Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૦૮A
જ્ઞાની કહે છે–તું આનંદમાં આવ
જેમ માતા બાળકને વહાલથી શિખામણ આપે તેમ
આચાર્યદેવ શિષ્યને મીઠાસથી સમજાવે છે કે ભાઈ!
જડની ક્રિયામાં તારો ધર્મ ગોતવો મુકી દે. આ ચૈતન્યમાં
તારો ધર્મ છે; ચૈતન્યરૂપ તારો આત્મા કોઈ દિવસ જડ
થયો નથી. જડ અને ચૈતન્ય બંને દ્રવ્યના ભાગલા પાડીને
હું તને કહું છું કે આ ચૈતન્ય દ્રવ્ય જ તારું છે, પુદ્ગલ દ્રવ્ય
તારું નથી, એ તો જડનું છે. માટે હવે જડથી ભિન્ન તારા
ચૈતન્યધર્મને જાણીને તું અત્યંત પ્રસન્ન થા, સર્વ પ્રકારે
પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજવળ કરીને સાવધાન થા, ને
‘આ સ્વદ્રવ્ય જ મારું છે, ચૈતન્ય જ હું છું’ એમ તું
અનુભવમાં લે. અહા, પુદ્ગલથી તદ્ન ભિન્ન આવું તારું
ચૈતન્યતત્ત્વ અમે તને દેખાડ્યું–હવે તું આનંદમાં આવ,
પ્રસન્ન થા. ભેદજ્ઞાનના ઉગ્ર અભ્યાસ વડે સ્વાનુભવ કર.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ પ્ર. અષાડ (લવાજમ : ચાર રૂપિયા) વષર્ ૨૬ : અધિક અંક

PDF/HTML Page 2 of 44
single page version

background image
ज्ञान विना शिव ना लहै
અહો, એવું અનુપમ આત્મસ્વરૂપ અંર્ત ઘટમાં જ શોભે છે કે જેના સ્મરણ અને
જાપ–ધ્યાનથી ભવ ભવનાં દુઃખ મટી જાય છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં સ્થિરતાપણે જે પદ શોભે છે, અને જેની ઉપમા
આપી શકાય એવી કોઈ વસ્તુ ૫ણલોકમાં નથી, આવું અનુપમ પદ હે જીવ! તારા ઘટમાં
વિરાજે છે.
ભલે પરિષહનો ભાર સહન કરે અને મહાવ્રત પણ પાળે, પરંતુ આત્મજ્ઞાન
વગર જીવ મોક્ષ પામતો નથી, ને ઘણાં કર્મો ઉપાર્જે છે.
મોક્ષને માટે આવા આત્મસ્વરૂપના જ્ઞાન સિવાય બીજો કોઈ ઈલાજ
૫ણકાળ ૫ણલોકમાં નથી, તેથી કવિ પોતાને સંબોધન કરીને કહે છે કે हे द्यानत!
પોતાના સ્વાર્થ માટે, એટલે કે આત્મહિત માટે તું આવા આત્મસ્વરૂપને જાણ.....કે
જે તારા ઘટમાં જ બિરાજે છે.
(ઉપરના અર્થવાળું અધ્યાત્મપદ પં. શ્રી દ્યાનતરાયજીએ બનાવેલું છે, તે પદ
અહીં આપવામાં આવ્યું છે–)
આતમ રૂપ અનુપમ હૈ ઘટ માંહિ વિરાજૈ
જાકે સુમરન જાપ સો, ભવ ભવ દુખ ભાજૈ હો ।। આતમ
।।।।
કેવલ દરશન જ્ઞાન મૈં, થિરતા પદ છાજૈ હો
ઉપમાકો તિહું લોક મેં કોઉ વસ્તુ ન રાજૈ હો।। આતમ
।।।।
સહૈ પરીષહ ભાર જો, જુ મહાવ્રત સાજૈ હોા
જ્ઞાન બિના શિવ ના લહૈ, બહુ કર્મ ઉપાજે હો
।। આતમ
।।।।
તિહૂં લોક તિહૂં કાલ મેં નહિ ઔર ઈલાજૈં હો
દ્યાનત તાકો જાનિયે, નિજ સ્વારથ કાજૈ હો।। આતમ
।।।।

PDF/HTML Page 3 of 44
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧ :
આસો સુધીનું વીર સં. ૨૪૯૫
લવાજમ પ્રથમ અષાઢ
બે રૂપિયા
વર્ષ: ૨૬ અંક ૯
“હું જન્મને જાણું નહી
સુખથી ભરેલો શિવ છું.”
જેઠ સુદ ૧૨ ના રોજ જ્યારે ગુરુદેવ સીમંધરનાથના દર્શન
કરવા આવ્યા, ને એકચિત્તે દર્શન કરતા હતા ત્યારે મધુર શબ્દો કોને
પડ્યા કે– ‘હું જન્મને જાણું નહીં......સાંભળતાં ચમકીને તેમાં ધ્યાન
આપ્યું, ત્યાં વિશેષપણે જાણે ચૈતન્યનું મધુરગીતગૂંજન થતું હોય તેમ
સંભળાયું કે ‘સુખથી ભરેલો શિવ છું.’
સીમંધરપ્રભુની પૂજા ચાલી રહી હતી. તેમાં આ આત્મરસ
ભીની કડી ભાવભીનાચિત્તે બોલાતી હતી–
“વિમુક્ત છું, નિવૃત્ત છું, હું સિદ્ધ છું ને બ્રહ્મ છું ;
હું જન્મને જાણું નહીં, સુખથી ભરેલો શિવ છું.”
એ સાંભળ્‌યા પછી એક કલાક સુધી ગુરુદેવને અંદરમાં એની
જ ધૂન ચાલી; ને પ્રવચનની શરૂઆતમાં જ શુદ્ધાત્માના વર્ણન સાથે
ખૂબ ભાવથી ગાયું કે–
“હું જન્મને જાણું નહીં, સુખથી ભરેલો શિવ છું.”
સભા સ્તબ્ધપણે સાંભળી રહી. ગુરુદેવે કહ્યું: ‘હું જન્મને જાણું
નહીં હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા, મારામાં પરભાવ નથી, મને જન્મ–
મરણ નથી; અવિનાશી સ્વરૂપ હું આત્મા સુખથી ભરેલો શિવ છું
એટલે કલ્યાણરૂપ છું. આવા આત્માને લક્ષમાં લેવો તે ભગવાનની
ખરી પૂજા–સ્તુતિ છે.
ફરી ફરીને ગુરુદેવ કહે છે કે ‘અહા! હું તો આનંદથી ભરેલો
ચૈતન્યપિંડ છું; આનંદના ધામમાં જન્મ મરણ કેવા? હું જન્મને
જાણતો નથી, જન્મરહિત એવો મારો સુખથી ભરેલો આત્મા તેને હું
જાણું છું. આવા આત્માની ભાવના કરવા જેવી છે.

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ૨ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
શુદ્ધ ઉપયોગરૂપ પરિણમેલો ધુ્રવઆત્મા જ
અનુભવ કરવા યોગ્ય છે
પ્રવચનસાર ગા. ૧૯૧–૧૯૨–૧૯૩–૧૯૪ માં પરથી વિભક્ત
શુદ્ધઆત્મા બતાવીને, મોહના ક્ષય માટે તેની ભાવના–તેની
ઉપલબ્ધિ તેનો અનુભવ–તેનું ધ્યાન કરવાનું કહ્યું છે. તેનો સાર
અહીં આપ્યો છે.
જ્ઞેય એવા સમસ્ત તત્ત્વોમાં સ્વ શું અને પર શું? એની ભેદજ્ઞાન દ્વારા જેણે
યથાર્થ વહેંચણી કરી છે તે જીવને તેનું ફળ શું આવે છે? તે અહીં બતાવે છે.
પ્રથમ તો, નિશ્ચયનયવડે સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન એવા પોતાના શુદ્ધ દ્રવ્યને
જ્ઞાનદર્શનમય જાણવું જોઈએ. જે જીવ એવા શુદ્ધ દ્રવ્યને નથી જાણતો, અને અશુદ્ધ
ભેળસેળવાળા દ્રવ્યનું કથન કરનારા એવા વ્યવહારનયથી વિમોહીત થઈને શરીર–ધન
વગેરેનું પોતાનું માનીને મમત્વ કરે છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે અને શ્રામણ્યના માર્ગને
તેણે દૂરથી જ છોડી દીધો છે, મોક્ષના માર્ગથી વિરુદ્ધ એવા ઉન્માર્ગમાં તે વર્તે છે.
શુદ્ધનયવડે સ્વ–પરનું યથાર્થ ભેદજ્ઞાન કરીને શુદ્ધ આત્માને અનુભવવો તે જ
મુનિપણાનો માર્ગ છે.
શુદ્ધનયવડે સ્વ–પરની અત્યંત ભિન્નતા જાણીને, ‘શુદ્ધ જ્ઞાન જ એક હું છું’ એમ
જેણે અનુભવ્યું છે, અને શરીરાદિ પરદ્રવ્યો સાથેના સ્વ–સ્વામીપણાના સંબંધને સર્વથા
ખંખેરી નાખ્યો છે, તેને જ પોતાના આત્મસ્વભાવમાં એકાગ્રતારૂપ ધ્યાન વડે
શુદ્ધાત્મપણું હોય છે; ને તે જ મોક્ષમાર્ગ છે. માટે આવો શુદ્ધાત્મા જ અનુભવમાં લેવા
યોગ્ય છે; અને એના અનુભવના ફળમાં પરમ મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.

