Atmadharma magazine - Ank 189
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮૯
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
___________________________________________________________________________________
વર્ષ સોળમુંઃ અંક ૯ મો સંપાદકઃ રામજી માણેકચંદ દોશી અશાડઃ ૨૪૮પ
___________________________________________________________________________________
બાવનગજા તીર્થની બીજી યાત્રાનાં બે દ્રશ્યો
ચૂલગિરિ પર્વતમાં કોતરેલા લગભગ ૮૦ ફૂટ
ઊંચા શ્રી આદિનાથપ્રભુના વિશાળ
ચરણકમળમાં પૂ. ગુરુદેવ ભક્તિપૂર્વક ઊભા છે.
બાવનગજા પ્રભુની સન્મુખ બેઠેલા ગુરુદેવની
સાથે અનેક ભક્તો ભાવપૂર્વક આદિનાથપ્રભુનાં
દર્શન કરી રહ્યા છે.
(૧૮૯)

PDF/HTML Page 3 of 21
single page version

background image
જિનેન્દ્ર પૂજાસંગ્રહ
વિધવિધ પ્રકારની પૂજાઓના સંગ્રહનું, પાંચસો ઉપરાંત પાનાનું આ પુસ્તક હાલમાં નવું
પ્રસિદ્ધ થયું છે. આ જિનેન્દ્રપૂજાસંગ્રહમાં સીમંધરભગવાનની અનેક નવીન પૂજાઓ ઉપરાંત
ચોવીસે ભગવંતોની અલગ અલગ પૂજાઓ, ત્રણ ચોવીસીના તીર્થંકરોની પૂજા, ત્રીસ ચોવીસીના
તીર્થંકરોની પૂજા, નંદીશ્વર, પંચમેરુ, નિર્વાણક્ષેત્ર સોલહકારણ, દસલક્ષણધર્મ, રત્નત્રય વગેરેની
પૂજાઓ તથા ગુરુની અને શાસ્ત્રની પૂજાઓ, તેમજ દેવ–ગુરુ–શાસ્ત્રની અનેક આરતી વગેરેનો
સંગ્રહ છે. લિપિ ગુજરાતી છે. પૂજન–પ્રેમીઓને આ પુસ્તક ઉપયોગી છે, અને દરેક જિનમંદિરમાં
વસાવવા યોગ્ય છે. કિંમત પોણાત્રણ રૂપીયા; પોસ્ટેજ જુદું.
પ્રાપ્તિસ્થાનઃ
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ
(સૌરાષ્ટ્ર)
________________________________________________________________________
સોનગઢમાં દસલક્ષણી પર્યુષણપર્વ
અને
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ પાંચમ ને સોમવાર તા. ૭–૯–પ૯ થી શરૂ
કરીને, ભાદરવા સુદ ૧૪ ને મંગળવાર તા. ૧પ–૯–પ૯ સુધીના દસ દિવસો દસલક્ષણીધર્મ
અથવા પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન દસલક્ષણમંડલનું પૂજન, તેમજ
દસલક્ષણ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
શ્રાવણ વદ ૧૩ ને સોમવાર તા. ૩૧ ઓગષ્ટથી શરૂ કરીને ભાદરવા સુદ પ ને સોમવાર
તા. ૭ સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો દરમિયાન પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે. આ દિવસો
દરમિયાન ઘણાખરા ભાઈઓને નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ સોનગઢ
આવીને લાભ લઈ શકે તે હેતુએ આ આઠ દિવસો ખાસ પ્રવચનો રાખવામાં આવ્યા છે.
________________________________________________________________________
વાર્ષિક બેઠક
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ બીજ ને શુક્રવાર તા. ૪–૯–
પ૯ના રોજ મળશે. સૌ સભ્યોને હાજર રહેવા વિંનતી છે.
________________________________________________________________________
સૂચના
શ્રી દક્ષિણ યાત્રા ખાતાનો એકાઉન્ટ તુરતમાં બંધ કરવાનો હોઈ ફાળામાં નોંધાવેલ
રૂપિયા તુરતમાં મોકલવા વિનંતી છે.
રામજી માણેકચંદ દોશી
પ્રમુખ, શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–
સોનગઢ

PDF/HTML Page 4 of 21
single page version

background image
કુંદકુંદપ્રભુની પાવન તપોભૂમિ કે જ્યાંથી તેઓશ્રીએ વિદેહગમન કર્યું હતું અને જ્યાં તેઓશ્રીએ શાસ્ત્રરચના કરી
હતી..... તે પોન્નૂર તીર્થની યાત્રા ગુરુદેવ સાથે કરતાં ભક્તોને કેવો અપાર ઉલ્લાસ હતો તેનું એક દ્રશ્ય.
જેને આત્માની ખરી ધગશ જાગે.......આત્માની ખરી
ગરજ થાય તે જીવની દશા કેવી હોય? તે સમજાવતાં એક વાર પૂ.
ગુરુદેવે કહ્યું હતું કે–
આત્માર્થીને સમ્યગ્દર્શન પહેલાં સ્વભાવ સમજવા માટે
એટલો તીવ્ર રસ હોય કે શ્રી ગુરુ પાસેથી સ્વભાવ સાંભળતાં જ
તે ગ્રહણ થઈને આત્મામાં ગરી જાય.......આત્મામાં પરિણમી
જાય........’ અહો! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો’
.....એમ ગુરુનો ઉપદેશ ઠેઠ આત્મામાં સ્પર્શી જાય.
જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લ્યે
છે, અથવા ધગધગતા લોઢા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી
લ્યે છે, તેમ દુઃખથી અતિ સંતપ્ત થયેલા આત્માર્થી જીવને શ્રીગુરુ
પાસેથી શાંતિનો ઉપદેશ મળતાં જ તે તેને ચૂસી લ્યે છે એટલે કે
તરજ જ તે ઉપદેશને પોતાના આત્મામાં પરિણમાવી ઘે છે.
આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસા અને ઝંખના એવી ઉગ્ર
હોય કે ‘સ્વભાવ’ સાંભળતાં તો હૃદયમાં સોંસરવટ ઊતરી
જાય......અરે! ‘સ્વભાવ’ કહીને જ્ઞાની શું બતાવવા માંગે છે!–
એનું જ મારે ગ્રહણ કરવું છે......આમ રૂંવાટે રૂંવાટે સ્વભાવ
પ્રત્યેનો ઉત્સાહ જાગે ને વીર્યનો વેગ સ્વભાવ તરફ વળી જાય.
એવો પુરુષાર્થ જાગે કે સ્વભાવ પ્રાપ્ત કર્યે જ છૂટકો.....સ્વભાવ
પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને ચેન ન પડે.
–આવી દશા થાય ત્યારે આત્માની ખરી ધગશ
કહેવાય.

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૯
(૭)
(નિયમસાર ગા. ૧૧–૧૨ ચાલુ)
‘સ્વરૂપ – પ્રત્યક્ષ’ જ્ઞાન દરેક જીવમાં રહેલું
છે અને તે કેવળજ્ઞાનું મૂળ છે; કેવળજ્ઞાન થયા
પહેલાં પણ સમકિતીને તેની પ્રતીત થઈ ગઈ
છે. આને ‘સ્વરૂપ – પ્રત્યક્ષ’ કહેવાય એવા
નામની ખબર કદાચ સમકિતીને ભલે ન હોય,
પણ અંતર્મુખ વેદન થઈને જે પ્રતીતિ તેને થઈ
તેમાં આ સ્વરૂપ – પ્રત્યક્ષની પ્રતીત પણ ભેગી
આવી જ ગઈ છે. આ સ્વરૂપ – પ્રત્યક્ષજ્ઞાન
આત્માથી કાંઈ જાુદું નથી પણ તે આત્માનો
સ્વભાવ જ છે, એટલે આત્મસ્વભાવની
પ્રતીતમાં તે પણ આવી જ જાય છે. અને
સ્વભાવના અવલંબને જે નિર્મળ પર્યાય પ્રગટી
ત પણ સ્વભવ સથ અભદ થઈ ગઈ છ,
એટલે તે સમ્યગ્દર્શના વિષયથી જાુદી નથી
રહેતી.
જ્ઞાનના પ્રકારોમાં કયું જ્ઞાન કોને હોય છે–તેનું વર્ણન
કારણસ્વભાવજ્ઞાન અને કાર્યસ્વભાવજ્ઞાન એ પ્રમાણે સ્વભાવજ્ઞાનના બે પ્રકાર કહ્યા.
વિભાવજ્ઞાન સમ્યક્ અને મિથ્યા એવા બે પ્રકારનું છે; તેમાંથી સમ્યગ્જ્ઞાનના મતિ–શ્રુતિ–અવધિ ને મનઃ
પર્યય એવા ચાર ભેદ છે, તથા મિથ્યાજ્ઞાનના કુમતિ–કુશ્રુત અને વિભંગ એવા ત્રણ ભેદ છે.
–એ પ્રમાણે જ્ઞાનના કુલ નવ પ્રકાર થયા. તેમાંથી કયું જ્ઞાન કયા જીવોને હોય છે તે કહે છે. –
–કારણસ્વભાવજ્ઞાન કોને હોય છે?
–કારણસ્વભાવજ્ઞાન તો બધાય જીવોને ત્રિકાળ હોય છે.
–કાર્યસ્વભાવજ્ઞાન કોને હોય છે?

