Atmadharma magazine - Ank 029
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૨૯
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ : ૩ સંપાદક ફાગણ
રામજી માણેકચંદ દોશી
અંક : ૫ વકીલ ૨૪૭૨
શા કરીએ સન્માન. પધાર્યા સીમંધર ભગવાન

ધન્ય ભાગ્ય અમારા આજ પધાર્યા સીમંધર ભગવાન,
વિભુ તુજ શા કરીએ સન્માન સુરપુરી સુરતરુ ફળીયા આજ.
વીતરાગ પ્રભુ અમ આંગણ આવ્યા એ દિન, એ દિન આજ,
હૃદયમાં હર્ષ અપરંપાર, દીઠા તુમ દિવ્ય લોયણ આજ.
હે નાથ અમારે આંગણ આવ્યા, સાક્ષાત્ પ્રભુ વીતરાગ
ભવ્યોના તારણહાર ભગવાન, દીઠા તુમ જ્ઞાન લોયણ આજ.
એ દિવ્ય ધ્વનિના દિવ્ય પ્રકાશક, પ્રભુજી પધાર્યા આજ
હે દેવ સદ્ભાગ્ય ખીલ્યા અમ આજ, વિભુ તુજ શા કરીએ સન્માન
પ્રભુ દેવ તણા તમે દેવ પધાર્યા, ધન્ય ભૂમિ થઈ આજ
પ્રભુ અમ ધન્ય ભૂમિ થઈ આજ, દીઠા તુજ ઉપશમ લોયણ આજ
સુવર્ણપુરીમાં પ્રભુજી પધાર્યા, વર્તે જય જયકાર
પ્રભુ તુજ વર્તે જય જયકાર, ભવ્યના ભાગ્ય ખીલ્યા છે આજ.
નેમ પદ્મ ને શાંતિ જિણંદજી સીમંધર પ્રભુ ભગવાન
પધાર્યા સુવર્ણપુરી સદ્ભાગ્ય, જય જયકાર જગતમાં આજ.
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય – સુવર્ણપુરી – સોનગઢ કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
િશ્વર્ • દ્રદ્રવ્ર્
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં સમસ્ત વિશ્વના પદાર્થોનું સ્વરૂપ આવી જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાય તે જૈનદર્શનનો એકડો છે.
‘દ્રવ્ય’ એટલે સદાય એક સરખી રીતે ટકી રહેનાર વસ્તુ તે દ્રવ્ય છે. ગુણ એટલે દ્રવ્યનું વિશેષણ, અથવા તો દ્રવ્યના પૂરા
ભાગમાં અને તેની બધી દશામાં જે શક્તિ રહેલી હોય તેને ગુણ કહેવાય છે; અને દ્રવ્ય–ગુણની ક્ષણે ક્ષણે બદલતી હાલત–દશા તે
પર્યાય છે. વિશ્વની કોઈ પણ ચીજ કાં તો દ્રવ્ય હોય, કાં તો ગુણ હોય અને કાં તો પર્યાય હોય, આ ત્રણમાંથી જ એક અવશ્ય
હોય, આ ત્રણથી બહાર એવું આ વિશ્વમાં કાંઈ જ નથી. તેથી દ્રવ્ય–ગુણ–પર્યાયની ઓળખાણમાં આખા વિશ્વની ઓળખાણ
સમાઈ જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની ઓળખાણ માટે અહીં કેટલાક બોલની વ્યાખ્યા આપવામાં આવે છે.
૧ જીવ (આત્મા) :– દ્રવ્ય છે, જ્ઞાન વડે તે ઓળખાય છે.
૨ શરીર:– પર્યાય છે; ‘અનંત પુદ્ગલ પરમાણુ ભેગા મળીને તે પર્યાય થયેલી છે.
૩ તાવ (માંદગી) :– પર્યાય છે, પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ ગુણની ઉષ્ણ પર્યાય છે.
૪ સિદ્ધ:– પર્યાય છે, જીવ દ્રવ્યની સંપૂર્ણ શુદ્ધ પર્યાય છે.
૫ દયા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની મલિન પર્યાય છે.
૬ ધર્મ:– પર્યાય છે; જીવ દ્રવ્યની શુદ્ધ પર્યાય છે.
૭ પુણ્ય–પાપ:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની મલિન પર્યાય છે.
૮ દુઃખ:– પર્યાય છે; જીવ દ્રવ્યના સુખગુણની મલિન પર્યાય છે.
૯ ઉપવાસ:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની શુદ્ધદશા છે. જીવ દ્રવ્યની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતા કરવી
તે જ નિશ્ચય ઉપવાસ છે. (અન્નનો ત્યાગ થવો તે જડ દ્રવ્યની પર્યાય છે.) આત્માના ભાન સહિત આહાર સંબંધી રાગનો
ઘટાડો તે શુભરાગ છે તેને વ્યવહારથી ઉપવાસ કહેવામાં આવે છે. તે ચારિત્રની વિકારી દશા છે.
૧૦ ભક્તિ–પૂજા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની રાગવાળી મલિન પર્યાય છે. (શરીરની હલનચલનાદિ ક્રિયા
કે શબ્દો તે જડ દ્રવ્યની પર્યાય છે.)
૧૧ દાન:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની રાગવાળી મલિન પર્યાય છે. (પૈસાનું જવું તે જડ દ્રવ્યની પર્યાય છે.)
૧૨ કર્મ:– પર્યાય છે; પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે.
૧૩ કેવળજ્ઞાન:– પર્યાય છે; જીવ દ્રવ્યના જ્ઞાનગુણની શુદ્ધ પર્યાય છે.
૧૪ મોક્ષ:– પર્યાય છે; જીવ દ્રવ્યના બધા ગુણની શુદ્ધ પર્યાય તો મોક્ષ છે.
૧૫ સંસાર–પર્યાય છે; જીવ દ્રવ્યના ગુણોની અશુદ્ધ પર્યાય તે સંસાર છે.
૧૬ ચારિત્રદશા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. (ચારિત્રપર્યાય શરીરમાં રહેતી નથી પણ
આત્મામાં રહે છે).
૧૭ શ્રાવક:– પર્યાય છે; જીવ દ્રવ્યની અંશે શુદ્ધ પર્યાય છે. જ્યારે આત્માની ઓળખાણ વડે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન કરે
છે અને પછી કેટલોક રાગ ટાળે છે ત્યારે શ્રાવકદશા કહેવાય છે. સમ્યગ્દર્શન વગર શ્રાવક દશા હોતી નથી.
૧૮ દોડવું–બેસવું–ચાલવું–પર્યાય છે; પુદ્ગલ દ્રવ્યમાં ગમન કરવાની શક્તિ (ગુણ) છે તેની પર્યાય છે. (પુદ્ગલની
પર્યાય જીવમાં થતી નથી.)
૧૯ મિથ્યાત્વ:– પર્યાય છે; જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણની ઊંધી પર્યાય છે. આ મિથ્યાત્વદશા જ જીવને ઘોર સંસાર દુઃખનું
કારણ છે અને મહાપાપ છે.
૨૦ સમ્યક્ત્વ:– પર્યાય છે; જીવ દ્રવ્યના શ્રદ્ધાગુણની સવળી પર્યાય છે; આ સમ્યક્ત્વ જ જીવને અલ્પકાળમાં મોક્ષનું
કારણ છે.
૨૧ સ્વતંત્રતા:– પર્યાય છે; જીવના પોતાના ગુણની પૂરેપૂરી ખીલવટ (શુદ્ધદશા) તે સ્વતંત્રતા છે; સ્વતંત્રતારૂપ પર્યાય
જીવમાં થાય છે. આ સ્વતંત્રતારૂપ દશા તે સુખ છે.
૨૨ પરાધીનતા:– પર્યાય છે; જીવના પોતાના ગુણનો વિકાસ પર લક્ષે અટકવો (અશુદ્ધ દશા) તે પરાધીનતા છે.
પરાધીનતારૂપ દશા તે દુઃખ છે. પરાધીનતારૂપ દશા જીવમાં થાય છે.
૨૩ જ્ઞાન:– જીવ દ્રવ્યનો ગુણ છે.
૨૪ રૂપ–રંગ–રસ:– પુદ્ગલ દ્રવ્યના ગુણ છે.
૨૫ જૈન–પર્યાય છે; જીવદ્રવ્યના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયને ‘જૈન’ તરીકે ઓળખાવાય છે; જે
જીવને સમ્યક્શ્રદ્ધા ન હોય તે ‘જૈન’ નથી.
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૨–૩–૪૬