PDF/HTML Page 5 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
શરીરાદિને વ્યવહારથી એટલે કે અશુદ્ધનયથી આત્માના કહ્યા ત્યાં તે વ્યવહારમાં
જ મોહિત થયેલો અજ્ઞાની શરીર તે મારું ને હું તેનો સ્વામી, હું તેનો કર્તા–એમ માની
બેઠો. અને તેની જ ઉપલબ્ધિમાં રોકાઈ ગયો. કેમકે જેને પોતાનું માને તેની જ
ઉપલબ્ધિમાં રોકાય. જ્ઞાની તો જાણે છે કે મારે માટે સદા રહેનાર એવો મારો શુદ્ધઆત્મા
જ ધુ્રવ છે, ને તેથી તે જ અનુભવમાં લેવા યોગ્ય છે. શુદ્ધ ઉપયોગરૂપે પરિણમેલો એવો
મારો ધુ્રવઆત્મા જ મારે અનુભવવા યોગ્ય છે, એના સિવાયનું બીજું બધું મારામાં
અસત્ છે. સંયોગરૂપે તે ભલે હો, પણ હું તેને મારાપણે જરા પણ અનુભવતો નથી.
ધર્મી જાણે છે કે હું જ્ઞાનાત્મક છું, દર્શનસ્વરૂપ છું, અતીન્દ્રિય મહાન પદાર્થ છું,
ધુ્રવ છું, અચળ છું અને શુદ્ધ છું. –આવા મારા આત્માને જ હું અનુભવું છું.
શુદ્ધ આત્મા સત્ અને અહેતુક છે, તેના સ્વભાવની સત્તામાં કોઈ હેતુ નથી,
સ્વત; સિદ્ધ અનાદિઅનંત સત્ છે. આવો શુદ્ધઆત્મા જ આત્માને ધુ્રવ છે, બીજું કાંઈ
આ આત્માને માટે ધુ્રવ નથી. સંયોગો તો બધા અધુ્રવ છે, ને પરતઃસિદ્ધ છે. કેમકે
કર્મોદય વગેરે બાહ્ય કારણો વડે સંયોગ આવે છે, તે કાંઈ આત્મા સાથે કાયમ રહેનારા
નથી એટલે ધુ્રવ નથી. શુદ્ધ આત્મા જ ધુ્રવ છે, ને તેથી તે જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે, તે
જ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા કરવા યોગ્ય છે. અધુ્રવ એવા અન્ય સંયોગથી શું પ્રયોજન છે?
જુઓ, અહીં સંયોગને અધુ્રવ કહેતાં તેમાં પાપ અને પુણ્ય બંનેનું ફળ આવી ગયું,
પુણ્યનું ફળ પણ અધુ્રવ છે. સમવસરણનો સંયોગ પણ આત્માને માટે અધુ્રવ છે. તેના
આશ્રયે કલ્યાણ થતું નથી. પોતાના ધુ્રવ આત્માના આશ્રયે જ કલ્યાણ થાય છે, કેમકે તે
શુદ્ધ છે.
આત્માને શુદ્ધપણાને કારણે ધુ્રવપણું કહ્યું; હવે તેને શુદ્ધપણું કેમ છે? તો કહે છે કે
એકપણું હોવાથી તેને શુદ્ધપણું છે. પરથી ભિન્નપણું અને સ્વથી અભિન્નપણું–એવા
એકત્વને લીધે આત્માને શુદ્ધતા છે ને શુદ્ધતા હોવાથી ધુ્રવતા છે, ધુ્રવતા હોવાથી તે જ
આશ્રય કરવા યોગ્ય છે. તેના જ આશ્રયે પરમ સુખનો અનુભવ થાય છે.
* ધુ્રવપણાને લીધે આશ્રય કરવા યોગ્ય કહ્યો.
* શુદ્ધપણાને કારણે ધુ્રવ કહ્યો.

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
*એકપણાને કારણે શુદ્ધ કહ્યો.
* હવે તે એકપણું પાંચ બોલથી બતાવે છે–
૧– જ્ઞાનાત્મકપણાને લીધે,
૨– દર્શનભૂતપણાને લીધે,
૩– અતીન્દ્રિય મહા પદાર્થપણાને લીધે,
૪– અચળપણાને લીધે, અને
પ– નિરાલંબનપણાને લીધે આત્માને એકપણું છે.
જુઓ, આ પાંચબોલથી આત્માનું એકપણું બતાવ્યું. આત્માને આવું એકપણું
હોવાથી શુદ્ધપણું છે, શુદ્ધપણું હોવાથી ધુ્રવપણું છે, ધુ્રવપણું હોવાથી તે આશ્રય લેવા યોગ્ય
છે–અનુભવ કરવાયોગ્ય છે; તેના અનુભવથી મોહનો ક્ષય થઈને વીતરાગી પરમ સુખ
થાય છે–જુઓ, આ મોક્ષની રીત!
* જ્ઞાનદર્શન સ્વરૂપ આ આત્માને, જેઓ જ્ઞાન સાથે તન્મય નથી એવા પર
દ્રવ્યોથી વિભાગ છે–જુદાઈ છે, અને જ્ઞાનાદિ સ્વધર્મોથી અવિભાગ છે–એકતા છે, તેથી
તેને એકપણું છે. પરથી ભિન્નતા ને સ્વમાં એકતા–આવા આત્માને શુદ્ધતા છે, ને તે જ
ધુ્રવપણે ઉપાદેય છે.
* પાંચ ઈન્દ્રિયો વડે તો સ્પર્શાદિ એકેક વિષયોનું ગ્રહણ થાય છે, ઈન્દ્રિયો
આત્માનું સ્વ–રૂપ નથી; તે ઈન્દ્રિયોથી પાર આત્મા પોતાની મહાન ચૈતન્યશક્તિ વડે
એક સાથે સમસ્ત પદાર્થોને જાણનારો મહાન પદાર્થ છે. આવો એક સત્ મહાન ચૈતન્ય
પદાર્થ હોવાથી તેને જડ ઈન્દ્રિયોથી જુદાઈ છે, ને જ્ઞાનરૂપ સ્વધર્મથી એકતા છે.–આ
રીતે આત્માને એકપણું છે. અને આવા એકપણાના અનુભવથી શુદ્ધઆત્માનો અનુભવ
થાય છે.
* જ્ઞેયરૂપ પર્યાયો ક્ષણે ક્ષણે વિનાશ પામે છે, તે ક્ષણિક જ્ઞેય પર્યાયોને આત્મા
જાણે છે પણ તેમને તે ગ્રહતો કે છોડતો નથી, તે તો જ્ઞેયોથી ભિન્ન પોતાના જ્ઞાનમાં જ
તન્મયપણે અચળ રહે છે; આ રીતે પરજ્ઞેયોથી ભિન્નતા અને જ્ઞાનરૂપ સ્વધર્મોથી
અભિન્ન હોવાથી આત્માને એકપણું છે. અનેક જ્ઞેયોને જાણતાં પોતે તે જ્ઞેયોના પ્રવાહમાં
તણાઈ જતો નથી, જ્ઞેયોને જાણતાં તેમાં તે ભળી જતો નથી, તે તો પોતાના
જ્ઞાનપ્રવાહમાં જ એકપણે વર્તે છે. આવા એકપણાને લીધે આત્માને શુદ્ધપણું છે.

