Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૪૫
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
પોન્નુર
યાત્રા
અંક
પોન્નુર
યાત્રા
અંક
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ર૧: અંક પ: વીર સં. ર૪૯૦ ફાગણ
ભક્તિભીનાં હૃદયે પોન્નુરમાં પરમગુરુ–કુંદકુંદસ્વામીનો ચરણસ્પર્શ

PDF/HTML Page 3 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક : II :
કુંદપ્રભુના
ચરણોને
અત્યંત
ભાવપૂર્વક
તેમના ભક્ત
અભિષેક
કરી રહ્મો છે.
પોન્નૂર
તા.
ર૭–૧–૬૪

PDF/HTML Page 4 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક આત્મધર્મ : I :
દક્ષિણના તીર્થધામોની યાત્રા
ગતમાસમાં પૂ. ગુરુદેવે યાત્રાસંઘસહિત કોઈ અનેરા
ઉલ્લાસ અને અતિશય ભક્તિભાવપૂર્વક દક્ષિણદેશના ચાર
મુખ્ય તીર્થસ્થાનો–કુંદાદ્રિ, મૂડબિદ્રી, શ્રવણબેલગોલ અને
પોન્નૂર–ની યાત્રા કરી. અંતિમ દિને પોન્નૂરધામમાં સાત
મોટરબસો અને લગભગ ૭૦ મોટર મારફત કુલ એક
હજાર જેટલા યાત્રિકો હતા તથા સ્થાનિક પોન્નૂરની
આસપાસ દિગંબર જૈન સમાજના પાંચેક હજાર યાત્રિકો
પોન્નૂર આવ્યા હતા. કહાનગુરુએ પરમગુરુ શ્રી
કુંદકુંદપ્રભુના પાવન ચરણોના અભિષેક–પૂજન ઘણી જ
ભક્તિથી શિષ્યભાવે કરાવ્યા હતા. ગુરુદેવ કહે છે કે અહા!
એ વખતના ભાવો! જે આવ્યા હશે તેમણે જોયા હશે!
અહીં એ યાત્રાના થોડાક સંસ્મરણો (ટૂંકાણમાં)
આપવામાં આવ્યા છે.
–બ્ર. હરિલાલ જૈન.
‘આત્મધર્મ’ ના ગતાંકમાં આપેલા સમાચાર દ્રારા આપણે સોનગઢથી નીકળીને
બેલગાંવ સુધી પહોંચ્યા છીએ. ત્યારબાદ તા. ૧૪–૧–૬૪ના રોજ ગુરુદેવ હુબલી
પધારતાં સ્વાગત થયું, પાંચ વર્ષ પહેલાંંની યાત્રા વખતે હુબલીના સ્વાગતમાં જે
હાથીના બે બચ્ચાં હતા તે જ બે હાથી આ વખતે સ્વાગતમાં હતા. હુબલીમાં કેટલાક
જિનમંદિરોનાં દર્શન કર્યા. બીજે દિવસે દાવનગીર (દક્ષિણનો ઉચ્ચાર દાવનગેરે)
આવ્યા, ત્યાં સુંદર વ્યવસ્થા હતી; એક .જિનમંદિર છે. ત્યાંથી નીકળી યાત્રાસંઘ રાતે ૧ર
વાગે હુમચા પહોંચ્યો. લાંબા યાત્રા–પ્રવાસમાં તીર્થોની અને સંતોની ખૂબ જ ભક્તિ
થતી....કુંદકુંદપ્રભુની ભક્તિની તો વાત જ શી? એકવાર “કુંદકુંદપ્રભુ કેવા હશે.....”
એની આશ્ચર્યકારી ધૂન લગભગ એક કલાક સુધી ચાલી હતી. બીજે દિવસે પૂ. ગુરુદેવ
હૂમચ પધાર્યા. અહીં પ્રાચીન જિનમંદિર વગેરેના દર્શન કર્યા. પહાડી ઉપર એક જુનું
મંદિર છે, ત્યાં પણ દર્શન–ભક્તિ કરવા ઘણા

PDF/HTML Page 5 of 49
single page version

background image
: II : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
યાત્રિકો ગયા હતા. અહીં બપોરના પ્રવચનમાં ગુરુદેવે સીમંધરભગવાનને તેમજ
કુંદકુંદ–ભગવાનને અતિશય બહુમાનપૂર્વક યાદ કરીને અલૌકિક વાત કરી હતી, જે
સાંભળતાં શ્રોતાજનોને ઘણો હર્ષ થતો હતો. (તા. ૧૭) હુમચાથી કુંદકુંદપ્રભુની ભક્તિ
કરતા કરતા કુંદાદ્રિ આવ્યા ને યાત્રા કરવાની ધૂનમાં મોટરબસો લગભગ અડધા પહાડ
ઉપર તો ચડી લઈ. કુંદાદ્રિપહાડ ગીચ ઝાડીથી છવાયેલાો છે, ને તેમાં મોટર લગભગ ઠેઠ
ઉપર સુધી જઈ શકે તેવા રસ્તા તૈયાર થયા છે. દસેકવર્ષ પહેલાંં તો આ પહાડ ઉપર
ચાલીને જવાનું પણ મુશ્કેલ પડતું. કોઈ મોટરદ્રારા તો કોઈ પગપાળા કુંદકુંદપ્રભુના
પાવનધામમાં આવી પહોંચ્યા. ઉપરના મનોહર–ઉપશાંત વાતાવરણમાં, પાપવિધ્વંસીની
તળાવડીના કાંઠડે પ્રાચીન મંદિર–માનસ્તંભ છે, તેની બાજુમાં કુંદકુંદપ્રભુના પ્રાચીન
ચરણકમળ કોતરેલા છે. આ ચરણપાદૂકા પાસે એક હોલ બાંધવામાં આવ્યો છે. ગુરુદેવ
ભાવપૂર્વક કુંદપ્રભુના ચરણોને ભેટ્યા, ભાવથી ચરણસ્પર્શ કર્યા, અભિષેક કર્યો; ને પછી
પૂજન થયું. નમોક્કારમંત્ર અને કુંદકુંદદેવાય નમ: એમ બોલીને ગુરુદેવે પૂજનની શરૂઆત
કરાવી. પૂજન બાદ ઘણા ઉત્સાહથી ભક્તિ થઈ. સ્તવનમંજરી પૃ. ૪૩૧ માંથી ગુરુદેવે
ભજન ગવડાવ્યું––
આજે મંગલકારી મહા સૂર્યોદ્રય ઊગીયો રે...
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર
શ્રી કુંદકુંદપ્રભુજી શાસનશિરોમણિ થયા રે...
જેઓ જિનેશ્વરના દર્શનથી પાવન થયા રે...
જેની આતમશક્તિની કરવી શું વાત?
તેના ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે...
ગુરુદેવ ઘણા જ ભક્તિભાવથી એ ભજન ગવડાવતા હતા. ભક્તિ બાદ આ
યાત્રાની આનંદકારી સ્મૃતિમાં હસ્તાક્ષર આપતાં ગુરુદેવે લખ્યું કે “કુંદનગિરિ પાવન
કરનાર કુંદકુંદદેવને નમ: ” પછી પહાડ ઉપરનું પ્રાચીનમંદિર–કે જેમાં કુંદકુંદસ્વામી દર્શન
કરતા–તે મંદિરના દર્શન કર્યા, અને આ યાત્રાની યાદગીરીમાં લગભગ છ હજાર રૂા. નું
ફંડ થયું. ત્યારબાદ મંદિરસન્મુખના ચોકમાં મુનિભક્તિ થઈ. તેમાં પૂ. બેનશ્રીબેને
કુંદકુંદપ્રભુની લગનીનું ભાવભીનું સ્તવન ગવડાવીને અદ્ભુત ભક્તિ કરાવી હતી;––એ
સ્તવન આ અંકમાં આપ્યું છે. ––આમ આનંદપૂર્વક ગુરુદેવ સાથે કુંદાદ્રિધામની યાત્રા
કરીને, ઉલ્લાસભરી ભક્તિ ગાતાંગાતાં સૌ નીચે ઊતર્યા.....પહાડની તળેટીમાં રોકાઈને
નાસ્તાપાણી કર્યા.... બપોરે ગુરુદેવે વીસેક મિનિટ પ્રવચન કર્યું ને ગુરુદેવના સન્માનની
વિધિ થઈ..... ત્યારબાદ ત્યાંથી પ્રસ્થાન કરીને ઘનઘોર ગીચ ઝાડી વચ્ચેથી પ્રવાસ
કરતાં, રંગ લાગ્યો રે મને રંગ

