Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૫૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૨: વીર સં. ૨૪૯૧ માગશર
આ નં દ ભૂ મિ ને મિ ના થ
શ્રી પદ્મપ્રભમુનિરાજ નેમિનાથ ભગવાનની સ્તુતિ કરે છે–

शतमखशतपूज्य प्राज्यसद्बोधराज्यः।
स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाधयूथः।।
पदनतवनमाली भव्यपद्मांशुमालीः।
दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः।।१३।।
જેઓ સો ઈન્દ્રોથી પૂજ્ય છે. જેમનું સદ્બોધરૂપી
(સમ્યગ્જ્ઞાનરૂપી) રાજ્ય વિશાળ છે. કામવિજયી
(લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો
જેમણે નાશ કર્યો છે. શ્રીકૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે,
ભવ્યકમળના જે સૂર્ય છે. (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને
વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ
નેમિનાથ (–આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન)
અમને શાશ્વત સુખ આપો.
–નિયમસાર.
૨પ૪

PDF/HTML Page 3 of 29
single page version

background image
મં..ગ..લ..પ્ર..ભા..ત..ની...મં..ગ..લ..વા..ણી
* આજે મંગલ પ્રભાતમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર.
* પંચપરમેષ્ઠીના આત્મામાં અતીન્દ્રિય આનંદની છોળો ઊછળતી હોય છે.
* એ પંચપરમેષ્ઠિને ઓળખીને નમસ્કાર કરતાં આત્માના ભાવમાં પવિત્રતા થાય
છે, તે મંગળ છે.
* પંચપરમેષ્ઠીના પ્રસાદથી અમે ચૈતન્યસુખડી ખાશું ને ભવની ભૂખડી ભાંગશું.–આ
બેસતા વર્ષના મિષ્ટાન્ન!
* અહા, ચૈતન્યસુખના અનુભવની શી વાત!
* સમસ્ત કર્મો અને પરભાવો મારા અનુભવથી બહાર છે.
* સાધકને એક વિકલ્પથી જે પુણ્ય બંધાય તે પુણ્ય પણ જગતને વિસ્મય ઉપજાવે,
તો એના નિર્વિકલ્પ સાધકભાવના મહિમાની શી વાત?
* વીતરાગપ્રભુનો વીરમાર્ગ એ શૂરવીરનો માર્ગ છે. અહા, આવો વીતરાગમાર્ગ
સાધવો એ તો વીરનાં કામ છે, એ કાયરનાં કામ નથી.
* રાગના બંધનમાં બંધાઈ રહે એને વીર કેમ કહેવાય? વીર તો તેને કહેવાય કે જે
રાગનાં બંધન તોડીને મોક્ષમાર્ગને સાધે.
* અહા, સાધકભાવના અંશનોય એવો અચિંત્ય મહિમા છે કે તીર્થંકરપ્રકૃતિનાં
પુણ્ય પણ તેને પહોંચી ન શકે.
* તીર્થંકરપ્રકૃતિ એ તો વિભાવનું ફળ, ને સાધકભાવ એ તો સ્વભાવનું ફળ.–
બંનેની જાત જ જુદી.
* સાધકને ચૈતન્યનો જે મહિમા જાગ્યો છે, રાગ તેને લૂંટી શકશે નહિ. ચૈતન્ય
મહિમામાં આગળ વધીને એ કેવળજ્ઞાનરૂપ સુપ્રભાતને સાધશે.
એ મંગળ બેસતું વર્ષ છે.
************
* સાધકને ચૈતન્ય સાધવા માટે જગતમાં બધુંય અનુકૂળ જ છે; એને કાંઈ પ્રતિકૂળ
છે જ નહિ. કેમકે એની સાધના આત્માના આધારે છે, સંયોગના આધારે નથી.
* મુમુક્ષુ પ્રતિકૂળતાના પ્રસંગને પણ ધર્મભાવનાની તીવ્રતાનું તેમજ જિનભક્તિ–
આત્મસાધના વગેરેની ઉત્કૃષ્ટતાનું કારણ બનાવે છે.
* ધર્મભાવનામાં ને જિનેન્દ્રદેવના ચરણમાં જેનું મન અચલ છે એને પ્રતિકૂળતા
શી?
* ભગવાન જરાય દૂર નથી, ભગવાન તો સાધકના જ્ઞાનમાં જ બિરાજી રહ્યા છે.
* જીવનની પ્રત્યેક પળનાં વહેણ ચૈતન્યસાધના અર્થે જ વહો.

PDF/HTML Page 4 of 29
single page version

background image
: વર્ષ ૨૨ – : અંક બીજો
તાકો વંદના હમારી હૈ
“અમારી દશા એક ચેતનારૂપે જ બિરાજમાન છે
અને અન્ય પરભાવોથી ત્રણેકાળ જુદી છે”–એમ જે
પોતાના સ્વરૂપને આઠે પહોર શુદ્ધ અનુભવે છે,
આનંદના ધામ ગુણસમૂહનો જેણે વિસ્તાર કર્યો છે, પરમ
પ્રભાવરૂપ પરિપૂર્ણ અખંડ જ્ઞાન અને સુખના નિધાનને
દેખીને જેણે બીજી (–પરભાવની) રીત છોડી દીધી છે,–
આવી અવગાઢ દ્રઢ પ્રતીતિ જેને થઈ છે–
* તેને અમારી વંદના છે *
દશા હૈ હમારી એક ચેતના બિરાજમાન,
આન પરભાવનસોં તિહુંકાલ ન્યારી હૈ;
આપનો સ્વરૂપ શુદ્ધ અનુભવેં આઠોં જામ,
આનંદકો ધામ ગુણગ્રામ વિસતારી હૈ;
પરમ પ્રભાવ પરિપૂરણ અખંડ જ્ઞાન,
સુખકો નિધાન લખી આન રીતિ ડારી હૈ;
ઐસી અવગાઢ ગાઢ આઈ પરતીતિ જાકે,
કહે દીપચંદ તાકો વંદના હમારી હૈ.
(જ્ઞાનદર્પણ– પ)

