Atmadharma magazine - Ank 213a
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૯ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી અષાઢ : ૨૪૮૭
વિેકવાન્ જીવોનો સ્વભાવ
કીચ સૌ કનક જાકૈ નીચસૌ નરેશપદ, મીચસી મિતાઈ ગરુવાઈ જા ગારસી;
જહરસી જોગ–જાતિ કહરસી કરામાતિ, હહરસી હૌસ પુદ્ગલ–છવિ છારસી;
જાલસૌ જગ–વિલાસ ભાલસૌ ભુવનવાસ, કાલ સૌ કુટુંબકાજ લોકલાજ લારસી;
સીઠસૌ સુજસુ જાનૈ વીઠસૌ વખત માનૈ, ઐસી જાકી રીતિ તાહિ બંદત બનારસી.
અર્થ–કંચનને કીચડ સમાન, રાજ્યપદને નીચ પદ સમાન, કોઈથી સ્નેહ
અથવા લોકોની મિત્રતાને મૃત્યુ સમાન, મોટાઈને લીપવાની ગાર જેવી, કીમિયા
વગેરે જોગને ઝેર સમાન, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન, લૌકિક ઉન્નતિ
અથવા જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન, ઘરવાસને
બાણની અણી સમાન, કુટુંબના કાર્યને કાળ (મૃત્યુ) સમાન, લોકલાજને અથવા
લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન, સુયશ અથવા કીર્તિની
ઈચ્છાને નાકના મેલ સમાન અને પુણ્ય ભાગ્યોદયને જે વિષ્ઠા સમાન જાણે છે
(અને પરમાર્થે પોતાના શુદ્ધાત્મતત્ત્વને ઉત્તમ, મંગળ અને શરણરૂપ નિત્ય માને
છે.) તેને કવિવર શ્રી બનારસીદાસજી નમસ્કાર કરે છે.
[૨૧૩]

PDF/HTML Page 3 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૩
સમાચાર
પ. પૂજ્ય ગુરુદેવ શ્રી સુખશાતામાં બિરાજે છે. સવારે પ્રવચનમાં શ્રી અષ્ટપાહુડ
શાસ્ત્રનો ભાવપાહુડ નામનો પાંચમો અધિકાર તથા બપોરે શ્રી સમયસારજી શાસ્ત્રમાંથી
ગા. ૧૧ વંચાય છે. સમયસારજી ઉપરનાં પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો ટેપ રેકોર્ડિંગથી
ઉતારી લેવામાં આવે છે.
અષાડસુદ ૭ થી ૧પ સુધી અષ્ટાન્હિકા પર્વમાં નંદીશ્વરદ્વીપ મહામહોત્સવના
દિવસોમાં સોનગઢમાં સિદ્ધચક્ર વિધાન મહા પૂજા મંડલ વિધાન સહિત ઠાઠમાઠથી
કરવામાં આવી. આ પૂજનમાં પહેલે દિવસે આઠ, પછી ૧૬, ૩૨, ૬૪, ૧૨૮, ૨પ૬,
પ૧૨, અને ૧૦૨૪ એટલા અર્ધ વડે સિદ્ધભગવંતોના ગુણોનું પૂજન કરવામાં આવે છે.
આ પૂજન શ્રી કંવરચંદજી જ્ઞાનચંદજી (સનાવદ) તરફથી હતું.
અષાડવદ ૧ મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિનો દિવસ–(વીર શાસન જ્યંતિ)
હોવાથી ખુબ હર્ષ ઉલ્લાસ ભક્તિપૂર્વક વિશેષતાથી ઉજવવામાં આવ્યો હતો.
દસલક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ ચોથ ને ગુરુવાર તા. ૧૪–૯–૬૧ થી
શરૂ કરીને ભાદરવા સુદ ૧૪ ને શનિવાર તા. ૨૩–૯–૬૧ સુધીના દસ દિવસો
દસલક્ષણીધર્મ અર્થાત્ પર્યુષણ પર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન દસલક્ષણ
મંડળનું પૂજન, તેમજ દસલક્ષણ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
ધાર્મિક પ્રવચના ખાસ દિવસો
શ્રાવણ વદ ૧૩ ને ગુરુવાર તા. ૭ સપ્ટેમ્બરથી ભાદરવા સુદ ૪ ને ગુરુવાર તા.
૧૪ સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો દરમિયાન પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
વાર્ષિક બેઠક
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ બીજ ને મંગળવાર
તા. ૧૨–૯–૬૧ ના રોજ મળશે; સૌ સભ્યોને હાજર રહેવા વિનંતિ છે. રસોડા અંગે ગયે
વર્ષે ચુંટાએલા કાર્યવાહકોને પણ હાજર રહેવા વિનંતી છે.
સૂચના
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી એક ખાસ મીટીંગ બોલાવવાનું નક્કી થયું છે.
તેમાં દરેક ગામના મુમુક્ષુ મંડળને તેમના પ્રતિનિધિ મોકલવા વિનંતી કરવામાં આવી છે.
તેની તારીખ ૧૦–૧૧ સપ્ટેમ્બર ૧૯૬૧ ની છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
અષાઢ : ૨૪૮૭ : :
વર્ષ અઢારમું : અંંક ૯ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી અષાઢ માસ : ૨૪૮૭
પરમાં કર્તાપણાનું મૂળ અજ્ઞાન
દ્રવ્યને પરિણામ હોય છે કેમકે દરેક દ્રવ્ય નિત્ય પરિણામ સ્વભાવી છે.
(પરિણામ=પરિણતિ, ક્રિયા દશા, હાલત, અવસ્થા, કાર્ય) પરિણામ પરિણામી દ્રવ્ય
વિના હોતા નથી. તો પરિણામનો કર્તા કોણ? જો એમ માનવામાં આવે કે પરિણામ
છે પણ તેનો કર્તા અન્ય દ્રવ્ય છે, તો પરિણામ અર્થાત્ કાર્યનો આધાર ગુણ અને
એવા અનંતગુણનો આધાર દ્રવ્ય સ્વત: સિદ્ધ ન ઠરે; દ્રવ્યનું લક્ષણ સત્ અને ઉત્પાદ–
વ્યય–ધ્રૌવ્યયુક્ત જે સત્ તે પણ સાબિત ન થાય.
પરિણામ સમયે સમયે નવા નવા થાય છે. એવા અનંત પરિણામનો સમૂહ તે
ગુણ છે. અને એવા અનંત ગુણનો સમૂહ તે દ્રવ્ય છે. જે જીવ પરિણામનો કર્તા
સ્વદ્રવ્યને ન માનતાં પર દ્રવ્યને માને છે તે સ્વ–ગુણને અને સ્વ દ્રવ્યને જ માનતો
નથી.
વસ્તુત: (ખરેખર) દરેક દ્રવ્ય અનાદિ અનંત અને સ્વત: સિદ્ધ હોવાથી તેના
સત્તાત્મક અનંતાગુણ અને તેના દરેક સમયે થતા ઉત્પાદ–વ્યયરૂપ પરિણામ પણ
સ્વત: સિદ્ધ છે. એવી તેની સ્વતંત્ર મર્યાદા છે. “
वस्तु सीम्नो अनतिक्रमात्” “
खलु अचलितस्य वस्तुस्थिति सीम्नो भेत्तुम्अशक्यत्वात्” (સ. સાર ગા. ૧૦૩
ટીકા) આમ ત્રણેકાળે હોવાથી પરથી અકૃત દ્રવ્ય–ગુણ અને પર્યાય સ્વયંમેવ
અકૃતિમ છે અર્થાત્ પર વડે કરવામાં આવે એવાં નથી.
દ્રષ્ટાંત તરીકે એક જીવને ક્રોધાદિ પરિણામ થયાં ને તે તેના જ્ઞાનમાં જણાયા ને
પોતે કર્યા તો થયા છે એમ સ્પષ્ટ અનુભવથી નક્કી પણ થાય છે છતાં તેને પરથી–
નિમિત્તથી થયા એમ જે માને તો તે દ્રવ્ય–ગુણ–પર્યાય કોઈને સત્ એટલે સ્વત: સિદ્ધ
માનતો નથી. સાંખ્યાદિ મતમાં જેમ ઈશ્વરને લોકનો કર્તા માનવામાં આવે છે તેના
જેવા જ નિમિત્તથી પરનું કર્તાપણું માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. એ કર્તાપણાનું મૂળ
અજ્ઞાન છે, જે સ્વતંત્રતાની હિંસા કરનાર છે. (તા. ૨૦–૬–૨૭ ચર્ચાના આધારે)

PDF/HTML Page 5 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૩
– પરમ શાંતિ દાતારી –
અધ્યત્મ ભવન
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિ શતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મ ભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(અંક ર૦૭ થી ચાલુ)
આ ‘સમાધિશતક’ ના રચનાર શ્રી પૂજ્યપાદ સ્વામીય લગભગ
૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા મહાન દિગંબર સંત છે, તેનું બીજું નામ
‘દેવનંદી’ હતું; તેઓ વિદેહક્ષેત્રે સીમંધર ભગવાન પાસે ગયા હતા–એવો
પણ શિલાલેખોમાં ઉલ્લેખ છે. તેમણે તત્ત્વાર્થસૂત્રની ‘સર્વાર્થસિદ્ધિ’ ટીકા
તથા જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે મહાન ગ્રંથો રચ્યા છે. તેમની અગાધબુદ્ધિને
લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે.–આવા મહાન આચાર્યના
રચેલા ‘સમાધિશતક’ ઉપરનાં આ પ્રવચનો છે.
‘આત્મધર્મ’ ના ઘણા જિજ્ઞાસુ વાંચકો તરફથી સહેલા લેખોની
માંગણી થતાં, અંક ૧પ૮ થી આ લેખમાળા શરૂ કરવામાં આવી છે. આ
પ્રવચનો અધ્યાત્મરસથી ભરપૂર હોવા છતાં સરળ અને સહેલાઈથી સમજી
શકાય તેવાં છે. આથી વાંચક વર્ગને આ લેખમાળા વિશેષ પસંદ પડી છે.
*
(૨૪૮૨ અષાડ સુદ સાતમ: સમાધિશતક ગા. પ૦)
જ્ઞાનીને પોતાના આત્માની જ પ્રીતિ ને આત્માનો જ વિશ્વાસ છે, સંયોગમાં તે સ્વપ્નેય સુખ માનતા
નથી, એમ ગાથા ૪૯ માં કહ્યું; ત્યાં હવે પ્રશ્ન થાય છે કે જો એમ છે તો ભોજન વગેરે કાર્યોમાં જ્ઞાનીની પ્રવૃત્તિ

