Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૨૦૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
આત્મધર્મના અંકનો ખાસ વધારો
શ્રી જિનવાણીદાતાર ગુરુદેવાય નમ:
પરમ આનંદના પિપાસુ
જીવને સંતો ચૈતન્યનો–
અધ્યાત્મરસ પીવડાવે છે.
આસો સુદ પૂર્ણિમા: આજે જિજ્ઞાસુઓને માટે
આનંદનો સોનેરી દિવસ છે...ગુરુદેવના મંગલમય
પ્રવચનોની શ્રુતધારા આજે શરૂ થાય છે...આ પ્રવચનો
દ્વારા ગુરુદેવ પિપાસુ જીવોને આનંદમય અધ્યાત્મરસનું
પાન કરાવીને તેઓની તૃષા મટાડે છે...અંતરમાં
જયનાદપૂર્વક શ્રોતાજનો અધ્યાત્મરસને ઝીલીને તૃપ્ત
થાય છે...ભારતના હજારો જિજ્ઞાસુઓનાં હૈયાં જેની રાહ
જોઈ રહ્યા હતા તે અધ્યાત્મરસનાં ઝરણાં ગુરુદેવે
વહેવડાવવા શરૂ કર્યા છે. “આત્મધર્મ” ના આ ખાસ
વધારાદ્વારા જિજ્ઞાસુઓને તેની પ્રસાદીનું રસપાન કરતાં
જરૂર આનંદ થશે આ મંગલ પ્રસંગે ગુરુદેવને અતિશય
ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. જય હો.....ભવછેદક
ગુરુ–વાણીનો!

PDF/HTML Page 3 of 29
single page version

background image
: ૨ : આત્મધર્મ: ૨૦૪
આ પ્રવચનસારની ૭૨મી ગાથા છે. આ પ્રવચનસારના કર્તા ભગવાન
કુંદકુંદાચાર્યદેવ છે, તેમના સંબંધમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે તેમને ભવસમુદ્રનો
કિનારો અત્યંત નજીક આવી ગયો છે, અલ્પકાળમાં તેઓ ભવને છેદીને મોક્ષ પામવાના
છે.–આવા ભવછેદક પુરુષની વાણી છે, તે વાણી પણ ભવછેદક છે. ભવનો છેદ કરવાનો
ઉપાય આ વાણી બતાવે છે.
જ્ઞાનાનંદસ્વભાવને નમસ્કાર કરીને, તથા અનેકાન્તમય વાણીને નમસ્કાર કરીને
પ્રવચનસારની શરૂઆત કરતાં આચાર્યદેવ કહે છે કે પરમાનંદરૂપી સુધારસના પિપાસુ
ભવ્યજીવોને માટે આ પ્રવચનસારની ટીકા રચાય છે. જેને ચૈતન્યના પરમઆનંદની જ
પિપાસા છે, જગતની બીજી કોઈ લપ જેનાં અંતરમાં નથી, અરે! અમારા ચૈતન્યનું
અમૃત અમારા અંતરમાં જ છે–એમ જેની જિજ્ઞાસાનો દોર આત્મા તરફ વળ્‌યો છે, એવા
ભવ્યજીવોના આનંદ માટે–હિતને માટે આ ટીકા રચવામાં આવે છે. જુઓ, આ શ્રોતાની
જવાબદારી બતાવી; શ્રોતા કેવો છે? કે ચૈતન્યના પરમાનંદરૂપી અમૃતનો જ પિપાસુ છે,
એ સિવાય સંસારની કોઈ ચીજનો, માનનો, લક્ષ્મીનો, પુણ્યનો, કે રાગાદિનો પિપાસુ જે
નથી, આવા જિજ્ઞાસુશ્રોતાને માટે આ “તત્ત્વપ્રદીપિકા” રચાય છે. તરતા પુરુષની આ
વાણી ભવછેદક છે.
કામ એક આત્માર્થનું,
બીજો નહિ મન રોગ.
જેના અંતરમાં એક આત્માર્થ સાધવા સિવાય બીજી કોઈ તમન્ના નથી, આત્માને
સાધવાની જ તમન્ના છે, એવા આત્માર્થી જીવોને માટે આચાર્યભગવાન આ શાસ્ત્ર રચે
છે. આ શાસ્ત્રદ્વારા આચાર્યદેવ પરમાનંદના પિપાસુ ભવ્યજીવને યથાર્થ તત્ત્વોનુ સ્વરૂપ
સમજાવે છે, –જ્ઞાન અને જ્ઞેય તત્ત્વોનું યથાર્થસ્વરૂપ સમજતાં ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટે છે
ને જીવ પરમ આનંદને પામે છે.
આટલા ઉપોદ્ઘાત પછી હવે મૂળ અધિકાર શરૂ થાય છે.
(જેઠ સુદ ૧૪ના રોજ પ્રવચનસાર ગા. ૭૧ સુધી વંચાયેલ, ત્યારબાદ આજે
આસો સુદ ૧પના રોજ પ્રવચનસાર ગા. ૭૨થી શરૂ થાય છે.)
જગતના છ દ્રવ્યોમાં આ આત્મા જ્ઞાનતત્ત્વ છે, વિશુધ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી
આત્મા છે તેના સ્વભાવમાં જ વાસ્તવિક સુખ છે; એ સિવાય શુભ કે અશુભ
પરિણામમાં વાસ્તવિક સુખ નથી. પરમાનંદરૂપ જે જ્ઞાનતત્ત્વ છે તેમાં શુભ કે અશુભ

PDF/HTML Page 4 of 29
single page version

background image
આસો: ૨૪૮૬ : ૩ :
પરિણામનો અભાવ છે–પછી અજ્ઞાનીના શુભ હો કે જ્ઞાનીના હો,–પણ તે શુભ
પરિણામમાં કિંચિત્ સુખ કે મોક્ષમાર્ગ નથી. ચોથા ગુણસ્થાનથી મોક્ષમાર્ગની શરૂઆત
થઈ હોવા છતાં જે શુભોપયોગ છે તે કંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ રાગ વગરની જે
શુદ્ધતા પ્રગટી તેમાં જ છે. એ સિવાય અશુભ કે શુભ (સમ્યદ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ) તે
બંનેમાં દુઃખનું સાધનપણું સમાનપણે છે, જેમ પાપને ઉત્પન્ન કરનાર અશુભ ઉપયોગ તે
દુઃખનું જ કારણ તેમ પુણ્યને ઉત્પન્ન કરનાર શુભઉપયોગ પણ તે અશુભોપયોગની
માફક જ દુઃખનું સાધન છે.–એમ ૭૨મી ગાથામાં સમજાવે છે.
કોને સમજાવે છે?–કે જે જીવ ચૈતન્યના પરમ આનંદનો પિપાસુ છે તેને સમજાવે છે–
તિર્યંચ–નારક–સુર–નરો જો દેહગત દુઃખ અનુભવે
તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨.
આચાર્યદેવ કહે છે કે, અરે જીવ! તું વિચાર તો ખરો કે, જો શુભ અને અશુભ
બંનેમાં જોડાયેલા જીવો દુઃખ જ પામે છે, તો તે બંનેમાં શો ફેર છે?–બંનેમાં સુખનો
અભાવ છે, બંને આત્માના શુદ્ધોપયોગથી વિલક્ષણ છે, બંને અશુદ્ધ છે, સ્વાભાવિક સુખ
તો શુદ્ધોપયોગમાં જ છે. જેને રાગમાં–પુણ્યમાં–શુભમાં સુખ લાગતું હોય તે જીવ ખરેખર
પરમાનંદનો પિપાસુ નથી. સમ્યગ્દર્શનમાં પ્રાપ્ત થતું જે પરમસુખ તેની તેને ખબર નથી.
શુભના ફળરૂપ જે પુણ્ય–તેમાં ઝંપલાવીને જેઓ પોતાને સુખી માને છે તેવા જીવોને
ચૈતન્યના પરમાનંદની ખબર નથી, ચૈતન્યના પરમાનંદને ભૂલીને કાયરતાથી તેઓ
ઈંદ્રિયવિષયોમાં ઝંપાપાત કરે છે, તેઓ દુઃખમાં જ પડ્યા છે. નરકનો નારકી કે સ્વર્ગનો
દેવ–એ બંને જીવો ઈન્દ્રિયવિષયોથી જ દુઃખી છે.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,
એનો વિચાર નહિ અહોહો, એક પળ તમને હવો!
અરે જીવ! લક્ષ્મી વગેરે વધતાં તેમાં આત્માને શું વધ્યું? તેમાં આત્માને શું સુખ
મળ્‌યું?–એનાથી આત્માની કાંઈ અધિકતા નથી. આત્માની અધિકતા

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૦૪
તો જ્ઞાનસ્વભાવથી જ છે. જ્ઞાનસ્વભાવવડે અધિક એવા આત્માને જાણ તો તારો
ભવનો છેદ થાય. ભાઈ, આવો મનુષ્ય અવતાર મળ્‌યો તેમાં જો તેં ભવના છેદનો ઉપાય
ન કર્યો તો તેં શું કર્યું? આ ભવ, ભવના છેદ માટે જ મળેલો છે. ચાર ગતિના ભવનો
અભાવ કરવા માટે જ આ અવતાર છે; પરમ આનંદની પ્રાપ્તિનો પિપાસુ થઈને તું
ભવછેદનો ઉપાય કર.
જ્ઞાની, અથવા તો પરમાનંદનો પિપાસુ જીવ એમ જાણે છે કે મારા વિશુદ્ધ
ચૈતન્ય સ્વભાવમાં શુભ કે અશુભ નથી, મારા અતીન્દ્રિય આનંદ સ્વભાવમાં
ઈંદ્રિયવિષયનો અભાવ છે.–આમ જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જેણે દ્રવ્યેન્દ્રિયો
ભાવેન્દ્રિયો તથા તે ઈંદ્રિયના વિષયો–એ બધાથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને
અનુભવ્યો તે જીવ જીતેન્દ્રિય છે, તે જિનેન્દ્રદેવનો ખરો ભક્ત છે, તે જીવ આત્માના
પરમ આનંદને અનુભવનાર છે.
અમૃતઝરણી.....
શાંતિદાતારી.......
ભવ તારણહારી......
ગુરુદેવની મંગલ વાણીનો
(આ મંગલ–પ્રવચન પછી પૂ. બેનશ્રીબેને
હર્ષોલ્લાસપૂર્વક ભક્તિ કરાવી હતી.)
આત્મધર્મના ગ્રાહક બનો
અને
લવાજમ તુરત મોકલાવો

