Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૯૨
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પઃ ૩ઃ
ધન્ય એ દશા! ધન્ય એ જીવન!
જાણે નાનકડા સિદ્ધ!
જુઓ ભાઈ, આઠ આઠ વર્ષનાં બાળકો પણ
ચૈતન્યતત્ત્વની વાત સમજી શકે છે, ને ચૈતન્યને પોતાનું
ધ્યેય બનાવીને તેમાં લીનતાથી પરમાત્મા થઈ જાય છે.
નાની નાની ઉમરના સુંદર રાજકુમારો ભગવાનની
સભામાં જાય છે ને ભગવાનની વાણીમાં
ચિદાનંદતત્ત્વની વાત સાંભળતાં અંતરમાં ઊતરી જાય
છેઃ અહો! આવું અમારું ચિદાનંદતત્ત્વ! તેને જ ધ્યેય
બનાવીને હવે તો તેમાં જ ઠરશું, હવે અમે આ સંસારમાં
પાછા નહીં જઈએ.–આમ વૈરાગ્ય પામીને માતા પાસે
આવીને કહે છે કેઃ હે માતા! અમને રજા આપો...હવે
અમે મુનિ થઈને ચૈતન્યના પૂર્ણાનંદને સાધશું. માતા!
આ સંસારમાં તું અમારી છેલ્લી માતા છો, હવે અમે
બીજી માતા નહીં કરીએ....આ સંસારથી હવે અમારું મન
વિરક્ત થયું છે. હે માતા! હવે તો ચૈતન્યના આનંદમાં
લીન થઈને અમે અમારા સિદ્ધપદને સાધશું, ને આ
સંસારમાં ફરીને નહિ આવીએ. આ રીતે માતા પાસે
રજા લઈને, જેના રોમે રોમે વૈરાગ્યની છાયા છવાઈ
ગઈ છે એવા તે નાનકડા રાજકુમાર મુનિ થાય છે. –
અહા, એનો દેદાર! –જાણે નાનકડા સિદ્ધ ભગવાન
હોય! ધન્ય એ દશા! ધન્ય એ જીવન!
–એવી દશા પ્રગટ કરવા માટે કેવું
ભેદજ્ઞાન હોવું જોઈએ?
–એ વાત આચાર્યદેવે
સમયસારમાં સમજાવી
છે....તેના ઉપરના
પ્રવચનનોનો એક હપ્તો
આ અંકમાં પ્રસિદ્ધ થયો છે.

PDF/HTML Page 3 of 17
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૯૨
બંધનથી છૂટકારાનો ઉપાય બતાવીને
આચાર્યદેવ શિષ્યની જિજ્ઞાસા તૃપ્ત કરે છે
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઉપરનાં પ્રવચનોનું દોહન)
(વીર સં. ૨૪૮પ શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૬)
“હે ભાઈ! સંતો તને આત્માનું સાચું
ભોજન જમાડે છે, –કે જેના સ્વાદથી તને
આત્માના અતીન્દ્રિય–આનંદરસનો અનુભવ
થશે. માટે એક વાર તેનો રસિયો થા.....ને
જગતના બીજા રસને છોડ!
અહો! જંગલમાં રહીને આત્માના
આનંદમાં ઝૂલતાં ઝૂલતાં મુનિવરોએ અમૃત
રેડયાં છે. વિકારના વેગે ચડેલા પ્રાણીઓને
પડકાર કરીને જ્ઞાનસ્વભાવ તરફ પાછા વળ્‌યા
છેઃ અરે જીવો! પાછા વાળો.....પાછા વાળો! એ
વિકાર તમારું કાર્ય નથી. તમારું કાર્ય તો જ્ઞાન
છે...... વિકાર તરફના વેગે તમારી તૃષા નહીં
છીપે...માટે તેનાથી પાછા વળો......પાછા વળો.
જ્ઞાનમાં લીનતાથી જ તમારી તૃષા શાંત થશે,
માટે જ્ઞાન તરફ આવો.... રે...જ્ઞાન તરફ આવો!
મંગલસ્વરૂપ ભેદજ્ઞાનજ્યોતિને નમસ્કાર હો!
૧. સમયસારના આ કર્તાકર્મઅધિકારમાં વસ્તુસ્વરૂપનું રહસ્ય અને સમ્યગ્દર્શનની ચાવી છે; સ્વ–પરનું
તેમજ સ્વભાવ અને વિભાવનું સ્પષ્ટપણે ભેદજ્ઞાન આચાર્યદેવે આ અધિકારમાં કરાવ્યું છે.
૨. આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેનું પૂર્ણ સામર્થ્ય ખીલી જતાં તે સર્વજ્ઞ થાય છે. તે સર્વજ્ઞ–પરમેશ્વર
જગતના જ્ઞાતા છે, પણ કર્તા નથી.
૩. આ જગતમાં અનંતા જીવ ને અજીવ પદાર્થો છે, તેઓ અનાદિઅનંત સ્વયંસિદ્ધ સત્ છે. તે પદાર્થોના
કોઈ કર્તા નથી. દરેક પદાર્થ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ છે; દ્રવ્ય–ગુણ ત્રિકાળ છે, પર્યાય ક્ષણે ક્ષણે નવી નવી થાય
છે. જેમ ત્રિકાળી દ્રવ્યનો કે ગુણનો કોઈ કર્તા નથી તેમ તેની પ્રતિક્ષણવર્તી પર્યાયોનો પણ કોઈ બીજો કર્તા નથી.

PDF/HTML Page 4 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પ ઃ પઃ
૪. સર્વજ્ઞ જગતના પદાર્થોને જેમ છે તેમ જાણનારા છે; તે સર્વજ્ઞ પણ સર્વેના માત્ર જાણનારા છે, કોઈના
કરનાર કે ફેરવનાર નથી. જો કોઈ પોતાને પદાર્થોનો કરનાર કે ફેરવનાર માને તો તે ત્રિકાળવેત્તા હોઈ શકે
નહીં. આ રીતે જીવનો જ્ઞાનસ્વભાવ જ છે. અને પદાર્થો સ્વતંત્ર છે.
પ. જ્યાં સુધી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને જાણતો નથી અને પરની સાથે કર્તાકર્મપણું માને છે–ત્યાં
સુધી તે અજ્ઞાની છે.
૬. ભેદજ્ઞાનવડે સ્વ–પરને ભિન્ન ભિન્ન જાણીને જ્યારે પોતાના જ્ઞાનસ્વભાવમાં જ એકતાપણે
નિર્મળપર્યાયના કર્તારૂપે જીવ પરિણમે છે ત્યારે તે જ્ઞાની છે.
૭. રાગાદિ બર્હિભાવો મારું કાર્ય ને તેનો હું કર્તા–એવું રાગ સાથેની એકત્વબુદ્ધિનું કર્તૃત્વ તે અજ્ઞાનીનું
કાર્ય છે, ને અજ્ઞાની તેનો કર્તા છે.
૮. એટલે તે વિકારનો કર્તા, જ્ઞાનસ્વભાવ પણ નથી અને જડકર્મ પણ નથી; ક્ષણિક અજ્ઞાનભાવ જ તેનો
કર્તા છે. જ્ઞાનભાવે જીવ તેનો કર્તા નથી.
૯. જ્ઞાની કે અજ્ઞાની કોઈને પણ પરનું કર્તાપણું તો છે જ નહીં; તેમજ પરદ્રવ્ય તેનું કર્તા નથી. દરેક
દ્રવ્યનું કાર્ય પોતપોતામાં જ હોય છે, બીજામાં હોતું નથી.
૧૦. અજ્ઞાની કર્તા અને દેહાદિની ક્રિયા તેનું કાર્ય–એમ નથી; તેમજ જડકર્મ વગેરે કર્તા અને રાગાદિ તેનું
કાર્ય–એમ પણ નથી. આત્માના કાર્યનો કર્તા આત્મા ને જડના કાર્યનો કર્તા જડ.
૧૧. અજ્ઞાની માને ભલે કે ‘હું દેહાદિની ક્રિયાનો કર્તા છું, તો પણ તે કાંઈ દેહાદિની ક્રિયાનો કર્તા થઈ
શકતો નથી. દેહાદિની ક્રિયાના કર્તાપણે જડ પુદ્ગલો જ સ્વયં પરિણમે છે. અજ્ઞાની તો તે વખતે માત્ર
અજ્ઞાનભાવનો જ કર્તા થઈને પરિણમે છે. તે અજ્ઞાન જ સંસારનું મૂળ છે.
૧૨. કર્તા–કર્મ સંબંધીનું તે અજ્ઞાન કેમ ટળે, તેની આ વાત છે. ભેદજ્ઞાન વડે જીવ જ્યારે સ્વ–પરને ભિન્ન
ભિન્ન જાણે છે ત્યારે, સ્વદ્રવ્યમાં એકતા કરીને તે પોતાની સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયના કર્તાપણે પરિણમે છે
અને તેના અજ્ઞાનનો નાશ થાય છે.
૧૩. ‘મારો આત્મા એક જ્ઞાયકસ્વભાવ જ છે’ એમ જ્યારે દ્રષ્ટિમાં લીધું ત્યારે ક્ષણિક વિકારભાવો
પોતાના સ્વભાવપણે નથી ભાસતા, પણ સ્વભાવથી ભિન્નપણે જ ભાસે છે, એટલે તે વિકારનું કર્તૃત્વ પણ રહેતું
નથી; જ્ઞાયકસ્વભાવના આશ્રયે ઊપજતી નિર્મળદશાનો જ કર્તા થતો થકો, કર્મ સાથેના સંબંધનો નાશ કરીને તે
જીવ સિદ્ધપદ પામે છે.
એ વાત આ કર્તાકર્મઅધિકારમાં આચાર્યદેવ સમજાવે છે.
૧૪. મંગલાચરણમાં સિદ્ધભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે.
કર્તાકર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ મદ ખોય.
અનાદિના અજ્ઞાનથી થયેલ કર્તાકર્મના વિભાવને દૂર કરીને જેઓ જ્ઞાનમય થયા અને કર્મનો નાશ કરીને
સિદ્ધાલયમાં વસ્યા, તે સિદ્ધભગવંતોને હું મદરહિત થઈને નમસ્કાર કરું છું. આ રીતે કર્તાકર્મ અધિકારના
મંગલાચરણમાં સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. બહુ જ વિનયથી, અને પરના કર્તૃત્વના અભિમાનને છોડીને,
સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું.

