Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 44

background image
૩૨૨
ધર્માત્માનું જીવન! જ્ઞાનનો કસ!
સૌથી મોટું શાસ્ત્ર!
* આત્મઅનુભવથી મોટું કોઈ શાસ્ત્ર આ જગતમાં નથી.
* શાસ્ત્રભણતરના રહસ્યમાંથી જો રસ અને ફોતરાંનું (એટલે
કે જ્ઞાન અને રાગનું) પૃથક્કરણ કરવામાં આવે તો માત્ર
સ્વાનુભવરૂપી કસ જ બાકી રહે છે; એટલે બધાય શાસ્ત્રોનો
રસ–કસ સ્વાનુભવમાં સમાય છે.
* ભગવાને સ્વાનુભૂતિને સમસ્ત જિનશાસન કહ્યું છે.
* ધર્મનું જીવન અને ધર્મનો પ્રાણ સ્વાનુભૂતિ છે. તારે
ધર્માત્માનું અંતરનું ખરૂં જીવન જાણવું હોય તો તેમની
સ્વાનુભૂતિને ઓળખ.
* સ્વાનુભૂતિમાં આનંદમય સર્વસુખ પમાય છે, તે સર્વદુઃખ
મટે છે.
તંત્રી પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ શ્રાવણ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ : અંક ૧૦