Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૭૯
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
૨૭૯
ભૂતાર્થ સ્વભાવથી વિમુખ પરિણામ તે સંસાર.
ભૂતાર્થ સ્વભાવની સન્મુખ પરિણામ તે મોક્ષમાર્ગ.
ભૂતાર્થરૂપ આત્મસ્વભાવને નહિ જાણનારા જીવોને
તેનું સ્વરૂપ સમજાવવા આચાર્યભગવંતો વ્યવહારદ્વારા તે
પરમાર્થનો ઉપદેશ આપે છે. પણ તેનો આશય સમજીને જે
પરમાર્થસ્વભાવની સન્મુખ થાય તે જ પરમાર્થને સમજે છે, ને
તેને જ સાચી દેશના પરિણમે છે એટલે કે મોક્ષમાર્ગ થાય છે.
પણ જે જીવ વ્યવહારઉપદેશને જ પરમાર્થ માનીને તે
વ્યવહારમાં જ અટકી જાય છે તે જીવ પરમાર્થસ્વરૂપને સમજી
શકતો નથી, એટલે દેશનાનો જે આશય હતો (–પરમાર્થ–
સ્વરૂપની સન્મુખ થવાનો–) –તેને તે સમજ્યો નથી; તેથી
તેના પરિણામ પરમાર્થસ્વરૂપથી વિમુખ જ રહ્યા;
પરમાર્થસ્વરૂપથી વિમુખ પરિણામ તે સંસાર જ છે.
(પુરુષાર્થ સિદ્ધિઉપાયના પ્રવચનમાંથી)
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ પોષ (લવાજમ : ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ : અંક ૩

PDF/HTML Page 3 of 41
single page version

background image
દુનિયામાં માતા–પુત્ર, અથવા ભાઈ–બેનનો સંબંધ નિર્દોષ ને
ઉત્તમ છે, પણ સાધર્મીનો સંબંધ તો એના કરતાંય ઘણું ઊંચું સ્થાન
ધરાવે છે,–એટલે તો પ્રસિદ્ધ છે કે ‘સાચું સગપણ સાધર્મીતણું.’
એની તુલનામાં આવે એવો કોઈ સંબંધ હોય તો તે એક જ છે–ગુરુ
અને શિષ્યનો; –પરંતુ ગુરુ–શિષ્યનો આ સંબંધ પણ અંતે તો
સાધર્મીના સગપણમાં જ સમાય છે, કેમકે એક જ ધર્મને
માનનારાઓમાં જે મોટા તે ગુરુ, ને નાનો તે શિષ્ય. એટલે ‘સાચું
સગપણ સાધર્મીતણું’–એની સૌથી ઉત્કૃષ્ટતા છે.
એક રાષ્ટ્રમાં રહેનારા વિધર્મીઓ પણ રાષ્ટ્રીયભાવના વડે
એકબીજાને ભાઈ ભાઈ સમજવામાં ગૌરવ અનુભવે છે, તો એક
જિનશાસનની છાયામાં રહેનારા, ને એક જ દેવ ગુરુ ધર્મને
ઉપાસનારાઓમાં ધાર્મિકભાવના વડે પરસ્પર જે બંધુત્વનું નિર્દોષ
વાત્સલ્ય વર્તતું હોય છે, અને ‘આ મારો સાધર્મી ભાઈ–બહેન કે
માતા છે’ એવું કહેતાં એના અંતરમાં જે નિર્દોષ ભાવના અને ધાર્મિક
ગૌરવ વર્તે છે–તેની તુલના જગતનો એકેય સંબંધ કરી શકે
તેમ નથી.
આપણો ધર્મ તો વીતરાગધર્મ! તેમાં સાધર્મી–સાધર્મીના
સંબંધની ઉત્કૃષ્ટતાનું બીજું કારણ એ છે કે તેમાં એકબીજાના
સંબંધથી માત્ર ધાર્મિકભાવનાની પુષ્ટિ સિવાય બીજી કોઈ આશા કે
અભિલાષા હોતી નથી. મને જે ધર્મ વહાલો લાગ્યો તે જ ધર્મ મારા
સાધર્મીને વહાલો લાગ્યો, એટલે તેણે મારી ધર્મભાવનાને પુષ્ટ
કરી...ને એની ધર્મભાવનાને હું પુષ્ટ કરું. –આમ અરસ્પરસ
ધર્મપુષ્ટિની નિર્દોષ ભાવના વડે શોભતું ધર્મવાત્સલ્ય જગતમાં
જયવંત હો.
[આપણા આત્મધર્મના ચાર ઉદ્દેશમાં એક “વાત્સલ્યનો
વિસ્તાર” એ ઉદ્દેશ છે. તેને અનુલક્ષીને “આપણે સૌ સાધર્મી” એ
લેખ અહીં રજુ થાય છે. સમસ્ત સાધર્મી બંધુઓ પણ આ સંબંધમાં
પોતાના ઉત્તમ વિચારો લખી મોકલે એવું હાર્દિક નિમંત્રણ છે.
વાત્સલ્યપોષક ઉત્તમ વિચારો અહીં રજુ થતા રહેશે.)

PDF/HTML Page 4 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વી. સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા પોષ
* વર્ષ ૨૪ : અંક ૩ *
ચેતના વગેરે સ્વગુણનું જે પુર–તેમાં જે સુએ તેને પુરુષ કહે છે.
નિજગુણની ચેતનાનો સ્વામી થઈને તેના આનંદને જે આત્મા ભોગવે છે તે જ
સ્વપ્રયોજનને સાધનાર પુરુષાર્થી છે. જે જીવ રાગમાં લીન થઈને સ્વગુણને ભૂલે
છે, તે સ્વપ્રયોજનરૂપ અર્થને સાધી શકતો નથી તેથી તેને ખરેખર પુરુષ કહેતા
નથી. ‘પુરુષ’ પણું એ કાંઈ દેહમાં નથી પણ ચૈતન્ય–પરિણતિરૂપ નિજપુરનો
સ્વામી થઈને તેમાં એકત્વપણે પરિણમે તે આત્માને જ અહીં પુરુષ કહ્યો છે; ને
તે પુરુષ સમ્યક્ત્વાદિ ઉપાય વડે પોતાના અર્થને–પ્રયોજનને સિદ્ધ કરે છે,–તેની
આ વાત છે, એટલે કે પુરુષના અર્થની સિદ્ધિના ઉપાયનું આ વર્ણન છે.
‘અજિત’નાથની સ્તુતિ કરતાં ભક્ત કહે છે કે હે નાથ! રાગદ્વેષને આપે
જીતી લીધા, રાગ–દ્વેષવડે આપ ન જીતાયા–તેથી આપ ખરા અજિત છો, આપ
ખરા પુરુષાર્થવાન–પુરુષ છો...પરંતુ રાગવડે જે જીવ જીતાઈ જાય–હારી જાય તેને
પુરુષ કોણ કહે? નિજગુણના ઉપભોગરૂપ સ્વગુણની શુદ્ધપરિણતિનો સ્વામી
થઈને વર્તવાને બદલે તે તો રાગનો દાસ થઈને રહ્યો, –એને પુરુષ કોણ કહે?
પ્રભો! તારી સુવાની સોડ્ય તો અનંતગુણની શુદ્ધચેતનામાં છે. નિજગુણના
નિર્મળ પુરમાં જે સુએ તે પુરુષ છે. એ જ પોતાના સાચા પ્રયોજનરૂપ અર્થને
સાધી શકે છે. પુરુષના સ્વપ્રયોજનરૂપ અર્થની સિદ્ધિનો જે ઉપાય તે
‘પુરુષાર્થસિદ્ધિઉપાય’ છે; રત્નત્રય તે જ પુરુષના અર્થની સિદ્ધિનો ઉપાય છે,
એનું વર્ણન અમૃતચંદ્રસ્વામીએ પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કર્યું છે. એવા ઉપાય વડે જે
પોતાના પ્રયોજનને સાધે તે જ સાચો પુરુષ છે.
(પુરુષાર્થ સિદ્ધિઉપાયના પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આત્મ – પ્રકાશ
પૂ. ગુરુદેવને અત્યંત પ્રિય અને આત્મઅનુભવની ખાસ
પ્રેરક એવી ૪૭ આત્મશક્તિઓ ઉપરના પ્રવચનો “આત્મવૈભવ”
નામના પુસ્તકરૂપે છપાઈ રહ્યા છે. તેમાંથી એક પ્રકરણનો થોડોક
નમૂનો અહીં આપીએ છીએ–જે વાંચીને સૌને આનંદ થશે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં એક પ્રકાશ શક્તિ છે, આ શક્તિના બળથી આત્મા
પરની સહાય વગર–રાગ વગર પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ પ્રકાશે છે ને સ્વાનુભવ કરે
છે. આ શક્તિનો અચિંત્ય મહિમા છે.
જ્યારે જે શક્તિ આવે ત્યારે તેનાં ગાણાં ગવાય. બાકી તો દરેક શક્તિ આખા
આત્માને પ્રસિદ્ધ કરનારી છે; દરેક શક્તિ પોતાના પૂર્ણ સામર્થ્યથી ભરેલી છે ને
વિકારના અભાવરૂપ છે. એક શક્તિને જુદી પાડીને તેનો આશ્રય કરી શકાય નહિ.
શક્તિ અને શક્તિમાન જુદા નથી, ગુણ અને ગુણી જુદા નથી, એટલે દ્રવ્યની શક્તિનું કે
ગુણનું સ્વરૂપ ઓળખતાં અનંતધર્મસંપન્ન આખું દ્રવ્ય ઓળખાઈ જાય છે, ને તેની
પ્રતીત વડે સમ્યગ્દર્શન થાય છે. એમાં ક્્યાંય વચ્ચે રાગનું કે નિમિત્તનું અવલંબન નથી.
તેના અવલંબન વગર આત્મા પોતે જ પોતાને સ્પષ્ટ એટલે કે પ્રત્યક્ષ પ્રકાશે છે એવો
તેનો પ્રકાશસ્વભાવ છે.
આમાં બે વાત આવી–એક તો સ્વાનુભવમાં આત્મા પોતે પોતાને સ્પષ્ટ પ્રકાશે
છે અને તે સ્વાનુભવ સ્વયં પ્રકાશમાન છે, તેમાં આત્મા સિવાય બીજા કોઈનો હાથ
નથી. આવા સ્વસંવેદનની તાકાતવાળો આત્મા છે.
કોઈ કહે કે આત્મા ન જણાય?
તો અહીં કહે છે કે ભાઈ, આત્મા પોતે પોતાને સ્વાનુભવમાં પ્રત્યક્ષ જણાય
એવો તો એનો સ્વભાવ જ છે, અને તેમાં કોઈ બીજાની જરૂર ન પડે એવો સ્વયં

