Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 47
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૦
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 47
single page version

background image
૨૮૦
લા ખ વા ત ની વા ત
ગુરુદેવ ગામે ગામે એક વાત ઉપદેશતા જાય છે કે ભાઈ,
મનુષ્યપણામાં આવો અવસર તને મળ્‌યો છે તો તેમાં આત્માનું
હિત કેમ થાય? તે સમજી લે. ધનની પ્રાપ્તિ માટે કેટલો હેરાન
થાય છે? ને કેટલો પ્રયત્ન કરે છે? તો હે ભાઈ, ચૈતન્યનું
સાચું સુખ કેમ પમાય? પોતામાં જ જે સુખ ભર્યું છે, પોતાનું
તે સુખ પોતાને કેમ અનુભવાય? તેને માટે તું ઉદ્યમ કર.
રાગથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ શું છે તેના અનુભવ વગર
બીજું બધું નિરર્થક છે, તેમાં આત્માનું કલ્યાણ નથી. આત્માનું
કલ્યાણ કરવા માટે જીવ–અજીવની ભિન્નતાનું વાસ્તવિક
સ્વરૂપ સમજીને ભેદજ્ઞાન કર. ભાઈ, આવો મોઘોં અવસર
મળ્‌યો છે તો આત્માની દરકાર કરીને આત્મહિતને સાધી લે.–
ફરીફરીને સન્તોનો એ ઉપદેશ છે.
*
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ માહ (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ અંક ૪

PDF/HTML Page 3 of 47
single page version

background image
વા.....ત્સ.....લ્ય
‘આપણે સૌ સાધર્મી’ એવા ધાર્મિક વાત્સલ્યની ઉત્તમતાસૂચક લેખ ગતાંકમાં
આ સ્થાને પ્રગટ થયેલ, તે સંબંધમાં વાંચકોએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. ગુરુદેવના
પ્રભાવે જેમ આજે જ્ઞાનપ્રભાવના ભારતભરમાં વિકસી રહી છે તેમ સર્વત્ર સાધર્મીઓમાં
વાત્સલ્ય પણ વિસ્તરી રહ્યું છે, –તે દેખીને હર્ષ થાય છે. બંધુઓ, ચારેકોર વિકથાથી કે
કુતત્ત્વોથી ભરેલા આ સંસારમાં સાચા વીતરાગી દેવ–ગુરુ–ધર્મના ઉપાસક જીવો બહુ
થોડા છે; એવા સાધર્મીના મિલનથી કે એની પાસેથી ધર્મચર્ચાના બે શબ્દો સાંભળવાથી
મુમુક્ષુને આ અસાર સંસારનો ભાર ઊતરી જાય છે. સાધર્મીઓના મિલનમાં તો
વીતરાગી ધર્મનું બહુમાન, ધર્માત્મા જીવોની પ્રશંસા, દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસનાસંબંધી
ચર્ચા–એવા જ પ્રસંગ હોય, સંસારના પ્રસંગ ત્યાં ન હોય. આમ સાધર્મીનો સંગ ધર્મની
ભાવના પુષ્ટ કરે છે. એટલે જ્યાં પોતાની ધર્મભાવના પુષ્ટ થાય ત્યાં જિજ્ઞાસુને
વાત્સલ્યની ઉર્મિ સહેજે આવે છે. એક જ ગામે જતા બે વટેમાર્ગુ રસ્તામાં ભેગા થતાં
પણ પરસ્પર સ્નેહ જાગે છે, તેમ એક જ ધર્મને ઉપાસીને મોક્ષપુરી તરફ જઈ રહેલા
મોક્ષના બે વટેમાર્ગુઓને પણ પરસ્પર ધર્મસ્નેહ જાગે છે કે અહો! જે માર્ગે હું જાઉં છું તે
જ માર્ગે મારા સાધર્મીઓ આવે છે, એક જ પથના અમે પથિક છીએ. –અમારા દેવ એક,
અમારા ગુરુ એક, અમારો ધર્મ એક, અમારો માર્ગ એક. –આવું એકત્વ હોય ત્યાં
વાત્સલ્ય હોય જ. ધર્માત્માઓનાં વાત્સલ્યઝરણાં તો કોઈ અદ્ભુત હોય છે. આ કાળે
ધર્માત્માઓનું એવું વાત્સલ્ય જોવા મળવું –એ પણ મહાન ભાગ્ય છે. વાત્સલ્યવંતા
ધર્માત્માનાં બે શબ્દો પણ સંસારના બધા કલેશને ખંખેરી નાંખે છે. અંજના સતી
દુનિયાથી તરછોડાયેલી, પણ જ્યારે મુનિઓના શ્રીમુખથી ધર્મવાત્સલ્ય ભરેલાં વચન
સાંભળે છે ત્યાં તો આનંદથી ઉલ્લસી જાય છે ને જીવનના બધા દુઃખ ભૂલાઈ જાય છે.
આમ વાત્સલ્ય એ એક મહાન ઔષધ છે. સંસારસંબંધી રાગબંધન તો જીવને મોહિત
કરનારું છે, પણ ધર્મસંબંધી સ્નેહરૂપ જે સાધર્મી–વાત્સલ્ય તે મોહબંધન તોડવા અને
ધર્મને સાધવા માટે ઉત્સાહ પ્રેરનારું છે. ગુરુદેવાદિ સંતધર્માત્માઓના પ્રતાપે આવું
વાત્સલ્ય સાધર્મીઓમાં સર્વત્ર પ્રસરી રહ્યું છે...તે વાત્સલ્ય વધુ ને વધુ વિસ્તરો.
––जयजिनेन्द्र

PDF/HTML Page 4 of 47
single page version

background image

વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૩
* વર્ષ ૨૪: અંક ૪ *
✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦ ✦
મુ...મુ...ક્ષુ...ની વિ...ચા...ર...ણા
હે જીવ! તને એમ અંતરમાં લાગવું જોઈએ કે આત્માને
ઓળખ્યા વગર છૂટકો નથી. આ અવસરમાં જો હું મારા
આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રગટ નહિ કરું તો મારો
ક્્યાંય છૂટકારો નથી. અરે જીવ! વસ્તુના ભાન વગર તું ક્્યાં
જઈશ? તને સુખશાંતિ ક્્યાંથી મળશે? તારું સુખશાંતિ તારી
વસ્તુમાંથી આવશે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા, પણ તું તો
તારામાં જ રહેવાનો, અને પરવસ્તુ પરવસ્તુમાં જ રહેવાની.
પરમાંથી ક્્યાંયથી તારું સુખ નથી આવવાનું. સ્વર્ગમાં જઈશ
તો ત્યાંથી પણ તને સુખ નથી મળવાનું. સુખ તો તને તારા
સ્વરૂપમાંથી જ મળવાનું છે...માટે સ્વરૂપને જાણ. તારું સ્વરૂપ
તારાથી કોઈ કાળે જુદું નથી, માત્ર તારા ભાનના અભાવે જ
તું દુઃખી થઈ રહ્યો છે. તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના
જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે “આત્માને ઓળખો.”
આ પ્રમાણે અંર્તવિચારણા દ્વારા મુમુક્ષુ જીવ પોતામાં
સમ્યગ્દર્શનની લગની લગાડીને પોતાના આત્માને તેના
ઉદ્યમમાં જોડે છે.

