Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 40
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૬૯
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 40
single page version

background image
તંત્રી:– જગજીવન બાવચંદ દોશી કુંડલા
સંપાદક: બ્ર. હરિલાલ જૈન: સોનગઢ
વર્ષ ૨૩
અંક પ
ફાગણ
૨૪૯૨
મંગલ પ્રભુજી મંગલ પ્રસંગ, મંગલ વાણી, ઉત્સવ રંગ,
વિદેહે મંગલ, ભરતે મંગલ. કહાન–પ્રતાપે સુવર્ણે મંગલ.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી સીમંધર જિન પા–શતાબ્દિ–સ્વાગત અંક

PDF/HTML Page 3 of 40
single page version

background image
ભરતના ભક્તોને ભેજે નાથ...ધર્મદ્ધવૃદ્ધિનાં આશીષ આજ’
(સીમંધર જિન સ્તવન)
(રાગ: ભજ ભજ પ્યારે ભગવાન....)
વંદીયે વિદેહના ભગવાન
છે સીમંધર રૂડા નામ....
હૃદય બિરાજો મારા નાથ!
ભાવું છું હું તો દિનરાત....।। ટેક।।
દૂર દૂર પ્રભુ! તારો દેશ,
પહોંચું કઈ વિધ હજૂર જિનેશ?
પ્રભુજી દેખો જ્ઞાન મોઝાર,
સેવક વંદે વાર હજાર....વંદીયે
અમ અનાથનો છે તું નાથ,
શિવપુરનો તું સાચો સાથ;
નિત નિત ઉઠી કરું પ્રણામ;
પાઊં જીવન કે અભિરામ....વંદીયે
ચંદા આવે નિતનિત નાથ,
સંદેશ પૂછું તારા નાથ!
ફિર ફિર ભેજું દરશન કાજ
જાવ ચંદાજી દેખો નાથ....વંદીએ
ચંદા કે’ છે સુણો જિન–દાસ,
વાણી સૂણી જિનની આજ;
ધર્મવૃદ્ધિનાં આશીષ આજ;
ભરતના ભક્તોને ભેજે નાથ!...વંદીયે
સુવર્ણપુરે શાસન શિરતાજ,
શોભે છે શાસન યુવરાજ
જય જય વરતે ભરતે આજ
જૈન ધરમના જય જયકાર....વંદીયે
(એક નાનો ભક્ત)

PDF/HTML Page 4 of 40
single page version

background image
સીમંધર પ્રભુનાં પુનીત પગલાં સુવર્ણપુરીમાં થાય.
સાધક–ભક્તો સ્વાગત કરતાં આનંદે ઉભરાય.

PDF/HTML Page 5 of 40
single page version

background image
(સંપાદકીય)
અહો...સીમંધર ભગવાન! આપની સર્વજ્ઞતા...આપનો અતીન્દ્રિય આનંદ અને
સાથે સાથે આપની દિવ્યવાણી એ બધાને લક્ષગત કરીને આપશ્રીને પરમ ભક્તિથી
નમસ્કાર કરીએ છીએ.
પ્રભો, આજે અમારે આનંદનો દિવસ છે...સં. ૧૯૯૭ ના ફાગણ સુદ બીજે આપ
અમારી નગરીમાં પધાર્યા ને આ નગરી સુવર્ણની બની ગઈ...આપશ્રીની પધરામણીને
આજે પચીસ વર્ષ થયા.. આપશ્રી પધાર્યા ત્યારે અમારા હર્ષાનંદ ઉલ્લાસનો પાર ન
હતો; ને પચીસ વર્ષમાં તો આપની મંગલ છાયામાં અનેક ધર્મવૃદ્ધિનાં પ્રસંગો બન્યા.
પ્રભો, આપના વિદેહમાંથી અહીં આવેલા આપના ભક્તોએ અમને આપનો
વીતરાગ માર્ગ દેખાડયો...આપના એ ભક્તોએ ભરતક્ષેત્રમાં પણ જાતિસ્મરણ વડે આપનો
સાક્ષાત્કાર કર્યો...ને આપની મધુરી વાણીમાં આવેલા અનેકવિધ મંગલ સંભારણાં તાજા
થતાં અહીં આનંદ–આનંદ છવાઈ ગયો. પ્રભો! આપ આવ્યા ને બીજે જ વર્ષે આપનાં
સમવસરણ આવ્યા, કુંદકુંદ પ્રભુને પણ આપ સાથે જ લાવ્યા..પછી તો માનસ્તંભ પણ
આવ્યા..ને હજારો ભક્તો આપના ચરણ સેવવા આવતાં તેર વર્ષે મંદિર ટૂંકું પડ્યું...તેથી
મોટું વિશાળ–ઊંચું મંદિર બંધાયું...પ્રભો! અમારા મહાભાગ્યે આપ સદા અમારી નજર
સમક્ષ બિરાજી રહ્યા છો ને મંગલ કૃપાદ્રષ્ટિથી અમારું કલ્યાણ કરી રહ્યા છો. અહો, આપની
સર્વજ્ઞતા, આપની વીતરાગતા, આપનો પૂર્ણાનંદ, આપનો સ્વાશ્રિત માર્ગ, આપનો આ
બધો અચિંત્ય આત્મવૈભવ આપના ભક્ત કહાન અમને અહીં ઓળખાવી રહ્યા છે...ને
આપના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી રહ્યા છે. પ્રભો! અમે તો આપની પાસે વિદેહમાં નથી
આવી શકતા પણ આપ વિદેહથી કૃપા કરીને અહીં પધાર્યા છો તેથી અમારે તો જાણે અહીં
જ વિદેહક્ષેત્ર આવ્યું હોય, ને અમે વિદેહના માનવીઓની વચ્ચે જ વસતા હોઈએ...એમ
આત્મા ઉલ્લસે છે. આપના ભક્તોના શ્રીમુખથી રોજરોજ આપની વાણીનો સંદેશ
સાંભળીએ છીએ...એ સાંભળતાં આપના પ્રત્યે પરમ ભક્તિ જાગે છે.
પ્રભો! આપને સર્વજ્ઞસ્વરૂપે જ્યાં લક્ષમાં લઈએ છીએ ત્યાં તો અમારો આત્મા
જ્ઞાનમય બની જાય છે...રાગ સાથેનો સંબંધ તૂટી જાય છે ને સર્વજ્ઞસ્વભાવ સાથે સંધિ
થાય છે...આપના ચિંતનથી આનંદની ધારા ઉલ્લસે છે.
હે પરમ ઉપકારી દેવ! આપના ચરણોમાં ફરીફરીને નમસ્કાર હો.