PDF/HTML Page 6 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
પ્રકાશમાન સ્વભાવ છે. દીવો પોતે જ પ્રકાશી રહ્યો છે કે હું દીવો છું, દીવાને દેખવા માટે
બીજા દીવાની જરૂર નથી પડતી, તેમ આ આત્મા ચૈતન્યપ્રકાશી દીવો પોતે જ પોતાને
સ્વસંવેદનમાં પ્રકાશી રહ્યો છે, જ્ઞાન પોતે જ પોતાને પ્રકાશી રહ્યું છે કે હું જ્ઞાન છું, –આ
રીતે આત્મા સ્વયં પ્રકાશમાન છે, એને પ્રકાશવા માટે કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી
પડતી. રાગની કે ઈન્દ્રિયોની તો વાત જ ક્્યાં રહી? તે તો અંધકારરૂપ છે,
ચેતનપ્રકાશમાં તેનો અભાવ છે.
કોઈ કહે કે આત્મા પોતે પોતાને ન જાણે. –અરે ભાઈ! તો તો આત્મા સ્વયં
પ્રકાશમાન ન રહ્યો! અહીં તો ભગવાન કહે છે કે આત્મા સ્વયં પ્રકાશમાન છે; અને
પોતાને પણ જ્ઞાનને અંતર્મુખ કરીને સ્પષ્ટ સ્વસંવેદન થાય છે કે મારો આત્મા મારા
વેદનમાં આવ્યો. આત્મા ઉપયોગસ્વરૂપ છે, તેના ઉપયોગમાં ઉપયોગ જ છે ને
ઉપયોગમાં રાગાદિ નથી–એમ ધર્મી જીવ ભેદજ્ઞાન વડે પોતે પોતાને સ્પષ્ટ અનુભવે છે.
હા, એટલું ખરું કે રાગવડે અથવા ઈન્દ્રિયો તરફના જ્ઞાનવડે આત્મા કદી અનુભવમાં
આવી શકે નહિ; પણ રાગથી ને ઈન્દ્રિયોથી પાર એવા અન્તર્મુખ ઉપયોગ વડે તો
આત્મા પોતે પોતાને સાક્ષાત્ અનુભવે છે, ને એ અનુભવમાં પરમઆનંદ થાય છે.
આવો સાક્ષાત્ અનુભવ કરવો તે પ્રકાશશક્તિનું કાર્ય છે.
રાગાદિ આસ્રવોમાં એવી તાકાત નથી કે પોતે પોતાને પ્રકાશે; જ્ઞાનમાં જ એવી
તાકાત છે કે પોતે પોતાને પ્રકાશે. રાગને ખબર નથી કે હું રાગ છું, એને પ્રકાશનારું તો
જ્ઞાન છે. જ્ઞાનને ખબર છે કે હું જ્ઞાન છું ને આ રાગ છે; એમ સ્વ–પર બંનેને પ્રકાશનારું
જ્ઞાન જ છે.
શ્રીગુરુના ઉપદેશથી આત્માનું સ્વરૂપ સમજીને જે રત્નત્રયરૂપ પરિણમ્યો ને
‘આત્મારામ’ થયો તેને પોતાના સ્વરૂપનું સંચેતન કેવું હોય તે બતાવતાં ૩૮ મી
ગાથામાં કહે છે કે હું ચિન્માત્રજ્યોતિ આત્મા ખરેખર આત્મ–પ્રત્યક્ષ છું, મારા આત્માના
સ્વસંવેદન–પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને પણ એવું
સ્વસંવેદન થયું છે. અહા, આ સ્વસંવેદનનો અપાર મહિમા છે, બધા ગુણોનો રસ
સ્વસંવેદનમાં સમાય છે; સ્વસંવેદનવડે મોક્ષનાં દ્વાર ખુલી જાય છે. શરૂઆતના
મંગલાચરણમાં જ ‘
स्वानुभूत्या चकासते’ એમ કહીને શુદ્ધ આત્મા સ્વાનુભૂતિ વડે
પ્રકાશે છે એટલે કે અનુભવમાં આવે છે–એમ બતાવ્યું હતું. અહાં પ્રકાશશક્તિમાં