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૯૫ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ: ફાગણ
અંક: ૨૪૭૨
‘ત સમજ’
“ભાઈ, તું સમજ” આ એક વાક્યમાંથી તો આખા જૈનશાસનની સિદ્ધિ થઈ જાય છે. ‘તું સમજ’ એ
વાક્યમાંથી નીચે પ્રમાણે સિદ્ધિ થઈ જાય છે:–
(૧) ‘તું સમજ’ એમ કહેતા કોઈક સમજનાર છે, આ શરીર તો જડ છે તે કાંઈ સમજનાર નથી પણ
શરીરથી જુદું કોઈક તત્ત્વ છે કે જેમાં સમજવાની તાકાત છે, સમજવાની તાકાતવાળું જડથી જુદું તત્ત્વ તે આત્મા
છે–એમ સિદ્ધ થયું.
(૨) સમજનાર આત્મા છે પણ પહેલાંં તે સમજ્યો ન હતો અને હવે સમજવા તૈયાર થયો છે તેને
સમજવાનું કહેવાય છે. એટલે અણસમજણરૂપ દશા બદલાવીને સાચી સમજણરૂપ દશા થઈ શકે છે અને
સમજનારો બંને વખતે કાયમ રહે છે. આમાં વસ્તુનું બદલવાપણું (ઉત્પાદ–વ્યય) સિદ્ધ થયું, અને બદલવા છતાં
સમજનાર વસ્તુ તો તેને તે જ ટકી રહે છે એમ (ધુ્રવ) પણ આવ્યું.
(૩) સાચી સમજણ કરવાની તાકાત આત્મામાં છે તેથી ગમે ત્યારે તે સમજણ કરી શકે છે. ‘તું સમજ’
એમ કહ્યું છે એટલે સમજવાની મહેનત (પુરુષાર્થ) પોતે જ કરે છે, કોઈ બીજાની તેમાં મદદ નથી એમ
પુરુષાર્થની સ્વતંત્રતા સિદ્ધ થઈ.
(૪) ‘તું સમજ’ એમ કહેનાર સામા જીવનો આશય ખ્યાલમાં લેનાર પોતે જ્ઞાનસ્વરૂપ છે, અને જ્ઞાન
વડે જ પોતે સમજી શકે છે–એમ જ્ઞાન સ્વરૂપ નક્કી કર્યું.
(૫) સમજનાર તત્ત્વની હૈયાતિ છે એટલે કે સમજનાર તત્ત્વમાં સદા ટકી રહેવાની તાકાત (અસ્તિત્વ
ગુણ) છે એમ નક્કી થયું.
(૬) સમજનાર તત્ત્વ પોતામાં પોતાની સમજણરૂપ ક્રિયા કરી શકે છે એટલે કે સમજનાર વસ્તુમાં
પોતાની પ્રયોજનભૂત ક્રિયા કરવાની તાકાત (વસ્તુત્ત્વગુણ) છે–એમ નક્કી થયું.
(૭) જગતમાં કેટલાક જીવો સમજેલા છે અને કેટલાક અણસમજેલા પણ છે, પોતે અણસમજણ ટાળી
સમજણ કરે છે એટલે બીજા જીવોથી પોતાનું પરિણમન જુદું છે અર્થાત્ દ્રવ્યત્વગુણ છે એમ નક્કી થયું.
(૮) ‘તું સમજ’ એમ કહેનાર જીવ સમજનારમાં સમજવાની તાકાત છે એમ જાણીને કહે છે–એટલે કે
સમજનાર તત્ત્વમાં બીજાના જ્ઞાનમાં જણાવારૂપ શક્તિ (પ્રમેયત્વગુણ) છે એમ નક્કી થયું.
(૯) ‘તું સમજ’ એમ કહેતાં અણસમજણ ટાળવાનું કહ્યું, અણસમજણ ક્ષણિક છે અને તે આત્માનું
સ્વરૂપ નથી માટે તે ટળી શકે છે, અને સમજણ તે પોતાનો સ્વભાવ છે, આ રીતે અણસમજણ તે વિકાર છે તેનું
ક્ષણિકપણું અને આત્માના સ્વભાવનું તેનાથી જુદાપણું બતાવ્યું, આમાં આત્માનું પરિણમન પણ સિદ્ધ થઈ ગયું.
(૧૦) જીવને દુઃખ છે તે દુઃખ ટાળવા માટે જ સમજવાનું કહ્યું છે. એટલે એમ નક્કી થાય છે કે જીવને
કોઈ બીજી વસ્તુના કારણે દુઃખ નથી, પણ પોતાની જ અણસમજણના કારણે દુઃખ છે અને તે દુઃખ ટાળવામાં
કોઈ બીજી વસ્તુની મદદ નથી પણ પોતાની સમજણથી જ તે દુઃખ ટળે છે.
(૧૧) અણસમજણ તે આત્માનો સ્વભાવ નથી પણ વિકાર છે અને વિકારમાં પર વસ્તુનું નિમિત્ત છે,
કેમકે ચેતન વસ્તુ જ્યારે પોતાનું લક્ષ ચૂકીને પોતાથી વિરુદ્ધ જાતની કોઈ વસ્તુ ઉપર લક્ષ કરીને ત્યાં અટક્યો છે
ત્યારે તેને સમજવાનું કહેવાય છે–જો જીવ પોતામાં જ લક્ષ કરીને ટકી રહ્યો હોત તો ‘તું સહજ’ એમ તેને કહેવાની
જરૂર ન પડત, પરંતુ તેનું લક્ષ ચેતનપણાથી રહિત એવી વસ્તુ ઉપર છે અને તે વસ્તુ જડ છે. –પુદ્ગલ છે–આ રીતે
પુદ્ગલની હૈયાતિ પણ સિદ્ધ થઈ જાય છે. જો પુદ્ગલની હૈયાતિ ન હોય તો એકલા ચેતનના લક્ષે ભૂલ થાય નહિ.
(૧૨) જે સમજનાર વસ્તુ છે તેનામાં સમજણ શક્તિ પૂરેપૂરી જ હોય, અને વસ્તુમાં જે શક્તિ હોય તે
કોઈકને સંપૂર્ણપણે અવશ્ય પ્રગટ હોય જ. એટલે જેમણે પૂરેપૂરી સમજણ શક્તિ પ્રગટ કરી છે તેવા સવર્જ્ઞદેવ છે,
એમ નક્કી થયું.
(૧૩) પોતાને ‘તું સમજ’ એમ જે કહે છે તે કહેનાર (સામી વ્યક્તિ) એ સમજણ કરી છે પણ હજી
પૂર્ણદશા તેને પ્રગટી નથી, કેમકે જો તેમને પૂર્ણ દશા હોત તો ‘તું સમજ’ એમ કહેવાનો વિકલ્પ તેમને ન હોત,
માટે પૂર્ણદશા પ્રગટ થતાં પહેલાંં પણ સાચી સમજણ હોય છે એટલે કે સાધક જીવો હોય છે–એમ સિદ્ધ થયું.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૯૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
અર્થાત્ જેઓ પૂર્ણ સ્વરૂપ જાણીને પૂર્ણ દશારૂપે થઈ ગયા તે દેવ છે અને જેઓ પૂર્ણ થયા નથી પરંતુ પૂર્ણ
સ્વરૂપને જાણ્યું છે તેમજ બીજાને કહે છે તેઓ ગુરુ છે.
(૧૪) હું મારૂં સ્વરૂપ નથી સમજ્યો માટે મને સમજવા માટે જ જ્ઞાનીઓનો ઉપદેશ છે, જ્ઞાનીઓએ જે
શાસ્ત્રો રચ્યાં તેમાં ‘તું સમજ’ એમ સ્વરૂપ સમજવાનો જ ઉપદેશ છે એટલે શાસ્ત્રોના રહસ્યનો ખ્યાલ આમાં
આવી જાય છે.
(૧૫) ‘તું સમજ’ એમ સાંભળીને સાંભળનારનું લક્ષ પોતા તરફ જાય છે કે ‘હું સમજું’ પરંતુ કહેનાર
જીવ ઉપર તેનું લક્ષ જતું નથી. એટલે પોતા તરફ લક્ષ કરીને પોતે જ પોતાની મેળે સમજે છે, પણ કોઈ બીજો
તેની સમજણ કરાવનાર નથી. એટલે પોતે જ પોતાનો કર્તા છે, કોઈ ઈશ્વર કે બીજો આત્મા પોતાનો કર્તા નથી
એમ નક્કી થયું.
(૧૬) ‘તું સમજ’ એમ કહેનાર નિમિત્ત છે એમ જાણ્યું અને ‘તું સમજ’ એમ કહેનાર જીવ ઉપરનું લક્ષ
છોડીને જ્યારે પોતે પોતાના આત્મા તરફ લક્ષ કરીને વળ્‌યો ત્યારે જ પોતે સમજ્યો છે માટે એ પણ સિદ્ધ થયું કે
નિમિત્તના લક્ષે સમજાતું નથી પણ ઉપાદાનના લક્ષે જ સમજાય છે.
(૧૭) સામા કહેનારે ‘તું સમજ’ એમ કહ્યું પણ કોઈની ભક્તિ–પૂજા કરવાનું પૈસા ખરચવાનું એવું કાંઈ
ન કહ્યું તેથી એમ નક્કી થાય છે કોઈ શુભભાવ, પૈસા વગેરે આત્માના સુખનો ઉપાય નથી પણ સાચું સમજવું તે
જ એક માત્ર સુખનો ઉપાય છે. માટે સૌથી પહેલાંં સાચી સમજણ જ કરવાનું જ્ઞાનીઓ કહે છે.
(૧૮) ‘તું સમજ’ એમ કહ્યું એટલે જો જીવ સમજવા માગે તો તેને કોઈ રોકતું નથી. ‘કર્મ દૂર થાય તો
તને સમજાશે’ એમ નથી કહ્યું, પણ તું સમજવાનો પ્રયત્ન કર એટલે તને જરૂર સમજાશે. સમજવાનો પુરુષાર્થ કરે
અને ન સમજાય એમ બને જ નહિ. કર્મ જીવને પુરુષાર્થ કરતાં રોકતાં નથી, આમ જીવનો પુરુષાર્થ સિદ્ધ થયો.
(૧૯) ‘તું સમજ’ એમ કહ્યું છે, પણ ‘હું તને સમજાવી દઊં’ એમ કહ્યું નથી તેથી સમજવાનું કહેનાર અને
સમજનાર બંને જુદા છે અને જુદાં પદાર્થો એક બીજામાં કાંઈ કરી શકતા નથી– (અસ્તિ–નાસ્તિ) આ પણ સિદ્ધ થયું.
(૨૦) સમજણનો ભાવ કર્યો એટલે અણસમજણનો ભાવ ટળ્‌યો એટલે કે આત્માના જ્ઞાન અને
વીતરાગ ભાવની સમજણ કરતાં મિથ્યાત્વ, અજ્ઞાન, હિંસા, પરિગ્રહ, અસત્ય, અબ્રહ્મચર્ય એ વગેરે પ્રકારના
વિકારી ભાવો છૂટી જાય છે. આ પણ નક્કી થયું.
આ રીતે ‘તું સમજ’ એવા માત્ર એક જ બોલ ઉપરથી જૈનદર્શનનું રહસ્ય સિદ્ધ થઈ જાય છે. જો
જૈનદર્શનના એક પણ બોલને સાચી રીતે સમજે તો તેને પોતાના આત્માની સમજણ થયા વગર રહે જ નહિ.
આ જ જૈનદર્શનની પરિપૂર્ણતા અને સર્વજ્ઞતા સિદ્ધ કરે છે. જૈનદર્શન આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ પણે ઓળખાવે
છે માટે ‘તું સમજ’ એ જૈનસિદ્ધાંતનો મૂળભૂત આદેશ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી ધર્મ થાય કે કષ્ટ સહન કરવાથી? ધર્મ કરનારને આનંદનો અનુભવ હોય કે
દુઃખનો? જો પરિષહ અને કષ્ટથી ધર્મ થાય તો ધર્મ તો દુઃખદાયક ઠરે, પણ ભાઈ રે! ધર્મ દુઃખદાયક કદાપિ નથી.
“અરેરે! બિચારા મુનિને કેટલો ત્યાગ? કેટલું કષ્ટ? કેટલા દુઃખ ભોગવવાં પડે? ભાઈ ધર્મ તો કઠણ છે”
આમ અજ્ઞાની–સંયોગબુદ્ધિ જીવ વિચારે છે; પણ તેને ધર્મના સ્વરૂપની ખબર નથી. સંયોગ કષ્ટદાયક લાગે તેમાં
તો આર્તધ્યાન છે, આર્તધ્યાનને ભગવાન પાપ કહે છે, તેમાં ધર્મ તો નથી, પરંતુ શુભભાવ પણ નથી,
આર્તધ્યાન તો એકલો અશુભ ભાવ છે. ઘણા ઉપવાસ અને ઘણો ત્યાગ કરીને મેં ઘણાં કષ્ટ સહન કર્યા તેથી મને
ઘણો ધર્મ થયો–એમ માનનારને ધર્મ તો દૂર રહ્યો પરંતુ પુણ્ય પણ થતું નથી, તેને અશુભભાવ છે, તે પાપી છે.
બહારમાં આહારનો સંયોગ થયો તેથી આત્માને શું?
ધર્મ તો આત્માની શુદ્ધ ક્રિયા છે; આત્માની ચેતન ક્રિયા–જ્ઞાનક્રિયા–સમજણ ક્રિયા તે જ ધર્મ છે અને ધર્મ
તો આત્માને એકાંતપણે સુખદાયક જ છે, ધર્મમાં કંટાળો નથી, કષ્ટ નથી, કલેશ નથી, અશાંતિ નથી, દુઃખ નથી,
દ્વેષ નથી, પણ ધર્મમાં તો આત્માનો ઉત્સાહ, શાંતિ, સુખ, અનાકુળતા, સમતાભાવ છે, જેમાં આત્માની
સુખશાંતિરૂપ ક્રિયા નથી તે ધર્મ જ નથી.
ધર્મના સુખ–શાંતિનું માપ સંયોગ ઉપરથી નથી પણ સ્વભાવ ઉપરથી છે. કોણ કહે છે કે આ સિંહથી
ખવાતા સુકુમાલ મુનિ દુઃખી છે?

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૯૭ :
પરમ સુખી સાધક સંત મુનિ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનમાંથી ૨૪૭૨ માગશર સુદ ૧૩.
કોણ કહે છે કે ધર્મ કષ્ટદાયક છે?
નહિ, નહિ, એ સિંહથી ખાઈ જવાતા મુનિ દુઃખી નથી, એનો આત્મા પરમ સુખી છે. તેઓ તો આત્માના
ચૈતન્યની પ્રેરણાના અમૃતઝરણાં પી રહ્યાં છે, આત્માનું સુખ અનુભવવામાં તેઓ એવા લીન છે કે શરીરનું લક્ષ
નથી. અનંત સિદ્ધોની પંક્તિમાં બેસીને આત્માના અમૃતનો આનંદ ભોગવી રહ્યાં છે. જડ શરીરના પરમાણુઓ
પલટે છે તેમાં ચૈતન્ય આત્મા ને શું? અને પરમાણુને પણ શું? શરીર અને આત્માનું પરિણમન જુદું છે. પરમાણુ
તેના કારણે પરિણમે છે, પરમાણુને દુઃખ–સુખ હોતાં જ નથી અને મુનિ ભગવંતનો આત્મા પોતાના સ્વરૂપની
લીનતામાં પરિણમી રહ્યો છે તેને દુઃખી કેમ કહેવાય? એ તો સુખરૂપ ધર્મનો અનુભવ કરે છે.
અજ્ઞાની જીવ સંયોગવડે ધર્માત્માને દુઃખી કલ્પે છે, પણ ધર્માત્માને કોઈ પણ સંયોગનું દુઃખ નથી. શું સિંહ
કરડયો તેનું દુઃખ છે? ‘કરડવું’ એટલે શું? કરડવું તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કરડવું તે નિમિત્તની સંયોગની–
ભાષા છે તેનો અર્થ એમ છે કે–સિંહ ક્રૂરભાવ કરે છે તેના મોઢાની ક્રિયા હાલવા–ચાલવારૂપ થાય છે અને મુનિના
શરીરના પરમાણુઓમાં ફેરફાર થાય છે–આટલી વાત ‘કરડવું’ શબ્દ બતાવે છે પરંતુ તે શબ્દ મુનિના આત્માની
ક્રિયા તે વખતે શું થાય છે એ બતાવતો નથી. શરીર શરીરના કારણે જ્યારે પરિણમી રહ્યું છે ત્યારે ધર્માત્મા સંત
મુનિનો આત્મા તો પોતાની ચૈતન્ય–ક્રિયા વડે, શરીરથી અને વિકારથી જુદો રહીને આનંદનો અનુભવ કરે છે
અહાહા! આવા પરમ સુખી સંત મુનિને આત્માના અજાણ અજ્ઞાની જીવો દુઃખી કલ્પે છે! અને તેથી એમ
ભાવના કરે છે કે ‘અરેરે! અમને આવી દશા કદી ન હજો!’ પોતાને ખબર નથી કે મેં શું ભાવના કરી! ભાઈ!
કઈ દશાની તેં ના પાડી? આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ સાધક દશાની તેં ના પાડી છે, અમને મુનિ જેવી દશા ન હજો
એટલે નિર્વિકલ્પપણે સ્વરૂપની એકાગ્રતાનું ધર્મધ્યાન અમને ન હજો–અર્થાત્ આત્માનું પરમ સુખ અમને ન
હજો! આ છે અજ્ઞાનીની ભાવના! અજ્ઞાની એટલે આત્માના જ્ઞાનરહિત, સંયોગબુદ્ધિ, જડબુદ્ધિ, જડ ઉપરથી
આત્માના સુખનું માપ કાઢનાર.
મુનિના શરીરને સિંહ ખાઈ જાય છે તે વખતે અજ્ઞાની–સંયોગ ઉપરથી એમ ભાવના કરે છે કે–“અરેરે!
આવી દશા ન હો!” તેની માન્યતામાં અનેક દોષ છે.
(૧) અજ્ઞાનીઓ મુનિની શાંતિને દુઃખ કલ્પ્યું તે પહેલી ભૂલ.
(૨) પોતાને તે દશા ન હો એટલે કે મુનિપણું ન હો એમ ભાવના કરી તે બીજી ભૂલ.
(૩) કોઈ સંયોગ સુખદુઃખનું સાધન નથી પણ પરિણામ સુખદુઃખનું સાધન છે એને બદલે સંયોગ
ઉપરથી ધર્માત્માએ દુઃખ માન્યું તે ત્રીજી ભૂલ. આ રીતે અજ્ઞાનીની દ્રષ્ટિ ભૂલ ભરેલી જ છે.
હવે એ જ વખતે, સિંહથી ખાઈ જવાતા તે મુનિને દેખીને, જ્ઞાની એમ ચિંતવે છે કે ‘અરે! મુનિ
ભગવંતને આવું ન હો!’ જ્ઞાનીની આ ચિંતવનામાં કેવો અભિપ્રાય હોય છે તે હવે વિચારીએ.
૧–જ્ઞાનીને જે શુભ વૃત્તિ ઉઠી છે તે મુનિને ખાતર નથી, પણ પોતાને સાધક–પણાની ભાવના હોવાથી
પોતાને જ્ઞાન તરફ ઢળતો ભાવ છે તેથી વૃત્તિ ઉઠી આવે છે કે–
સંત મુનિને સાધકદશામાં આવું ન હો! એટલે ત્યાં સંયોગની વાત નથી પણ ખરેખર તો સાધકપણામાં
બાધક વૃત્તિ જ ન હો એમ ભાવના કરે છે; પણ શુભરાગ હોવાથી નિમિત્તથી એમ કથન આવે છે કે આવા
બાધકપણાનાં નિમિત્ત જ સાધકને ન હો! આમાં તો બાધકવૃત્તિ તોડીને અપ્રતિહત જ્ઞાનધારાની ભાવના કરી છે,
ભલે વર્તમાન વિચારમાં તો શુભ રાગ છે પણ તે રાગને ય બાધક માનીને તેને તોડવા માગે છે. જ્ઞાન સ્વભાવ
ટકી રહેવાની ભાવના છે અને તે ભાવનાના જોરે જ્ઞાનમાં સાધકપણે ટકીને બાધકવૃત્તિને તોડી નાખે છે, અને તે
જ પરિષહજય છે. પરિષહ તરફના રાગ–દ્વેષ ભાવને તોડીને સ્વભાવમાં એકાગ્ર થયો તે જ પરિષહજય છે. પરંતુ
પરિષહને પ્રતિકૂળ માનીને દ્વેષ કરે કે સંયોગને અનુકૂળ માનીને રાગ કરે તો તે પોતે સ્વરૂપથી ખસીને
પરિષહમાં જીતાઈ ગયો છે, તેણે પરિષહજય કર્યો નથી.
સ્વરૂપ લીન થયેલા સાધકસંત મુનિને પરિષહનું જરાય દુઃખ નથી, એ તો પરમ સુખી છે.
વંદન હો તે સાધક સંત મુનિે!

