Atmadharma magazine - Ank 244
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 38
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૪૪
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 38
single page version

background image
જૈન શાસનસ્તંભ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય–અભિનંદન–અંક
તંત્રી જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૧ : અંક ૪] [વીર સં. ૨૪૯૦ મહા
(૨૪૪)

PDF/HTML Page 3 of 38
single page version

background image
શ્રી કુંદકુંદેવ સ્તવન
(ગાગર ઉપર બેઠો લીલો હંસ રે)
ક્યો કુંદકુંદ દેવ! કિ્્યો તમારો દેશ રે, આ કિ્્યાં તમારા બેસણાં રે;
ભરત ક્ષેત્ર છે અમારો દેશ રે, આ સીમંધર સભામાં બેસણાં રે;
ભરત ક્ષેત્ર છે અમારો દેશ રે, આ પોન્નૂર ગિરિમાં બેસણાં રે;
આભ સ્વ–સ્થાને છે અમારો વાસ રે, આ અનંત ગુણોમાં બેસણાં રે;
ક્્યો કુંદકુંદ દેવ કેમ કરી ગયા વિદેહ રે, આ કેવા પ્રભુને નિહાળીયા રે;
ભક્તિ ભાવે ગયા અમે વિદેહ રે, આ જિનેંદ્ર અદ્ભુત નિહાળીયા રે;
પોન્નુર ગિરિથી ગયા પ્રભુ વિદેહ રે, ત્યાં પ્રભુજીના દર્શન પામિયા રે;
સીમંધર પ્રભુના દિવ્ય ધ્વનિના છૂટ્યા નાદ રે, કુંદકુંદે ઝીલ્યા ભાવથી રે;
અદ્ભુત ધ્વનિ સુણી થયા લય લીન રે, આ વીતરાગ ભાવને ઘુંટીયા રે;
વળી ફરી આવ્યા ભરતક્ષેત્ર મોઝાર રે, આ સમય પ્રાભૃતને ગુંથીયા રે;
આ ભરતક્ષેત્રે શ્રુતકેવળી કુંદકુંદ રે, મહામુનિયોના શિરોમણિ રે;
કુંદકુંદ પ્રભુના કેડાયત ગુરુ કહાન રે, આ જગત ઉદ્ધારક પ્રભુ જાગીયા રે;
સુવર્ણપુરી દિસે મહાવિદેહ સમાન રે, સીમંધર પ્રભુજી પધારીયા રે;
તીર્થધામમાં વર્તે જય જયકાર રે, આ મંગળ કાર્યો દિનદિન થાય રે;
જયવંત વર્તે દેવ ગુરુજી શાસ્ત્ર રે, આ શાસન જયવંત વર્તી રહ્યું રે;




શ્રી નાગરદાસ ચકુભાઈ ગઢડાવાળા (બ્ર. ગુલાબચંદભાઈના બનેવી) મુંબઈમાં તા. ૯–
૧–૬૪ના રોજ સ્વર્ગવાસ પામી ગયા છે. ૨૦ વર્ષથી ગુરુદેવનો તેમને પરિચય હતો. શિખરયાત્રા
વખતે પણ તેઓ સાથે જ હતા. સોનગઢમાં સત્સમાગમ માટે ઘણો વખત આવતા, મુંબઈ મુમુક્ષુ
મંડળમાં પણ વાંચનનો લાભ તેઓ લેતા હતા. તેઓ આત્મહિત સાધે એ જ ભાવના.
શ્રી નરશીદાસ ડુંગરશી વઢવાણવાળા કે જેમણે લગભગ વીસ વર્ષથી શ્રી જૈન અતિથિ
સેવા સમિતિના કોઠારી તરીકે ફરજ બજાવી હતી. તેઓ સોનગઢમાં તા. ૧૫–૧–૬૪ના રોજ
હેમરેજનું દર્દ થતાં સ્વર્ગવાસ પામી ગયા છે.


PDF/HTML Page 5 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૧:
પોન્નૂરના સન્ત
(માગસર વદ આઠમના મંગલદિને પૂ. ગુરુદેવે સંભળાવેલો કુન્દકુન્દ મહિમા)
આજે ભગવાન કુંદકુંદસ્વામીનો આચાર્યપદારોહણનો મહાન દિવસ છે. તેઓ વનજંગલમાં
વસતા મહાન દિગંબર સંત હતા. અંતરમાં આનંદનિધાન ભગવાન આત્માના અનુભવ ઉપરાંત
ઘણી સ્વરૂપ લીનતાના ઝૂલે ઝૂલતા હતા. લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં મહાવિદેહ ગયા હતા......
ત્યાંથી ભગવાનની દિવ્યધ્વનિનો સંદેશ લાવ્યા, ને અહીં આવીને આ પ્રવચનસાર વગેરે શાસ્ત્રો
રચ્યા છે, મદ્રાસથી ૮૦ માઈલ દૂર પોન્નૂર પહાડ છે ત્યાં તેઓ ધ્યાન કરતા હતા ને ત્યાંથી વિદેહ
ગયા હતા. ને ત્યાંજ શાસ્ત્રો રચ્યા હતા. ત્યાં તેમના પ્રાચીન ચરણ પાદુકા છે. ઉપર ચંપાના ઝાડ
છે, બે ગૂફાઓ છે. જૂના શિલાલેખોમાં પણ લખાણ છે કે કુંદકુંદ આચાર્ય મહાઋદ્ધિ ધારી સંત
હતા, અને તેમને જમીનથી ચાર આંગળ ઉપર ચાલવાની લબ્ધિ હતી; વિદેહક્ષેત્રે જઈને તેમણે
સીમંધરપરમાત્માની વાણી સાંભળી હતી.
આત્મા એકાંત (રાગથી ને દેહથી પાર, એકત્વ જ્ઞાનસ્વરૂપ) છે ને એ સ્થાન પણ એકાંત
છે. ત્યાં સં. ૨૦૧૫માં યાત્રા કરી હતી; તે સ્થાન ઘણું સરસ છે. માહ સુદ ૧૪ને સોમવારે ફરીને
દર્શન કરવાનો લાભ મળ્‌યો.
અહા, ભરતક્ષેત્રના મુનિએ સદેહે મહાવિદેહક્ષેત્રની યાત્રા કરી! ભગવાનના સાક્ષાત્ ભેટા
કર્યાં! કેટલી તેમની યોગ્યતા!! કેવી તેમની પવિત્રતા!! બાહુબલિના ૫૭ ફૂટના પ્રતિમા
શ્રવણબેલગોલમાં છે; જે દુનિયાની આશ્ચર્યકારી વસ્તુમાં ગણાય છે. ત્યાં બે પહાડો છે, તેના ઉપર
પણ કુંદકુંદઆચાર્યદેવ સંબંધીઘણા શિલાલેખો છે; ત્યાં પણ ફરીને જાત્રા કરવા જવાનું છે.
એવા ભગવાન કુંદકુંદસ્વામીને ચતુર્વિધ સંઘે આચાર્યપદે સ્થાપ્યા–તે દિવસ આજે છે.
અહા, જ્યારે તેઓ આચાર્યપદે આ ભરતે વિચરતા હશે–એ કેવો કાળ હશે! અહા! આ સમયસાર
વગેરેમાં તો અધ્યાત્મના દરિયા ખુલ્લા મુક્યા છે. અરે, આત્મા! તું જ પરમાત્મા છો..... યુક્તિથી,
અનુભવથી, ગુરુપરંપરાથી ને સર્વજ્ઞની વાણીથી મેળવેલા આચિંત્ય નિજવૈભવથી તેમણે
શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. પ્રવચન એટલે દિવ્યધ્વનિ તેનો સાર આ પ્રવચનસારમાં તેમણે
ભરી દીધો છે. ભવસાગરનો કિનારો તેમને તદ્ન નજીક આવી ગયો હતો. આ ભરતક્ષેત્રના જીવો
ઉપર તેમનો મહાન ઉપકાર છે.