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
પણ એ જ કહે છે કે આત્મા સ્વયં પ્રકાશમાન છે, આત્માનું સ્વસંવેદન–સ્વાનુભવ તેમાં
બીજા કોઈનું અવલંબન નથી. તે સ્વયં પોતાની મેળે જ પોતાને પ્રકાશે છે.
અહા, આત્માનો પ્રકાશસ્વભાવ તો એકદમ સ્પષ્ટ સ્વસંવેદનરૂપ કાર્ય બતાવે છે;
એમાં જરાય પરોક્ષપણું રહે એવો આત્માનો સ્વભાવ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે
પોતાને કે પરને જાણે તેમાં તેને રાગનું નિમિત્તનું કે બીજા કોઈનું અવલંબન લેવું પડે
એવો તેનો સ્વભાવ નથી; કોઈના અવલંબન વગર સ્પષ્ટ–પ્રત્યક્ષપણે પ્રકાશે એવો એનો
પ્રકાશસ્વભાવ છે. પોતે પોતાથી સ્વયં પ્રકાશનારો છે. પોતાની સ્વાનુભૂતિથી જ પોતે
પોતાને પ્રકાશી રહ્યો છે. તેમાં બીજા કોઈનું અવલંબન નથી.
આવું સ્વયંપ્રકાશીપણું એ આત્માનો વૈભવ છે, આત્માની એ સાચી સંપદા છે.
શરૂઆતમાં આચાર્ય ભગવાને (પાંચમી ગાથામાં) કહ્યું હતું કે સુંદર આનંદની છાપવાળું
જે પ્રચુર સ્વસંવેદન, તેના વડે મારો આત્મવૈભવ પ્રગટ થયો છે, અને મારા સમસ્ત
આત્મવૈભવવડે હું આ સમયસારમાં એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા દેખાડું છું. તમે તમારા
સ્વાનુભવ–પ્રત્યક્ષવડે તે પ્રમાણ કરજો. જુઓ, સાધકના શ્રુતજ્ઞાનમાં પણ આત્માને
સ્વાનુભવ–પ્રત્યક્ષ કરવાની તાકાત છે. સ્વયં પ્રકાશમાન અને સ્પષ્ટ એવું આત્માનું
સ્વસંવેદન શ્રુતજ્ઞાનવડે થઈ શકે છે, ને એવું સ્વસંવેદન કરે ત્યારે જ સાચું આત્મજ્ઞાન
થાય છે ને ત્યારે જ ધર્મ થાય છે. એ સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે,
અનંતગુણની નિર્મળતા તેમાં પરિણમે છે.
આત્માને કેમ જાણવો તેની આ વાત છે. અહા, તું પોતે કેવો, ને કેવડો? તે
જાણ્યા વિના તને તારો મહિમા ક્્યાંથી આવશે? મહિમા આવ્યા વગર સ્વસન્મુખતા
ક્્યાંથી થશે? અને સ્વસન્મુખતા વગર સમ્યગ્દર્શન ક્્યાંથી થશે? સમ્યગ્દર્શન વગર
સુખનો રાહ ક્્યાંથી હાથ આવશે? માટે હે ભાઈ! તારું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં
લઈને તેનો મહિમા કર. સ્વનો મહિમા જાગતાં પરનો મહિમા ઊડી જશે, એટલે સ્વ–
પરનું ભેદજ્ઞાન થઈને સ્વસન્મુખતા થશે; સ્વસન્મુખ સ્વસંવેદનમાં તારો આત્મા સ્વયં
પ્રકાશમાન થશે એટલે કે આનંદસહિત અનુભવમાં આવશે. સમ્યગ્દર્શનાદિ પ્રગટ
કરવાની ને સુખી થવાની આ રીત છે. સુખના રાહ અંદરમાં સમાય છે. બહારમાં
કાંઈ નથી.

PDF/HTML Page 8 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
[વીર સં. ૨૪૮૨ અષાડ વદ ૧૨ : સમાધિશતક ગા. ૭૭]
(અંક ૨૭૮ થી ચાલુ) (લેખાંક ૪૪મો)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
જેને આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિ થઈ છે ને દેહાદિને પોતાથી જુદા જાણ્યા છે
એવા અંતરાત્માને મરણપ્રસંગ આવતાં શું થાય છે તે હવે કહે છે–
आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः।
मन्यते निर्भयं त्यक्तवा वस्त्रं वस्त्रांतरग्रहम् ।।७७।।
ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેમાં જ જેણે એકત્વબુદ્ધિ કરી છે, ને દેહની ગતિ–
પરિણતિને પોતાથી અન્ય જાણી છે–એવા ધર્માત્માને દેહ છૂટવાના પ્રસંગ આવતાં પણ તે
નિર્ભય રહે છે, હું મરી જઈશ એવો ભય તેને થતો નથી, તે તો જેમ એક વસ્ત્ર છોડીને
બીજું વસ્ત્ર ગ્રહણ કરવામાં આવે તેમ મરણને પણ ફક્ત દેહનું રૂપાંતર જાણે છે. એક શરીર
પલટીને બીજું શરીર આવે, તે બંને શરીરોથી પોતાના આત્માને જુદો જાણે છે.
ધર્મી અંતરાત્મા પોતાના જ્ઞાનપરિણમનને જ પોતાનું જાણે છે, શરીરના
પરિણમનને તે પોતાનું નથી જાણતા, તેને તો તે જડનું પરિણમન જાણે છે. શરીરની
ઉત્પત્તિ, બાલ–યુવાન–વૃદ્ધ અવસ્થાઓ કે મરણ તે બધાયથી હું જુદો છું, હું તો જ્ઞાનસ્વરૂપ
છું; શરીર છૂટતાં મારું જ્ઞાન છૂટતું નથી માટે મારું મરણ નથી, એવા ભાનમાં ધર્માત્માને
મરણનો ભય નથી. એક શરીર બદલીને બીજું આવ્યું, ત્યાં મને શું? હું તો સળંગપણે
રહેનાર જ્ઞાનસ્વરૂપ જ છું. જેમ વસ્ત્ર પલટતાં માણસ દુઃખી થતો નથી તેમ શરીરને
વસ્ત્રની માફક પોતાથી ભિન્ન જાણનાર જ્ઞાનીને શરીર પલટતાં દુઃખ નથી થતું. હજી તો
આ શરીર અહીં ભડભડ બળતું હોય તે પહેલાં તો આત્મા સ્વર્ગમાં ઉપજી ગયો હોય. એ
શરીરની ક્રિયાઓનું સ્વામીપણું આત્માને નથી–એમ પહેલેથી જ્ઞાનીએ દેહની ભિન્નતા જાણી
છે. મારા વિવિધ પરિણામને લીધે શરીરની વિવિધ પરિણતિ થાય છે એમ ધર્મી માનતા
નથી. ધર્મી તો જ્ઞાનપરિણામને જ પોતાનું કાર્ય જાણે છે, એટલે કે તે જ્ઞાતાપણે જ રહે છે.

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આ શરીર સાથે એકક્ષેત્રે રહેવારૂપ નીકટ સંબંધ હોવા છતાં આત્માથી તે તદ્ન
ભિન્ન છે. દેહનું કાર્ય દેહ કરે ને આત્માનું કાર્ય આત્મા કરે–એમ જ્ઞાની બંનેના કાર્યોને
ભિન્ન ભિન્ન દેખે છે; અજ્ઞાની તો ‘હું બોલ્યો, હું ચાલ્યો’–એમ આત્મા અને શરીર
બંનેના કાર્યોને એકપણે જ દેખે છે. ધર્માત્મા જાણે છે કે શરીર અને સંયોગો તે બધા
મારાથી જુદા છે, તે બધા અહીં પડ્યા રહેશે, મારી સાથે એક પગલું પણ નહિ આવે;
મારા શ્રદ્ધા–જ્ઞાન–આનંદ જ મારી સાથે સદા રહેનારા છે. –આવા ભાનપૂર્વક ધર્મી શ્રદ્ધા–
જ્ઞાનને સાથે લઈ જાય છે એટલે કે સમાધિ– મરણ કરે છે. શરીરના ત્યાગ–ગ્રહણને તે
વસ્ત્રના ત્યાગ–ગ્રહણની માફક જાણે છે. ઝૂંપડીના નાશથી માણસ મરી જતો નથી તેમ
આ શરીરરૂપી ઝૂંપડીના નાશથી કાંઈ આત્માનો નાશ થતો નથી. –આવું ભેદજ્ઞાન કરીને
જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના જેણે ભાવી છે એવા ધર્માત્માને મરણ પ્રસંગે પણ
સમાધિ જ રહે છે.
પ્રભો! એકવાર દ્રષ્ટિની ગુલાંટ મારીને આમ અંતરમાં ચૈતન્યસ્વભાવ ઉપર
નજર માંડ. આ દેહ અને સંયોગો એ કોઈ તને શરણું નહિ આપે, માટે તેની દ્રષ્ટિ છોડ,
ને શરણભૂત એવા ચૈતન્યને જ દ્રષ્ટિમાં લે...તો તને ગમે તે ક્ષણે ચૈતન્યના શરણે
સમાધિ જ રહેશે.
।। ૭૭।।
હવે આ ૭૮ મી ગાથા સરસ છે; તેમાં કહે છે કે જે જીવ વ્યવહારનો–રાગાદિનો
આદર કરતો નથી તે જ આત્મબોધને પામે છે, અને જે જીવ વ્યવહારનો આદર કરે છે
તે જીવ આત્મબોધ પામતો નથી.
[સૂચના: શરતચૂકથી આ લેખમાળાના બે લેખો આ એક જ અંકમાં છપાઈ
ગયા છે.]
મોક્ષની સ્થિતિ અનંતકાળની હોય છે, પણ બંધની સ્થિતિ અનંતકાળની
હોતી નથી. કોઈ પણ બંધન અસંખ્યાત વર્ષ કરતાં વધારે સ્થિતિનું હોઈ શકે
નહિ...અમુક કાળે છૂટી જ જાય, કેમકે તે આત્મસ્વરૂપ નથી.
* * *
દેહરહિત એવા સિદ્ધપદની સ્થિતિ અનંતકાળની છે, પણ કોઈ દેહની સ્થિતિ
અનંતકાળની હોતી નથી, મર્યાદિતકાળે તે છૂટી જાય છે; ––કેમકે દેહ તે જીવ નથી.
* * *