PDF/HTML Page 6 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક આત્મધર્મ : III :
લાગ્યો..... ઈત્યાદિ આનંદકારી ભક્તિ કરતાં કરતાં, તીર્થંકરોને––સંતોને અને
તીર્થધામોને યાદ કરતાંકરતાં રાત્રે મૂડબિદ્રિ આવી પહોંચ્યા.
મૂડબિદ્રિમાં યાત્રાસંઘ બે દિવસે રોકયો. માહ સુદ ચોથે ત્યાંના સુપ્રસિદ્ધ
ત્રિભુવન– તિલકચૂડામણિ જિનાલયમાં સમૂહ પૂજન થયું, તેમજ રત્નમય જિનબિંબોના
દર્શન કર્યા. મૂડબિદ્રિ ગામમાં સમાજમંદિરમાં ગુરુદેવના સ્વાગતનો સમારોહ થયો હતો.
રાત્રે ભક્તિ થઈ હતી. બીજે દિવસે સવારે પૂજન બાદ મૂડબિદ્રિના અનેક જિનમંદિરોના
દર્શન કર્યા. અહીં અઢાર જેટલા જિનમંદિરો છે. ઘણા યાત્રિકો કારકલ જઈને બાહુબલી
ભગવાનના તથા અનેક જિનમંદિરોના દર્શન કરી આવ્યા. બપોરે રત્નપ્રતિમાદર્શન બાદ
પ્રવચન થયું અને તાડપત્રના શાસ્ત્રો (જ્યધવલા વગેરે) નું અવલોકન કર્યું. રાત્રે
ત્રિભુવનતિલકચૂડામણિ જિનાલયમાં દીપમાલા–દર્શન થયું. હજારો દીપકોથી ઝગઝગતા
મંદિરમાં જિનેન્દ્રદર્શનનું દ્રશ્ય ઘણું સુંદર લાગતું હતું. એ વખતે ભક્તિમાં કાનડી ભજનો
પણ ગવાયા હતા.–આમ મૂડબિદ્રિનો બે દિવસનો કાર્યક્રમ પૂરો થયો હતો. બીજે દિવસે
સવારમાં શ્રવણબેલગોલા તરફ જતાં વચ્ચે વેણૂરસ્થિત બાહુબલિ ભગવાનના તથા
જિનમંદિરોનાં દર્શન કર્યા.
મૂડબિદ્રિથી શ્રવણબેલગોલ તરફ જતાં વચ્ચે સાડાચાર હજાર ફૂટ ઊંચો ને
લગભગ ૧૬ માઈલ લાંબો ચારમડીઘાટ ઓળંગીને મોટરો બીજી તરફ ઊતરી. રસ્તાની
એક બાજુ હજારો ફૂટ ઊંડી ખીણો ને બીજી બાજુ ઊંચી પહાડી, ઊંચા ઊંચા વૃક્ષોની
ઘનઘોર ઘટા, ક્યાંક ક્યાંક રમણીય ઝરણા ને વાંકાચૂંકા રસ્તાઓ–એવા આ ઘાટનાં
દ્રશ્યો યાદગાર છે. સવારે છ વાગે નીકળી સાંજે પાંચ વાગે શ્રવણબેલગોલ પહોંચ્યા.
વચ્ચે બેલૂરનો મઠ ને હળેબિડના પ્રાચીન જિનમંદિરો જોયા. લગભગ પંદર માઈલ દૂરથી
યાત્રિકને શ્રવણબેલગોલના પહાડ ઉપર બિરાજમાન બાહુબલિનાથના શિરોભાગના
દર્શન થાય છે. રાત્રે જિનમંદિરમાં ચોવીસ ભગવંતો સન્મુખ ભક્તિ થઈ.
માહ સુદ સાતમની સવારમાં ગુરુદેવ સહિત યાત્રા માટે ઈન્દ્રગિરિ પહાડ ઉપર
ચાલ્યા..... પંદર–વીસ મિનિટમાં પહાડ ઉપર પહોંચીને જ્યાં બાહુબલિનાથને
નીહાળ્‌યા..........કે હર્ષાનંદથી સૌ સ્તબ્ધ બની ગયા.... આ વીતરાગીઢીમના દર્શને
શાંતિની ને હર્ષની એટલી બધી ઊર્મિઓ જાગે છે કે ક્ષણભર તો વાણી તેને વ્યક્ત કરી
શકતી નથી. ગુરુદેવ પણ સ્તબ્ધનયને ફરી ફરી એ પાવનમુદ્રાને અવલોકી રહ્યા.
ત્યારબાદ બાહુબલીભગવવાનની બે પૂજા થઈ; ને ગુરુદેવે તેમજ બેનશ્રીબેને ભક્તિ
કરાવી. એ રીતે આનંદપૂર્વક યાત્રા કરીને નવ વાગે નીચે આવ્યા, ને દક્ષિણદેશની
જનતાએ ઉમંગપૂર્વક ગુરુદેવને ગામમાં ફેરવીને સ્વાગત ર્ક્યું; સ્વાગત પૂરું થતાં કન્નડ
બાલિકાઓએ દીપકથી ને પુષ્પ વગેરેથી ને ગુરુદેવનું

