકા થઈ. અને બીજા અનેક જીવોએ શ્રી દેશભૂષણ–કૂલભૂષણ કેળવી ભગવાનની સમીપે
શ્રાવક–શ્રાવિકાના વ્રત ધારણ કર્યાં.
– આ બાજું ત્રિલોકમંડન હાથીએ પણ અતિ પ્રશાંતચિત્ત થઈને કેવળી પ્રભુની નીકટમાં શ્રાવકના
વ્રત ધારણ કર્યા. સમ્યગ્દર્શન સંયુક્ત અને મહાજ્ઞાની એવો તે હાથી ધર્મને વિષે તત્પર થયો; વૈરાગ્યપૂર્વક
પંદર–પંદર દિવસના, કે મહિના–મહિનાના ઉપવાસ કરવા લાગ્યો, ને સુકાં પાન વડે પારણું કરતો હતો.
સંસારથી ભયભીત અને ઉત્તમ ચેષ્ટામાં પરાયણ એવો તે ત્રિલોકમંડન હાથી લોકો વડે પૂજ્ય એવી
મહાવિશુદ્ધિને ધારણ કરતો પૃથ્વીને વિષે વનજંગલમાં વિચરવા લાગ્યો. ક્યારેક પંદર દિવસના, તો ક્યારેક
મહિનાના ઉપવાસ કરીને તેના પારણે જ્યારે ગામમાં આવે છે ત્યારે શ્રાવકો અતિભક્તિપૂર્વક શુદ્ધ અન્ન
જળવડે તેને પારણું કરાવે છે. (સોનગઢ–સ્વાધ્યાય મંદિરમાં આ પ્રસંગનું ચિત્ર છે.) જેનું શરીર ક્ષીણ થઈ ગયું
છે અને વૈરાગ્યરૂપી ખીલે જે બંધાયેલો છે એવો તે હાથી ઉગ્ર તપ કરતો હતો, ને ધીમે ધીમે આહાર ત્યાગીને
અંતસલ્લેખનાપૂર્વક શરીર તજીને છઠ્ઠા સ્વર્ગમાં દેવ થયો. પહેલાં છઠ્ઠા સ્વર્ગેથી આવ્યો હતો ને છઠ્ઠા સ્વર્ગે જ
ગયો; ત્યાંથી પરંપરા મોક્ષ પામશે.
આ તરફ, પરમ વૈરાગી મહામુનિ ભરત જગતના ગુરુ, નિર્ગંથ, મહાવીર, પવન જેવા અસંગ, પૃથ્વી જેવા
ક્ષમાવંત, જલ સમાન નિર્મલ, કર્મોને અગ્નિ સમાન ભસ્મ કરનાર, આકાશ જેવા અલેપ, ચાર આરાધનામાં

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭૨
(શ્રી સમયસાર કર્તાકર્મ અધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
(શરૂઆતના પ્રશ્નોત્તર માટે “આત્મધર્મ” અંક ૧પપ જુઓ)
અશુચીપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨
આચાર્ય ભગવાન કહે છે કે આત્મા અને આસ્રવોના ભેદજ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
હું જ્ઞાનસ્વભાવી આત્મા છું અને આ ક્રોધાદિ આસ્રવો મારાથી વિપરીત સ્વભાવવાળાં અશુચીરૂપ તથા
દુઃખનાં કારણો છે–એમ જાણીને જ્યારે જીવ પોતાના જ્ઞાન સ્વભાવ તરફ ઢળે છે ત્યારે તેને ક્રોધાદિ
આસ્રવોથી નિવૃત્તિ થાય છે, અને તેથી તેને બંધન થતું નથી. આ રીતે સ્વભાવ તરફ વળેલા જ્ઞાનમાત્રથી
જ બંધન અટકી જાય છે.
આ ભગવાન આત્મા સદાય અતિ નિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે અનુભવાતો હોવાથી અત્યંત પવિત્ર છે.
જેમ પાણીમાં સેવાળ તે મેલ છે, તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્મામાં ક્રોધાદિ આસ્રવો તે મેલપણે
અનુભવાતા હોવાથી અશુચી છે–અપવિત્ર છે.
(૬૧) પ્રશ્નઃ– આત્મા અને ક્રોધાદિને ભિન્નતા કઈ રીતે છે?
ઉત્તરઃ– આત્મા
તો અત્યંત પવિત્ર છે ને ક્રોધાદિ મલિન–અપવિત્ર છે, તેથી તેમને જુદાપણું છે.
આ ભગવાન આત્મા તો પોતે જ સદાય વિજ્ઞાનઘનસ્વભાવવાળો હોવાથી સ્વ–પરનો ચેતક છે; અને
ક્રોધાદિ આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ સ્વ–પરને જાણતા નથી, તેઓ તો બીજા વડે જણાવા
યોગ્ય છે;–એ રીતે આત્મા અને ક્રોધાદિને ભિન્નપણું છે.
(૬૩) પ્રશ્નઃ– ક્રોધાદિ બીજા વડે જણાવા યોગ્ય છે–તેમાં ‘બીજા’ એટલે કોણ?
ઉદ્યમી, સ્નેહબંધનથી રહિત સિંહ જેવા નિર્ભય, સમુદ્ર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, યથાજાત દિગંબર રૂપના ધારક,
શત્રુ કે મિત્ર, મહેલ કે જંગલ, સુખ કે દુઃખ, રત્ન કે રજકણ–એ સર્વે જેને સમાન છે એવા વીતરાગી,–તે શાસ્ત્રોક્ત
મુનિમાર્ગમાં વિચરી રહ્યા છે, તપના પ્રભાવથી અનેક ઋદ્ધિઓ પ્રગટી છે પણ એનું ચિત્ત તો ચૈતન્યની કેવળજ્ઞાનઋદ્ધિ
પ્રાપ્ત કરવામાં લાગેલું છે, કોમળ પગમાં સોય જેવા કાંટા ખૂંચી જાય છે પણ તે તરફ કાંઈ લક્ષ નથી. આવા
ભરતમુનિરાજે શુક્લધ્યાનની શ્રેણી વડે મોહનો નાશ કરીને, લોકાલોકપ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રગટ કર્યું; અને પછી
અઘાતી કર્મોને પણ નષ્ટ કરીને સિદ્ધપદ પામ્યા.–તેમને અમારા અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર હો!
કૈકેયીપુત્ર વૈરાગી ભરતનું આ પવિત્ર ચરિત્ર ભક્તિપૂર્વક જે વાંચશે–સાંભળશે તેને વૈરાગ્યાદિની વૃદ્ધિ થઈને
આત્મહિતની પ્રાપ્તિ થશે.
* * *

PDF/HTML Page 10 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ ૯ઃ
ઉત્તરઃ– બીજો એટલે ચૈતન્યસ્વભાવ; ક્રોધાદિ આસ્રવો પોતે પોતાને જાણતા નથી, પણ તેનાથી બીજો (–જુદો)
એવો જે ચૈતન્યભાવ છે તે જ આસ્રવોને જાણે છે. ક્રોધાદિ પોતે પોતાને જાણતા નહિ હોવાથી તેઓ
જડસ્વભાવી છે, ને ભગવાન આત્મા તો સ્વ–પરને જાણનાર હોવાથી ચૈતન્યસ્વભાવી છે–આ રીતે
આત્માને આસ્રવોથી ભિન્નપણું છે. ક્રોધ પોતે પોતાને જાણતો નથી કે ‘હું ક્રોધ છું.’ ક્રોધથી જુદું એવું
જ્ઞાન જ જાણે છે કે ‘આ ક્રોધ છે.’ આ રીતે ક્રોધ પોતે જાણનાર સ્વભાવી નથી, તે તો જણાવા યોગ્ય છે;
ને આત્મા પોતે જાણનાર સ્વભાવી છે–આ રીતે ભિન્ન ભિન્ન લક્ષણ વડે આત્માને અને ક્રોધાદિને જુદા
ઓળખવા.
(૬૪) પ્રશ્નઃ– આત્મા અને ક્રોધાદિને ત્રીજા કયા પ્રકારે ભિન્નતા છે?
ઉત્તરઃ– ક્રોધાદિ આસ્રવો તો આકુળતા ઉપજાવનારાં હોવાથી દુઃખનાં કારણો છે, ને ભગવાન આત્મા તો સદાય
છે.
(૬પ) પ્રશ્નઃ– આ પ્રમાણે આત્મા અને આસ્રવોની ભિન્નતા જાણવાથી શું થાય છે?
ઉત્તરઃ– ભગવાન
આત્મા તો પવિત્ર છે, ચેતકસ્વભાવી છે અને આનંદસ્વરૂપ છે, તથા આસ્રવો તો અપવિત્ર છે,
બીજા વડે જણાવા યોગ્ય છે અને દુઃખરૂપ છે,–આ પ્રમાણે, આત્મા અને આસ્રવોની ભિન્નતાને જ્યારે
આ આત્મા જાણે છે તે જ વખતે તે પોતાના પવિત્ર–જ્ઞાનાનંદસ્વભાવ તરફ વળી જાય છે ને ક્રોધાદિ
આસ્રવોથી તે નિવૃત્ત થાય છે.
