Atmadharma magazine - Ank 218
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૧૮
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૨) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (કારતક: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
લગની અને પ્રાપ્તિ
આખા જગતના કોલાહલને છોડીને,
તારા ચૈતન્યની શોધ પાછળ લાગ, ચિદાનંદ
તત્ત્વ શું છે તેનો પત્તો મેળવવા તેની લગની
લગાડીને છ મહિના તેના અભ્યાસ પાછળ
લાગ,–તો જરૂર અંતરધામમાં તને તારા
ચૈતન્યની આનંદ સહિત પ્રાપ્તિ થશે. બીજી
બધી કલ્પના છોડીને એક ચૈતન્યના જ
ચિંતનમાં લાગ, તો જરૂર તેની પ્રાપ્તિ તને
તારામાં જ થશે, ખરેખરી લગનીથી ચૈતન્યનો
પત્તો મેળવવા માંગે અને તેનો પત્તો ન મળે–
એમ બને જ નહિ; સાચેસાચી લગનીથી પ્રયત્ન
કરતાં ચૈતન્યતત્ત્વ સ્વાનુભવમાં જરૂર આવે છે.
(૨૧૮)

PDF/HTML Page 3 of 23
single page version

background image
આ છે, મારા ગુરુજીનો ઉપદેશ

* હું જ્ઞાયક છું–એવો નિર્ણય કરીને
અંતરમાં તેનો પત્તો મેળવ.
* અને જ્યાં સુધી જ્ઞાયકનો પત્તો ન
મળે ત્યાં સુધી અંતરમાં એનો પ્રયત્ન
કર્યા જ કર, અને તેનો પત્તો....
* ચૈતન્યનિધિ અહીં તારી પાસે
વિદ્યમાન પડી છે, ઉપયોગને અંતરમાં
વાળ એટલી જ વાર છે.
* બધુંય તારામાં પડયું છે, ક્્યાંય
બહાર ગોતવા જવું પડે તેમ નથી....માત્ર
દ્રષ્ટિ બદલાવવાની છે. દ્રષ્ટિ અંતરમાં
વાળ...કે તારા અચિંત્યનિધાન તારી
સામે–તારી પાસે જ પડયા છે.
તે જ તારું સ્વદ્રવ્ય છે, ને એનાથી બાહ્ય
બીજું બધુંય પર દ્રવ્ય છે, એમ જાણીને
તારા સ્વદ્રવ્યનું જ અવલંબન કર.
સ્વદ્રવ્યના અવલંબને મુક્તિ સધાય છે.

PDF/HTML Page 4 of 23
single page version

background image
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૨) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (માગશર: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ચૈતન્યને સાધવા માટે...સંતોની સેવા
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને ચૈતન્યના સાધક
ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને ઉમળકો આવે છે: અહા! આ
ધર્માત્મા ચૈતન્યને કેવા સાધી રહ્યા છે ‘! એમ તેને પ્રમોદ આવે છે,
અને હું પણ આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધવાનો
ઉત્સાહ જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંતગુરુઓને
તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રીઝવે છે ને સંત–ગુરુઓ
તેના ઉપર પ્રસન્ન થઈને અનુગ્રહપૂર્વક તેને આત્મપ્રાપ્તિ કરાવે છે.
તે મોક્ષાર્થી જીવના અંતરમાં એક જ પુરુષાર્થ માટે ઘોલન
છે કે કઈ રીતે હું મારા આત્માને સાધું?–કઈ રીતે મારા
આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પ્રગટ કરું? આત્મામાં સતત
આવી ધૂન વર્તતી હોવાથી જ્યાં સંત–ગુરુએ તેનો શ્રદ્ધા–
જ્ઞાનાદિનો ઉપાય બતાવ્યો કે તરત જ તેના આત્મામાં તે પ્રણમી
જાય છે. જેમ ધનનો અર્થી મનુષ્ય રાજાને દેખતાં જ પ્રસન્ન થાય
છે અને તેને વિશ્વાસ આવે છે કે હવે મને ધન મળશે ને મારી
દરિદ્રતા ટળશે; તેમ આત્માનો અર્થી મુમુક્ષુ જીવ આત્મપ્રાપ્તિનો
ઉપાય દર્શાવનારા સંતોને દેખતાં જ પરમ પ્રસન્ન થાય છે...તેનો
આત્મા ઉલ્લસી જાય છે કે અહા! મને મારા આત્માની પ્રાપ્તિ
કરાવનારા સંતો મળ્‌યા...હવે મારા સંસારદુઃખ ટળશે ને મને
મોક્ષસુખ મળશે. આવો ઉલ્લાસ અને વિશ્વાસ લાવીને, પછી
સંત–ધર્માત્મા જે રીતે ચૈતન્યને સાધવાનું કહે છે તે રીતે સમજીને
પોતે સર્વ ઉદ્યમથી ચૈતન્યને જરૂર સાધે છે.

PDF/HTML Page 5 of 23
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૧૮
વીર પ્રભુનો માર્ગ
(વીર સં. ૨૪૮૮ના દીપાવલી ઉત્સવ પ્રસંગે
શીલપ્રાભૃત ગાથા ૧૧–૧૨ના પ્રવચનમાંથી)
આજે ભગવાન મહાવીર પરમાત્મા પાવાપુરીથી મોક્ષ
પામ્યા. ભગવાનનો આત્મા આજે પૂર્ણ નિર્મળ પર્યાયે
પરિણમ્યો, ભગવાન આજે સિદ્ધ થયા. પાવાપુરીમાં ઈન્દ્રો અને
રાજાઓએ નિર્વાણનો મોટો મહોત્સવ ઊજવ્યો. તે દીવાળીનો
તેમજ મોક્ષના બેસતા વર્ષનો આજે દિવસ છે. ભગવાનના
મોક્ષને આજે ૨૪૮૮મું વર્ષ બેઠું. ભગવાન પાવાપુરીથી
સ્વભાવઉર્ધ્વગમન કરીને ઉપર સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે.
અનાદિકાળમાં કદી નહોતી થઈ એવી અપૂર્વ દશા આજે
ભગવાનને પાવાપુરીમાં પ્રગટી, તેથી પાવાપુરી પણ તીર્થધામ
છે. સમ્મેદશિખરની યાત્રા વખતે પાવાપુરી યાત્રા કરવા ગયા
ત્યારે ત્યાં અભિષેક કર્યો હતો; ત્યાં (સરોવર વચ્ચે) જ્યાંંથી
ભગવાન મોક્ષ પધાર્યા ત્યાં ભગવાનના ચરણકમળ છે.
તીર્થંકરોનું દ્રવ્ય ત્રિકાળ મંગળરૂપ છે. જે જીવ કેવળજ્ઞાન
પામનાર છે તેનું દ્રવ્ય પણ ત્રિકાળ મંગળરૂપ છે.
ભગવાનનો આત્મા ત્રિકાળ મંગળસ્વરૂપ છે. તેનું દ્રવ્ય
તો ત્રિકાળ મંગળરૂપ છે, જ્યાંંથી મોક્ષ પામ્યા તે ક્ષેત્ર પણ
મંગળ છે, આજે મોક્ષ પામ્યા તેથી આજનો કાળ પણ
મંગળરૂપ છે, ને ભગવાનના કેવળજ્ઞાનાદિરૂપ ભાવ તે પણ
મંગળરૂપ છે, આ રીતે ભગવાન મહાવીર પરમાત્મા દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ ને ભાવથી મંગળરૂપ છે. ભગવાન મોક્ષ પામતાં અહીં
ભરતક્ષેત્રમાં તીર્થંકરનો વિરહ પડ્યો. ભગવાનનું સ્મરણ
કરીને ભગવાનના ભક્તો કહે છે કે હે નાથ! આપે
ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ થઈને આત્માની મુક્તદશાને સાધી,
ને એવો જ આત્મા વાણીદ્વારા અમને દર્શાવ્યો. એવા સ્મરણથી
શ્રદ્ધા–જ્ઞાનની નિર્મળતા કરે તે મંગળ કાળ છે, જ્યાં એવી
નિર્મળદશા પ્રગટે તે મંગળ ક્ષેત્ર છે. શ્રદ્ધા–જ્ઞાનનો જે ભાવ છે
તે મંગળ ભાવ છે, ને તે આત્મા પોતે મંગળરૂપ છે.
ભગવાનનો મોક્ષકલ્યાણક ઊજવ્યા પછી ઈન્દ્રો અને દેવો
નંદીશ્વર દ્વીપે જાય છે અને ત્યાં આઠ દિવસ સુધી ઉત્સવ કરે
છે.
આજે ભગવાનના નિર્વાણનો દિવસ છે, ને આ
અષ્ટપ્રાભૃતમાં પણ આજે નિર્વાણની જ ગાથા વંચાય છે. કઈ
રીતે નિર્વાણ થાય અને કેવા પુરુષને નિર્વાણ થાય–તે વાત
શીલપાહુડની ગાથા ૧૧–૧૨માં કહે છે–