PDF/HTML Page 6 of 21
single page version

background image
અશાડઃ ૨૪૮પઃ પઃ
કાર્યસ્વભાવજ્ઞાન એટલે કે કેવળજ્ઞાન તે અરિહંત અને સિદ્ધ ભગવંતોને જ હોય છે.
–મતિ–શ્રુત–અવધિ ને મનઃપર્યય એ ચાર સમ્યગ્જ્ઞાન કોને હોય છે?
પરમભાવમાં સ્થિત એવા સમ્યગ્દ્રષ્ટિ–સાધકને જ એ ચાર સમ્યગ્જ્ઞાન હોય છે. તેમાં વિશેષતા એટલી છે
કે મતિ–શ્રુતજ્ઞાન તો બધા સમકિતીને હોય છે; અવધિજ્ઞાન કોઈ કોઈ સમકિતીને જ હોય છે; અને
મનઃપર્યયજ્ઞાન તો કોઈ વિશિષ્ટ સંયમધારી મુનિવરોને જ હોય છે.
–કુમતિ–કુશ્રુત ને વિભંગ એ ત્રણ મિથ્યાજ્ઞાન કોને હોય છે?
મિથ્યાદ્રષ્ટિ જીવોને કુમતિ વગેરે ત્રણ અજ્ઞાન હોય છે; તેમાંથી વિભંગજ્ઞાન કોઈ કોઈ મિથ્યાદ્રષ્ટિને હોય
છે.
જુઓ, ચાર સમ્યગ્જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તે સમ્યગ્દ્રષ્ટિ કેવા છે?–કે ‘પરમ ભાવમાં સ્થિત’ છે.
‘પંચમ–પરમ ભાવમાં સ્થિત’ તે સર્વે સમકિતીનું લક્ષણ છે. સમકિતી કોઈ રાગ–વ્યવહારમાં કે ઔદયિકાદિ
ભાવોમાં સ્થિત નથી પણ પરમભાવમાં જ સ્થિત છે; ‘પરમભાવ’ એટલે આત્માનો ત્રિકાળી પારિણામિક
સ્વભાવ, તેમાં જેણે પોતાની દ્રષ્ટિને એકાગ્ર કરી છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિ રાગાદિમાં એકાગ્ર છે તે
મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં એમ કહ્યું કે સમ્યગ્દ્રષ્ટિ પરમભાવમાં સ્થિત છે. કોઈક સમકિતીને અવધિ કે મનઃપર્યયજ્ઞાન
ભલે હો કે ન હો, કોઈ ચોથા ગુણસ્થાને હો, કોઈ પાંચમે હો કે કોઈ છઠ્ઠા–સાતમા વગેરે ગુણસ્થાને હો,
પણ તે બધાય સમકિતી ‘પરમભાવ’ માં સ્થિત હોય છે. ‘પરમભાવ’ એટલે શું? શરીરાદિ તો જડ અને
પર છે, તે નહિ, પુણ્ય–પાપ વિકાર છે તે પણ નહિ, મતિજ્ઞાન વગેરે ક્ષાયોપશમિકભાવ છે તે પણ નહિ, ને
કેવળજ્ઞાન પણ નહિ, જેટલા ક્ષણિકભાવો છે તે કોઈ પરમભાવ નથી; આત્માનો જે ત્રિકાળ એકરૂપ પરમ
પારિણામિકસ્વભાવ છે તે જ ‘પરમભાવ’ છે, તે સદાય શુદ્ધ છે, તે જ કેવળજ્ઞાન અને સમ્યગ્દર્શન વગેરેનો
આધાર છે. સમ્યગ્દ્રષ્ટિ જીવો આવા પરમભાવની ભાવનામાં જ સ્થિત હોય છે. કોઈ નિમિત્તની, સંયોગની,
વિકારની કે ક્ષણિકભાવોની ભાવનામાં જે સ્થિત છે તે સમ્યગ્દ્રષ્ટિ નથી. બાહ્યપદાર્થોના અવલંબને જે ધર્મ
માને છે તે જીવ પરમભાવમાં સ્થિત નથી પણ બાહ્ય પદાર્થોમાં જ સ્થિત છે, એ જ પ્રમાણે રાગના
અવલંબનથી જે ધર્મ માને છે તે રાગમાં જ સ્થિત છે, તે પરમભાવમાં સ્થિત નથી એટલે તે સમ્યગ્દ્રષ્ટિ
નથી ને તેને સમ્યગ્જ્ઞાન હોતાં નથી. એક સમયમાં પરિપૂર્ણ આનંદકંદ એવા પોતાના પરમ સ્વભાવની
પ્રતીત અને ભાવના જેને નથી, ને રાગાદિ બાહ્યભાવો–પરભાવોથી લાભ માનીને તેની ભાવના જે ભાવે
છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, ને મિથ્યાદ્રષ્ટિનાં જ્ઞાન પણ મિથ્યા જ હોય છે. ત્રિકાળ એકરૂપ, ધુ્રવ,
કારણસ્વભાવરૂપ એવો જે પરમભાવ તેની ભાવનાથી જ સમ્યગ્દર્શનાદિ થાય છે. જુઓ, આ ભાવના
વિકલ્પવાળી નથી, પણ પરમભાવને આશ્રયે જે ભવન થયું તે જ ખરી ભાવના છે. વિકલ્પની ભાવના નહિ
તેમ જ વિકલ્પથી ભાવના નહિ, પણ અંતર્મુખ નિર્વિકલ્પ પર્યાયથી આત્માના પરમસ્વભાવની ભાવના તે
મોક્ષમાર્ગ છે. પરમસ્વભાવમાં એકાગ્ર થઈને જે પર્યાય પરિણમી તેણે પરમસ્વભાવની ભાવના આવી, એમ
કહેવાય છે; તદ્રુપ પરિણમન વગર એકલા વિકલ્પથી ભાવના ભાવે તે ખરી ભાવના નથી. છઠ્ઠા–સાતમા
ગુણસ્થાને વારંવાર નિર્વિકલ્પ આનંદમાં ઝૂલતા ભાવલિંગી સંત હો.......કે ચક્રવર્તીરાજમાં ૯૬૦૦૦
રાણીની વચ્ચે રહેલો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ હો, તે બંનેને આત્માના પરમભાવની જ ભાવના હોય છે,
રાગાદિપરભાવોની ભાવના તેમને હોતી નથી. તેથી તેઓ રાગમાં સ્થિત નથી પણ પરમભાવમાં જ સ્થિત
છે. સમકિતીને રાગ હોય તે વખતે પણ તે રાગની ભાવના તેમને હોતી નથી, પરમભાવની જ ભાવના હોય
છે. અને તે પરમભાવની ભાવના જેમ જેમ ઉગ્ર થતી જાય છે એટલે કે તેમાં સ્થિરતા જામતી જાય છે તેમ
તેમ ગુણસ્થાન વધતું જાય છે, ને એ જ ઉપાયથી કેવળજ્ઞાન થાય છે. આ સિવાય એકલી બહારની ક્રિયા
ઉપરથી કે કષાયોની મંદતા ઉપરથી ગુણસ્થાનનું માપ નથી. અંતર્મુખ થઈને પોતાના પરમભાવને જે જાણે
છે તેને જ સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન ખીલે છે. જે પોતાના પરમભાવને નથી જાણતો, ને રાગાદિ
પરભાવોને જ પોતાના સ્વભાવપણે માને છે તેને સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન હોતું નથી પણ મિથ્યાજ્ઞાન
હોય છે. રાગાદિથી કે નિમિત્તોથી લાભ માનનાર જીવ એકાંત પરજ્ઞેય

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૯
સન્મુખ રહે છે ને પરભાવોમાં જ વર્તે છે પણ સ્વસન્મુખ થઈને સ્વજ્ઞેયરૂપ એવા પોતાના પરમભાવને તે
જાણતો નથી, એટલે તેને સમ્યગ્જ્ઞાન હોતું નથી. આ રીતે, જે પરમભાવની ભાવનામાં સ્થિત છે તે જ
સમ્યગ્દ્રષ્ટિ છે ને તેને સમ્યગ્જ્ઞાનો હોય છે; તથા જે પરમ ભાવની ભાવનામાં સ્થિત નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને
મિથ્યાજ્ઞાનો હોય છે.
એ રીતે નવ પ્રકારના જ્ઞાનમાંથી કયા જ્ઞાન કોને હોય તે બતાવ્યું. હવે તેના પ્રત્યક્ષ અને પરોક્ષપણાનું
વર્ણન કરશે......તેમાં “સ્વરૂપ–પ્રત્યક્ષ” જ્ઞાનની અદ્ભુત વાત આવશે.
(આ ગાથાઓના જે છ વિષય કહ્યા હતા તેમાંથી બીજો વિષય અહીં પૂરો થયો.)
જ્ઞાનના પ્રકારોમાં પ્રત્યક્ષ–પરોક્ષનું વર્ણન
આ નિયમસારની ૧૧–૧૨ મી ગાથા ચાલે છે. તેમાં પહેલાં તો જ્ઞાનના ૯ પ્રકાર બતાવ્યા, પછી તેમાંથી
ક્યા જ્ઞાન જીવને હોય તે બતાવ્યું; હવે તેમાં કયા જ્ઞાન પ્રત્યક્ષ છે ને કયા પરોક્ષ છે? તે કહે છે.
“અહીં (ઉપર કહેલાં ૯ જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન શુદ્ધઅંતઃતત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી
‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ છે. અને કેવળજ્ઞાન ‘સકલપ્રત્યક્ષ’ છે.”
પહેલાં જે કારણસ્વભાવજ્ઞાન કહ્યું તે સહજજ્ઞાન છે, આત્માના શુદ્ધઅંતરસ્વરૂપમાં તે સદાય રહેલું છે તેથી
તે સ્વરૂપ–પ્રત્યક્ષ છે. આનો પરમ મહિમા બતાવતાં આગળ ટીકાકાર કહેશે કે આ સહજજ્ઞાન મોક્ષનું મૂળ છે, તે
ઉપાદેયરૂપ છે, અને તે સહજજ્ઞાનના વિલાસરૂપે આત્માને ભાવવો.
અહીં સહજજ્ઞાનને ‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ કહીને વર્ણવ્યું છે તે આ નિયમસારની ખાસ વિશેષતા છે. કોઈ એમ
સમજે કે આ ‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ કહ્યું્ર તે કેવળજ્ઞાનનું વિશેષણ છે,–તો એમ નથી, કેવળજ્ઞાનને તો ‘સકલ–
પ્રત્યક્ષ’ કહીને જુદું પાડયું છે. આ સ્વરૂપ–પ્રત્યક્ષ સહજજ્ઞાન આત્મામાં સદાય વર્તે છે, તે પરમ આદરણીય છે.
ત્રણ અજ્ઞાન તો છોડવા જ જેવા છે, ચાર સમ્યગ્જ્ઞાન પણ આશ્રય કરવા યોગ્ય નથી કેમકે તે અધૂરા જ્ઞાનના
આશ્રયે પૂરું જ્ઞાન થતું નથી; અને કેવળજ્ઞાન તો સાધકને છે નહિ તેથી તેનો પણ આશ્રય થતો નથી. સાધકને
આદરવા યોગ્ય તો પરમસ્વભાવ સહજજ્ઞાન જ છે; તે જ્ઞાન સ્વરૂપ–પ્રત્યક્ષપણે ત્રિકાળ વર્તે છે ને તેનો આશ્રય
કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આ રીતે કેવળજ્ઞાનના ધ્રુવકારણરૂપ એવું આ સહજ સ્વરૂપ–પ્રત્યક્ષ જ્ઞાન જ આદરવા
જેવું છે. આ જ્ઞાન શુદ્ધતત્ત્વમાં સદા વ્યાપક છે, તેનામાં કદી અશુદ્ધતા કે આવરણ નથી, તેમજ તેનો કદી વિરહ
નથી.
કેવળજ્ઞાન તો એક સાથે સકલ પદાર્થોને પ્રત્યક્ષ જાણનારું હોવાથી સકલ પ્રત્યક્ષ છે; ને સહજજ્ઞાન
આત્મસ્વરૂપમાં સદાય રહેલું હોવાથી સ્વરૂપ–પ્રત્યક્ષ છે. આ સ્વરૂપ–પ્રત્યક્ષ તે સકલપ્રત્યક્ષનું કારણ છે; તેથી તેને
‘કારણસ્વભાવજ્ઞાન’ અથવા તો ‘જ્ઞાનની કારણશુદ્ધ પર્યાય’ પણ કહેવાય છે.
પ્રશ્નઃ– આ સ્વરૂપ પ્રત્યક્ષજ્ઞાન તો કેવળીભગવાનને જ હોય ને?
ઉત્તરઃ– ના; આ સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન તો બધાય જીવોમાં ત્રિકાળ રહેલું છે. અજ્ઞાનદશામાં પણ આ
સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન રહેલું તો છે પણ અજ્ઞાનીને તેનું ભાન નથી એટલે તેનું કાર્ય પ્રગટતું નથી. સાધકને
તેનું ભાન છે, કેવળજ્ઞાન થયા પહેલાં પણ તેને પ્રતીત થઈ ગઈ છે કે કેવળજ્ઞાનના કારણરૂપ જ્ઞાન
મારામાં જ વર્તી રહ્યું છે; તે કારણજ્ઞાનના આશ્રયે જ મારું કેવળજ્ઞાનરૂપ કાર્ય થશે, એ સિવાય બીજું
કોઈ મારા કેવળજ્ઞાનનું કારણ નથી. આ સહજસ્વભાવરૂપ સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન તે અંર્તદ્રષ્ટિનો વિષય છે.
સમકિતીને જ તે પ્રતીતમાં આવે છે. આને ‘સ્વરૂપપ્રત્યક્ષ’ કહેવાય–એવા નામની ખબર કદાચ
સમકિતીને ભલે ન હોય, પણ અંતર્મુખ વેદન થઈને જે પ્રતીતિ તેને થઈ તેમાં આ સ્વરૂપપ્રત્યક્ષની પ્રતીત
પણ ભેગી આવી જ