PDF/HTML Page 6 of 29
single page version

background image
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૧૨ મો સંપાદક: રામજી માણેકચંદ દોશી આસો: ૨૪૮૬
____________________________________________________________________________
જ્ઞા ન દ ર્પ ણ
લગભગ ૨પ૦ વર્ષ પહેલાં જયપુર રાજ્યમાં એક અધ્યાત્મપ્રેમી કવિ
દીપચંદજી થઈ ગયા, અનુભવપ્રકાશ, પરમાત્માપુરાણ વગેરે અનેક અધ્યાત્મ
ગ્રંથોની રચનાદ્વારા તેમણે પોતાનો અધ્યાત્મરસ વહેતો મૂક્્યો છે. તેમની કથનશૈલી
કેટલી સરલ, અને છતાં કેટલી અસરકારક છે તે ‘અનુભવપ્રકાશ’ વાંચનારને
ખ્યાલમાં હશે. તેમના રચેલા પાંચ ગ્રંથોનો સંગ્રહ “અધ્યાત્મ પંચ સંગ્રહ” તરીકે
પ્રસિદ્ધ થયેલ છે, તેમાં “જ્ઞાનદર્પણ” પદ્યરૂપે છે: આ જ્ઞાનદર્પણમાં સમ્યગ્દ્રષ્ટિ સંતની
પરિણતિનું સુંદર મહિમાભર્યું વર્ણન કર્યું છે. કુલ ૧૯૬ પદ છે, તેમાંથી કોઈ કોઈ
પદો અર્થ સહિત અહીં આપીએ છીએ–જેથી જિજ્ઞાસુ પાઠકો તેના અધ્યાત્મરસનું
આસ્વાદન કરી શકે.
નિજભાવનામેં આનંદ લીજિએ
(કવિત)
પરમ પદારથ કો દેખે પરમારથ હવૈ, સ્વારથ સ્વરૂપકો અનૂપ સાધિ લીજિએ,
અવિનાશી એક સુખરાશિ સોહે ઘટહીમેં, તાકો અનુભૌ સુભાવ સુધારસ પીજિએ;
દેવ ભગવાન જ્ઞાનકાલકો નિધાન જાકો, ઉરમેં અનાય સદાકાલ ધિર કીજિએ,
જ્ઞાન હીમેં ગમ્ય જાકો પ્રભુત્વ અનંતરૂપ, વેદી નિજભાવનામેં આનંદ લહીજિએ.ાા ૪ાા
ભાવાર્થ:– પરમ પદાર્થને દેખતાં પરમાર્થ સધાય છે, માટે તેને દેખીને પોતાના
નિજ–પ્રયોજનરૂપ અનુપમ સ્વરૂપને સાધી લ્યો અવિનાશી એકરૂપ સુખરાશી અંતરમાં જ
સોહે છે તેનો અનુભવ કરીને સ્વભાવ–સુધારસનું પાન કરો.....જ્ઞાનકળાનો નિધાન એવો
ભગવાન ચૈતન્યદેવ, તેને અંતરમાં લાવીને સદાકાળ સ્થિર કરો....જેનું અનંત પ્રભુત્વ
જ્ઞાનમાં જ ગમ્ય છે એવા તે પરમ પદાર્થને વેદીને નિજભાવનામાં આનંદ લિજિએ.
૨૦૪

PDF/HTML Page 7 of 29
single page version

background image
સ....મા....ચા....ર
પરમ પૂજ્ય ગુરુદેવ સુખ શાંતિમાં બિરાજે છે. આંખે ઘણું સારું છે, કોઈ
તકલીફ નથી. ભાદરવા વદ એકમના રોજ મુંબઈથી ડો. ચીટનીસ તથા ડો.
મનસુખભાઈ સોનગઢ આવ્યા હતા, અને પૂ. ગુરુદેવની આંખ ફરી તપાસીને
નીડલીંગ (
needling) કર્યા બાદ ગુરુદેવ ઝીણામાં ઝીણા અક્ષરો પણ સ્પષ્ટ
વાંચી શકે છે. ભાદરવા વદ ત્રીજે જ્યારે ગુરુદેવે વાંચવા–જોવાની પ્રેકટીસ કરી અને
બરાબર સ્પષ્ટ વાંચી–જોઈ શકાયું ત્યારે એ વધામણી સાંભળીને સર્વે ભક્તોના
હૃદયમાં ઘણો આનંદ થયો હતો. મોટા મોટા ગામોમાં આ સમાચાર તારથી પહોંચી
ગયા હતા, અને ઘણા સ્થળેથી ખુશાલી વ્યક્ત કરતા સંદેશા આવ્યા હતા. હવે
આસો સુદ એકમથી પૂ. ગુરુદેવે શાસ્ત્રોની સ્વાધ્યાય શરૂ કરી દીધી છે; અને આસો
સુદ ૧પ ને મંગળવારથી પૂ. ગુરુદેવના મંગળ પ્રવચનો શરૂ થયા છે. ગુરુદેવના
પ્રવચનો શરૂ થતાં ભક્તોને ઘણો આનંદ થયો છે અને ઘણાં દિવસોથી તરસતા
જિજ્ઞાસુઓના હૃદય ગુરુદેવનું અધ્યાત્મ–ઝરણું પામીને તૃપ્ત થયા છે. એ એક ઘણા
આનંદ સમાચાર છે. મંગળ પ્રવચનો હવે નિયમિત ચાલું રહેશે. પ્રવચન શરૂ
થવાના આ પ્રસંગે પૂજન–ભક્તિ વગેરે દ્વારા ઉત્સવ ઊજવાયો હતો.
આસો સુદ પાંચમના રોજ આફ્રિકાવાળા શેઠ ભગવાનજીભાઈના
મકાનના વાસ્તુ પ્રસંગે પૂ. ગુરુદેવે સમયસારની ૪૧૨ મી ગાથા ઉપર અદ્ભુત
ભાવભીનું પ્રવચન કર્યું હતું...જેનો સાર આ અંકમાં આપવામાં આવ્યો છે.
સોનગઢમાં દસલક્ષણીપર્વ આનંદપૂર્વક ઉજવાયા હતા; દસલક્ષણના દિવસોમાં પૂ.
ગુરુદેવના પ્રવચનો પણ ચાલુ રહ્યા હતા ભાદરવા સુદ પુનમના રોજ
જિનમંદિરમાં અભિષેક વગેરે વિધિ થઈ હતી, તથા તે દિવસે રથયાત્રા પણ
નીકળી હતી. સુગંધદશમી દરવર્ષની જેમ ઉલ્લાસપૂર્વક ઉજવાણી હતી.
સાવરકુંડલા શહેરમાં દિ. જૈનમંદિરનું શિલાન્યાસ મુહૂર્ત
આસો સુદ દશમ ને શુક્રવારના રોજ સાવરકુંડલા શહેરમાં દિ. જિનમંદિરનું
શિલાન્યાસ મુહૂર્ત ઘણા હર્ષ અને ઉત્સાહપૂર્વક થયું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના
ભાઈ–બહેનોને ઘણો ઉલ્લાસ હતો. શિલાન્યાસ પોરબંદરના શેઠ શ્રી નેમિદાસ
ખુશાલભાઈ હસ્તે થયું હતું. પોતાને આવા શુભકાર્યનો લાભ મળ્‌યો તે બદલ
તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો અને સાવરકુંડલાના જિનમંદિર માટે રૂા. પ૦૦૨)
અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગામના કેટલાક પ્રતિષ્ઠિત ગૃહસ્થો પણ ઉપસ્થિત
રહ્યા હતા. આવો ધન્ય અવસર પોતાના આંગણે આવ્યો તે માટે શેઠશ્રી
જગજીવનભાઈ તથા નરભેરામભાઈ વકીલ વગેરેએ ઘણો પ્રમોદ જાહેર કર્યો હતી.
દોશી બાવચંદ જાદવજીના સુપુત્રો તરફથી રૂા. ૧૧૦૦૧) તથા જયંતિલાલ
બેચરદાસ દોશી તરફથી પ૦૦૧) જિનમંદિર માટે અર્પણ કરવામાં આવ્યા હતા,
આ ઉપરાંત સાવરકુંડલાના બીજા અનેક મુમુક્ષુઓએ પણ ઉત્સાહપૂર્વક પોતાનો
ફાળો લખાવ્યો હતો. ઘણા વર્ષથી ભાવેલી જિનમંદિર માટેની ભાવના પૂરી થતી
હોવાથી સાવરકુંડલાના મુમુક્ષુમંડળને ઘણો ઉત્સાહ હતો આ પ્રસંગે ભગવાનની
રથયાત્રા નીકળી હતી, અને આખો દિવસ ભક્તિનું ઉમંગભર્યું વાતાવરણ રહ્યું
હતું. આ મંગલકાર્ય માટે સાવરકુંડલાના મુમુક્ષુમંડળને અભિનંદન!

PDF/HTML Page 8 of 29
single page version

background image
આસો: ૨૪૮૬ : ૩ :
આત્માર્થી જીવ ચૈતન્યને જરૂર સાધે છે
(આત્માર્થ સાધવા માટે આત્માર્થી જીવનો ઉલ્લાસ અને વિશ્વાસ
કેવો હોય? તે ગુરુદેવ અદ્ભુત રીતે અહીં સમજાવે છે.)
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને ચૈતન્યના સાધક
ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને ઉમળકો આવે છે: અહા! આ
ધર્માત્મા ચૈતન્યને કેવા સાધી રહ્યા છે! એમ તેને પ્રમોદ આવે છે,
અને હું પણ આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધનાનો
ઉત્સાહ જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંતગુરુઓને
પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ રીઝવે છે
ને સંત–ગુરુઓ તેના ઉપર પ્રસન્ન થઈને તેને આત્મપ્રાપ્તિ કરાવે છે.
તે મોક્ષાર્થી જીવના અંતરમાં એક જ પુરુષાર્થ માટે ઘોલન છે
કે કઈ રીતે હું મારા આત્માને સાધું?–કઈ રીતે મારા આત્માના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પ્રગટ કરું? આત્મામાં સતત આવી ધૂન
વર્તતી હોવાથી જ્યાં સંત ગુરુએ તેના શ્રદ્ધા–જ્ઞાનાદિનો ઉપાય
બતાવ્યો કે તરત જ તેના આત્મામાં તે પ્રણમી જાય છે. જેમ ધનનો
અર્થી મનુષ્ય રાજાને દેખતાં જ પ્રસન્ન થાય છે અને તેને વિશ્વાસ
આવે છે કે હવે મને ધન મળશે ને મારી દરિદ્રતા ટળશે; તેમ
આત્માનો અર્થી મુમુક્ષુ જીવ આત્મપ્રાપ્તિનો ઉપાય દર્શાવનારા
સંતોને દેખતાં જ પરમ પ્રસન્ન થાય છે...તેનો આત્મા ઉલ્લસી જાય
છે કે અહા! મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર સંત મળ્‌યા...હવે
મારા સંસારદુઃખ ટળશે ને મને મોક્ષસુખ મળશે. આવો ઉલ્લાસ
અને વિશ્વાસ લાવીને, પછી સંત–ધર્માત્મા જે રીતે ચૈતન્યને
સાધવાનું કહે છે તે રીતે સમજીને પોતે સર્વ ઉદ્યમથી ચૈતન્યને જરૂર
સાધે છે.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૦૪
પંચ પરમેષ્ઠી
પ્રત્યે બહુમાન
(શ્રી નિયમસાર ગા. ૭૧ થી ૭પ ઉપરના પ્રવચનોમાંથી: અંક ૨૦૨ થી ચાલુ)
ધર્માત્માને પોતાના ચિદાનંદસ્વરૂપના આદરપૂર્વક
ભગવાન પંચપરમેષ્ઠી પ્રત્યે બહુમાન હોય છે; કેમકે
આત્માની પૂર્ણ શુદ્ધતા તે ધર્માત્માને પરમ ઈષ્ટ છે, તેથી
એવા પરમ ઈષ્ટ પદને પામેલા કે તેને સાધનારા એવા
જીવો પ્રત્યે પણ ધર્મીને બહુમાન આવે છે....અહા! હું જે
પદ પ્રાપ્ત કરવા માગું છું–જે મારું પરમ ઈષ્ટ પદ છે તેને
આ અરિહંત અને સિદ્ધભગવંતો પામી ચૂકયા છે, ને આ
આચાર્ય–ઉપાધ્યાય તથા મુનિભગવંતો તે પદને સાધી
રહ્યા છે.–એમ પંચપરમેષ્ઠી પ્રત્યે પરમ ભક્તિ ધર્માત્માને
વર્તતી હોય છે. સાધકને પોતાનો આત્મા સ્વાનુભવથી
કાંઈક પ્રત્યક્ષ છે અને કાંઈક પરોક્ષ છે. નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં તો પોતાના પરમ ઈષ્ટ
એવા ચૈતન્યસ્વભાવને જ નમે છે ને તેનો જ આદર કરે
છે; તેને વ્યવહારસંબંધી રાગ છે તેમાં ભગવાન
અરિહંતદેવ વગેરે પંચ પરમેષ્ઠીનું બહુમાન– વિનય હોય
છે. અહીં નિયમસાર ગાથા ૭૧ થી ૭પમાં તે પંચ
પરમેષ્ઠીનું સ્વરૂપ શ્રી કુંદકુંદાચાર્યદેવ વર્ણવે છે,–તેઓ
પોતે ત્રીજા પરમેષ્ઠી પદમાં વર્તી રહ્યા છે ને પંચ
પરમેષ્ઠીના બહુમાનપૂર્વક તેનું સ્વરૂપ વર્ણવે છે.
પંચપરમેષ્ઠીમાંથી પહેલા અરિહંતપરમેષ્ઠીનું અને બીજા
સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ ‘આત્મધર્મ’ અંક ૨૦૨ માં આવી
ગયું છે; બાકીના ત્રણ પરમેષ્ઠીનું–આચાર્ય, ઉપાધ્યાય ને
સાધુ–નું સ્વરૂપ અહીં આપવામાં આવ્યું છે.

