Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૩
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૨૭૩
* એકત્વ જીવન *
રે જીવ!
એકલો જીવતાં શીખ. બીજા પાસેથી તારે શું
લેવું છે? જીવનને આનંદિત બનાવવા માટેની સંપૂર્ણ
સામગ્રી તારામાં ભરી છે. એકત્વ જીવનનું અલૌકિક
સુખ છે.
આચાર્ય કુંદકુંદસ્વામીએ નિજાત્મવૈભવથી
એકત્વસ્વરૂપ બતાવવા માટે સમયસાર રચ્યું છે;
એવા નિજવૈભવસમ્પન્ન એકત્વસ્વરૂપને જાણીને
એકત્વજીવન શીખ....તેમાં તને ઉત્તમ આત્મસુખ
થશે.
એકત્વ જીવન એ સુખી જીવન છે.
એકત્વ જીવન એ સાચું જીવન છે.
વર્ષ ૨૩: અંક ૯: વાર્ષિક લવાજમ રૂા. ચાર: વીર સંવત ૨૪૯૨ અસાઢ
તંત્રી: જગજીવન બાવચંદ દોશી સંપાદક: બ્ર હરિલાલ જૈન સોનગઢ

PDF/HTML Page 3 of 53
single page version

background image
આવતે અંકે
ઋષભદેવનો જીવ (વજ્રજંઘ) તથા શ્રેયાંસકુમારનો જીવ (શ્રીમતી)–એ બંને મુનિવરોને
આહારદાન કરે છે ને સિંહ–વાનર–ભૂંડ ને નોળિયો–એ ચારે જીવો તેનું અનુમોદન કરે છે. એનું
વર્ણન આપણે આ અંકની કથામાં વાંચીશું, પછી તે છએ જીવો ભોગભૂમિમાં ઉપજ્યા છે ને ત્યાં
મુનિરાજના ઉપદેશથી છએ જીવો સમ્યક્ત્વને ગ્રહણ કરે છે. તેનું ભાવભીનું જે દ્રશ્ય આ ચિત્રમાં
દેખાય છે તે સંબંધી કથા આવતા અંકમાં આપણે વાંચીશું. મુનિરાજદ્વારા છએ જીવોને સમ્યક્ત્વ–
પ્રાપ્તિનું દ્રશ્ય કેવું મજાનું છે! એ જોતાં આપણનેય એ લેવાનું મન થઈ જાય છે.
મોટો મોક્ષમાર્ગી......ને નાનો મોક્ષમાર્ગી
મોક્ષમાર્ગનો મોટો ભાગ મુનિવરો પાસે છે. ગૃહસ્થ ધર્માત્મા પાસે મોક્ષમાર્ગનો
નાનો ભાગ છે. ભલે નાનો ભાગ પણ તેની જાત તો મુનિરાજના મોક્ષમાર્ગ જેવી જ છે.
શ્રાવકધર્મીને પણ મોક્ષમાર્ગનો અંશ હોય છે.
કોઈ કહે કે મોક્ષમાર્ગ મુનિને જ હોય ને ગૃહસ્થ–શ્રાવકને જરાપણ મોક્ષમાર્ગ ન
હોય–તો તેને ખરેખર મોક્ષમાર્ગના સ્વરૂપની ખબર નથી ને શ્રાવકધર્માત્માની દશાને
પણ તે ઓળખતો નથી. અવ્રતી ગૃહસ્થને પણ મોક્ષમાર્ગનો અંશ વર્ત છે–તે પણ ક્્યારેક
ઉપયોગને અંદરમાં એકાગ્ર કરીને નિર્વિકલ્પ સ્વાનુભવના મહા આનંદને વેદી લ્યે છે.
મુનિને તો ચૈતન્યસ્વરૂપમાં ઘણી લીનતા છે. મુનિ મોટા મોક્ષમાર્ગી છે, ને ગૃહસ્થી
સમ્યગ્દ્રષ્ટિ નાનો મોક્ષમાર્ગી છે–પણ મોક્ષમાર્ગ તો બંનેને છે; બંને મોક્ષના સાધક છે.
(આવતા અંકમાં પ્રગટ થનાર સુંદર પ્રવચનમાંથી)

PDF/HTML Page 4 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૨
લવાજમ અષાડ
રૂા ૪
________________________________________________________________
તંત્રી: જગજીવન બાવચંદ દોશી: કુંડલા સંપાદક: બ્ર હરિલાલ જૈન: સોનગઢ.
________________________________________________________________
વિચાર
પ્રશ્ન:– આત્માના વિચાર કેવી રીતે કરવા? (આ
પ્રકારનો પ્રશ્ન ઘણા જિજ્ઞાસુઓને ઊઠે છે.)
ઉત્તર:– સંતોની પાસેથી આત્માનું સ્વરૂપ જે રીતે
સાંભળ્‌યું ને શાસ્ત્રોમાં વાંચ્યું તે લક્ષગત કરીને તે સ્વરૂપનો
અનેક પ્રકારે પરમ મહિમા લાવીને, “આવો હું જ છું” એમ
નિર્ભેદભાવે પોતાનું સ્વરૂપ ચિંતવવું. વિચાર તો હજારો
પ્રકારના હોય, ગમે તે પ્રકારના વિચારમાં મુમુક્ષુનું વલણ
સ્વભાવની સન્મુખતા થાય એવું જ હોય. ગમે તે પડખાના
વિચારવડે પણ પરથી ભિન્ન, ને પોતાના જ્ઞાનાદિ પરમ
સ્વભાવમાં એકત્વ–એવા સ્વરૂપને નક્કી કરી કરીને, તેની
પરમ પ્રીતિ વધારી વધારીને, પરિણામને તે સ્વભાવ તરફ
વાળે, એટલે સ્વાનુભવ થાય. આ રીતે મુમુક્ષુના વિચાર
સ્વાનુભવ તરફ ઝુકતા હોય છે. એટલે, ‘કેવા વિચાર કરવા’–
તો કહે છે કે સ્વાનુભવ તરફ ઝૂકાવ થાય તેવા વિચાર કરવા.
સત્ વિચારનું ફળ સ્વાનુભવ છે. (‘વિચાર’ માં એકલો
રાગ–વિકલ્પ નથી પણ તે વખતે વસ્તુને લક્ષમાં લેનારું જ્ઞાન
પણ કાર્ય કરે છે, ને મુમુક્ષુને તે જ્ઞાનની જ પ્રધાનતા છે,
વિકલ્પની નહીં)