PDF/HTML Page 10 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
ચૈતન્યરાજા સ્વાનુભવથી શોભે છે
[રાજાઓનો પણ રાજા એવો આ ચૈતન્યમહારાજા, તેની સન્મુખ
થઈને તેની સેવા કરતાં તે પ્રસન્ન થાય છે ને આનંદનો અનુભવ આપે છે.
...ઘણાય ધર્માત્માઓએ અંતરમાં આવા આત્માનો અનુભવ કર્યો છે;
પોતે જાતે અનુભવ કરીને કહે છે કે તમે પણ જો આત્માની લગની
લગાડીને, અને સંસારના કોલાહલનો રસ છોડીને અંતરમાં ઉદ્યમ કરો
તો તમને પણ જરૂર અમારી જેમ આત્માનો અનુભવ થશે.
]
આચાર્યદેવ કહે છે કે અરે જીવ! જેમ અનાદિથી તને શરીરનાં કામ હું કરું ને શુભ
રાગથી ધર્મ થાય–એવી બહારની ધૂન લાગી છે, તેમ એકવાર અમે કહીએ છીએ તેવા
ભિન્ન આત્માના અનુભવની તો ધૂન લગાડ. આવા આત્માનો રસિક થઈને તેના
અનુભવનો ઉદ્યમ કર, તો તને જરૂર તેની પ્રાપ્તિ તારા અંતરમાં થશે. આત્માની પ્રાપ્તિ ન
થાય–એ તે કાંઈ શોભે? અરે, એક સારા રાજા પાસે જઈને તેની સેવા કરે તો તે પણ
પ્રસન્ન થઈને ન્યાલ કરે છે, તો જગતના રાજાઓનો પણ રાજા–એવો આ આત્મરાજા–
ચૈતન્યમહારાજા, તેની સન્મુખ થઈને તેની સેવા કરે (તેના શ્રદ્ધા જ્ઞાનનો ઉદ્યમ કરે) અને
તે પ્રસન્ન થઈને સાક્ષાત્ આનંદનો અનુભવ ન આપે–એ તે કાંઈ શોભતું હશે? –ન શોભે.
ચૈતન્ય રાજાની સેવા કરતાં તે સાક્ષાત્ દર્શન આપે જ, તેનો અનુભવ થાય જ, ને
સ્વાનુભવથી આત્મા શોભી ઊઠે–એવો આત્મા છે.
અહા, આત્મા તો સર્વજ્ઞ–સમરસી વસ્તુ છે, વીતરાગમૂર્તિ ને જ્ઞાનમૂર્તિ છે; બીજો
કોલાહલ ને બીજા વિકલ્પો છોડીને આવા આત્માનો પ્રેમ પ્રગટ કરે તો જરૂર સમ્યગ્દર્શન
થાય; વીતરાગતા ને સર્વજ્ઞતા થાય.
જેનામાં જ્ઞાન ભર્યું છે તેનું જ્ઞાન કર!
જેનામાં વીતરાગતા ભરી છે તેને વીતરાગભાવવડે સાધ. રાગ વડે તે નહિ સધાય,
રાગ વડે તે નહિ જણાય.
અહો, ચૈતન્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે ને તેની પ્રાપ્તિ ન થાય–તે શોભે નહિ. સાચો
પુરુષાર્થ કરે ને તેનું કાર્ય ન પ્રગટે તો તો જગતમાં કારણ–કાર્યનો મેળ તૂટી જાય, –એ

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
તે કેમ શોભે? અંતરના સાચા પુરુષાર્થ વડે તેની પ્રાપ્તિ થાય જ.
સમવસરણની શોભા વચ્ચે તીર્થંકર ભગવાને ઈન્દ્રો અને ચક્રવર્તીને આવા
આત્માના સુંદર અનુભવનો ઉપદેશ આપ્યો હતો ને અત્યારે પણ સીમંધરભગવાન આવો
ઉપદેશ વિદેહક્ષેત્રમાં આપી રહ્યા છે.
ઈન્દ્ર અને ચક્રવર્તીને (તથા રાજ્ય અવસ્થામાં તીર્થંકરને) પહેરવાનો એક ઉત્તમ
હાર ૧૦૦૮ સેરનો થાય છે–જેની અદ્ભુત શોભા હોય છે, પણ તે ધર્મી કહે છે કે–એ હાર
વડે અમારી શોભા નહિ, સર્વજ્ઞતા ને સમરસીભાવરૂપ જે ચૈતન્યહાર તેના વડે અમારી
શોભા છે, તે હારમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે સાચા રત્નો ગૂંથેલા છે. અનંતી
નિર્મળપર્યાયની હારમાળા જેમાં ગૂંથાયેલી છે એવો આ ચૈતન્યસ્વરૂપ આત્મા મહા
શોભાયમાન વસ્તુ છે. તેની પ્રાપ્તિનો ઉદ્યમ કર. તારા અંતરમાં જ તને તેની પ્રાપ્તિ થશે.
ભાઈ, દેહ તે હું ને રાગ તે હું–એવી તારી માન્યતા અનંતકાળથી તેં સેવી, છતાં
તેમાંથી તને જરાય સુખની કે મોક્ષની પ્રાપ્તિ ન થઈ; તો હવે જરાક ધીરો થઈ શાંત થઈ,
અમારી વાત લક્ષમાં લે; ને અમે કહ્યું તે રીતે દેહથી ને રાગથી અત્યંત ભિન્ન એવા
આત્માને અંતરમાં દેખવાનો ઉદ્યમ કર. તું જો કે એવા અભ્યાસથી છ મહિનામાં તને કેવું
ઉત્તમ ફળ આવે છે? તને જરૂર આત્માનો અનુભવ થશે; સ્વાનુભવની પ્રાપ્તિથી તારો
આત્મા શોભી ઊઠશે.
અરે, સ્વાનુભવ વગરનો આત્મા કેમ શોભે? પોતાને જડરૂપે માને, પોતાને
વિકારરૂપે માને–એ જીવ કેમ શોભે? વિકારવડે કે જડવડે આત્માની શોભા ન હોય; ભાઈ!
એ તો કલંક છે. તારો આત્મા એનાથી ભિન્ન ચૈતન્યવિલાસ વડે શોભે છે.
શરીર તારા સંયોગમાં રહ્યું છે પણ તે જડપણે રહ્યું છે, તારા ચેતનરૂપે થઈને તે
નથી રહ્યું; માટે તે તું નથી. એ જ પ્રમાણે ક્ષણિક રાગ છે તે રાગરૂપે રહ્યો છે પણ તારા
ચૈતન્યરૂપે થયો નથી, માટે તે રાગ પણ તું નથી. તું તો ચૈતન્યસ્વરૂપ જ સદાય છો; આવા
ચૈતન્યસ્વરૂપને દેહથી ભિન્ન દેખ, ને રાગથી ભિન્ન દેખ;–એને દેખતાં જ તને પરમ
આનંદસહિત તારું ચૈતન્યપદ પ્રગટ અનુભવમાં આવશે. એની લગની લાગવી જોઈએ,
એની ધૂન જાગવી જોઈએ...તો અંતર્મુહૂર્તમાં જ એની પ્રાપ્તિ થઈ જાય.
અહો, ઘણાય ધર્માત્મા જીવોએ અંતરમાં આવા આત્માનો અનુભવ કર્યો છે;
પોતે જાતે અનુભવ કરીને કહે છે કે તમે પણ જો આત્માની લગની લગાડીને, અને
સંસારના કોલાહલનો રસ છોડીને અંતરમાં ઉદ્યમ કરો તો તમને પણ જરૂર અમારી
જેમ આત્માનો અનુભવ થશે.

