Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 40
single page version

background image
૩૧૧
મુનિદશા અંગીકાર કરવાના અદ્ભુત ભાવભીના
પ્રસંગનું વર્ણન આપ આ અંકમાં વાંચશો. પૂ. કાનજીસ્વામી
એ પ્રવચનમાં કહે છે કે અહા, મુનિદશાના મહિમાની શી
વાત! મુનિનાં દર્શન પણ મહાભાગ્યે જ મળે છે. મુનિદશા
એ તો પરમેષ્ઠી પદ! ઈન્દ્રો અને ચક્રવર્તીઓ પણ ભક્તિથી
જેનો આદર કરે છે ને કેવળજ્ઞાન લેવાની જેની તૈયારી છે,
એવા મુનિરાજ પરમ વંદનીય છે.
૧૧

PDF/HTML Page 2 of 40
single page version

background image
એકત્વવિભક્ત શુદ્ધાત્માની અનુભૂતિ કરવી–તે જિનશાસનનો સાર છે; એવી
અનુભૂતિ કરનારે આત્મમંદિરમાં ભાવશ્રુતની પ્રતિષ્ઠા કરી....અને એવી અનુભૂતિના
નિમિત્તરૂપ સમયસારાદિ જિનાગમની પ્રતિષ્ઠા પણ પૂ. કાનજીસ્વામીના પ્રતાપે આજે
ભારતમાં ઠેર ઠેર થઈ રહી છે. આ ભાદરવા સુદ બીજે સોનગઢમાં પણ એક ભવ્ય
વિશાળ જિનાગમ મંદિરની સ્થાપના માટેનું શિલાન્યાસ અત્યંત ઉલ્લાસભર્યા વાતાવરણ
વચ્ચે થયું. તે પ્રસંગના પ્રવચનમાં પરમાગમોનો અને તેના રચનારા વીતરાગી સંતોનો
પરમ મહિમા કરીને કહ્યું કે પરમાગમનું હાર્દ શુદ્ધાત્માનો અનુભવ છે. આવા અનુભવ
વડે આ સંસારના ઉકળતા દાવાનળથી છૂટીને જ્યારે જ્ઞાનચેતનારૂપ થઈએ ને
શાંતરસના વેદનમાં આત્માને તરબોળ કરીએ, ત્યારે પરમાગમના સમ્યક્ અભ્યાસનું
ફળ પામીએ......અને ત્યારે જ ભાવશ્રુત તથા દ્રવ્યશ્રુતની અપૂર્વ સંધિપૂર્વક આત્મામાંથી
ભક્તિના રણકાર ગૂંજી ઊઠે કે–
ધન્ય દિવ્યવાણી કારને રે, જેણે પ્રગટ કર્યો આત્મદેવ...
જિનવાણી જયવંત ત્રણ લોકમાં રે...
શ્રુતપ્રતિષ્ઠાના આ મંગલ અવસરે યાદ આવે છે–
* વિપુલગિરિ પર દિવ્યધ્વનિ વર્ષાવતા એ વીરનાથ તીર્થંકર....
* યાદ આવે છે–વિદેહક્ષેત્રે જઈને સાક્ષાત્ તીર્થંકરદેવના દર્શન કરનારા એ સંત.....
* યાદ આવે છે
वंदित्तु सव्वसिद्धे’ પૂર્વક સયમસારાદિ જિનાગમ રચનારા એ સંત....
* યાદ આવે છે–દિવ્યધ્વનિના પ્રવાહને અચ્છિન્ન રાખનારા એ ગીરનારી સંતો.....
* યાદ આવે છે–ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરનારા એ રત્નત્રયધારી સંતો....
* યાદ આવે છે–જેમના શ્રીમુખથી પરમાગમરૂપ અમૃત ઝરે છે એવા મુનિરાજ....
* યાદ આવે છે–પાવન સંસ્મરણવડે ભરતક્ષેત્રમાં દિવ્યધ્વનિને તાજી કરનારા આ સંત....
* અને યાદ આવે છે–જેનો અચિંત્ય મહિમા જિનવાણીના શબ્દે શબ્દમાં ભરેલો છે.
એવો શુદ્ધ આત્મવૈભવ.
બ્ર. હ. જૈન

PDF/HTML Page 3 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૫
લવાજમ ભાદરવો
ચાર રૂપિયા
વર્ષ ૨૬ : અંક ૧૧
(સોનગઢ : ભાદરવા સુદ બીજ : જિનાગમ–મંદિરના શિલાન્યાસ પ્રસંગે પ્રવચન)
અહો! પરમાગમમાં વીતરાગી–અમૃતરસ ભર્યા છે.
ભગવાન આત્મા વિજ્ઞાનનો ઘન આનન્દસ્વરૂપ છે; અને રાગાદિ વિકારભાવો તે
આસ્રવો છે. તેમાં જ્ઞાનઘન આત્માને અને રાગાદિ આસ્રવોને ખરેખર કર્તા–કર્મપણાનો
સંબંધ નથી, બંનેને ભિન્નપણું છે. આવા ભિન્નપણાનું ભાન થયું તે ધર્મી જીવ
જ્ઞાનભાવમાં તન્મય પરિણમતો થકો, રાગાદિભાવોને જરાપણ આત્માપણે કરતો નથી
પણ આત્માથી ભિન્નપણે જ તેને જાણે છે એટલે તે રાગાદિને હેય જાણે છે. આવી જે
રાગથી ભિન્ન જ્ઞાનચેતના પ્રગટી તે જિનાગમનો સાર છે.
શુદ્ધનય અનુસાર અનુભૂતિ કરીને જેણે એકત્વ–વિભક્ત શુદ્ધ આત્માને જાણ્યો
તેણે સમસ્ત જિનશાસનને જાણ્યું. સર્વજ્ઞ ભગવાને કહેલો જે સર્વ ઉપદેશ, તેનો સાર
શુદ્ધાત્માનો અનુભવ છે. આવા અનુભવ વગરના શુભ–અશુભ ભાવો તો જીવો
અનાદિથી કરી જ રહ્યા છે; નિગોદમાં અનંતકાળથી અનંતજીવો છે તેમને પણ અશુભ ને
શુભ બંને પરિણામ થયા કરે છે; શુભ પરિણામ થાય એ કાંઈ નવું નથી. એ તો કર્મધારા
છે; જ્ઞાનધારા તેનાથી જુદી છે. એવી જ્ઞાનધારામાં વર્તતા જ્ઞાની શુભાશુભ કર્મધારાને
કરતા નથી, તે તો જ્ઞાનધારારૂપ જ્ઞાનચેતનાને જ કરે છે. આવી જ્ઞાનચેતના પ્રગટ કરવી
તે પરમ આગમની સાચી પ્રતિષ્ઠા છે. તેના નિમિત્ત તરીકે આપણે અહીં પરમ આગમની
પ્રતિષ્ઠા થવાની છે.