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૯૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શ્રીમુખેથી
ભેદ વિજ્ઞાન ગ્રહણ ત્યાગ
પ્રશ્ન:– આત્મા બધી વસ્તુઓથી જુદો છે તેથી તે પરનું કાંઈ કરી શકતો નથી આમ જ્ઞાનીઓ વારંવાર
સમજાવે છે, પણ બે વસ્તુ જુદી છે એમ સમજવાથી શું લાભ થાય?
ઉત્તર:– બધા પર પદાર્થોથી હું જુદો છું અને હું પરનું કાંઈ કરી શકતો નથી એટલે મારામાં પર જીવોને
સુખી–દુઃખી કરવાની તાકાત કદી પણ નથી તેથી પર જીવને સુખી–દુઃખી કરવાના શુભાશુભ ભાવ તે મારૂં સ્વરૂપ
નથી, મારૂં સ્વરૂપ તો જાણવાનું જ છે. આ રીતે, બે પદાર્થોના જુદાપણાની સમજણ થતાં પ્રથમ બધાય પરનું
અને રાગનું કર્તૃત્ત્વ અભિપ્રાયમાંથી છૂટી જાય છે, અને તેથી પ્રથમ રાગને જ પોતાપણે માનીને આકુળતાનું વેદન
કરતો અને તેથી દુઃખ હતું, તેને બદલે હવે જ્ઞાતાપણે માનીને પોતાને શુદ્ધપણે અનુભવે છે તેથી અનાકુળતાનું
સુખ છે. બે પદાર્થોને જુદા જાણવાનું જ આ ફળ છે.
પર પદાર્થોને પોતાથી જુદા જાણ્યાં એટલે તે તરફના લક્ષે જે લાગણીઓ થાય તેને પણ પરમાર્થે પોતાથી
જુદી માની અર્થાત્ બંધભાવ અને સ્વભાવ વચ્ચે ભેદ પાડયો–તે ભેદજ્ઞાન થયું. સ્વને અને પરને કાંઈ સંબંધ
નથી એમ નક્કી કરતાં પર તરફના વલણવાળી કોઈ વૃત્તિ મારૂં સ્વરૂપ નથી એમ જાણીને હવે પરથી અને
વિકારી વૃત્તિથી છૂટા એવા પોતાના સ્વભાવમાં લક્ષ કરીને સ્થિરતા જ કરવાનું રહ્યું, આ જ મુક્તિનો ઉપાય છે.
પોતાને અને પરપદાર્થોને જુદા જાણ્યાં વિના પોતાનું કલ્યાણ કોઈ રીતે થઈ શકે નહિ. માટે સ્વ–પરના
ભેદવિજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો જરૂરી છે.
પ્રશ્ન:– પરવસ્તુથી અને વિકારી ભાવથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વભાવના ભાન દ્વારા સમ્યગ્દર્શન થયા
પછી શું કરવું?
ઉત્તર:– ચૈતન્ય સ્વભાવનું ગ્રહણ કરવું અને વિકારભાવને બંધન જાણી તેનો ત્યાગ કરવો. વચ્ચે પરલક્ષે
જે કાંઈ વ્યવહાર, વિકલ્પ આવે તેને બંધન જાણીને છોડી દેવા, અને જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા કરવી; આ જ
ઉપાયથી મોક્ષ થાય છે.
[૨૪૭૨ માગશર સુદ ૧૦ સમયસાર]
પ્રશ્ન:– બીજા પદાર્થોને કાંઈ કરવાની તાકાત આત્માના સ્વભાવમાં નથી એ ખરૂં, પરંતુ આત્મા વિકાર
કરે ત્યારે તો બીજા પદાર્થોનું કરવાની તાકાત આવે છે ને?
ઉત્તર:– નહિ, સ્વભાવથી કે વિભાવથી કોઈ પ્રકારે આત્મા બીજા પદાર્થનું કરી જ શકતો નથી.
સમયસારમાં જ કહ્યું છે કે–
“જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગીને વૈસ્ત્રસિક છે. ૪૦૬.
અર્થ:– જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો (આત્માનો)
પ્રાયોગિક તેમ જ વૈસ્ત્રસિક ગુણ છે.
ટીકા:– જ્ઞાન પર દ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક
(અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી (વિકારથી) તેમ જ વૈસ્ત્રસિક (અર્થાત્ સ્વાભાવિક)
ગુણના સામર્થ્યથી જ્ઞાનવડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે....
ભાવાર્થ:– આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;–સ્વભાવરૂપ પરિણમો કે
વિભાવરૂપ પરિણમો, પોતાનાં જ પરિણામનાં ગ્રહણત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી.
(પા. –૪૭૫)
પરવસ્તુને લેવા મૂકવાની તાકાત જ આત્મામાં કોઈ રીતે નથી વિકાર કરવાથી પણ આત્મામાં તે તાકાત
આવતી નથી, ઉલટી જ્ઞાન શક્તિ હણાઈ જાય છે. પોતે વિકાર કરે તો પોતાની હાલતમાં અશુદ્ધતાનું ગ્રહણ થાય
પણ તેમાં પર દ્રવ્યને શું છે? પર દ્રવ્યો તો સ્વતંત્ર છે.
પ્રશ્ન:– વિકાર કરવાથી આત્મા કર્મોને ખેંચે છે ને?
ઉત્તર:– ના, વિકાર કરવાથી આત્મા કર્મોને ખેંચતો નથી. સ્વતંત્રપણે પરમાણુની દશા તે રૂપે થાય છે.
‘આત્માએ કર્મો બાંધ્યા’ એ કથન નિમિત્તનું છે, ઉપચાર માત્ર છે. ખરેખર આત્મા પોતાની પર્યાયને જ ગ્રહે–
છોડે છે, પર વસ્તુને જરાપણ ગ્રહતો કે છોડતો નથી.
[૨૪૭૨ માગસર સુદ ૯ સમયસાર]

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૯૯ :
મંદ કષાય તે આત્માના કલ્યાણનું સાધન નથી
તા. ૧૯–૨–૪૬ માહ વદ–૩ ના રોજ લીંબડીના ભાઈશ્રી વાડીલાલ પાનાચંદ શેઠ [ઉ. વ. ૪૨] તથા તેમનાં
ધર્મપત્ની સમરતબેન [ઉ. વ. ૪૦] તેમણે સજોડે પૂ. સદ્ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે.

પ્રશ્ન:– શુભભાવથી આત્માને લાભ કેમ ન થાય? આત્મા શુભભાવ કરે ત્યારે કષાય પાતળો પડે અને
કષાય પાતળો પડવાથી આત્માના સ્વભાવને વિધ્ન ઓછું થાય, તેથી શુભરાગ વડે આત્માને લાભ થાય ને?
ઉત્તર:– ના, ના. શુભરાગવડે આત્માને લાભ થતો નથી. જેને આત્માના શુદ્ધ સ્વભાવનું લક્ષ નથી તેનું
લક્ષ રાગ ઉપર છે અને તેથી તેના અભિપ્રાયનું જોર કષાય ઉપર જ રહે છે. કષાયના જ અભિપ્રાયપૂર્વક
અશુભરાગ છોડીને શુભ રાગ કર્યો છે, તે શુભરાગમાં વર્તમાન પૂરતો અશુભરાગ ઓછો થયો તેટલું વીર્ય છે
ખરૂં–પરંતુ–મંદકષાયથી લાભ થાય એવા અભિપ્રાયપૂર્વક મંદ થયેલો કષાય તે આત્માને લાભનું કિંચિત કારણ
નથી. કષાયને લાભનું સાધન માનવાથી અજ્ઞાની જીવ ઉલટો આખા સ્વભાવને વિપરીત પણે માનીને
મિથ્યાત્વરૂપી મહા નુકશાન કરે છે. મંદ કષાયને અકષાય સ્વભાવનું સાધન માનવું તે જ અનંતો કષાય છે અને
તે જ આત્માના સ્વભાવને મહા વિધ્ન કરીને અનંત સંસારમાં રખડાવનાર છે.
પર અપેક્ષાએ કષાય મંદ પડ્યો છે તેથી બહારના સંયોગમાં ફેર પડશે પરંતુ સ્વ અપેક્ષાએ તો એવો ને
એવો કષાય છે, મંદ કષાયથી જેણે લાભ માન્યો છે તેને પોતાના સ્વભાવ ઉપર પૂરેપૂરો કષાય છે. પોતાના કષાય
રહિત સ્વભાવના ભાન વગર ઘણો શુભરાગ કરી મંદ કષાય કરીને નવમી ગ્રૈવેયકે જાય તોપણ તેને સ્વભાવનું
સાધન અંશમાત્ર નથી. અને સાચું જ્ઞાન કરતાં તે જ ક્ષણે અનંત કષાય ટળી જાય છે તે જ સ્વભાવનું સાધન છે.
અજ્ઞાની ઘણો શુભરાગ કરે તોપણ તે વખતે તે અનંત કષાયી છે કેમકે રાગવડે લાભ માનીને પોતાના
સ્વભાવને તે ક્ષણે ક્ષણે હણી રહ્યો છે.
જ્ઞાનીને અશુભરાગ થાય તોપણ તે અલ્પ કષાયી છે કેમકે કષાયને તે પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી
કષાય રહિત પોતાના સ્વરૂપની તેઓ હિંસા કરતા નથી. માટે સિદ્ધ થાય છે કે–
શુભરાગ તે સ્વભાવનું સાધન નથી, પણ રાગરહિત પોતાના આત્માની સાચી સમજણ તે જ સ્વભાવનું
સાધન છે. અને કષાય ટાળવાનો ઉપાય જ્ઞાન જ છે. (૨૪૭૨ માગશર સુદ ૧૦–સમયસાર)
સચ સમજણ
સૌથી પહેલાંં કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા છોડીને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખવા જોઈએ, તેમ
કરવાથી તીવ્ર મિથ્યાત્વ છૂટે છે; સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી મિથ્યાત્વની મંદતા થાય પણ અભાવ ન
થાય; તેમજ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી અશુભ ભાવ ટળીને શુભ ભાવ વધે, પરંતુ એ તો બંધભાવમાં
તફાવત પડ્યો, અશુભ અને શુભ બંને બંધભાવ જ છે, એક પ્રકારનો બંધભાવ બદલાવીને બીજા પ્રકારના
બંધભાવમાં આવ્યો, પરંતુ આત્માના ભાન વગર બંધભાવથી છૂટીને મુક્તિ માર્ગમાં પ્રવેશ થતો નથી. સાચા
દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ તે અશુભબંધને રોકે છે પણ શુભબંધને રોકી શકતું નથી. અને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની
માન્યતા તો અશુભબંધને પણ રોકવા સમર્થ નથી. અબંધ આત્મસ્વભાવના ભાન વડે અશુભબંધ અને શુભબંધ
બંનેને રોકી શકાય છે.
પ્રશ્ન:– અશુભ તો બંધન જ છે અને શુભ પણ બંધન જ છે તો પછી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ કરી
શુભરાગ શા માટે કરવો?
ઉત્તર–ભાઈ! શુભરાગ પણ કરવા જેવો તો નથી જ, જો તને શુભ અશુભ ભાવ રહિતના આત્માના
સ્વભાવની ઓળખાણ હોય અને સ્વભાવમાં ટકી રહેવાનો પુરુષાર્થ હોય તો આ જ ક્ષણે શુભને પણ છોડીને શુદ્ધાત્મ
ઉપયોગમાં સ્થિર થવું યોગ્ય છે. શુભ–અશુભ રાગ રહિત સ્વભાવની ઓળખાણ હોય પણ તેમાં સ્થિરતા વડે
શુદ્ધઉપયોગ ન થઈ શકે તો જ્ઞાનીને પણ અશુભ ભાવથી બચવા માટે શુભરાગ થાય. અશુભ રાગ કરતાં તો શુભ
રાગ ઠીક છે પરંતુ શુભરાગ પણ બંધન જ છે તેનાથી પણ આત્માને કિંચિત્ ધર્મ નથી; આમ પ્રથમ સમજવું જોઈએ.
જ્ઞાનીઓ ‘પુણ્યથી ધર્મ ન થાય’ એમ સમજાવે છે, પરંતુ તરત જ પુણ્ય છોડી દેવાનું કહેતા નથી. નીચલી
દશામાં પુણ્યભાવ હોય ખરો પણ તેનાથી ધર્મ નથી એમ સમજવું જોઈએ. ‘પુણ્યથી ધર્મ નથી’ એમ માનવાથી
પુણ્ય ઘટી જતાં નથી પણ સત્ના લક્ષે ઊંચા