PDF/HTML Page 7 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
આત્માથી ભિન્ન એવા જે શાશ્વત જડ–ચેતન જ્ઞેય દ્રવ્યો જગતમાં અનંત છે, તે
જ્ઞેયદ્રવ્યોનું આલંબન જ્ઞાનને નથી, આત્માના જ્ઞાનનો પ્રવાહ તે જ્ઞેયોમાંથી નથી
આવતો. તે જ્ઞેયોથી તો જ્ઞાન જુદું છે, જ્ઞાનનો પ્રવાહ આત્મામાંથી આવે છે. આત્માના
અવલંબને પ્રગટેલી જે જ્ઞાનપર્યાય તે સ્વધર્મ છે, ને તે સ્વધર્મથી આત્માને અભિન્નપણું
છે; આ રીતે પરદ્રવ્યના ધર્મોથી ભિન્નપણું ને સ્વધર્મોથી અભિન્નપણું હોવાથી આત્માને
એકપણું છે.
જુઓ, પાંચબોલ વડે અસ્તિ–નાસ્તિથી આત્માનું એકત્વસ્વરૂપ બતાવ્યું છે.
આવું એકત્વ હોવાથી આત્મા શુદ્ધ છે.
અહો; મારા જ્ઞાનધર્મમાં મને પરજ્ઞેયોનું આલંબન નથી, ઈંન્દ્રિયોનું આલંબન
નથી; મારા જ્ઞાનસ્વભાવનું મને આલંબન છે. શુદ્ધ અને ધુ્રવ એવા મારા આત્માનું જ
મને આલંબન છે–એમ ધર્મી જાણે છે. ને જે આવું નિજસ્વરૂપ છે તેને જ મોહનો ક્ષય
થાય છે.
આ રીતે શુદ્ધનય પરદ્રવ્યોથી વિભક્ત અને સ્વધર્મોથી અવિભક્ત એવા
શુદ્ધઆત્માનું સ્વરૂપ બતાવે છે. આવો શુદ્ધઆત્મા ધુ્રવ હોવાથી તે ઉપલબ્ધ કરવા યોગ્ય
છે, તે અનુભવમાં લેવા યોગ્ય છે. આત્માને જગતના કોઈ પદાર્થોનો સંયોગ ધુ્રવ રહેતો
નથી, પોતાનો જ્ઞાનસ્વરૂપ આત્મા જ ધુ્રવ રહે છે, તેનો કદી વિયોગ નથી; માટે તે જ
એક આશ્રય કરવા જેવો છે. બીજા પદાર્થોનો સંબંધ તો વૃક્ષની છાયા સમાન અસ્થિર છે,
અધુ્રવ છે. જેમ રસ્તે ચાલ્યા જતા મુસાફરને માર્ગમાં અનેક વૃક્ષોની છાયાનો સંસર્ગ
થાય છે, પણ તે છાયા કાંઈ મુસાફરના ભેગી નથી આવતી, છાયા નવી નવી બદલે છે
ને મુસાફર તો એકનો એક રહે છે; મુસાફર તે છાયાનો જ આશ્રય સમજીને ઊભો રહે
તો તે ધારેલા સ્થળે પહોંચી ન શકે. મુસાફરને ઝાડની છાયાનો આશ્રય નથી. તેમ
મોક્ષનો પ્રવાસી એવો આ આત્મા, તેને વચ્ચે રસ્તામાં ઝાડની છાયા જેવા શરીરાદિના
અનેક સંયોગો આવે છે, પણ ધર્મી તેને ઉપલબ્ધ કરતો નથી, તેને પરદ્રવ્ય જાણે છે,
તેનાથી ભિન્ન પોતાનું સ્વરૂપ જાણીને તેનો જ આશ્રય કરે છે. ધુ્રવ એવો શુદ્ધઆત્મા
એક જ મોક્ષાર્થી જીવનું શરણ છે, બીજું કોઈ શરણ નથી.
જેમ મધદરિયે એક વહાણ ચાલ્યું જતું હોય, તે વહાણ ઉપર બેઠેલા પંખીને
દરિયા વચ્ચે તે વહાણ સિવાય બીજું કોઈ શરણ નથી, તે પંખી ઊડી ઊડીને ફરી

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
પાછું વહાણ ઉપર જ આવીને બેસે છે. તેમ મધદરિયા જેવો આ સંસારસમુદ્ર, તેમાં
જીવને પોતાના ધુ્રવ શુદ્ધ સ્વભાવ સિવાય અન્ય કોઈ શરણરૂપ નથી, બધા સંયોગો
અધુ્રવ અને ભિન્ન છે. આવી ભિન્નતા જાણતો ધર્મી પોતાના સ્વભાવનું જ અવલંબન
લ્યે છે; ફરી ફરીને તેની પરિણતિ પોતાના સ્વરૂપની સન્મુખ થાય છે. કોઈ શુભાશુભ
કર્મોદયઅનુસાર લક્ષ્મી–શરીર–અનૂકુળ–પ્રતિકૂળસંયોગો હો ભલે, પણ ધર્મી તેને પોતાથી
અત્યંત ભિન્ન જ દેખે છે; પોતાને તો જ્ઞાનદર્શનસ્વરૂપ અતીન્દ્રિય મહાન પદાર્થ તરીકે
પોતામાં અનુભવે છે. –આવા આત્માને અનુભવ કરે તેને જ મોહનો નાશ થાય, ને તેને
જ મુનિપણું તથા કેવળજ્ઞાન અને પરમસુખ પ્રગટે.
આત્માનું સુખ
આત્માના સ્વભાવમાં સહજ સુખ છે. બહારમાં આનંદ ન
હોવા છતાં કલ્પનાથી તેમાં જે આનંદ માને છે–તે પોતે આનંદસ્વરૂપ
છે. પોતાનો આનંદ પોતામાં ભર્યો છે પણ પોતાના આનંદને ભૂલ્યો
એટલે તેનો આરોપ બીજામાં કર્યો કે ‘આમાં મારો આનંદ છે.’ –પણ
એ આરોપ મિથ્યા છે–ખોટો છે.
‘પરમાં મારું સુખ’ –એનો અર્થ એ થયો કે આત્મા અહીં ને
તેનું સુખ ક્યાંક બીજે, એટલે આત્મા અને સુખ બંને જુદા જ ઠર્યા;
સુખ તે આત્માનો સ્વભાવ ન રહ્યો! પણ ભાઈ, એવો (સુખ
વગરનો) આત્મા ન હોય. આત્મા તો સુખસ્વરૂપ છે. આત્મા
આનંદથી ખાલી નથી, આત્મા પોતાના આનંદથી ભરેલો છે. એનું
ભાન કરતાં આનંદના સ્વાદનું વેદન થાય છે.

PDF/HTML Page 9 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
અધ્યાત્મસંત શ્રી કાનજીસ્વામી
સંક્ષિપ્ત જીવનપરિચય ભાગ–૪
(લે. બ્ર. હરિલાલ જૈન)
પૂ. શ્રી કહાનગુરુના પવિ૫ જીવનનું આપણે અવલોકન
કરી રહ્યા છીએ. વિક્રમ સં. ૧૯૪૬ માં ઉમરાળામાં જન્મ,
સ્થાનકવાસીનું મુનિપણું, પછી તે છોડીને પરિવર્તન દ્વારા સત્પંથે
પ્રયાણ અને દિગંબર જૈનધર્મની મહાન પ્રભાવના,
સમ્મેદશિખરજી–બાહુબલી–પોન્નુર–કુંદાદ્રિ–ગીરનાર વગેરેના
યા૫ાપ્રસંગો, જિનબિંબ–પ્રતિષ્ઠાઓ, મુંબઈમાં હીરકજયંતિ,
સોનગઢમાં અનેક પ્રભાવશાળી પ્રસંગો, ને છેલ્લે સં. ૨૦૨૩ માં
બયાના શહેરમાં સીમંધરપ્રભુની સન્મુખ આનંદકારી જાહેરાત, એ
બધાનું વિવેચન આપે આત્મધર્મના છેલ્લા બે અંકો નં. (૩૦૭–
૩૦૮) માં વાંચ્યું. બાકીનો ભાગ આ અંકમાં પૂરો થાય છે. (સં.)
૯ કુમારિકા બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
આત્માની સ્વાનુભૂતિમાં વેદાતા અધ્યાત્મરસનું જ પવિ૫ ઝરણું ગુરુદેવ
વહેવડાવી રહ્યા છે તે અધ્યાત્મરસની પાસે સંસારનો રસ ક્યાંંથી ટકી શકે? અમૃત પાસે
ઝેર ક્યાંથી ટકી શકે? એટલે ગુરુવાણીમાં એ અધ્યાત્મરસનું શ્રવણ કરતાં કરતાં
સંસારથી વિરક્ત થઈ, સંતોની શીતલ છાયામાં રહી એ અધ્યાત્મરસનો સ્વાદ લેવા માટે
સં. ૨૦૨૩ ના શ્રાવણ વદ એકમે નાની ઉમરની નવ કુમારિકા બહેનોએ એકી સાથે
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લીધી. પહેલાં ૬ પછી ૧૪ પછી ૮ અને પછી ૯ બહેનોની
સમૂહપ્રતિજ્ઞાનો આ ચોથો પ્રસંગ બન્યો; તે ઉપરાંત પરચુરણ મળીને બાલબ્રહ્મચારી
બહેનોની કુલ સંખ્યા પચાસ જેટલી થઈ, –જેમાં મા૫ ગુજરાતી જ નહિ પરંતુ દૂરદૂરના