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
યોગસારનું અપૂર્વ મંગળ
(સોનગઢમાં જેઠ વદ ત્રીજે ભાઈશ્રી ચીમનલાલ ઠાકરશી મોદીના નવા મકાનના
વાસ્તુપ્રસંગે યોગસાર ઉપર પ્રવચનોનો પ્રારંભ થયો.....તેના અપૂર્વ માંગળિકનું
ભાવભીનું પ્રવચન)
ઉપયોગને શુદ્ધાત્મામાં જોડવો તેનું નામ
યોગ; એવા શુદ્ધ ઉપયોગરૂપ ધ્યાનવડે જેઓ સિદ્ધપદ
પામ્યા તેમની પ્રતીત કરીને પોતે પણ તે માર્ગે જાય
છે,–એ સિદ્ધપદના માંગળિકનો અપૂર્વ ભાવ છે.
યોગીન્દ્રદેવ લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં વિચરતા મહાન
દિગંબર સન્ત હતા. તેમણે પરમાત્મપ્રકાશ જેવું મહા શાસ્ત્ર રચ્યું છે. આ યોગસાર પણ
તેમણે રચ્યું છે. તેના પ્રારંભમાં મંગલરૂપે સિદ્ધને નમસ્કાર કરે છે–
णिम्मल झाण पीरठ्ठिया कम्मकलंक डहेबि।
अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि।।१।।
નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદું તે જિનરાય.
આત્માના નિર્મળધ્યાનમાં સ્થિર થઈને જેમણે કર્મકલંકને નષ્ટ કર્યા અને પરમ
આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. આત્માના
ધ્યેયરૂપ સિદ્ધપદ, તે સિદ્ધ ભગવાન જેવું આત્મસ્વરૂપ, તેને પ્રતીતમાં લઈને ધ્યાનવડે
તેમાં ઉપયોગને જોડવો–તેનું નામ યોગ છે; ને તેનો આ ઉપદેશ છે. આવા યોગવડે જ
કર્મકલંકનો નાશ કરીને સિદ્ધપદ પમાય છે.
બધા આત્મા સ્વભાવસત્તાથી શુદ્ધ સિદ્ધ ભગવાન જેવા છે. આવા શુદ્ધ
આત્મસ્વરૂપમાં વિકારની સત્તા નથી. આવા શુદ્ધસ્વરૂપને ધ્યેયમાં લઈને ધ્યાવવું તે જ
કર્મના નાશનો ને સિદ્ધ થવાનો ઉપાય છે. આવા ઉપાય વડે સિદ્ધપદને સાધતાં સાધતાં
યોગીન્દુ મુનિરાજ આ શાસ્ત્ર રચે છે, ને મંગલાચરણમાં સિદ્ધને નમસ્કાર કરે છે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
સિદ્ધિનો પંથ શું? નિર્મળ આત્માનું ધ્યાન કરવું તે; સમ્યગ્દર્શનની રીત પણ એ
જ છે; આત્માના ધ્યાનવડે જ સમ્યગ્દર્શન થાય છે ને સિદ્ધિપંથની શરૂઆત થાય છે.
અતીન્દ્રિય આનંદથી ભરેલો આત્મા, તેની સન્મુખ જોતાં તેના પરમ આનંદનું
વેદન થાય છે. એ સિવાય જગતના બીજા કોઈ પદાર્થમાં સુખનો અંશ પણ નથી. ભાઈ,
તારું સુખ તારા અસ્તિત્વમાં છે; બીજાના અસ્તિત્વમાં તારું સુખ નથી. જ્યાં પોતાનું
સુખ ભર્યું હોય ત્યાં જુએ તો સુખનો અનુભવ થાય. સર્વજ્ઞ સિદ્ધપરમાત્માને દેહાતીત
પૂર્ણ આનંદ પ્રગટ થયો છે, ને બધા આત્માઓ એવા જ પૂર્ણઆનંદથી ભરપૂર છે એમ તે
ભગવાને જોયું છે. આવા ભગવાનને નમસ્કાર કરવા તે મંગળ છે. તેમાં પોતાના
શુદ્ધઆત્માની પ્રતીત ભેગી સમાઈ જાય છે.
સિદ્ધ ભગવાન શુદ્ધઆત્મામાં ઉપયોગને જોડીને સિદ્ધપદ પામ્યા, તેને હું નમસ્કાર
કરું છું એનો અર્થ એ કે હું પણ એવા મારા શુદ્ધ આત્મામાં ઉપયોગને જોડું છું–આમ
પોતાને શુદ્ધાત્માના ધ્યાનની રુચિ ને તાલાવેલી લાગી છે. સંસારથી ભયભીત થઈને
મોક્ષને સાધવાની ભાવનાવાળો જીવ પોતાના ઉપયોગને શુદ્ધઆત્મસ્વરૂપમાં જોડે છે.
જુઓ, મંગલાચરણમાં કર્મના નાશનો ઉપાય પણ ભેગો બતાવ્યો, કે
શુધ્ધઆત્મામાં ઉપયોગને જોડવો તે જ કર્મના નાશનો ઉપાય છે. સિદ્ધ ભગવાન આ
રીતે કર્મકલંકને દગ્ધ કરીને સિદ્ધિ પામ્યા એમ પ્રતીત કરીને પોતે પણ તે માર્ગે જાય છે
એટલે શુદ્ધાત્મા તરફ ઉપયોગને જોડે છે.–આનું નામ યોગ છે, તે મંગળ છે, ને તે મોક્ષનું
કારણ છે.
જે સિદ્ધ થયા તે આત્મા પણ સિદ્ધ થવા પહેલાં બહિરાત્મા હતા; પછી પોતાના
પરમસ્વભાવને જાણીને, રાગની ને જ્ઞાનની ભિન્નતાના ભાન વડે અંતરાત્મા થયા, ને
શુદ્ધ પરમસ્વભાવનું ધ્યાન કરી કરીને પરમાત્મા થયા. એવા પરમાત્મા જેવો જ પરમ
સ્વભાવ મારામાં છે એમ લક્ષમાં લઈને હું તે સિદ્ધપરમાત્માને નમસ્કાર કરું છું.
સમયસારની શરૂઆતમાં પણ ‘वंदित्तुं सव्वसिद्धे’ એમ માંગલિક કરીને
સિદ્ધભગવંતોને નમસ્કાર કરતાં કહે છે કે અહો, આત્માના ઈષ્ટ–ધ્યેયરૂપ એવા સર્વ
સિદ્ધોને હું મારા તેમજ શ્રોતાઓનાં આત્મામાં બોલાવું છું, આદર કરું છું, શ્રદ્ધામાં–
જ્ઞાનમાં લઊં છું. અનંતા સિદ્ધોનો જે સમૂહ સિદ્ધનગરીમાં વસે છે, તેમને હું મારા
જ્ઞાનમાં સ્થાપું છું. ઊર્ધ્વલોકની સિદ્ધનગરીમાં બિરાજમાન સિદ્ધોને પ્રતિતના બળે મારા
આત્મામાં ઊતારું છું.–મારા શ્રદ્ધા–જ્ઞાનરૂપી આંગણાને ચોખ્ખાં કરીને હું
સિદ્ધભગવંતોનો સત્કાર કરું છું ને એ સિવાય બીજા પરભાવોનો આદર છોડી દઊં છું;
એટલે કે મારી પરિણતિને રાગથી