PDF/HTML Page 6 of 38
single page version

background image
: ૨: આત્મધર્મ માહ: ૨૪૯૦
ધર્માત્માની અનુભૂતિ
(સમયસાર ગા. ૩૬ ઉપરના પ્રવચનોમાંથી.)
ધર્માત્માને ચિદાનંદસ્વભાવની અધિકતાવડે પરભાવોથી ભિન્ન શુદ્ધઆત્માની જે અનુભૂતિ
થઈ તે કેવી છે? મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, એક ઉપયોગ જ મારું સ્વરૂપ છે–એ સિવાય
મોહ સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી અંતર્મુખ થયેલી પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે
મોહરહિત છે; મોહ તો જડ તરફનો ભાવ છે, ચૈતન્યસ્વભાવ તરફનો ભાવ તે નથી, માટે
ચૈતન્યની અનુભૂતિમાં મોહ સાથે કાંઈ સંબંધ નથી. –જ્ઞાનનો વેપાર સ્વ તરફ વળ્‌યો ત્યાં
જ્ઞાયકસ્વભાવભાવપણે જ આત્મા અનુભવાય છે, તેમાં મોહ અનુભવાતો નથી. અસ્થિરતાનો જે
મોહભાવ હોય તેને જ્ઞાની પોતાના સ્વભાવપણે અનુભવતા નથી. ચૈતન્યભાવપણે જ પોતાના
સ્વભાવને અનુભવે છે. ચૈતન્યસ્વભાવ કદી પરભાવપણે અનુભવાતો નથી. ચૈતન્યભાવ અને
મોહભાવને ભિન્ન ભિન્ન કરીને જ્ઞાની ચૈતન્યભાવપણે જ પોતાને અનુભવે છે. આ રીતે
ચૈતન્યસ્વભાવની શાશ્વત પ્રતાપસંપદા વડે ભગવાન આત્મા (–જેને ભેદજ્ઞાન થયું છે એવા
જીવને અહીં ભગવાન આત્મા કહ્યો છે તે) જ જાણે છે કે પરમાર્થે હું એક ચૈતન્યભાવમય જ છું,
બીજા જે રાગાદિ ભાવો છે તે હું નથી, તે ભાવો મારો સ્વ–ભાવ નથી. મારો ચૈતન્યસ્વભાવ એવો
નથી કે મોહપણે પરિણમે.
મોહમાં એવી તાકાત નથી કે સ્વ–પરને પ્રકાશે; વિશ્વના સમસ્ત પદાર્થોને પ્રકાશવામાં
સમર્થ એવી સંપતિ તો ચૈતન્યમાં જ છે, ભગવાન આત્મા જ પોતાની શાશ્વતી ચૈતન્યસંપદાના
પ્રતાપવડે સમસ્ત વિશ્વને જાણવાની તાકાતવાળો છે. ચૈતન્યશક્તિનો પ્રતાપ સદાય વિકાસરૂપ છે;
મોહ તો ચૈતન્યના વિકાસને અટકાવનાર છે. ચૈતન્યનો વિકાસ શાંત–અના–કુળ છે, ને મોહનો
વિલાસ તો આકુળતા અને દુઃખમય છે. ચૈતન્યનો સ્વાદ અને મોહનો સ્વાદ જુદો છે. જેમ
શીખંડમાં દહીંનો અને ખાંડનો સ્વાદ જુદો જુદો છે, તેમ ચૈતન્યસ્વભાવનો અને મોહભાવનો
સ્વાદ જુદો છે, આ રીતે સ્વાદના ભેદથી ભેદજ્ઞાન કરીને ધર્મીજીવ મોહને જરાપણ પોતાપણે
અનુભવતા નથી. એક ચૈતન્યભાવને જ પોતાપણે અનુભવે છે. આ પ્રકારની અનુભૂતિથી
ધર્માત્માને ભેદજ્ઞાન થયું. એટલે પરભાવોને પરપણે જાણીને તેને છોડી દીધા, ને જ્ઞાયકભાવને
એકને જ સ્વપણે જાણીને તેમાં તન્મયતા કરી. આવી અનુભૂતિ તે ધર્મ છે, તે મોક્ષનો પંથ છે.

PDF/HTML Page 7 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૩:
જે શાંત અનાકુળ ચૈતન્યરસપણે સ્વાદમાં આવે તે જ આત્મા છે. તે જ ધર્મીનું સ્વ છે, તે
જ જ્ઞાનીની અનુભૂતિનો વિષય છે; અને જે આકુળતાપણે વિકારપણે સ્વાદમાં આવે તે આત્મા
નથી, તે ધર્મીનું ‘સ્વ’ નથી, તે જ્ઞાનીની અનુભૂતિથી બહાર રહી જાય છે. જુઓ, આ ભેદજ્ઞાન!
અનુભવ વડે પરભાવોથી આવું ભેદજ્ઞાન થાય ત્યારે ધર્મીની શરૂઆત થાય.
ધર્માત્મા પોતાના અનુભવમાં એમ જાણે છે કે હું સદાય મારા ચૈતન્યરસથી ભરેલો એક
છું, પરદ્રવ્યો કે પરભાવો તે મારા નથી, નથી. હું તો શુદ્ધ ચૈતન્યનો સાગર છું.
कहै विचक्षण पुरुष सदा मैं एक हूं,
अपने रससें भर्यो अनादि टेक हूं।
मोह करम मम नांही, नांही भ्रमरस कूप है।
शुद्धचेतना सिंधु हमारो रूप है।।
અહા, ચૈતન્યસાગર એવો હું, –તેમાં મોહના કુવાનો અભાવ છે, હું તો શુદ્ધ ચૈતન્યરસથી
જ ભરેલો સાગર છું–એમ વિચક્ષણ–ધર્માત્મા અનુભવે છે.
અહા, આ અવસર આ વસ્તુની પ્રાપ્તિનો કાળ છે. બહારના વાદવિવાદ છોડ, ભાઈ!
અંદરમાં આખો ચૈતન્યસાગર–આનંદનો દરિયો હિલોળા મારે છે તેનો અનુભવ કર,
કરુણાઅષ્ટકમાં પ્રભુને પ્રાર્થના કરતાં શ્રી પદ્મનંદીસ્વામી કહે છે કે હે વીતરાગી પરમાત્મા!
આપના સ્વરૂપને ઓળખ્યા વગર, અને આપે કહેલા તત્ત્વસ્વરૂપને ઓળખ્યા વગર, આ
સંસારમાં મેં અનંતકાળ પરિભ્રમણ કર્યું, ને અનંત દુઃખો ભોગવ્યા, હે નાથ! હવે આપના શરણે
હું ફરી ફરીને પોકારી–પોકારીને કહું છું કે હવે મને એક આપનું જ શરણ હો, કેવળજ્ઞાન અને
વીતરાગતામય જે શુદ્ધ ચૈતન્યપિંડ તેનું એકનું જ હવે શરણ હો... જેથી આ સંસારભ્રમણ ટળે.
ભગવાનનું શરણ હો એટલે પરમાર્થે વીતરાગભાવનું જ શરણ હો–એમ તાત્પર્ય છે.
એકવાર આખા સંસારને લક્ષમાંથી છોડીને અંતરમાં ઘણી ધીરજ અને ઘણા પ્રયત્નવડે
અધ્યાત્મની આ વાત અંતરમાં સમજવી જોઈએ. આવા મનુષ્યદેહમાં અત્યારે અનુભવનો
અવસર આવ્યો છે તેમાં જો ચૂક્યો તો ક્ષણમાં આ અવસર ચાલ્યો જશે. અરે, ચૈતન્યના અનુભવ
વગર સંસારની ચાર ગતિમાં કેવા કેવા અવતાર કરી ચુક્યો!
તેનાથી છૂટવાનો આ અવસર
છે. ચૈતન્યસાગરનો અંતરમાં અનુભવ કરતાં ક્ષણમાં અનંત સંસાર તૂટી જશે. એકવાર
અંદરમાં દ્રઢરુચિનું એવું ઘર જામી જવું જોઈએ કે કદી ફરે નહિ ચૈતન્યનો પત્તો લીધે જ
છૂટકો કરે.