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
હિન્દી બહેનો પણ અનેક છે. આ પ્રસંગે ઉત્સવ જેવું અનેરું વાતાવરણ હતું, ને વળી
બીજે જ દિવસે ‘બીજ’ હતી. પરમવત્સલ પૂ. બેનશ્રીબેનના પ્રતાપે પચાસ બહેનોનું કેવું
ઉત્તમ જીવનઘડતર થઈ રહ્યું છે ને આત્મહિત માટે કેવી ઉત્તમ પ્રેરણાઓ મળી રહી છે તે
તો નજરે જોનારને ખ્યાલ આવે. ગુરુદેવનો અધ્યાત્મઉપદેશ મુમુક્ષુના અંતરમાં જે
વૈરાગ્યબીજ રોપે છે. તેને વાત્સલ્યનાં પાણી પાઈને માતાજી ઉછેરે છે......ને સંતોના
પ્રતાપે ઊગેલું એ વૈરાગ્યનું ઝાડ સમ્યક્ત્વાદિ મધુરાં ફળ આપનારું છે.
‘સમયસાર’ અને ‘જ્ઞાનચેતના’
સં. ૧૯૭૮ માં સમયસાર હાથમાં આવ્યું ત્યારે ગુરુદેવના પહેલા ઉદ્ગાર આ
હતા કે ‘આ શાસ્ત્ર અશરીરીભાવ બતાવનારું છે; અશરીરી એવા સિદ્ધપદનો માર્ગ
આમાં બતાવ્યો છે.
ચર્ચા થયેલી તે પ્રસંગ યાદ કરીને કોઈકવાર પ્રસન્નતાથી ગંભીરભાવે જ્યારે ગુરુદેવ
સંભળાવે છે ત્યારે જિજ્ઞાસુના રોમરોમ પુલકિત થઈને જ્ઞાનીના સ્વાનુભવ પ્રત્યે ઉલ્લસી
જાય છે. જ્ઞાનીની ‘જ્ઞાનચેતના’ કેવી હોય? ને તેનું કાર્ય શું? તેનું સ્વાનુભવસહિત
વર્ણન લક્ષગત કરતાં મુમુક્ષુના અંતરમાં કોઈ અપૂર્વ ભેદજ્ઞાનની ઝણઝણાટી જાગી જાય
છે. (એના નમૂના માટે જુઓ આત્મધર્મ નં. ૨૯૮)
‘જ્યાં અમે ત્યાં તમે’
સં. ૧૯૯૧ પહેલાં, જ્યારે ગુરુદેવ સંપ્રદાય છોડીને પરિવર્તનની વિચારણામાં
હતા, નિવૃત્ત થઈને ક્યાંક એકાંતમાં રહેવા ચાહતા હતા, તે વખતે બંને બહેનોએ એમ
પૂછયું કે– ‘ગુરુદેવ! અમારું શું? ત્યારે ગુરુદેવે કહ્યું– ‘જ્યાં અમે ત્યાં તમે’ અહા, ઠેઠ
સિદ્ધપદ સુધીના સાથીદાર એવા ગુરુદેવના મુખથી ‘જ્યાં અમે ત્યાં તમે’ એ સાંભળીને
બંને બહેનોને અસંખ્ય પ્રદેશે જે આહ્લાદ થયેલો તેની અસર આજે પાં૫ીસવર્ષ પછી
પણ તેમની વાણીમાં દેખાય છે. આવા તો બીજા ઘણાય આનંદપ્રસંગો ગુરુદેવના પ્રતાપે
બનેલા છે.
અગાઉ જેનો ઉલ્લેખ થઈ ગયો છે તે સરસ્વતી ભવનના ઉદ્ઘાટન–પ્રસંગે
સોનગઢ પહેલી જ વાર આવેલા જૈનસમાજના નેતા શાહૂ શાંતિપ્રસાદજી શાંત
અધ્યાત્મ–

PDF/HTML Page 11 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
વાતાવરણમાં પ્રસન્ન થઈને એમ બોલ્યા કે–મુઝે યહ પવિ૫ તીર્થસ્થાનમેં આકર બડી
પ્રસન્નતા હૂઈ, આજ જૈસે હમલોગ ભગવાન કુંદકુંદસ્વામીકા નામ મંગલરૂપમેં લેતે હૈં
વૈસે ભવિષ્યકી પેઢીકે લોગ આપકા (કાનજી સ્વામીકા) નામ લેતે રહેગેં.’
સં. ૨૦૨૪ નું વર્ષ તે ‘આત્મધર્મની રજતજયંતિ’ નું વર્ષ હતું. સં. ૨૦૦૦માં શરૂ
થયેલું આ માસિક સં. ૨૦૨૪ માં પચીસ વર્ષ પૂરા કરતું હતું; આત્મધર્મ દ્વારા ગુરુદેવની
વાણી ઘરે ઘરે જિજ્ઞાસુઓ અત્યંત પ્રેમથી વાંચે છે. રજતજયંતીના વર્ષમાં ગુરુદેવના
વિશેષ આશીર્વાદ મળ્‌યા, સાથે સાથે આ વર્ષમાં જ શ્રીમદ્રાજચંદ્રજીની જન્મશતાબ્દિનો
પણ ઉત્સવ હતો તેથી તેમનાં સારભૂત ઉત્તમ વચનામૃતોનું દોહન કરીને આત્મધર્મ દ્વારા
તેનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. પં. ટોડરમલ્લજીની દ્વિશતાબ્દિનો ઉત્સવ પણ આ જ
વર્ષમાં ઉજવાયો ને તેના પ્રચારમાં પણ ખાસ વિશેષાંકદ્વારા મહત્ત્વનો ફાળો આપ્યો.
આફ્રિકામાં પણ આપણા જિજ્ઞાસુઓએ ‘શ્રીમદ્રાજચંદ્રસ્મૃતિગૃહ’ બંધાવેલું છે.
આફ્રિકામાં એક મુમુક્ષુભાઈને ત્યાં લગ્નપ્રસંગે ચાર હજાર ધાર્મિક પુસ્તકો સોનગઢથી
મંગાવીને લાણી કરવામાં આવી હતી, ને જૈનવિધિ–અનુસાર લગ્ન થયા હતા. ગુરુદેવના
ઉપદેશનો થોડક પણ લક્ષગત કરતાં કુદેવ–કુગુરુ–કુધર્મનું સેવન તો મુમુક્ષુના હૃદયમાંથી
જડમૂળથી ઊખડી જાય છે, અને વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે કોઈ અનેરી ભક્તિનો
ઉમંગ જાગે છે. આ તો ધર્મનો એકડો લખવા માટેની કોરી પાટી છે. –એકડો તો હજી
એનાથી આઘો છે.
ગુરુદેવ પાસે કોઈ હસ્તાક્ષર માગે તો સામાન્યપણે ““” લખી આપે છે. એક
ભાઈએ હસ્તાક્ષર માંગ્યા. “ લખી આપ્યો, તે ભાઈ કાંઈ સમજ્યા નહિ એટલે કહ્યું કે
આપનું નામ લખી આપો. –ત્યારે ગુરુદેવ કહે કે આ “ છે તે સર્વભગવાનની વાણી છે;
એ જ અમારું નામ છે ને એ જ અમારું ધામ છે. “ એટલે શુદ્ધઆત્મા. (જે દિવસે આ
વાત થઈ તે દિ’ ફાગણ વદ એકમ હતી, સોનગઢમાં જ્યાં ગુરુદેવ બિરાજે છે ત્યાં “ ની
સ્થાપના તે દિવસે જ થયેલી છે.
સં. ૨૦૨૪ માં ફાગણ સુદ ૫ીજે ગુરુદેવે સૌરાષ્ટ્રમાં વિહાર માટે સોનગઢથી
મંગલપ્રસ્થાન કર્યું; લાઠી થઈને રાજકોટ પધાર્યા, પછી વડાલથી સાંજે નેમપ્રભુની
સાધનાભૂમિ ગિરનાર તીર્થધામના દર્શન કરી આવ્યા; ત્યાંથી પોરબંદર, જેતપુર, ગોંડલ,
વડીયા, મોરબી, વવાણીયા, ચૈ૫ સુદ તેરસે વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ,