PDF/HTML Page 10 of 29
single page version

background image
આસો: ૨૪૮૬ : પ :
(૩) આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે,
પંચેન્દ્રિગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩
કેવા છે આચાર્ય–પરમેષ્ઠી? સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન વગેરે પાંચ આચારોથી પરિપૂર્ણ છે; પાંચ
ઈન્દ્રિયોરૂપી જે હાથી તેના મદનું દલન કરવામાં દક્ષ છે–કુશળ છે, ધીર છે અને ગુણોથી ગંભીર છે,–
અગાધ ગુણોના દરિયા છે.–આવું આચાર્યપદ પરમ ઈષ્ટ છે; અહા, કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં વર્તતું
આવું પરમ ઈષ્ટ આચાર્યપદ તે બહુમાન યોગ્ય છે, વંદનીય છે. અંતરમાં મિથ્યાત્વાદિ પરિગ્રહરહિત અને
બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ રહિત, એવા રત્નત્રય સંપન્ન મુનિવરો શુદ્ધોપયોગના બળથી કેવળજ્ઞાનને
સાધી રહ્યા છે–વીતરાગમાર્ગમાં દરેક મુનિની આવી દશા હોય છે; તે ઉપરાંત વિશેષ યોગ્યતાથી જેઓ
અન્ય મુનિઓને દીક્ષા–શિક્ષા વગેરેના દેનાર છે, એવા જૈન–શાસનના ધૂરંધર આચાર્યો હોય છે.
તે આચાર્ય ભગવંતો જ્ઞાનાદિ પંચાચારથી પરિપૂર્ણ હોય છે. અહીં ‘જ્ઞાનાચારથી પરિપૂર્ણ’ એમ
કહ્યું તેથી કેવળજ્ઞાન ન સમજવું, પરંતુ સમ્યગ્જ્ઞાનના વિનય વગેરે આઠ આચારો છે તે સમજવા. કાળ,
વિનય, ઉપધાન, બહુમાન, અનિહ્મવ, અર્થ, વ્યંજન અને તદુભયસંપન્ન–એ આઠ જ્ઞાનાચારના પાલનમાં
કુશળ છે તેથી તેઓ જ્ઞાનાચારથી પરિપૂર્ણ છે.
એ જ રીતે સમ્યગ્દર્શનના આઠ આચાર છે; નિશંકતા, નિઃકાંક્ષપણું, નિર્વિચિકિત્સા, નિર્મૂઢતા,
ઉપગુહન–ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.
પંચમહાવ્રત, ઋણગુપ્તિ અને પાંચ સમિતિ એ ચારિત્રના આચાર છે.
અનશન, અવમૌદર્ય, વૃત્તિ, પરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત, શય્યાસન, કાયકલેશ,
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ–એ પ્રમાણે બાર પ્રકારના તપાચાર છે.
તથા, જ્ઞાન વગેરે આચારમાં સ્વશક્તિને ગૌપવ્યા વગર પ્રવર્તન તે વીર્યાચાર છે.
શ્રી આચાર્ય મહારાજ આવા પાંચ આચારનું પરિપૂર્ણ પાલન કરનારા છે. હજી જેને શ્રદ્ધા–
જ્ઞાનનું ઠેકાણું ન હોય, વૈરાગ્યનું ઠેકાણું ન હોય, મુનિદશાના મૂળગુણોનું ઠેકાણું ન હોય તેને આચાર્યપદ
હોતું નથી. છતાં તેવાને જે આચાર્ય માને તે કુગુરુને માનનાર છે. અહા! આચાર્યપદ તો તીર્થંકરનું
પાડોશી પદ છે, કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં તેઓ ઝૂલી રહ્યા છે.
વળી કેવા છે આચાર્ય પરમેષ્ઠી?
અતીન્દ્રિય ચિદાનંદ સ્વભાવના અવલંબન વડે પાંચ ઈન્દ્રિયોના મદના ચુરેચૂરા કરી નાંખ્યા છે,
પાંચે ઈંદ્રિયો તરફથી સંકોચાઈને તેમની પરિણતિ ચૈતન્ય સ્વભાવમાં ઢળી ગઈ છે. પહેલાં અજ્ઞાનથી કે
અસ્થિરતાથી ઈંદ્રિયવિષયો તરફ પરિણતિ જતી ત્યારે ઈંદ્રિયો મદાંધ હતી. પરંતુ વિષય કષાય રહિત
થઈને ચિદાનંદસ્વરૂપમાં ઠરતાં ઈંદ્રિયવિષયો તરફ વલણ જ ન રહ્યું એટલે ઈંદ્રિયો રૂપી મદોન્મત્ત
હાથીના મદના ચુરા થઈ ગયા. આ રીતે પંચેન્દ્રિયરૂપી ગજના મદને ચૂરી નાંખવામાં આચાર્યપરમેષ્ઠી
સમર્થ છે. અતીન્દ્રિય આનંદ પરિણતિ ઠરી ત્યાં ઈંદ્રિયો જીતાઈ ગઈ.
વળી, અનેક પ્રકારના ઘોર ઉપસર્ગ આવે તેના પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી, એટલે કે ઘોર
ઉપસર્ગ વખતે પણ નિજ સ્વરૂપથી ડગતા નહિ હોવાથી, આચાર્ય ભગવંતો ધીર અને ગુણગંભીર છે.
ચૈતન્યને સાધતાં સાધતાં વચ્ચે અનેક પ્રકારની ઋદ્ધિઓ સહેજે પ્રગટી હોય, ચક્રવર્તીના સૈન્યને ક્ષણમાં
હરાવી દે એવું સામર્થ્ય પ્રગટ્યું હોય, પરંતુ ચૈતન્યના પરમાનંદના અનુભવની ધૂનમાં પડેલા સંતોને તે
ઋદ્ધિ વાપરવા ઉપર લક્ષ નથી, ઘોર પ્રતિકૂળતા આવી પડે તોપણ ઋદ્ધિનો ઉપયોગ કરતા નથી–એવા
ધીર અને ગંભીર છે.
સાધારણ પ્રાણીઓને જરાક ઋદ્ધિ મળે ત્યાં તે જીરવી ન શકે અને જરાક પ્રતિકૂળતા આવી પડે
ત્યાં તો ધૈર્યથી ચ્યૂત થઈ જાય....પણ ચૈતન્યને સાધનારા સંતો તો મહા