PDF/HTML Page 6 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : પ :
णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिण्ण।
होहदि परिणिव्वाणं जीवाणं चरितसुद्धाणं।।
११।।
ઉપયોગને અંતરમાં ઊંડો વાળીને ચૈતન્યના શાંતરસને ધર્મી અનુભવે
છે. જેમ કુવામાં ઊંડેથી પાણી ખેંચે છે, તેમ સમ્યક્્ આત્મસ્વભાવરૂપ
કારણપરમાત્માને ધ્યેયરૂપે પકડીને, ઉપયોગને તેમાં ઊંડો ઊંડો ઉતારીને પૂર્ણ
શુદ્ધતા થાય છે; આ રીતથી પરિનિર્વાણ થાય છે. નિર્વાણ એ કોઈ બહારની
ચીજ નથી પણ આત્માની પર્યાય પરમ શુદ્ધ થઈ ગઈ ને વિકારથી છૂટી ગઈ
તેનું નામ જ નિર્વાણ છે.
ભગવાનને મનુષ્યદેહ હતો માટે નિર્વાણ થયું કે
વજ્રઋષભનારાચસંહનન હતું માટે નિર્વાણ થયું–એમ નથી, પણ સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન–સમ્યક્્ચારિત્ર અને સમ્યક્્તપથી ભગવાન મુક્તિ પામ્યા. આજે
મહાવીર ભગવાન મુક્તિ પામ્યા, તેમનું આ શાસન ચાલે છે. ભગવાન
સમ્યગ્દર્શનપૂર્વક દર્શન–જ્ઞાન અને ચારિત્રથી પરિનિર્વાણ પામ્યા અને એવો જ
ઉપદેશ આપી ગયા છે. ભગવાન પોતાના પરમ આનંદમાં મહાલી રહ્યા છે,
અતીન્દ્રિય આનંદનો અનુભવ કરી રહ્યા છે. આવી નિર્વાણદશાનો આજનો
મંગળ દિવસ છે ને આ નિર્વાણના ઉપાયની ગાથા પણ મંગળ છે. આ રીતે
દીવાળીમાં માંગળિક છે.
જેણે ચૈતન્યમાં જ ઉપયોગ જોડીને બાહ્યધ્યેયથી ઉપયોગને પાછો
વાળ્‌યો છે એટલે વિષયોથી વિરક્ત થઈને ચૈતન્યના આનંદના દૂધપાકનો
સ્વાદ લ્યે છે, આનંદના અનુભવને ઉગ્ર કરીને સ્વાદમાં લ્યે છે, એવા પુરુષ
નિયમથી ચોક્કસ ધ્રુવપણે નિર્વાણને પામે છે.
જુઓ, આ નિર્વાણનો ધ્રુવમાર્ગ! અંતર્મુખ થઈને જેણે આવો માર્ગ
પ્રગટ કર્યો તે પાછો ફરે નહિ, ધ્રુવપણે તે નિર્વાણને પામે જ. દર્શનશુદ્ધિપૂર્વક
દ્રઢ ચારિત્ર વડે જે જીવ ચૈતન્યમાં એકાગ્ર થાય છે તેને બાહ્યવિષયોથી વિરક્તિ
થઈ જાય છે, એનું નામ જ શીલ છે, ને એવા સમ્યક્્ શીલવાળો જીવ જરૂર
નિર્વાણ પામે છે. ચૈતન્યધ્યેયને ચૂકીને જેણે પરને ધ્યેય બનાવ્યું છે તે જીવને
શીલની રક્ષા નથી, શરીરથી ભલે બ્રહ્મચર્ય પાળતો હોય પણ જો અંદરમાં
રાગની રુચિ છે તો તેને શીલની રક્ષા નથી, તેને દર્શનશુદ્ધિ નથી; તેના
ઉપયોગમાં રાગ સાથે એકતારૂપ વિષયોનું જ સેવન છે. ચૈતન્યસ્વભાવની
રુચિ જેણે પ્રગટ કરી છે ને રાગની રુચિ છોડી છે તેને ચૈતન્યધ્યેયે
બાહ્યવિષયોનું ધ્યેય છૂટી જાય છે. આવું શીલ તે નિર્વાણમાર્ગમાં પ્રધાન છે. એ
રીતે બે ગાથામાં તો દર્શનશુદ્ધિ ઉપરાંત ચારિત્રની વાત કરીને સાક્ષાત્
નિર્વાણમાર્ગ કહ્યો.
હવે એક બીજી વાત કહે છે: કોઈ જ્ઞાની ધર્માત્માને કદાચ વિષયોથી
વિરક્તિ ન થઈ હોય એટલે કે ચારિત્રદશાની સ્થિરતા ન પ્રગટી હોય પણ
શ્રદ્ધા બરાબર છે, ને માર્ગ તો વિષયોની વિરક્તિરૂપ જ છે એમ યથાર્થ માર્ગ
પ્રતિપાદન કરે છે,

PDF/HTML Page 7 of 23
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૧૮
તો તે જ્ઞાનીને માર્ગની પ્રાપ્તિ કહેવામાં આવે છે. સમ્યક્્ માર્ગનું
પોતાને ભાન છે ને સમ્યક્્ માર્ગનું બરાબર પ્રતિપાદન કરે છે,
પણ હજી વિષયોથી વિરક્તિરૂપ મુનિદશા વગેરે નથી–અસ્થિરતા
છે, તો પણ તે જ્ઞાની ધર્માત્મા મોક્ષમાર્ગના સાધક છે, તે મંગળરૂપ
છે, તેને ઈષ્ટમાર્ગની પ્રાપ્તિ છે અને યથાર્થ માર્ગ દર્શાવનારા છે
તેથી તેનાથી બીજાને પણ સમ્યક્્ માર્ગની પ્રાપ્તિ થાય છે. પણ જે
જીવ વિષયોથી–રાગથી લાભ મનાવે તેને તો સમ્યક્્માર્ગની શ્રદ્ધા
જ નથી, તે તો ઉન્માર્ગે છે, અને ઉન્માર્ગનો બતાવનાર છે. ધર્મીને
રાગ હોય પણ તેને તે બંધનું જ કારણ જાણે છે, તેથી રાગ હોવા
છતાં તેની શ્રદ્ધામાં વિપરીતતા નથી, તેને માર્ગની પ્રાપ્તિ છે ને
તેનાથી બીજા જીવો પણ માર્ગની પ્રાપ્તિ કરી શકશે. સત્માર્ગને
પામેલા જીવો જ સત્માર્ગની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ હોય.
અજ્ઞાની રાગથી પોતે લાભ માને છે, ને રાગથી લાભ
થવાનું મનાવે છે, એટલે તે પોતે માર્ગથી ભ્રષ્ટ છે ને તેની પાસેથી
માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. અહા, ચૈતન્યના શ્રદ્ધા–જ્ઞાન અને
તેમાં લીનતારૂપ વીતરાગતા તે જ મોક્ષનો માર્ગ છે. મોક્ષાર્થીએ
એવી વીતરાગતા જ કર્તવ્ય છે, ક્્યાંય જરાપણ રાગ કર્તવ્ય નથી.
રાગનો એક કણીયો પણ મોક્ષને રોકનાર છે તે મોક્ષનું સાધન કેમ
થાય? આમ જ્ઞાનીને શ્રદ્ધા છે. અહા, જ્યાં પુણ્યભાવને પણ
છોડવા જેવો માને છે ત્યાં જ્ઞાની પાપમાં તો સ્વછંદે કેમ પ્રવર્તે?
ચારિત્રદશા રહિત હોય તો પણ સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગમાં જ છે,
કેમકે તેને ચારિત્રની ભાવના છે ને રાગની ભાવના નથી; શ્રદ્ધામાં
તે આખા જગતથી વિરક્ત છે; અદ્ભુત જ્ઞાન વૈરાગ્યની શક્તિ
તેને પ્રગટી છે, અંતરમાં ચૈતન્યને ધ્યેય બનાવીને રાગથી
ભિન્નતાનું ભાન થયું છે. આવા ભાન વગર રાગથી લાભ માને
ને પ્રરૂપે તે તો ઉન્માર્ગમાં છે, તેનો જ્ઞાનનો ઉઘાડ પણ બધોય
નિરર્થક છે; ભગવાનના માર્ગને તેણે જાણ્યો નથી, ભગવાન કઈ
રીતે મોક્ષ પામ્યા તેની તેને ખબર નથી. સમકિતીને અસ્થિરતાને
લીધે વિષયો ન છૂટે તોપણ તેનું જ્ઞાન બગડતું નથી, દ્રષ્ટિના
વિષયમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવને પકડયો છે તે કદી છૂટતો નથી, તે
ધ્યેયના આશ્રયે તે સમ્યક્્ માર્ગમાં વર્તે છે, મોક્ષનાં માણેકસ્તંભ
તેના આત્મામાં રોપાઈ ગયાં છે... વીરપ્રભુના મંગલમાર્ગે તે પણ
મુક્તિને સાધી રહ્યા છે.
પૂર્ણતારૂપ પરિનિર્વાણ મંગળરૂપ છે ને
તેની શરૂઆતરૂપ સમ્યક્ત્વ પણ મંગળરૂપ છે.
આ રીતે સાધ્ય અને સાધક એ બંનેની વાત આજે
માંગળિકમાં આવી છે; આ રીતે દિવાપલીનું માંગળિક કર્યું.
* * * *

PDF/HTML Page 8 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : ૭ :
જ્ઞાની જ્ઞાનના
જ કર્તા છે
જ્ઞાની અબંધપરિણામી છે; અબંધપરિણામી એવા જ્ઞાનીના
જ્ઞાનમયપરિણામ કર્મ વગેરેનાં નિમિત્ત પણ નથી–એમ સમજાવીને
જ્ઞાનીની અલૌકિકદશાનું સ્વરૂપ અહીં ઓળખાવ્યું છે.
(સમયસાર ગાથા ૧૦૦ તથા ૧૦૧ ઉપર આસો વદ ચોથના અદ્ભુત પ્રવચનોમાંથી)

આ કર્તાકર્મ અધિકારમાં આત્માનું પરદ્રવ્ય અને પરભાવોનું અકર્તાપણું બતાવીને એકલો
જ્ઞાયકસ્વભાવ બતાવે છે; તે જ્ઞાનસ્વભાવની સન્મુખતા વડે સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવોની ઉત્પત્તિ થાય છે,
તેના ધર્મી કર્તા છે, અને તે જ ધર્માત્માનું કાર્ય છે.
ધર્મીજીવ પોતાના નિર્મળભાવોમાં વ્યાપે છે, એટલે તે નિર્મળભાવ સાથે તો વ્યાપ્ય–વ્યાપકભાવે
કર્તાપણું છે; અજ્ઞાની મલિનભાવો કરીને તેનો કર્તા થાય છે. પરંતુ પરદ્રવ્યની પર્યાયમાં તો કોઈ આત્મા
વ્યાપતો નથી, એટલે પરનું કર્તાપણું તો છે જ નહિ.
હવે કોઈ પૂછે કે આત્મા પરમાં વ્યાપક થઈને તેને ભલે ન કરે, પરંતુ નિમિત્તપણે તો પરનો કર્તા છે
ને? નિમિત્ત–નૈમિત્તિક ભાવથી તો કર્તાકર્મપણું છે ને?–તો તેનો ઉત્તર આપતાં આચાર્યદેવ ૧૦૦મી ગાથામાં
કહે છે કે ભાઈ, જ્ઞાનસ્વભાવી આત્મા ખરેખર નિમિત્તપણે પણ પરનો કર્તા નથી. વિકારને ખરેખર આત્મા
કહેતા નથી, નિર્મળપર્યાયમાં અભેદ થયો તેને જ આત્મા કહીએ છીએ, ને એવો ‘આત્મા’ પરસન્મુખ નહિ
પરિણમતો થકો કર્મ વગેરેનો પરનો નિમિત્ત પણ થતો નથી. આ ગાથામાં અદ્ભુત–અલૌકિક વાત છે.
* પ્રથમ, ઉપાદાનપણે તો આત્મા આઠ કર્મ વગેરે પરદ્રવ્યની પર્યાયનો કર્તા નથી.
* બીજું, આત્મા જો સ્વભાવથી કર્મ વગેરે પરનો નિમિત્ત હોય તો પરનું નિમિત્તપણું ત્રણે કાળ રહ્યા
જ કરે, એટલે સદાય પરની સન્મુખતા રહ્યા જ કરે, ને સ્વભાવમાં અભેદ થવાનો પ્રસંગ ન રહે.
* યોગ અને વિકારી ઉપયોગ તે કર્મના નિમિત્ત છે, પરંતુ જ્ઞાની ધર્માત્મા તો તે યોગ અને વિકારી–
ઉપયોગના પણ કર્તા નથી, તો પછી તે કર્મના નિમિત્તકર્તા કેમ હોય? નિર્મળ ઉપાદાનમાંથી વિકારનું કર્તાપણું
છૂટી ગયું છે. તેથી વિકારના નિમિત્તે બંધાતા કર્મનું નિમિત્તકર્તાપણું પણ તે ધર્માત્માને છૂટી ગયું છે.
* અજ્ઞાનીના ક્ષણિક યોગ અને વિકારી ઉપયોગ જ કર્મના નિમિત્ત છે, પણ તે વિકારને ખરેખર
આત્મા કહેતા નથી.
* ધર્મીનો આત્મા તરફ વળેલો ભાવ પણ જો કર્મબંધનું નિમિત્ત થયા કરે તો તો કર્મ છૂટે ક્્યારે?