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ૨ : આત્મધર્મ : માગશર :
મં ગ લ પ્ર વ ચ ન
(એકવીસમાં સૈકાના એકવીસમા વર્ષનું મંગલ પ્રવચન)
* પરમાત્મપ્રકાશ અને સમયસાર *
આજે મંગલ–સુપ્રભાત છે. અહીં માંગલિક
તરીકે પરમાત્મપ્રકાશમાં પંચપરમેષ્ઠી ભગવંતોને
નમસ્કાર ચાલે છે. જગતમાં પંચપરમેષ્ઠી મહાન
મંગળ છે. અને એ પંચપરમેષ્ઠીને ઓળખીને
નમસ્કાર કરતાં આત્માના ભાવમાં પવિત્રતા થાય
છે તે પણ મંગળ છે. આત્માની ઓળખાણ અને
શ્રદ્ધા કરવી તે મહાન મંગળ છે, તેના ફળમાં
કેવળજ્ઞાનથી ઝળહળતું પૂર્ણ સુપ્રભાત ખીલે છે; ને
તેના સાધકરૂપ સમ્યક્ત્વાદિ પ્રગટ્યા તે મંગલ
સુપ્રભાત છે.
પંચપરમેષ્ઠીને આત્મામાં અતીન્દ્રિય આનંદની છોળો ઊછળતી હોય છે;
ચૈતન્યસ્વરૂપમાં મગ્ન થઈને અતીન્દ્રિય આનંદનું વેદન કરતા હોય છે. આ આત્મા એવા
જ આનંદનું ધામ છે. અહા, વીતરાગમાર્ગના સંતો સિંહ જેવા હોય છે....જગતની જેને
દરકાર નહિ. ચૈતન્યસૂર્યના તેજથી તપતો આત્મા, તેમાં શુદ્ધોપયોગ વડે જેઓ ચરે છે–
વર્તે છે–લીન થાય છે ને જગતના જીવોને તેનો ઉપદેશ આપે છે, આવા વીતરાગમાર્ગી
સંતો કેવળજ્ઞાનના સાધક છે. અહા, કેવળજ્ઞાન થતાં અનંત ચક્ષુ ઊઘડી જાય છે. અઢી
દ્વીપમાં કરોડો મુનિઓ બિરાજે છે, લાખો કેવળી અરિહંત ભગવંતો અને અનંતા સિદ્ધો
બિરાજે છે,–એનું સ્વરૂપ લક્ષમાં લેતાં જ્ઞાન નિર્મળ થાય છે. તેમના જેવો શુદ્ધ આત્મા જ
મારે ઉપાદેય કરવા યોગ્ય છે. મારો શુદ્ધાત્મા જ મારે ઉપાદેય છે ને એનાથી વિરુદ્ધ બીજું
બધુંય મારે હેય છે. મારી અસંખ્ય પ્રદેશી ચૈતન્યકાયા–સદાય નીરોગી–રાગના રોગ
વગરની છે. જગતના છ દ્રવ્યોમાં આત્મા સૌથી મહાન–મહિમાવંત છે, આત્મામાં પણ
પંચપરમેષ્ઠી ઉપાદેય છે. પંચપરમેષ્ઠીમાં પણ અરહંત અને સિદ્ધ પૂર્ણ પરમાત્મા છે, તે
ઉપાદેય છે, તેમાંય સિદ્ધભગવંતો સંપૂર્ણ શુદ્ધ છે. અને તે સિદ્ધ ભગવાન જેવો આ

PDF/HTML Page 6 of 29
single page version

background image
ધર્મી જીવ જાણે છે કે જે મારા સ્વરૂપનું અસ્તિત્વ છે તેમાં કર્મની ૧૪૮
જુઓ ભાઈ, દીવાળીની આ બેસતાવર્ષની બોણી પીરસાય છે. અહા, અચિંત્ય
નિધાનથી ભરેલો તારો આત્મવૈભવ,–તે નિધાન ખુલ્લા મુકીને સંતો તને બતાવે છે કે લે,
આ તારા નિધાન!! અહા, ચૈતન્યના અનુભવની શી વાત કરવી? જે પદનો પૂરો મહિમા
જેવો જ્ઞાનમાં ભાસ્યો તેવો વાણીમાં પૂરો આવી શકતો નથી. આવો અચિંત્ય તારા
સ્વભાવનો મહિમા, તે મહિમા જેને ભાસે તેના આત્મામાં જ્ઞાનદીવડા પ્રગટે. પ્રભો! પુણ્ય
અને સંયોગની પાછળ તું દોડ તેમાં તારા ચૈતન્યનું માહાત્મ્ય લૂંટાય છે. તારા ચૈતન્યની
મહત્તા ચૂકીને પરની મહત્તા કરવામાં તું કયાં રોકાણો? પરની મહત્તા કરી કરીને અને
સ્વભાવની મહત્તા ભૂલીભૂલીને તું સંસારમાં રખડી રહ્યો છે. પણ જ્યાં સ્વભાવનું
માહાત્મ્ય લક્ષમાં લઈને તેના અનુભવમાં ઠર્યો ત્યાં ધર્મીના તે અનુભવમાં સમસ્ત કર્મનો
ને કર્મના ફળનો અભાવ છે; ધર્મી એ કર્મફળને નથી ભોગવતો, એ તે ચૈતન્યના આનંદને
જ ભોગવે છે. વીરપ્રભુ જે માર્ગે મોક્ષ સીધાવ્યા તે મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનું પહેલું પગલું
આ છે કે આવા સ્વભાવનો મહિમા લાવીને તેમાં અંતમુર્ખ થવું. અહો, અંતરમાં નજર
કરીને જેણે નિજનિધાન નીહાળ્‌યા છે તે સમ્યગ્દ્રષ્ટિધર્માત્મા શુદ્ધાત્મપ્રતીતિના બળથી કહે
છે કે પરભાવનો

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૪ : આત્મધર્મ : માગશર :
ભોગવટો ખરેખર મારા સ્વરૂપમાં નથી. મારું સ્વરૂપ તો આનંદનો જ ભોગવટો દેનાર
છે.–જુઓ, આ બેસતાવર્ષમાં આત્માના આનંદના ભોગવટાની વાત!
ચક્રવર્તીના કે તીર્થંકરના લોકોત્તર પુણ્યોની શી વાત કરવી?–પણ ચૈતન્યના
વિભાવના ફળથી બંધાયેલા તે પુણ્ય, તેનો ભોગવટો જ્ઞાનીને નથી. જ્ઞાની તો એવું વેદન
કરે છે કે મારા આનંદનો જ હું ભોક્તા છું, ચૈતન્યના સ્વભાવથી બહારના કોઈ ભાવનો
ભોગવટો મને નથી. ચૈતન્યને સાધવાની ભૂમિકા કેવી હોય ને એ ભૂમિકાના પુણ્ય કેવા
હોય –તે વાત સાધારણ જનતાને ખ્યાલમાં આવવી મુશ્કેલ છે.....સાધકને એક વિકલ્પથી
જે પુણ્ય બંધાય એ પુણ્ય પણ જગતને વિસ્મય ઉપજાવે છે, તો સાધકભાવના મહિમાની
શી વાત! જગતને આશ્ચર્ય પમાડે એવા એ પુણ્યના ભોગવટાની રુચિ ધર્માત્માને રૂંવાડેય
નથી. આ તો વીતરાગનો માર્ગ છે, વીરનો માર્ગ છે.
હરિનો (પ્રભુનો) મારગ છે શૂરાનો......
નહીં કાયરનું કામ જો.....ને.....
પાપના સમૂહને હરનાર એવા વીતરાગપ્રભુનો આ વીરમાર્ગ તે શૂરવીરોનો માર્ગ
છે, તેમાં કાયરનું કામ નથી; એટલે કે રાગની વૃત્તિમાં જેને મીઠાસ આવી જતી હોય
એવો કાયર જીવ, વીતરાગતાના વીરમાર્ગને સાધી શકતો નથી. જે ચૈતન્યમાં રાગનો
એક અંશ પણ નથી એવા ચૈતન્યને સાધવો તે તો શૂરાનું કામ છે. હરિનો માર્ગ એટલે
ચૈતન્યની પવિત્રતાનો માર્ગ, એ પુણ્યથી તો ક્યાંય પાર છે, રાગનો એમાં પ્રવેશ નથી,
રાગનો કે પુણ્યફળનો ભોગવટો એમાં નથી. અહા, આવો વીતરાગમાર્ગ સાધવો–એ તો
વીરના કામ છે. રાગના રસમાં રોકાઈ જાય–એ વીરનું કામ નથી, એ તો કાયરનું કામ
છે. વીરનું કામ તો એ છે કે રાગથી પાર થઈને ચિદાનંદસ્વભાવને અનુભવમાં લ્યે ને
મોક્ષમાર્ગને સાધે. રાગના બંધનમાં બંધાઈ રહે તેને વીર કેમ કહેવાય? વીર તો તેને
કહેવાય કે જે રાગનાં બંધન તોડી નાંખે.
સાધકનો એક વિકલ્પ–જેનાથી તીર્થંકરનામકર્મ જેવા જગતને આશ્ચર્યકારી પુણ્ય
બંધાય, તો એ વિકલ્પની પાછળ રહેલા પવિત્ર સાધકભાવના મહિમાની તો શી વાત?
આમ પવિત્રતા ને પુણ્ય બંનેની સંધિ–છતાં પવિત્રતાનો ભોગવટો ધર્મીના અંતરમાં
સમાય છે, ને પુણ્યોનો ભોગવટો ધર્મીના અંતરથી બાહ્ય છે,–એનો ભોગવટો ધર્મીના
અનુભવમાં નથી. વાહ! જુઓ આ બેસતા વર્ષની અપૂર્વ વાત!! અહા,
સાધકભાવ,....જેના એક અંશનોય એવો અચિંત્ય મહિમા કે તીર્થંકરપ્રકૃતિનાં પુણ્ય પણ
જેને પહોંચી ન શકે.