PDF/HTML Page 6 of 40
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
સમ્યગ્દ્રષ્ટિનું
દ્રષ્ટિથી મોક્ષમાર્ગ ઊઘડી જાય છે)
(પરમાત્મપ્રકાશ ગા. ૬૮ ઉપરનું સુંદર પ્રવચન)
શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં ધુ્રવસ્વભાવી શુદ્ધદ્રવ્ય બંધ–મોક્ષને કરતું નથી. જો કે
પર્યાયનયથી જોતાં આત્મા શુદ્ધાત્માની અનુભૂતિના અભાવમાં શુભ–અશુભ ઉપયોગરૂપે
પરિણમે છે એટલે બંધને કરે છે, તે જ રીતે શુદ્ધાત્મઅનુભૂતિ પ્રગટ કરીને આત્મા
મોક્ષમાર્ગ અને મોક્ષને કરે છે, આ રીતે પર્યાયરૂપ આત્મા બંધ–મોક્ષને કરે છે, પણ
શુદ્ધદ્રવ્યરૂપ ધુ્રવઆત્મા બંધ–મોક્ષને કરતો નથી, એ તો પરમ પારિણામિક
પરમભાવસ્વરૂપ સદા એકરૂપ છે.
ધુ્રવવસ્તુમાં પર્યાયની એકતા વડે શુદ્ધાત્માની અનુભૂતિ કરીને આત્મા પર્યાયમાં
મોક્ષને કરે છે; ને એવી અનુભૂતિ ન હોય ત્યાં આત્મા શુભ–અશુભરાગવડે કર્મને બાંધે
છે.–આમ પર્યાયદ્રષ્ટિથી જોતાં એટલે કે વ્યવહારરૂપ આત્માને જોતાં બંધ–મોક્ષ છે. પણ
નિશ્ચયરૂપ આત્મા–જે ત્રિકાળ એકરૂપ રહેનાર સત્ છે તેને જોતાં તેમાં બંધ–મોક્ષ નથી.
બંધ મોક્ષ બંને પર્યાયો વ્યવહારનયનો વિષય છે; નિશ્ચયનયનો વિષય
પરમભાવ એવો શુદ્ધ એકરૂપ સ્વભાવ છે, તે સ્વભાવને જોતાં આત્મા બંધ–મોક્ષને
કરતો નથી. હા, તે સ્વભાવને જોનારી પર્યાય પોતે મોક્ષમાર્ગરૂપ પરિણમી જાય છે. પણ
તે જુદી પર્યાય વ્યવહારનો વિષય છે.
બંધ–મોક્ષ, શુભ–અશુભ, જીવન–મરણ એ વિસદ્રસરૂપ પરિણમન છે, ને
પરમસ્વભાવ એકરૂપ સદ્રશ છે તે બંધ–મોક્ષ વગરનો છે, શુભ–અશુભ વગરનો છે ને
જીવન–મરણ વગરનો છે. આવો પરમસ્વભાવ બતાવવાનું શું પ્રયોજન છે? કે આવા
પરમસ્વભાવને દ્રષ્ટિમાં લેતાં મોક્ષમાર્ગ પ્રગટે છે.

PDF/HTML Page 7 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
અહો, વીતરાગ સર્વજ્ઞદેવનાં કહેલાં તત્ત્વો અજબ છે! અનંતગુણસ્વભાવને જોતાં
પર્યાયમાં અનંતગુણનું શુદ્ધકાર્ય આવે છે, ને બંધભાવ ટળે છે. આમ બંધનું ટળવું ને
મોક્ષનું થવું–એ વ્યવહાર વિષયમાં છે. પણ ધુ્રવસ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મા બંધ–
મોક્ષને કરતો નથી, એકરૂપ છે તેમાં બંધ–મોક્ષનું બેપણું નથી. એકરૂપતત્ત્વમાં બંધ ને
મોક્ષ એવા બે પ્રકાર શા? ધુ્રવદ્રષ્ટિ કરતાં પર્યાયમાં બંધ ટળે છે ને મોક્ષ થાય છે–એ તો
ખરું, પણ તે ધુ્રવદ્રષ્ટિ જે શાશ્વતવસ્તુને દેખે છે તે વસ્તુમાં બંધ–મોક્ષના ભેદ નથી.
હવે શિષ્ય પૂછે છે કે પ્રભો! શુદ્ધનયથી જો આત્માને બંધ–મોક્ષ નથી, તો પછી
બંધને ટાળવાનું ને મોક્ષનો ઉપાય કરવાનું પણ વૃથા થાય!–તો પછી મોક્ષના પુરુષાર્થનો
ઉપદેશ કેમ આપો છો?
તેના ઉત્તરમાં કહે છે કે ભાઈ, શુદ્ધઆત્માને ઉપાદેય કરતાં પર્યાયમાં મોક્ષમાર્ગ
પ્રગટે છે ને બંધન ટળે છે. પણ આખી શુદ્ધવસ્તુ કાંઈ નવી પ્રગટતી નથી.
મોક્ષ છે તે બંધનપૂર્વક થાય છે, બંધન જેને હોય તે તેનો અભાવ કરીને મોક્ષ
પામે. હવે શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિથી એટલે કે કાયમી વસ્તુના સ્વભાવમાં જો બંધન હોય તો તે
બંધન પણ કાયમી જ રહે. ધુ્રવદ્રષ્ટિથી જો બંધન હોય તો બંધન પણ ધુ્રવ જ રહે, ને
આત્મા હંમેશા બંધાયેલો જ રહે,–પણ એમ નથી. બંધનનો છેદ થઈને મોક્ષદશા પ્રગટે છે,
માટે બંધન ક્ષણિક છે, તે ધુ્રવવસ્તુમાં નથી. અને ધુ્રવવસ્તુ બંધાયેલી નથી, માટે
ધુ્રવવસ્તુની અપેક્ષાએ બંધ–મોક્ષ નથી. ધુ્રવવસ્તુમાં બંધન કહેવું તે તેનો અનાદર કરવા
જેવું છે. અને ધુ્રવવસ્તુમાં બંધન નથી તો તેને મોક્ષ થવાનું કહેવું તે પણ બની શકતું
નથી.
જેમ કોઈ માણસ ‘જેલમાંથી છૂટયો’ એમ કહેતાં, તે માણસ પહેલાં જેલમાં હતો–
એમ સિદ્ધ થાય છે. પણ જે માણસ જેલમાં ગયો જ નથી તેને એમ કહેવું કે તું જેલમાંથી
છૂટયો–તો તે તેનું અપમાન કરવા જેવું છે. તેમ પર્યાયદ્રષ્ટિથી આત્માને પર્યાયમાં બંધન
હતું ને પર્યાયમાં મોક્ષ થયો–એ વાત બરાબર છે, પણ જે વસ્તુસ્વભાવમાં કદી બંધન છે
જ નહિ તે વસ્તુસ્વભાવને ‘મોક્ષ’ કેમ કહેવો? ભાઈ, આવો તારો જે પરમ એકરૂપ
સ્વભાવ તેને સ્વાનુભૂતિગમ્ય કરતાં સમ્યગ્દર્શન થાય છે. શુદ્ધસ્વભાવની અનુભૂતિથી
પર્યાયમાં બંધનો નાશ ને મોક્ષની ઉત્પત્તિ થાય છે.
મોક્ષ કહો, નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય કહો–તે પણ વ્યવહારનયનો વિષય છે.
વ્યવહારનયના આશ્રયથી મોક્ષ થાય છે–એમ નથી કહેવું, પણ જે મોક્ષપર્યાય છે તે