PDF/HTML Page 6 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : :
કેમ દેખાય છે? તેના ઉત્તરમાં પૂજ્યપાદસ્વામી કહે છે કે–
आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारवेच्चिरम् ।
कुर्यादर्य वशार्तकं चिद्वाक्कायाभ्यामतत्परः ।। ५०।।
ધર્માત્મા જ્ઞાની આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ કાર્યને પોતાની બુદ્ધિમાં ચિરકાળ સુધી ધારણ કરતા
નથી; આત્મસ્વભાવની ભાવના છોડીને કોઈપણ કાર્યમાં તેઓ જોડાતા નથી. આત્માની ભાવના એક ક્ષણ પણ
છૂટતી નથી. અસ્થિરતાને લીધે પ્રયોજનવશ શરીર–વાણીની કંઈક ચેષ્ટામાં જોડાય છે પણ તેમાં તે અતત્પર છે;
તેને તેની ભાવના નથી, તેમાં તેઓ જ્ઞાન–આનંદ માનતા નથી, માટે તેનાથી તે અનાસક્ત જ છે.
ધર્મીને આત્માના જ્ઞાન–આનંદનો વિશ્વાસ છે, ને તેમાં જ તેની રતિ છે, શરીરાદિ બાહ્ય વિષયોમાં
આત્માનું જ્ઞાન કે આનંદ નથી તેથી ધર્મી તેનો વિશ્વાસ કે રતિ કરતા નથી. જ્ઞાન–આનંદ માટે કોનો વિશ્વાસ
કરવો તેની આ વાત છે.
સમકિતી અંતરાત્માને પોતાના જ્ઞાન–સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ છે, તે ઉપરાંત નિર્વિકલ્પ અનુભવમાં
આનંદનો સ્વાદ પણ ચાખ્યો છે, અનંતકાળથી બાહ્યવિષયોમાં જે સ્વાદનું વેદન કદી પણ નહોતું થયું એવા
અપૂર્વ સ્વાદનું વેદન અનુભવમાં થયું, તેથી હવે ધર્મી બાહ્ય વિષયોથી છૂટીને ચૈતન્યસ્વરૂપમાં જ સ્થિર રહેવા
માગે છે, વારંવાર તેનો જ પ્રયત્ન કરે છે, અસ્થિરતાને લંબાવવા માગતા નથી; બાહ્ય વિષયો તેને સુહાવતા
નથી. અને જ્યાં મુનિદશા થાય ત્યાં તો નિર્વિકલ્પ અનુભવમાં વારંવાર ઠરે છે, મુનિની પરિણતિ લાંબોકાળ
બહારમાં રહેતી નથી...તે તો સ્વરૂપમાં જ તત્પર છે, આહાર–ઉપદેશ આદિની ક્રિયાઓમાં અતત્પર છે...તે
સંબંધી વિકલ્પ આવે તેને લંબાવતા નથી, પણ તે વિકલ્પ તોડીને નિર્વિકલ્પસ્વરૂપને વારંવાર અનુભવે છે.
ચોથા ગુણસ્થાનવાળો સમકિતી અંતરાત્મા પણ રાગાદિમાં ને વિષયોમાં અતત્પર છે, કેમકે તેમાં સુખ
માન્યું નથી, રાજપાટમાં હોય, સ્ત્રીઓ હોય, ખાતા–પીતા હોય. છતાં અંતરના ચૈતન્યસુખની પ્રીતિ આડે તે કોઈ
પણ બાહ્યવિષયોમાં કે રાગમાં તત્પર થતા નથી...ક્યારે આ રાગ તોડું ને ક્યારે મારા આનંદમાં ઠરું, એ જ એક
ભાવના છે. જો કે હજી અસ્થિરતા હોવાથી રાગ થાય છે ને મન–વાણી દેહાદિની ક્રિયાઓ ઉપર લક્ષ જાય છે.–
પણ તેમાં ક્યાંય એવી એકાગ્રતા નથી થતી કે પોતાના જ્ઞાન–આનંદને ભૂલી જાય, ને બહારમાં આનંદ માને.
અજ્ઞાનીને એમ જ લાગે છે કે જ્ઞાની રાજપાટમાં ઊભા છે–ખાય છે–પીએ છે–બોલે છે–માટે તેમાં તત્પર છે, પણ
જ્ઞાનીના અંતરંગ પરિણામ વિષયોથી ને રાગથી કેવા પાર છે તેની અજ્ઞાનીને ખબર નથી...ચૈતન્યસુખનો જે
સ્વાદ જ્ઞાનીના વેદનમાં આવ્યો છે તે સ્વાદની અજ્ઞાની વિષયલુબ્ધ પ્રાણીને બિચારાને ગંધ પણ નથી...એટલે
પોતાની દ્રષ્ટિએ જ્ઞાનીને જોવા જાય છે, પણ જ્ઞાનીની વાસ્તવિક દશાને તે ઓળખતો નથી.
મુનિ ધ્યાનમાં આત્માના આનંદમાં લીન હોય...ને કોઈ સિંહ આવીને શરીરને ફાડી ખાતા હોય...ત્યાં
બાહ્યદ્રષ્ટિ મૂઢ પ્રાણીને એમ થાય કે અરર! આ મુનિ કેટલા બધા દુઃખી!!’–પણ મુનિને તો અંદરમાં
સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય વધારે આનંદરસની ધારા ઉલ્લસી છે...સિદ્ધ ભગવાન જેવા પરમ આત્મસુખમાં તે
લીન છે...અહીં તો હજી શરીરને સિંહ ખાતો હોય ત્યાં તો અતીન્દ્રિય આનંદમાં લીનતા સહિત,
એકાવતારીપણે દેહ છોડીને મુનિ તો સિદ્ધની પાડોશમાં સર્વાર્થસિદ્ધિમાં ઉપજ્યા હોય! સિદ્ધશિલાથી
સર્વાર્થસિદ્ધિ ફક્ત બાર જોજન દૂર છે.
સંયોગમાં કે રાગમાં સુખ માનીને તેમાં પોતાના આત્માને ધર્મી નથી ઝુલાવતા, પણ ધર્મી તો આત્માનો
વિશ્વાસ કરીને તેના આનંદમાં આત્માને ઝુલાવે છે. સ્વરૂપના આનંદમાંથી બહાર નીકળવું તે પ્રમાદ ને દુઃખ છે.
વ્યવહારમાં તો એમ કહેવાય કે તીર્થયાત્રા ન કરે તે આળસુ છે. શાંતિનાથ ભગવાનના માતાજી અચિરા–

PDF/HTML Page 7 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૩
દેવીને ગર્ભકલ્યાણક વખતે દેવીઓ વિનોદથી પ્રશ્ન પૂછે છે કે હે માતા! ખરો આળસુ કોણ? ત્યારે માતાજી કહે
છે કે જે તીર્થયાત્રા ન કરે ને વિષયોમાં જ વર્તે તે;–એ રીતે ત્યાં વ્યવહારમાં એમ કહેવાય; પણ પરમાર્થે તો
ચિદાનંદસ્વરૂપના અનુભવમાંથી બહાર નીકળવું તે પ્રમાદ છે–એટલે કે આળસ છે. ચૈતન્યના આનંદના
અનુભવમાં લીન સંતો તેમાંથી બહાર નીકળવાના આળસુ છે...કેમકે આત્માના અનુભવ સિવાય બીજે ક્યાંય
તેમને સુખ ભાસતું નથી.
આ જડ કાયાને કે તેની ક્રિયાને ધર્મી પોતાના ચિત્તમાં ધારણ કરતો નથી; તે તો જ્ઞાન–આનંદમય
પોતાની ચૈતન્યકાયાને જ ધારણ કરે છે. આ દેહ મન–વાણી હું નથી, હું તેમનો કર્તા નથી, તેમનો કરાવનાર
નથી કે તેમનો અનુમોદનાર નથી, તેમનાથી સર્વથા ભિન્ન જ્ઞાન–આનંદ સ્વરૂપ જ હું છું.
“હું દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કારણ નહિ,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહિ.” પ૦.
આત્મધર્મી પોતાના આત્માની જ ભાવનામાં તત્પર છે, અનાસક્ત અંતરાત્મા પોતાની બુદ્ધિમાં
આત્મજ્ઞાનને ધારે છે ને શરીરાદિકને નથી ધારતો–એ કઈ રીતે? તે કહે છે.
बत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः ।
अन्तः पश्यामि सानन्दं तदस्तु ज्योतिरुत्तमम् ।। ५१।।
ધર્માત્મા શરીરાદિકથી ભિન્ન પોતાના આત્માની એવી ભાવના ભાવે છે કે–ઈન્દ્રિયોદ્વારા જે દેખાય છે તે
હું નથી, મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ જ્ઞાનજ્યોતિ છે ને આનંદ સહિત છે–પરમ પ્રસન્નતારૂપ જે પરમાર્થ સુખ
તેનાથી સહિત છે; હું મારા આવા સ્વરૂપને અંતરમાં દેખું છું; ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી હઠાવીને
અતીન્દ્રિયજ્ઞાન વડે હું મારા આત્માને દેખું છું–અનુભવું છું, ને તે સિવાય સમસ્ત બાહ્યવિષયો પ્રત્યે હું
અનાસક્ત છું.
ઈન્દ્રિયોદ્વારા બહારમાં જે દેખાય છે તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. ઈન્દ્રિયોદ્વારા શરીરાદિ દેખાય છે તે
તો જડ છે, તે કાંઈ આત્મા નથી; આત્મા કાંઈ ઈન્દ્રિયોથી ન દેખાય; આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, ને
અતીન્દ્રિયજ્ઞાનથી જ તે દેખાય છે.–ધર્માત્મા પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને અંતરમાં પોતાના
સ્વરૂપમાં વાળે છે; માટે તે બાહ્ય વિષયોમાં અનાસક્ત છે.
હજી તો જે પર દ્રવ્યને પોતાનું માને, કે પરથી પોતાને સુખ–દુઃખ માને તેને ખરેખર અનાસક્તિભાવ
હોય જ નહિ, તેને તો પર સાથે એકત્વબુદ્ધિને લીધે અનંત આસક્તિ છે. ધર્મી તો પોતાના આત્માને સમસ્ત
પર દ્રવ્યોથી જુદો જાણીને આત્મા તરફ વળી ગયા છે, અને આત્મા સિવાય બીજે ક્્યાંય સ્વપ્ને પણ આનંદ
ભાસતો નથી, તેથી તેમને જ સમસ્ત બાહ્ય વિષયો પ્રત્યે ખરી અનાસક્તિ હોય છે.
હું તો આનંદસહિત જ્ઞાનજ્યોતિ છું, અતીન્દ્રિયજ્ઞાન ને આનંદ મારું સ્વરૂપ છે...આનંદધામ આત્મા એ
જ મારા વિશ્વાસનું ને વિશ્રામનું સ્થાન છે...આવા મારા તત્ત્વને હું અંતરમાં આનંદ સહિત દેખું છું. આનંદથી
પરમપ્રસન્ન એવો મારો આત્મા જ મારા વિસામાનું ધામ છે–આમ સમકિતી પોતાના આત્માની ભાવના કરતા
થકા તેની જ આરાધના કરે છે. તેને પોતાના આત્મસ્વરૂપનું ચિંતન જ સુખકર લાગે છે, ને ઈન્દ્રિય વિષયો
તો દુઃખકર લાગે છે; માટે તે ધર્માત્મા પોતાની બુદ્ધિમાં આત્માને જ ધારણ કરે છે.
।। પ૧।।
(૨૪૮૨ અસાડ સુદ નોમ: સમાધિશતક ગા. પ૨)
આત્મા પોતે જ્ઞાન–આનંદમય છે એમ ધર્મી જાણે છે ને તેથી તેમાં જ તે તત્પર છે એમ કહ્યું. ત્યાં હવે
પ્રશ્ન પૂછે છે કે હે નાથ! જો આત્માનું સ્વરૂપ જ્ઞાન–આનંદમય છે, તો વિષયો દુઃખરૂપ છે, તો તે ઈન્દ્રિય

