PDF/HTML Page 1 of 25
single page version
PDF/HTML Page 2 of 25
single page version
વર્ષ: ૧૯ અંક: ૪) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (માહ : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
નજર કરીને આનંદના દરિયાને દેખો... ચૈતન્યના
આનંદસ્વભાવને દેખતો નથી. જ્ઞાની તો જાણે છે કે હું
પદાર્થની મારે જરૂર નથી; આવું ભાન હોવાથી જ્ઞાની
PDF/HTML Page 3 of 25
single page version
ફાગણ સુદ બીજના રોજ સોનગઢમાં સીમધંરપ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ છે; આ ફાગણ સુદ
વળી સૌખ્યમય છે જેહ તે હું – એમ જ્ઞાની ચિંતવે. ૯૬
સહજચારિ૫સ્વરૂપ છું અને હું સહજ ચિત્શક્તિસ્વરૂપ છું– એમ
ભાવના કરવી.)
ગ/હે,
જાણે–જુએ જે સર્વ, તે હું–એમ જ્ઞાની ચિંતવે. ૯૭
PDF/HTML Page 4 of 25
single page version
ગુરુદેવે એ પણ બતાવ્યું છે કે એવો અનુભવ
પાત્રતા કેવી હોય? કષાયની મંદતા અને ધર્માત્મા
રાજકોટમાં રાત્રિચર્ચા વખતે પૂ. ગુરુદેવે જેનો
ઉપયોગી હોવાથી અહીં પ્રસિદ્ધ કર્યું છે.
ભગવાન આત્મા એકલો ખરેખર જ્ઞાનસ્વભાવ–ભાવસ્વરૂપ છે; એવા જ્ઞાનસ્વભાવની અંતરદ્રષ્ટિમાં
નથી. પછી તે શ્રાવક હો કે મુનિ હો. શ્રાવકને માટે પણ એક જ વાત છે ને મુનિને માટે પણ એક જ વાત છે.
PDF/HTML Page 5 of 25
single page version
સમજાણું? શ્રાવકનો પણ આ જ ધર્મ છે. બીજે ઠેકાણે વ્યવહારથી કથન આવ્યું હોય ત્યાં એમ જાણવું કે
અશુભથી બચવા માટે શુભનો એવો કાળ એને હોય છે.
પૂજા એવા ભાવ હોય, પણ એ રાગ તે કષાયમંદ છે અને તે પુણ્યબંધનું કારણ છે, મોક્ષનું કારણ એ નથી,
શ્રાવકને પણ મોક્ષનું કારણ એ નથી. પૂજા–ભક્તિ કે દાન તે શ્રાવકને મોક્ષનું કારણ છે–એમ જે કહેવામાં
આવ્યું તે વ્યવહારથી છે, ખરેખર પરમાર્થે તેમ નથી. પરમાર્થ તો, ચૈતન્યપ્રભુ જ્ઞાનસમુદ્ર જેના મધ્યબિંદુમાં
કેવળજ્ઞાનની પર્યાયો અનંતી–અનંતી–અનંતી પ્રગટ થાય એવું જે વસ્તુસ્વભાવમાં સામર્થ્ય છે. તેમાં એકાકાર
થઈને જ્ઞાનનું નિષ્તુષ અનુભવન કરવું તે પરમાર્થ મોક્ષકારણ છે. તેમાં વ્યવહારના રાગની ભેળસેળ નથી,
રાગરૂપી ફોતરું નથી. તુષ એટલે ફોતરું; નિષ્તુષ એટલે ફોતરાં વગરનું. વ્યવહાર હો ભલે, પણ
સ્વભાવસન્મુખની નિર્મળ અનુભવમાં તે વ્યવહારની ભેળસેળ નથી.
આત્મા ચૈતન્યસ્વરૂપ સ્વભાવ છે, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન ને જ્ઞાન જ મૂળપણે (મુખ્યપણે) ભાસે છે.
અનુભવ થવો એ એક જ–અનુભવજ્ઞાનની નિર્મળદશા તે જ મુક્તિનું કારણ છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રની સ્થિરતાનો અંશ એ ત્રણે બોલ એમાં આવી ગયા. જ્ઞાનનું આવું નિષ્તુષ અનુભવન તે જ
પરમાર્થ છે.
પરમાર્થ સ્વભાવ જે અનાદિ અનંત ચૈતન્યસત્ત્વ છે તેમાં એકાગ્રતાથી સ્વભાવ સન્મુખદશાની નિર્મળતા–એ
એક જ પરમાર્થ છે.
ભક્તિ અધિકાર વંચાયો હતો ને બીજીવાર (૨૦૧પમાં) દાન અધિકાર વંચાયો; ભક્તિ–દાન વગેરેના ભાવ
હોય એવો વ્યવહાર છે ને! એનું સ્વરૂપ પણ જેમ હોય તેમ બતાવવું જોઈએ ને?
માટે ભલે એ દયા કામની ન હોય.
જુઓ ભાઈ, વાત એમ છે કે, સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર, જ્ઞાની, એનો વિનય તો પહેલો હોય જ. એ
ચારિત્ર, તથા તેના પામેલા દેવ–ગુરુ અને તેના કહેનારા શાસ્ત્ર,–એના પ્રત્યે બહુ માન, બહુ વિનય
અવિનયનો અભાવ, વિરોધનો અભાવ–એવો ભાવ હોય જ; જેને એ ન હોય તેને તો કદી સમ્યગ્દર્શન થાય
નહીં. સમજાય છે?–આ વાત તો ઘણીવાર આવે છે, અહીં તો હવે અત્યારે પરમાર્થ મોક્ષમાર્ગ શું છે તે વાત
ચાલે છે.