PDF/HTML Page 12 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
(લેખાંક ૪પ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
દેહ અને આત્માને ભિન્ન નહિ જાણનારો અજ્ઞાની દેહમાં આત્મબુદ્ધિને લીધે
મરણથી ભયભીત રહે છે ને અસમાધિપણે મરે છે. જ્ઞાની તો દેહને પોતાથી અત્યંત ભિન્ન
જાણે છે તેથી તેને મૃત્યુનો ભય નથી, તેને તો મરણ ટાણેય સમાધિ જ છે. –એમ અજ્ઞાની
તથા જ્ઞાનીના ભિન્ન ભિન્ન પરિણામની વાત કરી.
હવે ૭૮ મી ગાથામાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે મૂળભૂત તફાવત બતાવતાં સરસ
વાત કરે છે કે–જે જીવ વ્યવહારમાં અનાદરવાન છે એટલે કે વ્યવહારનો–રાગાદિનો આદર
કરતો નથી તે જ આત્મબોધને પામે છે, અને જે જીવ વ્યવહારમાં આસક્ત છે–તેનો આદર
કરે છે તે જીવ આત્મબોધને પામતો નથી.–
व्यवहारे सुषुप्तो यः स जागर्त्यात्मगोचरे।
जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्ताश्चात्मगोचरे
જે જીવો વ્યવહારમાં સૂતેલા છે એટલે કે વ્યવહારનો આદર કરતા નથી તેઓ
આત્માના ઉદ્યમમાં જાગૃત છે. અને જેઓ વ્યવહારમાં જાગૃત છે–તેનો જ આદર કરે છે તે
આત્માના ઉદ્યમમાં ઊંઘે છે એટલે કે આત્માના પ્રયત્નમાં તે તત્પર નથી.
મોક્ષપ્રાભૃતની ૩૧મી ગાથામાં પણ કુંદકુંદાચાર્યદેવે આ વાત કરી છે. જ્ઞાનીને રાગ
તો હોય–પણ તે રાગમાં તે તત્પર નથી, તત્પરતા તો જ્ઞાનસ્વભાવમાં જ છે. જેને રાગમાં
તત્પરતા છે–રાગથી લાભ માને છે તે જીવો આત્મસ્વભાવના પ્રયત્નમાં અનુદ્યમી છે.
અજ્ઞાનીઓ કહે છે કે વ્યવહાર કરતાં કરતાં પરમાર્થ પમાશે...અહીં સંતો સ્પષ્ટ કહે છે કે
જેઓ વ્યવહારમાં જાગૃત છે–તત્પર છે તેઓ પરમાર્થમાં ઊંઘતા છે, એટલે કે તેઓ
પરમાર્થને પામતા નથી.
વ્યવહારના વિકલ્પવડે–રાગવડે પરમાથર્

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
પમાશે એમ જેણે માન્યું તેનું તો ધ્યેય જ ખોટું છે, તેણે રાગને જ ધ્યેય બનાવ્યો છે, પણ
પરમાર્થ સ્વભાવને ધ્યેય નથી બનાવ્યું; તેથી પરમાર્થ સ્વભાવને તો તે આદરતો નથી,
તેમાં તો તે ઉદ્યમી થતો નથી ને રાગનો આદર કરીને તેમાં જ ઉદ્યમી રહે છે–તેમાં જ તત્પર
રહે છે. જ્ઞાનીની દ્રષ્ટિનું ધ્યેય પલટી ગયું છે, રાગ હોય છતાં તેનું ધ્યેય ચિદાનંદ સ્વભાવ
તરફ વળી ગયું છે, તેમાં જ તે તત્પર છે, તેનો જ ઉદ્યમી છે, રાગને તે હેય જાણે છે, તેમાં
તે અતત્પર છે. જુઓ, આમાં રુચિનું વલણ કઈ બાજુ ઢળે છે તેની વાત છે. આત્માના
સ્વભાવ તરફ રુચિનું વલણ છે કે રાગ તરફ રુચિનું વલણ છે તેના ઉપર ધર્મી–અધર્મીનું
માપ છે. અહો, આવી સરસ ચોકખી હિતની વાત કરી હોવા છતાં, તે સાંભળીને મૂઢ જીવો
કહે છે કે “અરે, તમે વ્યવહાર ઉડાડો છો. વ્યવહારથી ધર્મ નથી મનાવતા માટે તમે
વ્યવહારને ઊડાડો છો!” –અરે શું થાય? અત્યારે કાળ જ એવો છે. આગળના ધર્મકાળમાં
તો ધર્માત્મા પર જ્યાં સંકટ પડે ત્યાં દેવો ઘણીવાર સહાય કરવા આવતા ને ધર્મનો વિરોધ
કરનારને દંડ દેતા; પણ અત્યારે તો કોઈ પૂછનાર નથી; ઊલટા ‘ચોર કોટવાળને દંડે’
એવી સ્થિતિ થઈ પડી છે. છતાં જે સત્ય છે તે તો સત્ય જ રહેશે, સત્ય કાંઈ ફરવાનું નથી.
લોકોને ન બેસે ને ઘણા વિરોધ કરે તેથી કાંઈ સત્યનું સ્વરૂપ બદલવાનું નથી. માટે જેણે
સત્ય સમજીને આત્માનું હિત કરવું હોય તેણે આ વાત માન્યે જ છૂટકો છે.
[વીર સં. ૨૪૮૨ અષાડ વદ ૧૩ શનિવાર]
આત્માની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે સમાધિ છે. આત્માના સ્વભાવને જાણીને
તેમાં જે તત્પર છે તે આત્મામાં જાગૃત છે–આત્માનો આરાધક છે, અને રાગાદિમાં તે ઊંઘે
છે, તથા જે જીવ રાગાદિમાં ધર્મ માનીને તેમાં જ તત્પર છે તે અજ્ઞાની જીવ રાગમાં જ
તત્પર છે, તે રાગમાં જ જાગે છે એટલે કે રાગને જ આરાધે છે, પણ રાગરહિત ચિદાનંદ
સ્વભાવને તે આરાધતો નથી, તેમાં તો તે ઊંઘે છે.
એકબીજાથી વિરુદ્ધ બે પરિણતિ એક સાથે રહી શકે નહિ, એટલે કે જેને ચૈતન્ય
સ્વભાવમાં રુચિ–તત્પરતા છે તેને રાગાદિ વ્યવહારમાં રુચિ કે તત્પરતા હોતી નથી, અને
જેને રાગાદિ વ્યવહારમાં તત્પરતા–આદરબુદ્ધિ છે તેને આત્માના ચૈતન્યસ્વભાવમાં
તત્પરતા–આદરબુદ્ધિ નથી. ચૈતન્યસ્વભાવ અને રાગ એ બંને એકબીજાથી વિરુદ્ધ છે,
એટલે તે બંનેની રુચિ કે આદરબુદ્ધિ એક સાથે રહી શકતી નથી. ચૈતન્ય સ્વભાવની
સન્મુખ જેની પરિણતિ છે એવો સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા રાગાદિ લૌકિક વ્યવહારમાં ઉદાસીન
રહે છે–તેમાં આદરબુદ્ધિ કરતો નથી. તે રાગમાં ધર્મ માનીને તેમાં