PDF/HTML Page 5 of 17
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૯૨
૧પ. ભાઈ! આ મનુષ્યદેહ કાયમ નહિ રહે, ક્ષણમાં તે વીંખાઈ જશે.....ભેદજ્ઞાન કરીને આત્માનું સંભાળ,
ભાઈ!–એના વિના તને કોઈ શરણ થાય તેમ નથી. જે પરનું કર્તૃત્વ માને છે તે તને કાંઈ શરણરૂપ નહિ થાય;
પરથી ભિન્ન એવું તારું ચૈતન્યતત્ત્વ જ તને શરણરૂપ છે, તેને તું ઓળખ.
૧૬. આ સંસારરૂપી નાટકની રંગભૂમિમાં જીવ અને અજીવ સંયોગપણે એકમેક જેવા દેખાય છે, અનેક
પ્રકારના સ્વાંગથી જાણે કે તેઓ એકબીજાના કર્તા–કર્મ હોય એવા લાગે છે,–ત્યાં અજ્ઞાનીને તે બંને વચ્ચેનો ભેદ
દેખાતો નથી, પણ જ્ઞાની પોતાના ભેદજ્ઞાનના બળે તે બંનેને ભિન્ન ભિન્ન જાણી લે છે; ને ભિન્ન ભિન્ન જાણતાં
તેઓ જુદાં પડી જાય છે.
૧૭. દેવકી માતાના છ પુત્રો (ત્રણ યુગલ) મુનિ થયા છે. છએ મુનિઓ ચૈતન્યના જ્ઞાનધ્યાનમાં, મસ્ત,
જાણે હાલતાચાલતા સિદ્ધ હોય....એવા છે; મહાસુંદર રૂપ એક સરખું છે. એક વાર બબ્બે મુનિઓ વારાફરતી
દેવકીમાતાને ત્યાં આહાર માટે પધારે છે. તેમને દેખીને દેવકીમાતાને આશ્ચર્ય થાય છે ને પુત્ર જેવો સ્નેહ
ઊભરાય છે. તેને મનમાં એમ થાય છે કે–અરે, આ તે જ બે મુનિઓ ફરીફરીને ત્રીજી વાર મારે ત્યાં કેમ
પધાર્યા! અને મને તેમના પ્રત્યે આટલો બધો સ્નેહ કાં ઊભરાય છે! મારા કૃષ્ણ જેવા છ–છ પુત્રોને જન્મ દેનારી
મહાભાગ્યવંત માતા આ જગતમાં કોણ છે!–પછી તો ભગવાન નેમિનાથના શ્રીમુખે તે છએ મુનિઓનું વૃત્તાંત
સાંભળે છે કે તે જ બે મુનિઓ ત્રણ વખત નહોતા આવ્યા, પણ ત્રણે વખતે જુદા જુદા મુનિઓ હતા, અને પોતે
જ તે છએ મુનિવરોની માતા હતી!–ત્યારે તે હર્ષિત થાય છે. જુઓ, દેવકીએ છ પુત્રો જુદા હતા છતાં જુદા ન
જાણ્યા, ને છ પુત્રો પોતાના હતા છતાં પારકા લાગ્યા.
તેમ, આ જગતમાં છ મુનિઓની જેમ છએ દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, કોઈને કોઈની સાથે કર્તાકર્મપણું નથી;
પણ અજ્ઞાની જીવ મોહથી સ્વ–પરને એકમેકપણે માને છે, અને પર સાથે કર્તાકર્મની બુદ્ધિથી તે પોતાની પ્રજાને
(–પર્યાયને) પરની માને છે, તેથી તે દુઃખી થાય છે. ભગવાનની વાણીદ્વારા સ્વ–પરને ભિન્ન ભિન્ન ઓળખીને
ભેદજ્ઞાન કરતાં વેંત જ તેને સ્વદ્રવ્યના અનુભવથી અતીન્દ્રિય આનંદ ઉલ્લસે છે.
૧૮ ‘સુદ્રષ્ટિ તરંગિણિ’ માં છ દ્રવ્યોની ભિન્નતા વિષે છ મુનિઓનું સરસ દ્રષ્ટાંત આપ્યું છેઃ જેમ
એક ગુફામાં છ મુનિરાજ બહુ કાળથી રહે છે, પરંતુ કોઈ કોઈથી મોહિત નથી, ઉદાસીનતા સહિત એક
ક્ષેત્રમાં રહે છે; તેવી જ રીતે છ દ્રવ્યો એક લોકક્ષેત્રમાં જાણવા. આ જગતરૂપી ગુફામાં જીવાદિ છ દ્રવ્યો
અનાદિથી પોતપોતાના ગુણ–પર્યાય સહિત પોતપોતાના સ્વભાવમાં રહેલાં છે; એક જગ્યાએ તેઓની
સ્થિતિ છે પરંતુ કોઈ એકબીજામાં મળી જતાં નથી. એવો જ અનાદિ વ્યવહાર છે કે કોઈ દ્રવ્ય અન્ય
દ્રવ્યની સાથે મળી જતું નથી, કોઈના ગુણ અન્યના ગુણ સાથે મળી જતા નથી, કોઈની પર્યાય અન્યની
પર્યાય સાથે મળી જતી નથી.–આવી જ ઉદાસીનવૃત્તિ છે. વસ્તુનો આવો નિરપેક્ષ સ્વભાવ અહીં છ
વીતરાગી મુનિઓના દ્રષ્ટાંતથી સમજાવ્યો છે. એક ગુફામાં છ વીતરાગી મુનિઓ રહે છે, છએ મુનિઓ
પોતપોતાના સ્વરૂપસાધનમાં જ લીન છે, કોઈને કોઈ ઉપર મોહ નથી; છએ વીતરાગી મુનિઓ
એકબીજાથી નિરપેક્ષપણે સ્વરૂપસાધનામાં જ લીન છે; તેમ આ લોકરૂપી ગુફામાં છએ દ્રવ્યો વીતરાગી
મુનિઓની માફક એકબીજાથી નિરપેક્ષપણે રહેલાં છે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી; સૌ
પોતપોતાના ગુણ–પર્યાયમાં જ રહેલાં છે.
૧૯. –આવો નિરપેક્ષ વસ્તુસ્વભાવ હોવા છતાં અજ્ઞાની જીવ ભ્રમણાથી એમ માને છે કે હું પરનો કર્તા ને
પર મારું કાર્ય. પર સાથે કર્તાકર્મપણાની વાત તો દૂર રહો–અહીં તો અંદરના વિકારી ભાવો સાથે પણ ભેદજ્ઞાન
કરાવીને તે વિકારીભાવો સાથેના કર્તાકર્માપણાની બુદ્ધિ છોડાવે છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પઃ ૭ઃ
૨૦. હું એક ચૈતન્યસ્વભાવી તત્ત્વ, અને વિકારી લાગણીઓ અનેક પ્રકારની; તો મારો એક
ચૈતન્યભાવ, અનેકવિધ વિકારી લાગણીઓનો કર્તા કર્મ હોય? માટે એક ચૈતન્યસ્વભાવી એવા મારે,
અનેકવિધ ક્રોધાદિભાવો સાથે કર્તાકર્મપણું નથી.–આમ જાણતો ધર્મીજીવ ક્રોધાદિ વિકારનો કર્તા થતો
નથી.
૨૧. જ્ઞાનને અને ક્રોધાદિને એકમેકપણે માનતો થકો અજ્ઞાની જીવ એમ માને છે કે હું એક ચૈતન્ય તો
કર્તાં છું અને આ ક્રોધાદિ અનેક ભાવો મારું કર્મ છે–આ રીતે તે અજ્ઞાનીને વિકાર સાથે કર્તાકર્મની જે પ્રવૃત્તિ
અનાદિથી ચાલી આવે છે, તેનો નાશ કઈ રીતે થાય? તેની આ વાત છે.
૨૨. *ક્ષણિકવિકારની કર્તૃત્વબુદ્ધિમાં ત્રિકાળી ચિદાનંદ સ્વભાવનો અનાદર થાય છે, તે અનંતો ક્રોધ છે;
* ચૈતન્યનું સ્વામીત્વ ચૂકીને જડનું ને વિકારનું સ્વામીત્વ માન્યું ને તેના કર્તાપણાનો અહંકાર કર્યો, તે
જ અનંતું માન છે.
* સરલ ચૈતન્યસ્વભાવને વક્ર કરીને વિકારમાં જોડયો તે અનંતી વક્રતા–માયા છે.
* જે પોતાના ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે એવા પરના ને વિકારના ગ્રહણની બુદ્ધિ તે જ અનંતો લોભ
છે.
–આ રીતે અજ્ઞાનભાવમાં અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–લોભનું સેવન છે, તે જ અનંત સંસારનું મૂળ
છે.
૨૩. ભેદજ્ઞાન થતાં વેંત જ તે અજ્ઞાનનો નાશ થાય છે, ને અનંત સંસારનું મૂળ છેદાઈ જાય છે, એટલે તે
જીવ અલ્પકાળમાં જરૂર મોક્ષ પામે છે. એવું ભેદજ્ઞાન કેમ થાય છે તેની આ વાત છે.
૨૪. અનંતા જીવો ને અજીવ પદાર્થો જગતમાં સ્વયમેવ સત્ અનાદિઅનંત છે; તે દરેક પદાર્થ સ્વભાવથી
જ પોતપોતાના કાર્યરૂપે પરિણમે છે; પદાર્થમાં દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ છે એટલે તેમાં તો કાંઈ નવું કરવાપણું છે
નહિ; નવું કાર્ય પર્યાયમાં થાય છે. તે પર્યાયનો કર્તા પદાર્થ પોતે છે. હવે અહીં અજ્ઞાની કર્તા થઈને શું કરે છે ને
જ્ઞાની કર્તા થઈને શું કરે છે તે વાત છે.
૨પ. આખા ચૈતન્યસ્વભાવને આવરીને, તેના અસ્તિત્વને ભૂલીને, ક્ષણિક ક્રોધાદિ તે જ હું– એવી
છે.
૨૬. આત્મા તો સ્વપરપ્રકાશક ચૈતન્યપ્રકાશી સૂર્ય છે, અને વિકાર તો અંધકાર સમાન છે. ચૈતન્યસૂર્ય
વિકારરૂપી અંધકારનો કર્તા કેમ હોય? જેમ સૂર્યને અને અંધકારને કદી એકતા હોય નહિ તેમા જ્ઞાનને અને
વિકારને કદી એકમેકપણું નથી.
૨૭. વિકાર તો ચૈતન્યસ્વભાવથી બહિરંગ છે; ચૈતન્યનું અંતરંગ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
આવા ચૈતન્યમાં અંતર્મુખ થઈને ‘જ્ઞાન તે જ હું’ એવું ભાન કરતાં જ્યાં ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટી, ત્યાં તે
જ્ઞાનજ્યોતિ કોઈ વિકારને આધીન થતી નથી, તેમાં આકુળતા નથી પણ આનંદતા છે, ધીરતા છે, ઉદારતા
છે. જ્ઞાનજ્યોતિ એવી ઉદાર છે કે આખા જગતને જાણવા છતાં તેમાં સંકોચ નથી થતો, અને એવી ધીર છે
કે ગમે તેવા સંયોગને જાણવા છતાં તે પોતાના જ્ઞાનભાવથી ચ્યૂત થતી નથી; વિકારને જાણવા છતાં પોતે
વિકારરૂપ થતી નથી.

