Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 57

background image
૩૧૭
શ્રોતાને આત્માનો ઉલ્લાસ
આત્મામાં સિદ્ધપણું સ્થાપીને આચાર્યદેવ
શુદ્ધાત્માનું સ્વરૂપ સંભળાવે છે. સાંભળતાવેંત પહેલે
ઘડાકે વિકલ્પથી પાર થઈને શુદ્ધાત્મા તરફના
ઉત્સાહથી હા પાડે એટલી તાકાત તો શ્રોતામાં છે જ;
ને એવા શ્રોતા આત્માના ઉલ્લાસથી તરત જ
આત્માનો અનુભવ પ્રગટ કરે. એવા શ્રોતાને અમે
આ સમયસાર સંભળાવીએ છીએ. જેમ રણે ચડેલા
રજપૂતનું શૂરાતન છૂપું ન રહે તેમ ચૈતન્યને સાધવા
માટે જે મુમુક્ષુ જાગ્યો તેનો આત્માનો ઉત્સાહ છાનો
ન રહે...આત્માના ઉલ્લાસથી તે આનંદને સાધે જ.
(વિશેષ માટે અંદરના પહેલા પાનાં પર ‘આત્માના આનંદની ભેટ’ વાંચો.)
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ ફાગણ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭: અંક પ