PDF/HTML Page 8 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : :
વિષયોથી પાછા હઠીને આત્માનો અનુભવ કરવામાં કષ્ટ જેવું કેમ લાગે છે? તેનું સમાધાન કરતાં કહે છે કે –
सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि
बहिरेवासुखं सौख्यमध्यात्मं भावितात्मनः ।। ५२।।
આત્મામાં જ આનંદ છે–તે જ ઉપાદેય છે–તેમાં જ એકાગ્ર થવા જેવું છે–એવી રુચિ અને ભાવના તો છે
ને તેમાં એકાગ્ર થવાનો જે હજી પ્રયત્ન કરે છે, તેને શરૂઆતમાં કષ્ટ લાગે છે, કેમકે અનાદિથી બાહ્ય
વિષયોમાં જ અભ્યાસ છે, તેથી તે બાહ્ય વિષયોથી પાછા ખસીને આત્મ ભાવનામાં આવતાં કષ્ટ લાગે છે.
બાહ્ય વિષયો સહેલા થઈ ગયા છે ને અંતરનો ચૈતન્ય વિષય કઠણ લાગે છે, કેમકે કદી તેનો અનુભવ કર્યો
નથી. અંતરમાં એકાગ્રતાનો પ્રયત્ન કરનાર પૂછે છે કે પ્રભો! આમાં તો કષ્ટ લાગે છે! એમ પૂછવામાં કષ્ટ
કહીને તે છોડી દેવા નથી માગતો પણ ઉગ્ર પ્રયત્નવડે આત્માનો અનુભવ કરવા માગે છે. આચાર્યદેવ કહે છે
કે અરે ભાઈ! શરૂઆતમાં તને કષ્ટ જેવું લાગશે, પણ અંર્તપ્રયત્નથી આત્માનો અનુભવ થતાં એવો અપૂર્વ
આનંદ થશે કે તેના સિવાય બહારના બધા વિષયો કષ્ટરૂપ દુઃખરૂપ લાગશે.
અનુભવનો ઉદ્યમ કરતાં કરતાં જ્યાં નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થઈ–સમ્યગ્દર્શન થ્યું ત્યાં
વારંવાર તેની જ ભાવના કરે છે, ને તેને આત્મામાં જ સુખ લાગે છે, તથા બાહ્ય વિષયો જ દુઃખરૂપ લાગે છે.
આનંદનો અનુભવ ન હતો ત્યારે તો અંતરના અનુભવનો ઉદ્યમ કરવામાં કષ્ટ લાગતું ને બહારમાં સુખ
લાગતું; તેને આત્માના આનંદની રુચિ (–વ્યવહાર વિશ્વાસ) તો છે પણ હજી અનુભવ થયો નથી, તેથી કષ્ટ
જેવું લાગે છે. પણ જ્યાં અંતરમાં આનંદનો અનુભવ થયો–સ્વાદ ચાખ્યો ત્યાં બહારનો રસ ઊડી ગયો ને
ચૈતન્યના અનુભવમાં જ સુખ છે એટલે હવે તો તેને આત્માના ધ્યાનનો ઉત્સાહ આવ્યો...જેમ વધારે
એકાગ્રતા કરું તેમ વધારે આનંદ ને શાંતિનું વેદન થાય છે. આનંદનો સ્વાદ જ્યાંસુધી ચાખ્યો ન હતો ત્યાંસુધી
તેમાં કષ્ટ લાગતું, પણ હવે જ્યાં આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં ધર્મીને તેમાંથી બહાર નીકળવું કષ્ટરૂપ–દુઃખરૂપ
લાગે છે. અજ્ઞાનદશામાં અનાદિના સંસ્કારને લીધે વિષયો રુચિકર ભાસતા, પણ જ્યાં આત્મભાવનામાં
એકાગ્ર થઈને તેના આનંદનું વેદન કર્યું ત્યાં બાહ્ય સમસ્ત વિષયોની રુચિ છૂટી ગઈ; તેને ચૈતન્યના
અનુભવથી બહાર નીકળીને પરભાવમાં આવવું તે દુઃખ લાગે છે, ને ચૈતન્યસ્વરૂપની ભાવનામાં–એકાગ્રતામાં
જ સુખ લાગે છે. ચૈતન્યનો વારંવાર અભ્યાસ ને ભાવના કરતાં તે સહેલું લાગે છે...તેના આનંદની નિકટતા
થતાં બાહ્ય વિષયોની પ્રીતિ છૂટતી જાય છે, ને આત્માના આનંદનું વેદન થતાં બાહ્ય વિષયોમાંથી સુખબુદ્ધિ
છૂટી જાય છે;–માછલાંની જેમ. જેમ માછલાંની રુચિ શીતળ જળમાં પોષાણી છે, તેમાંથી બહાર તડકામાં કે
અગ્નિમાં આવતાં તે દુઃખથી તરફડે છે. તેમ ધર્માત્મા જ્ઞાનીની રુચિ પોતાના શાંત–ચૈતન્યસરોવરમાં જ
પોષાણી છે, તેની શાંતિના વેદનથી બહાર નીકળીને પુણ્ય કે પાપના ભાવમાં આવવું પડે તે તેમને દુઃખરૂપ
લાગે છે. જેણે આત્માની અતીન્દ્રિય શાંતિ કદી દેખી નથી ને બાહ્ય વિષયો જ દેખ્યા છે તેને આત્માના
અનુભવનો પ્રયત્ન કરતાં શરૂઆતમાં કષ્ટ લાગે છે. પણ જ્યાં તેનો અભ્યાસ અને ભાવના કરે છે ત્યાં તેમાં
ઉત્સાહ આવે છે. અભ્યાસદશામાં જરા કષ્ટ લાગે છે પણ જ્યાં પૂરો પ્રયત્ન કરીને આત્માના આનંદનો
અનુભવ કરે છે ત્યાં ચૈતન્યસુખના રસ પાસે તેને આખું જગત નીરસ લાગે છે, સમસ્ત વિષયો દુઃખરૂપ લાગે
છે. નરકમાં રહેલા કોઈ સમકિતી જીવને આત્માના અતીન્દ્રિય આનંદના વેદનની જે શાંતિ આવે છે, તેવી
શાંતિ મિથ્યાદ્રષ્ટિને સ્વર્ગના વૈભવમાં પણ નથી. અરે! સંયોગમાં શાંતિ હોય કે સ્વભાવમાં? ચૈતન્યના શાંત
જળમાંથી બહાર નીકળીને ઈન્દ્રિયવિષયો તરફ દોડે છે તે જ આકુળતા છે. ને અતી–

PDF/HTML Page 9 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૩
ન્દ્રિય ચૈતન્યમાં ઉપયોગ ઠરે છે તેમાં પરમ અનાકુળ શાંતિ છે. માટે ભાઈ! આત્માના આનંદનો વિશ્વાસ કરી
ને વારંવાર દ્રઢપણે તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કર. જ્યાં સુધી આત્માના આનંદનો સ્વાદ અનુભવમાં ન આવે
ત્યાંસુધી જ બાહ્ય ઈંદ્રિયવિષયોમાં પ્રીતિ હોંસ ઉલ્લાસ–સુખ લાગે છે, ને આત્માના અનુભવમાં કષ્ટ લાગે છે;
પણ જ્યાં ચૈતન્યના આનંદનું વેદન થ્યું ત્યાં આત્માના આનંદની જ પ્રીતિ–હોંસ–ઉલ્લાસ–ને ભાવના થાય છે,
પછી તેમાં કષ્ટ નથી લાગતું; અને વિષયો તેને સુખકર નથી લાગતા પણ કષ્ટરૂપ લાગે છે, જ્યાં આનંદ અને
શાંતિનો સ્વાદ આવે તેમાં કષ્ટ કેમ લાગે? જેણે તે સ્વાદ ચાખ્યો નથી તેને જ કષ્ટ લાગે છે;
જેમ એક માણસ સદાય ખારું–ભાંભરું–મેલું–પાણી જ પીતો હોય, મીઠું–સ્વચ્છ પાણી દુર ઊંડે કૂવામાં
હોય તે કદી ચાખ્યું ન હોય; ખારા પાણીનો કૂવો ઘર આંગણે હોય; તે ખારું પાણી જ પીધું હોય તેથી દુરના કૂવા
સુધી જવું કષ્ટરૂપ લાગે છે. પણ જ્યાં એકવાર તે મીઠા કૂવાનું સ્વચ્છ પાણી ચાખ્યું ત્યાં ખારા પાણીનો સ્વાદ
ઊડી ગયો...ને હવે ઘર આંગણે મળતું ખારું પાણી છોડીને અડઘોગાઉ આઘે મીઠું પાણી લેવા જતાં તેને કષ્ટ
નથી લાગતું, વચ્ચે ટાઢ–તડકા તેને નથી નડતા; સ્વાદ ચાખ્યા પછી તેમાં કષ્ટ નથી લાગતું. તેમ અજ્ઞાની જીવે
અનાદિથી સદા બાહ્યઈંદ્રિયવિષયોના આકુળતારૂપ ખારા સ્વાદને જ ચાખ્યો છે, પણ આત્માના અતીન્દ્રિય
અનાકુળ મીઠા સ્વાદને–આનંદને ચાખ્યો નથી, તેથી તેના પ્રયત્નમાં તેને કષ્ટ લાગે છે. પણ જ્યાં અંતર્મુખ
ચૈતન્યકૂવામાં ઊંડે ઊતરીને વિષયાતીત આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં તેના વારંવાર પ્રયત્નમાં તેને કષ્ટ લાગતું
નથી, ઊલટું બાહ્ય વિષયો તેને ખારા લાગે છે–નીરસ લાગે છે. માટે આત્માની જ ભાવના કરવી.
।। પ૨।।
આત્માની ભાવના કઈ રીતે કરવી તે કહે છે–
तद्ब्रुयात् तत्परान् पृच्छेत् तदिच्छेत्त तत्परो भवेत् ।।
येनाऽविद्यामयं रूपं त्वक्तवा विद्यामयं व्रजेत् ।। ५३।।
જુઓ, આત્મભાવનાની કેવી સરસ ગાથા છે! આત્મા જેને વહાલો છે તેણે તેનું કથન કરવું.–બીજા
પાસે તેની ચર્ચા કરવી, બીજા આત્મ–અનુભવી પુરુષો–ધર્માત્મા જ્ઞાનીઓ પાસે જઈને તે આત્મસ્વરૂપ પૂછવું,
તેની જ અભિલાષા કરવી, અને આત્મસ્વરૂપની પ્રાપ્તિને જ પોતાનું ઈષ્ટ બનાવવું, તેમાં જ તત્પર થવું, તે
આત્મસ્વરૂપની ભાવનામાં સાવધાન થવું ને તેનો આદર વધારવો.–આ પ્રકારે આત્મસ્વરૂપની ભાવના
કરવાથી અજ્ઞાનમય બહિરાત્મપણું છૂટીને જ્ઞાનમય પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
જેને આત્માનો અનુભવ કરવો છે તેણે તો વારંવાર આત્મસ્વરૂપની જ ભાવના કરવી જોઈએ. તેની
જ કથા કરવી, સંતો પાસે તે જ પૂછવું, તેની જ ઈચ્છા–ભાવના કરવી અને તેમાં જ તત્પર થવું–તેમાં જ
ઉત્સાહિત થવું. જ્ઞાનમાં–શ્રદ્ધામાં–ઉત્સાહમાં–વિચારમાં બધાયમાં એક આત્માને જ વિષયરૂપ કરવો. તેને જ
આદરવો.–આમ કરવાથી પરિણતિ બીજેથી ખસીને આત્મા તરફ વળે છે.
યોગસાર’ માં પણ કહે છે કે–
(મંદાક્રાંતા)
अध्येतव्यं स्तिमितमनसा ध्येयमाराधनीयं,
पृच्छयं श्रव्यं भवति विदुषाभ्यस्यभावर्जनीयं ।
वेद्यं गद्यं किमपि तदिह प्रार्थनीयं विनेयं,
द्रश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वं।। ६–४९।।
વિદ્વાન પુરુષોએ એટલે કે આત્માના અર્થી મુમુક્ષુ જીવોએ ચૈતન્યસ્વરૂપ આત્મા નિશ્ચય મનથી પઢવા
યોગ્ય છે–૧, ધ્યાન કરવા યોગ્ય છે–ર, આરાધવા યોગ્ય છે–૩, પૂછવાયોગ્ય છે–૪, સુણવા યોગ્ય છે–પ,
અભ્યાસવાયોગ્ય છે–૬, ઉપાર્જન કરવાયોગ્ય છે–૭, જાણવાયોગ્ય છે–૮, કહેવાયોગ્ય છે–૯, પ્રાર્થવાયોગ્ય છે–
૧૦, શિક્ષા–ઉપદેશયોગ્ય છે–૧૧, દર્શનયોગ્ય છે–૧૨, અને સ્પર્શન (અનુભવન) યોગ્ય છે,–આમ તેર બોલથી
એટલે કે સર્વપ્રકારે આત્મ–