PDF/HTML Page 7 of 17
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૯૨
આવી જ્ઞાનજ્યોતિ વિકારના કર્તાકર્મની પ્રવૃત્તિને દૂર કરી નાંખે છે. રાગને કે પરને કરવાનો તેનો સ્વભાવ નથી,
પણ જગતના બધા પદાર્થોને જાણવાનો તેનો સ્વભાવ છે.
આવી જ્ઞાનજ્યોતિ પ્રગટે તે અપૂર્વ મંગળ છે.
આ રીતે જ્ઞાનજ્યોતિના પ્રકાશનવડે આચાર્યદેવે આ અધિકારનું મંગલાચરણ કર્યું.
૨૮. હવે અજ્ઞાની જીવની કર્તાકર્મની પ્રવૃત્તિ કેવી હોય છે? તે વાત બે ગાથામાં સમજાવે છેઃ–
આત્મા અને આસ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહિ,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
અર્થઃ– જીવ જ્યાં સુધી આત્મા અને આસ્રવ–એ બંનેનાં તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે
અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસ્રવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર, આ
રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે.
જુઓ, સર્વજ્ઞદેવની સાક્ષી આપીને આચાર્યદેવ વાત કરે છે.
૨૯. આત્મા પરથી તો અત્યંત જુદો જ છે; એટલે પરની સાથે તો કર્તાકર્મપણું, અજ્ઞાની માને તો પણ,
થઈ શકતું નથી. હવે અહીં અંદરના ભાવની વાત છે. ચિદાનંદસ્વભાવને ભૂલેલો અજ્ઞાની જીવ, ક્રોધાદિ આસ્રવ
ભાવોમાં તન્મયપણે વર્તતો થકો તેનો કર્તા થઈને કર્મ બાંધે છે.
૩૦. “જેમ જ્ઞાન હું છું, તેમ ક્રોધાદિ હું છું”–એ રીતે જ્ઞાન અને ક્રોધને એકમેકપણે માનીને
નિઃશંકપણે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, તે અજ્ઞાની જીવ મોહરૂપે પરિણમતો થકો નવાં કર્મબંધનમાં
નિમિત્ત થાય છે.
૩૧. ખરેખર જ્ઞાન તો સ્વભાવભૂત છે એટલે જ્ઞાનક્રિયા તો પોતાની જ છે; અને ક્રોધાદિ તો
પરભાવભૂત છે તેથી તે ક્રોધાદિની ક્રિયા નિષેધવામાં આવી છે. પરંતુ, જ્ઞાનક્રિયા અને ક્રોધાદિક્રિયા
વચ્ચેના આવા તફાવતને નહિ જાણનારો અજ્ઞાની જીવ જ્ઞાનીને જેમ ક્રોધાદિનો પણ કર્તા થતો થકો, નવાં
કર્મોને બાંધે છે.
૩૨. જ્ઞાન તો સ્વભાવભૂત છે, તેથી જ્ઞાનમાં નિઃશંકરૂપે પોતાપણે વર્તવું તે તો યથાર્થ છે; ‘જ્ઞાન
તે જ હું’ એવી જે જ્ઞાનક્રિયા, તેમાં વિકલ્પનો આશ્રય જરાપણ નથી; તે જ્ઞાનક્રિયા તો આત્માના
સ્વભાવભૂત છે, એટલે તેનો નિષેધ નથી, તેને આત્માથી જુદી પાડી શકાતી નથી; આત્મા અને જ્ઞાન
વચ્ચે જરાપણ ભેદ પાડી શકાતો નથી; એટલે ધર્માત્મા જ્ઞાનસ્વભાવને જ પોતાનો જાણતો થકો
નિઃશંકપણે તેમાં જ વર્તે છે.–આ જ્ઞાનસ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે વર્તવારૂપ જે જ્ઞાનક્રિયા છે તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે; તેથી આ જ્ઞાનક્રિયા તો મોક્ષમાર્ગમાં નિષેધવામાં આવી
નથી.–તે તો સ્વીકારવામાં આવી છે.
૩૩. –તો કઈ ક્રિયા નિષેધવામાં આવી છે? તે હવે કહે છે; જેમ જ્ઞાન તે હું તેમ ક્રોધાદિ પણ હું–
અને

PDF/HTML Page 8 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પઃ ૯ઃ
ક્રોધાદિમાં લીનપણે વર્તતો તે અજ્ઞાની મોહ–રાગ–દ્વેષરૂપે પરિણમતો થકો કર્મને બાંધે છે.–આ રીતે બંધનું કારણ
હોવાથી આ ક્રોધાદિ ક્રિયા નિષેધવામાં આવી છે.
૩૪. જુઓ, બે ક્રિયા થઈ.
(૧) જ્ઞાનક્રિયા,
(૨) ક્રોધાદિ ક્રિયા,
(૧) ‘જ્ઞાન તે હું’ એમ જ્ઞાન સાથે એકત્વપરિણમનરૂપ જ્ઞાનક્રિયા, તે તો સ્વભાવભૂત છે.
(૨) ‘ક્રોધ તે હું’ એમ ક્રોધાદિ સાથે એકત્વપરિણમનરૂપ ક્રોધાદિ ક્રિયા તે પરભાવભૂત છે.
(૧) સ્વભાવભૂત જ્ઞાનક્રિયાનો તો નિષેધ થઈ શકતો નથી. (આ જ્ઞાનીની ક્રિયા છે.)
(૨) પરભાવભૂત ક્રોધાદિ ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો છે. (આ અજ્ઞાનીની ક્રિયા છે.)
(૩) ત્રીજી જડની ક્રિયા છે; તેની સાથે જીવને કર્તાકર્મપણાનો સંબંધ નથી.
૩પ. જ્ઞાન સાથે આત્માને ત્રિકાળ એકતા (નિત્ય તાદાત્મ્ય) છે; પણ ક્રોધાદિ સાથે ત્રિકાળ એકતા નથી,
તે ક્ષણિક સંબંધમાત્ર હોવાથી સંયોગસિદ્ધિ. સંબંધરૂપ છે. છતાં અજ્ઞાની આ બંનેને (જ્ઞાનને અને ક્રોધને)
એકમેક માનીને વર્તે છે, તેમના ભેદને દેખતો નથી, ત્યાંસુધી તે મોહાદિભાવે પરિણમતો થકો કર્મબંધન કરે છે
એમ સર્વજ્ઞભગવાન કહે છે.
૩૬. આત્માનો જ્ઞાનસ્વભાવ છે; તે જ્ઞાનસ્વભાવમાં અંતર્મુખ થઈને પરિણમનારને તો પોતાના
જ્ઞાનઆનંદનું જ કર્તાપણું હોય, વિકારનું કર્તાપણું તેને ન હોય; અને જ્યાં વિકારનું કર્તાપણું ન હોય ત્યાં
બંધન, દુઃખ કે સંસાર પણ ન હોય,. પરંતુ અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને, તેનાથી વિમુખ
વર્તતો થકો, વિકારનો કર્તા થઈને પરિણમે છે, તેથી તેને બંધન, દુઃખ અને સંસાર છે.
૩૭. અહીં આચાર્યદેવ તેને સમજાવે છે કે હે ભાઈ! તારા ત્રિકાળી જ્ઞાનસ્વભાવને તું ક્ષણિક વિકારથી
જુદો દેખ. જ્ઞાન સાથે તારે જેવી એકતા છે તેવી રાગાદિ વિકાર સાથે એકતા નથી, માટે તે રાગાદિ વિકાર
સાથેની એકતાબુદ્ધિ છોડ.....તેની સાથે તારે કર્તાકર્મપણું ખરેખર નથી. તે વિકારના કર્તૃત્વ વગરના તારા
જ્ઞાનસ્વભાવને તું લક્ષમાં લે.
૩૮. ચિદાનંદતત્ત્વ અંતરમાં છે ને રાગાદિવૃત્તિઓ બહિર્લક્ષી છે. જેને બહિર્લક્ષી એવી રાગાદિવૃત્તિનું
બહુમાન–રુચિ–આદર વર્તે છે તે જીવને ત્રિકાળ ચિદાનંદતત્ત્વ પ્રત્યે અનાદર–અરુચિ–ક્રોધ છે, તે જ મહાપાપ છે.
ભેદજ્ઞાનવડે તે મહાપાપથી કેમ બચવું તેની આ વાત છે.
૩૯. ભેદજ્ઞાન શું ચીજ છે તેના ભાન વગર અનંતવાર જીવે બાહ્ય ત્યાગ કર્યો, દયાદિના શુભભાવ
કર્યા, ને તે બાહ્યક્રિયાનું કે રાગનું જ કર્તાપણું માનીને, અજ્ઞાનીપણે સંસારમાં જ રખડયો ને દુઃખી થયો;
તેથી આ રાગાદિ સાથે એકતારૂપ જે ક્રોધાદિક્રિયા છે તે નિષેધવામાં આવી છે. જ્ઞાનક્રિયાનો જ કર્તા હું,
ક્રોધાદિ ક્રિયાનો કર્તા હું નહીં,–એમ જ્ઞાન અને ક્રોધનું ભેદજ્ઞાન કરવું તે પ્રથમ અપૂર્વ ધર્મ છે.
૪૦. વિકારના કર્તાપણારૂપ ક્રિયા આત્માના સ્વભાવની બહાર છે, તો પણ જાણે કે તે મારો સ્વભાવ જ
હોય,–એમ અજ્ઞાનીને ટેવ પડી ગઈ છે, તેથી તે વિકારના કર્તાપણે પરિણમે છે. કર્મના ઉદયને લીધે વિકારપણે
પરિણમે