PDF/HTML Page 5 of 47
single page version

background image
: ૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
“મિથ્યાદ્રષ્ટિ જીવ ન આગમી છે, ન અધ્યાત્મી છે. –કેમ? કારણ
કે તે કથનમાત્ર તો ગ્રંથપાઠના બળવડે આગમ–અધ્યાત્મનું
સ્વરૂપ ઉપદેશમાત્ર કહે, પરંતુ આગમ–ધ્યાત્મના સ્વરૂપને સમ્યક્
પ્રકારે જાણે નહીં; તેથી મૂઢજીવ આગમી પણ નથી કે ધ્યાત્મી
પણ નથી. યથા
निर्वेदकत्वात् (એટલે તેને તે ભાવનું વેદન
નથી.) ”
અનુભવ વગરનું જ્ઞાન–જાણપણું તેને ખરેખર જ્ઞાન કહેતા જ નથી. શાસ્ત્રનું
જાણપણું ભલે કર્યું, વિકાર અને સ્વભાવ જુદા છે–એમ શાસ્ત્રથી ભલે જાણ્યું પરંતુ જ્યાં
સુધી પોતે જાણે અંર્તઅનુભવમાં તેવી ભિન્નતા ન અનુભવે ત્યાં સુધી તેને સમ્યગ્જ્ઞાન
કહેતા નથી, એટલે મિથ્યાદ્રષ્ટિને આગમપદ્ધતિ કે અધ્યાત્મપદ્ધતિ બેમાંથી એક્કેયનું જ્ઞાન
નથી, તેથી તે નથી તો આગમી કે નથી અધ્યાત્મી.
અજ્ઞાની આગમ–અધ્યાત્મનો જાણનાર કેમ નથી? –તો કહ્યું કે તે નિર્વેદક છે માટે;
એટલે કે શાસ્ત્રાદિથી જેવું જાણપણું છે તેવું વેદન તે કરતો નથી; ‘આત્માનો શુદ્ધ
સ્વભાવ છે ને બંધભાવ તેનાથી ભિન્ન છે’ –એમ શાસ્ત્રથી જાણે છે પણ પોતે પોતાના
જ્ઞાનમાં તેવા બંધરહિત શુદ્ધ સ્વભાવનું વેદન કરતો નથી તેથી તે નિર્વેદક છે. અનુભવ
વગરનું જ્ઞાન સમ્યક્ નથી. એકલું જાણપણું અનુભવ વગર શું કામનું? –જો કે સૂક્ષ્મ
દ્રષ્ટિએ તો તેનું જાણપણું પણ ભૂલવાળું છે. સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન વગર સાચું જ્ઞાન
હોય નહિ. જ્ઞાનીને કદાચ ભાષા ન હોય–શાસ્ત્રપાઠ ન હોય તોપણ અંદર અનુભવમાં
સાચા ભાવભાસનથી તેને સમ્યગ્જ્ઞાન પરિણમી રહ્યું છે, ને તે મોક્ષમાર્ગને સાધે છે.
અજ્ઞાનીને શાસ્ત્રજ્ઞાન ભલે કદાચ હોય પણ અનુભવમાં જીવાદિ તત્ત્વોનું સાચુ

PDF/HTML Page 6 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
ભાવભાસન નથી તેથી તે મોક્ષમાર્ગને સાધવાનું જાણતો નથી; તે તો બંધપદ્ધતિને જ
ભ્રમથી મોક્ષનું સાધન માનીને સાધે છે. આ રીતે અજ્ઞાની આગમી કે અધ્યાત્મી નથી.
પ્રશ્ન:– અજ્ઞાનીને અધ્યાત્મપદ્ધતિ નથી એટલે તેને ‘અધ્યાત્મી’ ભલે ન કહો,
પરંતુ આગમપદ્ધતિ એટલે કે વિકાર અને કર્મની પરંપરા તો તે અજ્ઞાનીને ઘણી છે, છતાં
તેને ‘આગમી’ પણ કેમ ન કહ્યો?
ઉત્તર:– મિથ્યાદ્રષ્ટિને વિકાર તો છે એટલે કે આગમપદ્ધત્તિ તો છે–એ ખરું પણ
આગમપદ્ધત્તિનું જ્ઞાન તેને નથી; વિકારને વિકાર તરીકે તે જાણતો નથી માટે તેને
‘આગમી’ ન કહ્યો. અહીં ‘આગમી’ એટલે ‘આગમપદ્ધત્તિવાળો’ એવો અર્થ નથી, પણ
આગમી એટલે ‘આગમપદ્ધત્તિનો જ્ઞાતા’ એવો અર્થ થાય છે. અજ્ઞાની આગમપદ્ધત્તિને
પણ ઓળખતો નથી. વિકાર પોતે કરે છે, ને કર્મ તેમાં નિમિત્ત છે, તે કર્મ કાંઈ વિકાર
કરાવતું નથી; છતાં અજ્ઞાની પોતાના દોષનું ઉત્પાદક પર દ્રવ્યને માને છે. પોતાના
ગુણદોષનું ઉત્પાદક પર દ્રવ્યને માનવું તે તો મોટી અનીતિ છે. દરેક વસ્તુ અને તેનાં
પરિણામ પરથી નિરપેક્ષ ને પોતાથી સાપેક્ષ છે– એવો અનેકાન્ત છે; આવું વસ્તુસ્વરૂપ
સમજે તો પોતાના ગુણ–દોષ પરને લીધે ન માને એટલે એકતાબુદ્ધિથી પરમાં રાગદ્વેષ ન
થાય. તે જીવ ભેદજ્ઞાન વડે પરથી પૃથક્ થઈ પરથી નિરપેક્ષ થઈ સ્વતરફ વળે ને
સ્વાપેક્ષપણે એટલે કે સ્વાશ્રય વડે મોક્ષમાર્ગ પ્રગટ કરે. પુદ્ગલના પરિણામ પણ તેનાથી
પોતાથી સાપેક્ષ છે ને બીજાથી નિરપેક્ષ છે. જગતના બધા પદાર્થોને અને તેની પર્યાયોને
પરમાર્થે સ્વથી સાપેક્ષપણું છે, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી;
પર્યાય તે પણ વસ્તુની પોતાની તે પ્રકારની શક્તિ છે, તે પણ ખરેખર પરની અપેક્ષા
રાખતી નથી. આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી; માટે તે આગમી પણ નથી
ને અધ્યાત્મી પણ નથી; ને તે મોક્ષમાર્ગને સાધી શકતો નથી.
આ રીતે, ધર્મી–સમ્યગ્દ્રષ્ટિ જીવ આગમ–અધ્યાત્મના જ્ઞાતા છે ને તે મોક્ષમાર્ગને

PDF/HTML Page 7 of 47
single page version

background image
: ૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
❁❁❁❁❁❁❁❁❁❁❁ પરમ શાંતિ દાતારી ❁❁❁❁❁❁❁❁❁❁❁
(અંક ૨૭૯ થી ચાલુ) (લેખાંક ૪૬)
❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁❁
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં ધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
[વીર સં. ૨૪૮૨ અષાડ વદ ૧૪ રવિવાર]
(સમાધિશતક ગા. ૮૦)
*
જેને શરીર અને આત્માનું ભેદવિજ્ઞાન થઈ ગયું છે એવા અંતરાત્માને
શરૂઆતની અભ્યાસદશામાં આ જગત કેવું લાગે છે? અને પછી ચૈતન્યના અભ્યાસમાં
એકાગ્ર થતાં આ જગત કેવું લાગે છે? તે બતાવે છે–
पूर्व द्रष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत्।
स्वभ्यस्तात्मधियः पश्चात् काष्ठपाषाणरूपवत्। ८०।
જેને પોતાના આત્માનું સમ્યગ્દર્શન થઈ ગયું છે એવા અંતરાત્માને
પ્રાથમિકદશામાં તો આ જગત ઉન્મત્ત જેવું લાગે છે, કે ‘અરેરે! આ જગત
ચૈતન્યસ્વરૂપના ચિંતનથી ભ્રષ્ટ થઈને શુભ–અશુભ ચેષ્ટાઓમાં જ ઉન્મત્તની માફક
પ્રવર્તી રહ્યું છે.’ પણ પછી તે અંતરાત્મા–યોગીને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો અભ્યાસ
કરતાં આ જગત કાષ્ઠ–પાષાણના રૂપ જેવું ચેષ્ટારહિત દેખાય છે. પોતાના સ્વરૂપમાં
લીન થતાં જગત સંબંધી ચિંતા જ છૂટી જાય છે.– આ રીતે અંતરાત્માની બે ભૂમિકાઓ
અહીં બતાવી છે.
આત્મસ્વરૂપનું સમ્યક્ભાન થયું હોવા છતાં ધર્મીને શરૂઆતમાં–રાગની
ભૂમિકામાં એવો વિકલ્પ આવે છે કે અરે! આ જગતના જીવો આત્મસ્વરૂપને ભૂલીને
સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, તેઓ અજ્ઞાનથી ઉન્મત્ત જેવા થઈ ગયા છે કે
પરદ્રવ્યને પોતાનું માની રહ્યા છે ને સ્વતત્ત્વને ભૂલી રહ્યા છે. –આ રીતે જ્ઞાનીને
કરુણાબુદ્ધિથી જગત ગાંડા જેવું લાગે છે. અરે! આવા આત્મસ્વરૂપને ભૂલીને જગત
ભ્રમણામાં પડ્યું છે! જગતથી જુદો –જગત ઉપર તરતો એવો જે પોતાનો
ચૈતન્યસ્વભાવ તેનું ભાન પોતે તો કર્યું છે, તેને