PDF/HTML Page 9 of 23
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૧૮
ને આત્મા આત્મારૂપ થાય ક્્યારે? સ્વભાવ તરફ વળતાં કર્મનું નિમિત્તપણું છૂટી જાય છે.
આત્માનો સ્વભાવ એવો નથી કે કર્મનો નિમિત્ત થાય. જો સ્વભાવથી આત્મા કર્મનો નિમિત્ત હોય તો
તો જગતમાં જ્યાં જ્યાં કર્મ વગેરે કે ઘડો–વસ્ત્ર–રથ–કુંડળ વગેરે કાર્ય થાય ત્યાં ત્યાં તેની સન્મુખ રહેવું પડે,
એટલે સ્વસન્મુખ થવાનો અવસર જ રહે નહિ. પરના કાર્યમાં નિમિત્તપણે ઉપસ્થિત થયા કરે એટલે પર
સન્મુખ જ રહ્યા કરે ને સ્વસન્મુખતા તો થાય જ નહિ, પરપ્રકાશકપણું જ એકાંત રહ્યા કરે ને સ્વપ્રકાશન તો
થાય નહિ, એટલે સમ્યગ્જ્ઞાન થાય નહિ. માટે સ્વભાવથી આત્મા પરના કાર્યનો નિમિત્ત છે એવી જેની દ્રષ્ટિ
છે તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાત્વભાવે વિકારનો કર્તા થઈને તે કર્મના બંધનમાં નિમિત્ત થાય છે; પણ તે
મિથ્યાત્વભાવને ‘આત્મા’ કહેતા નથી. જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા તે જ ખરેખર આત્મા છે, ને તે
આત્મા કર્મબંધનનો કે પરનાં કાર્યનો નિમિત્ત કર્તા પણ નથી.
મારો આત્મા નિમિત્તથી તો પરનો–કર્મનો કર્તા છે ને?–આવી જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિ વિકાર
ઉપર છે, તેની દ્રષ્ટિ આત્માના સ્વભાવ ઉપર નથી. તેને તો હજી વિકાર કરવો છે ને કર્મનું નિમિત્ત
થવું છે, પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાતાપણે નથી રહેવું. અજ્ઞાની પરનો નિમિત્ત થવા જાય છે તેમાં
સ્વસન્મુખજ્ઞાનને ચૂકી જાય છે ને વિકારના કર્તૃત્વમાં અટકી જાય છે. જ્ઞાની તો “મારો આત્મા
નિમિત્તપણે પણ પરનો કર્તા નથી.” એમ જાણીને ઉપયોગને પરથી પાછો વાળી સ્વભાવમાં જ
ઉપયોગને વાળે છે, એ રીતે સ્વભાવ તરફ વળેલો સ્વપરપ્રકાશક ઉપયોગ પોતે તો પરના કાર્યનો
નિમિત્તકર્તા નથી થતો, પરંતુ ઊલટું પરજ્ઞેયોને જ્ઞાતાપણે જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત
બનાવે છે. જુઓ તો ખરા, દ્રષ્ટિ બદલી ત્યાં બધું બદલી ગયું. પહેલાં પોતે અજ્ઞાનભાવે પરનો નિમિત્ત
થતો, તેને બદલે હવે પરને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. સ્વ–પર પ્રકાશક સામર્થ્ય વડે પરને
જ્ઞેયપણે જ જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે.
* કુંભાર ઘડાનો તન્મયપણે તો કર્તા નથી; પણ નિમિત્તપણે તો કર્તા છે ને?–એના ઉત્તરમાં ત્રણ વાત
છે:
* તેનો ત્રિકાળી આત્મા તો ઘડાનો નિમિત્તપણે પણ કર્તા નથી. હવે પર્યાયમાં બે પ્રકાર.
* જો ત્યાં કુંભારનો આત્મા સમ્યગ્દ્રષ્ટિ હોય તો તે સમ્યગ્દ્રષ્ટિની નિર્મળ પરિણતિ તો ચૈતન્ય સાથે જ
અભેદ થઈ છે તેથી તેની પર્યાય પણ ઘડાની નિમિત્તકર્તા નથી. યોગ અને કષાયભાવો તો સ્વભાવથી
ભિન્નપણે હોવાથી તે કાળે જ્ઞાની તેનો અકર્તા છે.
* અને તે કુંભાર જો મિથ્યાદ્રષ્ટિ હોય તો તે અજ્ઞાનભાવે યોગ અને કષાયનો કર્તા થાય છે (યોગ
અને ઉપયોગ એમ કહ્યું છે તેમાં ઉપયોગ તે કષાયરૂપ વ્યાપાર છે), એવા યોગ અને ઉપયોગ તે કર્મ વગેરેના
નિમિત્ત છે. પણ એ નિમિત્તપણાનું કર્તૃત્વ તો અજ્ઞાનભાવમાં છે, ને તે અજ્ઞાનભાવને તો ‘આત્મા’ જ કહેતા
નથી. જ્ઞાનસ્વભાવી આત્મા તો અકર્તા જ છે.
અહા, યોગ અને મલિન ઉપયોગનું કર્તાપણું પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. જે નિર્મળપર્યાય પ્રગટી તેમાં
પણ તે મલિનતાનું કર્તૃત્વ નથી; તો પછી વિકાર વગર આત્મા ઘટ–પટ કે કર્મનો નિમિત્તકર્તા કેમ હોય?
કર્મનું નિમિત્ત તો યોગ અને કષાય છે, તેથી નિમિત્તકર્તાપણું તેને જ લાગુ પડે છે કે જે યોગ અને કષાયનો
કર્તા થઈને પરિણમે છે.
* કર્મની પર્યાય થઈ તે તેનો નિશ્ચય, અને હું તેનો નિમિત્તપણે વ્યવહારકર્તા–જુઓ, આ અજ્ઞાનીની
ઊંધી દ્રષ્ટિ!! તેની પર્યાયમાં વિકારનું કર્તૃત્વ કદી છૂટતું નથી.
* જ્ઞાની તો જાણે છે કે હું સ્વ–પર પ્રકાશક જ્ઞાતા, ને જગતના પદાર્થો જ્ઞેય તરીકે મારા નિમિત્ત! મારી

PDF/HTML Page 10 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : ૯ :
સ્વ–પર પ્રકાશક શક્તિ ખીલી તે નિશ્ચય, અને પરજ્ઞેય નિમિત્તરૂપ તે વ્યવહાર.
પરના નિમિત્તકર્તા થવાની બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી પરસન્મુખબુદ્ધિ હોવાથી સંસાર જ છે.
સ્વભાવમાં જે વિકારને તન્મય માને છે તે જ વિકારનો કર્તા થાય; અને વિકારનો જે કર્તા થાય તે જ કર્મ
વગેરેનો નિમિત્ત થાય. એટલે જેની દ્રષ્ટિમાં પરનું નિમિત્ત થવાની બુદ્ધિ છે તેની દ્રષ્ટિ વિકારમાં જ તન્મય થઈ
છે, એટલે વિકારનું જ સેવન કરી કરીને અને નિર્વિકાર જ્ઞાનસ્વભાવનો અનાદર કરી કરીને તે નિગોદમાં
જશે. જ્ઞાની તો વિકારનું અને ચૈતન્યનું અત્યંત ભેદજ્ઞાન કરીને, વિકારથી ભિન્ન ચિદાનંદ સ્વભાવની જ
આરાધના કરતાં કરતાં, કર્મનું નિમિત્ત–કર્તાપણું પણ છોડીને પોતાના સિદ્ધપદને સાધે છે.
નિમિત્તકર્તા થવાની દ્રષ્ટિનું ફળ નિગોદ...
સ્વભાવસન્મુખદ્રષ્ટિનું ફળ સિદ્ધદશા...
જુઓ, દ્રષ્ટિ ફેરે સૃષ્ટિનો ફેર છે. જ્યાં જેની દ્રષ્ટિ પડી છે તે તરફ તેની સૃષ્ટિ એટલે કે પર્યાયની ઉત્પત્તિ થાય છે.
(આસો વદ ચોથ બપોરે)
જે જેનો કર્તા હોય તે તેનાથી જુદો ન હોય; આત્મા જો પરનો કર્તા હોય તો તે પરથી જુદો ન હોય.
આત્મા ઘડાને કરે તો ઘડાથી અભિન્નપણાને લીધે આત્મા જ ઘડો થઈ જાય.–પણ એવી વસ્તુસ્થિતિ નથી.
આત્મા પરનો કર્તા નથી. અજ્ઞાનભાવથી આત્મા પોતાના વિકારીભાવોને કરે છે, જેની દ્રષ્ટિ ચૈતન્યથી બાહ્ય
છે, જેનું વલણ બહિર્મુખછે–એવો અજ્ઞાની જીવ પરસન્મુખ વર્તતો થકો, ક્ષણિક યોગ–અને બહિર્મુખ ઉપયોગ
વડે જ કર્મનો નિમિત્તકર્તા થાય છે. આ નિમિત્તકર્તાપણું ક્ષણિક અજ્ઞાનથી જ છે, પણ આત્મદ્રવ્યના
સ્વભાવમાં તો નિમિત્તકર્તાપણું પણ નથી. વિકારને કરે ને કર્મને નિમિત્ત થાય–એવું આત્માના દ્રવ્યસ્વભાવમાં
છે જ નહિ...આવો સ્વભાવ દ્રષ્ટિમાં–પ્રતીતમાં લેવો ને સ્વભાવસન્મુખ થઈને નિર્મળ–અકર્તા–ચૈતન્યભાવે
પરિણમવું તે ધર્મ છે, તે જ્ઞાની ધર્માત્માનું કાર્ય છે.
દ્રવ્ય–ગુણ અને તેમાં અભેદ થયેલી નિર્મળ પર્યાય–તેટલો જ આત્મા પરમાર્થ છે; વિકાર તે આત્માનું
પરમાર્થ સ્વરૂપ નથી. માટે વિકાર, નિમિત્ત અને કર્મ નૈમિત્તિક–એવા નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ઉપર જેની
દ્રષ્ટિ છે તેને શુદ્ધઆત્મા ઉપર દ્રષ્ટિ નથી. ભાઈ, તારી દ્રષ્ટિને તું શુદ્ધઆત્મામાં જોડ, અને નિમિત્ત–નૈમિત્તિક
સંબંધની દ્રષ્ટિ છોડ. જે ઉપયોગ અંતરના સ્વભાવમાં વળ્‌યો તે ઉપયોગમાંથી કર્મનું નિમિત્તકર્તાપણું છૂટયું. તે
ઉપયોગે નિજસ્વભાવ સાથે સંબંધ જોડયો અને કર્મ સાથેનો નિમિત્તસંબંધ તોડયો.–આ રીતે પર સાથેનો
સંબંધ તોડીને પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગને જોડવો–તે તાત્પર્ય છે.
સમ્યગ્દ્રષ્ટિ નાની બાલિકા હો કે મોટો હાથી હો, તે પોતાના આત્માને આવો જ અનુભવે છે કે મારો
આત્મા કર્મનો નિમિત્ત પણ નથી. કર્મને નિમિત્ત થાય તે મારું સ્વરૂપ નહિ. શરીરાદિ જડની ક્રિયાનો હું કર્તા
તો નહિ, ને તેની ક્રિયાનો હું નિમિત્ત પણ નહિ. હું તો નિર્મળ જ્ઞાનક્રિયાનો જ કર્તા છું.
આ મધ્યલોકમાં, અઢીદ્વીપ બહાર અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિ તીર્યંચો છે. તેમાં કોઈને
જાતિસ્મરણજ્ઞાન હોય, કોઈને અવધિજ્ઞાન પણ હોય, કોઈને સંયતાસંયતરૂપ પાંચમું ગુણસ્થાન
(શ્રાવકપણું) હોય; તીર્યંચને પણ શ્રાવકપણું હોય છે. મનુષ્યોમાં તો સમ્યગ્દ્રષ્ટિ જીવ સંખ્યાતા જ છે; ને
તીર્યંચોમાં અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવો છે. સંમૂર્છન સિવાયના મનુષ્યોની સંખ્યા જ થોડી (સંખ્યાતી) છે,
ને તેમાંય સમ્યગ્દ્રષ્ટિ તો બહુ થોડા છે, તીર્યંચોની ઘણી મોટી સંખ્યા (અસંખ્યાત) છે, ને તેમાં
અસંખ્યાતમા ભાગે સમ્યગ્દ્રષ્ટિ છે, છતાં તે પણ અસંખ્યાતા છે; કોઈ માછલાં હોય, કોઈ સિંહ હોય,
કોઈ હાથી હોય, કોઈ બન્દર હોય, કોઈ નોળીયા