PDF/HTML Page 8 of 40
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
વ્યવહારનયનો વિષય છે–એમ બતાવવું છે. ને નિશ્ચયના વિષયમાં આત્માનો એકરૂપ
પરમસ્વભાવ છે. તે પરમસ્વભાવનો આશ્રય કરનારી પર્યાય તે મોક્ષમાર્ગ છે.
ધુ્રવસ્વભાવના આશ્રયે પર્યાયમાં બંધ ટળીને મોક્ષ થાય છે, તે સત્ય છે. માટે પર્યાયમાં
મોક્ષનો ઉદ્યમ કર્તવ્ય છે.
–પર્યાયમાં તે મોક્ષનો ઉદ્યમ કેમ થાય?
– કે પર્યાયને ધુ્રવસ્વભાવમાં અંતર્મુખ કરવાથી મોક્ષનો ઉદ્યમ થાય છે.
શુદ્ધપર્યાયવડે મોક્ષમાર્ગ સાધવો તે ધર્મીનો વ્યવહાર છે; ધર્મીના આવા
વ્યવહારને અજ્ઞાની ઓળખતો નથી; તે તો રાગને અને બાહ્યક્રિયાને જ વ્યવહાર સમજે
છે, નિષ્ક્રિય એટલે કે બંધ–મોક્ષની ક્રિયા જેનામાં નથી એવો ધુ્રવ પરમસ્વભાવ તે
નિશ્ચય છે, ને તેના આશ્રયે શુદ્ધપરિણતિ પ્રગટી તે વ્યવહાર છે. તે પરિણતિ સક્રિય છે.
બંધ ટાળવો ને મોક્ષ પ્રગટ કરવો એવી ક્રિયા પર્યાયમાં થાય છે. જુઓ, આ એક
આત્મતત્ત્વમાં નિષ્ક્રિયપણું ને સક્રિયપણું એ બંને વાત એક સાથે છે; એટલે પર્યાયમાં
મોક્ષનો યત્ન થાય છે. ધુ્રવ શુદ્ધાત્મામાં અંતરલક્ષ કરતાં મોક્ષમાર્ગ ને મોક્ષ પ્રગટે છે.
આવો જે પરમશુદ્ધસ્વભાવ છે તે ધર્મીજીવને ઉપાદેય છે. કઈ રીતે? કે વીતરાગ
નિર્વિકલ્પ સમાધિવડે શુદ્ધાત્મા ઉપર લક્ષ કર્યું છે, તે સમાધિમાં શુદ્ધઆત્મા ઉપાદેય છે.
આવા શુદ્ધાત્માનું લક્ષ તે સાચા વિસામાનું સ્થાન છે.–આ જ સમ્યગ્દ્રષ્ટિનું ઉપાદેયતત્ત્વ
છે; આવા પરમતત્ત્વને ઉપાદેય કરતાં પર્યાયમાં મોક્ષમાર્ગ ઊઘડી જાય છે. આવા
અંતરતત્ત્વને અંતરદ્રષ્ટિવડે ઉપાદેય કરવાનો સન્તોનો ઉપદેશ છે.
* * * * *
સન્તો શુદ્ધાત્માના અનુભવનો ઉપદેશ આપે
છે કેમકે તેનાથી જ મોક્ષમાર્ગ થાય છે. જીવનમાં,
પછી નહિ પરંતુ હમણાં જ, આવો અનુભવ કરવા
જેવો છે. અનુભવજીવન એ જ સાચું જીવન છે.
હે જીવ! અતીન્દ્રિય આનંદનો સ્વાદ
સ્વાનુભવમાં છે, તેનો સ્વાદ લે.
* * * * *

PDF/HTML Page 9 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
ચમકત
ચૈતન્યસૂર્ય અને
ચૈતન્યહંસલો
(પરમત્મપ્રકશ ગ. ૧૯ – ૧૨૦)
આ આત્મા આનંદસ્વરૂપ ચૈતન્યસૂર્ય છે, તે કેમ ભાસે? તો કહે છે કે નિર્મળ મનમાં
આત્મા જણાય છે, એટલે કે રાગરહિત નિર્મળ જ્ઞાનપરિણામમાં આ ચૈતન્યસૂર્ય આત્મા
દેખાય છે. મલિન રાગાદિ ભાવોથી જેનું ચિત્ત મલિન છે તેને તે મલિન ચિત્તમાં આત્મા
દેખાતો નથી. જેમ વાદળાના આડંબરમાં સૂર્ય દેખાતો નથી તેમ ચૈતન્ય અનુભૂતિથી વિરુદ્ધ
એવા ક્રોધ–કામાદિ વિકારી ભાવોરૂપ વાદળાં વચ્ચે ચૈતન્યસૂર્ય દેખાતો નથી. ચૈતન્યની
અનુભૂતિ વડે કામ–ક્રોધાદિના વિકલ્પોરૂપ વાદળાં વીખેરાઈ જતાં, નિર્મળ જ્ઞાનરૂપી
આકાશમાં કેવળજ્ઞાનાદિ અનંતગુણરૂપી કિરણોથી ઝળહળતો શુદ્ધાત્મારૂપી સૂર્ય દેખાય છે.
જેમ મલિન દર્પણમાં મુખ દેખાતું નથી, તેમ રાગદ્વેષ સાથે મળેલી મલિન
જ્ઞાનપરિણતિમાં આત્મા અનુભવાતો નથી. રાગના રંગે રંગાયેલું જ્ઞાન શુદ્ધ આત્માને જાણી
શકતું નથી. ભેદજ્ઞાનના બળે જ્ઞાન જ્યાં રાગથી જુદું પરિણમ્યું ત્યાં તે રાગ રહિત જ્ઞાનમાં શુદ્ધ
આત્માનું સ્વસંવેદન થાય છે. અનંત કિરણોથી ચમકતો ચૈતન્યસૂર્ય સાક્ષાત્ બિરાજી રહ્યો છે
પણ અજ્ઞાનીને રાગની રુચિરૂપ મેલને લીધે તે દેખાતો નથી. રાગથી જરાક જુદો થઈને દેખે
તો નિર્મળ જ્ઞાનદર્પણમાં આત્મસૂર્ય સ્પષ્ટ દેખાય, એનું સાક્ષાત્ સ્વસંવેદન થાય.
આ ચૈતન્યસૂર્ય પોતે પોતાની પર્યાયમાં જણાય છે, રાગમાં તે જણાતો નથી.
રાગમાં ચૈતન્યનું પ્રતિબિંબ નથી પડતું. જે નિર્મળ પર્યાય અંતર સ્વભાવની સન્મુખ થઈ તે
પર્યાયમાં ચૈતન્યમૂર્તિ ભગવાન સાક્ષાત્ દેખાય છે, ને એને દેખતાં અપૂર્વ આનન્દ થાય છે.
શાંત–શાંત પરિણતિ થઈને અંદર ઠરે ત્યારે ભગવાન આત્મા દેખાય. રાગમાં એકમેકપણે
જે પરિણતિ વર્તે તેમાં ચૈતન્ય ભગવાન દેખાય નહીં. ક્રોધાદિથી પરિણામ હાલક–ડોલક થયા
કરતા હોય એવા અશાંત પરિણામથી આત્મા અનુભવમાં આવે નહિ. નિર્વિકલ્પ શાંત
પરિણામ વડે આત્મા અનુભવમાં આવે છે; એવા શાન્તપરિણામમાં જ આનન્દ છે.