PDF/HTML Page 8 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
બીજા જીવો દેહાદિની ક્રિયાને પોતાની માનીને વર્તતા દેખીને એમ લાગે છે કે અરે, આ
જીવો મોહથી મૂર્છાઈ ગયેલા ગાંડા છે, મોહરૂપી ભૂત તેમને વળગ્યું છે.
વળી જ્ઞાનીને ભેદજ્ઞાનના અભ્યાસથી જ્યારે વિશેષ દ્રઢતા થાય છે ત્યારે તેને
આ આખું જગત અચેત જેવું લાગે છે, એટલે પોતાના ચૈતન્યચિંતનની ઉગ્રતા થતાં
જગત પ્રત્યે લક્ષ જતું નથી, સહજ ઉદાસીન પરિણતિ વર્તે છે. ચૈતન્યતત્ત્વથી બહાર બધું
મારાથી ભિન્ન છે –એમ તો પહેલેથી જાણ્યું જ છે, ને પછી તેમાં સ્થિરતાનો અભ્યાસ
કરતાં તેને જગત સંબંધી ચિંતા છૂટી જાય છે; સ્વરૂપમાં જોડાણ થયું છે ત્યાં જગત
ચેષ્ટારહિત કાષ્ઠ–પાષાણ જેવું લાગે છે, એટલે કે પરસંબંધી ચિંતા તેને થતી નથી.
શરૂઆતમાં તો જ્ઞાનીને એમ થાય કે અરે! આ જીવો સ્વરૂપચિંતનમાં વિકલ વર્તે
છે એટલે કે આત્માનું ચિંતન કરવામાં તેઓ પાંગળા થઈ ગયા છે ને મિથ્યા વિકલ્પોથી
ઘેરાઈ ગયેલા છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. જો કે જગત આખું જ્ઞેયપણે જ છે, તે
કાંઈ મને રાગદ્વેષનું કારણ નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં રાગની ભૂમિકામાં એવો
વિકલ્પ આવી જાય છે કે અરેરે! ચૈતન્યનિધાનને ભૂલીને આ જગત બહાવરાની જેમ
બહારમાં ફાંફાં મારી રહ્યું છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. –પણ પછી જ્ઞાનીને જ્યાં
વિશેષ લીનતા થાય છે ત્યાં પરના અવલંબન વગર સહેજે ઉદાસીનતા વર્તે છે; ત્યાં પર
સંબંધી ચિંતા જ જાગતી નથી. પોતે અંતરમાં સ્થિર થઈને ચૈતન્યપ્રતિમા થઈ ગયો છે
ત્યાં જગત નિઃચેષ્ટ ભાસે છે, આખું જગત જ્ઞેયપણે જ ભાસે છે. ‘પરજીવો અજ્ઞાનથી
ઉન્મત્ત વર્તે છે–તેમાં મારે શું?’– એવો ઉદાસીનતાનો વિકલ્પ પણ ત્યાં નથી રહેતો, ત્યાં
તો સ્વરૂપમાં જોડાણ વર્તે છે તેથી પરપ્રત્યે પરમ ઉદાસીનતા સહેજે વર્તે છે.
જુઓ, આ જ્ઞાનીની દશા! વિકલ્પ આવે છતાં જ્ઞાની તેનાથી ઉદાસીન છે, છતાં
વિકલ્પ છે તેટલી તો અસમાધિ છે. પછી તે વિકલ્પ પણ છૂટીને સ્વરૂપમાં લીન થતાં
એવી સમાધિ જામે છે કે જગત સંબંધી ચિંતા થતી નથી, ‘અરેરે! આવું પરમ
ચૈતન્યસ્વરૂપ, તેને જગત કેમ નથી સમજતું’ એવો ખેદભાવ પણ ત્યાં થતો નથી. આ
રીતે અંતરાત્માની બે ભૂમિકા સિદ્ધ કરી છે–એક તો વિકલ્પભૂમિકા, અને બીજી સ્વરૂપમાં
સ્થિરતારૂપ ભૂમિકા; વિકલ્પભૂમિકામાં જગત પ્રત્યે કરુણા અને ખેદ આવી જાય છે કે
અરે! આ જગતના પ્રાણીઓ બિચારા આત્મસ્વરૂપને ભૂલીને ઉન્મત્તની જેમ ભવભ્રમણ
કરી રહ્યા છે...જડની ક્રિયામાં ને રાગમાં ધર્મ માનીને તેઓ મોહથી ગાંડા થઈ ગયા
છે...ચૈતન્યસ્વભાવનો વિવેક તેઓ ચૂકી ગયા છે. પ્રથમદશામાં અંતરાત્માને આવો
વિકલ્પ આવે તેથી કાંઈ તે અજ્ઞાની નથી,

PDF/HTML Page 9 of 47
single page version

background image
: ૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
તેમજ વિકલ્પ આવ્યો તે કરવા જેવો છે–એમ પણ નથી, પણ પોતાની એવી ભૂમિકા
હોવાથી જ્ઞાનીને એવો વિકલ્પ આવી જાય છે. પછી ચૈતન્યમાં સ્થિરતાનો વિશેષ
અભ્યાસ કરીને જ્યાં એકાગ્રતા થઈ ત્યાં એવો વિકલ્પ પણ રહેતો નથી, ત્યાં જગત
સંબંધી ચિંતા જ નથી તેથી જગત અચેત જેવું ભાસે છે એમ કહ્યું છે. જગતના બાહ્ય
પદાર્થોમાં મારા ચેતનનો અભાવ છે, એમ જાણીને અંતરમાં એકાગ્ર થતાં જ્ઞાની પોતાના
ચૈતન્યસ્વરૂપ આત્માને જ દેખે છે, તેથી જગતને તે અચેતન જેવું દેખે છે–એમ કહ્યું છે.
જુઓ, કૈલાસપર્વત ઉપર ભરતચક્રવર્તીએ ત્રણ ચોવીસીના રત્નમય
જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. તે કૈલાસપર્વત ઉપર વાલીમુનિ એકવાર ધ્યાનમાં બેઠા
હતા; ત્યાં રાવણરાજા ત્યાંથી નીકળ્‌યો...જ્યાં વાલીમુનિ ઉપર વિમાન આવ્યું ત્યાં
વિમાન થંભી ગયું. રાવણે નીચે ઊતરીને જોયું ત્યાં વાલીમુનિને દીઠા, તેમને જોતાં જ
રાવણને પૂર્વનું વેર જાગૃત થયું ને ક્રોધ આવ્યો; તેથી વાલીમુનિનો નાશ કરવા માટે
વિદ્યાના બળે કૈલાસ નીચે જઈને આખો કૈલાસપર્વત ડગાવવા માંડયો. તે વખતે
ધ્યાનમાંથી ખસીને મુનિને એવી વૃત્તિ ઊઠી કે અરે! ક્રોધનો માર્યો આ રાવણ આખા
પર્વતને હલાવે છે ને અહીંના રત્નમય જિનબિંબોની અસાતના કરે છે! –માટે
જિનબિંબોની રક્ષા કરું! એવી વૃત્તિ થતી તે મહાઋદ્ધિધારક મુનિએ પગનો અંગુઠો
જરાક પર્વત ઉપર દબાવ્યો...ત્યાં તો ત્રણખંડનો રાજા રાવણ પર્વત નીચે ભીંસાણો ને
રૂદન કરવા લાગ્યો.....પછી તો રાવણ રાજાએ પણ માફી માગી, અને જિનબિંબની
વિરાધના થઈ તેથી ઘણો પશ્ચાત્તાપ કરીને તે જિનબિંબ પાસે એક મહિના સુધી એવી
તો અદ્ભુત ભક્તિ કરી કે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થઈ ગયું. આ બાજુ વાલી
મુનિરાજે પણ પ્રાયશ્ચિત લીધું છે. જુઓ, મુનિદશામાં આવો વિકલ્પ આવ્યો માટે તે
કરવા જેવો છે–એમ નથી. જો વિકલ્પને કરવા જેવો માને તો તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
જ્ઞાનીને પોતાની અસ્થિર ભૂમિકામાં વિકલ્પ આવી જાય છે પણ તે વિકલ્પનેય
ચૈતન્યથી ભિન્ન જાણીને, આત્મામાં સ્થિર થવા માંગે છે. દ્રઢ અભ્યાસ વડે જ્યાં
આત્મામાં સ્થિરતા થાય ત્યાં વિકલ્પ ઊઠતો નથી, કોઈ નિંદા કરે ત્યાં ‘અરે, આ
જૈનશાસનની વિરાધના કરે છે’ એવો ખેદનો વિકલ્પ થતો નથી.–આવી વીતરાગદશા
ભેદજ્ઞાનના દ્રઢ અભ્યાસથી થાય છે. વિકલ્પની ભૂમિકામાં હોવા છતાં જો વિવેક ન કરે
તો તે તો મૂઢ છે. પોતે વિકલ્પભૂમિકામાં હોય અને દેવ–ગુરુ–ધર્મ ઉપર કાંઈ ઉપસર્ગ
આવે તો ત્યાં ધર્મીને તે ઉપસર્ગ દૂર કરવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. પોતાને
રાગ થતો હોવા છતાં જે વિવેક નથી કરતો તે તો મૂઢ છે. અહીં તો સ્વરૂપના
અનુભવમાં એવી