PDF/HTML Page 8 of 29
single page version

background image
: માગશર : આત્મધર્મ : પ :
ધર્મીને ચૈતન્યનો જે મહિમા જાગ્યો છે, રાગ તેને લૂટીં શકે નહિ. ચૈતન્યમહિમા
સ્વા.....નુ.....ભૂ.....તિ
ચૈતન્યમૂર્તિ આત્મા સૂક્ષ્મ અતીન્દ્રિય વસ્તુ છે; એ કાંઈ
ઈન્દ્રિયગ્રાહ્ય વસ્તુ નથી કે બહારથી જણાઈ જાય. એ તો
અંતમુર્ખ જ્ઞાનનો વિષય છે. અતીન્દ્રિય હોવા છતાં અંતમુર્ખ
જ્ઞાન વડે તે સ્વાનુભવમાં આવી શકે છે. એ સ્વાનુભૂતિમાં એક
સાથે અનંતા ગુણોનું નિર્મળ પરિણમન સમાયેલું છે.
આ સ્વાનુભૂતિ–ક્રિયા અન્ય કારકોથી નિરપેક્ષ છે; તેના છએ
કારકો પોતામાં જ સમાય છે. અજ્ઞાનભાવમાંય કાંઈ પર કારકો
ન હતા; અજ્ઞાન વખતેય જીવ પોતે જ પોતાના અજ્ઞાનમય છ
કારકોરૂપ પરિણમતો હતો; ને હવે જ્ઞાનદશામાંય તે સ્વતંત્રપણે
પોતાના છ કારકોથી પરિણમે છે, સ્વાનુભૂતિ પોતાના શુદ્ધ
આત્મતત્ત્વ સિવાય અન્ય સમસ્ત પરભાવોથી અત્યંત નિરપેક્ષ
છે.
“નિજ પરમાત્મતત્ત્વના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ
શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય
છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.”
–શ્રી નિયમસાર.
“રત્નસંગ્રહ” માંથી

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૬ : આત્મધર્મ : માગશર :
સંસારદુઃખથી છૂટવા અને આત્મસુખને
અનુભવવા માટે તલસી રહેલા
શિષ્યના અંતરનો પોકાર
દુઃખના દરિયામાંથી બહાર નીકળીને સુખના અનુભવ માટે
તલસતો શિષ્ય કેવો હોય, તેની જિજ્ઞાસુતા કેવી હોય, તેના
હૃદયમાંથી પ્રશ્ન કેવો ઊઠે.–એ બધાનું સુંદર વર્ણન અહીં
પરમાત્મપ્રકાશની ભૂમિકામાં કર્યું છે. દુઃખથી થાકેલો એ
શિષ્ય પોતાના પરમાત્મતત્ત્વને જાણવા આતુર છે. તેને
લક્ષમાં આવ્યું છે કે મારા પરમાત્મ–સ્વરૂપને જાણવાથી જ
મને આનંદનો અનુભવ થશે ને ભવભવના મારા દુઃખ
મટશે. આથી તે બીજું બધું ભૂલીને પરમાત્મતત્ત્વને જાણવા
માટે જ ઉદ્યમી થયો છે, તેની જ ધૂન ને ધગશ છે, અને
આવા પિપાસુ જીવોને માટે સંતોએ પરમ આનંદનાં પરબ
માંડયાં છે.
(કારતક સુદ બીજના પ્રવચનમાંથી)
અહીં દિવાળીની બોણીમાં પ્રભાકર ભટ્ટ એટલે કે જિજ્ઞાસુ શિષ્ય માંગે છે કે, હે
ઉપદેશ આપો. પ્રભો! અનુગ્રહપૂર્વક એવો ઉપદેશ આપો કે મને મારા ચૈતન્યનું ઉત્તમ
સુખ મળે. જેમ બેસતા વર્ષે માણસો મહા પુરુષના–ધર્માત્માના આશીર્વાદ લ્યે છે તેમ
અહીં પ્રભાકર ભટ્ટ શ્રી ગુરુ પાસે વિનયથી આશીર્વાદ માંગે છે કે, હે સ્વામી! પ્રસન્ન
થઈને મને પરમ તત્ત્વ સમજાવો.....કે જે પરમ તત્ત્વને સમજતાં મને સુખનો અનુભવ
મળે. અત્યાર સુધી સંસારમાં રખડતાં મેં ઘણાં દુઃખો ભોગવ્યા, પણ સુખ મને ક્્યાંય ન
મળ્‌યું, કિંચિત્ સુખ હું ન પામ્યો. પરમાત્મતત્ત્વને ન જાણ્યું તેથી હું દુઃખી ભયો, તો હે
સ્વામી! હવે કૃપા કરીને આપ પરમાત્મતત્ત્વનો એવો ઉપદેશ આપો કે જેને જાણીને હું
સિદ્ધસુખ પામું ને આ સંસારદુઃખ ટળે.
દુઃખથી છૂટવા માટે હૃદયની દર્દભરી વિનંતિ કરે છે....પ્રભો! મારે બીજું કાંઈ નથી
જોઈતું, એક ચૈતન્યસુખની પ્રાપ્તિ કેમ થાય–તે જ બતાવો. જુઓ, આ પ્રભાકરભટ્ટનો