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૦૪
ધીર અને ગંભીર હોય છે. ગમે તેવી ઋદ્ધિ પ્રગટો પરંતુ મારી ચૈતન્ય ઋદ્ધિ પામે તેની શું મહત્તા છે!
અને ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવો પરંતુ મારા ચૈતન્યમાં પ્રતિકૂળતા કરવાની કોઈની તાકાત
નથી;–એમ જાણતા ધર્માત્મા ચૈતન્યના અવલંબને ઘોર ઉપસર્ગને પણ જીતી લ્યે છે. આ રીતે તેઓ
ગુણગંભીર અને ધીર છે.
શ્રી વાદિરાજસૂરિ કહે છે કે અહા, આવા ગુણગંભીર આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે
ભવદુઃખને ભેદવા માટે પૂજીએ છીએ. જુઓ તો ખરા! આચાર્યનિદશામાં ઝુલતા સંત કહે છે કે અમે
ભક્તિક્રિયામાં કુશળ છીએ....રત્નત્રયના ધારક આચાર્ય ભગવંતો પ્રત્યે અમને ભક્તિનો પ્રમોદ ઉલ્લસી
જાય છે. રત્નત્રયધારક સંતો પ્રત્યે કે ભગવાન પ્રત્યે ઓળખાણપૂર્વક જેવી ભક્તિ ધર્માત્માને ઊછળશે
તેવી ભક્તિ અજ્ઞાનીને નહિ આવે, એટલે ખરેખર રત્નત્રયને ઓળખનારા ધર્માત્મા જીવો જ
ભક્તિક્રિયામાં કુશળ છે. જેને રત્નત્રયની કે મુનિદશા વગેરેની ખરી ઓળખાણ જ નથી તેને તેના
પ્રત્યેની ભક્તિમાં કુશળતા ક્્યાંથી હોય?–ન જ હોય; એટલે જેણે સમ્યગ્દર્શનાદિનું સાચું સ્વરૂપ જાણ્યું
નથી તે ભક્તિ ક્રિયામાં કુશળ નથી પણ ઠોઠ છે; તેની ભક્તિ એકલી રાગરૂપ છે, જ્યારે ધર્માત્માની
ભક્તિ તો વીતરાગતાના અંશ સહિત છે.
અહીં કહે છે કે ભક્તિક્રિયામાં કુશળ એવા અમે તે આચાર્યોને પૂજીએ છીએ.–શા માટે? કે
ભવદુઃખરાશિને ભેદવા માટે–શું એકલી રાગરૂપભક્તિથી ભવરાશિ ભેદાય? ના; ભવનું ભેદન તો
વીતરાગતાથી જ થાય, ને વીતરાગતા તો સ્વસન્મુખતાથી જ થાય.–માટે સ્વસન્મુખતા સહિતની ભક્તિ
જેને વર્તે છે તે જ ભક્તિક્રિયામાં કુશળ છે. એકલી પરસન્મુખતાથી જે ભવનું ભેદન કરવા માંગે છે તે
ભક્તિ ક્રિયામાં કુશળ નથી પણ ઠોઠ છે.
આચાર્ય ભગવંતો અકિંચનતાના સ્વામી છે. ચૈતન્યસ્વભાવ સિવાય બીજું કાંઈ પણ મારું નથી–
એવી નિર્મોહ પરિણતિનું નામ ‘અકિંચન’ છે, મુનિવરો એવી અકિંચન પરિણતિના સ્વામી છે એટલે કે
એવી નિર્મોહ–વીતરાગી પર્યાયરૂપે તેઓ પરિણમ્યા છે, અને કષાયોનો નાશ કરી નાંખ્યો છે.
હવે એક સરસ વાત કરે છે: આચાર્યો પરિણમતા જ્ઞાનના બળવડે મહા પંચાસ્તિકાયની સ્થિતિને
સમજાવે છે.–જુઓ, શું કહે છે? ‘પરિણમતા જ્ઞાનના બળવડે’ એટલે કે જીવાદિનું જ્ઞાન તેમના આત્મામાં
પરિણમી ગયું છે, એકલા શાસ્ત્રજ્ઞાનના બળથી દેશના નથી કરતા, પણ પંચાસ્તિકાયના જ્ઞાનરૂપે પોતે
પરિણમીને, તે પરિણમતા જ્ઞાનના બળવડે પંચાસ્તિકાયનું સ્વરૂપ સમજાવે છે. આ રીતે આચાર્યોની
દેશના પાછળ પરિણમતા જ્ઞાનનું બળ છે.–એટલે કે, દેશનાલબ્ધિમાં જ્ઞાનરૂપે પરિણમતો આત્મા જ
નિમિત્ત હોય, અજ્ઞાની નિમિત્ત ન હોય,–એ વાત પણ આમાં આવી જાય છે.
જુઓ, આ આચાર્યદશા!! આચાર્ય સિવાયના બીજા મુનિઓને પણ આ વાત લાગુ પડે છે.
જ્યાં ‘પરિણમતા જ્ઞાનનું બળ’ ન હોય ને રાગનું જ બળ હોય (–રાગની જ અધિકતા ભાસતી હોય)
–ત્યાં મુનિદશા કે આચાર્યપદ હોતું નથી. જેમ અગ્નિના કણેકણમાં ઉષ્ણતા પરિણમી થઈ છે તેમ
મુનિવરો રોમેરોમમાં જીવાદિતત્ત્વોનું જ્ઞાન પરિણમી ગયું છે, તેમની પરિણતિનું જ્ઞાનબળ એટલું છે કે
જાણે હમણાં જ કેવળજ્ઞાન લેશે? એમના હાડોહાડમાં વીતરાગી ઉપશમભાવ ફેલાઈ ગયો છે..એના
દેદાર જુઓ તો વૈરાગ્યની મૂર્તિ!! એના અંસખ્યપ્રદેશમાં શ્રધ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણોના દરિયા
ઉછળે છે.....અતીન્દ્રિય આનંદના અનુભવના ઓડકાર લ્યે છે, ચૈતન્યસ્વરૂપમાં જોડાણ કરવા માટે
જેમની બુદ્ધિ સ્થિર છે, સ્થિરબુદ્ધિથી ચૈતન્યને અવલોકવામાં જેઓ નિપૂણ છે...આવી પરિણતિવાળા
ગુણના દરિયા આચાર્ય ભગવંતોને અમે ભક્તિપૂર્વક પૂજીએ છીએ....તેમના ચરણકમળમાં અમારા
નમસ્કાર હો.
અહીં આચાર્ય પરમેષ્ઠીની સ્તુતિમાં પદ્મપ્રભ મુનિરાજ કહે છે કે: આ શ્રી ચંદકીર્તિ મુનિનું
નિરૂપમ ચૈતન્ય પરિણમન વંદ્ય છે.–કેવું છે તે ચૈતન્ય પરિણમન? સકળ ઈંદ્રિયોના અવલંબન વિનાનું
છે, અનાકુળ છે, સ્વહિતમાં લીન છે, શુદ્ધ છે, મોક્ષના કારણરૂપ શુક્લધ્યાનનું તે કારણ છે, શાંતિનું ધામ
છે, સંયમનું સ્થાન છે. જ્યાં આવું ચૈતન્ય

PDF/HTML Page 12 of 29
single page version

background image
આસોઃ૨૪૮૬ : ૭ :
ન્યપરિણમન હોય ત્યાં જ આચાર્યપદ હોઈ શકે. આવા ચૈતન્યપરિણમનવાળા આચાર્ય પરમેષ્ઠીને
નમસ્કાર હો. અહીં એક ચંદ્રકીર્તિ આચાર્યનું નામ લીધુ તેમાં આવી ચૈતન્યદશાવાળા બધા આચાર્યોને
નમસ્કાર આવી જાય છે–એમ સમજી લેવું; જેમ એક સિદ્ધને નમસ્કાર કરતાં સર્વે સિદ્ધોને નમસ્કાર
આવી જાય છે, એક સર્વજ્ઞને નમસ્કાર કરતાં સર્વે સર્વજ્ઞને નમસ્કાર આવી જાય છે, તેમ આચાર્યને
નમસ્કાર કરતાં સર્વે આચાર્યોને નમસ્કાર આવી જાય છે,–કેમકે ગુણદ્રષ્ટિએ તેમનામાં એકતા છે, એટલે
કે ભેદ નથી. એક આચાર્યમાં બધા આવી જાય છે,–એટલે સાચા ને ખોટા બધા ભેગા આવી જાય છે–
એમ ન સમજવું, પરંતુ એક આચાર્ય જેવા જ ગુણના ધારક બીજા આચાર્યો સમજવા. આ ૭૩મી
ગાથામાં વર્ણવ્યા એવા ગુણો જેમનામાં હોય તેમને જ જૈનશાસનમાં આચાર્ય પરમેષ્ઠી તરીકે
સ્વીકારવામાં આવે છે, અને “नमो आइरियाणं” માં તેવા જ આચાર્યોનો સમાવેશ થાય છે. જેઓ
એનાથી વિરુદ્ધ હોય, ઊંધી શ્રદ્ધાવાળા હોય, વસ્ત્રાદિ પરિગ્રહવાળા હોય એવા જીવોને, ભલે હજારો
માણસો ભેગા થઈને આચાર્યપદવી આપે તો પણ, જૈનશાસનમાં તેમને આચાર્ય પરમેષ્ઠી તરીકે
સ્વીકારવામાં આવતા નથી, ને નમોક્કારમંત્રના ત્રીજા પદમાં કે કોઈપણ પદમાં તેમનો સમાવેશ થતો
નથી. આ વાત ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠીમાં પણ સમજી લેવી.
કોઈ એમ કહે છે કે “नमो लोएसव्व साहूणं” માં લોકમાં રહેલા બધાય સાધુઓને નમસ્કાર
કર્યા છે એટલે જૈનના તેમજ બીજા બધાય સાધુનો તેમાં સમાવેશ કરવો જોઈએ;–પણ એ વાત તદ્ન
જુઠી છે. અરેરે, જૈન નામ ધરાવનાર લોકોને હજી નમસ્કાર મંત્રના ખરા અર્થની પણ ખબર નથી,
પંચપરમેષ્ઠીની શી દશા છે–તેની પણ ઓળખાણ નથી. જેને હજી રત્નત્રયધર્મની ગંઘ પણ નથી મોક્ષનું
સાધકપણું રંચમાત્ર પણ પ્રગટયું નથી–એને તે સાધુ દશા કેવી? અને એને પંચપરમેષ્ઠીમાં નમસ્કાર
કેવા? હજી તો સમ્યગ્દર્શન પણ કોઈ અલૌકિક અચિંત્ય વસ્તુ છે, તે પણ જૈન સિવાય બીજા મતમાં
હોઈ ન શકે–તો પછી સમ્યગ્દર્શન કરતાંય ઘણી ઊંચી એવી સાધુદશા પરમ ઈષ્ટ પદ–તે તો બીજે હોય જ
ક્્યાંથી? અને આચાર્ય તે તો સાધુઓના પણ શિરોમણિ છે.
“આ રીતે આચાર્યપરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવ્યું; તે આચાર્ય ભગવંતોને અમારા નમસ્કાર હો.”
(૪) ઉપાધ્યાય–પરમેષ્ઠીનું સ્વરૂપ
અરિહંત, સિદ્ધ અને આચાર્ય એ ત્રણ પરમેષ્ઠીનું સ્વરૂપ કહીને તેમનું બહુમાન કર્યું, હવે ચોથા
ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે. જેમના પ્રત્યે નમસ્કાર કે બહુમાન કરવું હોય તેનું સ્વરૂપ ઓળખવું
જોઈએ કેમકે સ્વરૂપને જાણ્યા વગર તો ખબર નથી પડતી કે હું કોનું બહુમાન કરું છું?–માટે, સ્વરૂપને
ઓળખે તો જ ખરું બહુમાન આવે. કેવા છે ઉપાધ્યાય–પરમેષ્ઠી? –
રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે,
જિનવરકથિત અર્થોપદેશેશુર શ્રી ઉવઝાય છે. ૭૪
ઉપાધ્યાય–પરમેષ્ઠી રત્નત્રયથી સંયુક્ત છે, જિનવરદેવે કહેલા પદાર્થોના શૂરવીર ઉપદેશક છે
અને નિષ્કાંક્ષભાવથી સહિત છે. ટીકાકાર મુનિરાજ કહે છે કે, આવા ઉપાધ્યાય ભગવંતોને હું ફરીફરીને
વંદું છું. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણેય પરમગુરુ છે.
આચાર્યને પંચાચારથી પરિપૂર્ણ કહ્યા તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી જ ગયા.
ઉપાધ્યાયને રત્નત્રય–સંયુક્ત કહ્યા તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવ્યા. અને
સાધુને ચતુર્વિધ આરાધનામાં રત કહેશે, તેમાં પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી ગયા.
આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ગુરુનું મૂળસ્વરૂપ છે, અને સર્વજ્ઞતા તે દેવનું (–અરિહંત
અને સિદ્ધનું) મૂળસ્વરૂપ છે. સર્વજ્ઞતા વગર અરિહંત કે સિદ્ધપદ નહિ, અને રત્નત્રય વગર આચાર્ય,
ઉપાધ્યાય કે સાધુપદ નહિ. આમ દેવ–ગુરુના વાસ્તવિક સ્વરૂપને ઓળખે તો પોતામાં પણ ભેદજ્ઞાન
થાય ને દેવ–ગુરુનું અલૌકિક બહુમાન આવે. જો કે દેવ–ગુરુના બહુમાનનો વિકલ્પ તે પણ રાગ છે,