PDF/HTML Page 8 of 38
single page version

background image
: ૪: આત્મધર્મ માહ: ૨૪૯૦
પ્રભુ! એકવાર આ ચૈતન્યની વાતને અંતરમાં ગોઠવ તો ખરો! અનંતકાળથી પરભાવો
ગોઠ્યા છે તેની ગોષ્ઠી છોડ, ને ચૈતન્યની રુચિ કરીને તેની સાથે ગોષ્ઠી કર જેને ચૈતન્યતત્ત્વ ગોઠ્યું
તેને પરભાવો કેમ ગોઠે? જેને ખરેખર ચૈતન્યતત્ત્વ ગોઠે તે અંતરમાં ઊતરીને તેનો અનુભવ કર્યાં
વગર રહે નહીં. આવા ચૈતન્યનો જેણે અનુભવ કર્યો તે ધર્માત્મા પરમાર્થે વિચક્ષણ છે. પરભાવોથી
ભેદજ્ઞાન કરવામાં તે કુશળ છે. ભેદજ્ઞાનની વિચક્ષણતાવડે સમસ્ત પરભાવોને પોતાથી જુદા કરીને
શુદ્ધ ચૈતન્યરસના પિંડપણે તે પોતાને અનુભવે છે મારો આત્મા ચૈતન્યનો દરિયો છે, તે દરિયામાં
વિકાર નથી ભર્યો, તેમાં આનંદ વગેરે અનંત ગુણો ભર્યા છે.
ધર્માત્મા આઠે કર્મોને પોતાથી અત્યંત ભિન્ન જાણે છે ને પોતાને ચૈતન્યસિંધુ જાણે છે.
હું ચૈતન્યનો સાગર છું, તેમાં જડકર્મનો એક અંશ પણ નથી. હું ચૈતન્યથી પરિપૂર્ણ છું, જડકર્મ
સાથે મારે કાંઈપણ સંબંધ નથી. ચૈતન્યરસથી ભરપૂર મહોદધિ–મોટો દરિયો આત્મા છે, તેમાં
કર્મ–નોકર્મ કે ભાવકર્મ જરાપણ નથી. આવા સ્વાનુભવથી ધર્મીને જે નિર્મળ અનુભૂતિ પ્રગટી
તે અનુભૂતિપર્યાયમાં પણ મોહાદિનો અભાવ છે. આ રીતે ધર્માત્મા નિર્મોહ છે. ‘નથી મોહ તે
મારો કંઈ ઉપયોગ કેવળ એક હું’ –એમ તે પર્યાયમાં અનુભવે છે;–આવી ધર્માત્માની
અનુભૂતિ છે. મારી અનુભૂતિને મોહ સાથે, રાગ સાથે, દેહસાથે કર્મ સાથે, મન સાથે કે વચન
વગેરે સાથે કાંઈ લાગતું વળગતું નથી, મારી અનુભૂતિ તો મારા શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય જ
છે. આમ ધર્માત્મા અનુભવે છે. આવા અનુભવથી તેણે મોહને મારી નાખ્યો છે. ઊંધી
માન્યતાવાળો મોહથી ચૈતન્યપર્યાયને હણે છે, ને જ્ઞાની ધર્માત્મા ચૈતન્યના અનુભવવડે
પોતાની પર્યાયમાંથી મોહને હણી નાખે છે. –આવી અનુભૂતિ સહિત જેણે આત્માને જાણ્યો
તેણે જ ખરેખર આત્માને જાણ્યો છે.
લગની અને પ્રાપ્તિ
આખા જગતના કોલાહલને છોડીને, ખરા ચૈતન્યની શોધ પાછળ લાગ,
ચિદાનંદ તત્ત્વ શું છે તેનો પત્તો મેળવવા તેની લગની લગાડીને છ મહિના તેના
અભ્યાસ પાછળ લાગે, તો જરૂર અંતરધામમાં તને તારા ચૈતન્યની આનંદસહિત
પ્રાપ્તિ થશે. બીજી બધી કલ્પના છોડીને એક ચૈતન્યના જ ચિંતનમાં લાગ, તો
જરૂર તેની પ્રાપ્તિ તને તારામાં જ થશે. ખરેખરી લગનીથી ચૈતન્યનો પત્તો
મેળવવા માગે અને તેનો પત્તો ન મળે એમ બને જ નહિ; સાચેસાચી લગનીથી
પ્રયત્ન કરતાં ચૈતન્યતત્ત્વ સ્વાનુભવમાં જરૂર આવે છે.

PDF/HTML Page 9 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૫:
णमो जिणाणं जिदभवाणं
જિતભવ નમું જિનરાજને
[પંચાસ્તિકાયની પહેલી ગાથા ઉપરનું અદ્ભુત ભાવભીનું પ્રવચન]
આજે (શાસ્ત્રીય પોષ વદ આઠમે)
કુંદકુંદાચાર્યદેવના આચાર્યપદ–આરોહણનો મંગળ દિવસ છે.
આ ભરતક્ષેત્રના મહાન ધર્મધૂરંધર સન્ત કુંદકુંદાચાર્યદેવે
ભગવાનના શાસનના રક્ષક તરીકે જૈનશાસનનો દોર
આજે હાથમાં લીધો. લોકોએ ભેગા થઈને બહુમાનપૂર્વક
તેમને આચાર્યપદે સ્થાપ્યા... પછી તેઓ વિદેહક્ષેત્રમાં
સીમંધર પરમાત્મા પાસે ગયેલા, ને ભગવાનનો દિવ્યધ્વનિ
સાક્ષાત્ સાંભળીને પછી તેમણે આ સમયસાર,
પંચાસ્તિકાય વગેરે મહાન અલૌકિકશાસ્ત્રો રચ્યા... તેમાંથી
આ પંચાસ્તિકાયની પહેલી ગાથામાં જિતભાવ જિનેન્દ્રોને
નમસ્કારરૂપ અસાધારણમંગળ કરે છે–
णमो जिणाणं जिदभवाणंं
શત–ઈન્દ્રવંદિત ત્રિજગહિત–નિર્મળ–મધુર વદનારને,
નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને.
જુઓ, આ અસાધારણ માંગળિક! અનંત ગુણથી ભરેલું આનંદધામ જે આત્મતત્ત્વ તેમાં
નિર્મળ વીતરાગપરિણતિદ્વારા પ્રણમન તે ભાવ નમસ્કાર છે, ને તે અસાધારણ માંગળિક છે.
આવા ભાવ નમસ્કાર વડે જિતભવ જિનભાવને જે નમ્યો તેને ભવનો નાશ થયા વિના રહે નહિ.
ભગવાને ભવને જીત્યા છે ને ભગવાનનો ઉપદેશ ચાર ગતિના ભ્રમણનો નાશક છે. ભવનો નાશ
કોને થાય? કે ભગવાનનો ઉપદેશ ઝીલીને જે અંતર્મુખ નમે–પરિણામે તેને ભવનો નાશ થાય છે.
આચાર્યદેવ કહે છે કે અહો! આવા ઉપદેશના દેનારા જિનવર ભગવંતોને નમસ્કાર હો.
વિકલ્પથી નમસ્કાર કરવો તે સાધારણ નમસ્કાર છે; નિર્વિકલ્પ પરિણતિરૂપ
ભાવનમસ્કાર તે અસાધારણ નમસ્કાર છે. અનાદિના પ્રવાહમાં અનંતા તીર્થંકરો થયા તેમને
સ્મરણમાં લાવીને જ્ઞાનમાં તેમનું અચિંત્ય બહુ–