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૦૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
પ્રકારના પુણ્ય બંધાઈ જાય છે. પુણ્યથી જે ધર્મ માને તેને ઊંચા પુણ્ય બંધાય નહિ, પણ પુણ્યથી જે ધર્મ ન માને
તેને જ ઊંચા પુણ્ય (તીર્થંકરપદ, ચક્રવર્તીપદ, ઈન્દ્રપદાદિ) બંધાય.
વળી શરીરાદિની ક્રિયા આત્મા કરી શકતો નથી એમ જ્ઞાનીઓ સમજાવે છે, તે પ્રમાણે સમજતાં શરીરની ક્રિયા
અટકી જતી નથી; શરીરની ક્રિયા તો શરીરના કારણે થયા જ કરે છે, પરંતુ જીવ પહેલાંં જે શરીરની ક્રિયાનું મિથ્યા
અભિમાન કરતો તે હવે ‘શરીરની ક્રિયા હું કરી શકતો નથી પણ તે તો શરીરના કારણે સ્વયં થાય છે’ એમ સમજીને
જાણનાર જ રહે છે, અને તેથી તેને અનંત રાગ–દ્વેષ ટળીને શાંતિ થાય છે.
(૨૪૭૨ માગશર સુદ ૧૧: સમયસાર)
નિશ્ચય સાધન અને વ્યવહાર સાધન
પ્રશ્ન:– જ્ઞાન કરવાથી જ ધર્મ થાય છે, ધર્મનો ઉપાય સાચું જ્ઞાન જ છે–આમ જ્ઞાનીઓ વારંવાર બતાવે છે,
પરંતુ એ તો નિશ્ચયની વાત કરી, વ્યવહારથી શું ઉપાય છે?
ઉત્તર:– ભાઈ! નિશ્ચય અને વ્યવહાર ક્યાંય બહારમાં, જડની ક્રિયામાં કે રાગમાં નથી પરંતુ સાચા
જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર બંને સમાય છે. પોતાના શુદ્ધાત્માને જાણીને સ્વ તરફ ઢળતું જ્ઞાન તે નિશ્ચય છે
અને રાગ–વિકાર વગેરેને બંધભાવ તરીકે જાણનારૂં તેમ જ પરવસ્તુને જુદાપણે જાણનારૂં જ્ઞાન તે વ્યવહાર છે.
જ્યાં સ્વભાવના જ્ઞાનરૂપ નિશ્ચય હોય ત્યાં પરના જ્ઞાનરૂપ વ્યવહાર હોય જ છે. સ્વભાવને જાણનારા જ્ઞાન સાથે
વિકલ્પ નથી માટે તે જ્ઞાનને નિશ્ચયસાધન કહેવાય છે અને પરને તેમ જ પુણ્ય–પાપને જાણનાર જ્ઞાન સાથે
વિકલ્પ છે તેથી તે જ્ઞાનને વ્યવહારસાધન કહેવાય છે, પરંતુ જ્ઞાન તો બંનેમાં સાચું જ છે.
જ્યાં રાગ–વિકલ્પને વ્યવહારસાધન કહ્યું હોય ત્યાં એવો આશય સમજવો કે તે રાગ–વિકલ્પનું જ્ઞાન
કરવું તે વ્યવહારસાધન છે, અને રાગ–વિકલ્પ પોતે તો બંધસાધન છે.
મારા સ્વભાવમાં ઉણીદશા કે વિકાર નથી એમ પરિપૂર્ણ સ્વભાવને જે જ્ઞાન લક્ષમાં લ્યે તે જ્ઞાન નિશ્ચય
છે. અને પરિપૂર્ણ સ્વભાવનું ભાન હોવા છતાં પર્યાયમાં અપૂર્ણતા અને વિકાર છે તેને લક્ષમાં લ્યે તે જ્ઞાન
વ્યવહાર છે. નિશ્ચય અને વ્યવહાર બંનેનું જ્ઞાન ભેગું કરવું તે પ્રમાણ છે.
નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન ભેગું કરવું એનો અર્થ એવો છે કે નિશ્ચય સ્વભાવ છે તે જ મારૂં સ્વરૂપ છે
અને અપૂર્ણતારૂપ વ્યવહાર છે ખરો પણ તે મારૂં સ્વરૂપ નથી–આમ જાણવું તે પ્રમાણ છે.
સ્વને જાણવું તે નિશ્ચય અને પરને (તેમ જ પરલક્ષે થતા ભાવોને) જાણવું તે વ્યવહાર; તેમાંથી નિશ્ચય
જ્ઞાનમાં જે જણાયું તે હું અને વ્યવહાર જ્ઞાનમાં જે જણાયું તે હું નહિ એમ સમજવું તે પ્રમાણ છે.
શુભવિકલ્પ વગેરે નિમિત્ત તરીકે વચ્ચે હોય ખરા પરંતુ તે સાચું સાધન નથી પણ બંધન છે માટે હેય છે,
અને નિશ્ચય સ્વભાવ તે જ ઉપાદેય છે–આમ જાણનાર જ્ઞાન પ્રમાણ છે. પરંતુ નિશ્ચય અને વ્યવહાર બંનેના
વિષયને સમાનપણે માને તો તે જ્ઞાન પ્રમાણ નથી, પણ મિથ્યા છે.
વિકલ્પ–રાગને હેય કહીને ખરેખર વ્યવહારને જ હેય કહ્યો છે. વ્યવહાર તે તો સાચા જ્ઞાનનું પડખું છે
છતાં તેને હેય કેમ બતાવ્યો? તેનું કારણ એ છે કે તે વ્યવહાર જ્ઞાનનું લક્ષ પર ઉપર છે અને પર ઉપરના લક્ષથી
રાગ થાય છે તેથી પર ઉપરનું લક્ષ કરનાર જ્ઞાન હેય છે. પર લક્ષે વિકલ્પ આવ્યા વગર રહેતો નથી અને
વિકલ્પથી બંધન જ થાય છે માટે વ્યવહાર છોડવા યોગ્ય જ છે; અને નિશ્ચયજ્ઞાન એકલા સ્વભાવને જ લક્ષમાં
લેતું હોવાથી સ્વ લક્ષે વિકલ્પ થતો નથી અને તેથી બંધન પણ થતું નથી માટે નિશ્ચય ઉપાદેય છે. નિશ્ચયજ્ઞાન
શુદ્ધચૈતન્યનું જ ગ્રહણ કરીને સમસ્ત અશુદ્ધ ભાવોને છોડે છે તેથી તે જ મુક્તિનું નિશ્ચય સાધન છે, અને
વ્યવહારજ્ઞાનનું લક્ષ પર ઉપર હોવા છતાં તે જ્ઞાન સાચું હોવાથી તેને વ્યવહારસાધન કહેવાય છે. સ્વભાવ તરફ
એકાગ્ર થતું જ્ઞાન તે જ પરમાર્થે મોક્ષનું કારણ છે. પરને જાણનારૂં જ્ઞાન તે વ્યવહારે મોક્ષનું કારણ છે. જે જ્ઞાને
જુદા સ્વરૂપને જાણવાનું કાર્ય કર્યું તે જ જ્ઞાન જુદા સ્વરૂપમાં સ્થિરતાનું કાર્ય કરે છે. આ રીતે નિશ્ચય સાધન
અને વ્યવહાર સાધન બન્ને જ્ઞાનમાં જ સમાય છે, પરંતુ નિશ્ચયસાધન આત્મામાં અને વ્યવહારસાધન પરમાં–
એમ નથી; જ્ઞાનથી જ મોક્ષ થાય છે, જ્ઞાનનો પુરુષાર્થ કરવો તે જ જિજ્ઞાસુઓનું કર્તવ્ય છે.
(૨૪૭૨ માગશર સુદ ૧૦: સમયસાર)

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૦૧ :
પ. પૂ. સદ્ગુરુદેવશ્રીનું । “। શ્રી પ્રવચનસારજી ગાથા
પ્રવચન • અરહત સ જયવત વરત • ૮૦
જે ખરેખર અર્હંતને જાણે છે તે પોતાના આત્માને જાણે જ છે.
આચાર્યદેવ કહે છે કે–શુદ્ધોપયોગની પ્રાપ્તિ માટે હું કટિબદ્ધ થયો છું; જેમ મલ્લ કમર બાંધીને લડવા ઊભો
થાય તેમ હું મારા સર્વ પુરુષાર્થના જોરે મોહ–મલ્લનો નાશ કરવા માટે કમર કસીને તૈયાર થયો છું.
મોક્ષાભિલાષી જીવ પોતાના પુરુષાર્થવડે મોહનો નાશ કરવાનો ઉપાય વિચારે છે. ભગવાનના ઉપદેશમાં
પુરુષાર્થ કરવાનું કહ્યું છે. ભગવાન પુરુષાર્થવડે મુક્તિ પામ્યા છે અને જે ઉપાય ભગવાને કર્યો તે જ ઉપાય
બતાવ્યો છે, તે ઉપાય જો જીવ કરે તો જ તેની મુક્તિ થાય, એટલે કે પુરુષાર્થવડે સત્ય ઉપાય કરવાથી જ મુક્તિ
થાય પણ એની મેળે થાય નહીં.
કોઈ કહે કે “કેવળી ભગવાને તો બધું જાણવું છે કે ક્યો જીવ ક્યારે મુક્ત થશે અને ક્યો જીવ મુક્ત નહિ
થાય; તો પછી ભગવાન પુરુષાર્થ કરવાનું કેમ કહે?” તો એમ કહેનારની વાત ખોટી છે. ભગવાને તો પુરુષાર્થ જ
ઉપદેશ્યો છે, ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય પણ પુરુષાર્થવડે જ થાય છે. જે જીવ ભગવાને કહેલા મોક્ષમાર્ગનો
પુરુષાર્થ કરે છે તેને અન્ય બધા સાધન સ્વયં થઈ જાય છે. હવેની આ ૮૦–૮૧–૮૨ એ ત્રણ ગાથામાં બહુ સરસ
વાત આવે છે. જેમ માતા એકના એક બાળકને “હૈયાનો હાર” કહે તેમ આ ત્રણ ગાથાઓ તો હૈયાનો હાર છે.
મોક્ષની માળાનાં મોતી ગૂંથાણા છે; ત્રણ ગાથા તો ત્રણ રત્ન (શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર) સમાન છે. તેમાં પહેલાં ૮૦
મી ગાથામાં મોહનો ક્ષય કરવાનો ઉપાય બતાવે છે:–
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्त पज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
८०।।
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યયપણે,
તે જીવ જાણે આત્માને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
અર્થ:– જે અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને
તેનો મોહ અવશ્ય લય પામે છે.
આ ગાથામાં મોહની સેનાને જીતવાનો પુરુષાર્થ વિચારે છે. મોહને જીતવાનો પુરુષાર્થ કર્યો ત્યાં સામે
અર્હંતાદિ નિમિત્તો તૈયાર હોય જ છે. ઉપાદાન જાગ્યું ત્યાં નિમિત્ત તો હોય જ. કાળ વગેરે નિમિત્ત તો બધા
જીવને સદાય હાજર છે, જીવ પોતે જેવા પ્રકારનો પુરુષાર્થ કરે તેમાં કાળને નિમિત કહેવાય. એક વખતે કોઈ જીવ
શુભ–ભાવ કરી સ્વર્ગમાં જાય તો તે જીવને માટે તે કાળ સ્વર્ગનું નિમિત્ત કહેવાય, બીજો જીવ તે જ વખતે પાપ
કરી નરકમાં જાય તો તેને માટે તે જ કાળને નરકનું નિમિત્ત કહેવાય, અને કોઈ જીવ તે જ વખતે સ્વરૂપ સમજી,
સ્થિરતા કરી મોક્ષ પામે તો તે જીવને માટે તે જ કાળ મોક્ષનું નિમિત્ત કહેવાય છે. નિમિત્ત તો સદાય છે, પણ
પોતે પોતાના પુરુષાર્થવડે અર્હંતના સ્વરૂપનો અને પોતાના આત્માનો જ્યારે નિર્ણય કરે છે ત્યારે અવશ્ય ક્ષાયક
સમકિત પ્રગટે છે અને મોહનો ક્ષય થાય છે.
અર્હંત ભગવાનના દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપને જેણે જાણ્યું તે જીવ અલ્પકાળમાં મુક્તિને પાત્ર થયો
છે, અરિહંત ભગવાન આત્મા છે, તેમનામાં અનંત ગુણો છે અને તેમની કેવળજ્ઞાનાદિ પર્યાય છે તેનો નિર્ણય
કર્યો તેમાં આત્માના અનંતગુણો અને પૂર્ણ પર્યાયના સામર્થ્યનો નિર્ણય આવી ગયો, અને તે નિર્ણયના જોરે
કેવળજ્ઞાન અલ્પકાળમાં જ છે, તેમાં વચ્ચે સંદેહ પડતો નથી; અહીં આ ગાથામાં ક્ષાયક સમકિતનો ધ્વનિ છે.
“જે અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાય પણે જાણે છે તે” આમ કહેતાં જાણનારના જ્ઞાનનું વજન છે.
અર્હંતને જાણનાર જ્ઞાનમાં મોહ ક્ષયનો ઉપાય સમાડી દીધો છે. જે જ્ઞાને અર્હંત ભગવાનના દ્રવ્ય; ગુણ, પર્યાયને
પોતાના નિર્ણયમાં સમાવ્યા તે જ્ઞાને ભગવાનથી ઓછાનો અને વિકારનો પોતામાં અભાવ સ્વીકાર્યો–એટલે કે
દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી પરિપૂર્ણતાનો સદભાવ નિર્ણયમાં લીધો છે. ‘જે જાણે છે’ આમાં જાણનારી તો
વર્તમાન પર્યાય છે. નિર્ણય કરનારે પોતાની જ્ઞાનપર્યાયમાં પૂર્ણ દ્રવ્ય–ગુણ–પર્યાયનો અસ્તિપણે નિર્ણય કર્યો અને
વિકારનો નકાર કર્યો. આવો નિર્ણય કરનારની પૂરી પર્યાય કોઈ પરના કારણે

