Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 48

background image
૩૧૦
તત્ત્વજ્ઞાનનો દશકો
(૧) આત્માનું અમરપણું જાણે તો મરણનો ભય મટે.
(૨) મરણને જાણનારો પોતે કદી મરતો નથી.
(૩) દેહ આવ્યો ને ગયો, આત્મા તો એ જ રહ્યો.
(૪) આત્માને આત્માનો વિયોગ કદી હોય નહીં.
(પ) શરીરના વિયોગે કાંઈ આત્માનો વિયોગ થતો નથી.
(૬) સિદ્ધભગવંતો સદાકાળ શરીર વગર જીવી રહ્યા છે.
(૭) દેહગૂફામાં અંદર ઊંડેઊંડે આત્મા છે તેને લક્ષમાં લ્યો.
(૮) સિદ્ધભગવાનને શોધવા માટે અંતર્મુખ થઈને આત્મામાં જો.
(૯) દેહ આવે ને જાય પણ આત્મા કદી દેહરૂપ ન થાય.
(૧૦) રાગમાં કદી સુખ નહિ ને વીતરાગતામાં દુઃખ નહીં.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ શ્રાવણ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬ : અંક ૧૦