PDF/HTML Page 9 of 17
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૯૨
છે–એમ નથી, પણ તેને પોતાને અજ્ઞાનભાવથી વિકારનો કર્તા થવાની ટેવ પડી ગઈ છે તેથી તે વિકારના
કર્તાપણે પરિણમે છે.–આ અજ્ઞાનીની ક્રિયા છે,–કે જે સંસારનું કારણ છે.
૪૧. જેમ ગાડાનું ધોંસરૂં ઉપાડવા ટેવાયેલો બળદ, ધોંસરૂં ઊંચું થતાં જ ત્યાં પોતાની ડોક નાંખે છે, તેમ
વિકારના કર્તાપણાથી ટેવાયેલો અજ્ઞાની વિકારમાં એકતા કરીને પરિણમતો થકો સંસારરૂપી ધોંસરામાં પોતાને
જોડે છે. વિકારના કર્તાપણાનો આ અધ્યાસ, જ્ઞાનસ્વભાવના વારંવાર અભ્યાસવડે છૂટી શકે છે; કેમકે
વિકારક્રિયા આત્માના સ્વભાવભૂત નથી તેથી તે છૂટી શકે છે.
૪૨. શાસ્ત્રોમાં નિશ્ચયનું અને વ્યવહારનું બધું કથન છે, ત્યાં અનાદિના વ્યવહારથી ટેવાએલો મૂઢ
અજ્ઞાની જીવ, નિશ્ચયને તરછોડીને એકાન્ત વ્યવહારને પકડી લ્યે છે,–એ સતી સ્ત્રીને તરછોડીને વેશ્યા
પાસે જવા જેવું છે. એકલા પરાશ્રયમાં ભમતી બુદ્ધિને શાસ્ત્રમાં વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. આત્માનો
જ્ઞાયકસ્વભાવ સત્–જેમાં પરનો સંગ નથી, સતી જેવો પવિત્ર–જેમાં વિકારી પરભાવની છાંયા પણ
નથી,–એવા સ્વભાવનો સંગ છોડીને જે વિકારના સંગમાં જાય છે તે જીવ બર્હિદ્રષ્ટિ–અજ્ઞાની થયો થકો
ક્રોધાદિરૂપે પરિણમે છે.
૪૩ સતી અંજનાના પતિ પવનકુમારે ૨૨–૨૨ વર્ષ સુધી તેની સામે જોયું નહિ, તેને તરછોડી...પણ
સતીના મનમાં પતિના આદર સિવાય બીજો વિચાર નથી. અંતે પવનકુમારને પસ્તાવો થાય છે કેમ મે
વિનાકારણ સતીને તરછોડી.....તેમ ‘પવન’ જેવો ચંચળ અજ્ઞાની જીવ અનાદિથી જ્ઞપ્તિ–ક્રિયારૂપ સતીને
તરછોડીને વિકારનો કર્તા થાય છે.....તેને શ્રી ગુરુ સમજાવે છે કે અરે મૂઢ! આ વિકારક્રિયા તારી નથી, તારી તો
જ્ઞપ્તિક્રિયા જ છે, તે જ તારા સ્વભાવભૂત છે.....માટે તેમાં તન્મય થા અને વિકારનું કર્તૃત્વ છોડ.–શ્રી ગુરુના
ઉપદેશથી આ પ્રમાણે ભેદજ્ઞાન થતાંવેંત જીવ પોતાની સ્વભાવભૂત જ્ઞપ્તિક્રિયારૂપે પરિણમે છે, ને વિભાવભૂત
એવી વિકારક્રિયાના કર્તાપણાનો ત્યાગ કરે છે.
૪૪. જુઓ, આ જમણ! જેમ મોટા ઉત્સવમાં મેસુબ વગેરે જમણ પીરસાય છે તેમ અહીં મોક્ષના
મહોત્સવમાં સંતો આખા જગતને સાગમટે આમંત્રીને ભેદજ્ઞાનના અપૂર્વ જમણ પીરસે છે.–કોણ જમવા
ન આવે! અરે, માંદો હોય ને મેસુબ ન પચે તો છેવટ દાળભાત પણ ખાય. તેમ આ તત્ત્વ સમજીને
સાક્ષાત્ ભેદજ્ઞાનરૂપ પરિણમવું તે તો મેસુબના ભોજન જેવું છે–તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે
છે; ને એટલું ઝટ ન થઈ શકે તો, તેની ભાવના રાખીને ‘આ કરવા જેવું છે’ એટલું લક્ષ બાંધવું તે પણ
દાળભાત જમવા જેવું છે, તેનાથી પણ ચૈતન્યને પોષણ મળી રહેશે.–પણ આનાથી ઉલટું માનવું તે તો
ભૂંડનો ખોરાક આરોગવા જેવું છે. હે ભાઈ, સંતો તને આત્માનું સાચું ભોજન જમાડે છે–કે જેના સ્વાદથી
તને અતીન્દ્રિય આનંદરસનો અનુભવ થશે–માટે એક વાર તેનો રસિયો થા.....ને જગતના બીજા રસને
છોડ!
૪પ. ચૈતન્યસ્વરૂપ આત્મા તો પોતાની સહજ ઉદાસીન જ્ઞાનઅવસ્થારૂપે થવાના સ્વભાવવાળો
છે....પણ અજ્ઞાનીજીવ પોતાની તે અવસ્થાનો ત્યાગ કરીને, જ્ઞાનથી વિરુદ્ધ એવા ક્રોધાદિ અજ્ઞાનભાવરૂપે
પરિણમે છે, તેથી તે ક્રોધાદિનો કર્તા છે, અને તે ક્રોધાદિ તેનું કર્મ છે. તેના આ કર્તાકર્મની પ્રવૃત્તિનું ફળ
સંસાર છે; એટલે અજ્ઞાનીની ક્રિયા સંસારને માટે ‘સફળ’ છે,–તે ક્રિયા સંસારરૂપી ફળ દેનારી છે, પણ
મોક્ષને માટે તે નિષ્ફળ છે.
૪૬. ધર્માત્મા જાણે છે કેઃ જીવન વખતે, મરણ વખતે, કે પરલોકમાં, સર્વત્ર મને મારો આત્મા જ શરણ
છે; મારો આત્મા સહજ ઉદાસીન જ્ઞાનઅવસ્થારૂપ પરિણમવાના સ્વભાવવાળો છે, એનાથી બીજો કોઈ મારો
સ્વભાવ નથી.–આવા ભાનમાં ધર્મી જીવ પોતાના જ્ઞાનભાવરૂપે જ પરિણમે છે,–અજ્ઞાનવેપારરૂપ ક્રોધાદિરૂપે તે
પરિણમતો નથી.