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
ભિન્ન કરીને અંતરના સિદ્ધસ્વરૂપ સાથે અભેદ કરું છું. તે અભેદપરિણતિમાં અનંતા
સિદ્ધો સમાય છે.
વાહ! જુઓ, આ સિદ્ધપદના માંગળિકનો અપૂર્વ ભાવ! બધું ભૂલીને સિદ્ધને
યાદ કરીએ છીએ.....સિદ્ધપદ જ અમારા જ્ઞાનમાં તરવરે છે....એ જ આદરણીય છે ને
જગતમાં રાગાદિ બીજું કાંઈ મારે આદરણીય નથી. આમ રુચિને મારા શુદ્ધઆત્મા તરફ
વાળીને હે સિદ્ધભગવંતો! હું મારા આત્મામાં આપને સ્થાપું છું. મારા આત્માના અસંખ્ય
પ્રદેશમાં હું શ્રદ્ધા–જ્ઞાનના બંગલા બાંધું છું તેમાં આવીને હે સિદ્ધ પ્રભુ! આપ વસો!
મારા જ્ઞાનમાં રાગને હું નથી વસાવતો હું તો સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપને જ મારા જ્ઞાનમાં
વસાવું છું; સિદ્ધસમાન સ્વશક્તિનો ભરોસો કરીને હું સિદ્ધોનો આદર કરું છું. આવો
ભાવ પ્રગટ કરવો તે અપૂર્વ વાસ્તુ ને અપૂર્વ માંગલિક છે.
सिध्ध समान सदा पद मेरो એવા આત્મસ્વરૂપને સમ્યગ્જ્ઞાન–કળા વડે જાણતાં
વેગપૂર્વક શિવમાર્ગ સધાય છે, ને શરમજનક એવા જન્મમરણ છૂટી જાય છે. ત્રણ
લોકનો નાથ આ ચૈતન્યપરમેશ્વર તેને આ ચામડાના કોથળામાં (શરીરમાં) પૂરાવું તે
શરમ છે. અશરીરી થવા અશરીરી સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ, ને જે
શુદ્ધઆત્મધ્યાનવડે તેઓ સિદ્ધ થયા તેવા શુદ્ધઆત્માનો આદર કરીને તેમને ધ્યાવીએ
છીએ. એમ પ્રથમ ગાથામાં સિદ્ધોને વંદનરૂપ મંગળ કર્યું.
બીજી ગાથામાં અરિહંતોને વંદનરૂપ મંગળ કરે છે–
घाइ चउक्कह किउ विलउ अणंत चउक्क पदिठ्ठु।
तहिंं जिणइंदहं पय णविवि अक्खमि कव्वु सुइठ्ठु।।२।।
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંત ચતુષ્ટ,
તે જિનવર ચરણે નમી, કહું કાવ્ય સુઈષ્ટ.
પોતાના શુદ્ધઆત્મામાં ઉપયોગને જોડીને, તે શુદ્ધોપયોગના બળે જેમણે ચાર
ઘાતી કર્મોનો ક્ષય કર્યો ને કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટ કર્યા એવા અરિહંત પરમાત્માના
ચરણોમાં વંદીને આ ઈષ્ટ–કાવ્ય (યોગસાર–દોહા) રચું છું.
કેવળજ્ઞાનાદિ સહિત અરિહંત પરમાત્મા અત્યારે વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ બિરાજે
છે. સીમંધરાદિ ૨૦ તીર્થંકરો તથા બીજા લાખો કેવળી ભગવંતો–તે બધા અરિહંત
ભગવંતોને પોતાના જ્ઞાનમાં જેણે સ્વીકાર્યા તેને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ
કુંદકુંદાચાર્યદેવ કહે છે કે–

PDF/HTML Page 8 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
जो जाणइ अरहंतं दव्वत्त गुणत्त पज्जयतेहि।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
કુંદકુંદસ્વામીએ તો અરિહંત પરમાત્માઓને સાક્ષાત્ નજરે જોયા હતા;
સમવસરણની યાત્રા કરી હતી
અહો, અરિહંત પરમાત્મા સર્વજ્ઞ થયા છે, રાગનો અંશ પણ એને રહ્યો નથી,–હું
પણ આવા અરિહંતોની જાતનો છું, મારો સ્વભાવ પણ એના જેવો જ છે;–એમ
સ્વભાવની પ્રતીત કરતાં સાધકપણું ખીલે છે. સાધક કહે છે કે હું સિદ્ધપ્રભુનો નાતીલો
છું. પ્રભો! આપની ને મારી જાત એક સરખી છે. હું પણ આપના જેવા મારા સ્વરૂપનો
અનુભવ કરતો કરતો થોડા જ કાળમાં આપની પાસે આવવાનો છું.–જુઓ આ
અરિહંતોને અને સિદ્ધોને વંદન કરવાની રીત.
ભગવાન જેવી જ જાતનો મારો સ્વભાવ સ્વીકારીને હું ભગવાનને નમસ્કાર કરું
છું. ‘હું’ કેવો? કે જ્ઞાનદર્શનસ્વભાવમય હું છું. ભગવાનની જાતથી પોતાની જાતને જુદી
રાખીને સાચા નમસ્કાર થાય નહિ. જેવા ભગવાન તેવો હું–એવી પ્રતીતપૂર્વક સ્વસન્મુખ
પરિણતિ પ્રગટે તે પરમાર્થ નમસ્કાર છે. આવા નમસ્કારવડે સાધક પોતાની પર્યાયમાં
અર્હંતપદ અને સિદ્ધપદનો લાભ મેળવે છે. આનું નામ ‘લાભ સવાયા!’ આત્મા
કેવળજ્ઞાન અને સિદ્ધપદને પામે એના જેવો મહાન લાભ બીજો ક્્યો?
આ રીતે સિદ્ધને અને અરિહંતને નમસ્કારરૂપ મંગળ કરીને હવે કહે છે કે આ
ભવભ્રમણથી જે ભયભીત થઈને આત્માની મુક્તિને ચાહે છે એવા જીવોને માટે આ
શાસ્ત્ર રચાય છે:–
संसारहं भयभीयहँ मोक्खहँ लालसियाहं।
अप्पा संबोहणकयइ कय दोहा एक्कमणाहँ।।३।।
ઈચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત,
તે ભવિ જીવ સંબોધવા દોહા રચ્યા એકચિત્ત. (૩)
જેના ચિત્તમાં ભવદુઃખનો ભય હોય ને મોક્ષસુખની અભિલાષા હોય એવા
આત્માને સંબોધવા માટે એકાગ્રચિત્તથી આ દોહા રચાયા છે. જુઓ, મોક્ષના અર્થી
જીવોને માટે આ ઉપદેશ છે. જેને રાગની ને પુણ્યની ઈચ્છા હોય, જેને સ્વર્ગના વૈભવની
તૃષ્ણા હોય ને તેમાં સુખ લાગતું હોય તે જીવને શુદ્ધાત્માના ધ્યાનનો આ ઉપદેશ રુચિકર
નહિ લાગે. પણ જે જીવને આત્માના અનાકુળ સુખની જ લગની છે, રાગની–પુણ્યની–
સંયોગની રુચિ નથી, ચારે ગતિના દુઃખથી જે ભયભીત છે, તડકામાં પડેલું માછલું–જેમ
પાણી માટે તરફડે તેમ ચાર ગતિના દુઃખથી ત્રાસીને