PDF/HTML Page 10 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
એકાગ્રતા થઈ છે કે પર તરફનો વિકલ્પ ઊઠતો જ નથી–એવી દશાની આ વાત છે.
ધર્મીને વિકલ્પ ઊઠે પણ તે તેને છોડીને સ્વરૂપમાં ઠરવા માંગે છે. અને જ્યાં
સ્વરૂપમાં ઠર્યો ત્યાં જગત વિષેની ચિંતાનો અભાવ થવાની પરમ ઉદાસીનતા સહેજે
વર્તે છે. તેને જગતસંબંધી રાગ–દ્વેષ નથી તેથી, જગત કાષ્ઠપાષાણવત્ ભાસે છે એમ
કહ્યું છે. પહેલાં દેહાદિથી ભિન્ન આત્માને જાણીને ભેદજ્ઞાનના અભ્યાસ વડે સ્વરૂપમાં
ઠરતાં સમસ્ત વિકલ્પો છૂટીને જીવ મુક્તિ પામે છે.–આવો આત્માના ભેદજ્ઞાનના
અભ્યાસનો મહિમા છે.
।। ૮૦।।
પ્રશ્ન :– આત્માને સ્વજ્ઞેય કરવા શું કરવું?
ઉત્તર :– આત્મસ્વભાવનો મહિમા વધારવો, ને રાગાદિ
વિભાવનો મહિમા છોડવો–તે જ આત્માને સ્વજ્ઞેય
કરવાનો ઉપાય છે. સ્વભાવ અને વિભાવની
મર્યાદાને વારંવાર વિચારવી; તેની ભિન્નતા
જાણીને સ્વભાવમાં એકતાનો ને વિભાવથી
ભિન્નતાનો પ્રયત્ન કરવો. ચૈતન્યની મહત્તા ને
વિભાવની તૂચ્છતા સમજવી. જેની મહત્તા સમજે
તેમાં એકાગ્રતા થયા વિના રહે નહિ, ને જેને તૂચ્છ
સમજે તેનાથી ભિન્નતા કર્યા વિના રહે નહિ.
પહેલાં આ વાત લક્ષમાં લઈને તેનો વિશેષ–
વિશેષ પ્રયત્ન કરવો જોઈએ.

PDF/HTML Page 11 of 47
single page version

background image
: ૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
આત્મધર્મની “આજીવન સભ્ય” યોજના
આપણું આત્મધર્મ–માસિક હજારો જિજ્ઞાસુ ગ્રાહકો કાયમ મંગાવે છે. આત્મધર્મ
વધુ વિકસિત બને અને તેના કાયમી ગ્રાહકોને દરવર્ષે લવાજમ મોકલવાનું ન રહે તથા
સંસ્થાને પણ વ્યવસ્થામાં રાહત રહે તે માટે એમ નક્કી કરવામાં આવ્યું છે કે જેઓ
એકસો એક રૂપિયા આપીને ‘આજીવન સભ્ય’ થાય તેમને ‘આત્મધર્મ’ કાયમ મોકલવું.
આપ નીચેના સરનામે રૂા. ૧૦૧–૦૦ મોકલી આજીવન સભ્ય બની સંસ્થાને સહકાર
આપવા વિનંતિ છે. હિંદી તથા ગુજરાતી બંને આત્મધર્મ માટે આ યોજના છે.
મેનેજર
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
રૂા. ૧૦૧) આપી આજીવન સભ્ય બનનારના નામોની યાદી
૧ શ્રી નગીનદાસ હરીલાલ ભાયાણી ભાવનગર ૧૩ શ્રી ખીમચંદભાઈ પ્રાગજીભાઈ
૨ શ્રી કે. જે. શેઠ મુંબઈ ઉમરાળાવાલા હાલ મુંબઈ
૩ શ્રી નવલચંદ જે. શાહ સોનગઢ ૧૪ શ્રી એમ. સી. તુરખીયા એડન
૪ શ્રી ઘાસીલાલજી બંસીધરજી સરાવગી રામગઢ ૧પ શ્રી બંસીલાલજી ઝાંઝરી કલકત્તા
પ શ્રી વાડીલાલ કાનજી કલકત્તા ૧૬ શ્રી શાન્તાબેન બાલચંદ સુરેન્દ્રનગર
૬ શ્રી માણેકબાઈ ઉજ્જૈન ૧૭ શ્રી પાનાચંદ ડુંગરસી તુરખીયા માટુંગા
૭ શ્રી કનકરાય મણીલાલ પુનાતર જામનગર ૧૮ શ્રી ઠાકોરદાસ પ્રભુદાસ પારેખ રાજકોટ
૮ શ્રી ગીરધરલાલ નાગરદાસ વઢવાણ શહેર ૧૯ શ્રી પુષ્પાબેન મનસુખલાલ દોશી ઘાટકોપર
૯ શ્રી વિજયકુમાર કાન્તીલાલ શેઠ મુંબઈ ૨૦ શ્રી પુષ્પાબેન મનહરલાલ દાહર
૧૦ શ્રી ચંપાબેન લીલાધર મુંબઈ ૨૧ શ્રી કંચનબેન હીરાલાલ સોનગઢ
૧૧ શ્રી રવીચંદ વિક્રમચંદ મદ્રાસ ૨૨ શ્રી દોલતરાય માણેકચંદ દોશી જામનગર
૧૨ શ્રી જયન્તિલાલ બેચરદાસ સાવર–કુંડલા ૨૩ શ્રી મોહનલાલ હરખચંદ ધ્રાફા
– * –