PDF/HTML Page 4 of 40
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
સર્વજ્ઞદેવના શ્રીમુખથી સંતોએ ઝીલેલી ને શાસ્ત્રમાં ગૂંથેલી મૂળ વાણી અહીં
પરમાગમ મંદિરમાં કોતરાશે. કુંદકુદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યના મૂળ શબ્દો અહીં
કોતરાશે. અહો! એ સમયસારાદિ પરમાગમોમાં તો વીતરાગી અમૃત ભર્યાં છે. અહો, જે
પ્રાકૃત ભાષામાં મૂળ શાસ્ત્રો આચાર્ય ભગવાને રચ્યાં તે મૂળ ભાષામાં કોતરાશે ને
હજારો વર્ષ સુધી રહેશે. તે શબ્દોના વાચ્યભૂત શુદ્ધ આત્મા અંતરમાં કોતરવાનો છે, તે
કોતરવા માટે વીતરાગી વાણી નિમિત્ત છે.
વચનામૃત વીતરાગનાં પરમશાંતરસમૂળ;
ઔષધ એ ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
અહો, આ વીતરાગી વાણી ચૈતન્યના પરમ શાંતરસને દેખાડનારી છે. એ
વાણીને કોતરવાનું આજે મૂરત છે.
બાપુ! આ સંસારના ઊકળતા દાવાનળમાંથી નીકળીને પરમ શાંતરસના
સમુદ્રમાં આવવા માટે જિનાગમ નિમિત્ત છે. એકવાર એક કંદોઈની દુકાને ઊકળતા
તેલના તાવડામાં ઉપરથી મોટો સર્પ પડયો, અડધો અંદર ને અડધો બહાર, –તેમાં
દાઝીને એકદમ ઊછળ્‌યો, ને સળગતા ચૂલામાં જઈને પડયો! બિચારાને કેટલું દુઃખ થયું
હશે!! ભાઈ, અજ્ઞાન અને મિથ્યાત્વભાવથી જીવ અનંતકાળથી આવા દુઃખો ભોગવી જ
રહ્યો છે, તેનાથી છૂટવાનો ઉપાય આ વીતરાગી પરમાગમો બતાવે છે, તેનો સાર
અંતરમાં કોતરવા માટેની આ વાત છે. આ ઊકળતા તેલ જેવા રાગાદિ પરભાવો,
તેનાથી ભિન્ન જ્ઞાનાનંદનો સમુદ્ર, સુખનો સાગર, સુખનો ઢગલો એવો પોતાનો આત્મા
છે, તે આત્માના અનુભવમાં પ્રવેશ કરતાં પરમ શાંતિ થાય છે. સંસારના દાવાનળથી
તારે ઉગરવું હોય ને પરમ શાંતિનો અનુભવ કરવો હોય તો અંદર સુખ– રસથી ભરેલા
આત્મામાં પ્રવેશ કર.
આવા આત્માનું જેણે ભાન કર્યું તેને જ્ઞાનચેતના પ્રગટી, અને આસ્રવો છૂટા પડી ગયા.
જે અસ્થિરતાના આસ્રવો છે તેનું પણ કર્તૃત્વ જ્ઞાનચેતનામાં નથી, માટે જ્ઞાની ખરેખર
નિરાસ્રવ જ છે. તે પોતાને આસ્રવોથી રહિત એકાકાર જ્ઞાનચેતનામય અનુભવે છે.
આવો અનુભવ તે જિનાગમનો સાર છે. અનંતા જીવો આવો અનુભવ કરીને મોક્ષમાં
પધાર્યા છે. આવો અનુભવ કરી શકાય છે. ભાઈ, રાગનો તો અનુભવ અનાદિકાળથી તું
કરી જ રહ્યો છે, પણ રાગથી પાર ચૈતન્યના આનંદનો અનુભવ

PDF/HTML Page 5 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
તેં કદી નથી કર્યો; –એવો અનુભવ કરવાનો આ અવસર છે, ને એવો અનુભવ કરવાનો
જ જિનાગમનો ઉપદેશ છે. આવો અનુભવ કરવો તે જ અપૂર્વ ચીજ છે.
ધર્મી જીવ જ્ઞાનચેતનારૂપ થઈને આનંદરૂપ કાર્યને તન્મયપણે કરે છે.
અજ્ઞાનદશામાં રાગ સાથે તન્મયપણું માનતો, હવે ભેદજ્ઞાન થતાં રાગથી જુદો થયો ને
આનંદ સાથે તન્મય થઈને પરિણમ્યો; એટલે રાગાદિ સાથે કર્તાકર્મપણાનો મિથ્યાભાવ
છૂટયો, ને જ્ઞાનચેતનારૂપ સમ્યક્ભાવ પ્રગટયો. પોતાની ચૈતન્યશક્તિને વારંવાર
સ્પર્શતો–અનુભવમાં લેતો ધર્મી જીવ આસ્રવોને જીતી લ્યે છે. –આ અપૂર્વ મંગળ છે.
તેણે પરમાગમને પોતાના અંતરમાં કોતરી લીધા; ભાવશ્રુતજ્ઞાન તેના આત્મામાં
કોતરાઈ ગયું; અંદરથી સહજ શાંતદશા પ્રગટી. રાગની મંદતારૂપ કૃત્રિમ શાંતિ તો
અનંતવાર કરી, પણ રાગથી પાર સહજ ચિદાનંદ સ્વભાવના અનુભવરૂપ શાંતિ કદી
પ્રગટ કરી ન હતી; કષાયની મંદતારૂપ શાંતિને ઘણા અજ્ઞાની જીવો આત્માનો અનુભવ
માની લ્યે છે;– મંદકષાયના વેદનમાં એકાકાર થઈને, જાણે કે નિર્વિકલ્પ અનુભવમાં હોય
એમ કલ્પના કરી લ્યે છે, તે તો ભ્રમણા છે. જ્ઞાની ધર્માત્મા ભેદજ્ઞાનના બળે સમસ્ત
રાગભાવોથી પાર એવા પોતાના ચિદાનંદસ્વરૂપના અનુભવ વડે સહજ આત્મિક
શાંતિનું વેદન કરે છે, આવા વેદનરૂપ ભાવશ્રુત તે પરમાગમની પ્રતિષ્ઠા છે; પરમાગમમાં
એનો જ ઉપદેશ છે.
પરમાગમનું હાર્દ શુદ્ધ આત્માનો અનુભવ છે. ધર્મી જીવ એવા અનુભવ વડે
આસ્રવને જીતીને અલ્પ કાળમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે.
જિનાગમના ફળરૂપ પરમઆનંદમય કેવળજ્ઞાન જયવંત વર્તો.
આ દિવસે બપોરના પ્રવચનમાં પણ ગુરુદેવ વારંવાર
અતિશય પ્રમોદ વડે કેવળજ્ઞાનનો સાદ પાડતા હતા.....તેઓ કહેતા
હતા કે અત્યંત નજીક કેવળજ્ઞાન છે તેને અમે મતિશ્રુતજ્ઞાનના બળે
બોલાવીએ છીએ. અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું છે તે હવે પાછું
ફરે નહીં. ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. આમ ધર્મી
જીવ સ્વસન્મુખ થઈને મતિશ્રુતજ્ઞાનના બળે કેવળજ્ઞાનને બોલાવે
છે; હે કેવળજ્ઞાન! તારી પ્રતીત કરી છે.....હવે તું શીઘ્ર આવ!

PDF/HTML Page 6 of 40
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
પ્રવચનસારનો ચારિત્રઅધિકાર એટલે મોક્ષમાર્ગી
મુનિઓના પવિત્ર જીવનનું ઝરણું! અહા, જાણે મુનિવરોના
સમૂહ વચ્ચે હોઈએ, અને કુંદકુંદાચાર્ય જેવા મુનિવરોને
અનુસરતા હોઈએ, મુનિઓના સંઘ સાથે વીતરાગ મોક્ષમાર્ગને
અભ્યાસતા હોઈએ, એવા ભાવો ચારિત્રઅધિકારમાં ઉલ્લસે છે.
પ્રવચનસારમાં ૨૦૦
ગાથા દ્વારા જ્ઞાનતત્ત્વનું અને
સ્વ–પર જ્ઞેયતત્ત્વોનું સ્વરૂપ
બતાવીને આચાર્યદેવ કહે છે કે
અમારો આત્મા આ સંસારના
દુઃખોથી મુક્ત થવાનો
અભિલાષી હતો; તેથી અમે
આવા જ્ઞાનતત્ત્વનો અને
જ્ઞેયતત્ત્વનો યથાર્થ નિર્ણય
કર્યો છે, ઉપશમના લક્ષે અમે
સાચો તત્ત્વનિર્ણય કર્યો છે,
પંચપરમેષ્ઠી ભગવંતોને
ભાવનમસ્કાર કરીને
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
ઉપરાંત શુદ્ધોપયોગ વડે
વીતરાગી સામ્યભાવરૂપ
મુનિદશા પ્રગટ કરી છે. અમે
અમારા અનુભવથી કહીએ
છીએ કે હે મુમુક્ષુ જીવો! હે
મોક્ષના અર્થી જીવો! દુઃખથી છૂટવા માટે તમે પણ આ જ મુનિમાર્ગ અંગીકાર કરો.
જેનો આત્મા દુઃખથી છૂટવા ચાહતો હોય તે અમારી જેમ સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક
ચારિત્રદશાને અંગીકાર કરો. શુદ્ધોપયોગરૂપ ચારિત્રદશાને અંગીકાર કરવાનો જે
યથાનુભૂતમાર્ગ તેના પ્રણેતા અમે આ રહ્યા; અમે જાતે અનુભવેલો ચારિત્રનો માર્ગ
તમને બતાવીએ છીએ. તેને હે મોક્ષાર્થી જીવો! તમે અંગીકાર કરો.