PDF/HTML Page 6 of 25
single page version
જેને એટલો ભાવ પણ ન હોય તે એના વિના સમ્યગ્દર્શન પામી જાય એમ બને નહિ; અને એટલા ભાવથી
સમ્યગ્દર્શન પામી જાય–એમ પણ નથી.
જેટલી છે, પણ એનો અનાદર કે એનો વિરોધ હોય ને કોઈ ધર્મ પામી જાય–કે જ્ઞાન પામી જાય એમ
ત્રણકાળ ત્રણલોકમાં ન બને. જ્ઞાનીનો વિરોધ કરે, જ્ઞાનીનો અવિનય કરે, જ્ઞાનીની અસાતના કરે, જ્ઞાની
સામે દ્વેષ કરે, અને એનો જે વિનય છે તે વિનય ન કરે ને અવિનય કરે–એ તો તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર
પાપ છે. એનાથી બચવા માટે ભક્તિ વગેરેનો શુભભાવ હોય પણ એ ભાવની મર્યાદા રાગની મંદતા સુધી
આવે છે.
એક જ્ઞાની–સમ્યગ્દ્રષ્ટિ ચંડાળ હોય તો પણ એને જોઈને જિજ્ઞાસુ જીવને એમ થાય કે અહો! આ
વચનનો વિરોધ, એના ભાવનો વિરોધ, ધર્મની જિજ્ઞાસાવાળાને ન હોય,–હજી ધર્મ પામવાની વાત તો
પછી.
છે–અને આવી ગયેલી એટલે ભૂલાઈ ગયેલી હોય–કેટલીક તો!! ભગવાન! આ વાતું બાપા! કોઈ જુદી
છે! સ્વ સ્વભાવનું પામવું–એની પ્રથમ લાયકાતમાં, ઉપદેશ સાંભળવાની લાયકાતમાં, એના ઉપદેશને
શ્રવણ કરવાની વિનયતામાં, એની યોગ્યતામાં, એની પાત્રતામાં કેટલો કષાય મંદ હોય! કેટલી નરમાશ
હોય! શાસ્ત્રમાં કહે છે કે જેમ સોનું (હેમ) વાળ્યું વળે એવી જેની કષાયની મંદતા હોય–છતાં એ
કષાયની મંદતાનું લક્ષ પર ઉપર છે, સ્વમાં લક્ષ વાળવા માટે એને સહાયક કહેવામાં આવતું નથી.–બે
વાત છે.
બોલ્યા, કે એના ખ્યાલમાં ધારણાની વાત આવી–એટલેથી માની લ્યે કે હવે કલ્યાણ થઈ જશે. પણ
બાપુ! અંદરમાં માર્ગની રીત કોઈ બીજી છે. એકદમ હળવો! પ્રકૃતિમાં એટલો વિનય, નમ્રતા,
સ્વભાવની એટલી કુણપ, અંદરમાં એટલી નરમાશ કે જ્યાં વાળવો હોય ત્યાં વળે,–જ્યાં નાખવી હોય
એની કોર એની દ્રષ્ટિ જાય.–આવી પહેલી પાત્રતા હોય, એ તો પહેલે નંબરે, પહેલેથી જ કહેતા આવે છે.
એટલુંય જેને નથી તેને તો ધર્મની લાયકાત પણ નથી; છતાં એટલે આવ્યો તેથી સમ્યગ્દર્શન થઈ જાય કે
ધર્મ પામી જાય–એમ પણ નથી.
સર્વજ્ઞ પરમાત્માનું પ્રતિબિંબ, સર્વજ્ઞ પરમાત્માના સંતો એ અમારા સાધર્મી છે...એ અમારા સાધર્મી છે!
અમારા સાધર્મી પ્રત્યે અમને બહુ વિનય....વિનય....વિનય અને બહુમાન છે.–આમ કુંદકુંદાચાર્ય જેવા પણ
અંદર કહે છે. છઠ્ઠે ગુણસ્થાને આવ્યા તેને પણ આવો પ્રમોદ આવે છે કે અહા!
PDF/HTML Page 7 of 25
single page version
નથી, વસ્તુ નથી. પહેલેથી રાગની મંદતાની એટલી લાયકાત જોઈએ કે સાંભળેલું હોય તો પણ એને એમ
લાગે કે અહા!–એમ આહ્લાદ આવે; એને બદલે જેને એમ થાય કે આ તો અમને આવડે છે, આ તો અમે
સાંભળેલ છે.–એની લાયકાત નથી. ‘એ તો અમને આવડે છે...મહારાજ તો કીધા કરે, દરરોજ કહે છે એની
એ વાત!’–અરે....સાંભળ રે સાંભળ! એવા સાંભળ્યા ને જાણપણા થઈ ગયા માટે તને જ્ઞાન થઈ ગયું કે
આવડી ગયું!–એ મોટો સ્વચ્છંદ છે અંદર. જ્યાં એટલી તો લાયકાત એનામાં પહેલાં ન હોય–ત્યાં ધર્મ ક્્યાંથી
પામે? પાત્રતા હોય એને તો આમ ખ્યાલમાં અંદર આવે કે આહાહા! અમે તો જ્ઞાનીના દાસાનુદાસ છીએ...