PDF/HTML Page 12 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
ભગવાન ઋષભદેવ
તેમના પવિત્ર જીવનની આનંદકારી કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
[લેખાંક દસમો]
દશ ભવથી ચૈતન્યની આરાધના કરતાં કરતાં આપણા ચરિત્રનાયક
અંતિમ અવતારરૂપે યોધ્યાનગરીમાં અવતરી ચુકયા છે ને ઈન્દ્રોએ
મેરૂપર્વત ઉપર તેમનો જન્માભિષેક કરી લીધો છે. ત્યારબાદ એ
જન્મોત્સવમાં શું–શું બન્યું–તે અહીં વાંચો.
અભિષેક પછી ઈન્દ્રાણીએ ભગવાનના શરીરને ઉત્તમ વસ્ત્રદ્વારા લૂછયું ને
અત્યંત હર્ષપૂર્વક સ્વર્ગમાંથી લાવેલા વસ્ત્રાભૂષણો જગત્ગુરુ ભગવાન ઋષભકુમારને
પહેરાવ્યા, અને ઘણા આદરપૂર્વક ભગવાનના લલાટ પર તિલક કર્યું. પરંતુ જગતના
તિલકસ્વરૂપ એવા ભગવાનની શોભા શું તે તિલક વડે હતી? નહીં! ઊલ્ટું તે તિલક
ભગવાનને લીધે શોભતું હતું. જગતના મુગટસ્વરૂપ એવા ભગવાનને મુગટ વગેરે
અનેક દૈવી આભૂષણો ઈન્દ્રાણીએ પહેરાવ્યાં. ભગવાનના કાન વગર વિંધ્યે જ છિદ્રવાળાં
હતા, તેમાં ઈન્દ્રાણીએ ઉત્તમ મણિમય કુંડલ પહેરાવ્યાં.
એ પ્રમાણે વસ્ત્રાલંકારથી શોભિત ભગવાનના અદ્ભુત રૂપને દેખીને સ્વયં
ઈન્દ્રાણીને પણ મહાન આશ્ચર્ય થયું. ઈન્દ્ર પણ આશ્ચર્યથી ભગવાનનું રૂપ જોવા લાગ્યો,
પરંતુ બે આંખોવડે તેને સન્તોષ ન થયો તેથી એક હજાર આંખો બનાવીને તે
ભગવાનનું રૂપ જોવા લાગ્યો. અને પછી તે ઈન્દ્રાદિ દેવો તીર્થંકર ભગવાનની સ્તુતિ
કરવા લાગ્યા: હે દેવ! અમને પરમ આનંદ દેવા માટે આપનો અવતાર છે. આપનાં
વચનકિરણોવડે અમારા અંતરનો અજ્ઞાનઅંધકાર નષ્ટ થાય છે. પ્રભો! આપ દેવોમાં
આદિ દેવ છો, આપ ત્રણ જગતના આદિ ગુરુ છો, આપ આદિ વિધાતા (વિધિના
સમજાવનાર) છો, અને આપ ધર્મના આદિ નાયક છો. આપ જ જગતના પિતા છો.
પ્રભો, આપ તો પવિત્ર જ છો, પરંતુ પાપથી મલિન એવું આ જગત આપના
જન્માભિષેક

PDF/HTML Page 13 of 47
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
વડે પવિત્ર થયું છે, તેમ જ આ મેરૂપર્વત ને ક્ષીરસમુદ્ર પણ પાવન થયા છે. હે
નાથ! પરબ્રહ્મ–પરમાત્મા નજરે ન દેખાય એમ કોઈ કહે છે તે જૂઠ છે કેમ કે પરમ
જ્યોતિ સ્વરૂપ પરમાત્મા એવા આપ આજ અમને પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છો.
હે ભગવાન! આપનો આત્મા પવિત્ર છે તેથી આપને નમસ્કાર હો.
આપના ગુણો સર્વત્ર પ્રસિદ્ધ છે તેથી આપને નમસ્કાર હો.
આપ જન્મ–મરણનો નાશ કરનારા છો તેથી આપને નમસ્કાર હો.
આપ ત્રણ જગતના પરમેશ્વર છો તેથી આપને નમસ્કાર હો.
પ્રભો આપ પૃથ્વી જેવા ક્ષમાવંત છો; જલસમાન સૌને આહ્લાદિત કરનારા
છો; વાયુ જેવા નિષ્પરિગ્રહી છો; અગ્નિની જેમ આપનું ધ્યાન–તેજ સદા પ્રદીપ્ત છે,
તથા આકાશની જેમ આપ સદા નિર્વિકારી છો.
મેરુ ઉપર ઈન્દ્ર ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરી રહ્યો છે–
૧. હે પ્રભો! મહાન બળના ધારક આપ ‘महाबल’ છો.
૨. લલિત–અંગના ધારક એવા આપ ‘ललितांग’ છો.
૩. ધર્મતીર્થ પ્રવર્તાવવામાં આપ મજબૂત वज्रजंघ છો.
૪. હે જિન! આપ સુવિશુદ્ધ–પૂજ્ય હોવાથી आर्य છો.
પ. દિવ્ય શ્રી અર્થાત્ શોભાના ધારક આપ श्रीधर છો.
૬. ઉત્તમ ભાગ્યવાળા હોવાથી આપ सुविधि છો.
૭. અવિનાશી પદના સ્વામી હોવાથી આપ ‘अच्युतेन्द्र’ છો.
૮. વજ્ર જેવી નાભિના ધારક આપ ‘वज्रनाभि’ છો.
૯. સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી આપ ‘सर्वार्थसिद्ध’ છો.
૧૦. દશ અવતારમાં અંતિમ અવતારપ્રાપ્ત આપ ऋषभदेव છો.
આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરતાં કરતાં તેમના દશ અવતાર પણ
બતાવી દીધા. સ્તુતિ કરીને પછી ભગવાનને ઐરાવત હાથી પર બિરાજમાન કરીને
ઈન્દ્રો આનંદપૂર્વક અયોધ્યા આવ્યા.
અયોધ્યામેં ઉત્સવ કિનો........
અયોધ્યા નગરીની શોભા અદ્ભુત હતી. તેની ભૂમિ અને મહેલો મણિમય
હતા; તેનો સોનાનો ગઢ રત્નોથી જડેલો હતો. ભગવાન ઋષભદેવની જન્મભૂમિ
હોવાથી

PDF/HTML Page 14 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
તે શુદ્ધ રત્નની ખાણ હતી ને કરોડો મહાપુરુષરૂપી અમૂલ્ય રત્નો તેણે ઉત્પન્ન કર્યા હતા.
તેની બાજુના પ્રદેશમાં સરયૂ નદી વહેતી હતી.
ભગવાનને લઈને ઈન્દ્ર અયોધ્યા આવ્યા અને નાભિરાજાના મહેલમાં સિંહાસન
પર બિરાજમાન કર્યા. તે પ્રિયદર્શન ભગવાનને દેખીને નાભિરાજાનું શરીર હર્ષથી
રોમાંચિત થયું; ને માયામયી નિદ્રા દૂર થતાં માતા મરુદેવી પણ હર્ષપૂર્વક ભગવાનને
દેખવા લાગ્યા. ત્યારબાદ માતાપિતાએ પ્રસન્નચિત્તથી ઈન્દ્ર–ઈન્દ્રાણી સામે જોયું; ને ઈન્દ્ર–
ઈન્દ્રાણીએ મહામૂલ્ય આભૂષણો અર્પણ કરીને માતાપિતાનું સન્માન કર્યું. તથા સ્તુતિ
કરી કે આપ મહાન ધન્ય છો, લોકમાં સૌથી શ્રેષ્ઠ પુત્ર આપને ત્યાં અવતર્યો છે. આપ
જગતના ગુરુના પણ ગુરુ (માતા–પિતા) છો, આપ અનેક કલ્યાણને પ્રાપ્ત કરનારા છો.
આપનો મહેલ આજે જિનાલય સમાન પૂજ્ય છે, ને આપ પણ પૂજ્ય છો.
સ્તુતિ કર્યા બાદ ઈન્દ્રે ભગવાનના જન્માભિષેક ઉત્સવની ઉત્તમ કથા કરી, તે
સાંભળીને માતા–પિતાને પરમ હર્ષને આશ્ચર્ય થયું. તેમણે નગરજનોની સાથે મહાન
વિભૂતિ સહિત અયોધ્યાપુરીમાં ફરીને ભગવાનનો જન્મોત્સવ કર્યો. તે વખતે
અયોધ્યાનગરી સ્વર્ગપુરી સમાન શોભતી હતી, આખા જગતને આનંદિત કરનારો
ઉત્સવ અયોધ્યાપુરીમાં થયો. નગરજનોનો આનંદ દેખીને ઈન્દ્રે પણ આનંદ નામના
નાટકવડે પોતાનો આનંદ પ્રગટ કર્યો, ને અદ્ભુત તાંડવનૃત્ય કર્યું. નાટકદ્વારા
ભગવાનના મહાબલ વગેરે દશ ભવ તથા ગર્ભકલ્યાણક અને જન્મકલ્યાણકનાં દ્રશ્યો
દેખાડ્યાં; એ વખતે ગંભીર શબ્દોથી એક સાથે કરોડો વાજાં વાગતાં હતા...ને ઈન્દ્ર હજાર
હાથ તથા હજાર નેત્ર બનાવીને આનંદનૃત્ય કરતો હતો, તેની આંગળી ઉપર દેવીઓ
નાચતી હતી. ઈન્દ્રનું આ
શ્ચર્યકારી નૃત્ય જોઈને મહારાજા અને મહાદેવી ચકિત થયા.
ઈન્દ્રોએ જગતમાં શ્રેષ્ઠ એવા ભગવાનનું ‘વૃષભદેવ’ નામ રાખ્યું. वृष એટલે ઉત્તમધર્મ
તેના વડે (भाति) શોભાયમાન હોવાથી તીર્થંકર ભગવાનને ઈન્દ્રે ‘વૃષભસ્વામી’ કહ્યા
અથવા ભગવાનને ‘પુરુદેવ’ નામથી પણ સંબોધ્યા. અને ભગવાન જેવડા જ રૂપવાળા
દેવકુમારોને તથા દેવીઓને ભગવાનની સેવામાં રાખીને ઈન્દ્રો પોતપોતાના સ્વર્ગમાં
ગયા. તે દેવીઓ ભગવાનને નવડાવવા, ખવરાવવા, વસ્ત્રાભૂષણ પહેરાવવા–વગેરે
કાર્યોવડે એ બાલતીર્થંકરની સેવા કરતી હતી.
ભગવાનની બાલચેષ્ટા
ભગવાન ઋષભદેવની બાલચેષ્ટાઓ આશ્ચર્યકારી હતી; ક્્યારેક તેઓ મંદ મંદ