PDF/HTML Page 14 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
આત્માને ફસાવતો નથી, પણ આત્માના ચિદાનંદ સ્વભાવનો જ આદર કરીને તેમાં જ
પરિણતિને જોડે છે. આ રીતે વ્યવહારથી ઉદાસીન થઈને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં તત્પર
થવું –તેની સન્મુખ થવું તે મોક્ષનો ઉપાય છે. ચૈતન્ય સ્વભાવમાં તત્પરતા તે સમાધિ છે,
ને ચૈતન્યને ચૂકીને રાગાદિ વ્યવહારમાં તત્પરતા તે અસમાધિ છે.
અહો, પહેલાં આ વાતનો નિર્ણય કરવો જોઈએ કે મને મારા ચિદાનંદ સ્વભાવનું
જ શરણ છે, રાગનું શરણ નથી, ચૈતન્યસ્વભાવના જ શરણે સમ્યગ્દર્શન થાય છે. –આવો
નિર્ણય કરીને ચૈતન્યસન્મુખ થવાથી સમાધિ થાય છે. સમ્યગ્દર્શન તે પણ સમાધિ છે. અને
જેને આવો નિર્ણય નથી તે મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગી મુનિ થઈને નવમી ગ્રૈવેયક સુધી
જાય તોપણ તેને અસમાધિ જ છે. સમાધિ કહો કે મોક્ષનો ઉપાય કહો, –તે આત્માના
ચૈતન્યસ્વભાવના આશ્રયે જ થાય છે. માટે રાગાદિ વ્યવહારનો આદર છોડીને,
શુદ્ધજ્ઞાયકસ્વભાવનો જ આદર કરવો–એવો સંતોનો ઉપદેશ છે. ।। ૭૮।।
*
હું શુદ્ધ જ્ઞાન ને આનંદસ્વરૂપ છું, રાગાદિ વ્યવહાર તે મારાથી બાહ્ય છે–એવું
અંતરનું ભેદજ્ઞાન કરીને જે જીવ આત્મસ્વરૂપમાં જાગૃત છે–તેમાં જ સાવધાન છે તે મુક્તિ
પામે છે–એમ હવે કહે છે:–
आत्मानमन्तरे द्रष्ट्वा द्रष्ट्वा देहादिकं बहिः।
तयोरन्तरविज्ञानादाभ्यासादच्युतो भवेत् ।।७९।।
આત્માને અંતરમાં દેખીને, તથા દેહાદિકને પોતાથી બાહ્ય દેખીને, –એ રીતે બંનેના
ભેદવિજ્ઞાનદ્વારા અભ્યાસ કરવાથી જીવ અચ્યુત થાય છે એટલે કે સિદ્ધપદને પામે છે. અહીં
દેહાદિક કહેતાં રાગ વગેરે પણ તેમાં આવી જાય છે, તે રાગાદિને પણ આત્માના
સ્વભાવથી બાહ્ય દેખવા.
જુઓ, ભગવાન પૂજ્યપાદસ્વામી સ્પષ્ટ કહે છે કે નિશ્ચયનો આદર અને વ્યવહાર
પ્રત્યે ઉદાસીનતા તે મુક્તિનું કારણ છે. જ્ઞાની નિશ્ચય અને વ્યવહાર બંનેને જાણે છે ખરા,
પણ બંનેને જાણીને નિશ્ચયમાં (એટલે કે શુદ્ધ આત્મામાં) તે તત્પર થાય છે ને વ્યવહારમાં
(–રાગાદિમાં) તે તત્પર થતા નથી પણ તેને હેય સમજે છે. અને તેથી તે મુક્તિ પામે છે.
પરંતુ જે જીવ વ્યવહારમાં તત્પર થાય છે તે તો મિથ્યાદ્રષ્ટિપણે સંસારમાં જ રખડે છે.
પ્રશ્ન:– વ્યવહારમાં તત્પર ન થવું–એ સાચું, પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય
પમાશે ને?
ઉત્તર:– અરે ભાઈ, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાશે એવી જેની માન્યતા છે તે
જીવ વ્યવહારમાં જ તત્પર છે, કેમકે જેને લાભનું કારણ માને તેમાં તત્પર થયા વિના રહે
જ નહીં.

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
જે નિશ્ચયને આદરે અને વ્યવહારનો આદર ન કરે તેણે જ નિશ્ચય–વ્યવહાર બંનેને
યથાર્થ જાણ્યા છે. પણ જે વ્યવહારને આદરવા જેવો માને છે તેણે તો નિશ્ચય–વ્યવહારને
જાણ્યા જ નથી. જેમ શરીર અને આત્મા બંનેને જાણવા છતાં ધર્માત્મા જડ શરીરને
પોતાથી ભિન્ન બાહ્યપણે જ દેખે છે, ને આત્માને જ અંતરમાં દેખે છે; તેમ રાગાદિ
વ્યવહારને અને આત્માના શુદ્ધસ્વભાવરૂપ નિશ્ચયને એ બંનેને જાણવા છતાં ધર્માત્મા
રાગાદિ વ્યવહારને તો પોતાથી બાહ્યપણે દેખે છે, ને શુદ્ધસ્વભાવને જ પોતાના
અંર્તતત્ત્વપણે દેખે છે. રાગ તે બાહ્યતત્ત્વ હોવા છતાં તેને અંતરના સ્વભાવ સાથે એકપણે
જે દેખે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. માટે આચાર્યદેવ કહે છે કે આત્માને તો અંતરંગપણે દેખવો ને
રાગાદિને બહિરંગપણે દેખવા–આવા ભેદવિજ્ઞાનના અભ્યાસ દ્વારા જીવ અચ્યુત થાય છે
એટલે કે અવિનાશી મોક્ષપદને પામે છે.
ભાઈ! પહેલાં આ વાતને તારા જ્ઞાનમાં રુચવ,–કે અંતર્મુખ થવું તેમાં જ મારું હિત
છે, ને રાગાદિમાં મારું હિત નથી. રુચિનું વલણ બદલવું તે જ મૂળવસ્તુ છે. રાગાદિ
વ્યવહારની મદદ વડે કોઈ જીવ કદી મુક્તિ પામતો નથી, જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિથી જ
મુક્તિ પામે છે.
અહો, આ પંચમકાળના મુનિઓએ પણ ધર્મની ધારાને ખંડિત થવા દીધી નથી,
સર્વજ્ઞકેવળી ભગવંતોના ભાવોને એવા ને એવા ટકાવી રાખ્યા છે. મુનિઓ ધર્મના
થાંભલા છે, તેમણે મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે; પોતે સ્વભાવની ને રાગની ભિન્નતા
અનુભવીને જગતને પણ તેવી ભિન્નતા દેખાડી છે.
સ્વભાવને અને રાગને પહેલાં ભિન્ન જાણીને, સ્વભાવમાં એકાગ્રતા વડે રાગથી
ભિન્ન થતો જાય છે તે જ મોક્ષમાર્ગ છે. પહેલાં તો જીવની દેખવામાં જ ભૂલ છે, રાગાદિ
ખરેખર પોતાના સ્વભાવથી બાહ્ય હોવા છતાં તેને તે અંતરંગ તરીકે દેખે છે, તેનાથી લાભ
માને છે, એટલે તે રાગથી છૂટો પડતો નથી,–મુક્તિ પામતો નથી. રાગથી ભિન્નતા જાણે
તો તેનાથી છૂટો પડે. ધર્મી ગૃહસ્થપણામાં હોય ને રાગાદિ થતા હોય છતાં તે વખતેય તે
રાગાદિને બાહ્ય તત્ત્વપણે જ દેખે છે, ને તે રાગાદિથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જ અંતરંગ
તત્ત્વપણે દેખે છે.
જુઓ, સીતાજી ધર્માત્મા હતા, તેમને આવું ભાન હતું. રામચંદ્રજી પ્રત્યેના રાગને તે
પોતાના આત્મસ્વભાવથી બાહ્યપણે જાણતા હતા, ને ચૈતન્યતત્ત્વને તે રાગથી ભિન્ન
અંતરંગ તત્ત્વપણે જાણતા હતા.
રામચંદ્રજીએ તેમને વનમાં મોકલ્યા હતા અને પાછા ફર્યા ત્યારે તેમની અગ્નિપરીક્ષા

PDF/HTML Page 16 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :