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
જોરાવરનગર થઈને વીંછીયા પધાર્યા. જ્યાં “કારના અવ્યક્ત ભણકાર આવ્યા એવા
આ ગામમાં ૭૮મી જન્મજયંતીનો મહોત્સવ ઉજવાયો. વીંછીયાનું જિનમંદિર એટલે
સોનગઢના જૂના જિનમંદિરની જ પ્રતિકૃતિ. અત્યારે તો સોનગઢનું જિનાલય ૭પ ફૂટ
ઊંચે ધર્મધ્વજ ફરકાવી રહ્યું છે પણ પંદર વર્ષ પહેલાં જે ઘુમ્મટવાળું ૩૭ ફૂંટ ઊંચુ
જિનાલય હતું તે જોવું હોય તો વીંછીયાનું જિનાલય જોઈ લ્યો. વીંછીયામાં જન્મોત્સવ
પછી તરત ગુરુદેવ જન્મધામમાં–ઉમરાળા પધાર્યા.
જન્મઘરમાં ગુરુદેવને બીજા અનેક સંભારણાંની સાથે પોતાની ‘બા’ નું પણ
સ્મરણ થયું. ૨મી કરીને રાતે ઘરે આવે ત્યારે બારણું ઉઘડાવવા ‘બા’ કહીને સાદ
પાડતા, વગેરે પ્રસંગ ગુરુદેવે કહ્યા. માતા તે માતા! માતાનાં વાત્સલ્યભર્યાં સંભારણાં જ
એવાં હોય છે કે તે યાદ આવતાં પુ૫નું હૈયું રોમાંચ અનુભવે છે. ૪૭ વર્ષ પહેલાં, એટલે
કે ૩૩ વર્ષની વયે (સં. ૧૯૭૮માં) ગુરુદેવને “કારના ભણકારા આ ઉમરાળામાં પણ
આવ્યા હતા; (સૌથી પહેલાં ભણકાર વાંકાનેરના ઉપાશ્રયમાં સં. ૧૯૭૭ માં આવેલા)
થોડા જ વર્ષો પહેલાં સાક્ષાત્ સાંભળેલી એ તીર્થંકરવાણીના બડબડીયાં આત્મામાં
બોલતા હોવાથી ગુરુદેવને એ જિનવાણી–અનુસાર માર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં
ચેન પડતું ન હતું. અંતે જિનવાણી પ્રાપ્ત કરીને જગતમાં તે માર્ગ પ્રસિદ્ધ કર્યો.
જન્મોત્સવ વખતે તો ઉમરાળાનગરી અયોધ્યાની બેનપણી જેવી લાગતી હતી.
જન્મોત્સવ બાદ લીંબડી થઈને ગુરુદેવ વૈશાખ સુદ પૂનમે સોનગઢ પધાર્યા.
ગુરુદેવ સોનગઢમાં આવે એટલે અધ્યાત્મની ધૂન જામે. મુમુક્ષુઓ પણ
પોતપોતાના પ્રયત્નમાં પરોવાઈ જાય. અધ્યાત્મની આનંદકારી ચર્ચાની કોઈ ધન્યપળે
ગુરુદેવના ઉદ્ગાર નીકળ્‌યા કે ‘જ્ઞાનની લીલી વાડીમાં આત્મા આનંદની રમત રમે છે.’
આ ઉદ્ગારની સાથે ૩પ વર્ષ પહેલાંની ‘આત્મચર્ચા’ પણ ગુરુદેવ ઘણા મહિમાપૂર્વક
તાજી કરે છે....અને સાથે સાથે જ્ઞાનીઓનાં વિશિષ્ટ ઉદાહરણપૂર્વક આત્માને શોધવાની
રીત બતાવે છે.
૨૦૨૪ ના શ્રાવણ વદ બીજે પ્રવચનસારશાસ્ત્રની નવી આવૃત્તિનું પ્રકાશન હતું;
ઝરીભરેલું પુસ્તક પં. શ્રી હિંમતભાઈએ ગુરુદેવને અર્પણ કર્યું; આ દિવસે પૂ. ચંપાબેનનો
જન્મદિવસ હોવાથી ગુરુદેવે અપાર વાત્સલ્યપૂર્વક કહ્યું કે ‘આ પુસ્તક હું બેનને ભેટ
આપું છું.’–વાહ, કેવો અદ્ભુતપ્રસંગ! ગુરુદેવદ્વારા અપાતી

PDF/HTML Page 13 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
જિનાગમની ભેટનું એ દ્રશ્ય દેખીને जयधवला નું એ કથન યાદ આવતું હતું કે જેમાં
જિનવચનોને परमानन्द–पाहुड કહેલ છે, કેમકે તેના દ્વારા જિનભગવાને ભવ્યજીવોને
માટે ‘પરમ–આનંદ’ ની ભેટ મોકલી છે. અહા, આવા આનંદને દેનારાને એ આનંદને
લેનારા સન્તોનેે નજરે નીહાળતાં કેવો આનંદ થાય છે! ખરેખર, એ સન્તો આપણને
પણ આનંદના દાતાર છે.
આજે મંગલમુરત તરીકે ગુરુદેવે પ્રવચનસારની પહેલી પાંચ ગાથા વાંચી; તેમાં
પંચપરમેષ્ઠીને નમસ્કારરૂપ મુક્તિમંડપનાં મંગલવાજાં મુમુક્ષુને અનેરો આનંદ આપતાં
હતા. –જાણે પંચપરમેષ્ઠી ભગવંતો જ સાક્ષાત્ પધાર્યા છે કે શું! ભેદ તોડી,
પંચપરમેષ્ઠીની સાથે જ ભળીને તેમને નમસ્કાર કઈ રીતે કરાય? તે ગુરુદેવ સમજાવતા
હતા....એ વખતના રણકાર હજીપણ આત્મપ્રદેશોમાં ઝણઝણે છે. ધન્ય હતો એ
અવસર!
એકકોર પ્રવચનસારમાં પંચપરમેષ્ઠીની ધૂન, બીજી કોર સમયસાર ઉપર ૧૬મી
વખતનાં પ્રવચનોના પ્રારંભમાં સિદ્ધપદની ધૂન, –જાણે સોનગઢમાં પંચપરમેષ્ઠીનો મોટો
મેળો ભરાયો હોય એવું વાતાવરણ પ્રવચન વખતે વર્તતું હતું. ગુરુદેવ વારંવાર
મહિમાથી કહે છે કે આ શાસ્ત્ર શુદ્ધાત્માનો અનુભવ કરાવીને ભવનો નાશ કરાવનારું
છે; આત્માના અશરીરીભાવને બતાવનારું આ શાસ્ત્ર છે. સાધક કહે છે–અંતરમાં અમે
અમારા ચિદાનંદસ્વભાવ તરફ ઝૂકીને સિદ્ધભગવાનનો સાથ લીધો છે; પરભાવથી હવે
અમે ભિન્ન થયા છીએ, ને સિદ્ધાલયમાં અનંત સિદ્ધભગવંતોની પંક્તિમાં બેસવાના
છીએ.–કેવી નિઃશંક વાણી! કેવા આત્મસ્પર્શી ભાવો! –જાણે દિવ્યધ્વનિની કોઈ
મંગલવીણા વાગતી હોય! અત્યારે જ જાણે કુંદકુંદસ્વામી વિદેહમાંથી આવીને ત્યાંના
અતીન્દ્રિય જ્ઞાન–આનંદનું સ્વરૂપ સમજાવતા હોય! (આરાધકભાવની ઝણઝણાટી
બોલાવતા એ પ્રવચનોનું દોહન જ્યારે આત્મધર્મના અંક નં. ૩૦૦માં ગુરુદેવે વાંચ્યું
ત્યારે તેમણે અતિશય આહ્લાદપૂર્વક પરમપ્રમોદ વ્યક્ત કર્યો હતો.)
સં. ૨૦૨પ ના માગસર માસમાં ઘાટકોપરમાં, મલાડમાં તેમજ ભાવનગરમાં દિ.
જૈન મંદિરનું શિલાન્યાસ થયું. ભાવનગરમાં શિલાન્યાસપ્રસંગે ગુરુદેવ પણ ત્યાં પધાર્યા
હતા. આ જ અરસામાં ગિરનારસિદ્ધક્ષે૫માં માનસ્તંભજીનું શિલાન્યાસ થયું.
અમદાવાદ–રણાસણ–મુંબઈ અને મક્ષીજીના મંગલ મહોત્સવ
સં. ૨૦૨પ માં અમદાવાદ––રણાસણ તથા મુંબઈ (મલાડ તથા ઘાટકોપર) ના