PDF/HTML Page 15 of 47
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
હાસ્યવડે માતાપિતાના હર્ષને વધારતા હતા. ચન્દ્રમા સમાન ભગવાનની ઉજ્જવલ
બાલ્યાવસ્થા જગતને આનંદ દેનારી હતી. ક્રમે ક્રમે ભગવાનને વાણી પ્રગટી, ને ધીમે
ધીમે પા–પા પગલી ભરવા લાગ્યા...ને સૌનો આનંદ વધારવા લાગ્યા. નાનકડા
ભગવાન દેવબાલકોની સાથે રત્નોની ધૂળમાં રમતા હતા, ને માતા–પિતાને તથા
પ્રજાજનોને આહ્લાદ પમાડતા હતા.
ધીમે ધીમે બાલ્યાવસ્થા વીતી ને ભગવાન કુમાર થયા. મહાપ્રતાપી ભગવાનનું
શરીર કુમારઅવસ્થામાં ઘણી જ શોભાથી ખીલી ઊઠયું, ને ગુણોમાં પણ વૃદ્ધિ થવા
લાગી. તે વખતે તેમનું મનોહર શરીર, મધુરી બોલી, મીઠી નજર અને મલકતા મુખની
વાતચીત–એ બધું ય સંસારની પ્રીતિને ભૂલાવી દેતું હતું ને ભગવાન પ્રત્યે પરમ પ્રીતિ
ઉપજાવતું હતું.
મતિ–શ્રુત ને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત જ ભગવાન અવતર્યા હતા તેથી
સમસ્ત વિદ્યા અને લોકસ્થિતિને તેઓ સ્વયં જાણતા હતા. તેઓ સમસ્ત વિદ્યાના ઈશ્વર
હતા તેથી તેમને સર્વે વિદ્યાઓ સ્વયમેવ પ્રાપ્ત થઈ હતી. એ યોગ્ય જ છે કેમકે
પૂર્વજન્મનો અભ્યાસ સ્મરણશક્તિને અત્યંત પુષ્ટ રાખે છે. કોઈના શીખવ્યા વગર જ
તેઓ બધી વિદ્યા જાણતા હતા.
ક્ષાયિક સમ્યગ્દર્શન વડે ભગવાનનું ચિત્ત નિર્મલ હતું, ને સ્વાભાવિક સરસ્વતી
વડે તેમના વચન પણ નિર્દોષ હતા. તેમને સ્વભાવથી જ શાસ્ત્રજ્ઞાન હતું ને તે
શાસ્ત્રજ્ઞાનને લીધે તેમના પરિણામ બહુ જ શાન્ત રહેતા હતા, ને તેમની ચેષ્ટાઓ
જગતનું હિત કરનારી હતી. જેમ જેમ તેમનું શરીર અને ગુણો વધતા જતા હતા તેમ
તેમ લોકોનો હર્ષ પણ વધતો જતો હતો. એ રીતે જગતના આનંદને વધારતા વધારતા
તે ભગવાન વૃદ્ધિને પામતા હતા. પૂર્વસંસ્કારથી પ્રાપ્ત અનેક પ્રકારની વિદ્યાઓ
(લિપિવિદ્યા, ગણિતવિદ્યા વગેરે) તથા કળાઓ (સંગીત–ચિત્રકળા વગેરે) તેઓ
બીજાને શીખવતા હતા. ક્્યારેક મોર, પોપટ, હંસ, કુકડો, કે હાથીના બચ્ચાનું રૂપ ધારણ
કરનારા દેવકુમારોની સાથે આનંદથી ક્રીડા કરતા હતા; ક્્યારેક દેવીઓએ પૂરેલી રત્નોની
રંગોળીને આનંદથી દેખતા હતા; ક્્યારેક પોતાના દર્શન માટે આવેલા પ્રજાજનો સાથે
મધુર હાસ્ય સહિત સંભાષણ કરીને તેમને આનંદિત કરતા હતા;
ક્યારેક દેવકુમારો સાથે નંદનવનમાં ક્રીડા કરતા હતા. એ પ્રમાણે ભગવાન સુખપૂર્વક
રહેતા હતા, ને દરરોજ ઈન્દ્રદ્વારા મોકલેલા શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણ વગેરે ભોગોનો ઉપભોગ
કરતા થકા વૃદ્ધિને પામતા હતા.

PDF/HTML Page 16 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
વિવાહ અને ભરત વગેરે ૧૦૧ પુત્રો
ભગવાન ઋષભદેવ યુવાન થયા, તેમનું રૂપ અતિશય શોભી ઊઠયું; તેમનું લોહી
દૂધ જેવું સફેદ હતું; તેમના શરીરમાં મેલ કે પરસેવો ન હતો; વિષ કે શસ્ત્રથી તે અભેદ્ય
હતું. પરમઔદારિક હતું ને મોક્ષનું કારણ હતું. ભગવાનના શરીર પર સ્વસ્તિક, કમળ,
સમુદ્ર, હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર, રત્નદીપ, વૃષભ, જંબુદ્વીપ, આઠ પ્રતિહાર્ય, આઠ
મંગલદ્રવ્ય વગેરે ૧૦૦૮ સુલક્ષણો શોભતા હતા. રાગ–દ્વેષરહિત ભગવાનના ચિત્તમાં
અચળ લક્ષ્મી પ્રત્યે બહુ થોડો જ પ્રેમ હતો.
ભગવાનની યુવાવસ્થા દેખીને નાભિરાજા એક દિવસ વિચારવા લાગ્યા કે–આ
ઋષભદેવના ચિત્તને હરણ કરે એવી સુંદર સ્ત્રી ક્્યાંથી હોય? અને કદાચિત એવી સુંદર
સ્ત્રી મળે તોપણ તેમને વિષયરાગ અત્યન્ત મંદ હોવાથી તેમના વિવાહ કરવાનું ઘણું
મુશ્કેલ છે. વળી બીજી વાત એ છે કે, ધર્મ–તીર્થની પ્રવૃત્તિ કરવા માટે તેમનો મહાન
ઉદ્યમ છે એટલે તેઓ જરૂર સંસારબંધન તોડીને મસ્ત હાથીની જેમ વનમાં જશે ને દીક્ષા
ધારણ કરશે. તોપણ, તેમનો દીક્ષાકાળ આવ્યા પહેલાં તેમને માટે યોગ્ય સ્ત્રીનો વિચાર
કરવો જોઈએ.
આમ વિચારી, ભગવાન પાસે જઈને નાભિરાજા કહેવા લાગ્યા–હે દેવ! આપ તો
જગતના અધિપતિ અને સ્વયંભૂ છો; આપની ઉત્પત્તિમાં અમે માતા–પિતા છીએ એ તો
કેવળ લોકવ્યવહાર છે. મારી અભ્યર્થના છે કે આપ સંસારસૃષ્ટિમાં પણ આપનું ચિત્ત
લગાવો, ને કોઈ શ્રેષ્ઠ કન્યા સાથે વિવાહ માટે સંમતિ આપો. જો આપ મને કોઈ પણ
પ્રકારે ગુરુ (મોટા) માનતા હો તો મારા આ વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ.
–આમ કહીને નાભિરાજા ચૂપ રહ્યા, ત્યારે ભગવાને સહેજ હસતાં હસતાં ‘ओम
કહીને તે વાતનો સ્વીકાર કર્યો. નાભિરાજાએ અત્યંત હર્ષપૂર્વક, ઈન્દ્રની સલાહ લઈને,
કચ્છ અને મહાકચ્છ રાજાની બે બહેનો યશસ્વતી અને સુનન્દા સાથે ઋષભકુમારના
વિવાહનો ઉત્સવ કર્યો. દેવોએ પણ પ્રસન્નતાથી તે ઉત્સવમાં ભાગ લીધો. પુત્રવધુઓને
દેખીને નાભિરાજા અને મરુદેવી એકદમ પ્રસન્ન થયા. ભગવાન ઋષભકુમારમાં કામદેવ
જો કે અતિશય ભગ્ન થઈ ગયો હતો છતાં ગુપ્તરૂપે તે પોતાનો સંચાર કરતો હતો. બંને
રાણીઓ સાથે ભોગોપભોગમાં ઘણો કાળ વીત્યો.
એક રાત્રે યશસ્વતી મહાદેવીએ સ્વપ્નમાં કોળિયો થઈ ગયેલી પૃથ્વી, મેરૂપર્વત,