દાસાનુદાસ છીએ, એના ચરણના સેવક છીએ. એવી ભક્તિ દેવ–ગુરુ–શાસ્ત્ર અને જ્ઞાની પ્રત્યે હોય. જેનો
ભાવ આવો વિનયનો ન હોય અને નવ પૂર્વ ભણી ગયો હોય તો ય મોટા મીંડા છે. ચક્કરડાં!
પણ એ પરલક્ષમાં વૃત્તિનું વહન તેની મર્યાદા રાગની મંદતા જેટલી છે. ગુરુ ઉપદેશાત્ પામી જાય–
ગુરુઉપદેશથી પામ્યો?
મિથ્યાત્વમાંથી પણ મુક્ત થવાનો નથી.–છતાં મિથ્યાત્વથી મુક્ત થવાના કાળ પહેલાં ઉપર કહ્યો તેવો
વિનયાદિનો ભાવ હોયા વગર હોય નહીં. અને પછી પણ, સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થયા પછી પણ, એને જ્ઞાની
સર્વજ્ઞ પરમાત્મા, એની સ્થાપના–પ્રતિબિંબ, એના દ્રવ્યની યોગ્યતા–તીર્થંકર થવાની કે સર્વજ્ઞ વગેરે થવાની.
એનો ભાવ,–એના પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ. જો કે એની મર્યાદા વિકલ્પ પૂરતી છે, પણ એને
ઉડાવીને અંતરમાં કોઈ ગરી જાય કે સમ્યગ્જ્ઞાન પામી જાય–એમ ત્રણકાળ ત્રણલોકમાં ન બને. અને એને
લઈને પામી જાય–એમ પણ નથી.
શાસ્ત્રમાં આવે છે કે–જ્ઞાનની આસાતના, જ્ઞાનનો વિરાધક, જ્ઞાનનું નિહ્નવવું–એ બધા
જ્ઞાનમાં કે બીજા માને–બીજા સમજે તેમાં વિઘ્ન નાખવું–તે બધા મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીય કર્મનાં
ચીકણાં કાટડાં બાંધનારા છે.–સમજાય છે? કોઈ પરાણે દઈ દે તેવું છે?–એ ભાવ (વિનયાદિનો) હોય
છે છતાં ચિદાનંદમૂર્તિ ભગવાન તેમાં તન્મય નથી. જ્ઞાનપ્રકાશી આત્મા ત્રણકાળ ત્રણલોકના પદાર્થોથી
તન્મય ત્રણકાળમાં થયો નથી, થશે નહીં, ને છે નહીં. એકલો જ્ઞાનગોળો ચૈતન્યપ્રકાશ છે,–એમાં
તન્મયપણું થઈને અનુભવ થવો તે એક જ મુક્તિનો માર્ગ અને પરમાર્થ છે, બીજો કોઈ માર્ગ છે નહીં.
જ્ઞાનીનો વિનય ને જ્ઞાનીનું બહુમાન જોઈએ. અને આચાર્યદેવ કહે છે કે...............
PDF/HTML Page 8 of 25
single page version
સાતમી ગાથામાં દેવપૂજા વગેરે છ કર્તવ્યનું વર્ણન છે. તેમાંથી
PDF/HTML Page 9 of 25
single page version
પ્રત્યે તેને બહુમાન–ભક્તિ સહેજે હોય છે; તેથી દેવ–પૂજા, ગુરુસેવા વગેરે છ કર્તવ્ય શ્રાવકને રોજેરોજ હોય
છે.
શ્રાવકની ભૂમિકામાં એવો શુભરાગ હોય છે, એટલી આ વાત છે.
ધર્માત્માને પ્રેમ હોય, ને દિનેદિને તે શાસ્ત્રસ્વાધ્યાય–શ્રવણ–મનન કરે.
બદલે પોતાને જે પ્રિય લાગ્યું તેમાં તે પોતાના પરિણામને રોકે છે. જીવ પોતાના પરિણામને ક્્યાંક ને
શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે.
PDF/HTML Page 10 of 25
single page version
વાનના ચોપડા તપાસીને તત્ત્વોનું સરવૈયું કાઢે કે કયા તત્ત્વો હેય છે કયા તત્ત્વો ઉપાદેય છે ને કયા તત્ત્વો જ્ઞેય
ઉત્તર:– પુણ્ય અનુસાર બહારનાં કામ તો તેના કારણે થયા કરે છે, તેમાં તારો જેટલો ઉપયોગ
જ્ઞાની મગન વિષય સુખ માંહી, યહ વિપરીત સંભવે નાંહી.
PDF/HTML Page 11 of 25
single page version
છે; દેવ–ગુરુનો વિનય. વૈયાવચ્ચ. ભક્તિપૂર્વક તેમની સેવા. દોષોનું પ્રાયશ્ચિત, ચૈતન્યના ધ્યાનનો
અભ્યાસ,–એ બધા તપના પ્રકાર છે; આવા તપના અભ્યાસવડે શ્રાવક પોતાની ઈચ્છાને સંકોચે ને
ચૈતન્યની આરાધનામાં ઉપયોગને વિશેષપણે જોડે. અહા, શ્રાવકદશા શું છે તેની જગતને ખબર નથી;
‘શ્રાવક’ કૂળમાં જન્મીને શ્રાવક નામ ધરાવનારાને પણ ખબર નથી કે શ્રાવકધર્મ શું છે? જેટલાં
મુનિઓનાં આચરણ છે તે બધાય એકદેશપણે શ્રાવકને પણ હોય છે–એમ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં
અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે.