કરે છે. રામચંદ્રજીના હૃદયમાં તો વિશ્ચાસ હતો કે સીતાજી મહાપતિવ્રતા સતી છે...પણ
લોકોનો અપવાદ ટાળવા ખાતર અગ્નિપરીક્ષા કરી. મોટો અગ્નિકુંડ કરાવ્યો, તેમાં
ભળભળ કરતો અગ્નિ સળગતો હતો. સીતાજી અગ્નિ પાસે ઊભા ઊભા મહાવૈરાગ્યથી
પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતા હતા...લોકો ચિંતાથી ભયભીત થઈ ગયા કે અરે! આ
અગ્નિ સીતાના દેહને ભસ્મ કરી નાંખશે કે શું? સીતાજી તો અત્યંત વૈરાગ્યપૂર્વક
સિદ્ધભગવાન વગેરે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને અગ્નિમાં કૂદી પડ્યા...લોકોમાં તો
હાહાકાર અને કોલાહલ થઈ ગયો...
–પણ એ ભગવતી મહા સતીના પુણ્યનો એવો યોગ કે કુદરતે એ જ વખતે
ઉપરથી દેવોનાં વિમાનો સકલભૂષણ મુનિરાજના કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા જતા
હતા...તેમણે ધર્માત્મા ઉપર સંકટ દેખીને તરત મૂસળધાર વરસાદ વરસાવીને અગ્નિ
ઓલવી નાંખ્યો...ચારે કોર પાણી...પાણી ને પાણી! પાણી વચ્ચે સિંહાસન–કમળ ઉપર
સીતાજી બિરાજે છે...લોકોને ગળા સુધી પાણી આવી ગયું...ને ડુબવા લાગ્યા, એટલે ‘હે
માતા! બચાવો...બચાવો’ એવો પોકાર કરવા લાગ્યા...પછી તો ઉપસર્ગનું નિવારણ
કરીને દેવો સીતાજીની પ્રશંસા કરે છે. બધા લોકો ક્ષમા માંગે છે–હે માતા! અમારા
અપરાધ ક્ષમા કરો...રામચંદ્રજી પણ કહે છે કે હે દેવી! મારો અપરાધ ક્ષમા કરો...ને
રાજમાં પાછા પધારો...પણ સીતાજી તો આ પ્રસંગથી વૈરાગ્ય

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
પામીને દીક્ષા લેવા તૈયાર થાય છે ને રાજમાં આવવાની ના પાડે છે. ત્યારે લક્ષ્મણ રડે
છે, લવ–કુશ રડે છે...રામ કહે છે કે હે દેવી! આ લક્ષ્મણ ખાતર...ને આ લવ–કુશ જેવા
પુત્ર ખાતર તમે રાજમાં પાછા આવો. સીતાજી કહે છે કે: આ સંસારથી હવે બસ થઈ!
સંસારના રંગ અમે જોઈ લીધા...હવે તો અર્જિકા થઈને આત્માનું હિત સાધશું...અમે
અમારા અંતરંગ ચૈતન્યતત્ત્વને જ આરાધશું. અમે અમારા ચૈતન્યને ઊજાળવા આ
સંસારનો ત્યાગ કરીએ છીએ, હવે અમે સ્વરૂપમાં ઠરશું, હવે બીજું કાંઈ અમારે જોઈતું
નથી. પરભાવોને અમે અમારા સ્વરૂપથી બાહ્ય જાણ્યા હતા તે પરભાવોને છોડવાનો ને
ચૈતન્યના આનંદમાં ઠરવાનો હવે અમે ઉદ્યમ કરશું. –આમ કહીને મહા વૈરાગ્યપૂર્વક
માથાના સુંવાળા રેશમ જેવા વાળ ઊખેડીને રામના ચરણ તરફ ફેંકે છે...અને એ દ્રશ્ય
દેખતાં રામ મૂર્છાથી બેભાન થઈ જાય છે.
સીતાજી જ્યારે દીક્ષા લ્યે છે ત્યારે લોકો રડે છે, રામ–લક્ષ્મણ રડે છે, લવ–કુશ
રડે છે, પ્રજાજનો રડે છે; બધાય સીતાને ઘણા વિનવે છે, પણ સીતાજી કહે છે કે અરે,
આ સંસારથી હવે બસ થાવ...બસ થાવ...અમારા અંતરંગતત્ત્વ સિવાય બીજું કોઈ
બાહ્યતત્ત્વ અમને શરણરૂપ નથી. રાગાદિ પરભાવો અમારા સ્વરૂપથી બાહ્ય છે, તે કોઈ
અમને શરણરૂપ નથી. હવે અમે અમારા અંતરંગ ચૈતન્યસ્વરૂપમાં ઠરીને રાગાદિ
પરભાવોને છોડવાનો અભ્યાસ કરશું.
જુઓ, આ એક જ માર્ગ છે. પુરુષ હો કે સ્ત્રી હો, રોગી હો કે નીરોગી હો, રાજા
હો કે રંક હો, સ્વર્ગમાં હો કે નરકમાં હો, વૃદ્ધ હો કે બાળક હો, –બધાયને માટે હિતનો
આ એક જ માર્ગ છે કે–શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માને જ અંતરંગમાં દેખવો, ને રાગાદિ
સમસ્ત પરભાવોને પોતાથી બાહ્યપણે દેખવા. જેને પોતાથી બાહ્ય દેખે તેનો આદર કેમ કરે?
દેહાદિકને બાહ્યપણે દેખવા ને ચૈતન્યસ્વરૂપ આત્માને અંતરંગપણે દેખીને તેમાં
જ એકાગ્રતાનો અભ્યાસ કરવો, –આવો અભ્યાસ જ મુક્તિનું કારણ છે. આવું અંતરંગ
ચૈતન્યતત્ત્વ જ જગતનું ઉત્કૃષ્ટ પ્રમેય છે, સ્વજ્ઞેય હોવાથી તે મુખ્ય પ્રમેય છે, આવા
પ્રમેયને જાણવું તે જ ‘પ્રમેયકમલમાર્તંડ’ નું ખરૂં જ્ઞાન છે. અને જે જીવો આવા સ્વ–
પ્રમેયને નથી જાણતા તેઓ ‘પ્રમેયકમલમાર્તંડ’ને જાણતા નથી. માટે પોતાના આત્માને
અંતરંગમાં દેખીને તેને પ્રમેય બનાવવો ને રાગાદિ પરજ્ઞેયોને બાહ્યપણે દેખવા, –આવા
ભેદજ્ઞાનવડે આત્મામાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો તે જ મોક્ષનો ઉપાય છે.
।। ૭૯।।

PDF/HTML Page 18 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
સ્વ – પરનું ભેદજ્ઞાન આત્માની
સમ્પૂર્ણતા દેખાડે છે
‘સસા–શીંગનું વહાણ જ કર્યું’ –એ ચાર લીટી આત્મધર્મના
ગતાંકના બાલવિભાગમાં આપેલ, તેનો ભાવાર્થ પૂ. ગુરુદેવના આ
પ્રવચનમાં આપ વાંચી શકશો.