PDF/HTML Page 10 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પઃ ૧૧ઃ
૪૭. જ્ઞાનીને ‘ક્રોધાદિ ક્રિયા’ હોતી નથી, એટલે શું?–શું જ્ઞાન થાય એટલે તત્ક્ષણે સર્વથા વીતરાગતા જ
થઈ જાય? ના, એ વાત અહીં નથી. સામાન્ય ક્રોધાદિભાવ જ્ઞાની ધર્માત્માને આવે તે જુદી વાત છે, પણ તે
વખતેય ભેદજ્ઞાનના પ્રભાવે તેને જ્ઞાન સાથે જ એકતારૂપ પરિણમન હોવાથી તે ખરેખર જ્ઞાનભાવે જ પરિણમી
રહ્યા છે, ક્રોધાદિ સાથે એકતાબુદ્ધિ તૂટી ગઈ હોવાથી ક્રોધાદિના કર્તાપણે તે વખતેય તે નથી પરિણમતા;–માટે
તેને ક્રોધાદિક્રિયા નથી. અને, જેને રાગમાં એકત્વબુદ્ધિ છે એવો અજ્ઞાની જીવ, કોઈક ગાળ દેતું હોય છતાં
શુભરાગથી ક્ષમા રાખે તોપણ, તે વખતે ય તેને ક્રોધાદિરૂપ પરિણમન છે, ક્રોધાદિના કર્તાપણે જ તે પરિણમી
રહ્યો છે, ક્રોધાદિથી પાર એવા જ્ઞાનભાવની તેને ખબર પણ નથી.
૪૮. ક્રોધાદિભાવો જ્ઞાનથી જુદાં છે; એટલે જ્યાં જ્ઞાન છે ત્યાં ક્રોધાદિનું કર્તૃત્વ નથી, અને જ્યાં
ક્રોધાદિનું કર્તૃત્વ છે ત્યાં ભેદજ્ઞાન નથી.–આમ તે બંનેને ભિન્નતા છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે તો
જ્ઞાનભવનસ્વરૂપ છે, ક્રોધાદિભાવો તે જ્ઞાનભવનથી જુદાં છે. ત્યાં જેને જ્ઞાનભવનનો અભાવ છે એટલે કે
જે સમ્યગ્દર્શનાદિરૂપે પરિણમતો નથી, એવા અજ્ઞાની જીવને ક્રોધાદિ અજ્ઞાનભાવ જ પોતાના કાર્યરૂપે
પ્રતિભાસે છે, પોતાનો આખોય આત્મા તેને ક્રોધાદિરૂપે જ પ્રતિભાસે છે, ક્રોધાથી ભિન્ન પોતાનું
ચૈતન્યસ્વરૂપ તેને પ્રતિભાસતું નથી, એટલે તે અજ્ઞાની જીવ ક્રોધાદિનો કર્તા છે ને તે ક્રોધાદિ તેનું કર્મ છે.–
આવી અજ્ઞાનીની કર્તાકર્મની પ્રવૃત્તિ છે.
૪૯. જીવ અજ્ઞાનપણે પણ માત્ર પોતાના ક્રોધાદિભાવનો કર્તા થાય છે, પણ પોતાથી બહાર એવા
દેહાદિના કાર્યનો કર્તા તો અજ્ઞાનપણે પણ નથી. ‘હું દેહની ક્રિયા કરું છું’ એવી માન્યતારૂપ અજ્ઞાનભાવને તે
અજ્ઞાની ભલે કરે, તોપણ દેહાદિની ક્રિયાને તો તે કરી શકતો નથી, એ નિયમ છે.
પ૦. ચૈતન્યની મીટ ચૂકીને, અનાદિથી શરીર ઉપર મીટ માંડી છે કે આ દેહ તે હું ને દેહની ક્રિયાઓ મારી;
છે.
પ૧. અહા! જંગલમાં રહીને, આત્માના આનંદમાં છઠ્ઠી–સાતમી ભૂમિકાએ ઝૂલતાં ઝૂલતાં, મુનિવરોએ
આ અમૃત રેડયાં છે. વિકારના વેગે ચડેલા પ્રાણીઓને પડકાર કરીને જ્ઞાનસ્વભાવ તરફ પાછા વાળ્‌યા છે કે અરે
જીવો! પાછા વાળો...પાછા વાળો.......! એ વિકાર તમારું કાર્ય નથી.... તમારું કાર્ય તો જ્ઞાન છે....વિકાર તરફના
વેગે તમારી તૃષા નહીં છીપે, માટે તેનાથી પાછા વળો..... પાછા વળો. જ્ઞાનમાં લીનતાથી જ તમારી તૃષા શાંત
થશે, માટે જ્ઞાન તરફ આવો.......રે....જ્ઞાન તરફ આવો!
પ૨. ‘હું પરનો કર્તા’ એવી જે સ્વપરની એકતાબુદ્ધિ તે તો તીવ્ર મિથ્યાત્વ છે અને અનંત
સંસારદુઃખનું કારણ છે, તેથી તે તો છોડવા જેવી છે જ; તે ઉપરાંત, જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા થઈને
વિકારને કરે એવી દ્રષ્ટિ તે પણ મિથ્યાત્વ, અને અનંત સંસારદુઃખનું કારણ છે, તેથી તે પણ છોડવા જેવી
છે. ક્ષણિક વિકારથી પાર ચૈતન્યતત્ત્વ હું છું–એવી અંતરદ્રષ્ટિવડે મિથ્યાત્વનો નાશ થઈને અપૂર્વધર્મની
શરૂઆત થાય છે.
પ૩. ભાઈ! તું તો જ્ઞાનસ્વભાવ છો....જ્ઞાન શું પરને કરે? ના; જ્ઞાન શું વિકારને કરે?–ના. જેમ
ભગવાન સૃષ્ટિકર્તા નથી તેમ આત્મા પરનો કર્તા નથી તેમજ જ્ઞાનસ્વભાવી આત્મા રાગનો પણ કર્તા
નથી.–છતાં આવા જ્ઞાનસ્વભાવને ભૂલીને અજ્ઞાની જીવ વિકારમાં જ આત્માનું સર્વસ્વ માનતો થકો તેના
કર્તાપણે પરિણમે છે, ને તેથી અશરણપણે સંસારમાં ગતિગતિમાં તે ભટકી રહ્યો છે..... એના દુઃખનો
કોઈ પાર નથી.

PDF/HTML Page 11 of 17
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૯૨
શરણ! ક્યાંય વિસામો!–તો કહે છે કે હા, આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ શરણ અને વિસામો છે.... પણ વિકાર
તરફના વેગથી જરાક પાછું વાળીને સ્વભાવ તરફ જુઓ ત્યારેને!
પપ. પ્રભો! વિકાર તને તારા કાર્ય તરીકે ભાસે, ને તારું જ્ઞાનકાર્ય તને ન ભાસે–એ તો
તારું અજ્ઞાન છે; પોતાના અજ્ઞાનથી જ તું વિકાર થઈ રહ્યો છે. કર્મો તને વિકાર નથી કરતા.
જાણનાર પોતે પોતાનું ભાન ભૂલીને, પોતાને વિકારી માનીને વિકારી થયો છે. એ રીતે અજ્ઞાનરૂપ
પોતાના અપરાધથી જ જે ક્રોધાદિરૂપ થયો છે એવા આ આત્માને ક્રોધાદિના નિમિત્તે કર્મબંધન
થાય છે.
પ૬. જુઓ, આ બંધનું કારણ! ક્રોધાદિમાં વર્તવું તે જ બંધનું કારણ છે,–અને જ્ઞાનસ્વભાવમાં વર્તવું તે જ
મોક્ષનું કારણ છે.–આ રીતે મોક્ષના કારણરૂપ જ્ઞાનક્રિયા, અને બંધના કારણરૂપ ક્રોધાદિ ક્રિયા, એ બંનેનું
ભેદજ્ઞાન કરીને, જ્ઞાનસ્વભાવમાં વર્તવું. એ રીતે જ્ઞાનસ્વભાવમાં પરિણમવાથી જ બંધનો નિરોધ થઈ જાય છે.–
આ રીતે બંધનું કારણ અને તેના નાશનો ઉપાય–એ બંને બતાવ્યા.
પ૭. જીવ પોતાના અજ્ઞાનભાવથી જ સ્વયં ક્રોધાદિરૂપે પરિણમે છે, કર્મને લીધે નહીં; તેમજ જીવના
ભાવને નિમિત્ત કરીને પુદ્ગલો સ્વયં તેમના પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે, જીવને લીધે નહીં. આ રીતે
જીવ–પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન હોવા છતાં, નિમિત્ત–નૈમિત્તિક સંબંધનો એવો મેળ છે કે જેટલા પ્રમાણમાં
જીવનો વિકાર હોય તેટલા જ પ્રમાણમાં કર્મબંધન થાય. પરંતુ એમ નથી કે જેટલા પ્રમાણમાં કર્મનો ઉદય હોય
તેટલા જ પ્રમાણમાં જીવને વિકાર થાય!
પ૮. હવે જીવ અને પુદ્ગલ બંને પોતપોતાના ભાવે સ્વયં પરિણમતા હોવા છતાં, જીવ જ્યારે
અજ્ઞાનભાવે ક્રોધાદિરૂપે પરિણમે છે, ત્યારે તેના નિમિત્તે પુદ્ગલો સ્વયં કર્મરૂપે પરિણમે છે;–આ રીતે
જીવ–પુદ્ગલના પરસ્પર સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. જુઓ, સર્વજ્ઞભગવાને આ રીતે જીવને બંધન
કહ્યું છે, તે ઓળખાવીને આચાર્યદેવ તેનાથી છૂટકારાનો ઉપાય પણ બતાવશે.
પ૯. ત્રણ પ્રકારના સંબંધ આ ગાથામાં આવ્યા–
(૧) જ્ઞાન અને આત્માને નિત્ય તાદાત્મ્યરૂપ સંબંધ; આ સંબંધ તો સ્વભાવરૂપ છે, તે કદી તૂટી શકતો
નથી.
(૨) ક્રોધાદિને અને આત્માને ક્ષણિક સંયોગસિદ્ધ સંબંધ છે; તે વિભાવરૂપ છે અને તૂટી શકે છે. જ્ઞાન
સાથે સંબંધ જોડતાં વિકાર સાથેનો સંબંધ તૂટી જાય છે.
(૩) જીવ જ્યારે ક્રોધાદિ સાથે સંબંધ કરે છે ત્યારે તેને કર્મ સાથે સંબંધરૂપ બંધન થાય છે વિકાર
સાથેનો સંબંધ તૂટતાં આ સંબંધ પણ છૂટી જાય છે.
૬૦. ચૈતન્યસ્વભાવની સામે જોનાર જીવ કર્મની સામે જોતો નથી, એટલે તેને કર્મ સાથેનો સંબંધ રહેતો
નથી. કર્મ સાથેનો સંબંધ કોને રહે?–કે જે કર્મની સામે જુએ તેને.
૬૧. ભાઈ! તું તારા ચિદાનંદતત્ત્વની સામે જો, તો તેમાંથી તને તારી શાંતિનું વેદન આવશે.
આ દેહ કોનાં? ને કુંટુંબ કોનાં!–એ તો બધા તારાથી બાહ્યતત્ત્વ છે, તેમાં ક્યાંય તારું શરણ નથી.....
માટે તેની સામે જોવાનું છોડ...ને ચૈતન્યતત્ત્વની સામે દ્રષ્ટિ કરીને, તેને જ તારા જીવનનું ધ્યેય
બનાવ.