પ્રયોજન નથી પણ શ્રાવકને તૃષ્ણા ઘટાડવાનો એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. અહા, હું એક શુદ્ધ
ચૈતન્ય છું, એક પરમાણુ માત્ર પણ પરદ્રવ્ય મારું નથી–એવું જેને ભાન અને ભાવના વર્તે છે તેને પરિગ્રહની
મમતા ઘટાડવાનો ભાવ જરૂર હોય જ, એટલે તૃષ્ણા ઘટાડીને ધર્માત્મા મુનિઓને કે સાધર્મીઓને આદરપૂર્વક
પોતાની વસ્તુનું દાન કરે, તેમજ બીજા દીનદુઃખી જીવોને પણ કરુણાપૂર્વક દાન કરે. લૌકિકરુચિવાળા જીવો
જેમ દરરોજ લક્ષ્મી મેળવવાની મમતા કરે છે તેમ ધર્મની પ્રીતિવાળા જીવોએ દરરોજ મમતા ઘટાડવી જોઈએ.
–એ શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે. સવારથી સાંજ પ્રમાદના પોટલા થઈને વિષયકષાયમાં પડ્યા રહે, લક્ષ્મી
વગેરેની તીવ્ર લોલુપતા આડે ધર્મને માટે જરાય નવરો પણ ન થાય–એવા જીવને ધર્મ ક્્યાંથી થાય? અરે,
આત્માને સાધવા માટે તો આખી દુનિયાની મમતા છોડવી પડે. જે લૌકિકકાર્યો (દીકરા દીકરી પરણાવવા
વગેરેની દરકાર કરે, તેમાં તો ઉત્સાહથી પ્રવર્તે અને આત્મહિતના કાર્ય માટે દરકાર ન કરે, દેવ–ગુરુ–શાસ્ત્રની
ઉપાસનાના સંસ્કાર ન પાડે–તે ખરેખર શ્રાવક નથી. ધર્મનો જેને પ્રેમ હોય એવા શ્રાવકને નિત્ય કરવા યોગ્ય
આ છ કર્તવ્યોના સંસ્કાર જરૂર હોય.
વગેરે ભાવો હોય છે, તેથી તે તેનું દરરોજનું કર્તવ્ય છે. ‘આટલું કરવું પડશે’ એમ નહિ પણ સહેજે
અંદરથી તેવો ભાવ આવે છે. જેમ સંસારમાં રાજા વગેરેની કે માતાપિતા વગેરે કુટુંબીઓની સેવા કરે છે
તેમ ધર્મની રુચિવાળો ધર્મના રાજા એવા જિનેન્દ્રભગવાનની, તેમજ નિર્ગ્રંથગુરુની, જ્ઞાની
ધર્માત્માઓની બહુમાનપૂર્વક સેવા–ઉપાસના કરે છે, તથા વીગરાગીશાસ્ત્રોની સ્વાધ્યાય વડે દરરોજ
સ્વભાવની ભાવનાનું પોષણ કરે છે. વળી સંયમ અને તપનો અભ્યાસ તેમજ દિનદિન પ્રત્યે ધર્માત્મા
પ્રત્યે ભક્તિથી–વાત્સલ્યથી દાનાદિ કરે. બીજા દુઃખી–રોગી જીવો પ્રત્યે કરુણાથી દાનાદિ કરે. વિવાહ
વગેરે પાપકાર્યોમાં ધનનો લોભ કરે તેને તો કદાચ આ લોકમાં લોભીયો કહીને લોકો અપયશ કરે,
પરંતુ ધર્મના કાર્યમાં લોભ કરે તો આ લોક ને પરલોક બંને બગડે છે; ધર્મના પ્રેમ કરતાં સંસારનો પ્રેમ
વધી જતાં સમ્યક્ત્વ જ બગડે છે. તેથી નિયમસારના આલોચના અધિકારમાં મુનિરાજ કહે છે કે યોગ્ય
સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે. વિષયકષાયોના પોષણમાં કે દીકરાદીકરીના લગ્નમાં લાખો રૂા.
વાપરી નાખે અને જિનમંદિર વગેરે ધર્મપ્રભાવનાના કાર્યોમાં સો–બસો રૂા. વાપરવાનો પ્રસંગ આવે
તોયે લોભ કરે, તો તેને યોગ્યસ્થળે ધન વાપરવાની ખબર નથી, એટલે ખરેખર તેને સંસાર અને ધર્મ
વચ્ચેનો વિવેક જ નથી. અરે, શ્રાવક નામ ધરાવે અને ભગવાનના દર્શન કરે નહિ, ગુરુની સેવા કરે
નહિ, શાસ્ત્ર વાંચે નહિ–સાંભળે નહિ, ધર્મના પ્રસંગમાં દાનાદિનો ઉત્સાહ બતાવે નહિ–તો તે શ્રાવક નથી
પણ માયાચારી છે; ચૈતન્યની ઉપાસના તેને હોતી નથી. જે ચૈતન્યનો ઉપાસક થયો, જિનદેવનો ભક્ત
થયો તેને દેવપૂજા વગેરે છ પ્રકારના કાર્યોના સંસ્કાર જરૂર હોય છે.