PDF/HTML Page 8 of 21
single page version

background image
અશાડઃ ૨૪૮પઃ ૭ઃ
ગઈ છે. આ સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન આત્માથી કાંઈ જુદું નથી, પણ તે આત્માનો જ સ્વભાવ છે, એટલે
આત્મસ્વભાવની પ્રતીતમાં તે પણ આવી જ જાય છે.
જેમ લીંડીપીપરનો તીખો સ્વભાવ છે, ને ચોસઠપહોરી તીખાસ પ્રગટે તે તેનું પુરું કાર્ય છે; તે કાર્ય
પ્રગટયા પહેલાં પણ ચોસઠ પહોરી તીખાસ પ્રગટવાના કારણરૂપ એક સ્વભાવ તેનામાં વર્તમાન વર્તે છે. તેમ
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ને કેવળજ્ઞાન પ્રગટે તે તેનું પૂરું કાર્ય છે; તે કાર્ય પ્રગટયા પહેલાં પણ કેવળજ્ઞાન
પ્રગટવાના કારણરૂપ સ્વભાવજ્ઞાન વર્તમાન વર્તે છે, તે સહજ છે, સ્વરૂપપ્રત્યક્ષ છે.
મુનિ–શ્રુતજ્ઞાનને સ્વસંવેદન–પ્રત્યક્ષ કહેવાય છે, તે આ વાત નથી; આ તો સ્વરૂપપ્રત્યક્ષની વાત છે.
મતિશ્રુતજ્ઞાન જ્યારે અંતર્મુખ થઈને આત્માનું વેદન કરે છે ત્યારે તેને ઈંદ્રિય વગેરેનું અવલંબન છૂટી ગયું છે
તેથી સ્વસંવેદનમાં તે મતિ–શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યા છે, તે ક્ષાયોપક્ષમિકભાવે છે; કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ છે,
તે ક્ષાયિકભાવે છે; અને સહજજ્ઞાન ‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ છે, તે પારિણામિકભાવે છે. જ્ઞાનમાં એકલો ઉપશમભાવ કે
એકલો ઉદયભાવ હોતો નથી.
સહજ સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાન સદાય પારિણામિક ભાવે રહેલું છે, એટલે તે જાણવાનું કાર્ય નથી કરતું,–તે
કાર્યરૂપ નથી પણ કારણરૂપ છે, કારણરૂપે તેનામાં પૂરું સામર્થ્ય છે અને તેના આશ્રયે પૂરું કાર્ય (કેવળજ્ઞાન)
પ્રગટી જાય છે તે સ્વ–પરને જાણવાનું કાર્ય કરે છે.
જેનામાં કારણરૂપે પૂરું સામર્થ્ય છે એવું સ્વરૂપ પ્રત્યક્ષજ્ઞાન તો બધા જીવોમાં છે, પણ તેનો જે
સ્વીકાર કરે તેને સમ્યગ્જ્ઞાન થઈને, અનુક્રમે તેના જ આશ્રયે સકલપ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન થાય છે. અને
જેને પોતાના આવા જ્ઞાનસામર્થ્યનું ભાન નથી ને ઇંદ્રિયોને જ પોતાના જ્ઞાનના સાધન તરીકે સ્વીકારે છે
તે મૂઢપ્રાણી એકલા ઈંદ્રિયજ્ઞાનરૂપ મિથ્યાજ્ઞાનવડે સંસારમાં જ રખડે છે. આ સ્વરૂપપ્રત્યક્ષ જ્ઞાનના
સ્વીકારવડે મોક્ષ થાય છે, તેથી તે જ્ઞાન મોક્ષનુ્ર મૂળ છે. દસમી ગાથામાં જેને કારણસ્વભાવજ્ઞાનઉપયોગ
કહ્યો તેને જ અહીં સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન કહ્યું છે; તે આત્માનો પરમ સ્વભાવ છે ને મોક્ષનું મૂળ છે,
તેથી તે ઉપાદેય છે.
કેવળજ્ઞાન તો નવું થાય છે, અત્યારે સાધકદશામાં તો તેનો વિરહ છે તેથી તે સ્વરૂપ–પ્રત્યક્ષ નથી.
સહજજ્ઞાન તો આત્મામાં ત્રિકાળ અવિચ્છિન્નપણે રહેલું છે, તેનો કદી વિરહ નથી, તેથી તે સ્વરૂપપ્રત્યક્ષ છે–આવો
આત્માનો સ્વભાવ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેના અવલંબને જે નિર્મળપર્યાય નવી પ્રગટી તે પણ
અભેદરૂપે સમ્યગ્દર્શનના વિષયમાં આવી જાય છે. નિર્મળપર્યાય આત્મા સાથે અભેદ છે, એટલે તે સમ્યગ્દર્શનના
વિષયથી જુદી નથી રહેતી.
અહીં આત્માના જ્ઞાનસ્વભાવનો પરમ પારિણામિકભાવ બતાવવો છે. જેમ ધર્માસ્તિકાય, આકાશ
વગેરે ત્રિકાળ પારિણામિકભાવે વર્તે છે તેમ આત્માના જ્ઞાનાદિ સ્વભાવો પણ ત્રિકાળ પારિણામિકભાવે
વર્તે છે, કર્મની અપેક્ષાવાળા જે ચાર ભાવો છે તે વ્યવહારનયના વિષયો છે, ને પારિણામિકસ્વભાવ તે
નિશ્ચયનયનો વિષય છે. જ્ઞાનનો જે પરમ પારિણામિકસ્વભાવ છે તે જ કેવળજ્ઞાનનો આધાર છે. અહીં
જ્ઞાનગુણની વાત કરી તે પ્રમાણે શ્રદ્ધા–આનંદ વગેરે બધા ગુણોમાં પણ સમજી લેવું. આગળ ૧પમી
ગાથામાં આખા દ્રવ્યના પારિણામિકભાવરૂપ કારણશુદ્ધપર્યાયની વાત આવશે, તે શુદ્ધ કાર્ય પ્રગટવાનું મૂળ
કારણ હોવાથી ટીકાકાર મુનિરાજ તેને ‘પૂજ્ય પરિણતિ–કહેશે. જો કે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન વગેરે
પરિણતિ પ્રગટે તે પણ પૂજ્ય છે, પરંતુ અહીં તો આત્માની સાથે સદાય વર્તતી પૂજ્યપરિણતિની વાત છે,
એટલે કે પારિણામિકભાવે વર્તતી પરિણતિની વાત છે.
જ્ઞાનની પારિણામિકભાવે વર્તતી સહજ પરિણતિ તો સ્વરૂપપ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન તે સંપૂર્ણપ્રત્યક્ષ
છે. આ પ્રમાણે બે જ્ઞાનોની વાત કરી; હવે બાકીના જ્ઞાનોમાં પ્રત્યક્ષ–પરોક્ષપણું કયા પ્રકારે છે તે કહે છે.
रुपिष्ववधेः’ એવું સૂત્રનું વચન હોવાથી અવધિજ્ઞાન વિકલ્પપ્રત્યક્ષ છે અર્થાત્ તે રૂપી પદાર્થોને જ
પ્રત્યક્ષ જાણે છે; અને મનઃપર્યયજ્ઞાન પણ તેના અનંતમા ભાગે વસ્તુને જાણનારું હોવાથી વિકલ પ્રત્યક્ષ છે.
સાધકનો ઉપયોગ જ્યારે આત્મા તરફ હોય છે ત્યારે તેને મતિ–શ્રુતજ્ઞાન હોય છે, અવધિ કે મનઃપર્યયજ્ઞાનનો
વેપાર તે વખતે હોતો નથી. અવધિ અને મનઃપર્યયજ્ઞાન તો પરવિષયોને જ જાણે છે અને તેમાં પણ રૂપી
પદાર્થોને જ જાણે છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૯
મનઃપર્યયજ્ઞાન જો કે મનસંબંધી સૂક્ષ્મ પરિણામોને પણ પ્રત્યક્ષ જાણે છે, પરંતુ તે પરિણામો રૂપી–મનના
સંબંધવાળા હોવાથી અહીં તેમને મૂર્ત ગણવામાં આવ્યા છે. આ રીતે અવધિ અને મનઃપર્યયજ્ઞાન એક અંશે
પ્રત્યક્ષ છે. મનઃપર્યયજ્ઞાન તો ઉત્તમ મુનિઓને જ હોય છે, તેનું ઘણું સામર્થ્ય છે, છતાં તે પણ એકદેશ–પ્રત્યક્ષ છે.
કેવળજ્ઞાન સકલ–પ્રત્યક્ષ છે ને અવધિ–મનઃપર્યયજ્ઞાન વિકલ–પ્રત્યક્ષ છે. મનઃપર્યયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાન
કરતાં થોડો છે, પરંતુ અવધિજ્ઞાન કરતાં અનંતગણી સૂક્ષ્મતાને પણ તે જાણી શકે છે.
‘મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે’–અહીં પરવિષયની
અપેક્ષાએ મતિ–શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છે–એમ સમજવું. સ્વ–વિષયની અપેક્ષાએ તો મતિ–શ્રુતજ્ઞાન પણ
ખરેખર પ્રત્યક્ષ છે. પર વિષયોને ઈંદ્રિય અને મનના અવલંબનપૂર્વક અસ્પષ્ટ જાણે છે તેથી તે જ્ઞાનને પરોક્ષ
કહ્યાં છે, અને વ્યવહારથી ‘ઇંદ્રિય–પ્રત્યક્ષ’ જાણે છે તે અપેક્ષાએ વ્યવહારે પ્રત્યક્ષ કહ્યાં છે; પણ ઈંદ્રિયદ્વારા જે
પ્રત્યક્ષ થયું તે ખરેખર પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે, તેથી નિશ્ચયથી તે મતિ–શ્રુતજ્ઞાન પરને પરોક્ષ જ જાણે છે;
ને સ્વવિષયને સ્વસંવેદન–પ્રત્યક્ષ જાણે છે, સ્વવિષયને જાણવામાં ઈંદ્રિયોનું ને મનનું અવલંબન નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન થતી વખતે મતિ–શ્રુતજ્ઞાનમાં આત્માનું જે સ્વસંવેદન થાય છે તેને પ્રત્યક્ષ કહેવાય છે.
આત્મવેદનમાં તો સમકિતીના મતિ–શ્રુતજ્ઞાન પણ અતીન્દ્રિય છે, પ્રત્યક્ષ છે. નિર્વિકલ્પ અનુભવમાં મતિ–
શ્રુતજ્ઞાનવડે આત્માનું પ્રત્યક્ષ સંવેદન થયા વગર સમ્યગ્દર્શન થાય નહિ.
ચોથા ગુણસ્થાને ગૃહસ્થદશામાં
રહેલા અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ નિર્વિકલ્પ અનુભવરૂપ સ્વસંવેદનદશામાં મતિશ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. પંચાધ્યાયી
વગેરેમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે.
મતિ–શ્રુતજ્ઞાન પરવિષયોને જાણવામાં ઈંદ્રિયો ને મનના અવલંબનપૂર્વક પ્રવર્તે છે ને તે પણ અસ્પષ્ટ
જાણે છે, તેથી તેને પરોક્ષ કહેલ છે; ત્યાં, ઈંદ્રિયોને લીધે જ તે જ્ઞાન થવાનું અજ્ઞાની જીવ માની લ્યે છે. તેની એ
માન્યતાનું બહુ સરસ યુક્તિથી જયધવલામાં વીરસેનસ્વામીએ ખંડન કરી નાખ્યું છે. ત્યાં તો કહે છે જો
ઈંદ્રિયોથી જ્ઞાનની ઉત્પત્તિ થવાનું માનશો તો આત્માના અભાવનો પ્રસંગ આવશે
શંકાકાર કહે છે–ઈંદ્રિયોથી ઉત્પન્ન થવાના કારણે મતિજ્ઞાન વગેરેને કેવળજ્ઞાન કહી શકાતું નથી.
તેના સમાધાનમાં કહે છે–એમ નથી, મ
તિ જ્ઞાનાદિ ઈંદ્રિયોથી ઉત્પન્ન થતા નથી પણ સામાન્ય જ્ઞાનમાંથી
તે વિશેષ આવે છે. જો જ્ઞાન ઈંદ્રિયોથી ઉત્પન્ન થાય છે–એમ માની લેવામાં આવે તો, ઈંદ્રિય વ્યાપારની પહેલાં
જીવના ગુણસ્વરૂપ જ્ઞાનનો અભાવ થઈ જવાથી, ગુણી એવા જીવના પણ અભાવનો પ્રસંગ આવે છે.
ત્યારે ફરીને શંકાકાર દલીલ કરે છે કે – ઇંદ્રિયવ્યાપારની પહેલાં જીવમાં જ્ઞાનસામાન્ય રહે છે, જ્ઞાનવિશેષ
નહિ; જ્ઞાનવિશેષ તો ઈંદ્રિયના વેપારદ્વારા થાય છે. આ રીતે જીવનો અભાવ થતો નથી.
તેના સમાધાનમાં કહે છે કે એમ પણ નથી; કેમકે જ્ઞાનસામાન્યથી જ્ઞાનવિશેષ જુદું નથી. જીવનો
જ્ઞાનસ્વભાવ પોતે જ વિશેષરૂપે પરિણમીને વિશેષજ્ઞાન થાય છે. ઈંદ્રિયોને લીધે વિશેષજ્ઞાન થતું નથી.
(જુઓ, કષાયપ્રાભૃત ભાગ ૧, પૃ. ૪૯–પ૦)
ત્યાં કષાયપ્રાભૃતમાં પ્રકરણ તો કેવળજ્ઞાનની સિદ્ધિનું છે. મતિજ્ઞાનરૂપ અંશ પ્રત્યક્ષ છે તેના ઉપરથી
કેવળજ્ઞાનની સિદ્ધિ કરી છે. ત્યાં અંતરની અલૌકિક યુક્તિ આપીને આચાર્યભગવાન કેવળજ્ઞાનને સિદ્ધ કરતાં કહે
છે કે–કેવળજ્ઞાન અસિદ્ધ છે–એમ નથી, કેમકે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિર્ભાવરૂપે
ઉપલબ્ધિ થાય છે. મતિશ્રુતજ્ઞાન તે કેવળજ્ઞાનના અંશરૂપ છે, ને તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી બધાને થાય
છે; માટે કેવળજ્ઞાનના અંશરૂપ અવયવ પ્રત્યક્ષ હોતાં કેવળજ્ઞાનરૂપ અવયવીને પરોક્ષ કહેવો તે યુક્ત નથી; કેમકે
એમ માનતાં, ચક્ષુદ્વારા જેનો એક ભાગ પ્રત્યક્ષ જોવામાં આવે છે એવા થાંભલાની પણ પરોક્ષતાનો પ્રસંગ આવી
જાય છે. અહો! મતિજ્ઞાનના સ્વસંવેદનમાં કેવળજ્ઞાનનો વિરહ નથી...મતિજ્ઞાનની સંધિ કેવળજ્ઞાન સાથે છે,
મતિજ્ઞાનનું સ્વસંવેદન પ્રત્યક્ષ થયું ત્યાં કેવળજ્ઞાન પણ પ્રત્યક્ષ થઈ ગયું. જુઓ, આ સંતોની વાણી!!
સંતોએ પંચમકાળે કેવળજ્ઞાનના વિરહ ભૂલાવી દીધા છે.
(જુઓ કષાયપ્રાભૃત ભાગ ૧ પૃ. ૪૪–૪પ)