PDF/HTML Page 7 of 49
single page version

background image
: IV : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
સન્માન કર્યું, કન્નડ ભાષામાં સ્વાગત–ગીત ગાયું. પાંચ વર્ષ પહેલાંંની યાત્રા
વખતે બાહુબલીપ્રભુના અભિષેકની ઉછામણીમાં જે સાડાદશહજાર રૂા. જેટલી રકમ
થયેલી તેમાંથી અહીં ચાર રૂમનું એક મકાન–જેનું નામ “શ્રી કાનજીસ્વામી
યાત્રિકાશ્રમ” છે. તે બંધાયું છે, ને તેમાં ગુરુદેવનો ઉતારો હતો; ગુરુદ્રેવની પધરામણી
વખતે તેનું ઉદ્ઘાટન થયું હતું. બપોરના પ્રવચનમાં ગુરુદેવે બાહુબલિભગવાનની
જીવનદશાનું અદ્ભુત ભાવભીનું વર્ણન કર્યું. પ્રવચન પછી અભિષેકની ઊછામણીમાં
કુલ લગભગ ૧૬ હજાર રૂા. થયા. રાત્રે ફરીને પર્વત ઉપર જઈને સૌએ સર્ચલાઈટના
પ્રકાશમાં બાહુબલીનાથની પાવનમુદ્રાના દર્શન કર્યા....અહા, ફરીફરીને દર્શન કરતાં
અવનવા ભાવો જાગે છે. ગુરુદેવને ખૂબજ પ્રસન્નતા થતી હતી. અગાશીમાં
બાહુબલિસ્વામીની મુદ્રા સામે મીટ માંડીને ગુરુદેવે ભાવભીના ચિત્તે અતીવ
પ્રસન્નતાથી કહ્યું: વાહ! એમના મુખ ઉપર જુઓને! કેવા અલૌક્કિભાવ તરવરે છે!
પુણ્યનો અતિશય, ને પવિત્રતા પણ અલૌક્કિ.... બંને દેખાઈ આવે છે. જ્ઞાન અંતરમાં
એવું લીન થયું છે કે બહાર આવવાનો અવકાશ નથી. વીતરાગભાવમાં જ્ઞાન લીન
થયું છે. મોઢા ઉપર અનંત આશ્ચર્યવાળી વીતરાગતા છે; જાણે ચૈતન્યની શીતળતાનો
બરફ!! અત્યારે દુનિયામાં એનો જોટો નથી.
––આવા આવા અનેક ઉદ્ગારો ગુરુદેવે કાઢ્યા....બાહુબલિનાથના દર્શનની
ઊર્મિઓ વાણીમાં કઈ રીતે વ્યક્ત કરવી એ જાણે સૂઝતું ન હતું. પછી ત્યાં
બાહુબલિપ્રભુની ઘણી ઘણી ભક્તિ થઈ. પૂ. બેનશ્રીબેને પણ અનેરા ઉમંગથી ભક્તિરસ
રેલાવ્યો. ગુરુદેવ સાથે ફરીફરીને આ બાહુબલિનાથની યાત્રા કરતા તેઓશ્રીને અને
સમસ્ત યાત્રિકોને અપાર હર્ષોલ્લાસ થતો હતો. બાહુબલિદર્શનમાં ગુરુદેવનો આજનો
પ્રમોદ કોઈ અનેરો હતો. આમ બહુ જ આનંદથી બાહુબલિનાથને નીહાળીને, ભક્તિ
કરીને, બીજી યાત્રા પૂરી કરીને સૌ નીચે આવ્યા.... ને બાહુબલિનાથના વૈરાગ્યજીવનની
કથા સાંભળીને સૌ સૂઈ ગયા.
બીજા દિવસની સવારમાં ફરીને એ બાહુબલિનાથને ભેટવા ને એમના ચરણોને
અભિષેકવા સૌ યાત્રિકો ગુરુદેવ સાથે પહાડ પર પહોંચી ગયા. પૂજન બાદ મહાન
ભક્તિથી ચરણાભિષેક થયો. પ્રથમ કળશ ભાઈશ્રી ખીમચંદ જે. શેઠનો હતો.
કહાનગુરુએ સુર્વણકળશવડે અભિષેકનો પ્રારંભ કર્યો ત્યારે બેહદ હર્ષથી યાત્રિકો નાચી
ઊઠ્યા હતા. અભિષેક બાદ ગુરુદેવે ભક્તિ કરાવી હતી. “જંગલ વસાવ્યું રે સંતોએ....”
એ ગીત વૈરાગ્યભાવથી ગવડાવ્યું હતું. ત્યારબાદ “વિંધ્યગીરી પર બાહુબલિનાથજી ભલે
બિરાજો જી....” ઈત્યાદિ ભજનવડે પૂ. બેનશ્રીબેને પણ ભક્તિ કરાવી હતી. આજની
આનંદકારીયાત્રાના સ્મરણમાં હસ્તાક્ષર આપતાં બાહુબલિસ્વામીની સન્મુખ બેઠાબેઠા
ગુરુદેવે લખ્યું છે કે–– “શ્રી બાહુબલિભગવાનનો જય હો.... આનંદામૃતનો જય હો.”

PDF/HTML Page 8 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક : I :
‘શ્રી બાહુબલિ ભગવાનનો જય હો.... આનંદામૃતનો જય હો’
બાહુબલિ ભગવાનની યાત્રાના હર્ષોલ્લાસ પ્રસંગે, બાહુબલિ
ભગવાનની સન્મુખ બેઠા બેઠા પૂ. ગુરુદેવે ઉપર મુજબ હસ્તાક્ષર લખી
આપ્યા હતા.... એ ઉરથી બાહુબલિ ભગવાનના દર્શન વખતનો
તેમનો પ્રમોદ અને ઉલ્લાસ ખ્યાલમાં આવશે. દિવસે અને રાત્રે
(સર્ચલાઈટના પ્રકાશમાં) ફરીફરીને એ બાહુબલિ પ્રભુના દર્શન કરતાં
ખૂબ જ બહુમાનથી ગુરુદેવ કહેતા કે વાહ! એમના મુખ ઉપર જુઓ
ને! કેવા અલૌકિક ભાવ તરવરે છે! પુણ્યનો અતિશય, ને પવિત્રતા
પણ અલૌકિક.... બંને દેખાઈ આવે છે. જ્ઞાન અંતરમાં એવું લીન થયું
છે કે બહાર આવવાનો અવકાશ નથી. વીતરાગ ભાવમાં જ્ઞાન લીન
થયું છે. મોઢા ઉપર અનંત આર્શ્ચયવાળી વીતરાગતા છે: જાણે
ચૈતન્યની શીતળતાનો બરફ! ! અત્યારે દુનિયામાં એનો જોટો નથી.

PDF/HTML Page 9 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક : II :
પોન્નૂરના જિનમંદિરમાં..........
પોન્નૂર પહાડથી ત્રણેક માઈલ દૂર (બાંદેવાસથી પાંચેક
માઈલ પર) પોન્નૂર ગ્રામ છે; તે ગામમાં એક વિશાળ અને પ્રાચીન
જિનાલય છે. કુંદકુંદસ્વામી જ્યારે અહીં વસતા ત્યારે આ
જિનાલયમાં દર્શન કરવા પધારતા.... એ સાંભળીને ઘણા

PDF/HTML Page 10 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક : III :
પોન્નૂરના જિનમંદિરમાં
[ભક્તજનો સંભવનાથ પ્રભુના દર્શન કરી રહ્યા છે]
પોન્નૂર–જિનમંદિરમાં શ્રી ગણધરદેવની મૂર્તિ

PDF/HTML Page 11 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક : IV :
શ્રી કાનજીસ્વામી પોતે અતિ ભક્તિભાવથી પરમગુરુ–કુંદકુંદપ્રભુનું
પૂજન કરાવી રહ્યા છે.
હજારો ભક્તજનો ઉલ્લાસભાવે એ પૂજનમાં ભાગ લઈ રહ્યા છે.
(પોન્નૂર તા. ર૭ જાન્યુઆરી ૧૯૬૪)