PDF/HTML Page 10 of 29
single page version

background image
: માગશર : આત્મધર્મ : ૭ :
જેમ પાણીની બહાર પડેલું માછલું પાણી વગર તરફડે, તેને ક્યાંય ચેન ન
પડે, તેમ હે પ્રભો! ચૈતન્યના નિર્વિકલ્પ સુખના દરિયાથી બહાર સંસારમાં સર્વત્ર
હું દુઃખથી તરફડી રહ્યો છું, ચાર ગતિમાં ક્યાંય ચેન નથી, સ્વર્ગમાં ય ચેન નથી;
પરમાત્મતત્ત્વમાં જે સુખ ભર્યું છે તેનો મને અનુભવ કેમ થાય–એ જ મારે
સમજવું છે. પ્રભો, સંસારમાં બીજી કોઈ વાંછા નથી; ચૈતન્યના સુખ સિવાય
બીજું કાંઈ હું ચાહતો નથી. આવો અંતરનો પોકાર જેને જાગ્યો તે શિષ્યને સંતો
પરમાત્મતત્ત્વ સમજાવે છે ને તુરત સમજી જાય છે. તેનો પોતાને એમ ભાસ્યું છે
કે અરે, અનંતકાળ મેં દુઃખનો ભોગવટો કર્યો, મારા આત્માના સુખના ઉપાયને
મેં ક્ષણમાત્ર ન સેવ્યો. સુખના ઉપાયના સેવન વગર અનંતકાળ દુઃખના દરિયામાં
જ ડૂબી રહ્યો, હવે આ દુઃખના દરિયાનો કિનારો આવે ને હું આત્મિકસુખ પામું–
એવો ઉપાય શું છે? તે જાણીને તેનું જ સેવન કરવાની ધગશ છે; એક જ ધગશ
છે, એક જ ધૂન છે, એ જ જિજ્ઞાસ છે. જે પરમાત્મસ્વભાવના લાભ વગર હું
સંસારમાં ભમ્યો અને જેની પ્રાપ્તિથી મારું ભ્રમણ મટે–એવો પરમાત્મસ્વભાવ
મને બતાવો.
જુઓ, આ પહેલી સમ્યક્શ્રદ્ધાની વાત છે. ભાઈ! તને મોક્ષની લગની હોય
આત્મજ્ઞાન સિવાય જગતમાં કોઈ સાર નથી. ભરત જેવા ચક્રવર્તી કે ઈન્દ્રો
શુદ્ધાત્માને જ સાર સમજીને, ભગવાન પાસે વિનયથી એનું જ સ્વરૂપ પૂછે છે ને
બહુમાનથી સાંભળે છે; પ્રભો! જગતમાં સૌથી ઉત્તમ ને આદરણીય જે શુદ્ધાત્મા તે કેવો
છે? પોતાને તેનું ભાન હોય તોપણ ભગવાન પાસે જઈને ફરીફરી આદરપૂર્વક તેનું
શ્રવણ કરે છે. અહીં પ્રભાકરભટ્ટે તે વાત પૂછી છે. જુઓ તો ખરા, શુદ્ધાત્માના જિજ્ઞાસુને
માટે ઉત્કૃષ્ટ દાખલો

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૮ : આત્મધર્મ : માગશર :
ઠેઠ ભરત ચક્રવર્તીનો આપ્યો. જેમાં ઋષભદેવની સભામાં ભરત ચક્રવર્તીએ શુદ્ધાત્માનું
સ્વરૂપ પૂછયું તેમ અહીં પ્રભાકર ભટ્ટ યોગીન્દુદેવને વિનયથી તે જ વાત પૂછે છે.
શુદ્ધાત્માની આરાધનારૂપ રત્નત્રય જેને પ્રિય છે એવા જીવો જ્ઞાની પાસે તેનો જ પ્રશ્ન
પૂછે છે. વાહ! શ્રોતા એવો છે કે જેને પ્રિયમાં પ્રિય આત્મા છે, આત્માના રત્નત્રય જેને
પ્રિય છે, વ્યવહારમાં પંચપરમેષ્ઠીની ભક્તિ પ્રિય છે. એ સિવાય સંસારમાં બીજું કાંઈ
જેને પ્રિય નથી; જેઓ ચૈતન્યના વીતરાગ–નિર્વિકલ્પ આનંદરસના પ્યાસી છે, જેમને
રાગની કે પુણ્યની પિપાસા નથી; પ્રવચનસારમાં કહે છે કે પરમાનંદના પિપાસુ ભવ્ય
જીવોને માટે આ ટીકા રચાય છે. જુઓ તો ખરા! સંતોએ તો પરમ આનંદના પરબ
માંડયા છે. જેમ ભર ઉનાળામાં તૃષાતૂર માટે ઠંડા પાણીના પરબ મંડાયા હોય ત્યાં
તરસ્યા જીવો પ્રેમથી આવીને પાણી પીએ છે ને તેનું હૃદય તૃપ્ત થાય છે; તેમ
સંસારભ્રમણના ભર ઉનાળામાં રખડી રખડીને થાકેલા જીવને માટે ભગવાનના
સમવસરણમાં ને સંતોની છાયામાં ચૈતન્યના પરમ વીતરાગી આનંદરસનાં પરબ મંડાયા
છે, ત્યાં પરમાનંદના પિપાસુ ભવ્ય જીવો જિજ્ઞાસાથી પ્રેમથી આવીને શુદ્ધાત્માના
અનુભવરૂપ અમૃતપાન કરીને તૃપ્ત થાય છે. અરે, ક્્યાં નવમી ગૈ્રવેયકથી માંડીને
નરકનિગોદ સુધીના ચારે ગતિનાં દુઃખનો દાવાનળ! ને ક્યાં આ ચૈતન્યના અનુભવરૂપ
સુખના વેદનની શાંતિ! અરે, ચૈતન્યના પરમ આનંદના અનુભવ વગર બધુંય દુઃખરૂપ
લાગે છે. ત્યાંથી ભયભીત થઈને જે ચૈતન્યસુખને ઝંખે છે એવો જીવ શુદ્ધાત્માના
અનુભવ તરફ જાય છે. જેમ મોટા નાગથી ભયભીત થઈને ભાગે તેમ ધર્માત્મા–
મુમુક્ષુઓ સંસારની ચારે ગતિના ભયથી ભયભીત થઈને ત્યાંથી ભાગ્યા ને ચૈતન્યના
શરણમાં આવ્યા. જગતમાં નિર્ભય સ્થાન આ એક ચૈતન્ય જ છે, તે જ ચાર ગતિનાં
દુઃખથી છોડાવનાર ને પરમ આનંદને દેનાર છે.
मुमुक्षुको सब चिन्ता छोडके
आत्माकी
मस्ती में मस्त रहना चाहिए