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
જે જીવ ચૈતન્યની પરમ શાંતિને માટે તરફડે છે. તેના સિવાય બીજું કાંઈ જેને જોઈતું
નથી,–એવા મોક્ષાભિલાષી ભવ્ય જીવને માટે આ યોગસારના ૧૦૮ દોહરા રચાય છે.
પોતાના આત્માને સંબોધવાની મુખ્યતા સહિત ભવ્ય જીવોને માટે આ દોહરા રચાય છે.
અરે, આ સંસારમાં ચારે ગતિમાં ક્્યાંય સુખનો છાંટોયે નથી, સુખ તો અંતરના
સ્વભાવમાં છે, તે સ્વભાવના અભિલાષીને સંસારની જેલમાં ક્્યાંય ચેન ન પડે, ત્રાસ
લાગે; જેમ કોઈને બે દિવસ પછી ફાંસી દેવાનું નક્કી થયું હોય તો તે માણસ ભયભીત
વર્તે છે બધેથી તેનો રસ ઊડી જાય છે; તેમ આત્માના સુખના અભિલાષી મોક્ષાર્થી
જીવને ચારે ગતિના અવતાર ત્રાસરૂપ લાગે છે, જગત આખામાંથી રસ ઊડી ગયો છે,
પુણ્યનો રસ ઊડી ગયો છે ને એક આત્મસુખની જ તાલાવેલી લાગી છે.–એવા જીવને
આત્માનું સ્વરૂપ સમજાવવા માટે આ ઉપદેશ છે.
ભાવના
શ્રી હર્ષદાબેન જૈન (સ. નં. ૨૦૨) પાલનપુર તરફથી આવેલ
કાવ્ય ઉચિત ફેરફાર સહિત અહીં આપ્યું છે. બાળકોના હૃદયમાં કેવી
ઉચ્ચ ભાવનાના સંસ્કારો રેડાય છે તે આ કાવ્યમાં દેખાય છે.)
મારે નથી પ્રિય કરવા સાંસારિક કાર્યો.....
મારે હવે પ્રિય કરવા છે શુદ્ધ ભાવો......
અનંત ભવના અજ્ઞાન મોહાદિ આવરણો હટાવવા,
સમકિત–જ્ઞાન–ચારિત્રાદિ નિજભાવને પામવા......મારે
૦ (૧)
જિન પ્રરૂપિત પરમાર્થ માર્ગ આરાધવા,
રત્નત્રય સહિત મુનિમાર્ગમાં વિચરવા......મારે
૦ (૨)
અખંડ ઉજ્વલ આત્મજ્યોતિ પ્રગટાવવા,
મુજ જીવનમાં આત્મધૂન જગાવવા......મારે
૦ (૩)
એક ધ્યાને નિજાત્મભાવમાં લીન રહેવા,
એક ઉપયોગે શુદ્ધભાવમાં લીન રહેવા......મારે
૦ (૪)
સત્પુરુષ શરણે સમ્યક્ રત્નત્રય પામવા,
તીર્થંકર સમીપ કેવલજ્ઞાન સહિત વિચરવા......મારે
૦ (પ)

PDF/HTML Page 10 of 53
single page version

background image
* * * લેખાંસ્ક : ૧૨ મો * * *
આ વખતે ‘તત્ત્વચર્ચા’ ના આ વિભાગમાં પૂ. ગુરુદેવ
પાસે થયેલ રાત્રિચર્ચાનો સાર આપીએ છીએ.
(૧૧૧) એકરૂપ અભેદ આત્મવસ્તુ નિરપેક્ષ છે અને તેની રુચિ કરવી તે પણ પરથી
ને રાગથી નિરપેક્ષ છે.
(૧૧૨) પોતાના એકરૂપ પરમ સ્વભાવનું લક્ષ અને રુચિ કરવી તે જ સાર છે, બાકી
બધું તો સમજવા જેવું–એટલે કે અસાર છે.
(૧૧૩) પોતાની એકરૂપ વસ્તુનું લક્ષ કરતાં આનંદ પ્રગટે. આ દ્રવ્ય ને આ ગુણ,
અથવા આ દ્રવ્ય ને આ પર્યાય એવા ભેદ જ્યાં નથી, દ્રવ્ય–ગુણ–પર્યાયથી
અભેદ વસ્તુની અનુભૂતિ છે; તેમાં અતીન્દ્રિયઆનંદ પણ ભેગો જ છે. ભેદના
લક્ષમાં તે આનંદ પ્રગટે નહિ.
(૧૧૪) સર્વજ્ઞસ્વભાવથી ભરેલો જે અખંડ આત્મસ્વભાવ, તેની જેને રુચિ થઈ તેને
કેવળજ્ઞાન થવાનું જ છે.
(૧૧પ) જ્યાં સ્વભાવની રુચિ થઈ ત્યાં પરિણતિ તે તરફ પરિણમવા લાગી એટલે
સર્વજ્ઞતાનું સાધકપણું શરૂ થયું ને અલ્પકાળે સર્વજ્ઞતા થશે.
(૧૧૬) વિકલ્પ વિનાની અભેદ વસ્તુ દ્રષ્ટિમાં આવે તો જ શ્રદ્ધા સાચી હોય. વિકલ્પ
ઉપર દ્રષ્ટિ (રુચિ) હોય તો શુદ્ધાત્માની શ્રદ્ધા સાચી ન હોય.
(૧૧૭) વીતરાગ માર્ગનો આ અબાધિત સિદ્ધાંત છે કે કલ્યાણ ને મોક્ષમાર્ગ
આત્મસ્વભાવના આશ્રયે જ થાય, બીજા કોઈના આશ્રયે ન થાય.
(૧૧૮) સ્વાનુભૂતિના જોરથી સાધક કહે છે કે હે સિદ્ધપરમાત્મા! જેવો આનંદ તમારો

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
છે, તેવો જ મારો આનંદ છે. જેવું આપનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે.
સ્વભાવના સામર્થ્યમાં આપનામાં ને મારામાં રંચમાત્ર ફેર નથી. આવા
નિજસ્વભાવની પ્રતીતના બળથી, જેવું પરમાત્મસ્વરૂપ આપે પ્રગટ કર્યું છે
તેવું જ હું પણ પ્રગટ કરવાનો છું. અને જે જીવો આવા પરમાત્મસ્વરૂપની
પ્રીતિ અને પ્રતીત કરશે તેઓ પણ જરૂર પરમાત્મા બની જશે. એવા
કોલકરાર છે. (સભાજનોએ હર્ષપૂર્વક આ વાતને વધાવી લીધી.)
(૧૧૯) હે ભાઈ! આત્મહિત સાધવાનો આ ઉત્તમ અવસર છે. માટે સાવધાન થઈને
આત્મહિતમાં તત્પર થા. (૧) ઘડપણ આવ્યા પહેલાં, (૨)–ઈન્દ્રિયોની
શક્તિ શિથિલ થયા પહેલાં તથા (૩) રોગાદિ પ્રતિકૂળતા આવ્યા પહેલાં
આત્મકલ્યાણ કરી લેવા જેવું છે.
(૧૨૦) જેણે આત્માના જ્ઞાનસ્વભાવનો નિર્ણય થયો, તેને મોક્ષતત્ત્વનો નિર્ણય થયો,
અને તેને રાગની ને પરની પૃથકતાનું ભાન થયું એટલે તેનો તે કર્તા ન રહ્યો,
રાગમાંથી ને પરમાંથી તેનું કર્તૃત્વ ઊડી ગયું, જ્ઞાનભાવરૂપ પરિણમન રહ્યું.
એટલે તેમાં મોક્ષમાર્ગનો વીતરાગી પુરુષાર્થ આવી ગયો. આ રીતે
જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં મોક્ષમાર્ગ આવે છે, ને જ્ઞાનસ્વભાવના નિર્ણય
વગર કદી મોક્ષમાર્ગ થતો નથી. માટે સર્વ ઉદ્યમથી વારંવાર અભ્યાસવડે
જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો, અનુભવ કરવો. (સ્વસન્મુખ થઈને
સ્વાનુભવ સહિતનો નિર્ણય તે જ સમ્યક્ નિર્ણય છે.)
(સભ્ય નં. પપ૦ પાસેથી મળેલ ચર્ચાના આધારે.)
* * * * *
હે સાધક!
મોક્ષને સાધવા માટે જગતનો સંગ છોડી
અંતરની એકત્વ ભાવનાવડે એકલો એકલો મોક્ષને
સાધજે. એકલો ન રહી શકાય તો ધર્માત્માના
સંગમાં રહેજે, પણ બીજાનો સંગ કરીશ નહિ.