PDF/HTML Page 10 of 40
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
જેમ ઉજળા હંસ માનસરોવરમાં વસે છે ને મોતીના ચારા ચરે છે, તેમ આ
ઉજ્વળ ચૈતન્ય હંસલો જ્ઞાનીનાં નિર્મળ હૃદય સરોવરમાં વસે છે ને જ્ઞાન–આનંદના
મોતીના ચારા ચરે છે. એ હંસલો રાગના ચારા ચરે નહિ. જ્ઞાનીના અંતરમાં પરમ
વીતરાગી સુખરૂપી અમૃતથી ભરેલું જે માનસરોવર, તેમાં નિર્મળગુણોથી શોભતો
આત્મહંસ કેલિ કરે છે. હે જીવ! તું ચૈતન્યની પરમ પ્રીતિ કરીને તેના આનંદમાં કેલિ
કર. કેમકે ચૈતન્યનો જેને પ્રેમ નથી ને પરનો પ્રેમ છે તે જીવ પોતાના ચૈતન્યસુખને
ચાખી શકતો નથી. વિષયોના સ્વાદનો પ્રેમ હોય ને આત્માના આનંદનો પણ સ્વાદ
આવે એમ એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. જ્યાં આત્માના આનંદનો સ્વાદ
ચાખ્યો ત્યાં વિષયોનો પ્રેમ રહે નહિ. જેણે ચૈતન્યનો સ્વાદ ચાખ્યો તે સમકિતીને
રાગનો રંગ રહેતો નથી; આત્માના આનંદ સિવાય બીજું કાંઈ એને પ્રિય નથી. એના
હૃદયમાં રાગનો વાસ નથી. એના અંતરમાં તો પરમાત્મ તત્ત્વ જ વસ્યું છે.
અહો, સર્વજ્ઞના માર્ગમાં આત્માને સાધવાના પંથ કોઈ અલૌકિક છે! વીતરાગના
એ પંથ રાગ વડે હાથ આવે તેમ નથી. રાગથી જુદો થઈને અરાગી શ્રદ્ધા–જ્ઞાન કરે તો
આત્મા અનુભવમાં આવે, ને મોક્ષનો માર્ગ પ્રગટે. ચૈતન્યહંસ તો આવા માર્ગે ચાલનારો
છે....એ રાગના પંથે ચાલનારો નથી. આમ ચૈતન્યહંસની પ્રાપ્તિના ઉપાયનું માહાત્મ્ય
બતાવ્યું છે. તેને જાણીને હે જીવ! તું બાહ્ય વિષયોની પ્રીતિ છોડીને અંતરમાં નિર્મળ
પરિણામ વડે તારા શુદ્ધ આત્માને દેખ.
રાગ વગરનું એકલું જ્ઞાન, તે અજ્ઞાનીને લક્ષમાં આવતું નથી.
* * * * *
મુનિવરોનું જીવન જેમ
સ્વાનુભવમય છે તેમ મુમુક્ષુનું જીવન
ભેદજ્ઞાનની ભાવનામય હોવું જોઈએ.
ભેદજ્ઞાનની ભાવનાનું ફળ
સ્વાનુભવપ્રાપ્તિ છે. મુમુક્ષુ એટલે મુનિનો
નાનો ભાઈ. મુનિરાજ મહા મુમુક્ષુ છે, આ
હજી નાનો મુમુક્ષુ છે. એનું જીવન પણ
મુનિને અનુસરતું હોવું જોઈએ.

PDF/HTML Page 11 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
પરલોકમાં–બ્રહ્મલોક
(તેને જ્ઞાની પોતાના અંતરમાં અવલોકે છે)
પ્રવેશી ગઈ છે તે પરિણતિમાં પરમાત્મા વસ્યા છે; તે
પરિણતિ આનંદનો અનુભવ કરતી કરતી પરમાત્માને
ભેટવા ચાલી છે; પરમ બ્રહ્મસ્વરૂપ આત્માના રંગે તે
પરિણતિ રંગાઈ ગઈ છે. સ્વરૂપના રંગે રંગાયેલી તે
પરિણતિ સિદ્ધપદને સાધશે.
(પરમાત્મા પ્રકાશ–પ્રવચન ગા. ૧૧૦–૧૧૨)
દેહ તે અજીવ, તેનાથી ભિન્ન; તેમ જ વિકારી ભાવો તેનાથી પણ ભિન્ન; આવો
જે શુદ્ધ ચૈતન્યમય ઉત્કૃષ્ટ આત્મસ્વભાવ, જેના અવલોકનથી પરમ આનંદનો અનુભવ
થાય; આવા પરમ તત્ત્વને જ્ઞાની નિર્વિકલ્પ સ્વસંવેદનથી પોતામાં દેખે છે. ‘પર’ એટલે
ઉત્કૃષ્ટ એવો જે શુદ્ધઆત્મા તેને જે પોતાના અંતરમાં અવલોકે છે–દેખે છે–જાણે છે–
અનુભવે છે, તે જીવ શીઘ્ર પરલોકમાં એટલે કે પરમાત્મ તત્ત્વમાં પ્રવેશ કરે છે. આવો જે
શુદ્ધ જ્ઞાનમય બ્રહ્મસ્વરૂપ આત્મા તે જ સાચો બ્રહ્મલોક છે, તે જ જગતમાં સર્વોત્કૃષ્ટ
હોવાથી પરલોક છે. સ્વયં કલ્યાણરૂપ હોવાથી તે પોતે શિવ છે, ને પોતાના જ્ઞાન–આનંદ
આદિ અનંતગુણ–પર્યાયોમાં પોતે જ સર્વવ્યાપક હોવાથી તે વિષ્ણુ છે.–દરેક આત્મા
નિશ્ચયથી આવો છે. સિદ્ધ ભગવાન લોકાગ્રે વ્યક્તરૂપે આવા પરમાત્મા છે, ને દરેક
આત્મા શક્તિરૂપે આવા પરબ્રહ્મ પરમાત્મા છે. અંતર્મુખ ઉપયોગ વડે આવા આત્માને
જે અવલોકે છે તે જ ‘પર’ એવા ઉત્કૃષ્ટ આત્માને દેખે છે, ને સિદ્ધપદરૂપ પરલોકને તે
પ્રાપ્ત કરે છે.
તારે પરલોકને પામવો છે? એટલે કે ઉત્કૃષ્ટ એવા સિદ્ધપદને પામવું છે?–તો પર
એવા સર્વોત્કૃષ્ટ નિજપદનું તારામાં અવલોકન કર. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ જીવ
અંતરની દ્રષ્ટિ વડે પોતામાં જ પરમાત્મ તત્ત્વને અવલોકે છે. ધર્માત્માના અંતરમાં આવો
ઉત્કૃષ્ટ આત્મા વસે છે.
જગતમાં અનંત આત્માઓ પોતાની પરમેશ્વરતાથી પરિપૂર્ણ છે. એનાથી ઉત્તમ