PDF/HTML Page 7 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
અહા જુઓ, આ દુઃખથી છૂટવાનો માર્ગ! સાધુદશા શું ચીજ છે, તેની લોકોને
ખબર નથી. સાધુ એ તો ચાલતા સિદ્ધ છે; મુનિ એટલે હાલતો–ચાલતો સાક્ષાત્
મોક્ષમાર્ગ! આચાર્યદેવ કહે છે કે અમે એવો મુનિમાર્ગ અનુભવ્યો છે. અંતરમાં જેણે
જ્ઞાનતત્ત્વના ચૈતન્યનિધાન દેખ્યા હોય, જ્ઞાનજ્યોતિ જેને પ્રગટી હોય, ને ચૈતન્યના
કેવળજ્ઞાનકપાટને ખોલવાના પ્રયત્નમાં જેઓ સતત ઉદ્યમી હોય, એવા જીવોને
ચૈતન્યમાં લીનતાથી ચારિત્રદશા હોય છે; તેને સાધુદશા કહેવાય છે. સાધુ એટલે
મોક્ષના સાધક. આચાર્યદેવ કહે છે કે આવી દશા અમને પ્રગટી છે, અમારા
સ્વાનુભવથી અમે તે માર્ગ જાણ્યો છે; બીજા જે મુમુક્ષુઓ દુઃખથી છૂટવા માટે
ચારિત્રદશા લેવા ચાહતા હોય તેમને ચારિત્રનો માર્ગ દેખાડનારા અમે આ રહ્યા.
અહા, જાણે સામે જ અત્યારે સાક્ષાત્ ઊભા હોય, ને ચારિત્રદશા દેતા હોય! જેને
સમ્યગ્દર્શન થયું છે, જ્ઞાનજ્યોતિ ઝળકી છે અને હવે મુનિ થઈને ચૈતન્યના પૂર્ણાનંદને
સાધવા માંગે છે, કષાયોના કલેશરૂપ દુઃખોથી અત્યંતપણે છૂટવા માંગે છે–તે મોક્ષાર્થી
જીવ શું કરે છે? કે પહેલાં તો વૈરાગ્યપૂર્વક બંધુવર્ગની વિદાય લે છે. મારો ખરો
બંધુવર્ગ તો જ્ઞાન–આનંદ વગેરે અનંતગુણો છે–કે જે સદાય મારી સાથે જ છે.
બહારના બંધુવર્ગ માતા–પિતા ભાઈ–બેન સગાંસંબંધી તે ખરેખર અમારાં નથી,
એનાથી ભિન્ન અમારા ચૈતન્યસ્વરૂપને અમે જાણ્યું છે, ને હવે નિર્મોહ થઈને
ચૈતન્યની શુદ્ધતાને સાધવા માટે જંગલમાં જઈશું ને મુનિદશા ધારણ કરીશું.
જુઓ, આ મુમુક્ષુનો વૈરાગ્ય! ચૈતન્યની મસ્ત જાગી તે હવે સંસારના
પીંજરામાં રહેશે નહીં. ગૃહવાસના મોહબંધનથી છૂટીને અમે હવે મુનિ થવા માંગીએ
છીએ, હવે અમારું સ્થાન વનમાં છે. વનના સિંહ અને વાઘની વચ્ચે અમે અમારા
ચૈતન્યને સાધશું. ચૈતન્યનો અનુભવ તો થયો છે, ને હવે તેની પૂર્ણતાને સાધવા માટે
મોક્ષાર્થી જીવ આ રીતે મુનિ થાય છે.
પોતાને દેહથી ભિન્ન જાણ્યો છે અને સામાને પણ દેહથી ભિન્ન આત્મા તરીકે
જુએ છે; તેથી કહે છે કે અહો આ બંધુવર્ગના આત્માઓ! આ પુરુષનો આત્મા જરા
પણ તમારો નથી–એમ નિશ્ચયથી તમે જાણો. એક જ્ઞાનસ્વભાવ જ અમારો છે,
જગતમાં બીજું કાંઈ અમારું નથી, ને અમે બીજા કોઈના નથી–એમ અમે જાણ્યું છે,
જ્ઞાનજ્યોતિ અમને પ્રગટી છે. –અમારો આત્મા જ અમારો ખરો બંધુ છે, તેથી
અમારા અનાદિના બંધુ પાસે હવે અમે જઈએ છીએ, માટે હવે તમારી વિદાય લઈએ
છીએ.

PDF/HTML Page 8 of 40
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
હવે અમે વનજંગલમાં જઈને આત્મામાં લીન થઈને આત્માની સિદ્ધિને સાધશું. માટે
હે જીવો! તમે પણ મોહ છોડીને રજા આપો.
જુઓ, આ જ્ઞાનીનો વૈરાગ્ય! જુઓ, આ મુનિ થનાર જીવની અંતરની
તૈયારી.
પિતા તથા માતાના આત્મા પાસે જઈને વૈરાગ્યથી કહે છે કે હે પિતાના
આત્મા! હે માતાના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી ઉત્પન્ન થયો નથી એમ
તમે નિશ્ચયથી જાણો. પરજ્ઞેયોથી ભિન્ન મારા જ્ઞાનતત્ત્વને મેં જાણ્યું છે, અને હવે
વૈરાગ્યથી હું મારા આત્માને સાધવા માંગું છું, માટે તમે મને વિદાય આપો. જેને
જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો મારો આત્મા આજે પોતાના આત્મા પાસે જાય છે;
આત્મા જ પોતાનો અનાદિ જનક છે અર્થાત્ પોતાની નિર્મળ પર્યાયરૂપી પ્રજાનો
ઉત્પાદક પોતે છે. અમે અમારા આત્માને સ્વાનુભૂતિથી જાણ્યો છે, ને હવે અંતરમાં
અનુભવેલા તે માર્ગે જઈએ છીએ, હવે મુનિ થઈને આત્માના કેવળજ્ઞાનનિધાનને
ખોલશું. હવે ફરીને બીજા માતા–પિતા આ સંસારમાં નહીં કરીએ. અમારો આત્મા
આ સંસારના કલેશથી થાક્યો છે. આ સંસારથી હવે બસ થાવ. હવે અમે ચૈતન્યના
પૂરા આનંદને જ અનુભવશું. –આમ વિનયથી રજા લઈને મોક્ષમાર્ગને સાધવા ગુરુ
પાસે જાય છે ને મુનિપણું અંગીકાર કરે છે.
અહા! ધર્મકાળમાં તો આવા ઘણા પ્રસંગો બનતા. નાનકડા કલૈયાકુંવર જેવા
રાજકુમારો પણ વૈરાગ્ય પામીને દીક્ષા લેતા. ભરતચક્રવર્તીના એકસો નાનકડા કુમારો
વનક્રીડા કરવા ગયેલા ને ત્યાં જયકુમાર–સેનાપતિની દીક્ષા સમાચાર સાંભળતાં જ
વૈરાગ્ય પામીને વનમાંથી બારોબાર આદિનાથ પ્રભુના સમવસરણમાં જઈને દીક્ષા
લઈ લીધી. માતા–પિતાને પૂછવા પણ ન રોકાયા. વાહ! નાની ઉંમરના રાજકુમારો
મુનિ થઈને હાથમાં નાનકડું કમંડળ ને નાનકડી મોરપીંછી લઈને ચૈતન્યની ધૂનમાં
મસ્ત ચાલ્યા આવતા હોય,–એ તો જાણે કે નાનકડા સિદ્ધભગવાન!! અહા,
મુનિદશાના મહિમાની શી વાત! આવા મુનિનાં દર્શન પણ મહા ભાગ્યે જ મળે છે.
અત્યારે અહીં તો મુનિનાં દર્શન પણ ક્યાં છે? જ્યાં સાચો તત્ત્વનિર્ણય પણ ન હોય
ત્યાં મુનિદશા ક્યાંથી હોય? તત્ત્વને જાણ્યા વગર એમ ને એમ માની લ્યે કે અમે
મુનિ છીએ, –એ તો મોટી ભ્રમણા છે; એને મુનિદશાની ખબર પણ નથી. મુનિદશા
એ તો પરમેષ્ઠી પદ! ઈન્દ્રો અને ચક્રવર્તીઓ પણ ભક્તિથી જેનો આદર કરે છે ને
કેવળજ્ઞાન લેવાની જેની તૈયારી છે એ મુનિદશાની શી વાત!