PDF/HTML Page 12 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
जीव जुदा पुद्गल जुदा, यही तत्त्वका सार; अन्य कछू व्याख्यान जो, याहीका विस्तार।।
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(સ્વતત્ત્વને પ્રમેય કરવાની પ્રેરણા)
પૂજ્યપાદ સ્વામી ઈષ્ટોપદેશની પ૦મી ગાથામાં
સર્વ શાસ્ત્રનું ટૂંકુ રહસ્ય બતાવતાં કહે છે–જીવ અને
પુદ્ગલની ભિન્નતા જાણીને સ્વતત્ત્વનું ગ્રહણ કરવું તે
જ સર્વ તત્ત્વનો સાર છે, ને બીજો જે કાંઈ ઉપદેશ છે
તે બધો આનો જ વિસ્તાર છે. જીવ–પુદ્ગલને ભિન્ન
જાણીને સ્વતત્ત્વને કઈ રીતે પ્રમેય કરવું ને સ્વતત્ત્વને
પ્રમેય કરતાં અંતરમાં શું થાય? તેનું બહુ સરસ વર્ણન
ગુરુદેવે આ પ્રવચનમાં કર્યું છે. (જેઠ સુદ પૂર્ણિમાએ)
શેઠશ્રી ચીમનલાલ હિંમતલાલના મકાનના વાસ્તુ–
પ્રસંગનું આ પ્રવચન છે.
* * *
જીવ–પુદ્ગલની ભિન્નતા જાણીને, રાગાદિથી પાર એવા શુદ્ધ આત્માને
અનુભવમાં લેવો તે જ સર્વ શાસ્ત્રોનો સાર છે, જ્ઞાન–સ્વભાવી આત્મામાં
પ્રમેયત્વસ્વભાવ પણ છે એટલે જ્ઞાનને અંતર્મુખ કરતાં તે પ્રમેય થાય છે.
કોઈ પૂછે કે આત્મા જણાય?
તો કહે છે કે–હા;
કેમકે આત્મામાં પ્રમેય થવાનો એટલે જ્ઞાનમાં તે જણાય તેવો સ્વભાવ છે; ને
જાણવાનો પણ પોતાનો સ્વભાવ છે. આ રીતે આત્મા પોતે પોતાને જાણી શકે છે.
આત્માનું સત્પણું–સત્યપણું દેહાદિથી ભિન્ન છે, રાગાદિથી પણ સત્સ્વભાવ જુદો

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
છે; જ્ઞાયકભાવ જેમાં આનંદ છે એવો આત્મા છે. તેમાં તેના અનંતગુણો સમાય છે.
આવો ગુણવાન આત્મા તેમાં ઉપયોગને એકાગ્ર કરીને વસવું તે સ્વઘરમાં વાસ્તુ છે;
અનંત ગુણમય જે ભૂતાર્થસ્વભાવ તે આત્માનું સ્વ–ઘર છે. સ્વને પ્રમેય બનાવીને
આત્મા સ્વઘરમાં કદી આવ્યો નહિ, બહારમાં જોયા કર્યું છે.
ભાઈ, તું શરીરને જોવા મથે છે–પણ તેનાથી તો તું જુદો છે. બહારના પદાર્થોને
જોવા માટે અનંતકાળથી મથે છે, પણ બહારના પદાર્થોથી જુદો અંદરમાં તું પોતે કોણ
છો–તે જોવા માટે કદી મથ્યો? તારા સ્વજ્ઞેયને તું જાણ.....તો તને આખા ભગવાન
આત્માનો નિર્ણય અને ગ્રહણ થશે. તારા જ્ઞાનમાં આખોય ભગવાન આત્મા આવી
જશે. આમાં સર્વ શાસ્ત્રનો સાર આવી જાય છે.
દેહથી ભિન્ન, ને રાગથી ભિન્ન એવું કોઈ ચૈતન્યસ્વરૂપ તારામાં છે, તેને તું જો.
આવા સ્વજ્ઞેયને જાણ્યા વગર તને સમ્યગ્જ્ઞાન થશે નહિ. પુદ્ગલ ભિન્ન, રાગાદિ પણ
ભિન્ન બાકી રહેલો અનંત ગુણસંપન્ન ચૈતન્ય તે હું–એમ નિર્ણય થતાં, પરથી જુદો
તારવીને ચૈતન્યનું ગ્રહણ થાય છે. આવું ચૈતન્યઘર તે તારું ઘર! બીજા પુદ્ગલના ઘર તે
તારા ઘર નહિ. આમ સ્વઘરને જાણીને તેમાં વસ! એમ સ્વઘર બતાવીને સંતો તેમાં
વાસ્તુ કરાવે છે.
આત્મા અને તેના અનંતા ગુણો–એ બધાય અંતર્મુખ ઉપયોગવડે જ્ઞાનમાં પ્રમેય
થાય તેવા છે. છતાં એમ કહેવું કે ‘મારો આત્મા મને ન જણાય’–તો તેમાં
પ્રમેયસ્વભાવી આત્માનો ને તેના અનંતગુણોનો નિષેધ થાય છે.
ભાઈ, સંતો તને તારો આત્મા પરથી નીરાળો કરીને બતાવે છે કે આવો તારો
આત્મા છે! તો તેને સ્વ–પરની વહેંચણી વડે જુદો જાણીને લક્ષમાં લે. તે તારા
સ્વસંવેદનમાં જણાશે.
સ્વ–પરની ભિન્નતાને જે જાણે તેનું લક્ષ આત્મા ઉપર જાય. જેમ કાચના કટકા
વચ્ચે કિંમતી હીરો પડ્યો હોય, ને કોઈ ભિન્ન ભિન્ન વહેંચણી કરીને બતાવે કે આ બધા
કાચના કટકા, ને આ હીરો, –તો તે બંનેની જુદાઈ જાણનારનું લક્ષ કઈ તરફ ઝુકશે!
કાચ તરફ કે હીરા તરફ?–તેનું વલણ હીરાના ગ્રહણ તરફ જ ઝુકશે ને કાચના કટકા
તરફથી તેનું વલણ હટી જશે.
તેમ કાચના કટકા જેવા જડ દેહ ને રાગાદિ ભાવો, તેમની વચ્ચે આ ચૈતન્યહીરો
પડ્યો છે. સંતો વહેંચણી કરીને બતાવે છે કે આ દેહાદિ જડ–પુદ્ગલો ને આ રાગાદિ