PDF/HTML Page 12 of 40
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
બીજું કોઈ નથી. આત્માના સ્વભાવ સિવાય બીજે ક્્યાંય રાગમાં–વિકારમાં–સંયોગમાં
જેને અધિકતા લાગે છે તે પર–લોકને દેખતો નથી, ને પર–લોકને જે દેખતો નથી તે
સિદ્ધપદને પામતો નથી. ભાઈ, ઉત્કૃષ્ટ તો તારો આત્મા છે. વિકલ્પ આવે તે આત્માના
સ્વભાવની પ્રાપ્તિને જરાય સહેલી કરી દે–એમ બનતું નથી; વિકલ્પમાં–રાગમાં જરાય
ઉત્તમપણું નથી, સારપણું નથી. સારપણું તો પરમ બ્રહ્મ આત્મતત્ત્વમાં જ છે–એમ નક્કી
કરીને તેમાં તારી મતિને જોડ તો તે તરફ તારી ગતિ થાય એટલે કે પરિણતિની ગતિ
સ્વભાવ તરફ વળે. અજ્ઞાનીની પરિણતિ વિકાર તરફ ઝૂકે છે, કેમકે શુદ્ધાત્માને તે
અવલોકતો નથી; જ્ઞાનીની પરિણતિ શુદ્ધાત્માના અવલોકનવડે વિકારથી પાછી વળીને,
ચિદાનંદ સ્વભાવ તરફ ઝુકે છે ને પોતાના પરમ–ઉત્કૃષ્ટ પદને પ્રાપ્ત કરે છે. માટે
સ્વસંવેદન જ્ઞાનથી તારા આવા આત્માને તું જાણ–એમ ઉપદેશ છે.
પોતાના અંતરમાં રહેલા ઉત્કૃષ્ટ પરમ તત્ત્વરૂપ પર–લોકને જ દેખાતો નથી ને
જગતના બાહ્ય પદાર્થોને અવલોકવા જાય છે–દોડીદોડીને બાહ્ય જ્ઞેયો તરફ ઝૂકે છે, તેને
અંતરના પરમ પદની પ્રાપ્તિ ક્્યાંથી થાય? પરમ ધામ એવું સિદ્ધપદ તેને ક્યાંથી
દેખાય? પરમ ધામ એવું સિદ્ધપદ તો પોતાના આત્મામાં જ છે, સિદ્ધભગવંતો
અનંતગુણધામ એવા નિજપદમાં જ સ્થિર છે.
આવું પરમ ચૈતન્યતત્ત્વ સંત–મુનિઓ–ગણધરો તથા ઈન્દ્રો–ચક્રવર્તીઓ વગેરે
મહા પુરુષોના અંતરમાં વસી રહ્યું છે. મહા પુરુષોએ એટલે કે ધર્મી જીવોએ તો પોતાના
અંતરમાં આ પરમતત્ત્વને જ વસાવ્યું છે.
पर એટલે ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ–એક
સ્વભાવ આત્મા, તેનું લોકન–અવલોકન–અનુભવન, તેનું નામ ‘पर–लोक’ છે.
ધર્મીજીવ અંતરમાં આવા આત્માને અવલોકે છે.
ધર્માત્માની જ્ઞાનપરિણતિમાં પરમાત્મા બિરાજે છે. ધર્માત્માની જ્ઞાનપરિણતિમાં
રાગ નથી બિરાજતો, રાગ તો જ્ઞાનપરિણતિથી બહાર વર્તે છે. જ્ઞાનપરિણતિમાં તો શુદ્ધ
પરમાત્મા જ બિરાજે છે. ‘જ્યાં હું વસું ત્યાં તું નહીં’ એટલે કે મારા જ્ઞાનમાં જ્યાં
પરમાત્મા વસ્યા ત્યાં હવે પરભાવને તેમાં સ્થાન નથી. પરમાત્મ તત્ત્વની રુચિ ને
રાગની રુચિ બંને એક સાથે રહી શકે નહિ. જે પરિણતિ અંતરમાં વળીને પરમાત્મ
તત્ત્વમાં પ્રવેશી ગઈ છે તે પરિણતિમાં પરમાત્મા વસ્યા છે; તે પરિણતિ આનંદનો
અનુભવ કરતી કરતી પરમાત્માને ભેટવા ચાલી છે.
અરે જીવ! તારી પરિણતિમાં પરમાત્માને વસાવ, કઈ રીતે? કે નિર્વિકલ્પ
સ્વસંવેદન

PDF/HTML Page 13 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
વડે પરમાત્મ તત્ત્વને પ્રતીતમાં લે. પોતાના અનુભવમાં જ્યાં પરમાત્મ તત્ત્વ પ્રાપ્ત કર્યું
ત્યાં હવે બીજા પાસેથી શું લેવું છે? ને બીજાને શું દેખાડયું છે? હું કંઈક વિશેષ છું–એમ
દુનિયા જાણે તો ઠીક–એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. પોતાનું પદ પોતામાં જ દેખે છે, ને તેના
અવલોકનથી પોતાનું કાર્ય સાધી જ રહ્યા છે, ત્યાં લોકમાં પ્રસિદ્ધિનું શું કામ છે? ધર્મી
જાણે છે કે અમારી પરિણતિ અંતરમાં અમારું કામ કરી જ રહી છે, ત્યાં લોક જાણે કે ન
જાણે તેનાથી શું પ્રયોજન છે? બીજા વડે પોતાની મોટાઈ ધર્મી માનતા નથી. અરે,
ચક્રવર્તીપદ વડે કે ઈન્દ્રપદ વડે કાંઈ આત્માની મોટપ નથી, આત્મા પોતે જ સૌથી મહાન
પરમ તત્ત્વ છે, એવા ઉત્કૃષ્ટ પદને ધર્મી પોતામાં જ દેખે છે. ચૈતન્યના પૂર પોતામાં જ
વહે છે, આનંદના સમુ઼દ્ર પોતામાં જ ઊછળી રહ્યા છે, આવા ઉત્તમ સ્વતત્ત્વને જ્ઞાની
પોતાના અંતરમાં જ અવલોકે છે, તેથી તે જ્ઞાની પોતે ‘પર–લોક’ છે. પરમ તત્ત્વ તો
દરેક આત્મામાં છે–પણ તેનું અવલોકન કરે તે આત્મા ‘પરલોક’ છે, તે જ બ્રહ્મલોક છે.
બ્રહ્મલોક ક્્યાં આવ્યો? કે તારા આત્મામાં જ તારો બ્રહ્મલોક વસે છે. રાગ વડે જેની
પ્રાપ્તિ ન થાય, રાગ વડે જે દેખાય નહિ, રાગ વગરના અંતર્મુખ જ્ઞાન વડે જ જેની
પ્રાપ્તિ થાય, એવું બ્રહ્મસ્વરૂપ પરમતત્ત્વ તું છો. આત્મા રાગસ્વરૂપ નથી કે રાગ વડે
તેની પ્રાપ્તિ થઈ જાય; આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન વડે જ તેની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાન વડે તું તારા આત્માનું અવલોકન કર–જેના અવલોકનથી પરમ આનંદ
સહિત પરમ સિદ્ધપદની તને પ્રાપ્તિ થશે.
पर लोकः એટલે ઉત્કૃષ્ટજન: ઉત્કૃષ્ટકોણ? કે ઉત્તમ એવો જે આત્મસ્વભાવ તેનું
જે અવલોકન કરે છે તે જીવ પર–લોક છે, પર એટલે ઉત્તમ, લોક એટલે પુરુષ છે. પરમ
આત્મસ્વરૂપને નિર્વિકલ્પ સમાધિમાં જે દેખે છે તે પોતે પરલોક છે. અથવા, જેના ઉત્કૃષ્ટ
કેવળજ્ઞાનમાં સમસ્ત પદાર્થો દેખાય છે–અવલોકાય છે તે પરલોક છે એટલે કેવળી
પરમાત્મા તે પરલોક છે. ને કેવળી જેવો પોતાનો આત્મસ્વભાવ છે તેનું અવલોકન
કરીને તેને ઉપાદેય કરવો તે તાત્પર્ય છે. એવા ઉપાયથી જ પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય
છે. આત્માનો સ્વભાવ તે પરમ બ્રહ્મ છે અથવા સિદ્ધદશા ને કેવળજ્ઞાનદશા તે પરમ
બ્રહ્મ છે.
જેની બુદ્ધિ સ્વસંવેદન વડે નિજ સ્વરૂપમાં સ્થિર થઈ છે તે જ્ઞાની નિશ્ચયથી
ઉત્તમ જન છે. ચૈતન્યના બ્રહ્માનંદના સ્વાદ પાસે વિષય કષાયોની રુચિ એને છૂટી થઈ
છે; તે મહા–જન છે, મોટો માણસ છે અથવા મહાપુરુષ છે, જગતમાં મોટો કોણ? કે
મહાન