PDF/HTML Page 12 of 25
single page version
નથી. એનાથી પુણ્ય બંધાય ને ધૂળ મળે.
ભાઈ, ખરેખર કુણો નથી. આ વાત જ જુદી છે.
એ વાત તો પહેલાં કરી કે ધર્માત્મા દેવ–ગુરુ–શાસ્ત્ર એનો બરાબર વિનય બહુમાન બધું હોય; કાંઈ
સમજાણું? પછી ગમે તેટલા ભણતર હો ને ગમે તેવો મોટો ત્યાગી મુનિ થઈને ૨૮ મૂળગુણ પાળતો હોય, તો
પણ મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થાશ્રમમાં હોય એનો પણ જો અનાદર અને અવિનય કરે તો મિથ્યાત્વને
બાંધે ને ૭૦ ક્રોડાક્રોડીની સ્થિતિ બાંધે. પણ એથી કરીને આ સ્વભાવની વસ્તુ છે તે તેટલામાં આવી જાય–
એમ નથી.
જગતનો છે, જગતમાં હું નથી ને હું માં જગત નથી–આવી નિર્લેપ–નિષ્તુષ દ્રષ્ટિ જેને કરવી છે,–મેલનો કણ
જેમાં નથી, ભગવાન જ્ઞાનનો ગાંગડો ચૈતન્યમૂર્તિ, ત્રણેકાળે રાગથી તદ્રન નીરાળું તત્ત્વ–એવું જેને દ્રષ્ટિમાં
બેસાડવું છે તેને આવી રાગની મંદતા કે દાનાદિનો ભાવ ન હોય એમ બને નહિ. તે હોય ખરું–પણ તે ધર્મ છે
કે કલ્યાણ છે કે તેનાથી હળવે હળવે સમ્યગ્દર્શન પામશું કે આત્મામાં જશું–એમ જો માને તો, બાપુ! ત્યાં મોટી
ભૂલ થાય છે.
ભય ટાળીને નાખ્યા બીજે! જેની ચીજમાં ભવ ન મળે એવો ભગવાન, આત્મા, તેને ડર નહીં, ભય નહીં,
દુનિયાની દરકાર નહીં; જગત જગતમાં રહ્યું ને આત્મા આત્મામાં. વિકલ્પ ઊઠે તે બધાય જગતમાં રહ્યા, તેની
સાથે આત્મા તન્મય નથી. આવો આત્માનો સ્વભાવ અંતરદ્રષ્ટિમાં લઈને જ્ઞાનની નિર્મળકણિકા–એટલે
સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની નિર્મળપર્યાય પ્રગટ થાય તે જ નિષ્તુષ પરમાર્થમાર્ગ છે, બીજો કોઈ માર્ગ
ત્રણકાળ ત્રણલોકમાં નથી.
ને પછી નિશ્ચય–એમ નથી; અને નિશ્ચયભાન થયા પછી જો વ્યવહાર બિલકુલ ન હોય તો તો કેવળજ્ઞાન થઈ
જાય. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હોય, કરવો એમ નહિ; બરાબર હોય, વિકલ્પના કાળે તેવો ભાવ હોય,
ભક્તિ આવે, ગુરુ પાસે જઈને આલોચના કરે, પ્રાયશ્ચિત લ્યે, જડની ક્રિયા પણ તેમ થવાની હોય, વિકલ્પ
ઊઠવાનો કાળ એવો જ હોય,–પણ તેથી વસ્તુનો સ્વભાવ જ્ઞાન છે–દ્રષ્ટા છે તે ભાન ચાલ્યું જાય છે–એમ
નથી. સ્વભાવનું ભાન રાખીને તેવા ભાવ હોય છે પણ તે ભાવને સ્વભાવની સાથે જો એકમેક માને તો
મિથ્યાદ્રષ્ટિ છે. દ્રષ્ટિના–સત્યના સ્વભાવનો આશ્રય શું છે, ક્્યાં ઢળવું છે, ને ઢળેલી દશા કેવી હોય–તેની એને
ખબર નથી.
PDF/HTML Page 13 of 25
single page version
કર્યું, અનુભવ કર્યો,–આનંદની પ્રાપ્તિ વેદનમાં આવી,–એ દશાને મોક્ષમાર્ગ અને ધર્મ કહેવામાં આવે છે. પોતે
પોતાના સ્વભાવને અનુસરીને દશા થવી તે એક જ માર્ગ છે.