PDF/HTML Page 10 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : :
સ્વરૂપની ભાવના કરવાયોગ્ય છે,–કે જેથી આત્મા સદાય સ્થિરતાને પામે.
નિર્જરા અધિકારમાં આ શ્લોક મૂકીને એમ કહ્યું કે આવા આત્મસ્વરૂપની ભાવના તે જ નિર્જરાનો
ઉપાય છે.
શ્રવણમાં–વાંચનમાં–વિચારમાં–ભાવનામાં–શ્રદ્ધામાં–જ્ઞાનમાં સર્વત્ર પોતાના આત્મસ્વરૂપને જ
આદરવું. આમ સર્વપ્રકારથી આત્મસ્વરૂપના અનુભવનો પ્રયત્ન કરતાં જરૂર તેની પ્રાપ્તિ થાય છે, ને
અવિદ્યાનો નાશ થઈ જાય છે. અહીં તો અભ્યાસ, શ્રવણ, તત્પરતા, આરાધના, વાંચવું, પૂછવું, દેખવું,
જાણવું–ઈત્યાદિ ઘણા બોલ કહીને એ બતાવ્યું છે કે ખરા જિજ્ઞાસુને આત્મસ્વરૂપના અનુભવની ઝંખના ને
ધગશ કેટલી ઉગ્ર હોય? બીજે બધેયથી પાછો વળીવળીને સર્વ પ્રકારથી એક ચૈતન્યની જ ભાવનાનો પ્રયત્ન
કરે છે. જેમ એકનોએક વહાલો પુત્ર ખોવાઈ ગયો હોય ત્યાં માતા તેને કેવા કેવા પ્રકારે શોધે!! અને કોઈ
તેને તેનો પત્તો મળવાની વાત સંભળાવે તો કેવા ઉત્સાહથી સાંભળે!! તેમ જિજ્ઞાસુને આત્માના સ્વરૂપના
નિર્ણય માટે એવી લય લાગી છે કે વારંવાર તેનું જ શ્રવણ, તેની જ પૃચ્છા, તેની જ ઈચ્છા, તેમાં જ તત્પરતા,
તેનો જ વિચાર કરે છે, જગતના વિષયોનો રસ તેને છૂટતો જાય છે ને આત્માનો જ રસ વધતો જાય છે.–
આવા દ્રઢ અભ્યાસથી જ આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે.
જિજ્ઞાસુને આત્માની કેવી લગની હોય તે બતાવવા અહીં માતા–પુત્રનો દાખલો આપ્યો છે; જેમ
કોઈનો એકનો એક વહાલો પુત્ર ખોવાઈ જાય તો તે કેવી રીતે તેને ઢૂંઢે છે! જે મળે તેને તે વાત કહે, ને
જાણકારોને એ જ પૂછે કે ‘ક્્યાંય મારો પુત્ર દેખ્યો?’ એક મિનિટ પણ તેનો પુત્ર તેના ચિત્તમાંથી ખસતો
નથી, દિનરાત તેની પ્રાપ્તિ માટે તીવ્ર ઉત્સુકતાથી ઝૂરે છે...તેમ આત્મસ્વરૂપની જેને જિજ્ઞાસા જાગી છે તે
આત્માર્થી જીવ સત્સમાગમે તેને ઢૂંઢે છે, તેની જ વાત પૂછે છે કે ‘પ્રભો! આત્માનો અનુભવ કેમ થાય?’
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના દિનરાત વર્તે છે, એક ક્ષણ પણ તેને ભૂલતો નથી...એક આત્માની જ
લય–લગની લાગી છે. આવી લગનીથી દ્રઢ પ્રયત્ન કરતાં જરૂર આત્માનો અનુભવ થાય છે. માટે તે જ કરવા
જેવું છે–એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
(વીર સં. ૨૪૮૨ અષાડ સુદ દસમ: મંગળવાર)
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું જેને ભાન થયું છે તેને વારંવાર તે તરફ જ વલણ રહ્યા ક્રે છે. અને
જેને આત્માના અનુભવ માટે રુચિ–ધગશ જાગી છે તે પણ વારંવાર તેનો જ પ્રયત્ન કર્યા કરે છે. ‘રુચિ
અનુયાયી વીર્ય’ એટલે કે જેને આત્માની રુચિ જાગી હોય તેનો પ્રયત્ન વારંવાર આત્મા તરફ વળ્‌યા કરે છે.
દેહમાં જેને આત્મબુદ્ધિ છે તે દેહને સરખો રાખવા રાતદિન તેનો પ્રયત્ન ને ચિંતા કર્યા કરે છે, પુત્રનો
જેને પ્રેમ છે તે પુત્રની પાછળ દિનરાત કેવા ઝૂરે છે! ખાવા–પીવામાં ક્યાંય ચિત્ત લાગે નહિ ને ‘મારો પુત્ર’
એવી ઝૂરણા તે નિરંતર કર્યા કરે છે! તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખરેખરી પ્રીતિ છે તે તેની પ્રાપ્તિ
માટે દિનરાત ઝૂરે છે એટલે કે તેમાં જ વારંવાર પ્રયત્ન કર્યા કરે છે...વિષયકષાયો તેને રુચતા નથી...એક
ચૈતન્ય સિવાય બીજે ક્યાંય તેને ચેન પડતું નથી. એની જ ભાવના ભાવે છે...એની જ વાત જ્ઞાનીઓ પાસે
પૂછે છે... એના જ વિચાર કરે છે. જેમ માતાના વિયોગે નાનું બાળક ઝૂરે છે ને તેને ક્્યાંય ચેન પડતું નથી,
કોઈ પૂછે છે કે તારું નામ શું?–તો કહે છે કે “મારી બા!!! ’ ખાવાનું આપે તો કહે કે ‘મારી બા!!’ એમ
એક જ ઝૂરણા ચાલે છે...માતા વગર તેને ક્્યાંય જંપ વળતો નથી. કેમકે તેની રુચિ માતાની ગોદમાં જ
પોષાણી છે; તેમ જિજ્ઞાસુ આત્માર્થી જીવની રુચિ એક આત્મામાં જ પોષાણી

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૩
છે, આત્મસ્વરૂપની મને પ્રાપ્તિ કેમ થાય–એ સિવાય બીજું કાંઈ તેને રુચતું નથી...દિનરાત એ જ ચર્ચા...એ જ
વિચાર...એ જ રટણા...એને માટે જ ઝૂરણા! જુઓ, આવી અંદરની ધગશ જાગે ત્યારે આત્માની પ્રાપ્તિ થાય.
અને આત્માની જેને એકવાર પ્રાપ્તિ થઈ ગઈ–અનુભવ થઈ ગયો તે સમકિતી પણ પછી વારંવાર તેના
આનંદની જ વાર્તા ચર્ચા–વિચાર ભાવના કરે છે.
‘આત્માનો આનંદ આવો...આત્માની અનુભૂતિ આવી...નિર્વિકલ્પતા આવી’...એમ તેની જ લગની
લાગી છે. જ્ઞાન ને આનંદ જ મારું સ્વરૂપ છે–એમ જાણીને એક તેની જ લય લાગી છે, તેમાં જ ઉત્સાહ છે,
બીજે ક્્યાંય ઉત્સાહ નથી. આવી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ભાવનાથી–દ્રઢ પ્રયત્નથી–અજ્ઞાન છૂટીને જ્ઞાનમય
નિજપદની પ્રાપ્તિ થાય છે.
।। પ૩।।
* સમ્યકત્વન મહમ *
જેમ નગરમાં પ્રવેશ કરવાનું કારણ દ્વાર છે–દ્વાર વિના નગરમાં પ્રવેશ
કેમ થાય? તેમ જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય તેમાં પ્રવેશ કરવાનું દ્વાર સમ્યક્ત્વ
છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન ચારિત્ર તપ વીર્ય આત્માને પ્રાપ્ત થાય નહિ.
જેમ મુખની શોભા નેત્ર વડે છે, તેમ જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય
સમ્યગ્દર્શન વડે શોભે છે. જેમ વૃક્ષને મૂળ છે તેમ જ્ઞાનાદિકનું સમ્યગ્દર્શન
મૂળ છે.
(ભગવતી આરાધના ગા. ૭૪૦)
જે દર્શનથી ભ્રષ્ટ છે, તે ભ્રષ્ટ છે. માટે સમ્યગ્દર્શન રહિત ને
અનંતાનંત કાળમાં પણ નિર્વાણ થાય નહિં અને જે ચારિત્રથી ભ્રષ્ટ છે, રહિત
છે, સમ્યગ્દર્શનથી છૂટ્યો નથી તેને થોડા કાળમાં નિર્વાણ થશે. (૭૪૨)
એક તો સમ્યક્ત્વનો લાભ, બીજો ત્રૈલોક્્યનો લાભ, તેમાં ત્રણ
લોકના લાભથી પણ સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ધરણેન્દ્ર નરેન્દ્ર દેવેન્દ્ર
પદનો લાભ તો થોડા જ કાળમાં નાશ પામે છે. ત્રણ લોકનું રાજ્ય પામી
રાજ્યથી છૂટી–મરણપામીને–ચાર ગતિમાં પરિભ્રમણ કરે જ છે અને જે
સમ્યક્ત્વને પામે છે તે ચારગતિ સંસારમાં જન્મ મરણ કરતા નથી–
અવિનાશી સુખને પામે છે. માટે સમ્યક્ત્વના લાભ સમાન ત્રણ લોકનો
લાભ પણ શ્રેષ્ઠ નથી. (૭૪૬–૪૭)