PDF/HTML Page 9 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
જે મુમુક્ષુ આત્માના જ્ઞાન ઉપરાંત હવે મુનિ થવા તૈયાર થયો છે તે સ્ત્રી વગેરે
પાસે રજા માંગે છે: પોતાના આત્માને જેમ દેહથી ભિન્ન જાણ્યો છે, તેમ સામા
આત્માઓને પણ દેહથી ભિન્ન જાણ્યા છે, તેથી તે આત્માને સંબોધીને કહે છે કે હે
રમણીના આત્મા! આ આત્માને રમાડનાર તું નથી–એમ તું નિશ્ચયથી જાણ; અમારા
ચૈતન્યના અતીન્દ્રિય, વિષયાતીત સુખને અમે જાણ્યું છે, તે આત્મસુખમાં જ હવે અમે
રમશું; બાહ્યવિષયોમાં સ્વપ્નેય સુખ ભાસતું નથી. હવે તો સ્વાનુભૂતિરૂપી જે
અનાદિરમણી તેમાં જ રમણતા કરશું, આ સંસારની રમણતા છોડીને આજે જ અમે
અમારી સ્વાનુભૂતિ પાસે જશું.
એ રીતે પુત્રના આત્માને પણ કહે છે કે હે આત્મા! આ આત્માનો જન્ય તું
નથી; તારો આત્મા અનાદિ સત્ પદાર્થ છે તેને અમે ઉપજાવ્યો નથી. –આમ જાણીને તું
આ આત્માનો મોહ છોડ. અમારો ખરો જન્ય એટલે કે અમારી ખરી પ્રજા તો અમારી
નિર્મળપર્યાયોની સંતતિ જ છે. જ્ઞાનજ્યોતિ અમને પ્રગટી છે, અને હવે સ્વાનુભવમાં
એકાગ્રતા વડે અમે અમારા
કેવળજ્ઞાનાદિરૂપ નિર્મળ પર્યાયની
સંતતિને પ્રગટ કરશું.
મુમુક્ષુ વૈરાગી એ રીતે
બંધુજનોને વૈરાગ્યભાવથી સંબોધન
કરીને રજા માંગે છે; તેના વચનો
સાંભળીને બીજા પાત્ર જીવો પણ
વૈરાગ્ય પામે છે. ભેદજ્ઞાન વડે જેનો
આત્મા જાગ્યો છે અને જેની અંર્ત–
પરિણતિમાં વૈરાગ્યના ધોધ ઊછળ્‌યા
છે તે કાંઈ બીજાને કારણે સંસારમાં
રોકાતા નથી; એને માતા–પિતા
ભાઈ–બેન કે સ્ત્રી–પુત્રાદિની મમતા
નથી એટલે એ તો બધાને છોડીને
મુનિ થઈને કેવળજ્ઞાન સાધવા માટે
વનમાં જાય છે. પાંજરેથી છૂટેલા
વનવિહારી સિંહ પાછા પીંજરે પુરાય
નહીં, તેમ આત્માના જ્ઞાનપૂર્વક જેણે
મોહપીંજરું તોડયું એવા વનવિહારી સન્તો હવે સંસારના પીજરામાં રહે નહીં.

PDF/HTML Page 10 of 40
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
–એ રીતે મુનિ થવા નીકળેલા તે ધર્માત્મા જ્ઞાન–દર્શન–ચારિત્ર–તપ અને
વીર્યના વ્યવહાર પંચાચારને અંગીકાર કરે છે, –પણ કઈ રીતે અંગીકાર કરે છે? –કે
હેયબુદ્ધિથી; જ્ઞાનાચારમાં ગુરુવિનય વગેરેના વિકલ્પો, દર્શનાચારમાં વાત્સલ્ય વગેરેના
વિકલ્પો, ચારિત્રાચારમાં પંચમહાવ્રત વગેરેના વિકલ્પો, તેમજ વીર્યાચાર અને
તપાચાર સંબંધી શુભ વિકલ્પો, તે શુદ્ધાત્માથી ભિન્ન છે એમ તો તેણે જાણ્યું છે; તે
વિકલ્પો નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી પણ શુદ્ધઆત્માની ઉપલબ્ધિ ન થાય ત્યાં
સુધી તેવા વિકલ્પો હોય છે, ને તેનાથી વિપરીત વિકલ્પો નથી હોતા, એટલે
વ્યવહારથી તેને અંગીકાર કરે છે. –ક્યાં સુધી? કે શુદ્ધોપયોગ ન થાય ત્યાં સુધી જ.
આ રીતે વ્યવહાર પંચમહાવ્રતાદિ અંગીકાર કરતી વખતે જ મુનિ થનારને ભાન છે કે
આ મારા આત્માનું વાસ્તવિકસ્વરૂપ નથી. મુનિને શુદ્ધોપયોગના અભાવ વખતે વચ્ચે
એવા શુભભાવો હોય છે તેથી ઉપચારથી એમ કહ્યું કે, તેના પ્રસાદથી શુદ્ધઆત્માની
ઉપલબ્ધિ કરું ત્યાં સુધી તેને અંગીકાર કરું છું. એટલે ખરેખર ભાવના તો
શુદ્ધોપયોગની જ છે, શુભ વિકલ્પોની ભાવના નથી. જો વિકલ્પોથી ખરેખર લાભ
માનીને તેમાં જ એકત્વબુદ્ધિ કરે તો તો તેમાં જ રોકાઈ રહે, એટલે તેને શુદ્ધાત્માની તો
પ્રાપ્તિ ન થાય પણ અજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેણે પહેલેથી સમસ્ત પરભાવોથી જુદું
પોતાનું સ્વરૂપ જાણ્યું છે–અનુભવ્યું છે એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને મુનિદશામાં કેવો
વ્યવહાર હોય તે અહીં વ્યવહાર પંચાચારનું વર્ણન કરીને ઓળખાવ્યું છે. પરમાર્થ
મુનિપણું તો અંદરની શુદ્ધ પરિણતિરૂપ છે.
ખરેખર આ આત્મા ધર્મરૂપે એટલે કે શુદ્ધોપયોગરૂપે પરિણમે તેે ધર્મીનો મનોરથ
છે, તે જ ધર્મીની ભાવના છે. મોક્ષને સાધતાં વચ્ચે રાગનો અંશ આવી જાય તેની
ભાવના ધર્મીને નથી. શુદ્ધપયોગવડે રાગ–દ્ધેષ–મોહને હણીને જ અર્હંતોએ મોક્ષને સાધ્યો
છે; મુનિવરો પણ એ જ ઉપાયમાં પ્રયત્નશીલ છે. ચોથા ગુણસ્થાને ધર્મની શરૂઆત પણ
શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે. છઠ્ઠા ગુણસ્થાને શુભરાગ આવે તે પણ કષાયનો કણ છે,
આચાર્યદેવ કહે છે કે તેને ઓળંગીને હું શુદ્ધોપયોગમાં લીન થાઉં છું, એકાગ્રતા વડે
શુદ્ધોપયોગી શ્રમણ થઈને હું સાક્ષાત્ મોક્ષમાર્ગને સાધું છું. જેને ભવસમુદ્રનો કિનારો
આવી ગયો છે અને સાતિશય જ્ઞાનજ્યોતિ ખીલી ગઈ છે એવા આચાર્યદેવ પોતે આ રીતે
ચારિત્રદશામાં ઝૂલતા ઝૂલતા બીજા મોક્ષાર્થી જીવોને પણ તે માર્ગ ઉપદેશી રહ્યા છે. અહો
જીવો! આત્માના મોક્ષને સાધવા માટે, એટલે આત્માના અતીન્દ્રિય સુખને સાધવા માટે,
અને ભયંકર ભવદુઃખોથી છૂટવા માટે તમે પણ જ્ઞાનતત્ત્વનો નિર્ણય કરીને આવી
ચારિત્રદશાને અંગીકાર કરો. આવી ચારિત્રદશા અંગીકાર કરવા માટે તૈયાર થયેલો મુમુક્ષુ
જીવ કઈ રીતે મુનિ થાય છે તેનું આ વર્ણન છે.

PDF/HTML Page 11 of 40
single page version

background image
: ૮ A : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
દીક્ષા માટે તૈયાર થયેલો તે મુમુક્ષુ–ધર્માત્મા કુટુંબાદિને છોડીને પછી આચાર્ય
પાસે જઈને દીક્ષા માંગે છે. શુદ્ધાત્માની ઉપલબ્ધિને સાધનારા મહા ગુણવાન આચાર્ય
પાસે જઈને, વંદન કરીને વિનયથી પ્રાર્થના કરે છે કે હે પ્રભો! આ સંસારનાં દુઃખોથી
છૂટવા અને શુદ્ધઆત્માની પ્રાપ્તિ કરવા હું આપના આશ્રયે આવ્યો છું. માટે હે સ્વામી!
શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી મને અનુગૃહીત કરો.