PDF/HTML Page 11 of 23
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૧૮
હોય કોઈ સર્પ હોય–એવા એવા તીર્યંચોના જીવો પણ ચૈતન્યનું ભાન કરીને સમ્યગ્દર્શન પામે છે; તે બધાય
જીવો પોતાના આત્માને આવો જ અનુભવે છે કે જે નિર્મળભાવ મારા સ્વભાવના આશ્રયે પ્રગટ્યો તેનો જ
હું કર્તા છું; મલિનભાવ તે મારા સ્વભાવનું કાર્ય નથી.
એ રીતે, જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે–એ વાત આચાર્યદેવ ૧૦૧મી ગાથામાં સમજાવે છે:–
અજ્ઞાની અજ્ઞાનભાવથી માત્ર પોતાના વિકારને જ કરતો હતો ને પુદ્ગલકર્મને નિમિત્ત થતો હતો.
હવે તે વાતની ગુંલાટ મારીને જ્ઞાનીનું કાર્ય આચાર્યદેવ સમજાવે છે કે જ્ઞાનીધર્માત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી
ભરેલા એવા જ્ઞાનમયભાવને જ કરે છે અને પુદ્ગલદ્રવ્યના પરિણામને તે પોતાના જ્ઞાનનું જ નિમિત્ત બનાવે
છે.
* અજ્ઞાની તો પોતાના ઉપયોગને મલિન કરીને પુદ્ગલકર્મનું નિમિત્ત બનાવતો હતો.
જ્ઞાની તો પુદ્ગલના પરિણામને પોતાના નિર્મળ ઉપયોગનું જ્ઞેય બનાવતો થકો–તટસ્થપણે તેને
જાણતો થકો–તેમાં જોડાયા વગર તેનો જ્ઞાતા રહેતો થકો–તેને પોતાના જ્ઞાનનું જ નિમિત્ત બનાવે છે.
જ્ઞેયજ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય પર સાથે જ્ઞાનીને બીજો કોઈ સંબંધ નથી, વિકારરૂપ નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ તેને તૂટી ગયો છે. જ્ઞેય–જ્ઞાયક સંબંધમાં તો પોતાના સ્વ–પરપ્રકાશક સામર્થ્યની પ્રસિદ્ધિ છે,
તેમાં કાંઈ વિકાર નથી. દ્રષ્ટિના જોરે જ્ઞાનસ્વભાવના આશ્રયે સ્વ–પર પ્રકાશ સામર્થ્યનો જ્ઞાનીને વિકાસ જ
થઈ રહ્યો છે, તે તો પોતાના જ્ઞાનમય ભાવમાં (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ત્રણેય જ્ઞાનમય ભાવ જ છે–
તેમાં) જ પરિણમે છે; તેના જ્ઞાનમય ભાવમાં બધા આગમનો સાર આવી ગયો છે, તે જીવ
‘અબંધપરિણામી’ થઈ ગયો છે.
અબંધસ્વભાવી તો બધા આત્મા છે, ને જ્ઞાની તો ‘અબંધપરિણામી’ છે. જ્ઞાનીના પરિણામ
અબંધ છે,–બંધપરિણામ જ્ઞાનીને છે જ નહિ. અબંધપરિણામ થયા તે કોને નિમિત્ત થાય?
અબંધપરિણામ શું કર્મના નિમિત્ત થાય? અબંધપરિણામ તો જ્ઞાન ને આનંદમય છે; આવા અબંધ
પરિણામે પરિણમતો જ્ઞાની વિકારનો કર્તા નથી. કર્મબંધનો નિમિત્ત નથી. વાહ! વિકારથી ને કર્મથી
છૂટો જ થઈ ગયો.
પ્રસિદ્ધ હો કે સમ્યગ્દર્શન તે સંવર–નિર્જરા ને મુક્તિ છે, ને સમ્યગ્દ્રષ્ટિને આસ્રવ–બંધ નથી. અને
પ્રસિદ્ધ હો કે મિથ્યાત્વ હી સંસાર હૈ; મિથ્યાદ્રષ્ટિને જ આસ્રવ–બંધ છે. આહા, દ્રષ્ટિની આ વાત સમજે તો
આખી દશા ફરી જાય.
જ્ઞાનાવરણ વગેરે આઠેય કર્મો, શરીર વગેરે–નોકર્મો કે રાગાદિ ભાવકર્મો તે બધાયને જ્ઞાની પોતાના
જ્ઞાનપરિણામથી ભિન્ન જ દેખે છે. તેનો થઈને તેને નથી જાણતો, પણ તટસ્થ રહીને તેને જાણે છે, જ્ઞાનમય
રહીને જ જાણે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. ‘જ્ઞાન’ કયું? કે અંદરમાં વળીને અભેદ થયું તે; એકલા
શાસ્ત્ર વગેરે બહારના જાણપણાને અહીં જ્ઞાન નથી કહેતા; જ્ઞાનસ્વભાવ તરફ વળીને તેમાં તન્મયપણે
આનંદનો અનુભવ કરતું જે જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાનના જ જ્ઞાની કર્તા છે.
અહો! જ્ઞાનીનું અલૌકિક સ્વરૂપ આચાર્યદેવે ઓળખાવ્યું છે. આવા જ્ઞાનીઓને નમસ્કાર હો.
* * * * *

PDF/HTML Page 12 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : ૧૧ :
આનંદથી ભરેલું મંગલ પ્રભાત
સુપ્રભાતરૂપ સંતોનો આત્મા પોતે તો આનંદરૂપ છે
ને બીજા જીવોને માટે પણ તે આનંદનું કારણ છે.

આજે બેસતું વર્ષ છે. ખરેખર તો આત્મામાં સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાતનો સૂર્ય ઊગે તે પ્રથમ
દરજ્જાનું સુપ્રભાત છે, અને આત્માની શક્તિમાંથી અનંત ચતુષ્ટય પ્રગટે, કેવળજ્ઞાન–કેવળદર્શન–
અનંતસુખ ને અનંતવીર્યરૂપ સ્વચતુષ્ટયનું પ્રગટ પરિણમન થઈને ઝળહળતું સુપ્રભાત પ્રગટે તે ઉત્કૃષ્ટ
સુપ્રભાત છે. તે મંગલ પ્રભાત ઊગ્યું તે ઊગ્યું, હવે કદી આથમે નહિ. બહારના સૂર્ય તો અનંતવાર
ઊગ્યા ને પાછા આથમી ગયા, પણ ચૈતન્યના અનુભવમાંથી જે અનંતચતુષ્ટયરૂપ સૂર્ય પ્રગટ્યો તે
આદિઅનંત પ્રકાશમાન છે, તેનો કદી અસ્ત નથી. આવું સાદિઅનંત આનંદરૂપ સુપ્રભાત પ્રગટ્યું તે મહા
મંગળ છે, તેમાં સંસારરૂપી રાત્રિના અંધકારનો અભાવ છે. મિથ્યાત્વરૂપી રાત્રિનો નાશ કરીને
સમ્યગ્દર્શનરૂપી સૂર્ય પ્રગટ્યો તે પણ મંગળ સુપ્રભાત છે. અને સંસારરૂપી રાત્રિના અંધકારનો નાશ
કરીને કેવળજ્ઞાનરૂપી ઝળહળતો ચૈતન્યપ્રકાશ પ્રગટ્યો તે મહામંગળરૂપ છે. આવા મંગળ સુપ્રભાતના
મહિમાનો કળશ આજે વંચાય છે.
चित्पिंडचंडिमविलासीबिकासहासः
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः।
आनंदसुस्थितसदास्खलितैकरूपः
तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। २६८।।
આત્મામાં સુપ્રભાતનો ઉદય થાય છે.–કઈ રીતે? કે દરેક આત્મામાં કેવળજ્ઞાનાદિ સ્વભાવચતુષ્ટય
શક્તિરૂપે તો ત્રિકાળ રહેલા છે, તેમાં અંતર્મુખ થતાં પર્યાયમાં કેવળજ્ઞાનાદિ સ્વચતુષ્ટયનો ઉદય થાય છે. જે
પુરુષ અનેકાન્તવડે ઓળખીને અનંતધર્મસ્વરૂપ આ ચૈતન્યપિંડનો આશ્રય કરે છે તેને ચૈતન્યના વિલાસથી
શોભતું, જ્ઞાન અને આનંદ વગેરે ચતુષ્ટયથી ઝળહળતું સુપ્રભાત ઉદય પામે છે. વિકાર તો અંધકાર છે ને
ચૈતન્ય તો પ્રકાશ છે. આ રીતે રાગ અને જ્ઞાનના ભેદજ્ઞાન વડે આત્મસ્વભાવની દ્રષ્ટિ કરતાં અતીન્દ્રિય
આનંદમય અમૃતના સ્વાદ સહિત સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત ઊગે છે. જેને આવું પ્રભાત ઊગ્યું તેને
આત્મામાંથી અનાદિના અંધારાં ટળ્‌યાં ને અપૂર્વ પ્રકાશ ખીલ્યો. તે આત્મા પોતે તો સ્વયં આનંદરૂપ છે ને
બીજા (તેને ઓળખનારા) જીવોને માટે પણ તે આનંદનું કારણ છે.
આવું સુપ્રભાત કેમ ખીલે? ચિદાનંદસ્વભાવનો આશ્રય, ને વિભાવનો આશ્રય નહિ,–એ રીતે
ચૈતન્યભૂમિકાના આશ્રયે ચૈતન્યકળી ખીલી જાય છે. સમ્યગ્દર્શનરૂપી પ્રભાત પણ ચિદાનંદસ્વભાવના
આશ્રયથી થાય છે ને કેવળજ્ઞાનરૂપી પ્રભાત પણ તેના જ આશ્રયથી થાય છે. આ સમ્યગ્દર્શન તેમજ
કેવળજ્ઞાન–એ બંને આનંદમય સુપ્રભાત છે, બંનેનો શુદ્ધપ્રકાશ અતિશય છે. અહો, જ્યાં સમ્યગ્દર્શન અને
કેવળજ્ઞાનરૂપી દીવડા પ્રગટ્યા ત્યાં આત્મામાં દીવાળી (–દીપાવલી, એટલે કે સમ્યગ્દર્શન આદિ
નિર્મળપર્યાયરૂપ દીપકોની હારમાળા) પ્રગટી, ને સાદિઅનંત મંગળરૂપ નવું