PDF/HTML Page 14 of 40
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
એવા આત્મસ્વભાવને જે અનુભવમાં લ્યે તે જ ખરો મોટો; પૈસાથી મોટો કે ભણતરથી
મોટો કે હોદાથી મોટો–તેને ખરેખર મોટો, કહેતા નથી.
ઉત્તમ ચિદાનંદ સ્વભાવમાં જેણે મતિ જોડી છે તેની પરિણતિની ગતિ પણ તે
તરફ જ જશે. કેમ કે ‘यत्र मतिः तत्र गतिः એ નિયમ છે. ઉત્તમ સ્વભાવમાં જેણે મતિ
જોડી તેની ગતિ એટલે પરિણતિ પણ ઉત્તમ થશે, તે સિદ્ધગતિ પામશે. જેણે શુદ્ધાત્માનો
તિરસ્કાર કરીને વિકારમાં ને વિષયકષાયમાં પોતાની મતિ જોડી તે સંસારમાં ગમે
તેટલો મોટો કહેવાતો હોય તોપણ તેની ગતિ તો સંસારભ્રમણ તરફ જ છે, તેને મોટો
કહેતા નથી. મોટો તો તેને જ કહેવાય કે શુદ્ધ આત્મામાં મતિને જોડે ને પરમ સિદ્ધગતિ
તરફ ગમન કરે. પરમ સ્વરૂપનું અવલોકન કરીને તેમાં જેણે મતિને જોડી છે તે જીવ
પરલોક છે–તે જ પરબ્રહ્મ છે, પરમ બ્રહ્મસ્વરૂપ આત્માને રંગે તે રંગાઈ ગયો છે.
સ્વરૂપના રંગે રંગાયેલી એની વીતરાગ પરિણતિ સિદ્ધગતિને સાધશે. ધર્મીની મતિનો
પ્રવાહ અંતરસ્વરૂપમાં જાય છે, અજ્ઞાનીની મતિનો પ્રવાહ વિકાર તરફ જાય છે.
સ્વરૂપના રંગથી રંગાયેલી ધર્મીની પરિણતિના વહેણ પરમાત્મપદમાં પહોંચશે.
અજ્ઞાનીની પરિણતિનાં વહેણ વિકાર તરફ વળ્‌યા છે તે સંસારની ચારગતિને ઉત્પન્ન
કરશે.
અરે જીવ! રાગની રુચિએ તારા સ્વભાવના પ્રેમને લૂંટી લીધો છે; તારી મતિને
વિકારમાં જોડતાં તારા નિશ્ચય રત્નત્રય લૂંટાઈ જાય છે. ને શુદ્ધાત્મસ્વરૂપમાં તારી
મતિને જોડતાં શુદ્ધ રત્નત્રયનો વૈભવ પ્રગટ થાય છે. માટે તારી મતિને શુદ્ધાત્મામાં જોડ.
એને છોડીને બીજે ક્્યાંય તારી મતિને ન લગાવ.
જે મતિએ આત્માની કિંમત કરી તે મતિમાં શુદ્ધઆત્માની પ્રાપ્તિ થશે. જે મતિએ
વિકારની કિંમત કરી તે મતિમાં વિકારની જ પ્રાપ્તિ થશે. અરે જીવ! તને તારા
આત્માની કિંમત કરતાં ય ન આવડી! ને વિકારની કિંમત ટાંકીને તું તારા આત્માને
ભૂલ્યો! જેને જેની કિંમત લાગે તેની મતિ તેમાં જોડાય. શુદ્ધ સ્વભાવ અને પર્યાયમાં
વિકાર,–બંને વિદ્યમાન હોવા છતાં ધર્માત્માએ પોતાની મતિમાં શુદ્ધ સ્વભાવની કિંમત
ટાંકી છે, એટલે તેની પરિણતિ તેમાં જ જોડાય છે, ને તે સિદ્ધપદને સાધે છે, ને તે
અનંતા સિદ્ધભગવંતોની સાથે જઈને વસે છે.
અનંતા સિદ્ધભગવંતો એક ઠેકાણે અનંત આનંદસહિત ભેગા બિરાજે છે. ને તેથી
વિરુદ્ધ સ્વરૂપની વિરાધના કરનાર જીવો નિગોદમાં એક દેહમાં એક સાથે અનંતા, અનંત
દુઃખસહિત રહે છે. આમ જાણીને હે જીવ! તારી મતિને તું શુદ્ધ આત્મામાં જોડ. તેમાં
મતિ જોડતાં જ તું અતીન્દ્રિય આનંદથી તૃપ્ત તૃપ્ત થઈ જઈશ.

PDF/HTML Page 15 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
જ્ઞા ની નું ભે દ જ્ઞા ન
અ જ્ઞા ની ની દે હ બુ દ્ધિ
અજ્ઞાની સાચા આત્માને દેખતો નથી;
જ્ઞાની જ અંતર્મુખીદ્રષ્ટિથી સાચા આત્માને દેખે છે.
અજ્ઞાની સંયોગવાળો ને વિકારવાળો જ આત્મા
દેખે છે,–તે સાચો આત્મા નથી.
પરમાત્મપ્રકાશ–પ્રવચન ગા. ૮૬–૮૯
જ્ઞાની પોતાને દેહસ્વરૂપ નથી જાણતા, જ્ઞાની તો પોતાને જ્ઞાનસ્વરૂપ જાણે છે. હું
જ્ઞાન છું’–એમ સ્વસંવેદનથી તે અનુભવે છે, ને એવા નિજસ્વરૂપને ને સાક્ષાત્ ઉપાદેય
જાણે છે, દેહાદિ સંયોગ જુદા હોવાથી તેને સાક્ષાત્ હેય સમજે છે.
મિથ્યાદ્રષ્ટિ, જેને શુદ્ધચૈતન્યતત્ત્વનું વેદન નથી તે એમ જાણે છે કે હું મનુષ્ય, હું
કાળો, હું ધોળો વગેરે. એવી દેહબુદ્ધિને લીધે તે સામા આત્માને પણ દેહથી ભિન્ન
ઓળખી શકતો નથી. જ્ઞાની એક પણ પરદ્રવ્યને પોતામાં જોડતો નથી, તેનાથી સાથે
એનો સંબંધ માનતો નથી; દેહાદિથી સાક્ષાત્ જુદો જ્ઞાનસ્વરૂપ આત્મા નિર્વિકલ્પ
સ્વસંવેદનથી સમ્યગ્દ્રષ્ટિ અનુભવે છે. તેને ‘હું આ છું’ એવી તન્મયબુદ્ધિ
જ્ઞાનઆનંદસ્વરૂપમાં જ છે.
અજ્ઞાની જે પોતામાં નથી તેને પોતામાં સમજે છે ને પોતામાં જે ખરું સ્વરૂપ છે
તેને તે જાણતો નથી. જ્ઞાની તો સ્વસંવેદનના બળથી જાણે છે કે મારું સ્વરૂપ તો જ્ઞાન
છે, જડનો અંશ પણ મારામાં નથી. જ્ઞાનને વિકલ્પો સાથેય એકતા નથી ત્યાં
બાહ્યવસ્તુની શી વાત? આમ આખી દુનિયાનો સંબંધ છોડીને ધર્મી સ્વતત્ત્વની સન્મુખ
થાય છે.
સ્વ–પરની ભિન્નતાને જાણતો ને ચૈતન્યસ્વરૂપે પોતાને અનુભવતો જ્ઞાની,
સંયોગને પોતામાં ખતવતો નથી એટલે પોતે સંયોગને આધીન થતો નથી. અજ્ઞાની તો
પોતાનું અસ્તિત્વ જ દેહાદિસંયોગમાં માનતો થકો, સંયોગઆધીન જ વર્તે છે, એટલે
સંયોગઆશ્રિત રાગ–દ્વેષરૂપે જ તે મિથ્યાબુદ્ધિથી પરિણમે છે, વીતરાગી સ્વસંવેદનરૂપ
આત્મજ્ઞાન તેને થતું નથી.