PDF/HTML Page 10 of 38
single page version

background image
: ૬: આત્મધર્મ માહ: ૨૪૯૦
માન કરે છે, એટલે રાગથી જુદા પડીને શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને ઉલ્લસિત પરિણામે
ભવરહિત ભગવંતોને નમસ્કાર કરે છે. તે ભાવનમસ્કાર ભવના અભાવનું કારણ છે. જુઓ, આ
જ્ઞાનની વિશેષતા. અનંતા કેવળજ્ઞાની જિનવરોને જ્ઞાનમાં લઈને નમસ્કાર કરે છે તેમાં જ્ઞાન
રાગથી જુદું પડીને સ્વભાવરૂપ પ્રણમે છે. એ રીતે જેટલી સ્વસન્મુખ વીતરાગ–પરિણતિ થઈ
તેટલા ભવનમસ્કાર છે, ને તે અસાધારણ મંગળ છે, તે ભવને જીતવાની રીત છે.
‘અનંતા સર્વજ્ઞો! ’ અહા, એને જ્ઞાનમાં લીધા તે જ્ઞાનની મહત્તા કેટલી? વાહ!
કુંદકુંદાચાર્યદેવ પોન્નૂર જેવા વન પર્વતમાં બેઠાબેઠા અનંતા તીર્થંકરોને લક્ષમાં લઈને, ચૈતન્યના
અધ્યાત્મરસમાં કલમ બોળી–બોળીને આ શાસ્ત્રો રચતા હશે, –એ વખતની કેવી સ્થિતિ હશે!!
मंगलं भगवान् वीरो અને मंगल गौतमो गणी–એ તીર્થંકર અને ગણધર પછી તરત જ
માંગલિકમાં જેમનું નામ આવ્યું– (मंगलं कुन्दकुन्दार्यो) –તેમના મહિમાની શી વાત! તેમણે
તીર્થંકરોના વિરહમાં આ ભરતક્ષેત્રમાં જૈનશાસનને થંભાવી રાખ્યું છે, આચાર્યપદે રહીને તીર્થંકર
જેવા કામ કર્યાં છે. તેઓ અહીં માંગળિકમાં સર્વજ્ઞ ભગવાનને અપૂર્વભાવે નમસ્કાર કરે છે:
णमो जिणाणं जिदभवाणं।
અનાદિપ્રવાહથી પ્રવર્તતા તીર્થંકરોને જ્ઞાનમાં લક્ષગત કરવા જાય ત્યાં..... અહા!
નિર્વિકલ્પતા જ થઈ જાય છે. તીર્થંકરોનો પ્રવાહ અનાદિ... જેની કોઈ શરૂઆત નહિ, તેને જ્ઞાનમાં
લેવા જાય તો જ્ઞાન રાગથી જુદું પડીને અતીન્દ્રિય થયા વગર રહે નહિ. જ્યાં શ્રુતજ્ઞાને અનંત
તીર્થંકરોને પોતામાં વસાવ્યા ત્યાં તે જ્ઞાન નિઃશંક થઈ ગયું, રાગરહિત થઈ ગયું, નિર્વિકલ્પ થઈને
સ્વરૂપમાં પરિણમ્યું.
ભવને જીતનારા તીર્થંકરો–કેવળીભગવંતોનો પ્રવાહ અનાદિ અને તેને સેવનારા સો
ઈન્દ્રોનો પ્રવાહ પણ અનાદિનો; સો ઈન્દ્રોના અધિદેવ એવા જે તીર્થંકરો, તેને સેવનારા
ગણધરમુનિંદ્રો અને સો ઈન્દ્રો–તે બધાયનો પ્રવાહ જગતમાં અનાદિનો છે, તેમાં ત્રટ પડે નહિ,
તેનો અભાવ જગતમાં કદી ન હોય. –આવો નિર્ણય કરનારું જ્ઞાન નિર્વિકલ્પ થઈને
અસાધારણ નમસ્કાર કરે છે, એટલે પોતે પણ સાધક થઈને એ તીર્થંકરોને ગણધરોની શ્રેણીના
પ્રવાહમાં ભળે છે.
અહા, ભગવંતો જિતભવ છે; એ જિતભવ જિનવરોને નમસ્કાર કરનારું જ્ઞાન પણ
ભવનો નાશ કરનારું છે, જિતભવ છે.
એ ભગવાન અર્હંતોની વાણી દિવ્ય છે, ત્રણ લોકને આનંદકારી, પ્રસન્નકારી, મધુર છે,
નિર્મળ છે ને હિતમાર્ગની પ્રકાશક છે. સઘળાય જીવોને નિર્બાધ વિશુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિનો
ઉપાય કહેનારી હોવાથી હિતોપદેશી છે. જુઓ, આ ભગવાનની વાણીનો ઉપદેશ! ઉપદેશમાં
ભગવાને શું કહ્યું? કે

PDF/HTML Page 11 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૭:
અનુભૂતિ કરીને કહે છે કે અહો, ભગવાનની વાણીએ આવા નિર્બાધ વિશુદ્ધ આત્માના
અનુભવની ઉપલબ્ધિનો ઉપાય જગતને ઉપદેશ્યો છે. “તું જ્ઞાનઘન છો, આનંદરૂપ છો, શુદ્ધ છો”
એમ આત્માનું સ્વસંવેદન કરવાનો ભગવાનનો ઉપદેશ છે. જુઓ તો ખરા–ભરતક્ષેત્રમાં અત્યારે
તીર્થંકરનો વિરહ... પણ તે તીર્થંકરોનો ઉપદેશ કેવો હતો તે વાત કુંદકુંદાચાર્યદેવે સ્પષ્ટ બતાવીને
તીર્થંકરના વિરહા ભૂલાવી દીધા છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે પણ અલૌકિક ટીકા વડે કુંદકુંદપ્રભુના
હૃદયના ગંભીર રહસ્ય ખોલીને ગણધર જેવું કામ કર્યું છે. વાહ! અંદરથી ચૈતન્યનો પાવર ફાટી
જાય–એવી ટીકા છે, જરાક અંદર લક્ષમાં લ્યે તો મુમુક્ષુને તો અંદરની દશા ફરી જાય.
કોઈ કહે કે કેવા ભાવે સાંભળવું? –તો કહે છે કે ભાઈ, સાંભળવાના રાગથી આત્માને
જરીક મોકળો કરીને સાંભળવું. સમયસારમાં પણ કહે છે કે ‘હું સિદ્ધ છું’ એવું લક્ષ કરીને
સાંભળજે, રાગના લક્ષે સાંભળીશ નહિ, તેની મુખ્યતા કરીશ નહિ. અમારા અને તારા આત્મામાં
સિદ્ધોને સ્થાપીને અમે તને શુદ્ધાત્મપ્રાપ્તિની વાત સંભળાવીએ છીએ, તો તેને તારા અંતરમાં
સ્થાપીને તું સાંભળજે. રાગને હૃદયમાંથી કાંઢી નાખજે એટલે કે શ્રવણ વગેરે વખતે જે રાગ છે તે
રાગ ઉપર તારા લક્ષનું જોર ન દેજે, પણ અંદર તેના વાચ્યભૂત શુદ્ધાત્મા ઉપર તારા લક્ષનું જોર
દેજે. –આવા ભાવશ્રવણને અપૂર્વ મંગળ કહ્યું છે.
જુઓ તો ખરા, આ ભગવાનનો ઉપદેશ!! જેનાથી જીવનું હિત થાય એવો જ
છે, તેની સન્મુખતાથી જ જીવનું હિત થાય છે. જ્ઞાનની નિઃશંકતાના જોરે આચાર્યદેવ કહે છે કે
બધાય ભગવંતોએ..... અત્યારસુધીના કાળ પ્રવાહમાં અનંતા તીર્થંકરો થયા ને અત્યારે
વિદેહક્ષેત્રમાં બિરાજે છે–તે બધાય તીર્થંકરોએ ચૈતન્યના હિતરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો;
ભગવાનનો ઉપદેશ સર્વે જીવોને હિતરૂપ છે, અમૃત જેવો છે. કહ્યું છે કે–
વચનામૃત વીતરાગના પરમશાંતરસમૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
ભવરોગને હરનારા એવા જિતભવ–જિનરાજ, તેમની વાણી પણ ભવને હરનારી છે;
મિથ્યાત્વરૂપી ઝેરને ઉતારી નાંખીને પરમ અમૃતરૂપ મોક્ષપદને પમાડનારી હોવાથી વાણી પણ
અમૃત છે. મોક્ષને ‘અમૃત’ કહેવાય છે, જ્યાં ફરીને મરણ નથી; મોક્ષદશા પ્રગટી તે પ્રગટી. તે હવે
આદિઅનંત અમૃતપણે ટકી રહેશે, તેથી તે અમૃત છે. એવા એવા અમૃતપદની પ્રાપ્તિનો માર્ગ
બતાવનારી વીતરાગની વાણીને પણ અમૃત કહેવાય છે. એવી અમૃતવાણી પરમ શાંતરસનું મૂળ
છે. ચૈતન્યના અનુભવ–