(૬૬) પ્રશ્નઃ– ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે–એટલે શું?
ઉત્તરઃ– આત્મા
અને ક્રોધાદિને જ્યાં ભિન્ન જાણ્યા ત્યાં તે જ્ઞાનીને પોતાના શુદ્ધ આત્મામાં જ એકત્વબુદ્ધિ થાય
છે, ને ક્રોધાદિ પરભાવોમાં એકત્વબુદ્ધિ થતી નથી, તેનું નામ ક્રોધાદિથી નિવૃત્તિ છે.
(૬૭) પ્રશ્નઃ– આત્મા અને આસ્રવો જુદા છે એમ જાણે,–પણ ક્રોધાદિથી નિવૃત્તિ ન કરે, તો?
ઉત્તરઃ– તો ત્યાં આત્મા અને આસ્રવોનું પારમાર્થિક ભેદજ્ઞાન થયું જ નથી. જે જ્ઞાન આત્મા અને ક્રોધાદિને
યથાર્થપણે જુદા ઓળખે તે જ્ઞાન અંર્તસ્વભાવ તરફ વળીને ક્રોધાદિથી નિવૃત્ત થયા વગર રહે જ
નહિ. જો ક્રોધાદિમાં જ એકત્વપણે વર્તે તો તે જ્ઞાને ક્રોધાદિથી ભિન્નતા જાણી જ નથી, એટલે કે
ભેદજ્ઞાન થયું જ નથી. યથાર્થ ભેદજ્ઞાન થતાં જ્ઞાન અવશ્ય આત્મસ્વભાવ તરફ વળી જાય છે ને
ક્રોધાદિથી જુદું પડી જાય છે.–આ રીતે ‘ભેદજ્ઞાન’ ને ‘ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્તિ’ સાથે
અવિનાભાવીપણું છે.
(૬૮) પ્રશ્નઃ– ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્તિ સાથે જ્ઞાનનું અવિનાભાવીપણું છે–એ કઈ રીતે?
ઉત્તરઃ– આત્માના
જ્ઞાનસ્વભાવને ક્રોધાદિથી જુદો જાણીને, જ્ઞાને અંર્તસ્વભાવમાં વળીને જ્યાં તેની રુચિ કરી
ત્યાં ક્રોધાદિની રુચિ છૂટી ગઈ. આ રીતે જ્ઞાનસ્વભાવની રુચિમાં પ્રવૃત્તિ થતાં જ તે જ્ઞાન ક્રોધાદિની
રુચિથી નિવૃત્ત થઈ ગયું; માટે આત્મા તરફ વળીને તેમાં જેણે એક્તા કરી છે તે જ્ઞાન આસ્રવોથી જરૂર
પાછું વળી ગયું છે. આ રીતે જ્ઞાનને આસ્રવોથી નિવૃત્તિ સાથે અવિનાભાવીપણું છે. જ્ઞાન અંતર્મુખ થઈને
શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ કરે અને ક્રોધાદિની રુચિ ન ટળે–એમ બનતું નથી. જો ક્રોધાદિની રુચિ ન છૂટી
હોય તો તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, તેણે ખરેખર આસ્રવોથી પોતાની ભિન્નતા જાણી નથી, એટલે તે
આસ્રવોમાં જ અભેદપણે પ્રવર્તે છે. જે જ્ઞાન ક્રોધાદિથી પોતાની ભિન્નતા જાણે તે જ્ઞાન ક્રોધાદિની રુચિ
છોડીને, અંતર્મુખ સ્વભાવ તરફ વળ્‌યા વગર રહે જ નહિ.
(૬૯) પ્રશ્નઃ– આત્મા અને આસ્રવોની ભિન્નતા જાણનારું જ્ઞાન આસ્રવોથી ન નિવર્તે તો?
ઉત્તરઃ– તો તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે. આત્મા અને આસ્રવોની ભિન્નતાને જાણનારું જ્ઞાન આસ્રવોથી પાછું
ન વળે–એમ બને જ નહિ. આસ્રવો સાથે એકપણે વર્તનારું જ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન જ
છે, તે આત્મા અને આસ્રવોની ભિન્નતાને જાણતું નથી. અને જે ભેદજ્ઞાન છે તે તો નિયમથી

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૭૨
આસ્રવોથી જુદું જ વર્તે છે, માટે ભેદજ્ઞાનવડે જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
(૭૦) પ્રશ્નઃ– આમ સિદ્ધ થતાં શું થયું?
ઉત્તરઃ–
રીતે ભેદજ્ઞાનવડે જ બંધનો નિરોધ સિદ્ધ થતાં ‘અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનય’ નું ખંડન થયું.
(૭૧) પ્રશ્નઃ– “અજ્ઞાનનો અંશ એવો ક્રિયાનય” એટલે શું?
ઉત્તરઃ–
ભેદજ્ઞાન વગર, અજ્ઞાનપૂર્વકના એકલા મંદરાગરૂપ ક્રિયાથી બંધનનો નિરોધ થવાનું માનવું તે
“અજ્ઞાનનો અંશ એવો ક્રિયાનય” છે; અહીં ભેદજ્ઞાન વડે જ બંધનો નિરોધ થવાનું સિદ્ધ થતાં તે
ક્રિયાનયનું ખંડન થયું.
(૭૨) પ્રશ્નઃ– અહીં બીજા કયા નયનું ખંડન થયું?
ઉત્તરઃ– અહીં
એકાંત ‘જ્ઞાનનય’ નું પણ ખંડન થયું.
(૭૩) પ્રશ્નઃ– એકાંત જ્ઞાનનયનું ખંડન કઈ રીતે થયું?
ઉત્તરઃ– આત્મા
અને આસ્રવોને જાણનારું જે જ્ઞાન છે તે પણ જો આત્મા તરફ ન વળે ને આસ્રવોથી જુદું ન પડે,
તો તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે–એમ સિદ્ધ થવાથી, ‘જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનય’ નું પણ
ખંડન થયું.
(૭૪) પ્રશ્નઃ– એકાંત જ્ઞાનનય એટલે શું?
ઉત્તરઃ– આત્મા
અને આસ્રવ જુદા–એમ શાસ્ત્રથી જાણપણું તો કરે, પણ પોતાના જ્ઞાનને અંતરમાં આત્મસ્વભાવ
તરફ વાળે નહિ ને આસ્રવોથી જુદું પાડે નહિ, માત્ર જાણપણાથી બંધન અટકી જશે એમ માનીને એકલા
જાણપણામાં અટકી જાય–તો તે ‘એકાંત જ્ઞાનનય’ છે. આત્મા અને આસ્રવોની ભિન્નતા જાણવાનું
તાત્પર્ય તો એ હતું કે આત્મસ્વભાવમાં અંતર્મુખ થવું ને આસ્રવોથી પરાંગમુખ થવું. તેને બદલે
આસ્રવોમાં જ એકમેકપણે વર્ત્યા કરે તો તે જ્ઞાન વડે બંધનનો નિરોધ સિદ્ધ થતો નથી; એ રીતે તે એકાંત
જ્ઞાનનયનું ખંડન થયું એટલે કે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે એમ નક્કી થયું.
(૭પ) પ્રશ્નઃ– આત્માને અને આસ્રવોને જુદા કઈ રીતે જાણવા?
ઉત્તરઃ–
આ ભગવાન આત્મા તો પવિત્ર છે, જ્ઞાતા છે અને સુખસ્વરૂપ છે; તથા ક્રોધાદિ આસ્રવો અપવિત્ર છે,
જડ છે અને દુઃખનાં કારણ છે;–આ રીતે લક્ષણભેદ વડે આત્મા અને આસ્રવોને જુદા જાણવા.
(૭૬) પ્રશ્નઃ– આત્મા અને આસ્રવોને જુદા જાણીને શું કરવું?
ઉત્તરઃ–
જ્ઞાનસ્વભાવી આત્મા તો હું છું–એમ જાણીને તેમાં તો જ્ઞાનની એકતા કરવી, અને ક્રોધાદિ મારાથી
ભિન્ન છે,–એમ જાણીને તેની સાથેની એકતા છોડવી; એટલે કે જ્ઞાનસ્વભાવમાં પ્રવર્તવું ને આસ્રવોથી
નિવર્તવું.