PDF/HTML Page 16 of 40
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
દેહાશ્રિત ભેખના જે ઘણા ભેદો ને વિકલ્પો–તે કોઈ આત્મા નથી, આત્મા તો
એક જ્ઞાન છે. –તે જ્ઞાનસ્વરૂપમાં એકાગ્રતાવડે જ જણાય છે. જ્ઞાનવડે જ્ઞાનસ્વરૂપને જાણે
ત્યારે પરથી સાચું ભેદજ્ઞાન થાય.
જ્યાં દેહ જ જીવનો નથી ત્યાં દેહના વેષ જીવના ક્્યાંથી હોય? તે ઉપરાંત અહીં
કહે છે કે શુદ્ધાત્મસ્વરૂપનું સાધક એવું ભાવલિંગ એટલે કે નિર્મળપર્યાય, તેને શુદ્ધજીવ
કહેવો તે પણ વ્યવહારથી છે–કેમકે તે પણ એક અંશ છે; આત્મા તો અનંતગુણનો અખંડ
પિંડ છે. આખા શુદ્ધજીવને એક નિર્મળ પર્યાયથી ઓળખવો તે વ્યવહાર છે. મુનિદશા તે
આત્મા, પ્રમત્ત–અપ્રમત્ત તે આત્મા,–એ પણ જ્યાં વ્યવહાર છે ત્યાં દિગંબર શરીર વગેરે
દ્રવ્યલિંગ તો આત્મા કેવો? એ અસદ્ભુત એટલે આત્માથી બહાર છે; આત્માની
સત્તામાં, આત્માના અસ્તિત્વમાં તે દ્રવ્યલિંગ નથી.
નિર્મળપર્યાયરૂપ જે ભાવલિંગ છે–તે જો કે આત્માની જ શુદ્ધપર્યાય છે, તે કાંઈ
આત્માથી જુદી નથી; પણ તે પર્યાયના ભેદથી આત્માને જોવો તે વ્યવહાર છે; પર્યાયને
લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, તેમાં નિર્વિકલ્પ–વીતરાગી સ્વસંવેદન થતું નથી. નિર્વિકલ્પ
સમાધિનો વિષય અખંડ શુદ્ધઆત્મા છે; નિર્મળપર્યાયનો ભેદ તે નિર્વિકલ્પસમાધિનો
વિષય નથી.
અરે જીવ! આત્મા કેવો છે? તેને તે કદી જાણ્યો નથી. તું કેવો છો, તારું
અસ્તિત્વ કેવડું છે–તેની સન્મુખ તું જો. નિર્મળપર્યાય તે શુદ્ધઆત્માને સાધે છે,
નિર્મળપર્યાય સાધન થઈને શુદ્ધઆત્માને પ્રસિદ્ધ કરે છે ‘આત્મા આવો છે.’ આ રીતે
નિર્મળપર્યાય તે સાધનરૂપ છે ને શુદ્ધઆત્મા તેના વડે સાધ્ય છે. પણ રાગ વડે
શુદ્ધઆત્મા સધાતો નથી. રાગ તે શુદ્ધઆત્માનું સાધન નથી. શુદ્ધઆત્માનું સાધન તેની
નિર્મળપર્યાય છે,–તેથી વ્યવહારે તે પર્યાયને શુદ્ધઆત્મા કહેવાય છે; વિકાર કે દેહાદિની
તો જાત જ જુદી છે તેથી તે તો ઉપચારે–વ્યવહારે પણ શુદ્ધઆત્માનું સ્વરૂપ નથી.
શુદ્ધઆત્મા તો વજ્ર જેવો–જેની એક કણી પણ કદી ખરે નહિ, જેનો એક અંશ પણ કદી
ઓછો ન થાય,–આવો એકરૂપ શુદ્ધઆત્મા તે જ સાચો આત્મા છે, તે જ નિશ્ચયનયનો
આત્મા છે, તે જ સમ્યગ્દ્રષ્ટિનો આત્મા છે, આત્મા તો બધાય આવા જ છે–પણ
સમ્યગ્દ્રષ્ટિ જ તેને દેખે છે. અજ્ઞાની તો આત્માને વિકારવાળો ને સંયોગવાળો જ દેખે છે,
સાચા આત્માને તે દેખતો નથી; એટલે પરમાત્મતત્ત્વ તેને પ્રકાશિત થતું નથી. જ્ઞાનીને
અંત દ્રષ્ટિના વીતરાગી સ્વસંવેદનમાં શુદ્ધ પરમાત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. અરે જીવ!

PDF/HTML Page 17 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
આવું મહાન તારું પરમાત્મત્ત્વ, તેને તેં કદી સ્વસંવેદનથી પ્રસિદ્ધ કર્યું નથી, એની સામે
નજર કરી નથી. સન્તોએ પરમ મહિમાવંત પરમાત્મતત્ત્વ પ્રસિદ્ધ કરીને દેખાડયું છે.
પર્યાય વડે આખો આત્મા જણાય છે પણ જાણનારી પર્યાય તે પોતે આખો આત્મા નથી.
તે પર્યાય શુદ્ધઆત્માનો સાધક છે એટલે તે આત્માનું ચિહ્ન છે; તે ચિહ્નને જ શુદ્ધઆત્મા
કહી દેવો તે અંશમાં અંશીનો ઉપચાર છે એટલે વ્યવહાર છે. ને અખંડ આત્મા જે
નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આવે છે તે પરમાર્થ છે, નિશ્ચય છે; આવા નિશ્ચય–વ્યવહારરૂપ
આત્મા છે, તેનાથી બહાર પર ભાવ કે દેહાદિ તે આત્મા નથી, એમ જ્ઞાની અનુભવે છે.
અહા, સ્વાનુભવની ચર્ચા કરે
તેને પણ ધન્ય કહ્યો, તો જેઓ
સ્વાનુભવરૂપે સાક્ષાત્ પરિણમ્યા છે
સ્વયં અધ્યાત્મરૂપ બન્યા છે–એવા
સંતોના મહિમાની શી વાત! અને જેને
એવા સંતોનો સાક્ષાત્ સમાગમ મળ્‌યો,
એમના ચરણોની સાક્ષાત્ ઉપાસના
મળી અને એમની વાણીનું સાક્ષાત્
શ્રવણ મળ્‌યું, એના કેવા ધન્ય ભાગ્ય!!

PDF/HTML Page 18 of 40
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક: ૧પ)
(૨૧૧) ચારિત્ર
અહા, ચારિત્રદશા તો પૂજ્ય છે, ચારિત્ર તો આત્માનો વૈભવ છે, તે ચારિત્ર તો
સાક્ષાત્ કેવળજ્ઞાનને બોલાવે છે. ચારિત્રદશામાં તો ઘણો અતીન્દ્રિય આનંદ છે. ચારિત્રવંત
મુનિ એ તો સિદ્ધના અને અરિહંતોના એકદમ નજીકના પાડોશી છે. રાગની પરિણતિથી
દૂર થઈને નિજસ્વરૂપના અનંતગુણના વેદનમાં જે ઠર્યા છે–એવા મુનિને ચારિત્રદશા હોય
છે. અહા, આવા ચારિત્રવંત મુનિના દર્શન થાય તો એમનાં ચરણો સેવીએ. ને એમના
શ્રીમુખેથી શુદ્ધાત્માના વૈભવની વાત સાંભળીએ, વિદેહ ક્ષેત્રમાં તો એવા ઘણા મુનિવરો
અત્યારે વિચરી રહ્યા છે, પણ અહીં એનાં દર્શન દુર્લભ થઈ ગયા છે.
(૨૧૨) તારું શુદ્ધતત્ત્વ, તેને ઉપાદેય કર,
હે જીવ!
* આ શરીર તો ધૂળ છે. તે તારા તત્ત્વમાં નથી.
* કર્મ પણ ઝીણી ધૂળ છે, તે તારા તત્ત્વમાં નથી.
* રાગાદિ ભાવો તે મેલ છે, તે પણ તારા શુદ્ધતત્ત્વમાં નથી.
* તારું શુદ્ધતત્ત્વ શરીર વગરનું કર્મ વગરનું, રાગ વગરનું, પરમ જ્ઞાન
ને આનંદમય છે. આવા તારા શુદ્ધ તત્ત્વને જ તું ઉપાદેય જાણ.
શુદ્ધતત્ત્વને સ્વાનુભવદ્વારા ઉપાદેય કરતાં તારા રાગાદિ મેલ ટળી જશે.
ને શરીરનો તથા કર્મનો સંબંધ છૂટી જશે. પરમ આનંદમય અને કેવળજ્ઞાનમય એવી
પરમાત્મદશા તને પ્રગટશે.
(૨૧૩) આરાધ્યની આરાધના.
આરાધ્ય શુદ્ધ આત્મદ્રવ્ય,
આરાધના કરનારી શુદ્ધપર્યાય.