PDF/HTML Page 13 of 23
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૧૮
અપૂર્વવર્ષ બેઠું. જેને ચૈતન્યસ્વરૂપ આત્માની અનુભૂતિ પ્રગટી તે જીવ મોક્ષની નજીક આવ્યો ને તેને ખરું
સુપ્રભાત ઊગ્યું. તે આત્મા પોતે જ મંગળરૂપ પરિણમી ગયો, ને જગતના જીવોને માટે પણ તે મંગળરૂપ છે.
વળી ચૈતન્યતત્ત્વ અનંત આનંદરસથી–ચૈતન્યરસથી ભરેલું છે. તેના આશ્રયે જે સુપ્રભાત ખીલ્યું તે
આનંદમાં સુસ્થિત છે, ભગવાન આત્મા આનંદના અનુભવમાં સ્થિર થયો છે, આનંદનો સ્વાદ લેવામાં
લયલીન થઈને ઠર્યો છે. જે આવી દશા પ્રગટી તે સદાય અસ્ખલિત છે, તેમાં કર્મ વગેરેની કોઈ બાધા નથી,
તેમાં ફરીને સ્ખલના નથી, વિઘ્ન નથી, ભંગ નથી. ચૈતન્યના આશ્રયે પ્રગટેલું તે સુપ્રભાત ચૈતન્યની સાથે જ
સદાય અસ્ખલિતપણે ટકી રહેશે, તેના પ્રકાશને કોઈ રોકી શકે નહિ; તેમાં વિકારનું કોઈ કલંક નથી ને કર્મનું
કોઈ આવરણ નથી; એકલા શુદ્ધ આનંદથી તે ભરપૂર છે. આત્મામાં જ્યાં આવું અપૂર્વ વર્ષ બેઠું–અપૂર્વ
પર્યાયરૂપી મંગલપ્રભાત ખીલ્યું–ત્યાં તે આનંદના અનુભવરૂપી લાપશીનાં ભોજન કરે છે. લ્યો આ નવા
વરસની લાપશી પીરસાય છે. સુપ્રભાત–એટલે સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયોરૂપી સુપ્રભાત
છે તે અતીન્દ્રિય આનંદના અનુભવથી ભરેલું છે. સમ્યગ્દર્શન પણ અતીન્દ્રિય આનંદથી ભરેલું છે ને
કેવળજ્ઞાન પૂર્ણ આનંદથી ભરપૂર છે. અહા, અસંખ્યપ્રદેશે આનંદમય ચૈતન્યદીવડાથી ભગવાન આત્મા
ઝળહળી ઊઠયો–શોભી ઊઠયો, તે મંગલ પ્રભાત છે, તેનો પ્રકાશ હવે કોઈથી ડગે નહિ તેથી તેની જ્યોત
અચલ છે. કેવળજ્ઞાનની કે સમ્યગ્દર્શનની જ્યોતિ અચલ છે. આ રીતે ચૈતન્યમાં સ્થિર થઈને સ્વવીર્યથી
કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની રચના કરીને ભગવાન આત્મા સાદિઅનંત સુપ્રભાતપણે શોભે છે. તે અપૂર્વ
માંગલિક છે.
આ રીતે બેસતા વર્ષનું માંગલિક કર્યું.
– વીર સં. ૨૪૮૮ : કારતક સુદ એકમના
મંગળ પ્રવચનમાંથી.
સુપ્રભાતનો ઉદય
અનેકાન્તદ્રષ્ટિ વડે ચિદાનંદસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તેને
સ્વસન્મુખતામાં ચૈતન્યના જ્ઞાનાનંદથી વિલસતું, શુદ્ધ પ્રકાશથી શોભતું,
આનંદમય સુપ્રભાત ખીલે છે. અહા, જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેમાં જેણે
પ્રવૃત્તિ કરી અને પરભાવોથી નિવૃત્તિ કરી–એ રીતે ચૈતન્યભૂમિકાનો આશ્રય કર્યો
તેને સમ્યક્્ શ્રદ્ધા–જ્ઞાન–આનંદ અને વીર્યથી ઝળહળતું મંગલ–પ્રભાત ઊગ્યું..
આત્મામાં આ પ્રભાત ઊગ્યું...તે ઊગ્યું, હવે ફરીને કદી તે આથમશે નહિ, તેના
વિકાસને કોઈ રોકી શકે નહીં.
અહા, આવું સુપ્રભાત ખીલવનારા સંતો, જંગલમાં બેઠા બેઠા કેવળજ્ઞાન
ખજાનાને શોધવામાં મસ્ત, અંદરમાં ઊંડા ઊંડા ઊતરીને આનંદના દરિયામાં મગ્ન
હોય, તેને જોતાં ચક્રવર્તી જેવાને પણ એમ થાય કે વાહ! પ્રભો, આપ ચૈતન્યને
સાધી રહ્યા છો...હમણાં આપનો આત્મા અનંત ચતુષ્ટયરૂપ સાધ્યને પ્રગટાવી
સુપ્રભાતપણે ઝળહળી ઊઠશે...એમ કહીને એનાં ચરણોમાં ચક્રવર્તી પણ શીર
ઝૂકાવે છે.
ચૈતન્યસ્વભાવની અંતર્મુખ થઈને જે શ્રદ્ધા કરશે તેને અલ્પ કાળમાં
કેવળજ્ઞાન પ્રકાશથી ઝળકતું સુપ્રભાત પૂર્ણપણે ખીલી જશે–એવા સંતોના
આશીર્વાદ છે.
(સુપ્રભાત–પ્રવચનોમાંથી : વીર સં. ૨૪૮૭)

PDF/HTML Page 14 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : ૧૩ :
અ નુ ભૂ તિ ની રી ત
(સમયસાર ગાથા – ૧૪૪ના પ્રવચનમાંથી)
“અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.”

મંગલ–આશયવાળા જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે–પક્ષાતિક્રાન્તનું શું સ્વરૂપ છે? તેનો આ ઉત્તર ચાલે
છે. જેમ કેવળી ભગવાન સમસ્ત નયપક્ષોથી અતિક્રાન્ત છે તેમ શ્રુતજ્ઞાની પણ સ્વસંવેદનમાં સમસ્ત
નયપક્ષના ગ્રહણ રહિત હોવાથી પક્ષાતિક્રાન્ત છે. આ રીતે જે પક્ષાતિક્રાન્ત છે તે જ શુદ્ધઆત્મા છે, તે જ
સમયસાર છે–એવો નિયમ બતાવે છે, અને તેવું પક્ષાતિક્રાન્તપણું કેમ પ્રગટે અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટે તે
વાત ૧૪૪મી ગાથામાં આચાર્યદેવ અલૌકિક રીતે સમજાવે છે–
સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર છે.
શુદ્ધાત્માના વિકલ્પો ઊઠે તેને કાંઈ સમ્યગ્દર્શન નથી કહેવાતું; સમ્યગ્દર્શન એવું નામ તો શુદ્ધઆત્માને
જ કહેવાય છે. અંતર્મુખ થઈને જે આત્મા સમ્યક્્–શ્રદ્ધા–જ્ઞાનરૂપે પરિણમ્યો તેને જ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ ઊઠયો તે કાંઈ સમ્યગ્દર્શન નથી. તેમજ તે ખરેખર
સમ્યગ્દર્શનનું સાધન પણ નથી. નવતત્ત્વના વિકલ્પની જાળમાં જેનો ઉપયોગ અટક્યો છે તેનો ઉપયોગ
ખંડિત થાય છે, તેને ‘સમ્યગ્દર્શન’ એવું નામ આપી શકાતું નથી. વિકલ્પોથી દૂર થઈને–અંતર્મુખ સ્વભાવમાં
જે ઉપયોગ વળ્‌યો તે ઉપયોગ સ્વરૂપના ધ્યાન વડે આત્મદ્રવ્ય સાથે એકાકાર અભેદ થયો. આવી અભેદપર્યાયે
પરિણમેલો આત્મા તે જ સમ્યગ્દર્શન છે. અહા, જ્યાં સુધી સ્વસન્મુખ નિર્ણય વડે અંતરમાં સ્વવસ્તુને પહોંચી
વળવાની તાકાત પ્રગટ ન કરે ત્યાં સુધી ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવે નહિ. “આ ચૈતન્યવસ્તુ જ હું છું ને
તેમાં જ મારે ઢળવા જેવું છે.” એવા નિર્ણયના જોર વગર જ્ઞાનનું પરિણમન અંતરમાં વળે નહીં. વિકલ્પો તો
થાકી થાકીને પાછા વળે છે, તેનામાં એવી તાકાત નથી કે ચૈતન્યસ્વભાવ સુધી પહોંચી શકે. વિકલ્પનું
અવલંબન છોડીને સીધું જ્ઞાનાનંદસ્વભાવનું અવલંબન કરવું તે જ સ્વાનુભવનો ને સમ્યગ્દર્શનાદિનો ઉપાય
છે.
હવે જુઓ, આચાર્યદેવ સ્વાનુભવની રીત સમજાવે છે:
“પ્રથમ તો શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને...” જુઓ, આ
પહેલી વાત! અનુભવ માટે પ્રથમ શું કરવું? તો કહે છે કે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ
આત્માનો નિશ્ચય કરવો. પહેલાં રાગનું અવલંબન કે વ્યવહારનું અવલંબન–એમ નથી. શ્રુતજ્ઞાનનું જ અવ–