PDF/HTML Page 12 of 38
single page version

background image
: ૮: આત્મધર્મ માહ: ૨૪૯૦
રૂપ જે પરમ શાંતિ તેનો માર્ગ વીતરાગની વાણી બતાવે છે.
વીતરાગદેવની વાણી સાક્ષાત્ ઝીલીને કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રોમાં ગૂંથી છે. ભરતક્ષેત્રમાં
જન્મ ને વિદેહના ભગવાનના ભેટા... અહા! એની પવિત્રતાની શી વાત? ને એનાં પુણ્યની શી
વાત! જેમ તીર્થંકરની પવિત્રતા અને પુણ્ય બંને મોટા, તેમ આચાર્યદેવને પણ પવિત્રતા અને
પુણ્ય બંનેનો કોઈ અલૌકિક મેળ થઈ ગયો છે. યાત્રામાં શ્રવણબેલ–ગોલમાં બાહુબલી
ભગવાનના દર્શન કર્યાં
ત્યારે જાણે અંદર સાક્ષત્ વીતરાગતા ભરી હોય
ને મુદ્રા ઉપર પુણ્યનો અતિશય તરવરતો હોય
એવો અદ્ભુત દેખાવ છે. પવિત્રતાનો અને
પુણ્યનો જાણે પિંડલો! ચૈતન્યનો મહિમાનો
ચિતાર એના સર્વાંગે તરવરે છે. અદ્ભુત દેખાવ
છે, વિશ્વની એક અજાયબી છે. અહીં કહે છે કે
આવા ચૈતન્યસ્વરૂપને ભગવાનની વાણી દેખાડે
છે. ચૈતન્યની પરમ શાંતિનો અનુભવ કેમ થાય
તે ભગવાનની વાણીએ બતાવ્યું છે. આ
પંચમકાળમાં પણ નિજસ્વરૂપનું પોતાનું કામ
સાધનારા મુનિઓ તો ઘણાય થયા; પણ તેની
સાથે બહારમાં પણ ભગવાનનો ભેટો કરીને
આવો માર્ગ ટકાવી રાખવાનું અલૌકિક કાર્ય
કુંદકુંદાચાર્યદેવે કર્યું. આ ભરતક્ષેત્રના ધર્મી જીવો
ઉપર તેમનો મોટો ઉપકાર છે.
ભગવાનનો આત્મા તો અલૌકિક ને તેમની વાણી પણ કોઈ અલૌકિક! એમની આત્મ
શક્તિની તો શી વાત! પણ તેમના કેવળ જ્ઞાનમાંથી નીકળતી વાણી પણ ચૈતન્યના અલૌકિક
રહસ્યોથી ભરેલી છે. ચૈતન્યભગવાન પોતાના સ્વભાવને ઘોળતો ઊભો થયો ને વચ્ચે
સાધકભાવમાં રાગથી જે અલૌકિક પુણ્ય બંધાયા તેના ફળમાં તીર્થંકરાદિની એવી અલૌકિક વાણી
નીકળે છે કે જે સાંભળતાં મુમુક્ષુને તો અસંખ્યપ્રદેશોના રોમરોમ ઉલ્લસી જાય..... ચૈતન્યના પ્રદેશો
ઉલ્લાસથી ખીલી જાય! અહીં આત્મા કેવળજ્ઞાનપણે પૂરો થયો ત્યાં વાણી પણ અસંખ્યપ્રદેશેથી
એક સાથે પૂર્ણ રહસ્યને લેતી પ્રગટી, તે વાણી ત્રણ જગતના જીવોને શુદ્ધાત્માની પ્રાપ્તિનો
હીતકરમાર્ગ ઉપદેશે છે.

PDF/HTML Page 13 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૯:
જિનવર ભગવાને તો શુદ્ધાત્મસ્વરૂપની સાધના વડે ભવને જીત્યા, ને એ જિતભવ–
જિનરાજની વાણીમાં ભવ્યજીવોને માટે ભવને જીતવાનો માર્ગ નીકળ્‌યો. વાહ! ચૈતન્ય ખીલે
એવી વાત છે. –ખીલવાની જ વાત છે. ભગવાનની વાણી સાંભળતા ભવ્યજીવોનો આત્મા
અસંખ્ય પ્રદેશે ખીલી ઊઠે છે. –એ આત્મા પોતે પૂર્ણ પરમાત્મા થઈને ઊભો છે. ત્યાં તેમની
વાણીમાં પણ પરમાત્મપદની પ્રાપ્તિનો જ ઉપાય આવે છે. તે સાંભળતાં કોઈને ક્ષપકશ્રેણી ઊપડે
છે, કોઈને ચૈતન્યની ક્ષાયકસમકિત થાય છે, –એમ ભગવાનની વાણીના નિમિત્તે ધર્મની ધીકતી
ધારા ચાલે છે.
ભગવાનની વાણી કેવી છે? કે મધુર છે... પરમાર્થરસિક જીવોના મનને હરનારી છે...
ભગવાનની વાણીમાં ચૈતન્યનો મહિમા ઝળકી રહ્યો છે, તે સાંભળતાં જ પરમાર્થરસિક જીવો મુગ્ધ
બની જાય છે: વાહ! પ્રભુ! તારી વાણી અલૌકિક ચૈતન્યને પ્રકાશનારી છે. ચૈતન્યના નિર્વિકલ્પ
આનંદનો સ્વાદ ચખાડનારી આપની વાણી, તેની મધુરતાની શી વાત! એની મીઠાશની શી વાત!
એ વાણીનો નાદ એક વાર પણ જેણે સાંભળ્‌યો તેનું મન હરાઈ જાય છે, એટલે ચૈતન્ય સિવાય
બીજા કોઈ પદાર્થમાં એનું મન લાગતું નથી. આ રીતે ભગવાનની વાણી–જે પરમાર્થરસિક છે, જે
શુદ્ધાત્માની શાંતિના રસીલા છે–એવા જીવોના મનને હરનારી છે, વાણી સાંભળતાં તે જીવોનો
ઉપયોગ મનથી ખસીને અતીન્દ્રિય આનંદ તરફ ઝૂકી જાય છે. ભગવાનની વાણી ચૈતન્યનું
અવલંબન છોડાવે છે, –એ રીતે પણ તે મનોહર છે. સમ્યગ્દ્રષ્ટિ–તીર્યંચથી માંડીને ગણધરાદિ સંતો
તે બધાય પરમાર્થરસિક છે, નિર્વિકલ્પ ચૈતન્યસમાધિમાં તે ઝૂલનારા છે.. તેઓ પણ બહુ જ
આદરપૂર્વક, ઘણા વિનયપૂર્વક ભગવાનની વાણી સાંભળે છે. ભગવાનની વાણી મનહર મીઠી છે.
આપણે ભક્તિમાં પણ ગવાય છે કે–
જિણંદચંદવાણી, અનુપમ અમી સમી છે,
ગુણરત્ન કેરી ખાની બુધમાનસે રમી છે.
મીઠાસ જેની જાણી, ગર્વો બધાં ગળે છે,
શરમાઈ મીઠી દ્રાક્ષો વનવાસને કરે છે.
પરમાર્થરસિક જીવોને આવી જ વાણી ગમે, બીજી વાણી ગમે નહિ; ચૈતન્યના અનુભવના
વીતરાગરસને ઘોળાવનારી વાણી સિવાય બીજી વાત મુમુક્ષુને ગોઠે નહિ. ભગવાનની વાણીની
મીઠાસ પાસે મીઠા દ્રાક્ષના વેલા શરમાઈને વનમાં ચાલ્યા ગયા.... કે અરે! ભગવાનની
વીતરાગીવાણીની મીઠાસ પાસે અમારી મીઠાસની શી કિંમત!! –ગણધરો પણ જે સાંભળતા
વીતરાગરસમાં ઝૂલી ઊઠે... એ વાણીની મધુરતાની શી વાત!! જુઓને, આ કુંદકુંદાચાર્યની વાણી
પણ કેવી મધુર છે! તે કેવી હિતોપદેશી છે! આમ જાણે શુદ્ધાત્માને સામે ખડો કરીને સાક્ષાત્કાર
કરાવે છે. એમણે તો ભગવાનની વાણી સાક્ષાત્ સાંભળી છે ને!! એટલે તેમની વાણીમાં પણ
એના રણકાર છે. આવી વીતરાગી વાણી દ્વારા મુમુક્ષુઓ ચૈતન્યને સાધે છે, વીરપણે
વીતરાગમાર્ગને સાધે છે,