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૦૪
પરંતુ ઓળખાણ–પૂર્વકનું જેવું પરમ બહુમાન જ્ઞાનીને આવશે તેવું અજ્ઞાનીને નહીં આવે. એટલે
પંચપરમેષ્ઠીની ભક્તિમાં ખરેખર કુશળતા જ્ઞાનીને જ હોય છે.
આ ઉપાધ્યાય–પરમગુરુનું વર્ણન છે. અહા, ઉપાધ્યાય પદ પણ અલૌકિક છે. સાધારણ સંસ્કૃત–
પ્રાકૃત વાંચીને કે શાસ્ત્રો વાંચીને ઉપાધ્યાયપણું માની બેસે તે કાંઈ ખરું ઉપાધ્યાય–પદ નથી, તે તો
ઉપાધિ છે. રત્નત્રયને સાધનારા મુનિઓ પણ જેમની પાસે શાસ્ત્ર ભણે–એવું ઉપાધ્યાય પદ છે. તે
ઉપાધ્યાય સૌથી પહેલાં તો પરમ ચિદ્રૂપનાં શ્રદ્ધાન–જ્ઞાન એ આચરણ રૂપ નિશ્ચય–રત્નત્રયવાળા હોય
છે. તે ઉપરાંત ભગવાન જિનેન્દ્રદેવે જેવા જીવાદિ પદાર્થો કહ્યા છે તેના ઉપદેશમાં તેઓ શૂરવીર છે,
યથાર્થ તત્ત્વથી વિપરીત વાતને યુક્તિના બળથી, આગમના બળથી ને અનુભવના બળથી તેઓ તોડી
નાંખે છે. ભવભ્રમણનો જેમને ભય છે ને જિનેન્દ્ર માર્ગના જેઓ ઉપાસક છે એવા ઉપાધ્યાયનો ઉપદેશ
ભગવાનની વાણી અનુસાર જ હોય છે–જાણે કે જિનેન્દ્ર ભગવાન જ તેમના હૃદયમાં બેસીને બોલતા
હોય! જિનેન્દ્ર ભગવાને કહેલા તત્ત્વોનું સ્વરૂપ શું છે તેની જેને ઓળખાણ ન હોય તે તેના ઉપદેશમાં
શૂરવીર ક્્યાંથી હોય? ન જ હોય. એટલે કે અજ્ઞાનીનો ઉપદેશ યથાર્થ ન હોય, જ્ઞાની જ ભગવાને
કહેલા તત્ત્વના ઉપદેશમાં કુશળ હોય, અને તેમાં પણ ઉપાધ્યાય તો બધા પડખેથી ઉપદેશમાં શૂરવીર છે
જો કે ઉપદેશની વાણી તો જડ છે, તે જડ છે, તે કાંઈ આત્માનું કાર્ય નથી પરંતુ ઉપાધ્યાયને તે પ્રકારના
જ્ઞાનનો વિશેષ ક્ષયોપશમભાવ હોય છે–તેમ અહીં બતાવવું છે.
વળી તે–ઉપાધ્યાય નિષ્કાંક્ષભાવના સહિત હોય છે.–કઈ રીતે? કે સમસ્ત પરિગ્રહના પરિત્યાગ–
સ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મ તત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતના
પાનમાં સન્મુખ હોવાથી તે ઉપાધ્યાય પરમેષ્ઠી સમસ્ત કાંક્ષાથી રહિત છે. ચૈતન્યસુખ પાસે જગતના
કયા સુખની વાંછા હોય? પરમાત્મતત્ત્વની ભાવનાથી જેઓ વીતરાગી સુખને અનુભવી રહ્યા છે એવા
સંતોને સંસારના સુખોની (વિષયોની) વાંછા કેમ હોય?–ન જ હોય.–એ રીતે તેઓ નિષ્કાંક્ષ છે,
જગતથી નિસ્પૃહ છે.
જેનો આત્મા રત્નત્રયમય છે, આત્મા પોતે જ રત્નત્રયરૂપ પરિણમી ગયો છે, અને રત્નત્રયમય
હોવાથી જેઓ શુદ્ધ છે, મિથ્યાત્વાદિ ભાવો અશુદ્ધ છે તેનો તેમને અભાવ છે, વળી જેઓ ભવ્ય કમળના
સૂર્ય છે–જેમનો વીતરાગી ઉપદેશ ઝીલતાં ભવ્ય જીવોરૂપી કમળ વિકસી જાય છે, અને જેઓ
વીતરાગમાર્ગના ઉપદેશક છે, એવા જૈન–ઉપાધ્યાય પરમેષ્ઠીને ફરી ફરીને વંદન હો.
આ રીતે ઉપાધ્યાયનું સ્વરૂપ કહ્યું; હવે પાંચમા પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે.
(પ) સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ
નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરકત શ્રી
સાધુ છે. ૭પ. જૈનમાર્ગમાં સાધુઓ કેવા હોય છે?–કે વ્યાપારથી વિમુક્ત હોય છે,–મંદિર વગેરેની
વ્યવસ્થા કરવી, પુસ્તકો છપાવવાની કે વેચવાની વ્યવસ્થા કરવી–એવા પ્રકારની પ્રવૃત્તિઓનો વ્યાપાર
મુનિઓનો હોતો નથી; તેમને તો એક ચૈતન્યનો વ્યાપાર છે–ચૈતન્યમાં જ ઉપયોગને વારંવાર જોડે છે,
બીજા વ્યાપારથી તેઓ રહિત છે; અને ચતુર્વિધ આરાધનામાં તેઓ સદા રક્ત છે,–સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર અને તપમાં તેઓ પોતાનો પુરુષાર્થ જોડયા જ કરે છે; વળી તેઓ નિર્ગ્રંથ છે–મિથ્યાત્વાદિ
પરિગ્રહની ગાંઠ જેમને નથી, તેમજ વસ્ત્રાદિ પરિગ્રહ પણ જેમને નથી; તથા તેઓ નિર્મોંહ છે.–આવા
સાધુઓ હોય છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે આ નિયમસારની ૭૧ થી ૭પ પાંચ ગાથાઓમાં પચંપરમેષ્ઠીનું
સ્વરૂપ બતાવ્યું છે, તેમાં–
(૭૧) अरिहंता एरिसा होंति (અરિહંતો આવા હોય છે.)
(૭૨) सिध्धा एरिसा होंति (સિદ્ધો આવા હોય છે)
(૭૩) आयरिया एरिसा होंति (આચાર્યો આવા હોય છે)

PDF/HTML Page 14 of 29
single page version

background image
આસો : ૨૪૮૬ : ૯ :
(૭૪) उवज्झाया एरिसा होंति (ઉપાધ્યાયો આવા હોય છે)
(૭પ) साहू एरिसा होंति (સાધુઓ આવા હોય છે)
–એ રીતે દરેક પદમાં “एरिसा होंति” એમ કહીને, જાણે કે પાંચે પરમેષ્ઠી ભગવંતો સાક્ષાત્
સન્મુખ જ–નજર સામે પ્રત્યક્ષ વર્તતા હોય–એવું વર્ણન કર્યું છે.
“જુઓ, આ રહ્યા અર્હંતો, આ રહ્યા સિદ્ધો, આ રહ્યા આચાર્યો, આ રહ્યા ઉપાધ્યાયો, ને આ
રહ્યા સાધુઓ!” આ રીતે પંચ પરમેષ્ઠી ભગવંતો एरिसा होंति–એમ જાણે આચાર્યદેવ સાક્ષાત્ દેખાડી
રહ્યા છે. પોતે વિદેહક્ષેત્રે જઈને બધું સાક્ષાત્ જોઈ આવ્યા છે એટલે જાણે બધું નજરે તરવરતું હોય–એવું
અદ્ભુત કથન આચાર્યભગવાને કર્યું છે.
नमो लोए सव्वसाहूणं” એટલે કે લોકના સર્વ સાધુઓને નમસ્કાર હો.–આ નમસ્કારમાં કેવા
સાધુ આવે? જગતના બધાય સાધુઓ આવે, એ વાત ખરી, પરંતુ તે સાધુ હોવા જોઈએ ને! કુસાધુ તો
તેમાં ન જ આવે.–જો કુસાધુને સાધુ માનીને નમસ્કાર કરે તો તો મિથ્યાત્વ છે. ‘નમો લોએ સવ્વ
સાહૂણં’ માં આવનારા સાધુ કેવા હોય તે અહીં સમજાવ્યું છે. નિર્ગ્રંથ હોય, નિર્મોહ હોય, સંસારસંબંધી
સમસ્ત વ્યાપારથી રહિત હોય અને ચાર આરાધનામાં સદાય તત્પર હોય–તે સાધુ છે, તે મોક્ષના સાધક
છે. વસ્ત્રાદિ સહિત પોતાને સાધુપણું માને તે તો સંસારના સાધક છે, તે મોક્ષના સાધક નથી એટલે
સાધુ નથી. ભલે દ્રવ્યલિંગ (દિગંબરદશા, પંચમહાવ્રતાદિ શુભરાગ) ધારણ કરેલ હોય, પરંતુ જો
રાગમાં ધર્મ માનીને અટક્યો ને રાગથી પર એવા ચૈતન્યને ન સાધ્યો તો તે પણ સંસારતત્ત્વ જ છે–
એમ પ્રવચનસારમાં આચાર્યદેવે કહ્યું છે. ‘સાધુ’ તો તેને કહેવાય જે મોક્ષને સાધે. સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર એ ત્રણને ‘સાધુ’ કહેવાય છે કેમ કે તે મોક્ષના સાધક છે. અને જેઓ
એવા સાધુ–ભાવને (સમ્યગ્દર્શનાદિને) ધારણ કરે છે તેઓ ‘સાધુ’ છે, તેઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રવડે મોક્ષને સાધી રહ્યા છે. સમ્યગ્દર્શન પણ મોક્ષનું સાધક હોવાથી સમકિતીને પણ તે
સાધકઅંશની અપેક્ષાએ તેટલું સાધુપણું કહેવાય, પરંતુ પંચપરમેષ્ઠીપદના સાધુપણામાં તે ન આવે.
પરમેષ્ઠીપદ તો જ્યાં સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત ચારિત્રદશા પ્રગટી હોય ત્યાં જ હોય છે, ને ત્યાંજ
રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગ છે. એકલા આત્મજ્ઞાનથી કે સમ્યગ્દર્શનથી મુનિપણું નથી, પરંતુ આત્મજ્ઞાન
અને સમ્યગ્દર્શન ઉપરાંત સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્રદશા હોય ત્યારે જ મુનિપણું હોય છે. એટલું ખરૂં
કે આત્મજ્ઞાન હોય તો જ મુનિપણું હોઈ શકે. આત્મજ્ઞાન વગર તો મુનિપણું હોય જ નહિ–એ નિયમ
છે. આત્મજ્ઞાન હોય છતાં મુનિપણું ન હોય, અગર હોય પણ ખરું,–એટલે તેમાં કોઈ નિયમ નથી.
नमो लोए सव्व साहुणं’ માં આ બધું આવી જાય છે પણ મોટા ભાગના લોકો તો વસ્તુસ્વરૂપ
સમજ્યા વગર માત્ર પાઠ ગોખી જાય છે. એક સાધુના સ્વરૂપને ઓળખે તોપણ ભેદજ્ઞાન થઈ જાય તેવું
છે, પંચ પરમેષ્ઠીમાંથી કોઈના સ્વરૂપને ઓળખે–અરે! સમ્યગ્દ્રષ્ટિના સ્વરૂપને ઓળખે તોય જીવને
અંતરમાં પોતાના વાસ્તવિક સ્વભાવનું લક્ષ થઈ જાય.....ને પોતે પણ તેમની જાતમાં ભળી જાય.
‘સજાત’ થયા વિના, એટલે કે તેમની જ જાતનો અંશ પોતામાં પ્રગટ કર્યા વિના, અરિહંત વગેરેના
સ્વરૂપનો ખરો નિર્ણય થઈ શકતો નથી. આહા! આમાં પણ નિશ્ચય વ્યવહારની અદ્ભુત સંધિ છે.
જૈનશાસનનું રહસ્ય અંતર્મુખ–સ્વસન્મુખ થવાથી જ સમજાય છે.....મોક્ષમાર્ગની પણ એ જ રીતે છે.
જેઓ અંર્તસ્વભાવની સન્મુખ થઈને ચૈતન્યની સાધનામાં રત છે તેઓ જ સાધુ છે. જેઓ ચૈતન્યમાં
રત ન હોય ને રાગમાં કે પરદ્રવ્યના પરિગ્રહમાં રત હોય તેને સાધુપણું ક્્યાંથી હોય? પરદ્રવ્યમાં ને
પરભાવમાં લીન રહેનાર જીવ સ્વપદને ક્્યાંથી સાધે? જૈનશાસનમાં બધાય સાધુઓ સ્વપદને
સાધવામાં તત્પર હોય છે; તેમાં કોઈ સાધુ સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પ આનંદમાં બિરાજતા હોય, ને
કોઈ સાધુ છઠ્ઠા ગુણસ્થાને સર્વિકલ્પદશામાં વર્તતા