PDF/HTML Page 14 of 44
single page version

background image
:૧૨ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
જિનમંદિરોમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાના ૫ણ મહોત્સવ નિમિત્તે, તેમજ મુંબઈમાં ૮૦ મી
રત્નચિંતામણિ–જન્મજયંતીના મહોત્સવ નિમિત્તે ગુરુદેવે માહવદ છઠ્ઠના રોજ સોનગઢથી
મંગલ પ્રસ્થાન કર્યું. રાણપુર થઈને અમદાવાદ પધાર્યા. સવાલાખ જેટલા જૈનોથી
શોભતું ગુજરાતનું આ પાટનગર જિનેન્દ્રદેવના પંચકલ્યાણકથી શોભી ઊઠ્યું. વિશાળ
જિનબિંબની વીતરાગીપ્રભાથી ભવ્ય જિનાલય શોભી રહ્યું છે. નેમિપ્રભુનો એ
જન્મકલ્યાણક ને દીક્ષા વગેરે અદ્ભુત પ્રસંગો દેખીને અમદાવાદની જનતા મુગ્ધ બની.
અમદાવાદનું આ શિખરબદ્ધ જિનાલય (ખાડિયા વિસ્તારમાં) પાંચેક લાખ રૂા. ના ખર્ચે
તૈયાર થયેલ છે. પાટનગરમાં આવા ભવ્ય જિનાલયથી ગુજરાત ગૌરવવન્તું બન્યું.
આદિનાથભગવાનનું આ જિનાલય ફિરોજાબાદના જિનાલયને યાદ કરાવે છે. સવાલાખ
જેટલા જૈનોથી ભરેલી આ નગરીનું અને જૈનસમાજનું ગૌરવ વધારનારી એક વાતનો
ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આઠ દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ દિગંબર
જૈનસમાજનો હોવા છતાં, અમદાવાદના શ્વેતાંબર જૈનસમાજે અત્યંત મધ્યસ્થતા રાખીને
તેમ જ શક્ય એટલો સહકાર આપીને આખા જૈનસમાજનું ગૌરવ વધાર્યું છે. જરાય
વિખવાદ ફેલાય એવું પરસ્પર ક્યાંય બન્યું નથી. અમદાવાદ માટે આ શોભાની વાત છે;
ને સારાય ભારતભરમાં આ પ્રકારે પરસ્પર બંધુત્વનું–સહકારનું વાતાવરણ ફેલાય તે
હવે ભગવાનના અઢી હજારમા નિર્વાણોત્સવ પ્રસંગે અત્યંત જરૂરી છે. અમદાવાદનો
પ્રતિષ્ઠા–મહોત્સવ અદ્ભુત હતો. ચાર–ચાર હાથી અને બીજા અનેક ઠાઠમાઠ સહિત
જિનેન્દ્રદેવથી રથયા૫ા લાખો દર્શકોને આનંદ પમાડતી હતી. જિનમંદિરમાં વિશાળ કમળ
ઉપર સવાપાંચ ફૂટ ઉન્નત પદ્માસને પ્રભુ આદીશ્વરદાદા બિરાજી રહ્યા છે, –જેમનો
વીતરાગી વૈભવ મુમુક્ષુઓને મુગ્ધ કરે છે.
અમદાવાદના આનંદકારી ઉત્સવ બાદ દેહગામ, રખિયાલ, તલોદ, અને
બામણવાડા થઈને મુનાઈ પધાર્યા, ત્યાં સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન થયું ને આખા
ગામની જનતાએ આનંદથી ઉત્સવ ઊજવ્યો. પછી ભીલોડા ગામમાં પ્રાચીન જિનાલયના
આનંદપૂર્વક દર્શન–ભક્તિ કરીને ફાગણ સુદ ૧૧ ના રોજ રણાસણ ગામે પધાર્યા. નાના
ગામમાં પણ મોટો પંચકલ્યાણક ઉત્સવ અમદાવાદ જેવો જ ઉજવાયો. મા૫ પાંચેક ઘર
દિ. જૈનોના હોવા છતાં દોઢેક લાખ રૂા.ના ખર્ચે ૫ણ શિખરથી સુશોભિત જિનાલય
બંધાયું છે. ‘જંગલમાં મંગલ’ જેવો મહાન ઉત્સવ અહીં ઉજવાયો......આદિનાથપ્રભુના
પંચકલ્યાણકથી રણાસણ જાણે અયોધ્યા બની ગયું હોય એવું શોભતું હતું. બે હજારની

PDF/HTML Page 15 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
વસ્તીવાળા ગામમાં વીસ હજાર જેટલા પ્રેક્ષકોનો મેળો ઊભરાયો હતો. અદ્ભુત હતો એ
ઉત્સવ, ને ધન્ય બન્યું રણાસણ!
ફાગણ સુદ ૫ીજે હિંમતનગર આવ્યા ને ત્યાં અત્યંત ઉલ્લાસભરપૂર વાતાવરણ
વચ્ચે જૈન સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન ઈન્દોરના શેઠશ્રી રાજકુમારસિંહજીના હસ્તે થયું
હતું. ત્યારબાદ નરસિંહપુરા–જહર, ફત્તેપુર તથા અમદાવાદ થઈને ફાગણ વદ દસમે
સોનગઢ પધાર્યા. (વચ્ચે બરવાળા તથા સાવરકુંડલાના કાર્યક્રમો ઉધરસની તકલીફને
કારણે સ્થગિત થયા.) સોનગઢના ઉપશાંત વાતાવરણમાં દસ દિવસ નિવૃત્તિથી રહીને
ચૈ૫ સુદ પાંચમે ગુરુદેવ રાજકોટ પધાર્યા. ત્યાં ૯ દિવસ સુધી શ્રુતજ્ઞાનરૂપી અમૃત
પીવડાવીને, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલેજ, સુરત, થાણા થઈને ચૈ૫ વદ ૧૧ના રોજ
ગુરુદેવ મુંબઈ નગરીમાં પધાર્યા. પાલેજની ચિરપરિચિત ભૂમિમાં ચાર દિવસ દરમિયાન
અનેક સંભારણાં ગુરુદેવે યાદ કર્યા. વિક્રમ સં. ૧૯પ૯ થી ૧૯૬૮ (લગભગ ૧૩ થી ૨૨
વર્ષની ઉમર) સુધી તેઓએ પાલેજની દુકાનમાં વેપાર કરેલો. શ્રુતધામ અંકલેશ્વર તેમજ
શીતલધામ સજોદ પાલેજથી નજીકમાં (પચીસેક માઈલ) છે. એ શ્રુતધર મુનિવરો
જ્યારે અંકલેશ્વર પધાર્યા હશે ત્યારે આ પાલેજની ભૂમિને પણ પાવન કરી હશે. કાસાના
વનજંગલના વાતાવરણ વચ્ચે પણ મુંબઈથી ભાઈશ્રી મગનલાલ સુંદરજી તથા
વજુભાઈ વગેરેએ આવીને ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કરી દીધું હતું. અહીં ગુરુદેવે
અત્યંત આહ્લાદકારી એક મંગલ સ્વપ્ન જોયું–જેમાં આકાશમાંથી સુંદર પરબિડિયા દ્વારા
જાણે ભગવાનનો કોઈ સન્દેશ આવ્યો હોય કે મોક્ષની મંગલ વધામણી આવી હોય–
એવો આનંદ થયો.
મુંબઈ પધારતાં ભવ્ય સ્વાગત થયું. આઝાદમેદાનમાં મહાવીરનગરની રચના
થઈ. પચાસ ફૂટ ઊંચા મંડપના પ્રવેશદ્વારે ૨૪ ભગવંતોની હારમાળા આશીર્વાદ
વરસાવતી હતી. હજારો માણસો હોંશેહોશે અધ્યાત્મસન્દેશ સાંભળતા. વૈશાખ સુદ
એકમથી સાતમ સુધી જિનબિંબપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો. વૈશાખ સુદ બીજે
ગુરુદેવની ૮૦ મી જન્મજયંતિ ‘રત્નચિંતામણિ–જન્મોત્સવ’ તરીકે ઉજવાઈ. ધન્ય બની
મુંબઈ નગરી, ને ધન્ય બન્યા ત્યાંના ભક્તો! આ ચૈતન્યરત્નાકરને પોતાના કિનારે
દેખીને મુંબઈનો રત્નાકર (દરિયો) પણ ઉલ્લસી–ઉલ્લસીને મધુર ગીતગૂંજન કરતો
હતો. ગુરુદેવના જીવનપરિચયનું નવીન પુસ્તક આજે પ્રકાશિત થયુંં, –જે ચાંદીના સચિ૫
પૂંઠા સહિત ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યું. સવારમાં મંગલ વધામણી