(૭૭) પ્રશ્નઃ– ભેદજ્ઞાની જીવ આસ્રવોથી નિવર્તેલો હોય–એ નિયમ કહ્યો. સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વાદિ આસ્રવોથી તો
નિવૃત્તિ છે, પરંતુ તેને ય હજી બીજી કેટલીક કર્મપ્રવૃત્તિઓનો આસ્રવો તો થાય છે;–આ રીતે આસ્રવ હોવા
છતાં તેને ભેદજ્ઞાન કઈ રીતે છે?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ–ભેદજ્ઞાનીને જો કે પોતાની અસ્થિરતાના રાગાદિભાવને લીધે અમુક આસ્રવ થાય છે, તો પણ
તેનું જ્ઞાન તે આસ્રવોમાં એકત્વબુદ્ધિથી પ્રવર્તતું નથી પણ ભિન્નતારૂપે જ વર્તે છે. આસ્રવોમાં એકપણે
નહિ વર્તતું હોવાથી તેનું જ્ઞાન આસ્રવોથી નિવર્તેલું જ છે, ને તેથી તેને ભેદજ્ઞાન છે જ.
(૭૮) પ્રશ્નઃ– ભેદજ્ઞાન કેવી રીતે ઉદય પામે છે?
ઉત્તરઃ–
જે ભેદજ્ઞાન છે તે પરપરિણતિને છોડતું ને ચૈતન્યના આનંદમાં કેલિ કરતું ઉદય પામે છે. અહો! આવા
ભેદજ્ઞાનમાં વિકાર સાથે એકતા કે કર્મનું બંધન કેમ હોય?–ન જ હોય.
જયવંત વર્તો આવું ભેદજ્ઞાન!
(૭૯) પ્રશ્નઃ– જ્ઞાનીને રાગ હોય?
ઉત્તરઃ– હા,
જ્ઞાનીને પણ અસ્થિરતાની ભૂમિકામાં રાગ હોય છે.
(૮૦) પ્રશ્નઃ– રાગ હોવા છતાં જ્ઞાન હોય?
ઉત્તરઃ– હા;
ભેદજ્ઞાનીને રાગ હોવા છતાં જ્ઞાન પણ હોય છે.
(૮૧) પ્રશ્નઃ– રાગ જ્ઞાનીને પણ હોય ને અજ્ઞાનીને પણ હોય–તેમાં શું ફેર?

PDF/HTML Page 12 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
ઉત્તરઃ– અજ્ઞાનીને રાગ હોય અને જ્ઞાનીને પણ રાગ હોય, પરંતુ અજ્ઞાની તો રાગથી જુદા જ્ઞાનસ્વભાવને
જાણતો જ નથી, રાગને જ આત્મા માને છે, એટલે તેનું બધું જોર રાગમાં જ વળેલું છે, તેથી તેનો રાગ
અનંતાનુબંધી છે. અને જ્ઞાનીને રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવનું ભાન છે, તેને રાગમાં એકતા થતી નથી,
તેનું જોર જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયું છે તેથી તેનો રાગ ઘણો અલ્પ છે. અને જે અલ્પ રાગ છે તેને
પણ તે પોતાના સ્વભાવથી જુદાપણે જાણે છે. આ રીતે જ્ઞાનીને રાગથી ભિન્નપણું છે ને અજ્ઞાનીને રાગ
સાથે એકપણું છે. જ્ઞાનીને જ્ઞાનમાં એકતાપણે રાગની ઉત્પત્તિ થતી જ નથી.
(૮૨) પ્રશ્નઃ– સમકિતી ચક્રવર્તી છ ખંડના રાજને અને છન્નું હજાર રાણીઓને ભોગવે છતાં તે જ્ઞાની; અને મિથ્યાદ્રષ્ટિ
જીવ ત્યાગી દ્રવ્યલિંગી સાધુ થઈને બ્રહ્મચર્ય પાળે–છતાં તે અજ્ઞાની;–તેનું શું કારણ?
ઉત્તરઃ– ભાઈ, જ્ઞાની–અજ્ઞાનીપણાનું માપ બહારના સંયોગ ઉપરથી નથી, એકલા રાગ ઉપર પણ તેનું માપ નથી,
પણ તે વખતે તેની બુદ્ધિ ક્યાં વર્તે છે?–રાગમાં એકતાપણે વર્તે છે કે આત્મસ્વભાવમાં એકતાપણે વર્તે
છે? તે ઉપરથી જ્ઞાની–અજ્ઞાનીપણાનું માપ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ મંદરાગ કરીને બ્રહ્મચર્યાદિ પાળતો હોવા
છતાં ‘આ રાગથી મને લાભ થશે–’ એવી રાગ સાથેની એકત્વબુદ્ધિ ઊંડે ઊંડે તેને પડી છે તેથી તે
અજ્ઞાની જ છે; જેને રાગ સાથે એકતાબુદ્ધિ છે–રાગમાં સુખબુદ્ધિ છે, તેણે રાગના ફળને છોડયું છે–એમ
પણ ખરેખર કહેવાતું નથી, એટલે જેને રાગની રુચિ છે તેને રાગના ફળરૂપ ભોગની રુચિ પણ પડી જ
છે,–પછી ભલે તે બ્રહ્મચર્યાદિ પાળતો હોય. અને સમકિતી ધર્માત્માને ભોગ વગેરે અશુભ રાગ હોવા
છતાં તે વખતે પણ રાગથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું જ્ઞાન વર્તે છે, વિષયભોગમાં સ્વપ્ને ય સુખ
માનતા નથી, ને રાગ સાથે એકતા કરતા નથી, જ્ઞાન સાથે જ એકતાપણે પરિણમે છે તેથી તે જ્ઞાન જ છે.
રાગની ને વિષયોની રુચિ તેને છૂટી ગઈ છે. અરે! જ્ઞાની–અજ્ઞાનીની ઓળખાણ પણ જગતના જીવોને
દુર્લભ છે.
સંયોગ મળવો તે તો પુણ્યનો ઠાઠ છે. તીર્થંકર ભગવંતોને રાગ ન હોવા છતાં પુણ્યના ફળથી
સમવસરણના અચિંત્ય વૈભવનો ઠાઠ રચાઈ જાય છે. સંયોગના ઠાઠ ઉપરથી રાગનું માપ નથી. કોઈ જીવ
એક સ્ત્રી પરણે માટે તેને રાગ થોડો જ હોય ને સમકિતી ચક્રવર્તી રાજા ૯૬૦૦૦ રાણીઓ પરણે માટે
તેને રાગ ઘણો હોય–એવો કોઈ નિયમ નથી. નહિતર તો જેના શરીરમાં ઝાઝા પરમાણુ હોય તેવા જાડા
માણસોને વધારે રાગ ને જેનું શરીર પાતળું–નાનું થોડા પરમાણુવાળું હોય તેને થોડો રાગ–એમ ઠરે. પણ
એમ નથી. એ જ રીતે લક્ષ્મી વગેરેમાં પણ સમજવું.
આ રીતે સંયોગ ઉપરથી રાગનું માપ નથી–એ એક સિદ્ધાંત થયો. તેનાથી સૂક્ષ્મ બીજો સિદ્ધાંત એ
છે કે રાગ ઉપરથી જ્ઞાની–અજ્ઞાનીનું માપ નથી. જેને રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન વર્તે છે તે જ્ઞાની જ
છે. તથા જેને રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન નથી પણ એકતાબુદ્ધિ છે તે અજ્ઞાની જ છે. આ રીતે
રુચિનું વલણ કઈ તરફ છે તે ઉપરથી જ જ્ઞાની–અજ્ઞાનીનું માપ થાય છે. પોતાના વેદનમાં જેને
જ્ઞાન અને રાગની ભિન્નતા નથી ભાસતી તે બીજા જીવનો યથાર્થ નિર્ણય કરી શકશે નહિ; કેમ કે
રાગ અને જ્ઞાનના ભિન્ન ભિન્ન સ્વરૂપની તેને ખબર નથી, તેથી સામો જીવ રાગ અને જ્ઞાનને
એકપણે અનુભવે છે કે ભિન્નપણે–તેનો નિર્ણય તે કઈ રીતે કરી શકે? આ રીતે પોતાના અંતરમાં
રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન કરે ત્યારે જ માર્ગની શરૂઆત થાય છે ને ત્યારે જ જ્ઞાનીની ખરી
ઓળખાણ થાય છે.
હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું ને મારા જ્ઞાનદર્શનસ્વભાવથી પરિપૂર્ણ છું–એમ ધર્મી
પોતાના આત્માને જાણે છે.
‘છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શનપૂર્ણ છું’
એ પ્રમાણે પોતાના જ્ઞાનસ્વભાવને ક્રોધાદિથી ભિન્ન અનુભવતો થકો જ્ઞાની ધર્માત્મા ક્રોધાદિની
પક્કડબુદ્ધિ છોડી દે છે; એટલે આસ્રવોથી પાછો વળીને જ્ઞાનસ્વભાવમાં એકતા કરે છે; જ્ઞાનસમુદ્રમાં લીન
થઈને આસ્રવોને છોડી દે છે.