PDF/HTML Page 14 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
પરભાવો–તે ચીજ તું નહિ, તે બધાથી જુદા લક્ષણવાળો ચૈતન્યપ્રકાશે ચમકતો આ
ચૈતન્યહીરો તે તું;–આમ બંનેની ભિન્નતા જાણતાં જાણનારનું વલણ કોના ગ્રહણ તરફ
ઝુકશે? શું તેનું વલણ રાગના કે દેહના ગ્રહણ તરફ ઝુકશે? કે ચૈતન્યરત્નના ગ્રહણ
તરફ ઝુકશે? તેનું વલણ પુદ્ગલ અને રાગ તરફથી પાછું હટીને પોતાના અચિંત્ય
ચૈતન્યરત્નના ગ્રહણ તરફ ઝુકશે.–આ રીતે સ્વસંવેદનથી જ્ઞાની સ્વતત્ત્વને ગ્રહણ કરે છે.
આવું ગ્રહણ કરીને આત્માને સ્વજ્ઞેય બનાવતાં તેમાં અતીન્દ્રિય આનંદ, પ્રભુતા,
સર્વજ્ઞતા વગેરે સ્વભાવનું પણ ગ્રહણ થાય છે, તે પણ ભેગા સ્વજ્ઞેયપણે જણાય છે. ને
ત્યાં રાગાદિ ભાવો પોતામાં અભૂતાર્થપણે જણાય છે. (આ રીતે
ववहारो अभूयत्थो છે;
તે વ્યવહાર તે કાળે જાણવામાં આવે છે પણ જ્ઞાની સ્વજ્ઞેયમાં તેનું ગ્રહણ કરતા નથી.
સ્વ–જ્ઞેયપણે તો શુદ્ધઆત્માને જ રાખે છે, ને વિભાવોને સ્વજ્ઞેયથી બહાર રાખે છે.)
દેહાદિથી ભિન્ન ને રાગાદિથી ભિન્ન એવી ચૈતન્યવસ્તુને જ્યાં સ્વજ્ઞેય બનાવી ત્યાં
તેના અનંતા ગુણો પોતપોતાના સ્વકાર્ય સહિત જ્ઞાનમાં જણાઈ જાય છે.
ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિમાં આત્માના સમસ્ત ધર્મો સ્વસંવેદનમાં વ્યક્ત થાય છે. અહા,
આવું મહાન સ્વજ્ઞેય! તેને ભૂલીને આત્મા પરજ્ઞેયને જાણવામાં ભટકે છે. ભાઈ, તારાથી
જે પદાર્થો જુદા–તેની જ સામે જોવાથી તને શું લાભ છે? અનંતગુણનો ભંડાર જેમાં
ભર્યો છે એવા તારામાં તું જો ને! તારા આત્માને સ્વજ્ઞેયપણે જાણીને તેમાં તન્મય થતાં
તારામાં વસેલા અનંતા ગુણો તને પ્રમેયપણે જણાશે ને તે બધા ગુણોનું નિર્મળ કાર્ય
પ્રગટ થશે. સ્વજ્ઞેયમાં અતીન્દ્રિય આનંદ ભેગો આવશે, શ્રદ્ધા ભેગી આવશે, પ્રભુતા
ભેગી આવશે, વિભુતાનો વૈભવ ભેગો આવશે, પરના કારણ–કાર્ય વગરનું અકારણ–
કાર્યપણું ભેગું આવશે;–આમ સંપૂર્ણરૂપે ભગવાન આત્માનું ગ્રહણ થશે.
અરે વીર! અરે ધીર!! ધીરો થઈને, શાંતભાવે અંતરમાં તારા આત્માને જો. ધી
એટલે બુદ્ધિ–જ્ઞાન, તેને અંતરમાં જે પ્રેરે તે ધીર છે. બુદ્ધિને બહારમાં જ ભમાવ્યા કરે ને
સ્વજ્ઞેયને જાણવામાં ન લઈ જાય તો તે બુદ્ધિને ખરેખર બુદ્ધિ કહેતા નથી પણ કુબુદ્ધિ કહે
છે. સુબુદ્ધિ તો તેને કહેવાય કે જે અંતરમાં સ્વ–પરને ભિન્ન કરીને, પોતાના આત્માને
જ્ઞાનમાં ગ્રહણ કરે.
જ્ઞાની સંપૂર્ણ આત્માને સ્વજ્ઞેયમાં ગ્રહણ કરે છે, અને પરના અંશમાત્રને ગ્રહણ
કરતા નથી. સ્વજ્ઞેયને પૂરું ગ્રહણ કરે છે ને પરજ્ઞેયને અંશમાત્ર પોતામાં ગ્રહણ કરતા
નથી. આમ ભેદજ્ઞાનવડે સ્વનું ગ્રહણ તે સર્વ શાસ્ત્રોનો સાર છે. સંતોએ વિસ્તાર કરીને
જે સમજાવ્યું તે બધો આનો જ વિસ્તાર છે. બે તત્ત્વો જુદા કહેતાં બંનેનાં કાર્યો પણ
જુદાં જ

