Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 80

background image
૩૦૮
જીવનનો કસ–વીતરાગરસ
ગુરુદેવના અંતરમાં વીતરાગરસનો પ્રવાહ નિરંતર વર્તી
રહ્યો છે. પ્રવચન વખતે તો વીતરાગરસની એ પાવનગંગાના
પ્રવાહમાં અનેક જિજ્ઞાસુઓ પાવન થાય છે; તે ઉપરાંત તીર્થયાત્રા
જેવા વિશેષ પ્રસંગો વખતે, ભૂત–ભાવિનાં કોઈ મંગલ
સ્મરણોની યાદી વખતે, સાધર્મી–ધર્માત્માઓ સાથેના વિશેષ
પ્રસંગો વખતે, વિશિષ્ટ શાસ્ત્રોના સ્વાધ્યાય કે ચિંતન કરતાં
કરતાં જાગેલી ઊર્મિઓ વખતે, –એમ અનેક પ્રસંગે એ
વીતરાગરસની મસ્તી અને ચૈતન્યની ધૂન જોવા મળે છે; ત્યારે
એમ થાય છે કે વાહ! ગુરુદેવનું ખરું જીવન આ જ છે, આ જ
એમના જીવનનો ક્રમ છે, એ વીતરાગી–ચૈતન્યરસથી ભરપૂર
જીવનની ઓળખાણ તે ગુરુની સાચી સેવા છે.
આત્માને સાધવા માટે ગુરુદેવની વાણી મુમુક્ષુને
શૂરાતન ચડાવે છે. ગુરુમુખે નિજનિધાન સાંભળતાં મુમુક્ષુ રાજી–
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ જેઠ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ : ૨૬ : અંક ૮