PDF/HTML Page 13 of 25
single page version

background image
જેમ સમુદ્ર વમળવડે વહાણને પકડે છે, તેમ ધીરગંભીર ચૈતન્યસમુદ્રમાં ‘ક્રોધાદિ તે હું’ એવા
મિથ્યાત્વરૂપી વમળ વડે આત્માએ આસ્રવરૂપ વહાણને પકડયું હતું; પણ, જેમ સમુદ્ર ઉપશાંત થઈને વમળ
શમી જતાં તે વહાણને છોડી દે છે, તેમ ચૈતન્યસમુદ્ર ભગવાન આત્મા ક્રોધાદિથી ભિન્નતા જાણીને જ્યાં
સ્વરૂપમગ્ન પ્રશાંત થયો ત્યાં ‘ક્રોધાદિ તે હું’ એવા મિથ્યા વિકલ્પોરૂપી વમળ શમી ગયા ને આત્માએ
આસ્રવરૂપી વહાણને છોડી દીધું.–આ રીતે દરિયાના દ્રષ્ટાંતે ભેદજ્ઞાન વડે આત્મા આસ્રવોને છોડે છે.
(૮૬) પ્રશ્નઃ– પહેલાં કર્મ ટળે, પછી અજ્ઞાન ટળે ને જ્ઞાન થાય–એ વાત બરાબર છે?
ઉત્તરઃ– ના,
એમ નથી.
(૮૭) પ્રશ્નઃ– તો પહેલાં જ્ઞાન થાય, પછી અજ્ઞાન ટળે ને પછી કર્મો ટળે,–એવો ક્રમ છે?
ઉત્તરઃ– ના;
એમ પણ નથી.
જ્ઞાન થાય, અજ્ઞાન ટળે ને કર્મો છૂટી જાય–એ ત્રણેનો એક જ કાળ છે. સમ્યગ્જ્ઞાનની ઉત્પત્તિ થાય ને
મિથ્યાજ્ઞાન ન ટળે–એમ બને નહિ; સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય ને આસ્રવોથી જુદું ન પડે એમ પણ બને
નહિ. આ રીતે જ્ઞાનની ઉત્પત્તિ, અજ્ઞાનનો નાશ ને આસ્રવોથી નિવૃત્તિ–એ ત્રણેયનો એક જ કાળ છે.
ભેદજ્ઞાન થયા પછી જેમ જેમ આત્મા જ્ઞાનમાં સ્થિર થઈને વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ તે
આસ્રવોથી છૂટતો જાય છે; અને જેમ જેમ આસ્રવોથી છૂટતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે.
અને આ રીતે ભેદજ્ઞાન કરીને વિજ્ઞાનઘન થવું–તે જ ધર્મ છે.
* * *
મોક્ષને સાધતાં સાધતાં..
શ્રી મહામુનિવરો સ્વયં મોક્ષને સાધી રહ્યા છે;
મોક્ષને સાધતાં સાધતાં, તેના માર્ગની પ્રસિદ્ધિ કરતાં
મુનિરાજ કહે છે કે નિયમથી જે મોક્ષનો માર્ગ તેનું
આ ‘નિયમસાર’ માં પ્રતિપાદન છે, અને
નિજાત્માની ભાવના અર્થે આ શાસ્ત્ર રચાય છે. હે
ભવ્ય શ્રોતા! અમે આ નિયમસારમાં જે
નિજાત્મભાવનાનું વારંવાર ઘોલન કર્યું છે તેવી
નિજાત્મ ભાવનાના વારંવાર ઘોલનથી તને પણ
નિયમથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. નિયમરૂપ જે
મોક્ષમાર્ગ છે તેને સાધતાં સાધતાં અમારું આ કથન
છે, તેમાં બતાવેલી ભાવનાના ઘોલનથી તને પણ
અમારા જેવા મોક્ષમાર્ગની ચોક્કસ પ્રાપ્તિ થશે.–આ
રીતે વક્તા અને શ્રોતાની સંધિના કોલકરાર છે.
– પ્રવચનમાંથી.
* * *

PDF/HTML Page 14 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૪૦)
ક્રિયાશક્તિ
સ્વભાવના અવલંબને સ્વયં છ કારકરૂપ થઈને પોતાના
સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવોને કરે એવી ક્રિયાશક્તિ આત્મામાં
છે; પોતાના નિર્મળભાવરૂપ ક્રિયા કરવા માટે તેને કોઈ બહારના
કારકોનો આશ્રય લેવો પડતો નથી. અહો! પરમાત્મા થવાની
તાકાત સ્વયં પોતામાં જ ભરી હોવા છતાં જીવો પોતાની
પ્રભુતાના નિધાનને દેખતા નથી ને બહારમાં ભટકે છે, તેથી
સંસારમાં રખડે છે. અહીં આચાર્યદેવ આત્માની શક્તિઓ
વર્ણવીને તેની પ્રભુતા દેખાડે છેઃ દેખો રે દેખો! ચૈતન્યનાં
નિધાન દેખો! અરે જીવો! તમારા અંતરનાં એવા ચૈતન્ય
નિધાન દેખાડું કે જેને જોતાં જ અનાદિકાળની દીનતા ટળી જાય,
ને આત્મામાં અપૂર્વ આહ્લાદ જાગે..જેની સન્મુખ નજર કરતાં
જ પ્રદેશે પ્રદેશે રોમાંચ ઊછળી જાય કે ‘અહો! આવી મારી
પ્રભુતા!!’ એવી અચિંત્ય પ્રભુતા આત્મામાં ભરી છે.
જ્ઞાનસ્વરૂપ આત્માની શક્તિઓનું આ વર્ણન ચાલે છે. દરેક આત્મામાં આ શક્તિઓ ત્રિકાળ સ્વયંસિદ્ધ છે, આ
શક્તિઓ કાંઈ નવી કરવી પડતી નથી; પણ તેની ઓળખાણ કરીને પર્યાયમાં તે પ્રગટ કરવાની છે. પોતાના આત્માની
અનંતશક્તિઓને ઓળખતાં પર્યાયમાં તેનું વ્યક્ત વેદન થાય છે તેનું નામ ધર્મ છે.
‘કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે–મયી ક્રિયાશક્તિ આત્મામાં છે.’ ૩૯મી શક્તિમાં ભેદરૂપ કારકો
અનુસાર થતી વિકારી ક્રિયાથી રહિતપણું બતાવ્યું ને આ શક્તિમાં અભેદરૂપ શુદ્ધ કારકો

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૨
અનુસાર થતી નિર્મળક્રિયા સહિતપણું બતાવે છે, પોતાના સ્વભાવને જ અનુસરીને નિર્મળ ભાવરૂપે થાય એવી
ક્રિયાશક્તિ આત્મામાં છે, પણ આત્મા પરની ક્રિયા કરે કે પરને અનુસરીને ક્રિયા કરે એવી તેની ક્રિયાશક્તિ નથી.
પોતાના સ્વભાવનું જ અવલંબન રાખીને એક અવસ્થામાંથી બીજી નિર્મળ અવસ્થારૂપે પરિણમે–એવી ક્રિયાશક્તિવાળો
આત્મા છે. પણ આત્મા પલટીને પરભાવરૂપ થઈ જાય એવી તેની શક્તિ નથી.
પ્રશ્નઃ– પર્યાયમાં વિકારી ભાવરૂપે પણ આત્મા પરિણમે છે તો ખરો?
ઉત્તરઃ– આ આત્માની શક્તિનું વર્ણન છે; શક્તિ એટલે આત્માનો વૈભવ; તેમાં વિકારની વાત કેમ આવે?
વિકાર તો દીનતા છે, આત્માના વૈભવમાં તે દીનતાનો અભાવ છે. શક્તિ સામે જોનારને પોતાની પરિપૂર્ણતા જ ભાસે
છે, ને પરિપૂર્ણતારૂપ આત્મવૈભવના આધારે પર્યાયમાંથી વિકારરૂપી દીનતા છૂટી જાય છે. પર્યાયમાં વિકાર હોવા છતાં
તે શક્તિના આધારે થયેલો નથી, તેમજ આત્માની શક્તિઓમાં એવી કોઈ પણ શક્તિ નથી કે તે વિકારનો કર્તા થાય.
શુદ્ધભાવના છ કારકરૂપ થઈને સ્વયં પરિણમે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આત્મા સ્વયમેવ છ કારકરૂપ થઈને
કેવળજ્ઞાનાદિરૂપે પરિણમવાના સ્વભાવવાળો છે–એ બાબતમાં પૂર્વે (૩૯મી શક્તિના વર્ણનમાં, પ્રવચનસાર વગેરેનો
આધાર આપીને) ઘણું કહેવાઈ ગયું છે.