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
છે એ વાત તેમાં આવી જાય છે.
આત્મા ન જણાય–તો શું આત્મામાં પ્રમેયસ્વભાવ નથી? પ્રમેયસ્વભાવી આત્મા
પોતે પોતાને સ્વસંવેદનજ્ઞાનથી સાક્ષાત્ જાણે છે. પુદ્ગલથી આત્મા ભિન્ન છે એ વાતને
પુદ્ગલ ભલે ન જાણે, પણ તું તે જાણીને તારા ચૈતન્યસ્વરૂપ આત્મા તરફ વળ....ને તે
સ્વઘરમાં તું વસ. આવો આત્મા, જ્યાં સ્વજ્ઞેયપણે લક્ષમાં લીધો ત્યાં સંપૂર્ણપણે (એટલે
કે આનંદ પ્રતીત–વગેરે સર્વ ગુણો સહિત) આત્માનું ગ્રહણ થયું. આ સર્વજ્ઞસ્વભાવી
આત્મા છે તેને સ્વજ્ઞેય બનાવતાં હવે સર્વજ્ઞતા જ થશે–એ બાબતમાં જ્ઞાની નિઃશંક છે.
અનંતગુણસહિત આત્માનું જે સંપૂર્ણ રૂપ તેને જ્ઞાનીએ ગ્રહણ કર્યું ત્યાં પોતાનો અને
બધા આત્માનો સર્વજ્ઞસ્વભાવ તેને શ્રદ્ધામાં–જ્ઞાનમાં આવી ગયો; તેનું જ્ઞાન સર્વજ્ઞતા
તરફ દોડવા લાગ્યું....અલ્પકાળમાં હવે સર્વજ્ઞતા ખીલી જશે. પરના આધાર વગર
પ્રભુતા પ્રગટે, સ્વાધીનપણે સર્વજ્ઞતા પ્રગટે–આવો સ્વભાવ તું પ્રતીતમાં લે તો તેમાં સર્વ
શાસ્ત્રનો સાર સમાઈ જાય છે. અહો, જે જ્ઞાને અંતરમાં વળીને આત્માને સ્વજ્ઞેય
બનાવ્યો તેણે અનંતગુણના કાર્ય સહિત સંપૂર્ણ આત્માનું ગ્રહણ કર્યું. તેની પરિણતિ
ધારાવાહીપણે કેવળજ્ઞાન તરફ ચાલી.
ટૂંકામાં, સ્વ–પરની ભિન્નતા જાણીને સ્વદ્રવ્યનું ગ્રહણ કરવું તે સર્વતત્ત્વનો સાર
છે. પછી વિસ્તારથી સમજવાની રુચિવાળા જીવોને માટે જે કાંઈ વિશેષ વ્યાખ્યાન છે તે
બધો આનો જ વિસ્તાર છે. ને તે પણ પ્રશંસનીય છે. –આ રીતે જીવ–પુદ્ગલનું ભેદજ્ઞાન
કરીને તારામાં તન્મય થઈને તું તને જાણ–તે સર્વ તત્ત્વનો સાર છે.
* આ પ્રવચન ઉપરથી બનાવેલ કાવ્ય સામેના પાના પર વાંચો.
ઝડપ
સંસારમાં ક્ષણે ને પળે બની રહેલા
અનિત્યતાના ઝડપી બનાવો આપણને
ઢંઢોળે છે કે અરે જીવ! જેટલી ઝડપથી
કાળ વીતી રહ્યો છે તેના કરતાં વધુ
ઝડપથી તું તારું આત્મહિત સાધી લે.
સમયની રાહ જોઈને અટક નહીં.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
મને આનંદ આવે નિજ–ઘર
હવે ગમે નહીં પર ઘર
જેઠ સુદ પૂર્ણિમાએ શેઠશ્રી ચીમનભાઈના મકાનના વાસ્તુપ્રસંગે
થયેલ પૂ. ગુરુદેવનું સુંદર પ્રવચન–જે આ અંકમાં છપાયેલ છે તેના
અનુસંધાનમાં અમારા બાલવિભાગના સભ્ય નં. ૨૬૩ (ચેતનકુમાર જૈને)
બનાવેલ કાવ્ય સુધારીને અહીં આપવામાં આવ્યું છે.–પરઘરમાં ભટકતા
જીવને સ્વઘરમાં આવવાનો સાદ પાડતું આ કાવ્ય સૌને ગમશે. સં૦
હવે સમજાય મહિમા સ્વ–ઘર, મારે નથી રહેવું પર ઘર,
સાદ આવે નિજ–ઘર તણો, મને નહીં શોભે પર ઘર;
મને આનંદ આવે નિજ ઘર....હવે ગમે નહીં પર ઘર. (૧)
કાળ અનાદિથી પરની પ્રીત કીધી, સ્વભાવની પ્રીતિ છોડી દીધી,
સદ્ગુરુ કહે પર ઘર તું છોડ, તને નહીં શોભે પર ઘર.
સંતો બોલાવે આવ તું ઘેર, તને નહીં ગમે પર ઘર...હવે
(૨)
પ્રભો, પરમાં રહી તું દુઃખી થયો, સ્વનું લક્ષ તેમાં તું ચૂકી ગયો,
સાદ પાડી કહે વારંવાર, તને નહીં શોભે પર ઘર;
સ્વને પરથી ભિન્ન તું જાણ, તને નહીં ગમે પર ઘર...હવે
(૩)
દેખાય અશુદ્ધતા પર્યાયમહીં, તે નિજઘરમાં કદી શોભે નહી;
જરા યાદ કર કુંદકુંદ–વચન, તને નહીં શોભે પર ઘર;
પ્રભો, પ્રભુતાની હા તો પાડ! તને નહીં ગમે પર ઘર;...હવે
(૪)
સુખની શોધમાં ભટકી થાકી ગયો, રાગ દ્વેષની જાળમાં અટવાઈ ગયો,
સંતો પોકારે આવ તું ઘેર, તને નહીં શોભે પર ઘર;
તું પુદ્ગલાદિથી ભિન્નતા જાણ, તને નહીં ગમે પર ઘર...હવે
(પ)
પ્રભો, પર ઘરની વાતો સાંભળ્‌યે રાખી, નિજઘરની વાત ન ઉરમાં લીધી,
નિજ ઘરની તું વાત સાંભળ, તને નહીં શોભે પર ઘર;
પ્રભો! એક વાર હા તો પાડ, તને નહીં ગમે પર ઘર...હવે
(૬)

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
પ્રભો! પરની આશા રાખી દુઃખી થયો, તું પરને સહારે અંધ બન્યો,
અંધ એવો બન્યો શું કહું? જાણનારને જોઈ ના શક્્યો;
પ્રભો! સ્વ ભણી નજરું તો માંડ, તને નહીં શોભે પર ઘર.....હવે
(૭)
પ્રભો! ચિરકાલથી પરમાં વાસા કીધા, હવે નિજઘરમાં આવી કર તું વાસ્તા,
નિજને નિજ, પરને પર જાણ, તને નહીં શોભે પર–ઘર.
એકવાર ચૈતન્ય મંથન કર, તને નહીં ગમે પર ઘર....હવે
(૮)
પરથી ભિન્ન જાણવાની ન દરકાર કીધી, વસ્તુમાં વસવાની વાત ન લક્ષમાં લીધી;
અનંત ગુણ વસ્તુને સ્વઘર જાણ, તને નહીં શોભે પર ઘર;
ધીરો થઈ, ધીર! સ્વરૂપ વિચાર, તને નહીં ગમે પર ઘર....હવે
(૯)
પ્રભો! અનંતકાળે નરભવ મળ્‌યો, ભવના અભાવ માટે અવસર મળ્‌યો,
એમ સમજી આવ નિજ ઘર, તને નહીં શોભે પર ઘર;
ભવનો અંત એકવાર તું લાવ, ‘ચેતન’ શોભે નહીં પર ઘર;
મને આનંદ આવે નિજઘર, હવે નહીં ગમે પર ઘર....હવે
(૧૦)
* * * * * * * *
ક્્યાંય ન ગમે તો...
હે જીવ! તને ક્યાંય ન ગમતું હોય
તો બધેથી તારો ઉપયોગ પલટાવી
નાંખ.....ને આત્મામાં ગમાડ! આત્મામાં
આનંદ ભર્યો છે એટલે ત્યાં જરૂર
ગમશે....માટે આત્મામાં ગમાડ. આત્માર્થીને
જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક
આત્મામાં જરૂર ગમે તેવું છે, માટે તું
આત્મામાં ગમાડ.
(રત્નગ્રહમાંથી)