વારંવાર પરથી ભિન્નતા ને પરનું અકર્તૃત્વ સમજાવીને આચાર્યદેવ જીવને પરથી
પાછો વાળીને પોતાથી પૂર્ણ એવા સ્વદ્રવ્ય તરફ વાળવા માંગે છે; ને નિત્ય સમ્પૂર્ણ એવી
સ્વશક્તિથી ભરેલો આત્મસ્વભાવ દેખાડવા માંગે છે. વસ્તુસ્થિતિથી સ્વ ને પર બંને
તદ્દન જુદા છે, પરની પૂર્ણતા પરમાં ને સ્વની પૂર્ણતા સ્વમાં; સ્વનો અંશ પરમાં નહિ, ને
પરનો અંશ સ્વમાં નહિ.
જો આવી વસ્તુસ્થિતિને સમજે તો જડને વિષેથી સ્વસ્વરૂપનું અભિમાન મટે, ને
સ્વસ્વરૂપ પ્રગટે. માટે આવી યથાર્થ વસ્તુસ્થિતિનો વિચાર કરીને નક્કી કરો.
ભાઈ, પરદ્રવ્ય તારું નથી, તેનું કોઈ કાર્ય તારું નથી, ને તે તને જરાય સુખરૂપ
નથી; એવું જે ભિન્ન પરદ્રવ્ય તેને ભ્રાન્તિથી તેં તારું માન્યું છે ને સ્વમાં એકત્વપરિણતિ
છોડીને તેં પરમાં એકત્વ માન્યું છે, તે દુઃખદાયી છે. માટે વસ્તુસ્વરૂપને સમજ તો તારી
પરમાંથી એકત્વબુદ્ધિ છૂટે ને સ્વમાં એકત્વબુદ્ધિથી પરમ સુખ પ્રગટે.–ભેદજ્ઞાન વિના
સિદ્ધિ થાય નહિ.
જ્યાંસુધી પરદ્રવ્યના કર્તૃત્વના વેગથી જીવ પાછો ન વળે ત્યાંસુધી સ્વદ્રવ્યની
સમ્પૂર્ણતા તરફ તેનું વલણ ન વળે, ને સ્વગુણની શાંતિ તેને મળે નહિ.
પરનું કર્તૃત્વ માનનારના હાલ કેવા છે તે નીચેના પદમાં બતાવ્યું છે:–
સસા શીંગનું વહાણ જ કર્યું
મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યા સૂત બે વહાણે ચડયા,
ને ખ–પુષ્પના વસાણાં ભર્યા.

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
* જેમ સસલાનાં શીંગડાનું વહાણ બને જ નહિ, કેમકે સસલાને શીંગડું હોતું
જ નથી;
* મૃગજળમાં વહાણ તરે નહિ કેમકે ત્યાં પાણી જ નથી;
* વંધ્યાસૂત વહાણમાં ચડે નહિ કેમકે વંધ્યાને સૂત હોય જ નહિ.
* ને આકાશનાં પુષ્પ કોઈ ભરે નહિ કેમકે તે હોતાં જ નથી.
* તેમ પરદ્રવ્યની ક્રિયા આત્મા કરે નહિ, કેમકે તેમાં આત્માનું અસ્તિત્વ નથી.
જેમાં પોતાનું અસ્તિત્વ જ નથી તેની ક્રિયા કરવા માગે તો તેની બુદ્ધિ
મિથ્યા છે; એ મિથ્યાબુદ્ધિ દુઃખદાયક છે.
જીવ એક અખંડ દ્રવ્ય છે, તેનું જ્ઞાનસામર્થ્ય પરિપૂર્ણ છે. –તેથી કહે છે કે ભાઈ,
પરથી ભિન્ન તારો આત્મા નિત્ય સમ્પૂર્ણ સ્વગુણથી પૂરો છે. તારી એકેક શક્તિ નિત્ય ને
સમ્પૂર્ણ છે. તારું જીવત્વ તારાથી સમ્પૂર્ણ છે, નિત્ય ટકતા સંપૂર્ણ જીવનથી તું ભરેલો છો.
તારામાંથી જ તારું સંપૂર્ણ જીવન, તારું સંપૂર્ણજ્ઞાન, તારું સંપૂર્ણ સુખ પ્રગટ થાય–એવો
નિત્ય સંપૂર્ણ તારો સ્વભાવ છે.
સ્વની પૂર્ણતા સ્વમાં ને પરની પૂર્ણતા પરમાં; ત્યાં કોણ કોનું શું કરે? જો વસ્તુની
પર્યાયનો કર્તા બીજો હોય તો વસ્તુની પૂર્ણતા ક્્યાં રહી? અરે, તારું આનંદમય કાર્ય
તારા આનંદગુણની સમ્પૂર્ણતામાંથી જ થાય છે, બીજેથી તે આવતું નથી. તારી
આનંદપર્યાયમાં શું પરદ્રવ્ય આવ્યું છે કે તે તને શાંતિ આપે? પરદ્રવ્ય તો કાંઈ તારી
આનંદપર્યાયમાં આવ્યું નથી. તારી આત્મવસ્તુ તારી નિજશક્તિથી જ પોતાની
આનંદપર્યાયમાં વર્તે છે; બીજાનો તેમાં પ્રવેશ નથી.
અહા, સ્વાધીનવસ્તુસ્થિતિ સમજતાં સ્વાશ્રયે અપૂર્વ સમરસ પ્રગટે છે. બ્રહ્માંડના
ભાવોથી જુદો પડીને નિજસ્વરૂપની સમ્પૂર્ણતામાં આવ્યો, તેના આશ્રયે સમ્પૂર્ણ જ્ઞાન,
સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ જીવન પ્રગટ થાય છે. આ રીતે સ્વ–પરનું ભેદજ્ઞાન ને
નિજસ્વરૂપની સંપૂર્ણતાને દેખાડે છે, ને તેના ફળમાં સંપૂર્ણતા પ્રગટ થાય છે.

PDF/HTML Page 20 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
ભગવન ઋષભદવ
તેમના દશઅવતારની આનંદકારી કથા
ભગવત્જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે
બ્ર. હરિલાલ જૈન
[લેખાંક નવમો]
અયોધ્યામાં ઋષભ–અવતાર
આ જંબુદ્વીપમાં દક્ષિણે ભરતક્ષેત્ર છે; તેમાં વચ્ચે વિજયાર્દ્ધપર્વત છે; તે પર્વતની
દક્ષિણે વચમાં આર્યખંડ છે. તેમાં ત્રીજા આરાના પાછલા ભાગમાં, જ્યારે ભોગભૂમિ
મટીને કર્મભૂમિની વ્યવસ્થા થવા માંડી ત્યારે, પ્રજાનું પાલન કરનાર છેલ્લા (૧૪મા)
કુલકર
नाभिराजा થયા. તેમને मरुदेवी નામની રાણી હતી, તે રૂપ–ગુણમાં ઈન્દ્રાણી
સમાન હતી; જગતની ઉત્તમ અને મંગલ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ હતી, ગુણરત્નોની ખાણ હતી,
પવિત્ર સરસ્વતી દેવી હતી, અને વગર ભણ્યે પંડિતા હતી, ઈન્દ્રદ્વારા પ્રેરિત ઉત્તમ દેવોએ
મહાન વિભૂતિ સહિત તે મરુદેવીનો વિવાહોત્સવ કર્યો હતો. નાભિરાજા અને મરુદેવી
ઈન્દ્ર–ઈન્દ્રાણી સમાન શોભતા હતા. સંસારમાં તેઓ સૌથી અધિક પુણ્યવાન હતા, કેમકે
સ્વયંભૂ ભગવાન ઋષભદેવ જેમના પુત્ર થશે તેમના સમાન બીજું કોણ હોઈ શકે?
આવા મરુદેવી અને નાભિરાજા જે ભૂમિમાં રહેતા હતા તે ભૂમિમાં જ્યારે
કલ્પવૃક્ષોનો અભાવ થયો ત્યારે તેમના પુણ્યપ્રતાપે ઈન્દ્રે ત્યાં એક સુંદર નગરીની રચના
કરી. દેવોએ રચેલી એ નગરીની અદ્ભુત શોભાની શી વાત! એ નગરીનું નામ
અયોધ્યા. કોઈ શત્રુ તેની સામે યુદ્ધ કરી શકતા નહિ તેથી તે ખરેખર ‘
अयोध्या’ હતી.
[अरिभिः यौद्धं न शक्या–अयोध्या] તે નગરીનાં બીજાં નામો સાકેતપુરી, સુકોશલા
તથા વિનિતા હતાં. તે અયોધ્યાનગરીની વચ્ચે દેવોએ સુવર્ણનો રાજમહેલ બનાવ્યો; ને
ઉત્તમ મુહૂર્તે તે નગરીનું વાસ્તુ કરીને તેમાં નાભિરાજા–મરુદેવી વગેરેને આનંદપૂર્વક
વસાવ્યા. ‘આ બંનેને ત્યાં સર્વજ્ઞ–ઋષભદેવ પુત્ર તરીકે અવતરશે’ એમ વિચારીને ઈન્દ્રે
તેમનો રાજ્યાભિષેક કરીને, મહા પૂજન–સન્માન કર્યું.