PDF/HTML Page 15 of 23
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૧૮
લંબન છે, ને તેના વડે જ એટલે કે ભાવશ્રુતને અંતર્મુખ કરીને જ આત્માના સ્વભાવનો નિર્ણય થાય
છે. આત્મા કેવો? કે જ્ઞાનસ્વભાવરૂપ; જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને થાય
છે. અનુભવ કરનાર જીવ પહેલાં આવા આત્માનો નિર્ણય કરે છે. તે નિર્ણય સ્વ તરફ ઢળતો છે; તે
નિર્ણયમાં વિકલ્પનું અવલંબન નથી, સ્વભાવ તરફ ઢળતા જ્ઞાનના બળે તે નિર્ણય થાય છે. આવો
નિર્ણય તે દર્શનમોહને અત્યંત મંદ કરી નાંખે છે. મારા અનુભવ માટે મને જ્ઞાનનું જ અવલંબન છે,
વિકલ્પનું અવલંબન નથી–આવો દ્રઢ નિર્ણય કર્યા પછી નિર્ણયના જોરે મતિ–શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ
કરતાં ભગવાન આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થાય છે. સ્વસન્મુખ થયેલા મતિ–શ્રુતજ્ઞાન ઈન્દ્રિયો કે મનદ્વારા
પ્રવર્તતા નથી. તેમને ઈન્દ્રિયોનું કે મનનું અવલંબન છૂટીને આત્માનું જ અવલંબન રહ્યું છે, તેથી તે
અતીન્દ્રિય થયા છે. આવા મતિ–શ્રુત વડે આનંદના અનુભવ સહિત આત્માની પ્રસિદ્ધિ એટલે કે
અનુભવ થાય છે.–આ અનુભવની રીત છે. વિકલ્પના વેદનમાં આત્મતત્ત્વની પ્રસિદ્ધિ થતી નથી, તેમાં
તો રાગ અને આકુળતાની જ પ્રસિદ્ધિ થાય છે. શ્રુતજ્ઞાનના વિકલ્પો પણ આકુળતા ઉપજાવનારા છે. તે
શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને એટલે કે અંતર્મુખ કરીને આત્મસન્મુખ કરતાં તત્કાળ ભગવાન આત્મા
નિજ–આનંદરસથી પ્રગટ થાય છે. આત્મસન્મુખ થવું તે શ્રુતજ્ઞાનની મર્યાદા છે. વિકલ્પમાં અટકવું તે
શ્રુતજ્ઞાનની મર્યાદા નથી. અરે, પરસન્મુખ શ્રુતના વિકલ્પોથી તો આકુળતા ઉત્પન્ન થાય છે, તો તે શાંત
અનાકુળ ચૈતન્યરસના વેદનનું સાધન કેમ થાય? અરે પ્રભુ! બાહ્ય પદાર્થોને પ્રસિદ્ધ કરનારું પરસન્મુખ
જ્ઞાન તો આસ્રવભાવસહિત છે તો તે સ્વાનુભવરૂપ સંવરનું કારણ કેમ થાય? જ્ઞાનને અંતર્મુખ કરતાં જ
સમસ્ત વિકલ્પો છૂટી જાય છે, વિકલ્પને સાથે લઈને ચૈતન્યમાં પ્રવેશાતું નથી પણ તેને બહાર રાખીને
(–વિકલ્પરહિત થઈને) જ ચૈતન્યમાં પ્રવેશ થાય છે.–આ એક જ પરમાર્થ ઉપાય છે. વિરુદ્ધ વિકલ્પો
(કુદેવાદિની માન્યતાની બુદ્ધિ) તો દૂર રહો, પણ સાચા દેવ–ગુરુ અને તેમણે કહેલાં યથાર્થ તત્ત્વોના
વિકલ્પો તે પણ સ્વાનુભવમાં પ્રવેશવાનું સાધન નથી. પણ જ્યારે અત્યંત વિકલ્પરહિત થઈને જ્ઞાનને
સ્વસન્મુખ કરે ત્યારે તત્કાળ નિજરસથી સ્વાનુભવના આનંદસહિત આત્મા પ્રગટ થાય છે. આવા
સ્વાનુભવ વડે જ આત્મા સમ્યક્્ સ્વરૂપે દેખાય છે. તેથી તે જ સમ્યગ્દર્શન છે, ને તે જ સમ્યગ્જ્ઞાન છે;
તેને જ ‘સમયસાર’ કહેવાય છે.
ચૈતન્યગોળો જેમ દેહથી છૂટો છે તેમ વિકલ્પોથી પણ છૂટો જ છે. વિકલ્પની ભેળસેળ વડે
ચૈતન્યગોળાનું સમ્યક્્સ્વરૂપ દેખાતું નથી. છૂટો ચૈતન્યગોળો નિર્ણયમાં લઈને મતિશ્રુતજ્ઞાન જ્યાં તેમાં
સ્વસન્મુખ થઈને એકાકાર થયા ત્યાં ચૈતન્યગોળો સમસ્ત વિકલ્પોથી છૂટી જાણે કે વિશ્વની ઉપર તરતો હોય!
એવો અનુભવ થાય છે. તે નિજરસથી–શાંત ચૈતન્યરસથી ભરપૂર છે; તેમાં પરમ શાંતિરૂપ નિરાકુળતા છે;
કેવળ એકલો ચૈતન્યઘન આત્મા વિશ્વથી જુદો અનુભવમાં આવે છે. આ રીતે અખંડ પ્રતિભા સમય, અનંત,
વિજ્ઞાનઘન, પરમ આત્મસ્વરૂપને જ્યારે આ આત્મા સ્વસંવેદનથી અનુભવે છે ત્યારે–તે વખતે જ આત્મા
સમ્યક્્પણે દેખાય છે, ને જણાય છે, તેથી તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આવા અનુભવ પહેલાંની
શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેતા નથી, ને આવા અનુભવ પહેલાંના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન કહેતા નથી. સ્વાનુભવ
પહેલાં જે શ્રદ્ધા–જ્ઞાન હતાં તે યથાર્થ ન હતા. તે હજી વિકલ્પમાં ક્્યાંય અટકતા હતા, તેમાં આત્માની પ્રસિદ્ધિ
ન હતી. અને આ તો નિર્વિકલ્પ અનુભવથી, જ્ઞાનના જ અનુભવ વડે સમ્યક્્શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાન થયા છે,
તેમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ છે.
આત્મામાં અંતર્મુખ થઈને જે અનુભવ થયો તેમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમાઈ જાય છે,
આખોય મોક્ષમાર્ગ અનુભવમાં સમાઈ જાય છે.

PDF/HTML Page 16 of 23
single page version

background image
માગશર : ૨૪૮૮ : ૧પ :
અનાદિથી નિર્ણય નહોતો એવો નિર્ણય પહેલાં કરીને જ્ઞાન જ્યાં અંતર્મુખ થયું ત્યાં નિર્વિકલ્પ વેદનમાં
જ્ઞાન અને વિકલ્પ તદ્રન જુદા પડ્યા, જ્ઞાન તો અંતરમાં એકાકાર થયું, ને વિકલ્પ બહાર રહી ગયો.
અહો! સર્વજ્ઞતાના ધામરૂપ પોતાનો આત્મા છે–એમ તેનું બહુ જ માહાત્મ્ય, બહુ જ આદરને બહુ જ
ઉત્સાહ લાવીને ઉપયોગ તે તરફ વળે ત્યાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે. નયપક્ષનો
સૂક્ષ્મ વિકલ્પ તે પણ આસ્રવ જ છે, હું તો જ્ઞાનસ્વભાવ છું ને મારે મારા જ્ઞાનસ્વભાવનું જ અવલંબન
કરવા જેવું છે–એવો દ્રઢ નિર્ણય કર્યા વગર નિર્વિકલ્પભાવ કદી થાય નહિ. જેના નિર્ણયમાં જ ભૂલ હોય,
જે વિકલ્પના અવલંબનથી લાભ માનતો હોય તેને કદી નિર્વિકલ્પભાવ અથવા તો સમ્યગ્દર્શન–જ્ઞાન
પ્રગટે નહિ. ભગવાન શુદ્ધઆત્મા વિકલ્પ વડે નથી પ્રકાશતો. પણ નિર્વિકલ્પભાવ વડે જ પ્રકાશે છે.
બહારની ચિંતા તો ક્્યાંય દૂર રહો, પણ અંદરના વિકલ્પ વડે ચિંતા કરતાં પણ આત્મા અનુભવાતો
નથી ચૈતન્યમાં જેણે પોતાનો ઉપયોગ લીન કર્યો છે એવા નિશ્ચળ–નિશ્ચિંત આત્મલીન પુરુષો વડે
શુદ્ધઆત્મા અનુભવાય છે. અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવા માટે આ જ એક સાધન છે. જેનો પરમ
અચિંત્ય મહિમા છે એવો સમયસાર (શુદ્ધ આત્મા) જે નિર્મળ પરિણતિ વડે સ્વયં આસ્વાદમાં આવ્યો,
વિકલ્પના અવલંબન વગર પોતે પોતાથી જ અનુભવમાં આવ્યો, તે જ્ઞાનરસથી ભરેલો ભગવાન છે, તે
જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આચાર્ય ભગવાન કહે છે કે અહો, વિશેષ શું કહીએ?–જે કાંઈ છે તે
આ એક જ છે; અનુભૂતિમાં બધુંય સમાઈ જાય છે.
ચૈતન્યના રસનો રસીલો થઈને હે જીવ! તારા આત્માને વિજ્ઞાનરસવાળો જ અનુભવ.
અજ્ઞાનભાવે પરાશ્રયથી લાભ માની માનીને ભીખારી થયો હતો, તેણે જ્યાં સ્વસન્મુખ થઈને સ્વાશ્રય
કર્યો ત્યાં તે ‘ભગવાન’ થયો. સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને ‘ભગવાન’ તરીકે દેખે છે. જેને સમ્યગ્દર્શન
થયું તે જ પરમાત્માનો ખરો ભગત થયો, તે જ ભગવાનનો ખરો દાસ થયો; અંતરમાં ઝૂકીને નિર્વિકલ્પ
થયો તેને સમ્યગ્દર્શન કહો, તેને મોક્ષમાર્ગ કહો, તેને પરમેશ્વર કહો, તેને તરણતારણ કહો, તેને મુક્ત
કહો, ભગવાન કહો, તેને પરમ શાંતિ કહો, અતીન્દ્રિય આનંદ કહો, ભગવાનનો સાક્ષાત્કાર કહો,
આત્મસાક્ષાત્કાર કહો, ઈશ્વરનાં દર્શન કહો, એને વીતરાગીવિજ્ઞાન કહો, વિકલ્પાતીત કહો, દેહાતીત
કહો, મનાતીત કહો, વચનાતીત કહો, ધર્માત્મા કહો, પૂજ્ય કહો, પંચપરમેષ્ઠીપદ કહો.– આત્માની
નિર્વિકલ્પદશામાં બધુંય સમાઈ જાય છે.
અહા, એકવાર જ્યાં આવો અનુભવ થયો ત્યાં જ્ઞાન પોતે પોતામાં જ આવી મળે છે, જેમ પાણી
ઢાળવાળા માર્ગે સહેજે ચાલ્યું જાય તેમ વિજ્ઞાનઘનનો રસિલો થયો ત્યાં જ્ઞાનનું વલણ જ્ઞાન તરફ જ
વળ્‌યું ને વિકલ્પ તરફથી પાછું ફર્યું. જેમ સમૂહથી જુદું પડીને બીજા ફાંટામાં વળી ગયેલું પાણી વનમાં
જ્યાં ત્યાં ભમતું હોય, પણ જો તે પાણીને બળપૂર્વક ઢાળવાળા માર્ગે પાણીના પ્રવાહ તરફ વાળવામાં
આવે તો તે પાણીના પ્રવાહમાં ભળી જઈને, પોતે પોતાના પ્રવાહ તરફ ખેંચાય છે, ને એક પ્રવાહ થઈ
જાય છે. તેમ ભગવાન આત્મા પરમ ચૈતન્યરસનો મોટો પ્રવાહ છે; પણ તે પોતાના વિજ્ઞાનઘન
સ્વભાવને ભૂલીને, સ્વભાવથી ભ્રષ્ટ થઈને, વિકલ્પના કર્તાપણે વિકલ્પના ગહનવનમાં ભમતો હતો,
પણ હવે ભેદજ્ઞાન વડે રાગને અને જ્ઞાનને જુદા જુદા જાણીને, તે ભેદજ્ઞાનના બળવડે આત્માને
વિજ્ઞાનઘનસ્વભાવમાં વાળવામાં આવ્યો; અને વિકલ્પોમાંથી પાછો વાળવામાં આવ્યો; આવા ભેદજ્ઞાની
જીવ કેવળ વિજ્ઞાનઘન ચૈતન્યરસના જ રસીલા છે, તે આત્માને વિજ્ઞાનરસવાળો જ અનુભવે છે. પહેલાં
પર્યાય પરસન્મુખ ઢળીને વિકલ્પરૂપી વનમાં ભમતી, તે પર્યાયને જ્યાં સ્વસન્મુખ વાળી ત્યાં ચૈતન્યના
ઉત્કૃષ્ટ રસપૂર્વક જ્ઞાન પોતે પોતામાં લીન થયું. પર્યાયનો પ્રવાહ ચૈતન્ય–