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
અટકે એમ બને જ નહિ, કેમકે અર્હંત જેવા પોતાના પૂર્ણ સ્વભાવનો નિર્ણય કર્યો છે; જેણે પૂરા સ્વભાવનો નિર્ણય
કર્યો તેણે ક્ષેત્ર, કર્મ કે કાળના કારણે મારી પર્યાય અટકી જાય એવી પુરુષાર્થ હીનતાની વાત ઉડાડી દીધી. દ્રવ્ય–ગુણ–
પર્યાયથી પૂરા સ્વભાવનો નિર્ણય કર્યો. પછી પૂરાનો પુરુષાર્થ જ કરવાનો રહ્યો, પણ ક્યાંય અટકવાનું ન રહ્યું.
આ મોહક્ષયના ઉપાયની વાત છે. પોતાના જ્ઞાનમાં જેણે અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણ્યાં તેના
જ્ઞાનમાં કેવળજ્ઞાનનો હારડો જ ગૂંથાશે–તેની પર્યાય કેવળજ્ઞાન તરફની જ થવાની.
પોતાની પર્યાયમાં જેણે અર્હંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણ્યાં તેણે પોતાના આત્માને જાણ્યો અને તેનો
મોહ ક્ષય પામે જ છે–કેટલી ખૂબીથી વાત કરી છે. વર્તમાનમાં આ ક્ષેત્રે ક્ષાયક સમકીત નથી છતાં ‘મોહ ક્ષય
પામે છે’ એમ કહેવામાં અંતરનું એટલું જોર છે કે જેણે આ વાતનો નિર્ણય કર્યો તેને વર્તમાન ભલે ક્ષાયક
સમકીત ન હોય તો પણ તેનું સમકીત એટલું જોરદાર અપ્રતિહત છે કે તેમાં ક્ષાયકદશા થતાં સુધી વચ્ચે ભંગ
પડવાનો જ નથી. સર્વજ્ઞ ભગવાનનો આશ્રય લઈને કુંદ–કુંદાચાર્યદેવ કહે છે કે જે જીવ દ્રવ્ય–ગુણ–પર્યાયવડે
અર્હંતના સ્વરૂપનો નિર્ણય કરે છે તે પોતાના આત્માને પણ તેવો જ જાણે છે અને તે જીવ ક્ષાયકસમકીતના જ
રસ્તે છે; અધૂરી કે ઢીલી વાત અમે કરતા નથી.
પંચમકાળના મુનિરાજ આ વાત કરે છે અને પંચમકાળના જીવોને માટે મોહક્ષયનો ઉપાય આમાં
બતાવ્યો છે. બધા જીવોને માટે એક જ ઉપાય છે, પંચમકાળના જીવને માટે કોઈ જુદો ઉપાય નથી. જીવ તો બધા
કાળે પૂરેપૂરો જ છે, તો પછી તેને કોણ રોકી શકે? કોઈ રોકતું નથી. ભરતક્ષેત્ર કે પંચમકાળ એ કોઈ જીવને
પુરુષાર્થ કરતા રોકતા નથી. કોણ કહે છે કે પંચમકાળે ભરતક્ષેત્રથી મુક્તિ નથી? અત્યારે પણ
મહાવિદેહક્ષેત્રમાંથી ધ્યાનસ્થ મુનિને ઉપાડીને કોઈ ભરતક્ષેત્રમાં મૂકી જાય તો, પંચમ કાળ અને ભરતક્ષેત્ર હોવા
છતાં પણ, તે મુનિ પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન અને મુક્તિ પામે છે; માટે એ સિદ્ધ થયું કે કાળ કે
ક્ષેત્રના કારણે મોક્ષ અટકતો નથી. પંચમકાળે ભરતક્ષેત્રે જન્મેલો જીવ તે ભવે મોક્ષ પામતો નથી તેનું કારણ
કાળ કે ક્ષેત્ર નથી પરંતુ તે જીવ પોતે જ પોતાની યોગ્યતાના કારણે મંદ પુરુષાર્થી છે તેથી બહારમાં પણ તેવાં જ
નિમિત્તો છે. જો જીવ પોતે તીવ્ર પુરુષાર્થ કરી મોક્ષ પામવા લાયક હોય તો તેને બહારમાં પણ ક્ષેત્ર વગેરે અનુકૂળ
નિમિત્તો હોય જ. એટલે કાળ કે ક્ષેત્ર ઉપર જોવાનું ન રહ્યું પણ પુરુષાર્થ ઉપર જોવાનું રહ્યું. પુરુષાર્થ અનુસાર
ધર્મ છે, કાળ કે ક્ષેત્ર અનુસાર ધર્મ નથી.
જે અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે એટલે કે જેવા દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપે અરિહંત છે
તેવા જ સ્વરૂપે હું છું, જેવડા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવડા જ મારા દ્રવ્ય–ગુણ–પર્યાય છે, અરિહંતનું
પર્યાય સામર્થ્ય પૂરેપૂરું છે તેમ મારી પર્યાયનું સામર્થ્ય પણ પૂરેપૂરું જ છે, વર્તમાનમાં તે સામર્થ્યને રોકનાર જે
વિકાર છે તે મારું સ્વરૂપ નથી આમ જે જાણે છે તેનો મોહ ‘
खलु जादि लयं’ અર્થાત્ ચોક્કસ ક્ષય પામે છે; આ
જ મોહ ક્ષયનો ઉપાય છે.
૦ – •– – ટીકા – •– – ૦
“જે ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે
બંનેમાં નિશ્ચયથી તફાવત નથી;” અહીં ‘ખરેખર જાણવાની’ વાત કરી છે. માત્ર ધારણા તરીકે અરિહંતને જાણે
તેની વાત અહીં ગણી નથી કેમકે તે તો શુભરાગ છે, જગતની લૌકિક વિદ્યા જેવું તે છે, તેમાં આત્માની વિદ્યા
નથી. ખરેખર જાણ્યું ક્યારે કહેવાય? કે અરિહંત પ્રભુના દ્રવ્યગુણ પર્યાય સાથે પોતાના આત્માના દ્રવ્ય–
ગુણપર્યાયને મેળવે કે જેવો અરિહંતનો સ્વભાવ તેવો મારો સ્વભાવ છે–આવા નિર્ણયપૂર્વક જાણે તો ખરેખર
જાણ્યું કહેવાય; એ રીતે જે ખરેખર અર્હંતને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે
છે અને તેને સમ્યગ્દર્શન થાય છે.
અરિહંત ભગવાનને જાણવામાં સમ્યગ્દર્શન આવી જાય છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે કે णादं
जिणेण णियदं... ...” એમાં એવો આશય છે કે જિનેન્દ્ર દેવે જે જાણ્યું તેમાં કંઈ ફરે નહિ. આટલું જાણતાં
અરિહંતના કેવળજ્ઞાનનો નિર્ણય પોતામાં આવી ગયો–તે યથાર્થ નિર્ણય સમ્યગ્દર્શનનું કારણ થાય છે. સર્વજ્ઞદેવે
જેમ જાણ્યું છે તેમ જ થાય–આ નિર્ણયમાં જિનદેવના અને પોતાના કેવળજ્ઞાન સામર્થ્યની પ્રતીત આવી ગઈ.
અરિહંત જેવો જ પોતાનો પરિપૂર્ણ