PDF/HTML Page 18 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક: ૧૯)
(૨પ૧) પૂર્ણતાના માર્ગનો પ્રારંભ
પોતામાં પૂર્ણતાની પ્રતીત વગર પૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકે નહિ. પૂર્ણતા
એટલે મુક્તિ; તે પૂર્ણતાના માર્ગનો પ્રારંભ પૂર્ણસ્વભાવની પ્રતીત વડે થાય છે.
(૨પ૨) જૈનમાર્ગ એટલે વીતરાગભાવ
જૈનમાર્ગ વીતરાગભાવ–સ્વરૂપ છે.
વીતરાગતા તે મોક્ષમાર્ગ છે.
વીતરાગભાવમાં રાગને સ્થાન નથી,–પછી ભલે તે રાગ વીતરાગ ઉપરનો હોય!
રાગ તે રાગ છે, વીતરાગતા તે વીતરાગતા છે.
રાગ તે વીતરાગતા નથી, વીતરાગતા તે રાગ નથી.
રાગને ધર્મ માને તે વીતરાગીધર્મને સાધી શકે નહિ.
(૨પ૩) આત્માનો ચમત્કાર
આત્મા ‘જ્ઞાયક’ છે.
જ્ઞાયકપણું–સ્વપર પ્રકાશકશક્તિ તે ચૈતન્યનો ચમત્કાર છે.
જ્ઞાન તે આત્માનો અસાધારણ ગુણ છે. આત્માની જ્ઞાનશક્તિ પોતાથી જ છે.
જ્ઞેયોને આધારે જ્ઞાન નથી, ઈન્દ્રિયોવડે જ્ઞાન નથી.
વિકલ્પોવડે જ્ઞાન નથી, જ્ઞાન જ્ઞાનથી જ છે.
આત્માના સ્વઆધારે જ જ્ઞાન છે.
આવા જ્ઞાનસ્વરૂપની ઉપાસના તે જ મોક્ષનો માર્ગ.
(૨પ૪) સાચું જ્ઞાન; ને આત્મપ્રેમ
અગિયાર અંગ અને નવપૂર્વ જાણવા છતાં અજ્ઞાની જે આત્મસ્વભાવને
ન જાણી શક્્યો, તે આત્મસ્વભાવને જ્ઞાનીએ તીવ્ર આત્મપ્રીતિના બળે
સ્વાનુભૂતિવડે એક ક્ષણમાં જાણી લીધો. તો એ આત્મપ્રીતિ અને એ
સ્વાનુભૂતિજ્ઞાન કેવાં,–કે અગિયાર અંગના જ્ઞાને જે કામ ન કર્યું તે કામ તેણે
એકક્ષણમાં કરી લીધું!

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
(૨૨પ) સાચું શરણ
જીવનું શરણ કોણ?
જીવનું શરણ શુધ્ધોપયોગ છે.
જીવને ત્રાસ કોનો?
જીવને ત્રાસ પરભાવનો.
(૨પ૬) પુણ્ય....પાપ....અને જડ
પૈસાથી ધર્મ નથી; પૈસાથી પુણ્ય નથી; પૈસાથી પાપ નથી.
દેહથી ધર્મ નથી; દેહથી પુણ્ય નથી; દેહથી પાપ નથી.
શુદ્ધભાવથી ધર્મ છે; શુભભાવથી પુણ્ય છે; અશુભભાવથી પાપ છે.
ને પૈસા–દેહ વગેરે તો જડ છે.
(૨પ૭) સ્વાનુભૂતિ માટેનું ઉપયોગી જ્ઞાન
બહારના પદાર્થોનું જ્ઞાન આત્માની સ્વાનુભૂતિ માટે કાર્યકારી થઈ શકતું નથી.
આત્માનો રંગ લગાડીને જ્ઞાન આત્મા તરફ વળે ત્યારે જ સ્વાનુભૂતિ થાય છે.
(૨પ૮) આત્મા સ્વાધીનતાથી જ સધાય
મારા સ્વભાવગુણ મને બીજા કોઈ આપે કે તે પ્રગટ કરવા બીજો કોઈ
મદદ કરે, તેની પ્રાપ્તિમાં બીજો કોઈ મને વિઘ્ન કરે એવી માન્યતા તે
પરાધીનતા છે; પરાધીનતા વડે આત્માને કદી સાધી શકાય નહિ.
મારા સ્વભાવગુણ મારામાં જ છે ને તે પ્રગટ કરવા હું સ્વતંત્ર છું–એવી
સ્વાધીન બુદ્ધિ વડે આત્માને સાધી શકાય છે.
(૨પ૯) ગરમીથી બચવા સમુદ્રમાં ડૂબકી
અંર્તસ્વરૂપમાં ચૈતન્યરસથી ભરપૂર કેવળજ્ઞાન–સમુદ્ર આનંદતરંગોથી
હિલોળા મારે છે.....આત્મપ્રીતિવડે તેમાં ડૂબકી મારીને લીન થા–તો સંસારના
તારા બધા આતાપ શમી જશે ને તને મોક્ષની પરમ શીતળ શાંતિ અનુભવાશે.
(૨૬૦) જડ, પુણ્ય, ને જ્ઞાન
પુણ્યથી ધર્મ થાય નહિ.
આત્મા જડનાં કારણ કરી શકે નહિ
જડથી ભિન્ન ને પુણ્યથી પાર એવું જે જ્ઞાન, તે આત્માનું ખરું કાર્ય છે ને તેમાં
આત્માનો ધર્મ છે.
મગ્ન નગ્ન ને ભગ્ન
ચૈતન્યમાં મગ્ન તે સાચા નગ્ન,
બાકી બધા મોક્ષમાર્ગથી ભગ્ન.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
પરમ શાંતિદાતારી
અધ્યાત્મ ભાવના
આત્મધર્મની સહેલી લેખમાળા
(લેખ: નં: ૩૭ અંક: ૨૭૨ થી ચાલુ)
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શું છે ને તેનો અનુભવ કેમ થાય તે વાત
પૂજ્યપાદસ્વામીએ આ સમાધિશતકમાં સહેલી રીતે વર્ણવી છે. આત્માના અતીન્દ્રિય
સુખની જેને અભિલાષા છે એવા જીવોને માટે રાગાદિથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપનું
વર્ણન કર્યું છે. વસ્ત્રનાં દ્રષ્ટાંતે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ બતાવીને કહે છે કે જેનો
ઉપયોગ આવા આત્મસ્વરૂપમાં લાગેલો છે તે જ પરમ શાંતિસુખને અનુભવે છે, બીજા
નહિ. આવો અનુભવ કરનાર જ્ઞાની કેવા હોય? તો કહે છે કે–
यस्य सस्पंदमाभाति निःस्पंदेन समं जगत्।
अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः।।६७।।
જે જ્ઞાનીને શરીરાદિની અનેક ક્રિયાઓ વડે સસ્પંદ એવું આ જગત કાષ્ટ વગેરે
સમાન નિસ્પંદ અને જડ ભાસે છે, તે જ પરમ વીતરાગી સુખને અનુભવે છે; તેના
અનુભવમાં ઈન્દ્રિયોના વ્યાપારરૂપ ક્રિયા નથી, કે ઈન્દ્રિયવિષયોનો ભોગવટો નથી.
ઉપયોગ જ્યાં અંતરમાં વળીને આત્માના આનંદના અનુભવમાં એકાગ્ર થયો ત્યાં દેહાદિ
તરફનું લક્ષ જ છૂટી જાય છે, એટલે તેને તો આ જગત નિશ્ચેતન ભાસે છે.–આવા જ્ઞાની
જ અંતર્મુખ ઉપયોગ વડે આત્મિક સુખને અનુભવે છે; મન–વચન–કાયાની ક્રિયાને
પોતાની માનનાર અજ્ઞાની બહિરાત્મા જીવ ચૈતન્યના પરમસુખને અનુભવી શકતો નથી.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા અશરીરી છે, તેને સાધવાવાળા જીવને જ્યાં શુભનોય રસ
નથી ત્યાં અશુભ પરિણામની તો વાત જ શી? જેને આત્માના સ્વરૂપની રુચિ થઈ તેને
સંસારનો અને દેહનો રાગ ટળ્‌યા વગર રહે નહિ; પરભાવની જરાય પ્રીતિ તેને રહે નહિ.