PDF/HTML Page 17 of 23
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૧૮
સ્વભાવ સાથે ભળીને એકરસ થઈ ગયો.–આવા એકરસપણે ચૈતન્યના શાંતરસનો નિર્વિકલ્પ અનુભવ થયો,
તેમાં બધુંય સમાઈ જાય છે; આખોય આત્મા અને આત્માના બધાય ધર્મો તેમાં સમાઈ ગયા.
ધર્માત્માને ચૈતન્યના રસનું જ રસિકપણું થયું છે, એ સિવાય જગતના કોઈ પદાર્થનો તેને રસ નથી,
પ્રીતિ નથી; વિકલ્પનો પણ તેને રસ નથી. નિર્વિકલ્પ ઉપયોગ વડે પરમ વીતરાગી વિજ્ઞાનરસ સ્વાદમાં
આવ્યો તેનો જ ધર્મીને રસ લાગ્યો છે...તેથી કહ્યું છે કે:–
અનુભવ ચિંતામણિ રતન અનુભવ હૈ રસકૂપ
અનુભવ મારગ મોક્ષકો અનુભવ મોક્ષસ્વરૂપ.
ઉપયોગ અંતર્મુખ થઈને જ્યાં ચૈતન્યના પૂરમાં ભળ્‌યો ત્યાં જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનમાં જ વળ્‌યો....એ
પ્રવાહ વેગપૂર્વક વધીને કેવળજ્ઞાન થાય છે. એ પ્રવાહમાં અનંત ગુણોના નિર્મળ પરિણમનનો સાથ છે. જ્ઞાન
જ અંતર્મુખપણે જ્ઞાનને વધારતું જાય છે, બહારમાં કોઈનું અવલંબન નથી. પોતે પોતાના સ્વાલંબનથી જ
પોતામાં લીન થતું જાય છે. આવી અનુભવી ધર્માત્માની દશા છે: તે વિકલ્પના અકર્તાપણે શોભે છે ને અબંધ
જ રહે છે.
* * * * *
જે જાણે છે તે જાણે જ છે :
જે કરે છે તે કરે જ છે.
જે વિકલ્પનો કર્તા થાય છે તે કેવળ વિકલ્પને કરે જ છે; તે કર્તા થઈને વિકલ્પને જ રચે છે પણ
મોક્ષમાર્ગને જરા પણ રચતો નથી; અરે, વિકલ્પના કાર્યથી જુદા જ્ઞાનને જાણતો પણ નથી. અને જે જ્ઞાની
ભેદજ્ઞાનવડે જ્ઞાન અને રાગને ભિન્ન ભિન્ન જાણે છે તે કેવળ જાણે જ છે, તે વિકલ્પને જરાપણ કરતો નથી.
સમ્યગ્દ્રષ્ટિને જેટલે અંશે સમ્યગ્દર્શનાદિ છે તેટલા અંશે અબંધપણું છે, ને જેટલા અંશે રાગાદિ છે તેટલા અંશે
બંધન છે–એમ કહ્યું, પણ તેનો અર્થ એમ નથી કે સમ્યગ્દ્રષ્ટિને તે રાગાદિનું કર્તૃત્વ છે. ધર્મી તો જાણનાર જ
રહે છે. જ્ઞાનભાવનો જ કર્તા થઈને પરિણમતો થકો વિકલ્પના અંશ માત્રને જ્ઞાન સાથે એકમેક કરતો નથી;
જ્ઞાની જ્ઞાનપણે જ રહે છે, વિકલ્પનો કર્તા થતો નથી. વિકલ્પને જ કાર્ય માનીને તેના કર્તૃત્વમાં જે અટક્યો તે
કદી આત્માને જાણતો નથી. અને જે આત્માને જ્ઞાનસ્વભાવી જાણે છે તે કદી વિકલ્પને કરતો નથી. વિકલ્પ
થાય તે જ્ઞાનથી બહારને બહાર રહે છે. “જ્ઞાનીને રાગ છે” એમ કહેવું તે ઉપચાર છે, જ્ઞાનીને તો જ્ઞાન જ છે,
ને રાગ તો તેને જ્ઞેયપણે જ છે, જ્ઞાનના કાર્યપણે નથી.
અહો, જ્ઞાનની અંદર વિકલ્પની ક્રિયા જરાપણ ભાસતી નથી. અને વિકલ્પની અંદર જાણવારૂપ ક્રિયા
જરાપણ ભાસતી નથી. જ્ઞાન અને વિકલ્પ બંનેની જાત જ જુદી; જ્ઞાનમાં વિકલ્પ નથી ને વિકલ્પમાં જ્ઞાન
નથી. જ્ઞાનની અતીન્દ્રિય આનંદથી ભરેલી અનુભૂતિ થઈ ત્યાં વિકલ્પનું કર્તૃત્વ સ્વપ્નેય ન રહ્યું. શાંતરસના
સ્વાદ પાસે વિકલ્પની આકુળતાના સ્વાદને પોતાનો કેમ જાણે? અને જે વિકલ્પના સ્વાદમાં અટક્યો તે
ચૈતન્યના શાંતરસને ક્્યાંથી અનુભવે?
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિની દિશા જ જુદી છે. જ્ઞાની તો જ્ઞાતા જ છે ને વિકલ્પનો
કર્તા નથી; અને અજ્ઞાની વિકલ્પને જ કરે છે પણ જ્ઞાનના નિર્વિકલ્પસ્વાદને અનુભવતો નથી.
જ્ઞાની અને અજ્ઞાનીના ભિન્ન ભિન્ન કાર્યની ઓળખાણ દ્વારા આચાર્યદેવે સ્વભાવ અને વિભાવનું
ભેદ–

PDF/HTML Page 18 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : ૧૭ :
જ્ઞાન કરાવ્યું છે. જ્ઞાનીનું કાર્ય જ્ઞાનમય જ છે, તેમાં વિકારની કિયા નથી; અજ્ઞાનીનું કાર્ય રાગમય છે,
તેમાં નિર્મળજ્ઞાનની ક્રિયા પ્રતિભાસતી નથી. જડની ક્રિયાની વાત તો અહીં નથી, અહીં તો અંદરના
પરિણામની વાત છે. જ્ઞાનીને કેમ ઓળખવા? કે જ્ઞાનક્રિયા વડે જ્ઞાનીને ઓળખવા; અને રાગના
કર્તાપણાવડે અજ્ઞાનીને ઓળખી લેવો, અર્થાત્ જેના અભિપ્રાયમાં રાગનું કર્તૃત્વ છે તે અજ્ઞાની જ છે–
એમ સમજવું.
જુઓ, પહેલાં શું કરવું તે વાત પણ આમાં આવી જાય છે. ‘હું જ્ઞાનસ્વભાવ જ છું’ એમ પહેલાં
નિર્ણય કરવો.–તે નિર્ણય જ્ઞાન વડે જ થાય છે, વિકલ્પ વડે તે નિર્ણય થતો નથી. વિકલ્પને–શુભરાગને
કે વ્યવહારને જે સાધન માને, તેના અવલંબનથી મને હિતપ્રાપ્તિ થશે–એમ જે માને તેને તો નિર્ણયમાં
જ ભૂલ છે, તેની તો શરૂઆત જ ખોટી છે. હું તો જ્ઞાન જ છું, રાગાદિભાવો મારા જ્ઞાનથી બાહ્ય છે
એવા દ્રઢ નિશ્ચય વગર સાચા પ્રયત્નની શરૂઆત પણ થાય નહિ. અહો, કર્તાકર્મઅધિકાર દ્વારા
આચાર્યદેવે એવી સ્પષ્ટ વસ્તુ સ્થિતિ સમજાવી છે કે જો આત્માનો અર્થી થઈને સમજે તો અપૂર્વ
ભેદજ્ઞાન થયા વિના રહે નહિ.
જ્ઞાનક્રિયા અને રાગના કર્તાપણારૂપ કરોતિક્રિયા–એ બંને અત્યંત જુદી છે; કેવી જુદી?–કે જે
સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય અત્યંત ભિન્ન છે તેમ જ્ઞાનક્રિયા અને રાગક્રિયા અત્યંત ભિન્ન છે; સ્વદ્રવ્યના
આશ્રયે ઊપજતી જ્ઞાનક્રિયા, અને પરદ્રવ્યના આશ્રયે ઊપજતી કરોતિક્રિયા–એ બંનેને જરાય એકપણું
નથી, અત્યંત ભિન્નપણું છે. રાગથી લાભ પણ માને અને જ્ઞાતાપણે પણ રહે–એમ બની શકતું નથી,
કેમ કે જે રાગનો કર્તા થાય છે તેને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જ્ઞપ્તિક્રિયા હોતી નથી; અને જે જ્ઞાતા
છે તે વિકારના કર્તાપણે પરિણમતો નથી. અરે, આવું સ્પષ્ટ ભેદજ્ઞાન...છતાં અજ્ઞાની જીવો વિકાર સાથે
કર્તાકર્મની ક્રિયાપણે કેમ પરિણમે છે?–એમના અંતરમાં મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યા છે? જો
યથાર્થ ભેદ સમજે તો તે કર્તાકર્મપણું રહે નહિ. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ચૈતન્યશક્તિથી ભરપૂર અત્યંત
ગંભીર જ્ઞાનજ્યોતિ ઉગ્રપણે ઝળહળી ઊઠી, તેમાં વિકારના કર્તૃત્વરૂપ અંધકાર ક્્યાંય ન રહ્યો; અને કર્મ
સાથે નિમિત્ત–નૈમિત્તિકપણું પણ છૂટી ગયું. જ્ઞાન જ્ઞાનપણે જ પરિણમવા લાગ્યું...ને આત્માના
ચિદાનંદસ્વરૂપમાં જ મુક્તપણે વિલાસ કરવા લાગ્યું.
* * * * *
સિદ્ધપદ તરફ...
ચૈતન્યને સાધનારા સમકિતી સંતો સિદ્ધપદ તરફ જઈ રહ્યા છે,
ને ચૈતન્યની વિરાધના કરનારા જીવો નિગોદ તરફ જઈ રહ્યા છે. અરે!
નિગોદના દુઃખોની શી વાત? સાતમી રૌરવ નરકના દુઃખ કરતાંય
નિગોદનું દુઃખ અનંતું છે. એનું વર્ણન વચનથી ન થાય. જેમ એક તરફ
સિદ્ધનું પરમ સુખ–તેનું પણ વચનથી વર્ણન ન થાય, તેમ નિગોદનું
મહાદુઃખ–તેનું પણ વચનથી વર્ણન થઈ શકે નહિ. આવા દુઃખોથી છૂટવા
અને સિદ્ધસુખને પામવા હે જીવ! સમ્યક્ત્વ નૌકા વડે તું સિદ્ધપદ તરફ
જા...

