Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 44

background image
૩૨૩
પંચપરમેષ્ઠી ભગવંતો અને સર્વે સાધકધર્માત્માઓ
વીતરાગભાવની આરાધનાપૂર્વક આપણને પણ એ જ માર્ગ
બતાવીને પરમ ઉપકાર કરી રહ્યા છે....પરમવત્સલતાથી
તેઓ આપણને ક્રોધ અને આત્માનું પૃથક્કરણ કરાવીને પરમ
ક્ષમાધર્મની આરાધના શીખવે છે.
આવા પરમ ઉપકારી સન્તોનો ઉપકાર શબ્દોમાં
સમાઈ શકે નહીં; આત્માના અસંખ્યપ્રદેશ ખોલીને તેમાં
સન્તોએ બતાવેલા વીતરાગી ક્ષમાભાવને ભરી દઈએ ને
ક્રોધના કોઈ અંશને તેમાં રહેવા ન દઈએ...આવી આરાધના
એજ સાચી ઉત્તમક્ષમા છે. એક જ ધર્મને સાધનારા આપણે
સૌ સાધર્મીઓ પરસ્પર પરમ પ્રીતિથી આવી ક્ષમાના
આરાધક બનીએ.

તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર
સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ ભાદરવો (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ : અંક ૧૧