PDF/HTML Page 12 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પઃ ૧૩ઃ
૬૨. ધર્માત્મા તો જ્ઞાનસ્વભાવ ઉપરની દ્રષ્ટિથી કર્મના સંબંધનો પ્રવાહ તોડી નાંખે છે; તેમની અહીં વાત
નથી, અહીં તો અજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીની દ્રષ્ટિ કર્મ ઉપર છે, જ્ઞાન ઉપર નથી,–એટલે જે નવું કર્મ બંધાય છે
તેને ફરીને પણ તે (પોતાના અજ્ઞાનભાવને લીધે) અજ્ઞાનનું નિમિત્ત બનાવે છે. આ રીતે તેને કર્મ સાથે
નિમિત્ત–નૈમિત્તિક સંબંધનો પ્રવાહ અજ્ઞાનભાવને લીધે ચાલ્યા જ કરે છે; અજ્ઞાનભાવ ચાલુ રાખે તેની આ વાત
છે. જે જીવ ભેદજ્ઞાન પ્રગટ કરીને અજ્ઞાનને દૂર કરે છે તેને તો કર્મ સાથેનો નિમિત્ત–નૈમિત્તિકસંબંધ પણ તૂટી
જાય છે.
–આ રીતે અજ્ઞાન જ સંસારનું મૂળ છે એમ આ ગાથાઓમાં બતાવ્યું.ાા ૬૯–૭૦ાા
૬૩. હવે, અજ્ઞાનજનિત કર્તાકર્મની પ્રવૃત્તિ તે જ સંસારનું મૂળ છે–એમ જાણીને, જેને તેનાથી છૂટકારાની
ધગશ જાગી છે એવો શિષ્ય વિનયપૂર્વક પૂછે છે કે પ્રભો! અજ્ઞાનજનિત આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે
થાય? આત્માને દુઃખ દેનારી ને બંધન કરનારી એવી આ પ્રવૃત્તિ ક્યારે છૂટે? શું કરવાથી આ દુઃખરૂપ પ્રવૃત્તિનો
અંત આવે?–તેનો ઉત્તર આચાર્યદેવ હવેની ગાથામાં કહેશે. (ચાલુ)
(૧૦)
(નિયમસાર ગાથા ૧૪)
પ્રવચનમાં નિયમસારની ભાવભીની શરૂઆત
કરતાં ગુરુદેવે કહ્યું હતું કેઃ અહા! ભગવાન
કુંદકુંદાચાર્યદેવ આ શાસ્ત્ર ‘નિજભાવના’ અર્થે રચે છે.
એટલે શ્રોતાએ પણ નિજભાવના અર્થે આ શાસ્ત્ર
શ્રવણ કરવા યોગ્ય છે. આ શાસ્ત્રના વક્તા અને
શ્રોતા બંનેનું તાત્પર્ય ‘નિજભાવના’ કરવાનું છે. હે
શ્રોતાઓ! આ શાસ્ત્રની ગાથાએ–ગાથાએ દર્શાવેલા
શુદ્ધ નિજતત્ત્વને જાણીને વારંવાર તેની ભાવના
કરજો....એવી નિજાત્મભાવનાથી અવશ્ય મોક્ષમાર્ગ
અને તેના ફળની પ્રાપ્તિ થશે. ખરેખર, આચાર્યદેવે આ
નિયમસાર દ્વારા આત્માર્થી જીવોને શુદ્ધરત્નત્રયરૂપી
‘નિયમસાર’ ની ભેટ આપી છે.

PDF/HTML Page 13 of 17
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૯૨
આચાર્ય ભગવાન છેલ્લે કહે છે કે આ નિયમસારશાસ્ત્ર મેં નિજભાવના અર્થે રચ્યું છે. પરમસ્વભાવી
એવા શુદ્ધ નિજ આત્મતત્ત્વનો ઘણાઘણા પ્રકારે મહિમા કરીને આચાર્યદેવે આ શાસ્ત્રમાં તેની ભાવનાની ધૂન
મચાવી છે. શુદ્ધઆત્માની ભાવનાનું જેવું જોસદાર કથન આ શાસ્ત્રમાં છે તેવું જ અંર્તપરિણમન જેમના
આત્મામાં વર્તી રહ્યું છે–એવા વીતરાગી સન્તોનું આ કથન છે.
શાસ્ત્રનું તાત્પર્ય ‘નિજ ભાવના’ છે; એટલે છ દ્રવ્યોનું કે વિભાવપર્યાયોનું કથન આવે ત્યાં પણ તેને
જાણીને ભાવના તો નિજતત્ત્વની જ કરવાની છે. પરથી અને વિભાવોથી ભિન્ન એવા નિજતત્ત્વને જ પોતાની
નિર્મળ પર્યાયોના કારણરૂપે એટલે કે કારણપરમાત્મારૂપે ભાવવો. તેની ભાવનાથી મોક્ષમાર્ગરૂપ કાર્ય થઈ જાય
છે. આ સંબંધી ઘણું વિવેચન અગાઉ આવી ગયું છે.
જીવ ઉપયોગસ્વરૂપ છે. તે ઉપયોગની પર્યાયોના પ્રકાર વર્ણવીને આચાર્યદેવ જીવનું સ્વરૂપ ઓળખાવે છે.
જ્ઞાનઉપયોગના પ્રકારનું વર્ણન પુરું થઈ ગયું છે; દર્શનઉપયોગની સ્વભાવપર્યાયનું વર્ણન થઈ ગયું છે અને હવે
૧૪મી ગાથામાં તેની વિભાવપર્યાયો જણાવે છે. એ રીતે ‘ઉપયોગ’ ના બધા પ્રકારોનું વર્ણન પૂરું કરીને પછી
પર્યાયના ભેદો કહેશે.
(ગાથા ૧૪)
ચક્ષુ, અચક્ષુ, અવધિ–
ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં;
નિરપેક્ષ, સ્વપરાપેક્ષ
એ બે ભેદ છે પર્યાયના.
કેવળદર્શન તો સ્વભાવપર્યાય છે; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ને અવધિદર્શન એ ત્રણે વિભાવદર્શન છે,
પર્યાયો બે પ્રકારની હોય છે–એક નિરપેક્ષ અને બીજી સ્વ–પરની અપેક્ષાવાળી.
ગાથા ૧૦ થી ૧૩ સુધી ઉપયોગના પ્રકારનું જે વર્ણન કર્યું તે પણ પર્યાયો જ હતી, તેમાં જે
સ્વભાવઉપયોગ હતા તે તો નિરપેક્ષપર્યાય હતી, અને મતિજ્ઞાનાદિ જે વિભાવઉપયોગ હતા તે સ્વ–પરઅપેક્ષિત
પર્યાય હતી. પરંતુ તેમાં તો જ્ઞાન, દર્શન અને શ્રદ્ધાની પર્યાયોની જ વાત હતી. હવે આખા દ્રવ્યની સ્વભાવપર્યાય
અને વિભાવપર્યાય બતાવવા માટે આ ગાથાથી તેના ભણકારા શરૂ કર્યા છે. પંદરમી ગાથામાં ટીકાકાર
‘કારણશુદ્ધ પર્યાય’ ને ખુલ્લી કરશે.
દર્શનઉપયોગ તો સામાન્ય પ્રતિભાસરૂપ છે; વિભાવજ્ઞાનની જેમ વિભાવદર્શનમાં ‘સમ્યક્’ અને
‘મિથ્યા’ એવા બે પ્રકારો નથી. વિભાવજ્ઞાનના તો સાત પ્રકાર હતા, ત્યારે વિભાવદર્શનમાં તો ત્રણ જ પ્રકાર
છે–ચક્ષુ, અચક્ષુ અને અવધિ. ચક્ષુઇન્દ્રિયના વિષયને જાણતાં પહેલાં ચક્ષુદર્શન થાય છે, ચક્ષુ સિવાયની
ઈંદ્રિયોનાકે મનના વિષયને જાણતા પહેલાં અચક્ષુદર્શન થાય છે. અવધિજ્ઞાનના ઉપયોગ પહેલાં
અવધિદર્શનઉપયોગ થાય છે. પરંતુ મનઃપર્યયજ્ઞાનની પહેલાં મનઃપર્યય નામનો કોઈ દર્શનઉપયોગ હોતો નથી.
આ રીતે વિભાવદર્શનઉપયોગના ત્રણ પ્રકાર છે. સ્વભાવદર્શનઉપયોગના કારણ અને કાર્ય એવા બે પ્રકારોનું
વર્ણન પૂર્વે થઈ ગયું છે.
આ રીતે જીવના લક્ષણભૂત જ્ઞાન અને દર્શન ઉપયોગના સમસ્ત પ્રકારોનું વર્ણન કર્યું. હવે ‘પર્યાય’ ની
વ્યાખ્યા તથા તેના બે પ્રકારો બતાવીને પછી પંદરમી ગાથામાં જીવદ્રવ્યની પર્યાયનું અદ્ભુત વર્ણન કરશે.
(અત્યાર સુધી ‘ઉપયોગગુણ’ ની કારણ અને કાર્યપર્યાયોનું વર્ણન હતું. હવે ‘જીવદ્રવ્ય’ ની પર્યાયોનું વર્ણન
આવશે.)
પર્યાય એટલે શુ? કે ‘परि समन्तात् भेदमेति गच्छतीति पर्य्यायः’ અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે
તે પર્યાય છે. પર્યાયના બે પ્રકારો–એક સ્વભાવપર્યાય અને બીજી વિભાવરૂપ અશુદ્ધપર્યાય.
તેમાં, સ્વભાવપર્યાય છએ દ્રવ્યને હોય છે, તે અર્થ પર્યાયરૂપ છે, વાણી અને મનથી અગોચર છે, અતિ
સૂક્ષ્મ છે, આગમપ્રમાણથી સ્વીકારવા યોગ્ય છે અને છ પ્રકારની વૃદ્ધિ–હાનિ સહિત છે. અહીં જીવનો અધિકાર
હોવાથી જીવના ગુણપર્યાયનું વર્ણન મુખ્ય છે, એટલે છ દ્રવ્યોના ગુણ–પર્યાયોનો વિસ્તાર અહીં નથી કર્યો. જીવ
સિવાયના