PDF/HTML Page 12 of 29
single page version

background image
: માગશર : આત્મધર્મ : ૯ :
ભેદજ્ઞાન વડે
ઉપશમની પ્રાપ્તિ
(સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર ઉપરના પ્રવચનોમાંથી: ૨)
આ લેખનો પ્રથમ ભાગ આત્મધર્મના ગતાંકમાં આવી
ગયો છે; બાકીનો ભાગ અહીં આપ્યો છે. ઉપશમભાવ કે
જે જીવે કદી પ્રાપ્ત કર્યો નથી તેની પ્રાપ્તિની પ્રેરણા કરતાં
આચાર્યપ્રભુ કહે છે કે રે જીવ! રાગદ્વેષનું કારણ નથી તો
ક્યાંય પરમાં, કે નથી તારા જ્ઞાનમાં; જ્ઞાન અને જ્ઞેયોની
અત્યંત ભિન્નતારૂપ વસ્તુસ્વરૂપને જે જાણે છે તે સમસ્ત
જ્ઞેયોથી અત્યંત ઉદાસીન વર્તતો થકો જરૂર ઉપશમને
પામે છે. અરે, આવી વીતરાગીવાત ખ્યાલમાં આવવા
છતાં જે ઉપશમને નથી પામતો–તે ખરેખર મૂઢબુદ્ધિ છે.
અરે, મૂઢ! જેવી પરની મીઠાસ છે તેવી તારા જ્ઞાનની
મીઠાસ તને કેમ નથી આવતી?– કેમ તું તારા જ્ઞાન
સ્વભાવ તરફ વળતો નથી? ભાઈ, જ્ઞાનના વીતરાગી
સ્વભાવને જાણીને તે તરફ વળ....... ..... .... ને શાંત
ભાવને પામ.
આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાનનો સ્વભાવ પરથી ઉદાસીન રહીને સ્વયં
સ્વપરને જાણે એવો છે. આવા જ્ઞાનને ભૂલીને અજ્ઞાની પરજ્ઞેયોને ઈષ્ટ અનિષ્ટ સમજી
રાગદ્વેષ કરે છે. તેને અહીં સમજાવે છે કે હે ભાઈ, સામા પદાર્થો કાંઈ તને એમ નથી
કહેતા કે તું મારી તરફ જો. જ્ઞેયોમાં પ્રમેયસ્વભાવ છે, પણ તને રાગદ્વેષ કરાવે–એવો
સ્વભાવ એનામાં નથી. ને તારા જ્ઞાનનો સ્વભાવ પણ એવો નથી કે જ્ઞેયોમાં જઈને તેને
બહારનો સંયોગ અનુકૂળ હો કે પ્રતિકૂળ, તે આત્માના જ્ઞાનમાં અકિંચિત્કર છે.
આત્મા તે સંયોગને સ્પર્શતો નથી ને સંયોગો આત્માને સ્પર્શતા નથી. જગતમાં અનંત
દ્રવ્યો એકક્ષેત્રે રહેલા હોવા છતાં તેઓ એકબીજાને ચૂંબતા નથી–સ્પર્શતા નથી, પરસ્પર
એક બીજાને અડતા પણ નથી તો તેઓ એકબીજાને શું કરે?

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર :
આ નિંદાના શબ્દો, કુરૂપ, દુર્ગંધ વગેરે મને ઠીક નહિ એમ સમજીને અજ્ઞાની
તારા દ્રવ્ય–ગુણ–પર્યાય તારામાં, પરના દ્રવ્ય–ગુણ–પર્યાય પરમાં. આવા
પોતાને ઈષ્ટ ન લાગે એવી વસ્તુ જ્ઞાનમાં જણાતાં અજ્ઞાની તો જાણે કે તે વસ્તુ
જ્ઞાનમાં ઘૂસીને જ્ઞાનને બગાડી નાંખતી હોય–એવી મિથ્યાબુદ્ધિથી દ્વેષ કરે છે. પણ ભાઈ,
સર્વજ્ઞના જ્ઞાનમાં શું નથી જણાતું? બધુંય જણાય છે. અને છતાં શું તે જ્ઞાનમાં ક્યાંય
જરાય રાગદ્વેષ થાય છે? ના. જો પદાર્થો જ ઈષ્ટ–અનિષ્ટ થઈને રાગદ્વેષ કરાવવા મંડી
જાય તો તો સર્વજ્ઞના જ્ઞાનમાંય રાગદ્વેષ થાય!–કેમ કે સર્વજ્ઞ તો બધાયને જાણે છે. પણ
જ્ઞાનમાં પરદ્રવ્ય રાગદ્વેષ કરાવતું નથી. જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં રાગદ્વેષ નથી, સર્વજ્ઞનું
જ્ઞાન સર્વજ્ઞયોને જાણવા છતાં સર્વત્ર ઉદાસીન છે, ક્યાંય પણ આસક્ત નથી, તેમ દરેક
આત્માનો જ્ઞાનસ્વભાવ રાગદ્વેષ વગરનો છે, પરથી ઉદાસીન છે; જ્ઞાનની સ્વચ્છતામાં
પરજ્ઞેય જણાઓ ભલે, પણ તેથી કાંઈ તે જ્ઞાનમાં રાગદ્વેષ ઉત્પન્ન કરતા નથી. અહા, કેવું
સ્વતંત્ર જ્ઞાન!! એ જ્ઞાનને પરમાં ક્્યાંય રાગદ્વેષ કરીને અટકવાપણું નથી. જ્ઞાન તો
પોતાના સ્વરૂપથી જાણનાર જ છે. રાગને જાણનારો રાગરૂપે નથી પરિણમતો, રાગને
જાણનારો જ્ઞાનરૂપે જ પરિણમે છે.
અરે, તને આ શું થયું છે કે જ્ઞાનની શાંત–ઉદાસીન દશાને બદલે તું રાગદ્વેષમાં
વર્તી રહ્યો છે? સ્વપરની અત્યંત ભિન્નતા અમે બતાવી, તે સાંભળીને પણ તું ઉપશમ
કેમ નથી પામતો? પર જ્ઞેય કાંઈ તને પરાણે ખેંચતું નથી ને તારું જ્ઞાન પણ કાંઈ
આત્માને છોડીને પરજ્ઞેયમાં જતું નથી. જ્ઞાન પરને જાણે એનો કાંઈ નિષેધ નથી; પણ તે
વખતે અજ્ઞાની પોતાના જ્ઞાનનું જ્ઞાનત્વ ચૂકી જાય છે; ને પદાર્થોને, રાગદ્વેષને તથા
જ્ઞાનને એકમેકરૂપ અનુભવે છે, એટલે ભિન્ન જ્ઞાનના શાંત અનાકુળ ચૈતન્યરસને તે
અનુભવતો નથી.