દ્રષ્ટિ અને અનુભવના કાળમાં પરથી નિર્લેપ રહી જેટલી નિર્લેપ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા થાય તેટલો જ શુદ્ધ
કેવળજ્ઞાન પ્રગટવાનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
ભણી જાય–એટલું ભણતર હોય (અત્યારે તો એટલું ભણતર ક્્યાં છે?)–છતાં એ ભણતર પરના લક્ષે
થયેલું છે, સ્વભાવના લક્ષે થનાર દશા વિના તે ભણતર પણ મિથ્યાજ્ઞાન છે જેઓ વ્યવહારને
પરમાર્થબુદ્ધિથી અનુભવે છે–વ્યવહારને પરમાર્થ માને છે, તેઓ સમયસારને નથી અનુભવતા. સમયસાર
એટલે શુદ્ધઆત્મા કોણ વસ્તુ છે તેને તેઓ જાણતા નથી, અનુભવતા નથી. નવમી ગ્રૈવેયકે અનંતવાર
ગયો ત્યારે કેવો હશે!–બીજાને તો એમ લાગે કે અહા, જાણે તરણતારણનું તૂંબડુ!–પણ જ્ઞાનમાં તન્મયતા
તે કોઈ અંતરની બીજી ચીજ છે. એના ખ્યાલમાં પણ આવે કે અમે જાણીએ છીએ ને,–તે જ્ઞાન છે, ત્યાં
સુધી તો અનંતવાર ગયો છે; જ્ઞાતાનો સ્વભાવ અને જ્ઞાન એકમેક છે,–ત્રણેકાળે જ્ઞાયકસ્વરૂપથી એકરૂપ
રહ્યો છું, એવી અંતરના અનુભવની નિર્વિકલ્પ પ્રતીત થવી તેને સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
ભગવાન આત્માને અનુભવે છે. પૂર્વકર્મના સંગે રાગાદિ હો,–દ્વેષાદિ હો છતાં જેને રાગ–દ્વેષથી
વ્યાપકપણું અંતરદ્રષ્ટિમાં નથી; એકલો આત્મા પરમાર્થસ્વભાવની દ્રષ્ટિથી અનુભવે છે તેઓ જ
સમયસારને વેદે છે–અનુભવે છે, આનંદમાં પડ્યા છે, ને એને મોક્ષ થવાનો છે. જેઓ પરમાર્થને
પરમાર્થબુદ્ધિથી અનુભવે છે તેઓ જ સમયસારને અનુભવે છે, બીજા કોઈ અનુભવી શકતા નથી.
નિષ્તુષ અનુભવ તે જ પરમાર્થ છે. જેઓ વ્યવહારને નિશ્ચય માનીને પ્રવર્તે છે એટલે ઊંડે ઊંડે....ઊંડે
ઊંડે....રાગની મંદતા અને જ્ઞાનના પર તરફના ઉઘાડના ભાવ–તેને લક્ષમાં લઈને એમ માને છે કે
આમાંથી કાંઈક કણીયો આત્માનો નીકળશે, તેઓ વ્યવહારને પરમાર્થ માને છે, તેઓ પરમાર્થને જાણતા
નથી.
PDF/HTML Page 14 of 25
single page version
બાર અંગનું જ્ઞાન આવી ગયું. તે બાર અંગ ભણી ગયો.....જાઓ! શ્રુતકેવળી થઈ ગયો, શ્રુતકેવળી! અરે,
નિશ્ચય કહેવા જાય ત્યાં વ્યવહારને ભૂલે અને વ્યવહાર કહેવા જાય ત્યાં તેને અવલંબીને કલ્યાણ થશે
रयमिय परमार्थ श्चेत्यतां नित्यमेकं।
स्वरसविसरपूर्ण ज्ञानविस्फूर्ति मात्रा–
न्न खलु समयसारादुत्तरं किंचिदस्ति्।।
PDF/HTML Page 15 of 25
single page version
કલ્પોથી બસ થાઓ.....પુણ્ય–પાપ વિકલ્પોથી બસ થાઓ....કહેવાના કથનના–શુભવિકલ્પને પણ બંધ
કરો.....કથનમાં વિકલ્પનું ઉત્થાન છે, શુભરાગ છે, પુણ્ય છે, એનાથી પણ બસ થાઓ...બસ થાઓ. ચૈતન્ય
હવે અંદરમાં સમાય છે.
જ નિરંતર અનુભવો, કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ એવું જે જ્ઞાન,–જેમાં નિજરસના પૂર્ણાનંદનો
વિસ્તાર પડ્યો છે એવું જે પૂર્ણજ્ઞાન–તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું ખરેખર
બીજું કાંઈ નથી. ચૈતન્યસ્વભાવ આનંદકંદ જ્ઞાનજ્યોત છે, જ્ઞાનસમુદ્ર સ્વભાવથી ભર્યો છે, તેમાં જ્ઞાન–
દર્શન–આનંદના રત્નો પડ્યા છે; તેમાં પુણ્ય–પાપના વિકલ્પના કાંકરા ભર્યા નથી. પુણ્ય–પાપના
પરિણામો તે પણ કાંકરા છે, તેના ફળ તો વળી બહારમાં રહ્યા.
વિના ત્રણકાળમાં ધર્મ નથી.
તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર એનાથી ઊંચું ખરેખર જગતમાં બીજું કાંઈ પણ નથી. તીર્થં–
કરગોત્રનો ભાવ પણ ઊંચો નથી ને એનાથી તીર્થંકર પદવી મળે તે પણ ઊંચી નથી.
નહિ. ચક્રવર્તીના રાજ કે ઈન્દ્રના ઈન્દ્રાસન પણ તેની પાસે સડેલા તરણાં સમાન છે. અત્યારે તો એવા
પુણ્ય પણ ક્્યાં છે? પુણ્યવંતને સામેથી પરાણે કર લેવા ન પડે, એને તો દુનિયા સામેથી દેવા આવે કે
આ લ્યો–આપના જન્મથી પથ્થરમાં પણ નીલમણિ પાકયા, રાજને અમે દોહીએ છીએ, રાજ અમને
દોહતું નથી.–આમ સામેથી પ્રજાજનો કહેતાં આવે. એવા પુણ્ય–છતાં તે પણ ધૂળ છે, બાપુ! તેમાં આત્મા
નથી હો! આત્મા ત્રણકાળમાં એને સ્પર્શ્યો નથી, ને તે ચીજ ત્રણકાળમાં આત્માને સ્પર્શી નથી,–થોડી હો
કે ઘણી હો એ જ રીતે શુભભાવ ઘણા હો કે થોડા હો, તે ભગવાન આત્માને સ્પર્શતા નથી. આવા
આત્માના અનુભવ સિવાય આ જગતમાં કોઈ ઊંચું ત્રણકાળમાં નથી.