ત્યારે શ્રી આચાર્ય ભગવાન તેની પાત્રતા જોઈને તેના ઉપર અનુગ્રહ કરે છે કે;
‘લે, આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ!’ આ રીતે આચાર્યદેવ અનુગ્રહપૂર્વક
તે શિષ્યને મુનિદીક્ષા આપે છે. અહા, જાણે શુદ્ધાત્મા જ આપ્યો! પરમ અનુગ્રહ કરીને
તેને મુનિદશા આપી.
આ રીતે શ્રીગુરુ પાસે મુનિદીક્ષા લઈને પછી શું કરે છે? –
‘હું પરનો નથી, પર મારાં નથી; આ લોકમાં મારું
કાંઈ પણ નથી, પરની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી, હું
તો શુદ્ધજ્ઞાનમાત્ર જ છું’ –આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય
વર્તતો થકો તે મોક્ષાર્થીજીવ યથાજાત સહજરૂપને ધારણ કરે
છે......એટલે કે ધ્યાન વડે આત્માનું જેવું સહજ શુદ્ધસ્વરૂપ છે
તેવું પ્રગટ કરે છે. આ રીતે અંતરના ધ્યાનમાં શુદ્ધોપયોગ
પ્રગટ કરીને, મોક્ષની સાક્ષાત્ સાધક એવી મુનિદશા પ્રગટ
કરે છે.
નમસ્કાર હો તે મુનિભગવંતના ચરણમાં.

PDF/HTML Page 12 of 40
single page version

background image
: ૮ B : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ

* સોનગઢમાં પૂ. શ્રી કાનજી સ્વામી સુખશાંતિમાં બિરાજમાન છે; દસલક્ષણપર્વ
આનંદમંગળપૂર્વક ઉજવાયા. સવારે પદ્મનંદી–પચીસીમાંથી દશધર્મ ઉપરાંત સમયસાર
(આસ્રવ તથા સંવરઅધિકાર) અને બપોરે નિયમસાર (શુદ્ધભાવઅધિકાર) ઉપર
પ્રવચનો થયા હતા.
* સોનગઢમાં પરમાગમ–મંદિરનું શિલાન્યાસ
ભાદરવા સુદ બીજના રોજ સોનગઢમાં પરમાગમ–મંદિરનું શિલાન્યાસ થયું હતું.
આ પ્રસંગે ખાસ કરીને મુંબઈના તેમજ બીજા અનેક ગામોના મુમુક્ષુઓ આવ્યા હતા ને
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે આફ્રિકાવાળા શેઠશ્રી ભગવાનજીભાઈએ અને તેમના
કુંટુંબીજનોએ શિલાન્યાસ કર્યું હતું. આ આગમમદિર કરવા માટેની જાહેરાત મુંબઈમાં
રત્નચિંતામણિ–જન્મજયંતિ પ્રસંગે થઈ હતી. શિલાન્યાસ પહેલાં પ્રવચનમાં ગુરુદેવે
જિનવાણીનો મહિમા સમજાવ્યો હતો અને આત્મામાં ભાવશ્રુતરૂપ જિનાગમની પ્રતિષ્ઠા
કરવાની પ્રેરણા આપી હતી, –જેનો સાર આ અંકમાં આપ્યો છે. સોનગઢનું આ
આગમમંદિર, સ્વાધ્યાયમંદિરના વિશાળ ચોગાનમાં ૮૦ ફૂટ લાંબુ ને ૪૦ ફૂટ પહોળું
થશે, અને તેની દીવાલો આરસમાં કોતરેલા સમયસારાદિ જિનાગમોવડે શોભી ઊઠશે.
જો કે ગુરુદેવના પ્રતાપે કુંદકુંદ પ્રભુના સમયસારાદિ પરમાગમોનો મહાન મહિમા અને
પ્રભાવના ભારતભરમાં થઈ જ રહ્યા છે, તે ઉપરાંત આ આગમમંદિર તે સૂત્રોના વિશેષ
મહિમાને પ્રસિદ્ધ કરશે. તેનું શિલાન્યાસ કરવાનું પોતાને સદ્ભાગ્ય મળ્‌યું તેના
ઉલ્લાસમાં શેઠશ્રી ભગવાનજીભાઈએ મોટી રકમનો ફાળો આ કાર્યમાં આપ્યો હતો. તે
ઉપરાંત જિનવાણીની પ્રતિષ્ઠાના આ મંગલકાર્યના પ્રારંભપ્રસંગે જાણે કુંદકુંદપ્રભુનો જ
ફરીને સાક્ષાત્કાર થતો હોય એવો પરમ ઉલ્લાસ પૂ. બેનશ્રીબેન બંને બહેનોએ પ્રસિદ્ધ
કર્યો હતો ને જિનવાણીની અદ્ભુત ભક્તિ કરાવીને, ફરીને એકવાર દિવ્યધ્વનિ
સંભળાવવા સીમંધર પ્રભુજીને વિનતિ કરી હતી. આમ આનંદોલ્લાસપૂર્વક શિલાન્યાસ
વિધિનો ઉત્સવ થયો હતો. આ પ્રસંગે આગમમંદિર માટે (અગાઉના ફંડ ઉપરાંત) રૂા.
સવાલાખ જેટલી રકમોની ઉત્સાહભરી જાહેરાત થઈ હતી.
* કાનાતળાવમાં જિનમંદિરનું શિલાન્યાસ
ભાદરવા સુદ ત્રીજના રોજ સોનગઢથી કેટલાક મુમુક્ષુભાઈબહેનો કાનાતળાવ

PDF/HTML Page 13 of 40
single page version

background image
: ૮ C : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
(સાવરકુંડલાથી ચાર માઈલ દૂર) ગામે ગયા હતા ને ત્યાં શેઠશ્રી પોપટલાલ
મોહનલાલ વોરાના હસ્તે જિનમંદિરનું, તથા શેઠશ્રી ચીમનલાલ હિંમતલાલના હસ્તે
સ્વાધ્યાય મંદિરનું શિલાન્યાસ થયું હતું. કાનાતળાવમાં જિનમંદિર બાંધવાનો ઉલ્લાસ
ત્યાંના મુમુક્ષુ પટેલ–કણબીભાઈઓને જાગ્યો છે અને સ્વાધ્યાય ઉપરાંત હવે
જિનેન્દ્રભગવાનના ભક્તિ–પૂજન માટે તેઓ આતુર છે. આ મંગલ કાર્ય માટે ત્યાંના
મુમુક્ષુઓને વધાઈ! કાનાતળાવમાં શિલાન્યાસ પ્રસંગે શેઠશ્રી પોપટભાઈ, ચીમનભાઈ
અને બીજા મુમુક્ષુઓ તરફથી ત્રીસેકહજાર રૂા. ની રકમોનું ફંડ જાહેર થયું હતું.
* આત્મધર્મનું ગૌરવ
ચાલુ સાલે બધા ગ્રાહકોએ દીવાળી પહેલાં લવાજમ મોકલી આપેલ, એટલે એક
પણ ગ્રાહકને વી. પી. કરવું પડયું નહોતું. તેથી વ્યવસ્થામાં ઘણી રાહત થઈ હતી તેમજ
ખર્ચમાં પણ સારો બચાવ થયો હતો, અને આત્મધર્મના વાંચકવર્ગનું ગૌરવ પણ વધ્યું
હતું. એ જ રીતે આ વર્ષે પણ બધા જ ગ્રાહકો આગામી સાલનું લવાજમ રૂા. ૪ ચાર
દીવાળી પહેલાં જેમ બને તેમ વેલાસર મોકલીને આત્મધર્મનું ગૌરવ વધારશે અને
વ્યવસ્થામાં સહકાર આપશે–એવો વિશ્વાસ છે. ગઈ સાલ કરતાં આ સાલ
ગ્રાહકસંખ્યામાં ખૂબ વધારો થયો છે, અને હજી પણ તેમાં વધારો થઈને ત્રણ હજાર
ઉપરાંત સંખ્યા થઈ જાય–એવી આશા રાખીએ છીએ. –જય જિનેન્દ્ર
(બાલવિભાગના એક સભ્યનો સ્વર્ગવાસ)
જલગાંવના ભાઈશ્રી વૃજલાલ મગનલાલના સુપુત્રી કુમારી ઉષાબેન વૃજલાલ
શ્રાવણ વદ બીજના રોજ મગજના તાવની બિમારીમાં ૧૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામી
ગયા. તેઓ બાલવિભાગના એક ઉત્સાહી સભ્ય (નં. ૯પ૨) હતા; તેમના મોટા બહેન
બ્ર. હર્ષાબેન સોનગઢ– આશ્રમમાં રહે છે તેથી અવારનવાર સોનગઢ આવીને તેઓ પણ
ઉલ્લાસથી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. ગત વર્ષે શ્રાવણ માસમાં પણ તેમણે
ઉત્સાહથી ભાગ લીધો હતો; તેઓ ભદ્ર અને સરળ હતા. સોનગઢ રહેવાનું તેમને ખૂબ
ગમતું. તેમણે જીવનની અંતિમ ઘડી સુધી ‘હું છું આત્મા.....પરમાત્મા.....’ વગેરેનું રટણ
અને સમ્યક્ત્વની તથા દેવ–ગુરુના સત્સંગની ભાવનાઓ ભાવી હતી. અને તે
ભાવનાઓના સંસ્કાર સાથે લઈને તેમનો આત્મા સ્વર્ગવાસ પામી ગયો. વીતરાગી
દેવ–ગુરુના આશ્રયે તેઓ આત્મહિત પામો. (બાલવિભાગના સભ્યોને સૂચના કે
આપણી એક બહેનના