PDF/HTML Page 14 of 29
single page version

background image
: માગશર : આત્મધર્મ : ૧૧ :
એક બાજુ સિદ્ધભગવંતો ને અર્હંતો–તીર્થંકરો–ગણધરો–વગેરેનો સમૂહ બિરાજતો
હોય, બીજી બાજુ ધર્મના દ્રોહી મિથ્યાદ્રષ્ટિ અને તીવ્ર પાપ કરનારા જીવોનો ગંજ હોય,
ત્યાં ગુણીજનો પ્રત્યે સહેજે સાધક ધર્માત્માને પ્રમોદ અને ભક્તિ આવે; પરંતુ એ
ગુણીજનો કાંઈ જ્ઞાનને રાગ કરવાનું કહેતા નથી, અને દુર્જનોનો સમૂહ જગતમાં હોય તે
કાંઈ જ્ઞાનને દ્વેષ કરવાનું નથી કહેતા. એટલે કે કોઈ પણ પદાર્થને કારણે તો રાગદ્વેષ છે
જ નહિ. હવે રહ્યું પોતામાં જોવાનું; પોતામાંય જ્ઞાનનું સ્વરૂપ તો કાંઈ રાગદ્વેષ કરવાનું
નથી. જ્ઞાન પોતામાંથી બહાર જતું નથી. માટે જ્ઞાન પણ રાગદ્વેષનું કારણ નથી. આ રીતે
રાગદ્વેષનું કારણ નથી તો ક્યાંય પરમાં, કે નથી પોતાના જ્ઞાનમાં, એટલે જ્ઞાન અને
જ્ઞેયથી ભિન્નતાનું આવું વસ્તુસ્વરૂપ જે જાણે છે તે સમસ્ત જ્ઞેયોથી અત્યંત ઉદાસીન
વર્તતો થકો જરૂર ઉપશમને પામે છે. અરે, આવી વીતરાગી વાત ખ્યાલમાં આવવા છતાં
જે ઉપશમને નથી પામતો ને પરને ઈષ્ટ–અનિષ્ટ માની રાગદ્વેષ કરે છે તે મૂઢ દુર્બુદ્ધિ છે.
ભાઈ, આવું વસ્તુ સ્વરૂપ જાણવા છતાં કેમ તું તારા જ્ઞાનસ્વભાવ તરફ વળતો નથી?
જેવી પરની મીઠાસ છે તેવી તારા જ્ઞાનની મીઠાસ તને કેમ નથી આવતી? ભાઈ, જ્ઞાન
વીતરાગી સ્વભાવને જાણીને તે તરફ વળ....ને શાંતભાવને પામ.
ચૈતન્યમય આત્મા પોતાના ચેતન ગુણ–પર્યાયોમાં જ વર્તે છે પણ તેનાથી બહાર
વર્તતો નથી; અને બાહ્યપદાર્થો સૌ પોતપોતાના ગુણપર્યાયોમાં જ વર્તે છે, તેઓ આ
આત્મામાં આવતા નથી. આ રીતે જગતના પદાર્થો પોતપોતાના ગુણપર્યાયરૂપ
નિજસ્વરૂપમાં જ વર્તી રહ્યા છે ને અન્ય પદાર્થમાં તે કાંઈપણ કરતા નથી. પછી બીજો
તારામાં શું કરે? કાંઈ જ ન કરે; તોપછી તેના ઉપર રાગ–દ્વેષ શેનો? ભેદજ્ઞાનવડે આવું
વસ્તુસ્વરૂપ જાણતાં જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન વર્તતું થકું પોતાના સ્વભાવમાં જ તત્પર
રહે છે; એટલે તે ઉદાસીનજ્ઞાન–વીતરાગીજ્ઞાન ક્યાંય રાગદ્વેષનું કર્તા થતું નથી.
ઉપશાંતભાવને જ વેદે છે. જ્યાં પરમાં કર્તૃત્વની બુદ્ધિ છે ત્યાં રાગદ્વેષ થાય જ છે ને
જ્ઞાનમાં ઉદાસીનવૃત્તિ રહેતી નથી.
પહેલાં સ્વ–પરની વહેંચણી અને અંતરમાં સ્વભાવ તથા પરભાવની વહેંચણી
કરતાં જ્ઞાનપર્યાય નિજસ્વભાવ સાથે એકતા કરે, એટલે પરભાવ પ્રત્યે ને પરદ્રવ્ય પ્રત્યે
સહેજે ઉપેક્ષાવૃત્તિ થાય. પણ જેને સ્વપરની વહેંચણી કરતાં જ ન આવડે તે શેમાં ઠરશે?
ને શેનાથી પાછો વળશે? અજ્ઞાની દોડીદોડીને આકૂળતાથી પરમાં જ ઉપયોગને ભમાવે
છે, પણ ઉપયોગ તો મારું સ્વદ્રવ્ય છે–એમ સ્વમાં ઉપયોગને વાળતો નથી. તેને અહીં
સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવીને ભેદજ્ઞાન કરાવ્યું છે; કે જે ભેદજ્ઞાન થતાં સ્વદ્રવ્યના
અવલંબને ઉપશાંતરસનું વેદન થાય છે.

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માગશર :
રે જીવ! તું શાંત થા....શાંત થા. તારું જ્ઞાન જ તારી શાંતિનું ધામ છે. બીજું દ્રવ્ય
તારા જ્ઞાનમાં અશાંતિ ઊભી કરતું નથી; તેમજ બીજું દ્રવ્ય તને શાંતિ પણ આપતું નથી.
માટે પરદ્રવ્યમાં શાંતિ ન શોધ, કે પરદ્રવ્ય ઉપર દ્વેષ ન કર. પરદ્રવ્યો પોતાના તરફ તારા
જ્ઞાનને ખેંચતા નથી, ને તારું જ્ઞાન પણ કાંઈ આત્માંથી બહાર નીકળીને પરમાં ચાલ્યું
જતું નથી. આવી ભિન્નતા છે, પછી રાગદ્વેષ ઉત્પન્ન થવાનું સ્થાન જ ક્યાં છે? રાગદ્વેષ
નથી તો જ્ઞાનમાં, કે નથી જ્ઞેયો તે કરાવતા. એટલે જેને જ્ઞાન અને જ્ઞેયના ભિન્ન
વસ્તુસ્વરૂપની ઓળખાણ છે તે તો જ્ઞાનમાં જ તન્મય રહેતો થકો. રાગદ્વેષમાં જરાય
તન્મય ન વર્તતો થકો જ્ઞાનની નિરાકૂળ શાંતિને અનુભવે છે. અને આવા જ્ઞાની જ
મોક્ષને સાધે છે.
અજ્ઞાની સંયોગોને અનુકૂળ–પ્રતિકૂળરૂપે દેખે છે ને તેના પ્રત્યે રાગદ્વેષ કરીને
દુઃખી થાય છે. પણ મારે પદાર્થો સાથે સંબંધ નથી, હું તો જ્ઞાન છું–એમ જો તટસ્થ
જ્ઞાનપણે જ રહે તો રાગદ્વેષ રહિત ઉપશાંતભાવ રહે. બહારના પદાર્થો સુંદર કે અસુંદર
તે કાંઈ જ્ઞાનને વિક્રિયા ઉત્પન્ન કરતા નથી; વિચિત્ર પરિણતિરૂપે જગતના જ્ઞેયો
પોતપોતાના સ્વભાવથી પરિણમે છે, ને જ્ઞાન તેમને પોતાના સ્વભાવથી જ જાણનારું
છે. પદાર્થ સમીપ હો કે અસમીપ હો–તેથી જ્ઞાનના જાણવાના સ્વભાવમાં કાંઈ ફેર પડી
જતો નથી. આવા જ્ઞાનને જે ઓળખતો નથી તે અજ્ઞાની શાસ્ત્ર ભણીભણીને પણ
શાસ્ત્રના સાચા ફળરૂપ ઉપશમને પામતો નથી. શાસ્ત્રના સાચા જ્ઞાનનું તાત્પર્ય તો
ઉપશમપ્રાપ્તિ છે; એવા ઉપશમવાળું જીવન એ જ સાચું જીવન છે, અજ્ઞાનમય રાગદ્વેષ તે
મરણ છે. જ્ઞાનમય વીતરાગજીવન એ જ સાચું આત્મજીવન છે. જેમાં શાંતિ ન હોય તેને
જીવન કેમ કહેવાય? એમાં તો આત્મા મુંઝાઈ રહ્યો છે. જ્ઞાનમયભાવથી જે શાંતિનું
વેદન તે આનંદમય જીવન છે.
જેમ દીવો પદાર્થો પ્રત્યે ઉદાસીન છે; દીવાના પ્રકાશમાં સોનું હો કે કોલસો, સર્પ
હો કે હાર, રોગી હો કે નિરોગી, ત્યાં દીવો તો તટસ્થ છે, તેને પદાર્થોના કારણે કાંઈ
વિક્રિયા થતી નથી; કોલસા કે સર્પ આવતાં તેનો પ્રકાશ ઝાંખો પડી જાય કે સોનાના
ગંજ ને હાર આવતાં તેનો પ્રકાશ તેજ થઈ જાય–એવું દીવાને થતું નથી; તેમ જ્ઞાનદીપક–
ચૈતન્યદીવો જગતના જ્ઞેય પદોર્થો પ્રત્યે ઉદાસીન છે, રાગ–દ્વેષ વગરનો છે. જ્ઞાનપ્રકાશમાં
કોઈ રોગ કે નિરોગ, સોનું કે કોલસો, નિંદાના શબ્દો કે પ્રશંસાના શબ્દો, રૂપ કે કુરૂપ–એ
કોઈ વસ્તુ રાગ–દ્વેષ કરાવતી નથી, તેમજ જ્ઞાન પ્રકાશમાં એવો સ્વભાવ નથી કે કોઈ
ઉપર રાગદ્વેષ કરે. ભિન્નપણે રહીને, જુદો રહીને, મધ્યસ્થ રહીને, પોતે પોતાના
જ્ઞાનભાવમાં જ રહેતું જ્ઞાન પરમ ઉપશાંતભાવને પામે છે.–આવું વિશુદ્ધજ્ઞાન તે જ
મોક્ષહેતુ છે.