એક ચક્રવર્તી રાજા હોય, ને મુનિ કાળાકૂબડા હોય, બોલતા આવડે નહીં, કંઠ હોય નહીં. બાવળના
આત્મજ્ઞાની છે, જંગલમાં બિરાજે છે, ત્યાં લશ્કર લઈને વંદન કરવા જાય. અહા! પરમેશ્વર એ તો!
સિદ્ધભગવાન–પરમેશ્વર તો ઉપર છે, ને આ મુનિ પરમેશ્વર પાસે જવા માગે છે, પરમેશ્વરના પડખીયાં છે....
જય પ્રભો! ધન્ય અવતાર.....ધન્ય અવતાર!
PDF/HTML Page 16 of 25
single page version
ભાઈ, આવું સમજવું જોઈએ....રાંકો તો અનાદિનો છો, ને ચોરાશીના અવતારમાં રખડી તો રહ્યો છે.
PDF/HTML Page 17 of 25
single page version
આહા! કોનું કરું? ક્્યાં કરું? કોણ કરે? હું જ્ઞાન છું, આનંદ છું. જ્ઞાતાના સ્વભાવમાં આવ્યો ત્યાં વિકારો મંદ
પડી ગયા; અનંતાનુબંધી કષાયો ગળી ગયા; અનંતી પરની કર્તાબુદ્ધિ હતી તે ટળી ગઈ. આનું નામ
ક્રમબદ્ધનો નિર્ણય, અને અકર્તાપણાના જ્ઞાનનું તન્મયપણું છે. એના વિના ક્રમબદ્ધનું નામ લીધા કરે ને
પાપભાવમાં વર્ત્યા કરે એ તો મોટો સ્વચ્છંદ છે.
નમ્રતા, વિનયતા, ભક્તિ એ ભાવ ખસે નહિ. શું થાય? એક વાત કહેવા જાય ત્યાં બીજી છોડી દે, ને આ
કહેવા જાય ત્યાં પહેલી ખોવે. નિશ્ચય કહેવા જાય ત્યાં વ્યવહારની મર્યાદા શું છે તે વાત ભૂલી જાય, ને જ્યાં
વ્યવહાર કહેવા જાય ત્યાં વ્યવહારથી લાભ થાય એમ માની બેસે. તીર્થંકરોના કાળમાં તીર્થંકરોથી પણ
સમજ્યો નથી એવો ભડનો દીકરો છે, તો અત્યારના કાળની શી વાત? ઘણી પાત્રતા અને ઘણી નરમાશ
હોય એને આ વાત કાને પડ્યા પછી અંતર્મુખ થઈને રુચિ થાય, અને પરિણમન તો કોઈ અનંત પુરુષાર્થે
હોય છે.... અનંત પુરુષાર્થે હોય છે....અનંતાનુબંધીનો નાશ અનંત પુરુષાર્થથી થાય છે...અનંત સંસારની કટ
થઈ ગઈ, અનંત સ્વભાવની સામગ્રીનો દરિયો ભાળ્યો–માન્યો–જાણ્યો ત્યાં સંસાર છૂટી ગયો.
છે.–એમ છે? ના; ટોડરમલ્લજીએ કહ્યું છે કે નિશ્ચયનો ઉપદેશ સાંભળીને વ્યવહારમાં સ્વચ્છંદી થશો તો તેમાં
ઉપદેશનો વાંક નથી, વક્તાનો વાંક નથી. નિશ્ચયની વાત સાંભળીને વ્યવહારનો રાગ ક્્યાં કેવો હોય તે ભૂલી
જાય, સ્વચ્છંદે પ્રવર્તે અને કહે કે એતો એ કાળે એવો રાગ આવવાનો હતો! પણ અરે બાપુ! એનો નિર્ણય
કરે એની દશા તો કેવી હોય? અરે ભાઈ, તું શું લઈને બેઠો આ! અરે પ્રભુ! એમ નથી કહેતા; સાંભળ તો
ખરો ભાઈ!
સામર્થ્ય પ્રગટ્યું તેમાં એવું સામર્થ્ય છે કે અનંતા વિરોધીઓ ઊભા થાય–સાતમી નરકમાં કેટલા વિરોધી છે?
મારફાડ કરે. શરીરના કટકા કરે, ભલેને લાખ પ્રતિકૂળતા હોય, વિરોધ છે ક્્યાં અમારામાં? અનંતા વિરોધી
હોય તોપણ આત્માનું ભાન ભૂલતો નથી અને સમવસરણની અનંતી અનુકૂળ સામગ્રી મળી છતાં ઊંધાઈમાં
અશુદ્ધતા ભૂલતો નથી. શું થાય? એની ચીજ અવળી કે સવળી એને કારણે જ ઊભી થાય છે. કાંઈ બીજાને
કારણે થતી નથી.