PDF/HTML Page 14 of 40
single page version

background image
: ૮ D : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
સ્વર્ગવાસના આ સમાચાર વાંચો ત્યારે વૈરાગ્યપૂર્વક તેમની સ્મૃતિમાં નવ નમસ્કાર
મંત્રનો જાપ કરજો.)
* બરવાળા (ઘેલાશા) ના મણીબેન પરસોતમદાસ શ્રાવણ વદ આઠમના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ દેવ–ગુરુના શરણે આત્મહિત પામો.
જાણે કે સાક્ષાત્ પરમાત્માએ બોલાવ્યા હોય ને તેમને મળવા
માટે જતા હોય, તેમાં કેટલો આહ્લાદ હોય! તેમ સ્વભાવની ભાવનામાં
સાધકને પરમ આહ્લાદ છે. એક સાધારણ રાજા મળવા માટે તેડાવે
તોય લોકો કેવા ખુશી થાય છે? ત્યારે અહીં તો અંદરમાં ભગવાન
ભેટવા બોલાવે છે કે : આવો....આવો! આ આનંદમય ચૈતન્યધામમાં
આવો! આવા ચૈતન્યના અનુભવમાં એકલો આનંદનો આહ્લાદ જ
ભર્યો છે. વાહ! ભગવાનના તેડાની આ વાત સાંભળતાં પણ શ્રોતાઓ
કોઈ અનેરો ઉલ્લાસ અનુભવે છે.
શુદ્ધ આનંદસ્વભાવનો જે ખરેખરો ઉલ્લાસ ને ઉમંગ આવવો
જોઈએ, તે ઉલ્લાસ અજ્ઞાનીને નથી આવતો તેથી તે બીજે અટકી જાય
છે; જો ખરો ઉલ્લાસ અને ઉમંગ આવે તો અનુભવ થયા વિના રહે નહિ.
ચૈતન્યભગવાન આનંદામૃતનો વેલો છે. આવી પોતાની સ્વ–વસ્તુ પ્રત્યે
અસંખ્ય પ્રદેશે ઉલ્લાસ ઉલ્લસે ત્યાં પરિણતિ વિભાવથી પાછી ફરી જાય
છે, સ્વાનુભવ થાય છે; તે સ્વાનુભવમાં તેને પરમાત્માની પ્રાપ્તિ છે. –
આવા સ્વાનુભવનું નામ પરમાત્માની સ્તુતિ છે. ચૈતન્યના અનુભવના
મહા સામર્થ્ય વડે મોહનો ક્ષય કરી નાંખે છે, તે પરમાત્માની ઉત્કૃષ્ટ
સ્તુતિ છે; અલ્પ કાળમાં તે સ્વયં પરમાત્મા થાય છે. તે સાધકને
પરમાત્માના તેડા આવી ગયા છે. નિર્વિકલ્પધ્યાનવડે સાક્ષાત્ પરમાત્મા
સાથે તેનું મિલન થાય છે. અહા, ભગવાનના મિલનના આનંદની શી
વાત?
(ગુરુદેવના પ્રવચનમાંથી)

PDF/HTML Page 15 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
શ્રાવણ વદ ૧૦ ના રોજ સોનગઢમાં ભાઈશ્રી
ધીરજલાલ નાથાલાલ (મરઘાબેન) ના મકાનના
વાસ્તુ પ્રસંગે (સમયસાર ગા. ૧૬૪–૧૬પ)

આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ક્રોધાદિ આસ્રવો ખરેખર તેનું સ્વરૂપ નથી. એ વાત
કર્તા–કર્મ અધિકારમાં સમજાવી; એ રીતે ચૈતન્યસ્વરૂપ આત્મા અને રાગાદિ આસ્રવોનું
ભેદજ્ઞાન કરાવ્યું.
હવે જીવને મિથ્યાત્વાદિ આસ્રવો થાય છે તે પોતાના પરિણામથી થાય છે,
ભાવઆસ્રવ તે જીવનાં પરિણામ છે, તેમાં જીવના પરિણામનો અપરાધ છે, તે આસ્રવ
ભાવો જડ નથી તેમજ ચેતનનું પણ પરમાર્થસ્વરૂપ તે નથી, એટલે તેને ‘ચિદાભાસ’
કહેવાય છે.
આવા રાગ–દ્વેષ–મોહરૂપ જે ચિદાભાસ પરિણામ છે તેનો કર્તા અજ્ઞાની જ થાય
છે, જ્ઞાની નહીં. જ્ઞાની તો પોતાને ચૈતન્યસ્વરૂપ જ અનુભવે છે. અતીન્દ્રિય આંનદથી
ભરેલા પોતાના ચૈતન્યતત્ત્વને ભૂલીને અજ્ઞાની પોતાને રાગાદિરૂપ અનુભવે છે; તે પોતે
પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. ભૂલ તે જડ નથી પણ જીવના ચિદાભાસ–પરિણામ છે.
ખરેખર તે ચૈતન્ય નથી, પણ ચૈતન્ય જેવા દેખાય છે. જોકે છે તો ચૈતન્યભાવથી જુદા,
પણ અજ્ઞાનીને તેનું જુદાપણું ભાસતું નથી એટલે તે ચિદાભાસ એવા મિથ્યાત્વાદિ
ભાવોનો કર્તા થાય છે.
ધર્મી જીવને પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં રાગાદિની જરાપણ ભેળસેળ નથી. આવા
વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન ચોથા ગુણસ્થાનથી જ શરૂ થઈ જાય છે. ધર્મી જીવને શ્રદ્ધા–
જ્ઞાનઅનુભવમાં પોતાનો ચૈતન્યસ્વભાવ આવ્યો છે; તે સ્વભાવમાં, અને તે શ્રદ્ધા–
જ્ઞાનમાં રાગાદિ પરભાવો જરાપણ નથી એટલે આસ્રવોનું કર્તૃત્વ તેમાં નથી. આ રીતે
ધર્મી જીવને આસ્રવનો અભાવ છે.