PDF/HTML Page 16 of 29
single page version

background image
: માગશર : આત્મધર્મ : ૧૩ :
વ ન વા સી અં જ ના
વન–ગૂફામાં મુનિદર્શનનો મહાન આનંદ
સંસારના ઘોરાતિઘોર દુઃખપ્રસંગે, જ્યારે ઉપર
આભ ને નીચે પાતાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે
પણ જીવને ધર્મ અને ધર્માત્મા કેવા અચિંત્ય શરણરૂપ
થાય છે–તે સૂચવતો અંજનાસતિના જીવનનો એક
આનંદકારી પ્રસંગ અહીં આપ્યો છે.
*
પતિ પવનંજયથી તરછોડાયેલી સતિ અંજનાને જ્યારે સાસુ કેતુમતીએ કલંકિની
સમજીને કૂ્રરતાપૂર્વક રાજ્યમાંથી કાઢી મુકી, અને જ્યારે પિતૃગૃહેથી પણ તેને જાકારો
મળ્‌યો, કોઈએ તેને શરણ ન આપ્યું, ત્યારે આખાય સંસારથી ઉદાસ થયેલી તે સતિ
પોતાની એકની એક સખી સાથે વન તરફ ચાલી જાય છે–કે જ્યાં મુનિઓના વાસ છે.
અંજના કહે છે–હે સખી! આ સંસારમાં આપણું કોઈ નથી; શ્રી દેવ–ગુરુ–ધર્મ એ
વાઘથી ભયભીત મૃગલીની જેમ અંજની પોતાની સખી સાથે વનમાં ચાલી જાય
છે. વનવાસી મુનિવરોને યાદ કરતી જાય છે, ને ચાલી ચાલીને થાકી જાય છે ત્યારે બેસી
જાય છે....એનું દુઃખ જોઈને સખી વિચારે છે કે હાય! પૂર્વના કોઈ પાપને લીધે, આ
રાજપુત્રી નિર્દોષ છતાં મહાકષ્ટ પામી. સંસારમાં કોણ રક્ષા કરે? પતિગૃહે એનો
અનાદાર થયો.....જે પિતા તેને લાડપૂર્વક ખેલાવતા તે જ પિતાદ્વારા તે નિરાદર
પામી.....એની માતા પણ એને આશરો ન આપી શકી. સહોદર ભાઈ જેવો ભાઈ પણ
આવા દુઃખમાં

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માગશર :
એને કાંઈ જ સહારો ન આપી શક્્યો. રાજમહેલમાં વસનારી અંજના અત્યારે ઘોર
વનમાં ભટકી રહી છે. અરે, દુર્ભાગ્યના આ દરિયામાં એકમાત્ર ધર્મરૂપી જહાજ જ આ
શીલવતીને શરણ છે. જ્યાં ઉદય જ એવો હોય ત્યાં ધૈર્યપૂર્વક ધર્મસેવન એ જ શરણ છે,
બીજું કોઈ શરણ નથી.
ઉદાસ અંજની વનમાં અત્યંત વિલાપ કરી રહી છે....એનો વિલાપ દેખીને સખીનું
ધૈર્ય પણ જતું રહ્યું....તે પણ રૂદન કરવા લાગી. નિર્જન વનમાં અંજની અને તેની
સખીનો વિલાપ એવો કરુણ હતો કે એ દેખીને આસપાસની મૃગલીઓ પણ ઉદાસ
થઈને આંસુ પાડવા
લાગી.
ઘણીવાર
થઈ....અંતે વિચિક્ષણ
સખીએ ધૈર્યપૂર્વક
અંજનીને છાતીએ
લગાડીને કહ્યું હે સખી!
શાંત થા....રૂદન છોડ!
બહુ રોવાથી શું? તું જાણે
છે કે આ સંસારમાં જીવને
કોઈ શરણ નથી. અરે,
જ્યાં માતા–પિતા કે ભાઈ–બેન પણ શરણ નથી, ત્યાં બીજાની શી વાત? સર્વજ્ઞદેવ અને
નિર્ગ્રંથ વીતરાગગુરુ એ જ સાચા માતા–પિતા ને બાંધવ છે ને એ જ શરણ છે. તારું
સમ્યગ્દર્શન જ તને શરણભૂત છે, તે જ ખરૂં રક્ષક છે, ને આ અસાર સંસારમાં તે જ
એક સારભૂત છે. માટે હે દેવી! આવા ધર્મચિંતન વડે તું ચિત્તને સ્થિર કર.....ને પ્રસન્ન
થા. વૈરાગ્યમય આ સંસાર, ત્યાં પૂર્વકર્મઅનુસાર સંયોગ–વિયોગ થયા કરે છે. તેમાં હર્ષ–
શોક શું કરવો? જીવ ચિંતવે છે કાંઈ ને થાય છે કાંઈ! સંયોગવિયોગ એને આધીન
નથી.....એ તો બધી કર્મની વિચિત્રતા છે. માટે હે સખી! તું વૃથા કલેશ ન કર....ખેદ
છોડ ને ધૈર્યથી તારા મનને વૈરાગ્યમાં દ્રઢ કર.–આમ કહીને સ્નેહપૂર્વક સખીએ
અંજનીના આંસુ લૂછયા અને તે જરાક શાંત થતાં ફરી કહેવા લાગી–હે દેવી! ચાલો, આ
વનમાં હિંસક પ્રાણીઓના ભય વગરનું કોઈ સ્થાન કે ગૂફા શોધીને ત્યાં રહીએ; અહીં
સિંહ વાઘ ને સર્પોનો ઘણો ભય છે... સખી સાથે અંજની માંડમાંડ પગલાં ભરે છે.
સાધર્મીના સ્નેહબંધનથી બંધાયેલી સખી એના છાયાની માફક