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
જ.
પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ઝવેરી, શેઠશ્રી શ્રેયાંસપ્રસાદજી શાહૂ, શેઠશ્રી
વાડીલાલ ચ૫ભુજ ગાંધી, મિશ્રિલાલજી ગંગવાલ વગેરેએ ભાષણ દ્વારા શ્રદ્ધાંજલિ અને
અભિનંદનની લાગણીઓ વ્યક્ત કરી, અને સવાલાખ રૂા. જેટલું જન્મજયંતિ ફંડ થયું.
આ રત્નચિંતામણિ જન્મોત્સવની યાદીમાં મુંબઈ મુમુક્ષુ મંડળ તરફથી ૫ણ યોજનાઓ
રજુ કરવામાં આવી–
(૧) સોનગઢમાં જિનાગમ–મંદિર બનાવવું,
(૨) ગુજરાતી–હિંદી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ સાહિત્ય–પ્રકાશન કરવું;
(જૈનબાળપોથી અને સમ્યગ્દર્શન (પુસ્તક પહેલું) મરાઠીમાં પ્રકાશન કરીને વૈશાખ સુદ
બીજે તેનું મૂરત થયું.)
(૩) મલાડમાં જૈન વિદ્યાર્થી ગૃહ બંધાવવું.
વૈશાખ સુદ પાંચમે, પંચકલ્યાણક ઉત્સવમાં ભગવાન શ્રી મહાવીરપ્રભુનો
જન્મકલ્યાણક ઉત્સવ ઉજવાયો. બોરીબંદર સામેના મેરુ પર્વત ઉપર જન્માભિષેક થયો;
હેલિકોપ્ટર–વિમાને પુષ્પવૃષ્ટિ કરી, મુંબઈને ‘વૈશાલી–કુંડગ્રામ’ થવાનું ભાગ્ય મળ્‌યું. દશ
વર્ષમાં મુંબઈમાં આ બીજી વાર પંચકલ્યાણક થયા, અને કુલ ૧૦૦ જેટલા વીતરાગ–
જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ, મલાડમાં અઢી લાખ રૂા. ના ખર્ચે તૈયાર થયેલ જિનમંદિરમાં
વૈશાખ સુદ સાતમે ભગવાન ઋષભદેવ તથા સીમંધરાદિ વીસ તીર્થંકર વગેરે
ભગવંતોની મંગલપ્રતિષ્ઠા થઈ; એ જ રીતે ઘાટકોપરમાં પણ અઢી લાખ રૂા. ના ખર્ચે
તૈયાર થયેલા જિનમંદિરમાં વૈશાખ સુદ આઠમે નેમિનાથભગવાન તથા
ચોવીસતીર્થંકરભગવંતોની મંગલ પ્રતિષ્ઠા થઈ. બંને ઠેકાણે પ્રતિષ્ઠા વખતે સોનેરી
પુષ્પવૃષ્ટિથી આકાશ પણ ઝગમગી ઊઠ્યું.
અમદાવાદની જેમ મુંબઈમાં પણ શ્વેતાંબર જૈનસમાજે અત્યંત મધ્યસ્થતાથી,
મા૫ મધ્યસ્થતાથી નહિ પણ પ્રેમભાવથી બને તેટલો સહકાર આપ્યો. આ રીતે

PDF/HTML Page 17 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૧૫ :
પરસ્પરના સહયોગથી બંને સમાજે જૈનસમાજનું ગૌરવ વધાર્યું. પ્રતિષ્ઠા ઉત્સવ પછી
ગુરુદેવ આઠ દિવસ મુંબઈમાં રહ્યા. તે દરમિયાન બોરિવલીમાં રાષ્ટ્રિય ઉદ્યાન સામે
ભગવાન ઋષભદેવ તેમજ ભરત–બાહુબલી એિ૫પુટી–ભગવંતોની ૩૦ ફૂટ ઊંચી
ખડ્ગાસન પ્રતિમાઓનું અવલોકન કરવા પણ ગયા હતા.
વૈશાખ સુદ પાંચમે મુંબઈથી વિમાન દ્વારા ઈંદોર પધાર્યા; ૧૭પ માઈલની ઝડપે
૧૨૦૦૦ ફૂટ ઊંચે આકાશમાં ઊડી રહેલા વિમાનમાં બેઠા બેઠા ગુરુદેવે હસ્તાક્ષર કર્યા
કે– ‘શુદ્ધજ્ઞાયકના અંર્તમુખ ઘોલનથી આત્માને આનંદ થાય છે–જે વચનાતીત છે.’
ઈંદોરમાં તિલકનગરના જિનમંદિરમાં ગુરુદેવની ઉપસ્થિતિમાં બે જિનબિંબોની સ્થાપના
થઈ. બીજા દિવસે મક્ષીજી પધાર્યા. મક્ષીજીના દિગંબર જિનમંદિરમાં ભગવાન
પારસનાથની સવાપાંચ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ થયો. –આ
ઉત્સવમાં દસેક હજાર માણસોએ ભાગ લીધો અને સવાલાખ રૂા. જેટલી ઉપજ થઈ.
ઉત્સવ બાદ મક્ષીજીથી ઈંદોર થઈને મુંબઈ આવ્યા; ને વૈશાખ વદ ૯ ની સવારે વિમાન
દ્વારા મુંબઈથી પચાસ મિનિટમાં ભાવનગર આવીને, સોનગઢ પધાર્યા.....સુવર્ણધામમાં
અધ્યાત્મની મેઘવર્ષા શરૂ થઈ.....આવો સાધર્મી બંધુઓ! આત્મજિજ્ઞાસારૂપી બીજને આ
અધ્યાત્મરૂપી વર્ષાવડે સીંચન કરીએ અને આત્મામાં રત્ન૫યઅંકુરા પ્રગટાવીએ.
પૂ. ગુરુદેવની મંગલછાયામાં વસતાં ૨૬ વર્ષમાં અનેક પાવન પ્રસંગો નજરે
નીહાળ્‌યા, અનેક ઉત્તમ પ્રસંગોનું વર્ણન ગુરુદેવના શ્રીમુખે સાંભળ્‌યું, –એમાંથી થોડું થોડું
આત્મધર્મદ્વારા સાધર્મીઓ સમક્ષ રજુ કર્યું છે. તે જિજ્ઞાસુઓને ગમ્યું છે, અને તેના દ્વારા
ગુરુદેવના જીવનનો સ્વાદ ચાખીને અનેક જિજ્ઞાસુબંધુઓએ ખૂબ જ પ્રમોદ વ્યક્ત કર્યો
છે, તથા વિશેષ પ્રસંગો માટેની માંગણી કરી છે. વિશેષ પ્રસંગોનું સંકલન કરીને કોઈ
યોગ્ય અવસરે પ્રગટ કરીશું.
ગુરુદેવના જીવનનો સ્વાદ ચાખવો હોય તો તેમના ચરણસાન્નિધ્યમાં વસવું એ
શ્રેષ્ઠ ઉપાય છે. ગુરુદેવનું જીવન આપણને આત્મહિતનો ઉત્તમ આદર્શ આપે છે.
જીવનમાં ગુરુદેવ આ વાત રગડી–રગડીને ઘૂંટાવી રહ્યા છે કે, જેને આત્માર્થ સાધવો જ
છે તેને જીવનની કોઈ પરિસ્થિતિ રોકી શકવાની નથી. જ્યાં અંતરમાં આત્માર્થ
સાધવાનો દ્રઢ નિશ્ચય ને સાચી લગન છે ત્યાં જગતસંબંધી અવનવા પ્રસંગોમાં પણ
મુમુક્ષુજીવ પોતાના નિર્ણયને ને લગનીને જરાય ઢીલીપોચી થવા દેતો નથી; સંતોના
ચરણોમાં તે