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૦૩ :
સ્વભાવ ખ્યાલમાં આવી ગયો, માત્ર હવે પુરુષાર્થ દ્વારા તે રૂપે પરિણમવાનું બાકી રહ્યું છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના પૂર્ણ સ્વભાવની ભાવના કરતાં અરિહંતના પૂર્ણ સ્વભાવનો વિચાર કરે છે કે જે
જીવને જે દ્રવ્ય–ક્ષેત્રકાળ ભાવે જેમ થવાનું શ્રી અરિહંતદેવે પોતાના જ્ઞાનમાં જાણ્યું છે તેમ જ થવાનું, તેમાં
કિંચિત્ ફેર થવાનો નથી. આ નિર્ણય કરનાર જીવે એકલા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો એટલે અભિપ્રાયથી તે
સંપૂર્ણ જ્ઞાતા થઈ ગયો, કેવળજ્ઞાનસન્મુખનો અનંત પુરુષાર્થ તેમાં આવ્યો.
કેવળજ્ઞાની અરિહંતપ્રભુનો જેવો ભાવ છે તેવો પોતાના જ્ઞાનમાં જે જીવ જાણે છે તે ખરેખર પોતાના
આત્માને જાણે છે, કેમકે અરિહંતના અને આ આત્માના સ્વભાવમાં નિશ્ચયથી ફેર નથી. અરિહંતનો સ્વભાવ
જાણનાર જીવ પોતાના તેવા સ્વભાવની રુચિવડે ‘પોતે પણ અરિહંત જેવો જ છે’ એમ ચોક્કસપણે નક્કી કરે છે.
અરિહંત દેવનું લક્ષ કરવામાં જે શુભરાગ છે તેની આ વાત નથી, પણ જે જ્ઞાને અરિહંતનો યથાર્થ નિર્ણય કર્યો તે
જ્ઞાનની વાત છે. નિર્ણય કરનારૂં જ્ઞાન પોતાના સ્વભાવનો પણ નિર્ણય કરે છે અને તેનો મોહ ક્ષય પામે જ છે.
પ્રવચનસારના બીજા અધ્યાયની ગાથા ૬૫ માં કહ્યું છે કે–“જે અરિહંતને, સિદ્ધને તથા સાધુને જાણે છે
અને જીવો પર જેને અનુકંપા છે તેને શુભરાગરૂપ પરિણામ છે” એ ગાથામાં અરિહંતને જાણે તેને શુભરાગ કહ્યો
છે. ત્યાં એકલા વિકલ્પથી જાણવાની અપેક્ષાએ વાત છે; એ જે વાત છે તે શુભ વિકલ્પની વાત છે; જ્યારે અહીં તો
જ્ઞાનસ્વભાવના નિશ્ચયસહિતની વાત છે. અરિહંતનું સ્વરૂપ વિકલ્પવડે જાણે પણ એકલા જ્ઞાનસ્વભાવનો નિશ્ચય
ન હોય તો તે પ્રયોજનભૂત નથી; અને જ્ઞાન સ્વભાવના નિશ્ચયસહિત અરિહંત તરફનો જે વિકલ્પ છે તે પણ રાગ
છે, તે રાગનું સામર્થ્ય નથી પણ જેણે નિશ્ચય કર્યો છે તે જ્ઞાનનું જ અનંત સામર્થ્ય છે અને તે જ્ઞાન જ મોહક્ષય કરે
છે. તે નિર્ણય કરનાર જ્ઞાને કેવળજ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યને પોતાની પર્યાયના સ્વ–પર પ્રકાશક સામર્થ્યમાં સમાવી
દીધું છે. મારા જ્ઞાનની પર્યાય એટલી તાકાતવાળી છે કે નિમિત્તના સહારા વગર અને પરના લક્ષ વગર તેમજ
વિકલ્પ વગર કેવળજ્ઞાની અરહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને પોતામાં સમાવી દેનાર છે–નિર્ણયમાં લઈ લ્યે છે.
વાહ! પંચમકાળના મુનિ કેવળજ્ઞાનના ભાવો રેડે છે, પંચમકાળે અમૃતની રેલમછેલ કરી છે. પોતાને
કેવળજ્ઞાન લેવાની તૈયારી છે તેથી આચાર્ય ભગવાન કેવળજ્ઞાનભાવને બહુ મલાવે છે. કેવળજ્ઞાન તરફના
પુરુષાર્થની ભાવનાના જોરે કહે છે કે– મારી પર્યાયમાં શુદ્ધોપયોગના કાર્યરૂપ કેવળજ્ઞાન જ તરવરે છે, વચ્ચે શુભ
વિકલ્પ આવે તે વિકલ્પની શ્રેણીને તોડીને શુદ્ધોપયોગની અખંડ હારમાળાને જ અંગીકાર કરૂં છું; કેવળજ્ઞાન
નક્કી કરવાનું સામર્થ્ય વિકલ્પમાં નથી પણ સ્વભાવ તરફના જ્ઞાનમાં છે.
અરિહંત ભગવાન આત્મા છે, અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાય અને આ આત્માના દ્રવ્ય–ગુણ–
પર્યાયમાં નિશ્ચયથી ફેર નથી; અને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ છે–પરિપૂર્ણ છે, તેથી જે
જીવદ્રવ્ય–ગુણ–પર્યાયપણે અરિહંતને જાણે છે તે જીવ આત્માને જ જાણે છે અને આત્માને જાણતાં તેનો દર્શનમોહ
અવશ્ય ક્ષય પામે છે.
જો દેવ–ગુરુના જીવનું સ્વરૂપ યથાર્થપણે જાણે તો જીવને મિથ્યાત્વ રહે જ નહિ, આ સંબંધમાં મોક્ષમાર્ગ
પ્રકાશમાં કહ્યું છે કે–મિથ્યાદ્રષ્ટિ જીવ જે જીવનાં વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે (બાહ્ય
વિશેષણોથી) અરહંતદેવનું મહાનપણું માત્ર આજ્ઞાનુસાર માને છે અથવા અન્યથા પણ માને છે. જો
(અરિહંતના) જીવના યથાવત્ વિશેષણો જાણે તો મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
[મ. પ્ર. પ. ૨૬]
તેવી જ રીતે ગુરુના સ્વરૂપ સંબંધી કહે છે–સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ
મુનિનું સાચું લક્ષણ છે તેને ઓળખતો નથી. જો એ ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે જ નહિ.
[મ. પ્ર. પ. ૨૭]
તેવી જ રીતે શાસ્ત્રના સ્વરૂપ સંબંધી કહે છે–અહીં તો અનેકાન્તરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે
તથા સાચો રત્નત્રય મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેથી આ જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને આ ઓળખતો નથી, જો એ
ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
[મ. પ્ર. પ. ૨૮]
ત્રણેમાં એક જ વાત કરી છે કે જો ઓળખે તો મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. આમાં જે ઓળખાણની વાત કરી છે
તે યથાર્થ નિર્ણયપૂર્વક જાણવાની વાત છે, જો દેવ

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૦૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
ગુરુ–શાસ્ત્રને યથાર્થ ઓળખે તો તેને પોતાના આત્માની ઓળખાણ થાય જ અને તેનો દર્શનમોહ ક્ષય પામે જ.
અહીં ‘જે દ્રવ્યગુણ પર્યાયપણે અર્હંતને જાણે છે તેને....’ એમ કહ્યું પણ સિદ્ધને જાણવાનું કેમ ન કહ્યું?
તેનું કારણ એ છે કે અહીં શુદ્ધોપયોગનો અધિકાર ચાલે છે, શુદ્ધોપયોગથી પહેલાંં અરિહંતપદ પ્રગટે છે તેથી અહીં
અરિહંતને જાણવાની વાત લીધી છે. વળી જાણવામાં નિમિત્તરૂપ સિદ્ધ ન થાય પણ અરિહંત નિમિત્તરૂપ થાય,
તેમ જ પુરુષાર્થની જાગૃતિથી અરિહંત દશા પ્રગટી ગયા પછી અઘાતિ કર્મો ટાળવા માટે પુરુષાર્થ નથી એટલે કે
પ્રયત્નથી કેવળજ્ઞાન–અરિહંતદશા પમાય છે તેથી અહીં અરિહંતની વાત કરે છે. ખરેખર તો અરિહંતનું સ્વરૂપ
જાણતાં સર્વે સિદ્ધભગવાનનું સ્વરૂપ પણ તેમાં આવી જ જાય છે.
અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય જેવું જ પોતાના આત્માનું સ્વરૂપ જાણીને, શુદ્ધોપયોગની હારમાળા વડે
જીવ અરિહંતપદ પામે છે. જે અરિહંતના દ્રવ્ય–ગુણ પર્યાય સ્વરૂપને જાણે છે તેનો મોહ નાશ પામે જ છે. અહીં
जो जाणदि’ એટલે કે ‘જે જાણે છે’ –એમ કહીને જ્ઞાનનો પુરુષાર્થ સિદ્ધ કર્યો છે, જેઓ જ્ઞાનવડે જાણે છે તેનો
મોહ ક્ષય પામે છે; પણ જેઓ જ્ઞાનવડે જાણતા નથી તેનો મોહ ક્ષય પામતો નથી.
આમાં એમ કહ્યું કે જે અરિહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે
અને તેનો મોહ ક્ષય પામે જ છે.
અરિહંતને દ્રવ્ય–ગુણ પર્યાયપણે કઈ રીતે જાણવા અને મોહ કઈ રીતે નાશ પામે છે તે હવે પછી કહેવાશે.
(પ્રવચનસારજી ગાથા–૮૦ ટીકા.) –ચાલુ
જ્ઞાન ગોષ્ટિ
૧. પ્રશ્ન–જીવ અને દ્રવ્યમાં શું ફેર?
ઉત્તર:– જીવ કહેતાં એકલું જીવદ્રવ્ય ખ્યાલમાં આવે છે અને દ્રવ્ય કહેતાં છએ દ્રવ્યો ખ્યાલમાં આવે છે.
૨. પ્ર. –મોક્ષ સુખ ક્યાં હોય? અહીં તે ભોગવી શકાય કે નહિ?
ઉ–મોક્ષ સુખ આત્માની શુદ્ધ પર્યાયમાં હોય છે અને આત્મામાં તે ભોગવી શકાય છે; મોક્ષસુખનો સંબંધ
બહારના ક્ષેત્ર સાથે નથી.
૩. પ્ર–પ્રતિજીવી ગુણ અને અનુજીવી ગુણ એટલે શું?
ઉ–વસ્તુનો જે ગુણ બીજાના અભાવની અપેક્ષા રાખે તેને અર્થાત્ અભાવસ્વરૂપ ગુણને પ્રતિજીવી ગુણ કહે છે
અને જે ગુણ બીજાની અપેક્ષા ન રાખે તેને અર્થાત્ ભાવસ્વરૂપ ગુણને અનુજીવી ગુણ કહે છે.
૪. પ્ર–એકેન્દ્રિય અને નિગોદમાં શું ફેર? તમને બેમાંથી કયું ગમે?
ઉ–નિગોદના બધા જીવોને એકેન્દ્રિય કહેવાય પણ બધા એકેન્દ્રિયને નિગોદ ન કહેવાય. આ બેમાંથી એકેય સારૂં નથી.
પ. પ્ર–છ દ્રવ્યોમાંથી ખંડ દ્રવ્ય કેટલાં છે?
ઉ–છએ દ્રવ્યો પોતાના સ્વરૂપે અખંડ છે, અને પરથી જુદાં છે. પરમાણુના સ્કંધને ખંડરૂપ કહી શકાય, કેમકે તે
સ્કંધમાંથી પરમાણુઓ છૂટા પડી જાય છે.
૬. પ્ર–રૂપી, અરૂપી, મૂતિક અને અમૂર્તિક એમાંથી જીવને કયા કયા વિશેષણો લાગુ પડે છે?
ઉ–જીવ અરૂપી અને અમૂર્તિક છે. જડ વસ્તુનું રૂપ જીવમાં નથી તેથી અરૂપી કહેવાય છે પણ પોતાના જ્ઞાન
વગેરેની અપેક્ષાએ તો તે સ્વરૂપી છે, જીવમાં પોતાનું રૂપ છે, જ્ઞાન, દર્શન વગેરે જીવનું સ્વરૂપ છે.
૭. પ્ર. બાહ્યક્રિયા અને અભ્યંતર ક્રિયા એટલે શું?
ઉ–ખરેખર જ્ઞાનની શુદ્ધ પર્યાય તે આત્માની અભ્યંતર ક્રિયા છે અને રાગ તે બાહ્ય ક્રિયા છે, અને ઉપચારથી
રાગ તે અભ્યંતર ક્રિયા તથા શરીરાદિની ક્રિયા તે બાહ્ય ક્રિયા છે.
૮. પ્ર–ચૈતન્યની ક્રિયા શેમાં હોય અને શેમાં ન હોય?
ઉ–ચૈતન્યની ક્રિયા ચૈતન્યમાં હોય અને ચૈતન્યની ક્રિયા જડમાં ન હોય.
૯. પ્ર–ધર્મદ્રવ્ય એટલે શું?
ઉ–જે દ્રવ્ય ગતિ કરતાં જીવ અને પુદ્ગલને ઉદાસીન નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહે છે.
૧૦. પ્ર–માછલીને ગતિ કરવામાં પાણી નિમિત્ત થાય છે તો પાણી ધર્મદ્રવ્ય છે કે નહિ?
ઉ–પાણી ધર્મદ્રવ્ય નથી, કેમકે પાણી તો રૂપી વસ્તુ છે, રૂપીપણું તે પુદ્ગલનો ગુણ છે માટે પાણી તે પુદ્ગલની
દશા છે.
૧૧. પ્ર–પુદ્ગલ દ્રવ્ય કયા ગુણવડે જાણે અને કયા ગુણવડે જણાય?
ઉ–પુદ્ગલ દ્રવ્ય જડ છે તેથી તેનામાં જાણવાની શક્તિ જ નથી, તેના ‘પ્રમેયત્વ’ ગુણને લીધે તે જીવના જ્ઞાનમાં
જણાય છે.