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૦૪
હોય, એટલે કોઈ સાધુ શુદ્ધોપયોગમાં વર્તતા હોય ને કોઈ સાધુ શુભોપયોગમાં પણ વર્તતા હોય, એવા
પ્રકારના ભેદ હોય, પરંતુ કોઈ સાધુ વસ્ત્રરહિત દિગંબર હોય અને કોઈ સાધુ વસ્ત્રસહિત પણ હોય–
એવા પ્રકારના ભેદ તો જૈનશાસનના સાધુઓમાં નથી. અંતરમાં તેમજ બાહ્ય નિર્ગંથદશા વગર કોઈ
જીવ જૈનશાસનના ‘નમો લોએ સવ્વ સાહૂણં’ પદમાં આવી શકે નહીં. સાધુપણું એ તો જૈનશાસનનું
પરમ–ઈષ્ટ પરમેષ્ઠી પદ છે.
જૈનશાસનના સાધુ કેવા હોય? એ વાત સ્વયં સાધુદશામાં વર્તી રહેલા કુંદકુંદાચાર્ય અને
પદ્મપ્રભમુનિરાજ સમજાવી રહ્યા છે. જૈનશાસનના સાધુઓ તો પરમ સંયમી મહાપુરુષો હોવાથી
ત્રિકાળ નિરંજન નિરાવરણ પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોય છે અને સમસ્ત
બાહ્યવ્યાપારથી વિમુક્ત હોય છે. જુઓ, આ મહાપુરુષનું કાર્ય! સૌથી શ્રેષ્ઠ–મહાન એવો જે પોતાનો
પરમ પંચમસ્વભાવ તેની ભાવના એ જ મહાપુરુષોનું કર્તવ્ય છે. એ સિવાય રાગની કે બાહ્યવિષયોની
ભાવના એ તો તૂચ્છજીવોનું એટલે કે મિથ્યાદ્રષ્ટિઓનું કાર્ય છે. મહાપુરુષ એવા મુનિવરો તો અંતરમાં
ચિદાનંદસ્વભાવની ભાવનામાં પરિણમી ગયા છે. વળી તે સાધુઓ જ્ઞાન–દર્શન–ચારિત્ર અને ચતુર્વિધ
આરાધનામાં સદા અનુરક્ત છે; બાહ્ય–અભ્યંતર સમસ્ત પરિગ્રહ રહિત હોવાથી નિર્ગ્રંથ છે; અને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી વિરુદ્ધ એવા મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મોહ તેનો અભાવ હોવાથી
મુનિઓ નિર્મોહ છે. આવા નિર્ગ્રંથ–નિર્મોહ મુનિવરો મોક્ષની સાધનામાં જ તત્પર છે, જગતના સ્ત્રી
આદિ પદાર્થોને અવલોકવાનું કુતૂહલ તેમને રહ્યું નથી, તેઓ તો વીતરાગ થઈને અતીન્દ્રિય આનંદરૂપ
એવી જે મુક્તિસુંદરી તેની અનુપમતા અવલોકવામાં જ કુતૂહલબુદ્ધિવાળા છે, એટલે કે મોક્ષ સિવાય
બીજું કાંઈ તેમને પ્રિય નથી, મોક્ષને સાધવા સિવાય બીજે ક્્યાંય તેમની બુધ્ધિ ભમતી નથી. આવા
સાધુઓ અલ્પકાળમાં જ મોક્ષસુખને સાધે છે. તેમનું બહુમાન ટીકાકાર મુનિરાજ કહે છે, ભવવાળા
જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વસંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને
વંદ્ય છે. હે સાધુ! તે મનને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરો...સમગ્રપણે અંતરમાં મગ્ન કરીને શીઘ્ર
કેવળજ્ઞાન પામો. ખરેખર તો પોતે સાધુપદમાં વર્તે છે ને પોતાના આત્માને સંબોધીને કહે છે કે અરે
આત્મા તેં મુનિદશા તો પ્રગટ કરી....હવે તારા ઉપયોગને શીઘ્ર આત્મસ્વભાવમાં મગ્ન કરીને તું
કેવળજ્ઞાન પ્રગટ કર. તું કેવળજ્ઞાનનો સાધક થયો....હવે ચૈતન્યમાં લીન થઈને જલદી કેવળજ્ઞાનને
સાધ.
હે સિધ્ધપદના સાધક સાધુ–પરમેષ્ઠી! તારા ચૈતન્યપરિણમનને મારા નમસ્કાર હો.......
આ રીતે બહુમાનપૂર્વક ભગવાન પંચ–પરમેષ્ઠીનું વર્ણન પૂરું થયું.....તે પરમેષ્ઠી ભગવંતો
અમારું કલ્યાણ કરો....તેમને નમસ્કાર હો.
नमो अरिहंताणं।
नमो सिद्धाणं।
नमो आइरियाणं।
नमो उवज्झायाणं।
नमो लोए सव्वसाहूणं।

PDF/HTML Page 16 of 29
single page version

background image
અનંત શક્તિસંપન્ન
ચૈતન્યધામ

–તેને ઓળખી, તેનો અચિંત્ય મહિમા લાવી,
તેની સન્મુખ થાઓ. ચૈતન્યમાં બેહદ તાકાત છે,
અનંત શક્તિસંપન્ન તેનો અચિંત્ય મહિમા છે; તેની
શક્તિઓને ઓળખે તો તેનો મહિમા આવે ને જેનો
મહિમા આવે તેમાં સન્મુખતા થયા વિના રહે નહીં.–
આ રીતે સ્વસન્મુખતા થતાં અપૂર્વ સુખ–શાંતિ ને
ધર્મ થાય છે. આવી સ્વસન્મુખતા કરાવવા માટે
આચાર્ય ભગવાને ચૈતન્યશક્તિનું અદ્ભુત વર્ણન
કર્યું છે. તેના ઉપર પૂ. ગુરુદેવનાં અધ્યાત્મરસભીનાં
પ્રવચનોનું કેટલુંક દોહન ગતાંકમાં આવી ગયું છે,
ત્યાર પછી વિશેષ અહીં આપવામાં આવ્યું છે. આ
૪૭ શક્તિનાં વિસ્તૃત પ્રવચનો ‘આત્મપ્રસિદ્ધિ”
નામના પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે,
જિજ્ઞાસુઓને તે વાંચવા ભલામણ છે.
અનંતશક્તિથી પરિપૂર્ણ ચૈતન્યતત્ત્વ છે તેની સન્મુખ થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે
નિર્મળ પર્યાય પ્રગટે તે પર્યાયની અભેદતા સહિત ચૈતન્યતત્ત્વને ‘સમયસાર’ કહે છે આવી દશાથી
આત્માનું જીવન તે જ સાચું જીવત્વ છે. એવું જીવત્વ જેણે જાણ્યું તેણે સાચું જીવનસંશોધન કર્યું, તે ધર્મી
થયો, તેનું જીવન સુખી થયું.
ભાઈ, તારા સુખી જીવનનું કારણ તારી ચૈતન્યશક્તિ જ છે, બીજું કોઈ કારણ નથી. જુઓ, આ
સમ્યગ્દર્શનની પદ્ધતિ કહેવાય છે. ૪૭ શક્તિના વર્ણનદ્વારા જે ચૈતન્યપિંડ બતાવ્યો તેની સન્મુખ થતાં
સમ્યગ્દર્શનાદિ પ્રગટીને ઘાતિકર્મોની ૪૭ પ્રકૃતિનો ક્ષય કરીને જીવ કેવળજ્ઞાન પામે છે, તે સર્વજ્ઞ થાય
છે, સર્વદર્શી થાય છે, પરમ સુખી થાય છે, અનંતવીર્યસંપન્ન થાય છે, પરમ સ્વતંત્ર પ્રભુતાથી તે શોભી
ઊઠે છે, ને તે જ સાદિ–અનંત નિશ્ચયજીવન પરમ આનંદ સહિત જીવે છે. સમ્યગ્દર્શન વગરના જીવનને
જ્ઞાનીઓ ખરું જીવન કહેતા નથી, એ તો દુઃખમય જીવન છે, તેમાં ચૈતન્યની દશા હણાય છે;–એવા
જીવનને જીવન કેમ કહેવાય?
અહા! ચૈતન્યદરિયામાં કેવા કેવા રત્નો પડ્યા

