Atmadharma magazine - Ank 320
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 52

background image
૩૨૦
ઉ.....પ.....કા.....ર
અંર્તસ્વભાવની સન્મુખતા કરાવે ને
પરથી વિમુખતા–ઉપેક્ષા કરાવે, એવો
હિતોપદેશ જે સંતોએ આપ્યો, તે સંતોના
ઉપકારને મુમુક્ષુ–સત્પુરુષો ભૂલતા નથી.
“હે જીવ! સ્વભાવ તરફ જવાથી જ
તને શાંતિ થશે, બહારના લક્ષે શાંતિ નહિ
થાય; પરદ્રવ્ય તને શાંતિનું દાતાર નથી,
સ્વદ્રવ્ય જ તને શાંતિનું દાતાર છે...માટે પરથી
પરાંગ્મુખ થઈને સ્વમાં અંતર્મુખ થા.”
–અહા! આવો ઉપદેશ ઝીલીને જે
અંતર્મુખ થયો, તે મુમુક્ષુ તે ઉપદેશના દેનારા
સંતોના ઉપકારને ભૂલતો નથી.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ જેઠ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ: ૨૭: અંક ૮