PDF/HTML Page 14 of 17
single page version

background image
સોનગઢમાં વીર સં. ૨૪૭૧ ના વૈશાખ માસમાં ઉનાળાની રજા દરમિયાન
જૈનદર્શન શિક્ષણવર્ગ રાખવામાં આવેલ, તેમાં અભ્યાસ કરતાં
વિદ્યાર્થીઓએ વર્ગમાં અંદરોઅંદર કરેલા એક દિવસના પ્રશ્નોત્તર.
: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૦૫ :
જ્ઞાન ગોષ્ટિ:
૧૨. પ્ર–અગુરુ લઘુત્વ ગુણ આપણને પ્રગટ છે કે નહિ?
ઉ–અગુરુ લઘુત્વ ગુણ બે જાતના છે, એક અનુજીવી અને બીજો પ્રતિજીવી; તેમાંથી અનુજીવી અગુરુલઘુત્વ ગુણ તો
સામાન્ય હોવાથી તે બધાને પ્રગટ છે, પણ પ્રતિજીવી અગુરુલઘુત્વ ગુણ તે જીવદ્રવ્યનો વિશેષ ગુણ છે. આપણને તે ગુણ
અત્યારે પ્રગટ નથી, સિદ્ધદશામાં તે ગુણ પ્રગટે છે.
૧૩. પ્ર–સાતા અને અસાતાના ઉદયના અભાવથી જીવને ક્યો ગુણ પ્રગટે?
ઉ–અવ્યાબાધ ગુણ પ્રગટે છે.
૧૪. પ્ર–સિદ્ધને સાતા હોય કે ન હોય?
ઉ–સિદ્ધને સાતા–અસાતા એકેય ન હોય.
૧૫. પ્ર–સિદ્ધને કર્મનો ઉદય આવે તો અવતાર લ્યે કે નહિ?
ઉ–સિદ્ધને કદાપિ કર્મનો ઉદય આવે નહિ અને તેમને કદી પણ અવતાર હોય નહિ, એ તો જન્મ–મરણ રહિત થયા છે.
૧૬. પ્ર–સમ્યગ્દર્શન છે તે પુણ્ય છે કે ગુણ છે?
ઉ–સમ્યગ્દર્શન તે પુણ્ય નથી પણ ધર્મ છે, અને તે ગુણ નથી પણ શ્રદ્ધા ગુણની પર્યાય છે.
૧૭. પ્ર–જ્યારે આત્માનો મોક્ષ થાય ત્યારે કેવો આકાર હોય?
ઉ–લગભગ છેલ્લા શરીર જેવો (કાંઈક ઓછો) આકાર.
૧૮. પ્ર–જગતમાં દ્રવ્ય કેટલાં? તેમાં સૌથી મોટું કયું? સૌથી મહત્તાવાળું કયું? અને સૌથી નાનું કયું?
ઉ–જગતમાં છ દ્રવ્ય છે; આકાશ દ્રવ્ય સૌથી મોટું છે; જીવ દ્રવ્ય સૌથી મહત્તાવાળું છે, કેમકે તે જ બધા દ્રવ્યોને
જાણનાર છે; પુદ્ગલપરમાણુ તથા કાળાણુ એ સૌથી નાનાં છે.
૧૯. પ્ર–હળવો સ્પર્શ તે અનુજીવી ગુણ કે પ્રતિજીવી?
ઉ–હળવો સ્પર્શ તે ગુણ નથી પણ પર્યાય છે. પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ નામના અનુજીવી ગુણની તે પર્યાય છે.
૨૦. પ્ર–સૂક્ષ્મત્વ એટલે શું? ‘સૂક્ષ્મત્વ તે આત્માનો અનુજીવી ગુણ છે’ એ વાક્ય બરાબર છે?
ઉ–સૂક્ષ્મત્વ એટલે ઈન્દ્રિયોના વિષયરૂપ સ્થૂલતાનો અભાવ; સૂક્ષ્મત્વ તે આત્માનો અનુજીવી ગુણ નથી પણ
પ્રતિજીવી ગુણ છે.
૨૧. પ્ર–કાળ દ્રવ્ય કોને કહે છે?
ઉ–વસ્તુઓના પરિણમનમાં જે નિમિત્ત થાય તેને કાળ દ્રવ્ય કહેવાય છે. સમય, મિનિટ, કલાક વગેરે તેની પર્યાય છે.
૨૨. પ્ર–ચંદ્ર ઉગ્યો, સૂર્ય આથમ્યો–તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ કઈ રીતે છે તે ગોઠવો?
ઉ–ચંદ્ર અને સૂર્ય બંને જુદી જુદી વસ્તુ છે, ઉત્પાદ–વ્યય–ધુ્રવ એક જ વસ્તુમાં હોય છે, બે જુદી વસ્તુમાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવ લાગુ પડી શકે નહિ.
૨૩. પ્ર–જીવ દ્રવ્યમાં બે અગુરુલઘુત્વગુણો છે, તે સામાન્ય છે કે વિશેષ? અને અનુજીવી છે કે પ્રતિજીવી?
ઉ–જીવ દ્રવ્યમાં એક અગુરુલઘુત્વગુણ સામાન્ય છે અને એક વિશેષ છે; તેમાંથી જે સામાન્ય છે તે અનુજીવી છે
અને વિશેષ છે તે પ્રતિજીવી છે.
૨૪. પ્ર–ધર્માસ્તિકાય અહીંથી જિનમંદિર સુધી જાય તો તેમાં તેને કયું દ્રવ્ય નિમિત્ત થાય?
ઉ–ધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિર છે, તે ગતિ કરતું જ નથી.
૨૫. પ્ર–નિગોદને સ્થાવર જીવ કહી શકાય કે નહિ? અને સ્થાવર જીવને નિગોદ કહી શકાય કે નહિ?
ઉ–નિગોદને સ્થાવર જીવ કહી શકાય છે પણ બધા સ્થાવરને નિગોદ કહી શકાતા નથી. નિગોદ સિવાય બીજા
સ્થાવર પણ છે.
૨૬. પ્ર–અસ્તિકાય કેટલા છે? કેટલા નથી?
ઉ–કાળ સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય છે; કાળ દ્રવ્ય અસ્તિકાય નથી, એક પુદ્ગલ પરમાણુ પણ અસ્તિકાય
નથી પરંતુ તેનામાં સ્કંધરૂપ થવાની શક્તિ હોવાથી તે અસ્તિકાયમાં ગણાય છે.
૨૭. પ્ર–અસ્તિકાય તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે?
ઉ–અસ્તિકાય તે અનેક પ્રદેશવાળું દ્રવ્ય છે. જે દ્રવ્ય અનેક પ્રદેશવાળું હોય તેને અસ્તિકાય કહેવાય છે.
૨૮. પ્ર–વેદનીય કર્મના નાશથી ક્યો ગુણ પ્રગટે છે? તે અનુજીવી કે છે પ્રતિજીવી?
ઉ–અવ્યાબાધ ગુણ પ્રગટે છે તે પ્રતિજીવી ગુણ છે.
૨૯. પ્ર–અભવ્યત્વ તે અનુજીવી ગુણ છે કે પ્રતિજીવી?
ઉ–અભવ્યત્વ તે અનુજીવી ગુણ છે, કેમકે તે કોઈ પરના અભાવની અપેક્ષા રાખતો નથી.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૦૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
૩૦. પ્ર–મિથ્યાદ્રષ્ટિ મુનિને વધારે પાપ કે લડાઈમાં ઉભેલા સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તીને વધારે પાપ?
ઉ–મિથ્યાદ્રષ્ટિ મુનિને મિથ્યાત્વનું અનંત પાપ ક્ષણે ક્ષણે લાગે છે અને સમ્યગ્દ્રષ્ટિને લડાઈ વખતે પણ તે અનંત
પાપ તો ટળી જ ગયું છે તેથી તે બેમાંથી મિથ્યાદ્રષ્ટિ મુનિને જ વધારે પાપ છે. મિથ્યાદ્રષ્ટિને સાચું મુનિપણું હોય નહિ.
૩૧. પ્ર–જીવ અરૂપી છે અને ધર્મ–અધર્મ–આકાશ–કાળ દ્રવ્યો પણ અરૂપી છે તો પછી તેમને જીવ કેમ ન
કહેવાય?
ઉ–જીવ અરૂપી છે એ ખરૂં, પરંતુ જીવનું લક્ષણ અરૂપીપણું નથી, જીવનું લક્ષણ તો ચેતના છે; બીજા ચાર અરૂપી
દ્રવ્યોમાં ચેતના નથી માટે તે જીવ નથી.
૩૨. પ્ર– ‘કાગળમાં અક્ષર લખાણા’ ત્યાં કાગળમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ થયું કે નહિ? કઈ રીતે?
ઉ–ઉત્પાદ–વ્યય–ધુ્રવ તો બધી વસ્તુમાં હોય જ છે. કાગળમાં જ્યારે અક્ષર લખાણા ત્યારે તેમાં લખાણરૂપ
દશાની ઉત્પત્તિ થઈ, કોરી દશાનો વ્યય થયો અને કાગળપણે ધુ્રવપણે ટકી રહ્યો છે; આ રીતે ઉત્પાદ–વ્યય–ધુ્રવ થયા છે.
૩૩. પ્ર–છ દ્રવ્યના લક્ષણ શું? છએ દ્રવ્યોના લક્ષણ જુદા શા માટે?
ઉ–જીવનું લક્ષણ ચેતના, પુદ્ગલનું લક્ષણ વર્ણ–ગંધ–રસ–સ્પર્શ, ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિમાં નિમિત્ત થવું તે,
અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિર થવામાં નિમિત્ત થવું તે, આકાશ દ્રવ્યનું લક્ષણ બધાને જગ્યા આપવી તે અને કાળ
દ્રવ્યનું લક્ષણ પરિણમનમાં નિમિત્ત થવું તે છે; છએ દ્રવ્યો જુદા જુદા હોવાથી તે છએનાં લક્ષણ જુદાં છે. જુદી જુદી
વસ્તુનું લક્ષણ જુદું જુદું જ હોય.
૩૪. પ્ર–કાળ દ્રવ્યની કેટલી સંખ્યા છે અને તે કઈ રીતે રહે છે? તથા કાળ દ્રવ્યના કેટલા ભેદ છે?
ઉ–લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે તેટલા કાળ દ્રવ્યો છે અને એક લોકાકાશના એક પ્રદેશ ઉપર એકેક
કાળ દ્રવ્ય રહેલ છે. કાળ દ્રવ્યના બે ભેદ છે, કાળ દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે અને મિનિટ, કલાક, દિવસ વગેરે કાળ
દ્રવ્યના સ્થૂળ ભેદો છે તેને વ્યવહારકાળ કહે છે.
૩૫. પ્ર–અસ્તિત્વ ગુણમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ હોય કે નહિ?
ઉ–હોય; નવી પર્યાયના અસ્તિત્વનો ઉત્પાદ, જુની પર્યાયના અસ્તિત્વનો વ્યય અને અસ્તિત્વગુણનું સળંગ
ધુ્રવપણે ટકી રહેવું–આ રીતે અસ્તિત્વગુણમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ થાય છે.
૩૬. –કોઈએ તમને મોક્ષના બે રસ્તા બતાવ્યા, એક બલુન અને બીજું સલુન, તમે ક્યો રસ્તો પસંદ કરશો?
ઉ–મોક્ષનો સાચો માર્ગ એક જ પ્રકારનો છે અને તે આત્મામાં જ છે, મોક્ષનો માર્ગ બહારની કોઈ વસ્તુમાં–
બલુનમાં કે સલુનમાં–ક્યાંય નથી. બહારના કોઈ સાધનથી જે મોક્ષનો માર્ગ બતાવે તે અજ્ઞાની છે.
મોક્ષ કોઈ બહારના ક્ષેત્રમાં નથી તેથી મોક્ષ માટે બહારના સાધનની જરૂર નથી. મોક્ષ તો આત્મામાં થાય છે
અને તેથી આત્માની સાચી સમજણ એ જ મોક્ષનો માર્ગ છે.
૩૭. પ્ર–પરમાણુના જથ્થાને સ્કંધ કહેવાય છે તો પછી સ્કંધના જથ્થાને શું કહેવાય?
ઉ–સ્કંધના જથ્થાને સ્કંધો (પણ) કહેવાય છે.
૩૮. પ્ર–છ દ્રવ્યો છે તેમાંથી અરૂપી કેટલા અને જડ કેટલા? અરૂપી અને જડમાં શું ફેર? તે ફેર ક્યાં પડ્યો?
ઉ–છ દ્રવ્યોમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે અને જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે; અરૂપી એટલે
વર્ણ–ગંધ–રસ–સ્પર્શ જેમાં ન હોય તે, અને જડ એટલે જેમાં જ્ઞાન ન હોય તે, જીવ દ્રવ્ય અરૂપી છે પણ જડ નથી,
પુદ્ગલ દ્રવ્ય જડ છે પણ અરૂપી નથી, અન્ય ચારે દ્રવ્યો જડ અને અરૂપી છે.
૩૯. પ્ર–અરિહંતપ્રભુને કેટલા પ્રતિજીવી ગુણો પ્રગટ્યા હોય? –શા માટે?
ઉ–અરિહંતપ્રભુને એકેય પ્રતિજીવી ગુણો પ્રગટ્યા હોય નહિ કેમકે તેમને હજી ચાર અઘાતિ કર્મનો સદ્ભાવ છે;
પ્રતિજીવી ગુણ તો સર્વ કર્મના નાશથી પ્રગટે છે.
૪૦. પ્ર.–જ્ઞાન અને ચેતનામાં શું ફેર?
ઉ–જ્ઞાન તે ચેતનાનો એક ભાગ છે; ચેતનાના બે પ્રકાર છે એક દર્શન અને બીજો જ્ઞાન.
૪૧. પ્ર–અસ્તિત્વ અને ધ્રૌવ્યમાં શું ફેર છે?
ઉ–અસ્તિત્વમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય ત્રણે આવી જાય છે, પણ ‘ધ્રૌવ્ય’ કહેતાં તેમાં ઉત્પાદ–વ્યય આવતાં નથી.

