Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 52

background image
૩૨૪
અવસર છે આરાધનાનો.....
સિદ્ધપદના અતીન્દ્રિય આનંદની સુવાસ પ્રસરાવતાં આ
વર્ષના પ્રારંભમાં ગુરુદેવે આત્માની આરાધનાનો મંત્ર આપતાં
એમ કહ્યું હતું કે–આત્માની પ્રભુતામાં બધું સમાઈ જાય છે.
આત્માની પ્રભુતાને આરાધવી તે મંગલ–સુપ્રભાત છે. આ
જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે જ સત્ય છે, તે જ કલ્યાણરૂપ છે ને તે જ
અનુભવ કરવા યોગ્ય છે.
કંઠગતપ્રાણ સુધી એટલે કે જીંદગીના છેલ્લા શ્વાસ સુધી
વીતરાગી–શ્રુતના અધ્યયન વડે જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના
કર્તવ્ય છે.
આયુ કઈ ક્ષણે પૂરું થશે–એની તને ખબર નથી, માટે હે
જીવ! અવિનાશી આતમરામને લક્ષગત કરીને તેના પ્રત્યે ક્ષણે
ક્ષણે જાગૃત રહેજે.
બહારની આંખ બંધ કરીને અંદરની આંખ ખોલ ને જ્ઞાન
દીવડા પ્રગટ કરીને તારા ચૈતન્યપ્રભુને દેખ. ચૈતન્યની
આરાધનાનો આ અવસર છે. હે વાલીડા! આરાધનાના અવસરને
ચુકીશ મા!
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં ૨૪૯૬ આસો (લવાજમ ચાર રૂપિયા) વર્ષ ૨૭: અંક ૧૨