પહેલાં તો, આત્માનો સ્વભાવ શું છે તેનું સત્સમાગમે વારંવાર શ્રવણ કરીને–તેનો ઉલ્લાસ લાવીને, તેનું
ગ્રહણ અને ધારણ કરીને, દ્રઢ નિર્ણય કરવો જોઈએ. યથાર્થ નિર્ણય કર્યા વગર પ્રયત્નનું જોર અંતરમાં વળે નહિ.
આત્માના સ્વભાવનો નિર્ણય કરીને તેમાં અંતર્મુખ થતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. આવા નિર્મળ
ભાવોને સ્વયં છ કારકરૂપ થઈને કરે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આત્માને પોતાના નિર્મળ ભાવરૂપ ક્રિયા
કરવા માટે કોઈ બહારના કારકોનો આશ્રય લેવો પડતો નથી, તેમજ આત્મા કારક થઈને જડની કે રાગની ક્રિયા
કરે એવો પણ તેનો સ્વભાવ નથી. પોતાના જ કારકોને અનુસરીને પોતાના વીતરાગભાવરૂપ પરિણમવાની જ
ક્રિયા કરે એવો આત્માનો સ્વભાવ છે. જુઓ, આમાં એકલી સ્વભાવદ્રષ્ટિ જ થાય છે, ને બહારમાં કોઈના આશ્રયે
લાભ થાય–વ્યવહારના આશ્રયે લાભ થાય–એ દ્રષ્ટિનો ભૂક્કો ઊડી જાય છે. પોતાના સ્વભાવના આશ્રયે જ
પોતાની પરમાત્મદશા પ્રગટે છે, આત્માને પોતાની પરમાત્મદશા પ્રગટ કરવા માટે કોઈ બીજાનો આશ્રય લેવો પડે
કે કોઈ બીજો તેને મદદ કરે–એમ છે જ નહિ.
અત્યાર સુધીમાં અનંતા જીવો પરમાત્મા થઈ ગયા; જેઓ ભગવાન પરમાત્મા થયા તેઓ બધાય પોતાના
સ્વભાવના કારકોને અનુસરીને પરિણમીને જ પરમાત્મા થયા છે; આત્મા સિવાય બાહ્ય પદાર્થોને કર્તા બનાવ્યા વિના
જ તેઓ પરમાત્મા થયા છે. બાહ્ય પદાર્થોને સાધન બનાવ્યા વિના જ તેઓ પરમાત્મા થયા છે, બાહ્ય પદાર્થોને સંપ્રદાન
કે અપાદાન બનાવ્યા વિના જ તેઓ પરમાત્મા થયા છે, બાહ્ય પદાર્થોનો આધાર લીધા વિના જ તેઓ પરમાત્મા થયા
છે, ને બાહ્ય પદાર્થો સાથેના સંબંધ વિના જ તેઓ પરમાત્મા થયા છે. અલ્પજ્ઞતાનો નાશ કરીને પરમાત્મ દશારૂપે
પરિણમવારૂપ જે ક્રિયા થઈ તેના સ્વયં પોતે જ કર્તા છે, પોતાનો આત્મા જ તેનું સાધન છે, પોતાનો આત્મા જ તેનું
સંપ્રદાન ને અપાદાન છે, પોતાનો આત્મા જ તે પરમાત્મદશાનો આધાર છે, ને પોતાના સ્વભાવ સાથે જ તેનો સંબંધ
છે. આ રીતે બાહ્યના છ કારકો વિના, પોતાના જ કારકો અનુસાર શુદ્ધભાવરૂપે સ્વતઃ પરિણમવાની ક્રિયા કરે એવો
આત્માનો સ્વભાવ છે.
અહો! પરમાત્મા થવાની તાકાત સ્વતઃ પોતામાં જ ભરી હોવા છતાં જીવો પોતાની પ્રભુતાના નિધાનને
દેખતા નથી, ને બહારમાં ભટકે છે, તેથી સંસારમાં રખડે છે. અહીં આચાર્યદેવ આત્માની શક્તિઓ વર્ણવીને તેની
પ્રભુતા દેખાડે છે. દેખો રે દેખો! ચૈતન્યનાં નિધાન દેખો! અરે જીવો! તમારા અંતરના એવા ચૈતન્ય નિધાન
દેખાડું કે જેને જોતાં જ અનાદિકાળની દીનતા ટળી જાય ને આત્મામાં અપૂર્વ આહ્લાદ જાગે..જેની સન્મુખ નજર
કરતાં જ પ્રદેશે પ્રદેશે રોમાંચ ઉછળી જાય કે ‘અહો! આવી મારી પ્રભુતા!? એવી અચિંત્ય પ્રભુતા આત્મામાં
ભરી છે.
ભાઈ! તારા આત્મામાં એવી પ્રભુતા છે કે જગતમાં બીજા કોઈની પણ સહાય વિના સ્વતઃ એકલો

PDF/HTML Page 16 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ ૧પઃ
જ પોતામાંથી અનંત જ્ઞાન ને આનંદ પ્રગટ કરીને તું પોતે પરમાત્મા થઈ જા–એવી તારી તાકાત છે. એક વાર તો
અંતરમાં નજર કરીને તારી પ્રભુતાને દેખ! નજર કરતાં જ ન્યાલ કરી દ્યે એવો તારો સ્વભાવ છે. તું તારા સ્વભાવની
પ્રભુતાનો વિશ્વાસ રાખીને તેના આધારે શુદ્ધભાવરૂપ પરિણમવાની ક્રિયા કર, અને બીજો કોઈ સાધન થઈને તને
પરિણમાવી દેશે એવી વ્યર્થ આશા છોડી દે. અરે, પોતાની જ પોતાને ખબર ન હોય તે સુખી કેમ થાય? પોતાને જ
ભૂલીને બહારમાં ફાંફાં મારે તેને સુખ ક્યાંથી મળે? માટે અંતરમાં મારો આત્મા શું ચીજ છે કે જેનામાં મારું સુખ ભર્યું
છે!–એમ અંર્તશોધ કરીને આત્માનો પત્તો મેળવવો જોઈએ. આત્માની સત્તા સિવાય બીજે તો ક્યાંય સુખનું અસ્તિત્વ
છે જ નહિ.
સમકિતી ધર્માત્મા ચોથા ગુણસ્થાને અસંયમી હોય, ગૃહસ્થપણામાં વેપાર–ધંધા–ઘરબાર વર્તતા હોય છતાં
જ.
જુઓ, ભાઈ! આ કોઈ સાધારણ વાત નથી, તેમજ સાધારણ પુરુષની કહેલી આ વાત નથી; આ તો
પરમાત્મપદને સાધનારા વીતરાગી સંતોએ આત્માના આનંદમાં ઝૂલતાં ઝૂલતાં આત્માની અચિંત્ય શક્તિઓનું
અદ્ભુત વર્ણન કર્યું છે. અંતરના અનુભવની આ ચીજ છે. આત્માના હિત માટે વીતરાગી સંતોએ આ જે માર્ગ
બતાવ્યો છે તે જ પરમ સત્ય છે; આ સિવાય બીજું માને તો તે જીવ વીતરાગી સંતોને કે તેમના કહેલાં વીતરાગી
શાસ્ત્રોને માનતો નથી, ભગવાનને કે ભગવાનના માર્ગને તે જાણતો નથી, આત્માના વીતરાગી જ્ઞાનસ્વભાવની
તેને ખબર નથી. એકેક આત્મામાં રહેલી અનંતશક્તિઓનું આવું વર્ણન સર્વજ્ઞના વીતરાગશાસન સિવાય બીજે
ક્યાં છે? અનેકાન્ત તે સર્વજ્ઞભગવાનના શાસનનું અમોઘ લાંછન છે. તે અનેકાન્ત વડે જ આત્માનું ખરૂં સ્વરૂપ
જણાય છે. એકેક શક્તિના વર્ણનમાં ઘણું રહસ્ય આવી જાય છે. એક પણ શક્તિને યથાર્થ ઓળખે તો તેમાં
શક્તિમાન એવું દ્રવ્ય માન્યું, દ્રવ્યના ગુણો માન્યા, તેની પર્યાય માની, વિકાર માન્યો, પરિણમન માન્યું, વિકાર
રહિત થવાનો સ્વભાવ છે એમ પણ માન્યું, દરેક આત્મા જુદા છે એમ માન્યું, પરવસ્તુઓ પણ છે, તે આત્માથી
ભિન્ન છે, તેનો આત્મા અકર્તા છે,–એ બધું રહસ્ય આમાં સમાઈ જાય છે. અનેકાન્ત વગર એક પણ વસ્તુનું
સાચું જ્ઞાન થતું નથી. અનેકાન્તશાસન અર્થાત્ સર્વજ્ઞનું શાસન–જૈનશાસન–વસ્તુસ્વભાવનું શાસન,–તે સિવાય
બીજે ક્યાંય આ વાત નથી. કુંદકુંદાચાર્યદેવે સમયસારની ૪૧પ ગાથામાં તો આત્મસ્વભાવનો વૈભવ ભરી દીધો
છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે તેનું દોહન કરીને તેનાં રહસ્યો ખોલ્યાં છે, તેઓ પોતે કુંદકુંદપ્રભુના ગણધર સમાન છે;
કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર જેવાં કામ કર્યાં છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે ગણધર જેવાં કામ કર્યાં છે. અહો! આ કાળે તે
સંતોનો મહા ઉપકાર છે. સંતોએ દાંડી પીટીને વસ્તુસ્વરૂપ જગતને જાહેર કર્યું છે.