PDF/HTML Page 12 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : ૧૧ :
નિશ્ચય – વ્યવહાર મીમાંસા
ત્ત્ . .
(મૂળ પુસ્તક પૃષ્ઠ ૨૨પ)
शुद्ध द्रव्यार्थिक इति स्यादेकः शुद्ध निश्चयो नाम ।
अपरोडशुद्ध द्रव्यार्थिक इति तद्शुद्ध निश्चयो नाम ।। १–६६० ।।
इत्यादिकाश्च–वहवो भेदा निश्चयनयस्य यस्य मते ।
स हि मिथ्या द्रष्टिः स्यात् सर्वज्ञावमानितो नियमात् ।। १–६६१ ।।
અર્થ–શુદ્ધ નિશ્ચય નામનો એક શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે અને અશુદ્ધ નિશ્ચય નામનો એક અશુદ્ધ
દ્રવ્યાર્થિકનય છે. ૧–૬૬૦. ઈત્યાદિરૂપે જેમના મતમાં નિશ્ચયનયના ઘણા ભેદો કલ્પવામાં આવ્યા છે તે
નિયમથી સર્વજ્ઞની આજ્ઞાનું અપમાન કરનાર છે, તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે. ૧–૬૬૧
૮૬. ઉક્ત કથનનો સાર એ છે કે સમયપ્રાભૃત વગેરે શાસ્ત્રોમાં પરમભાવગ્રાહી નિશ્ચયનય સિવાય
બીજા અર્થોમાં પણ નિશ્ચયનય શબ્દનો પ્રયોગ થયો છે એમાં શંકા નથી પરંતુ તેવું કથન ત્યાં વિશેષ પ્રકારની
કથનશૈલીથી જ કરવામાં આવ્યું છે. તેથી જો પરમાર્થદ્રષ્ટિથી જોવામાં આવે તો નિશ્ચયનય એક જ છે અને તે
જ મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય છે કેમ કે તેનો આશ્રય લઈને સ્વભાવ સન્મુખ થતાં જ નિર્વિકલ્પ
શુદ્ધાનુભૂતિ પ્રગટે છે. આ રીતે નિશ્ચયનય શું છે અને જીવનમાં સાધકને માટે એનો શું ઉપયોગ છે એનો
વિચાર કર્યો.
૮૭. હવે અહીં વ્યવહારનયની મીમાંસા કરવી છે. એ તો અમે પહેલાં જ બતાવ્યું છે કે સમયપ્રાભૃતમાં
વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો છે. ત્યાં અભૂતાર્થનો ક્્યો અર્થ ઈષ્ટ છે તે પણ અમે બતાવ્યું છે. હવે એના જ
આધારે અહીં આ નય અને એના ભેદોને સાંગોપાંગ વિચાર કરીએ છીએ. વાસ્તવમાં વ્યવહાર’ એ
વ્યુત્પત્તિવાળો શબ્દ છે. એ ‘વિ’ અને ‘અવ’ એવા ઉપસર્ગ સાથે ‘હૃ’ ધાતુથી બન્યો છે. ગુણ અને પર્યાય
વગેરેનું આલંબન લઈને અખંડ વસ્તુમાં કોઈ પ્રકારનો ભેદ કરવો એવો એનો અર્થ થાય છે. એક તો એ
વિકલ્પાત્મક શ્રુતજ્ઞાનનો એક ભેદ છે. બીજું એ ભેદની મુખ્યતાથી જ વસ્તુનો સ્વીકાર કરે છે. તેથી જેટલા
કોઈ વ્યવહારનય છે તે ઉદાહરણ સહિત વિશેષણ–વિશેષ્યરૂપ જ હોય છે.
૮૮. આ જ સત્ય ધ્યાનમાં રાખીને પંચાધ્યાયીમાં એનું લક્ષણ બતાવતાં કહ્યું પણ છે:–
सोदाहरणो यावान्नयो विशेषणविशेष्यरूपः स्यात्
व्यवहारापरनामा पर्यायार्थो नयो न द्रव्यार्थः ।। १–५९६ ।।
અર્થ :– જેટલા કોઈ ઉદાહરણ સહિત વિશેષણ–વિશેષ્યરૂપ નયો છે તે બધા પર્યાયાર્થિક નય છે. એનું
જ બીજું નામ વ્યવહારનય છે. પણ દ્રવ્યાર્થિક નય એવો નથી. ૧–પ૯૬.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ર૧૩
પંચાધ્યાયીમાં આ જ વિષયને બીજી રીતે આ શબ્દોમાં કહેલ છે.
पर्यायार्थिक नय इति यदि वा व्यवहार एव नामेति ।
एकार्थो यस्मादिह सर्वोऽप्युपचार मात्रः स्यात् ।। १–५२१।।
व्यवहरणं व्यवहारः स्यादिति शब्दार्थतो न परमार्थः ।
स यथा गुणगुणिनोरिह सदभेदे भेदक्रणं स्यात् ।। १–५२२।।
साधारण गुण इति यदि वाऽसाधारणः सतस्तस्य ।
भवति विवक्ष्यो हि यदा व्यवहारनयस्तदा श्रेयात् ।। १–५२३।।
અર્થ : પર્યાયાર્થિક એ સંજ્ઞા અથવા વ્યવહારનય એ સંજ્ઞા એક જ અર્થની વાચક છે, કેમ કે એમાં
સમસ્ત વ્યવહાર ઉપચાર માત્ર છે. ૧–પર૧. વિધિપૂર્વક ભેદ કરવો તેને વ્યવહાર કહે છે એ એનો નિરૂક્તિ અર્થ
છે. એ પરમાર્થરૂપ નથી. જેમ કે ગુણ અને ગુણીમાં સત્તારૂપે ભેદ ન હોવા છતાં પણ ભેદ કરવો તે વ્યવહારનય
છે. ૧–પરર. જે વખતે સત્ની સાથે સાધારણ અથવા અસાધારણ ગુણોમાંથી કોઈ એક ગુણ વિવક્ષિત થાય છે
તે વખતે વ્યવહારનયને યોગ્ય માનવામાં આવ્યો છે. ૧–પર૩. નયચક્રમાં એનું લક્ષણ આ શબ્દોમાં જણાવ્યું છે.
जो चिय जीवसहावो णिच्छयदो होइ सव्वजीवाणं ।
सो चिय भेदुवयारा जाण फुडं होइ ववहारो ।। २३६।।
અર્થ :– નિશ્ચયનયથી સર્વ જીવોનો જે સ્વભાવ છે તે જ્યારે ભેદવડે ઉપચરિત કરવામાં આવે છે ત્યારે
તેનો જ વિષય કરે છે તેને વ્યવહારનય જાણો. ૨૩૬
૮૯. આજ સત્ય નયચક્રમાં બીજા શબ્દોમાં આ રીતે વ્યક્ત કર્યું છે :–
जो सियभेदुवयारं धम्माणं कुणइ एगवत्थुुस्स ।
सो ववहारो भणियो विवरीयो णिच्छयो होदि ।। २६२।।
અર્થ :– જે એક વસ્તુમાં ધર્મોના કથંચિત્ ભેદોનો ઉપચાર કરે છે તેને વ્યવહારનય કહ્યો છે અને
સમયપ્રાભૃતમાં જેને અખંડ વસ્તુસ્વભાવમાં ન હોવાથી અભૂતાર્થ કહેલ છે તેને જ નયચક્રમાં
ભેદોપચાર શબ્દથી કહેવામાં આવેલ છે. વ્યવહારનયનો વિષય અભૂતાર્થ શા માટે છે એનો નિર્દેશ કરતાં
પંચાધ્યાયીમાં કહ્યું છે :–
इदमत्र निदानं किल गुणवद् द्रव्यं बदुक्तमिह सूत्रे ।
अस्ति गुणोऽस्ति द्रव्यं तद्योगात्तदिह लब्धमित्यर्थात् ।। १–६३४।।
तदसन्न गुणोऽस्ति यतो न द्रव्यं नोभयं न तद्योगः ।
केवलमद्वैतं सत्भवतु गुणो वा तदेव सद् द्रव्यम् ।। १–६३५।।
तस्मान्न्यायागत इति व्यवहारः स्यान्नयोऽप्यभूतार्थः ।
केवलमनुभवितारस्तस्य च मिथ्याद्रशो हतास्तेऽपि ।। १–६३६।।
અર્થ : વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનું કારણ એ છે કે સૂત્રમાં દ્રવ્યને જે ‘ગુણવાળું’ કહ્યું છે એનું તાત્પર્ય
એ છે કે ગુણ પૃથક્ છે. દ્રવ્ય પૃથક્ છે અને એના સંયોગથી દ્રવ્ય પ્રાપ્ત થાય છે. ૧–૬૩૪. પરંતુ એ અસત્ય છે. કેમ
કે ન ગુણ છે, ન દ્રવ્ય છે, ન બન્ને છે અને ન તો બન્નેનો સંયોગ છે પરંતુ સત્ તો કેવળ અદ્વૈત છે. ચાહે તો એને
ગુણ માનો અથવા તો દ્રવ્ય માનો. પણ છે તે અદ્વૈતરૂપ જ. ૧–૬૩પ. તેથી ન્યાયના બળથી એમ સિદ્ધ થયું કે
વ્યવહારનય હોવા છતાં અભૂતાર્થ છે. જે કેવળ એનો અનુભવ કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ અને પથભ્રષ્ટ છે. ૧–૬૩૬.
૯૦. આ રીતે ગુણો અને પર્યાયોના આશ્રયે અથવા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવના
આશ્રયે ભેદનો ઉપચાર કરી જે વસ્તુને વિષય કરે છે તે વ્યવહારનય છે એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. સદ્ભૂત
વ્યવહારનય એ એનું જ નામ છે. એના મુખ્ય ભેદ બે છે:–અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય અને ઉપચરિત
સદ્ભૂત વ્યવહારનય. જે પદાર્થનો જે ગુણ કે શુદ્ધ પર્યાય છે તે ગુણ કે પર્યાયદ્વારા જ આ નય તે પદાર્થને
વિષય કરે છે તેથી તો એને સદ્ભૂત વ્યવહારનય કહે છે. જેમ કે એ કહેવું કે જ્ઞાન જીવ છે એ સદ્ભૂત
વ્યવહારનયનું ઉદાહરણ છે. એમાં એટલી વિશેષતા બીજી છે કે જો એમાં અન્યના સંબંધથી બીજું વિશે

PDF/HTML Page 14 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : ૧૩ :
ષણ જોડવામાં આવતું નથી તો એ જ ઉદાહરણ અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયનું થઈ જાય છે. અને જો એને
બીજાના સંબંધથી વિશેષણ સહિત કરવામાં આવે તો તે ઉપચરિત સદ્ભૂત વ્યવહારનયનું ઉદાહરણ બની જાય છે.
૯૧. એ જ તથ્ય ધ્યાનમાં રાખીને પંચાધ્યાયીમાં અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયનો વિચાર કરતાં
બતાવ્યું છે :–
स्यादादिमो यथान्तर्लीना या शक्तिरस्ति यस्य सतः
तत्तत्सामान्यतया निरुप्यते चेद् विशेषनिरपेक्षम् ।। १–५३५।।
इदमत्रोदाहरणं ज्ञानं णीवोपजीवि जीवगुणः
झेयालम्बन काले न तथा ज्ञेयोपजीवि स्यात् ।। १–५३६।।
घटसद्भावे हि यथा घटनिरपेक्षं चिदेव जीवगुणः
अस्ति घटाभावेऽपि च घटनिरपेक्षं चिदेव जीवगुणः ।। १–५३७।।
અર્થ: જે પદાર્થની જે આત્મભૂત શક્તિ છે તેને જે નય અવાન્તર ભેદ કર્યા વિના સામાન્યરૂપે તે જ
પદાર્થને બતાવે તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે.
૧–પ૩પ. આ વિષયમાં આ ઉદાહરણ છે કે જેવી રીતે જીવનો જ્ઞાનગુણ જીવોપજીવી હોય છે તેવી રીતે
તે જ્ઞેયને વિષય કરતી વખતે જ્ઞેયોપજીવી હોતો નથી.
૧–પ૩૬. જેમ ઘડાના સદ્ભાવમાં જીવનો જ્ઞાનગુણ ઘડાની અપેક્ષા રાખ્યા વિના ચૈતન્યમાત્ર જ છે.
તેમજ ઘડાના અભાવમાં પણ જીવનો જ્ઞાનગુણ ઘડાની અપેક્ષા કર્યા વિના ચૈતન્યમાત્ર જ છે, ૧–પ૩૭.
૯ર. તાત્પર્ય એ છે કે જીવદ્રવ્ય એક અખંડ પદાર્થ છે. તેમાં કોઈ એક સ્વભાવભૂત ગુણ વડે ભેદ કરીને વિષય
કરવો તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે. ઉપચરિત સદ્ભૂત વ્યવહારનયનો નિર્દેશ કરતાં ત્યાં બતાવ્યું છે:–
उपचरितः सद्भूतो व्यवहारः स्यान्नयो यथा नाम
अविरुद्धं हेतुवशात्परतोऽप्युपचर्यते यतः स्वगुणः ।। १–५४०।।
अर्थ विकल्पो ज्ञानं प्रमाणमिति लक्ष्यतेऽधुनापि यथा
अर्थः स्वपरनिकायो भवति विकल्पस्तु चित्तदाकारम् ।। १–५४१।।
असदपि लक्षणमेतत्सन्मात्रत्वे सुनिर्विकल्पत्वात्
तदपि न विनालम्बान्निर्विध्यं शभ्यते ब्रक्तुम् ।। १–५४२।।
तस्मादनन्यशरणं सदपि ज्ञानं स्वरूपसिद्धत्वात्
उपचरितं हेतुवशात् तदिह ज्ञानं तदन्यद्वारणमिव ।। १–५४३।।
અર્થ: કારણ કે હેતુવશ સ્વગુણનો પરરૂપે અવિરોધપૂર્વક ઉપચાર કરવો એ ઉપચરિતસદ્ભૂત
વ્યવહારનય છે. ૧–પ૪૦
જેમ અર્થ વિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણ છે એ પ્રમાણનું લક્ષણ છે તે–આ ઉપચરિતસદ્ભૂતવ્યવહારનયનું
ઉદાહરણ છે. અહીં સ્વ–પર સમુદાયનું નામ અર્થ છે અને જ્ઞાનનું તદાકાર થવું એનું નામ વિકલ્પ છે. ૧–પ૪૧.
સત્ સામાન્ય નિર્વિકલ્પ હોવાને લીધે એની અપેક્ષાએ જો કે આ લક્ષણ અસત્ છે તોપણ આલંબન વિના
વિષયરહિત જ્ઞાનનું કથન કરવું શક્ય નથી ૧–પ૪ર તેથી જ્ઞાન સ્વરૂપસિદ્ધ હોવાથી અન્યની અપેક્ષા વિના જ
સત્રૂપ છે તોપણ હેતુ વશે તે જ્ઞાનને અન્ય શરણની જેમ ઉપચરિત કરવામાં આવે છે. ૧–પ૪૩
૯૩. તાત્પર્ય એ છે કે એક અખંડ પદાર્થમાં અસાધારણ ગુણવડે ભેદ કરીને તેને પરના આલંબનથી.
વિશેષણ સહિત કરવું એ ઉપચરિત સદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ છે. અહીં પંચાધ્યાયીમાં મતિજ્ઞાન આદિ જીવ છે
એને ઉપચરિત સદ્ભૂત વ્યવહારનયનું ઉદાહરણ બતાવ્યું નથી તે તેનું કારણ છે. વાત એમ છે કે જેટલા કોઈ
વિભાવભાવ છે તે બધાને અધ્યાત્મશાસ્ત્રમાં પરભાવ કહ્યા છે. કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવ એવા જ ત્રિકાળી
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરે છે કે જેમાં એનો લેશ માત્ર પણ સદ્ભાવ નથી. હવે જો આ દ્રષ્ટિથી, જે स्वात्मा
[स्वसमय] છે તેમાં વ્યવહારનયનો આશ્રય કરી અસાધારણ ગુણનો આરોપ કરવામાં આવે છે અર્થાત્ ભેદ કથન
કરવામાં આવે છે તો તે સ્વભાવભૂત અસાધારણ સામાન્ય ગુણના રૂપમાં જ બની શકે છે, બીજા રૂપે નહિ. તેથી તો