PDF/HTML Page 18 of 29
single page version

background image
: માગશર : આત્મધર્મ : ૧પ :
તેની સાથે જ રહે છે. ભયાનક વનમાં ભયથી અંજની ધ્રૂ્રજે છે; ત્યારે તેના હાથ પકડીને
સખી કહે છે–અરે મારી બેન! તું ડર મા......મારી સાથે ચાલ....સખીના ખભે હાથ
ટેકવીને મહા મહેનતે શરીર થંભાવતી અંજની ડગલા ભરે છે. થોડે દૂર એક ગૂફા
દેખાણી, સખી કહે છે કે ત્યાં સુધી ચાલ....પણ અંજની કહે છે: હે સખી! મારામાં હવે તો
એક ડગલુંય ભરવાની શક્તિ નથી રહી....હવે તો હું થાકી ગઈ....સખીએ અત્યંત પ્રેમાળ
શબ્દોથી તેને ધૈર્ય ઉપજાવી, નમસ્કાર કરી વારંવાર સમજાવી, ને તેનો હાથ પકડી
ગૂફાના દ્વાર સુધી લઈ ગઈ.
અત્યંત થાકેલી બંને સખીઓ, વગર વિચાર્યે ગૂફામાં પ્રવેશતાં ભય થાય–એમ
વિચારીને થોડીવાર ત્યાં જ બેસી ગઈ; પછી નજર માંડીને ગૂફામાં જોયું....ગૂફાનું દ્રશ્ય
જોતાંવેંત જ બંને સખીઓ આશ્ચર્યથી થંભી ગઈ! –શું જોયું તેમણે? અહો! તેમણે જોયું કે
ગૂફાની અંદર એક વીતરાગી મુનિરાજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે. ચારણઋદ્ધિના ધારક એ
મુનિરાજનું શરીર નિશ્ચલ થંભી ગયું છે. તેમની મુદ્રા પરમ શાંત અને સમુદ્ર જેવી ગંભીર
છે, આંખો અંતરમાં ઢળી ગયેલી છે; આત્માનું જેવું યથાર્થ સ્વરૂપ જિનશાસનમાં કહ્યું છે
તેવું જ ધ્યાનમાં ધ્યાવી
રહ્યા છે. પર્વત જેવા
અડોલ છે, આકાશ જેવા
નિર્મળ છે ને પવન જેવા
અસંગી છે, અપ્રમત્ત
ભાવમાં ઝૂલી રહ્યા છે
ને સિદ્ધ જેવા આત્મિક
આનંદને અનુભવી રહ્યા
છે.
ગૂફામાં
એકાએક આવા
મુનિરાજને દેખતાં જ
આ બંનેના આનંદનો પાર ન રહ્યો. અહા! ધન્ય ધન્ય મુનિરાજ! એમ કહેતી હર્ષપૂર્વક
તેઓ મુનિની સમીપ ગઈ. મુનિરાજની વીતરાગમુદ્રા નીહાળતાં જીવનનાં સર્વ દુઃખો
ભૂલાઈ ગયાં. ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને, હાથ જોડીને નમસ્કાર કર્યો. આવા
વનમાં મુનિ જેવા પરમ બાંધવ મળવાથી તેમનાં નેત્રો ફૂલી ગયાં, આંસુ અટકી
ગયા...ને નજર મુનિના ચરણોમાં જ થંભી ગઈ. હાથ જોડીને ગદગદભાવે મહા વિનયથી
સ્તુતિ કરવા લાગી: હે ભગવાન્! હે કલ્યાણરૂપ! આપ સંસારને

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માગશર :
અહા, એ અંજનીને મુનિરાજના દર્શનથી જે પ્રસન્નતા થઈ તેનું વર્ણન કોણ કરી
નમસ્કાર હો એ મુનિરાજને.....કે જેમનું દર્શન પણ જીવોને આનંદકારી છે.
(સતી અંજનાના જીવનના આગળ–પાછળના
પ્રસંગો જાણવા ‘બે સખી’ નામનું પુસ્તક વાંચો)

PDF/HTML Page 20 of 29
single page version

background image
: માગશર : આત્મધર્મ : ૧૭ :
કારતક માસની
વિવિધ વાનગી
(ચર્ચા અને પ્રવચનો ઉપરથી)
સિદ્ધ પરમાત્માની પંક્તિમાં
આત્માને ભૂલીને પરનો મહિમા તે અજ્ઞાન છે. અને આત્મસ્વરૂપને નિર્વિકલ્પ
શ્રદ્ધા– જ્ઞાનરૂપ સમાધિમાં દેખવું તે અપૂર્વ જ્ઞાનપ્રકાશ છે; એવું જ્ઞાન થાય ત્યાં
સંસારબંધન ક્ષણમાત્રમાં છૂટી જાય છે. આત્મા સિદ્ધભગવાન જેવા અચિંત્ય સામર્થ્યથી
ભરેલો છે તેને દેખતાં જ અનાદિની કર્મધારા તૂટી જાય છે. અનંત સિદ્ધ પરમાત્માઓની
પંક્તિમાં બેસાડી શકાય એવો આ આત્મા છે. આવા આત્મામાં જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં
અંદર પોતે પૂર્ણાનંદથી ભરેલો ભાસે છે, ને બહારમાં જાણે કાંઈ ન હોય–એમ શૂન્ય ભાસે
છે, ચૈતન્યમાં દ્રષ્ટિ મુકતાં એક ચૈતન્યસમુદ્રના શાંતરસ સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
આવા આત્માને અંતરમાં દેખવાની ક્રિયા તે જ મોટી અપૂર્વ ક્રિયા છે.
આત્માને જાણવામાં તત્પર થા
આત્મા ક્યાં રહેતો હશે? આ દેહમાં રહ્યો હોવા છતાં તે દેહને અડતો નથી;
દેહનાં લક્ષણથી એનું લક્ષણ જુદું ને જુદું જ રાખે છે. આત્મા સદાય ચૈતન્યલક્ષણપણે
રહ્યો છે, જડ દેહરૂપ કદી થયો નથી. અરે, દેહમાં જ રહેલા આવા તારા આત્માને હે
જીવ! તું સ્વસંવેદનથી કેમ નથી જાણતો? બહારના બીજા તો પ્રપંચ ઘણા જાણે છે તો
તારા આત્માને કેમ નથી જાણતો? દૂરદૂરની પ્રયોજન વિનાની વાત જાણવા દોડે છે, તો
અહીં તારામાં જ રહેલા તારા આત્માને જાણવામાં બુદ્ધિ જોડ.–એ અત્યંત પ્રયોજનરૂપ
છે. અરે, તું બીજાનું તો જ્ઞાન કર ને તારું નહિ! એ તે જ્ઞાન કેવું કે પોતે પોતાને જ ન
દેખે! માટે હે ભાઈ, આત્માને જાણવામાં તત્પર થા.
આનંદનું વેદન
આત્મદ્રવ્યની બેહદ તાકાત છે; તેના સ્વરૂપમાં બેહદ આનંદને શાંતિ ભરી છે;
પણ એને દેખે ત્યારે તેનું વેદન થાય. તે શાંતિનું વેદન આકુળતા રહિત છે, ઈન્દ્રિયજનિત
સુખદુઃખ તેમાં નથી, તેમાં આકુળતા નથી, તેમાં મનનોય વેપાર નથી. આવા શાંત