શુદ્ધ છ કારકરૂપ થવાનો આત્માનો સ્વભાવ છે, તેના આધારે પોતાના અનંત ગુણોની નિર્મળ
પરિણતિરૂપે પરિણમવાની ક્રિયા કરે એવી ક્રિયાશક્તિ આત્મામાં છે. સ્વસન્મુખ નિર્મળ પરિણમનમાં છએ કારકો
અભેદ છે. અભેદ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતાં આત્મા પોતે નિર્મળ પર્યાયરૂપે પરિણમી જાય છે, તેમાં છએ કારકો
પોતાના જ છે; કર્તા પોતે, કર્મ પોતે, સાધન પોતે, સંપ્રદાન પોતે, અપાદાન પોતે અને અધિકરણ પણ પોતે જ છે;
માટે હે જીવ! તારા ધર્મને માટે

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૨
તારામાં જ તું જો..બહારમાં કારણોને ન શોધ, કેમકે તારા ધર્મના કારકો બહારમાં નથી. પોતાના જ છ કારકોને
અનુસરીને પરમાત્મદશારૂપે પરિણમી જાય એવી પ્રભુતા તારામાં જ ભરી છે, તારી પ્રભુતાને ક્યાંય બહાર ન
શોધ.. તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રીને (–શરીરને. નિમિત્તને કે રાગાદિને) શોધવાની વ્યગ્રતા ન કર. બાહ્ય
સામગ્રી વિના પોતે એકલો પોતાના છ કારકોરૂપ થઈને કેવળજ્ઞાનરૂપે પરિણમી જાય એવો સ્વયંભૂ–ભગવાન
પોતે જ છે. અહો! આવી પોતાની પ્રભુતાને છોડીને પરને કોણ શોધે? બહારમાં સાધનોને માટે કોણ ફાંફા
મારે!!
ધ્રુવઉપાદાનરૂપ અને ક્ષણિકઉપાદાનરૂપ સ્વભાવવાળો આત્મા પોતે જ છે. ધ્રુવઉપાદાન ત્રિકાળશુદ્ધ છે, તેના
આધારે ક્ષણિકઉપાદાન (–પર્યાય) શુદ્ધ થઈ જાય છે; તે વખતે બીજા યોગ્ય નિમિત્તો ભલે હો..પણ તેઓ ખરેખર કારક
નથી, તે નિમિત્તોને અનુસરીને આત્મા શુદ્ધતારૂપે નથી પરિણમતો પણ પોતાના સ્વભાવને અનુસરીને જ તે શુદ્ધતારૂપે
પરિણમે છે, એવો ભગવાન આત્માનો સ્વભાવ છે.
‘ભગવાન’ કે ‘પ્રભુ’ એવા શબ્દ આવે ત્યાં જીવની નજર બહારમાં જાય છે. પણ ભાઈ રે! જેઓ ભગવાન
થઈ ગયા તેમની આ વાત નથી,–તેમને કાંઈ આ વાત નથી સમજાવતા, આ તો તારા આત્માની વાત છે. આ આત્માને
જ અમે ‘ભગવાન’ કહીએ છીએ ને આત્માને જ ‘પ્રભુ’ કહીએ છીએ. જેઓ ભગવાન અને પ્રભુ થયા તેઓ ક્યાંથી
થયા? આત્મામાં તાકાત છે તેમાંથી જ થયા છે, અને આ આત્મામાં પણ એવી તાકાત છે; અંતદ્રષ્ટિના બળે તે તાકાતને
ખોલીને આ આત્મા પણ ભગવાન અને પ્રભુ થઈ શકે છે. માટે પહેલાં તારા સ્વભાવની આવી તાકાતનો વિશ્વાસ કર
અને તેનો મહિમા લાવ. પછી તે સ્વદ્રવ્યના આશ્રયે એકાગ્ર થતાં, પરના કારકોની અપેક્ષા વગર પોતાના જ કારકોથી
તારો આત્મા પ્રભુતારૂપે પરિણમી જશે. તું પોતે ભગવાન થઈ જઈશ. આત્મા પોતાની પ્રભુતા બીજાને આપતો નથી
અને બીજાની પ્રભુતાને પોતામાં સ્વીકારતો નથી તેમજ બીજા પાસેથી પોતાની પ્રભુતા લેતો નથી. હે જીવ! આવી તારી
પ્રભુતાને તું ધારણ કર,–‘પ્રભુતા પ્રભુ! તારી તો ખરી’ ...શક્તિરૂપે તો બધા આત્મામાં પ્રભુતા છે પણ તેનું સમ્યક્
ભાન કરીને પર્યાયમાં પ્રભુતા વ્યક્ત કરે તેની બલિહારી છે. પ્રભુતાના ભાન વગર તો ઊંધુંં (–પામરતા –દીનતારૂપ)
પરિણમન છે.
‘આવો રાગ હોય તો મને લાભ થાય અને આવા નિમિત્તો હોય તો મને લાભ થાય’–એમ રાગ પાસે ને
નિમિત્ત પાસે જઈને જે પોતાની પ્રભુતા માંગે છે તે તો દીન–ભીખારી છે, તેને પ્રભુતા ક્યાંથી મળશે! ‘दीन
भयो प्रभु पद जपै मुगति कहांसे होय?’ પ્રભુતાની તાકાત તો પોતામાં ભરી છે તેને ઓળખીને તેને ભજે–
સેવે તો પ્રભુતા મળે. અરે જીવ! તારા સ્વભાવમાં પ્રભુતાનું કલ્પવૃક્ષ પડયું છે, તેની છાયામાં જઈને પ્રભુતા માંગ
તો તને તારી પ્રભુતા મળ્‌યા વગર રહે નહિ. જેમ હાથમાં કોલસો કે પથરો લઈને ચિંતવે તો કાંઈ મળે નહિ, પણ
હાથમાં ચિંતામણી લઈને જે ચિંતવે તો બાહ્ય વૈભવ મળે; તેમ શરીરને કે રાગરૂપી કોલસાને પકડીને ચિંતવે તો
તેની પાસેથી કાંઈ આત્માની પ્રભુતા ન મળે. પણ આત્માનો સ્વભાવ પોતે ચૈતન્ય–ચિંતામણિ છે, એ
ચિંતામણિને ચિંતવે તો પ્રભુતા મળે..અર્થાત્ હું જ પ્રભુતાથી ભરેલો ચૈતન્ય–ચિંતામણિ છું–એમ પોતાના
આત્માનું ચિંતન કરતાં આત્મા પોતે પ્રભુ થઈ જાય છે. આ સિવાય પોતાની પ્રભુતા બીજા પાસેથી જે માંગે તે તો
દીન થઈને ચાર ગતિમાં રખડે છે, માટે આચાર્યદેવ આત્માની પ્રભુતા બતાવે છે કે અરે જીવ! તારી પ્રભુતાનાં
નિધાન તને બતાવીએ, તે એક વાર તો દેખ! તારા નિધાનને જો તો ખરો! પોતાના સ્વભાવની પ્રભુતાને
જોવાનું કુતૂહલ–હોંસ–ઉમંગ કરે તેને પ્રભુતા મળ્‌યા વિના રહે જ નહિ. નિરપેક્ષપણે પોતાના વીતરાગી છ
કારકોરૂપે થઈને પ્રભુતારૂપે પરિણમવાની ક્રિયા કરે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આવા નિરપેક્ષ સ્વભાવનું
ભાન થતાં સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન ખીલી જાય છે, અને યથાર્થ નિમિત્તો કેવા હોય–એવા નિમિત્ત–નૈમિત્તિક
સંબંધરૂપ સાપેક્ષતાને પણ તે જ્ઞાન યથાર્થરૂપે જાણે છે. નિરપેક્ષતાને ઓળખ્યા વિના એકલી સાપેક્ષતાનું જ્ઞાન
સાચું થતું નથી.
વિકારદશામાં પણ આત્મા પોતે જ અશુદ્ધ છ કારકોરૂપે થઈને પરિણમે છે, કોઈ બીજો તેને પરિણમાવનાર નથી.
પરંતુ આ શક્તિઓમાં તો આત્માના શુદ્ધ સ્વભાવનું વર્ણન છે એટલે અહીં અશુદ્ધતાની વાત ન આવે. ૩૯મી શક્તિમાં
આ સંબંધી વિશેષ

PDF/HTML Page 18 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
ખુલાસો આવી ગયો છે. અહા તો આત્મા પોતાના સ્વભાવનું સ્વસંવેદન કરીને શુદ્ધતારૂપે પરિણમે–એવી જ વાત છે.