PDF/HTML Page 16 of 40
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
જીવના મિથ્યાત્વાદિ ભાવો તે સંજ્ઞ–આસ્રવ એટલે કે ભાવાસ્રવ છે; તથા જુનાં
કર્મોનું ઉદયમાં આવવું તે અસંજ્ઞ–આસ્રવ અર્થાત્ દ્રવ્યાસ્ત્રવ છે, અને તે નવા કર્મના
આસ્રવનું કારણ છે. પણ તે જુનું કર્મ નવા કર્મના આસ્રવનું નિમિત્ત ક્યારે થાય? કે
જીવ જો રાગ–દ્વેષ–મોહરૂપ અજ્ઞાનભાવે પરિણમે તો જ જુના કર્મનો ઉદય તેને નવા
કર્મના આસ્રવનું નિમિત્ત થાય છે; જીવના રાગ–દ્વેષ–મોહ વગર દ્રવ્યાસ્રવો તે નવા
આસ્રવનું કારણ થતા નથી.
જીવનો જે ચિદાનંદસ્વભાવ છે, તે સ્વભાવમાં રાગ–દ્વેષ–મોહ નથી; તેઓ
ખરેખર ચૈતન્ય નથી પણ ચૈતન્ય જેવો દેખાય છે, એટલે ‘ચિદાભાસ’ છે. ચોથા
ગુણસ્થાને ધર્માત્મા તે ચિદાભાસ પરિણામોને પોતાના સ્વભાવપણે અનુભવતા
નથી, તેને જ્ઞાનથી ભિન્ન એટલે કે અજ્ઞાનમયપરિણામ જાણે છે. આનંદસ્વરૂપ
આત્માને ભૂલીને જ્યારે અજ્ઞાનપણે રાગાદિનો કર્તા થાય ત્યારે જ જીવને આસ્રવ
થાય છે.
પ્રશ્ન– જ્ઞાનીને આસ્રવ કેમ નથી?
ઉત્તર:–
કેમકે જ્ઞાની પોતાને રાગ–દ્વેષ–મોહથી ભિન્ન એવા ચિદાનંદસ્વભાવપણે
જ અનુભવે છે; તે ચિદાનંદસ્વભાવમાં આસ્રવ કેમ હોય? રાગાદિમાં જેને એકત્વબુદ્ધિ છે
તેને જ આસ્રવ છે, ને તે તો અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહીં.
જુઓ, આ ધર્મની સરસ વાત છે. ધર્મીની જ્ઞાનદશા કેવી હોય? ને અજ્ઞાનીના
પરિણામ કેવા હોય? તેનું પૃથક્કરણ કરીને અપૂર્વ વાત સમજાવી છે. રાગથી ભિન્ન
જેટલું ચૈતન્યપરિણામ થયું તેમાં વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે. ચોથા ગુણસ્થાને પણ
અનંતાનુબંધી કષાયોનો અભાવ થઈને જેટલું વીતરાગભાવરૂપ પરિણમન થયું છે
તેટલા અંશે ચારિત્ર છે; ને તે વીતરાગભાવમાં આસ્રવ નથી. આત્મા સાથે તે પરિણામ–
અભેદ થઈ ગયા, અભેદજ્ઞાન થયું, વીતરાગવિજ્ઞાન થયું. આવા જ્ઞાનપરિણામને ધર્મ કહે
છે. તે જીવ સ્વઘરમાં આવીને વસ્યો; આનંદમય એવા નિજધામમાં આવીને તે રહ્યો; તે
ચેતન્યમય સ્વઘરમાં આસ્રવનો પ્રવેશ નથી.
અહો, ચૈતન્યચક્રવર્તી ભગવાન આત્મા, તેનો અનાદર કરીને રાગનો આદર
કરતાં મિથ્યાત્વનું મોટું પાપ થાય છે, તે માટો આસ્રવ છે. ધર્મીને વિકલ્પથી ભેદ, ને
ચૈતન્યસ્વભાવ સાથે અભેદપણું વર્તે છે એટલે તેના પરિણામ ચૈતન્ય સાથે અભેદ
થયેલા છે, તેમાં રાગાદિ આસ્રવનો અભાવ છે, ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેમાં
સમાય છે.

PDF/HTML Page 17 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
જેમ દુધીયું વગેરે પીણામાં અનેક પ્રકારનાં રસ મળેલા છે, તેમ ચૈતન્યના અનુભવમાં
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે વીતરાગી રસ એકમેક અભેદ અનુભવાય છે, આવા
વીતરાગભાવરૂપ પરિણામ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. ચોથા ગુણસ્થાને જે
સમ્યક્ત્વાદિ પરિણામ છે તે પણ વીતરાગ છે. ને તે પરિણામ આસ્રવનું કારણ થતું નથી.
આસ્રવનું કારણ તો અજ્ઞાનમય પરિણામ છે. ને તે અજ્ઞાનપરિણામ તો અજ્ઞાની જ કરે
છે. જ્ઞાની તો પોતાને કર્મથી અને રાગાદિથી પણ ભિન્ન ચિદાનંદસ્વરૂપે અનુભવે છે.
એવો અનુભવ થતાં સંસારનું મૂળ ઊખડી ગયું. આસ્રવનું મૂળ કારણ છેદાઈ ગયું. હવે
રાગાદિભાવો તે જ્ઞાનનું કાર્ય નથી પણ જ્ઞાનના જ્ઞેયપણે જ છે; માટે જ્ઞાનમય
પરિણામમાં ધર્મીને આસ્રવ નથી.
આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન જ્યાં થયું ત્યાં જ્ઞાન રાગાદિથી નિવૃત્ત થયું,
વીતરાગ થયું. જુઓ, આ વીતરાગનો માર્ગ! સંતોના વીતરાગી હૃદયની આ વાત છે.
આ મહાન મંગળ છે. ધર્મીનાં પરિણામ જ્ઞાનમય જ છે, ને જ્ઞાનમય પરિણામમાં બંધન
છે જ નહીં, માટે તે મુક્ત જ છે. ધર્મી તો રાગથી જુદો પડીને જ્ઞાનભાવમય એવા
નિજઘરમાં વસ્યા છે. વસ્તુમાં વસવું તેનું નામ વાસ્તુ; ચૈતન્ય વસ્તુ તો રાગથી પાર
આનંદમય છે, તે વસ્તુને શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં લેવી તે જ સ્વઘરનું સાચું વાસ્તુ
છે. સ્વઘરમાં વસતાં કેવળજ્ઞાન થશે ને સાદિ અનંતકાળ આનંદમય નિજઘરમાં તે રહેશે.
સમ્યગ્દર્શન તે મોક્ષમહેલને માટે સીસાના પાયા જેવું છે. મિથ્યાત્વના પાયા ઉપર
મોક્ષનો મહેલ ચણાય નહીં. મોક્ષ મહેલ માટે ચિદાનંદસ્વભાવની નિર્વિકલ્પ અનુભૂતિ
કરીને સમ્યક્ પ્રતીતરૂપ પાકો પાયો નાંખવો જોઈએ. એવો અનુભવ કરતાં આસ્રવનો
આંખમાં અંજન
એક સખી બીજી સખીને આંખમાં અંજન આંજવા ગઈ. ત્યારે
બીજી સખી કહે છે કે રહેવા દે; મારા નયનમાં કૃષ્ણપ્રેમ એવો ઠાંસીઠાંસીને
ભર્યો છે કે તેમાં હવે અંજનની જગ્યા નથી.
તેમ ધર્મીની દ્રષ્ટિમાં ચેતન્યપ્રેમ એવો ભર્યો છે કે તેમાં હવે
રાગની કાલિમાનો અંશ પણ સમાય તેમ નથી. એની દ્રષ્ટિમાં આતમ–
રામ વસ્યા છે, તેમાં હવે અન્યનો અવકાશ નથી.

PDF/HTML Page 18 of 40
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
જ્ઞાનસ્વભાવી આત્મા એટલે સર્વજ્ઞસ્વભાવી આત્મા.
સર્વજ્ઞસ્વભાવી આત્મા એટલે મુક્તસ્વરૂપ આત્મા.
તેનાથી વિરુદ્ધ શુભ–અશુભભાવો તે બંધભાવો.
(સમયસાર ગા. ૧૬૦ ઉપર પ્રવચનમાંથી : શ્રાવણ વદ બીજ)
ત્મા પોતે જ્ઞાન છે એટલે કે સર્વજ્ઞસ્વભાવી છે; સર્વજ્ઞસ્વભાવ કહો કે
મુક્તસ્વભાવ કહો. આવો સ્વભાવ હોવા છતાં, પોતાના પુરુષાર્થના અપરાધથી પુણ્ય–
પાપરૂપ કર્મમેલથી તે અવરાયો છે તેથી તે સર્વને જાણનારા એવા પોતાના આત્માને
અનુભવતો નથી. શુભ–અશુભ કર્મને જ્ઞાનથી ભિન્ન ન જાણતાં જ્ઞાન સાથે એકમેક
અનુભવે છે. એટલે ભિન્ન જ્ઞાનને (એકલા જ્ઞાનને, સર્વજ્ઞસ્વભાવને) તે જાણતો નથી.
આથી એમ સમજાવ્યું કે જે શુભાશુભભાવો છે તે જ્ઞાનથી વિરુદ્ધ છે; જ્ઞાન તો અબંધ
સ્વરૂપ છે, ને પુણ્ય–પાપ બંને બંધસ્વરૂપ છે, મુક્તસ્વરૂપ જ્ઞાન, અને બંધસ્વરૂપ
શુભાશુભભાવો, –તેમને એકતા કેમ હોય? જે શુભ–અશુભ બંધભાવના કર્તાપણામાં
રોકાય છે તે પોતાના મુક્તસ્વરૂપને ભૂલી જાય છે.
સર્વ જ્ઞેયોને જાણનાર એવો પોતાનો સર્વજ્ઞસ્વભાવી આત્મા, તેને તો અજ્ઞાની
અનુભવતો નથી, માત્ર રાગને અનુભવે છે, બંધને અનુભવે છે, બંધન રહિત
મુક્તસ્વરૂપને અનુભવતો નથી–જાણતો નથી.
શુદ્ધનયથી આત્મા મુક્તસ્વરૂપ છે; મોક્ષ થવો તે પર્યાયમાં છે. શુદ્ધનયથી
મુક્તસ્વરૂપ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે, તેમાં શુભ–અશુભ બંધભાવો નથી. કર્મબંધરૂપ
મલિનતા તેમાં નથી. અહો, આવા શુદ્ધસ્વરૂપને સાધીને સંતો નિજસ્વરૂપમાં સમાય છે.–
હમ પરદેશી પંથી સાધુજી....
આ રે દેશકે નાંહીં રે.....
નિજ સ્વરૂપનું સાધન કરીને,
જાશું સ્વરૂપ–સ્વદેશ જો..... હમ