PDF/HTML Page 17 of 47
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
સૂર્ય, ચંદ્ર, હંસયુક્ત સરોવર તથા તરંગવાળો સમુદ્ર દેખ્યો. ભગવાને અવધિજ્ઞાનરૂપી
દિવ્યચક્ષુવડે તે ઉત્તમ સ્વપ્નોનું ફળ જાણીને કહ્યું–હે દેવી! તને મહા પ્રતાપી ચક્રવર્તી પુત્ર
થશે; અને તરંગવાળો સમુદ્ર એમ સૂચવે છે કે તે પુત્ર ચરમશરીરી થઈને સંસાર સમુદ્રને
પાર કરશે. તથા ઈક્ષ્વાકુવંશને આનંદ દેનારા તારા એકસો પુત્રોમાં તે સૌથી જયેષ્ટ હશે.
પતિના મુખથી સ્વપ્નનું ઉત્તમ ફળ જાણીને દેવીને ઘણો હર્ષ થયો.
પૂર્વે જે અતિગૃદ્ધ–રાજા હતો, પછી સિંહ થઈને સંથારો કરી સ્વર્ગે ગયો, પછી
ઋષભદેવની વજ્રજંઘ–પર્યાય વખતે તેમનો મતિવર નામનો મંત્રી થયો–જે આહારદાન
વખતે સાથે હતો, પછી દેવ થયો, પછી સુબાહુ ગયો, પછી સર્વાર્થસિદ્ધિમાં ગયો, તે જીવ
ત્યાંથી ચ્યુત થઈને યશસ્વતીદેવીની કુંખે ઋષભદેવના પુત્ર તરીકે અવતર્યો;
ભરતચક્રવર્તી જેવા તે વીરપુત્રને ધારણ કરનારી માતા ચકચકતી તલવારરૂપી દર્પણમાં
પોતાના મુખની કાન્તિ જોતી હતી, રત્નોથી ભરેલી ભૂમિસમાન શોભતી હતી. જે સમયે
ભગવાન ઋષભદેવ જન્મ્યા હતા, બરાબર તે જ સમયે (ફાગણ વદ નોમના ઉત્તમ
દિવસે) યશસ્વતીદેવીએ ભરત ચક્રવર્તીને જન્મ આપ્યો. જન્મતાંવેંત તેણે બે હાથવડે
પૃથ્વીને આલિંગન કર્યું હતું તેથી નિમિત્તજ્ઞાનીઓએ કહ્યું કે તે સમસ્ત પૃથ્વીનો
અધિપતિ ચક્રવર્તી થશે. આવા પુત્રજન્મથી તેના દાદા તથા દાદીમા પરમ હર્ષ પામ્યા;
પતિપુત્રવતી સ્ત્રીઓ શુભઆશીષ દેવા લાગી કે ‘તું આવા સેંકડો પુત્રની માતા હો.’ એ
વખતે કરોડો દાંડીવડે આનંદના મોટામોટા નગારા મેઘની જેમ ગાજતા હતા, ને અનેક
વાજાં વાગતા હતા. આકાશમાં દેવ–દેવીઓનાં ‘જય હો... જય હો, ચિરંજીવ રહો, એવા
શબ્દો ગૂંજતા હતા. રાજમહેલમાં રત્નની રંગાવલી અને સુવર્ણનાં કળશ શોભતા હતા.
આખી અયોધ્યાનગરીમાં ઉત્સવ થતો હતો. ઋષભદેવે ઘણું દાન લીધું હતું; ને
ભરતક્ષેત્રના અધિપતિ થનાર તે પુત્રને ‘ભરત’ એવા નામથી બોલાવ્યો હતો.
ઈતિહાસકારો કહે છે કે હિમવન્ પર્વતથી માંડીને સમુદ્ર સુધીનું ચક્રવર્તીનું ક્ષેત્ર ને
‘ભરત’ ના નામ ઉપરથી ‘ભારતવર્ષ’ કહેવાયું. વિધિના જાણનાર ભગવાન ઋષભદેવે
પોતે તે પુત્રને આબોટીયું (અર્થાત્ પહેલીવાર અનાજ ખવડાવવું) તથા મુંડન કરવું
વગેરે સંસ્કારો કર્યા હતા. તે ભરતની ચેષ્ટાઓ તેના પિતા ઋષભદેવ જેવી જ હતી. તેની
હથેળી ચક્ર વગેરે શુભ ચિહ્નોથી શોભતી હતી. તેના પગમાં પણ ચક્ર, છત્ર, તલવાર
વગેરે ૧૪ રત્નોનાં ચિહ્ન હતાં, જાણે કે અત્યારથી એ ૧૪ રત્નો તેની સેવા કરતાં હોય!
તે ચરમશરીરી હતો. ચક્રવર્તીના ક્ષેત્રમાં (છ ખંડમાં) રહેનારા

PDF/HTML Page 18 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
બધા મનુષ્યો અને દેવોનું જેટલું બળ થાય તેના કરતાં અનેકગણું વધારે બળ તે
ચક્રવર્તીની ભૂજાઓમાં હતું. તેનો આકાર અને સ્વભાવ બંને સુંદર હતા. તે એક દિવ્ય
મનુષ્ય હતો ને તેની ચેષ્ટાઓ અદ્ભુત હતી. વિશિષ્ટ પુણ્યને લીધે તેને આવી લોકોત્તર
સંપદા મળી હતી.
જેમને અરિહન્તપદની લક્ષ્મી પ્રાપ્ત થવાની છે એવા ભગવાન ઋષભદેવ,
ભરતના આનંદકારી મુખને દેખતા હતા; ને જ્યારે મધુર વચનસહિત પ્રણામ કરીને તે
બેઠો થાય ત્યારે વારંવાર આલિંગન કરીને તેને પોતાની ગોદમાં બેસાડતા હતા.
પૂર્વભવના બીજા સાથીદારો પણ સર્વાર્થસિદ્ધિમાંથી ભગવાન ઋષભદેવના પુત્ર
તરીકે યશસ્વતીની કુંખે અવતર્યા. જે ભગવાનની વજ્રજંઘપર્યાયમાં અકંપનસેનાપતિ
હતો ને વજ્રનાભિપર્યાયમાં પીઠ નામનો ભાઈ હતો તે વૃષભસેન નામનો પુત્ર થયો.
જે ધનમિત્રશેઠ તથા મહાપીઠ નામનો ભાઈ હતો તે અનંતવિજય નામનો પુત્ર
થયો.
સિંહનો જીવ જે પૂર્વે વિજય નામનો ભાઈ હતો તે અનંતવીર્ય નામનો પુત્ર થયો.
ભૂંડનો જીવ જે પૂર્વે વૈજયન્ત નામનો ભાઈ હતો તે અચ્યુત નામનો પુત્ર થયો.
વાંદરાનો જીવ જે પૂર્વે જયન્ત નામનો ભાઈ હતો તે વીર નામનો પુત્ર થયો.
નોળિયાનો જીવ જે પૂર્વ ભવમાં અપરાજિત નામનો ભાઈ હતો તે વરવીર
નામનો પુત્ર થયો.
તે ઉપરાંત બ્રાહ્મી નામની એક પુત્રી થઈ.
આનંદપુરોહિતનો જીવ જે પૂર્વ ભવમાં મહાબાહુ નામનો ભાઈ હતો તે
સર્વાર્થસિદ્ધિમાંથી ચ્યવીને સુનન્દારાણીની કુંખે બાહુબલી નામનો પુત્ર થયો; તથા
વજ્રજંઘપર્યાય વખતે જે અનુંધરી નામની બહેન હતી તે અહીં સુંદરી નામની સુંદર પુત્રી
થઈ.
એ પ્રમાણે ભગવાન ઋષભદેવને કુલ ૧૦૧ પુત્રો થયા. તે બધાય પ્રતાપી અને
ચરમશરીરી હતા. ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર હતા, તો તેમના પ્રતાપી પુત્રોમાં
ભરત પ્રથમ ચક્રવર્તી, બાહુબલી પ્રથમ કામદેવ અને વૃષભસેન પ્રથમ ગણધર હતા.
અહા! કેવો મહાન પરિવાર!