PDF/HTML Page 16 of 17
single page version

background image
૪૨. પ્ર.–સ્વભાવનો નાશ થાય કે નહિ? –શા માટે?
ઉ–જે વસ્તુનો જે સ્વભાવ હોય તેનો કદી નાશ થાય નહિ; જો સ્વભાવનો નાશ થાય તો વસ્તુનો જ નાશ થાય,
કેમકે વસ્તુ અને વસ્તુનો સ્વભાવ જુદા નથી. જેમકે–જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, જો જ્ઞાનનો નાશ થાય તો આત્માનો
જ નાશ થાય; કેમકે જ્ઞાન અને આત્મા જુદાં નથી.
૪૩. પ્ર. –કાર્માણ વર્ગણા અને કાર્માણ શરીરમાં શું ફેર છે?
ઉ–કાર્માણ વર્ગણાના જે પરમાણુઓ છે તેઓ હજી કર્મરૂપે થયા નથી પણ કર્મરૂપે થવાની તેનામાં લાયકાત છે. અને
જે પરમાણુઓ કર્મરૂપે શરીરાકારે પરિણમ્યા છે તે કર્મોના સમૂહને કાર્માણશરીર કહેવામાં આવે છે.
૪૪. પ્ર.–અરિહંતને કયા કર્મો બાકી છે? –શા માટે?
ઉ–અરિહંતને ચાર અઘાતિ કર્મો–વેદની, આયુ, નામ, અને ગોત્રકર્મ બાકી છે, કેમકે હજી તેમને યોગનું કંપન થાય છે.
૪૫. પ્ર.–પહેલાંં કેવળજ્ઞાન થાય કે કેવળદર્શન? શા માટે?
ઉ–કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે જ (એક જ સમયે) થાય છે, કેમકે પૂરી દશામાં ઉપયોગના ક્રમ પડતા નથી.
૪૬. પ્ર–ધર્મદ્રવ્ય ચાલે ત્યારે તેને કોણ નિમિત્ત થાય?
ઉ–ધર્મદ્રવ્ય સ્વભાવથી જ સ્થિર છે, તે કદી ચાલતું જ નથી.
૪૭. પ્ર–ધર્મદ્રવ્ય કેટલા દ્રવ્યોને સ્થિર થવામાં નિમિત્ત થાય?
ઉ–ધર્મદ્રવ્ય સ્થિર થવામાં નિમિત્ત થતું નથી, પણ જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે ગતિ કરે ત્યારે તેને ધર્મદ્રવ્ય
નિમિત્ત કહેવાય છે.
૪૮. પ્ર–સંસારી જીવોને કેટલા પ્રકારના શરીર હોય છે?
ઉ–સંસારી જીવોમાં કુલ પાંચ પ્રકારના શરીર હોય છે–ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્માણ.
૪૯. પ્ર–ઉપરના પાંચમાંથી ઓછામાં ઓછા કેટલા શરીર હોઈ શકે? –કયા જીવને?
ઉ–એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરતા જીવને ઘણો જ અલ્પકાળ ફક્ત કાર્માણ અને તૈજસ એ બે જ શરીર
હોય છે.
૫૦. પ્ર– ‘કાળો રંગ’ તે અનુજીવી ગુણ છે કે પ્રતિજીવી ગુણ?
ઉ– ‘કાળો રંગ’ તે ગુણ નથી પણ ગુણની પર્યાય છે. પુદ્ગલ દ્રવ્યમાં રંગ નામના ગુણની કાળી હાલત છે તેને
કાળો રંગ કહેવાય છે.
૫૧. પ્ર–દ્રવ્યત્વ ગુણમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ કઈ રીતે છે?
ઉ–દ્રવ્યમાં નવી અવસ્થા ઉપજે છે જુની અવસ્થાનો નાશ થાય છે, અને વસ્તુપણે કાયમ ટકી રહે છે–એ રીતે
દ્રવ્યત્વગુણમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે; જેમકે જીવ દ્રવ્યમાં સિદ્ધદશાનું ઉત્પન્ન થવું, સંસારદશાનો નાશ થવો અને દ્રવ્યત્વગુણ
તેનું ટકી રહેવું એ દ્રવ્યત્વગુણના ઉત્પાદ–વ્યય ધુ્રવ છે.
૫૨. પ્ર.–‘એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરી શકે’ –એ વાત ખરી છે? –કેમ?
ઉ–હા, એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરી શકે એ વાત ખરી છે કેમકે દરેક વસ્તુમાં અગુરુલઘુત્વ–નામની શક્તિ
રહેલી છે, તેથી કોઈ એક પદાર્થ અન્ય પદાર્થરૂપે પરિણમતો નથી. વળી વસ્તુમાં અસ્તિ–નાસ્તિ ધર્મ છે, દરેક વસ્તુ પોતાના
સ્વરૂપે છે અને પરના સ્વરૂપે નથી એટલે કે દરેક વસ્તુ જુદી જુદી સ્વતંત્ર છે તેથી કોઈ વસ્તુ એક બીજાનું કાંઈ પણ કરી
શકતી નથી.
–અને–દ્રવ્યત્વ નામની શક્તિ દરેક પદાર્થમાં છે, તે શક્તિથી દરેક વસ્તુનું કાર્ય સ્વયં પોત પોતાથી થયા કરે છે; તેથી
પણ એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકતી નથી.
૫૩. પ્ર–અવધિજ્ઞાની જીવને પહેલાંં કેવળદર્શન થાય કે નહિ? –શા માટે?
ઉ–તે જીવને અવધિજ્ઞાન પહેલાંં અવધિદર્શન થાય, પણ કેવળદર્શન ન થાય, કેમકે અવધિજ્ઞાની જીવને કેવળદર્શન
હોઈ શકે નહિ; કેવળદર્શન તો કેવળજ્ઞાન સાથે જ હોય છે.
૫૪. પ્ર– ‘બધા જીવોને દર્શનપૂર્વક જ જ્ઞાન (અર્થાત્ પહેલાંં દર્શન અને પછી જ્ઞાન) હોય છે’ એ વાત બરાબર છે?
ઉ–ના, બધાય જીવોને માટે તેમ નથી. અપૂર્ણ જ્ઞાનવાળા જીવને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે, પરંતુ જેમને પૂર્ણજ્ઞાન
(કેવળજ્ઞાન) પ્રગટી ગયું હોય તેને તો દર્શન અને જ્ઞાન બંને એક સાથે જ હોય છે.
૫૫. પ્ર– ‘મુનિરાજ ધ્યાનસ્થ બેઠા છે’ –આ પ્રસંગે છએ દ્રવ્યની ક્રિયાનું ટૂંક વર્ણન કરો.
ઉ– (૧) ધ્યાનસ્થ મુનિરાજનો આત્મા તે વખતે પરમ આનંદમાં લીન છે, અર્થાત્ તેમને શુદ્ધ જ્ઞાન ક્રિયા વર્તે છે,.
(૨) જડ શરીરના પરમાણુઓની ક્રિયા તે વખતે સ્થિર રહેવા લાયક છે, (૩) અધર્માસ્તિકાય દ્રવ્ય તે જીવ અને
પરમાણુઓને સ્થિર રહેવામાં નિમિત્તરૂપ છે, (૪) કાળદ્રવ્ય પરિણમનમાં નિમિત્ત છે; (૫) આકાશ દ્રવ્ય તે જગ્યા
આપવામાં નિમિત્ત છે, અને (૬) ધર્માસ્તિકાય દ્રવ્યની ત્યાં હાજરી છે પણ તેને સ્થિતિમાં નિમિત્ત કહી શકાતું નથી.
૫૬. પ્ર–ધ્યાન દશા વખતે આત્મામાં કઈ કઈ જાતની પર્યાય હોય?

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permission of Baroda Govt. Regd No. B. 4787
Order No. 30-24 date 31-10-44
ઉ–અર્થપર્યાય અને વ્યંજનપર્યાય બંને હોય છે.
૫૭. પ્ર.–અરૂપી વસ્તુને આકૃતિ હોય?
ઉ–હા, પ્રદેશત્વ ગુણને લીધે દરેક વસ્તુને આકૃતિ હોય જ; તેને વ્યંજનપર્યાય કહેવાય છે.
૫૮. પ્ર.–ધર્મ–અધર્મ–આકાશ અને કાળ એ ચાર દ્રવ્યને સ્વભાવવ્યંજન પર્યાય છે કે વિભાવ વ્યંજન પર્યાય છે?
ઉ–એ ચારે દ્રવ્યોને સદાય સ્વભાવવ્યંજન પર્યાય જ હોય છે, તેની પર્યાયમાં કદી વિકાર થતો નથી, સંસારી જીવ
અને પરમાણુઓને જ વિભાવવ્યંજનપર્યાય હોય છે.
૫૯. પ્ર.–અગુરુલઘુત્વગુણ પ્રતિજીવી કે અનુજીવી?
ઉ–અગુરુલઘુત્વગુણ બે પ્રકારના છે; તેમાં જે સામાન્ય અગુરુલઘુગુણ છે તે અનુજીવી છે અને જે વિશેષ
અગુરુલઘુગુણ છે તે પ્રતિજીવી છે.
૬૦. પ્ર.–બંને અગુરુલઘુ ગુણમાં અભાવસૂચક ‘અ’ આવે છે છતાં બંનેમાં ભેદ કેમ?
ઉ–સામાન્ય અગુરુલઘુગુણ તો બધી વસ્તુઓમાં ત્રિકાળ છે, તે ગુણ કોઈ બીજાના અભાવની અપેક્ષા રાખતો
નથી માટે તે અનુજીવી છે અને વિશેષ અગુરુલઘુગુણ તો ગોત્ર કર્મનો અભાવ થતાં સિદ્ધદશામાં પ્રગટે છે–કર્મના
અભાવની અપેક્ષા રાખતો હોવાથી તે પ્રતિજીવી ગુણ છે.
અભાવસૂચક ‘અ’ આવે માટે તે ગુણને પ્રતિજીવી કહેવો એવી તેની વ્યાખ્યા નથી, પણ કોઈ બીજા પદાર્થના
અભાવની અપેક્ષા રાખે તે ગુણ પ્રતિજીવી છે.
૬૧. પ્ર.–મન જ્ઞાન કરતાં અટકાવે છે કે મદદ કરે છે?
ઉ–મન તો જડ છે, તે જ્ઞાનથી જુદું છે તેથી તે જ્ઞાન કરવામાં મદદ પણ ન કરે અને અટકાવે પણ નહિ. જ્યારે
જ્ઞાન પર પદાર્થને જાણે છે ત્યારે મન નિમિત્તરૂપ હાજરમાત્ર હોય છે અને જ્યારે જ્ઞાનવડે પોતાના આત્માને જ જાણે છે
ત્યારે તો મન નિમિત્તરૂપ પણ હોતું નથી.
૬૨. પ્ર.– ‘આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો’ –ત્યારે અહીંથી છ દ્રવ્યોમાંથી કેટલા દ્રવ્યો ગયા?
ઉ–એક તો જીવ અને તેની સાથે કાર્માણ તથા તૈજસ શરીરના રજકણો; એટલે કે જીવ અને પુદ્ગલ દ્રવ્યો ગયાં.
જીવ અને પુદ્ગલ દ્રવ્ય સિવાયનાં ચારે દ્રવ્યો તો સદા સ્થિર છે તેઓમાં કદી ક્ષેત્રાંતર થતું જ નથી.
૬૩. પ્ર.– ‘શરીરને છોડીને જીવના પ્રદેશોનું બહાર ફેલાવું તેને સમુદ્ઘાત કહે છે’ –આ વ્યાખ્યા બરાબર છે?
ઉ–ના, એ વ્યાખ્યા બરાબર નથી. શરીરને છોડીને આત્મપ્રદેશ બહાર નીકળી જાય તો તે મરણ કહેવાય,
સમુદ્ઘાતમાં તો મૂળ શરીરને છોડયા વગર આત્મપ્રદેશો બહાર ફેલાય છે.
૬૪. પ્ર–રાગ–દ્વેષ આત્માના છે કે જડના છે?
ઉ–રાગ–દ્વેષભાવ આત્માની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તે આત્માના છે; પરંતુ રાગ–દ્વેષભાવ તે
આત્માનું સ્વરૂપ નથી–તેથી આત્માના શુદ્ધસ્વરૂપની અપેક્ષાએ તેને જડના પણ કહેવાય છે.
૬૫. પ્ર–ઈન્દ્રિય સિવાય જીવ હોઈ શકે કે નહિ?
ઉ–હા, સિદ્ધ દશામાં અનંત જીવો છે તેઓને ઈન્દ્રિય કે શરીર નથી, તેમજ જીવ જ્યારે એક ગતિમાંથી બીજી
ગતિમાં ગમન (વિગ્રહ ગતિ) કરે છે ત્યારે પણ તેને ઈન્દ્રિય કે સ્થૂળ શરીર હોતાં નથી; અને ખરી રીતે તો બધા જ
જીવો ઈન્દ્રિય અને શરીર વગરનાં જ છે, ઈન્દ્રિય અને શરીર તો જડ છે, જ્ઞાનસ્વરૂપ આત્મા તે નથી જુદો જ છે.
વ્યવહારથી જીવને ઓળખવા માટે એકેન્દ્રિય વગેરે નામ આપ્યાં છે.
૬૬. પ્ર–જડ અને પુદ્ગલમાં શું ફેર છે?
ઉ–જડનું લક્ષણ અચેતનપણું છે તેથી ‘જડ’ કહેતાં તેમાં જીવ સિવાયના પાંચે દ્રવ્યનો સમાવેશ થઈ જાય છે
અને પુદ્ગલનું લક્ષણ રૂપીપણું છે તેથી પુદ્ગલ કહેતાં એકલું પુદ્ગલ દ્રવ્ય લક્ષમાં આવે છે; જડ તો રૂપી પણ હોય અને
અરૂપી પણ હોય, પરંતુ પુદ્ગલ તો રૂપી જ હોય છે.
૬૭. પ્ર–સત્દેવનું ટુંકામાં ટૂંકું સ્વરૂપ શું?
ઉ–સર્વજ્ઞતા; જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં વીતરાગતા હોય જ.
૬૮. પ્ર– ‘અર્હંતદેવ’ અને ‘સ્વર્ગના દેવ’ એ બે દેવોમાં શું ફેર છે?
ઉ–અર્હંતદેવ પૂજનીક છે, તેઓ પૂર્ણજ્ઞાની છે, વિકાર રહિત છે, જીવન્મુક્ત છે; ભવ રહિત છે. પણ સ્વર્ગના દેવ
તો અપૂર્ણજ્ઞાનવાળાં છે; વિકાર સહિત છે, સંસારી છે, ભવ સહિત છે; અર્હંતપ્રભુને દેવપણું ગુણના કારણે છે તેથી
પૂજનીક છે, અને સ્વર્ગનું દેવપણું તે તો પુણ્યના વિકારનું ફળ છે. તેથી તે દેવપદ પૂજનીક નથી. (અપૂણર્)