Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 54

background image
૩૧૯
આરાધકને દુઃખ નથી
અરે જીવ! અનાદિ સંસારમાં પરિભ્રમણ
કરતાં ઘોરમાં ઘોર દુઃખોથી તું સોંસરવટ નીકળી
ગયો–પણ વિરાધકભાવે.
એકવાર જો આરાધકભાવે બધા દુઃખોથી
સોંસરવટ નીકળી જા, તો ફરીને આ સંસારનું કોઈ
દુઃખ તને ન આવે.
જે આરાધક છે, પોતાના આરાધકભાવમાં
જે ભંગ નથી પડવા દેતો, તેને માટે જગતમાં કાંઈ
પ્રતિકૂળ છે જ નહિ. પોતાના આરાધકભાવમાં જેને
શિથિલતા છે તે જ બીજી અનેક ડખલગીરી ઊભી
કરે છે. હે જીવ! તું તારી આરાધનામાં તત્પર
રહે...તને કોઈ વિઘ્ન છે જ નહીં.
*
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ર૪૯૬ વૈશાખ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ર૭ અંક ૭