PDF/HTML Page 19 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
હવે, આરાધના કરનાર પોતાના આરાધ્યની સાથે તન્મયરૂપ થયા વગર સાચી
આરાધના થઈ શકે નહિ. આરાધક–પર્યાય આરાધ્ય દ્રવ્યની સાથે તદ્રુપ થઈને પરિણમે
છે ત્યારે જ સાચી આરાધના થાય છે.
(૨૧૪) આત્મા.
આત્મા ભેદાભેદ સ્વરૂપ છે.
આત્માને કોની સાથે ભેદ છે?
પરદ્રવ્યો સાથે આત્માને ભેદ છે, એટલે કે જુદાઈ છે.
આત્માને કોની સાથે અભેદ છે?
પોતાના જ્ઞાનાદિ અનંતગુણો સાથે આત્માને અભેદ છે, એટલે કે તેનાથી જુદાઈ
નથી, એકતા છે.
એજ આત્માને આચાર્યદેવે ‘એકત્વવિભક્ત’ કહીને સમજાવ્યો છે.
એકત્વ એટલે પોતાના ગુણપર્યાયોમાં અભેદ અને વિભક્ત એટલે પરદ્રવ્યોથી ને
પરભાવોથી ભિન્ન.
–આવા શુદ્ધ આત્માને જાણવો તે ભેદજ્ઞાન છે.
(૨૧પ) આકાશ અને આત્મા.
જે અનંત પ્રકાશ, તેને જાણી લેવાની તાકાતવાળો અનંતશક્તિસમ્પન્ન આત્મા, તે
આકાશના અનંતમા ભાગમાં સમાઈ ગયો છે.
અને આત્માના કેવળજ્ઞાનરૂપી દર્પણમાં, અનંત આકાશ એક રજકણની જેમ
જ્ઞેયપણે સમાઈ ગયું છે.
આવા અચિંત્ય જ્ઞાનસામર્થ્યનું માપ ક્ષેત્રના વિસ્તાર વડે નહિ નીકળે;
જ્ઞાનપર્યાયને તે જ્ઞાનશક્તિ તરફ વાળતાં જ જ્ઞાનની અચિંત્ય તાકાત લક્ષગત થાય છે.
જ્ઞાનની તાકાત જ્ઞાન વડે જ જણાય છે, રાગ વડે તે લક્ષગત થતી નથી. આવી જ્ઞાન
તાકાતનો જેને વિશ્વાસ આવે તેને રાગાદિ પરભાવ સાથેની એકતાબુદ્ધિ રહે નહિ,
સંયોગબુદ્ધિ રહે નહિ, ‘હું તો જ્ઞાન છું–એમ તે નિઃશંક જાણે છે.
(૨૧૬) પરમાં સુખબુદ્ધિ તે પાપનું મૂળ.
બાહ્ય વિષયોમાં ને બાહ્ય સંયોગમાં જેણે સુખ માન્યું તે બાહ્યવિષયો અને
બાહ્યસંયોગો માટે શું–શું પાપ નહીં કરે? ચૈતન્યના સુખને ચૂકીને બાહ્યવિષયોમાં જ જેણે
સુખ માન્યું તે જીવ બાહ્યવિષયોમાં જ સુખને માટે ઝાંવા નાખતો થકો, તીવ્ર હિંસા–
અસત્ય વગેરે બધા પાપ કરતાં અચકાતો નથી, કેમ કે ત્યાં જ સર્વસ્વ માન્યું છે. અરે,
મારું સુખ તો મારા આત્મામાં છે, વિષયોમાં ક્્યાંય મારું સુખ નથી–એવું અંતરલક્ષ કરતાં
મિથ્યાત્વ છૂટે, પરમાં સુખબુદ્ધિ મટે, એટલે તીવ્ર પાપ પરિ–

PDF/HTML Page 20 of 40
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
ણામ એને રહે નહીં. માટે આત્માનું સ્વરૂપ લક્ષમાં લઈને તેની રુચિ કર.
(૨૧૭) કામની વસ્તુ.
અરે, જેનું લક્ષ કરતાં રાગ ને દુઃખ થાય એ વસ્તુ મારે શા કામની?
જેનું લક્ષ કરતાં વીતરાગી આનંદ થાય એવી સ્વ–વસ્તુ જ મારે કામની છે.
આમ સમજીને ધર્મીજીવ સ્વદ્રવ્યમાં રત થાય છે.
(૨૧૮) અંતર ઊતર.
જગતનું જે થાય તે થવા દે, દેહનું જે થતું હોય તે થવા દે–પણ તું અંદરમાં જા..
એકવાર અંતરસ્વરૂપને લક્ષમાં લઈને તેની અંદર...ઊતર અંદર મહા આનંદ છે...જ્ઞાન
ચેતનાનો મહાવિલાસ અંદર છે...અંદર જા...પછી તને બહાર આવવું ગમશે નહીં.
(૨૧૮) હે જીવ! આત્માને રહેંસી ન નાખ.
‘શરીર વિના હું ન રહી શકું’–એમ માનીને હે જીવ! મિથ્યામાન્યતારૂપ હિંસામાં તું
તારા આત્માને રહેંસી ન નાંખ. શરીર વિના હું ન રહી શકું,–એટલે જડથી ભિન્ન જ્ઞાનાદિ
અનંતગુણસ્વરૂપે મારું સ્વતંત્ર અસ્તિત્વ છે–એમ તેં ન સ્વીકાર્યું. ને જડના અસ્તિત્વમાં તેં
તારું અસ્તિત્વ સ્વીકાર્યું એ તો તારી મોટી ભૂલ છે. પ્રભુ! તારો આત્મા સદા કાળ જડથી
જુદાપણે ને કેવળજ્ઞાનાદિ અનંતગુણો સાથે તન્મયપણે જ બિરાજી રહ્યા છે–તેને તું જાણ.
તારું કોઈ એંધાણ જડમાં નથી. ભાઈ, જ્ઞાનમય અનંતગુણનો રાશિ એવો તું જ્ઞાનરહિત
જડમાં કેમ મોહ્યો! તારા અનંતગુણને સંભાળ, ને તેના આનંદને અનુભવ.
(૨૨૦) અંતર્મુખ અવલોકતાં–આનંદનો નહિ પાર.
બહારમાં હું છું જ નહીં,–પછી બહારના પ્રસંગથી મને દુઃખ કેમ થાય? હું તો
મારા અંતરસ્વરૂપમાં છું, ને અંતરસ્વરૂપમાં તો એકલો આનંદ જ ભર્યો છે.–આમ ધર્મી
જીવ અંતર્મુખ થઈને પોતાને આનંદસ્વરૂપે જ અનુભવે છે. એના આનંદનો પાર નથી.
આનંદના દરિયા એના આત્મામાં ઊછળે છે. ‘અહો! અંતર્મુખ અવલોકતા..આનંદનો
નહિ પાર.’