PDF/HTML Page 10 of 21
single page version

background image
અશાડઃ ૨૪૮પઃ ૯ઃ
(શ્રી કષાયપ્રાભૃત–જયધવલાના આ વિષય ઉપર પૂ. ગુરુદેવનું અદ્ભુત પ્રવચન થયેલ, તે “
આત્મધર્મ” ના બીજા વર્ષમાં” શ્રુતપંચમીના વધારાના અંક” તરીકે પ્રસિદ્ધ થયેલ છે. જિજ્ઞાસુઓએ તે
વાંચવા લાયક છે.)
મતિ–શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છતાં તે જ્ઞાન પણ કાંઈ ઈંદ્રિયોથી થતા નથી, તે જ્ઞાન પણ પોતાથી જ થાય
છે. જુઓ, વ્યંજનઅવગ્રહ તે મતિજ્ઞાનનો નાનામાં નાનો પ્રકાર છે, તે પણ પોતાથી જ થાય છે. ઈંદ્રિયોથી કે
શબ્દોથી જ્ઞાન થાય એ વાત તો ક્યાંય ગઈ! તે તો સ્થૂળભૂલ છે. અહીં તો એકદમ અંતરના ઊંડાણની વાત
છે....જ્ઞાનનું મૂળકારણ શું છે તે અહીં બતાવ્યું છે.......કેવળજ્ઞાનનું મૂળીયું બતાવ્યું છે. અહો! પરિપૂર્ણ સામર્થ્યરૂપે
સદાય વર્તતું સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાન જ મારા કેવળજ્ઞાનનું કારણ છે–એમ જે જાણે તે ઈંદ્રિય વગેરેને પોતાના જ્ઞાનનું
કારણ માને નહિ; એટલે તેને પરોક્ષપણું ટળીને, સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાનના આધારે સકલ–પ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન
પ્રગટી જાય.
આ રીતે જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષપણાનું વર્ણન કર્યું. હવે આ જ્ઞાનોમાંથી કયું જ્ઞાન આદરણીય છે તે
કહેશે.
(આ ગાથાઓના જે છ વિષયો કહ્યા હતા તેમાંથી ત્રીજો વિષય અહીં પૂરો થયો.)
*અજ્ઞાનીને ધર્મ થતો નથી, કેમકે *
અજ્ઞાનીને શુભરાગ તો હોય છે, પણ તેને
ધર્મ હોતો નથી. કેમકે શુભરાગ તે ધર્મ નથી.
જો શુભરાગ તે ધર્મ હોય કે ધર્મનું સાધન હોય
તો, શુભરાગવાળા અજ્ઞાનીને કેમ ધર્મ ન થાય?
અને તેને કેમ મોક્ષમાર્ગ ન થાય? માટે સ્પષ્ટ છે
કે અશુભરાગની જેમ શુભરાગ પણ ધર્મ નથી કે
ધર્મનું સાધન પણ નથી. પરંતુ તે રાગથી વિલક્ષણ
એવા સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર તે જ ધર્મ
છે ને તે જ મોક્ષમાર્ગ છે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૯
‘આનંદસ્વરૂપમાં એક વાર ડૂબકી માર’
ડુંગરગઢમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
(તા. ૮–૪–પ૯)
(ડુંગરગઢના શેઠશ્રી ભાગચંદજી સાહેબ વગેરેની ખાસ આગ્રહભરી
વિનંતિથી પૂ. ગુરુદેવ ડુંગરગઢ પધાર્યા હતા. તે પ્રસંગનું પ્રવચન)
આ પદ્મનંદપચીસી શાસ્ત્ર પદ્મનંદી નામના દિગંબર વનવાસી સંતે રચ્યુંં છે, આત્મામાં આનંદની
ભરતીમાં ઝૂલતાં ઝૂલતાં તેમણે આ શાસ્ત્ર રચ્યું છે. જેમ દરિયામાં ભરતી આવે છે તે બહારના વરસાદથી કે
નદીના પાણીથી આવતી નથી પણ દરિયો પોતે ઊછળીને ભરતી આવે છે; તેમ જ્ઞાન ને આનંદનો સમુદ્ર
ભગવાન આત્મા પોતે અંતર્મુખ થતાં સ્વાનુભવથી તેનામાં આનંદની ભરતી આવે છે, બહારના કોઈ સાધનથી
કે રાગથી આનંદની ભરતી આવતી નથી.
આ ચૈતન્યજ્યોતિ આત્મા તન–મન–વચનથી ભિન્ન છે, તેનો અનુભવ તન–મન–વચનથી થતો નથી,
પણ અંતર્મુખ થઈને સ્વાનુભવથી જ તે જણાય છે, એટલે કે તે સ્વાનુભવગમ્ય છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કેઃ અહા, દરેક જીવ સર્વજ્ઞસ્વભાવી છે; પણ પોતે પોતાના સર્વજ્ઞ
સ્વભાવને ભૂલીને પોતાને પામર–અલ્પજ્ઞ માની લીધો છે તેથી સંસારમાં રખડે છે. સર્વજ્ઞસ્વભાવની પ્રતીત–
જ્ઞાન–અનુભવ વગર, માત્ર રાગ જેટલો માનીને જીવે અનંતવાર શુભ ભાવથી વ્રત–તપ કર્યા છે, પણ
આત્મજ્ઞાનના અભાવને લીધે તેના સંસારભ્રમણનો આરો નથી આવ્યો. આત્મજ્ઞાન અનંતકાળમાં પૂર્વે એક ક્ષણ
પણ જીવે નથી કર્યું. તેથી કહે છે કે–
मुनिव्रतधार अनंत बार ग्रीवक उपजायो।
पै निज आतमज्ञान बिन सुख लेश न पायो।।
છહઢાળા
આત્મજ્ઞાન પૂર્વે અનંતકાળમાં જીવે કર્યું નથી; છતાં જે જીવ પાત્ર થઈને આત્મજ્ઞાન કરવા માંગે તેને ક્ષણ
માત્રમાં થાય છે; આઠ વર્ષના બાળકને કે સિંહ વગેરે તિર્યંચને પણ આત્મજ્ઞાન થાય છે, અરે! નરકની અનંતી
પ્રતિકૂળતા વચ્ચે પડેલા જીવોને પણ આત્મજ્ઞાન થઈ શકે છે. અત્યારે વિદેહક્ષેત્રમાં સીમંધરાદિ ૨૦ તીર્થંકર
ભગવંતો સાક્ષાત્ બિરાજે છે, તેમની ધર્મસભામાં આઠ આઠ વર્ષના રાજકુમારો, સિંહ, વાઘ વગેરે અનેક જીવો
આત્મજ્ઞાન પામે છે.
તે આત્મજ્ઞાનનું સાધન શું? શું ભગવાનની વાણી તેનું સાધન છે? ના; ખરેખર ભગવાનની વાણી તેનું
સાધન નથી, જો તે સાધન હોય તો તો વાણી સાંભળનારા બધાને આત્મજ્ઞાન થઈ જવું જોઈએ. આત્મજ્ઞાનનું
ખરું સાધન પોતાનો આત્મા જ છે; જેણે અંતર્મુખ થઈને આત્માનું અવલંબન લીધું તેણે પોતાના આત્માને જ
પોતાના સમ્યગ્જ્ઞાનનું સાધન બનાવ્યું.
આ ચિદાનંદસ્વરૂપ આત્મા છે તે અરૂપી છે, ને વચન તો રૂપી છે; તે રૂપી–વચનો અરૂપી આત્માને
સ્પર્શતા પણ નથી; તેથી તે વચનના અવલંબને આત્મા અનુભવમાં