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧૩
પંચાધ્યાયીમાં અનુપચરિતસદ્ભૂતવ્યવહારનયનું લક્ષણ આપતાં એમ કહ્યું છે કે જે નય જે પદાર્થની જે
આત્મભૂત શક્તિ છે તેને અવાન્તર ભેદ કર્યા વિના સામાન્યરૂપે તે જ પદાર્થની બતાવે છે તે અનુપચરિત
સદ્ભૂતવ્યવહારનય છે. તથા વ્યવહારનયથી એકવાર સ્વાત્મામાં જ્ઞાન સામાન્યની અપેક્ષાએ ભેદ વિવક્ષિત
કર્યા છતાં તેને જાણવારૂપ ધર્મની અપેક્ષાએ સ્વ–પર વિકલ્પરૂપ સ્વીકારવો પડે છે. કારણ કે જ્ઞાનમાં આ
ધર્મનો સ્વની પેઠે પરના સંબંધથી આરોપ કરવામાં આવે છે. તેથી એને સ્વીકારનાર નયને ઉપચરિત સદ્ભૂત
વ્યવહારનય કહ્યો છે. આ રીતે પંચાધ્યાયમાં આ બન્ને નયોનાં લક્ષણો કઈ દ્રષ્ટિથી કર્યા છે એ સ્પષ્ટ થઈ જાય
છે પરંતુ બીજે (અનગાર ધર્મામૃત્ત અને આલાપ પદ્ધતિ વગેરેમાં) સાધક આત્માના સ્વાત્મા અને પરાત્મા
એવા ભેદ કહ્યા વિના આ નયોનાં લક્ષણ અને ઉદાહરણ આપવામાં આવ્યાં છે. તેથી ત્યાં એનાં લક્ષણ
આદિનો વિચાર બીજી રીતે કરવામાં આવ્યો છે.
૯૪. તાત્પર્ય એ છે કે જ્યાં સમ્યગ્દ્રષ્ટિની શ્રદ્ધાના વિષયની વિવક્ષા હોય ત્યાં પંચાધ્યાયીના કથન પ્રમાણે
વ્યવહારના ભેદ કરવામાં આવે છે અને જ્યાં લોકવ્યવહારમૂલક જ્ઞાનના વિષયની વિવક્ષા હોય ત્યાં બીજા
(આલાપપદ્ધતિ અને અનગારધર્મામૃત આદિ) શાસ્ત્રોનાં કથન પ્રમાણે વ્યવહારનયના ભેદ કરવામાં આવે છે.
અહીં આટલું વિશેષ એ સમજવું જોઈએ કે પંચાધ્યાયીકારે આ મીમાંસા પોતાની બુદ્ધિથી જ કરી છે એમ નથી.
પરંતુ તેમણે એ બધું સમય પ્રાભૃતમાં બતાવેલા સ્વસમય અને પરસમયના સ્વરૂપને ધ્યાનમાં રાખીને જ લખ્યું
છે. એમના આમ કહેવાની પાછળ જે હેતુ અને પ્રયોજન છે એનો નિર્દેશ તેમણે પોતે કર્યો જ છે.
૯પ. આ વ્યવહારનયનો એક વિચાર છે. એ સિવાય તેની મીમાંસા એક જુદી રીતે કરવામાં આવી છે.
આગળ એનું જ સ્પષ્ટીકરણ કરીએ છીએ. વાત એમ છે કે સંસાર અવસ્થામાં જીવના જે રાગાદિ વિભાવભાવ
હોય છે તે ફક્ત જીવમાં પ્રાપ્ત થતા નથી પણ જ્યારે આ જીવ કર્મોથી બદ્ધ રહે છે ત્યારે જ એની પ્રાપ્તિ થાય છે.
આ ભાવ જીવમાં જ થાય છે અને જીવ જ એનું ઉપાદાન છે એમાં શંકા નથી. પણ એ થાય છે પુદ્ગલકર્મરૂપ
નિમિત્તોના સદ્ભાવમાં જ, તેથી એના નૈમિત્તિક હોવાથી મૂર્ત હોવા છતાં પણ એને જીવના કહેવા એ પણ
એક વ્યવહાર છે. આ જ તથ્ય ધ્યાનમાં રાખીને આચાર્ય અમૃતચંદ્રે સમયપ્રાભૃત ગાથા ૨૭૨ ની ટીકામાં
વ્યવહારનયનું આ લક્ષણ આપ્યું છે. :–
पराश्रितो व्यवहारनयः।
અર્થ:– જે પરના આશ્રયથી થાય છે અર્થાત્ અન્ય વસ્તુના ગુણધર્મને અન્યના સ્વીકારે છે તે
વ્યવહારનય છે.
૯૬. અહીં આચાર્ય કુન્દકુન્દનો અભિપ્રાય, પરના આશ્રયે આ જીવને જે અધ્યવસાન ભાવ થાય છે
તેને છોડાવવાનો છે. તે જ પ્રસંગે આચાર્ય અમૃતચન્દ્રે વ્યવહારનું આ લક્ષણ આપ્યું છે.
૯૭. આ વ્યવહાર અસદ્ભૂત છે કેમ કે જેટલા કોઈ નૈમિત્તિક ભાવ થાય છે તે મૂર્ત હોવાથી જીવના
સ્વભાવમાં ઉપલબ્ધ થતા નથી. છતાં પણ તે આ નય વડે જીવના સ્વીકારવામાં આવે છે, તેથી આ દ્રષ્ટિને
સ્વીકાર કરનાર નય અસદ્ભૂત વ્યવહારનય કહેવાય છે. આ જ સત્ય ધ્યાનમાં રાખીને પંચાધ્યાયીમાં આ
નયનું આ લક્ષણ દ્રષ્ટિગોચર થાય છે.
अपि चासद्भूतादिव्यवहारान्तो नयश्च भवति यथा ।
अन्य द्रव्यस्य गुणाः संजायन्ते बलादन्यत्र ।। १–५२९।।
અર્થ: અન્ય દ્રવ્યના ગુણોનું બળપૂર્વક (ઉપચાર સામર્થ્યથી) અન્ય દ્રવ્યમાં સંયોજન કરવું એ
અસદ્ભૂત વ્યવહારનય છે.
આ નયનું ઉદાહરણ આપતાં પંચાધ્યાયીમાં કહ્યું છે :–
स यथा वर्णादिमतो मूर्तद्रव्यस्य कर्म किल मूर्तम्
तत्संयोगत्वादिह मूर्ताः क्रोधादयोऽपि जीवभवाः ।। १–५३०।।

PDF/HTML Page 16 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : ૧પ :
અર્થ: જેમ કર્મ વર્ણાદિવાળા મૂર્તદ્રવ્યનો એક ભેદ છે તેથી તે નિયમથી મૂર્ત છે. તેના સંયોગથી
ક્રોધાદિક પણ મૂર્ત છે. છતાં તેને જીવમાં થયેલા કહેવા એ અસદ્ભૂત વ્યવહારનય છે. ૧–પ૩૦
૯૮. અહીં એ પ્રશ્ન થાય છે કે એવો નિયમ છે કે એક દ્રવ્યના ગુણધર્મ અન્ય દ્રવ્યમાં સંક્રમણ પામતા
નથી (બદલાઈને ભળી જતા નથી.) એવી અવસ્થામાં અહીં જીવના રાગાદિ ભાવોને મૂર્ત કેમ કહ્યા છે? કેમ
કે મૂર્ત એ પુદ્ગલોનો ધર્મ છે. તે પુદ્ગલોને છોડીને જીવમાં ત્રણકાળમાં સંક્રમણ પામી શકતો નથી અને જ્યારે
તે જીવમાં સંક્રમણ પામી શકતો નથી ત્યારે જે ક્રોધાદિ ભાવોનું ઉપાદાન કારણ જીવ છે તેમાં તે ત્રણકાળમાં
પ્રાપ્ત થઈ શકતો નથી. જો તે ભાવોના નૈમિત્તિક હોવા માત્રથી તેનામાં મૂર્ત ધર્મની ઉપલબ્ધિ થાય છે તો
અજ્ઞાનદશામાં પણ ક્રોધાદિભાવોનો કર્તા જીવ ન હોતાં પુદ્ગલ થઈ જશે અને આ રીતે આ ભાવોનું કર્તૃત્વ
પુદ્ગલમાં ઘટવાથી પુદ્ગલ જ તે ભાવોનું ઉપાદાન ઠરશે કે જે યોગ્ય નથી. માટે રાગાદિ ભાવોને મૂર્ત માનીને
અસદ્ભૂત વ્યવહારનયનું જે લક્ષણ આપવામાં આવે છે તે ન આપવું જોઈએ. આ એક પ્રશ્ન છે. સમાધાન એ
છે કે અહીં જીવની રાગાદિરૂપ અવસ્થાથી ત્રિકાળી જ્ઞાયકસ્વભાવી જીવને ભિન્ન કરવો છે. તેથી બધા વૈભાવિક
ભાવોથી વ્યાપ્તિ પુદ્ગલ કર્મોની સાથે ઘટિત થઈ શકવાને કારણે તેને અધ્યાત્મશાસ્ત્રમાં પૌદ્ગલિક કહેવામાં
આવ્યા છે. અને આ રીતે તે પૌદ્ગલિક છે એમ નક્કી થતાં તેને મૂર્ત્ત માનવામાં પણ કોઈ બાધા આવતી નથી
કેમકે મૂર્ત કહો કે પૌદ્ગલિક (કહો) એક જ અર્થ છે. આ ભાવો પૌદ્ગલિક છે. એનો નિર્દેશ સ્વયં આચાર્ય
કુન્દકુન્દે સમય પ્રાભૃત ગાથા પ૦ થી પપ સુધી કર્યો છે. તેઓ ગાથા પપમાં ઉપસંહાર કરતાં કહે છે –
णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स ।
जेण दु एदे सव्वे पुग्गलदव्वस्य परिणामा ।। ५५।।
અર્થ: જીવને જીવસ્થાન નથી અને ગુણસ્થાને ય નથી કારણ કે એ બધા પુદ્ગલદ્રવ્યના પરિણામો છે. પપ
એની ટીકા કરતાં આચાર્ય અમૃતચન્દ્ર કહે છે –
तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्य परिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्।। ५५।।
આ જે જીવસ્થાન અને ગુણસ્થાન આદિ ભાવ છે તે બધા જીવના નથી, કેમકે તે બધા પુદ્ગલ દ્રવ્યના
પરિણામમય હોવાથી આત્માનુભૂતિથી ભિન્ન છે. પપ
૯૯. અહીં પરભાવોની જેમ રાગાદિ વિભાવરૂપ ભાવોથી ત્રિકાળી જ્ઞાયકભાવનું ભેદજ્ઞાન કરાવવાનું
મુખ્ય પ્રયોજન છે. પણ એ પ્રયોજનથી સિદ્ધિ ત્રિકાળી ધ્રુવસ્વભાવરૂપ જ્ઞાયક ભાવમાં તેનું તાદાત્મ્ય
માનવાથી થઈ શકતી નથી, કેમકે ત્રિકાળી ધ્રુવસ્વભાવમાં તેનું અસ્તિત્વ જ પ્રાપ્ત થતું નથી. જો ત્રિકાળી
ધ્રુવસ્વભાવમાં પણ તેનું અસ્તિત્વ માનવામાં આવે તો તેમાંથી જ્ઞાનની જેમ તેનો કદી પણ અભાવ થઈ
શકે નહિ. માટે જ એ જેના સદ્ભાવમાં હોય છે તેના જ પરિણામ છે એમ અહીં કહેવામાં આવ્યું છે. એ
ઉક્ત કથનનું તાત્પર્ય સમજવું જોઈએ. એ જ ભાવને પુષ્ટ કરવાના અભિપ્રાયથી સમયપ્રાભૃતમાં
આચાર્ય કુન્દકુન્દ કહે છે–
ए ए हि य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो ।
ण य हुंति तस्स ताणि दु उवओग गुणाधिगो जम्हा ।। ५७।।
અર્થ:–આ વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના ભાવોની સાથે જીવનો સંબંધ દૂધ અને પાણીના
સંયોગસંબંધ જેવો જાણવો જોઈએ. તેથી તે ભાવ જીવના નથી કેમ કે તે ઉપયોગગુણ વડે તેનાથી પૃથક્ છે. પ૭.
૧૦૦. અહીં આચાર્ય મહારાજે પરસ્પર મિશ્રિત દૂધ અને પાણીનું દ્રષ્ટાન્ત આપીને એ બતાવ્યું છે કે
જેવી રીતે મળેલા દૂધ અને પાણીમાં સંયોગસંબંધ હોય છે, અગ્નિ અને ઉષ્ણ ગુણની જેમ તાદાત્મ્ય સંબંધ
હોતો નથી તેવી જ રીતે વર્ણથી માંડીને આ ગુણસ્થાન