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૦૪
છે, ને કેવા કેવા નિધાન ભર્યા છે તેની અજ્ઞાનીઓને ખબર નથી. જે ચૈતન્યનિધાનને લક્ષમાં લેતાં જ
અનુકૂળ સુખનો અનુભવ થાય–એવાં નિધાન પોતામાં છે, તેની પ્રતીત કરવી એ જ સમ્યગ્દર્શનની
પદ્ધતિ છે. ચૈતન્યની એક જ્ઞાનશક્તિના ગર્ભમાં સર્વજ્ઞતાની વ્યક્તિ થવાની તાકાત છે.–એ તાકાતનો
વિશ્વાસ કોણ કરે? જેને રાગની અધિકતા ભાસે તેને ચૈતન્યની તાકાતનો વિશ્વાસ નથી. રાગને તોડીને
સર્વજ્ઞતાને પામે–એવી ચૈતન્યની તાકાત છે. તે તાકાતથી ભિન્ન રહીને તેની પ્રતીત થઈ શકતી નથી પણ
તેની સન્મુખ થઈને, તેમાં તન્મય થઈને તેની સમ્યક્ પ્રતીતિ થાય છે. એ જ સમ્યગ્દર્શન છે, એ જ
સુખનો અને સત્ય જીવનનો ઉપાય છે.
ઈંદ્રિયોથી જે લાભ માને છે, જડ ઇંદ્રિયોને જ્ઞાનનુ્રં સાધન માને છે, કે ઈંદ્રિયવિષયોમાં જે સુખ
માને છે તે મૂઢ જીવ જડને આધીન પોતાનું જીવન માને છે, જડથી ભિન્ન પોતાના અતીન્દ્રિય–
ચૈતન્યજીવનને તે જાણતો નથી, એટલે તે તો જડ જીવન જીવે છે. ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને
જ્ઞાનીએ ઈંદ્રિયોનું અવલંબન તોડી નાખ્યું છે એટલે જડજીવનને ઉડાડી દીધું ને ચૈતન્યનું આનંદમય
જીવન પ્રાપ્ત કર્યું છે.
દુનિયાના જીવો સુખની ઝંખના કરે છે......કોઈ રીતે સુખ મળે?–ક્્યાંયથી સુખ મળે? એમ
બધાય જીવો ઈચ્છે છે. આચાર્યપ્રભુ કહે છે કે હે જીવો! તમારા આત્મામાં જ સુખશક્તિ ભરેલી છે, તેની
સન્મુખ થવાથી તેમાંથી જ સુખ મળશે.....એ સિવાય બીજી કોઈ રીતે જગતમાં બીજે ક્્યાંયથી સુખ
મળી શકે તેમ નથી. સુખ શું આત્મામાં નથી ને બહારથી આવવાનું છે? ના; પોતાનું સુખ બહારમાં
શોધવું પડે તો તો પરાધીનતા થઈ.....પરાધીનતામાં તો દુઃખ હોય, સુખ ન હોય. પોતાના સ્વભાવમાં
જ સુખ છે, ને તે સ્વભાવમાં સન્મુખ થતાં જ સ્વ–આધીનતાથી સુખ પ્રગટે છે, તે સુખમાં જગતના
બીજા કોઈ પદાર્થની અપેક્ષા નથી, આત્માના સ્વભાવથી જ તે સુખ સ્વયંસિધ્ધ છે. જેમ તેમાં બહારના
પદાર્થોની અપેક્ષા કે મદદ નથી તેમ તેમાં કોઈ વડે બાધા કે વિઘ્ન પણ થઈ શકતું નથી. એ રીતે તે સુખ
સ્વાધીન છે.
આત્મા વિશુદ્ધ–જ્ઞાનસ્વરૂપ છે; તે પરદ્રવ્યોમાંથી કાંઈ લાભ લ્યે, કે પરને કાંઈ લાભ આપે–એવું
તેના સ્વરૂપમાં નથી. એટલે પરમાં કાંઈ પણ સુખ છે એ માન્યતા ભ્રમભરેલી છે; અને પરતરફના
ઝૂકાવથી જે રાગદ્વેષની વૃત્તિઓ થાય છે તે પણ આકુળતામય છે, તેમાં પણ સુખ નથી.–સુખ છે ક્્યાં?
ભાઈ, અંતરતત્ત્વના નિધાનમાં જ તારો આનંદ ભર્યો છે.–તેમાં સન્મુખ થતાં આત્મા પોતે સુખરૂપે
પરિણમી જાય છે, પોતે સ્વયમેવ છ કારકરૂપ થઈને સુખપણે પરિણમી જાય છે, બીજા કોઈની તેને
અપેક્ષા નથી, ભાઈ, અંતરમાં ડોકિયું કરીને તારા આત્માનું મંથન તો કર; તારો સુખસ્વભાવ અંતરમાં
છે તેનું શોધન તો કર. તેમાં તને કોઈ અપૂર્વ સુખ ને અપૂર્વ આનંદ અનુભવાશે. આવો આનંદનો
અનુભવ થાય તેને જિનેશ્વરભગવાન જૈનધર્મ કહે છે.
ભગવાન કહે છે: અરે જીવ! અમે તને તારી કિંમત કરાવીએ છીએ. તારી કિંમત કેટલી બેહદ છે
તેની તને ખબર નથી, પણ તારામાં એવું બેહદ અચિંત્ય સામર્થ્ય છે કે એક ક્ષણમાં આખાય વિશ્વને
જ્ઞાનમાં જ્ઞેયપણે પી જાય.....ને આખા જગતથી નિરપેક્ષ રહીને પોતે પોતાના પરમ આનંદને અનુભવે.
જે આનંદના એક કણિયા પાસે ત્રણ જગતનો વૈભવ પણ તૂચ્છ ભાસે.–આવી તારા આત્માની કિંમત
એટલે કે મહિમા છે. પણ તું તારી કિંમત ભૂલીને, તને નમાલો માનીને, રાગથી ને દેહની ક્રિયાથી તારી
કિંમત કે મહિમા માને છે, તારી એ માન્યતા જ તને સંસારમાં રખડાવે છે. અમે તને કહીએ છીએ કે
સર્વજ્ઞતાની ને પૂર્ણાનંદની શક્તિ તારામાં ભરી છે, અર્હંતોમાં જેટલી તાકાત વ્યક્ત થઈ તેટલી બધીય
તાકાત તારામાં પણ ભરી જ છે. અર્હંતો અને સિધ્ધો કરતાં તારા આત્માની કિંમત જરાય ઓછી નથી.
અર્હંતોમાં અને આ આત્માના સ્વભાવમાં જે કિંચિત્ ફેર માને તે મિથ્યાદ્રષ્ટિ–આત્મઘાતકી છે. જેની
કિંમત હોય તેટલી બરાબર આંકે તો તેનું બરાબર જ્ઞાન અને બહુમાન કર્યું કહેવાય. કરોડપતિ માણસને
ગરીબ–હજાર રૂા. ની મુડીવાળો જ માને

PDF/HTML Page 18 of 29
single page version

background image
આસો: ૨૪૮૬ : ૧૩ :
તો તેણે ખરેખર કરોડપતિ ઓળખ્યો નથી, તેનું બહુમાન કર્યું નથી પણ અપમાન કર્યું છે. તેમ
કૈવલ્યપતિ સર્વજ્ઞસ્વભાવી આનંદનિધાનથી ભરપૂર આત્મા છે, તેને જે અલ્પજ્ઞસ્વરૂપ માને, રાગી
માને, તેનું સુખ પરમાં માને, તે ખરેખર આત્માને ઓળખતો નથી, તે આત્માનું બહુમાન નથી કરતો
પણ અપમાન કરે છે. મોટા રાજાને ભીખારી માને તો તેમાં રાજાનું ઘોર અપમાન છે ને તેની શિક્ષા
જેલ છે, તેમ મહામહિમાવંત ચૈતન્યરાજાને પરમાંથી સુખની ભીખ માંગનાર માનવો તેમાં ચૈતન્ય
મહારાજનું ઘોર અપમાન છે ને તેની શિક્ષા સંસારરૂપી જેલ છે. ભાઈ, તારે આ સંસારરૂપી જેલમાંથી
છૂટવું હોય તો તારા ચૈતન્યરાજાને બરાબર ઓળખીને તેનું બહુમાન કર. સંતો પોકારી–પોકારીને તને
તારી પ્રભુતા બતાવે છે, તેને ઓળખ; તારી પ્રભુતાની ઓળખાણથી તું પ્રભુ થઈશ.
જે જીવ રાગથી લાભ માને છે તે ચૈતન્ય કરતાં રાગને મહત્તા આપે છે, એટલે પોતાના
ચૈતન્યની પ્રભુતાને પાટુ મારીને પામરતાને સેવે છે, એટલે પામરપણે પરિભ્રમણ કરે છે. અહીં સંતો
તેને કરુણાથી સમજાવે છે કે અરે જીવ! તારું ચૈતન્યતત્ત્વ સ્વતંત્રપણે શોભી ઊઠે એવી તારી પ્રભુતા
છે. અખંડ શક્તિથી ભરપૂર તારી અખંડ પ્રભુતા છે. તેમાં જ તારું સમકિત ને શાંતિ છે; બીજે ક્્યાંય
શોધ્યે તે મળે તેમ નથી. તારા સમ્યકત્વની, કેવળજ્ઞાનની ને પરમઆનંદની રચના સ્વતંત્રપણે કરે એવું
તારું પ્રભુતાનું સામર્થ્ય છે.–આવા પ્રભુત્વને તું જો.
“ધર્મનું મૂળ સર્વજ્ઞ છે”–આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે, તેની પ્રતીત કરીને નિર્વિકલ્પધારાથી
કેવળજ્ઞાન પ્રગટ કરીને જેઓ સર્વજ્ઞ થયા, તેમની વાણીમાં ધર્મનું સ્વરૂપ ઉપદેશ્યું–એ રીતે ભગવાન
સર્વજ્ઞદેવ ધર્મના પ્રણેતા છે. જેને આવા સર્વજ્ઞનો નિર્ણય કર્યો નથી તેને ધર્મ થતો નથી. સર્વજ્ઞનો
નિર્ણય કરનારને પોતાના આત્મામાં ભરેલી સર્વજ્ઞશક્તિનો અનુભવ થઈ જાય છે.
નિજ આત્મામાં સર્વજ્ઞ શક્તિનો આ કાળે ને આ ક્ષેત્રે પણ અનુભવ થઈ શકે છે. આ ક્ષેત્રે અને
આ કાળે પરિણમેલા સર્વજ્ઞનો વિરહ છે, પરંતુ સર્વજ્ઞત્વશક્તિ તો અત્યારે પણ આત્મામાં પડી જ છે.
અને આત્માની સર્વજ્ઞશક્તિની જે પ્રતીત કરે તેને વ્યક્ત સર્વજ્ઞ પરમાત્માની પ્રતીત પણ થાય જ.
કોઈ નાસ્તિક એમ કહે કે ‘સર્વજ્ઞ નથી’ તો આચાર્ય તેને પૂછે છે કે હે ભાઈ! સર્વજ્ઞ ક્્યાં
નથી? આ કાળે ને આ ક્ષેત્રે જ સર્વજ્ઞ નથી? કે સર્વ કાળે ને સર્વ ક્ષેત્રે સર્વજ્ઞ નથી?
જો તું એમ કહે કે ‘આ કાળે આ ક્ષેત્રે જ સર્વજ્ઞ નથી,’–તો તેના અર્થમાં એમ આવી જ ગયું કે
આ સિવાય બીજા કાળે ને બીજા ક્ષેત્રે સર્વજ્ઞ છે.
અને જો તું એમ કહે કે સર્વકાળે અને સર્વ ક્ષેત્રે સર્વજ્ઞનો અભાવ છે–તો અમે તને પૂછીએ
છીએ’ કે શું તેં સર્વકાળ અને સર્વક્ષેત્રને જાણ્યા છે?–જો જાણ્યા છે તો તો તું જ સર્વજ્ઞ થયો! (એટલે
‘સર્વજ્ઞ નથી’ એવું તારું વચન ‘મારી માતા વંધ્યા છે’–એના જેવું સ્વવચન બાધિત થયું) અને જો તું
કહે કે ‘સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને જાણ્યા વગર હું સર્વજ્ઞનો નિષેધ કરું છું’–તો તે પણ યોગ્ય નથી કેમકે
એવા બીજા ક્ષેત્રો (વિદેહક્ષેત્ર) છે જ્યાં સર્વજ્ઞ ભગવંતો સદાય બિરાજે છે, તેને જાણ્યા વગર સર્વજ્ઞનો
નિષેધ તારાથી કેમ થઈ શકે? તેં ન જાણ્યા હોય એવા ક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવંતો બિરાજે છે. વળી હે મૂઢ!
જો સર્વજ્ઞ ન હોય તો સૂક્ષ્મદૂરવર્તી અને અતીન્દ્રિય પદાર્થોને કોણ જાણે? સર્વજ્ઞનો અભાવ માનતાં
અતીન્દ્રિય પદાર્થોનો પણ અભાવ થઈ જશે. રાગ ઘટતાં ઘટતા તેનો તદ્ન અભાવ પણ થઈ શકે છે,
જ્ઞાન વધતાં વધતાં તે પૂર્ણતાને પામી શકે છે ધર્માત્માને સ્વસંવેદનથી પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં
સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થઈ ગયો છે. સ્વસંવેદનથી નિજ આત્મામાં સર્વજ્ઞશક્તિનો અનુભવ આ કાળે
ને આ ક્ષેત્રે પણ થઈ શકે છે.–અને જેણે એવો અનુભવ કર્યો તે જ્ઞાનમાં સર્વજ્ઞનો સદ્ભાવ થયો, ને
ધર્મની શરૂઆત થઈ. આ રીતે અંતરમાં સર્વજ્ઞસ્વભાવ તે ધર્મનું મૂળ છે.