પ્રશ્નઃ– ઘણા કહે છે કે આત્મા અરૂપી છે માટે તે સ્વસંવેદન–પ્રત્યક્ષ ન થઈ શકે?
ઉત્તરઃ– એ વાત ખોટી છે. આત્મા અરૂપી હોવાથી તે ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ ન થઈ શકે એ ખરૂં, પરંતુ
અતીન્દ્રિયજ્ઞાનથી તો આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે. મતિ–શ્રુતજ્ઞાન પણ જ્યારે અંતરમાં વળે છે ત્યારે તેને
અતીન્દ્રિયપણું છે, ને તે મતિ–શ્રુતજ્ઞાનમાં પણ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે, અને પોતાને તેની ખબર પડે છે. જો
પોતાને પોતાના સ્વસંવેદનની નિઃશંક ખબર ન પડે તો નિઃશંકતા વગર સાધક શેનો? અને તે આત્માને સાધશે કઈ
રીતે? સાધક જીવ (ચોથા ગુણસ્થાનવાળા અવિરત સમકિતી પણ) પોતાના જ્ઞાનને અંતરમાં વાળીને સ્વસંવેદન
પ્રત્યક્ષથી આત્માને જાણી શકે છે. આમ જે નથી માનતો તેણે આત્માને જાણ્યો જ નથી. આત્મામાં જ ‘સ્વયં’
પ્રકાશમાન વિશદ–સ્પષ્ટ સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ’ છે, એટલે આત્મા પોતે પોતાના જ્ઞાનથી જ પોતાનો સ્પષ્ટ–
પ્રત્યક્ષ સ્વાનુભવ કરે એવો તેનો સ્વભાવ છે. (–આ પ્રકાશશક્તિના વિશેષ વિવેચન માટે જુઓ “આત્મધર્મ” અંક
૧૦૯)
સ્વયં–પોતાના જ છ કારકો વડે, ઇન્દ્રિય વગેરે કારકોની સહાય વિના, જ્ઞાતાસન્મુખ થઈને પોતે પોતાનું પ્રત્યક્ષ
–સ્પષ્ટ સ્વસંવેદન કરે એવો આત્માનો સ્વભાવ છે, પરોક્ષ રહેવાનો તેનો સ્વભાવ નથી. પ્રત્યક્ષ થવાનો સ્વભાવ છે તે
સ્વભાવના લક્ષે સ્વસંવેદન પ્રત્યક્ષતાનું પરિણમન થઈ જાય છે.
સ્વભાવનું સમ્યક્ પરિણમન ક્યારે થાય?–કે જ્યારે તેમાં પર્યાયની એકતા થાય ત્યારે.
તે એકતા ક્યારે થાય?–કે તે સ્વભાવ ઉપર જ્યારે નજર પડે ત્યારે.
શુદ્ધ સ્વભાવમાં નજર કરે તો તેમાં એકતા થાય અને સ્વભાવની શક્તિઓનું સમ્યક્ પરિણમન થાય. આનું
નામ ધર્મ છે, ને આ જ મોક્ષનો માર્ગ છે.
પોતાના સ્વભાવના કારકોને અનુસરીને શુદ્ધભાવરૂપ થવાની ક્રિયા કરે એવી આત્માની શક્તિ છે; તેથી
આત્માના બધાય ગુણો પણ એ જ રીતે પોતાના સ્વભાવના કારકો અનુસાર નિર્મળપણે પરિણમે એવા સ્વભાવવાળા
છે; કોઈ પણ ગુણનો એવો સ્વભાવ નથી કે પોતાના નિર્મળ પરિણમનને માટે પરના કારકોને અનુસરે; તેમ જ પરને
અનુસરીને વિકારપણે કે હીનપણે પરિણમે તે પણ ગુણનું ખરૂં સ્વરૂપ નથી, તે તો ઉપાધિભાવ છે, સ્વભાવને જ કારક
બનાવીને પરિણમતાં તે ઉપાધિભાવ છૂટી જાય છે ને શુદ્ધતારૂપ પરિણમન થઈ જાય છે; તે જ આત્માની શુદ્ધ ક્રિયા છે,
તે જ ધર્મક્રિયા છે, તે જ ક્રિયાથી મોક્ષ થાય છે.
જુઓ આ કર્તાની ક્રિયા! કર્તા એવો આત્મા પોતાના જ છ કારકો વડે (અર્થાત્ પોતે જ છ કારકોરૂપ થઈને)
પોતાની ક્રિયા કરે છે, કર્તા પોતાથી ભિન્ન બીજા કોઈ કારકોવડે પોતાની ક્રિયા કરતો નથી. જેમ કે–
મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શનરૂપે પરિણમવાની ક્રિયા અન્ય કારકોને અનુસર્યા વિના પોતે પોતાના
સ્વભાવને અનુસરીને કરે છે. સમ્યગ્દર્શનમાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે નિમિત્તો હોવા છતાં, તે નિમિત્તોને
પોતાના કારક બનાવ્યા વિના, પોતાના જ છ કારકોને અનુસરીને આત્મા સમ્યગ્દર્શનરૂપે પરિણમે છે. એ રીતે
પોતાના કારકો વડે જ પોતાની ક્રિયા કરે છે. એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે બધા ગુણોમાં નિર્મળ
પરિણમનરૂપ ક્રિયા આત્મા પોતે સ્વતઃ છ કારકોરૂપે થઈને કરે છે, આવી ક્રિયાશક્તિ આત્મામાં ત્રિકાળ છે.
એક આ વાત ખાસ સમજવા જેવી છે કે શુદ્ધતાના જ છ કારકરૂપે થવાનો આત્માનો સ્વભાવ છે, પણ
અશુદ્ધતાના કારકરૂપે થવાનો આત્માનો સ્વભાવ નથી. જે જીવ એકલી અશુદ્ધતારૂપે જ પરિણમે છે તેણે, સ્વયં છ
કારકરૂપ થવાના આત્માના શુદ્ધસ્વભાવને જાણ્યો નથી તેથી તે એકલા પરને જ કારક માનીને તેના આશ્રયે
અશુદ્ધતારૂપે પરિણમે છે. જો પરથી નિરપેક્ષ સ્વયં છ કારકરૂપ થવાના આત્માના સ્વભાવને જાણે તો તે
સ્વભાવના આશ્રયે શુદ્ધતારૂપ પરિણમન થયા વિના રહે જ નહિ; આ રીતે શુદ્ધદ્રવ્યસ્વભાવને સ્વીકારતાં પર્યાય
પણ તેની સાથે એકતા કરીને તેના જેવી–શુદ્ધ–થઈ જાય છે, એટલે ત્યાં દ્રવ્યપર્યાયનો ભેદ રહેતો નથી ને
અભેદમાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે.–આવું આત્મસ્વભાવની સમજણનું ફળ છે.

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૨
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ એકમ સમાધિશતક ગા. ૧૧–૧૨–૧૩–૧૪)
શરીરની ક્રિયા મારાથી થાય એમ જે માને છે તે શરીરને જ આત્મા માને છે, ને આત્માને જડ માને છે.
આત્માનું લક્ષણ તો જ્ઞાન છે–એમ તે જાણતો નથી.
જ્ઞાનલક્ષણી પ્રભુ આત્મા છે, ને શરીર તો જડ પરમાણુથી લક્ષિત છે. શરીરમાં ક્ષણે ક્ષણે અનંતા પરમાણુઓ
આવે છે ને જાય છે, પણ તેથી કાંઈ આત્મામાં એકેય પ્રદેશ ઘટતો કે વધતો નથી. પુદ્ગલના પિંડથી ચૈતન્યપિંડ તદ્ન
જુદો છે. આમ જે નથી જાણતો તે બહિરાત્મા પોતામાં આત્માને શરીર જ માને છે ને બીજામાં પણ તેના શરીરને દેખીને
તેને જ આત્મા માને છે. ‘આ જ્ઞાની, બોલે છે–ખાય છે–ચાલે છે–હસે છે’ એમ અજ્ઞાની દેહની ચેષ્ટાને જ આત્મા તરીકે
દેખે છે, ને તેનાથી જ્ઞાનીને ઓળખે છે, પણ જ્ઞાનીનો આત્મા તો જ્ઞાતાદ્રષ્ટા છે, દેહથી પાર છે ને રાગનો પણ કર્તા તે
નથી, તે તો આનંદ અને જ્ઞાનરૂપ પરિણમે છે–એમ ઓળખે તો જ જ્ઞાનીની સાચી ઓળખાણ થાય; પણ એને તો
અજ્ઞાની ઓળખતો નથી; તે તો શરીરની ચેષ્ટાને જ દેખે છે.