PDF/HTML Page 19 of 47
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
આવા ઉત્તમ પુત્ર–પુત્રીઓના પરિવારથી શોભતા ભગવાન એકવાર સિંહાસન
પર બિરાજતા હતા; ત્યાં બ્રાહ્મી અને સુન્દરી બંને પુત્રીઓએ આવીને વિનયપૂર્વક
પિતાજીને પ્રણામ કર્યા. ત્યારે ભગવાને તેમને ગોદમાં બેસાડીને મસ્તક પર હાથ ફેરવ્યો,
મસ્તક સુંઘ્યું ને પછી હસતાંહસતાં કહ્યું–બેટી, આવો! તમે એમ ધારતા હશો કે આજે
અમે દેવોની સાથે અમરવન જઈશું,–પરંતુ હવે એમ નહિ બની શકે, કેમકે દેવો તો
પહેલાં જ ચાલ્યા ગયા છે. એમ ક્ષણભર ભગવાને તે પુત્રીઓ સાથે ક્રીડા કરી તથા
તેમના શીલ અને વિનયની પ્રશંસા કરી. પછી કહ્યું કે–તમારું બંનેનું આવું સુંદર શરીર
અને અનુપમ શીલ, તેને જો વિદ્યાવડે વિભૂષિત કરવામાં આવે તો તમારો જન્મ સફળ
થઈ જાય. આ લોકમાં વિદ્યાવાન મનુષ્ય પંડિતોવડે સન્માન પામે છે; વિદ્યા જ સાચો
ભાઈ અને વિદ્યા જ સાચો મિત્ર છે, વિદ્યા જ સાથે રહેનારૂં ધન છે; સાચી વિદ્યાવડે સર્વ
મનોરથ સિદ્ધ થાય છે. માટે હે પુત્રીઓ! તમે વિદ્યાને ગ્રહણ કરો.
એમ કહીને ભગવાને તે બંને પુત્રીઓને વારંવાર આશીર્વાદ આપ્યા, અને
પોતાના ચિત્તમાં સ્થિત શ્રુતદેવતાનું સ્મરણ કરીને બંને હાથવડે अ आ વગેરે
અક્ષરમાળા તથા १ २ ३ વગેરે અંકો શીખવ્યા. ભગવાનના મુખથી નીકળેલી અને
સિદ્ધમાતૃકા જેનું નામ છે, તથા ‘सिद्धं नमः’ એવું અત્યંત પ્રસિદ્ધ જેનું મંગળાચરણ છે–
એવી શુદ્ધ અક્ષરાવલી, તેમજ ગણિત, વ્યાકરણ, કાવ્ય વગેરે સમસ્ત વિદ્યાઓ બ્રાહ્મી
તથા સુંદરીએ ધારણ કરી. પિતા જ જેના ગુરુ છે એવી તે બંને પુત્રીઓ વિદ્યાવડે
સરસ્વતી સમાન શોભવા લાગી. ભગવાને ભરત–બાહુબલી વગેરે સર્વે પુત્રોને પણ
ચિત્રકળા, નાટ્યકળા વગેરે અનેક પ્રકારની વિદ્યાઓ ભણાવી અને સાથેસાથે
આત્મજ્ઞાનરૂપ અધ્યાત્મવિદ્યાના પણ ઉત્તમ સંસ્કારો આપ્યા.
(આગામી અંકે રાજ્યાભિષેક, વૈરાગ્ય અને દીક્ષા)

PDF/HTML Page 20 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
ગુરુદેવની સાથે સાથે * (સોનગઢથી હિંમતનગર)
[પોષ સુદ ૧૨ થી મહા સુદ પાંચમ]
પોષ સુદ ૧૨ની સવારમાં સોનગઢમાં સીમંધરનાથ આદિ જિનભગવંતોના દર્શન
કરીને, સ્વાધ્યાય મંદિરમાં માંગળિકરૂપે ગુરુદેવે કહ્યું–આ આત્મા નિત્ય છે, તે નિત્યનું
કાર્ય શું? –કે પોતાના નિજકાર્યનો તે કર્તા છે તથા તેનો ભોક્તા છે. નિજકાર્ય શું? કે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય તે ખરૂં નિજકાર્ય છે. અને તેની પૂર્ણતારૂપ મોક્ષ છે. ને
‘સુધર્મ’ તે મોક્ષનો ઉપાય છે. સુ–ધર્મ એટલે સમ્યક્ધર્મ, નિશ્ચયધર્મ તે એક જ મોક્ષનો
ઉપાય છે. આવા મોક્ષઉપાયને સાધવો તે આત્માનું ખરૂં નિજકાર્ય છે, ને તે મંગળરૂપ છે.
માંગળિકમાં આત્માના નિજકાર્યની આ વાત આવી છે. –એમ ઘણા પ્રમોદથી કહ્યું. ને
પછી જયજયનાદ વચ્ચે જિનેન્દ્ર–પ્રતિષ્ઠા માટે અને તીર્થયાત્રા માટે મંગલપ્રસ્થાન કર્યું.
મોટરમાં બેસતાં પહેલાં સ્વાધ્યાયમંદિરના પગથિયે ઊભા રહીને ક્ષણભર માનસ્તંભના
સીમંધરનાથને નીહાળી રહ્યા... બીજી જ ક્ષણે ‘મંગલવર્દ્ધિની’ મંગલનાદ કરતી કરતી
તીર્થધામ તરફ દોડવા લાગી. –જો કે એને સોનગઢ છોડવું ગમતું ન હતું તેથી શરૂમાં તો
તે સાવ ધીમે ધીમે ચાલતી હતી, પણ પછી જિનબિંબપ્રતિષ્ઠાની અને તીર્થયાત્રાની
ગુરુદેવની ભાવના જાણીને તે પણ હોંસથી દોડવા લાગી.
થોડીવાર થઈ ત્યાં સોનગઢ છૂટયું ને લાઠી આવ્યું, અનેક ભક્તોએ સવારમાં
ગુરુદેવના દર્શન કર્યા. પછી આવ્યું પૂ. બેનનું અમરેલી, ત્યાંથી પસાર થતાં અનેક
સંસ્મરણો જાગતા હતા...ત્યાં તો આંકડિયા આવી ગયું...પંચકલ્યાણક મહોત્સવની પૂર્વ
તૈયારીઓથી ગામનું વાતાવરણ મ્હેકતું હતું. શાંતિનાથપ્રભુના શાંતપ્રતિમાજીના દર્શન
કર્યા; નવા જિનમંદિરનું અવલોકન કર્યું. વાતાવરણમાં પ્રસન્નતા છવાઈ ગઈ. થોડીવાર
રોકાઈને અમરાપુર પહોંચ્યા.
પ્રવાસનો આ પહેલો મુકામ; ગ્રામ્યજનતાએ નાનકડું સ્વાગત કર્યું. સોનગઢ–
બ્રહ્મચર્યાશ્રમમાં રહેતા બ્ર. તારાબહેનનું આ ગામ; તેમના કુટુંબની વિનતિથી ગુરુદેવ
પધાર્યા. સૌએ ભક્તિથી લાભ લીધો. સોનગઢથી પૂ. બેનશ્રી–બેન વગેરે પણ પધાર્યા
હતા. ગામડાના અત્યંત નિવૃત્ત અને શાંત વાતાવરણમાં ગુરુદેવ પ્રસન્નચિત્ત હતા.