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૦૪
આત્માને સાધવા માટે મોક્ષાર્થીએ શું કરવું?
(વીર સં. ૨૪૮પ
વૈશાખ સુદ પાંચમ)
દક્ષિણના તીર્થધામની ઉમંગભરી યાત્રા કરીને પાછા
ફરતાં વચ્ચે દેહગામ મુકામે પૂ. ગુરુદેવ પધાર્યા....ત્યારે
દેહગામના જૈનસમાજે ઉત્સાહથી સ્વાગત કરીને, મોટી
સંખ્યામાં પૂ. ગુરુદેવના પ્રવચનનો લાભ લીધો હતો. તે
પ્રવચનનો સાર અહીં આપવામાં આવ્યો છે. આત્મસ્વરૂપને
સમજવાની ખાસ પ્રેરણા પૂ. ગુરુદેવના પ્રવચનમાં તરી આવે
છે......આત્મસ્વરૂપને કઈ રીતે સાધવું–તે વાત આચાર્ય
ભગવંતોએ સમયસાર ગાથા ૧૭–૧૮ માં બહુ સરસ રીતે
સમજાવી છે તેના ઉપરનું આ પ્રવચન છે. આત્માર્થીતાના રસથી
ઝરતું આ પ્રવચન દરેક જિજ્ઞાસુને જરૂર આનંદિત કરશે.
દેહથી ભિન્ન આત્મતત્ત્વ શું ચીજ છે તે જાણ્યા વિના જીવ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી
રહ્યો છે. તે પરિભ્રમણ કેમ ટળે તેની આ વાત છે. આચાર્યદેવ કહે છે કે બીજી ચિંતાથી તો બસ થાઓ,
પરંતુ આત્મામાં ભેદના વિકલ્પોરૂપ ચિંતાથી પણ સાધ્યઆત્માની સિદ્ધિ નથી એટલે કે આત્માનો
અનુભવ થતો નથી. સાધ્યઆત્માની સિદ્ધિ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ થાય છે, બીજી રીતે થતી
નથી. માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે શુદ્ધઆત્માને સેવવો (આરાધવો, અનુભવવો) તે જ
મોક્ષાર્થીજીવનું પ્રયોજન છે. મોક્ષાર્થીએ પોતાનું આવું પ્રયોજન સિદ્ધ કરવા માટે શું કરવું તે વાત
આચાર્યદેવ દ્રષ્ટાંત આપીને સમજાવે છે.–(સમયસાર ગાથા ૧૭–૧૮)
જયમ પુરુષ કોઈ નૃપતિને જાણે,
પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ
અનુચરણ નૃપતિનું કરે.
જીવરાજ એમજ જાણવો,
વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ
પછી યત્નથી મોક્ષાર્થીએ.
જેમ ધનનો અર્થી પુરુષ ધનને માટે રાજાની સેવા કરે છે તેમ મોક્ષના અભિલાષી મોક્ષાર્થી જીવે
મોક્ષને માટે ચૈતન્યરાજાનું સેવન કરવું.–કઈ રીતે સેવન કરવું? તે બતાવે છે:

PDF/HTML Page 20 of 29
single page version

background image
આસો: ૨૪૮૬ : ૧પ :
નિશ્ચયથી જેમ ધનનો અર્થી પુરૂષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે ‘આ રાજા છે’ ....
તેમ મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો બહુ ઉદ્યમથી આત્માને જાણવો કે “આ ચૈતન્યપણે જે અનુભવાય છે તે જ
હું છું.” પછી, જેમ તે પુરુષ રાજાને જાણીને તેનું શ્રદ્ધાન કરે છે કે આ અવશ્ય રાજા જ છે ને તેના
સેવનથી મને જરૂર ધનની પ્રાપ્તિ થશે....તેમ મોક્ષાર્થી પુરુષે પણ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેનું
શ્રદ્ધાન કરવું કે આવો ચૈતન્યસ્વરૂપ આત્મા જ હું છું....તેનું જ સેવન કરવાથી પરમ આનંદરૂપ મોક્ષની
પ્રાપ્તિ થશે. આવા જ્ઞાન–શ્રદ્ધાન કરીને પછી, જેમ તે પુરુષ રાજાને સર્વપ્રકારે અનુસરીને તેની સેવાથી
તેને પ્રસન્ન કરે છે તેમ મોક્ષાર્થી જીવે સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક ચૈતન્યસ્વભાવનું જ અનુચરણ કરવું
એટલે કે તેના જ અનુભવમાં લીન થવું.–આમ કરવાથી સાધ્ય આત્માની સિધ્ધિ થાય છે. બીજી રીતે
થતી નથી.
દેહથી ભિન્ન ચૈતન્યમૂર્તિ આત્મા સ્વતંત્ર વસ્તુ છે; તે આત્મા કદી નવો ઉત્પન્ન થયો નથી ને કદી
પણ તેનો નાશ થતો નથી; પોતાના જ્ઞાનસ્વરૂપે તે ત્રિકાળ ટકી રહે છે. અત્યાર સુધી તેણે શું કર્યું? કે
પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને ૮૪ લાખ યોનીમાં અનંત અવતાર કર્યા, સ્વર્ગમાં પણ અનંતવાર
ગયો ને નરકમાં પણ અનંતવાર ગયો, તિર્યંચ પણ અનંતવાર થયો ને મનુષ્ય પણ અનંતવાર થયો.–
ઓળખાણ કરીને તેમાં ઠરે તો ચાર ગતિનું પરિભ્રમણ ટળે.
ભાઈ, તારું સુખ પણ પરમાં નથી ને તારું દુઃખ પણ પરમાં નથી. તારો મોક્ષ અને સંસાર બંને
તારામાં જ છે. ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા’–ચૈતન્યસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે પૂર્ણ શુદ્ધતા પ્રગટે તે
જ મોક્ષ છે; અને રાગ–દ્વેષ–મોહરૂપ જે અશુદ્ધતા છે તે જ સંસાર છે. જીવનો સંસાર બીજા પદાર્થોમાં
નથી, તેમજ જીવનો મોક્ષમાર્ગ પણ બીજા પદાર્થોમાં નથી. ‘અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા....’
અંતરમાં ચૈતન્યતત્ત્વને ઓળખીને તેની સેવા કરવી–આરાધના કરવી–તે જ ચારગતિની હેરાનગતીથી
છૂટવાનો ઉપાય છે.
આ ચૈતન્યમૂર્તિ આત્માને જન્મ ધારણ કરવો પડે, દેહ ધારણ કરવો પડે તે શરમ છે. તે
શરમજનક જન્મો કેમ ટળે તેની આ વાત છે.
ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. ૬૦
પહેલાં અંતરમાં આત્માની ધગશ લાગવી જોઈએ......અરે, હું ચૈતન્યમૂર્તિ સિદ્ધભગવાન જેવો
આત્મા, મારો આનંદ મારામાં, ને મારે આવા અવતાર કરવા પડે–એ શરમ છે! મારાં ચૈતન્યનિધાન
મારામાં છે–તે ખોલીને હું શરમજનક જન્મોનો અંત કરું–આમ અંતરમાં મોક્ષાર્થી થઈને આત્માની ખરી
જિજ્ઞાસા જાગે, તે જીવ પ્રયત્નપૂર્વક–સર્વ ઉદ્યમથી પોતાના આત્માને જાણે છે, શ્રદ્ધે છે ને તેને જ
અનુસરે છે. ભાઈ, આવા આત્માના અનુભવ વિના બીજું બધું તે અનંતવાર કર્યું.–
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.
આત્માના જ્ઞાન વગર ત્યાગી થઈને અનંતવાર તેં મુનિવ્રત પાળ્‌યા, ને ૧૬ સ્વર્ગથી પણ ઉપર
નવમી ગ્રૈવેયક સુધી અનંતવાર ગયો, પણ તેથી શું મળ્‌યું? આત્માનું સુખ તો કિચિંત્ પણ ન મળ્‌યું. જો તે
વ્રતાદિના શુભરાગથી તું તારૂં કલ્યાણ માનતો હો તો તું છેતરાય છે; ઊંધી માન્યતાથી તારા આત્માને તું જ
છેતરી રહ્યો છે. સંતો પોતાના અનુભવની વાત કરીને તને સમજાવે છે કે અરે જીવ! તું તો ચૈતન્ય છો,
તારો અનુભવ તો ચૈતન્યરૂપ છે, તારો સ્વાદ તો ચૈતન્યમય છે. “ચૈતન્યસ્વાદપણે જે અનુભવાય તે જ હું
છુ”–એમ સ્વસંવેદનથી શ્રદ્ધા–જ્ઞાન કર, ને પછી તેમાં ઠર....એ જ મુક્તિને ઉપાય છે.
મોક્ષાર્થી જીવે મોક્ષને સાધવા માટે શું કરવું? તે વાત આચાર્યદેવે આ ગાથામાં રાજાનો દાખલો
આપીને બહુ સરસ રીતે સમજાવી છે. જેને રાજા પાસેથી પોતાનું