PDF/HTML Page 12 of 21
single page version

background image
અશાડઃ ૨૪૮પ ઃ ૧૧ઃ
આવતો નથી; વચન અને વિકલ્પોથી પાર થઈને સીધેસીધા આત્માના અવલંબનથી જ આત્માનો અનુભવ થાય છે,
એટલે તે માત્ર સ્વાનુભવગમ્ય છે. આચાર્યદેવ કહે છે કે ચૈતન્યસ્વરૂપ કહેવા માટે અમને વિકલ્પ ઊઠયો છે ને વચનો
નીકળે છે, પણ તે વચનો આત્માને સ્પર્શતા નથી, તે વચનોવડે આત્મા જણાતો નથી, માટે તમે વચનના અવલંબનમાં
અટકશો નહીં, પણ વચનનું વાચ્યા જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેને લક્ષમાં લઈને તેનું જ અવલંબન કરજો. કેમકે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો.......
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.........
અહો, આ સ્વાનુભવગમ્ય ચૈતન્યપદને વચનથી કઈ રીતે કહીએ! વચનથી ગમે તેટલું કહેવામાં આવે
પણ જ્યાં સુધી વચનથી વિમુખ થઈને (–તેનું અવલંબન છોડીને) સ્વભાવની સન્મુખ ન થાય ત્યાંસુધી આત્મા
જણાતો નથી. સમયસારના માંગળિકમાં પણ આચાર્યદેવ કહે છે કે સ્વાનુભૂતિથી પ્રકાશમાન એવા ‘સમયસાર’
ને (–શુદ્ધ આત્માને) હું નમસ્કાર કરું છું–
नमः समयसाराय स्वानुभूत्या चकासते
‘સમયસાર’ એટલે શુદ્ધ આત્મા અર્થાત્ સારભૂત આત્મા; રાગ તો અસાર છે, તે કાંઈ સાર નથી; મનવાણી
દેહ તો જડ છે, તે પણ કાંઈ સાર નથી. જડથી જુદો ને રાગથી પાર ને શુદ્ધ ચિદાનંદરૂપ આત્મા છે તે જ સારભૂત છે;
આવો સારભૂત આત્મા સ્વાનુભવગમ્ય છે. આ રીતે સ્વાનુભવગમ્ય આત્માને ઓળખીને તેને નમસ્કારરૂપ
મંગલાચરણ કર્યું છે. હું શુદ્ધ આત્માને નમું છું, એનો અર્થ એ થયો કે હું રાગને નથી નમતો, રાગ તરફ નથી ઢળતો,
રાગનો આદર નથી કરતો; રાગ કરતાં કરતાં તેના અવલંબને હિત થશે એમ માનતો નથી. રાગથી પાર થઈને
અંતરમાં શુદ્ધ ચિદાનંદ આત્મામાં વળું છું, તેમાં ઢળું છું, તેનો આદર કરું છું.–આનું નામ “
नमः समयसारायછે.
એક વાર પણ જેણે આ રીતે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા તેને ભવભ્રમણનો અંત આવી ગયો.
આત્મામાં સર્વજ્ઞતા અને પૂર્ણ આનંદની તાકાત સ્વભાવથી ભરેલી છે (–લીંડીપીપરમાં તીખાશવત્)
તેમાંથી જ તે પ્રગટે છે. જેનામાં જે સ્વભાવ હોય તેમાંથી જ તે પ્રગટે, જેનામાં જે સ્વભાવ ન હોય તેમાંથી તે કદી
આવે નહીં. જડમાં કદી જ્ઞાન કે સુખ છે જ નહીં, તો તે જડથી આત્માને જ્ઞાન કે સુખ કેમ થાય? જ્ઞાન અને સુખ
તો આત્માનો સ્વતઃ સ્વભાવ છે પરંતુ પોતે પોતાના સ્વભાવની સંગતિ છોડીને જડનો સંયોગ કર્યો તેથી તેને
પોતાના સુખનો અનુભવ થતો નથી; તેમાં જીવનો પોતાનો જ દોષ છે, કર્મે કાંઈ તેને રોકયા નથી. કેમકે–
करम बिचारे कौन....भूल मेरी अधिकाइ।
अग्नि सहे धनधात लोहकी संगति पाइ।।
એકલી અગ્નિ ઉપર કોઈ ઘણ નથી મારતું પણ અગ્નિએ પોતે લોઢાનો સંસર્ગ કર્યો તેથી તેના ઉપર
ઘણના ઘા પડે છે. તેમ ચૈતન્યજ્યોત આત્મા જો પોતે એકલો પોતાના સ્વભાવમાં રહે તો તેને દુઃખ હોતું નથી,
પણ પોતાના સ્વાભાવિક સુખનું વેદન થાય છે; પરંતુ જ્યારે પોતે પોતાના સ્વભાવનો સંગ છોડીને પરનો સંસર્ગ
કર્યો ત્યારે જીવ પોતે પોતાના અજ્ઞાનભાવથી દુઃખી થાય છે, કર્મ બિચારું તેને શું કરે? પણ જીવને પોતાના
અપરાધ કર્મ ઉપર ઢોળી દેવાની ટેવ પડી ગઈ છે. અરે, ક્ષણિક પર્યાયમાં પોતે સ્વતંત્રપણે દોષ કરે છે તેને પણ
જે નથી સ્વીકારતો, તે જીવ અનંતગુણથી સ્વતંત્ર એવા શુદ્ધચિદાનંદસ્વરૂપને ક્યાંથી સ્વીકારશે?
શુદ્ધચિદાનંદસ્વરૂપ આત્મા વિકારથી પણ પાર સ્વાનુભવગમ્ય છે.–આવો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તમારી
ભવદુઃખથી રક્ષા કરો.–એમ આચાર્યદેવ આશીર્વાદાત્મક વચન કહીને અપૂર્વ મંગલાચરણ કરે છે.
અરે જીવ! તારા સ્વભાવમાં જ સુખ છે, એ વાત લક્ષમાં લઈને એક વાર તું તેના અનુભવનો પ્રયત્ન તો
કર.....શરીરાદિની મમતા છોડીને આનંદસાગરમાં એક વાર મગ્ન થા....તો તે આનંદસાગરમાં મગ્નતાથી તને
તારું ચૈતન્યતેજ પ્રગટ અનુભવમાં આવશે. જેમ ધૂળમાંથી બહાર નીકળીને સ્વચ્છ સરોવરમાં પ્રવેશ કરતાં
શાંતિનું વેદન થાય છે, તેમ સમસ્ત બાહ્ય પદાર્થોની મમતા છોડીને–(–તેમને પોતાથી અત્યંત ભિન્ન જાણીને)
અંતર્મુખ થઈને આનંદસાગરમાં મગ્ન થતાં જે વસ્તુ અનુભવમાં આવે છે તે જ આત્મા છે, તે જ તારું
ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનાનંદસ્વરૂપમાં એક વાર ડૂબકી માર...તો તને તારો આત્મા અનુભવગમ્ય થશે. આવો
સ્વાનુભવગમ્ય આત્મા તે જ જગતના જીવોને શરણરૂપ છે, તે જ મંગળરૂપ છે, ને તે જ ભવભયથી રક્ષા કરનાર
છે, માટે એવા આત્માની પ્રતીતિ અને અનુભવનો ઉદ્યમ કરવો–એ કર્તવ્ય છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૯
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત
‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના, ભરપૂર વૈરાગ્યપ્રેરક
પ્રવચનોનો સાર
‘આત્મધર્મ’ ના ઘણા જિજ્ઞાસુ વાંચકો
તરફથી સહેલા લેખોની માંગણી થતાં, અંક
૧પ૮થી આ લેખમાળા શરૂ કરવામાં આવી છે.
આ પ્રવચનો અધ્યાત્મરસથી ભરપૂર હોવા
છતાં સરળ અને સહેલાઇથી સમજી શકાય તેવાં
છે;–આથી વાંચકવર્ગને આ લેખમાળા વિશેષ
પસંદ પડી છે, અને તે પુસ્તકાકારે છપાવવાની
અનેક માંગણી આવી છે.
આ ‘સમાધિશતક’ ના રચનાર શ્રી
પૂજ્યપાદસ્વામી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં
થઈ ગયેલા મહાન દિગંબર સંત છે, તેમનું
બીજુ નામ દેવનંદી હતું; તેઓ વિદેહક્ષેત્રે
સીમંધર ભગવાન પાસે ગયા હતા–એવો પણ
શિલાલેખોમાં ઉલ્લેખ છે. તેમણે તત્ત્વાર્થસૂત્રની
‘સર્વાર્થસિદ્ધિ’ ટીકા તથા જૈનેન્દ્રવ્યાકરણ
વગેરે મહાન ગ્રંથો રચ્યા છે. તેમની અગાધ
બુદ્ધિને લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’
કહ્યા છે.–આવા મહાન આચાર્યના રચેલા
સમાધિશતક ઉપરનાં આ પ્રવચનો છે.
(અંક ૧૮૨–૮૩માં પ્રસિદ્ધ થયેલા આ
લેખમાળાના છેલ્લા બે લેખો આડાઅવળા
છપાઈ ગયા છે; ગાથા ૩૪–૩પના પ્રવચનો અંક
૧૮૩માં છે અને ગા. ૩૬–૩૭ના પ્રવચનો અંક
૧૮૨માં છે. એટલે અંક ૧૮૧ પછીનું અનુસંઘાન
અનુક્રમે અંક ૧૮૩, ૧૮૨ અને પછી ૧૮૮ એ
રીતે મેળવવું.)