PDF/HTML Page 19 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
આ પુણ્ય–પાપના પરભાવો તે અમારો સ્વદેશ નથી. અમે તો પુણ્ય–પાપથી પાર
એવા સિદ્ધસ્વરૂપના પંથી છીએ, આ પરભાવરૂપી પરદેશના વાસી અમે નથી; પુણ્ય–
પાપ વગરનું સર્વજ્ઞસ્વભાવી જે નિજસ્વરૂપ તેને સાધીને અમે અમારા સ્વરૂપ–સ્વદેશમાં
જઈશું. અમારું સ્વ–રૂપ અમારો સ્વદેશ તો સર્વજ્ઞપદથી ભરપૂર છે, પરમ આનંદથી
પરિપૂર્ણ છે; તેને સાધીને તેમાં અમે ઠરશું.
‘તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ–સ્વદેશ જો....’ –એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ
પણ કહ્યું છે, તેમાં પોતાના આત્માની સાક્ષીથી ભવના અંતનો પડકાર કર્યો છે.
અબંધસ્વરૂપ એટલે મુક્તસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી આત્માનો જ્યાં અનુભવ થયો ત્યાં
મોક્ષની નિઃશંકતા થઈ ગઈ. પુણ્ય–પાપરૂપ બંધન વગરનો મુક્તસ્વભાવ અહીં જ
સમ્યગ્દર્શન થતાં અનુભવમાં આવી ગયો છે. જે જીવ બંધભાવને (–પછી ભલે તે પુણ્ય
હોય, –તેને) પોતાના સ્વરૂપ તરીકે અનુભવે છે તે પોતાના મુક્તસ્વરૂપને અનુભવતો
નથી એટલે મોક્ષનો માર્ગ તેને પ્રગટતો નથી.
શુદ્ધનયથી આત્માનો સ્વભાવ મુક્તસ્વરૂપ છે જ; ને તેના અનુભવથી પર્યાયમાં
મુક્તિ પ્રગટે છે. જે જીવ શુદ્ધસ્વરૂપનો અનુભવ તો કરે નહિ અને પર્યાયમાં પણ પોતાને
શુદ્ધ માનીને સ્વછંદે વર્તે તો એને તો સંસારમાં જ રખડવાનું છે. પર્યાયમાં અશુદ્ધતા છે
તે પોતાનો અપરાધ છે એમ જાણીને, શુદ્ધસ્વરૂપમાં અનુભવ વડે તેનો નાશ કરશે ત્યારે
જ પર્યાયમાં મોક્ષદશા પ્રગટ થશે. પર્યાયમાં શુદ્ધતાનો અનુભવ થયા વગર હું શુદ્ધ છું’
એમ જાણ્યું કોણે? શુદ્ધપણે અનુભવ કરે ત્યારે શુદ્ધાત્માને ખરેખર જાણ્યો કહેવાય; ને
ત્યારે જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
સર્વજ્ઞસ્વરૂપ જે આત્મા, તેના અંર્તઅનુભવથી અતીન્દ્રિય આનંદના અમૃત
વરસે છે. રાગ–દ્વેષના અનુભવમાં તો ઝેર છે, ને ચૈતન્યના અનુભવમાં અમૃત વરસે છે.
અહો, પંચમકાળમાં પણ સંતોએ આવા અમૃત વરસાવ્યા છે. જ્ઞાનસ્વરૂપ છે તે
આનંદમય છે, ને પુણ્ય–પાપ તો આકુળતારૂપ છે.
આત્માનો સહજ જ્ઞાનસ્વભાવ છે, તે પરિપૂર્ણ છે, તેને ન જાણવાથી જીવ
અજ્ઞાની છે. પરને ન જાણ્યું માટે અજ્ઞાની એમ ન કહ્યું, પણ સર્વને જાણવાના
સામર્થ્યવાળો જે પોતાનો સર્વજ્ઞસ્વભાવ, તેને નથી જાણતો તેથી અજ્ઞાની છે.
સર્વજ્ઞસ્વભાવને જાણનારા–અનુભવનારા સંતો, પુણ્ય–પાપરૂપ અપરાધરહિત એવા
મોક્ષમાર્ગને સાધે છે.

PDF/HTML Page 20 of 40
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
શુભ કે અશુભ બંને ભાવો કષાય છે, અપરાધ છે, તે મોક્ષમાર્ગનું સાધન નથી.
મોક્ષમાર્ગમાં જ્ઞાનીને શુભરાગ થાય તે પણ અપરાધ છે, તે કાંઈ ગુણ નથી. ગુણ તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે રત્નત્રય જ નિર્વાણનો હેતુ છે. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં
ગાથા ૨૨૦માં કહે છે કે–
रत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति, न अन्यस्य।
आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽपराधः।।
જે સમ્યક્ત્વાદિ રત્નત્રય છે તે તો નિર્વાણનો જ હેતુ છે, તે બીજાનો હેતુ
નથી અર્થાત્ તે બંધનું કારણ નથી. ધર્મીને જે પુણ્યનો આસ્રવ થાય છે તે તો આ
શુભોપયોગનો અપરાધ છે; અર્થાત્ શુભોપયોગ જ પુણ્યબંધનું કારણ છે અને તે
અપરાધ છે; રત્નત્રયરૂપ વીતરાગધર્મ તે કાંઈ પુણ્યબંધનું કારણ નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના જેટલા અંશો છે તેટલા અંશે બંધન નથી; જે રાગાંશો
છે તે જ બંધનું કારણ છે–એ સિદ્ધાંત ગા. ૨૧૨–૨૧૩–૨૧૪ માં સ્પષ્ટપણે
અમૃતચન્દ્રાચાર્યે સમજાવ્યો છે.
જ્ઞાનીને પુણ્યબંધ થાય તે કાંઈ રત્નત્રયનું કાર્ય નથી, તે તો શુભોપયોગનો
અપરાધ છે, શુભોપયોગ જ તે પુણ્યબંધનું કારણ છે, રત્નત્રય કાંઈ બંધનું કારણ થતા
નથી, તે તો મોક્ષનું જ કારણ થાય છે. અરે, તારી ચીજ મોક્ષસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવથી
ભરપૂર તેને તું સંભાળ. સર્વ ગુણસમ્પન્ન આત્મા છે; સર્વજ્ઞેયોને સાક્ષાત્ સર્વપ્રકારે
જાણવાની તેની તાકાત છે. પણ પોતે પોતાને આવો સર્વજ્ઞસ્વભાવી ન માનતાં, પુણ્ય–
પાપરૂપ બંધભાવરૂપે જ પોતાને માને છે તે અંદરના સાક્ષાત્ ભગવાનથી દૂર થઈને
પરભાવમાં જાય છે. અહો, સર્વજ્ઞસ્વભાવી આત્મા અંદર બિરાજે છે, તેમાં નજર કરતાં
બંધભાવોથી રહિત મુક્તસ્વરૂપ આત્મા અનુભવાય છે. આવો અનુભવ તે અપૂર્વ
અલૌકિક વસ્તુ છે.
‘શ્રાવણ વદ બીજ’ ના આ પ્રવચનમાં ધર્મરત્ન, પૂ. ચંપાબેનના જન્મદિવસને
યાદ કરીને ગુરુદેવ વાત્સલતાથી કહે છે કે અહો, સર્વગુણથી સંપૂર્ણ એવો ચૈતન્યરત્નાકર
ભગવાન તેમાં નજર કરીને અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. જ્ઞાની પોતાના
ચૈતન્યસ્વભાવને અનુભવતા થકા ભગવાનની નજીક વર્તે છે. જે પોતાના અપરાધથી
ભગવાનને ભૂલ્યો તે ભગવાનથી દૂર થયો, પુણ્ય–પાપને પોતાનું માનીને અજ્ઞાનમાં
અટકેલા જીવો ભગવાનને ભૂલી જાય છે; એટલે તે તો ભગવાનથી દૂર છે. ને