PDF/HTML Page 12 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક આત્મધર્મ : V :
––આમ ફરીફરીને બાહુબલિનાથને ભેટીને, નીરખીને, અભિસીંચીને, સ્પર્શીને
યાત્રા પૂર્ણ કરી મંગલગીત ગાતાંગાતાં સૌ નીચે આવ્યા. અનેક યાત્રિકો સામેની છોટી
પહાડી–ચંદ્રગિરિ પર યાત્રા કરવા ગયા, ત્યાં અનેક પ્રાચીન મંદિરો જોયા, કુંદકુંદાચાર્ય
વગેરે સંબંધી શિલાલેખો જોયા, ભદ્રબાહુસ્વામીની ગૂફામાં એમના સવાફૂટ લાંબા ચરણો
જોયા.... દરેક ઠેકાણે દર્શન–પૂજન–ભક્તિ કર્યા. બપોરે ભટ્ટારકજીના મંદિરમાં
જિનબિંબદર્શન કર્યા, બાહુબલીસ્વામીના જીવનચિત્રો જોયા. પ્રવચનમાં ગુરુદેવે
બાહુબલિભગવાનનો ઘણો ઘણો મહિમા કર્યો. સાંજે છ વાગે યાત્રાસંઘે
શ્રવણબેલગોલથી મૈસૂર તરફ પ્રસ્થાન કર્યું.
મહા સુદ ૯ (તા. ર૩) ની સવારમાં ગુરુદેવ મૈસૂર પધારતાં ત્યાંના મેયર
બહેનની અધ્યક્ષતામાં ભવ્ય સ્વાગત થયું. સ્થાનિક આગેવાન નાગરીકો, સેંકડો
યાત્રિકો, રપ મોટરો ને ૭ બસોથી સ્વાગતસરઘસ શોભતું હતું. ટાઉનહોલમાં માંગલિક
બાદ, ઈંગ્લીશમાં સ્વાગતાધ્યક્ષનું પ્રવચન થયું ને એક ભાઈએ કન્નડભાષામાં ગુરુદેવનો
જીવનપરિચય આપ્યો. બપોરે શહેરના મુખ્ય સ્થળો રાજમહેલ, સુખડના તેલની ફેક્ટરી,
ઝુગાર્ડન–પ્રાણીબાગ વગેરે જોયા. બપોરે ગુરુદેવના પ્રવચન વખતે સાથે સાથેજ કન્નડ
ભાષાંતર થતું જતું હતું. બીજે દિવસે સવારે મૈસૂરથી બેંગલોર આવ્યા. રસ્તામાં અદ્ભુત
ભક્તિ થતી હતી. બેંગલોરમાં બપોરે પ્રવચન બાદ, બાહુબલિસ્વામી કોતરેલી સુખડની
પેટી સહિત અભિનંદનપત્ર ભેટ અપાયું. બેંગલોરથી રાણીપેઠ થઈને વાંદેવાસ આવ્યા....
કુંદકુંદપ્રભુના ધામમાં જતાં આજે કોઈ અચિંત્યભક્તિ થઈ હતી.
બાંદેવાસ પોન્નૂરપર્વત પાસેનું મોટું ગામ છે; ત્યાં જિનાલયમાં
સીમંધરભગવાનની ખડૂગાસન પ્રતિમાના દર્શન કરતાં આનંદ થયો. બીજે દિવસે
સવારમાં (તા. ર૬ જાન્યુ. ૧૯૬૪) માહ સુદ ૧ર–૧૩ના રોજ પોન્નૂરની યાત્રા માટે
પ્રસ્થાન કર્યું. બાંદેવાસથી લગભગ પાંચમાઈલ દૂર પોન્નૂરપહાડ (પોન્નૂરમલય) છે.
આનંદથી કુંદકુંદપ્રભુની ભક્તિ ગાતાંગાતાં ગુરુદેવ સાથે દસેક મિનિટમાં પર્વત પર
પહોંચ્યા. અહા! કુંદકુંદપ્રભુએ જ્યાંથી શ્રુતગંગા વહાવી અને વિદેહયાત્રા કરી એવા આ
પાવનધામની રમણીયતા કોઈ અનેરી જ છે. ચંપાવૃક્ષની નીચે એક શ્યામશિલા પર
કુંદકુંદદેવના લગભગ બે ફૂટ લાંબા ચરણપાદૂકા કોતરેલા છે. તેની ઉપર દેરી અને તેની
સન્મુખ વિશાળમંડપ બંધાયેલ છે. કહાનગુરુ બહુજ ભક્તિ ભાવથી એ પરમગુરુના
પાવન ચરણોને ભેટ્યા.... ભાવપૂર્વક ચરણસ્પર્શન કર્યું; ને પછી પૂજન થયું.
આસપાસના અનેક ગામો જૈનવસ્તીથી ભરપૂર છે, ત્યાંથી અનેક યાત્રિકો આ
યાત્રાઉત્સવમાં આવ્યા હતા. પર્વત ઉપર પાંચ હજાર જેટલા યાત્રિકો ભેગા થયા હતા, ને
યાત્રાસંઘની કુંદકુંદપ્રભુ પ્રત્યેની ભક્તિ દેખીને પ્રસન્ન થતા હતા. પૂજન બાદ ગુરુદેવે
કુંદકુંદ પ્રભુની ભક્તિ ગવડાવી:– “મન લાગ્યું રે કુંદકુંદદેવમાં” એ સ્તવન