PDF/HTML Page 14 of 21
single page version

background image
અશાડઃ ૨૪૮પઃ ૧૩ઃ
(વી. સં ૨૪૮૨, જેઠ વદ ૯)
(સમાધિશતક ગા. ૩૮)
રાગદ્વેષથી વિક્ષિપ્ત થતું મન, જ્ઞાનના ઉગ્ર સંસ્કારથી સ્વતત્ત્વમાં સ્થિર થાય છે એમ કહ્યું, હવે કહે છે કે
જ્ઞાનસ્વભાવની ભાવનાથી જેણે પોતાના ચિત્તને સ્વરૂપમાં એકાગ્ર કરીને અવિક્ષિપ્ત કર્યું છે તેને માન–
અપમાનથી વિક્ષેપ થતો નથી; અને જેનું ચિત્ત ચૈતન્યભાવનામાં એકાગ્ર થયું નથી તેને જ માન–અપમાનથી
ચિત્તમાં વિક્ષેપ–ક્ષુબ્ધતા થાય છે–
अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः।
नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः।। ३८।।
ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત ઠર્યું નથી, તેથી જેના ચિત્તમાં રાગ–દ્વેષનો વિક્ષેપ વર્તે છે તેને જ માન–
અપમાન લાગે છે; પરંતુ ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત ઠર્યું છે એટલે જેના ચિત્તમાં રાગદ્વેષનો વિક્ષેપ વર્તતો
નથી તેને માન–અપમાન કાંઈ નથી, અર્થાત્ માન–અપમાનમાં તેને સમભાવ વર્તે છે.
‘આણે મને બહુમાન આપ્યું, આણે મારું અપમાન કર્યું, આણે મારો તિરસ્કાર કર્યોં, આણે મારી નિંદા
કરી’–આવી માન–અપમાનની કલ્પના જીવને ત્યાં સુધી જ સતાવે છે કે જ્યાંસુધી તેનું ચિત્ત રાગ–દ્વેષાદિ
વિભાવોથી કુત્સિત વર્તે છે; રાગદ્વેષાદિ વિભાવોમાં વર્તતો જીવ જ માન–અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે.
પરંતુ જેનું ચિત્ત રાગ–દ્વેષ–મોહરૂપી વિભાવોથી દૂર થઈને પોતાના જ્ઞાનસ્વરૂપમાં ઠર્યું છે તેને એ પ્રકારની માન–
અપમાનની કલ્પનાઓ સતાવતી નથી. ચૈતન્યના આનંદમાં લીન થતાં, કોણ મારી સ્તુતિ કરે છે કે કોણ મારી
નિંદા કરે છે–એનો વિકલ્પ જ ઊઠતો નથી, સર્વત્ર સમભાવ જ વર્તે છે.–
“શત્રુ–મિત્ર પ્રત્યે વર્તે સમદર્શીતા,
માન–અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહિ ન્યુનાધિકતા,
ભાવ–મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો”
જુઓ, આ સંતોની સમાધિદશા!–પણ આવી વીતરાગી સમાધિ કઈ રીતે થાય? કે જ્ઞાનસ્વભાવનું ભાન
કરીને તેમાં એકાગ્રતાના દ્રઢ સંસ્કારથી આવી વીતરાગી સમાધિ થાય છે.
મારા જ્ઞાનસ્વભાવ સિવાય બીજું કાંઈ મારું નથી, ઈંદ્રિયોનો મને આધાર નથી, રાગનું મને શરણ નથી,–
આવી ભાવનાવાળા જ્ઞાનીને પરદ્રવ્યથી પોતાનું માન–અપમાન લાગતું નથી. મારી મહત્તા તો મારા જ્ઞાન–
સ્વભાવથી જ છે, મારા સ્વભાવની મહત્તાને તોડવા જગતમાં કોઈ સમર્થ નથી.
–આમ પોતાના સ્વભાવની મહત્તા જેને નથી ભાસતી ને પરસંયોગવડે જેણે પોતાની મહત્તા માની છે
એવા અજ્ઞાનીને માન–અપમાન લાગ્યા વગર રહેતું નથી. કોઈ અપમાન–કરે નિંદા કરે–દ્વેષ કરે ત્યાં જાણે મારો
સ્વભાવ જ હણાઈ ગયો–એમ અજ્ઞાનીને અપમાન લાગે છે, અને બહારમાં જ્યાં અનુકૂળતા ને માન મળે ત્યાં
જાણે કે મારો સ્વભાવ વધી ગયો–એમ મૂઢ જીવ માને છે. આવી માન–અપમાનની વૃત્તિ અજ્ઞાનીને થાય છે.
જ્ઞાનીને આવા પ્રકારની માન–અપમાનની વૃત્તિ થતી નથી, કેમકે પરસંયોગવડે પોતાના આત્માની મહત્તા કે
હીનતા તે માનતા નથી. અસ્થિરતાને લીધે જરાક માન–અપમાનની વૃત્તિ થાય ત્યાં જ્ઞાનીને સ્વભાવની ભાવના
છૂટીને તે વૃત્તિ થઈ નથી. મુનિવરોને તો ધ્યાનમાં માન–અપમાનની વૃત્તિ જ નથી ઊઠતી, એટલું વીતરાગી
ચારિત્ર થઈ ગયું છે. સમકિતી ગૃહસ્થને એટલું વીતરાગી ચારિત્ર થયું નથી પણ પરસંયોગની અસર વિનાના
પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, અજ્ઞાનના સંસ્કાર છૂટી ગયા છે, જ્ઞાનસ્વભાવની જ મહત્તા કરી છે,
એટલે તે જ્ઞાનસ્વભાવની મહત્તા પાસે બીજા પદાર્થોની જરાય મહત્તા ભાસતી નથી, તેથી બીજા પદાર્થોવડે તેને
પોતાનું માન ભાસતું નથી; તેમજ નિંદા વગેરે પ્રતિકૂળ પ્રસંગથી તેને પોતાનું અપમાન ભાસતું નથી. કોઈ નિંદા
કરે કે કોઈ પ્રસંશા કરે, તે બંને વખતે હું તો તેનાથી જુદો જ્ઞાનસ્વરૂપ છું, નિંદાના કે પ્રશંસાના શબ્દો મારામાં
આવતા નથી, નિંદા કરનાર તેના પોતાના દ્વેષ ભાવને કરે છે, પ્રશંસા કરનાર તેના પોતાના રાગભાવને કરે છે,
પણ મારા જ્ઞાનસ્વભાવમાં તે કાંઈ કરતા નથી,–આવા ભાનમાં ધર્મીને માન–અપમાનની બુદ્ધિ છૂટી