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧૩
સુધીના બધા ભાવોનો જીવની સાથે સંયોગ સંબંધ જાણવો જોઈએ, તાદાત્મ્ય સંબંધ નહિ.
૧૦૧. જેવી રીતે જીવની સાથે વર્ણાદિનો સંયોગ સંબંધ છે તેવી રીતે જીવમાં ઉત્પન્ન થયેલા આ
રાગાદિ ભાવોનો જીવની સાથે સંયોગ સંબંધ કેવી રીતે હોઈ શકે એ પ્રશ્ન ઉઠાવીને આચાર્ય જયસેને એનું
સમાધાન કર્યું છે. તેઓ કહે છે :–
ननु वर्णादयो बहिरंगास्तत्र व्यवहारेण क्षीरनीरवत् संश्लेष सम्बन्धो भवतु न चाभ्यन्तराणांं
रागादीनां। तत्राशुद्धनिश्चयेन भवितव्यम्? नैवम्, द्रव्यकर्मबन्धापेक्षया योऽसौ असद्भूतव्यवहार–
स्तदपेक्षया। तारतम्य ज्ञापनार्थं रागादीनामशुद्धनिश्चयो भण्यते। वस्तुतस्तु शुद्धनिश्चयायेक्षया
पुनरशुद्धनिश्चठयोऽपि व्यवहार एवेति भावार्थः।
શંકા:– વર્ણાદિ જીવથી અલગ છે, તેથી તેમની સાથે જીવનો વ્યવહારનયથી દૂધ અને પાણી જેવો
સંશ્લેષ સંબંધ ભલે હો, પણ આભ્યંતર રાગાદિનો જીવની સાથે સંયોગસંબંધ બની શકતો નથી. એ બન્નેમાં
તો અશુદ્ધનિશ્ચયરૂપ સંબંધ હોવો જોઈએ.
સમાધાન:–એમ નથી કેમ કે દ્રવ્યકર્મબંધનની અપેક્ષાએ જે આ અસદ્ભૂત વ્યવહાર છે તેની અપેક્ષાએ
એમાં સંશ્લેષ સંબંધ માનવામાં આવ્યો છે. જો કે રાગાદિ ભાવોનું જીવમાં તારતમ્ય બતાવવા માટે એને
અશુદ્ધનિશ્ચયરૂપ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક રીતે શુદ્ધનિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધનિશ્ચય પણ વ્યવહાર
જ છે એ ઉક્ત કથનનો ભાવાર્થ છે.
૧૦૨. બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા ૧૬ ની ટીકામાં પણ આ વિષયને સ્પષ્ટ કરતાં લખ્યું છે:–
तथैवाशुद्धनिश्चयनयेन योऽसौ रागदिरूपो भावबन्धः
कथ्यते सोऽपि शुद्धनिश्चनयेन पुद्गलबन्धः एव ।
તેવી જ રીતે અશુદ્ધ નિશ્ચયનયથી જે આ રાગાદિરૂપ ભાવબંધ કહેવાય છે તે પણ શુદ્ધનિશ્ચયનયની
અપેક્ષાએ પુદ્ગલ બન્ધ જ છે.
૧૦૩. એનો જીવની સાથે સંયોગસંબંધ શા માટે કહેવામાં આવ્યો છે. એ વિષય સ્પષ્ટ કરવાને માટે
મૂળાચાર ગાથા ૪૮ ની ટીકામાં આચાર્ય વસુનન્દિ સંયોગસંબંધનું લક્ષણ આપતાં કહે છે:–
अनात्मनीनस्यत्मभावः संयोगः। संयोग एव लक्षणं येषां ते संयोगलक्षणा विनश्वरा इत्यर्थ।
અર્થ: અનાત્મીય પદાર્થમાં આત્મભાવનું હોવું તે સંયોગ છે. સંયોગ જ જેમનું લક્ષણ છે તે
સંયોગલક્ષણવાળા અર્થાત્ વિનશ્વર માનવામાં આવ્યા છે.
૧૦૪. અહીં (ચાલતા વિષયમાં) આચાર્ય કુન્દકુન્દે રાગાદિ ભાવોને જે સંયોગ લક્ષણવાળા કહ્યા છે
તે આ જ અપેક્ષાથી કહ્યા છે કારણ કે એ બન્ધપર્યાયરૂપ હોવાથી અનાત્મીય છે માટે મૂર્ત છે. તાત્પર્ય એ છે કે
રાગાદિ ભાવોને આત્માથી સંયુક્ત બતાવવામાં ઉપાદાનની મુખ્યતા ન હોતાં બંધપર્યાયની મુખ્યતા છે. કેમ કે
એ પૌદ્ગલિક કર્મોના સદ્ભાવમાં જ થાય છે, અન્યથા થતાં નથી. અને જો એ પૌદ્ગલિક કર્મોના સદ્ભાવમાં
જ થાય છે તો એને મૂર્તરૂપે સ્વીકારવાનું ન્યાયસંગત જ છે. અહીં બે દ્રષ્ટિ છે:– એક ઉપાદાનદ્રષ્ટિ અને બીજી
સંયોગદ્રષ્ટિ. રાગાદિને અનાત્મીય કહેવામાં સંયોગદ્રષ્ટિની જ મુખ્યતા છે, નહિતર એનો ત્યાગ કરવાનું બની
શકે નહી. અહીં એમને મૂર્ત અથવા પૌદ્ગલિક માનવાનું એ જ કારણ છે.
૧૦પ. આ રીતે જીવમાં હોવા છતાં પણ ક્રોધાદિભાવ મૂર્ત કેવી રીતે છે એ સિદ્ધ થયું અને એ સિદ્ધ
થતાં મૂર્ત કેવી રીતે છે એ સિદ્ધ થયું અને એ સિદ્ધ થતાં મૂર્ત ક્રોધાદિને જીવના કહેવા એ અસદ્ભૂત
વ્યવહારનય જ છે એમ અહીં નિશ્ચય કરવો જોઈએ. (ક્રમશ:)

PDF/HTML Page 18 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : ૧૭ :
વક્તા અને શ્રોતાના આત્મામાં સિદ્ધભગવંતોને ઉતારીને
સમયસારનું અપૂર્વ માંગળિક
માંગળિકમાં અનંત સિદ્ધભગવંતોનો આદર કરીને આચાર્યદેવ નમસ્કાર કરે છે :–
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गइं पत्ते
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं ।। १।।
ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી કથિત આ સમયપ્રાભૃત અહો! ૧
અહો સમયપ્રાભૃતની શરૂઆત કરતાં સર્વે સિદ્ધભગવંતોને આત્મામાં ઉતારીને આચાર્યદેવ અપૂર્વ
મંગલાચરણ કરે છે. આત્મામાં સાધકસ્વભાવની શરૂઆત થાય તે અપૂર્વ મંગળ છે. આત્માનું પરમધ્યેય એવું
જે સિદ્ધપદ, તેને સાધવાનો જે ભાવ પ્રગટ્યો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ માંગલિક છે.
અત્યારસુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ વડે પોતાના આત્મામાં તથા
પરના આત્મામાં સ્થાપીને આ સમયસાર શરૂ કરું છું. ભાવસ્તુતિ એટલે અંતર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું
પરિણમન અને દ્રવ્યસ્તુતિ એટલે સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને,
મારા તેમ જ શ્રોતાજનોના આત્મામાં અનંત સિદ્ધભગવંતોને સ્થાપું છું. મારો “આત્મા કેવડો? કે અનંતા
સિદ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિદ્ધોને સ્થાપ્યા ત્યાં હવે તેમાં રાગ રહી શકે નહિ. જ્યાં
સિદ્ધોનો આદર કર્યો ત્યાં રાગનો આદર રહે નહિ; એટલે સિદ્ધને પોતામાં સ્થાપતાં જ રાગ સાથેની
એકત્વબુદ્ધિ તૂટી ગઈ, પંચમકાળનો સાધક આત્મા પોતાના સિદ્ધપદ માટે પ્રસ્થાનું મૂકે છે. હે સિદ્ધભગવંતો!
સિદ્ધપદને સાધવા હું ઉપડ્યો છું ત્યાં શરૂઆતમાં જ મારા આત્મામાં આપને સ્થાપું છું અને હે શ્રોતાજનો!
તમારા આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપું છું. હોંસથી હા પાડજો! ના ન પાડશો. અમારો શ્રોતા એવો જ હોય કે
જે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને સાંભળે છે. એકલા રાગમાં ઊભો રહીને નથી સાંભળતો, પણ પહેલે
ધડાકે સિદ્ધપદના ભણકાર લેતો આવે છે. “હું સિદ્ધ...તું સિદ્ધ” –એમ શ્રવણ કરતાં જ આત્મા અંદરથી હકાર
કરતો આવે છે.
આ સમયસાર ભરતક્ષેત્રનું અલૌકિક અમૃતરસથી ભરેલું શાસ્ત્ર છે. માંગળિકમાં જ સિદ્ધપદ સ્થાપીને
સાધકપણાની અપૂર્વ શરૂઆત કરાવે છે.
અહા ચૈતન્ય સાથે સંબંધ જોડતાં નિર્મળ સાધકભાવની સંતતિ શરૂ થાય છે. સિદ્ધપદના પૂર્ણ ધ્યેયે
સાધક ઉપડ્યો...ત્યાં તેનો પુરુષાર્થ પણ એવો છે. અહો, અનંત પરમાત્માઓ! અમારા ચૈતન્યમાં એટલો
અવકાશ છે કે અનંતા સિદ્ધપરમાત્મા સર્વજ્ઞોને પોતામાં સ્થાપીએ છીએ.
અનાદિથી અત્યારસુધી અનંતા સિદ્ધો થયા, તેને પ્રતીતમાં લઈને તેમ જ તેના માર્ગને પ્રતીતમાં લઈને
ચૈતન્યની સન્મુખતા વડે પોતે પણ તેની નાતમાં ભળે છે. હે સિદ્ધભગવંતો! હવે હું આપની નાતમાં આવું છું;
સંસારથી–રાગથી જુદો પડીને સિદ્ધની–શુદ્ધાત્માની નાતમાં ભળું છું.
મારા અને શ્રોતાના બંનેના આત્મામાં હું સિદ્ધોને