PDF/HTML Page 14 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પઃ ૧પઃ
અન્ય પાંચ અજીવ દ્રવ્યોના ગુણ–પર્યાયનું વર્ણન અજીવ–અધિકારમાં કર્યું છે.
નર, નારક, મનુષ્ય કે દેવરૂપ વ્યંજનપર્યાયો તે જીવની અશુદ્ધપર્યાયો છે. જો કે મતિજ્ઞાનાદિ
અર્થપર્યાયો પણ જીવની અશુદ્ધ–વિભાવપર્યાયો છે, પરંતુ અહીં તે અર્થપર્યાયોને ‘અશુદ્ધ પર્યાય’ ન
કહેતાં ‘અશુદ્ધ ગુણો’ કે ‘વિભાવગુણો’ કહ્યા છે, ને ‘અશુદ્ધપર્યાયો’ માં તો વ્યંજનપર્યાયોને જ લીધી
છે,–એવી આ શાસ્ત્રની શૈલી છે.
જીવમાં વિભાવપર્યાયો હોવા છતાં તેમને એક બાજુ રાખીને (એટલે કે અભૂતાર્થ કરીને) ભાવના
તો શુદ્ધ નિજતત્ત્વની જ કરવાની છે. તેથી ટીકાકાર મુનિરાજ કહે છે કે, પરભાવ હોવા છતાં.....વિભાવ
પર્યાયો હોવા છતાં. અશુદ્ધતા હોવા છતાં.....એ બધાથી રહિત એવા શુદ્ધ જીવતત્ત્વને જ હું સદા ભાવું છું,
કેમકે તેની જ ભાવનાથી સકળ અર્થની (મોક્ષની) સિદ્ધિ થાય છે. પર્યાયમાં અનેકવિધ વિભાવ હોવા
છતાં તે સર્વેથી જે રહિત છે એવા શુદ્ધ નિજતત્ત્વને મારા હૃદયમાં બિરાજમાન કારણપરમાત્માને હું ભજું
છું, અહીં ધર્માત્માને સંબોધીને મુનિરાજ કહે છે કે હે ભવ્ય શાર્દૂલ! તારા હૃદયમાં તું જે કારણપરમાત્માને
ભજી રહ્યો છે તેને જ ઉગ્રપણે ભજ. જેનાં ભજનથી સમ્યગ્દર્શન આદિ ‘કાર્ય’ થયું તે જ ‘કારણ’ માં
લીન થઈને તેને જ તું ભજ!–અમે પણ એને જ ભજીએ છીએ......ને તું પણ શીઘ્રપણે તેને જ ભજ. એના
ભજનથી મુક્તિ થશે.
ભજન કહો કે ભાવના; આ નિજતત્ત્વની જ ભાવના કરવા જેવી છે. અહા, જુઓ તો ખરા આ ભાવના!
આવી આતમભાવના ભાવતાં જીવ કેવળજ્ઞાન પામે છે.
*
જુઓ, સંસારી જીવોને પર્યાયમાં પુણ્ય–પાપ વગેરે વિકાર છે, મતિજ્ઞાન વગેરે અધૂરી દશા છે, અને
મનુષ્યત્વ વગેરે અશુદ્ધ આકૃતિ (વિભાવ વ્યજંન પર્યાય) છે.–આ ત્રણે પ્રકારના પરભાવો છે, અને તેની સામે
પરમ શુદ્ધ સ્વભાવી એવો ‘કારણઆત્મા’ પણ બિરાજી રહ્યો છે–તો હવે મુમુક્ષુ એવા ઉત્તમ પુરુષોએ શું કરવું?
તે કહે છે; પર્યાયમાં પરભાવો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં તેની ભાવના નથી, ઉત્તમ પુરુષોના
હૃદયમાં એટલે કે સાધક ધર્માત્માઓની દ્રષ્ટિમાં તો સદાય શુદ્ધ એવો ભગવાન કારણઆત્મા જ શોભી રહ્યો છે.
વિભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ નથી, કારણસ્વભાવ ઉપર જ તેની દ્રષ્ટિ છે; તેની નિર્મળ પર્યાય અંતર્મુખ થઈને
કારણસ્વભાવમાં ઘૂસી ગઈ છે એટલે તે ધર્મીના હૃદયમાં શુદ્ધ કાર્યપરિણિત શુદ્ધ કારણપરમાત્માની સાથે
નિજાનંદની કેલી કરે છે.
જુઓ, આ ઉત્તમ પુરુષોનું હૃદય! જેના હૃદયમાં વિભાવની ભાવના છે, જેની પરિણતિ વિભાવ સાથે કેલિ
કરે છે તે પુરુષ ઉત્તમ નથી, સંસારમાં ભલે તે ગમે તેવો મોટો ગણાતો હોય પણ ધર્મમાં તે ઉત્તમ નથી. ઉત્તમ
ધર્માત્માના હૃદયમાં તો કારણપરમાત્મા જ શોભે છે, તેના હૃદયમાં વિભાવનું સ્થાન નથી, વિભાવોની ભાવના
નથી.
અજ્ઞાનીને પણ ‘કારણઆત્મા’ છે તો ખરો, પણ તેને તેનું લક્ષ નથી, તેની પરિણતિ અંતર્મુખ થઈને તે
કારણની સાથે કેલી નથી કરતી, એટલે તેને તે શુદ્ધ કારણઅનુસાર કાર્ય નથી થતું પણ પરને અનુસરીને
વિકારીકાર્ય થાય છે. જ્ઞાનીને જ તેનું લક્ષ છે, તેથી કહ્યું કે ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણઆત્મા જ શોભે છે.
ખરેખર કારણઆત્માને ભજનારા ધર્માત્માઓ જ જગતમાં ઉત્તમ પુરુષો છે. તેઓ પોતાની પરિણતિને અંતરમાં
વાળીને કારણસ્વભાવને અનુસરતા થકા સમ્યગ્દર્શનાદિ ઉત્તમ કાર્યરૂપે પરિણમે છે.
મુનિરાજ કહે છે કે અમારા સંપૂર્ણ કાર્યની સિદ્ધિ માટે અમે આ કારણપરમાત્માને જ સદાય ભજીએ
છીએ......અને હે ભવ્ય શાર્દૂલ! તું પણ તેને જ ભજ. હૈ ભવ્યરૂપી શાર્દૂલસિંહ! તારું પરાક્રમ તો જો! તું તારા
પરાક્રમને સંભાળ! અંતરમાં કારણપરમાત્માની ભાવના કરવી તેમાં જ તારું પરમ પરાક્રમ છે.....વિભાવોની
ભાવનામાં વીર્યને અટકાવી દેવું એ તો દીનતા છે. જેમ વનમાં વસનારો સિંહ નિર્ભયપણે પોતાની ક્રીડામાં મસ્ત
રહે છે, તેમ હે ભવ્યોત્તમ શાર્દૂલ! તું જગતથી ઉદાસીન નિર્ભય–

PDF/HTML Page 15 of 17
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૯૨
પણે તારા કારણપરમાત્માની ભાવનામાં તત્પર રહે. લડાઈમાં હજારો યોદ્ધાને ભલે જીતે પણ જો સ્વભાવની
ભાવનાવડે વિભાવોને ન જીત્યા......ને પોતે વિભાવોને તાબે થઈ ગયો....તો એને પરાક્રમી કહેતા
નથી....સ્વભાવના અવલંબનમાં રહીને સમસ્ત વિભાવોને જે જીતી લ્યે છે તે જ ખરો પરાક્રમી વીર છે, માટે હે
પુરુષાર્થી ભવ્ય! અંતર્મુખ થઈને તારા કારણપરમાત્માને જ તું ભજ...તે તારાથી ભિન્ન નથી....તે તું જ છો...માટે
તેને જ તું ઉગ્રપણે ભજ...તેના ભજનથી જ તને મોક્ષના પંથની અને મોક્ષની સિદ્ધિ થશે.
।। ૧૪।।
હવે ગાથા પંદરમી
જિજ્ઞાસુઓ જેની રાહ જોતા હતા તે ગાથા શરૂ થાય છેઃ
णरणारयतिरियसुरा पज्जाया ते विभावमिदि भणिदा।
कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा ।।१५।।
તિર્યંચ–નારક–દેવ–નર પર્યાય વૈભાવિક કહ્યા,
પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧પ
‘કારણશુદ્ધપર્યાય’ ના વર્ણન માટેની આ મુખ્ય ગાથા છે. આચાર્યદેવે આ ગાથામાં જીવની વિભાવ અને
સ્વભાવ પર્યાયો વર્ણવી છે, તેમાંથી સ્વભાવપર્યાયના વિવેચનમાં ટીકાકારે ‘કારણશુદ્ધપર્યાય’ નું અલૌકિક વર્ણન
કર્યું છે.
આત્માની પર્યાયો બે પ્રકારની છેઃ ૧–સ્વભાવરૂપ, અને ૨–વિભાવરૂપ. નર–નારદ–દેવ કે તિર્યંચરૂપ
અવસ્થા તે તો કર્મની ઉપાધિવાળી વિભાવપર્યાયો છે; અને સ્વભાવપર્યાયો કર્મની ઉપાધિથી રહિત છે.
મનુષ્યાદિ વિભાવપર્યાયોને તો સાધારણપણે લોકો ઓળખે છે, પરંતુ સ્વભાવપર્યાયોને ઓળખતા નથી.
અહીં પહેલાં સ્વભાવપર્યાયનું વર્ણન કરે છે.
સ્વભાવપર્યાય બે પ્રકારે છેઃ
(૧) કારણશુદ્ધપર્યાય
(૨) કાર્યશુદ્ધપર્યાય
જેમ ‘ઉપયોગ’ ની સ્વભાવપર્યાયનું વર્ણન કરતાં ‘કારણ’ અને ‘કાર્ય’ નું અદ્ભુત વર્ણન કર્યું હતું, તેમ
હવે ‘આત્મદ્રવ્ય’ ની સ્વભાવપર્યાયનું વર્ણન કરતાં ‘કારણ’ અને ‘કાર્ય’ નું અદ્ભુત વર્ણન કરે છે.
કેવી છે કારણશુદ્ધપર્યાય? કે જે સ્વાભાવિક અનંતચતુષ્ટયની સાથે સદાય રહેલી છે; અને જે પૂજિત છે
એવી પંચમભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે.
(આ કારણશુદ્ધપર્યાયનું બાકીનું વર્ણન આવતા અંકે પ્રસિદ્ધ થશે, અને આવતા અંકે આ લેખમાળા પૂરી
થશે.)
નિશ્ચય.....મુખ્ય.....ઉપાદેય
વ્યવહાર...ગૌણ.......હેય
અતીન્દ્રિય આત્મિક સુખ તે જ
વાસ્તવિક–નિશ્ચય સુખ છે, તે જ મુખ્ય છે અને
તે જ ઉપાદેય છે.
ઇન્દ્રિય સુખ તે ખરેખર સુખ નથી પણ
સુખના ઉપચારમાત્ર છે–સુખનો તેમાં માત્ર
વ્યવહાર કરવામાં આવે છે.
તે ગૌણ છે અને તે હેય છે.
(પ્રવચનસાર ગા. પ૩)