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૯
ગઈ છે. અને જરાક–દ્વેષની વૃત્તિ થઈ જાય તે પોતાના અસ્થિરભાવને લીધે છે, સંયોગને લીધે નથી– એમ જાણે
છે, ને જ્ઞાનભાવનામાં સ્થિર થઈને તે રાગ–દ્વેષની વૃત્તિને તોડી નાંખે છે.
અજ્ઞાનીને જ્ઞાન–સ્વભાવની ભાવના નથી, સંયોગની જ ભાવના છે, સંયોગથી પોતાની હીનતા–
અધિકતા માને છે, અનુકૂળ સંયોગથી પોતાનું માન માને છે ને પ્રતિકૂળ સંયોગથી પોતાનું અપમાન માને છે,
એટલે તેને સંયોગો પ્રત્યે રાગદ્વેષ થયા જ કરે છે; તેને અવિદ્યાના સંસ્કારને લીધે સર્વત્ર પોતાનું માન–અપમાન
જ ભાસ્યા કરે છે. પણ હું તો સંયોગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવ છું, મારા જ્ઞાનને જગતમાં કોઈ પ્રતિકૂળ કે
અનુકૂળ નથી, બધાય મારા જ્ઞેય જ છે,–આવી સ્વભાવભાવનાવડે જ માન–અપમાનની વૃત્તિ ટળીને
સમાધિશાંતિ થાય છે.
ભરત અને બાહુબલી બંને ચરમશરીરી સમકિતી હતા; ભરતચક્રવર્તીએ બાહુબલીને નમવાનું કહ્યું, ત્યાં
બાહુબલીને એમ થયું કે અમારા પિતાજીએ (ઋષભદેવ ભગવાને) અમને બંનેને રાજ આપ્યું છે, ભરત રાજા છે
ને હું પણ રાજા છું–તો હું ભરતને કેમ નમું? એમ જરાક માનની વૃત્તિ આવી; પછી બંને વચ્ચે લડાઈ થતાં ભરત
હારી ગયા ત્યાં તેને જરાક અપમાનની વૃત્તિ આવી. આવી માન–અપમાનની વૃત્તિ થવા છતાં, તે બંને ધર્માત્માને
તે વખતેય જ્ઞાનસ્વભાવની જ ભાવના છે, જ્ઞાનસ્વભાવની ભાવના છૂટીને રાગદ્વેષની વૃત્તિ થઈ નથી,
જ્ઞાનભાવનાની જ અધિકતા છે; માન–અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની હતા–એમ નથી; અંદર
જ્ઞાનભાવનાનું જોર પડયું છે, તેથી માન–અપમાનરૂપે તેમનું જ્ઞાન પરિણમતું જ નથી, એ વાતની અજ્ઞાનીને
ઓળખાણ નથી. જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પરસંયોગમાં માન–અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની
છે. જ્ઞાનસ્વભાવની જેને ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદ્રષ્ટિથી એકાંત માન–અપમાનરૂપ પરિણમન થાય
છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું પરિણમન થાય છે, માન–અપમાનરૂપ પરિણમન થતું નથી; જરાક
રાગ–દ્વેષની વૃત્તિ થાય ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવનાવડે જ્ઞાનની
અધિકતારૂપે જે પરિણમે છે. જ્ઞાનીની આવી ભાવનાને અજ્ઞાની ઓળખતો નથી, એટલે જ્ઞાનીને જરાક રાગ–
દ્વેષની વૃત્તિ દેખે ત્યાં તેને એવો ભ્રમ થાય છે કે જ્ઞાની આ રાગ–દ્વેષ જ કરે છે. પણ જ્ઞાની તો તે વખતે રાગ–
દ્વેષથી અધિક જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે તેને અજ્ઞાની દેખી શકતો નથી, કેમકે તેને પોતાને જ્ઞાનભાવના
જાગી નથી. અહીં એમ કહે છે કે જેને જ્ઞાનભાવના નથી તે જ સંયોગમાં માન–અપમાનની કલ્પના કરીને રાગ–
દ્વેષરૂપે પરિણમે છે. જ્ઞાની તો જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે, તેને કોઈ સંયોગમાં માન–અપમાનની કલ્પનાથી
રાગ–દ્વેષરૂપ પરિણમન થતું જ નથી, માટે હે જીવ! તું તારા ચિત્તને ચૈતન્ય– ભાવનામાં સ્થિર કર, જેથી રાગ–
દ્વેષથી તે ક્ષુબ્ધ ન થાય; અને જ્યાં ચિત્તનો ક્ષોભ નથી ત્યાં માન–અપમાનની કલ્પના થતી નથી એટલે રાગદ્વેષરૂપ
પરિણમન થતું નથી પણ સમાધિ જ થાય છે. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ તે
ચૈતન્યભાવનાવાળો જીવ પોતાના સમ્યગ્દર્શનાદિથી ચ્યૂત થતો નથી, જ્ઞાનભાવનાથી ચ્યૂત થતો નથી. આ રીતે
જ્ઞાનસ્વભાવની ભાવના જ વીતરાગી સમાધિનો ઉપાય છે, માટે તે જ ભાવના કરવા જેવી છે, એમ પૂજ્યપાદ–
પ્રભુનો ઉપદેશ છે.
(વીર સં. ૨૪૮૨, જેઠ વદ ૧૦)
અનુકૂળ સંયોગમાં મને રાગ થશે ને પ્રતિકૂળ સંયોગમાં મને દ્વેષ થશે–એમ અજ્ઞાનીનો અભિપ્રાય છે,
એટલે તેને જ્ઞાનનો અભિપ્રાય નથી પણ રાગદ્વેષનો જ અભિપ્રાય છે. અનુકૂળ સંયોગથી મારું માન ને પ્રતિકૂળ
સંયોગથી મારું અપમાન એમ જેણે માન્યું તે અજ્ઞાનીને એકલી બાહ્યદ્રષ્ટિથી માન–અપમાન માનીને રાગ–દ્વેષ જ
થયા કરે છે. પણ જ્ઞાની તો જાણે છે કે માનનો પ્રસંગ હો કે અપમાનનો પ્રસંગ હો, હું તો જ્ઞાન જ છુંઃ અનુકૂળ
પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, ને પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, એમ સર્વ પ્રસંગે હું
તો જ્ઞાનસ્વભાવ જ છું–એવી જ્ઞાન–ભાવના જ્ઞાનીને વર્તે છે, ને તે જ્ઞાનભાવનાના જોરે તેને રાગદ્વેષનો નાશ જ
થતો જાય છે, એટલે તેને સમાધિ–શાંતિ થાય છે.ાા ૩૮ાા
હવે માન–અપમાન સંબંધી વિકલ્પો દૂર કરવાનો ઉપાય બતાવશે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
અશાડઃ ૨૪૮પઃ ૧પઃ
‘न आत्मध्यानात् परो सौख्यं’
કારંજા તથા પરતવાડા ગામોમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
ફાગણ વદ ૧૦ તથા ૧૧
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મતત્ત્વ છે, તેનામાં અનંતજ્ઞાન ને અનંત આનંદની તાકાત ભરી છે. જેમ
લીંડીપીપરમાં તીખાસ તેમ દરેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદ સ્વભાવ જો ન હોય તો બહારથી આવે નહીં.
પરંતુ આત્માની વર્તમાન અવસ્થામાં રાગ–દ્વેષ–મોહરૂપ અપરાધ છે તેથી તેને પોતાના અતીન્દ્રિય આનંદનું વેદન
નથી. આત્માની અવસ્થામાં જો અપરાધ ન હોય તો તેને પોતાના અતીન્દ્રિય આનંદનું વેદન હોવું જોઈએ. પરંતુ
આનંદનું વેદન નથી એટલે દુઃખ છે–અપરાધ છે.–આ એક વાત નક્કી થઈ.
હવે બીજી વાતઃ આત્મામાં જે રાગ–દ્વેષ–મોહરૂપ અપરાધ છે તે તેનું કાયમી સ્વરૂપ નથી પણ ક્ષણિક
વિકૃતિ છે; તેને ટાળીને આત્મા નિર્દોષ સ્વરૂપે રહી શકે છે. વિકારસ્વરૂપે જ આખો આત્મા થઈ ગયો હોય તો
વિકાર કદી ટળી શકે નહીં. પરંતુ ચિદાનંદ સ્વભાવના આશ્રયે વિકાર ટળીને નિર્દોષતા થઈ શકે છે. અનંતા જીવો
વિકાર ટાળીને પૂર્ણાનંદ પ્રગટ કરીને પરમાત્મા થયા.
જેઓ પરમાત્મા થયા તેઓ ક્યાંથી થયા? પોતાના આત્મામાં તાકાત હતી તેમાંથી જ પરમાત્મદશા પ્રગટ
કરી છે. પહેલાં, વિકાર અને અલ્પજ્ઞતા હોવા છતાં, મારો સ્વભાવ વિકાર વગરનો અને પરિપૂર્ણ જ્ઞાનઆનંદથી
ભરેલો છે, એવો વિશ્વાસ સ્વસન્મુખ થઈને આવવો જોઈએ. ચૈતન્યસ્વભાવનો વિશ્વાસ કરીને પછી તેમાં
એકાગ્રતા કરતાં વિકારનો નાશ થઈને આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે.
રાગાદિ વિકાર છે, તે વિકારમાં ચૈતન્યનો વિકાસ નથી. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના આશ્રયે જ ચૈતન્યનો
વિકાસ થઈને તે પૂર્ણ પરમાત્મા થાય છે. આત્માના વાસ્તવિકસ્વરૂપને ઓળખીને તેનું ધ્યાન તે જ પરમાત્મા
થવાનો ઉપાય છે.
આત્માના હિતને માટે ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાનભૂષણસ્વામી તત્ત્વજ્ઞાનતરંગિણીમાં કહે છે કે શુદ્ધ ચિદ્રૂપ
આત્માને જાણીને તેનું ધ્યાન તે જ હિતનો–શાંતિનો અને મુક્તિનો ઉપાય છે.
न आत्मध्यानात् परो सौंख्यं
न आत्मध्यानात् परं तपः
न आत्मध्यानात् परो मोक्ष–
पथ क्वापि कदाचन।
કેવો છે આત્મા? પૂર્ણ જ્ઞાન ને આનંદની શક્તિથી પરિપૂર્ણ છે, તેનો સ્વભાવ શાંત અને અવિકારી છે.
આવા આત્મતત્ત્વને ઓળખીને તેનું ધ્યાન કરવું તે ઉત્તમ સુખ છે; તે જ સુખ છે, એના સિવાય જગતમાં બીજે
ક્યાંય સુખ નથી. અને ચૈતન્યતત્ત્વમાં ઉપયોગને એકાગ્ર કરીને તેનું ધ્યાન કરવું તે જ ઉત્તમ તપ છે. આવા
આત્મધ્યાન વડે જ મોક્ષ સધાય છે.
ચૈતન્યતત્ત્વને ચૂકીને, પરનું ધ્યાન એટલે કે પરમાં સુખ છે એવી મિથ્યાબુદ્ધિ તે દુઃખનું મૂળ છે. ચૈતન્યના
સુખને ચૂકીને, બાહ્યમાં સુખબુદ્ધિથી જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. તે દુઃખ મટવાનો ઉપાય શું? સંતો તેનો
ઉપાય બતાવતાં કહે છે કે અરે જીવ! તારો આત્મા જ સુખસ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છે, જગતના બાહ્ય
વિષયોમાં ક્યાંય તારું સુખ નથી, ને બાહ્ય પદાર્થો તરફની લાગણીમાં પણ સુખ નથી.
લક્ષ્મી, રૂપાળું શરીર, મિષ્ટાન્ન, સોનું–ચાંદી કે હીરા–માણેક વગેરે જડ વસ્તુઓમાં સુખનો અંશ પણ કદી
નથી,

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૯
તો તેમાંથી સુખ ક્યાંથી આવશે? સુખ તો આત્માના સ્વભાવમાં છે. પુણ્ય અને પાપ પણ જીવે અનંતવાર કર્યા
છે, પણ તેનાથી પાર ચિદાનંદતત્ત્વ શું છે તે જીવે કદી જાણ્યું નથી, તેથી તે કિંચિત્ સુખ પામ્યો નથી.
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો,
જીવે બહારમાં સુખની કલ્પના કરી રાખી છે, ન હોવા છતાં ત્યાં સુખ માન્યું છે, તેથી ત્યાંથી ખસતો નથી.
જ્યાં સુખ માને તેનાથી જુદો કેમ પડે? પરમાં સુખ માનીને અજ્ઞાની જીવ પરમાં એકાગ્ર બુદ્ધિ કરે છે ને સ્વતરફ
વળતો નથી, તેથી પરાશ્રયે પરિભ્રમણ કરી કરીને દુઃખી થાય છે પોતાના સ્વભાવમાં સુખ હોવા છતાં જીવ
સ્વસન્મુખ થઈને તેનો વિશ્વાસ કરતો નથી તેથી સ્વભાવનું સુખ તેના વેદનમાં આવતું નથી. સ્વભાવમાં સુખ છે–
એનો વિશ્વાસ કરીને જો સ્વસન્મુખ થાય તો સ્વભાવના અતીન્દ્રિય સુખનો અનુભવ છે તે સુખનો અનંતમો અંશ
પણ ઈંદ્રના વૈભવમાંય નથી.
ભાઈ, એક વાર લક્ષ તો કર...અંતરમાં તારા આત્માનો વિશ્વાસ તો કર. પ્રભો! ચૈતન્યના વિશ્વાસે તને
અપૂર્વ આનંદનો અનુભવ થશે. ચૈતન્યથી બહારમાં તેં જે સુખ માન્યું છે તે ખરેખર સુખ છે જ નહીં, માત્ર મારા
રાગથી તે તેમાં સુખની કલ્પના કરી છે, ને તારી તે મિથ્યાકલ્પના તને દુઃખ દેનાર છે.
અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ રાજા ને રંક વગેરે બધા સંયોગો પામી ચૂક્યો છે પણ
ચૈતન્યતત્ત્વનું વાસ્તવિક સુખ તે કદી પામ્યો નથી. માટે હે જીવ! અનંતકાળથી કદી નહિ પામેલ એવા તારા
ચૈતન્યતત્ત્વની તું ઓળખાણ કર. ચૈતન્યસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર થવું તે જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે આખોય મોક્ષમાર્ગ ચૈતન્યના ધ્યાનમાં સમાઈ જાય છે. ચૈતન્યના ધ્યાનથી
બહાર (રાગાદિ પરભાવોમાં કે દેહની ક્રિયાઓમાં) ક્યાંય સુખ કે મોક્ષમાર્ગ નથી. તેથી આચાર્યદેવે કહ્યું છે કે
नं आत्मध्यात् परो सौख्यंઆત્મધ્યાન સિવાય બીજું કોઈ સુખ નથી.
પરમપૂજ્ય ગુરુદેવના ૭૦મા જન્મોત્સવ
નિમીત્તે જાહેર થયેલી રકમોની યાદી
૭૨૬૦–પ૦ અંક નંબર ૧૮૭ મા જણાવ્યા મુજબ
૨૧૦) શેઠ શ્રી નાનાલાલ કાળીદાસ જસાણીસોનગઢ૭૦) ગંગાબેન પ્રેમચંદનાઈરોબી
૧૪૦) શેઠશ્રી બેચરલાલ કાળીદાસ જસાણીસોનગઢ૭૦) શ્રી કરમણ નરસીનાઈરોબી
૧૪૦) શેઠશ્રી મોહનલાલ કાળીદાસ જસાણીસોનગઢ૭૦) શ્રી ભારમલ તથા મેઘજી તથાનાઈરોબી
૭૦)શ્રી ધ્રાંગધ્રા મુમુક્ષુ મંડળઅમૃતલાલ વાઘજીનાઈરોબી
હા. છોટાલાલ દામોદરદાસધ્રાંગધ્રા૭૦) શ્રી મોહનલાલ વાઘજીભાઈ
૭૦)શ્રી ઊજૈન મુમુક્ષુ મંડળઊજૈનધ્રોહવાળાસોનગઢ
૭૦)શ્રી મોતિલાલ મેઘજીમોમ્બાસા૭૦) લાખાણી લક્ષ્મીદાસ હિરાનંદરાજકોટ
૭૦)સૂર્યકળાબેન મોતિલાલમોમ્બાસા૭૦) દેસાઈ પ્રાણલાલ ભાઈચંદમુંબઈ
૭૦)શ્રી લક્ષ્મીચંદ કેશવજીનાઈરોબીજેતપુરવાળા
૭૦)શાંતાબેન લક્ષ્મીચંદનાઈરોબી૭૦) મણિબેન પારેખ હા. ખી.જે.શેઠરાજકોટ
૭૦)શ્રી દેવસી નથૂ નાઈરોબી૭૦) ઈશ્વરચંદજી સરાફસનાવદ
૭૦)દિવાળીબેન દેવશીભાઈનાઈરોબી૭૦)સંઘવી દલીચંદ હકુભાઈ મોરબીવાળાસોનગઢ
૭૦)કિરણ છોટાલાલ દેવશીનાઈરોબી૭૦) શેઠશ્રી ન્યાદરમલજીદિલ્હી
૭૦)શાંતાબેન વેલજી ધરમશીનાઈરોબી૪૬)મણિબેન નેમચંદ કાનજીનાઈરોબી
૭૦)શ્રી પ્રેમચંદ કેશવજીનાઈરોબી૨૧)શ્રી મૂલજીભાઈ લક્ષ્મીચંદમદ્રાસ
૯૨૯પ–પ૦
(અંકે રૂા. નવ હજાર બસો પંચાણું પચાસ નયા
પૈસા અષાડ સુદી ૧૩ તા. ૧૯–૭–પ૯ સુધી