શરીરનો નાશ કે ઉત્પત્તિ થતાં જાણે કે જીવ જ નાશ પામ્યો ને જીવ ઉત્પન્ન થયો–એમ અજ્ઞાની માને છે કેમકે
તેણે શરીરને જ આત્મા માન્યો છે. પોતામાં પણ ‘શરીર છૂટતાં મારો નાશ થઈ જશે–હું મરી
જીવ પોતાના સ્વભાવને કારણ ન બનાવતાં પરને કારણ બનાવે છે તે સંસાર છે; જો પોતાના
સ્વભાવને કારણ બનાવે તો શુદ્ધતારૂપ પરિણમન થાય ને મોક્ષ થાય. આત્માનો સ્વભાવ શુદ્ધતાનું
જ કારણ થવાનો છે તેથી તેને કારણપણે જે સ્વીકારે તેને શુદ્ધતારૂપ કાર્ય થયા વિના રહે નહિ. હે
જીવ! તારી સિદ્ધિનું સાધન તારા આત્મામાં જ રહ્યું છે; તારી ક્રિયાશક્તિને લીધે તારો આત્મા
પોતાના જ છ કારકો વડે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે પરિણમી જાય છે.–માટે પરાશ્રયબુદ્ધિ
છોડ ને આવા તારા સ્વભાવનો જ આશ્રય કરીને નિર્મળભાવરૂપે પરિણમવાની ક્રિયા કર.–એમ
ભગવાન સંતોના ઉપદેશનું તાત્પર્ય છે.
–૪૦ મી ક્રિયાશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 20 of 25
single page version

background image
માહઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
જઈશ’–એમ માને છે, એટલે મૃત્યુનો ભય તેને સદાય રહ્યા જ કરે છે. પણ હું તો જ્ઞાનસ્વરૂપ અસંયોગી છું,
શરીર જડ છે, તેના સંયોગ–વિયોગે મારી ઉત્પત્તિ કે નાશ નથી એમ અજ્ઞાની જાણતો નથી. વળી શરીરને જ
આત્મા માન્યો એટલે શરીરને પોષનારા પાંચ ઇન્દ્રિયના વિષયભોગોને તે સુખકારી માને છે, તેથી બાહ્ય
વિષયોથી તે ખસતો નથી ને ચૈતન્ય સુખને જાણતો નથી; વિષયોના રસને લીધે ચૈતન્યના આનંદરસને ચૂકી જાય
છે, અને બાહ્યમાં પ્રતિકૂળતા આવે– રોગાદિ થાય–ત્યાં પોતાને દુઃખી માને છે. આ રીતે એકલા બાહ્યસંયોગથી જ
પોતાને સુખી–દુઃખી માનીને તેમાં જ રાગ –દ્વેષ–મોહથી પ્રવૃત્તિ કરે છે, અંતર્મુખ વળતો નથી.–આવો બહિરાત્મા
છે. ખરેખર કોઈપણ સંયોગ આત્માના ઉપકારી નથી, તે આત્મીય વસ્તુ નથી છતાં મોહને લીધે બહિરાત્મા તેને
આત્મીય માનીને ઉપકારી માને છે. જ્યાં અનુકૂળ સંયોગ મળે ત્યાં તેમાં જ સુખ માનીને સંતુષ્ટ થઈ જાય છે–
રાગમાં લયલીન થઈ જાય છે, અને જ્યાં તેનો વિયોગ થાય ને પ્રતિકૂળતા આવે ત્યાં મહા સંતાપ કરે છે–શોકમાં
તલ્લીન થઈ જાય છે; પણ રાગ–દ્વેષના ચક્કરથી છૂટીને ચૈતન્યની શાંતિમાં આવતો નથી. દેહાદિ સંયોગથી ભિન્ન
મારું ચૈતન્યતત્ત્વ છે–એમ જો ઓળખે તો બધા સંયોગમાંથી રાગ–દ્વેષનો અભિપ્રાય છૂટી જાય, ને ચૈતન્યની
અપૂર્વ શાંતિ થઈ જાય. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સિવાય પુણ્ય–પાપથી કે બાહ્ય–સંયોગથી પોતાને જે ઠીક માને છે
તે બહિરાત્મા છે, તે બહારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે, પોતાના ચૈતન્યના ભિન્ન અસ્તિત્વને તે જાણતો
નથી. દેહ તે જ હું, ને દેહના સંબંધી તે બધાય મારા સંબંધી–એવો દ્રઢ અભિપ્રાય અજ્ઞાનીને ઘૂંટાઈ ગયો છે;
એટલે પર સાથેનો સંબંધ તોડીને પોતાના સ્વભાવ સાથે સંબંધ કરતો નથી–અર્થાત્ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન કરતો
નથી, તેથી તેને સમાધિ થતી નથી.
શુદ્ધ જ્ઞાન ને આનંદસ્વરૂપ જ હું છું, એ સિવાય બીજા બધાય મારાથી બર્હિભાવો છે, તે હું નથી,–આવું
ભેદજ્ઞાન કરનાર જ્ઞાની અંતરાત્મા છે. બાહ્યચીજને તે સ્વપ્નેય પોતાની માનતા નથી એટલે ચૈતન્યને ચૂકીને
બાહ્યચીજમાં એકતાબુદ્ધિથી રાગ–દ્વેષ તેને થતા નથી. અજ્ઞાની તો આત્માને દેહાદિ બાહ્ય સ્વરૂપ જ માને છે, દેહ
અને ઇન્દ્રિયો તથા બાહ્ય વિષયોને તે હિતરૂપ માને છે તેથી તે બાહ્ય પદાર્થોની પ્રીતિ છોડીને ચૈતન્ય તરફ કેમ
વળે? જેને હિતરૂપ માને તેનો પ્રેમ કેમ છોડે? જ્ઞાની કદી ચૈતન્યનો પ્રેમ છોડતા નથી, ને અજ્ઞાની બાહ્ય
વિષયોનો પ્રેમ છોડતો નથી. જેણે અંતરના ચૈતન્ય સ્વભાવને જ સુખરૂપ જાણ્યો છે તે અંતરાત્મા છે; ને બાહ્ય
વિષયોમાં જે સુખ માને છે તે બહિરાત્મા છે. આમ જાણીને બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થવા માટે આ
ઉપદેશ છે.
।। ૧૧।।
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ બીજઃ સમાધિશતક ગા. ૧૨)
આ આત્મા તો ચૈતન્યસ્વભાવી સૂર્ય છે, દેહથી ભિન્ન છે, તેને ન જાણતાં, શરીર તે જ આત્મા છે–એમ
અજ્ઞાનીને વિભ્રમ થઈ ગયો છે. તે વિભ્રમને લીધે શું થાય છે તે કહે છે –
अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते द्रढः।
येन लोकोड्गमेव स्वं पुनरप्यभिमन्यते।।१२।।
દેહ તે જ હું છું–એવા વિભ્રમને લીધે તે બહિરાત્માને અવિદ્યાના સંસ્કાર દ્રઢ થઈ જાય છે અને તેથી જ્યાં જ્યાં
જાય ત્યાં ત્યાં સર્વત્ર પોતાને શરીરરૂપે જ માને છે. અવિદ્યાના સંસ્કાર કોઈ પરને લીધે કે કર્મને લીધે થાય–એમ નથી
પણ પોતાની વિભ્રમબુદ્ધિને લીધે જ અવિદ્યાના સંસ્કાર છે. ચિદાનંદસ્વરૂપને ન જાણ્યું ને દેહને જ આત્મા માન્યો તે જીવ
ભલે ગમે તેટલા શાસ્ત્રો ને ગમે તેટલી વિદ્યા ભણ્યો હોય તો પણ તેને અવિદ્યા જ છે. ચેતન અને જડનું ભેદવિજ્ઞાન
જ્યાં ન કર્યું ત્યાં અવિદ્યા જ છે. અને ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય,–અરે! તિર્યંચ હોય, તો પણ જો અંતરમાં
ચૈતન્યસ્વરૂપ પોતાને દેહથી ભિન્ન જાણે છે તો તે સમ્યક્ વિદ્યાવાળો છે, તેને અનાદિના અવિદ્યાના સંસ્કાર છૂટી ગયા
છે..તે અંતરાત્મા છે..ધર્માત્મા છે..મોક્ષના પંથી છે.
જુઓ, મોક્ષશાસ્ત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ જેવી મહાન ટીકા કરનારા શ્રી પૂજ્યપાદસ્વામી અહીં સ્પષ્ટ કહે છે કે,
વિભ્રમને લીધે જ આત્માને અવિદ્યાના સંસ્કાર દ્રઢ થયા છે; કર્મને લીધે કે પરને લીધે અવિદ્યા થઈ એમ નથી. કર્મ
આત્માને વિકાર કરાવે એમ માનનાર પણ