PDF/HTML Page 16 of 17
single page version

background image
આસોઃ ૨૪૮પઃ ૧૭ઃ
મુક્તાગિરિ – સિદ્ધિધામાં પૂ. શ્રી કાનજીસ્વામીનું પ્રવચન
તા. ૪ – ૪ – પ૯
આ ભરતક્ષેત્રમાં ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ થયા. તેઓ મહાન ભાવલિંગી સંત
હતા..ને પોન્નુરહીલમાં તેઓ તપ કરતા હતા, તે પોન્નુરની જાત્રા હમણાં થોડા દિવસ પહેલાં કરી
આવ્યા. તે પોન્નુર ઉપર નાની નાની ગૂફાઓ છે, તેમજ ચંપાના ઝાડ નીચે આચાર્ય ભગવાનના
ચરણપાદુકા છે. તેઓ રત્નત્રયને પામેલા હતા, અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જઈને
સીમંધરભગવાનનો ઉપદેશ સાક્ષાત્ સાંભળ્‌યો હતો; અને પછી ભરતક્ષેત્રે આવીને સમયસારાદિમાં
પરમ અધ્યાત્મશાસ્ત્રોની રચના કરી. તે સમયસારાદિમાં હજારો શાસ્ત્રોનાં બીજ ભર્યાં છે. તેમની પછી
તે સમયસારાદિ ઉપરથી બીજા અનેક શાસ્ત્રો મુનિવરોએ રચ્યાં છે. તેમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય,
તે બતાવ્યું છે.
આપણે અત્યારે તત્ત્વજ્ઞાનતરંગિણિ વંચાય છે; તે ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાનભૂષણ સ્વામીએ રચ્યું છે. તેમાં
કહે છે કે–
रत्नत्रयोपलंभेन विना शुद्धचिदात्मनः।
प्रादुर्भावो न कस्यापि श्रयते हि जिनागमे।।
(અધ્યાય ૧૨, શ્લોક ૧)
શુદ્ધચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ એટલે કે સિદ્ધપદની પ્રાપ્તિ રત્નત્રય વગર કોઈ પણ જીવને થતી નથી. શુદ્ધ
રત્નત્રય તે મોક્ષનું અસાધારણ કારણ છે એટલે કે તે એક જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
જિનાગમમાં રત્નત્રયને જ શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય કહ્યો છે.
રત્નત્રય એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર, તે મોક્ષમાર્ગ છે; તેના વિના કદી મોક્ષ એટલે કે શુદ્ધાત્માની
પ્રાપ્તિ થતી નથી. જીવે અનાદિ કાળથી શુભાશુભ રાગનો પ્રયત્નો કર્યો છે, પરંતુ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિનો પ્રયત્ન
ખરેખર કદી કર્યો જ નથી.
જુઓ, આ મુક્તાગિરિ સાડાત્રણ કરોડ મુનિઓની મુક્તિનું ધામ છે, આ મુક્તાગિરિમાં મુક્તિનો
ઉપાય બતાવાય છે. જે ૩ાા કરોડ મુનિવરો અહીંથી મુક્તિ પામ્યા તેઓ કઈ રીતે પામ્યા? કે પોતે
પોતાના આત્મામાં શુદ્ધરત્નત્રયની આરાધના કરીને જ તેઓ મુક્તિ પામ્યા છે; રાગવડે કે પરનું કાંઈ
કરવાની બુદ્ધિવડે તેઓ મોક્ષ પામ્યા નથી; પરનું કરવાની બુદ્ધિ તેમજ રાગ તેનો ત્યાગ કરીને તેઓ
મુક્તિ પામ્યા છે.
આ જગતમાં જીવ, પુદ્ગલ વગેરે છ તરેહના દ્રવ્યો છે તે બધાય સ્વતંત્ર છે, એક બીજાથી
નિરપેક્ષપણે સૌ પોતપોતાની પરિણતિ કરે છે. સુદ્રષ્ટિતરંગિણિમાં છ મુનિનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ
વનપર્વતની ગૂફામાં છ મુનિઓ રહેતા હોય, તે છએ મુનિઓ પોતપોતાની રત્નત્રયઆરાધનામાં વર્તતા
થકા એકબીજાથી નિરપેક્ષ

PDF/HTML Page 17 of 17
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૯૨
છે. કોઈ મુનિ આહાર માટે જાય, ને કોઈ મુનિ આત્મધ્યાનમાં એકાગ્રપણે બેઠા હોય–આમ એક બીજાથી
નિરપેક્ષપણે વીતરાગભાવથી રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને સાધે છે. તેમ જગતની ગૂફામાં આ જીવાદિ છ
પ્રકારનાં દ્રવ્યો છે; તેઓ સ્વતંત્ર, એક બીજાથી નિરપેક્ષપણે પોતપોતાની પરિણતિમાં પરિણમી રહ્યા છે,
કોઈને કોઈની પરાધીનતા નથી. આમ તત્ત્વોની સ્વતંત્રતા જાણીને પરથી નિરપેક્ષપણે પોતાના
ચિદાનંદસ્વરૂપને ધ્યાવવું તે મોક્ષનો ઉપાય છે. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કહો, સ્વાનુભૂતિ કહો કે મોક્ષમાર્ગ કહો,
તે બધું એક જ છે.
સમયસારના માંગળિકમાં જ આચાર્યદેવ કહે છે કે
नमः समयसाराय स्वानुभूत्या चकासते
જુઓ, સ્વાનુભૂતિ તે જ આત્માની પ્રસિદ્ધિનો ઉપાય છે–એમ કહ્યુંઃ રાગ તે આત્માની પ્રસિદ્ધિનો ઉપાય
નથી. રાગવડે તો કર્મબંધન થાય છે. જ્ઞાનને અંતરમાં વાળીને રાગથી પાર ચિદાનંદસ્વરૂપનો સ્વાનુભવ કરવો તે
જ મુક્તિનો ઉપાય છે.
અહીં મુક્તાગિરિ સિદ્ધક્ષેત્ર ઉપર કરોડો મુનિવરો હારબંધ (સમશ્રેણીએ–સિદ્ધપણે) બિરાજે છે.
જેમ સમ્મેદશીખરજી સિદ્ધિધામની ઉપર અનંતા તીર્થંકરો અને મુનિવરો સિદ્ધપણે બિરાજી રહ્યા છે, તેમ
અહીંથી મુક્તિ પામેલા કરોડો મુનિવરો પણ બરાબર આ મુક્તાગિરિ ધામની ઉપર સિદ્ધક્ષેત્રમાં અત્યારે
સિદ્ધપણે બિરાજી રહ્યા છે; તીર્થયાત્રામાં એવા મુનિઓનું અને સિદ્ધભગવંતોનું સ્મરણ કરીએ છીએ.
આત્માની પૂર્ણાનંદસિદ્ધદશા સાદિઅનંત જ્યાંથી પ્રગટી તે સિદ્ધિધામ છે, અને તેના સ્મરણ માટે
સિદ્ધિધામની યાત્રા કરે છે. અહો! અહીંથી મુનિવરોએ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન લીધું, અને અહીંથી
મુનિઓ–તીર્થકરો ઊર્ધ્વગમન કરીને સિદ્ધાલયમાં જઈને બિરાજ્યા.....આમ ધર્માત્મા જીવો આત્માની
પૂર્ણદશાનું સ્મરણ કરીને તેની ભાવના ભાવે છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો આદર કરી કરીને જ મુનિવરો મોક્ષ પામ્યા છે. ધર્માત્માનું કાર્ય શું? કે શુદ્ધ ચૈતન્ય
છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રાગની નાસ્તિ જ છે; એટલે જ્યાં શુદ્ધચૈતન્યસ્વરૂપનો આદર કર્યો ત્યાં રાગનો
આદર છૂટી જ જાય છે. શુદ્ધચૈતન્યની અસ્તિમાં ‘રાગને છોડું’ એવો નાસ્તિપક્ષનો વિકલ્પ પણ નથી.
શુદ્ધચૈતન્યના આદરમાં રાગ છૂટી જાય છે, પરંતુ ‘રાગ છોડું’ એવા વિકલ્પથી રાગ છૂટતો નથી.
અહીંથી જે કોઈ મુનિ મોક્ષ પામ્યા, કે આખા મનુષ્યક્ષેત્રમાંથી જે કોઈ મુનિ મોક્ષ પામ્યા, પામે છે કે
પામશે, તે બધાય મુનિઓ શુદ્ધચૈતન્યની આરાધનાથી રત્નત્રય પ્રગટ કરી કરીને જ મુક્તિ પામ્યા છે,
આહા! મુનિદશા શું ચીજ છે!! વારંવાર નિર્વિકલ્પ થઈને સ્વાનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે
છે. સ્વાનુભૂતિ કરતાં કરતાં ચૈતન્યગોળાને રાગથી તદ્ન જુદો પાડીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે. એવા ૩ાા
કરોડ મુનિવરો આ મુક્તાગિરિ ક્ષેત્રથી મુક્તિ પામ્યા....ને અત્યારે ઉપર સિદ્ધપણે તેઓ બિરાજી રહ્યા છે.
તે સિદ્ધ ભગવંતોને અમારા નમસ્કાર હો.
મુક્તાગિરિની યાત્રા કરાવીને.....મુક્તિનો માર્ગ દેખાડનાર....મુક્તિપુરીના
પથિક હે કહાન ગુરુદેવ! અમને પણ મુક્તિપંથમાં દોર્યા કરો.