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૩
સ્થાપુ છું એમ કહીને આચાર્યદેવે શરૂઆતથી જ શ્રોતાને ભેગો ઉપાડીને વાત કરી છે.
આ રીતે સર્વસિદ્ધોને આત્મામાં સ્થાપીને આ સમયસારનું ભાવવચનથી (શ્રુતજ્ઞાનથી) અને
દ્રવ્યવચનરૂપ વાણીથી પરિભાષણ કરીએ છીએ. જેવી શરૂઆત કરી તેવી પૂર્ણતા થઈ છે. અલૌકિક રચના છે.
અહા, ભરતક્ષેત્રમાં જન્મીને દેહસહિત જેમણે વિદેહક્ષેત્રના તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા તેમની પાત્રતા અને
પુણ્યની શી વાત!!
સિદ્ધભગવંતોને ઓળખીને અને પોતાના આત્મામાં તેવી તાકાત છે એને ઓળખીને, એ રીતે બંનેને
ઓળખીને સિદ્ધને પોતામાં સ્થાપ્યા છે. સાધ્ય જે શુદ્ધાત્મા તેની પ્રતિછંદના સ્થાને સિદ્ધભગવંતો છે તેથી તે
ધ્યેયરૂપ છે તે સિદ્ધભગવંતનું સ્વરૂપ ચિંતવીને અને તેમના સમાન પોતાના સ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને
સંસારીજીવો પણ તેમના જેવા સિદ્ધ થઈ જાય છે. જેણે અંતરમાં સિદ્ધને સ્થાપ્યા તે સિદ્ધનો વારસ થયો, તે
સિદ્ધનો સાધક થયો; જેવા સિદ્ધપરમાત્મા છે તેવો જ હું છું, એમ સ્વભાવની મુખ્યતા કરીને રાગને ગૌણ કરી
નાખ્યો, એમાં પરમ આસ્થા થઈ તે સિદ્ધસમાન પોતાના શુદ્ધાત્માને ધ્યાવીને જીવ પોતે સિદ્ધ થઈ જાય છે.
જેમ બાળક માતાને ધાવીધાવીને પુષ્ટ થાય છે, તેમ સાધક જીવ સિદ્ધસમાન પોતાના શુદ્ધસ્વરૂપને
ધ્યાવીધ્યાવીને સિદ્ધપદને સાધે છે.
સંસારની ચારે ગતિથી વિલક્ષણ એવી જે પંચમગતિ તેને શુદ્ધસ્વરૂપના ધ્યાનવડે આ સમયસારના
વક્તા અને શ્રોતા ચોક્કસ પામે છે, તેમાં શંકાને સ્થાન નથી. આવા ઉત્તમભાવપૂર્વક સિદ્ધભગવંતોને
આત્મામાં પધરાવીને આ સમયસાર શરૂ કર્યું છે.
સિદ્ધગતિ સ્વભાવરૂપ છે; સંસારની ચારે ગતિ તો પરભાવથી ઉત્પન્ન થયેલી છે, કર્મના નિમિત્તથી
થયેલો જે વિભાવ, તેનાથી થયેલી દેવાદિ ચારે ગતિ અધ્રુવ છે; ને આ પંચમગતિ તો સ્વભાવભાવરૂપ
હોવાથી ધ્રુવ છે, તેમાં હવે વિનાશીકતા નથી, એ સાદિઅનંત એવી ને એવી ટકી રહેશે ચારે વિભાવગતિઓને
અને તેના કારણરૂપ વિભાવભાવોને મારા આત્મામાંથી કાઢી નાખીને આવા સિદ્ધભગવંતોને સ્થાપ્યા છે,
એટલે હવે પરિણતિનો પ્રવાહ વિભાવમાંથી પાછો વળીને સ્વભાવ તરફ વળ્‌યો છે. વ્યવહાર અને નિમિત્તનું
ઉપાદેયપણું કાઢી નાખીને એકલા સ્વભાવનું જ ઉપાદેયપણું દ્રષ્ટિમાં લીધું છે. જુઓ આ સિદ્ધપદના સાધકનું
માંગળિક!” પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” તેમ સિદ્ધપદને સાધવા જે ઊભો થયો તેના આવા લક્ષણ
શરૂઆતમાં જ હોય છે. પહેલેથી જ જે રાગની રુચિ ને હોંસ કરે છે તેનામાં સિદ્ધપદને સાધવાનાં લક્ષણ નથી.
સિદ્ધપદને સાધવા જે જાગ્યો તે પહેલે જ ધડાકે સિદ્ધપદને જ આત્મામાં સ્થાપીને રાગ અને વિકલ્પની રુચિને
કાઢી નાખે છે: આહા! –
‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ’
આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ (રાગ કે વિકલ્પ) તેનું માહાત્મ્ય લઈ જાય–એમ નથી; તેના
અંતરમાં એક શુદ્ધ આત્માનું જ માહાત્મ્ય વસ્યું છે. એનાથી અધિક જગતમાં બીજી કોઈ વસ્તુનું માહાત્મ્ય તેને
આવી જાય–એમ બનતું નથી. “સિદ્ધ–સિદ્ધ’ ના ભણકારા કરતો જાગ્યો તે બીજે ક્યાંય રાગાદિમાં અટકતો
નથી. જુઓ આ સિદ્ધપદ માટે સાધકના મહા માંગળિક!
કેવળી અને શ્રુતકેવળી ભગવંતોએ કહેલા આ સમયપ્રાભૃતને હું મારા અને પરના મોહના નાશને
માટે હું કહીશ. સિદ્ધસમાન આત્માને ધ્યેયરૂપે રાખીને આ શરૂ કર્યું છે, માટે તે ધ્યેયને ચૂકશો નહીં.
આચાર્યદેવને પોતાને તો મિથ્યાત્વાદિ મોહનો નાશ થયો છે, પણ હજી જરાક સંજ્વલન કષાય બાકી છે તેનો
નાશ કરવા માટે આ સમયસારનું પરિભાષણ કરે છે, અને શ્રોતામાં જેને જે પ્રકારનો મોહ હોય તેના નાશને
માટે આ શ્રવણ કરજો. એટલે વક્તા અને શ્રોતામાં જેને જે પ્રકારે મોહ હોય તેના નાશને માટે આ સમયસાર
શરૂ કરવામાં આવે છે. આ સમયસાર સમજે તેના મોહનો નાશ થઈ જશે–એમ આચાર્યદેવના કોલકરાર છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
અષાડ : ૨૪૮૭ : ૧૯ :
ભાવશુદ્ધિવિના
માત્ર બાહ્યત્યાગાદિ મોક્ષનું સાધન થતું નથી.
અષ્ટપાહુડ–ભાવપાહુડ ગા. ૪૯ માં કહ્યું કે બાહ્યકુટુંબ વગેરેથી મુક્ત થઈ મુનિવેશ ધારણ કરે પણ
અંદરમાં કર્તૃત્વ–મમત્વરૂપ વાસના ન છૂટે તો તેને મુક્ત અથવા મુનિ ન કહીએ. ગા. ૪૪ માં ભાવશુદ્ધિ વિના
સિદ્ધ ન થવા વિષે શ્રી બાહુબલીનું ઉદાહરણ છે. ગા. ૪પ માં કહે છે કે :–
“મધુપિંગ નામે મુનિએ શરીર અને આહારાદિમાં વ્યાપાર છોડ્યો હતો તે પણ નિદાન વડે ભાવ
શ્રમણપણાને તે ન પામ્યા” તેનું દ્રષ્ટાન્ત નીચે પ્રમાણે છે:–
આ ભરતક્ષેત્ર વિષે સુરમ્ય દેશમાં પોદનાપુરનો રાજા તૃણપિંગલ હતો તે ચારણ યુગલનગરના
રાજા સુયોધનની પુત્રી સુલસાના સ્વયંવરમાં આવ્યો હતો અને ત્યાં જ સાકેતપુરીનો રાજા સગર પણ
આવ્યો હતો. હવે તે રાજકુમારી તથા તેની માતા વગેરેની ઈચ્છા રૂપ અને ગુણનિધાન એવા
મધુપિંગલને પસંદ કરવાની હતી પણ સગરને રાજી કરવા માટે સગરના મંત્રી કપટ કરીને
મધુપિંગલને રાજકન્યા ન વરે તે માટે કલ્પિત સામુદ્રિક શાસ્ત્ર નવું બનાવી મધુપિંગલને દોષ લગાડ્યો
કે આનાં નેત્ર પિંગલ (માંજરા) છે, જે કન્યા આને વરે તે મરણ પામે. ત્યારે રાજકન્યાએ સગરના
ગળામાં વરમાળા નાખી, મધુપિંગલને વરી નહીં તેથી મધુપિંગળે વિરક્ત થઈ દિક્ષા લીધી. પછી માસ
માસના ઉપવાસના પારણે નગરમાં આવતાં સાંભળવામાં આવ્યું કે આ રાજકુમાર તો સર્વાંગ નિર્દોષ
જ છે એમ સામુદ્રિક શાસ્ત્રમાં આવે છે પણ સગરના મંત્રીએ કપટથી ખોટું શાસ્ત્ર બનાવ્યું તેથી કન્યા
આને ન વરી. આમ સગરના મંત્રીનું કપટ જાણી (પરમાં ઈષ્ટ–અનિષ્ટપણાની દ્રષ્ટિ હોવાથી) ક્રોધવડે
નિદાન કર્યું કે મારા તપનું ફળ આ થાઓ કે “જન્માન્તરમાં સગરના કુળને નિર્મૂળ કરું” ત્યાર પછી
મધુપિંગલ મરીને મહાકાલાસુર નામે અસુરદેવ થયો.
ત્યાં પૂર્વભવનું વૈર યાદ કરીને સગરને મંત્રી સહિત મારવાનો ઉપાય શોધવા લાગ્યો અને
ક્ષીરકદંબ બ્રાહ્મણનો પુત્ર જે મહાપાપી હતો તેને મળ્‌યો (જેણે વાદવિવાદમાં વ્રીહિ એટલે જૂના ચોખા
(ચાવલ) એમ અર્થ કરવાને બદલે વ્રીહિ એટલે બકરાં એવો અર્થ કરીને તેને યજ્ઞમાં હોમવાં એમ
હિંસાની પુષ્ટી કરેલી તેને) પશુની હિંસારૂપ યજ્ઞનો સહાયી થવા કહ્યું ને સગરરાજાને યજ્ઞનો ઉપદેશ કરી
યજ્ઞ કરાવ, તારા યજ્ઞનો હું સહાયી થઈશ, એમ કહ્યું ત્યારે સગરરાજા પાસે યજ્ઞ કરાવી પશુ હોમ્યા. તે
પાપથી સગર સાતમી નરકે ગયો અને કાળાસુર સહાયક થઈ યજ્ઞકર્તાને સ્વર્ગે જતો દેખાડ્યો એમ
મધુપિંગલે દ્રવ્યમુનિ થઈને ઉંધી માન્યતા વશ નિદાન કરી મહાપાપ ઉપાર્જન કર્યા. તેથી આચાર્ય કહે છે
કે પરમાં કર્તાપણું–ઈષ્ટ–અનિષ્ટપણું તથા સંયોગથી ભલુ ભુંડું માનનાર ત્યાગી મુનિ થાય તો પણ ભાવ
બગડે છે ને તેથી સિદ્ધિ પામતા નથી.