PDF/HTML Page 19 of 23
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૧૮
– પરમ શાંતિ દાતારી–
*અધ્યાત્મભાવના *
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(વીર સં. ૨૪૮૨ અષાડ વદ એકમ: સોમવાર વીરશાસનપ્રવર્તન–દિવ્યધ્વનિ–મંગલ દિન)
(સમાધિશતક ગા. ૬૦)
આજે મહાવીર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે. તેમને ૬૬ દિવસ પહેલાં કેવળજ્ઞાન થયું
હતું પણ હજી ઉપદેશ નીકળ્‌યો ન હતો; ૬૬ દિવસ બાદ આજે રાજગૃહીમાં વિપુલગીરી ઉપર સમવસરણમાં
ગૌતમ સ્વામી આવતાં સૌથી પહેલવહેલો ઉપદેશ નીકળ્‌યો...ને તે ઝીલીને ગૌતમસ્વામીએ ગણધરપદેથી
શાસ્ત્રો રચ્યાં...એ શાસ્ત્રોની પરંપરા આજે પણ ચાલી રહી છે. શાસનનું બેસતું વર્ષ પણ આજે છે, ને
જગતના નિયમપ્રમાણે પણ આજે જ બેસતું વર્ષ છે.
ભગવાન મહાવીર પરમાત્માનો પૂર્ણ વિકાસ આ ભવમાં થયો; પણ ત્યાર પહેલાં તે આત્મામાં ધર્મની
શરૂઆત (સમ્યગ્દર્શન પ્રાપ્તિ) તો દશ ભવ પહેલાં સિંહના ભવમાં થઈ ગઈ હતી; ત્યાર પછી અનુક્રમે
આગળ વધતાં પૂર્વના ત્રીજા ભવમાં નંદરાજાના ભવમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું...ત્યાંથી પછી આગળ વધતાં
આ છેલ્લો ભવ હતો. તેમાં ભગવાને બાલબ્રહ્મચારીપણે દીક્ષા લીધી...પછી આત્મધ્યાનમાં લીન થતાં થતાં
કેવળજ્ઞાન વૈશાખ સુદ દસમે પ્રગટી ગયું...પરિપૂર્ણ આનંદ પ્રગટી ગયો. પૂર્વે તે આનંદનું ભાન તો હતું અને
“અહો! આ આનંદમાં લીન થઈને પરિપૂર્ણ આનંદ પ્રગટ કરું...મારા આનંદમાં લીન થાઉં, અને આવો આનંદ
જગતના જીવો પણ પામે.” એવી ભાવના પૂર્વે ભાવી હતી, તે અત્યારે કેવળજ્ઞાન થતાં પૂર્ણ થઈ...ભગવાનને
આત્માની શક્તિમાંથી અચિંત્ય જ્ઞાન ને આનંદ પૂરેપૂરાં ખીલી ગયાં...
જુઓ, ભગવાનની તિજોરીનાં તાળાં ખૂલી ગયાં..ને કેવળજ્ઞાનનાં અનંત નિધાન પ્રગટ્યા.
ઉત્સાહપ્રસંગે બહેનો ગીતમાં ગાય છે કે “તિજોરીના તાળાં ખોલજો” તેમ અહીં તો ભગવાને
ચૈતન્યતિજોરીનાં તાળાં ખોલી નાંખ્યા છે..અને દિવ્યધ્વનિ વડે જગતને એ નિધાન બતાવ્યાં છે.
વૈશાખ સુદ દસમે ભગવાનને કેવળજ્ઞાન થયું...ઈન્દ્રોએ આવીને મહોત્સવ કર્યો...ને સમવસરણ રચ્યું.
દેવો–મનુષ્યો ને તિર્યંચોની સભા ભરાણી. સૌ ભગવાનની વાણી સાંભળવા આતુર હતા..પણ છાંસઠ દિવસ
સુધી ભગવાનની વાણી ન છૂટી. તીર્થંકરોની વાણીનો એવો નિયમ છે કે તેમની વાણી છૂટે ત્યાં ઝીલીને ધર્મ
પામનારા જીવો હોય જ. ભગવાનની વાણી છૂટે ને જીવો ધર્મ ન પામે એટલે કે ભગવાનની વાણી નિષ્ફળ
જાય એમ કદી ન બને. છાંસઠ દિવસ સુધી ગણધરપદને લાયક કોઈ જીવ ન હતા, ને અહીં વાણીનો યોગ પણ
ન હતો. છાંસઠ દિવસ બાદ

PDF/HTML Page 20 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : ૧૯ :
આજના દિવસે ઈન્દ્રને વિચાર આવ્યો કે ભગવાનની વાણી કાં ન છૂટે? તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે
ગણધરપદને લાયક જીવ હાજર નથી, ને તે લાયકાત ઈન્દ્રભૂતિ–ગૌતમમાં છે; એટલે ઈન્દ્ર પોતે બ્રાહ્મણનું
રૂપ ધારણ કરીને ઈન્દ્રભૂતિને વાદવિવાદના બહાને ભગવાનના સમવસરણમાં તેડી લાવે છે.
સમવસરણમાં દૈવી માનસ્તંભ અને દૈવી વૈભવ જોતાં જ ગૌતમનાં માન ગળી જાય છે; ભગવાન પાસે
નમી જાય છે, અને ત્યાં દિવ્યધ્વનિ છૂટતાં ગણધરદેવ તે ઝીલીને બાર અંગની રચના કરે છે, તે આજનો
દિવસ છે.
ભગવાનના દિવ્યધ્વનિને ઝીલીને ગૌતમસ્વામીએ જે બાર અંગની રચના કરી તેની પરંપરામાં
ધરસેનાચાર્યદેવને અમુક જ્ઞાન મળેલું, તે તેમણે પુષ્પદંત–ભૂતબલિએ બે મુનિઓને આપ્યું, ને તેમણે તે
षट्खंडागम રૂપે રચ્યું. જે હજાર વર્ષોથી તાડપત્ર ઉપર લખેલા હતા, ને આજે હવે છપાઈને બહાર
આવ્યાં છે. આ ઉપરાંત કુંદકુંદાચાર્યદેવને પણ મહાવીર ભગવાનની પરંપરાનું કેટલુંક જ્ઞાન મળ્‌યું હતું
તેમજ પોતે મહાવિદેહમાં જઈને સાક્ષાત્ સીમંધર–પરમાત્માની વાણી સાંભળી હતી,–તેમણે સમયસારાદિ
મહાન શાસ્ત્રો રચ્યાં છે, તેમાં પણ ભગવાનનો ઉપદેશ ગુંથ્યો છે.
જ્યાં મહાવીર ભગવાન વિચર્યાં, જ્યાં ભગવાનનો પહેલવહેલો ઉપદેશ નીકળ્‌યો અને તે ઝીલીને
અનેક જીવો રત્નત્રયધર્મ પામ્યા, તે વિપુલાચલ પર્વત તીર્થં છે, ત્યાંથી ૨૪ મા તીર્થંકરના તીર્થનું પ્રવર્તન થયું
છે. ગણધર ભગવાને બાર અંગરૂપ શાસ્ત્રો પણ ત્યાં જ રચ્યા છે, એટલે શાસ્ત્રની ઉત્પત્તિનું પણ તે
તીર્થસ્થાન છે. અહા! ગણધરદેવની તાકાતની શી વાત? ચાર જ્ઞાનનાં ધારક, શ્રુતકેવળી અને ઉત્કૃષ્ટ
લબ્ધિઓના ધારક ગણધરદેવ એક અંતર્મુહૂર્તમાં બાર અંગની રચના કરે છે, અને મોઢેથી પણ અંતર્મુહૂર્તમાં
બાર અંગ ઉચારી શકે એવી તેમની વચનલબ્ધિ છે. તેઓ તદ્ભવમોક્ષગામી–ચરમશરીરી હોય છે. અહા, ક્્યાં
ક્ષણ પહેલાંનાં ગૌતમ–જેઓ મહાવીરપ્રભુ સાથે વાદવિવાદ કરવા આવતા હતા! અને ક્્યાં ક્ષણ પછીના
ગૌતમ–કે જેઓ ગણધરપદ પામ્યા, ને જેમણે બાર અંગની રચના કરી! ચૈતન્યની અચિંત્ય તાકાત છે. સવળો
પુરુષાર્થ કરતાં તે ક્ષણમાં પ્રગટે છે.
ભગવાનની સભામાં રાજગૃહીના રાજા શ્રેણીક મુખ્ય શ્રોતા હતા, તેમણે ભગવાનના ચરણમાં ક્ષાયિક
સમ્યક્ત્વ પ્રગટ કર્યું હતું અને તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું. તેઓ આ ભરતક્ષેત્રે આવતી ચોવીસીમાં પહેલા
તીર્થંકર થશે.
તીર્થંકર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો રચાયાં તે પણ તીર્થ છે, કેમ કે તે તરવાનું નિમિત્ત છે.
ગણધરદેવ પણ તીર્થ છે; ગણધર–તીર્થની સ્થાપના પણ આજે થઈ. ભગવાનના પ્રવચનને પણ તીર્થ કહેવાય
છે, તેની ઉત્પત્તિ આજે થઈ, રાજગૃહીનગરમાં પંચશૈલપુર (પાંચ પહાડી) છે, ત્યાં વિપુલાચલ ઉપર સૌથી
પહેલવહેલો દિવ્યધ્વનિ આજના દિવસે છૂટયો હતો. એ રીતે આજનો દિવસ મંગલ છે, શાસનના મહોત્સવનો
મોટો દિવસ છે.
ભગવાનનો ઉપદેશ જીવોને બોધિ અને સમાધિનું કારણ છે; અહીં સમાધિ શતક વંચાય છે તેમાં પણ
એ જ વાત સમજાવે છે.
આત્મતત્ત્વ અમૃતથી ભરેલું છે, પરમ આનંદથી ભરેલું છે; પણ મૂઢ અજ્ઞાની જીવો તેની પ્રીતિ
કરતા નથી ને બહિરાત્મબુદ્ધિથી બાહ્યવિષયોમાં જ કૌતુક કરીને તેમાં પ્રીતિ કરે છે; જ્ઞાનીને તો આત્માના
અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બાહ્યવિષયોનું કૌતુક છૂટી ગયું છે.–એ વાત આ ૬૦મી ગાથામાં
પૂજ્યપાદ સ્વામી બતાવે છે–