PDF/HTML Page 13 of 49
single page version

background image
: VI : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
ગાતાં ગુરુદેવને બહુ ભાવો ઉલ્લસતા હતા. પછી પૂ. બેનશ્રીબેને વિધવિધ
સ્તવનો વડે સુંદર ભક્તિ કરાવી હતી. “ગુરુકહાન તારા ચરણમાં ફરી ફરી કરે છે
વંદના” એ સ્તવન પછી બીજું એક સ્તવન એવું ગવાયું કે તેમાં ભક્ત પોન્નૂરગિરિને
પ્રશ્ર પૂછે છે કે ‘હે પર્વત! મારા કુંદકુંદ પ્રભુ કેવા હતા? એના સન્દેશા તું મને સુણાવ....
’ અને પર્વત જાણે કે એનો જવાબ આપે છે! ઈત્યાદિ અનેક રચનાયુક્ત ભક્તિ થઈ
હતી. ખૂબ જયજયકારથી વાતાવરણ ગાજી રહ્યું હતું. પર્વતની શિલાઓ ને વૃક્ષો પણ
યાત્રિકોથી ઉભરાઈ રહ્યા હતા.–આમ ગુરુદેવ સાથે ઘણા આનંદપ્રમોદપૂર્વક કુંદકુંદ પ્રભુના
પોન્નૂરધામની યાત્રા કરી.
યાત્રા કરીને નીચે આવતાં તળેટીમાં હજારો ભક્તો સહિત હાથીએ ગુરુદેવનું
સ્વાગત કર્યું. તળેટીમાં તો મોટો મેળો ભરાયો હતો. પોન્નૂર પહાડથી ત્રણેક માઈલ દૂર
પોન્નૂર ગામ છે, ત્યાંના બે જિનમંદિરોનાં દર્શન કર્યા. અહીંના જિનમંદિરમાં
કુંદકુંદસ્વામી દર્શન કરવા પધારતા હતા. એ મંદિરમાં દર્શન કરતાં ઘણો આનંદ થયો. એ
ઉપરાંત બાંદેવાસની બાજુમાં ‘સપ્તમંગલમ્’ માં પણ જિનમંદિરના દર્શન કર્યા.
પોન્નૂરની સામે નજીકમાં જ ધવલગિરિ નામનો પહાડ છે, ––વીરસેનસ્વામીએ
ધવલાટીકાની રચના એ ધવલગિરિ ઉપર કરી હોવાનું મનાય છે. ગુરુદેવને એ
સાંભળીને ઘણી પ્રસન્નતા થઈ હતી. બપોરે પ્રવચન હાઈસ્કૂલના ચોગાનમાં હતું, તેમાં
ગુરુદેવ હિન્દીમાં બોલતા ને વચ્ચે પા–પા કલાકે તેનુ તામીલ ભાષાંતર કરવામાં આયતું
હતું. પ્રવચન વખતે ત્રણ–ચાર હજાર માણસોની સભામાં કુંદકુંદપ્રભુનો ઘણો મહિમા
ગુરુદેવે કર્યો હતો: ‘અહા! તેમણે તો સીમંધરપ્રભુના સાક્ષાત્ દર્શન કરીને આ
ભરતક્ષેત્રમાં–આ સ્થાનેથી–શ્રતની નવીન પ્રતિષ્ઠા કરી છે. ’ પ્રવચન બાદ, બીજા દિવસે
પોન્નૂર પર કુંદકુંદપ્રભુના ચરણોના અભિષેકનો કાર્યક્રમ જાહેર થયો ને તે માટેની
ઉછામણીમાં લગભગ ત્રીસ હજાર રૂા. થયા હતા.
બીજા દિવસે (મહા સુદ ૧૪) સવારમાં ફરીને પોન્નૂરધામની યાત્રા કરવા
ચાલ્યા. અહા, જાણે કુંદકુંદપ્રભુજી સાક્ષાત્ દર્શન દેવા પધાર્યા હોય–ને તેમના દર્શન કરવા
જતા હોઈએ–એવો આજે યાત્રિકોનો ઉમંગ હતો. દર્શનાદિ બાદ અભિષેકવિધિનો પ્રારંભ
કરતાં ગુરુદેવે કહ્યું: જુઓ, સૌ શાંતિથી સાંભળો....... આજે આ કુંદકુંદપ્રભુનો મોટો
અભિષેક થાય છે. તેઓ વિદેહક્ષેત્રે ગયા હતા, ને સીમંધર ભગવાનની વાણી સાંભળી
અહીં આવીને શાસ્ત્રો રચ્યા હતા. આજે માહ સુદ ૧૪ છે; આજનો અપૂર્વ દિવસ છે.
અહીંથી ઉપર ગગનવિહાર કરીને તેઓ ભગવાન પાસે ગયા હતા. તેમનો આપણા ઉપર
ઘણો મોટો ઉપકાર છે. તેમના અભિષેક–પૂજા થાય છે. આમ કહીને ગુરુદેવે પોતે
માંગળિકપૂર્વક પૂજન શરૂ કર્યું. આજના પૂજનની એ વિશેષતા હતી કે ગુરુદેવ એકલા
પૂજન પાઠ બોલતા હતા ને સૌ યાત્રિકો ભક્તિથી સાંભળતા હતા. બેનશ્રીબેન
સ્વાહામંત્ર બોલે ત્યારે હજાર હજાર

PDF/HTML Page 14 of 49
single page version

background image
પોન્નૂર યાત્રા–અંક આત્મધર્મ : VII :
યાત્રિકો એક સાથે આર્ઘ ચડાવતા હતા. પૂજન કરતાં કરતાં વચ્ચે અનેક પ્રકારે
કુંદકુંદપ્રભુનો પોન્નૂરનો ને યાત્રાનો મહિમા ગુરુદેવ કરતા જતા હતા. તેઓ કહે કે
આપણું ગામ પણ ‘સોનગઢ’ ને આ પોન્નૂરનો અર્થ પણ ‘સુવર્ણનો ગઢ’ થાય છે. ––
જેમ સોનાને કદી કાટ નથી તેમ પરમાર્થસિદ્ધાંતમાં કદી ફેર પડતો નથી. ભક્તિથી
અષ્ટવિધ પૂજન બાદ જયમાલામાં એક કડી ગુરુદેવ બોલતા ને એક કડી ભક્તો બોલતા.
પૂજન પછી અભિષેકપાઠ પણ ગુરુદેવ બોલ્યા હતા. અને પછી હાથમાં સુવર્ણકલશ
લઈને કહાનગુરુ જ્યારે પોતાના પરમગુરુના પગ ધોવા ઊભા થયા ત્યારે
હજારોભક્તોના હર્ષોલ્લાસથી પોન્નૂર પહાડ ગૂંજી રહ્યો.... બહુજ ભાવપૂર્વક એ કહાને
પોતાના ગુરુનું પાદપ્રક્ષાલન કર્યું. કહાનદ્યારા કુંદચરણોના અભિષેકનું આ દ્રશ્ય દસહજાર
જેટલી આંખો નીહાળી રહી હતી. અનેક યાત્રિકો નાચી ઉઠ્યા હતા. બીજા સેંકડો
ભક્તોએ પણ અભિષેક કર્યો. ગુરુદેવને આજે કોઈ અનેરા ભાવો ઉલ્લસ્યા હતા. કેવો
અચિંત્ય કુંદકુંદમહિમા તેમના હૃદયમાં ભર્યો છે તે અહીં જોવા મળ્‌યો. ઘણાઘણા ઉદ્ગારો
વડે તેમણે એ મહિમા પ્રસિદ્ધ કર્યો; “હે કુંદકુંદ શિવચારી તુમકો લાખો પ્રણામ” ઈત્યિાદિ
ભક્તિ ગવડાવી. અને આજની યાત્રા તથા અભિષેકના મહા આનંદની સ્મૃતિરૂપે
હસ્તાક્ષર આપતાં પોન્નૂર પર બેઠાબેઠા લખ્યું કે ‘શ્રી સીમંધર ભગવાનના દરશન
કરનાર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્યાદિ નમોનમ:’ પછી પૂ. બેનશ્રીબેને પણ અંતરની
અનેરી ઉર્મિઓથી ભક્તિ કરી, તેઓશ્રીને પણ આજે ગુરુદેવ સાથે યાત્રા કરતાં અચિંત્ય
ઉલ્લાસ હતો. પગલાંની બાજુમાં નાની ગૂફાઓ છે, તેનું પણ ગુરુદેવ સાથે સૌએ
અવલોકન કર્યું. પોન્નૂરયાત્રા ના રંગીન ચિત્ર સહિત ‘આત્મધર્મ’ નો
‘કુંદકુંદઅભિનંદનઅંક’ અહીં પોન્નૂર ઉપર ગુરુદેવના હાથમાં અર્પણ કર્યો; અનેક
અભિનંદનપત્રો પણ (તામિલ વગેરમાં) અપાય.... આમ ગુરુદેવ સાથે ઘણા મહાન
ઉલ્લાસપૂર્વક પોન્નૂરધામની યાત્રા પૂર્ણ થઈ.
યાત્રા કરીને નીચે પધારતાં તળેટીમાં હજારો તામીલ બંધુઓએ ગુરુદેવનું
સન્માન કર્યું. બપોરેનું પ્રવચન પણ અદ્ભુત હતું. પ્રવચન બાદ ત્યાંના શાસ્ત્રીજીએ
ગુરુદેવના સ્વાગતનું ભાષણ કર્યું તેમાં તેમણે કહ્યું કે પહેલાંં અમારી પાસે અહીં એક
ચૂંબક હતું, ને એ ચૂંબક જ આજે આ સ્વામીજીને અહીં સુધી ખેંચી લાવ્યું છે. એ
ચૂંબક તે કુંદકુંદાચાર્ય! ક્્યાં પોન્નૂર! ને ક્્યાં સૌરાષ્ટ્ર! છતાં એ બંનેને એક સૂત્રથી
સાંકળનાર આ સમયસાર છે.––વગેરે અનેક સુંદર વાત તેમણે ભાષણમાં કરી. અનેક
અભિનંદનપત્રો પણ વંચાયા. ત્યારબાદ હજારો લોકોના વિશાળ સમુદાય સાથે
ગુરુદેવને ધામધૂમથી ગામમાં ફેરવીને તામીલદેશની જનતાએ હાર્દિક બહુમાન કર્યું. ––
જાણે કુંદકુંદ ભગવાનના આ પ્રતિનિધિ જ એમનો સન્દેશો લઈને આવ્યા હોય–એવો
સોૈને ઉમંગ હતો.