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
પોતાની આત્મજિજ્ઞાસાનું બળ વધારતો જ રહે છે; અને પરમવૈભવથી ભરપૂર જે
પોતાનું શુદ્ધસ્વરૂપ તેનો મહિમા કરી કરીને અંતે તેમાં અંતર્મુખ થઈને પોતાનું સ્વકાર્ય
સાધે છે. આ રીતે આપણે પણ જીવનમાં વધુ ને વધુ વૈરાગ્યથી, વધુ ને વધુ આત્મરસથી
ગુરુચરણમાં નિરંતર ઉદ્યમ વડે આત્મહિતનું સ્વકાર્ય સાધીએ–એ જ ભાવના.
અહો, જીવનમાં આવી આત્મહિતની ઉત્તમ પ્રેરણાઓ આપનારા
કહાનગુરુ જેવા જે સન્તરત્નો આપણને મળ્‌યા છે તેમના
અનંત ઉપકારના સ્મરણપૂર્વક નમસ્કાર હો.
जय जिनेन्द्र
તમે જાણો છો?
* કહો જોઈએ આપણા હિમાલય પર્વતની ઊંચાઈ કેટલી?
–પાંચ કે છ માઈલ જેટલી.
* અને શાશ્વત જિનમંદિરોથી શોભિત મેરુ પર્વતની ઊંચાઈ
કેટલી? શું હિમાલયથી બમણી હશે?
–ના ના; હિમાલયથી તો આઠ કરોડ ગણી એની
ઊંચાઈ છે. હિમાલયની પાંચ છ માઈલ, તો મેરુની પચાસ
કરોડ માઈલ! જૈનવૈભવથી ભરપૂર મેરુ તે માનવલોકની
મહાન શોભા છે....તીર્થંકરના અભિષેકને લીધે તે જગપૂજ્ય
તીર્થં છે.
* સ્વર્ગ ક્યાં આવ્યું તે ખબર છે?
–જ્યાં હિમાલયની ટોચ છે ત્યાં પહેલા સ્વર્ગનું તળીયું છે, બંને
વચે મા૫ એક વાળ જેટલું અંતર છે.
જેટલે ઊંચે સુધી મેરુ છે ત્યાં સુધી મધ્યલોક છે; પછી પહેલાં
સ્વર્ગથી શરૂ કરીને ઠેઠ સિદ્ધાલય સુધીના લોકને ઊર્ધ્વલોક
કહેવાય છે.

PDF/HTML Page 19 of 44
single page version

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
બધાય તીર્થંકરોએ સેવેલો અને ઉપદેશેલો એક જ માર્ગ
શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ
અહો! તે તીર્થંકરોને અને તે માર્ગને નમસ્કાર હો.
શુદ્ધાત્માના અનુભવરૂપ જે મોક્ષમાર્ગ, તે માર્ગનો નિઃશંક નિશ્ચય કરીને, અને
પોતે તે માર્ગમાં સાક્ષાત્ આરૂઢ થઈને આચાર્યદેવ કહે છે–કે બધાય ભગવંતો પણ આ
એક જ માર્ગને સેવીને મોક્ષ પામ્યા છે અને આ જ માર્ગ તેમણે જગતને ઉપદેશ્યો છે–
શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીતે સેવી માર્ગને
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. ૧૯૯.
એક મોક્ષમાર્ગ વ્યવહારના આશ્રયે, ને બીજો મોક્ષમાર્ગ નિશ્ચયના આશ્રયે–એમ
બે મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ એક જ છે. શુદ્ધાત્મારૂપ નિશ્ચયના આશ્રયે જ મોક્ષમાર્ગ છે
ને વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી.
મોક્ષનો એક જ માર્ગ છે તે કેવો છે? કે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ છે.
ચરમશરીરી બધાય જીવો આવા માર્ગથી જ મોક્ષ પામ્યા; પરંતુ બીજા કોઈ માર્ગથી મોક્ષ
પામ્યા નથી.
અનંતા જીવો મોક્ષ પામ્યા છે–તો શું બધાય જીવોને તમે ઓળખી લીધા? –હા;
આચાર્યદેવ કહે છે કે અમારા અંતરમાં આવો મોક્ષમાર્ગ અમે અનુભવ્યો છે, શુદ્ધાત્મામાં
પ્રવૃત્તિ વડે આવા મોક્ષમાર્ગને અમે સાધી રહ્યા છીએ, મોક્ષમાર્ગને સાધવાનું કૃત્ય કરાય
છે; એટલે સ્વયં મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરતા થકા, અનુભવના બળે કહીએ છીએ કે
બધાય તીર્થંકરભગવંતોએ, બધાય મુનિવરો અને જિનવરોએ આવો જ મોક્ષમાર્ગ
ઉપાસ્યો છે, ને જગતના મુમુક્ષુઓને પણ આવો જ માર્ગ ઉપદેશ્યો છે. બીજા માર્ગનો
અભાવ છે. આગળ પણ ૮૨ મી ગાથામાં કહ્યું હતું કે–
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને ૮૨.

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
શુદ્ધાત્માના અનુભવ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. આવો માર્ગ પોતે
અનુભવીને ભગવંતોએ જગતને દર્શાવ્યો છે. અમે આવા માર્ગનો નિર્ણય કર્યો છે, આવા
મોક્ષમાર્ગમાં અમારી મતિ વ્યવસ્થિત થઈ છે. જુઓ, આચાર્યદેવ નિઃશંક સ્વાનુભવથી
જાણે છે કે મોક્ષના માર્ગમાં અમારી મતિ સ્થિર થઈ છે; તેમાં હવે બીજા વિકલ્પને
અવકાશ નથી. માટે અતિ પ્રલાપથી બસ થાઓ. અહો, આવો એક જ મોક્ષમાર્ગ
ઉપદેશનારા અર્હન્તોને નમસ્કાર હો.
અહીં ગા. ૧૯૯ માં પણ આચાર્યદેવ કહે છે કે મોક્ષનો માર્ગ શુદ્ધાત્મામાં
પ્રવૃત્તિરૂપ છે. શુભરાગમાં–વ્યવહારમાં પ્રવૃત્તિ તે કાંઈ મોક્ષનો માર્ગ નથી, તે તો બંધનો
માર્ગ છે. અહો, શુદ્ધાત્માની અનુભૂતિરૂપ આ એક જ મોક્ષમાર્ગ, તેમાં પ્રવર્તેલા,
સિદ્ધભગવંતોને નમસ્કાર હો; અને શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને નમસ્કાર હો. –બીજા
વિસ્તારથી બસ થાઓ, આવો મોક્ષમાર્ગ અમે અવધારિત કર્યા છે અને મોક્ષને સાધવાનું
કૃત્ય કરાય છે. શુદ્ધાત્માના અનુભવરૂપ મોક્ષમાર્ગમાં અમે વર્તી જ રહ્યા છીએ.
ભગવંતોએ જે માર્ગ સેવ્યો, તે જ માર્ગનો અનુભવ કરીને અમે પણ મોક્ષને સાધી રહ્યા
છીએ. જે માર્ગે અનંતા તીર્થંકરો સંચર્યા–તે જ માર્ગે અમે પણ ચાલી રહ્યા છીએ. ચોથા
કાળના ભગવંતો જે માર્ગે ચાલ્યા તે જ માર્ગે અમે પંચમકાળના મુનિઓ પણ જઈ રહ્યા
છીએ. અને અત્યારે વિદેહક્ષે૫માં પણ આ જ માર્ગ તીર્થંકરભગવંતો ઉપદેશી રહ્યા છે, ને
મુનિઓ આ જ માર્ગે કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષને સાધી રહ્યા છે. –આવો મોક્ષનો
એક જ માર્ગ છે. ૫ણેકાળના જીવોને માટે મોક્ષનો માર્ગ એક જ છે.–
ભેદવિજ્ઞાનતા; સિદ્ધા; સિદ્ધા યે કિલ કેચના
અસ્યૈવ–અભાવતો બદ્ધા બદ્ધા યે કિલ કેચનાા
ભેદવિજ્ઞાન કહો કે પરથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કહો, તે જ મોક્ષનો માર્ગ
છે. ચરમશરીરી હો કે એકાદ બે ભવ બાકીવાળા અચરમશરીરી હો, તીર્થંકર હો કે
સામાન્ય મુમુક્ષુ હો–બધાયને માટે એક જ મોક્ષમાર્ગ છે, કોઈને માટે બીજો મોક્ષમાર્ગ
નથી. પંચમકાળના અચરમશરીરી મુનિવરો પણ આવા શુદ્ધાત્મઅનુભવરૂપ
નિશ્ચયમોક્ષમાર્ગમાં વતી રહ્યા છે. આવા માર્ગ પ્રત્યેના પ્રમોદથી આચાર્યદેવ કહે છે કે
અહો, આવા માર્ગને સાધનારા તીર્થંકરોને નમસ્કાર હો, આવા માર્ગને નમસ્કાર હો.
અમે પણ આવો મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે: ‘
अवधारितो मोक्षमार्ग
कृत्यं अनुष्ठीयते। ’ પોતે તે ભગવંતોના માર્ગમાં ભળીને તેને નમસ્કાર કર્યા છે.