PDF/HTML Page 14 of 38
single page version

background image
: ૧૦: આત્મધર્મ માહ: ૨૪૯૦
તેઓ જ અભિનંદનય છે. ભલેને સ્ત્રીના શરીરમાં હોય, પણ જે આત્મા આવા ચૈતન્યના
રસીલા છે એવા ધર્માત્મા અભિનંદનીય છે.
જિતભવ ભગવાનની વાણી ઝીલીને તેઓ નિર્બાધપણે વીરતાથી મોક્ષમાર્ગને સાધે છે ને
ભવને જીતીને ભગવાન થાય છે.
‘ण मो जि णा णं. . . . जि द भ वा णं ’
પ્રવચનમાં ચૈતન્યદર્શક વીતરાગવાણીનો આવો અદ્ભુત મહિમા સાંભળતા
વીરમાર્ગસાધક જીવોના જયનાદથી શ્રોતાજનોની સભા ગૂંજી ઊઠી–
જૈનશાસનશિરોમણી, દિવ્યધ્વનિના શ્રોતા કુંદકુંદાચાર્યદેવનો..... જય હો.
દિવ્યધ્વનિના રહસ્ય ખોલનાર અમૃતરસપાનાર ગુરુદેવની વાણીનો... જય હો.
કુંદકુંદાચાર્યદેવના સુપુત્ર શાસનસ્તંભ ગુરુદેવનો જય... હો
માગસર વદ ૮ના આ પ્રવચના અંતમાં, પરમાર્થરસિક જીવો કેવા
હોય? વીરમાર્ગને સાધવા નીકળ્‌યા તેમનો પુરુષાર્થ કેવો હોય?
તેમને રાગની રુચિ ન હોય, – એ સંબંધી એક રજપૂતનું સુંદર
શૌર્યપ્રેરક દ્રષ્ટાંત આપ્યું હતું.તે આ અંકમાં આપ હમણાં જોશો. –
અંતરના પરિણામ • • • • • • • • • • • • • • • • •
જે સાધનો બતાવે તે તરવાના સાધનો હોય તો જ ખરાં સાધન; બાકી નિષ્ફળ
સાધન છે. વ્ય્વહારમાં અનંતા ભાંગા ઊઠે છે તો કેમ પાર આવે? કોઈ માણસ
ઉતાવળથી બોલે તેને કષાય કહેવાય, કોઈ ધીરજથી બોલે તેને શાંતિ દેખાય; પણ
અંર્તપરિણામ હોય તો જ શાંતિ કહેવાય.
(શ્રીમદ્ રાજચંદ્ર: ઉપદેશછાયા: ૮)

PDF/HTML Page 15 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૧૧:
અનુભવના અભ્યાસની પ્રેરણા
દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન, ચૈતન્યસ્વરૂપી આત્મા શું ચીજ છે તેની જેને ખબર નથી એવા
અજ્ઞાનીઓ બીજી રીતે આત્માનું સ્વરૂપ માને છે. એવા જીવોને કોમળતાથી સમજાવે છે કે–
અરે જીવો! આ ચૈતન્યતત્ત્વ અંતરમાં સ્વસંવેદન વડે જ્ઞાનીઓને અનુભવગમ્ય છે,
યુક્તિથી ને આગમથી પણ તે સિદ્ધ થાય છે. હે ભવ્ય! હે આત્માના શોધક! બીજા નકામા
કોલાહલથી તું વિરક્ત થા..... અને અંતરમાં જ્ઞાનસ્વરૂપી આત્મા દેહથી જુદો છે તેને અનુભવવા
માટે એકધારો છ મહિના પ્રયત્ન કર, અંતરંગમાં ભેદજ્ઞાનનો અભ્યાસ કર. નિશ્ચલપણે
લગનીપૂર્વક અંતરમાં અભ્યાસ કર. એમ કરવાથી તને તારામાં તને તારા અંતરમાં જ ભિન્ન
ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવશે. અરે જીવ! તું નિશ્ચયપણે અભ્યાસ કર તો છ મહિનામાં જરૂર
તને આત્મપ્રાપ્તિ થાય. છ મહિના સુધી આત્માની લગનીમાં લાગ્યો રહે ને તેમાં ભંગ પડવા ન દ્યે
તો નિર્મળઅનુભૂતિ થયા વગર રહે નહીં. એક શરત છે કે બીજો કોલાહલ છોડીને પ્રયત્ન કરવો.
અરે, મારું ચૈતન્યતત્ત્વ શું છે? એમ અંતરમાં કુતૂહલ કરીને, તેની સન્મુખ થઈને અભ્યાસ કર. છ
મહિના તો વધુમાં વધુ ટાઈમ આપ્યો છે, કોઈને ટૂંકા કાળમાં પણ થઈ જાય. પરિણામમાં એવો
તીવ્ર રસ છે કે આત્માના અનુભવના અભ્યાસની ધારાને તોડતો નથી. શરીરનું–કુટુંબનું શું થશે
એવા વિકલ્પના કોલાહલને મુક એક કોર, ને ચૈતન્યસ્વભાવના મહિમાનું ઘોલન કર. અંતર્મુંખ
થવાનો પ્રયત્ન છ મહિના કર, ને બહિર્મુંખની ચિંતા છોડ. તું બહારની ચિંતા કર તોપણ તેનું જે
થવાનું તે થવાનું છે, ને તું ચિંતા ન કર તોપણ તેનું કાંઈ અટકી જવાનું નથી. માટે તું તેની ચિંતા
છોડીને એકવાર તો સતતપણે તારા આત્માના પ્રયત્નમાં લાગ.... છ મહિના તો ચૈતન્યના
ચિંતનમાં તારા ઉપયોગને જોડ. આવા ધારાવાહી પ્રયત્નથી જરૂર તને આનંદસહિત તારા
અંતરમાં આત્માનો અનુભવ થશે.
અહા, જુઓ તો ખરા! આચાર્યદેવ કેવી કોમળતાથી સમજાવ્યું છે; આત્માના અનુભવની
કેવી પ્રેરણા આપી છે! ભાઈ, તારી વસ્તુ તારા અંતરમાં છે, તેની સન્મુખ પ્રયત્ન કરતાં તે પ્રાપ્ત
થયા વગર રહે નહીં.
બહારના અનંતકાળના પ્રયાસે કાંઈ હાથ ન આવ્યું. એક રજકણ પણ તેનો થયો નથી

PDF/HTML Page 16 of 38
single page version

background image
: ૧૨: આત્મધર્મ માહ: ૨૪૯૦
છતાં તેમાં લાગ્યો રહે છે, તે મોટી દરિયા ભરાય એવડી–મૂર્ખાઈ છે અને જો અંતરમાં
ચૈતન્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે તો અંર્તર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય ને સાદિઅનંતકાળનું સુખ
પ્રાપ્ત થાય. સ્વરૂપના અભ્યાસવડે સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય છે. પરની પ્રાપ્તિ તો ન થાય પણ
પોતાની વસ્તુ તો પોતામાં મોજૂદ છે, જો ચેતીને–જાગૃત થઈને જુએ તો પોતાનું સ્વરૂપ
પોતાના વેદનમાં આવે છે. પોતાનું સ્વરૂપ કાંઈ પોતાથી દૂર નથી, અંતમુખ થતાં પોતે જ જ્ઞાન
આનંદસ્વરૂપ છે–એમ અનુભવમાં આવે છે. ઉત્કૃષ્ટ પ્રયત્ન કરે તો એક અંતમુહૂર્તમાં જ
અજ્ઞાનનો પડદો તોડી નાંખીને સ્વસ્વરૂપનો અનુભવ થાય છે. પણ શિષ્યને બહુ કઠણ લાગતું
હોય તો તેને વધુમાં વધુ છ મહિના લાગવાનું કહ્યું છે; નિષ્પ્રયોજન કોલાહલ છોડીને સ્વરૂપના
પ્રયત્નમાં લાગવાથી તત્કાળ તેની પ્રાપ્તિ થાય છે. પામનારા અંતર્મુંહર્તમાં પામ્યા છે;
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પણ થાય છે, તો પછી સમ્યગ્દર્શન તો સુગમ છે. પણ તે માટે અંતર્મુખ
પ્રયત્ન જોઈએ. નજરની આળસે પોતે પોતાના સ્વરૂપને દેખતો નથી, –પણ છે તો અંતરમાં
જ. માટે હે ભવ્ય! બીજો બધો કોલાહલ છોડીને એક ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિના પ્રયત્નમાં તારા
ઉપયોગને જોડ–જેથી તુરતમાં જ તને તારો આત્મા અનુભવમાં આવશે. આ રીતે સંતોએ
કરુણાપૂર્વક અનુભવના અભ્યાસની પ્રેરણા આપી છે.
પહેલું કામ
આટલું કામ પતી જાય પછી આત્માનું કરશું, હમણાં આ કામ છે ને તે
કામ છે–એવું બહાનું જીવ કાઢ્યા જ કરે છે. પરંતુ, જીંદગીમાં કાંઈ પણ
કામકાજ ન હોય–એવો કોઈ દિવસબબબ આવશે ખરો? રાહ જોઈને
બેસી રહેવાથી તો નિવૃત્તિ કદી મળે જ નહિ, ને જીંદગીના કિંમતીમાં
કિમતી દિવસો આમને આમ વેડફાઈ જાય છે–પાણીના પૂરની જેમ.
માટે–
“સૌથી પહેલો આત્મા.... ને બીજું બધુંય પછી.”