PDF/HTML Page 18 of 21
single page version

background image
અભિનંદનપત્રો બાબત
સમ્મેદશિખરજી યાત્રા અને દક્ષિણયાત્રા દરમિયાન દેશોદેશની
જનતાએ ગુરુદેવનું ઘણા પ્રેમથી સ્વાગત કર્યું અને ઠેર ઠેર ગુરુદેવને
અભિનંદનપત્રો આપ્યા. લગભગ પ૦ શહેરોના જૈનસમાજ તરફથી
ગુજરાતી, હિંદી, સંસ્કૃત, તામીલ કે ઈગ્લીશ ભાષામાં કુલ ૬૭ જેટલા
અભિનંદનપત્રો અર્પણ થયા. આમાંથી કેટલાંક અભિનંદનપત્રો
આત્મધર્મમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે ને બાકીનાં પણ ક્રમેક્રમે પ્રસિદ્ધ થશે. આ
અભિનંદનપત્રો સંબંધમાં એક ખુલાસો કરવાનો છેઃ દેશોદેશની જનતાએ
પૂ. ગુરુદેવ પ્રત્યે કેટલું સન્માન અને પ્રેમ બતાવેલ છે,–તેઓની લાગણીનો
જિજ્ઞાસુ વાંચકોને કંઈક ખ્યાલ આવે તે માટે આ અભિનંદનપત્રો પ્રસિદ્ધ
કર્યાં છે, એટલે કોઈ કોઈ અભિનંદનપત્રોના લખાણમાં કાંઈક ફેરફાર હોય
તો પણ તે પ્રસિદ્ધ કરેલ છે, એ વાત ધ્યાનમાં રાખીને ફકત તે તે નગરીના
જૈનસમાજની લાગણી ખ્યાલમાં આવે તે લક્ષે આ અભિનંદનપત્રો
વાંચવાની ભલામણ કરવામાં આવે છે. જે જે ગામોથી ગુરુદેવને
અભિનંદનપત્રો અપાયા તેની યાદી નીચે મુજબ છે. –
શિખરજીયાત્રાઃ માંગીતુંગી, ઇન્દોર, મદનગંજ–કિસનગઢ, આગ્રા,
કાનપુર, ગ્વાલીઅર, લશ્કર, ફીરોઝાબાદ, ડાલમિઆનગર, ગયા, આરા,
રાજગૃહી, ભાગલપુર, હસ્તિનાપુર, દિલ્હી, ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદ
તરફથી, કલકત્તા, સહારનપુર, કુચામનસીટી, અલીગઢ, લાડનૂ, જયપુર,
શિવગંજ, જાવાલ, અમદાવાદ.
દક્ષિણયાત્રાઃ મદ્રાસ, પોન્નુર, કાંચીવરમ, તિરુપ્પરુત્તિકુન્નમ,
વાંદેવાસ, શૈલપુર, રીન્દ, મલકાપુર, કોટા, પનાગર, મલહરા, દ્રોણગિરિ,
ટીકમગઢ, સાગર, શાહપુર, આહારજી, શીરપુર, ડુંગરગઢ, જબલપુર,
ખેરાગઢ, ઉદયપુર, તલોદ, રખિયાલ, સોનાસણ, ફત્તેપુર, દાહોદ, દક્ષિણ
ભારતના જૈનો, ઇત્યાદિ.
એકવાર (તા. ૧૪–૩–પ૯ના રોજ) તો એક જ દિવસમાં
છે છ અભિનંદનપત્રો અપાયા હતા, અને તે પણ એવી જનતા
તરફથી કે જે જનતા ગુજરાતી તો શું પરંતુ હિંદીભાષા પણ
જાણતી ન હતી. આ બધા લેખિત અભિનંદનપત્રો ઉપરાંત
ભાષણદ્વારા કે કાવ્યોદ્વારા ઠેર ઠેર જે અભિનંદન અપાયા તેની તો
ગણતરી થઈ શકે તેમ નથી.

PDF/HTML Page 19 of 21
single page version

background image
श्री वीतरागाय नमः।।
अध्यात्मयोगी श्री कानजीस्वामीजी के
करकमलों में सादर समर्पित
अभिनंदन पत्र
समयसार–प्रवक्ता!
भारत में प्राचीन धर्म जो जैनधर्म है वह एक समय तामिल प्रान्त में
बहुत ही विशाल रूप से प्रचलित था। इस प्रान्त में कुन्दकुन्द, समन्तभद्र,
भवनंदी आदि कई जैन आचार्योने जन्म लिया। ऐसे पवित्र स्थान में आपके
पधारने से हम लोग कृतकृत्य हुवे हैं।
सद्धर्मप्रचारक!
श्री कुन्दकुन्दाचार्य के समयसार ग्रन्थ के अध्ययन से आपने सत्यधर्म
को पहचाना। अलावा इसके हजारों नरनारियों को आप सन्मार्ग पर लाये
है। आपके इस महान कार्यो से हम लोग आपको कोटिशः धन्यवाद देते हैं।
एलाचार्य के सिद्धान्तभास्कर!
कुन्दकुन्दाचार्य [एलाचार्य] के तपोभूमि एवं स्वर्गभूमि यह जो
स्वर्णगिरि [पोन्नुर मलै] है यहां पर हम लोग आज एकत्र होकर आपका
स्वागत करने का जो सौभाग्य हम लोगों को मिल है उसे हम लोग कभी
भी नहीं भूलेंगे।
शांतमूर्तिन्।
श्री कुन्दकुन्दाचार्य के रचित तिरुक्कुरल नामका जो
तमिल नीतिग्रन्थ है उसका आप अध्ययन कर शिष्यों को बोध
कराने की कृपा करें। इस स्थान सें आपका संघ पधारने की
यादगार में इस पर्वत की सीढी का जीर्णोद्धार एवं पर्वत की
तलहटी में एक बृहत गुरुकुल की स्थापना कर सद्धर्म एवं
सन्मार्गप्रदर्शन करने की कृपा करेंगे तो बहुत ही अच्छा होगा।
पोन्नूरमल्लै आपने आगमन से प्रफुल्लित
१४–३–१९५९ पोन्नूर दि. जैन समाज

PDF/HTML Page 20 of 21
single page version

background image
વૈરાગ્ય સમાચાર
(૧) મૂળ સોનગઢના રહીશ ભાઈ નાગરદાસ દેવચંદ મોદી–મુંબઈમાં
ગયા વૈશાખ વદ ૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમનો કૌટુમ્બિક ધર્મ વૈષ્ણવ
હતો, પણ પ. પૂ. સદ્ગુરુદેવનાં પરિચયમાં આવ્યા પછી તેમણે શ્રી દિગંબર જૈન
અંગીકાર કર્યો હતો.
તેઓ ત્રણ ભાઈઓ હતા (૧) મોટાભાઈ જેઠાલાલ મોદી, (૨)
હરગોવિંદ મોદી, આ ટ્રસ્ટના સેક્રેટરી અને (૩) પોતે પ. પૂ. સદ્ગુરુદેવનું
નિવાસસ્થાન સોનગઢ થતાં એ ત્રણે ભાઈઓ તેમના અનુયાયી થયા હતા.
સોનગઢમાં જ્યાં શ્રી. જૈન અતિથિ સેવાસમિતિનું રસોડું ચાલે છે તે
જમીનની ખરીદીમાં શ્રી નાગરદાસભાઈએ કિંમતી મદદ આપી હતી.
તેઓ મુખ્યપણે મુંબઈ રહેતા, પણ ત્યાંથી તેઓ તથા તેમના કુટુંબીજનો
પૂ. ગુરુદેવશ્રીનો લાભ લેવા પ્રસંગે સોનગઢ આવતા હતા. મુંબઈમાં શ્રી દિગંબર
જૈન મુમુક્ષુ મંડળ થતાં પ્રથમથી જ તેમાં તેઓ જોડાયા હતા. તેમના મોટા પુત્ર
ભાઈ વ્રજલાલ પ્રથમથી જ તે મંડળની કિંમતી સેવા બજાવી રહ્યા છે. શ્રી
માનસ્તંભની પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે તેઓ કુટુંબ સહિત સોનગઢ આવ્યા
હતા. અને તેને અંગે તેમની સારી સેવાનો લાભ ટ્રસ્ટને મળ્‌યો હતો.
મુંબઈમાં હમણાં ઊજવાયેલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા અંગે પણ તેઓને ઘણો
ઉત્સાહ હતો અને તેમાં તેમના કુટુંબે કીંમતી સેવા આપી હતી. તેમની શારીરિક
સ્થિતિ નબળી હોવાથી તેમાં જાતે તેઓ ભાગ લઈ શકે તેમ નહોતા, તેથી શીવમાં
તેમને ઘેર પૂ. સદ્ગુરુદેવ પધારી દર્શનનો તથા આહારદાનનો લાભ આપે તેવી
ભક્તિપૂર્વક તેમણે વિનંતી કરી હતી. તેનો સ્વીકાર થવાથી તેમણે ઘણો આનંદ
અને ભક્તિ પ્રદર્શિત કર્યાં હતા.
તેમનો આત્મા–સદ્ગુરુ અને સદ્ધર્મની રુચિમાં આગળ વધે એવી ભાવના
છે.
આવા બનાવોના પ્રસંગે મુમુક્ષુઓએ વૈરાગ્ય પ્રગટ કરી પોતાના
આત્મકલ્યાણના કાર્યની સાવધાની વધારવી એ કર્તવ્ય છે.
આ વૈરાગ્ય સમાચાર આપવામાં ઢીલ થઈ છે તે બદલ વાંચકોની ક્ષમા
ચાહીએ છીએ.
(૨) તા. ૧૦–૬–પ૯ ના રોજ દિલ્હી જૈન સમાજના આગેવાન શેઠ શ્રી
ન્યાદરમલ્લજી ૮૦ વર્ષની વયોવૃદ્ધ ઉમરે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ દિલ્હીના
પહાડીગંજ જૈનમંદિરના મેનેજર હતા, ને સોનગઢ સંસ્થા પ્રત્યે પણ પ્રેમ ધરાવતા
હતા. તેમના સ્વર્ગવાસ નિમિત્તે જાહેર થયેલ ૨૧પ૧ રૂા. માંથી ૨૭પરૂા. સોનગઢ
સંસ્થાઓને આપવામાં આવ્યા છે. જૈન ધર્મના પ્રતાપે તેઓ આત્મશાંતિ પામે
એજ ભાવના.