PDF/HTML Page 15 of 49
single page version

background image
: VIII : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
જય હો સીમંધરભક્ત પ્રભુ કુંદકુંદનો!
જય હો પોન્નૂરના એ પવિત્ર સન્તનો!
જય હો એ સમયસાર–દાતારનો!
જય હો કુંદ પ્રભુના ભક્ત ગુરુકહાનનો!
જય હો પોન્નૂર પાવન તીર્થધામનો!

યાત્રા પૂરી થઈ....ને બીજે દિવસે સવારે–માહે સુદ પુનમે–યાત્રિકોએ પ્રસ્થાન
કર્યું. અહીંથી જુદા પડતી વખતની યાત્રિકોની લાગણી હૃદયદ્રાવી હતી. ઘણાખરા
યાત્રિકો અહીંથી મદ્રાસ થઈને સીધા મુંબઈ તરફ ગયા. અને બાકીના યાત્રિકો ગુરુદેવ
સાથે રહ્યા. ગુરુદેવના યાત્રાસંઘે પોન્નૂર (બાંદેવાસ) થી પાછા ફરતાં પહેલો સુકામ
પાલમનેર કર્યો. પછી ટૂમ્કુર, ચિત્તલદૂર્ગ અને ધારવાર મુકામ કર્યો. યાત્રાપ્રવાસ ઘણો
આનંદકારી હતો. ઠેરઠેર રસ્તામાં ગુરુદેવના દર્શન થતા; એકવાર પૂ. બેનશ્રીબેને
કુંદકુંદપ્રભુની અદ્ભુત યાદગાર ભક્તિ કરાવી હતી. ધારવારથી નીપાની તરફ જતાં વચ્ચે
દાવનગીરમાં યાત્રાસંઘની બીજી બસો મળેલી, આ રીતે રસ્તામાં એકાએક સાધર્મીઓનું
પરસ્પર મિલન થતાં સૌ હર્ષિત થયા હતા. નીપાનીથી ત્રણેક માઈલ સ્તવનિધિ છે ત્યાં
પાર્શ્વનાથપ્રભુના દર્શન કર્યા. ત્યારબાદ કરાડ થઈને પુના આવ્યા. પુનાથી નાશીક–
ગજપંથા આવ્યા. તા. ૪ની બપોરે મંદિરમાં ભક્તિ વખતે ગુરુદેવે યાત્રાના મધુર
સંભારણા યાદ કર્યા. બીજે દિવસે ઉત્સાહપૂર્વક ગજપંથાસિદ્ધિધામની યાત્રા કરી. ગુરુદેવ
સાથે સિદ્ધિધામની યાત્રામાં આનંદ આવ્યો. ત્યારબાદ વચ્ચે ચાલુ પ્રવાસે માંગીતુંગી
સિદ્ધિધામના દર્શન કરતાં કરતાં જલગાંવ આવ્યા, ને ત્યાં યાત્રાસંઘ સમાપ્ત થયો. પૂ.
ગુરુદેવ જલગાંવથી બડવાની, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર થઈને માહ વદ અમાસે
રાજકોટ પધાર્યા. ત્યાર પછીના સમાચાર “વિવિધ સમાચાર” માં વાંચવા વિનંતિ છે.
જય બાહુબલી
જય કુંદકુંદ

PDF/HTML Page 16 of 49
single page version

background image
ફાગણ : ૧ :
વાસ્તવિક જીવન

આત્માનું વાસ્તવિક જીવન શું છે તે આચાર્યદેવ જીવત્વશક્તિના વર્ણનમાં દેખાડે
છે. બહારની સગવડતાએ જીવવું કે અગવડતાએ ખેદખિન્ન થઈને જીવવું તે જીવનું ખરું
જીવન જ નથી. અનંતશક્તિની સંપદાથી ભરપૂર એવા ચૈતન્યભાવમાં તન્મય રહીને
સ્વાશ્રયપણે જ્ઞાન–આનંદમય જીવન જીવવું તે જ ખરું જીવન છે. શ્રી નેમનાથપ્રભુની
સ્તુતિમાં કહ્યું છે કે હે ભગવાન!
“તારું જીવન ખરું, તારું જીવન....
જીવી જાણ્યું નેમનાથે જીવન....”

દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેક એકરૂપ ચૈતન્યમય ભાવપ્રાણને ધારણ કરીને ટકે
તે જીવનું ખરું જીવન છે. ભાઈ, તારે સાચું જીવન જીવવું છે ને! તો તારા જીવનનું
કારણ કોણ? તારા જીવનના પ્રાણ કોણ? તે ઓળખ. ચૈતન્યભાવ જ તારા જીવનનું
કારણ છે. ચૈતન્યભાવ જ તારા પ્રાણ છે. આવી ચૈતન્યભાવને ધારણ કરનારી
જીવત્વશક્તિની ઓળખાણ તે મોક્ષતત્ત્વની દાતાર છે. એ જીવનમાં આનંદ અને
પ્રભુતાના ખજાના ભર્યા છે.
(––પહેલી શક્તિના પ્રવચનમાંથી)

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૨ : આત્મધર્મ ફાગણ: ર૪૯૦ :
ર. ત્ન. ત્ર. ય. ન અ. ર. ધ. ન
(મોક્ષપ્રાભૃત ગા. ૪૭ થી પ૩ ઉપરના પ્રવચનમાંથી)
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના તે જિનમુદ્રા છે, તે વીતરાગી જિનમુદ્રા
સમ્યગ્દર્શન સહિતની ચારિત્રદશા હોય ત્યાં બહારમાં પણ દિગંબર દ્રવ્યલિંગ
રત્નત્રયના આરાધક ભાવલિંગી મુનિઓ આ લોક કે પરલોક બંનેના
લોભરહિત નિરપેક્ષવૃત્તિથી અંતરમાં ચિદાનંદ પરમ તત્ત્વના ધ્યાનમાં મગ્ન હોય છે,
તેઓ વર્તમાનમાં જ