PDF/HTML Page 17 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૧૩:
જ્ઞા ની ની અં ત ર્ દ્ર ષ્ટિ નો મ હિ મા
જે ક્રિયાના સંયોગમાં અજ્ઞાનીને બંધન થાય છે તે જ ક્રિયાના સંયોગમાં
જ્ઞાનીને નિર્જરા થાય છે.... એનું કારણ? જ્ઞાનીના અંતરમાં જે અચિંત્ય
ભેદજ્ઞાનપરિણતિ વર્તી રહી છે–તે જ નિર્જરાનું કારણ છે, તેનો અચિંત્ય મહિમા
આચાર્યદેવે નિર્જરા–અધિકારમાં સમજાવ્યો છે.
જ્યાં શુદ્ધ ચૈતન્યસ્વભાવ આત્મા અને રાગાદિ આસ્રવો વચ્ચેના ભેદજ્ઞાનરૂપ સંવર હોય ત્યાં જ
નિર્જરા હોય છે. ભેદજ્ઞાનવગર નિર્જરા હોતી નથી. જેને જુદું કરવાનું છે તેને પોતાથી જુદું જાણ્યા
વિના જુદા કરવાની ક્રિયા કઈ રીતે કરશે? ભગવાન આત્માની ખ્યાતિ–પ્રસિદ્ધિ રાગવડે નથી,
ચૈતન્યભાવવડે જ ભગવાન આત્માથી પ્રસિદ્ધિ છે. ભેદજ્ઞાનવડે ભગવાન આત્માને ચૈતન્યભાવે
જેણે પ્રસિદ્ધ કર્યો છે–એવા ધર્માત્માને ચૈતન્યધામમાં લીનતાવડે નિર્જરા થાય છે. રાગ ને જ્ઞાનની
ભિન્નતાને બદલે, રાગને લાભનું કારણ જે માને તેને અશુદ્ધતા અટકે નહીં ને નિર્જરા થાય નહિ.
રાગમાં એકતા તે મોટી અશુદ્ધતા છે, તે છૂટ્યા વગર શુદ્ધતા કે સંવર નિર્જરા થાય નહીં.
ધર્માત્માની પરિણતિ શુદ્ધાત્માના આશ્રયે રાગથી જુદી જ પરિણમે છે; એટલે પૂર્વ કર્મના
ઉદયો તેને નિર્જરતા જ જાય છે. ઉદયના કાળે તે ઉદયમાં તન્મય નથી વર્તતો પણ ચૈતન્યરસમાં
તરબોળ વર્તે છે, એટલે બાહ્ય ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરતો જ જાય છે. ધર્મીજીવને
બહારમાં પુણ્યનો ઉદય ન હોય–એમ નથી; ઉદય ભલે હો, પણ તે ઉદયના કાળે ધર્મીને ભેદ
જ્ઞાનના બળે જ્ઞાનપરિણતિમાં રાગનો અભાવ જ છે, તેથી તેની તે પરિણતિના બળે તેને નિર્જરા
જ થતી જાય છે. અહો, આ સમ્યક્શ્રદ્ધાનું બળ છે. સમ્યક્શ્રદ્ધાની શક્તિથી રાગના એક
અંશમાત્રને પણ ધર્મીજીવ પોતાના ચૈતન્યભાવમાં સ્વીકારતો નથી; મારો આત્મા તો ચૈતન્યનો
સાગર છે. આવા સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીજીવને આખા જગત પ્રત્યે વૈરાગ્ય વર્તે છે. તેને
બાહ્યસંયોગમાં ચેતન–અચેતન દ્રવ્યનો ઉપભોગ દેખાય તો પણ તેની અંર્તદ્રષ્ટિના બળે તેને
નિર્જરા થાય છે. અજ્ઞાનીને મિથ્યાદ્રષ્ટિને લીધે રાગમાં એકતાબુદ્ધિના સદ્ભાવથી જે બંધનું
નિમિત્ત થાય છે, તે જ સંયોગ જ્ઞાનીને

PDF/HTML Page 18 of 38
single page version

background image
: ૧૪: આત્મધર્મ માહ: ૨૪૯૦
નિર્દોષ દ્રષ્ટિને લીધે–રાગમાં એકતાબુદ્ધિના અભાવથી નિર્જરાનું જ નિમિત્ત થાય છે. એક જ્ઞાની
લીલોતરી ખાતા હોય ને એક અજ્ઞાની લીલોતરી ખાતા હોય–તે વખતે તેમાં જ્ઞાનીને તો નિર્જરા
થતી જાય છે ને અજ્ઞાનીને બંધન થતું જાય છે. –શું કારણ? કે અંતરની દ્રષ્ટિ ક્યાં પડી છે તેની
વાત મુખ્ય છે. જ્ઞાનીને આખા જગતના રાગમાંથી દ્રષ્ટિ ઊડી ગઈ છે ને ચૈતન્યસ્વભાવમાં જ
દ્રષ્ટિ થઈ છે, તે દ્રષ્ટિમાં રાગના અંશનું પણ સ્વામીત્વ નથી, ત્યાં બાહ્યપદાર્થની શી વાત?
આવી દ્રષ્ટિ તે જ નિર્જરાનું કારણ છે અને અજ્ઞાની ચૈતન્યને ચૂકીને આખા જગતના રાગનો ને
સંયોગને ચૂકીને આખા જગતના રોગોનો ને સંયોગનો સ્વામી થઈને મિથ્યાભાવમાં વર્તે છે; તે
મિથ્યાભાવ જ બંધનું કારણ છે.
અહીં ધ્યાન રાખવું કે બાહ્યવસ્તુનો ઉપભોગ તે કાંઈ ધર્મીને નિર્જરાનું કારણ નથી
બતાવવું; પણ તે ઉપભોગના કાળે જ્ઞાનીના અંતરમાં જે અચિંત્ય ભેદજ્ઞાન પરિણતિ વર્તી રહી
છે તે નિર્જરાનું કારણ છે. અજ્ઞાની બહારથી ત્યાગી થઈને બેસે તોપણ અંતરમાં ભેદજ્ઞાનના
લીધે, રાગમાં જ તેની પરિણતિ વર્તતી હોવાથી તેને બંધન જ થાય છે. અંતરની દ્રષ્ટિને
ઓળખ્યા વગર આ વાત સમજાય તેવી નથી. અહો, જ્ઞાનીની શ્રદ્ધાશક્તિનું કોઈ અચિંત્ય જોર
છે... કે તે શક્તિને લીધે તેને અશુભ વખતે પણ નિર્જરા થયા કરે છે. જુઓ, અસમ્યક્ત્વનું
મહાત્મ્ય!!–કે જેના સામર્થ્યથી ઉપભોગના કાળે પણ નિર્જરા જ થયા કરે છે. જ્ઞાનીની
અંતરપરિણતિનો આ અચિંત્ય મહિમા છે. આત્માના આનંદનો ભોગવટો જ્યાં પ્રગટ્યો ત્યાં
રાગાદિના કે બાહ્યપદાર્થોના ભોગવટામાંથી દ્રષ્ટિ જ ઊડી ગઈ, રાગાદિના એક અંશનો પણ
ભોગવટો ધર્મીની દ્રષ્ટિમાં નથી. એ દ્રષ્ટિનું રહસ્ય બહારથી સમજાય તેવું નથી. જેટલો અશુભ
રાગ છે તેટલું બંધન છે, પણ તે ઘણું અલ્પ છે, તે બંધનના કાળે પણ સમ્યકત્વની શક્તિથી
અનંતગણી નિર્જરા થયા કરે છે; માટે ધર્મીને નિર્જરાની જ મુખ્યતા છે. જે અલ્પબંધન છે તેનું
સ્વામીત્વ તેને નથી.
સમ્યગ્દ્રષ્ટિ ‘જ્ઞાની’ છે ને જ્ઞાનીને રાગદ્વેષ–મોહનો અભાવ છે, માટે તે ‘વિતરાગી’ છે.
કોઈપણ પ્રસંગે મિથ્યાત્વસંબંધી રાગ જ્ઞાનીને જરા પણ થતો નથી; એટલે ગમે તે પ્રસંગમાં પણ
તેને મિથ્યાત્વસંબંધી બંધન તો જરાપણ થતુ જ નથી. ભિન્ન ચૈતન્યનુંં જ્યાં ભાન થયું, ત્યાં
પરિણતિ રાગથી પણ જુદી પડી, સ્વભાવ અને વિભાવની ધારા જુદી પડી, ત્યાં સ્વભાવધારા
બંધનનું કારણ કેમ હોય? જ્ઞાનીને સ્વભાવધારા સતત્ ચાલી જાય છે, તેના બળે નિર્જરા જ
થાય છે. ક્યાં જ્ઞાની? ચોથા ગુણસ્થાને રહેલા ગૃહસ્થ ધર્માત્મા જ્ઞાન છે, તેને પણ આવી દશા
હોય છે. આ કોઈ ધ્યાનમાં બેઠેલા મોટામોટા મુનિઓની જ વાત નથી, પરંતુ સમ્યગ્દ્રષ્ટિ
અવિરત ગૃહસ્થ હોય, સ્ત્રી