પરમેશ્વરને જોવા હોય તેની વાત છે. આત્માને પરમેશ્વરરૂપે જુએ તો પર્યાયમાં પરમેશ્વરતા થાય. માટે પૂર્ણ
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો, એનું વેદન–શ્રદ્ધા–જ્ઞાન–રમણતાથી કરવું તે એક જ મોક્ષમાર્ગ છે; આ
ઉપરાંત ખરેખર બીજું કાંઈપણ સારભૂત નથી, કાંઈ જ સારભૂત નથી.
PDF/HTML Page 18 of 25
single page version
પર્યાયથી, તેમાં તે શું કર્યું? બીજા સમજે કે ન સમજે તેના ઉપરથી ધર્મનું પ્રમાણ ટાંકે તો તું ભૂલમાં પડીશ
નથી. એકલો, તું.....તારામાં જો....કાલ કહ્યું હતું કે: તારી હાક સૂણીને કોઈ ન આવે તો તું એકલો જા....
તું એકલો તારામાં શમા, બાપુ! ભગવાન આત્મા દેહથી પાર ચિદાનંદમૂર્તિ, તેને સમજવામાં, જ્ઞાનમાં,
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ પરમાર્થ છે. તે સિવાય બીજું કાંઈ પરમાર્થ નથી.
विज्ञानघनमानं दमयमध्यक्षतां नयत्।।
આનંદમય વિજ્ઞાનઘન એવા સમયસારને એટલે શુદ્ધ આત્માને પ્રત્યક્ષ કરતું થકું આ શાસ્ત્ર પૂરું થાય છે.
આનંદમય છે.
બાપુ, પરોક્ષ તો જ્ઞાન અપેક્ષાએ છે, પણ એના વેદનમાં ને ભાનમાં તો આવી શકે છે ને?–આ અંશ
વીતરાગસ્વભાવમય એટલે આનંદમય.
આનંદમય એટલે વિજ્ઞાનઘન.
આવા શુદ્ધ પરમાત્માને પ્રત્યક્ષ કરતું આ સમયસાર (સમયપ્રાભૃત) પૂરું થાય છે. શુદ્ધ આત્માને
અક્ષય આંખો પૂર્ણતાને પામે છે, સમયસાર પૂર્ણતાને પામે છે.
જગત્ચક્ષુ સમયપ્રાભૃત પૂર્ણતાને પામે છે.
ઠરશે અરથમાં આતમા, જે સૌખ્ય ઉત્તમ તે થશે.
PDF/HTML Page 19 of 25
single page version
PDF/HTML Page 20 of 25
single page version
સમ્યગ્જ્ઞાનને અને સુશીલને વિરોધ નથી. અંતરનો જે ચિદાનંદસ્વભાવ, તેને સ્વધ્યેય બનાવીને
શીલને વિરોધ નથી. અને જે જ્ઞાન, રાગને જ ધ્યેય બનાવીને વિકારમાં જ વર્તે છે તે કુશીલ છે, અજ્ઞાન છે.
અજ્ઞાનને લીધે તે વિષયકષાયમાં જ પ્રવર્તે છે, તેથી અજ્ઞાન તે જ કુશીલ છે. સ્વભાવઘરનો સંગ છોડીને બાહ્ય
વિષયોમાં જે જ્ઞાન એકતાપણે વર્તે છે તે જ્ઞાનની પ્રકૃતિ કુશીલ છે, તે અજ્ઞાન છે. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન તો
પોતાના ચૈતન્યસ્વભાવને જ વિષય બનાવીને તેમાં જ વર્તે છે. રાગને તે પોતાથી જુદો જાણે છે, એટલે રાગ
સાથે એકતારૂપ મિથ્યાત્વનું કુશીલ તેને નથી.
છૂટે નહિ. જેને શુભરાગની રુચિ છે તેને પણ અભિપ્રાયમાં વિષયોની રુચિ પડી જ છે, એટલે ખરેખર તે
કુશીલનું જ સેવન કરી રહ્યો છે. સમ્યગ્જ્ઞાન વગર બાહ્યવિષયોથી વિરક્ત થાય–તો પણ તેને સુશીલ કહેતા
નથી, કેમકે રાગથી તો તેના પરિણામ વિરક્ત થયા નથી. ભેદજ્ઞાન વગર રાગથી વિરક્તિ થાય નહિ, ને
રાગથી વિરક્તિ થયા વગર વિષયોથી પણ ખરી નિવૃત્તિ થાય નહિ, માટે સમ્યગ્દર્શન વગર કુશીલનું સેવન
છૂટે નહીં.
જેટલી સ્વભાવપરિણતિ થઈ તેટલું શીલ પ્રગટ્યું, ને તેટલું કુશીલ છૂટયું. અહો, નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના
સેવનનો પ્રસંગ આવ્યો, તેમાંય રાગની રુચિ અને રાગનું સેવન ન છોડે તો આવો અવસર એમને એમ
ચાલ્યો જશે. ભાઈ, સુશીલ એટલે ‘સમ્યક્પ્રકૃતિ’ તો સ્વભાવના સેવનમાં છે, ને કુશીલ એટલે ખરાબ
પરિણતિ–ખોટી પ્રકૃતિ તે તો વિભાવના સેવનમાં છે. રાગ કરતાં કરતાં લાભ થશે એમ જે માને છે તેને
રાગનું સેવન છે, અને રાગનું જેને સેવન છે તેને કુશીલનું જ સેવન છે. ધર્માત્મા તો રાગથી ભિન્ન
ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે તેનું જ સેવન કરે છે, તેનું જ નામ સુશીલ
છે.
પરિણામનું