PDF/HTML Page 18 of 49
single page version

background image
ફાગણ: ર૪૯૦ : આત્મધર્મ : ૩ :
મોક્ષસુખમાં મહાલી રહ્યા છે. ને અલ્પકાળે પૂર્ણ મોક્ષસુખને પામશે. જેના
અંતરમાં લોભ રહે, આ લોકની સગવડતાની આકાંક્ષા રહે, પ્રતિકૂળતાનો ભય રહે. કે
પરલોક સંબંધી આકાંક્ષા રહે તે જીવ પરમાત્મ તત્ત્વના ધ્યાનમાં રહી શકતો નથી. અરે,
મોક્ષસુખની ઈચ્છા તે પણ લોભ છે, તે પણ દોષ અને આસ્રવ છે, ને તેટલો લોભ પણ
મોક્ષસુખને રોકનાર છે. માટે ભાવલિંગી મુનિવરો તો નિર્લોભ થઈને પરમાત્મ તત્ત્વને
ધ્યાવે છે, તેમાં પરમ આનંદરસનો જ પ્રવાહ વહે છે. નીચેની ભૂમિકામાં ધર્મીને જરાક
રાગ હોય છે, પણ તેને તે રાગનો લોભ નથી, આ રાગ ઠીક છે–એવો લોભ નથી
રાગના ફળમાં ઈન્દ્રપદ મળશે–એવો લોભ નથી, વિદેહક્ષેત્રમાં અવતાર થાય તો સારૂં–
એવો પણ લોભ નથી; નિર્લોભ એવા પરમાત્મતત્ત્વને તેણે જાણ્યું છે. સર્વ પ્રકારના
લોભરહિત થઈને પરમાત્મતત્ત્વના ધ્યાનમાં લીનતાથી મોક્ષ થાય છે. મોક્ષપ્રાપ્તિનો
લોભ પણ મોક્ષને અટકાવે છે, તો બીજા લૌક્કિપદાર્થના કે રાગના લોભની તો શી
વાત? અરે જીવ! આવા વીતરાગભાવરૂપ આરાધના તે મોક્ષનું કારણ છે.
મુનિવરોની મતિ દ્રઢ સમ્યકત્વ વડે ભાવિત છે, એટલે દર્શનશુદ્ધિની દ્રઢતાપૂર્વક
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના કરવાનું કહ્યું, તેમાં દર્શન અને જ્ઞાન તો
આત્માના શ્રદ્ધા–જ્ઞાનરૂપ છે, પરંતુ ચારિત્ર કહેતાં બહારની ક્રિયારૂપ ચારિત્ર કોઈ ન
સમજે, તે માટે આચાર્યદેવ ચારિત્રનું સ્વરૂપ સ્પષ્ટ દર્શાવતાં કહે છે કે ચારિત્ર આત્માનો
સ્વધર્મ છે, અને તે આત્માનો સ્વભાવ જ છે; રાગ–રોષરહિત જીવના અનન્ય પરિણામ
તે જ ચારિત્રધર્મ છે. તેમાં પરમ સામ્યભાવ છે, ક્્યાંય ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ નથી. અહા,
બધાય જીવો જ્ઞાનમય સિદ્ધ સમાન છે, વસ્તુદ્રષ્ટિએ જીવ અને જિનવરમાં કાંઈ ફેર નથી,
જિનવર તે જીવ, ને જીવ તે જિનવર; આવી દ્રષ્ટિ તો ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિને
પણ હોય છે, તે ઉપરાંત મુનિઓ તો ધ્યાનમાં એવા લીન થયા છે કે વીતરાગ
પરિણામરૂપ સ્વધર્મ પ્રગટ્યો છે, પરિણતિમાં રાગ–દ્વેષ રહ્યા નથી,–આનું નામ
ચારિત્રધર્મ છે. ચારિત્ર એ કોઈ વસ્તુ કે બહારની ક્રિયા નથી, એ તો જીવના અનન્ય
વીતરાગ પરિણામ છે, તેમાં પરમ શાંતિ–નિરાકુળતા છે. અહા, આવી ચારિત્રદશામાં
ઝુલતા સંત મોક્ષને સાધે છે.

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ ફાગણ: ર૪૯૦ :
પરમાત્મા હો કે પરમાણુ હો, કોઈ વંદન કરતો હોય કે કોઈ નિંદા કરતો હોય–
સર્વત્ર સમભાવપૂર્વક, આત્મસ્વરૂપમાં એકાગ્રતા રહેવી–તેનું નામ ચારિત્ર છે. જુઓ,
આ જીવનો સ્વધર્મ! જેમ જ્ઞાન તે જીવનો સ્વધર્મ છે તેમ આવું ચારિત્ર તે જીવનો
સ્વધર્મ છે, તે જીવથી ભિન્ન નથી. જેમ જ્ઞાન–દર્શન તે આત્માથી જુદાં નથી તેમ ચારિત્ર
પણ આત્માથી જુદું નથી. દેહમાં ચારિત્ર નથી, રાગમાં પણ ચારિત્ર નથી. રાગ તો
આત્માના સ્વભાવથી જુદા પરિણામ છે, સિદ્ધદશામાં તે રાગ નીકળી જાય છે, પણ
ચારિત્ર તો રહે છે. સ્વરૂપમાં સ્થિતિરૂપ તે ચારિત્ર આત્માનો સ્વાભાવિક ગુણ છે, તે
સિદ્ધદશામાં પણ આત્મા સાથે અભેદ રહે છે.
આત્માના સ્વાભાવિક પરિણામ તો વિશુદ્ધ છે,–વીતરાગ છે, પણ પરદ્રવ્ય પ્રત્યે
રાગ–દ્વેષ–મોહથી તેના પરિણામમાં મલિનતા થાય છે. જેમ સ્ફટિકમણિ સ્વભાવથી તો
ઉજ્વળ નિર્મળ છે, તેમાં અન્યફૂલના સંસર્ગથી રાતા–કાળા વગેરે રંગની ઝાંઈ દેખાય છે;
તેમ જીવદ્રવ્યમાં સ્વભાવથી રાગ–દ્વેષ મોહ નથી પણ તેના પરિણામ સ્વરૂપથી ચ્યૂત થઈ
પરદ્રવ્ય સાથે સંબંધ કરીને રાગાદિરૂપ થાય છે, તે રાગાદિભાવો ખરેખર તેના સ્વધર્મો
નથી. પરિણમન તો પોતાની પર્યાયમાં છે પણ તે પરિણામ સ્વભાવ સાથે અનન્યભૂત
નથી. માટે તેને સ્વભાવથી અનેરાપણે જાણીને, અને જીવના વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવને
જાણીને તેમાં એકાગ્રતાથી વીતરાગી ચારિત્ર પ્રગટ કરવું અને રાગાદિ દોષ ટાળવા એવો
ઉપદેશ છે.
રત્નત્રયના આરાધક ધર્માત્મા જ્યાંસુધી વીતરાગ ન થયા હોય ને નિર્વિકલ્પ
ધ્યાનમાં સ્થિર ન હોય ત્યારે, ધ્યાનની પરમ પ્રીતિપૂર્વક તેને ધ્યાન કરનારાઓ પ્રત્યે
પણ વિનય–બહુમાન ને વાત્સલ્ય આવે છે. શ્રી અરિહંતદેવ તથા સિદ્ધપરમાત્મા પ્રત્યે
અને ગુરુ પ્રત્યે વિનય–બહુમાન અને ભક્તિ આવે છે, ને પોતાના સમાન બીજા સાધર્મી
ધર્માત્માઓ પ્રત્યે અનુરાગ–અનુમોદના આવે છે. મુનિઓને આવો ભાવ હોય છે તેમ
કહેતાં તેના પેટામાં સમકિતી શ્રાવક–ગૃહસ્થોની વાત પણ આવી જાય છે. દેવગુરુ પ્રત્યે,
–સાધર્મી ધર્માત્મા પ્રત્યે જેને વિનય–ભક્તિ–અનુરાગ ન હોય તેને તો ધર્મની પ્રીતિ જ
નથી. ધર્મીની જેને રુચિ પ્રીતિ–નથી તેને ધર્મની જ રુચિ–પ્રીતિ નથી.
અહા, મુનિઓનું અને ધર્માત્માઓનું ધ્યેય તો ચૈતન્ય ધ્યાનમાં ઠરીને પૂર્ણ
વીતરાગ થવાનું છે; પણ જ્યાંસુધી રાગ છે, ત્યાંસુધી વીતરાગતાને પામેલા દેવ અને
વીતરાગતાના ઉપાસક એવા ગુરુ પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાન આવે છે. પોતાને
ધ્યાનની રુચિ છે એટલે ધ્યાનવંત ધર્માત્માને દેખાતાં તેમના પ્રત્યે પણ ભક્તિભાવ
આવે છે. કુંદકુંદ આચાર્ય જેવાને પોતાને પણ આવો દેવ–ગુરુની ભક્તિનો ભાવ અને
સાધર્મી પ્રત્યે પ્રમોદ આવે છે. અહા, જેમના નિમિત્તથી આત્મા સમજાયો તેમના પ્રત્યે
પરમ ભક્તિ આવે છે. સમ્યગ્દ્રષ્ટિ જ દેવ–ગુરુ પ્રત્યે સાચી ભક્તિ ઊલ્લસે છે, કેમકે
તેને જ ખરી ઓળખાણ સહિતની ભક્તિ છે. મિથ્યા–