PDF/HTML Page 19 of 38
single page version

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૧૫:
હોય કે તિર્યંચ હોય, તેની પણ આવી અંર્તદશા હોય છે, ને તેને ચેતન–અચેતનના ઉપભોગના
કાળે પણ નિર્જરા જ થયા કરે છે, અને તે વૈરાગી છે. અજ્ઞાની ઉપરટપકે જુએ છે, જ્ઞાની
અંતરના આંતરા ભાળે છે. જ્ઞાની સામગ્રી ભોગવે છે–એમ અજ્ઞાની દેખે છે, અરે, જ્ઞાની તો
જ્ઞાનધારારૂપે પરિણમતો થકો ને રાગથી વિરકત જ રહેતો થકો, તે કાળે કર્મોની નિર્જરા જ કરે
છે.
[સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ વચ્ચે અનંતગણો આંતરો છે. અજ્ઞાની બહારથી વૈરાગી
દેખાતો હોય તો પણ અંતરમાં રાગની રુચિના અભિપ્રાયથી તે અનંતરાગથી રંગાયેલો છે ને
કર્મોને બાંધે છે, તેણે જરા પણ રાગ છોડ્યો એમ જ્ઞાની કહેતા નથી. અને સમ્યગ્દ્રષ્ટિને કદાચ
એવા ઠાઠવૈભવ હોય કે અજ્ઞાની પાસે હોયે નહિ–છતાં સમ્યગ્દ્રષ્ટિ પરમ વૈરાગી છે, તે વૈરાગ્ય
દશાને સ્થૂલ અજ્ઞાનીઓ ઓળખી શકતા નથી.
]
ભરતચક્રવર્તી છ ખંડ સાધવા ગયા છે, ૬૦, ૦૦૦ વર્ષ થઈ ગયા છે, યશસ્વતીમાતાને
એમ થાય છે કે અરે, ૬૦, ૦૦૦ વર્ષથી પુત્રનું મુખ જોયું નથી, એટલે ત્યાં જઈને ભરતને
જોવાનું મન થાય છે. વિમાનમાં બેસીને ત્યાં જાય છે; ને માતાજીને દેખતાં જ આનંદ અને
આશ્ચર્યથી ૯૬ કરોડ માણસોના લશ્કરમાં કોલાહલ થઈ જાય છે કે માતાજી પધાર્યા!! ....
માતાજી પધાર્યા!! કોલાહલ સાંભળીને ભરતને થાય છે કે અરે, વળી શું થયું? શેનો છે આ
કોલાહલ!! એમ કહીને તલવાર કાઢીને તૈયાર થાય છે. પછી જ્યાં ખબર પડી કે અહો, માતાજી
પધાર્યા છે!! તરત જ વિનયથી સામે જઈને બહુમાન કરે છે ને ભક્તિપૂર્વક માતાની આરતિ
ઉતારે છે. માતા ‘ના ના’ કરે છે પણ ભરત કહે છે કે માતા! બોલશો નહીં, અમે આપના દિકરા
છીએ... આપની પાસે બાળક છીએ... જુંઓ, આ છ ખંડનો ચક્રવર્તી! જેના વૈભવનો પાર નહીં,
છતાં દ્રષ્ટિમાં એક ચિદાનંદસ્વભાવ સિવાય બીજે ક્્યાંય અંશમાત્ર સ્વામીપણું નથી, આખા
જગતથી વિરક્ત છે. માતા પણ ધર્માત્મા છે. ચક્રવર્તી આરતી ઊતારે છે પણ અંદર ભિન્નતાનું
ભાન છે. અમારી મહત્તા અમારા ચૈતન્યમાં છે–આવા સમ્યક્ભાનમાં ધર્માત્માને નિર્જરા જ થયા
કરે છે. ભેદજ્ઞાન વડે જે વીતરાગીદ્રષ્ટિ પ્રગટી છે–તેનો આ મહિમા છે.
(સ
ગા ૧૯૩ ઉપરના પ્રવચનમાંથી)

PDF/HTML Page 20 of 38
single page version

background image
: ૧૬: આત્મધર્મ માહ: ૨૪૯૦
જ્ઞાની નિષ્પરિગ્રહી છે
(ભેદજ્ઞાન વગર પરિગ્રહ છૂટે જ નહિ)
(સમયસાર નિર્જરાઅધિકારના પ્રવચનમાંથી)
સ્વ–પરના યથાર્થ ભેદજ્ઞાનવડે જેણે જ્ઞાનનો અનુભવ કર્યો છે એવા જ્ઞાની ધર્માત્માએ
પોતાના જ્ઞાનમયભાવમાંથી સમસ્ત પરિગ્રહને છોડ્યો છે. જ્ઞાનના જ સ્વામીત્વપણે પરિણમતા
જ્ઞાની અન્ય સમસ્ત પરિગ્રહને જરાપણ ગ્રહતા નથી. પરદ્રવ્ય છેદાઓ અથવા ભેદાઓ, અથવા
તેને કોઈ લઈ જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું. કારણ કે હું તો જ્ઞાનમય જ છું. જ્ઞાનથી
ભિન્ન કોઈ પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પરદ્રવ્યનો સ્વામી નથી; આમ જ્ઞાની જાણે છે; તેથી જ્ઞાનના
જ સ્વામીત્વપણે પરિણમતા તે અન્ય કોઈપણ પરિગ્રહને કિંચિત ગ્રહતા નથી.
આહાર કરતા હોય, તે તરફની ઈચ્છા હોય, છતાં જ્ઞાની અનીચ્છક જ છે; કેમકે તે
ઈચ્છાના કાળે જ્ઞાનીને તે ઈચ્છા સાથે જ્ઞાનની એકતારૂપ પરિણમન થતું નથી, પણ ઈચ્છાથી ભિન્ન
જ્ઞાનરૂપ પરિણમન જ થાય છે; તેથી જ્ઞાનીને તો જ્ઞાનમયભાવપણું જ છે, તે ઈચ્છા–મય નથી માટે
અનીચ્છક જ છે. ઈચ્છા કે બાહ્ય વસ્તુનો પરિગ્રહ જ્ઞાનીને નથી; આ ઈચ્છા તે મારા જ્ઞાન સાથે
એકમેક છે એવી પક્કડ–પરિગ્રહ જ્ઞાનીને નથી.
જ્ઞાન સિવાય જગતના કોઈ વિષયની કે વિકલ્પની પક્કડ ધર્માત્માજ્ઞાનીને નથી. યથાર્થ
ભેદજ્ઞાન વગર પરિગ્રહની પક્કડ કદી છૂટે જ નહિ. જ્યાં યથાર્થ ભેદજ્ઞાન થયું ત્યાં જગતના સર્વ
પરિગ્રહની પક્કડ જ્ઞાનીની દ્રષ્ટિમાંથી છૂટી ગઈ. એક શુભવિકલ્પનો પણ સ્વામી થઈને જે
પરિણમે છે, તે વિકલ્પને કિંચિત્ લાભરૂપ માને છે, તે જીવની મિથ્યાબુદ્ધિમાં ત્રણ કાળ
ત્રણલોકના પરિગ્રહની પક્કડ છે. જ્ઞાનીધર્માત્મા જાણે છે કે અરે, અમે તો ચૈતન્યઆહારી–
ચૈતન્યવિહારી; અમારા ચૈતન્યભાવમાં વિકલ્પનો ભોગવટો પણ નથી, તો બહારની વસ્તુની વાત
તો ક્યાં રહી?
કુંદકુંદાચાર્ય જેવા મહા સમર્થ સંત મુનિ,