PDF/HTML Page 20 of 49
single page version

background image
ફાગણ: ર૪૯૦ : આત્મધર્મ : ૫ :
દ્રષ્ટિ તો રાગનો કેડાયત છે. રાગના પંથે ચાલનારો છે, તેને વીતરાગ
પરમાત્માની ખરી ભક્તિ હોતી નથી. અને ધર્મી તો વીતરાગનો કેડાયત છે એટલે
વીતરાગ પ્રત્યે ખરી ભક્તિ તેને હોય છે. બહારથી કદાચિત અજ્ઞાનીને અને
જ્ઞાનીને ભક્તિનું સરખાપણું દેખાય, પણ અંતરમાં મોટો આંતરો છે, જ્ઞાનીના
અંતરમાં વીગરાગ સ્વભાવના સેવનપૂર્વકની ભક્તિ છે, અજ્ઞાનીના અંતરમાં
રાગનું જ સેવન છે.
જ્ઞાની શિષ્ય જેનાથી આત્મજ્ઞાન પામ્યો તે ગુરુને કહે છે કે હે ગુરુ! આપના
પ્રતાપે અમે ભવસાગરને તર્યા અનંત ભવસમુદ્રમાંથી આપે અમને પાર ઊતાર્યા...
આપ ન મળ્‌યા હોત તો અમે સંસારમાં રખડતા હોત! આપે અમને પરમકૃપા
કરીને પાર ઊતાર્યા. આપના ચરણના પ્રસાદથી જ અમને રત્નત્રયની
આરાધનાની પ્રાપ્તિ થઈ. આપનો મહા ઉપકાર છે.
એ વાત નેમિચન્દ્રસિદ્ધાંત
ચક્રવર્તીએ ગોમટ્ટસારમાં કરી છે.
સાધર્મી ધર્માત્મા કે ધર્મનું સેવન કરનારા સરખા સાધર્મી–તેના પ્રત્યે જેને પ્રેમ ન
આવે–અનુમોદના ન આવે તેને ધર્મીની ને ધ્યાનની રુચિ જ નથી. ધર્મની પ્રીતી હોય
તેને સમ્યગ્દર્શનાદિ ધરનાર પ્રત્યે પણ પ્રેમ હોય છે. ધર્મ ધર્મી વગર હોતો નથી. ધ્યાનનો
દંભ કરે ને ધ્યાનવંત સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે પ્રેમ–વાત્સલ્ય–ભક્તિ ન આવે ધ્યાનની
અનુરક્તિ તેને નથી. અરે, દેવ–ગુરુ ધર્માત્માના અમે દાસાનુદાસ છીએ–એમ જેને
વિનયબહુમાન નથી તેની વૃત્તિ ધર્મમાં નથી, તેની વૃત્તિ બહાર બીજે ક્્યાંક ફરે છે–એમ
સમજવું. જે દેવ–ગુરુની ભક્તિ સહિત છે, અને સંયમી–સાધર્મીઓ પ્રત્યે અનુરક્ત છે તે
જ સમ્યક્ત્વનો ઉદ્વહક છે એટલે કે સમ્યક્ત્વની આરાધના સહિત છે, અને તેજ
ધ્યાનરક્ત હોય છે. જેને દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ કે સાધર્મી પ્રત્યે અનુરક્તિ નથી તેને
સમ્યગ્દર્શન કે ધ્યાન હોતું નથી; ધ્યાન તે તો કલ્પનાના તરંગ છે.
ધ્યાન સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાની અંતર્મુહૂર્ત માત્રમાં જે
કર્મો ખપાવશે, તે અજ્ઞાની ઉગ્રતપ વડે પણ ખપાવી શકતો નથી. અજ્ઞાનીના ઉગ્રતપ
કરતાં પણ સમ્યગ્જ્ઞાનનું મહાન સામર્થ્ય છે. જ્ઞાની અંતરમાં ચૈતન્ય ઉપર મીટ માંડીને
એક ક્ષણમાં અનંતા કર્મોને ખપાવી નાખશે. અજ્ઞાની ઘોર તપના કષ્ટ સહન કરીને ઘણા
ભવોમાં જે કર્મ ખપાવશે, તે કર્મો ચૈતન્યની આરાધના વડે જ્ઞાની–ધર્માત્મા તપ વગર
પણ ક્ષણમાત્રમાં ખપાવી નાંખશે. આવું સમ્યગ્જ્ઞાનનું પરમ સામર્થ્ય છે. માટે
સમ્યગ્દર્શન–જ્ઞાનસહિત ચારિત્રની આરાધનાનો ઉપદેશ છે.